ભગવાન છે એવું કોણે કહ્યું ? […]

ભગવાન છે એવું કોણે કહ્યું ? અને ખરેખર ભગવાન હોત તો ગલીએ ગલીએ મન્દીર, મસ્જીદ, દેરાસર ધરાવતા ભારતમાં સ્વર્ગ હોત

‘ગામમાં આવેલા મન્દીરની બહારથી વૃદ્ધ માતાના આશીર્વાદ મેળવી બે ભાઈઓ દરરોજ પોતાના કામે નીકળી જાય છે. આ બે ભાઈઓ પૈકી એક માતા સાથે ભગવાનના દર્શન કરે છે, જ્યારે બીજો મન્દીરના જ ઓટલે બેસી બન્નેની બહાર આવવાની રાહ જુએ છે. એટલે કે બીજો મન્દીરમાં પ્રવેશ કરતો જ નથી.’ આ દૃશ્ય છે બોલીવુડના બેતાજ બાદશાહ અમીતાભ બચ્ચન અને શશીકપુર અભીનીત ‘દીવાર’ ફીલ્મનું. જેમાં અમીતાભ બચ્ચનને નાસ્તીક બતાવવામાં આવે છે. આવું જ કંઈક વર્તન સુરત શહેરમાં વસતા પટેલ પરીવારનું છે. જેમાં આખો પરીવાર મન્દીર સુધી જાય છે, ભગવાનના ધામની જાત્રા પણ કરે છે; પરંતુ તેઓ કદી મન્દીરમાં પ્રવેશતા નથી. એટલું જ નહીં તેમના ઘરમાં કોઈ ભગવાનની મુર્તી–ફોટા પણ નથી અને પરીવારમાં કોઈ પણ ભગવાનના નામનો દીવો પણ કરતું નથી ! આ પરીવારના દરેક સભ્ય એવું જ કહે છે કે જેને અમે જોયા નથી તેને અમે માનતા નથી.

કહેવાય છે કે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરુર ? પણ શહેરમાં વસતો આ પરીવાર કહે છે કે જે વસ્તુ દેખાતી નથી તેને માનવું એ શ્રદ્ધા નહીં; પણ અન્ધશ્રદ્ધા છે. આ વીચારધારા છે શહેરના ઘોડદોડ રોડ પર રહેતા ધનસુખ પટેલ (સરનામુંશ્રી ધનસુખભાઈ પટેલ, 203-ધ્યાન–યોગ કૉમ્પ્લેક્સ, ઘોડદોડ રોડ, સુરત395 001 ફોન: 0261-265 5033 સેલફોન: 97260 11147 email: binulpatel@gmail.com) અને તેમના પરીવારની. આમ તો આ પરીવાર પણ શહેરના અન્ય પરીવારો જેવો જ છે. પણ હોમ, હવન, પુજા જેવી બાબતોમાં તેઓ શહેરના અન્ય પરીવારોથી તદ્દન અલગ છે. એટલે હોમ, હવન, પુજાવીધીમાં તેઓ જરાય માનતા જ નથી. ધનસુખભાઈના પરીવારમાં તેમના પત્ની વીણાબહેન તથા પુત્ર બીનુલ અને વહુ મીતલ છે. જ્યારે તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે ખરેખર લાગ્યું કે, ભગવાન હોવું એ એક કલ્પના જ છે ! એટલે કે ભગવાન એ તો માનવા ન માનવાનો વીષય છે. શરુઆતમાં તેમના ઘરમાં ડોકીયું કર્યું તો જોયું કે, ઘરની એકેય દીવાલ પર ક્યાંય ભગવાનનો ફોટો કે મુર્તી નથી. જાણીને આશ્વર્ય લાગશે કે તેમના ઘરમાં કોઈ તીથીતોરણ કે ભગવાન જેવું કંઈક છે તેવું યાદ કરાવતી કોઈ ચીજવસ્તુ પણ નથી. આ અંગે આખા પરીવાર સાથે થયેલી ચર્ચામાં ઉંડા ઉતરીએ તો ખબર પડશે કે તેમની વીચારધારા અને અન્ય લોકોની વીચારધારામાં કેટલો ફરક છે. ધનસુખભાઈ સહીત તેમનો આખો પરીવાર આમ તો એકદમ સરળ અને ભગવાનની બાબતમાં તેઓ બધા કરતાં અલગ છે.

58 વર્ષની ઉમ્મરે પહોંચેલા ધનસુખભાઈના શબ્દોમાં કહીએ તો, તેમના માનવા મુજબ આ દુનીયામાં ભગવાન જેવું કશું જ નથી. પણ સાથે તેઓ એવું પણ કહે છે કે, જે લોકો ભગવાનમાં માને છે તેમની સામે તેમને કોઈ વાંધો પણ નથી. ઉદાહરણ ટાંકતાં ધનસુખભાઈ કહે છે કે, તેઓ પાંચ ભાઈ–બહેનોમાંથી માત્ર તેઓ જ ભગવાનમાં માનતા નથી. જ્યારે અન્ય ભાઈ-બહેનો માને છે. આ જ રીતે પુત્રના સાસરીપક્ષના સભ્યો પણ ભગવાનમાં માને છે, અને અમે સુખેથી એક બીજાને મળીએ છીએ. પરીવારોમાં તો બસ પ્રેમભાવ જળવાવો જોઈએ. પોતાની વાતને આગળ વધારતાં ધનસુખભાઈએ કહ્યું હતું કે, જો પુજા, પાઠ, હોમ, હવનથી કલ્યાણ થતું હોત તો આપણા દેશમાં સ્વર્ગ હોત. જે દેશમાં અસંખ્ય મન્દીર, મસ્જીદ કે દેરાસર હોય એવા દેશમાં ગરીબી ને ભુખમરો કેમ ? શું ભુકંપની દુર્ઘટના પહેલાં અમદાવાદ કે ભુજમાં કોઈએ વાસ્તુપુજન કર્યા વીના ગૃહપ્રવેશ કર્યો હશે ? શું કુંડળી મળી જાય પછી લગ્ન તુટતાં નથી ? આવા જ કેટલાક સામાન્ય સવાલો ભગવાનમાં માનનારાઓને પુછતા તેમણે કહ્યું હતું કે, મન્દીરમાં પણ પ્રસાદ, આરતીના ભાવ બોલાય, પૈસાદાર વધુ પૈસા ખરચી વધુ પુણ્ય ખરીદે છે ! તો શું ગરીબોને પુણ્ય નહીં મળે !

અહીં શરુઆતમાં જ ફીલ્મનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે તેમાં અમીતાભ બચ્ચન કહે છે કે, ‘ઈસ ભગવાન સે મેરી પુરાની દુશ્મની હૈ…’ આવુ જ ધનસુખભાઈ સાથે પણ બન્યું છે. ઉપરોક્ત તો ફીલ્મી સ્ટોરી છે પણ આપણા ધનસુખભાઈ ના જીવનમાં ખરેખર એવી થપાટ લાગી કે તેમનો ભગવાન પરનો વીશ્વાસ જ ઉઠી ગયો ! ધનસુખભાઈના શબ્દોમાં કહીએ તો તેઓ ભગવાનમાં માનતા હતા, અને ધાર્મીક માન્યતા મુજબ લગ્ન પણ કર્યાં હતાં. લગ્ન વખતે ગ્રહશાંતી સહીત તેમણે લગ્નની તમામ વીધી શાસ્ત્રોક્ત રીતે પુર્ણ કરી હતી. પરંતુ કોણ જાણે કેમ છ જ માસમાં તેમના લગ્નમાં ભંગાણ પડ્યું અને તેઓ પત્નીથી છુટા પડી ગયા હતા. બસ, ત્યારથી જ તેમનો ભગવાન પરથી વીશ્વાસ ઉઠી ગયો. કારણ કે તેમણે ભગવાનને સાક્ષી માનીને ગ્રહશાંતી સહીત તમામ વીધી કરીને લગ્ન કર્યાં હતાં. પરંતુ તેમ છતાં તેમને આ સમય જોવો પડ્યો હતો. આ સમય હતો વર્ષ 1975ની સાલનો. બસ 1975થી જ તેમણે ભગવાનમાં માનવાનું બન્ધ કરી દીધું છે, અને તે દીવસથી તેઓ મન્દીરમાં ગયા જ નથી ! એટલે 35 વર્ષથી તેમણે કોઈ ભગવાનની પુજા કરી નથી કે કોઈ મન્દીરમાં ભગવાનના દર્શન કર્યાં નથી !! આ કોઈ ફીલ્મી સ્ટોરી નથી પણ એક હકીકત છે. જો કે તે પછી ગણતરીના વર્ષમાં તેમના જીવનમાં નવો સુરજ ઉગ્યો અને તેમના વીણાબેન સાથે લગ્ન થઈ ગયા. જોતજોતામાં આ લગ્નને પણ આજે 30વર્ષ થઈ ગયાં, અને હાલમાં તેમને 29 વર્ષનો પુત્ર બીનુલ છે.

