મોરારીદાસ હરીયાણી

– પ્રો. જે. પી. મહેતા

       તા.16-3 ના, વીદ્વાન જોસેફ મેકવાનના ‘સમભાવ પર્વની ફલશ્રુતી’માં યોગ્ય હેવાલ છે; પણ મર્મજ્ઞ જોસેફભાઈ, વીંછીની પુંછડી જેવા ડંખનું અંતીમ વાક્ય લખીને કમાલ કરે છે કે : “ઉત્તમ પરમારે બાપુના ને બાપુએ તેમના સૌના વખાણ કર્યા; પણ ઉણપ રહી ગઈ એક કે કોઈએ શીશુસહજ ભાવે રાજાને નાગો ના કહ્યો…!” જોસેફભાઈ જેવા રેશનાલીસ્ટનો ધ્વની પ્રધાન રીતે કહી જાય છે કે દરેક ધર્મગુરુ જુના શોષણખોર, દાધારોંગા, મનસ્વીજીવનાં, પ્રજાના  ભોળપણનો (ધર્માંધતાનો) લાભ ઉઠાવતાં નાગા રાજાઓ જેવાં જ અધમ છે. રેશનાલીઝમને વૈજ્ઞાનીક અભીગમથી આવાં બાવાબાપુ સાવ વીરુદ્ધ દીશાનાં જીવન-પ્રવચન-કર્મો કરે છે જ. મારા જાણીતા એક ધર્મગુરુ મોરારીદાસ વીશે લખીને તેમના જેવા કે તેમનાથી વધુ અંધશ્રદ્ધા – ચમત્કારો – પુરાણોના ગપગોળા ગબડાવી, લાખોની મેદનીને ધર્મ નામે પ્રભાવવાણીથી આંજી, લાખો રુપીયાના-કલાકોના-તનમનધનના નર્યા બગાડ જેવી ‘ભાગવત’ કે ‘રામાયણ’ કથાઓ કહી, પોતે વારંવાર વીદેશોના વૈભવ માણી, દેશમાં પણ રાજસી વૈભવો માણી, પ્રજા પાસે દંડવત્ કરાવી, માનવીય ગૌરવ હણી, 21મી સદીમાંથી ‘રામરાજ્ય’માં લઈ જવા માંગે; પોતે વીજ્ઞાનદીધી સેંકડો સગવડો ભોગવી, પશ્વીમ અને વીજ્ઞાનને જ ભાંડે. મુલત: ધર્માંધતાના આ સૌ જીવંત પ્રતીકોને રેશના.ને શ્વેત-શ્યામ- દીવસ-રાત-સત્ય-અસત્ય જેવા/જેટલા વીરોધ છે જ. મોરારીદાસ પોતાને મોડર્ન સુધારક ગણાવે તો તેમણે પ્રથમ તો – 1. બહુરુપી જેવો વીચીત્રીવેશ – હાથમાં રામનામીમાળા – પગમાં ચાખડી, તીલક દુર કરવાં, સામાન્યજન જેવો પોષાક પહેરવો. 2. ‘કૈલાસગુરુકુલ’ જેવું રુપાળું નામ છોડી, ‘બાવાના છોકરાની (છોકરીની નહીં) બોર્ડીંગ’ નામ આપવું, કેમ કે, આ સ્વજ્ઞાતીની જ બોર્ડીંગ છે, અન્યોને પ્રવેશબંધી. 3. રોજ સવારે નાનો યજ્ઞ કરી ઘી-લાકડાં ન બાળવાં. 4. આખી દુનીયા શું માત્ર ગંગાજળ જ પીવે છે ? માત્ર ગંગાજળ જ પીવાનો હઠાગ્રહ શું પોતાની ગ્રામમાતા નદી માલણનું અપમાન નથી ? 5. દેશ-વીદેશનાં ઘેલાં ભક્તાણી-ભક્તો બાપુ જ્યાં ચાલ્યા હોય તેની ધુળ થેલીમાં ભરી, પ્રસાદી રુપે પુજે તે બંધ કરે. 6. પોતાની ચાખડી-શાલ-પાટ ઘેલાં ભક્તો પ્રસાદી માની મોટી કીંમતે બાપુના દલાલો પાસેથી ખરીદે છે તે જો સત્ય હોય તો બંધ કરાવે.

       માત્ર તેઓ જ નહીં, અન્ય સૌ આસારામો – જયશ્રી દીદીઓ – પ્ર.બ.રુપ સ્વામીબાવાઓ, ને દીવંગત સેંકડો બાવાબાપુઓના મંદીરો-મજારો પુજવાનું બંધ કરી, તેમના સામૈયા, શોભાયાત્રાઓ – જન્મદીન – દીક્ષાદીન – સાક્ષાત્કારદીન વગેરે બગાડરુપ – તદ્દન નોનસેંસ ધર્માંધ કુક્રીયાઓ પ્રજા પોતે જ બંધ નહીં કરે તો રોજ નવા નવા તાલીબાનો ને તેમના આકાબાવા બાપુ-મૌલવીઓની નાપાક ફોજ દેશને બરબાદ કરશે જ, આજે પણ કરે છે. મેં જે કડવું સત્ય લખ્યું તે કોઈ વ્યક્તીવીશેષની નીંદા કરવા નહીં પણ પ્રજા સત્ય જાણી, માનવતા – વૈજ્ઞાનીક અભીગમવાળી બને તે શુભ હેતુથી જ છે. સૌ જાણે – આચરે કે 1. ન ઈશ્વર –  ન  ધર્મ 2.  ન ગુરુઓ  3. ન જડમુર્તી પુજા-મંદીરો-મસ્જીદો  4.  ન પુજા, પ્રાર્થના, નમાજ  5.  ન હજયાત્રા  6. ન કંઠી દોરાધાગા-રુદ્રાક્ષ, તાવીજ નંગની વીંટીઓ  7. ન ભુતભુવા ન જ્યોતીષ 8. ન પુનર્જન્મ – ન સ્વર્ગનર્ક માત્રને માત્ર સત્ય-કરુણા-પ્રેમસુખાનંદ – જ્ઞાનવીજ્ઞાનયુક્ત માનવતાવાદી જીવન જ આરાધ્ય ને સાધ્ય છે.

