અંધશ્રદ્ધાનો હો વીષય તો, પુરાવાની જરુર પળેપળ છે..

‘ગુજરાતમીત્ર’ અખબારના વાચકો દુર દેશાવર સુધી ફેલાયેલા છે. મુંબઈના નીવૃત્ત પ્રૉફેસર, લેખક અને પ્રકાશક શ્રી. જે. પી. મહેતા ‘ગુજરાતમીત્ર’ના ખાસ વાચક અને ચાહક છે. એમણે એક પુસ્તીકા પ્રગટ કરી છે. તેનું નામ છે – ‘મારી ચેલેન્જ છે…!’ તેઓ નીરંતર રૅશનાલીઝમની નાની નાની પુસ્તીકાઓ પ્રગટ કરીને સૌને વીના મુલ્યે મોકલે છે. સમાજમાં તીડનાં ટોળાંની જેમ અંધશ્રદ્ધા ફેલાયેલી છે. ઘણા ચીન્તકો એ રીતે અંધશ્રદ્ધાનાં જંતુઓ પર રૅશનલ વીચારોની ડીડીટી છાંટે છે. બીજા રૅશનાલીસ્ટ અમદાવાદના શ્રી. અશ્વીન કારીઆ પણ રૅશનલ વીચારધારાવાળા ચર્ચાપત્રો આ અખબારમાં લખે છે. સુરતની ‘સત્યશોધક સભા’ એક રૅશનલ સામયીક ‘સત્યાન્વેષણ’ પ્રગટ કરે છે જે હવે નેટ પર http://sites.google.com/site/vivekpanthi/sataanveshan-oldissues વેબસાઈટ પર વાંચવા ઉપલબ્ધ છે. તેના તંત્રી શ્રી. સુર્યકાન્ત શાહ પણ અવારનવાર આ અખબારમાં ચર્ચાપત્રો લખે છે. અગાઉ નોંધ્યાનુસાર જે સામયીકમાં આ અખબારના ચર્ચાપત્રો કે લેખોનું વારંવાર પુન:પ્રસારણ થાય છે, તે સામયીક ‘સૌજન્ય માધુરી’ રાજકોટથી શ્રી યાસીન દલાલ પ્રગટ કરે છે. (તાજા અંકમાં પણ એમણે ‘ગુજરાતમીત્ર’માંથી છએક લેખો, ચર્ચાપત્રો, વાર્તાઓ વગેરે પ્રસીદ્ધ કર્યાં.) એમાં શ્રી કારીઆ લખે છે ‘કહેવાતો ધર્મ પોતાનાં કપોળ કલ્પીત સત્યોને આખરી માને છે. જ્યારે વીજ્ઞાન પોતાની દરેક શોધને એક શરુઆત ગણે છે. ધર્મો પાસે ભીન્ન ભીન્ન અને પરસ્પર વીરોધી વીચારો છે; જ્યારે વીજ્ઞાનનું સત્ય સર્વત્ર એક સરખું જ હોય છે.’

પ્રસ્તુત મુદ્દો ચીંતનતુલ્ય છે. ઈશ્વર અને ધર્મ વીશે પ્રત્યેક ધર્મોમાં જુદા જુદા નીયમો અને જુદા વીચારો હોય છે. પરંતુ હૉસ્પીટલોમાં દરેક ધર્મ કે કોમના માણસની માઈલોગ્રાફી, એક્સરે કે કાર્ડીયોગ્રામ કરવાની પદ્ધતી એક સરખી હોય છે. ઈશ્વરના પુજા-પાઠ અને ખુદાની બંદગી વચ્ચે તફાવત હોય શકે; પણ કમળો, ટાઈફોઈડ કે હાર્ટએટૅક માટેની ટૅબ્લેટો સૌની સરખી. ગીતાના શ્લોકો અને કુરાનની આયાતોમાં ફેર હોય શકે; પણ રામ અને રહીમને હૉસ્પીટલમાં ક્સીજન આપવામાં આવે તે ક્સીજનમાં કોઈ તફાવત નથી હોતો. હજયાત્રા અને જગન્નાથની રથયાત્રામાં ફરક માત્ર સ્થળકાળનો… બાકી એરોપ્લેનના પૈંડા અને રથના પૈંડા વચ્ચે તાત્ત્વીક રીતે ઝાઝો ફેર નહીં. બન્નેનું કામ આગળ વધવાનું… બન્નેની વીધીમાં ફેર; પણ ગતીવીધીમાં કોઈ ફેર નહીં.

