‘મારો ઈશ્વર કોણ ?’

‘મારો ઈશ્વર કોણ ?’

ચર્ચાપત્રોમાં ભગવાન વીષયક ચર્ચાઓ ચાલી. હું માનું છું ત્યાં સુઘી દરેક વ્યક્તીનો ઈશ્વર ભીન્ન હોય છે. મારો ઈશ્વર મનુષ્ય છે. મારો ભગવાન પ્રાણીઓ­–પક્ષીઓ છે, વૃક્ષો છે. પુસ્તકો પરમાત્માનો પર્યાય બની શકે ? હા, મારે માટે. ફીરાક ગોરખપુરી કહી ગયા;  ‘જીન્હે શક હૈ વો કરે ઔર ખુદાઓંકી તલાશ, હમ તો ઈન્સાનકો ઈસ જહાં કા ખુદા માનતે હૈં’ . કોઈનો ભગવાન મંદીરોમાં પુરાયેલ છે. ભગવાન બંદી હોઈ શકે ? કોઈ મસ્જીદ કે ગીરજાઘરોમાં શોઘે છે. ‘અલ્લા’ કે ‘ગૉડ’ ઈંટ, સીમેન્ટ, પથ્થરની બનેલ દીવાલોનો ઓશીયાળો ખરો કે ? શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘આસ્તીકતા’ છે તો અ–શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘નાસ્તીકતા’ છે. નાસ્તીકો ગ્રંથથી ઘડાય છે, આસ્તીકો ગ્રંથીઓના ગુલામ છે. ઘડાયેલા ગાડાં વાળી શકે, ગુલામ કશું ન કરી શકે. અબ્રાહમ લીંકને કદાચ તેથી જ કહ્યું હતું, ‘હું સ્વર્ગમાં ગુલામ બનવા કરતાં નર્કમાં નેતા બનવાનું પસંદ કરું.’ હું માનું છું કે, જેમાંથી જીવનબળ મળે તે ભગવાન.જીસસે ઉપદેશ્યું: ‘ધ કીંગડમ ઓફ ગૉડ ઈઝ વીઘીન યુ’. ગૌતમ બુદ્ઘ : ‘અપ્પ દીપો ભવ’ની વાત કરી ગયા. કબીરે ‘તેરા સાંઈ તુજમેં’ કહી ઝાંકવાનું પ્રબોઘ્યું. આદ્ય શંકરાચાર્ય ‘ચીદાનન્દ રુપ: શીવો અહમ્‘ કહી ગયા. યુગપુરુષોએ આટલું બઘું કહ્યા પછી આ બઘી મગજમારી ક્યાંથી અને ક્યાં સુધી ? માન્યતાનાં પોટલાં લઈ ફરતા આસ્તીકો પોતે પીડાય અને પારકાને પીડે છે. ‘એની અંદર શું હશે, મારી બલા જાણે, મરીઝ, બહાર તો પથ્થર મળ્યા મંદીર ને મસ્જીદને.‘ હકીકતે શ્રદ્ઘાળુઓ અને અ–શ્રદ્ઘાળુઓએ ભેગા મળી અન્ઘશ્રદ્ઘાળુઓને જગાડવાના છે. શ્રદ્ઘા અને અ–શ્રદ્ઘાના ઝંડાઘારીઓ  એક થઈ અન્ઘશ્રદ્ઘા–નીર્મુલન  માટે કટીબદ્ઘ થાય  એ સમયની માંગ છે. કુલડીમાં ગોળ ભાંગ્યે શું વળે ? અન્ઘશ્રદ્ઘાનું વીષ વીષમ પરીસ્થીતી સર્જે છે. અન્ઘશ્રદ્ઘાળુઓ તબાહ થઈ રહ્યા છે. તેઓને બચાવી લેવા એ આપણું દાયીત્વ છે. કહેવાતા આસ્તીકો અને તેમના ગોડફાઘરો ખુલ્લેઆમ લુંટ ચલાવે છે. મેં તો આસ્તીકો પૈકી અનેક નાસ્તીકો જોયાં છે; કારણ કે ઈશ્વર કૃપા વીશે તઓ ચીન્તીત હોઈ, સતત એક યા બીજાં વીધીવીધાનમાં રમમાણ રહેતા હોય છે. નાસ્તીકો પૈકી એવાય હોય જે પોતાની મસ્તીમાં જીવ્યે જતા હોય છે. મનુષ્ય જ્યારે અકળ તત્ત્વને ભાળી–પારખી જાય ત્યારે તે નાસ્તીકતાની સમીપ પહોંચી જતો હોય છે.

