Join 1,288 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---
૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
Dear Govindbhai:
Is it possible to get contact information for this place, ‘શ્રી ભારતીમૈયા આનન્દધામ’, preferably an email address. I do not think they have a web page.
Jayendra.
LikeLike
‘શ્રી ભારતીમૈયા આનન્દધામ’ વેસુ-સુરતના મેનેજર શ્રી દીલીપભાઈનો સેલફોન નં. 9714445690, ફોન નં. 0261 6576820 છે. સંસ્થાની ઈ મેઈલ આઈ.ડી ambikanikrtantrust@gmail.com છે.
LikeLike
આ લેખ ખુબ જ સુંદર છે , હું પણ દ્રઢ પાને માનું છું મા-બાપે જો સગવડ હોય તો સમાજ –
નો કે દીકરા વહુ નું ખરાબ દેખાશે એ વિચાર કર્યા વિના દીકરા વહુ થી દુર જવું જોઈએ , આજ –
ની આ ફાસ્ટ જિંદગી મા પતિ પત્ની બને એ દોડવું પડે છે , એમાં આપણે અડચણ રૂપ –
ના હોવા છતાયે કોઈક વખત વધી પડેલા લાગી એ છીએ , આપણે જો આપણું માન-
સ્વમાન જાળવવું હોય તો સ્વેચ્છાએ વાનપ્ર્સ્થાસન સ્વીકારવું જ જોઈ એ , દીકરા ની-
સાથે એમની નજર સમક્ષ રહી એમના દિલ થી દુર થવા કરતા એમની નજર થી દુર –
રહી એમના દિલ માં રહેવું સારું , એમ કરતા સ્વમાન પણ સચવાય છે ને લાગણી ને –
પણ ઠેશ નથી પહોંચતી. પણ આતો જેની પાસે સગવડ છે એમની વાત છે , પણ જેની –
પાસે કોઈ સગવડ નથી , એ મા-બાપે સમજવું જોઈ કે બાળકો ની લાગણી નું વહેણ-
નથી સુકાયું પણ મઝા મુક્તિ મોઘવારી મા બે છેડા ભેગા કરવા મુસ્કેલ છે , ને દીકરા –
ઓ એ પણ સમજવું જોઈ કે કોઈ મા-બાપ ને બિચારા બાપડા થઇ ને જીવવું ના ગમે –
પણ ઘડપણ ના હાથે મજબુર છે એમનું સ્વમાન ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો .
સીમા દવે
LikeLike
આ વ્યક્તિસ્વાતંત્ર્ય એ તો મનુષ્યોનુ આત્મીક પતન છે, જન્મથી જ મુળે મનુષ્ય પરાધીન છે, શૈતાને, મનુષ્યોને ભણાવી-ગણાવીને પરમેશ્વરે શીખવેલી આજ્ઞાઓને ના માનવા ભડકાવીને આજના જગતને વિનાશને આરે નથી લાવી મુક્યુ શુ?
ભારતની કાયદાકાનુની પ્રગતિ, ભણતર-ધંધા-ભૌતિક પ્રગતિ વિદેશથી આયાત થયેલી નથી શુ?
અને એ વિદેશી પ્રગતિ એ તો પરમેશ્વરના અનાદર રુપે જ નીતરી આવેલી નથી?
ઉંડા ઉતરો ભાઈઓ ઉંડા ઉતરો, સત્યને જાણશો તો સત્ય સહુને સ્વતંત્ર કરશે,
વ્યક્તિસ્વાતંત્ર્ય એ શૈતાની ચાલ છે ને આપણે ભારતવાસીઓને નહિ સમજાય,
આત્મીક ઉધ્ધાર, આત્મિક શાંતિ જોઈતી હોય તો આત્મીક બંધનમાં રહેવુ અતિ ઉત્તમ છે નહિ તો બાળક જ શુ કેમ, વ્રુધ્ધો જ ભટકી જાય તો શું કરવુ?
સમય નીકળી ગયો છે, હજુ કોઈ બચી જવુ હોય તો પરમેશ્વરના બંધનમાં રહેવાનુ પસંદ કરો નહિ તો સૈતાને સહુકોઈને પોતાની સાંસારીક બેડીઓમાં બાંધી તો રાખેલા જ છે ને.