ધનસુખભાઈ કહે છે કે આજે છેલ્લાં 35 વર્ષથી તેઓ ભગવાનમાં માનતા નથી. પરંતુ હજુ સુધી તેમને કોઈ તકલીફ થઈ નથી. ઉલટાનું પહેલાં કરતાં હાલમાં તેમના દીવસો વધારે સારા છે. જીવનમાં એકદમ સુખ, ચેન અને શાંતી છે. આ પટેલ પરીવારમાં વીણાબહેન, પુત્ર બીનુલ તથા પુત્રવધુ મીત્ત્તલ પણ ધનસુખભાઈની નાતમાં જોડાઈ ગયાં છે. એટલે કે, તેઓ પણ ભગવાનમાં માનતાં નથી.

ભુતકાળ વાગોળતાં ધનસુખભાઈના પત્ની વીણાબહેન કહે છે કે, જ્યારે તેઓ લગ્ન કરીને આવ્યાં ત્યારે પોતે મંગળ-વારનો ઉપવાસ કરતાં હતાં. પરંતુ જ્યારે ધનસુખભાઈને ખબર પડી કે, પત્ની વીણાએ ભગવાનનો ઉપવાસ રાખ્યો છે તો તેમણે ઉપવાસ તોડાવી નાંખ્યો અને કહ્યું કે, ‘ચીંતા ન કર હું તને ઘરમાંથી કાઢી નહીં મુકું.’ પછી જ્યારે વીણાબહેને ઘરમાં દીવો કરવાની શરુઆત કરી તો ધનસુખભાઈએ કહ્યું ‘દીવામાં ઘીનો બગાડ ન કર. ઘી પાવું હોય તો મને પા અથવા કોઈ ગરીબને આપ કે જેથી તેનું પેટ ભરાય.’ બસ, પછી તો વીણાબહેને પણ પતીના વીચારો આત્મસાત લીધા અને ભગવાન શું છે તે તેઓ પણ ભુલી ગયાં. ધનસુખભાઈની જેમ તેમનો પુત્ર પણ ભગવાનમાં જરાય માનતો નથી.

પરીવાર સાથે બેઠાં-બેઠાં વાતચીતમાં બીનુલે કહ્યું હતું કે, ‘મારી 29 વર્ષની ઉમ્મરમાં સુધી હું ક્યારેય મન્દીરમાં ગયો નથી. પણ જ્યારે કોઈ મીત્ર બળજબરીથી મન્દીરમાં લઈ જાય તો હું ભગવાનની મુર્તીથી વીરુદ્ધ જઈને ઉભો રહું છું.’ પોતે હજુ સુધી કયારેય ભગવાનને પગે ન લાગ્યો હોવાનું જણાવતાં તેણે કહ્યું હતું કે, ‘મને કોઈ નાસ્તીક કહે ત્યારે કંઈક અલગ પ્રકારનો જ આનંદ મને થાય છે !’ પુત્ર બીનુલની વાતમાં સુર પુરાવતા ધનસુખભાઈએ કહ્યું હતું કે, ‘અમે તો તેનું નામ પણ કોઈ પણ પ્રકારની રાશી કે તીથી જોયા વીના જ રાખ્યું છે. એટલું જ નહીં લગ્નમાં કે તે પછી અન્ય કોઈ વીધી કરી નથી. તેમ છતાં આજે બીનુલના લગ્ન જીવનને સાત વર્ષ પુર્ણ થઈ ગયાં છે, અને તેઓ સૌ કોઈ સુખેથી રહે છે. તો હવે, બોલો ક્યાં જરુર છે ભગવાનની.. !?

જન્મની સાથે જ મૃત્યુ તરફની ગતી શરુ થાય છે, પછી જન્મ દીવસની ઉજવણી શા માટે ?

પોતે નાસ્તીક હોવાની વાતનો સ્વીકાર કરતા ધનસુખભાઈ અને તેમના પરીવારના સભ્યો શુભ-અશુભ કે અમાસ-પુનમમાં પણ માનતા નથી. નવા વાહનની ખરીદી કરવાની હોય કે ઘરમાં કુમ્ભઘડો મુકવાનો હોય, કોઈ પણ કાર્ય કરવા માટે મુહુર્ત જોયા વીના જ કામ કરી નાંખવું અને જો કોઈ કહે કે આમ ન થાય તો તે પહેલાં કરવું !

એક ઉદાહરણ ટાંકતાં ધનસુખભાઈનાં પત્ની વીણાબહેને કહ્યું હતું કે, ‘પહેલાં તેઓ ઉધના વીસ્તારમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. જ્યાં પરીવારના સભ્યોની જીદના કારણે તેમણે ત્યાં કુમ્ભઘડો મુકવા જવું પડ્યું હતું. જો કે આ કુમ્ભઘડો તેમણે અમાસના દીવસે મુક્યો હતો. એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે, કુમ્ભઘડો મુકતી વખતે ખીચડી ન બનાવાય. તો તેમણે તે દીવસે તે જ ઘરમાં ખીચડી પણ બનાવીને ખાધી હતી. પરંતુ તે પછી આજ સુધી તેમને કશું નુકસાન થયું નથી. ઉલટાનું તેઓ હવે સુરતના ઘોડદોડ રોડ જેવા પોશ વીસ્તારમાં રહે છે. પતીની નાતમાં ભળી ગયેલાં વીણાબહેન કહે છે કે સામાન્ય રીતે શીતળા સાતમના દીવસે ચુલો સળગાવાનો હોતો નથી, અને ગૃહીણી ચુલાને હાથ પણ નથી લગાવતી ! પરંતુ તેમના ઘરમાં શીતળા સાતમના દીવસે ખાસ ભોજન બને છે અને તે દીવસે તેઓ જાતે જ સ્નાન માટેનું પાણી ચુલા પર જ ગરમ કરે છે. આ જ રીતે ધનસુખભાઈ અને તેમનો પુત્ર બીનુલ કહે છે કે, અમારે કોઈ પણ કાર્ય માટે તીથી–તારીખ–મુહુર્ત જોવાં પડતાં નથી. એટલું જ નહીં તેમણે પોતાનાં વાહનો પણ કમુરતામાં ખરીદ્યાં છે. જો કે હજુ સુધી તેમની સાથે કોઈ ઘટના કે દુર્ઘટના બની નથી. તેઓ જન્મ દીવસ મનાવવામાં પણ માનતા નથી. માટે 29 વર્ષની ઉમ્મરે પહોંચેલા બીનુલનો જન્મ દીવસ કદી મનાવ્યો નથી. તેમનું એવું માનવું છે કે માણસ જન્મે એટલે તરત જ તેની મૃત્યુ તરફની ગતી શરુ થઈ જાય છે.

