વીજ્ઞાની સાધુબાવાઓ

વીજ્ઞાની સાધુબાવાઓ

‘ભગવાન કેવો દયાળુ છે કે તેણે પૃથ્વીને સુર્યથી બરાબર સાડા આઠ કરોડ માઈલ દુર ગોઠવી છે. જો થોડીક નજીક હોત તો આપણે બળીને ભસ્મ થઈ ગયા હોત’ એમ કોઈ સ્વામીજીએ તેમના પ્રવચનમાં ભાવીકજનોને કહ્યું, અને પ્રા. રમણભાઈ પાઠકે કાનોકાન સાંભળ્યું. (સંદર્ભ: ‘રમણભ્રમણ’ “ગુજરાતમીત્ર” દૈનીક, સુરત તા. ૧/૦૮/૧૯૯૨) આ સ્વામીજીને વીજ્ઞાનનો કક્કો કદાચ નહીં આવડતો હોય, પણ નામાંકીત વીજ્ઞાનીઓ પણ આવી વાતો કરે ત્યારે તેમને શું કહેવું ?

બ્રીટીશ વીજ્ઞાનીઓ પૌલ ડેવીસ (જેનો ઉલ્લેખ ડૉ. ગુણવંત શાહે તેમના પુસ્તક ‘અસ્તીત્વનો ઉત્સવ’માં કરેલો છે) તેમના પુસ્તક ‘એક્સીડન્ટ યુનીવર્સ’માં લખે છે કે, ‘‘જો ગુરુત્વાકર્ષણનો આંક જરા ઓછો વત્તો હોત તો વીશ્વનું સર્જન જ ન થયું હોત. એ જ રીતે બીજા ભૌતીક આંકો (Physical Constants- આવા આંકો 25 જેટલાં છે. તેમનું મુલ્ય વીશ્વની ઉત્પત્તી થઈ ત્યારે જે હતું, તે આજે પણ છે- અને ભવીષ્યમાં પણ તે જ રહેશે- એટલે આ અંકો અચળ- Constants કહેવાય છે)નાં મુલ્યોમાં જરા સરખી વધઘટ થઈ હોત, તો વીશ્વનું સર્જન જ ન થયું હોત’’ તેમની ગણતરી સાંગોપાંગ સત્ય છે; પણ છેવટે જ્યારે તે વીજ્ઞાની મટી ફીલસુફી કરવા બેસે છે ત્યારે તે આવું તારણ કાઢે છે કે, “ભગવાન કેટલો બુદ્ધીશાળી છે કે તેણે આ બધા આંકોનું ગણતરીપુર્વક નીર્માણ કર્યું છે કે જેથી વીશ્વની ઉત્પત્તી થાય” (ઉપરોક્ત સ્વામીજીની જેમ)

વીશ્વની ઉત્પત્તી થઈ ત્યાર પછી ગુરુત્વાકર્ષણ અસ્તીત્વમાં આવ્યું, એટલે તેના આંકનું નીર્માણ વીશ્વના અસ્તીત્વની સાથે સુસંગત હોવું જોઈએ. ધારો કે તેનું મુલ્ય ‘ક્ષ’ છે- તો ‘ક્ષ’ના મુલ્યમાં જરાસરખી વધઘટ થાય તો વીશ્વનું સર્જન ન થાય એ દેખીતું છે. એ જ પ્રમાણે સઘળા ભૌતીક આંકો વીશે કહી શકાય.

જેમ્સ જીન્સ બહુ મોટા ગજાનો બ્રીટીશ ખગોળવીજ્ઞાની હતો. તેમણે તેમના પુસ્તક “Mysterious Universe” ના છેલ્લા પ્રકરણમાં એવું તાત્ત્વીક (Philosophical) તારણ કાઢ્યું કે ‘ભગવાન સર્વ શ્રેષ્ઠ ગણીતજ્ઞ છે. શા માટે ? ૧૯મી સદીના વીજ્ઞાનીઓ તેમની થીયરી સમજાવવા માટે Physical Models રજુ કરી શકતા; પણ વીસમી સદીના વીજ્ઞાનને સમજાવવા આવા Physical Models શક્ય નથી. સમય અને અવકાશ સંકલીત છે, પ્રકાશ તરંગમય અને કણમય છે, ઈલેક્ટ્રોન કણમય છે તો તરંગમય પણ છે.’ આવી આધુનીક વીજ્ઞાનની વાતો ઉચ્ચતમ ગણીતથી જ સમજી શકાય. એટલે જેમ્સ જીન્સ કહે છે કે, વીશ્વની ગતીવીધીનું સંચાલન સર્વશ્રેષ્ઠ ગણીતજ્ઞ કરતો હોવો જોઈએ.

