હીન્દુ ધર્મ તાપી નદી જેવો છીછરો છે ?

હીન્દુ ધર્મ તાપી નદી જેવો છીછરો છે ?

હાલમાં નદીઓમાં મુર્તીઓ ડુબાડવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. નદી, કુવા, તળાવો, સમુદ્રો વગેરે પાણીના સ્રોતો, સમગ્ર જીવસૃષ્ટી માટે જીવનદાતા છે. એની અન્દર દેવી–દેવતાઓની મુર્તીઓ ડુબાડી ડુબાડીને આપણે ઈશ્વરે સર્જેલી આ અપ્રતીમ સૃષ્ટીનું અહીત જ નથી કરતા; પરન્તુ આપણાં પોતાનાં અને આપણાં સન્તાનોનાં ભવીષ્ય સાથે ચેડાં કરી રહ્યા છીએ.

હીન્દુ ધર્મ આજના જેટલો જડ અને રુઢીગત ક્યારેય ન હતો. સમયની સાથે સાથે આ ધર્મે વીશાળ મન રાખીને અનેક ક્રાન્તીકારી પરીવર્તનો આ ધર્મમાં સ્વીકાર્યા છે. જેમાં બાળવીવાહ, વીધવાવીવાહ, હરીજનો સાથેની અસ્પૃશ્યતા જેવા વીષયો ઉપર જે તે સમયે અનેક સન્તોએ હીન્દુ ધર્મીઓને ઉચીત માર્ગદર્શન આપ્યું છે. પરન્તુ છેલ્લાં પચાસેક વર્ષથી હીન્દુ સન્તોએ હીન્દુ ધર્મીઓને  આવું માર્ગદર્શન આપવાનું  જ બન્ધ કર્યું છે !

લોકો જડ રુઢી પ્રમાણે દર વર્ષે હજારો મુર્તીઓની  દેખાદેખીથી સ્થાપના કરે છે અને તેને નદી – કુવા – તળાવોમાં ડુબાડે છે. વળી, વર્ષો વર્ષ તેની સંખ્યા અધધધ કહી શકાય તે રીતે વધી રહી છે ! ગણેશજીની મોટી મોટી વીરાટ મુર્તીઓ બેસાડવાનું ક્યાંય નથી કહ્યું. તો આજના સન્તો આ મુદ્દે કેમ એક થઈ બોલતા નથી ? સન્તોએ એક મંચ ઉપર આવી પ્રજાને માર્ગદર્શન આપવું જરુરી છે.

સરકાર પણ આવનારા સમયમાં ઉભાં થનારાં જલ–વાયુનાં પ્રદુષણ અને પાણીની મહાતંગી વીશે જાગૃત બની, પાણીના કુદરતી સ્રોતો દુષીત ન થાય તે માટે કાયદા બદલી, સન્તોને  વીશ્વાસમાં લઈ, મુર્તીઓ પધરાવવા અંગે સ્પષ્ટ થવું જરુરી છે. હીન્દુ ધર્મીઓએ પણ સ્વસ્થ મને વીચારવું જરુરી છે કે વીરાટ મુર્તીઓની  સ્થાપના જરુરી છે ? શું એનાથી  વધારે પુણ્ય મળે છે ?

લોકમાન્ય ટીળકે જે સંજોગોમાં આઝાદીની લડત માટે પ્રજાને એક કરવા, ગણેશજીની સ્થાપના ચાલુ કરાવેલી તેવા સંજોગો આજે છે ખરા ? આજે દેશમાં જે ભ્રષ્ટાચાર, આતન્કવાદ, નકસલવાદ, જાતીવાદ, સરકારી જોહુકમી, વંચીતોની સમસ્યા જેવા પ્રશ્નો ઉભા થયા છે, તેમાં આ મુર્તી સ્થાપના મદદરુપ છે ? કેમ આપણે  આ બધા અન્યાયો સામે લડવા એક નથી થતા ? હીન્દુ ધર્મે વખતો વખત જે તે સમયાનુસારનાં પરીવર્તનો સ્વીકાર્યાં જ છે; તો આજે આપણે નદી–તળાવોમાં મુર્તીઓ ન ડુબાડવાનો સંકલ્પ કેમ ન કરીએ ? હીન્દુ ધર્મ, આજની તાપી નદી જેવો છીછરો ક્યારેય નથી બન્યો. એ તો વીશ્વ સમસ્તનું કલ્યાણ ઈચ્છનારો ધર્મ છે. યુવાનો આવી ક્રાંતી માટે આગળ આવે.

જીતેન્દ્ર બી. પાનવાલા

લેખક–સંપર્ક :

બી-18, દીનદયાળ સોસાયટી, પાલનપુર પાટીયા, રાંદેર રોડ, સુરત – 395 007. ફોન – 0265 276 1639 સેલફોન: 9824153186

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર વીભાગમાં તા.24/06/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

અક્ષરાંકન– ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 31/072010

55 Comments

  1. જેમ હીન્દુ ધર્મ માં ગણેશ ની મુર્તીને નદીમાં ધામધુમથી ડુબાડવામાં આવે છે અને જેને ધર્મનો એક ભાગ સમજવામાં આવે છે, તેવીજ રીતે અમારા મુસ્લીમ ધર્મ માં પણ ઇસ્લામી પહેલા મહીના મોહર્રમ માં “તાજીયા” ને નદીમાં ધામધુમથી ડુબાડવામાં આવે છે અને ધર્મ ઝનુનીઓ આ પ્રથા ને પણ ઇસ્લામ ધર્મનો એક ભાગ માને છે.

    અંધશ્ર્ધ્ધાની પણ એક સીમા હોય છે.

    કાસીમ અબ્બાસ

    Like

  2. પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રુપે કેટલીક જગ્યાઓએ હવે પર્યાવરણને

    અનુકૂળ મૂર્તિઓનું સ્થાપન વિસર્જન જોવા-જાણવા મળે છે.હજુ ખૂબ જન જાગૃતિના

    પ્રયાસ કરવા પડશે.અહીં અમેરિકામા તો આ અંગે સમજણ અને સખ્ત કાયદો

    હોવાથી પૂજા સામગ્રી વિસર્જનમાં પણ પર્યાવરણનો ખ્યાલ રખાય છે.

    Like

  3. હિન્દુ ધર્મ છીછરો નથી. પોતાની જાતને

    હિન્દુ ધર્મી કહેવડાવનારા હિન્દુ ધર્મને

    જાણતા નથી.

    પાડાને વાંકે પખાલીને ડામ શાકાજે?
    visit
    http://www.pravinash.wordpress.com

    Like

  4. ગોવિંદ સાહેબ તમારી વાત થોડે અંશે સાચી છે… કે ગણેશની મૂર્તિઓને નદીમાં ડુબાડવામાં આવે છે.. એનાથી જળ પ્રદૂષણ ફેલાય છે….પણ એ પ્રદૂષણ કેટલું લાંબુ ચાલે છે????? કદાચ ૧ મહિનો…. જો એના કારણે નદી પ્રદુષિત થતી હોય તો…. કારખાના અને કેમિકલની ફેક્ટરીમાંથી નીકળતા કચરા જે નદીમાં ગેરકાનૂની રીતે ઠાલવવામાં આવે છે….. એનું શું????? તાજેતરમાં જ મેક્સિકોની ખાડીમાં બ્રિટીશ પેટ્રોલીયમ નામની કંપનીની પાઈપલાઈન સમુદ્રમાં તૂટી ગઈ અને હજારો ગેલન પેટ્રોલ સમુદ્ર વહી ગયું…. લાખો જળચર જીવો અને પંખીઓ મૃત્યુ પામ્યા… અથવા ઈજાગ્રસ્ત થયા…. અને જળ પ્રદૂષણ કેટલું થયું એ મારે કહેવાની જરૂર છે????? ધર્મ એ શ્રદ્ધા અને આસ્થા નું પ્રતિક છે…. તમે એમ પણ કહ્યું કે… મોટી કે વિશાળકાય મૂર્તિની શી જરૂર છે??? સાચી વાત છે….. પણ આમાં પણ હિંદુ ધર્મ પાછળ રહી ગયો છે….. ભગવાન બુદ્ધ ની મૂર્તિ તો તમે જોઈ જ હશે…. વિરાટકાય… આખાને આખા પહાડ માં કોતરેલી…. રોમ અને ગ્રીસમાં રોમન દેવી-દેવતાઓની મૂર્તિઓ આગળ તો હિંદુ ધર્મ બહુ જ પાછળ રહી ગયો છે…. એટલેજ હિંદુ ધર્મની સારી બાજુઓને સમાજ આગળ લાવશો તો એ સમાજ માટે વધારે હિતકર સાબિત થશે.

    Like

    1. Pointing fingers to BP for Mexico spill or siting examples of lager idols by other religion just cannot justify the nuisance and pollution caused by the idol immersions in the public water bodies.

      Like

      1. ગણેશજીની મૂર્તિઓને નદીમાં ડૂબાડવાથી કેટલું નુકસાન થયું છે? કેટલા લોકોના જાન ગયાં છે. કેટલા જળચર પ્રાણીઓ અને પંખીઓના જાન ગયાં છે…..પ્રજાને કેટલી હાડમારીઓ વેઠવી પડી છે???? એનું મને લીસ્ટ આપશો. પુરાવા સાથે…… ૧૦૦ વર્ષોથી ગનેશઉત્સવ ઉજવવામાં આવે છે.પણ તેનાથી જેટલું નુકસાન થયું હશે એના કરતા વધારે નુકશાન ૫૦ વર્ષો કે તેનાથી ઓછા વર્ષોમાં કારખાના ના ધુમાડા અને રાસાયણિક કચરા જે નદી માં ઠાલવવામાં આવે છે…તેનાથી વધારે નુકશાન થયું છે…અને ફક્ત ૨ મહિનામાં જ મેક્સિકોની ખાડીમાં તેલ રસાવના કારણે થયું છે અણી સામે તો ગણેશજીની મૂર્તિઓ કઈ જ નથી…..હા ગણેશ ઉત્સવ વર્ષમાં ૧ વાર આવે છે…જયારે કારખાના ૧૨ મહિના ૨૪/૭ ચાલે છે….અવે તમે જ કહો કે વધારે પ્રદૂષણ કોણ ફેલાવે છે????? અનો વિરોધ કરો…..અને ધર્મની સારી બાજુ લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન કરશો તો આમાં સમાજ નો વધારે ફાયદો થશે…..