પોતે ભગવાનમાં માનતા ન હોઈ તેમને મીત્ર વર્તુળમાં મજાકનો ભોગ પણ બનવું પડે છે. જો કે આ વાતને પણ હસતાં હસતાં એન્જોય કરતાં હોવાનું જણાવતાં બીનુલે કહ્યું કે, તેનાં લગ્નમાં મીત્રોએ જાણી જોઈને તેને શ્રીગણેશની મુર્તી ભેટમાં આપી હતી અને તેમને મીત્રોના માનમાં આ ભગવાનની મુર્તીનો સહર્ષ સ્વીકાર પણ કરી લીધો હતો. જે આજે પણ તેમની પાસે એક મીત્રની ભેટ તરીકે છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ પટેલ પરીવારના સભ્યોએ દેશનાં અનેક તીર્થ સ્થળોની મુલાકાત લીધી છે; પણ ત્યાં તેઓ મન્દીરમાં જતા જ નથી. ધનસુખભાઈના જ શબ્દોમાં કહીએ તો તેમણે ચારેય ધામ સહીત ગંગોત્રી, યમુના, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકા, શીરડી, અમ્બાજી, રામેશ્વરમ્, મદુરાઈ, કન્યાકુમારી વગેરે ધાર્મીક સ્થળોની મુલાકાત જરુર લીધી છે. પણ અહીં અચરજ પમાડે તેવી વાત એ છે કે તેઓ આ ધામોમાં પણ ક્યારેય મન્દીરમાં ગયા નથી. બસ, ત્યાંના વાતાવરણની મજા લેવા સાથે તેઓ ફરવાની મોજ માણે છે, અને ફરીને સલામત પરત ઘરે આવી જાય છે.

અશ્વીન જોગડીયા (પત્રકાર)

emailashwin_jogadiya@yahoo.com/

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા.25 ડીસેમ્બર, 2009ની ‘સીટી પલ્સ’ પુર્તીમાંથી લેખક અને ‘ગુજરાત મીત્ર’ ના સૌજન્યથી સાભાર…

* * * * *

* * * દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

* * * * * આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. જો તમે મને govindmaru@yahoo.co.in/ પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી 6 January 2010

31 Comments

  1. ધનસુખભાઈને ધન્યવાદ કે તેમણે તેવી ઘણી બાબતો શોધી કાઢી છે કે જેની સાથે ભગવાનને કશોજ સબંધ નથી. ઉટપટાંગ ક્રિયાઓ અને માન્યતાઓને આધારે ભગવાન સુધી પહોંચી શકાય તે વાતમાં કોઈ તથ્ય નથી અને આવું જ્ઞાન પ્રાપ્ત કરી એને પછી જાળવી રાખવા બદલ શ્રી ધનસુખભાઈને ધન્યવાદ.

    વેદાંતના મત પ્રમાણે મહતત્ત્વ અથવા તો મુળપ્રકૃતિ માયામાં પડતા ચૈતન્યને “તત” એટલે કે ઈશ્વર કહે છે. અને અવિદ્યામાં પડતા ચૈતન્યના પ્રતિબિંબને “ત્વમ” એટલે કે જીવ કહે છે. આ બંને વચ્ચે ફરક એટલો જ છે કે માયામાં પડતા ચૈતન્યના પ્રતિબિંબ ઈશ્વરે આ માયાને એટલે કે સમસ્ત પ્રકૃતિને પોતાને વશ કરી રાખી છે અને વળી તે સમગ્ર પ્રકૃતિને સારી રીતે જાણે છે એટલે તે સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન ગણાય છે. પણ અવિદ્યામાં પડતા ચૈતન્યના અનેક પ્રતિબિંબ એટલે કે આપણે જીવો એ જ ચૈતન્યમય હોવા છતાં પ્રકૃતિને વશ થઈ ગયા છીએ અને વળી આપણું જ્ઞાબ ઘણું અલ્પ છે. બસ આટલો જ ભેદ છે ઈશ્વર અને જીવની વચ્ચે. હવે જો કોઈ આ પ્રકૃતિને વશ થવાને બદલે પ્રકૃતિને પોતાને વશ કરી શકે અને પોતાને ચૈતન્યમય અનુભવી શકે તો તેની અને ઈશ્વરની વચ્ચે સ્વરૂપથી કોઈ ભેદ રહેતો નથી સિવાય કે ઈશ્વર જે સૃષ્ટિની રચના, પાલન અને સંહારનું કાર્ય કરે છે તે કરવાને તે શક્તિમાન નથી બાકી જીવના બધા જ સ્વરુપ લક્ષણો ઈશ્વર જેવા જ એટલે કે સત, ચિત્ત અને આનંદમય જ છે.

    Like

  2. bhagwan to darek na sharir na aatma ma hoy che
    parantu koine te jowani fursad nathi ane bahar dware dware bhatke che,,,,tamaro lekh bhuj gamyo…..
    Ch@ndr@

    Like

  3. The belief of God was created by human being because of ignorance & fear. There is no God for fire,rain & wind. These are all natrural foces. There is no such thing like God but there is always Godliness and Bhagvadata in nature. We do all these rituals because of ignorance & fear. Gauatam Buddha explained about these fear & ignorance 2500 years but it was driven out of India by so called brahmins because they got feared to lose their business. Today, all rituals are done by priests just like business. There is no honesty in it.

    I apprecite Dhansukhbhai’s courage.

    Thanks for this article.

    Pradeep H. Desai
    Indianaplois,In,USA

    Liked by 1 person

  4. shradhdh and andhshradhdha ni samaj kone chhe?
    we should respect each others belief and only advice when asked for !!!

    Like

  5. I like your topics and frank discussions very much . It would be helpful to other friends if our published write-ups are given accomodaion in your site. The cyber cafe where I go does not have that software so I am not able to express my thoughts in Gujarati and so I miss on that score. Would it be possible for you to display these writeups on your site ? If so I shall despatch the matter to you.

    My writeups are published frequently in local paper ” Gujaratmitra “. This is for your information only, Sir. Wish you all the best.

    Like

  6. Dhansukhbhai & family,
    Tamaro lekh Bhagwan kyaa che vanchyo, tamri nikhalasta mate man thay che. Jivan ma utar chadhav aavtaj hoy che ema tame tamara udaharan aapya etle swabhavik chetamne ishawar ni hasti ke ena vishe je paan kai lkhay tyre aaniche vyakta thay tamara vichaaro ne maan aapuchu paaan mari dalil jara judi che, tamne potane kharo anubhav thayo em badhaj garibo ke dukhi ane bimar manso aa dalil kari shake.
    samaj na daar thi, kyarek vadhu amangal na thay eva bhay thi ane mote bhage gaadario pravah ma ghasadai ne paan shardha che em purvaar kaarvani koshish kare.
    mari dalil e che ke eva ghana vyakti o che mara circle ma je fakta ishwar ni bhakti nahii paan shardhha paan etlij rakhe che ane 15 vaash pahela je kashuj na hata emni paase Aarthik sadhaarta, sukhi parivaar parivaar, ane samaj ma sari kirti tatha yaash pan che. ane andhshardha kahevy ke kem e vichaar darek vyakti aa banne paristhi o ne kevi rite tole che ena uppar abhipray aapi shakay. maf karjo……