LikeLike
આ વિષય એકદમ સંવેદનશીલ છે પણ તમારા પ્રેક્ટીકલ વિચારો વાંચી આનંદ થયો. ભગવાન તમારું ભલું કરે. (God Bless You)
LikeLike
પૂજ્ય શ્રી રમણકાકા ,,,તમારા વિચાર સારા છે કે આ “મોર્ડન યુગ “માં બીજા ને તકલીફ આપવા કરતા શાંતિ નો માર્ગ પસંદ કરવો ,,,,
“હું મજબુતપણે માનું છું કે, સમ્પુર્ણ નીવૃત્ત વડીલોએ સન્તાનોનાં ઘર-કુટુમ્બ છોડી, વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જવું જ જોઈએ. આપણો સમાજ શરમાશરમી તથા લોકાપવાદનાં જરીપુરાણાં ભયશંકાથી દમ્ભી બની ગયો છે. માબાપને સાથે રાખવાનું ગમતું નથી, ‘ગમતું નથી’ – એ કરતાં એમ જ કહેવું જોઈએ કે ‘ફાવતું નથી’, તો સન્તાનોનો જ કોઈ મોટો દોષ છે એવું તારણ એમાંથી નહીં કાઢવું: ઘરમાં વીજળીક મીક્સર-ગ્રાઈન્ડર મશીન વસાવ્યાં પછી, નકામો પડેલો પથ્થરનો મોટો ખલ પગમાં અથડાયા કરતો હોય એ કોને ગમે ? આ ઉપમાને દ્વીઅર્થી પણ સમજી શકાય: કેટલાક વડીલો વળી ખરેખર ‘ખલ’ પણ હોય છે.”તો જાતેજ તેમાંથી સ્વમાનભેર ઉતમ માર્ગ શોધી કાઢવો ,,પણ સ્વેછેયાએ આ માર્ગ અપનાવીને પણ દિલ નો જે ખૂણો હંમેશા “કકળતો” રહે તેના માટે શું કરવું ? નામ ભલે “આનંદ ધામ ” હોઈ પણ જીવન ની આ પાનખર ઋતુ માં સંતાનો ની લાગણી અને અને હૂફ ના બે વાક્યો જે આનંદ અને માનસિક શાંતિ આપે તેવો આનંદ ગમે તેટલું 5star હોટેલ જેવું” આનંદ ધામ ” પણ ન આપી સકે એવું હું દ્રદ્પને માનું છું,,,,,
LikeLike
Somnath Mahadev Road per Bharatbhai ane Chandrikabhabhi amara ghar [Guru Smruti] ni barabar baju ma j raheta hata. Mane e samay yaad avi gayo.
Khub saras upayogi lekh chhe.Abhinandan.
Mahiti apava badal khub khub abhar.
Pallavi Mistry.[pallavimistry@yahoo.com]
LikeLike
સમાદારની વાત અત્યંત મહત્વની છે. બંને પક્ષે બાળકો અને વડિલોએ પોત પોતાની મર્યાદાઓ અને સાથો સાથ સમય અનુસાર એક બીજાને અનુકૂળ થતા રહેવું જોઈએ ! આપણાં દેશમાં પ્રવર્તતી સંયુક્ત પરિવારની પ્રથા નામ શેષ થઈ રહી છે અને સાથોસાથ આયુષ્યની લંબાઈ વધી રહી છે. જે શરેરાશ 50-55ની ઉમર ગણાતી તે હવે 65-70 કે તેથી પણ વધારે થઈ રહી હોય આવા વડિલો અને બાળકો સાથે રહેવાના પ્રશ્નો સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. જો મારી યાદ દાસ્ત દગો ના દેતી હોય તો શ્રી ગુણંવત શાહે વૃધ્ધા વસ્થા કેમ વીતાવશો તેવા સંદર્ભ સાથેનું એક સુંદર પુસ્તક કે લેખ લખેલો છે જેમાં વડિલો અને બાળકોએ અરસ પરસના એક જ ઘરમાં રહેતા હોવા છતાં કેવા હોવા જોઈએ તે વિષે ખૂબજ સુંદર સમજ આપી છે. વૃધ્ધાશ્રમ એ જ માત્ર વૃધ્ધો માટેનું આખરી સ્થાન નહિ ગણાવું જોઈએ તેમ છતાં સાથે રહેવા માટે જ્યારે કોઈ માર્ગ બાકી ના જ રહે તો આપે દર્શાવેલ તેવા આદર્શ વૃધ્ધાશ્રમ હોય કે જ્યાં વૃધ્ધોનું સન્માન અને કોઈ પ્રકારની ફરજ સમુહ પ્રાર્થના જેવી પણ ના હોય તેવા વધુ અને વધુ બનવા જોઈએ !
