નમુનેદાર બેસણું

નમુનેદાર બેસણું

–જગદીશ શાહ

ગયે મહીને મુંબઈમાં એક વીશીષ્ટ પ્રકારનું બેસણું થયાના સમાચાર છાપાના એક ખુણેથી વંચાઈ ગયા. ખરેખર મારા જેવો તંત્રી હોત તો તો આ લબાડ રાજકારણીઓના વાણી–વીલાસને બદલે આ ક્રાંતીકારી સમાચારને પહેલે પાને આકર્ષક મથાળું બાંધીને આપત.

પાકટ વયે એક રસીક બહેન ગુજરી ગયાં. તેમને ફુલનાં કુંડાંનો, જુની ફીલ્મોનાં ગીતોનો અને વીવીધ વાનગીઓ બનાવી જમવા–જમાડવાનો શોખ. તેમના મૃત્યુ પછી તેમના, તેવા જ રસીક અને ક્રાંતીકારી પતીએ વીશીષ્ટ પ્રકારનું બેસણું રાખ્યું.

બેસણાના સ્થળે પહોંચવાના રસ્તાની બન્ને બાજુ ફુલનાં કુંડાંઓની હારમાળા કરવામાં આવી હતી. ભજનોની કેસટ કે ભજનીકોની ભજન–સંધ્યાને બદલે જુની ફીલ્મોનાં ગીતોની કેસેટ વાગતી હતી. ત્યાં બોર્ડ મુકવામાં આવેલું હતું કે, ‘સ્વર્ગસ્થને ગમતાં ફુલનાં કુંડાં અને વીસરાતા સુરને માણ્યા પછી તેમને ગમતી વાનગીનો આસ્વાદ કરીને જશો તો સદ્દગતના આત્માને શાંતી મળશે.’

હા જી, બેસણામાં ભોજન ! અને ફીલ્મીગીતો !! આ સમાચારથી હું તો અત્યંત પ્રસન્ન થઇ ગયો !!! વાચક છાતી ઉપર હાથ મુકીને કહે કે બેસણામાં જવાનું થાય છે ત્યારે શી લાગણી થાય છે ? સફેદ કપડાં પહેરીને, સોગીયું મોં રાખીને (અને વળી કેટલાંક ભાઈબહેનો તો તે માટેનો મેકઅપ બ્યુટી પાર્લરમાં કરાવીને) જવાનું, ત્યાં મુકેલ ફુલો કે પાંખડીઓ લઈ મૃત શરીરના ફોટાને ચડાવવાનાં અને એક ખુણે બેસી શાંત–પરલોકને યાદ કરાવે તેવું ભક્તીસંગીત સાંભળવાનું. સતત પ્રવૃત્તીમાં રહેનારને તો 10–15 મીનીટ મુગા બેસી રહેવાનું મુશ્કેલ હોય છે; તેથી આ પ્રસંગેય બાજુની વ્યક્તી સાથે વાત કર્યા વગર રહેવાતું નથી. પતી–પત્ની સાથે ગયાં હોય તો, 5–7 મીનીટ થઈ ન થઈ અને એક બીજા સામે જોયા કરે. ક્યારે ઉઠે ને અહીંથી વીદાય થઈએ. હાથ જોડીને ઉભા થઈ રસ્તે પડવાનું. તદ્દન નીર્જીવ, દંભી દેખાડો આવાં બેસણામાં હોય છે.

તેને બદલે સમાચારમાં જણાવ્યા મુજબનું બેસણું નવી ભાત પાડનારું ગણાય. આ ચીલો પાડવા જેવો ખરો. મુંબઈ જેવા શહેરમાં કે ગામડામાં બે–ચાર કલાક જવા–આવવાના થતા હોય ત્યાં પાણી અને કંઈ ખાવા–પીવાની ચીજ પહોંચતા માણસોએ રાખવી જોઈએ. નહીં તો બેસણામાં જનાર કે નીકળનાર બહાર કાંઈક ને કાંઈક પેટમાં ઓરીને જ જાય છે.