વીજ્ઞાનમાં પુર્વગ્રથીત માન્યતાને કોઈ સ્થાન નથી. કારણ કે વીજ્ઞાન જ્ઞાતના આધાર પરથી ‘અજ્ઞાત’ને પામવા મથે છે. તે ‘અજ્ઞાત’ને કોઈપણ પાયા વગર સ્વીકારી લેતા નથી. હા, તેઓ  ‘Hypothesis’ અવશ્ય ઘડે છે, તેની ચકાસણી કરે છે, તેમાં જરા સરખો અપવાદ નીકળે તો તેઓ તરત જ એ ‘Hypothesis’ને તીલાંજલી આપે છે.

પૌલ ડેવીસ કે જેમ્સ જીન્સ આ બધું જાણવા છતાં શા માટે ભગવાન સર્વ શ્રેષ્ઠ બુદ્ધીશાળી છે, ગણીતજ્ઞ છે એવી પાયા વગરની વાતો કરતા હશે ? આર્થર એડીંગટન, વ્હાઈટહેડ, ટયલર કે કાપ્રાનાં લખાણોનું વીશ્લેષણ કરવામાં આવે તો તેમનાં લખાણોમાં કાં તો આવી પુર્વગ્રથીત માન્યતા હોય છે, અથવા વીજ્ઞાનનું પ્રયત્નપુર્વક અવળું અર્થઘટન કરવામાં આવેલ હોય છે. દા.ત.: કાપ્રાએ અણુ પરમાણુમાં Consciousness સભાનતા છે, એવી વાતો કરેલ છે, જેનું કોઈ પ્રમાણ નથી એટલે કે આ પ્રમાણ વગરની વાત થઈ- અર્થાત્ વીજ્ઞાનનું અવળું અર્થઘટન છે.

સંસ્કૃતીના ઉદયકાળથી તે આજ સુધી બહુજન સમાજને ઈશ્વર, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, જ્યોતીષ જેવી તદ્દન કપોળકલ્પીત વાતોથી ઘેનમાં રાખવાનો પ્રયાસ એક યા બીજા સ્વરુપે કરવામાં આવે છે. આ વીજ્ઞાનનો યુગ છે. વીજ્ઞાનીઓ પણ જાણ્યે–અજાણ્યે બહુજન સમાજનએ ‘ઈશ્વર’ની વાતો વીજ્ઞાન દ્વારા ઠસાવવાનો પ્રયત્ન કરે છે. આપણા બૌદ્ધીકો પણ તેમના પ્રચારથી ભરમાઈ જાય છે. બૌદ્ધીકો વીચારશે ખરા ???

આર. કે. મહેતા અને ગોવીન્દ મારુ

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૪/૦૮/ ૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલો આ એક ચર્ચાપત્ર.

23 Comments

  1. Hello

    Tame Su Prove Karva Mango Chho ?
    Bhagwan Chhe ke Nathi ?

    Aa Vat Jara Clear Kari Aapjo….

    Like

  2. ગોવીંદભાઇ ,
    આભાર , સરસ લેખ આપવા બદ્લ , પરંતુ ભગવાન હોય કે ન હોય માનવીને શું ફરક પડવાનો ? બ્ર્હ્મ્માંડ ના રહસ્યોનો તાગ મેળવવાની કોશીસ જે નથી જાણ્તો તે કરે છે. આ બ્ર્હ્મ્માંડ તેના નીય્મો આનુસાર ચાલી રહ્યુ છે. તેમાં કોઇ સુધારા થઇ સ્કતા નથી.