વીરલ વ્યાસ

લેખક–સંપર્ક:

‘સ્મીત‘ સાઘના સોસાયટી પાસે, મહાત્મા ગાંઘી રોડ, બારડોલી – 394602 ફોન – 0262 222 3702 સેલફોન : 9979280939 ઈમેઈલ : viralfalguni@hotmail.com

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.11/08/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

અક્ષરાંકન : ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ27/08/2010

28 Comments

  1. સુંદર વિચાર!
    અનાયાસે આજે મુકેલ મારી પોસ્ટ ‘પ્રભુજી દિશે બેઠકે સામી., ‘ અવાજ વિચાર થી લખી છે!

    Like

  2. WHAT DO YOU MEAN BY ‘NASTIK’-NON-BELIEVER…? NON-BELIEVER FIRMLY BELIEVES IN HIS CONCEPT. YES HE IS ALSO A BELIEVER…! NONBELIEVER MEANS ONE LACKING TOTAL CONFIDENCE IN ANYTHING…! IN OTHERWORDS INSANE. ULTIMATELY, TRUTH AND LOVE REMAIN UNIVERSALLY.

    Like

  3. મારો ઈશ્વર કોણ?

    આસ્તિક નાસ્તિકની દૃષ્ટિએ નથી ખબર પણ ત્રણ પ્રચલીત યોગ ની દૃષ્ટિએ જોઈએ તો

    ૧. કર્મયોગી પોતાની બહાર ઈશ્વરને અનુભવે છે તેથી તે જીવ અને જગતની યથાશક્તિ સેવા કરવાનો પ્રયત્ન કરીને ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

    ૨. જ્ઞાનયોગી પોતાની અંદર ઈશ્વરનો અનુભવ કરે છે અને પોતે જ તે ચૈતન્ય સ્વરૂપ છે તેમ માની ને જગતને મિથ્યા સમજીને તેનો બાધ કરે છે

    ૩. ભક્તિયોગી સર્વત્ર ઈશ્વરનો અનુભવ કરે છે અને તેથી પોતાની અંદર, બહાર અને સૃષ્ટિમાં સર્વત્ર ઈશ્વરને અનુભવે છે. તે જ્ઞાનીઓની જેમ જગતને મિથ્યા નથી માનતો પણ ’વાસુદેવં સર્વં ઈતિ’ સમજીને સર્વ કાઈ ઈશ્વરમય છે તેમ અનુભવે છે.

    આ બધા રાતો રાત યોગી નથી થઈ જતા.

    કર્મયોગીએ સતત નિષ્કામ કર્મ કરતા રહેવું પડે છે.

    જ્ઞાનયોગીઓ એ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું પડે છે.

    ભક્તિયોગીએ સતત ઈશ્વરમાં ચિત્ત પરોવીને ઈશ્વરાકાર વૃત્તિ કરવી પડે છે.

    ઈશ્વરની વીશે વાતો કરનારા આસ્તિકો અને ઈશ્વરને નકારનારા નાસ્તિકો કરતા યોગીઓ હજાર દરજ્જે વધારે વ્યવહારુ હોય છે.

    Like

  4. આપનો આત્મા જ આપનો ઈશ્વર છે તેને અને તેના અવાજને અનુસરો ક્યારે ય આ અંદરથી ઉઠતા આ અવાજને અવગણી/દબાવી તેથી વિપરીત વર્તન નહિ કરતા વફાદારી પૂર્વક વળગી રહો તો આપોઆપ ઈશ્વરની પ્રતિતી થઈ જશે !

    Like

  5. મારો ઈશ્વર કોણ? ખૂબજ સુંદર લેખ.

    આજ વિષય પર થોડા દિવસ પેહલાં થોડી અલગ રીતે, વાર્તા નાં સ્વરૂપે મે મારા બ્લોગ પર પોસ્ટ મૂકેલ છે ‘ઈશ્વર ક્યાં છે?’

    http://das.desais.net -‘દાદીમાની પોટલી’ પર …

    શા માટે આપણે ઈશ્વર ને શોધવા ચારેબાજુ ભટકીએ છીએ?…

    અશો કકુમાર -‘દાદીમાની પોટલી’

    Like

  6. I agree with Arvind Adalja’s views. There is a constant struggle with our mind to accept or not to accept God.

    Just treat others the way you want to be treated. THe rest will follow.