        Like

  5. Thanks for pointing out the problems in our daily living. About the idol immersion in recent years much is said to bring the problem(s) in light and at the same time people and governments have started suggesting and acting to improve the situation. Following are some examples of both the kind:

    About 13,100 results

    PROBLEMS:

    1 .JASEM ISSN 1119-8362
    All rights reserved
    J. Appl. Sci. Environ. Manage. December, 2007
    Vol. 11(4) 37 – 39
    Full-text Available Online at
    http://www.bioline.org.br/ja
    Heavy metal contamination cause of idol immersion activities in urban lake bhopal,
    India
    1*VYAS, ANJU; 2BAJPAI, A;3VERMA, N; 4*DIXIT, S
    1Research scholar,Govt. Geetanjali. G. P.G. College, Bhopal, M.P., India, Address Flat 3,41Lorne Road
    Harrow,Middlesex, London, UK HA3 7NH, Phone ++44 07958798799, email anjuv22@rediffmail.com
    2 LCA, Environmental Planning and co-ordination Organization (EPCO), Bhopal, M.P., India, PIN 462016, Phone 91-0755-
    2767973, bajpai_avinash@rediffmail.com
    3 Lecturer, Applied Chemistry Department, Maulana Azad National Institute Of Technology, Bhopal & Research
    scholar,Govt. Geetanjali. G. P.G. College, Bhopal, M.P., India PIN 462016, Phone 91-0755-2762515, email
    neelam_15@rediffmail.com
    4* Applied Chemistry Department, Maulana Azad National Institute Of Technology, Bhopal, MP, India, PIN 462007, Phone
    91-0755-2428155, e-mail savitadixit1@yahoo.com
    ABSTRACT: Water resource of the earth is part of a finite close system, and in any time period when
    population are rising, the per capita amount of water available is inevitably decreasing. Water quality of lake are
    normally get contamination every where by accumulation of sediments, human waste, sits organic matter,
    industrial waste but in India different type of religious activities (Idol immersion) are take place every year to
    which other country are not concern. The water body selected for the study is Upper lake of Bhopal, M.P., India.
    The immersion of idol of Lard Ganesh and Goddess Durga during Ganesh Ustav and Navratris festival is a
    major source of contamination and sedimentation to the lake water. The idol are been made up of Clay, Plaster
    of paris, cloth, paper, wood, thermocol, jute, adhesive material and synthetic paints etc. Out of the all martial
    used in making the idol, thermocol is Non-Biodegradable while paints contain heavy metals such as Chromium,
    Lead, Cadmium and Mercury. The present study was under taken to evaluate heavy metals. The findings of the
    study Increase Heavy Metals contamination after idol immersion, nickal,lead and mercury may magnify in their
    concentrations at different tropic levels, including in fishes and birds inhabiting the lake, which finally reach the
    humans through food. @JASEM

    2. http://desicritics.org/2008/08/19/113029.php

    SOLUTIONS( Links):

    1. http://www.cpcb.nic.in/upload/NewItems/NewItem_159_Guideline_for_Idol_Imersion.pdf

    2. http://ecolocalizer.com/2008/10/18/need-holistic-approach-to-clean-up-holy-yamuna/
    3. http://mpcb.gov.in/images/Guidelinesforimmersion.pdf

    Jay Thakar

    Like

  6. પાનવાલા સાહેબ સુરતના છે એટલે તેમણે તાપી નદીનો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં હિંદુ ધર્મ કહેવું તે બરાબર નથી પણ તેને સનાતન ધર્મ કહી શકાય. આપણાં ધર્મમાં સમગ્ર વિશ્વના સારા વિચારોને આવરી લેવાની ક્ષમતા છે. તે નાનામાં નાના બાળકથી લઈને મરણપથારીએ પડેલ વૃદ્ધ સુધી સહુ કોઈનું કલ્યાણ ઈચ્છનારો ધર્મ છે. મુર્તિની સ્થાપના થી લઈને ઉથાપન અને જળસમાધિ સુધીના રીવાજો પાછળ તાત્પર્ય એટલું જ છે કે હોવું, જન્મ થવો, ઉત્સવ મનાવવો, છુટા પડવુ અને વિસર્જન થવું આ પ્રકૃતિની અંદર નીરંતર ચાલતી પ્રક્રીયા છે. દુષણ અને પ્રદુષણ બાબતમાં તો એવું છે કે માટીમાંથી ઉત્પન્ન થયેલ ગણેશ ફરી પાછા માટીમાં મળી જાય તો તેમાં ખાસ દૂષણ કે પ્રદુષણ ન કહી શકાય. પરંતુ અનેક લોકો જે ઉત્સવનો આનંદ લે છે તે કરોડો રૂપીયા ખર્ચતા પણ મેળવી ન શકાય. જેમ જેને કમળો થયો હોય તેને બધુ પીળું દેખાય તેમ જેણે મુળ સનાતન ધર્મ સીવાયના અન્ય ધર્મો અપનાવ્યા છે તેને સનાતન ધર્મમાં એકલો દોષ જ દેખાય છે. પણ પીળું તો સુવર્ણ પણ હોય છે, અને આપણો સનાતન ધર્મ સુવર્ણ જેવો અને જેનું મૂલ્ય કદીએ ઘટતું નથી તેવો તુલના ન થઈ શકે તેવો અતુલ્ય છે.

    Like

    1. Nuisance created by noise and idol immersion cannot be denied. The argument that the idol created from soil and immersed in soil does not cause pollution seems absolutely incorrect to me. The hazards already explained by others in this blog should suffice to anyone with an open mind to accept the facts.

      Like

  7. દરેકેદરેક ગણેશસ્થાપન કરનારાઓએ મૂર્તિ માટીની બનાવવી જોઈએ અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ ના કરવો જોઈએ. વળી, આ મૂર્તિ અમુક સેંટીમીટર કરતા વધુ મોટી ના રાખવી જોઈએ.

    જે ખોટી બાબતો છે, એ ખોટી જ છે. તેના પ્રત્યે ધ્યાન દોરવું જરૂરી છે.

    Like

  8. ગોવિંદભાઈ,

    પ્લાસટર ઑફ પૅરીસ, મરક્યુરીવાળા ટૉક્ષીક પૅઈન્ટસ તેમજ થરમોકોલ જેવી સામગ્રીમાંથી બનેલી દેવી–દેવતાની મૂર્તિઓનું જળાશયોમાં વિસર્જન કરવાથી જે ભયંકર પ્રદુષણ થાય છે તેમાં કોઈ શંકા નથી. આ પ્રદુષણ રોકવા સરકાર પગલા લે એ આશાએ બેસી ન રહેવાય. ભણેલા ગણેલા સમાજે સાદી માટી તેમજ કુદરતી તત્વો કે જે બાયોડીગ્રેડૅબલ (biodegradable) માંથી બનેલી મૂર્તિ ખરીદવાનો જ આગ્રહ રાખવો જોઈએ જેથી આ જાતનું પ્રદુષણ રોકી શકાય. પર્યાવરણની અવગણના કરીને ધર્મની વાતો ન થાય.

    ગણેશ વિસર્જન પછીનો દરિયાકિનારો જોવો હોય તો નીચેની URL લીન્ક cut and paste કરી એ વેબસાઈટ પર જઈ એમાં મૂકેલા ચિત્રો જૂઓ.

    http://ultrabrown.com/posts/the-battle-of-kurukshetra

    વિજય ધારીઆ
    શિકાગો (યુ.એસ.એ)

    Like

  9. દેખાદેખીની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. મારે દરરોજ તાપી નદી સરદાર બ્રીજ પરથી પાર કરવાની હોય છે.એટલે છેલ્લા એક વર્ષથી તાપીની જે દુર્દશા થઈ છે, તેવી દુર્દશા પહેલા ક્યાંરેય જોઈ નથી. જો કે ઈ.સ. ૨૦૦૬ના વિનાશક પુરને કારણે પણ તાપીનો કિનારો છીછરો થઈ ગયો છે, તેવું મારી જાણકારીમાં છે. ગણેશોત્સવના લીધે પર્યાવરણ પ્રદુષિત થાય છે તે ચોક્કસ છે.

    Like

  10. હીન્દુ ધર્મ તાપી નદી જેવો છીછરો છે ?
    ના પણ આપણાં હિન્દુમાંના કેટલાંક લોકોની માનસિકતા જરૂર છીછરી છે. તેઓ ખોટી માન્યતાઓ અને માનસિકતા થી ધર્મ અને વાતાવરણને દુષિત કરવામાં જ પ્રયત્નશીલ હોય છે. આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ વિશે ચિંતિત છે જયારે આપણે બિન્દાસ ધર્મના નામે પ્રકૃતિ સાથે ચેડા કરી પુણ્ય કમાવવા ના રસ્તે છીએ. આના માટે મ્યુનીસીપાલીટીએ જ આવા તહેવારોને શાંતિ અને પ્રતીકાત્મક રીતે ઉજવવા માટે દિશા નિર્દેશ જાહેર કરવા જોઈએ જેમકે નાની અને માટીની જ મૂર્તિ હોય .

    Like

  11. હીન્દુ ધર્મ તાપી નદી જેવો છીછરો છે ?

    ઉપરોક્ત શીર્ષકવાળા ચર્ચાપત્રની ચર્ચા કરતા પૂર્વે ” હિંદુ” શબ્દ વિષે પ્રાથમિક અને પાયાની માહિતી વાચકો પાસે હોવી જરૂરી છે. જેથી કરીને વાચકો શુદ્ધ અને પૂર્ણ ચર્ચા કરી શકે. આ અંગેની થોડીઘણી માહિતી આ લીંક ઉપરથી મળી શકશે.
    https://govindmaru.wordpress.com/2010/03/30/vijay-chauhan/

    Like

  12. વડોદરામા નદી નથી.ત્યા સુરસાગર તળાવમાં મુર્તીઓ ડુબાડે છે.મે પોતે તે તળાવમાં બહુ મોટી સાઇઝના કાચબા પહેલા જોયા હતા.હવે એક પણ ના મળે.એક નાનુ બાળક એના પર બેસીને ફરી શકે તેવી સાઇઝના કાચબા હતા. તીલકે શરુ કરેલુ ને? કોઇ વેદો માંથી તો આદેશ ટપકેલો નથી ને? પણ પછી ગણેશોત્સવના નામે ઉઘરાણા કેમ ના થાય? ખાણી પીણી અને દારુ વિગેરેના જલસા કેમના થાય? એક રાજકીય પ્રવ્રુત્તિ હતી, હવે ધર્મ બની ગયો? બીજા દેશોવાળા મુરખ બને એટલે આપણે પણ બનવાનુ???