    Like

  3. આંખને ઉકરડા ને ગંદકી જોવામાં શા માટે વાળીએ ? જીભનો ઉપયોગ કોઈને ગાળ દેવામાં, કોઈની નિંદાકૂથલી કરવામાં શા માટે કરવો ? જીભથી કોઈને મર્માઘાત આપવાથી ફાયદો શો?અસતની ઓથ તો આત્મહ્રાસ ને આત્મહત્યાને જ નોતરનારી નીવડે.”
    તેને માટે વિનોબાજી એક સુત્ર આપ્યું છે.
    આધ્યાત્મ+સાયન્સ=સર્વોદય
    રાજકારણ+સાયન્સ=સર્વનાશ
    સહજ રીતે સમજી શકાય તેવો ઉપાય-”આપણી અસલિયતનું જ્યાં પગેરું પકડાય ત્યાં જ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું થાનક માનીને – વિજ્ઞાન અને ધર્મનો એક સમંવય જોઈએ છે. સંસારની સફળતા અને અંદરની શાંતિનો સહયોગ જોઈએ છે નહિતર આપણે મોટા ભયની સ્થિતિમાં છીએ. જે રીતે વિજ્ઞાન ચાલી રહ્યું છે તે બિલ્કુલ આંધળુ છે. તેનામાં ચાલવાની તાકાત છે, તે પ્રગતિના પંથે જઈ રહ્યું છે પરંતુ તે ખાડામાં જઈને પડવાનું છે તેને તે ખબર નથી. ધર્મ એકલો લંગડો છે. તેને દિશા તો દેખાઈ દે છે કે અહીંયા જવાનું છે અને કેવી રીતે જવાનું છે પરંતુ તે ચાલી નથી શકતો. જો આ બંનેમાં ધર્મ એક સંતુલન ન બની શક્યો અને વિજ્ઞાનમાં કે સંક્ષેપમાં કહીએ કે પુર્વ કે પશ્ચિમમાં કે પછી આપના બહારી અને અંદરના જીવનનું કહીએ જો આ સંતુલન ન બન્યું તો માનવતા મરી પરવાડવાની નજીક છે.આંધળો જાણે છે કે જવાનું ક્યાં છે અને લંગડાને દેખાઈ દે છે પણ ચાલી નથી શકતો તો કેવી રીતે જાય.અને પછી સંયોગ બન્યો તેમનામાં સમજણ પેદા થઈ. આંધળાએ લંગડાને પોતાના ખભા પર બેસાડી લીધો અને આંધળો ચાલતો ગયો અને પછી બંને જણા જંગલની આગમાંથી બહાર નીકળી ગયાં. આજે આપણી સ્થિતિ પણ આવી જ છે. વિજ્ઞાન અને ધર્મનું એક સમન્વય જરૂરી છે.

    Like

  4. ગોંવિદભાઈ,
    સૌ પ્રથમ વાત એ કે આપ વિજ્ઞૈનાનીકો વિશે કહેવા માંગો છો કે તેમને ભગવાન માં માનવું જોઈએ નહીં ? કે પછી ભગવાન છે કે નહીં તેના અસ્તિતત્વને પડકારવા માંગો છો?

    ઘણાંખરા વિજ્ઞૈનાનીકો “ઈશ્વર”ને માને છે(ભલે તે જાહેરમાં સ્વીકારે નહીં! અંદરખાને તો તે પણ માનતા હોય છે) તેમાં તેમનો પણ દોષ નથી, કેમકે કેટલીક વસ્તુ અને કેટલીક બાબતો એવી છે કે જે વિજ્ઞાન આજે પણ પડકારી શકતું નથી. જેમકે મૃત્યુ પર વિજ્ઞાન ને હજુ પણ વિજય મેળવ્યો નથી! મરેલાં માણસ ને જીવતો કરવો કે હ્ર્ધ્યના ધબકારા ધબકતા રાખી ને સફળતાપૂર્વક હ્રધ્યનું બીજા અન્યમાં મરેલાં વ્યકિતમાં પ્રત્યારોપણ કરીને ફરીથી મરેલાંને જીવતો કરવો, તે વાત વિજ્ઞાન માટે પડકાર છે અથવા ઘણી દૂરની વાત છે. આથી જન્મ અને મરણ, પોતાના હાથમાં રાખનારી આવી અદ્ર્શ્ય કોઈક શકિત આ વિશ્વમાં હોવી જોઈએ, તે મુજબ ઘણાં વિજ્ઞૈનાનીકો માનતા હોય છે અને કદાચ માટે તેવો જાહેરમાં આ બાબતને સ્વીકારતા પણ હોય છે.