વીજ્ઞાનનું મોટું સુખ એ કે એમાં હમસચ્ચાઈનો કોઈ અવગુણ નથી હોતો. એકવાર શોધાયેલા સત્યથી વીપરીત એવું કોઈ બીજું સત્ય લાધે તો વીજ્ઞાન કશી નામોશી અનુભવ્યા વીના તે સ્વીકારી લે છે. આવું  એટલા માટે બને છે કે વીજ્ઞાન (માનવબુદ્ધી વડે જન્મેલો) અલ્લાદીનનો જાદુઈ ચીરાગ છે. પણ એને માટે વીજ્ઞાનીઓ  વચ્ચે કોઈ સ્પર્ધા નથી. સૌનો એક જ લક્ષ્યાંક… સત્યની શોધ. આનંદની વાત એ કે વીજ્ઞાનના કોઈ મઠો, આશ્રમો, મંદીરો કે સંપ્રદાયો નથી. વીજ્ઞાન એટલે બુદ્ધીના બલ્બમાંથી નીકળતાં તેજકીરણો… જેનાથી સમગ્ર સૃષ્ટી ઝળહળી રહી છે. વીજ્ઞાનને અહમ્ પણ નથી. (બુદ્ધીનો સદુપયોગ કરવા માટે કોઈને NOCની જરુર પડતી નથી.) સંશોધન કોઈ એકનો ઈજારો નથી. ધર્મમાં ઈર્ષા, દેખાદેખી, પદ, પ્રતીષ્ઠા અને અહમ્ નો ફુગાવો હોય છે. સાહીત્યના એક ટોચના ચીન્તકને સાંભળવા બીજા એવા જ મોટા સાહીત્યકારો ભેગાં થઈ શકે. પણ એક ધર્મગુરુનું પ્રવચન સાંભળવા બીજા સંપ્રદાયનો ગુરુ કે તેમના ચેલાઓ ના ફરકે. એમની પાસે જ્ઞાન અને શ્રદ્ધાની સીલક ઓછી પણ; અહમ્ ની આવક ‘પેટી’ અને ‘ખોખા’ (‘પેટી’ એટલે લાખ અને ‘ખોખું’ એટલે કરોડ)માં ગણાય તેટલી…! એક વીજ્ઞાની અન્ય વીજ્ઞાનીના પ્રયોગો જુએ, વીચારે, વખાણે અને જરુર પડ્યે પોતાના જ્ઞાન વડે તેનું નવસંસ્કરણ કરવાનીય કોશીષ કરે. પરંતુ એક ધર્મગુરુ બીજા ધર્મગુરુના વીચારોની ટીકા કરતા જ જોવા મળે… વખાણ તો કદી નહીં.

આ બધી વાત આજે એટલા માટે યાદ આવી કે હમણા ‘સુપ્રસીદ્ધ ચીન્તક બટ્રાન્ડ રસેલનું વીધાન વાંચવા મળ્યું. ‘જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તેમ જ માન્યતાઓને વેદવાક્ય માની માથે ચઢાવીને ફર્યા કરશે ત્યાં સુધી ઉજ્જવળ માનવ સંસ્કૃતીની આશા સેવવી એ કેવળ અર્થહીન કલ્પનામાં રાચવા જેવું બની રહેશે.’