    Like

  13. શ્રી જીતેન્દ્રભાઇનો ટુંકો ને ટચ અને એક મુદ્દાને સ્પષ્ટપણે પ્રકાશિત કરતો લેખ. ખાસ તો ’હીન્દુ ધર્મ આજના જેટલો જડ અને રુઢીગત ક્યારેય ન હતો…’ વાળો ફકરો હાઇલાઇટ કરવા જેવો ગણાય. સાવ સાચી વાત છે, સમયાનૂસાર પરિવર્તનો ન પામે તો કોઇ પણ ધર્મ જીર્ણ થતો જાય છે. હીન્દુધર્મ હંમેશાથી પરિવર્તનશીલ રહ્યો છે, પરંતુ કદાચ હવે જડતા પકડતો જાય છે ! આજ એ ધર્મ છે જ્યાં વિવેકાનંદ અને દયાનંદ જેવા મહાત્માઓ આના કરતા પણ ક્યાંય કઠોર શબ્દોમાં આ ધર્મને સાચું માર્ગદર્શન કરી ચુક્યા છે. અહીં તો લેખકશ્રીએ, મારા મતાનૂસાર, ફક્ત પર્યાવરણની ચીંતાને કારણે એક અપનાવવા યોગ્ય સુચન આપ્યું છે. તેના પર વિચાર કેમ ન થઇ શકે ? અને ફક્ત ગણેશપૂજા જ નહીં અન્ય પણ કેટલાયે ઉત્સવો એવા છે કે જે પર સમય પ્રમાણે સુધારાઓ કરી શકાય, આપણા ઘણા ઉત્સવો હવે ધર્મ કે સંસ્કૃતિને નામે (ખરેખર તો તેને ધર્મ કે સંસ્કૃતિ શાથે કશું સંધાન રહ્યું જ નથી) સ્થાપિતહિતોને ધન કમાવાના અને અવનવા પ્રદુષણ ફેલાવવાના કારણરૂપ જ બની ગયા છે. અન્ય લોકો આમ કરે છે તેથી આપણે પણ કરવું તેવો અભિગમ એજ દેખાદેખી !! અને હીન્દુધર્મ (વૈદિક ધર્મ, સનાતન ધર્મ) અન્યોની દેખાદેખીને કારણે નહીં પરંતુ હજારોવર્ષના આપણા ચિંતનવારસાને અને કુદરત શાથે વધુને વધુ અનુકુલન સાધતી સંસ્કૃતિને કારણે આજે પણ ટકી રહ્યો છે. બાકી આ બધા તહેવારો કે ઉજવણીઓતો થોડાક સો વર્ષોથી થતી અને બદલતી રહે, અને બદલતી રહેવી જ જોઇએ.
    સુંદર અને વિચારયોગ્ય લેખ પ્રક્ટ કરવા બદલ ગોવીંદભાઇનો પણ આભાર.

    Like

  14. કાસીમ અબ્બાસ લખે છે કે ઇસ્લામી પહેલા મહીના મોહર્રમમાં “તાજીયા” ને નદીમાં ધામધુમથી ડુબાડવામાં આવે છે પણ તે પૂરુ સત્ય નથી. તે પહેલાના વખતમાં ઘણુ હતુ પણ હાલમાં વહાબી ઇસ્લામના દબાણમાં ઘણી ઓછુ થઇ ગયુ છે. વહાબી “તાજીયા” ને ઈસ્લામ વિરુધ્ધ બિદઅત ગણે છે. જ્યારે હીંદુઓમા લોકો પૈસાદાર થવાથી અને હીંદુત્વની હરીફાઇમાં ધાર્મીક કટટરતાનો ઘણો વધારો થયો છે. હવન અને રંગોલીમાં પણ ઘણુજ પ્રદુષણ થાય છે અને અનાજ અને પાણી વેડફાય છે. આવા પ્રયોજનમાં નેતાઓ પહેલી હરોળમાં હોય છે. જ્યાં સુધી નેતાઓ વોટ મેળવવાની હોડમાં હશે, પ્રજાનો અલ્લા બેલી. યૂરોપ અને અમેરીકામાં પબ્લીક પીવાના પાણીના જળાશયની નજીક પણ જઇ નથી શક્તી.
    અસગ઼ર વાસણવાલા

    Like

  15. નુકસાન કરનારી કોઈ પણ બાબતને વખોડવાનું અને સૌને તે માટે તૈયાર કરવાનું ચોક્કસ જરુરી છે. પરંતુ –

    આવી નુકસાનકર્તા બાબતો શું ફક્ત ધાર્મીકો જ કરે છે ?!

    અન્ય તત્ત્વો, અન્ય પ્રણાલીઓ, ઉદ્યોગો, રાજકારણીઓના જલસાઓ પછીનો ફેલાતો ભૌતીક અને બીજા અનેક પ્રકારનો કચરો, ઉઘાડા રહેતા ખાદ્યપદાર્થો, ઝેર ફેલાવતાં ખોરાકી કેન્દ્રો, દવાખાનાંઓ અને એનો કચરો, અણુવીજ્ઞાને કરેલાં નુકસાનો, વીજ્ઞાન ખુદે કરેલાં કેટલાંક માફ ન કરી શકાય તેવાં નુકસાનો –

    આ બધાં શું પ્રદુષણો ફેલાવતાનારાં અને જીવનને હાનીકારક નથી ???

    ધર્મના માધ્યમથી ફેલાતાં પ્રદુષણોને જરુર વખોડીએ, પરંતુ ધર્મ દ્વારા ઉમેરાતાં સારાં તત્ત્વોનેય ખોટાં ભાંડ્યાં કરવાનો શો અર્થ ? આ લેખનું શીર્ષક વાતને કેન્દ્રીય વીચારથી દુર લઈ જઈને જુદા જ પરીપ્રેક્ષે મુકી આપે છે.

    કેવળ ‘ધર્મ’ની જ વીરુદ્ધ વાતો કરવી; ધર્મનાં સારાં તત્ત્વોનુંય “સુકાંભેગું લીલું બાળવું”; ધર્મ સીવાયની બાબતો ગમે તેટલું નુકસાન કરતી હોય તોય તેને નજર અંદાઝ કરવી; હીન્દુધર્મ સીવાયના ધર્મો અંગે કશું ન બોલવું –

    આ બધું શું તાટસ્થ્ય બતાવનારું છે ? વીવેકવાદ ક્યારેક અતીશયોક્તીમાં સરી પડે ત્યારે તેનેય આત્મમંથને લઈ જવો જરુરી ખરો ?

    Like

    1. It is of no use pointing fingers to others (i.e. industries etc.) to defend the pollution caused by the religion as pollution caused by others cannot legitimise the pollution caused by the religion.

      Like

      1. જુગલકાકા,

        બહુ સરસ વાત કરી. ગોવિંદભાઈનો બ્લૉગ હું ખાસ્સા સમયથી વાંચું છું. એ વાંચ્યા પછી આપ જેવો સુજ્ઞ વાચક જે વાત કરે છે એની સાથે સહમત થયા વગર રહેવાતું નથી. મુદ્દો પ્રદુષણ નથી જ નથી. આ બ્લૉગ પર પ્રદુષણ અંગે કોઈ બીજો લેખ ભાગ્યે જ હશે. મુદ્દો ધર્મની ટીકાનો છે, જે બધા લેખોને સાંકળતી સમાન કડી છે. (common denominator)

        નીલેશભાઈ,

        આપની અન્ય કમેન્ટો પણ મેં વાંચી. આપની કમેન્ટ્સ આ લેખના સંદર્ભમાં છે અને એ બરાબર પણ છે.

        પણ મને લાગે છે ત્યાં સુધી આપને જુગલકાકાની કમેન્ટનો ઈશારો સમજાયો નથી.

        એમની કમેન્ટનું પહેલું જ વાક્ય વાંચશો એટલે આપને સમજાશે કે આ લેખમાં ઊઠાવયેલા મુદ્દા સાથે એમને કોઈ વાંધો નથી.

        પણ આ બ્લૉગ પર રજુ થતાં અનેક લેખો વાંચ્યા પછી એવું તારણ સહજ કાઢી શકાય કે ગોવિંદભાઈને ધર્મની ટીકા કરનાર લેખ લખે છે અથવા અન્યોના એવા લેખ અહીં પોસ્ટ કરે છે. આજે મુદ્દો પ્રદુષણનો છે અને એના સહારે ધર્મની ટીકા થઈ રહી છે. જો પ્રદુષણ અંગે જ તકલીફ હોય તો સર્વગ્રાહી વિચાર થવો જોઈએ પણ એવું અહીં જોવા નહીં મળે. કાલે મુદ્દો બદલાશે પણ ધર્મની ટીકા ચાલુ રહેશે.

        આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેમના મતે આ દેશની લગભગ તમામ સમસ્યાઓનું મૂળ ધર્મમાં છે. મારી દૃષ્ટિએ ગોવિંદભાઈ એમના પૈકી એક છે. હું એમાનો એક નથી. પણ લોકશાહીમાં ભિન્ન વિચારોનું મહત્વ છે અને તેથી મને ગોવિંદભાઈ પ્રત્યે આદર છે.

        જે રીતે ગોવિંદભાઈ ધાર્મિક લોકોને બીજી બાજુ બતાવે છે એમ જુગલકાકા અને મારા જેવા લોકો એમને સતત “બીજી બાજુ” બતાવવાનો પ્રયાસ કરીએ છીએ.

        આશા છે કે આપ સમજી શકશો.