    Like

  5. પહેલાં આ લેખ વાંચીને હું પણ દ્વિધામાં જ હતી. પણ માતાજી વિષે લેખ વાંચી લીંક મળી. https://govindmaru.wordpress.com/2009/09/25/prof-r-pathak/

    મને લાગે છે કે, વિજ્ઞાનીઓને આત્મજ્ઞાન જલ્દી સાધતું હશે કારણકે, તેઓ તો તમામ પરિક્ષણો કરે અને આથી તેઓને મનુષ્યની પામરતાનો અનુભવ તાર્કિક રીતે મળેને ?!! મનુષ્ય ચંદ્ર પર ગયો…. પણ પ્રયોગશાળામાં ચંદ્ર બનાવી શકશે ??! બ્રહ્માંડનાં રહસ્યો જાણવા મનુષ્ય કેટલું કરી રહ્યો છે જે માહિતી મળી તેમાંથી ઘણું જ વેદોમાં ઉપલબ્ધ છે પણ ખરું.

    સમગ્ર બ્રહ્માંડ નિયમાનુસાર ચાલે છે અને તે કોઇ અદ્રશ્ય શક્તિ ચલાવે છે. તેટલું તો કદાચ સૌ કોઇ માનશે જ. ઈશ્વર એટલે જ સંસ્કૃતમાં ઇશ (સત્તા) + વર (ઉત્તમ) . 🙂

    Like

  6. આપણે દરેક ઘટના કે અસ્તીત્વને જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ વૈજ્ઞાનીક આધારો અને વીશ્લેષણ વધુને વધુ જટીલ થતા જાય છે. એનો કોઈ અંત નથી. આજની સમજણ પ્રમાણે જેનુ વીશ્લેષણ ના થઈ શકે એ “ભગવાન” દ્વારા કરેલુ કે થયેલુ માની લઈએ છીએ.

    ઈલેક્ટ્રોન કે પ્લાઝ્મા અવસ્થાની અમુક વર્તણુંકો ચૈતન્ય જેવી છે! પણ, આપણે ચૈતન્યને સમજી શકીએ એવો કોઈ સીધ્ધાંત નથી આપી શક્યા એ હકીકત છે!!!

    Like

  7. govindbhai dhanyavad, mane ama thi ghanu samjai gayu che. thanks, fari avi rite – ava lekh lakhta raheva vinanti che.

    Like

  8. aa pruthvi uper darek vastu no nash che . darek manav te jane che…bhagvan jevo bhagvan pan potanu mul swarup ahiya nathi rakhi sakiyo tene pan potana deh no nash karvo padiyo che to apne shu chiea….chata manav ne amar thava na abharkha nathi jata….

    Like

  9. વિજ્ઞાનીઓને ધન્યવાદ કે તેઓ પ્રયોગશાળામાં પોતાનો સમય વ્યતિત કરે છે. સાચા શ્રદ્ધાળુઓને ધન્યવાદ કે કોઈને નડ્યા વગર પોતાની મરજીમાં જેમ અવે તેમ જીવે છે. પણ કહેવાતા બુદ્ધિશાળીઓ અને પોપટીઆ પત્રકારોને શું કહેવું કે જે નથી વૈજ્ઞાનિક કે નથી શ્રધ્ધાળું. માત્ર અને માત્ર સનસનાટી ફેલાવવા અને માધ્યમોમાં ટકી રહેવા માટે જે મનઘડન લેખો લખે છે. જેની પાસે નથી વિજ્ઞાનનો આધાર કે નથી શ્રદ્ધાની તાકાત.