 [ બી-4, પંચશીલ, વીદ્યાભવન સ્કુલ સામે, ઘાટકોપર, મુંબઈ-400077]

તંત્રીનોંધ:

       પત્રલેખક રેશનાલીસ્ટ છે. એમણે લખ્યું છે કે, “હાલ મુંબઈ છું; પણ છ માસ મોરારીદાસના મહુવા ખાતે રહું છું. નાનપણથી તેમને જાણું છું. તેમની પુત્રીઓ મારી વીદ્યાર્થીની હતી. અહીં જે લખ્યું છે. તે 100 ટકા સત્ય છે, શંકા ન કરશો.”               

         તા. 1–5–2009ના ‘નયામાર્ગ’ પાક્ષીક–(અમદાવાદ)ના, પાન ૨૩–૨૪ પર પ્રકાશીત ‘પત્ર-સાર’માંથી સાભાર…

28 Comments

  1. “માત્રને માત્ર સત્ય-કરુણા-પ્રેમસુખાનંદ – જ્ઞાનવીજ્ઞાનયુક્ત માનવતાવાદી જીવન જ આરાધ્ય ને સાધ્ય છે”

    ——-વાતમાં દમ ખરો ભાઈ !!! પણ આ લખનારનો રોષ વધારેપડતો છે…

    Like

  2. સાવ સાચુ તમે કહ્યુ…અમને પણ સ્વાધ્યાયના કહેવાતા ધર્મધુરંધરોનો ખતરનાક અનુભવ થઈ ચુક્યો છે તેઓની સામે અમે સત્ય કહી દીધુ..બદનામી વહોરી લીધી પણ પ્રજા ઘેટાંની જેમ દોરાય કરે છે અને તેમને મૉટા બનાવી પૂજા કર્તી રહે છે..જય હો..જય હો…હંમેશા સારુ નહિ…જેઓ અધર્મને ધર્મ માની આચરતાં અચકાતાં નથી વળી તેમને સર્વશ્રેષ્ઠ માને તેમને માટે…

    ધરમથી ધૂતનારોને ધર્મોમય કહો શાને ?
    ગીતા કહી ધન સંગ્રહનારા ગીતામય કહો શાને ?
    ખરો સ્વાધ્યાય કરે તે સાચુખોટુ પારખી લે છે
    કરાવે બ્રહ્મહત્યા તેને તેજોમય કહો શાને ?

    દિલીપ ગજ્જર.

    Liked by 1 person

  3. પ્રજાની અંધશ્ર્ધ્ધા જ પ્રાજાને ગેર માર્ગે દોરે છે. પોતાને મળતા લાભો કોઈ શા માટે જતા કરે ? પૂજાવા મટે? અહીં તો પૂજા પ્રથમ અને લાભ પછી છે. ઘરના ખર્ચ કરતા નોકરીની આવક ઓછી પડતાં કોઈ કથાકાર તરીકેનો પાર્ટટાઈમ ધંધો શરૂ કરે અને એ વ્યવસાયમાં સફળ થઈ યશ, કિર્તી અને ધન મેળવે તો તેઓ શા માટે ન સ્વીકારે ? વળી એમની રીતે તેઓ સમાજ સેવા પણ કરે જ છે. ફકત થોડા જાગૃત લોકોની અપેક્ષા મુજબની નહી. સાચા સંત બનવા જે ત્યાગ કરવો પડે તે કરવાની એમની તૈયારી ન હોય અને છતાં લોકો સાચા સંત તરીકે એમને પૂજતા હોય તો તેઓ શા માટે ના પાડે? કહેવાય છે ને કે લુહારનું કામ તલવાર બનાવવાનું છે લડવાનું નહી. સમાજને તો કથા દ્વારા તેઓ સારા માર્ગે જ દોરે છે, ગેરમાર્ગે નહી. ફક્ત એ પછી તે કારણે મળતા લાભો સ્વીકારી તેઓ સફળ ધંધાદારીનો આનંદ માણે છે જે મારા તમારા જેવા કેટલાકને ન રૂચે તો તેની પરવા તેઓ શા માટે કરે? ઉલ્ટાનું સાધુનું અપમાન કરનાર તરીકે લોકો આપણને હલકા ગણે જેમાં આ લબ્ધપ્રતિષ્ઠીતોનો એમને પૂરો સહકાર મળે. ભાઈ, આ એક વ્યવસાય જ છે એમ ન સમજતા મૂર્ખ લોકો જ અંધશ્રધ્ધાથી એમને પૂજે છે અને જ્યાં રાજકારણીઓને પણ લોકોનો લાભ લેવાના માર્ગે જ હોય ત્યારે આવી મૂર્ખાઈને પૈસાની કે અન્ય લાલચ કે ખોટી આશાઓ આપી પોષવામાં આવે છે. આ આખી ય પ્રવૃતિમાં જ્યારે શિક્ષિત વર્ગ પણ જોડાય છે ત્યારે સમાજ પ્રત્યેની કરૂણાથી હૈયુ ભરાઈ આવે છે અને આંખમાં આંસુના તોરણ બંધાય છે. આવા કહેવાતા સાધુઓ કરતા લોકોનો દોષ
    વધારે છે. તેઓ ક્યાં કહે છે કે અમારી પૂજા કરો અને ભેટ ધરો અને એમ કરવાની ના પાડવાથી એમને શો ફાયદો? કથાકારનો વ્યવસાય કરનારે સાચા સંત થવુ જ એવો કોઈ નિયમ તો નથી. ગાડરીયો પ્રવાહ આપણા દેશ જેટલો ભાગ્યે જ કોઈ બીજા દેશમાં હશે. જ્યારે ભાવુક લોકો જાગૃત નથી હોતા અને જાગૃત લોકો ભાવુક નથી હોતા ત્યારે દંભ પોષાતો જ રહેવાનો.