        Like

  16. શ્રી પાનવાલાની સાચી વાત કહેવામાં ક્યારેય ખંચકાયા નથી. આવી વ્યક્તિ જયારે કંઇક કહે ત્યારે એ મુદ્દામાં વજુદ હોય જ છે. તાપી નદી આજે ખરેખર બહુ છીછરી બની ગઇ છે અને એને માટે જવાબદાર છે આપણી અણસમજુ ધાર્મિકતા. ધર્મનો અર્થ થાય છે ફરજ. આપણે આમ બેફામ મૂર્તિઓ ઠાલવીને, નદીને પૂરીને, પ્રદૂષિત કરીને કઇ ફરજ બજાવી રહ્યા છીએ? દસ દસ દિવસ સુધી મૂર્તિની પૂજા કરીને પછી એ મૂર્તિને કાદવ–કીચડના હવાલે કરનાર લોકોને ધાર્મિક કહેવા એ મોટો અધર્મ છે.

    Like

  17. It is true that the immersion of idols in water bodies are creating huge pollution and have become nuisance which is getting bigger and bigger every year.

    However, I do not agree with the assertions that the Hindu religion has embrassed changes with an open mind from time to time. The reforms like re-marriage of widows and banning of satipratha as well as reformers like Swami Dayanand Saraswati were resisted very strongly and brutally. It required relentless hard push by Raja Rammohan Rai and lifetime struggle to get the remarriages of widows acceptable to some extent. In the same way, it required Lord William Benting to ban the satipratha by law to reduce its occurence and still, we had witnessed the incidence of Sati Roopkunwar in Rajasthan only few years ago. The reforms proposed by Swami Dayanand Saraswati were opposed very vehemently and he was subjected to fatal physical attack many a times for his reformist agenda.

    In the light of the fact that the reforms were opposed and resisted vigorously and brutally in the past also, it is not possible for me to accept the assertion that the Hindu religion has been very open minded in accepting the changes or reforms in the past and I do believe that it is equally rigid and intolerant today as it was ever and all the religion in the world share the same characteristic when it comes to embrassing the change.

    There are very little chance of religion accepting change without compulsion. The only way out is legislative and executive action by the state to prevent such antisocial activities.

    Like

  18. Let me inform u all my views at this platform : It is the duty of administration to take action against any such activities done by any citizen or group who are involve in distortion of nature i.e. air , land water, greeneries, or even his own body or animal kingdom. It is a tragedy that vote bank grouping, religeous grouping, minority grouping etc such divisive grouping creation is the result of impotent , low moral leaders : (political or relegious ) for their wasted interests,prioritising self at the cost of others’ rights to live. As a medical practicenor I recommend to the extent of punishing or taxing all living with bad life style creating problems for them first and then secondarily affects surrounding. e.g. obesed peson should be taxes more than lean person or addicted persons should be taxed more because all these are distortin nature whithin not knowing the value of body as given free by GOD . In U.K. law is passed not to serve or add sugar in any food given in hospital to the patients. Can u imagine such revolutionary change in this country ? No. Why ? Lack of spirituality? Lack of moral courrage in leaders? or Live cosmetic life , cheating & pretending self and others at each second hand movement of clock. Now person of same wave length think tank should merge on such platform for unit in the interest of nature as whole . dr.desai.

    Like

  19. સંસ્કૃત નો એક પ્રોબ્લેમ છે કે એક શબ્દ નાં હજાર અર્થ કરી શકાય છે.અને તે સંસ્કૃત ની ખૂબી પણ છે.ધર્મ એટલે કોઈ કહેશે ફરજ,કોઈ કહેશે ધારણ કરવું,કોઈ કહેશે સ્વભાવ,અને કોઈ કહેશે ટીલાં ટપકા કરી ને ફરવું.કોઈ કહેશે કે મૂર્તિ બનાવો પ્રદુષણ ફેલાવો.એટલે બારડ ભાઈ આપને જે અર્થ કરવો હોય તે કરી શકો છો.હવે મૂળ મુદ્દો પ્રદુષણ નો છે.અને તેમાં ધર્મ ની આડ લેવાઈ રહી છે.જુગલ કાકા ની વાત સાચી છે,કે કંપનીઓ આના કરતા વધારે પ્રદુષણ ફેલાવે છે.પણ શું એના લીધે આ પ્રદુષણ ચાલુ રાખવું?મૂર્તિઓ ફક્ત માટી ની હોતી નથી.ભયાનક ટોક્સિક વાલા બીજા પદાર્થો હોય છે.સનાતન ધર્મ ની વાતો કરવાવાળા ને ખબર નહિ હોય કે દયાનંદ સરસ્વતીએ આખી જીંદગી મૂર્તિ પૂજા નો વિરોધ કર્યો છે.દયાનંદ ને ઝેર આપી મારી નાખ્યા છે તમારા કીલર ધાર્મિક લોકોએ.ધર્મ માં ઘુસેલી બદીઓ ને દયાનંદે અને વિવેકાનંદે ખુબ જોરથી વખોડી હતી.ગણેશ મહોત્સવ તો હમણા શરુ થયો.૧૦૦ વર્ષ પણ નથી થયા.આતો એક રાજકીય પ્રવૃત્તિ હતી.એને કેમ ધર્મ માની લેવાય છે?ગણેશપૂજા તો વર્ષો થી ચાલતી હતી પણ ઘરમાં ને? બહાર તો એક રાજકીય મતલબ જ હતો.અને આજે પણ એજ છે.બુટલેગરો અને રાજકીય લોકો જ અનો ધખારો કરતા હોય છે.એના બહાને દબાણપૂર્વક પૈસા ઉઘરાવાય છે.હવે દશામાં નું ચાલ્યું છે.લોકો પાગલ ની જેમ દશામાં ની મૂર્તિઓ સાબરમતી માં પધરાવે છે,ગણપતીવાલા આગળ નીકળી જાય અમે કેમ બાકી રહીએ?દશામાં કયા વેદ માં હતા?ચાર માંથી એકેય માં નહિ.બધા ધર્મ માં છે દુષણ,તો આપણે પણ ચાલુ રાખો દુષણ.બધા દેશો માં છે પ્રદુષણ તો આપણે પણ ચાલુ રાખો પ્રદુષણ.કંપનીઓ કરે પ્રદુષણ તો આપણે પણ વધારો પ્રદુષણ.
    પાડો તો છે અબુધ પ્રાણી.એને દોરવણી આપી ને ચલાવે છે પખાલી.પાડો તો છે નાદાન એના બ્રેન વોશ કરે છે પખાલી.પાડો તો છે ગમાર એના નાક માં લગામ લગાવે છે અને હુકમ પળાવે છે પખાલી.હવે પાડો bhul કરે તો chokkas daam aapo pakhali ને જ..

    Like

    1. આપ કહો છો કે – હવે મૂળ મુદ્દો પ્રદુષણનો છે.અને તેમાં ધર્મ ની આડ લેવાઈ રહી છે.

      – આ લેખ ના સંદર્ભમાં હોય તો આપની વાત સાચી. જુગલકાકાની કમેન્ટ વિશે વાત કરતાં હો તો વાત ખોટી. જુગલકાકાની કમેન્ટનો છેલ્લો ભાગ જુઓઃ

      “કેવળ ‘ધર્મ’ની જ વીરુદ્ધ વાતો કરવી; ધર્મનાં સારાં તત્ત્વોનુંય “સુકાંભેગું લીલું બાળવું”; ધર્મ સીવાયની બાબતો ગમે તેટલું નુકસાન કરતી હોય તોય તેને નજર અંદાઝ કરવી; હીન્દુધર્મ સીવાયના ધર્મો અંગે કશું ન બોલવું –

      આ બધું શું તાટસ્થ્ય બતાવનારું છે ? વીવેકવાદ ક્યારેક અતીશયોક્તીમાં સરી પડે ત્યારે તેનેય આત્મમંથને લઈ જવો જરુરી ખરો ?”

      મુદ્દો ધર્મની ટીકાનો છે. પ્રદુષણની આડ લેવાઈ રહી છે.

      Like

  20. મારા બ્લોગ પર જઈને જોશો તો ખ્યાલ આવશે કે ધર્મના ધતીંગો અંગે ટીકાઓ કરવામાં મેં કશું બાકી રાખ્યું નથી !!

    પાણીમાં જ શા માટે ? મુર્તીને જો ફેંકી જ દેવી હતી તો એને પૂજી શા માટે ??? અઠવાડિયામાં જ એમાંના ભગવાન જતા રહ્યા ?! તો એવા ભગવાન હોઈ શકે ખરા ?!!

    ફેંકી દીધેલી મુર્તીઓને તેના કલાકારો ઉઠાવી જાય છે ને પછી ભગવાનનના હાથપગ સરખા કરીને બીજે વરસે પાછા આસનસ્થ બનાવે છે – ફરી વાર, વારંવાર આસનેથી ઉઠાડીને કચરામાં ફેંકી દેવા માટે.

    તિલક મહારાજ ખુદ આ જુએ તો આંખો બંધ કરી દે.

    પરંતુ કેવળ ને કેવળ ધર્મને જ ભાંડ્યાં કરવો એ એક જાતની પ્રદૂષણવૃત્તિ જ છે !!

    Like

    1. સાહેબ તમે કહો છો એમ વિચારીએ તો ઘરમાં કોઈ મૃત્યુ પામે તો એને સ્મશાન માં કેમ વહેલા માં વહેલી તકે લઇ જવામાં આવે છે…કેમ એને કાયમ માટે ઘરમાં નથી રાખતા???? હિંદુ ધર્મ રીત-રીવાજો અનુશાર ચાલે છે…જેવીરીતે ટ્રાફિક ના નિયમો હોય એનું પાલન કરો તોજ સારી રીતે વાહન ચલાવી શકો….આવી જ રીતે ધર્મના રીત-રીવાજો નું પાલન કરો તો જ સુખી રહી શકો….એક આડવાત—-બાલગંગાધર તિલક મૂર્ખ ન હતા…કે ખાલી ટાઈમપાસ માટે ગણેશ ઉત્સવ ઉજવવાનું શરુ કરાવ્યું હોય….કે નદી પ્રદૂષિત કરવામાં એમનો સ્વાર્થ હોય…સાહેબ કોમન સેન્સ ની વાત છે….ગાંધીજી પણ એજ જમાના માં જીવતા હતા…અને ફક્ત એક લોટા પાણીથી જ કામ ચલાવતા હતા…એમને તો વિરોધ કર્યો ન હતો….એટલે ખોટા ખોટા વિષયો બનાવી પ્રજા ના મનમાં ધર્મ વિરુદ્ધ વાતો ભરાવવાનું બંધ કારી એમના વિકાસ અને પ્રગતિની વાતો કરશો તો વધારે આનંદ થશે….