રેશનાલીસ્ટોના એજન્ડા પર અંધશ્રદ્ધા નીવારણ અંગે કોઈ કાયદાકીય વ્યવસ્થા હોવી જોઈએ એવી વર્ષોથી તેમની માંગણી રહી છે. ૨૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ નાગરીક સ્વાતંત્ર્ય સંગઠન (પી.યુ.સી.એલ.)ની એક બેઠક અમદાવાદ ખાતે મળી હતી. તેમાં મંત્રી શ્રી ગૌતમ ઠાકરે એ વાત પર ભાર મુક્યો હતો કે આજે સમાજનાં ઉત્કર્ષ માટે અંધશ્રદ્ધા વીરોધી કાયદાની તાતી જરુરીયાત છે. તેમણે કહ્યું હતું કે મેલી વીદ્યા, નજરબંધી, એકના ડબલ કરવા, માતાજીના નામે રોગ નીવારણ, પશુનો બલી આપવો, તેમ જ ભગત-ભુવા કે ડાકણ-ભુત જેવી અનેક અંધશ્રદ્ધાઓ ગામડાં તથા શહેરોમાં હજી પ્રવર્તે છે. એકવીસમી સદીમાં પણ આપણો સમાજ આવી જર્જરીત મનોદશામાં જીવે છે તે દુ:ખદ બાબત છે.

કઈક એવું સમજાય છે કે અંધશ્રદ્ધા એ થીજી ગયેલી અબૌદ્ધીકતા છે. સદીઓથી માણસના મનના ડીપફ્રીઝરમાં જર્જરીત માન્યતાઓ અને વહેમોનો બરફ ઝામી ગયો છે. આપણો કહેવાતો ધર્મ બીજું કાંઈ નહીં; પણ આધ્યાત્મીકતાના ગેસથી ચાલતું કોમ્પ્રેસર છે. (બચુભાઈ કહે છે, ‘એ કોમ્પ્રેસરનું મોડેલ ઘણું જુનું છે. હવે અદ્યતન ટેકનોલોજીના ફ્રોસ્ટ ફ્રી ફ્રીઝમાં બીનજરુરી બરફ ઝામતો નથી. ફ્રીઝની જેમ સંસ્કૃતીય ફ્રોસ્ટ ફ્રી હોવી જોઈએ.) પશ્વીમમાંય અંધશ્રદ્ધાળુઓ વસે છે. પરંતુ તેમની તુલનામાં આપણે અતી અંધશ્રદ્ધાળુ પ્રજા છીએ. કમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટ કે હૉસ્પીટલોના દરવાજે પણ મરચું અને લીંબુ લટકતાં મેં જોયા છે. પેલા ડીપ ફ્રીઝરનો બરફ પીગળીને ગામ, શહેર, ગલી, નુક્કડ અને ઘરેઘરમાં ફેલાઈ ગયો છે. એ હકીકતનું સમર્થન શ્રી ખીમજીભાઈ કચ્છી (A–38 જલારામ સોસાયટી, વેડ  રોડ, સુરત395 004. Mobile – 98251 34692)ની નીચેની ‘ધર્મ   અને   વીજ્ઞાન’ રચનામાંથી મળે છે.

‘ધર્મ   અને   વીજ્ઞાન’

અંધશ્રદ્ધા   છે   આંધળી, વહેમને   વંટોળે   વહે;

અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે  અટપટાં યંત્રો  શોધી,  ફીટ  કર્યાં  ફૅક્ટરીમાં;

આપણે   સીદ્ધીયંત્રો  બનાવી, ફીટ  કર્યાં  ફોટામાં.

પશ્ચીમે   ઉપગ્રહ   બનાવી, ગોઠવી   દીધા  અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા  અંગુઠીમાં.

જાપાન વીજાણુ  યંત્રો  થકી, સમૃદ્ધ  બન્યું  જગમાં;

આપણે  વૈભવલક્ષ્મીનાં વ્રતો  કરી, ગરીબી  રાખી  ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક  અભીગમથી  બળવાન  બન્યો  વીશ્વમાં;

આપણે  ધાર્મીક  કર્મકાંડો  થકી, કંગાળ  બન્યા  દેશમાં.

