આપણું ભાવી ઉજળું છે

મારા એક પાડોશી-મીત્રને ત્યાં હું ગયો ત્યારે તેઓના એક સંબંધી- તેઓની દીકરીના લગ્નની કંકોત્રી દેવા આવ્યા હતા. તે સમયે ટી.વી. પર રામાયણની સીરીઅલ ચાલતી હતી. રામ-રાવણનો યુધ્ધ-કાંડનો પ્રસંગ હતો. તેવામાં આવેલ સંબંધીએ કહ્યું, રામાયણના જમાનામાં અસલમાં બ્રહ્માસ્ત્ર એ જ હાઈડ્રોજન બોમ્બ હતો. એટલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન છુટકે કરવો પડે તો જ કરવો એવો વણલખ્યો નીયમ હતો. એટલે જ રામ બીજા ત્રીજા અસ્ત્રો અજમાવે છે. પણ રાવણ બ્રહ્માસ્ત્ર વીના થોડો મરવાનો છે ?”

મારા પાડોશીના સંબંધી એક જમાનામાં ચુસ્ત આર્યસમાજવાદી હતા. તેઓની વીચારસરણી ચુસ્ત હીન્દુવાદી અને  તેઓ રાજકીય પાર્ટીના વી.આઈ.પી. હતા. તેઓના વીચારોથી હું પરીચીત અને તેઓ મારા વીચારોથી. એટલે તેનાથી કંઈક વીરોધી સુર કાઢવામાં મને અનેરો આનંદ આવતો હતો. મેં કહ્યું, ” જો રામાયણના સમયમાં આપણી પાસે અણુ અને હાઈડ્રોજન બોમ્બ હતા, તો આજે આપણે આખી દુનીયા પર રાજ કરતા હોત ! “

તમે સમજ્યા નહીં, મારા ભાઈ, પેલા જર્મનો આપણા શાસ્ત્રો ઉઠાવી ગયા, અને પછી તો તેઓએ સંસ્કૃત્તનો શો અભ્યાસ કર્યો, શો અભ્યાસ કર્યો, કે આજે આપણને આંટી દે તેવા સંસ્કૃતના પંડીતો જર્મનીમાં પડ્યા છે. આપણા શાસ્ત્રો વાંચી વાંચીને આ તમારી વીજ્ઞાનની શોધો તેમણે કરી, અસલમાં તો તે બધું આપણું જ ને ! “

” જો તેમજ હોય તો આપણે શરમાવું જોઈએ.” મેં મમરો મૂક્યો. કેમ ! કેમ ! ઉલટાનું આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પુર્વજોને અણુબોમ્બ અને હાઈડ્રોજન બોમ્બનું જ્ઞાન ૫૦૦૦ વર્ષ પુર્વે હતું, ત્યારે આ લોકોને આજે તેનું ભાન થાય છે.”

” પેલા જર્મનો આપણા જ શાસ્ત્રો વાંચી વાંચીને ૧૦૦ વર્ષમાં નવી નવી શોધો કરી શક્યા, અને આપણે ! આ શાસ્ત્રો આપણી પાસે ૫૦૦૦ વર્ષ સુધી હતા, છતાં કંઈ ન કર્યું. ૨૦૦ વર્ષની અંગ્રેજોની ગુલામી કરી. બોલો, તેમાં આપણે ગૌરવ લેવું જોઈએ કે શરમાવું જોઈએ ?” મેં જરા આવેશમાં આવીને કહ્યું.

તેઓ નીરુત્તર રહ્યા. તેઓને મોડું થાતું હતું. જતાં જતાં કહે, “વાત તો તમે મુદ્દાની કરી, ચાલો ફરી ક્યારેક મળીશું ત્યારે વાત કરશું ”

તેઓતો ગયા એટલે મારા પાડોશી-મીત્રના દીકરાનો દાણો દબાવતાં મેં કહ્યું, ” તમે લોકો રામની જેમ મંત્ર ભણી શસ્ત્રો ફેંકવાનું શીખતા હો તો ! કદાચ પાકીસ્તાન સામે લડવું પડે તો તમારી વીદ્યા તો કામ લાગે.”

“અંકલ, આ તો બધી કેમેરાવાળાની કરામતછે. એવા મંત્રથી આ બધું થઈ શકતું હોય તો અમેરીકાવાળા શું ગાંડા છે કે અબજો અને ખર્વો ડોલરોનો ધુમાડો કરે !” મારા સંબંધીના દીકરાએ ફટ દઈને જવાબ આપ્યો.

આપણે આજની ઉગતી પ્રજાનો ગમે તેટલો દોષ કાઢીએ, પણ છે વાસ્તવવાદી; એમ તો જરૂર કહેવું પડે. આ પ્રજાના હાથમાં આપણું ભાવી ઊજળું છે, એમ મને થયું.

ગોવીન્દ મારુ



8 Comments

  1. પણ, અબજો, કરોડો ડોલરના ખર્ચા પછી મને અમેરિકાનું ભાવિ ઉજળું લાગતું નથી!

    Like

  2. Hello All,
    I am not agree with kartik. Kartik they have capaibility to spend money we dont have. As u all know election is going in india. You know the level of our PM in waiting n all senior candidate. I dont think so anyone except Manmohan sing are suitble for PM. See We shuld not worry abut Future of USA. We shud worry abt our Indias future. See i have seen eleciton in USA n Inida. I beleive USA is very opent n u can speak freely. In USA Leaders have accountability. Media have accoutablility. They have not Problem of Water, Toilet. They tried to solve the problem. They try to improve Human life. so i suggest we so called gr8 ppl n gr8 nation should be realistic. See problem only can resolve when u know where and Waht is problem. So i suggest we shuld think ground level.In india only in gujarat Women can travle freely. Whereas in USA everywhere they can travel free. I do believe if u are l USA citizen then u r having true freedom. They try to care about their people. I think we shud need to walk very long before comapring with GDP growth with USA. We are far behind Human GDP Life index.For that I, you n our all past n present Public are resopsible.

    Like

  3. Kartik Mistry for his make belief needs to be the leader and advisor of our Ex.President ABDUL KALAM and Govt.Of inida.
    Dr. Kalam who is commining to receive HOOVER AWARDS to Columbia University on 28th April 2009.

    Rajenddra Trivedi, M.D.

    Like

  4. Namskar Govindbhai,

    Aapadi Snkruti a aapadi Sankruti. World best. Bhale aapade vikas nathi kariyo pan aaje pan vadilo ne man sanman matapita ni sheva a aapadi sankruti ma 6. vikas to tamar jeva na aashirvad ane margdarshan thi chokkas karishu.

    Jai Shree Krishna.

    Like

Leave a comment