      Like

  21. કોઈ પણ પ્રવૃતિ ધર્મને નામે કરો કે કરાવો એટલે આ દેશના લોકો લાગી પડે છે. હકિકતે આ દેશમાં પેદા થયેલાને થઈ પડેલા સાધુઓ-સંતો-ગુરૂઓ કે મહંતોએ લોકોને ક્યારે ય પ્રદુષણ કે ગંદકી કે ઘોંઘાટ કે ગીર્દીને કારણે કોઈ જ્ઞાન અર્થાત શિક્ષણ આપવાની પરવા કરી નથી કે આજે પણ કરતા હોવાનું જણાતું નથી. આદી માનવ નદી કિનારે વસવાટ કરતો થયો હતો અને ત્યારે તમામ નદીઓ ભરપુર પાણી સાથે વહેતી હતી અને તેથી જે કોઈ કચરો કે ગંદકી થતી તે વહેતા પાણીમાં ઠાલવી દેવાતી હોવા છતાં પાણી સતત વહેતું રહેતુ હોવાથી શુધ્ધ જ જણાતું અન તેથી પીવામાં પણ ઉપયોગમાં લેવાતું. આજે નદીઓ ઉપર બંધો બંધાયા છે નદીઓના વહેણો અવરોધાયા છે પરિણામે કચરો અને ગંદકી પાણીમાં ઠલવાતા રહેવાથી પાણી પ્રદુષિત થતું રહે છે ત્યારે બે જવાબદાર અને તકસાધુ જેવા રાજકારણીઓ તો હમણાં પેદા થયા છે. એ પહેલા તો આ કહેવાતા સાધુઓ-સંતો-મહંતો અને ગ્રુરુઓની જમાત્ તો અસ્તિતવમાં હતી જ અને જુદા જુદા તહેવારો-તીથીઓમાં કથાઓ જેવીકે ભાગવત-રામાયણ-ગીતા વગેરે દેશભરમાં કહેવાતી રહી છે અને આજે પણ કહેવાય છે ત્યારે આ કોઈ કથાકારોએ ગંદકી ઘોંઘાટ કે ગીર્દી સંબંધે લોકોમાં કોઈ પ્રકારની જાગૃતિ પેદા કરવા ક્યારે ય પ્રયાસો કર્યા હોય તેવું જાણ્યું નથી. ગંદકી કે પ્રદુષણ માત્ર મૂર્તિઓ નદીમાં પધરાવાથીજ ફેલાય છે તેવું હરગિજ નથી. મૂર્તિઓ તો કદાચ વર્ષમાં 2-3 વખત પધારાવાતી હશે પણ રોજ બ રોજ થતી ગંદકી અને તેને કારણે પેદા થતું પ્રદુષણ માટે કોણ જવાબદાર ? અરે ગંગા-જમનામાં મૃતદેહ પણ પધરાવવામાં આવે છે ફુલ ફળ પણ પધરાવવામાં આવે છે ! શ્રાધ કર્યા બાદના પીંડ વગેરે પણ નદીના કે ગામના કુવા કે તળાવમાં પધરાવવામાં આવે છે અને પીવાનું પાણી પ્રદુષિત થતું રહે છે પરિણામે રોગ ચાળો ફેલાતો હોવા છતાં કોઈ તકેદારીના પગલા લેવાતા નથી કે નથી એવા બોધ આપવામાં આવતા ! મારા નમ્ર મતે તો ગંદકી-ગીર્દી અને ઘોંઘાટ ના પ્રદુષણ માટે જો કોઈ પણ જવાબદાર હોય તો આ કહેવાતા સાધુઓ-સંતો-ગુરૂઓ અને મહંતો જ છે કે જેમણે આટલા વર્ષોમાં જે કેળવણી આપવા માટે એક પૈસાનો પણ ખર્ચ કરવાનો રહેતો નથી તેવી ગંદકી-ગીર્દી અને ઘોંઘાટ કોને કહેવાય તેવી સાદી સીધી સમજ આપવાની પણ પરવા નથી કરી. માત્ર કથા વાર્તાઓ કરી નાણાં એકઠા કરવા સીવાય કોઈ રસ દાખવ્યો હોય તેવું જણાતું નથી. આપણાં મોટા ભાગના મંદિરો પણ આવા જ પ્રદુષણ યુકત ગંદકીના ઘરો બની રહ્યા છે ! ઉદ્યોગ પ્રદુષણ ફેલાવે છે તે વાત સાચી હોવા છતાં તે આજ કાલમાં પેદા થયા છે. જે લોકો હિન્દુ ધર્મની પરંપરાની વાતો કરે છે તો એનો સાદો સીધો અર્થ તો એ થયો કે હા અમો ગંદકી ગીર્દી અને ઘૉંઘાટ દ્વારા પેદા થતુ પ્રદુષણ ને પ્રદુષણ ગણતા નથી કારણ કે તે ધાર્મિક વિધિ વિધાન થકી જે કાંઈ પેદા થાય તેને પ્રદુષણ જેવું નામાભિધાન ના કરી શકાય ! સાચી વાત તો એ છે કે લોકોને ગંદકી કોને કહેવાય તેની સાદી સીધી સમજ આપવી અત્યંત આવશ્યક છે સૌ પહેલી પ્રાથમિકતા તેની હોવી જોઈએ અને તે સરકારી એજન્સી સીવાય સ્વૈચ્છિક સંસ્થાઓ અને તમામ પંથ કે સંપ્રદાયોના વડાઓએ જવાબદારી નિષ્ઠા પૂર્વક બજાવવી જોઈએ ! અસ્તુ !

    Like

    1. એક વાતનો જવાબ આપો—- નદી પ્રદૂષિત થાય તો તેને ગંદી થતી રોકવાની જવાબદારી કોની???????? કદાચ પ્રદૂષિત થાય તો સ્વચ્છ કરવાની જવાબદારી કોની????
      (૧) સરકાર
      (૨) મ્યુનીસીપાલટી
      (૩) સાધુ-સંતો
      (૪) પ્રજા (કે જે ગંદી કરે છે)
      (૫) ઉદ્યોગપતિઓ
      (૬) સામાજિક સંસ્થાઓ
      એક વાત જરૂર કહીશ કે હિંદુ ધર્મ નદીને માતા કહે છે….એટલે કોઈ પણ હિંદુ સાધુ-સંત પોતાની માતા ને ગંદી કરવાનું ના કહે…કોઈ કહેતો હોય તો એનું નામ લખવા વિનંતી છે..પુરાવા સાથે…..બાકી તો દલીલો-તર્કો નો કોઈ ઉપાય નથી…

      Like

  22. હિન્દુધર્મ નામે કોઈ ધર્મ જ નથી, આપણે ફક્ત આપણને હિંદુ તરીકે આલ્ખાવિએ છીએ બાકી ધર્મ તો સનાતન એક જ છે., નામ -ઓળખ તો સૌ પોતાની રીત અને સંસ્કાર મુજબ જ આપે છે.

    શક્તિ એક જ છે. ઘણા સમય અગાઉ એક સારી વાત વિદ્વાન પાસે સાંભળેલ કે નળ માંથી પાણી નો ધોધ વહે છે તે ધોધ નું નામ પાણી છે તેજ પાણી જ્યારે ફુવારા માંથી નીકળશે ત્યારે ધોધ તરીકે ણા નીકળતા તે અનેક ભ્હાગો માં વેહ્ચાઈ ને જીની કે જાડી ધારમાં નીકળશે, તો શું તેનું નામ બદલાઈ જશે કે તે પણ પાણી જ કેહવાઈ?

    આમ શક્તિ એક છે જેણે આપણે જુદા જુદા સ્વરૂપે જોઈએ છીએ અને ઓળખીયે છીએ. જે આપણી સમજ છે.

    બાકી રહી કેહવાતા ધર્મધુરન્ધારો ની વાત.. જે પોતાના ગુજરાન ચલાવવા તેની પાસે છે તે માલ વેહ્ચે છે., તે કોઇપણ વાત કારી શકે!? સાચો સંત ક્યારેય ભરમાવે નહી.

    તેને કેમ ઓળખવો?

    તે માટે જરૂરથી અમારા બ્લોગની મુલાકાત લેશો, જેમાં આ અંગે ની થોડી માહિતી જરુરથી મળશે.

