ધર્મ જેવું જ આજે ક્યાં છે?

તા. ૯/૦૮/૨૦૦૯નાગુજરાતમીત્ર’ના ચર્ચાપત્ર ‘ધાર્મીક માણસની અગ્ની પરીક્ષા’માં વીણા પટેલે ખુબ જ સુંદર ચર્ચા કરી છે અને ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ  શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા અને તે પંથ(વાડા)ને માનનારાં પણ જુદા જુદા !  આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી શકાય અને વ્યક્તીને આ ષડ્ રીપુ ધીમે ધીમે ઓછાં કરવાની સમજ આપી શકાય. પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો-સંતો ! આ બધાં પાછાં ‘મેં ભી ડીચ !’ કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ–પંથ માને છે અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી. ધર્મની હાટડીઓવાળા સંતો પોતાના અહંકાર પ્રમાણે જ બધાને દોરે છે, માર્ગદર્શન આપે છે. એમાં સાચો ધર્મ અલોપ થઈ જાય છે. પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં ફરવું, રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો. બધી જાતનાં ભૌતીક ભોગો-ઐયાશી-ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી, સમજાતું નથી એટલે પોતે જ કામ, ક્રોધ, મોહ વગેરે ષડ્ રીપુ છોડી શકતા નથી તો સામાન્ય વ્યક્તી તો માર્ગદર્શન વગર અટવાઈ તેમાં નવાઈ નહીં ! માનવી બીજા માનવીને મનુષ્ય તરીકે જોતાં શીખે અને વર્તે તો પણ ઘણું કહેવાય ! માનવીને જ માનવીની કીંમત નથી, પછી ષડ્ રીપુ ક્યાંથી છુટે ? ઉલટા વધારે ઉંડા ઘુસી જાય ! અને આમાં જ ધર્મની અધોગતી થાય છે. ‘ધર્મ એટલે તો ફરજ’ ! ઈશ્વરે મનુષ્યને ભૌતીક જીવનમાં જે ફરજો બજાવવાની આપી છે તે પ્રમાણે માનવી ચાલે તે જ ધર્મ ! ધર્મ કાંઈ વાડામાં બંધાય ?

ડૉ. કે. ટી. સોની, (લેખક સુરતના બહુ જ સેવાભાવી ડૉક્ટર છે અને સુરતના એક પ્રબુદ્ધ–સજાગ નાગરીક પણ છે.)

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૫/૦૮/૨૦૦૯ના રોજ પ્રકાશીત થયેલ આ   ચર્ચાપત્ર, લેખકશ્રી અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી  સાભાર…..

 

15 Comments

  1. ષડ રીયુ નહીં ષડ રીપુ.એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ છ શત્રુ અથવા વિકારો..આ દૂર થાય તો…દૂર તો નથી થવાના કેમ કે શાક્માર્કેટમાંથી નથી લાવ્યાં. તેનું રુપાંરતણ કરી શકાય…જેમ કે કામ તો કામના સારી શુભ રાખવી..સ્ત્રી તરફ ધન તરફ જગત તરફ કામની કે ભોગની નજર રાખ્યા વિના ભાવ અને આદર કે દિવ્ય કેપૂજ્ય દ્રષ્ટી રાખવાથી..કામુકતા ને સ્થાને ઉચ્ચ ભાવ આવી જશે…આમ દરેક વિકાર વિષે ….આજે રુપાતરણ ની જ પ્રક્રીયા ખોવાઈ ગઈ છે…વાડાબંધી સારી નહિ…પણ વિકાસ માટે પહેલા નાનું ગ્રુપ થાય પછી વાડો થઈ જાય તે ગ્રુપ જો પોતાને બધા માટે ખુલ્લા રાખે અને ધર્મ માટે બધાનો સ્વીકાર કરે, હિન્દુ સિદ્ધાંતો પણ..તો ગ્રુપ ખોટા નહિ..પણ અમે જુદા અમારા નિયમો જુદા અને અમારો ધર્મ જુદો..તે અયોગ્ય. મૂળ ધર્મને અનુસરી જોઈને જ ચાલવું..ધર્મ જેવું અન્યત્ર જોવાથી નહિ જ લાગે..

