‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
આ નવી નવાઈની વાત નથી. મૂડીવાદ અને ધર્મને સીધો સંબંધ છે. મૂડીવાદ બજાર શોધે છે અને એને ’શ્રદ્ધાળુ’ માનસ જોઇએ જે એની બધી વાતો, જાહેરખબરો માની લેવા તૈયાર હોય. આવું માનસ તૈયાર કરવામાં ધર્મ બહુ કામ આવે છે. એટલે જ આજે ધર્મનું જોર દેખાય છે. મૂડીવાદ પણ ફ઼ાલ્યો જ છે ને! ૧૯૯૨થી આ શરૂ થયું છે. સોવિયેત સંઘનું પતન, વૈશ્વીકરણની આર્થિક નીતિઓ, રામાયણ સીરિયલનું ટેલીપ્રસારણ, રામજન્મભૂમિ આંદોલન, લગ્નોમાં જૂની પરંપરાઓનું પુનરાગમન, અમદાવાદનાં રમખાણો, સંસ્કૃત મદરેસાઓનો ફ઼ેલાવો, મહુવામાં નિરમાને જમીનની ફ઼ાળવણી, – આ બધા વચ્ચે સીધો સંબંધ છે. એક નજરે સંબંધ દેખાશે નહીં પણ ઊંડાણથી વિચારતા ધીમે ધીમે બધું સ્પષ્ટ થશે. અને આપણે મૂડીવાદના એજન્ટોને ઓળખતા થશું, અને માનવા લાગશું કે દેવી-દેવતા કદી પણ વ્યાપારથી મુક્ત નહોતાં. સ્વામી દયાનન્દ સરસ્વતિ આનું ઉદાહરણ છે. એમણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો પણ એ બંધ થઈ ખરી?સ્વામી દયાનન્દની વાત માનીએ તો મન્દિરો બંધ થઈ ગયાં હોત. આટલું મોટું વ્યાપાર ક્ષેત્ર બંધ થઈ ગયું હોત. મંદિરોની વ્યાપાર ક્ષમતાને દયાનંદના કહેવાથી કોણ તાળું વાસવા તૈયાર થયું?
LikeLike
I fully agree with Dipak Dholakia’s views. The true religion is only one but beliefs about it are so many. The Buddhism was driven out from India just for this reason. The Priests at that time got scared that they could lose thier bussiness.
Today it is getting worse day by day here in USA & India. We all want free knowlede without giving any anything.
Thanks for a good article.
Pradeep H. Desai
Indianapolis, USA
LikeLike
દિપકભાઈ, સંસ્કૃત “મદરેસા”??? આવો શબ્દપ્રયોગ પહેલી વાર સામ્ભળ્યો.
સંસ્કૃત અને વેદીક સાહીત્યનો અભ્યાસ સરકારના ખર્ચે થાય એમા કોઈ જ વાન્ધો ના હોવો જોઈએ. એ આપની સંસ્કૃતી અને પ્રાચીન સાહીત્ય છે. એમા કોઈને કોઈ પણ પ્રકારનો વાન્ધો ના હોવો જોઈએ.
હા, જ્યોતીષ, કર્મકાંડ એવું બધું અયોગ્ય છે.
વાત જ્યારે મન્દીરો અને “મદરેસા”ઓની આવે છે, ત્યારે હું કહીશ કે મન્દીર જ નહી, મન્દીર/મસ્જીદ/ચર્ચ બધું બન્ધ કરાવો. ધર્મના નામે કાયદાકીય વીભાજન બન્ધ કરાવો. સરકાર દ્વારા ધાર્મીક કામ (હજ) માટે અપાતી સહાય બન્ધ કરાવો. ભારતની મોટાભાગની તકલીફો દુર થઈ જશે!
LikeLike
વિશ્વભરમા આવો પ્રભાવ છે
જરુરત છે સ્વ જાગૃતિની
વિવેક બુધ્ધિની
LikeLike
Dear Friend,
Good luck to your blog. Very thought provoking.
Human nature is same all over the word, but we Hindus have more faith in Gods, Astrology and blind trust. We all believe in super naturals. Sabako sanmati de bhagvan.
Jay Gajjar, Canada
LikeLike
મુડીવાદની ખોદણી કરવાની મજા માણવાનુ બંધ કરવુ જોઈએ. મુડીવાદનો રસ્તો અપનાવીને ભારત સમ્રુધ્ધીના રસ્તે પા-પા પગલી કરી રહ્યુ છે – દેશને એ રસ્તે આગળ જવા દો (છેવાડાના માણસની ગરીબી પણ ઘટી જ છે).
અંધશ્રધ્ધાને કારણે જો કોઈ કોઈનુ નુકશાન કરતુ હોય, તો એ અલગ વાત છે. વ્યક્તીગત રીતે હુ જ્યોતીષ મા મનતો નથી, અને કર્મકાંડ મા પણ માનતો નથી. પણ સંસ્ક્રુત અને સંસ્ક્રુતીની જાળવણીતો કરવી જ રહી. એ માટે સરકારે પણ પ્રયત્નો કરવા જ રહ્યા.
વીરોધ કરવામા જ્યારે સમતુલન ના જળવાય ત્યારે એ માત્ર દ્વેષ ફેલાવવાનુ કામ કરશે – જેમકે દીપકભાઈનો “સંસ્કૃત “મદરેસા” શબ્દપ્રયોગ :).
LikeLike
સુરતની લોકલ ન્યુઝ ચેનલ દ્વારા લાઈવ જ્યોતિષશાસ્ત્રનું શિક્ષણ [અજ્ઞાન] આપતો પ્રોગામ બતાવામાં આવે છે.તે પણ લેટેસ્ટ પદ્ધતિથી.