    Pradeep H. Desai
    Indianapolis,In USA

    Like

  7. ફીરાક ગોરખપુરી કહી ગયા;
    ‘જીન્હે શક હૈ વો કરે ઔર ખુદાઓંકી તલાશ,
    હમ તો ઈન્સાનકો ઈસ જહાં કા ખુદા માનતે હૈં’ .
    આતો સાધનાની ઉચ્ચ સ્થિતી છે!
    આત્મવત સર્વભૂતેષુ દર્શન થાય
    અને
    સીયારામમય સબ જગજાની,
    કરહું પ્રણામ …
    બાકી આ અનુભૂતિનો વિષય
    યમ નિયમ પાળો,
    સાધનાનો પુરુષાર્થ સરળ થશે
    અને
    તેનો અણસાર થશે

    Like

  8. આપણા દેશમાં મ્રુત્યુ પછી દરેકે દરેક મનુશ્યોની અમુક વિધિઓ કરવામાં આવતી જ હોય છે, મ્રુતદેહને સ્મશાને લઈ જવાની, ઉઠમણા, બારમા અને તેરમાની, વગેરે વગેરેની વિધીઓ કરવામાં સદીઓથી કરવામાં આવે જ છે, મુસ્લીમોમાં અલગ રીતે હોય શકે, ખ્રિસ્તીઓમાં પણ અને અન્ય અન્ય ધર્મોમાં પણ કોઈને કોઈ વિધી હોય જ છે. એનુ કારણ શુ?? આપણે શું કામ એ વિધીઓ કરીએ છીએ?? કોઈને મોક્ષ માટે, કોઈ અવગતીયો ન થાય એ માટે, કે અન્ય અન્ય કારણો માટે આવી બધી વિધિઓ દરેકે દરેક ધર્મોમાં કરવામાં ઓછે વધતે અંશે કરવામાં આવે જ છે?? શું કામ??

    Like

  9. i wonder how a truly educated man can believe in such superstitions!

    it was different with the primitive man, it was different with the medieval man – for he had little heritage of knowledge of natural sciences and social sciences. he didn’t know the theory of evolution and origin of species including Man.

    he had no better way to combat the fear and fury of the Nature, but to kneel before the diverse phenomena of Nature and pray to appease them. his search for the ultimate deity that can protect him and grant him all kinds of favours led him to create an ‘omnipotent God’.

    i wonder what did these so-called educated men learn from the subject of ‘science’ in their school or college days! or do they still believe in these cock-and-bull scriptural stories ? will they ever understand the difference between ‘ science’ and ‘mythology’?

    congrats viral. for your frank and honest and fearless opinion.

    Like

  10. The question of existence of God, Allah or whatever name you give has always been there and will always remain. Earlier too many debates have taken place on this topic without any fruitful result. And I think even after endless debates and discussions there will be no end.

    As for shair of Firaque Gorakhpuri qouted by Mr. Viral in his letter to the editor or post I have to say that he wrote this for those people who neglect humanity and mankind and who practice rituals.

    In Urdu there are two distinct ways to follow. Khidmat-e-Allah (Offering prayers to Allah or God) and Khidmat-e-Khalque (Serving humanity). Those who run after ‘Unseen’ but neglect ‘Seen’ Firaque tells them to serve humanity first. The real religion is to serve poor, suffering needy.

    As we all know people in Pakistan are suffering a lot because of the flood. The Ulemas (Islamic scholars over there have appealed Muslims who intend to perform Hajj this year to donate the entire amount to be spent on hajj for flood ravaged Pakistanis. How many will heed to this appeal? Hundreds and thousands will go to perform rituals.

    Yes, I fully agree and am of firm opinion that we all have to work hard to educate blind followers. It is because of them we see many ‘Businessmen of Religions.’ These people are actually ‘Highjackers of Faith.’

    Firoz Khan, Toronto (Canada)

    Like

  11. મારો ઈશ્વર તે છે જે મને સતત સત્ય માર્ગદર્શન આપ્યા કરે છે અને મને શીખવે છે કે માનવતા જ સાચો અને પહેલો ધર્મ છે, અને સ્તુતિ તે પછી છે.