    Like

  2. એક જ ધર્મ હોવો જોઈએ: એ છે માનવધર્મ.

    એમાં બે જ જાતિ: સ્ત્રી અને પુરુષ!
    એક ઉપદેશ: કોઈનું આપ ભલું ન કરો તો વાંધો નહિ પણ જાણી જોઈને, ચાહીને બુરું ન કરો.
    એક જ આદેશ: તમારા આત્માના અવાજ ને ઓળખો. એ જે કહે તે કરો.

    બાકી ધર્મના નામે એટલાં માણસો લડ્યા છે. મર્યા છે કે એનો કોઈ હિસાબ નથી. જે ધર્મના નામે માણસો મરે એ ધર્મ કેવો.

    Like

  3. નટવર મહેતા સાહેબ એકદમ સાચું બોલ્યા. જેટલાં ધર્મના નામે યુદ્ધ અને ધીંગાણા ખેલાયા અને તેમાં સૌથી જાનહાનિ અને માનહિનિ થઈ છે તેટલી કોઈમાં થઈ નથી અને ઈતિહાસ તેનો સાક્ષી છે. ધર્મના નામે આજે પોલિટીકસ ખેલાય છે, ધર્મ ના નામે જ પૈસો અને બધી જ સુવિધાઓ કે જે આમ આદમી માટે દુર્લભ છે તે આ કહેવાતા સંતો અને મહાત્મા ભોગવે છે. સંપ્રદાય ના અંદર પણ અલગ-અલગ પંથ! ગાદી પતિ કે મહંત બનવા માટે હવે તો સંતો પણ સામ સામે બાખડે છે તે પણ ખુલ્લેઆમ તો અંદર કેવા-કેવા દાવપેચ રમાતા હશે એ તો રામ હી જાણે!! ઘર સંસાર ને માયા કહીને છટકી જનારો(કામચોર!! બીજુ શું!!)પછી મંદિર અને આશ્રમ બનાવી ને તેનો તથા ભકતો અને સેવકોની ફોજ નો તે મુખ્ય વહીવટ કરનારો બની ને તેમાં ઓતપ્રોત થાય ત્યારે આ મહાનુભવને આ બધી માયા નથી લાગતી?! કાર માં ફરતાં કે એ.સીની ઠંડકમાં બેસીને તે પાછો ઉપદેશ આપે છે કે આ બધા ભૌતિક સુખો માયા છે, તેને છોડો તો તમારું કલ્યાણ કે મોક્ષ થાય?!!? વૉટ એન આઈડીયા સરજી!!

    આવું જ કંઈક મારા આ કાવ્યમાં છે, વાંચો તમને જરૂરથી ગમશે. href=”http://kalamprasadi.wordpress.com” target=”_blank”>“માયા નો આડંબર”
    સંસાર નો ત્યાગ કરી, ભગવા ધારણ કર્યાં
    ને આલિશાન મંદિર અને આશ્રમ બંધાવ્યાં

    વૈભવ અને સુવિધાઓ વધ્યાં
    ભકતો અને સેવકો વધ્યાં

    ‘સંસાર એક માયા અને ભૌતિક સુખ એ બધું નાશવંત’
    એ.સી. ની ઠંડક માં ઉપદેશ આપ્યાં

    મંદિર, આશ્રમ ને ભકતો ના વહીવટ હાથે ધરયાં
    સંસારની નાની માયામાંથી મોટી માયામાં ફસાયાં

    હૈ મહાત્માજી, પૂછે આ પામર જીવ એક સવાલ
    સંસાર એ માયા અને આ બધું શું ?!!…

    – પ્રવિણ કે.શ્રીમાળી

    Like

  4. સર્વ પ્રકારની સંકુચિતતાનો / વાડાબંધીનો ત્યાગ કરીને જે એકત્વની અનુભુતિ કરાવે તે ધર્મ. વેદાંત તો માનવ – માનવ કે સ્ત્રી-પુરુષ વચ્ચેની વાડાબંધીને પણ નથી સ્વીકારતું ત્યાં વળી પંથના વાડા કઈ રીતે ચલાવી શકાય?