તદ ઉપરાંત આપની છેલ્લી વાત પણ મને ખૂબ જ ગમી
” ભરતવાક્ય”
“ઉત્તમ તો એ જ કે, દીનપ્રતીદીન વધ્યે જતા આત્મહત્યાના બનાવોને લક્ષ્યમાં લઈ, સ્વેચ્છામૃત્યુ (સ્યુસાઈડ) અને દયામૃત્યુ (મર્સીકીલીંગ) જેવી કાનુની સુવીધાઓ વીશે સમાજશાસ્ત્રીઓએ વીચારવું જોઈએ. માણસ સુખમાં સારી રીતે જીવી શકે, તો દુ:ખમાં કષ્ટ (પીડા) વીના મરી શકે, એવી વ્યવસ્થા કાયદેસર કરવી, એ પણ (જીવનના) સુખનો જ એક પ્રકાર લેખાય. જીવતાં જીવતાં માણસને કદીક મૃત્યુનીય જરુર પડી જતી હોય છે. આમ, મૃત્યુય જીવનજરુરીયાતની ચીજવસ્તુ જ બની રહે છે.”
LikeLike
‘આનંદધામ..” ની આપની ચર્ચા ગમી. હાલ જ્યારે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે, અને નોકરી/વ્યવસાય અર્થે ગમે ત્યા ગમે ત્યારે જવુ પડતું હોય એ સમયે આપણા સંતાનો પાસે સેવાની અપેક્ષા રાખવી યોગ્ય ના લાગે. જોકે એ વાત પણ એટલીજ સાચી છે કે અંગત વ્યક્તિનો પ્રેમજ માણસને સંતોષ આપી શકે, જેમને માટે આખી જીદગી દુઃખો વેઠ્યા હોય તેઓજ જરુરિયાત ના સમયે આપણને બિન જરૂરી સમજી તરછોડે એનું દુંખતો થાયજ!
‘સાજ’ મેવાડા
LikeLike
Dear Friends,
We all should follow this golden rule in our life ” Live & Let us live “. We all are human beings. What goes around comes around.
My mom lives with me after my dad passed away. I feel very happy to help my mom. Always try to help others with out expecting any rewards in life. It is a great joy to help others.
It is a very good article.
THanks so much.
Pradeep H. Desai
Indianapolis, USA
LikeLike
સુંદર લેખ.
LikeLike
વ્રુધ્ધાશ્રમ અને વડિલો.
આજ્કાલ વ્રુધ્ધાશ્રમો ની નીન્દાની ફેશન થઈ ગઈ છે.જુની પેઢી વતવાતમા નવી પેઢી ને ” સાવ બગડી ગયા છે” ” શરમ કે મર્જાદ જેવું કશું રહ્યું નથી તેમ કહ્યાઅરે છે.સાચી વાત એ છે કે જુની પેઢીની અપેક્શઓએ મઝામુકી છે. આજના જમનામા વડિલોને સાચવવા તે પહેલા જેટલું સરળ રહયું નથી.જગાની તંગી, મોઘવારી,નોકરીની ઇન્સીક્યુરીટી આ બધાને કારણે આજની પેઢી એક તનાવપુર્ન વાતાવરણમા જીવે છે.બ્બળકોના હોમવર્ક માથી ગ્રુહીણી ઉન્ચી નથી આવતી.અરે એને પોતાના વર સાથે બેસી ને વાતકરવાનઓ સમય નથી ત્યાંતે કેવી રીતે સસુ સસરા પાસે બેસી શકે ? કેવી રીતે આઠ વાગે ને એમનુ ભાણુ પીરસે ?એમા કરાક મોડુ વહેલું થાય કે થાળીમા બે વસ્તુ ઓછી હોય તો તે ચલાવી લેવાના બદલે મહેણા ટોણા શરુ થઈ જાય.” અમે તો બેન, સાસુ ને જમાડી નેજ જમતા, રોજ કચુંબર, પાપડ તો હોય્જ ને આજે જુવો આ બે વસ્તુ પીરસી દીઢી ને હાલ્યા એમના રુમ મા, અમે તો ઇ જમી લે ,ત્યાં સુધી સામે ઉભા રેતા” વિ.વિ.વધુ લા>બુ નથે લખતો પણ આ પરિશ્થિતિમા વ્રુધ્ધાશ્રમ એક સોલ્યુશન છે. એમ હું માનું છુ.