આવી યુનિવર્સીટીના કારણે ભવિષ્યમાં ફૂગાવો જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહી. 😉
LikeLike
મારે બે મિત્રો, ભાઈ શ્રી ચિરાગ અને ભાઇ શ્રી મેહુલની માફ઼ી માગીને જવાબ આપવાની શરુઆત કરવી છે. મારો શબ્દપ્રયોગ ’મદરેસા’ એમને ગમ્યો નથી. એમનું દિલ દૂભવવાનો મારો ઇરાદો નહોતો. એમને એમાં સંસ્કૃતનું અપમાન જણાયું લાગે છે.
હવે ખુલાસો. મદરેસા એટલે પાઠશાળા. માત્ર એ અરેબિક શબ્દ છે, એટલું જ. આમાં સંસ્કૃતનું કે પાઠશાળાનું અપમાન નથી. પરંતુ આપણું ટ્યૂનિંગ ખાસ પ્રકારનું છે એટલે કદાચ આ શબ્દ યોગ્ય ન લાગ્યો હોય. પરંતુ મારો ઇરાદો એવો જરુર હતો કે આપણે મદરેસાઓ દ્વારા અપાતા શિક્ષણ વિશે જાણીએ છીએ, બોલીએ છીએ પરંતુ આપણે એવું જ ભૂતકાળમાં લઈ જતું પગલું લેતાં અચકાતા નથી. ખાલી વાતો કરવાથી કઈં ન વળે. સંસ્કૃત બહુ સારી અને સમૃદ્ધ ભાષા છે પણ બધાએ એ શીખવાની જરુર હું જોતો નથી. એની ઉપયોગિતા પણ નથી. વળી સંસ્કૃત અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની નથી. સરકારે માત્ર સેકય઼ૂલર શિક્ષણ જ આપવું જોઈએ.
ગોવિંદભાઈ રૈશનાલિસ્ટ વિચારોનો પ્રચાર કરવા માગે છે, જે આપણી વિચારપદ્ધતિ્ને પડકાર છે. આપણે વિચારો રૂપી ડૂંગળીનાં પડ ઉતારવા ન માગતા હોઇએ, મૂળ સુધી પહોંચવા ન માગતા હોઈએ તો એમનો પ્રયાસ વ્યર્થ જશે. એમને મારા વિચારો વિધ્વંસક લાગશે તો મારા અભિપ્રાયોનું વેબકાસ્ટિંગ બંધ કરી દેશે. અત્યાર સુધી તો હું એ જ ખ્યાલથી આ બ્લોગમાં લખું છું કે આનો ઉદ્દેશ પોતાની જાત સામે પડકાર ઊભો કરવાનો છે.
મેહુલભાઈને બીજો પણ વાંધો છે, મેં વાપરેલા શબ્દ મૂડીવાદ સામે. ભાઈ, બજારતંત્રનો અર્થ તમે શું કરો છો? શ્રી દિનેશ શુક્લ એ જ વાત કરે છે! જેમાં બજાર સર્વોપરિ હોય અને સરકાર એને સ્વાભાવિક માનીને દખલ ન દે, એ જ મૂડીવાદ છે. શુક્લસાહેબે જે સ્થિતિ તરફ઼ ધ્યાન દોર્યું છે તેનું જ મેં સમર્થન કર્યું છે અને ડૂંગળીનું એક વધારે પડ ઉખેડ્યું છે. મારા વિચારમાં ત્રુટિ ન દેખાય ત્યાં સુધી તો મારે નવું વલણ લેવા જેવું જણાતું નથી.
બીજી વાત મૂડીવાદને કારણે દેશની પ્રગતિ તરફ઼ પા.. પા… પગલીની. એક તો, જે દેશમાં ૭૮% લોકો દરરોજના માત્ર વીસ રુપિયામાં જીવતા હોય તે પ્રગતિ કરે છે એમ માનવા માટે મારે જબ્બરદસ્ત પ્રયાસ કરવો પડશે. અર્જુન સેનગુપ્તા સમિતિનો રિપોર્ટ આ આંકડો આપે છે.
એ બધું જવા દો, મને એ સમજાવો કે વૈશ્વીકરણ અને ધર્મભાવના બન્ને એક સાથે ફ઼ેલાયાં છે એવું વિધાન મેં ઘટનાક્રમ સાથે કર્યું છે. આનાથી જુદું કોઈ મિત્રોને જણાતું હોય તો આ બ્લોગ વધારે ચર્ચા દ્વારા વધારે રસપ્રદ બની રહેશે.
ખરેખર તો શ્રી ચિરાગભાઇ અને શ્રી મેહુલભાઈનો મારે આભાર જ માનવાનો છે.
LikeLike
એક વાત રહી ગઈ. ચિરાગભાઈ કહે છે કે બંધ કરાવવું હોય તો મંદિર/મસ્જિદ/ચર્ચ બધું જ બંધ કરાવો. મને આશા છે કે તેઓ ફ઼રી વિગતો સાથે ઉપસ્થિત થશે. રેશનાલિઝમ મંદિર/મસ્જિદ/ચર્ચ કોઈની તરફ઼ેણ કરતું નથી. બધાં પાખંડોનો વિરોધ કરે છે. કઈં નહિ તો એમ હું માનું છું. પરંતુ એક પાખંડ ચાલુ રહે ત્ઓ બીજું પાખંડ પણ ચાલુ રહેશે. શ્રી દિનેશ શુક્લે માત્ર એક પાખંડ પર પ્રહાર કર્યો છે એટલે એની ચર્ચા પ્રાસંગિક જણાય છે
LikeLike
જ્યોતિષશાસ્ત્ર એ ગણિત છે. તેનું ઐતિહાસિક મહત્વ બની શકે. રામના જન્મ સમયે ગ્રહોની સ્થિતી, મહાભારતના સમયની ગ્રહોની સ્થિતી કે કોઇપણ સમયના ગ્રહોની સ્થિતી જાણવાથી તેનો સમય નક્કી થઇ શકે.