    વેદાંત / જ્ઞાનયોગના સારરૂપ આ ચાર મહાવાક્યોનો અભ્યાસ / વિચાર કરતા સમજાઈ જાય કે ખરેખર લક્ષ્ય શું છે.

    ૧. અહં બ્રહ્માસ્મિ
    ૨. અયમાત્મા બ્રહ્મ
    ૩. પ્રજ્ઞાનં બ્રહ્મ
    ૪. તત્વમસિ

    આમાં ક્યાંય વાડાબંધી નથી અને વેદાંત તો આગળ વધીને જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પણ વાસ્તવિક નથી તેમ “તત્વમસિ” દ્વારા કહે છે.

    હવે આમાં આ બધી વાડાબંધી ધર્મના નામે ક્યાંથી આવી ગઈ તે ખબર પડતી નથી.

    આ ઉપરાંત કર્મયોગ / રાજયોગ કે ભક્તિયોગમાં પણ ક્યાંય વાડાબંધી છે જ નહી. આ વાડાબંધી ખરેખર તો “પ્રપંચ સહુ પેટ ભરવા તણા” જેવી જ છે. અને માત્ર પેટ જ નહી અહીં તો વૈભવી એશ-આરામ માણનારાઓની પણ ફોજ છે. એક બાજુ થી રાજકારણીઓ અને બીજી બાજુથી આ દંભી ધાર્મિકો દેશને ચૂસી રહ્યાં છે. હવે તો જાગ ભારતવાસી જાગ. અને ધર્મને નામે તો આખાએ વિશ્વમાં અત્યાચાર ચાલી રહ્યાં છે અને મને કહેવા દો કે તેમાં સહુથી વધારે સહિષ્ણુ માત્ર ને માત્ર હિંદુ જ છે. બાકી અન્ય ધર્મોની કટ્ટરતાએ જે લોહી વહેવડાવ્યા છે તેનાથી સહુ કોઈ માહિતગાર જ છે. અને એ બધા સામે પણ આંખ મિંચામણા કરવા જેવા નથી કારણકે તેની પણ એક આખી ફોજ જ દેશને તહસ નહસ કરવા કામે લાગેલી છે.

    Like

  5. લેખ ખૂબ જ સ્પષ્ટ અને માર્ગ દર્શક.

    શ્રી દિલીપભાઈ,શ્રી અતુલભાઇ અને મિત્રોએ અભ્યાસી સમજભર્યા વિચારથી લિખના વિચારો મથાર્યા.

    સારા વિચાર પ્રવાહો મનને ઝંકૃત કરી ગયા, અભિનંદન શ્રી ગોવિન્દભાઇ.

    આપણા આગ્રહો જ આપણનૅ નડે છે,ગ્રહો નડતા નથી.

    થોડીક કાવ્યમય વાત કરુ..

    ધરમ

    તારો ધરમ મારો ધરમ,
    ધરમની વાતો કરી છોડો ધરમ,
    મનમાં હીંસા, નયનમાં દ્વેશ
    કરુણા વગરનો કેવો ધરમ.

    ઉરમાં ના લાગણી, લોભની છે માગણી
    સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ,
    અપકાર કરતાં ના ખટકે દિલડાં ,
    તો ધરમ નો શો જાણ્યો મરમ.

    વતનની શાખ, જનેતાની લાજ,
    શીર સાટે તોલે એજ સાચો ધરમ,
    ત્યાગની મહત્તા, તપની સાધના,
    જીંદગીમાં જાણો તો માણો ધરમ.

    વાણી વર્તન, પ્રભુને અર્પણ્
    સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,
    માનવી થઈને માનવને ચાહવો,
    એજ સંસારનો દૈવી ધરમ.