Iam noy young ,I am m72 year old.
LikeLike
નમસ્તે દાદાજી, આપણે આવી રીતે નિરાશ થવાનુ કોઈ કારણ નથી. આજે સર્વ કોઈ લાચારીનુ જીવન જીવી રહ્યા છીએ. સૌને બધુ જ જોઈએ છે, કોઈ ને જતુ કરવુ જ નથી. કેમ કે આ મોર્ડન ભણતર જતુ કરવાનુ નહિ પણ યેન્કેન પ્રકરેણ ભેગુ જ કરવાની માસ્ટરી શીખવે છે. એનો ભોગ બને છે યુવા કે પ્રૌઢ દંપતી, એકબાજુ ભણતા બાળકો અને ઘરડા મા-બાપ, સાસુ-સસરા, નણંદ, દીયરીયો, જેઠીયો, સગાઓ, નહિ તો પાડોશણો તો છે જ ને, તેઓ આવી આવીન ઘરની ડોશીના કાન ભંભેરે, ડોશી ડોસાના, એમાં બીચારી ઘરની નવપરણીતા કે પ્રૌઢ પુત્ર વધુની પર ભાર આવી પડે છે, અને એ ભાર ભાઈના માથે એટલે એ પણ આ બધી પળોજણમાંથી છુટવા, પોતાને એમ.બી.એ. શીખવનારા, કાળજાના કટકા જેમ પોષનારા મીઠા ઝરણાને જ ખારા સમંદરમાં ફેંકી આવે છે. શુ કામ? ખબર છે ? ફક્ત અને ફક્ત ભૌતિકવાદી… તુચ્છ જીવનનો આનંદ માણવા. કેમ કે હવે લોકોને ધાર્મીક વાતો સાંભળવી ગમતી નથી, દાદાઓ પણ અમિતાભના રવાડે ચડી ગયેલા છે ને જવાન સ્ત્રીઓની દોસ્તી કરવામાં. સૌ ને સાંજ પડે દ્વીઅર્થી કોમેડી, ડાન્સ, કાલ્પનિક ધારાવાહિનીઓ, ગીતો પિક્ચરો જોવાનો શોખ જાગ્યો છે, ટીવીએ અને ધન ની પ્રચુરતાએ આ નક્ખોદ વાળ્યુ છે. કોઈને પાસી ગીતા-ઉપનિશદો, બાઈબલ, કુરાન, કે ધાર્મીક વાતો જાણવાનો સમય જ નથી. જીવનની સચ્ચાઈ જાણવાની ફુરસદ નથી. અને માયાવી જાળમાં હવે તો સર્વ કોઈ ફસાઈ ગયેલા જ છે. કોને ખબર કાલે શું થવાનુ. વ્રુધ્ધોને જ ખબર નથી, તો યુવાનોની શી વાત કરવી. ચોરની મા…કોઠીમાં મોઢુ ઘાલીને જ રડે છે ને.
હુ પણ આ મહિને ૧૧ તારીખ ૪૯ માં કુદ્યો છુ…જોઈએ પ્રભુ ની ઈચ્છા શું છે? આ તો માનવ માનવનો સ્વાર્થી પ્રેમ છે, આત્મિક પ્રેમ માં દુખ ન થાય…..
LikeLike
very nice article..
LikeLike
સરસ આર્ટિકલ…
LikeLike
શ્રી ગોવીંદભાઇ, લેખ તો વિચારપૂર્ણ રહ્યો, પરંતુ પ્રતિભાવો વળી વધુ વિચારપૂર્ણ રહ્યા !!