    કાસીમ અબ્બાસ

    Like

  12. માનવતાથી મોટો કોઈ ધર્મ કે ભગવાન નથી .
    ઘણી સ્ત્રીઓ ડાકોર ઠાકોરજીના દર્શન માટે ચાલતી સંઘમાં જતી હોય છે ત્યારે પોતાનો જણેલો લાલીઓ અને લાલીઆના બાપા બાજુવાળા ના ભરોસે હોય તો આવાને શુ ઠાકોરજી દર્શન આપવાના .
    ગિરનારમાં વર્ષોથી ધૂણી ચલાઈ બેઠેલા સાધુઓ તેમના પરિવારની જવાબદારીઓથી ભાગી જઈ ભગવાનને પામવા વર્ષો સુધી ગુફાઓમાં જપ તપ કરે તેવાઓને શુ ભગવાન મળવાના .
    ઘણા વૈષ્ણવો શ્રીનાથજીમાં દર્શન કરવા ધક્કા મુકી અને મારા મારી કરતા હોય તો તેવા અસુરો જેવા વર્તન કરનારને શુ શ્રીનાથજી દર્શન આપવાના .
    પોતાની જનેતાને ના સાચવે ને ગોખમાં બેઠેલી માં ને ભજે તો શુ તેવાને મા દર્શન આપવાના .
    આપણા સૌમાં એક આત્મા છે તે જ ઈશ્વર છે . જ્યાં સુધી આપણને દરેક જીવમાં ભગવાન ના દેખાય ત્યાં સુધી ભગવાનની શોધ અધૂરી જ રહેવાની .

    Like

  13. For BBs (Barefoot Bawas) the famous shayar late Sahir Ludhyanwi ritghtly siad:

    Sansar se bhaage firte ho, Bhagwan kahan se paaoge?
    Is log ko apnaa naa sake , us lok ko kya apnaoge?

    Like

  14. This article speaks well about the author.
    I agree that ” હું માનું છું કે, જેમાંથી જીવનબળ મળે તે ભગવાન”.
    For theist and atheist alike, as long as we enjoy the moments we are living in, consider that we are blessed.