પશ્ચીમે  પરીશ્રમ  થકી, સ્વર્ગ  ઉતાર્યું  લોકમાં;

આપણે પુજાપાઠ–ભક્તી   કરી, સ્વર્ગ    રાખ્યું   પરલોકમાં.

ડવર્ડ  જેનરે  રસી  શોધી, શીતળા  નાબુદ  કર્યા  જગમાં;

આપણે  શીતળાનાં  મંદીર  બાંધી, મુર્ખ  ઠર્યા  આખા  જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી  જયારે  જગત  આખું   છે  ચીંતામાં;

આપણે  વૃક્ષો જંગલો  કાપી, લાકડાં  ખડક્યાં    ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ  ને  વળગાડ, લોકોને પીડે  આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા  ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી   બ્લડ   ચૅક   કરી, ઍંગેજમેન્ટ   કરે પશ્ચીમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં  થાય  આ  દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.


ધુપછાંવ

અંધશ્રદ્ધાનો જો હોય વીષય તો, પુરાવાની જરુર પળેપળ છે;

ઝાંઝવાથી પ્યાસ બુઝાય તો, શીદ માનીએ કે જળ છે…?

દીનેશ પાંચાલ

જરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 25 ઓક્ટોબર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાને તીરેના સૌજન્યથી સાભાર

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ,

સી-12, મજુર મહાજન સોસાયટી,

ગણદેવી રોડ, જમાલપોર, નવસારી 396445

ફોન: (02637-242 098) સેલફોન: 94281 60508

તા. ક. :

‘ આ લેખની પીડીએફ મારી પાસે તૈયાર જ છે; તમે મને લખો કે તરત મોકલીશ. ’

23 Comments

  1. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની બારીક ભેદરેખા છે. શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધાના સ્ટેજમાં સરી પડે છે એ કળી શકાતું નથી.સંત પુનિત મહારાજનો દાખલો આપણી સામે છે. બાબર અને હુમાયુનો દાખલો છે કે માત્ર અને માત્ર પ્રાર્થનાથી ગંભીર બીમારી દૂર થઇ છે..સાધુ-બાવાઓ અને કહેવાતા ભુવા-તાંત્રિકો ઘણી વાર અશિક્ષિત ગામડિયા લોકોના ભોળપણનો લાભ લઇને ફેઇથ હિલીંગના નામે ધૂતારાવેડા કરે છે પરિણામે લોકો પોતાના સ્વજનને ગુમાવે છે. ફરી ડોંગરેજી મહારાજને ટાંકીએ તો શ્રદ્ધા એ આત્મબળ છે જ્યારે અંધશ્રદ્ધા એ કમજોરી છે. દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવું જોઇએ કે મારામાં શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા ? એક કવિએ તો સરસ કહ્યું છે- અંધશ્રદ્ધાનો ન એને દોષ દો,ઘોર અંધકારમાં બારી પર લટકતા દોરડાને સાપસમજીને નબળા હૃદયનો કોઇ માણસ ઢળી પણ પડે. તો બિલ્વમંગલ (પાછળથી સૂરદાસ ) જેવો કોઇ સાચુકલા સાપને પ્રિયતમાએ લટકાવેલું દોરડું સમજીને ઉપલા મજલે ચડી જાય એમ પણ બને. અહીં ઓર એક વિચાર જેની પ્રેરણા પૂજ્ય ડોંગરે મહારાજે આપેલી કે શ્રદ્ધા એટલે શું ? ક્યારેક એવું બને છે કે માણસ કોઇ આફતથી ઊગરવા તમામ પ્રયત્નો કરી લે અને એમાં સફળ ન થાય ત્યારે પોતાનો અહં ત્યજીને ઇશ્વરના શરણે જાય
    અંધને શ્રદ્ધા નહીં તો હોય શું ? …

    અંધ વ્યક્તિ તો કોઇના ખભે હાથ મૂકીને જતો હોય. એણે પોતાને દોરનાર પર ભરોસો રાખ્યે જ છૂટકો.

    Like

  2. It is not only in our country that people are superstitius. It is a epedemic
    all over the world. But when educated people are like that what else to say? “Shraddha” is must which is oxygen for life.