    રમેશ પટેલ(આકશદીપ)

    Like

  6. ધર્મ, સંત, જ્ઞાની, પંડીત આ બધા શબ્દોના અર્થ બદલાઈ ગયા, કેટલાકના બગાડી નાખવામાં આવ્યા છે. ભૌતીક, સ્થુળ પદાર્થના અભ્યાસને આપણે વીજ્ઞાન-સાયન્સ કહીએ છીએ. આ સાયન્સ સમગ્ર દુનીયામાં એક જ છે. ગુરુત્વાકર્ષણ અમેરીકામાં અને ભારતમાં સરખી અસર કરશે. તે જ પ્રમાણે સુક્ષ્મના અભ્યાસને-આત્માના વીજ્ઞાનને ધર્મ કહેવાય. અહીં સુક્ષ્મનો અર્થ જે સ્થુળ નથી તે. એ રીતે ઈલેક્ટ્રોન સુક્ષ્મ નથી, સ્થુળ છે. હીન્દુ, ખ્રીસ્તી, ઈસ્લામ વગેરે ધર્મો નહીં, આ વીજ્ઞાનને જાણવાના માર્ગો છે, સંપ્રદાયો છે. આત્માનું વીજ્ઞાન-ધર્મ તો સમગ્ર દુનીયામાં એક જ હોઈ શકે. હીન્દુ કે અન્ય ધર્મના સંપ્રદાયો આપણે જેને કહીએ છીએ તે આ સંપ્રદાયોની શાખાપ્રશાખાઓ છે. જ્યાં સુધી આ બધાં આત્માના વીજ્ઞાનને સમજવાનો જ પ્રયાસ કરે, માર્ગદર્શન આપે ત્યાં સુધી આવા ગમે તેટલા સંપ્રદાયો, ઉપસંપ્રદાયો હોય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે. પણ આ બધાં સંપત્તી મેળવવાના ધંધા બની જાય છે. ધર્મ તો ક્યાંય જોવામાં આવતો નથી.

    Like

  7. ‘ધર્મ એટલે તો ફરજ’ ! ઈશ્વરે મનુષ્યને ભૌતીક જીવનમાં જે ફરજો બજાવવાની આપી છે તે પ્રમાણે માનવી ચાલે તે જ ધર્મ ! ધર્મ કાંઈ વાડામાં બંધાય ?…….
    Govindbhai..Nice Post……Human must see MANAVTA in other Humans…..if he does that, he has the desires to assist others & thus JANKALYAN KARYO are born in the JOURNEY of his/her LIFE……Such a Life leads him/her to the DIVINE..This is the TRUE DHARM……Just my thoughts !
    If anyone wishes to read more on the Topic of JANKALYAN, I invite ALL to my Blog CHANDRAPUKAR>>>Chandravadan.
    http://www.chandrapukar.wordpress.com

    Like

  8. Shri Govindbhai

    Hun Sri Natvarbhai Mehta na vicharo sathe shamat chhun. Dharma ne Apne Apni sagvad – Marji pramane Mulvi Avmulyan kryun chhe.

    Like

  9. I would like to request everybody please log on

    http://www.Vijayuncle.com

    and click Swadhayay untold stroy, you will find how leader of Swadhyay Dada,Didi and their motabhai cheat our Gujarati in name of God. You will be surprice to see this web-site. Dr Vijaybhai Mehta is run this web-site.

    Dr. Vijay Mehta is a board certified surgeon and chief or General – Thoracic & Vascular surgery at Central Texas Veterans Health Care Systems in Temple TX. He is Asst Professor of Surgery at the Texas A & M Health Science Center. Dr. Mehta has served on the admission committee for past fifteen years and has counseled many Desi kids thru the process. Dr. Mehta is a motivational speaker who has personally helped more than 1000 Desi youth thru their struggle to balance the east and the west.

    Like

  10. સુંદર અતી સુંદર ૫ણ મને વિધાનો જેવી સમજ નથી ધર્મ વિશે નથી ગતા ગમ
    આપના લેખમાં જે કાંઇ ૫ણ છે. તે બધુજ લાગે છે મને તો રંગતરંગ

    Like

  11. MARA BHAGVAN JEVO KOI BHAGVAN NAHI, MARA SADHU JEVA KOI SADHU NAHI, ANE MARA JEVO KOI BHAKTA NAHI…..LYO MARO DHARM MARA PURTO SIMIT CHE.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s