    Like

  7. ધનસુખભાઈ અને તેનો પરિવાર ધન્યવાદને પાત્ર છે ! હું પણ લગભગ તમામ યાત્રાના અને કહેવાતા ધાર્મિક સ્થળોએ એક કરતાં વધારે વખત ગયો છું અને મારી પહેલી મુલાકાત વખતે કુતૂહલ વશ થઈ મંદિરમાં પણ ગયો છું ત્યારબાદની કોઈ મુલાકાત સમયે ફરીથી મંદિરમાં જતો નથી. હું બહુ દ્ર્ઢ રીતે માનું છું કે મંદિરમાં ઈશ્વર હોઈ જ ના શકે ! આમેય એક વાત તો સ્પષ્ટ છે કે ઈશ્વર હોવાનો કોઈ પુરાવો મળતો નથી. વાસ્તવમાં તો માનવીમાં રહેલી દુષ્ટ વૃતિઓને અંકુશમાં રાખવા ભગવાન જેવી કાલ્પનીક વાત ઉપજાવી કાઢી ડરાવવા/ભય પમાડવામાં આવે છે. એક વાત એ પણ સાચી જ છે કે જો 32 કરોડ દેવતા આપણાં દેશમાં વસતા હોય તો આ દેશ ગરીબ ના હોત ઉપરાંત લોકો નિખાલસ-પ્રમાણિક્-ચારિત્ર્યવાનં વગેરે સર્વે સદગુણો ધરાવતા હોત ! વાત વાતમાં બોલાતું ઈશ્વરનું નામ તો એક યાંત્રિક ક્રિયા બની ચુકી છે કે જેથી સમાજ આવા લોકોને ધાર્મિક સમજે અને આ લોકો તમામ સાચુ-ખોટું કર્યા કરે ! આ દેશને જો કોઈએ પણ ભિખારી બનાવ્યો હોય તો માત્ર અને માત્ર કહેવાતા સાધ્-સંતો-બાવાઓગુરૂઓ વગેરે ને જવાબદાર ગણવા જોઈએ ! હું પણ કોઈ ગ્રહ્-કુંડળી વગેરે મેળવવામાં માનતો નથી કોઈ શુકન-અપશુકન-બાધા-આખડી વગેરેમાં પણ માનતો નથી. મૃત્યુ પાછળ કરવામાં આવતી કોઈ શ્રાધ્ધની ક્રિયાઓ પણ મેં ક્યારેય કરી નથી. મારી પુત્રીના લગ્ન પણ કોઈ ધાર્મિક વિધિ કર્યા સીવાય કર્યા છે અને બધા જ ખુબજ સુખી છે. આ વિષય ઉપર મારાં બ્લોગ ઉપર 2-3 લેખો વિગત સાથે મૂકેલા છે જેમને પણ રસ હોઈ તે મારાં બ્લોગની મુલાકાત લઈ વાંચી મને પ્રતિભાવ જણાવશે તો અને આનંદ થશે. મારાં બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
    ચાલો આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  8. જ્યારે માનવીને પ્રાકૃતિક અવસ્થામાં વાવાઝોડુ, અતિશય વરસાદ, વીજળી વગેરે જેવી બાબતોનો ભય લાગ્યો હશે, ત્યારે તેણે ઇશ્વરનો આવિષ્‍કાર કર્યો હશે.

    એક શક્યતા તરીકે માની લેવામાં આવે કે, ભગવાનમાં ન માનવું એ અંધશ્રધ્ધાથી પર થવાનું છે. પણ બીજી રીતે જોતાં ભગવાનમાં માનવું, તે એક બાબતને પકડી લેવાની વાત છે. તો બીજી બાજુ, ભગવાનમાં નહી માનુ, એ પણ પકડી લેવાની જ એક બાબત થઇ.

    આમ કોઇક બાબતના આશ્રયમાં તો આવી જ જવાય છે. સામાન્‍યપણે આપણને ‘ ગમે છે, અથવા તો નથી ગમતુ ’ ‘સારુ લાગે છે અથવા સારુ નથી લાગતુ ’ બસ એ બેની વચ્ચે જ આપણે રખડ્યા અને ભટક્યા કરતો હોઇએ છીએ. જેને દ્વૈતની માયા, એમ પણ કહેવાય છે. જ્યારે એ બધાથી થાકી જાય ત્‍યારે કોઇકનો આધાર લઇ લે છે. અને તે છે ઇશ્વર.

    ધનસુખભાઇની વાત જોઇએ તો, તેમની જે કંઇ વિચારધારા તેમના સંજોગો પ્રમાણે ઘડાઇ ગઇ હોય અને તેઓ તો જે તે માન્યતા ધરાવતા થયા હોય તો તેવી માન્યતા ધરાવવાનો તેમનો પોતાનો અંગત અને મુક્ત અધિકાર છે. તે બાબતને સ-પ્રેમ સ્વીકારવામાં આવવી જોઇએ.

    પરંતુ ભગવાનની જરૂર જ નથી, તેને એક નિયમ તરીકે સ્વીકારી શકાય કે કેમં તે બહુ વિચારણા માંગી લે તેવી બાબત છે. માત્ર ધનસુખભાઇના ઉદાહરણથી તે બાબત એક સિધ્ધાંત તરીકે સ્વીકારી શકાય નહી..

    ભૌતિક વિજ્ઞાનના નોબેલ પારિતોષિક વિજેતાએ ( કે જેઓ હેન્‍ડીકેપ્‍ડ છે અને વ્હીલ ચેરમાં બેસીને તેમનું પ્રવચન કરે છે- નામ યાદ નથી.) તેમણે એવો સ્વીકાર કર્યો છે કે આ બધી શક્તિને દોરવણી આપનાર કોઇ શક્તિ છે જે બહુ ચોક્કસ રીતે કામગીરી કરે છે. એવું કહીને ઇશ્વરની સત્તા મર્યાદાનો સ્વીકાર કરેલો છે. આવા પ્રખર જ્ઞાની બુધ્ધિશાળી વ્યક્તિઓ પણ જો ઇશ્વરની સત્તાનો સ્વીકાર કરતા હોય તો, બાકી બધા સ્વીકારી લે તેમાં ય કશુ ય ખોટુ નથી. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, જ્યોર્જ બર્નાડ શો, અને એવા તો અનેક વીરપુરૂષો ભગવાનમાં માને છે. ત્યારે ભગવાનની સત્તા સ્વીકારવામાં કોઇ વાંધો હોવો જોઇએ નહી.

    Like

  9. કર્મકાંડ અને એજ ભગવાનની માન્યતા જ ખોટી છે.

    તમારા સત્કાર્યોજ તમારા સાથી છે અને પૂર્વ જન્મના

    પૂણ્ય પણ તમે જરુર ભોગવો છો.

    તમારા જીવનમાં સૂક્ષ્મ બેક્ટેરીઆથી માંડી,પરાગ નયન

    દ્વારા તમારા માટે ખોરાક તૈયાર કરનાર અનેક

    સજીવોના તમે ૠણી છો.સૂર્ય શક્તિ અને પ્રકૄતિના

    આધાર પર જ જીદગી છે અને આવડા મોટા તંત્રને

    જે કોઈ સંચાલન કરેછે તે દૈવી શક્તિ ને ભગવાન

    કહેવૂં ,એ વિચારશીલ માનવ જાતનું મહા મંથન છે.

    આ ભાવ જગતની વસ્તુ છે,સ્થૂળ વાતોનું વિષ્લેશણ

    એ ફક્ત તર્ક શાસ્ત્ર છે.

    શ્રી અતુલભાઈ પાસેથી સુંદર પ્રકાશ મળી શકે.

    સૌને પોતાની માન્યતા માટે મુબારક અને સારા

    કર્મો દ્વારા સુખ મેળવે એવી શુભેચ્છા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. Sri Rameshbhai

      Sri Atulbhai Jani na Nam upar click kartan,

      Prbhutvani As-Pas Gutheli Tmari Dase Das
      ( Sept thi Nov. sudhi ni ) Kavy-Rachana Vachi “ANAND ” Anubhayo.

      Aevoj ” ANAND ” Sri Sunilbhai Shah ni Gazlo Vanchi Anubhavyo.

      Like

  10. શ્રીમાન,
    ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.”ધોરાજીમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ” વાળા લેખ માં લખેલ છે.કોઈ ગધેડા ને બ્રેન મળે ને ભગવાન ની કલ્પના કરે તો જરા સાઈજ માં મોટા ગધેડા ની કલ્પના કરી લે.કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય.પી.યુ.ઠક્કર સાહેબ જે વૈજ્ઞાનિક ની વાત કરે છે,એ સ્ટીવન હોકિન્સ છે,કેમ્બ્રિજ માં ન્યુટન જે કેબીન માં બેસતો હતો ત્યાં જ બેસે છે.બિંગ બેંગ અને ટાઈમ,સ્પેસ વિગેરેનો માસ્ટર છે.બોલી પણ શકતો નથી.એના બદલે કોમ્પુટર બોલે છે.કોઈ ભગવાન માણસ નુ રૂપ લઇ ઉપર બેઠો બેઠો મેનેજમેન્ટ કરતો હોય એવું લોકોને લાગી રહ્યું છે.તે તદ્દન ખોટું જ છે.