    Like

  10. મારા ખ્યાલ મુજબ ઓશો રજનીશે કહ્યું છે કે સ્થુળના અભ્યાસને આપણે વીજ્ઞાન(સાયન્સ) કહીએ છીએ, અને ધર્મ એટલે સુક્ષ્મનું વીજ્ઞાન. એ રીતે જુદા જુદા ધર્મો હોઈ ન શકે, માત્ર એક જ ધર્મ હોઈ શકે-સાયન્સની જેમ. જેમ ભારતનું વીજ્ઞાન અને અમેરીકાનું વીજ્ઞાન અલગ અલગ હોતાં નથી, તેમ હીન્દુ ધર્મ અને ખ્રીસ્તી ધર્મ હોઈ ન શકે.

    અહીં સ્થુળ એટલે જેને ભૌતીક પરીમાણ હોય તે, અને સુક્ષ્મ એટલે જેને કોઈ ભૌતીક પરીમાણ ન હોય તે. એ રીતે ઈલેક્ટ્રોન કે પ્લાઝમા ભૌતીક ગણાય, સુક્ષ્મ નહીં. પણ જેને આપણે ચૈતન્ય-આત્મા કહીએ છીએ તેને કોઈ ભૌતીક પરીમાણ નથી. જેમ ભૌતીકનું વીજ્ઞાન અમુક પરીકલ્પના (હાઈપોથેસીસ) લઈને આગળ વધે છે, તેમ આત્માના વીજ્ઞાન-ધર્મમાં પણ પરીકલ્પના ઘડીને આગળ વધવાનું રહે. ઓશો કહે છે કે આ આત્માનું વીજ્ઞાન તે ધર્મ.

    શ્રદ્ધા એટલે આવી ધાર્મીક પરીકલ્પનાનો સ્વીકાર કરીને કરવામાં આવતી શોધ. પણ અહીં મહત્વ શોધને આપવાનું છે, માત્ર શ્રદ્ધાને નહીં. આ શોધ કરવાથી જે સાચું ન લાગે તેનો ત્યાગ કરતા જવું- જ્યાં સુધી સાચું હાથ ન લાગે ત્યાં સુધી. શોધ કર્યા વીના કશું માની લેવું કે કશાને ન માનવું તે બન્ને સરખું જ છે.

    આ શોધ કરવાના અલગ અલગ માર્ગોને આપણે ધર્મો કહ્યા અને એ કહેવાતા ધર્મોના અનુયાયીઓ ઝઘડતા રહે છે-સાચી શોધ કરવાને બદલે. અને બીજા કેટલાક શોધ કર્યા વીના ઈન્કાર કરવામાં માને છે. જો કે કદાચ એમની માન્યતા કહેવાતા ધાર્મીકોની માન્યતા જેવી વીનાશક બનતી હોતી નથી.

    ઓશો રજનીશના કહેવા મુજબ આ શોધ હંમેશાં વ્યકતીગત રહે છે, ભૌતીક વીજ્ઞાનની જેમ સામુહીક બની શકતી નથી.

    Like

  11. DEAR GOVIND BHAI ,

    AAP NO AA PATRA 1992 MA LAKEKO CHHE. WE HAVE NO MEANS TO PROVE WHAT DHARMA SAYS. IF WE LOOK TO THE CALCULATIONS PART AS TO OUR DAILY NEEDS LIKE SURYODAYA , NABHI CHAKRA , SURYASTA , TIMINGS ETC. WE DONT CARE TO PROVE THEY ARE WRONG OR RIGHT. TODAY VIGHYAN HAS BIG ROLE AS LOOKING TO THE WAYS TO SAVE EVERYTHING IN UNIVERSE AS COMPARED TO THE ROLE ACTUALLY NEEDED TO CHECK ALL THE CALCULATIONS SHOWN IN JAIN AND OTHER RELIGIONS.
    IN ALL THE WAY IF U LOOK AT THE ROLE OF DHARMA AND VOGHYAN IS ALWAYS THE SAME TO GIVE PEACE OF MIND BODY AND ENERGY OF EACH LIVING OBJECT.
    BUT WE ARE ALWAYS SMALLER TO THE NATURE IN INDIVIDUALNESS. HAVE A NICE DAY.
    SUDHIR M SHAH