    Like

  4. બાપુની અને અન્ય બીજી કથાઓ સાંભળવામાં લાખો માનવો આવે. અને એમાંથી કેટલાં સુધર્યા એતો બાપુના રામ અને બજરંગ જ જાણે પણ અબજો માનવ કલાકો બગડ્યા છે એનો હિસાબ પણ લગાવવો જોઈએ. વળી બાપુની ક્રુઝમાં કથા, વિમાનમાં કથા (વિઆઈપીઓ માટે) એ પણ નવાઈની વાત છે.
    કથા સુણી સુણી કુટ્યા કાન તો ય ન આવ્યું એને ભાન કે એવી જ કોઈ અખાની પંક્તિ છે એ યાદ આવે છે.
    વળી સ્વામિનારાયણ સંપ્રદાયની વાત પણ ધ્યાનમાં લેવી જેવા છે. અબજો રૂપિયાના મંદિરો આખા વિશ્વમાં બાંધવાથી કંઈ સતયુગ કે સંતયુગ આવી જવાનો છે?
    ધર્મને નામે ચાલતા આસારામના આશ્રમો તો વિવાદાસ્પદ બન્યા જ છે અને સરકાર એને છાવરે. તો દીદીની દાદાગીરીને કેમ ભુલાય? આવા તો કેટલાંય દુષણો/ વેપારો ધર્મને નામને માનવને ધુતે છે. જ્યાં સુધી માનવમાં સમાજમાં ઘેંટાવૃત્તિ છે ત્યાં સુધી આવા ધુતારાઓને કોઈ આંચ આવવાની નથી…
    જય સિયારામ
    !
    જય સ્વામિનારાયણ
    !

    Liked by 1 person

    1. It is not only the SECTARIAN-RELIGIONS and SO-CALLED-SADHOO-SANTS who promote them who are the culprits..!!

      But in my opinion now with the DEMISE of RELIGION OF ETERNAL BHAGAVAN PARAMAATMAN or GOD,namely SANAATAN-DHARMA and SECTARION-RELIGIONS-BORN-OFF-IT and in it’s place the ADVENT of DEMOCRATIC-SYSTEM-OF-GOVERNANCE or SO-CALLED-LOK-RAAJ or PEOPLES-GOVT;which is even BORN-FROM the ETERNAL-RELIGION-OF-GOD;WE-EDUCATED-ABLE-CAPABLE-HEALTHY-INDIANS, who are the NEW-SAADHOO-BAAVAAS in the garb of GOVT-OFFICERS,PROFESSIONALS,BUSINESS-PERSONS etc to blame for CORRUPTION,SELFISHNESS etc…!!

      CORRUPTION is SELFISHNESS.

      CORRUPTION or SELFISHNESS is LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE..!!

      That is CORRUPTION,SELFISHNESS,LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE means WE DON’T CARE FOR OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS ie ANYTHING-ELSE or ANYBODY-ELSE,EXCEPT FOR OURSELF or ME or MINE..!!

      In short as I SEE it,I feel that regardless of WE-INDIANS are
      EDUCATED or UNEDUCATED,LITERATE or ILLITERATE,but WHOEVER have CAPACITY,ABILITY,SKILL,TRADE,EDUCATION
      HEALTH etc EXPLOITS,ABUSES or TAKES MORE FROM THE WORLD THAN HE/SHE/IT NEEDED TO SURVIVE;than the ONES; WHO have NO-CAPACITY, NO-ABILITY,NO- SKILL, NO-TRADE,NO-EDUCATION,NO-HEALTH etc..!!

      In short the OLD-RULE of MIGHT-IS-RIGHT is still SILENTLY- OPERATING..!!

      The only thing that has CHANGED is that the MIGHT has now shifted from the BICEPS to BRAIN-INTELLECT-MIND etc ie the MIGHT has CUNNINGLY-HOMED-IN the MONEY,POWER
      POSITION,CAPACITY,ABILITY, SKILL,TRADE,EDUCATION etc.

      Alas WE-HUMANS in general and WE-INDIANS IN PARTICULAR DON’T KNOW that WE OWN NOTHING ie even OUR-BODY-BRAIN-INTELLECT-MIND,MONEY,POSITION, POWER,CAPACITY,ABILITY, SKILL,TRADE,EDUCATION etc are not ours,but still WE-INDIANS in particular are not only like the INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;but also EVEN LOWER THAN THEM;because WE LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE and NOTHING-ELSE or NOBODY-ELSE..!!

      Therefore I would like to KNOW and similarly I would like OTHER-INDIANS to KNOW also,whether WE ARE SELFISH or UNSELFISH..!!