    Like

  15. પરમેશ્વર માટે નાં કોઈ શત્રુ છે નાં કોઈ મિત્ર.પરમેશ્વર તો ન્યુટ્રલ ગીયર છે.પરમેશ્વર નાં તો નિર્બળ છે,નાં સબળ.પરમેશ્વર નાં તો ક્રૂર છે ,નાં દયાળુ.પરમેશ્વર તો એક નિયમ છે.નિયમ તોડો તો એના પરિણામો ભોગવો.એમાં કોઈ વહાલા દવલા ની નીતિ ચાલે નહિ.આપણે મનુષ્યો છીએ માટે એને વહાલા છીએ અને બીજા પ્રાણીઓ કે જીવો દવલા છે તેવું નથી.એક નાના માં નાનો જીવ એને માટે સરખો જ છે.મનુષ્યો મહત્વ ના અને બીજા નહિ,તેવું કુદરત આગળ ના હોય.મનુષ્યો માં પણ હિંદુ વહાલા કે ખ્રિસ્તી વહાલા અને બીજા નાહોય તેવું પણ નથી.બ્રીટીશર ખરાબ અને ભારતીયો જ સારા એવું પણ કુદરત આગળ ના હોય.એવું હોત તો બસો વર્ષ રાજ કરી ગયા ના હોત.ઘોરી ખરાબ અને પૃથ્વીરાજ સારો તેવું પણ નહોય.એવું હોત તો પૃથ્વીરાજ હાર્યો જ નાં હોત.કુદરત આગળ સૌ સરખાજ છે.જે ભેદ ભાવ બનાવ્યા કે ઘડ્યા તે આપણે ઘડ્યા છે.
    નિયમ આગળ કોઈ નું ચાલે નહિ.બની શકે કે નિયમો સમજાતાં નથી,કે સમજવા દેવામાં આવતા નથી.દસમાં માળે થી નીચે પડો અને માથું જમીન પર અથડાય તો ભગવાન નો વહાલો દીકરો પણ ના બચે.હા માથું જમીન પર નાં ભટકાય તો બચી જવાય ભલે હાથ કે પગ તૂટે.ઉપર મુજબ મેં મારા બ્લોગ માં લખેલું છે,લેખ છે ‘પરમેશ્વર ન્યુટ્રલ ગીયર છે’ . ઈશ્વર કોઈ વ્યક્તિ નથી.કે જેના માટે મંદિરો ની ભીડ માં મરવા જવું પડે,જેના માટે એના રચેલા સંસાર કે જગત ને છોડવું પડે.’તો પછી આપણી સ્વતંત્રતા શું?પૂછનાર ને મહમદ પયગમ્બરે સરસ જવાબ આપ્યો છે,’એક પગ ઉંચો કરી ઉભા રહો તેટલી આપણી સ્વતંત્રતા,બીજો પણ સાથે ઉંચો કર્યો કે ગબડ્યા.એક પગ માટે સ્વતંત્રતા બીજા માટે નહિ.મતલબ બે સાથે નહિ.નહિ તો નિયમ તમને ગબડાવી દેશે.ગબડવાની ચોઈસ તમારી છે,નિયમ તોડી સજા મેળવવાની ચોઈસ તમારી છે,એમાં ઈશ્વરભાઈ કોઈ ભેદભાવ કરતા જ નથી.માટે કોઈ એજન્ટ એવું કહેતો હોય કે હું બચાવી લઈશ તો મારી ને ભગાડી મુકો એને.આ એજન્ટો એ ઈશ્વરભાઈ ને મંદિર માં બેસાડી ને એમના રોટલા રળવાનું સાધન બનાવી મુક્યા છે.ગિરનારી કે બીજા કોઈ પણ બાવાઓ ને કામ કરવું નથી માટે ભાગી ગયા છે.આપણે એમના ખર્ચા પુરા કરીએ છીએ માટે ભાગી ગયા છે.આ ઈશ્વરભાઈ ની વાતો મમળાવી મમળાવી ને કહી ને બાપુઓ,દાદાઓ,સ્વામીઓ,દીદીઓમહારાજ્શ્રીઓ,લાલજીઓ કરોડો ભેગા કરી લે છે.આપણે મુર્ખાઓ નિયમ તોડી સજા ભોગવવામાંથી છૂટવા માટે આ મૂરખ મહાત્માઓ,ચાલક મહાત્માઓ ને કરોડો આપીએ છીએ.નિયમ તોડવાની સજા માંથી કોઈ મુક્તિ આપી શકવાનું નથી.આ એજન્ટો નિયમ થી પર નથી એમને પણ દવાખાને જવું પડે છે,એ લોકો પણ એક્સીડેન્ટ માં મરી જાય છે.ત્યાં પછી તમને નિયમ બતાવવા માં આવે છે.નિયમ બરોબર કામ કરતો હોય તો આ હરામીઓ ની જરૂર જ શી છે?

    Like

  16. Dear readers , My thinking goes like this : 3 steps are important 1. knowledge 2. karm 3. feeling effects of 1 & 2. Let me explain this : Nature and natural creations must be attempted to be studied knowing its structural anatomy /After knowing nature within us and outside us ( enviroment ) try your level best to maintain or sustain it to its level by your healthful living style. After putting 1&2 into practice then only you can enjoy the nature within you & outside you i.e. your are feeling life as if it is blessed by god to you in other word your life is godly blessed where in no interferance by professional agents claiming them as god”smen is required .

    Like

  17. ‘એની અંદર શું હશે, મારી બલા જાણે, મરીઝ, બહાર તો પથ્થર મળ્યા મંદીર ને મસ્જીદને.‘

    ખુદા કે વાસતે પર્દા ના કાબે સે ઉથા ગાલિબ
    ખિ ઐસ ન હો યા ભિ વહિ કાફર સનમ નિક્લે