    Like

  11. કોણ આ ધનસુખભાઈ? ભગવાનને ન માનવા ઉપરાંત એમણે જીવનમાં એમણે એવું શું કર્યું છે કે જેને લીધે એમના વિચારો પર આટલો વિચાર થાય?

    પણ ઘણા એવા હતાં જેમણે જીવનમાં, ભગવાનને માનવા ઉપરાંત, ઘણુંબધું કર્યું અને પાછા એમ પણ કહી ગયા કે ભગવાન છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે વગેરે વગેરે વગેરે. એમને છોડીને તમે ધનસુખભાઈના લેખ લખો છો?

    તમને નાસ્તિકો અંગે જ લખવું હોય તો ચાર્વાક મુનિ, બુદ્ધ કે આચાર્ય નાગાર્જુન વિશે લખો (by the way, બુદ્ધ નાસ્તિક હતા). નજીકના ભૂતકાળમાં જાઓ તો જે.કૄષ્ણમુર્તિ, યુ.જી.કૃષ્ણમુર્તિ કે બાબાસાહેબ આંબેડકર વિશે લખો યાર! કમ સે કમ એમની પાસે નાસ્તિકતાના સમર્થનમાં બુદ્ધિને હચમચાવી દે એવા તર્ક તો છે. ધનસુખભાઈ? અરે, અરે!!!

    Like

    1. Bhai Sri Hemant

      Aa Lekh Upar Tamara Pratibhav Mate,
      Rastra Dvajne Je Khumarithi Salami Aapu chhun,
      Atlij Khumarithi Tamne Salam Karu chhun. yar

      Aa Lekh Mate Ane Ghana mitrone Teosrina Pratibhavo Same, Javab Aapva chhe. Pan Yar
      Roman Lipiman Javab Aapvani Maza Nathi Avti !

      Like

  12. આપે એકદમ સાચી અને સમાજ ને વિચારવા માટે સત્ય કાટ કહી છે.સમાજ માં દરેકે વાત સમજવાની જરૂર છે
    આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક
    http://rupen007.wordpress.com/
    http://rupen007.blogspot.com/
    http://www.facebook.com/rupen007?ref=nf

    Like

  13. આત્મા, પરમાત્મા, પુર્વ જન્મ કે હવે પછીનો પુનઃ જન્મ, કર્મ અને મોક્ષ આ બધું ભારતના ઠગ લોકોએ બ્રાહ્મણ પાસેથી બકરો કે બકરી જુટવી લેવાની કરેલ ક્રીયા છે. એટલું જ નહીં આત્માના કલ્યાણ માટે બાંધવામાં આવેલ દરેક મંદીર જુઠાણાની સાક્ષી છે.

    ગુજરાતના સોમનાથ મંદીરને હું કલંક માનું છું એના નીર્માણમાં વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને કનૈયાલાલ મુનશીએ કાર્યવાહી કરેલ છે એટલે સમગ્ર માનવજાતનું એ કલંક સમજવું. બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવેલ એના પછી લીબરહાન પંચે જે અહેવાલ આપેલ છે એમાં પણ સોમનાથ મંદીરનો ઉલ્લેખ છે.

    કાલ્પનીક રામ અને કૃષ્ણનો ઈતીહાસ તો જે હોય તે પણ મહાવીર અને બુદ્ધ વીશે તો ઘણું તથ્ય જાણી શકાય એમ છે. બૌદ્ધ ધર્મમાં આત્મા, કર્મ વીશે વીરોધ હોવાથી એનો ભારતમાથી છેદ નીકળી ગયો. હાલત તો જૈન ધર્મની પણ એ જ હતી. જૈન સાધુઓએ એના માટે કર્મનો સીદ્ધાંત અને આત્મ તત્વ કે તુત ધર્મમાં દાખલ કરી હીન્દુઓની બધીજ નકલ કરી અને મુર્તી પુજા દાખલ કરી હીન્દુઓને પણ ફરજ પાડી.

    આ સોમનાથ મંદીરનો નાશ કરનાર, કતલ ચલાવનાર અને લુંટનાર મુહમદ્દ ગજનવીને આમંત્રણ આપવા મારા, તમારા કે આપણાં કોઈક પુર્વજ હતા એ ચોક્કસ છે. કારણ ખબર છે? આ મુર્તી પુજાનો ઈતીહાસ ખરેખર રસપ્રદ છે.

    Like

  14. આટલું લાંબુ પહોળુ લખ્યા કરતાં એક કાગળ લો વ્ચ્ચેથી વાળી ડાબી બાજુ લખો-
    ભગવાન છે, અને જમ્ણી તરફ લખો–ભગવાન નથી. અને વાંચનારને કહો ગમે તે
    એક તરફ જ કારણો લખો કે કેમ માનો છો અને કેમ નથી માનતા.
    મુન્ડે મુન્ડે મતુર્ભિના….
    વાંચો મારા કાવ્યો
    @http:// himanshupatel555.wordpress.com
    અને અનુવાદ
    @http://himanshu52.wordpress.com
    thank u

    Like

  15. God is within yourself, recognize yourself and enjoy each and every moment of life without hurting anybody. All “dharmagurus” are misleading our life.

    Like

    1. Hello Nirav,

      I appreciate you , As you said, God is withing ourselves, how ever i fully disagree, with what you said. that all dharmagurus are misleading our life. Its nonsense… Its upto you and me to get leaded by someone or misleaded. we should be matured enough to know and understand what someone is saying. I am sorry friend. but then, this is what i felt. you or me cannot point out anyone or someone who is doing anything. may be your experience with the dharmagurus might not be good. but still, The matter is of commonsense. whether we want to do or not. is purely our choice.

      Like

  16. Sri GOVIND – bhai

    Lekh Ane sau mitrona Prativo vacnhi Khub Anand ‘ THAYO ‘.

    Lekhma 33 Vakhat Nam Aavyan, Astik-Nastik Mitro na Prtibhavoma 34 Vakhat Aavyan.( Nafaman Bhai-Sri GOVIND Nam Malelu j chhe ) Aa parthi Mane Khatri chhej Jeao Nathi Aem kahe chhe, To Yar… Tamara “MANAS” -( Bheja ) Ma Aa Nam Aavyun Kyanthi ? Irada Purvak – Bhulthi Lakhay kevi rite gayun ?

    Aek Vakya Hridyne Parsi gayu. “Janm ni Bhiji j Xane Mrutyu ni Sharuat ( Janmva nu Bandh Thay Tyan Sudhi )( Mahrshi Sree Arvind Ni ‘ Passge Of Death ‘ & ‘ Life Divine ‘Male to Vanchava VINANTI.

    Uparwalo Chhe ke Nathi ? Ae Lamnazik Hamna Chhodi, Pachhi Gotava Niklisun.

    Ae Pahelan Apane Badha Pot-Potane Gotiae, Khatri chhe ? ke Apne Nathi khovaya ? To Chlo Bachapan na, Ful-Fatak Colej Jivan na Apana Je pan Hiro (Baheno mate) Hiroin ni Stail ma Fhota Padavya hoy Te Hathman Rakhi Purna Kad na Arisa Same Ubha Rahiae. Arisama – Fhotaoma, Arisama – Fhotao ma,

    Yar… Tamaru Tame Jano Pan Mane Puri Khatri chhe Mara hathma na Fotao Valana AGNISANSKAR Nathi j Karya. Pan Gaya Kyan !!! Je divase HUN Mane Mali Jase, Pachhi, Uparvalo chhe… J, Goti Btavis. hamna HUN ne Gotvama Padyo chhun. Mitro Aa Rahashy Chhe.

    Pagalpan Chhe Maru, Nibhavi Lejo Yar.

    Sri Arvindbhai
    Bharat ma 32 Karod Devi-Devtano no Vas Chhe, Jo
    Hun Bhulto na houn to Mara Navma Dhoran na Shixak Sri Janak Dave Sahebe, Swami Vivekanandji Ae ( 125 Vars Pahelan ) Bharat na Nagrikoma Devi-devta ne Joya Hata Aevu Samjavyu Hatun. Aaje 110 Karod Chhe.