    ‘દાદીમાની પોટલી ‘
    http://das.desais.net

    Like

  23. સમયની સાથે સાથે આ ધર્મે વીશાળ મન રાખીને અનેક ક્રાન્તીકારી પરીવર્તનો આ ધર્મમાં સ્વીકાર્યા છે. જેમાં બાળવીવાહ, વીધવાવીવાહ, હરીજનો સાથેની અસ્પૃશ્યતા જેવા વીષયો ઉપર જે તે સમયે અનેક સન્તોએ હીન્દુ ધર્મીઓને ઉચીત માર્ગદર્શન આપ્યું છે. હીન્દુ ધર્મ, આજની તાપી નદી જેવો છીછરો ક્યારેય નથી બન્યો. એ તો વીશ્વ સમસ્તનું કલ્યાણ ઈચ્છનારો ધર્મ છે. યુવાનો આવી ક્રાંતી માટે આગળ આવે.સરકાર પણ આવનારા સમયમાં ઉભાં થનારાં જલ–વાયુનાં પ્રદુષણ અને પાણીની મહાતંગી વીશે જાગૃત બની, પાણીના કુદરતી સ્રોતો દુષીત ન થાય તે માટે કાયદા બદલી, સન્તોને વીશ્વાસમાં લઈ, મુર્તીઓ પધરાવવા અંગે સ્પષ્ટ થવું જરુરી છે.
    આ બધું આ ઉપરના લેખ માં લખેલું છે.હવે આમાં ફક્ત હિંદુ ધર્મ ને વખોડ્યો હોય તેવું લાગે છે ખરું?
    અને તિલક મહારાજ કોઈ સંત નહોતા એક સારા રાજકારણી હતા.આ ઉત્સવ એક રાજકીય જાગૃતિ માટે જ હતો.હવે આની જરૂર નથી.હવે આઝાદી મળી ગઈ છે.અને આ ઉત્સવ કોઈ ધર્મ નથી.જો ધર્મ માનતા હોવ તો લોકો ઘર માં સ્થાપના કરી ને મનાવી જ લેતા હોય છે.આતો ધર્મ ની અંદર રહેલો સડો છે,પ્રદુષણ છે.હવે જો આ પ્રદુષણ ને ધર્મ માની ને બંધ નાં કરવું હોય તો એનું સમર્થન કરો.ધર્મ ને પ્રદુષણ મુક્ત ક્યારે કરીશું?
    નદી ને માતા કહીને એની અંદર સંડાશ કરાય.નદી ને માતા કહીને પાંચ કરોડ મુરખો નહાય છે અને એની અંદર સાધુઓ ને પ્રથમ સ્થાન નહાવા માટે અપાય છે તેના પુરાવા ફોટા છાપી છાપી ને છાપાઓ ખુબ કમાયા છે ભાઈ.જવાબદારી સહુ ની છે.હમણા “આજતક”કે બીજી કોઈ ન્યુઝ ચેનલ માં જોએલું કે એક મહાત્મા ગંગા શુદ્ધ કરો નાં બોર્ડ લગાવી ને બેઠેલા એમના આશ્રમ માં.ચારે બાજી ગંગા શુદ્ધિકરણ ફોટા અને નારા લગાવેલા હતા.અને પત્રકારનો કેમેરો ફરતો ફરતો આશ્રમ નાં સંડાશ બાથરૂમ તરફ જાય છે અને પછી એના નિકાલ ની પાઈપો તરફ,અને એ પાઈપો ગંગા માજ જતી દેખાડાય છે.આવા દંભી છીએ આપણે.ગંગા શુદ્ધિકરણ નું અભિયાન ચલાવતો ગંગા માં જ સંડાશ કરે છે ભાઈ પુરાવા શેના માંગો છો?ધર્મોએ સ્વચ્છતા શીખવાડી હોત તો આવી દશા નાં હોત.
    એક વાત સ્વીકારી લો કે આ બ્લોગ તો રેશનલ છે એ ધર્મ ની વિરુદ્ધ લખવાનો જ છે.માટે ધર્મ ની વિરુદ્ધ કેમ લખો છો તેવું કહેવાની જરૂર જ નથી.માટે ધર્મ ની અંદર રહેલા જે સડા અને ઉધઈ નાં દેખાતી હોય તે દેખાડે ત્યારે એને જુઓ.એને દુર કરવા પ્રયત્ન કરો.આ ધર્મ ને વખોડે છે તેવો પૂર્વગ્રહ ભરી ને એને વાંચશો તો પેલા સડા અને ઉધઈ પણ નહિ દેખાય.સડા માં સુગંધ આવશે અને ઉધઈ માં ફૂલો દેખાશે સાચી વાતો નજરઅંદાજ થઇ જશે.

    Like

    1. એક વાત સ્વીકારી લો કે આ બ્લોગ તો રેશનલ છે એ ધર્મ ની વિરુદ્ધ લખવાનો જ છે.માટે ધર્મ ની વિરુદ્ધ કેમ લખો છો તેવું કહેવાની જરૂર જ નથી.માટે ધર્મ ની અંદર રહેલા જે સડા અને ઉધઈ નાં દેખાતી હોય તે દેખાડે ત્યારે એને જુઓ.એને દુર કરવા પ્રયત્ન કરો.આ ધર્મ ને વખોડે છે તેવો પૂર્વગ્રહ ભરી ને એને વાંચશો તો પેલા સડા અને ઉધઈ પણ નહિ દેખાય.સડા માં સુગંધ આવશે અને ઉધઈ માં ફૂલો દેખાશે સાચી વાતો નજરઅંદાજ થઇ જશે.

      –> હું રૅશનાલિસ્ટ છું પણ હું ધર્મનો વિરોધી નથી. રૅશનાલિસમ = ધર્મનો વિરોધ એ સૂત્ર મને માન્ય નથી. તમે પોતે રૅશનાલિસ્ટ છો. તમે પણ ધર્મમાં પેઠેલા સડાનો જોરદાર વિરોધ કરો છો પણ મેં તમારા લેખોમાં ધર્મની સારી બાજુનાં ઉલ્લેખ જોયા છે. જુગલકાકા અને હું આ તાટસ્થ્યની વાત કરીએ છીએ. આ તટસ્થતા ન હોય તો એને પૂર્વગ્રહ ના કહેવાય?

      મારી વાત તો હું કઈ રીતે કહુ, પણ જુગલકાકા તટસ્થ છે અને પૂર્વગ્રહરહિત છે એટલું હું જરૂરથી કહી શકું.

      Like

      1. It is very mcuh true that rationalism is not equal to atheism and there can be many other areas where one needs to be guided by the call of reason.

        One such area may be activities in financial markets. The words “irrational exuberance” were frequently used by former Fed Governor Alan Greenspan, who has, so far as I remember, also contributed one chapter in Ayn Rand’s book “Captitalism – An Unknown Ideal” in the sixties. While he had used the words irrational exuberance in the late nineties, we are seeing the consequences of irrational exuberance in the financial markets one decade later! Reason is required in every field of human activities and while economics is based on the assumption that human behaviour is rational, it is this irrationality within all of us (with differing degrees and areas, of course!) which leads us to disastrous consequences, not only in the field of practising religion or not, but also in making financial or any other kind of decisions.

        One can even try to analyse the costs and benefits of moon mission of Isro or organising commonwealth games by India by applying reason while tying not to be guided by sense of ego or any other emotion. Manishankar Ayyar has already expressed some reservations.

        However, inspite of the univerality of the need to apply reason, the rationalism is bound to remain overwhelmingly enganged with opposing religious beliefs given the fact that it is the area which is filled with lot of irrationality and having very huge influence over people in the developing world including India.

        Like

  24. તમારા લેખથી તોફાન થ્યું છે તે વાંચવાની મજા આવે છે કારણ કે હુ નાસ્તિક છું.

    Like

  25. આવાં તોફાનો આજની વીશેષ જરુરીયાત છે. વૈચારીક ક્રાંતીઓ આમ જ થતી હોય છે. કોમી તોફાનો કરતાં આ તોફાનો શીક્ષણનો જ એક પ્રકાર બની રહે છે.

    આવાં પ્લેટફોર્મ્સ એ માટે બહુ જરુરી છે. આ બધા બ્લોગ્સ પેલા શૈક્ષણીક પ્લેટફોર્મનાં બ્લૅકબોર્ડઝ છે, જેના પર આપણે સૌ ચીતરામણ કરતાં કરતાં શીખીએ–શીખવીએ છીએ.

    Like

  26. કમભાગ્યે આપણી માનસિકતા કોઈ પણ વાતમાંથી તત્વાર્થ સમજ્યા વગર ધર્મ સાથે જોડી દેવાની કદાચ આ કહેવાતા કે થઈ પડેલા સાધુઓ-સંતો-ગુરૂઓ અને મંહ્તો એ કાળજી પૂર્વક પોષી છે જેથી તેમના સ્થાપિત હિતોની જાળવણી થઈ શકે ! ભાઈ યશની માનસિકતા તેમના વિચારોનું છીછ્રરાપણું છતું કરે છે. કોઈ નવો વિચાર મૂકાય એટલે સૌ પ્રથમ વિરોધ કરવો તે જ જાણે ધ્રર્મ બની ગયો હોય તેવું જણાય છે. ભાઈ ભુપેન્દ્રસિંહની વાતમાં તથ્ય અને સત્ય છે ! કોઈ પણ ચર્ચા વિષયનું હાર્દ અને તત્વ સમજી કરો તો એક બીજાને સમજી શકાય ! ઓબ્જેકટીવલી ચર્ચા થવીજોઈએ નહિ કે સબજેક્ટીવલી ! હું ધારું છું કે મારી વાતનો ઈશારો કે સંકેત બરાબાર તેના પરિપ્રેક્ષયમાં સમજાશે !
    અસ્તુ !

    Like

  27. મૂર્તિ માટીની અથવા ખાદ્ય પદાર્થ જેવાકે ઘઉં,મગ અથવા ઘાંસ માંથી બનવી જોઈએ. જે જળચર નો ખોરાક બને. નહી કે પ્લાસટર ઑફ પૅરીસ, મરક્યુરીવાળા ટૉક્ષીક પૅઈન્ટસ,થરમોકોલ જે જળચર નું વિષ બનેછે.

    Like

    1. Suggestion of idols made from foodgrains seems interesting. Even soil will decrease the depth of the water body but foodgrains will be consumed by fish or other creatures.