    અજબ વાત તો તે છે કે પ્રભુ સર્વવ્યાપક છે અને બધામાં છે. માત્ર માનવમાં જ તેમ નથી છતાં મૂઢ અનુયાયી માત્ર મન્દિર અને મસ્જિદ અને ગુરુદ્વાર ચર્ચ માં જ જુએ છે અને જુદ જુદ ધર્મની દિવાલ ચણે છે. અને પોતે તે ભેદીને દિવાલ સાચવવા મરે અને મારે છે. આને વળી ધરમનું પવિત્રમા પવિત્ર કામ ગણે છે…તમે કોઇપણ કહેવાતા ધાર્મિક્ને મળશો તો તે ભેદરેખા દોરવાનુ ચાલુ કરી દેશે કે અમારામાં તો આવુ છે અને અમારુ જ શ્રેષ્ઠ છે કહી તમને તુછ્છ ઠરાવવામા તેને અનેરો ઉચ્ચ આનન્દ આવશે ..અને પ્રેમ, પ્રગતિ, સહકાર, એકતા જેવા મૂલ્યોથી તો કહેવાતા ધાર્મિકો લાખ જોજન દુર હોય તેમ લાગશે ..પ્રેમ એટલે ઈશ્વર પણ તેમને તો વહેમ એટલે જ ઐશ્વર્ય લાગે છે.. બે પ્રેમીને જોઇ તેમને ડાયેરિયા થઈ જાય.. તેમ ગુણવંત શાહ સાચુ કહે છે.. ધન્ય છે અન્ધ અનુયાયીઓને…ગાલિબે તો તેમને ય કરુણાથી કહી દિધુ…
    અન્ધ શ્રદ્ધાનો ન એને દોષ દો
    અન્ધ ને શ્રદ્ધા ન હોય તો હોય શુ ?

    Like

  18. Badha kahe chhe manechhe Bhagvan chhe. Ghana loko kahi gaya ke upa chher. Upar kayn? Pote potani rite bhagvan shodhe ne mane. Chhe e vat nakki.

    Puravo e chhe ke Manushya ne manushya janme chhe, gay ne gay janme, Bakran ne Bakrun. Amba upar Keri, Safarjan upar safarjan.

    Kevo chhe? Koy ne jova malya hoy jamman nathi. Malya chhe kaheva vala pan mara pramne dhating na karta hoy to pan kahe ke joya chhe.

    Suraj, praksh, chandra prakash, vadla pani e Ishvar ni anubhuti chhe. Mani na mano to pan chhee ne rahevani chhe.

    Natvar

    Like

  19. Kahe chhe bhagvan chhe pan koye joya nathi. Svarge gaya pan koi pachha avi kaheta nathi ke Bhagvan kayan
    chhe, keva chhe.

    Joya vagar badha potani rite Bhagvan ne svarup ape chhe. Koi kahe SPIRIT chhe je anjan chhe. Andha Shraddha vala to kai samjva, sudharva taiyar nathi.

    Kone shun kahevun? Sishi sadi vat samji lyo ke Bhagvan chhe. Aa jagat chel chhe te hakikat chhe.
    Svar sanj, tadko, varsad, Suraj, Chandra, niyamit dekhay chhe. Vaignaniko ne aa babat vandho nathi
    ke nathi virodh.

    Bhagvan kon chhe, keva chhe te panchat ma utarva jarur nathi. Jene je swarupe jova hoy jova do. Srushti
    lakho varshthi chhe.

    Manav dharti upar utpann thayo tene Bhagvan babat
    khabar na hati to pan lakho varshthi aa duniya chale
    chhe. Je avyun, je avdyun, te rite rahya. Je malyun te khadhun. Shakbhaji ke maauns no tafavat na hato. Punya ke Pap ni vyadhi na hati.

    Bhagvan kon chhe, kevo chhe te babat ne maro goli.
    Koy avi chhabi batave ke Video batave tyare joy laishu.

    Natvar

    Like

  20. સ્વાગત,

    સ્વ-ચેતના અને ચેતના સ્વયં એજ મારો ઈશ્વર…

    શૈલેષ મેહતા
    (+ 919429519598)