    Like

  3. શ્રી. જે. પી. મહેતા,
    શ્રી. અશ્વીન કારીઆ,
    શ્રી યાસીન દલાલ,
    શ્રી ગૌતમ ઠાકરે,
    શ્રી બચુભાઈ,
    શ્રી ખીમજીભાઈ કચ્છી,
    શ્રી દીનેશ પાંચાલ,
    શ્રી ગોવિંદભાઈ મારુ
    ભારતના અનેક મહાન ચીંતક ની જે તમે પણ ખરેખર મહાન ચીંતક છો… ગોવિંદભાઈ મારુ દ્વારા આપનો ઉપરનો લેખ વાચ્યો, તમો બધાને દિલના ઉડાણેથી વંદન કરૂ છુ. તમારા વિચારોને લોકો સમક્ષ લાવવા મારા બનતા પ્રયાસ કરીશ..જેના મન મંદિર છે તેવા લોકો જો કોઈ હોય તો તે તમો જ છો તેમા મને શંકા નથી…તમારો આ શોખ.વધતોજ રહે તેવી ઈશ્વર પાસે પ્રાથના કરી છે…. લગે રહો મારા મિત્રો…
    Vinookumar@aol.com
    http://www.Vijayuncle.com – This web site is so good

    Like

  4. science and some idology may lead for betterment.
    Otherwise destuction also go on.
    man has to decide with open mind.

    Ramesh Patel(aakashdeep)

    Like

  5. khubaj saras

    aa duniyama vignanan shivay biju kaij nathi e sachi vat che

    pan aa duniyama 90% loko bhgvanne, poja path, alah, pir, jevi darek dharmik riti rivajone mane che to e 90% loko ganda ke bija 10% loko vignanan ne manva vala

    aapne jo western lokoni vat kariye ke e loko aa badhu nathi manta to e vat sachi che karan ke e lokone dharam jevu kai nathi sanskruti jevu kai nathi etale nathi manta
    ane e bhuriyav ne pan me manta joya che

    Like

  6. I think scince & religion should go together.
    when scince comes to stop than which we could not
    understand that should understand……..
    I think one should know himself than he could able
    to know nature..Suspisious nature is mental disorder..
    complete healthy mind is good in life…..
    prakash

    Like

  7. “કમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટ કે હૉસ્પીટલોના દરવાજે પણ મરચું અને લીંબુ લટકતાં મેં જોયા છે.”

    આ વાંચીને ખુબ હસવું આવ્યું. આ છે આપણો શીક્ષીત દેશ.

    સરસ લેખ. આભાર.

    શ્રી ખમજીભાઈ કચ્છીનું કાવ્ય પણ ઘણું ગમ્યું.

    Like

  8. શ્રધા અને અન્ધશ્રધા મા ખરેખર ફર્ક છે એક ડૉક્તર જ્યારે દવા આપે છે ત્યારે એની દવા સાથે સાથે ડૉક્તર ઉપર પન શ્રધા રાખવી જરુરી છે જેથી પરીણામ આપણા ને બરાબર મલે છે
    ગોવિંદભાઇ તમારો લેખ વાંચી ને આનન્દ થયો સરસ લેખ છે કવિતા પણ મજાની છે. આભાર

    Like

  9. મીત્રો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એક જ છે. એટલું જ નહીં પણ ઈતીહાસમાં ભાવના ઘુસાડીએ એ પણ અંધશ્રદ્ધા છે. દાખલા તરીકે આ દેશમાં રામ કે કૃષ્ણ નામની કોઈ વ્યક્તી થઈ જ નથી અને આપણે ભાવના થી પ્રેરાઈ ઠેક ઠેકાણે એમના મંદીર અને પત્થરના પુતળા ગોઠવી દીધા છે. બાબરી મસ્જીદ હોય કે સોમનાથ મંદીર બધું અંધશ્રદ્ધાનો એક ભાગ જ. આ અંધશ્રદ્ધા ઉપર પ્રહાર કરવા મુહમ્મદ ગજનવીને ઠેઠ ગજનીથી લોકો આમંત્રણ આપી રસ્તો બતાવ્યો અને સોમનાથમાં લુંટ ચલાવી કતલ થઈ. ભાવના એટલે કે અંધશ્રદ્ધાને કારણે આપણે ઈતીહાસમાંથી કાંઈ ન શીખ્યા. સ્વતંત્ર ભારતમાં સરદાર વલ્લભ ભાઈ પટેલે પ્રથમ કામ આ સોમનાથ મંદીરના નીર્માણનું કર્યું. ગાંધીએ એને સમર્થન આપ્યું. એનાથી વધુ અંધશ્રદ્ધા કઈ હોઈ શકે?