      Like

  28. હહાહાહાહાહા…….અરવિંદકાકા નો તો જીવ તાળવે ચોટી ગયો છે. ઠંડું પાણી પી લો…
    કદાચ આ પોસ્ટ નો વિષય તમે ભૂલી ગયા લાગો છો….ફરીથી વાંચી લો…
    “હીન્દુ ધર્મ તાપી નદી જેવો છીછરો છે ?” આમાં ધર્મ ને વચમાં કોણ લાવ્યું? હું કે પછી પોસ્ટના લેખકસાહેબ? કોમેન્ટ તો વિચારીને કરો…અવે કામની વાત ડૉ.ભારત મકવાણા સાહેબે કહ્યું કે મૂર્તિ માટી ની કે બીજા ખાદ્ય પદાર્થોની બનવી જોઈએ….અવે મને એ જણાવો કે કયા હિંદુ ધર્મગુરુએ કે સાધુ-સંતે કહ્યું છે કે મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવો….કે ઝેરી પદાર્થોની બનાવો…અને પછી નદી માં પધરાવી એને પ્રદૂષિત કરો…..કોઈએ પણ કીધું નથી….અને નદી માટી થી તો પ્રદૂષિત ના થાય…એ વાત સાથે તો તમે પણ સહેમત હશો જ. બાલગંગાધર તિલકે આ ઉત્સવ ઉજવવાનું શરુ કરાવ્યું પણ એ પહેલેથીજ આ ઉત્સવ ઉજવવાતો હતોજ, ખાલી એમને આ ઉત્સવ દ્વારા મોટી સંખ્યામાં પ્રજાને સામેલ કરવાનું શરુ કર્યું. જેવી રીતે રેશનાલીસ્ટ લોકો હિંદુ ધર્મ ને વખોડતા રહેશે ત્યાં સુધી કોઈને કોઈ હિંદુ એનો સામનો કરશે જ….
    મેં ઉપર એક સવાલ પૂછ્યો તો…એનો જવાબ આપો તો વધુ સારું…
    ગણેશજીની મૂર્તિઓને નદીમાં ડૂબાડવાથી કેટલું નુકસાન થયું છે? કેટલા લોકોના જાન ગયાં છે. કેટલા જળચર પ્રાણીઓ અને પંખીઓના જાન ગયાં છે…..પ્રજાને કેટલી હાડમારીઓ વેઠવી પડી છે???? એનું મને લીસ્ટ આપશો. પુરાવા સાથે…… ૧૦૦ વર્ષોથી ગનેશઉત્સવ ઉજવવામાં આવે છે.પણ તેનાથી જેટલું નુકસાન થયું હશે એના કરતા વધારે નુકશાન ૫૦ વર્ષો કે તેનાથી ઓછા વર્ષોમાં કારખાના ના ધુમાડા અને રાસાયણિક કચરા જે નદી માં ઠાલવવામાં આવે છે…તેનાથી વધારે નુકશાન થયું છે…અને ફક્ત ૨ મહિનામાં જ મેક્સિકોની ખાડીમાં તેલ રસાવના કારણે થયું છે અણી સામે તો ગણેશજીની મૂર્તિઓ કઈ જ નથી…..હા ગણેશ ઉત્સવ વર્ષમાં ૧ વાર આવે છે…જયારે કારખાના ૧૨ મહિના ૨૪/૭ ચાલે છે….અવે તમે જ કહો કે વધારે પ્રદૂષણ કોણ ફેલાવે છે?????
    ભુપેન્દ્રસિંહજી તમે જે આશ્રમની વાત કરો છો…ત્યાં કદાચ એવું બધું થતું હશે….પણ એના કારણે આખો હિંદુ ધર્મ નકામો છે…કે એના રીત-રીવાજો નકામાં છે…એવું કઈ રીતે કહી શકો?????સાહેબ એક વાત હમેશા યાદ રાખજો હિંદુ ધર્મ માં જેવી શાંતિ અને એકતા છે…આવી દુનિયાના બીજા કોઈ ધર્મ માં જોવા નહિ મળે…..

    Like

  29. મૂર્તિ ફક્ત સાદી માટીની જ હોય અને નાની હોય. પણ મૂર્તિમાં જ્યારે વેપાર અને વાહવાહ ઘુસે ત્યારે અનિષ્ઠ પેદા થાય.

    આ અનિષ્ઠ પ્રત્યે જાગરુકતા આવી છે.

    મૂર્તિની પૂજા એ ધર્મ નથી. એ એક વ્યવહાર છે અને તે સામુહિક આનંદ માટે છે.

    ધર્મનો આપણે વિદેશથી આયાત થયેલો અર્થ નકરવો.

    આપણી સંસ્કૃતિમાં ધર્મ એટલે આપણે પસંદ કરેલો સમાજની સેવા માટે નો વ્યવસાય છે. ધર્મનો વિદેશી આયાતી અર્થ વાડો છે.

    હિન્દુધર્મ તત્વજ્ઞાન અને વિજ્ઞાન છે અને તે મુક્ત છે.

    આપણા વ્યવહારો પણ મુક્ત છે.

    બન્નેમાં ચર્ચા અને સુધારા વધારાઓ આવકાર્ય ગણવામાં આવ્યા છે.

    Like

  30. પર્વત ઉપર જેમજેમ ચડતાં જઈએ તેમતેમ ક્ષીતીજો વીસ્તરતી જાય છે, ને એક બાજુ દૃષ્ટી વીશાળને જોતી થાય છે, તો બીજી બાજુ આંખ નાનીનાની બાબતોને દેખતી બંધ થઈ જાય છે. એક બાજુ વીકાસ છે તો સાથેસાથે કેટલુંક દેખાતું બંધ થવાનીય નોબત આવે છે.

    વૈચારીક મતભેદો આપણી વીસ્તરતી ક્ષીતીજોના જેમ સાબીતીરુપ છે તેમ કેટલીક અસહીષ્ણુતાનેય છતી કરી દેનારા બની રહે છે. આ પણ જાગૃતીની જ નીશાની છે.

    અહીં, આ રૅશનલ વીચારણાના બ્લોગ પર બ્લોગસંયોજક જે રીતે બધું શાંત ચીત્તે નીરખ્યાં કરે છે એમ જ વાચકો–લેખકો પણ તટ–સ્થ રહીને કેવળ રજુઆતો કરે તો મજા પડે.

    હેમંતભાઈએ મને જે વ્યક્ત કર્યો છે તે માટે એમનો તો આભારી છું જ, અન્ય સૌનોય, મને પણ કેટલુંક શીખવવા બદલ ૠણી રહીશ. ગોવીંદભાઈને તો ધન્યવાદ ખરા જ.

    Like

    1. પરમ આદરણીય જુગલ કીશોરજી તેમજ
      કમેન્ટસ આપનારા તમામ વહાલા મીત્રો,
      બ્લોગ પર મળેલી કમેન્ટસનો અર્થ એટલો જ કે, લોકો શું શું કેવું કેવું વીચારે છે. લોકજાગૃતી આવે, ખુબ ચર્ચા થાય.. લોકો વીચારતા થાય કે આમાં સાચું શું હશે ..!!! એ જ તો આ બ્લોગનો ઉદ્દેશ છે. મારા બ્લોગનું નામ જ ‘અભીવ્યક્તી’ છે. એકમેકના પર અંગત હુમલા જેવી કે એકમેકને હલકા ચીતરનારી કમેન્ટ ન હોય તો વીચલીત થયા વીના કમેન્ટ માણ્યા કરવી જોઈએ.. એમાંથી જ આપણને કંઈક શીખવા મળે છે અને શીખવા મળશે એવી મારી નમ્ર સમજણ છે. કમેન્ટસ આપનારા તમામ મીત્રોનો હું ઋણી રહીશ. ફરીથી આભાર..
      – ગોવીન્દ મારુ

      Like

  31. For Nileshbhai,

    તમે સરસ વાત કરી નીલેશભાઈ! “irrational exuberance” ની વાત બહુ ગમી. એકદમ સાચી છે. પણ એક વાત વિશે લાંબી વાત કરીશ અને એ છે ધર્મ અથવા અધ્યાત્મ ક્ષેત્રે પ્રવર્તતી irrationality વિશે. બે મુદ્દા સ્પષ્ટ કરવા છે

    ૧) અધ્યાત્મ irrational લાગે છે એ અધ્યાત્મની નહીં reason ની મર્યાદા છે.
    ૨) irrationality એ ફક્ત ધર્મ પુરતી મર્યાદિત નથી. કહેવાતા રૅશનાલિસ્ટો પણ એનાથી પીડાય છે.

    રૅશનાલિસમનો આધાર છે રિઝન. રૅશનાલિસ્ટ વ્યક્તિએ રિઝનની તાકાતની સાથે સાથે એની મર્યાદા પણ સમજવી જોઈએ. રિઝનની મર્યાદા રિઝન વડે જ બહુ સહેલાઈથી સાબિત થઈ શકે છે પણ મોટેભાગે રૅશનાલિસ્ટો એની સામે આંખ આડા કાન કરતાં જોવા મળે છે.

    રિઝન (અને ભાષા પણ) જે બે વ્યક્તિઓ વાત કરતી હોય એમના સમાન અનુભવ ક્ષેત્ર પુરતું મર્યાદિત છે. ઉદાહરણ તરીકે એક અંધ વ્યક્તિ સાથે રંગો વિશે શું વાત થઈ શકે? તમે એને તર્ક આપો કે ભાઈ લાલ રંગમાં સફેદ રંગ ભેળવો એટલે ગુલાબી થશે તો એ શું સમજશે? એ સમજી નથી શકતો એનો અર્થ એવો નથી કે તમારી વાત ખોટી છે. એના અનુભવ ક્ષેત્ર કરતાં તમારું અનુભવ ક્ષેત્ર વધુ વિશાળ છે પણ બન્ને વચ્ચે સમાન છેદગણ નથી એટલે dialog શક્ય નથી. તો હોઈ શકે કે આપણા અનુભવ ક્ષેત્રથી વધુ વિશાળ અનુભવ ક્ષેત્ર વાળી વ્યક્તિ કોઈ એવી વાત કરે જે આપણે રિઝનથી ન પણ સમજી શકીએ. કારણ સમાન અનુભવક્ષેત્ર વાળી પાયાની જરૂરિયાત સંતોષાતી નથી. તો અધ્યાત્મમાં તર્ક નથી ચાલતો એનો અર્થ એવો નથી કે અધ્યાત્મ આખેઆખુ ખોટું છે. શક્ય છે કે અધ્યાત્મિક વ્યક્તિનું અનુભવ ક્ષેત્ર વધુ વિશાળ હોય.

    અહીં ફક્ત એક શક્યતા ઊભી થઈ કે ભઈ સાચુ હોઈ શકે. તો હવે કઈ રીતે ચકાસવું કે ખરેખર એમનું અનુભવ ક્ષેત્ર વિશાળ છે? તર્ક ભલે ના સમજાય પણ અસર તો દેખાયને? તો એવા પુરાવાઓની શોધ કરવી કે જે આપણા અનુભવક્ષેત્ર બહારની શક્યતા તરફ અંગુલિનિર્દેશ કરતાં હોય. ખુલ્લા અને પૂર્વગ્રહરહિત મનથી તપાસ કરવી.

    જો આવા પુરાવા મળે તો એ પુરાવા આપનાર વ્યક્તિની વાતમાં ફક્ત એટલી શ્રદ્ધા રાખવી કે આ ભાઈ જે કહે છે એમાં સત્યનો અંશ હોવાની શક્યતા છે. જો આપણે આપણા તર્કની શક્તિના ગુમાનમાં આ વ્યક્તિની વાતને ખોટી ઠેરવવામાં લાગી જઈએ તો એવા આંધળા જેવી આપણી હાલત થાય જે આખી દુનિયાને કહેતો હોય કે પ્રકાશ નામની કોઈ ચીજ છે જ નહીં. તર્કની સીમા આવી જાય છે ત્યાંથી શ્રદ્ધાનું ક્ષેત્ર ચાલુ થાય છે.