જ્યોતિષ વિદ્યાને ફળાદેશ સાથે કશો સંબંધ નથી. હા તેને આશિર્વાદ અથવા શુભેચ્છા સાથે વણેલી છે.
શ્રી નરેન્દ્ર મોદીએ પણ આજ વાત કરેલી. બહેનો પણ જ્યોતિષ વિદ્યા ભણે છે. અને મેં એવી બહેનો જોઇ છે અને હું તેમને મળ્યો પણ છું.
બીજેપી એ સંસ્કૃત યુનીવર્સીટીઓ ખોલી નાખી એવું પ્રચારીને તેને ગોદા મારવાની જરુર નથી. ડૉ. રાધાકૃષ્ણન, શંકરદયાલ શર્મા, એસ કે પાટીલ, જેવા ઘણા લીડરો સંસ્કૃતના મહત્વને વધારવામાં માનતા હતા. પણ તેમને કોઇએ ગોદા માર્યા નથી.
પણ બીજેપીની વિકાસ કરવાની ઝડપ સૌથી વધુ છે. અને તે આપણે કેન્દ્રમાં બાજપાઇ ની સરકાર વખતના માળખાકીય પ્રગતિમાં જોઇ શક્યા છીએ. અને નરેન્દ્ર મોદી એજ વસ્તુ ગુજરાતમાં બતાવી રહ્યા છે.
બ્રાહ્મણોમાંના કેટલાક જ્યોતિષ વિદ્યા ભણતા અને લોકોની જન્મકુંડળી બનાવતા. અને તેની સામે તેમને નિર્વાહમાટે દક્ષિણા મળતી અને તેઓ આશિર્વાદ અને શુભેચ્છા પાઠવતા.
મારા દાદા શાસ્ત્રી હતા. વેદ અને જ્યોતિષવિદ્યા કાશીમાં ભણેલા. સંસ્કૃતના પંડિત હતા. મેક્સ મુલર તેમને મળ્યા હતા. પણ આ મહાશંકર હરિભાઇ દ્વિવેદી (દ્વિવેદી એટલે બે વેદના જાણકાર એમ નહીં. પણ જે દ્વૈત અને અદ્વૈત બન્ને વાદને જાણે છે તે.) કહેતા કે ફળાદેશ જેવું કશું હોતું નથી. આ ફળાદેશ એ એક સરખામણી છે કે ગ્રહોની આ પ્રકારની સ્થિતીમાં આવું આવું શુભ થયું હતું તમારું પણ બધું શુભ થાય એવા અમારા આશિર્વાદ છે.
સંસ્કૃત ભાષાની ઉપયોગિતા વધારો તો વધે અને ઘટાડો તો ઘટે. માતૃભાષાવિષે પણ હાલ તો આવું જ કહેવાય છે. એટલે કઇ ભાષા વિષે શું માનવું તે વિવેક બુદ્ધિનો અને દ્રષ્ટિનો સવાલ છે. માતૃભાષાનું મહત્વ વધારવું હોય તો વધારી શકાય છે. માતૃભાષાના જ્ઞાનમાં વધારો કરવો હોય અને તેમાં સુસંસ્કૃત થવું હોય તો સંસ્કૃતભાષા ભણવી જરુરી છે. તેવીજ રીતે ભારતીય સંસ્કૃતિવિષે પ્રમાણભૂત અને અનુભુતિજન્ય માહિતિ મેળવવી હોય તો સંસ્કૃત ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે. સંસ્કૃત ભાષા ને નોન-સેક્યુલર ન જ ગણી શકાય.
LikeLike
શ્રી શિરિષભાઈ જુદા દૃષ્ટિકોણ સાથે આવ્યા છે. સ્થિતિ એવી છે કે બધું ગોળ ગોળ ફ઼રે છે અને શિરિષભાઈ પોતે જ સમજાવી શકશે. રામ ક્યારે થઈ ગયા તે એમના કાળની ગ્રહોની સ્થિતિ જાણવાથી જાણી શકાય પરંતુ ગ્રહોની સ્થિતિ જાણવા માટે રામ ક્યારે થઈ ગયા તે જાણવું પડે! બીજી વાત એ કે ગ્રહોની ગતિ બ્રહ્માણ્ડીય ઘટના છે. દરેક ગ્રહ પોતાની ભ્રમણકક્ષામાં એક્ધારી ગતિએ ફરે છે. મારી કુંડળીમાં જે ગ્રહ-સ્થિતિ હોય તેવી પહેલાં કદી પણ ન આવી હોય? અથવા આવવાની ન હોય? આનો અર્થ એ થાય કે મારા જેવું જીવન પહેલાં કોઈએ જીવી લીધું છે અથવા ભવિષ્યમાં કોઈ જીવશે! ન જાણતા હોઈએ એટલે આવા વિચારો આવે. વિદ્વાનો એના જવાબ આપે એવી આશા પણ છે.
બહેનો પણ જ્યોતિષ શીખવા લાગી છે તે વાતથી મને આશ્ચર્ય એટલા માટે થયું કે પહેલાં સ્ત્રીઓ જ્યોતિષ શીખે એના પર પ્રતિબંધ હતો?