      SELFISHNESS,CORRUPTION,LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE is CARELESSNESS FOR OTHER-HUMANS,ALL-BEINGS and ALL-THINGS..!!

      GANDHIJI was HIGHLY-EDUCATED,but he had CHOSEN to NOT GO ON THE ROAD OF SO-CALLED-DEMOCRACY,which WE-INDIANS FONDLY CALL IT PEOPLES-GOVT,LOK-RAAJ, LOK-SATTAA,LOK-SHAAHI,SWATANTRATAA,AAZAADI etc..!!

      Think about that for a moment..!!

      rkpatel,
      wn,nz.
      rkpatel@paradise.net.nz

      Like

    2. It is not only the SECTARIAN-RELIGIONS and SO-CALLED-SADHOO-SANTS who promote them who are the culprits..!!

      In my opinion now with the DEMISE of RELIGION OF ETERNAL BHAGAVAN PARAMAATMAN or GOD,namely SANAATAN-DHARMA and SECTARION-RELIGIONS-BORN-OFF-IT and in it’s place the ADVENT of DEMOCRATIC-SYSTEM-OF-GOVERNANCE or SO-CALLED-LOK-RAAJ or PEOPLES-GOVT;which is even BORN-FROM the ETERNAL-RELIGION-OF-GOD;WE-EDUCATED-ABLE-CAPABLE-HEALTHY-INDIANS, who are the NEW-SAADHOO-BAAVAAS in the garb of GOVT-OFFICERS,PROFESSIONALS,BUSINESS-PERSONS etc to blame for CORRUPTION,SELFISHNESS etc…!!

      CORRUPTION is SELFISHNESS.

      CORRUPTION or SELFISHNESS is LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE..!!

      That is CORRUPTION,SELFISHNESS,LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE means WE DON’T CARE FOR OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS ie ANYTHING-ELSE or ANYBODY-ELSE,EXCEPT FOR OURSELF or ME or MINE..!!

      In short as I SEE it,I feel that regardless of WE-INDIANS are
      EDUCATED or UNEDUCATED,LITERATE or ILLITERATE,but WHOEVER have CAPACITY,ABILITY,SKILL,TRADE,EDUCATION
      HEALTH etc EXPLOITS,ABUSES or TAKES MORE FROM THE WORLD THAN HE/SHE/IT NEEDED TO SURVIVE;than the ONES; WHO have NO-CAPACITY, NO-ABILITY,NO- SKILL, NO-TRADE,NO-EDUCATION,NO-HEALTH etc..!!

      In short the OLD-RULE that MIGHT-IS-RIGHT is still SILENTLY- OPERATING..!!

      The only thing that has CHANGED is that the MIGHT has now shifted from the BICEPS to BRAIN-INTELLECT-MIND etc ie the MIGHT has CUNNINGLY-HOMED-IN the MONEY,POWER
      POSITION,CAPACITY,ABILITY, SKILL,TRADE,EDUCATION, PROFESSION,BUSINESS etc.

      Alas WE-HUMANS in general and WE-INDIANS IN PARTICULAR DON’T KNOW that WE OWN NOTHING.

      That is,even OUR-BODY-BRAIN-INTELLECT-MIND,MONEY, POSITION, POWER,CAPACITY,ABILITY, SKILL,TRADE, EDUCATION,PROFESSION,BUSINESS etc are not ours.

      Therefore,WE-INDIANS in particular are not only like the INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;but also EVEN LOWER THAN THEM,because WE-INDIANS LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE and NOTHING-ELSE or NOBODY-ELSE..!!

      Therefore I would like to KNOW and similarly I would like OTHER-INDIANS to KNOW also,whether WE ARE SELFISH or UNSELFISH..!!

      SELFISHNESS,CORRUPTION,LOVE or CARE FOR ONLY OURSELF or ME or MINE is CARELESSNESS FOR OTHER-HUMANS,ALL-BEINGS and ALL-THINGS..!!

      GANDHIJI was HIGHLY-EDUCATED,but he had CHOSEN to NOT GO ON THE ROAD OF SO-CALLED-DEMOCRACY,which WE-INDIANS FONDLY CALL IT PEOPLES-GOVT,LOK-RAAJ, LOK-SATTAA,LOK-SHAAHI,AAZAADI SWATANTRATAA etc..!!

      Think about that for a moment..!!

      rkpatel,
      wn,nz.
      rkpatel@paradise.net.nz

      Like

  5. મેહતો આમે તો મારે ય નહી ને ભણાવે ય નહી. આ મહેતો તો ભારે ઝનૂની નીકળ્યો. બાપુએ જે કાંઈ મેળવ્યું છે એ એમની પોતાને શક્તિ અને સામર્થ્યથી મેળવ્યું છે. જેનાથી શન ના થતું હોય એ એનો પ્રોબ્લેમ છે. આ પત્રકાર્ને મહુવામાં ધાર્યા લાડ્વા બાપુએ નહી ચડાવ્યા હોય એટ્લે જીભ પર ઝેર બેઠું.

    Like

  6. Lt Pankbhai Trivedi killed by swadhyayee for more detial log on

    http://www.swadhyay-pariwar.blogspot.com

    Statements form Swadhyayees to the Police :- “If we the swadhyayees lose this case in High Court, we will go to Supreme Court, if we lose our case in Supreme Court we will break Pankaj Trivedi’s both legs this is what we were told by swadhyay’s motabhai” for more information log on

    http://www.Vijayuncle.com Click “Swadhyay untold story” and click pages 180 ,183 to 188 for our innocent Kids and Gujarati

    Thanks for all of those who speak openlly agsinst Dharmik Gunda and Mafiya

    Like

  7. સરસ. ખુબ ગમ્યું.