    Hun Manu chhu ae Badhama Aatma chhe J PARMATMA banvu Darek na potana Aatmani Ichchha ni Babat chhe.

    Sadhu-Santo Babat Darek na Potana Vicharo chhe Maro Potano Vichar Kahun aekad Karod thi Thodak Vadhare Hoy Ane Khare Khar( 109-110 Karod ) Desh ne Bhikhari Banavi Shake to Salam j Karvi Rahi Amara Gamdaoma Rotlo-Aotlo (Sanje) Aapvana Sanskar chhe, Jo koi Fanda Baji Kare to Atlo Sars Methi-Pak Khavdave Biji Var Gamni Disha Bhuli Jay.

    Chalo yar Varta To Varta, Sri Krushna Govaliao Hata,Aemnama Aatma Hato,Aemna Atmane ne PARMATMA Banvu Hatu Aem Kartan Kartan Samay Jatan PURNA PURUSH Bani ne j Rahya. Ane Juao
    39 % (tyare Fakta Sanatni j Hata ) Mannara Hata aaje je, Sanatanio chhe Aemathi Aekad % ne Bad kari
    Badha J Pase Hun ( Sri Krisha ) Chhu Ae Kabul Karave Vali Puja Pan Karave J Vadharama Jyan Jyan Sanatanioae Pahochya Tyan Tyan.

    SOMNATH MANDIR !!!

    Bija na Je Pan Abhipray Hoi, Hun Maro Abhipry Lakhun , SOMNATH MANDIR Gujarat Ane Gujarationu ATMA- GAURAV To chhe J Ae Sathe Bhartni AEKTA nu PRATIK Chhe. Bhartna Gaznio Tode 19 mi var Aej Jussathi Bandhishu.

    Sree Munsi, Sree Sardar Vallbhbhai Ane MAHATMA gandhi,

    Aa Marshio- Mahanubhavo Same Hun Mane Shudra-Machchhr Jevo Dekhavn chhun. Yar Hun Gun-Gun karu to Tamne Kharab Lage.

    Sahitya, Aekta Ane Dharelun Bolelu Karibatavavani A Mahanubhavoma Je BUDHDHI – Shakti Hati Aemathi Aekad babat – Jevi ke A Javab Aapav Sarkhun Lakhvani .00000000001% Pan Kelvu To Hun ne Mane Olkhavama Jrak Prgati Jarur Thay.

    BHAGVAN BUDhDH
    Aa Ae j Sanatani Nagriko chhe Jeao Ae Budhdhne
    9 mo Avtar Swikarya chhe. Pan NASTIK ( nathi-Nathi ) Nakartmak Vicharono A-Swikar karyo.
    Ae Lokoni Ichchha.

    Patel Popatbhai

    Like

  17. દરેક ના પોત પોતાના વિચારો છે.પણ આ લેખ વાચી ને મને એક લખવાનું ભાથું મળ્યું.જે મારા બ્લોગ માં મુક્યો છે.બુદ્ધ અને નાગાર્જુન સમજણ પૂર્વક ના નાસ્તિક હતા.શ્રી પોપટભાઈ ગુગલ ઈન્ડીક ટ્રાન્સલીટરેશન માં જઈ,ટાઈપ હિન્દી પર ક્લિક કરી એમાં ગુજરાતી સિલેક્ટ કરી લખી શકાય છે.બહુ સિમ્પલ છે.

    Like

  18. chalo mani laie k bhagwan jevun kain nathi, uper koike lakhyun chhe bhagwan jevi koi vyakti j nathi !!,, pan uper bija ek bhai e lakhyun chhe k bhagwan bhale na hoy, shrushti man badhe godliness, bhagvadta chhe j. ketlu sachu ne kevu saras vakya!. bhagvan vagar bhagvadta kyan thi aavi ? fakt ane fakt mandir man ke murti man bhagwan ne shodhva thi te malto hashe? kriya kand, puja, havan thi bhagvan prapt thato hashe ? koi kaale nahi.
    ek vaat shrimad bhaagvat na parayan vishe vancheli te yaad aave chhe. ek raja e ek brahmanne bhaagvat nu parayan potani samaksh karvanu kahyun ane das hajar sona mahor dakshina ma aapvanu vachan aapyun. brahmane potani rate parayan puru karyun , raja e kahyun k tame barabar parayan nathi karyun, fari thi karo to daxina malshe, brahmane paki tayyari karine pachhu parayan karyun, raja e fari thi ej jawab apyo, aavu 8-10 vakhat thayu pachhi brahman ni aankh ughdi, bhaagavat parayan no hetu bhawadprapti hovo joie tene badle hun dhanprapti mate aa majoori karun chuun ? te raja no abhaar mani daxina lidha vagar gayo ne ………..
    tatparya— bhagwan ne sadhya ganvane badle aapne sadhan ganiye chhie.
    bhagwan prapt karva meerabai ni jem zer piva ni himmat hoy to kadach e male pan kharo !
    maro ek nano anubhav kahun– mara guruji na swasthya mate hun roj ek mala gayatri ni kari emne arpan karto, men koine eni jaan kari nhoti, guruji ne pan nahi. biji vaar guruji ne malyo tyare emne saame thi kahyun, kirit ti roj ek mala kare chhe te mane male chhe, e kram chalu rakhje.e mara thi 200 km dur rehta hata ne amari vachche telephone ke koi patra vyavhar nhota.
    hun bhagwan k bhagvadta ma manvani kevi rite naa padun?

    Like

  19. ગોવિંદભાઇ

    આજે તમારા બ્લોગ પર આવ્યો.

    આનંદ પણ થયો અને આશ્ચર્ય પણ.

    ધનસુખભાઇનો પરિવાર નાસ્તિક છે. વાત બરોબર પણ ઇશ્વર નથી એ વાત જરા અટપટી લાગે છે.
    હું પણ ક્યારેય મંદિરમાં નથી જતો. મંદિરમાં જવાથી જો ઇશ્વર મળતો હોત તો સૌથી પહેલા એ પુજારી ને મળત. મેં મારી ૨૭ વર્ષની જીંદગી માં ક્યારેય સાંભળ્યુ નથી કે કોઇ પુજારી ને ભગવાન મળ્યો હોય.

    મેં ક્યારેય પવનને નથી જોયો પણ તે છે. મેં ક્યારેય ગરમી કે ઠંડીને જોયા નથી પણ તે છે.
    સમય ને પણ નથી જોયો પણ તે છે. નથી મે ભુતકાળ ને જોયો કે નથી ભવિષ્યકાળ ને જોયો પણ તે છે.
    આંખો બંધ કરી દેવાથી સૂરજ દેખાતો નથી એમ કહી શકાય પણ તેની હયાતી ને નકારી ન શકાય.
    ઘૂવડ રાત્રે જાગે છે અને દિવસે ઊંઘે છે. એટલે એમ માની લે છે કે સુરજ જેવું કંઇ છે જ નહી.

    ધનસુખભાઇના પરિવાર મુજબ બધુજ યંત્રવત ચાલે છે ઇશ્વર જેવું કંઇ છે જ નહી. પણ ધનસુખભાઇ એ વાત ભુલી જાય છે. કે કોઇ પણ યંત્ર આપ મેળે નથી બની જતું. એને બનાવનાર અને ચલાવનાર કોઇ તો હોય છે. અને આ બનાવનાર અને ચલાવનાર તે જ આ ઇશ્વર.

    એક નાનકડી વાર્તા અહીં રજુ કરુ છુ.
    હું જ્યારે ૧૫ વર્ષનો હતો ત્યારે મારા પિતાજી એ મને સંભળાવેલી કોની છે એ યાદ નથી.