ગોદા મારનાર તો માર્યા જ કરતા હોય છે. ગાંધીજીનેય ગોદા મારનારા આજે પણ છે. નજીકનો ભૂતકાળ જોઈએ તો ડો. મનમોહન સિંહ ૧૯૯૧માં નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી બન્યા ત્યારથી ઉદારીકરણ શરુ થયું. તે પછી ભાજપા સરકાર આવી એણે એ જ નીતિઓ ચાલુ રાખી. અને શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં એ જ નીતિ પ્રમાણે ચાલે છે. બધી બજારતંત્રને પુષ્ટ કરે એવી નીતિઓ છે. એટલે ધર્મની ભૂમિકા વધવાની જ છે. પરંતુ આ તો વિષયાંતર થયું. આપણે અહીં રાજકીય નેતાઓના પક્ષધર બનીને ચર્ચા નથઈ કરતા અને મારો અભિપ્રાય તો મારા આ પહેલાંના પ્રતિભાવોમાંથી જાણી શકાશે.
શિરિષભાઈની વાત સાચી છે કે સંસ્કૃત અથવા માતૃભાષાનું મહત્ત્વ વધારો તેટલું વધે અને ઘટાડો એટલું ઘટે. હમણા તાત્કાલિક તો માતૃભાષાનું મહત્ત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત થયું હોય એમ લાગે છે. સંસ્કૃત જરુરી છે જ પણ સામાન્ય માણસ માતૃભાષા જ બરાબર શીખી લે તો પણ મોટું કામ થાય. ગુજરાતી ઉપર સંસ્કૃતનું કેટલું ઋણ છે તે હમણાં તો વિદ્વાનો પર છોડવાનું યોગ્ય લાગે છે. કારણ કે સામાન્ય માણસને ભાષાનો કેમ વિકાસ થયો તે જાણવામાં કદાચ સીધો રસ ન હોય. આમ પણ એ જાણવા સામે અત્યારે પણ બંધન નથી. જેમને રસ હોય એમણે સંસ્કૃત ભાષા પણ જોઈ લેવી જોઈએ.
ભાષા સેક્યુલર જ હોય અને સંસ્કૃત પણ ભાષા છે. સવાલ એ છે કે આપણે એ શા માટે શીખવા માગીએ છીએ. ખરેખર ભાષાનાં મૂળ શોધવા માટે કે પાછળ જવા માટે? અથવા એ શીખીને આપણે આગળ કેમ જઈશું, એનો પણ કશોક પ્રોગ્રામ હોવો જોઇએ ને!
LikeLike
આ વિષય ઉપર અંત હીન ચર્ચાને અવકાશ હોવા છતાં હું પ્રજ્ઞાજુના વિચારો સાથે સહમત છું ખૂબ જ ટૂંકાણમાં ખૂબ જ સુંદર વાત કરી છે.
“વિશ્વભરમા આવો પ્રભાવ છે
જરુરત છે સ્વ જાગૃતિની
વિવેક બુધ્ધિની”
LikeLike
જરૂર છે એક સોક્રેટિસની, જે શેરીના મોએ ઊભો રહેતો અને આવતા-જતા લોકોને અટપટા વેધક સવાલો પૂછતો અને એમનાં ડૂગળીનાં પડો ખોલતો; એમના સ્વવિવેક્ને જગાડતો. આ બ્લોગ સોક્રેટિસની ગરજ સારે છે.
LikeLike
પૃથ્વી ઉપરથી ગ્રહોની ગતિ જે આપણને દેખાય છે તે સાપેક્ષ છે. ગ્રહોની પાશ્વભૂમિમાં તારક વૃન્દો હોય છે અને તેમાંના કેટલાકને આપણે રાશી તરીકે ઓળખીએ છીએ.
ગ્રહોની સાપેક્ષ ગતિ આ બાર રાશીઓમાં થતી દેખાય છે. આ તારકવૃન્દો અજાણતા જ અમુક આકાર બનાવે છે અને તે તારાઓને તે આકાર બનાવવા સાથે કશી લેવા દેવા નથી. તેમજ તેમને એકબીજા સાથે પણ કશો સંબંધ નથી.
પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓ ગ્રહોની ગતિઓને સૂર્યની ગતિને સમજતા હતા. તારકવૃન્દો આપણાથી ઘણા જ દૂર છે. માનવજાતની સંસ્કૃતિનો લભ્ય ઈતિહાસ ૧૫ હજાર થી ૪૦ હજાર વર્ષથી જુનો નથી. અને આટલા વર્ષના સમયમાં તારકવૃન્દોના આકારમાં નોંધપાત્ર ફેર પડતો નથી.
તારકવૃન્દોમાં રહેલાના ગ્રહોના સ્થાન ઉપરથી સમય નક્કી થઇ શકે છે તેના અનેક ઉદાહરણ છે.
દીપક ભાઇની વાત સાચી છે કે આમાં વિદ્વાનોએ અભિપ્રાય આપવો જોઇએ. પણ સૌ કોઈ પોતાના અલ્પ જ્ઞાન પ્રમાણે કહેવાની સ્વતંત્રતા ભોગવતા હોય છે. મારા સામાન્ય જ્ઞાન પ્રમાણે ઋગવેદમાં અશ્વિની નક્ષત્ર પૂર્વમાં ઉગતું વર્ણવવામાં આવ્યું છે. આ સ્થિતી હાલમાં નથી. હાલ અશ્વિની નક્ષત્ર પૂર્વમાં ઉગતું નથી. તે ઉત્તર પૂર્વમાં ઉગે છે. કારણકે પૃથ્વીની ધરીનું વૉબ્લીંગ થાય છે. અને તારા ઓની સાપેક્ષે દીશા બદલાઈ જાય છે. પૃથ્વીના વૉબ્લીંગના ચક્રને પૂરો કરવામાં પૃથ્વી ૨૬૦૦૦ વર્ષ લે છે. એટલે કે તેના એક ચક્રને ૨૬ હજાર વર્ષ થાય છે. અને તે હિસાબે અશ્વિની નક્ષત્ર આજથી સાડાચાર થી સાડાપાંચ હજાર વર્ષ પહેલાં પૂર્વ દીશામાં ઉગી શકે અથવા તેમાં છવ્વીશ હજાર વર્ષના ગુણાંકમાં વર્ષો ઉમેરી શકાય. એટલે કે ૩૧ હજાર કે ૫૬ હજાર ૭૨ હજાર વિગેરે વર્ષ પહેલાં અશ્વિની નક્ષત્ર પૂર્વ દીશામાં ઉગતું હતું.