    ભણેલા લોકો પણ આવા ધંધાદારીઓને સંત માને ત્યારે આશ્ચર્ય થાય એમ કહીએ પણ ખરેખર માત્ર શબ્દોની માહીતી મેળનારને આપણે ભણેલા ન કહી શકીએ.

    ખરેખર એ લોકો ધર્મ માટે થોડા જ આ બધું કરે છે, એ લોકો તો ધંધો કરે છે.

    Like

  8. * આજે હું ધાર્મિક પ્રકૃતિનો નથી, જો કે આજથી 20 વરસ પહેલાનો પણ એક સમય હતો જ્યારે ભણવામાંથી ગુલ્લી મારી મોરારીદાસની કથામાં હોશેં હોંશે જતો, ગુરુપૂર્ણિમા પર પણ તલગાજરડા (મહુવા)માં તમશો જોયેલો છે.

    * (મારી વાતમાં ગમે ત્યાંથી બક્ષીજી આવી જાય) બક્ષીજી કહેતા કે નોનમેટ્રીક માણસ કથા કરે.. કોઇ મૌલવી કે ફાધરને સંસ્કૃત સુભાષિતો ટાંકતા સાંભળ્યા છે? પણ આ મહાશય શેર-શાયરી લલકારે.

    * ગંગાજળના ઉપયોગ વિશેતો મને વરસોથી નવાઈ એ રહી છે કે (અંધ) શ્રધ્ધાળુ લોકો આ બધુ ક્યાંથી અને કેવી રીતે મેનેજ કરી દેતા હશે? જો કે આમ તો એમણે સરયુનો નીરનો ઉપયોગ ન કરવો જોઇએ?

    * છતાંપણ એમના સર્વધર્મ સભા, અસ્મિતા પર્વ વગેરે જેવા કાર્યક્રમો ને અવગણી શકાય નહી.

    * ખાસ તો આ પોસ્ટનું લખવાનું મન થયું એનું કારણ “બાવા” શબ્દ સાથે… મુરબ્બી મહેતા સાહેબને જ્ઞાતિ અંગેનું જ્ઞાન નથી લાગતું! જે રીતે એમને વાપર્યું છે એ તોછડાઈ ભર્યું છે.
    “બાવા” શબ્દ બે રીતે વપરાય
    1-દરબારમાં બાપુ ના બાપુ ને માનવાચક શબ્દ “બાવા” વપરાય છે અને બીજુ
    2- રખડતા , રઝળતા ને કહેવાય પણ બાવા નામની કોઇ જ્ઞાતિ નથી. મોરારીદાસ અને મારી એક જ જ્ઞાતિ છે – સાધુ. પેટા જ્ઞાતિ હોય છે જેમ કે હું રામાનંદી છું તો કાપડી હોય , માર્ગી હોય અને ગૌસ્વામિ (અતિત) હોય .

    (ગોવિંદભાઈના બ્લોગને ચર્ચાનો અખાડો બનાવવાનો કુવિચાર નથી, વધુ વિગત માટે મારું ઈ-મેઈલ = raz_nee@yahoo.co.in )

    (ગામડામાં )

    Like

  9. અને હા, આ પોસ્ટનું ટાઇટલ પણ ભૂલ ભરેલ છે = મોરારીદાસ હરીયાણવી નહી પરંતુ મોરારીદાસ હરીયાણી.

    (હરીયાણાના હોય તો હરિયાણવી..લુધિયાનવી આવે ..હા હા હા)

    Like

  10. Hello!
    Govind Maru,
    I read your blog.
    Your thought is really best.
    I meet u 14yrs ago at MADHASANA (KHERALU)
    Plz cont. me on 02742-223208(R)
    Mo.9428194175

    Like

  11. અરે ગોવિંદભાઈ
    ?!

    શ્રી સુનિલ શાહે કહ્યુ એ મુજબ પત્ર છાપવાની હિંમત તો ધન્યવાદ પાત્ર છે પણ મારી કોમેન્ટ અહિં પ્રકાશિત થવા પાત્ર ન હતી? કે ના તો તમે પોસ્ટનું નામ અપડેટ કર્યુ એની જાણ અહિં કરી?! (હા મને અંગત રીતે તો તમે મેઈલ કર્યો એ બદલ થેંન્ક્યુનું પડીકું બાંધવું પડે )

    Like

    1. * હા, આપના સુચન મુજબ = મોરારીદાસ હરીયાણી = પોસ્ટનું નામ અપડેટ કરેલ છે.

      * “ગોવિંદભાઈના બ્લોગને ચર્ચાનો અખાડો બનાવવાનો કુવિચાર નથી” આપની આ ઉદારતાને કારણે આપને અંગત મેઈલ કરેલ.

      આભાર

      ગોવીન્દ મારુ

      Like

  12. આ બધા બાવાઓ સૌથી વધુ ગુજરાતમાં જ ફાવતા આવ્યા છે. આપણે જ ગધેડા હોઇએ તો બીજાઓ આપણી ઉપર બેસે પણ ખરાં.

    Like

  13. બાપુઓ ઘણી જાતના હોય છે. મોરારી બાપુ, આશારામ બાપુ, કોઈ દીદીમા, સાઈ બાપુ, સત્ય સાઈ બાપુ કે બાબા, ઓશો બાપુ જે પહેલા ભગવાન હતા… વિગેરે વિગેરે…

    મહાત્મા ગાંધી પણ બાપુ હતા. અને દયાનંદ સરસ્વતી પણ એક બાપુ જ હતા. ઘણા અંગ્રેજી બોલતા બાપુઓ પણ હોય છે. કેટલાક ખ્રીસ્તી બાપુઓ પણ હોય છે. તેઓ જુદાનામે ઓળખાય છે.