    Like

  12. માફ કરજો. હું આ લેખના તર્ક સાથે પુર્ણ રીતે સહમત થઈ શકું તેમ નથી.
    થોડાક વીજ્ઞાનના જ્ઞાનના આધારે …
    બધાં વીજ્ઞાનનાં સત્યો અમુક પુર્વધારણા પર આધારીત હોય છે – વીજ્ઞાન પાસે એમની કોઈ સાબીતી નથી. સૌથી જડ એ3વું ગણીત પણ આનાથી બાકાત નથી .

    અને વીજ્ઞાન પણ સ્વીકારે છે કે, કોઈ કારણ વીના કશું સંભવીત જ નથી.

    આથી કોઈ વૈજ્ઞાનીક, દાર્શનીક કે પેગંબર એવી ધારણા કરે કે, વીશ્વનાં બધાં સર્જનોનો કોઈ આધાર કે સ્રોત છે — તો તે પુર્વ ધારણા સાચી કે ખોટી સાબીત ન કરી શકાય.
    ઈશ્વરના અસ્તીત્વનો આ પાયાનો સીદ્ધાંત છે.

    કોઇ તેને સ્વીકારે કે ન સ્વીકારે તેનાથી કશો ફરક પડવાનો નથી કરણકે સૃષ્ટીનો વ્યવહાર કદી અટકવાનો નથી. ઈશ્વર આ બધું કરે છે, તેમ માનવાથી શ્ર્દ્ધા અને જીવન જીવવાનું બળ મળતું હોય – અને મળે જ છે – માટે ઈશ્વરના હોવાની પુર્વ ધારણા ઈ ષ્ત આપત્તીકર છે.

    બધી તકલીફ આ ધારણા પછી ઉમેરાયેલ કલ્પનાઓના કારણે છે. અને એ માનવ મનના કારણે કદી દુર થવાની નથી. ઉપટાનું નવા સંપ્રદાયો ઉભા થતા જાય છે.

    જ્યાં સુધી મુળભુત માનવતાનો મહીમા વ્યાપક નહીં બને , ત્યાં સુધી આ પ્રપંચ કોઈ દુર નહીં કરી શકે. ધાર્મીક વડાઓઅને તો તે દુર કરવામાં કશો રસ ન જ હોય તે સ્વાભાવીક છે. અને સામાન્ય પ્રજાને ધર્મના નશાની જરુર રહેવાની જ છે !

    Like

  13. મહાન વીજ્ઞાનીઓ પણ ક્યારેક ઈશ્વરના અસ્તીત્વ વગેરે જેવી વાતો કરે છે ત્યારે તે અંધશ્રદ્ધાળુઓના ઈશ્વરની વાતો છે એમ શા માટે માની લેવું ? ૧૯મી સદીના લોકો જે કરતા હતા તે વીસમી સદીના ન કરે તેનું રહસ્ય વીજ્ઞાનની શોધોને લીધે હોય પરંતુ જે વીજ્ઞાને પેનેસીલીનને લાખ દુઃખોંકી એક દવાઈ બતાડી હતી તે ઝેર સાબીત થઈ. નવું જાણવા–શોધવાથી ફાયદો થાય તે તો સારી જ વાત છે, પરંતુ એ જ વાત એવું પણ સાબીત કરનારી બને જ છે ને કે પહેલાં જે શોધાયું હતું તે સાચું ન હતું !!

    આયુર્વેદે બતાવેલી ઔષધીઓ આજના પ્રદુષણને લીધે બરાબર કામ નથી આપતી તે ખરું પણ હજારો વરસ પછી પણ પરીણામો આપે છે; એલોપથીની માફક અમૃતને ઝેર કહીને થુંકેલું ચાટવું પડતું નથી !