દિપકભાઈની વાત સાચી છે. એક વ્યક્તિના જન્મ સમયના બધા ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ રીતે મળતી આવતી ન હોય પણ અમુક ગ્રહોની સ્થિતી થોડી તો મળતી આવતી હોય. તેના ઉપરથી આશરે આશરે જ્યોતિષીઓ આશિર્વાદ રુપી આગાહી કરે. પણ આમાં સત્યનો અંશ હોઈ જ ન શકે. કર્મનો સિદ્ધાંત જ કામ કરે. અને તે પણ બહુજન સમાજના કર્મોનો અને વ્યક્તિગત કર્મના પરિણામ સ્વરુપના ફળ વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે ભોગવવાના આવે.
શબ્દચાતુર્ય અને લાલીત્ય એ ભાષાની કળાઓ છે. અને ગુજરાતીભાષા સંસ્કૃતની પૂત્રી કે પૌત્રી હોવાથી તે મદદગાર થાય. ભાષા સેક્યુલર જ હોય છે એવુ જો આપણે માનતા હોઈએ તો તેની પાછળ શિખવાનો હેતુ તેને નોન સેક્યુલર બનાવે છે તેમ માનવાની જરુર નથી. માણસ નોન સેક્યુલર તેના સામાજીક પરિબળોથી અને અથવા પોતાની વૃત્તિઓથી બનતો હોય છે.
આમ તો મેનેજમેન્ટ એ કેટલાકને સ્વાભાવગત હોય છે. અને તે ભણવું જરુરી હોતું નથી. પણ જેમને વહીવટ કરવો હોય તેઓ ભણે છે. અને એવો આગ્રહ પણ રાખવામાં આવે છે. આઇ એ એસ ટ્રેઇનીઓને તે ભણાવવામાં પણ આવે છે. છતાં પણ આપણા દેશમાં ક્રાઇસીસ તો મેનેજમેન્ટની જ હોય છે. મીસમેનેજમેન્ટ વધુ જોવામાં આવે છે.
સંસ્કૃત વિષે પણ આવું જ સમજી શકાય. સંસ્કૃત ભાષા શિક્ષણને, પરોઠના પગલાં સાથે સાંકળી ન શકાય. ગાંધીજીના સિદ્ધાંતો ને પણ પરોઠના પગલાં તરીકે વ્યાપક રીતે મનાય છે. પણ તેમાં સમજનારની ક્ષતિ અથવા અર્ધ દગ્ધતા હોય છે તેવી પણ એક માન્યતા છે. વાસ્તવમાં તે ઍપ્રોપ્રીએટ ટેક્નોલોજીની વાત હતી. અને તેથી શ્રેય નરસિંહરાવને નહીં પણ મોરારજી દેસાઈને જવું જોઈએ કે જેમણે ઉત્પાદન ઉપરના અંકુશો દૂર કરેલા અને જે વસ્તુ આપણે બનાવી શકતા નથી તેની આયાત કરવી. ઈલેક્ટ્રોનિક ક્રાંતિનું શ્રેય તેમને જવું જોઇએ કારણ કે તેમના રાજ્યકાળ દરમ્યાન તેમણે ઈલેક્ટ્રોનિક ટેલીકોમ્યુનીકેશન માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડેલું અને કોંગીના સમયમાં ઈવેલ્યુએશન થયેલું.
પછી તે ફુલ્યું ફાલ્યું અને નરસિંહરાવના સમયમાં તેઓ નોન-નહેરુવીયન હતા તેથી તેને વેગ મળ્યો અને બીજા ક્ષેત્રોમાં પણ અસર પડી. નરસિંહરાવે વૈશ્વીકરણમાં અને ઉદારીકરણમાં જો થોડી અગમચેતી અને સાવચેતી વાપરી હોત તો હર્ષદ મહેતા જેવા કિસ્સા નિવારી શકાયા હોત. પણ આવું બધું કરવું ન કરવું તે કોંગીની આદત છે કારણ કે આપણે પાછું વળીને જોવામાં માનતા નથી. ઈતિહાસને સમજવાની વાતને આપણે બીન સેક્યુલર માનીએ છીએ.
સમન્વય કરવો એ ભારતીય સંસ્કૃતિની પ્રણાલી છે પણ હવે આપણી નજર બીજે ક્યાંક હોય તેમ લાગે છે અને આપણે પ્રણાલીઓમાંથી ઉપયોગિતાને સમજવાને બદલે અને ઋણાત્મક વાતો છોડી દેવાને બદલે ઋણાત્મક બાબતોની ટીકામાં વધુ સક્રીયતા બતાવીએ છીએ.
LikeLike
શિરીષભાઈ, (આ વખતે જોડણી સાચી કરી છે!)
તમે બહુ જ સારો જવાબ આપ્યો છે. આથી, તમારા અલ્પ જ્ઞાનનો દાવો સ્વીકારી શકું એમ નથી!