    કોઈ એક પહેરવેશ પહેરે કે ન પહેરે તેથી શો ફેર પડે છે? વસ્ત્ર એ વસ્ત્ર છે. ભેદ તો આપણે પાડીએ છીએ. સગવડો આપો આપ મળતી હોય તો કોણ જવાદે? ઘણી વખત સગવડો છોડવાનો ટાઈમ પણ હોતો નથી.

    એક વખત ગાંધી બાપુએ નહેરુને કહ્યું હતું કે તમે સાદગી રાખો. તો નહેરુએ કહ્યું અત્યારે અમારી પાસે એ વિષે વિચારવાનો ટાઈમ જ નથી. તે પછી ગાંધી બાપુએ જગજીવનરામજીને સગવડો ન ભોગવવાનું કહ્યું. તો જગજીવનરામજીએ કહ્યું તમે મને જ કેમ સાદગી ભોગવવાનું કહો છો? હું જ તમારા હાથમાં આવ્યો?

    શું વસ્ત્રોથી વિશેષ મહત્વ ઉત્પન્ન થાય છે? હા જરુર થાય છે. પણ શું આપણે બધી જગ્યાએ તેનો વિરોધ કરીએ છીએ? નાજી.. એવું નથી. જેનો વ્યક્તિવિશેષ તરીકે વિરોધ કરવો છે તેને જ લપેટમાં લઈએ છીએ. અને પછી આપણે જ મનમાની પૂર્વક નક્કી કરીએ છીએ કે “આ વસ્ત્રો ખોટા છે”.

    બધા બાપુઓ અને દીદીઓનું કામ હોય છે વાડા ઉભા કરવાનું. ઘણાના વાડા નાના હોય છે. ઘણાના વાડા મોટા હોય છે. ઘણાના વાડા પોતાની માલિકીના હોય છે, ઘણાના વાડા કોઈ પૂર્વજોએ ઉત્પન્ન કરેલા હોયે.

    ઈશ્વર તો એક જ છે. ને તે બધા માત્ર નો એક જ છે. છતાં ધર્મગુરુઓના વાડાઓ અલગ હોય છે. બીજા ધર્મોમાં વાડાઓ કેન્દ્રિત છે. કેન્દ્રિત છે ત્યાં સામુહિક સંરક્ષણ પૂરું પડે એટલે ચોર છીંડે ક્યારેક જ ચડે અને ચડે તો વાત દાબી દેવાય પણ ખરી. હિન્દુ ધર્મમાં વાડાઓ વિકેન્દ્રિત છે. એટલે તમે જેને લપેટમાં લેવા માગતા હો તેને લપેટમાં લઈ શકો અને તેને વિષે વિવાદ ઉભો કરી શકો.

    હવે જ્યારે ઈશ્વર એક છે ત્યારે બાપુઓ, બાબાઓ, દીદીઓ, માતાઓ, ધર્મગુરુઓ વિગેરેની જરુર જ ક્યાં છે? સારા આચરણ માટે નાગરિક કાયદાઓ છે અને સત્યની ખોજ કરવી એ તર્ક અને સાયન્સનું કામ છે જેના માટે શાળાઓ અને કોલેજો છે. ઈશ્વર અને સત્યને ધર્મથી અલગ કરવા વાળા બાપુઓ કેટલા?

    વાસ્તવમાં સાચા બાપુઓ જુજ થયા છે. વેદ અને ઉપનીષદના ઋષિઓ અને આદિ શંકરાચાર્ય ને તમે તાર્કિકરીતે સાચા બાપુઓ કહી શકો જેમણે શિવ, જગત અને જીવની એકાત્મતા વિષે સમજાવ્યું. આધુનિક યુગના બાપુઓમાં આઈનસ્ટાઈન અને ગાંધી બાપુને ગણી શકાય. આઈનસ્ટાઈન બાપુએ જગતને સમજવાની દિવ્ય દ્ર્ષ્ટિ આપી જે વાત વેદોમાં અને ઉપનિષદોમાં ગર્ભિત રુપે પડેલી હતી અને શ્રી કૃષ્ણ ભગવાને લોકભોગ્યરીતે વિશ્વરુપ દર્શનમાં કહેવાનો પ્રયત્ન કરેલો. પણ આપણા દંભી સેક્ય્લર એન્.જી.ઓ.- બાબાઓ, કે સેક્યુલર પોલિટીકલ- બાબાઓ, રામ અને કૃષ્ણને ચીલાચાલુ રીતે વ્યાખ્યિત ધર્મસાથે જોડીને તેને તત્વવિદ્યાથી અલગ કરી નાખે છે. બધા બાપુઓમાં ગાંધી બાપુ અલગ હતા. તેમણે સુસંસ્કૃત સમાજ કેવો હોવો જોઈએ તેની વ્યાખ્યા કરીને અમલમાં મૂકી બતાવ્યો. અને તેમની વિશ્વભરમાં ગણના થાય છે.