લેખ એક વખત વાંચી અને ગળે ન ઉતર્યો !! પછી બહુ વિચાર કરતા અને આસપાસની બનેલી ઘણી ઘટનાઓને યાદ કરતા લાગ્યું કે આ લેખમાંથી માર્ગદર્શન મળે તો છે જ. સમાજની નક્કર હકિકતોને સ્વિકારવી જ રહી. ’જો’ સંતાનો વૃદ્ધોની યથાયોગ્ય સારસંભાળ ન રાખી શકતા હોય તો પછી લોકાલાજનાં ખોટા દંભને છોડી અને કોઇ સારા વૃદ્ધાશ્રમનું શરણ લેવું જ રહ્યું. આપણી પ્રાચિન સંસ્કૃતિમાં પણ આ સગવડ હતી જ. (વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ) એટલે ’જમાનો ખરાબ આવી ગયો છે’ એવી કોઇ વાત પણ નથી.
ભર્તૃહરિએ તેમના વૈરાગ્યશતકમાં પણ આવો જ ઉલ્લેખ કરેલો છે, જો કે ત્યારે કદાચ આજ જેવી વૃદ્ધાશ્રમોની સગવડ કે વૃદ્ધાશ્રમો ચલાવનાર સેવાભાવી લોકો નહીં હોય (નથી લાગતું કે જમાનો પહેલા કરતા ઘણો સારો છે ?) તેથી તેમણે ’શ્વાનની જેમ અપમાનો સહન કરી અને સંસારમાં પડ્યા રહેવા કરતા’ સંન્યાસ ગ્રહણ કરી જાતને કુદરતને ખોળે મુકવાની તરફેણ કરી છે. (ટુંક સમયમાં, વાંચનયાત્રા પર, આપને આ શતક પણ વાંચવા મળશે)
જો કે સમાજ અને સમાજશાસ્ત્રીઓ આ બાબતે હજુ વધુ સારો માર્ગ દર્શાવી શકે તો ઉત્તમ બાકી ત્યાં સુધી, બાળકોને જેમ ’ન છુટકે’ ઘોડીયાઘરોમાં મુકવા તે નિંદનીય નથી લેખાતું તેમ વૃદ્ધોએ પણ ’ન છુટકે’ વૃદ્ધાશ્રમમાં રહેવું પડે તે, બન્ને પક્ષે, નિંદનીય ન જ લેખાવું જોઇએ.
આપનો અને શ્રી રમણભાઇનો આભાર.
LikeLike
આપનો લેખ સરસ છે . તેમાં પણ જે વડીલો પોતાનું માન જાળવવું પોતાના જ હાથમાં છે તે તદન સાચી વાત છે..સમરૂપ અને સમભાવ રાખી બે પેઢી સાથે રહે તો તેના જેવું ઉત્તમ બીજું કૈજ નથી પણ જો તે શક્ય ન બને તો મન તૂટે તે પહેલા સમજણથી વૃધ્ધાશ્રમ સ્વીકારવો તેમાં આમ જોઇએતો આપના વેદ-પુરાણ માં આવતી મોટી ઉમરે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવા જેવી જ વાત છે…..
મેં જોયું છે કે વૃદ્ધાશ્રમની મુલાકાતે આવતા લોકો દયાભાવ કે બીચારાપણા ની દ્રષ્ટિએ ત્યાં રહેતા વૃધ્ધોને જોતા હોય છે તે જ્યાં સુધી નહી બદલાય ત્યાં સુધી સ્વેચ્છાએ જવા કેટલા તૈયાર થશે…???
મેં ઘણા એવા પણ જોયા છે જે તેમની વેદના કે પીડા ને ખુરેદીને કોઈ કથાબીજ શોધતા હોય…!!! પણ સાથે મને એ પણ લાગે જ છે કે જો વડીલ મિત્રો સંતાનોના ઘરમાં જ રહીને તેમના બાળકોને પ્રેમ , વાત્સલ્ય અને હુંફ આપે તો તેના જેવું ઉત્તમ બીજું કઈ જ નથી…કદાચ કુમળી વયના બાળકોની તકલીફો ઘણી ઓછી થઇ જાય કારણ કે આજના જમાના માં જયારે માં-બાપ બન્ને ને કમાવાની જવાબદારી હોય ત્યારે તેમાં ભીંસાતા બાળકો માટે બા-દાદા ઉત્તમ સાથી બની રહે… વડીલ મિત્રોએ પણ પોતાના સંતાનો ના સંતાન ને ઉછેરવામાં મદદ કરવામાં નાનમ ન અનુભવવી જોઈએ . આપના પ્રતિભાવ જણાવશો.
LikeLike
સુંન્દર લેખ. રમણભાઇ હવે બારડોલીના ઘરની માયાથી મુક્ત થઇ ગયા?
LikeLike