    Like

  10. VKVora, you are going too far to show that you are rationalist and atheist. To say that Ram and Krishna never born, you must be on earth since the existence of earth . Talk like a grown up man!

    Like

  11. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખૂબ જ બારીક રેખા છે અને એટલે શ્રધ્ધાવાન ક્યારે અંધશ્રધ્ધામાં સરી પડે છે તેની જાણ તેને પોતાને પણ રહેતી નથી. રેશનલી વિચારવું એટલે ખચિત પણે તમામ વાતનો અસ્વીકાર કે ઈંકાર નાદાનિયત ગણાય ! હકિકતે વૈજ્ઞાનિક રીતે વિચારતા થવું રહ્યું વિજ્ઞાનને સાચી રીતે સમજી નહિ શકનાર ઘણાં લોકો પોતે વૈજ્ઞાનિક માનસ ધરાવતા હોવાનો દાવો કરી ધર્મ અને અધ્યાત્મની ટીકા કરે છે. વિજ્ઞાન કંઈ ધર્મ અને અધ્યાત્મનું વિરોધી નથી. જે રીતે ધર્મ અને અધ્યાતમ સત્ય શોધવાનો માર્ગ છે તે રીતે વિજ્ઞાન પણ સત્ય શોધવાનો માર્ગ છે ! વિજ્ઞાન પણ શ્રધ્ધા ધરાવે છે તેને સત્યમાં શ્રધ્ધા છે તેથી જ તે ટકી રહ્યું છે અને વિકસી રહ્યું છે. જ્યારે પણ મનમાં પ્રશ્ન પેદા થાય ત્યારે શું ? કેમ ? અને કેવીરીતે ? થયું કે થઈ શકે તેમ વિચારી જવાબ ખોળવા પ્રયત્ન કરવો તે રેશનલ વૈચારીક પધ્ધ્તિ ગણાય તેમ માનું છું.

    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  12. મીત્રો, ૫-૬-૭ ધોરણના ઈતીહાસ, ભુગોળ, નાગરીક કે વીજ્ઞાનને ખોલી વાંચવું જોઈએ. નાના બાળકો માટે અભ્યાસક્રમ એવી રીતે ગોઠવવામાં આવે છે કે બાળક બચપણથી સત્યને સ્વીકારે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે. હવે આ અભ્યાસ ક્રમમાં રામ કૃષ્ણ વગેરે કથાના એટલે કે નવલકથાના પાત્રો છે એમ કહેવામાં આવે એટલે ભાવનાથી એમ ન કહેવાય કે કથા કે નવલકથા સત્ય છે. ઈતીહાસને ભાવના થી દુર રાખવું જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એક જ છે. ભારતની ગરીબાઈ અને ભૃષ્ટાચાર માટે કર્મ અને અંધશ્રદ્ધા જવાબદાર છે. સોમનાથ મંદીરનું નીર્માણ એ ભારતની ભૃષ્ટાચાર પ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ સોમનાથ મંદીરનું નીર્માણ વલ્લભ ભાઈ પટેલ, ગાંધી અને કનૈયાલાલ મુનસીએ કર્યું છે. ગરીબાઈ, ભૃષ્ટાચાર અને જાતી પ્રથાનું સોમનાથ મંદીર સ્મારક છે. એટલે એ કલંક સ્મારક કહેવાય.