હ્જી પણ ચર્ચાને રેશનલ સ્તર સુધી લઈ જવાની જરૂર લાગે છે. આમાં તમારી મદદની જરૂર રહેશે જ. હું આ હેતુથી જ કેટલાક પ્રશ્નો રજુ કરું છું: રાશિઓ અને ગ્રહો વચ્ચે એટલું બધું અંતર છે જેને પ્રકાશવર્ષમાં જ માપી શકાય. આ સંયોગોમાં અમુક ગ્રહ અમુક રાશિમાં હોવાની ભ્રાંતિ થાય ખરી, પરંતુ વાસ્તવિક રીતે એવું કશું હોય નહિ, અને નથી. બીજી બાજુ તમે પણ સ્વીકારો છો કે અસલ તો કર્મનો સિદ્ધાન્ત કામ કરે, જ્યોતિષીઓ આશીર્વાદ તરીકે અમુક શુભેચ્છાઓ વ્યક્ત કરી શકે.આ અત્યંત મહત્વનું વિધાન છે.
પરંતુ, માત્ર આપણે પોતે કર્મ કરીએ અને એનૂં અમુક ફ્ળ મળે એવું નથી. કર્મની દિશા નક્કી કરવામાં ઘણાં પરિબળો કામ કરે છે: આપણી કુટુંબ વ્યવસ્થા, શાસકોના નિર્ણયો, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા, ટેકનોલોજી વગેરે ઘણુંબઘું. વ્યાવહારિક જીવનમાં તો આપણે આવી બાબતોથી જ પ્રભાવિત થતા હોવાનું જણાય છે. આ બધાને ભૂલીને એક ભ્રાન્તિમૂલક અવધારણાને મુખ્ય પ્રભાવી લક્ષણ માનવાનું કેમ તર્કસંગત બને? આથી મને લાગે છે કે મંગળનો પ્રભાવ વગેરે વાતોને તિલાંજલિ આપવાનું લોકોને કહેવામાં ખોટું નથી. લોકો જો જ્યોતિષને છોડી પણ દે તો એમના જીવનમાં શું નુકસાન થવાનું છે?
આમ છતાં તમે અશ્વિની નક્ષત્રનો ઉલ્લેખ કરીને જ્યોતિષની દૃષ્ટિએ ઋગ્વેદની કાલગણના કરીને મહત્વનું કામ કર્યું છે. મને તિલકનું ’ઓરાયન’ મૃગશીર્ષ નક્ષત્રનો વ્યાધ) પુસ્તક યાદ આવી ગયું.ઋગ્વેદની રચના સપ્તસિંધુમાં (અફ઼્ઘનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના પ્રદેશમાં) થઈ. તમારી કાલગણના પ્રમાણે એ સમય સાડાચાર હજાર વર્ષ પહેલાંનો થયો. પરંતુ, ઋગ્વેદનો પહેલો જ મંત્ર કહે છે કે “અમે પ્રાચીન ઋષિઓ જેવા મંત્રોની રચના કરીએ છીએ.” આનો અર્થ એ કે આર્યો અહીં આવ્યા, સ્થાયી થયા તે પછી પોતાની સ્મૃતિને આધારે ઋગ્વેદની રચના કરી. આમ, ઋગ્વેદનો કાળ સાડાચાર હજાર વર્ષ જેટલો જૂનો ન ગણાય. ને આખો ઋગ્વેદ રચાતાં બીજાં હજારેક વર્ષ થયાં હશે એમ ઋગ્વેદમાં આવતી ઘટનાઓ પરથી માની લઈએ તો કુલ સાડાત્રણ -અઢી હજાર વર્ષ પહેલાંના સમય વચ્ચે ઋગ્વેદ પૂર્ણ રૂપે સંકલિત થઈ ગયો. આમ, તમારો અશ્વિની નક્ષત્રનો ઉલ્લેખ કામનો છે. ટિલક કદાચ ઓરાયનમાં સાત હજાર વર્ષનો સમય કહે છે.
મૂળ વાત દેવી-દેવતાઓ અને બજારતંત્ર વિશે હતી એટલે એના પર પાછા જવૂં જોઈએ. જ્યોતિષની તમે જણાવેલી મર્યાદાઓની જેમ ઘણી માન્યતાઓની પણ મર્યાદાઓ છે… અને આપણી જાણ બહાર ધર્મનું વ્યાપારીકરણ થઈ જતું હોય છે. મારો પ્રયાસ ધર્મ અને વ્યાપારનો આંતર્સંબંધ દેખાડવાનો હતો એમાં જે કઈં મુદ્દા નવા આવતા ગયા તેમ એના પર પણ ચર્ચા થઈ પણ ઘરના માલિક જોતા બેઠા રહે અને મહેમાનો મજ઼ા કરે એવું ન ચાલે. ઘરના માલિક હાંકી કાઢે એવી બીકે અહીં બીજા મુદ્દાઓની હવે ચર્ચા નહિ કરું. આભાર.
LikeLike
વીષયને અનુરુપ–સુસંગત ચર્ચા ગમે તેટલી લાંબી ચાલે તો પણ હું થવા દઈશ.. વીદ્વાનોના વાદવીવાદથી સૌને જ્ઞાન લાધે..
હા, ચર્ચા સદ્ ભાવભરી હોય, આદરભરી હોય અને તેમાં અંગત ટીકા કે સામી વ્યક્તીને ઉતારી પાડવાનું વલણ ન હોય તો,
લાંબી ચર્ચા પણ આવકાર્ય જ છે..
વહાલા શીરીષભાઈ અને દીપકભાઈ તમારી આ ચર્ચા આ વીષયનું ઘરેણું છે..ને તેનું સ્વાગત છે..મન સાવ ખુલ્લું રાખીએ..
ગોવીન્દ મારુ..
LikeLike
અલ્યા ગોવીંદભઈ !