    ઘણા સમય પહેલાંની વાત છે.
    બે ગામ હતાં બન્ને ગામ વચ્ચે ૨૨ ગઉં નુ અંતર હતુ.
    એક ગામ હતું આસ્તિકોનું અને બીજું ગામ હતુ નાસ્તિકોનુ.
    આસ્તિકોનુ જે ગામ હતું તેઓ એમ માનતાં કે પ્રુથ્વીના કણે કણમાં ઇશ્વરનો વાસ છે.
    નાસ્તિકોનું જે ગામ હતું તેઓ એમ માનતાં કે આ પ્રુથ્વી પર ઇશ્વર જેવું કંઇ છે જ નહી
    હવે ગામ હોય ત્યાં નેતા તો હોય જ
    આસ્તિકોના ગામનો એક નેતા હતો તેને એમ લાગ્યું કે આપણું પાડોશી ગામ નાસ્તિક છે. તેઓ ઇશ્વરમાં નથી માનતા. એ લોકો નથી જાણતા કે તેઓ કેવા અજ્ઞાનમાં જીવે છે. તો હું એ ગામમાં જાંઉ અને તેમને સત્ય અને ઇશ્વરનું ભાન કરાવુ. અને તે ચાલી નિકળ્યો નાસ્તિકોના ગામમાં અજ્ઞાનતા ને દુર કરવા.
    આ બાજુ નાસ્તિકોના ગામમાં પણ એક નેતા હોય છે. તેને એમ લાગ્યુ કે આપણું પાડોશી ગામ આસ્તિક હોવાનો ડોળ કરે છે. સમગ્ર સંસારમાં ઇશ્વર કે ઇશ્વર જેવું કંઇ છે જ નહી. તેઓ અંધશ્રધ્ધામાં જીવી રહ્યા છે.
    તો હું એ ગામમાં જાઉં અને તેમની અંધશ્રધ્ધાને દૂર કરું. અને તે ચાલી નિકળ્યો આસ્તિકોના ગામમાં અંધશ્રધ્ધાને દુર કરવા.
    આસ્તિકોનો નેતા નાસ્તિકોના ગામમાં આવ્યો અને નાસ્તિકોનો નેતા આસ્તિકોના ગામમાં આવ્યો.
    ૩૦ દિવસ સુધી ચર્ચાઓ ચાલી. અને પરિણામ આવ્યુ.

    જે ગામ આસ્તિક હતું તે નાસ્તિક બની ગયુ અને જે ગામ નાસ્તિક હતું તે આસ્તિક બની ગયુ.

    હવે તમે જ કહો ગોવિંદભાઇ આસ્તિક અને નાસ્તિકની શું વ્યાખ્યા થઇ શકે ?

    visit my blog

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

    Like

  20. Kudarate aapel hava pani vagar nastikane pan nthi jivi sakatu etalama samaji jao to ghanu chhe!!!!!!!!!!!!!!!!

    Like

  21. ભગવાન
    સંસ્કૃત ભાષામાં એક ઘણં સુંદર અને જાણીતું વાકય છે, ચરાતિ ચરતો ભગઃ જેનો શબ્દાર્થ છે, ચાલતાનું નસીબ ચાલતું અને ભાવાર્થ છે પુરુષાર્થ કરે તે પામે ચર એટલે ચાલવું અને ભગ એટલે નસીબ, ભાગ્ય કે પારબ્ધ જે કહો તે. આ વાકય વાંચીને મને બીજા કેટલાક શબ્દો યાદ આવ્યાં. જેવા કે ધનવાન, ગુણવાન, રૂપવાન. આમ શાથી થયું ? કારણ ભગ ઉપરથી પણ એક ખૂબ જાણીતો શબ્દ બને છે. અને તે છે ભગવાન.આપણે સહુ જાણીએ છીએ કે ધનવાન એટલે ધનવાળો, ગુણવાન એટલે ગુણવાળો અને રૂપવાન એટલે રૂપવાળો તો પછી ભગવાન એટલે ભાગ્યવાળો કે નસીબવાળો એમ કહેવાય કે નહીં ? અને આ દુનિયામાં ભાગ્ય વગરનો કોઈ હોય ખરો ? કયાંતો સદ્ ભાગી હોય કે કયાંતો દુર્ભાગી હોય પણ દરેક વ્યકિત સાથે એનું ભાગ્ય સદા જોડાયેલું જ હોય છે. એનો અર્થ એ થયો કે આપણે બધા ભગવાન જ કહેવાઇએ. સાચું પુછો તો કેવળ મનુષ્ય જ નહીં પરંતુ પાણી માત્ર અને વનસ્પતિ તથા જડ વસ્તુઓ સુધ્ધાં પોતપોતાનું નસીબ લઇને જ આવે છે. જુઓને અમેરિકામાં કૂતરાંને છોકરાં કરતાં પણ વધારે લાડ મળે છે અને આપણે ત્યાં એ બિચારા હડધૂતથાય છે. આ એમના નસીબની જ વાત છે ને ? ઝાડપાન વિશે પણ એવું જ છે, કોઇ છોડને બગીચામાં સરસ માવજત મળે તો કોઇ છોડને ઊંટ બકરાં પીંખી ખાય છે.અને જડ વસ્તુ માટે તો આપણે સહુ જાણીએ જ છીએ કે હીરો રાજાને માથે ચઢી બેસે છે અને ધૂળ બધાના પગ તળે રગદોળાય છે અને લોખંડ કરતા સોનું બધાને વધુ પિય છે. ભજનની પેલી પંકિત યાદ કરો એક લોહા પૂજામે રાખત,એક ઘર બધિક પરો,પભુ મોરે અવગુન ચિત્ત ન ધરો આ દૃષ્ટિએ જોઇએ તો હું, તમે અને આ આખું જગત ભગવાન જ છે.તો પછી પાગલની જેમ અદૃષ્ટ ભગવાની શોધમાં સમય વિતાવવાની જરૂર ખરી? છતાં મનમાં એક પશ્ન જરૂર ઊભો થાય છે કે આપણે જેને ભગવાન માનીએ છીએ તેતો સર્વવ્યાપી સર્વશકિતમાન અને સર્વજ્ઞ કહેવાય છે.તો આમાનો એકે ગુણ આપણામાં છે ખરો ?
    હા છે. જરૂર છે. જો આપણે જગતમાં રહેલા બધા જ પાણી, બધી જ વનસ્પતિ તથા બધી જ જડ વસ્તુઓનો સામૂહિક દૃષ્ટિએ વિચાર કરીએ તો. આ બધા જ ગુણો આપણામાં પણ છે. અહીં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો આપણે આખા જગતને એક અવિભાજય એકમ તરીકે જોઇએ તો આપણે બધા જ તેના અંગ છીએ એમ કહેવાય.જે વાતનું જ્ઞાન મને નથી તેનું જ્ઞાન તમને કે કોઇ બીજી વ્યકિતને હશે.અને સહકારથી એ જ્ઞાન મને પણ કામમાં લાગશે. દા.ત. ટેલિવિઝન કે વિમાન કે ટેલિફોનનું જ્ઞાન મને ભલે ન હોય પણ મને તેનો ઉપયોગ કરવાની શકિત સાંપડે જ છે. વળી એ વાત પણ સાચી છે કે આજ સુધીમાં આ જગતમાં ભૂગોળ, ખગોળ, ભૌતિકશાસ્ત્ર, તત્વજ્ઞાન વિગેરે વિગેરે વિવિધ વિષયોથી જેટલું પણ જ્ઞાન અને શકિત પ્રગટ થયાં છે તે માનવ જાતની સામૂહિક શકિતથી જ થયાં છે. અને તેમાં બીજા પાણી અને વનસ્પતિનો ફાળો જરાએ ઓછો નથી.અરે પાણી અને વનસ્પતિ તો શું પણ જડ ગણાતી વિવિધ ધાતુઓનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. જુઓને મારા આ વિચારો તમારી સમક્ષ રજુ કરવામાં જડ ગણાતા કોમ્પ્યુટર અને પિન્ટરનો ફાળો શું ઓછો છે ? એટલે જો આપણે સામૂહિક દૃષ્ટિથી વિચારીએ તો આપણે આ આખા દૃષ્ટ જગત સાથે સર્વવ્યાપી, સર્વ શકિતમાન અને સર્વજ્ઞ ગણાઇએ.ભગવાન ગણાઇએ.મને તો લાગે છે કે
    ઇશાવાસ્યં ઇદં સર્વં યત્ કિંચ જગત્યાં જગત
    એ ઉકિતમાં આ જ સત્યનું વિધાન છુપાયેલું છે.