    હવે રહ્યા બીજા બાપુઓ કે દીદીઓ. ઘણાની પોલ ખૂલ્લી પડી ગઈ છે. અને જેઓ ધંધાર્થે કે ધન્ધાના વિકાસ અર્થે તેમના વાડામાં હતા તેઓ રહ્યા હશે. જે ધંધા અર્થે નહી હોય તેમાંથી થોડા ઓછા થયા હશે . નવી ભર્તી કેવી છે તેનો તો કોઈ ફોડ પાડે તો ખબર પડે! કેટલાક ટાઈમપાસ કે ઈતરપ્રવૃત્તિ તરીકે પણ જતા હોય. ઘણા એવા હોય કે બુરુ જોવું નહી, બુરું સાંભળવું નહી અને બુરું કરવું નહી. તેઓ જૈસે થે વાદી લોકો વાડામાં રહ્યા પણ હોય્! કોઈએ આબાબતમાં સંશોધન કરવું જોઈએ. સત્ય સાંઈ બાબા, ઓશો બાબા અને ઘણી દીદીઓ અને માતાઓ વિષે જો તાર્કિકરીતે વિચારીએ તો શાણી શાણી વાતોમાં સરવાળે શૂન્ય મળે.

    હવે જેમની પોલ ખુલ્લી પડી નથી અને અથવા તો જેમની વિષે પોલ હોવાનો વિવાદ ઉભો કરી શકાય, ત્યાં વાસ્તવમાં જુઓ તો બધાજ ધાર્મિક ગુરુઓની વાતોમાં પોલમ પોલ હોય છે. પછી તે કોઈપણ ધર્મના હોય.

    અને જુઓ.. ઉપયોગી વાત કોણે કરેલી? મહમ્મદ પેગંબર સાહેબે… કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કોઈ એજન્ટ નથી. અગર કોઈ એજન્ટ હોય તો તે સાયન્સ છે. અને આપણે ત્યાં સાયન્સ, ગણિત, વિદ્યાઓ, કળાઓ વિગેરે વિદ્યાપીઠોમાં ભણાવવામાં આવતા હતાં. અને તેની મૂક્ત ચર્ચાઓ થતી. અને તેથી જ શ્વેતાશ્વતર, યાગ્ન્યવલ્ક્ય, બુદ્ધ, શંકરાચાર્ય, મહાવીર અને ચાર્વાક પણ ભય વિનાના હતા. કદાચ આ કારણથી જ આપણા ભારતમાં વિકેન્દ્રિત ધાર્મિક ગુરુઓ થયા છે. અને લોકશાહી રાજ વ્યવસ્થામાં જેમ ભયસ્થાનો અને દૂષણો હોય છે તે છતાં પણ તે શ્રેષ્ઠ છે. તેમ હિન્દુઓમાં પ્ણ ધાર્મિકવ્યવસ્થામાં જે લોકશાહી છે તે પણ શ્રેષ્ઠ છે. ધર્મ એ સંવાદનો વિષય છે. જેનાથી પ્રેમ વધે તે ધર્મ. જેનાથી ધિક્કાર ફેલાય તે અધર્મ..

    જો ધાર્મિક ગુરુઓ લોકોમાં વિખવાદ ફેલાવતા નહોય અને પોતાનો માર્ગ જ શ્રેષ્ઠ અને સ્વર્ગમાં લઈ જવાને હક્કદાર છે અને બીજા બધા નર્કના રસ્તાઓ છે એવી માન્યતા ધરાવતા ન હોય તો તેઓ પણ ક્ષમ્ય છે.

    મોરારી બાપુને રામ ફાવી ગયા છે. અને રામ રાજ્ય એટલે શું? જ્યાં સત્યનો આદર થાય, જે વસ્તુને ખોટી છે એમ ચેલેન્જ પૂર્વક નકારી ન શકાય તેની સ્વિકૃતિ થાય, શાસક કોઇનો સગો નથી, શાસકનું કામ કાયદો અને પ્રણાલી ઘડવાનું નહી પણ અમલ કરવાનુ છે અને કાયદો અને પ્રણાલી ઘડવાનું કામ પ્રજાનું છે, તે વ્યવસ્થાને રામરાજ્ય કહેવાય. હવે આ વાત જે ન સમજી શકતા હોય તે રામને તો સમજી જ કેમ શકે?

    “અમારે વર્ષો અંધારે ગયા, તમે આવા શાણા ક્યાંથી થયા?”

    Liked by 1 person

  14. Well…100% marks/true. But what next? How to get this message reached to those masses in a way that can change their lives?
    There needs a revolution. What kind or what way I do not know. But before we get vanished in the history.. the way hitherto so many of our forfathers did; there is an immediate need of awakening because these Sadhus/Dhutaras are taking the uneducated and innocent but overall good people of India, back to medeaval age. And those selfish Sadhus do not know the immense harm that they are doing to the mankind in general and to we Indians in particular.
    We had only one Gandhi. We right now have only one Sadchidanand of Dantali!

    Like

  15. અખા ભગતે આવા બની બેઠેલા ધર્મગુરુઓ ઉપર ચાબખા મારતા કહ્યું છે.

    આપે પંગુ, આપે અંધા
    કેને બેસાડી લે જાયે કંધા

    તીલક કરતાં ત્રેપન થયાં,
    જપમાળાના નાકા ગયા.

    કથા સુણી સુણી ફુટ્યા કાન
    અખા તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન

    ભાઈ, જેણે હરિ ભજવા હોય તેણે ટોળામાં ન જવું. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ધ્યાન કરવું – મનમાં, ખુણામાં કે વનમાં.

    Like

  16. જે બાપુઓ બોધકથાઓ આપવા સાથે સાથે લોક ઉપયોગી કામ પણ કરે છે, તેમને કરવા દેવા. સાધુ બાવાઓ રહેવાના જ છે અને ભલે રહેતા. ટીકા કારો પણ ભલે રહેતા.