આ લેખ કરતાં તો કોમેન્ટ વધુ લાંબી લાગે છે..
LikeLike
માનનીય અને પ્રિય ગોવિન્દભાઈ અને દિપકભાઇ તમારી વાત સાચી છે. અને મારુ કહેવું પણ એજ છે કે કર્મ એટલે માણસના ફક્ત વ્યક્તિગત કર્મ ઉપર જ ફળ નો આધાર નથી. પણ બહુજનસમાજ ના કર્મ (અને તેના ફળસ્વરુપ દુન્યવી સમાજ વ્યવસ્થા જેમાં કુદરત સાથેનો કારોબાર પણ આવી જાય) અને વ્યક્તિગત કર્મ ના પરિણામ સ્વરુપ જે મીશ્ર ફળ ઉત્પન્ન થાય તે માણસે ભોગવવાના હોય છે. છતાં પણ વ્યક્તિગત કર્મોનો ઠીક ઠીક પ્રભાવ હોય છે. માણસના કર્મો તેની આસપાસ એક વાતાવરણ બનાવે છે. અને લોકો એના પ્રભાવ હેઠળ અમુક કર્મો કરે છે અને તે થકી પણ સામાજીક વ્યવસ્થામાં બદલાવ આવે છે.
મારો ઉદ્દેશ કોઈની વ્યક્તિગત ટીકા કરવાનો નથી. પણ ક્યારેક અનિચ્છનીય શબ્દો વપરાઈ જાય છે. તેને જો વ્યક્તિગત લઇ લીધા હોય તો હું સાચેજ માફી માગું છું. પણ મારી મોટાભાગની કડવી ટીકાનું નિશાન કોંગી જનો શિવાય બીજું કોઇ હોતું નથી.
ઋગવેદ ક્યારે લખાયો તે સચોટ રીતે નક્કી કરવું મુશ્કેલ છે. પણ તેનો જુનામાં જુના શ્લોક ઓછામાં ઓછા ૬૦૦૦ વર્ષ પહેલાં લખાય હોઈ શકે. મારા ખ્યાલ પ્રમાણે ધ્રુવના તારાનો ઉલ્લેખ વેદોમાં નથી. જોકે ગ્રહો અને બીજા તારકવૃન્દોના ઉલ્લેખો છે. તેથી ૬૦૦૦ વર્ષ માની શકાય. પણ જો ધારો કે ધ્રુવના તારાનો ઉલ્લેખ વેદોમાં હોય તો હાલનો “ઉર્ષા માઇનોર નો આલ્ફા” તારો ન હોય પણ ડ્રેકોનો છેલ્લો તારો હોય. અને જો તેમ હોય તો અશ્વિની ના તારક વાળી ઋચા ૪૫૦૦ વર્ષ પહેલાની હોઈ શકે અથવા ૩૦૫૦૦ વર્ષ પણ હોઈ શકે.
સરસ્વતી નદી વિષેના વર્ણન ઉપરથી પણ એક કહી શકાય કે મહાસાગર જેવી નદી એકાએક લુપ્ત ન થઇ શકે. અને જો થઇ હોય તો તે એક મહાવિનાશ વાળી વાત હોય અને તેના ઠીક ઠીક મોટા ઉલ્લેખો મળવા જોઇએ જ. પણ તેવું નથી. ઋગવેદમાં સરસ્વતી ને મહાસાગર જેવી અને પછી સમય જતાં ક્ષીણ અને લુપ્ત થઇ તેવા બંને ઉલ્લેખો છે. તેથી વૈદિક સંસ્કૃતિ એક સ્થાઈ અને ગ્રામ્ય શહેરી એમ મીશ્ર સંસ્કૃતિ હતી.
આર્યો બહારથી આવ્યા એ વાત પાશ્ચાત્ય ઇતિહાસકારોની એક ગેરસમજ અથવા બનાવટ છે. પણ એ વાત બહુ લાંબી છે.
જ્યોતીષના ફળાદેશમાં માનવું તે એક મીથ્યા આચરણ. પણ જ્યોતીષના ગણિતને એક સાંસ્કૃતિક વારસા તરીકે જેને રસ હોય તે ભણે અને તેને ઉત્તેજન આપવામાં આવે તે ચલાવી લેવું.
એવું તો આપણે ઘણું ચલાવીએ છીએ. લગ્નમાં થતા બેસુમાર ખર્ચાઓ, રાષ્ટ્રપતિ પાછળ થતા ખર્ચાઓ, વિમાઓ, શેરબજાર અને તેના સટ્ટાઓ, કોમોડીટી બજાર, સોના, ચાંદી, હીરા અને પ્લેટીનમના ઘરેણાઓ, એવું ઘણું બધું આવે. જ્યોતીષ, હસ્તરેખા, અંકશાસ્ત્ર, ફેંગસુઈ, હોમીયોપથી, બાયોપથી, મેગ્નો થેરેપી, ભૂત, પીશાચ, આ બધા પણ ધત્તીંગ છે. હમણાં હમણાં પૂર્વ જન્મને જોવાનું ધત્તીંગ એક ટીવી ચેનલે ઉપાડ્યું છે. રામ, કૃષ્ણ, બુદ્ધ કે કોઈને પણ ભગવાન માનવા એ પણ એક ધત્તીંગ જ છે. અને રાધાની વાત તો સાવ જ બનાવટ છે. આ બધામાં ન તો કોઈ ગણિત છે ન તો કોઇ તર્ક છે.
આ બધાનો વિચાર કરવો એ પણ એક ત્રાસજનક છે.
સંસ્કૃતમાં એક શ્લોક છે.