    હવે અહીં એક મુદ્દાની વાત સમજી લઇએ તો આપણે ભગવાન છીએ કે નહીં તે વાતનો ખુલાસો થઇ જાય. આપણા જીવનમાં બનતા બધા જ બનાવો વિશેની જવાબદારી આપણે પેલા અદૃષ્ય ભગવાન ઉપર ઢોળી દઇએ છીએ અને કહેતા ફરીએ છીએ કે ભગવાને જેવું ભાગ્ય આપ્યું તે ભોગવે જ છૂટકો એમાં આપણું શું ચાલે. આ વાત લાગે છે તો સાવ સાચી કે ભાગ્યમાં ભગવાને જે લખ્યું હોય તે ભોગવવું જ પડે પરંતુ આ ભાગ્યનો લેખક પેલો અદૃષ્ય ભગવાન નહીં પણ આપણે જ છીએ.આપણા પૂર્વે કરેલા કર્મોથી જ આપણું ભાગ્ય ઘડાય છે.એ ઉપરથી સાબિત થાય છે ને કે આપણે જ ભગવાન છીએ ? ભાગ્ય એટલે કીધેલા કર્મોનું ફળ.અર્થાત આપણે જ આપણા ભાગ્યના ઘડવૈયા છીએ તો પછી એની જવાબદારી આપણી જ કહેવાયને ?
    જે માનવી સર્વવ્યાપી,સર્વજ્ઞ અને સર્વ શકિતમાન થવા ઇચ્છતો હોય તેણે બીજા બધાની સાથે એક જ શરીરના વિવિધ અંગોની જેમ સહકારથી રહેતા શીખવું જોઇએ. જો ડાબો પગ ઉત્તરમાં અને જમણો દક્ષિણમાં દોડે તો શું થાય? આપણી આજની સ્થિતિ કઇક અંશે આવી જ છે. કોઇ પણ વ્યકિતનો સર્વતોમુખી વિકાસ તો ત્યારે જ થાય કે જયારે તે બીજાઓ સાથે સહકારથી રહે.અને આવું તો તો જ બને કે જયારે તે વ્યકિત પોતાના મન અને બુદ્ધિને એક બીજાના સહકારથી ચાલતા શીખવે એટલે કે તે સ્થિતપજ્ઞ થાય.આવા મનુષ્ય માટે ભગવાન કદી અદૃષ્ય ન રહી શકે.
    ઇતિ.

    Does God exist? It depends on individual’s concept of Bhavan. God does not exist but Existance is God.

    Like

  22. Govindbhai,

    Lekh Khub j Saro chhe! Pan Comments to 27 jetli chhe! Mate thodu mane pan Kehva ni Ichchha thayi chhe.

    Maf karjo, Ummar ma Hu kadach khub nano chhu, pan Dharm ane bhagvan vishe mara vichar thoda Hakaratmak che.

    maro parivar ma, Jya mara ma puja-kirtan kare che ane pitaji garibo ne garam kapda ane shikshan apava nikdi pade chhe, tya Maru manvu evu chhe ke..
    Bhagvan ni bike manas, manas bani ne jive chhe. Je jagya e Je desh ma manyata nathi tya.. manas ane pashu ma koi j farak nathi.. (take example of USA, vice versa take example of Gulf countries).

    janmadivas Ujavay chhe etle ke ” baba/bebi e sari rite ena varsho pura karya..! ” That is my positive view of celebrating Birthday.

    Baki to vicharo manse manse badlay..! Khub khub aabhar.. Apno Gujarati wordpress Khub saras ane preranadayi chhe!

    Yaad,
    Durgesh Variya

    Like

  23. એ જ તો મોટામાં મોટી મોકાણ છે ભાઈઓ, આ બ્રાહ્મણોએ જ આપણા ભારતને નાસ્તિક બનાવી દિધુ છે, લોકોને ખોટ ખોટા ધતીંગોમા ફસાવી મારી મારી ને ઘર-પેટ ભરે છે, એ લોકોને શરમ સુધ્ધા નથી આવતી, અને જે સત્ય છે એ છુપાવીને ખોટા પુતળાઓની પુજા કરાવે છે એથી જ તો લોકો દુખી છે, અને છેવટે આજે પણ લોકો અંધકારમાં તો હજુ પણ છે જ, છે અને રહેશે, મારા ચાલીસ વરસ, મારા દાદા-દાદી, નાના-નાની અને અન્ય કુટુંબીઓ અને દેશવાસીઓ જે આજે હયાત નથી એ લોકો પણ દુર્દશામાં અંધકારભરી પુજા પાઠ કરી કરીને મરી ગયા, પણ જે સત્ય, અતુલજાની ભાઈ કહે છે એ માં પણ અગર ધ્યાન પરોવ્યુ તો પણ બેડો પાર, અને એટલે જ જહુ કહુ છુ કે મુર્તી પુજા ખોટે માર્ગે દોરે છે, એના કરતા આત્મા-પરમાત્માનુ ધ્યાન અને જ્ઞાન એ જ સાચુ જ્ઞાન છે, વિજ્ઞાન પણ એની સામે ફિકું પડે, ફેલ થાય છે. એ સીવાય, બાઈબલ વાંચ્યા પછી, સમજ્યા પછી જ મને એ જ્ઞાન લાધ્યુ કે મુર્તીપુજા કરતા માનવસેવા જ સાચો ધર્મ છે. વધુ માટે http://www.rajeshpadaya.wordpress.com વાંચી લેવા વિનંતી છે.

    Like

  24. MANE YAAD CHHE TYA SHUDHI RAMKRISHNA PARAMHANSE VIVEKANAND NE KAHYU HATU KE “ME BHAGWANNE JOYO CHHE-TARE JOVA CHHE?”
    AAJE AAVA SANT NATHI DEKHATA . ATLE AA GUNCHVADO THAI CHHE.
    BIJU AAPNU DHARELU NA THAY, ATLE BHAGWAN NATHI -EM KEM MANAVU?

    Like

  25. સાદર પ્રણામ,
    મિત્રો,
    હુ પણ એક રેશનલ વિચાર ધરાવનાર વ્યક્તિ છુ.પણ અમુક બાબતો મા પાછો પડી જાઉ છુ.
    એ બાબત એ છે કે આપણે જે શ્વાસ લઇએ છીએ એ દેખાતો નથી પણ એનો અનુભવ આપણ ને થાય છે.એ કોઇ માણસે બનાવેલા ધર્મ ના ભગવાને બનાવ્યો નથી.દરેક માટે તે સમાન છે.બીજુ કે સુર્ય પણ દરેક ને પ્રકાશ આપે છે એ પણ કોઇ ધર્મ નો બંધાણી નથી.ચંદ્ર પણ દરેક ને શીતળતા આપે છે,એ પણ કોઇ ધર્મ નો બંધાણી નથી.પાણી નો રંગ પણ કોઇ ધર્મ નો અલગ નથી.લોહી નો રંગ પણ દરેક નો સરખો જ છે.ગુરુત્વાકર્ષણ બળ પણ દરેક માટે સમાન છે.એટલે હુ એવુ સ્પષ્ટ રીતે માનુ છુ કે એવી શક્તિ તો જરૂર છે જે દરેક ને સમાન રીતે રાખે છે.
    ભગવાન(ભ+ગ+વ+આ+ન)
    ભ-ભુમિ,પ્રૃથ્વી
    ગ-ગગન,આકાશ
    વ-વાયુ,પવન
    આ-અગ્નિ
    ન-નીર,પાણી
    હવે હુ કેવી રીતે કહી શકુ કે હુ ભગવાન મા માનતો નથી.પણ પત્થર ના મંદિર ના ભગવાન ને તો હુ આજે પણ નકારુ જ છુ.અસ્તુ

    Like

Leave a reply to Dharnidhar.Thakore Cancel reply