    ધર્માંધતા એ અંધશ્રદ્ધાળુઓની નબળાઈ છે, તો જુનું તે બધું અવૈજ્ઞાનીક અને નકામું તેવું કહીને બૌદ્ધીકતા સાબીત કરવા મથવું તે પણ કહેવાતા વીવેકપંથીઓની નબળાઈ જ છે. બન્ને વચ્ચે સમન્વયની વાત પ્રજ્ઞાબહેનની છે તે બહુ સમજવાની છે.

    ઈશ્વરને કોઈએ જોયો નથી એટલે એના અસ્તીત્વનો નકાર ? ઈશ્વરને આપણા મોટાભાગનાં શાસ્ત્રોમાં અશરીરી અને નીર્ગુણ કહ્યો છે પણ સર્વશક્તીમાનેય કહ્યો છે કારણ કે વીજ્ઞાનીઓ જગતના આપોઆપ કે વ્યવસ્થીત રીતે થતા સંચાલનની જે વાત કરે છે તે જ આ નીર્ગુણ ઈશ્વરની વાત છે !! વીજ્ઞાન કહે છે તે સૃષ્ટીસંચાલનની કામગીરી આ શક્તી દ્વારા જ થાય છે…

    બાકી ઈશ્વરને જેમ કોઈએ જોયો નથી તેમ જ વ્યક્તીને તેના પોતાના પીતા કોણ હતા તેનીય ક્યાં ખબર હોય છે ?! મા કોણ હતી તેની સાબીતી હોય છે; પીતાની સાબીતી ક્યાંથી મળે ?? માતાના વચન પરની શ્રદ્ધા જ ત્યાં કામ આવે છે.

    એને અંધશ્રદ્ધા/અજ્ઞાન કહેશું ??

    Like

  14. શ્રી ગોવિંદ ભાઈ
    આપનો આ લેખ વાંચ્યો બહુ જ ગમ્યો. ખાસ કરીને આ લેખે જે અન્ય બ્લોગરને પ્રતિભાવો આપવા ઉતેજીત કર્યા અને અને આ પ્રતિભાવો વાંચતા પણ ઘણું જાણવા મળ્યું. વિજ્ઞાન અને શ્રધ્ધા/અંધશ્રધ્ધા વગેરે ઉપર પણ જે ચર્ચાઓ અત્રે થઈ તે નવા પરિમાણૉ દર્શાવે છે. અભિનંદન !
    સ-સ્નેહ
    અરવિદ

    Like

  15. Mr. Gadalal

    mane ganu dukha thayu tamaro lekh vachi ne. pela વીજ્ઞાની
    ne khabar padi ke koik sakti che je a badhu karkhanu chalave che pan tamne khabar na padi. bhagwan ne parathana karish ke tamne amnu વીજ્ઞાન ape.

    vipul

    Like

  16. લેખ વાંચ્યો..માહિતિસભર લાગ્યો..અસ્તિતવ્નો ઉત્સવ પણ વાંચેલ… આ સૃશ્ટી સર્જન આયોજનબદ્ધ છે જ..

    Like

  17. ભાઇશ્રી,
    આ લખાણ વાંચતા પહેલા આ દેહને મળેલ મગજને
    દુર રાખી વાંચ્યો. જે ને પોતાના અસ્તિત્વ કે અંતનો અણસાર
    પણ ના હોય તેવો માનવ શું સમજાવી શકે?કુદરત એ કુદરત
    છે અને કોઇપણ દેહ એ અસ્તિત્વ છે.જગતના કોઇપણ જીવ,
    માનવ, વૈજ્ઞાનિક, સાધુ કે બાવાની પરમાત્માને પારખવાની
    તાકાત નથી અને તેનુ કારણ છે તેને પોતાના અંતનો ખ્યાલ
    નથી.