    હિન્દુઓમાંથી બાવાઓ બાપુઓ દૂર થઇ જશે તો બીજા ધર્મમાં તો રહેવાના જ છે. કારણકે તેમના ધર્મ માં તો લખેલું જ છે કે તેમના ધર્મ સ્વિકાર્યા વગર માણસજાતનો ઉદ્ધાર થવાનો નથી.

    સામાન્ય પ્રજા વૈચારિક સ્વાતંત્ર્યથી ઘણી વખત દૂર રહેવામાં જ માને છે. જેમકે ઘણાને માટે રાજકારણની ચર્ચા એ એક ગંદો વિષય છે. તેમ ઘણા લોકેને મગજને તસ્દી આપવી ગમતી નથી.

    જે લોકોને ટીકા કરવી છે તે ભલે કરે. કારણકે તો જ સાધુ બાવાઓને સુધરવાની તક મળ્યા કરશે. આમ તો જોકે તેઓ (એમ બી એ) હોય છે. “એમ બી એ” એટલે મને બધું આવડે એમ માનતા હોય છે. પણ ટીકાકારો હશે તો સમાજ ને વાંધો નહી આવે.

    નિંદક નિયરે રાખીએ આંગન કૂટી છવાય,

    બિન પાની સાબુન બિના નિર્મલ કરે સોહાય (કબીર્)

    Like

  17. matr atalo lekh vanchi tamari tikao sathe sahamat ke asahamat thavano prashna j ubho thato nathi, shabdo ane daliloni drashtiye tame kadach potani jatne reshanalist kahedavava mathata loko mate sacha tharaso. maru angat rite evu manavu chhe ke jyare koi mahan hasti ke samajna mota bhagna lokoma sanmniy vyakti vishe ghasatu bolata pahela ena sampurn vicharone janva joiye. ena badhaj vaktvyo sambhalela hova joiye.ekna tran ghana kari apnara vishe kaik lakho to to thik chee.

    Like

  18. Since there are Ghetos and one who is followed, Lot of things we can make happen. I have some suggestions, if anyone else has anything, I promise, I will add, “how these Bawas can be deployed for social reform”. Please come forward.–NR

    Like

  19. જે.પી. મહેતાના રજુ કરાયેલા લેખમાં ખરેખર વાસ્તવિકતા પ્રકટ થાય છે. સાથે સાથે શ્રી રજનીભાઈ અગ્રાવતે એક વાત કોમેન્ટમાં લખી છે કે અમે અને મોરારીબાપુ એક સમાજમાંથી છે. તે વાત તદ્દન ખોટી કહી શકાય. રજનીભાઈ આપણે શ્રી રામાનંદી સાધુ છીએ. ખરા અર્થમાં આપણે બીજા સમાજના લોકોને વિદ્યા પ્રદાન કરતા હતા. આપણે ખરી રીતે “બાવા” નથી. અતિત અને માર્ગી લોકો બાવા છે. આપણને તેની સાથે સરખાવવા એ આપણુ અપમાન છે. આપણે તો ભગવાન શ્રી રામ અને શ્રી રામાનંદાચાર્યજીના સંતાનો છીએ. આપણિ અને તે લોકોની ધાર્મીક વિધિ જુદી છે. તે લોકો આપણી સમાન ના જ બની શકે.

    રામાનંદી હોવાને લીધે આપણુ પણ કર્તવ્ય દેશમાંથી દુષણ દુર કરવાનું છે.
    વધારે માહિતીમાટે જુઓ.

    http://WWW.RAMANANDI.BRAVEHOST.COM

    Like

  20. || જય સિયારામ ||

    જે.પી. મહેતાના રજુ કરાયેલા લેખમાં ખરેખર વાસ્તવિકતા પ્રકટ થાય છે. સાથે સાથે શ્રી રજનીભાઈ અગ્રાવતે એક વાત કોમેન્ટમાં લખી છે કે અમે અને મોરારીબાપુ એક સમાજમાંથી છે. તે વાત તદ્દન ખોટી કહી શકાય. રજનીભાઈ આપણે શ્રી રામાનંદી સાધુ છીએ. ખરા અર્થમાં આપણે બીજા સમાજના લોકોને વિદ્યા પ્રદાન કરતા હતા. આપણે ખરી રીતે “બાવા” નથી. અતિત અને માર્ગી લોકો બાવા છે. આપણને તેની સાથે સરખાવવા એ આપણુ અપમાન છે. આપણે તો ભગવાન શ્રી રામ અને શ્રી રામાનંદાચાર્યજીના સંતાનો છીએ. આપણિ અને તે લોકોની ધાર્મીક વિધિ જુદી છે. તે લોકો આપણી સમાન ના જ બની શકે.

    રામાનંદી હોવાને લીધે આપણુ પણ કર્તવ્ય દેશમાંથી દુષણ દુર કરવાનું છે.
    વધારે માહિતીમાટે જુઓ.

    http://WWW.RAMANANDI.BRAVEHOST.COM

    Like

  21. dear u r completely right , if all darm guru not only bapu but all Hindu muslin Sikh Isaiah every have to stop their publicity and i knew mostly guru o who want only money ………….I can understand that why people put their head on gurus leg………………..they r not god,people have to know that god is only one and these guru r people not god…..I also request to all guru that why u make god with ur live …..originally god will upset for see ur drama in mrutyu lok……………..

    isudan gadhvi

    Like

  22. Yes. It is good as suggested by Devenbhai and Nautambhai. The Bava-s or Guru-s can best be utilised for elemininating the evils from the society. First evil is illiteracy and the other is Caste system. Third is to own responsibility to perform duties with morality and sincerely.

    Like

Leave a comment