એકા ભાર્યા પ્રકૃતિવિમુખા, ચંચલા ચ દ્વિતીયા,
પૂત્રસ્ત્વેકો ભૂવનવીજયી, સંઘર્ષા દૂર્નિવારઃ
…………………..
સ્મારં સ્મારં સ્વગૃહ ચરિતં દારુભૂતા મુરારી,
એક પત્ની (સરસ્વતી) એવી છે કે (સમાજને અકુદરતી લાગે તેવી રીતે વર્તે છે અથવા તો સ્થિર સ્વભાવની છે)
બીજી પત્ની (લક્ષ્મી) એ ચંચળ પ્રકૃતિની છે.
એક પૂત્ર છે કે જેણે જગતને જીતી લીધું છે એટલે કે તે બધામાં બુરી રીતે ઘુસી ગયો છે.
અને આવી વિચક્ષણ પરિસ્થીતિમાં ઘરમાં થતી ચણભણને સહન કરી કરીને મુરારી (વિષ્ણુ ભગવાન) લાકડાના થઇ ગયા છે.
ટૂંકમાં ચિંતાની વાતો પારવગરની છે. અને જેમની પાસે પૈસા છે તેઓ શોખ, વાહવાહ અને ફેશન માટે પૈસા ઉડાવે છે. કેટલાક બેવકુફ હોવાથી બેવકુફીનો ટેક્ષ આ લોકોનું અનુકરણ કરી અયોગ્ય જગ્યાએ ભરે છે.
સૌથી વધુ દુઃખદ વાત એ છે કે ઈશુ પૂર્વે ૫૦૦૦ વર્ષો થી ઈશુની દશમી સદી સુધી, ચીન અને વિશ્વ ભારત પાસેથી શિખતું હતું. અને આપણે મહાત્મા ગાંધીને પેદા કર્યા છતાં અને પારાવાર શ્રોતો હોવા છતાં પણ એકવંશના ૫૫+ વર્ષના શાસન થકી ૭૫ ટકા જનતા ગરીબીમાં સબડે છે. અને ગરીબી હટાવો નો નારો તે જ વંશ સફળતા પૂર્વક ચલાવે છે.
દૂધ સડે છે અને દહીં અને ઘીની અછત છે.
LikeLike
શ્રી શિરીષભાઈ,
તમારી સાથેની ચર્ચા ખરેખર અર્થપૂર્ણ રહી. ખગોળશાસ્ત્ર વિશેનું તમારું જ્ઞાન ઘણી વાતો સમજવામાં ઉપયોગી છે. ઋગ્વેદમાં ધ્રુવ તારાનો ઉલ્લેખ નથી પણ પુરાતત્ત્વની ખોજ પણ મહત્વની છે.
તમારી ભાષામાં પણ એક પણ અપમાનજનક શબ્દ નથી જ નથી. તમારી કોંગીજનો માટેની લાગણી સાચી છે. (અને હું કોંગીજન પણ નથી!)
તમે સાચું કહો છો કે ઘણાં ધતિંગો ચાલ્યા કરે છે. ભગવાનોનો રાફ઼ડો છે. અહીં દિલ્હીમાં શનિદેવનો મહિમા વધ્યો છે. ઋગ્વેદના કાળથી જ ભગવાનો બદલતા રહ્યા છે. ગોવિંદભાઈએ જે બીડું ઝડપ્યું છે તે ખરેખર હિંમતનું કામ છે. એમાં યથાશક્તિ સહકાર આપવાની આપણે કોશિશ કરીએ.
દીપક
LikeLike
આર્કીઓલોજીકલ ડેટાને વેદસાથે મેળખાતો નથી. અને વેદ-ઉપનીષદ્ અને પૂરાણોની સાથે સરસ્વતી સંસ્કૃતિની એકસુત્રતા જોઇ શકાય છે.
વેદમાં પ્રચ્છન્ન મૂર્તિપૂજા છે. અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ એ એકજ દેવ છે. અને તેમની લીંક તેમજ એકસુત્રતા વેદ-ઉપનિષદ્-જુનાપૂરાણોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. સરસ્વતી સીવીલીઝેશનમાં પણ શિવની ઉપાસના થતી હતી તેવા આર્કીયોલોજીકલ અવશેષો છે. અગ્નિ અને સૂર્ય વેદના મખ્ય દેવ છે. ઈંદ્ર એ સામાન્ય નામ છે. અને તે બધા માટે વપરાયું છે. અગ્નિની પૂજા એ શિવની પૂજા છે. અને સૂર્યની પૂજા વિષ્ણુની પૂજા છે. અને તે બન્ને દેવો આજે પણ સૌથી વધુ પૂજાય છે.
દિપકભાઈ, તમારી વાત સાચી છે. ભગવાનોનો રાફડો ફાટ્યો છે. અહીં પણ શનિદેવ અને હનુમાનજી, અને કંઇક માતાઓનો રાફડો ફાટ્યો છે. નવા જે કોઇ રસ્તા થાય છે ત્યાં કદાચ દરેક ફર્લાંગે એક મંદિર થઇ જાય છે. નેશનલ હાઈ વે ઉપર પણ આજ સ્થિતિ છે. નરેન્દ્ર મોદી હટાવે તો કોંગીજનો મોરચો લઈને બુમબરાડા પાડે છે. વાસ્તવમાં મંદિરો કમાણીનું સાધન બની ગયા છે.
ભગવાનો માં પણ જીવતા ભગવાનોનો ત્રાસ પણ ઓછો નથી.
જ્યારે જીવનમાં અનિશ્ચિતતા હોય ત્યારે કેટલાક માણસ શોર્ટકટ શોધે છે. આ ભગવાનો પણ એક શોર્ટકટ છે તેમ બાવાઓ મનાવે છે તેથી બાવાઓને ઘી કેળાં છે.
LikeLike