    પ્રદીપ બ્રહ્મભટ્ટ( હ્યુસ્ટન)

    Like

  18. ARE GOVINDBHAI TAMARA LEKH NI PRATIBHAVOMI PN
    ISHVAR NI MINYATAAO NO BHANDAR JOVA MALYO AIVIBAUDHIKONE SHU KAHEVU?
    ABHINAND

    Like

  19. i agree with Sureshbhai Jani and also with Pradipbahi Brahmbhat.

    science is doing its own work to know things more only, which again is based on some preliminary experiences whether of proven experiments and beliefs. it helps to make our life easier.
    whether there is a god or not or whether ther is an “aatmaa” or not , it does not bother.
    also, no one can change one’s beliefs anywhow! or no one can change a person , whether its a scientist or a Guru or sampraday. sampraday is the tool to gether people and have some discussion on everlasting universal truths. the knowledge it gives is again based on their experiences and beliefs.

    so is ther a god or not ? remains unanswered and will remain unanswered!

    Narendra
    scientist,
    IPR,
    Gandhinagar,
    Gujarat

    Like

  20. ‘ભગવાન કેવો દયાળુ છે કે તેણે પૃથ્વીને સુર્યથી બરાબર સાડા આઠ કરોડ માઈલ દુર ગોઠવી છે. જો થોડીક નજીક હોત તો આપણે બળીને ભસ્મ થઈ ગયા હોત’

    ‘‘જો ગુરુત્વાકર્ષણનો આંક જરા ઓછો વત્તો હોત તો વીશ્વનું સર્જન જ ન થયું હોત. એ જ રીતે બીજા ભૌતીક આંકો (Physical Constants- આવા આંકો 25 જેટલાં છે. તેમનું મુલ્ય વીશ્વની ઉત્પત્તી થઈ ત્યારે જે હતું, તે આજે પણ છે- અને ભવીષ્યમાં પણ તે જ રહેશે- એટલે આ અંકો અચળ- Constants કહેવાય છે)નાં મુલ્યોમાં જરા સરખી વધઘટ થઈ હોત, તો વીશ્વનું સર્જન જ ન થયું હોત’’

    ‘ભગવાન સર્વ શ્રેષ્ઠ ગણીતજ્ઞ છે.

    “ભગવાન કેટલો બુદ્ધીશાળી છે કે તેણે આ બધા આંકોનું ગણતરીપુર્વક નીર્માણ કર્યું છે કે જેથી વીશ્વની ઉત્પત્તી થાય”

    To me the saying of Govindbhai Maru is understood as under:

    Each quotation clearly shows that such a statements are made without proper and comprehensive considerations. While saying it is totally forgotten by the great scientists that there are so many probabilities and possibilities about this world. If the earth would have been placed somewhat nearer to the sun then the matter of the earth would have been such that it would have been strong enough to face the heat of the sun.

    Perhaps with reference to this Govindbhai has said as under:

    સંસ્કૃતીના ઉદયકાળથી તે આજ સુધી બહુજન સમાજને ઈશ્વર, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, જ્યોતીષ જેવી તદ્દન કપોળકલ્પીત વાતોથી ઘેનમાં રાખવાનો પ્રયાસ એક યા બીજા સ્વરુપે કરવામાં આવે છે. આ વીજ્ઞાનનો યુગ છે. વીજ્ઞાનીઓ પણ જાણ્યે–અજાણ્યે બહુજન સમાજનએ ‘ઈશ્વર’ની વાતો વીજ્ઞાન દ્વારા ઠસાવવાનો પ્રયત્ન કરે છે. આપણા બૌદ્ધીકો પણ તેમના પ્રચારથી ભરમાઈ જાય છે. બૌદ્ધીકો વીચારશે ખરા ???

    Of course, we will have to accept that nothing has happened without prior thinking. Because in our lives we have experienced that all that happens as it was thought out or dreamt. Likewise this world and the universe works with certain laws and having certain reasons. Therefore, there is some force who has thought out or dreamt about this world. And Bible and Hindu religious books also support that first of all the God thought to make this world and human and then they all were made by God.

    So there is nothing wrong giving credit to God or worshiping the God but what I think is that Govingbhai Maru has not at all said against such importance of God. I think Govindbhai has tried to criticize when wrong belief is cultivated taking support of God.

    Would Govindbhai kindly contribute in this regard ? Please, either confirm this or make the matter clear.

    Like

Leave a reply to atuljaniagantuk Cancel reply