    હું તર્કના સહારે જ તર્કની સીમા સુધી અને એથી આગળ જઈ શ્રદ્ધા સુધી પહોંચ્યો છું. આખી તર્ક પ્રક્રિયા ટકોરાબંધ છે. તમામ કહેવાતા રૅશનાલિસ્ટોને ખુલ્લો પડકાર છે કે આ આખી વાતમાં ભૂલ કાઢી બતાવે. ભૂલ હશે તો I will be the first person to accept and announce loudly કે મારી ભૂલ હતી.

    આપણા અનુભવક્ષેત્રની બહારના વિશ્વનો અણસાર આપતા વૈજ્ઞાનિક પુરાવા છે. જો તમને રસ હોય તો થોડા સમય પહેલા ગોવિંદભાઈએ ‘અસાધારણ બનાવોના અસાધારણ પુરાવા જોઈએ’ એવા શિર્ષક હેઠળ પ્રા. ધવલ મહેતાનો લેખ છાપ્યો હતો એની કમેન્ટ્સ જોઈ લેજો.

    પણ મજાની વાત એ છે કે મેં પુરાવા આપ્યા પછી કોઈ એના વિશે કંઈ બોલતું નથી. ગોવિંદભાઈ એમ કહીને છૂટી ગયા કે પ્રા. મહેતા જ કંઈ કહે તે યોગ્ય ગણાય. મહેતા સાહેબને ત્રણત્રણ મેલ લખ્યા પણ જવાબ આવ્યો નથી.

    હવે જો તમે રૅશનાલિસ્ટ હો તો પુરાવા સ્વીકારો. એથી આગળ જઈને કહું છું કે એક સાચો રૅશનાલિસ્ટ હોય કે જે “પુરાવા નથી, પુરાવા નથી” એમ છાતી ઠોકીને કહેતો હોય એણે “પુરાવા મળી ગયાં, મળી ગયાં” એવો શોર કરવો જોઈએ! બરાડા પાડવા જોઈએ કે ભાઈ અમે જે આજ સુધી કહેતા રહ્યાં એ બધુ ખોટુ હતું. પુરાવા મળી ગયાં છે. પણ નહીં, એવું કંઈ થયું નહીં.

    આ બધુ જોઈને પ્રશ્ન પડે છે કે શું irrationality ફક્ત ધર્મના ક્ષેત્રે મર્યાદિત છે? કહેવાતા રૅશનાલિસ્ટો પણ અંતે એમની માન્યતાઓને સત્ય કરતા વધુ મહત્વ આપતા હોય તો એ ધાર્મિકો કરતાં કઈ બહુ અલગ નથી. કહેવાતા ધાર્મિકો અને કહેવાતા રૅશનાલિસ્ટો, બન્નેય રોગી છે. બહુ સાદી ભાષામાં કહીએ તો એક ને ઝાડા થયાં છે તો બીજાને કબજિયાત. પણ સ્વસ્થ એકેય નથી.

    સર્વે સુખિનઃ સન્તુ! સર્વે સન્તુ નિરામયા!

    Like

  32. आमं हि सर्व रोगाणां मूलम् । ‘આમ’ એ સર્વ રોગનું મુળ છે. નીરામય એટલે જ સ્વસ્થ. આ નીરામય શબ્દ આરોગ્યનો છે. એટલે શારીરીક આરોગ્ય સુચવે છે. પણ ‘સ્વ–સ્થ’ શબ્દ શું સુચવે છે ?!

    એવું જ ‘તટસ્થ’ શબ્દનું છે. તટ–સ્થ હોવું કોઈને પણ માટે સહેલું નથી. ઈન્વોલ્વ થઈ જવાનું, ઝંપલાવી દેવાનું, કુદી પડવાનું બહુ સહેલું છે. પણ કાંઠે ઉભીને ફક્ત સાક્ષીભાવ કેળવવો અને દુધનું દુધ ને પાણીનું પાણી કરવા માટે ‘निर–क्षिर न्याय’ કરવો બહુ અઘરી બાબત છે.

    ધર્મ શું કે વીજ્ઞાન શું, ઝનુન તો બન્નેના અનુયાયીઓમાં આવી જ જતું હોય છે. આ ઝનુન જ રોગ બનીને પોતાના આરાધ્યને નુકસાન કરી બેસે છે !! કેવળ પુરાવા પુરાવાનો રાગ આલાપીને વાતને ક્યારેક કલુષીત કરી મુકાય છે.

    કેવળ સત્યની શોધ, સત્ય ન સમજાય કે ન મળે ત્યાં સુધી કોઈ અન્ય અનુભવીના વાક્યને સ્વીકારવું, શ્રદ્ધાપુર્વક છતાં તર્કને તરછોડ્યા વગર વીકાસમાર્ગે વધવું, કોઈ અન્યની વાત ખોટી લાગે તોય એને તરછોડવી કે ભાંડવી નહીં ને એમ જ ગંતવ્યે પહોંચવા મથવું –

    આ જ સાચી રીત છે. હું સમજ્યો છું ત્યાં સુધી કોઈપણ ધર્મ કે વીજ્ઞાન આ વાત જ શીખવે છે.

    Like

  33. માફ કરશો !!!

    મારા ઉપરના લખાણમાંના છેલ્લા વાક્ય તરફ ધ્યાન દોરવાનું જરુરી બની ગયું છે !!એમાં બે જગ્યાએ ‘જ’ આવ્યો છે. આ ‘જ’ પણ એક પ્રકારનો ‘આગ્રહ’ છે !! ”આ જ સાચી રીત છે” કે “વીજ્ઞાન આ ‘જ’ વાત કહે છે” એમ કહેવું તે તાટસ્થ્ય સુચવતું નથી !!

    આમ બીનજરુરી અક્ષરોનો ઉપયોગ પણ ખોટા રસ્તે ગયાની સાબીતી છે. તાટસ્થ્ય આવી બાબતે આપણને જાગ્રત રાખનારુ હોય છે.

    મેં એ અક્ષર (આમ તો એ એકાક્ષરી શબ્દ છે) બે વાર વાપરીને મારા વીચારોને થોપી દેવાની ભુલ કરી તે ધ્યાને આવ્યું હશે. એટલે ક્ષમા માગીને પુરું કરું…

    Like

    1. હેમંત ભાઈ જુગલકાકા માટે અમને ખુબ માન છે એ વાતે શંકા નથી.અને હું રેશનલ છું કે નહિ તે પણ મને જ ખબર નથી.માટે જ આપને ધર્મ વિષે ની સારી બાબતો મારા લેખો માં જોવા મળી હશે.ધર્મ કોને સમજીશું?ધર્મ ના સેકડો અર્થ થતા હશે,કોઈ સંપ્રદાય ને ધર્મ કહેશે,કોઈ ડ્યુટી ને,કોઈ સ્વભાવ ને,કોઈ સનાતન હિંદુ ધર્મ ને.કોઈ વેદો ની વાત કરશે,કોઈ ઋષિઓની જે બીફ સુદ્ધા ખાતા હતા.૨૫૦૦૦ હજાર સંપ્રદાયો પોતે પોતે સનાતન ધર્મનાં રખેવાળ છે તેવુજ કહે છે.હું તો એટલું જ કહું કે ગણેશોત્સવ માં ખોટા ધમાલા કરવા અને નદીઓ અને તળાવો નાં પાણી ગંદા કરવા અને તેમાં રહેલા જળચર નો નાશ કરવો તે ધર્મ નથી.મેં જાતે એ પ્રદુષણ બરોડા માં જોયું છે.બાકી આ ચર્ચા હેલ્ધી રહી છે,અને જાણવાનું ખુબ મળે છે,કોઈ ને મનદુઃખ નાં થાય અને વડીલો નું માન સન્માન જળવાય તે રીતે ફરી આવી ચર્ચા થાય તે જ સારું.યુવાનો અને વડીલો બંને એકબીજાનું ધ્યાન રાખે માન રાખે તેજ સારું.

      Like

  34. આપણે જે ધર્મને વધુ નજીકથી નીહાળ્યો હોય એના જ ગુણ-દોષો વધુ દેખાય! થોડું સંશોધન કરવાથી જણાશે કે બાઈબલ/જીસસને વખોડનારા ખ્રીસ્તી ધર્મને જાણનારા વધુ હોય છે! (મુસ્લીમ ધર્મના દોષ જોવામાં તો “માથુ” કપાવાની તૈયારી રાખવી પડે 😀 )

    આપણને જ્યાં દોષ લાગતો હોય ત્યાં એ બતાવવો જરૂરી છે, ભલે પછી એમાં એકતરફી ગણાવાનો ભય હોય.

    ગણેશની મુર્તીઓ સાથે ઉત્સવ ઉજવાતો હોય એમાં કશું ખોટું નથી, ભલે વેદ કે પુરાણોમાં આવા કોઈ તહેવાર ના હોય. તહેવાર તો પ્રજા સાપ્રત સમય પ્રમાણે બદલતી રહે છે. પણ, એ ઉજવણીમાં પર્યાવરણનો સહુથી ઓછો બગાડ થાય એ ખુબ જ જરૂરી છે. એ બદીઓ દુર કરવાની જવાબદારી આપણી છે.

    દરેકે-દરેક ક્ષેત્રમાં દોષ છે, સુધારાની જરુર છે. આપણે જ્યાં અને જેટલું સુધારી શકીએ એટલું ખરું.

    Like

  35. આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છે ઃ
    ૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
    ૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
    ૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
    ૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
    ૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.
    આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે “વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
    અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
    યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.
    ગીતા ૯.૨૫ કહે છે “યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ ! ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
    દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (આકાર સહિત વિષ્ણુનુ નહિ પરંતુ અદેહી-પરમેશ્વરનુ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નિરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.

    હવે વિવેક શુ શીખવે છે? આમાથી આપણે શું કરવુ જેથી આપણો ખુદનો, કુટુંબનો, સમાજનો, રાજ્યનો અને દેશનો ઉધ્ધાર થાય….મારા મતે હિંદુ ધર્મ અતિશય સહજ પણ છે અને અતિશય કઠિન-ગહન પણ છે, અબુધ-ભોળા લોકો ફક્ત અને ફક્ત દેખાદેખીના એમના અબુધ કામો દ્વારા જ એને છિછરો પ્રદર્શીત કરે છે, અને ભોગવે છે નદી-નાલા-કુવા વગેરે….

    Like

  36. you are reight now we are suffer for bad pollution and in our country also water problem.this is the time for changing this system and save our next genaration..thanks 4 great artical

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s