    Shreemad Bhagvad Geeta – Prashnottar

    Shreemad Bhagvad geeta – Spast Aadesh

    Writings of SPM

    Gujarati Collection

    Like

  21. મારો ઈશ્વર એ છે જેણે આ ધરતી આકાશ અને એની અંદર કે ઉપર અથવા નીચે જે કંઈ છે એને બનાવ્યુ છે, જે આપણા સ્વાસના કારણ છે, જે મને સ્વચ્છ પાણી પાએ છે, જે મને સ્વચ્છ હવા આપે છે, જે મને પવિત્ર વિચારો દ્વારા પવિત્ર અને નિર્મળ બનવા મદદ અને બુધ્ધિ આપે છે, જે અજાણ્યાને ભાઈ માની પ્રેમ આપવા અને સહાય થવા નુ જ્ઞાન શિખવે છે, જે મને પાપની સાંક્ળમાં જકડાયેલા લોકો માટે, અંધકારમાં પડેલાઓના છુટકારા અને ઉધ્ધાર મલે એ માટે પ્રાર્થના કરવાનુ શીખવે, બીમારોની સેવા કરવાનુ શીખવે, મેલા ઘેલાને પાપી ન સમજી ઘ્રુણા ન કરવાનુ શીખવે, તુછ્છ અને કગાલોને પ્રેમ દ્વારા સતમાર્ગે લઈ જવાનુ શીખવે, ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી પાવા અને નંગાને કપડા આપવા પ્રેરે, તમાચો ખાઈને આશિષ આપવાનુ શીખવે, જુઠુ બોલવા જ ન દે, ખુન કરવા જ ન દે, નિંદા-ઈર્ષ્યા-લડાઈ-ઝઘડા-ટંટા-અભિમાન કરવા જ ન દે, ઉલ્ટુ નમ્ર બનાવે, વિનયી બનાવે, વિશ્વાસુ બનાવે, પ્રાર્થના કરવાનુ શીખવે વગેરે વગેરે સતકર્મો કરવા પ્રેરે, અને જે આવા આવા કામો કરનારને મુરખ કહે એમને આશિષો આપવાનુ શીખવે એવો મારો વહાલો, એવો મારો પ્યારો, એવો મારો પ્રેમી પરમેશ્વર છે, જે વેદોમાં છુપાયેલો અને મુર્તિપુજા નીચે દબાયેલો “પરમાત્મા” છે, કુરાને વર્ણવેલો, ઈબાદત કરેલો દયાળુ પરમ ક્રુપાળુ “અલ્લાહતાલા”, અને બાઈબલમાં સ્તુતિ-પ્રશંસા પામેલો “ગોડ” છે એ છે મારો ઈશ્વર…..તમારો પણ એ જ છે એને તમે શોધો, તમારી પાસે જ છે, એની આંખો તમેન જુએ જ છે, એમના કાનો તમારી પ્રંશંસા-ધન્યવાદ સાંભળવા તરસી રહ્યા છે, તમારી સહાયતાની પ્રાર્થનાના શબ્દો સાંભળવા માટે તરસી રહ્યા છે પણ તમે તો જ્ઞાની બનીને એમને વધુ જટીલ બનાવી મુક્યા છે, પણ ધન્ય છે જે જણ જે એમને પોતાની અંદર અથવા પોતાને એમની જ અંદર પામે છે, માને છે, જાણે છે…… તો તમે પણ એવા ધન્ય કેમ નથી બનતા?? જલ્દી જલ્દી બની જાઓ જેથી એ તમારો પિતા તમને પોતાનામાં પામીને આનંદિત થઈ ઉઠે……

    Like

  22. “Maro Ishvar”…ie. the 1st NON STARTER !
    Isvar is ONLY ONE !
    It ( as a Param Tatva) or He/She ( as a Human or Human-like Being ) is os ALL !
    Even I extending this thought to the NON BELIEVERS of the Ishvar….That is “NON EXISTING ENTITY ot a THOUGHT !
    Let us not go into the discussion of “If Ishvar is there Where is HE ? Show me ! Etc, “.
    Look at the UNIVERSE & if you want to see him you can !..And if you have made up your mind that “He is NOT THERE ” nobody can change your mind.
    If you can not see him in the VAST UNIVERSE, just look in the Fellow Human OR even “within” yourself and you can visualise HIM in the “Manavata” (GOODNESS ) !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL the READERS of this Post to my Blog Chandrapukar !

    Like

  23. The basic stint is who is god? what is god? The god created a man or man created god.

    I believe the later is true. More People have died in so called holy wars or Jiddah or what ever you name it.

    When man came to this earth, he was living a natural life and he came to today’s position. Did he worship god then? I think the answer is NO.

    The secrets of life, which he could not understand, he started worshiping it. So many so called miracles, have become known things to today’s man.

    But still he does not want to disillusioned. May he enjoy life more when he is in illusion stage.

    Like

  24. આત્મા સો પરમાત્મા તત ત્વમ અસિ
    એ જાણ્યા પછી ઇશ્વર કોણ ઍ પ્રષ્ન રહે?
    ખેર જાણવુ ખણુ અખરુ છે
    સરસ લેખ
    ઇન્દુ

    Like

  25. ISHWAR NE SHODHYA KARTA AAPADI ANDAR RAHELAI SHUDH AATMA NE SHODHASO TO ISHWAR AAPO AAP MILI JASE………………

    Like

Leave a comment