    Like

  13. Dear Govindbhai,

    Very nice article. And especially poem is just fantastic — it mirrors our situation so nicely that every rational thinker can find their “near and dear ones” in that poem. I would like to have pdf of this article if you can give me.

    Thank you
    Harshil

    Like

  14. Sri Govindbhai

    Vachava-Vicharva layak ane Aa dishama kam karva layk sars lekh chhe.

    ” Dubto Manas Tankhlu Pakde “

    Like

  15. Dear All Freands

    Men mara DADAne JOYA chhe, DADA na DADA ke Ae badha DADAO na DADA ne JOYA nathi. Men Joya nathi aetle ae badha no’ta aem mani j na shakun YAR.

    BE sras kavita mali, vanchvaman anand male chhe.

    Somnath Mandir ? Aa pahelan STTAR var bandhvaman avyun hatu. chhelle bandhvaman tran mahanubhavosreeman aekni akhi DUNIYA srahna, Aaje pan kare chhe.Bija BEni Motabhagna Bhartio ane GUJU BHAI-BAHENO krechhe.Thik Aa je hata te hata, HAVE shun ?

    Pan Je lokoae rat-divas mahenat kari aa “SMARK” banavyun, Ae jo “KLANK” hoy to ae badhana parseva ni ‘mahek-Sughandh’nu shun ?
    Ae ” SUGHANDH ” aje pan SMARK man chhe j.

    Like

  16. ઈતિહાસ અને ભૂગોળ માત્ર વાંચવા જ પૂરતા નથી તેને સમજવા પણ જોઈએ અને તે માટે પુખ્ત સમજ હોવી અત્યંત આવશ્યક ગણાય ! કેટલાક માત્ર પોતાને રેશનાલીસ્ટ વિચાર ધારા વાળા ગણાવા માટે ઈતિહાસ તો શુ પણ ઉપર ભાઈશ્રી પોપટભાઈ કહે છે તેમ પોતાના જન્મ માટે જવાબદાર વડિલોના અસ્તિત્વનો ઈંકાર કરે તે હદે જઈ શકે તેમ ક્યારે ક લાગે છે કારણ આ જન્મદાતાઓને કારણે ઊતરોતર ચાલુ થયેલો વંશવેલાના વડિલોને કોઈ એ કયાં જોયા હોય છે ? એ તો ક્યારના આવું વિચારના જન્મ પહેલાં જ ઉપર પહોંચી ગયા હોય છે અને જોયા ના હોય તો તેના અસ્તિત્વનો સ્વીકર આવા કહેવાતા રેશનાલીસ્ટ કઈ રીતે કરી શકે ? વધુ તો શું કહેવું ?
    બાકી ફરી એક વાર મને કહેવાદો કે સોમનાથ આ દેશનું ગૌરવ છે !!!! કોઈ સ્વીકારે કે ના સ્વીકારે તેથી કોઈ ફરક પડતો નથી. ઉલ્ટાનું હું તો તમ કહીશ કે સોમનાથને કલંક માનનારા પોતે આ દેશ માટે કલંક રૂપ છે !!! અસ્તુ !

    Like

  17. ૫-૬-૭ ધોરણના ઈતીહાસ, ભુગોળ, નાગરીક, વીજ્ઞાન, ગણીતને શીખવા નાના બાળકને ઓચ્છામા ઓચ્છી સમજ અને શકતીની જરૂર પડે છે. જેમાં રામાયણ મહાભારત કથા, નવલકથા કે સાહીત્યની રચના છે ઍ ખબર પડી જાય છે. હવે નક્કી કરવાનું છે કે આપણે અભ્યાસ અને ભાવનામાંથી કોને મહત્વ આપેલ છે?

    Like

  18. સાહેબ ખુબ જ ગમ્યુ .મને મારા ઇ-મેલ એડ્ર્સ પર મોકલી આપશો ?

    હું અંધશ્ર્ધાનો સખત વિરોધી છુ.મારા બ્લોગની મુલાકાત લો..

    આભાર.

    Like

Leave a comment