આવી બધી વીધીઓને જીવતી–જીવન્ત કરવાની જરુર છે. સામાન્ય માણસથી આ નહીં થાય. વીચારકો અને સામાજીક કાર્યકરોએ સમાજને આંચકો આપવા આવા ક્રાંતીકારી ફેરફારો કરવા જોઈએ.

બેસણામાં કરવા જેવો એક સુધારો સુચવું. સદ્દગત વીશે બે શબ્દો લખી શકાય, તે માટે બે–ત્રણ ઠેકાણે પ્રવેશદ્વારે ઉંચાં ટેબલ ઉપર નોટબુક અને પેન રાખવાં જોઈએ. તે સાથે ટપાલપેટી જેવી પેટીઓ પણ રાખી શકાય. ઘરેથી લખીને લાવનાર તેમાં તે નાખી શકે. વળી, મૃત વ્યક્તીની ઓળખાણ સૌને એક સરખી નથી હોતી નથી, તેથી તેમની જીવન–ઝરમર અને શક્ય હોય તો જીવનમાંથી પ્રેરણા લેવા જેવી બાબતો–પ્રસંગોને સમાવતી નાનકડી પુસ્તીકા (ઉપર તેમના ફોટા સાથેની) આપી હોય તો પ્રાસંગીક થાય. સફેદ વસ્ત્રો અને સોગીયાં મોઢાંનીયે જરુર ન ગણાય.

અલબત્ત, બેસણું કરવું એ જરુરી ન લેખાવું જોઈએ. જેમ સમારંભો–સંમેલનોમાં ‘રુબરુ ન આવી શકો તો સંદેશો મોકલી આપશો’  એવું લખાણ ઘણા કરે છે તેમ; બેસણાની જાહેરાતમાં જ ‘રુબરુ આવવાની પ્રતીકુળતા હોય તો આપનો  સહાનુભુતીપત્ર મોકલી આપશો’ એવું તા.ક.માં છાપી શકાય.

બેસણામાં આવનાર અને આવી ન શકાતાં સંદેશો મોકલી આપનાર સૌને મૃત વ્યક્તીને ગમતી કોઈ એક કે અનેક ચોપડીઓ પૈકીની એક–એક ચોપડી ભેટ આપી–મોકલી શકાય. તેમાં ચારેક પાનાં ફોટા અને જીવનઝરમરનાં ચોંટાડી શકાય.

આની  સાથે મરવાના અયોજનનુંયે વીચારવા જેવું છે. નામ તેનો નાશ નીશ્ચીત છે. સૌને વહેલા–મોડા આ દેહ છોડીને જવાનું જ છે. એટલે શાણા માણસો મરતાં પહેલાં વસીયતનામું કરી નોંધાવી રાખે છે. આ વસીયતનામું મોટે ભાગે સ્થાવર જંગમ મીલકતોની  વહેચણીનું જ હોય છે. આ અંગેય વીચારવા જેવું છે.  માનવ–જીવનમાં માત્ર અર્થનો જ પુરુષાર્થ કરવાનો નથી.  ધર્મ–અર્થ–કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કરવાના હોય છે. એ ચાર પૈકી પોતે શું શું કર્યું અને શું શું કરવાનું બાકી છે, તેનું ચીંતન સાઠીમાં આવ્યા પછી દરેકનું થવું જોઈએ. સાઠી એટલે ઓગણસાઠથી અડસઠ વરસ–એવી મારી સમજ છે. સાઠીમાં પ્રવેશતાં આ ચીંતન શરુ થાય ને નવ વરસમાં તેનું સુરેખ આયોજન થઈ જાય. સામાન્ય રીતે સીત્તેર ટકા લોકો સાઠીમાં દેહમુક્ત થઈ જાય છે.

સાઠીમાં પ્રવેશ્યા પછી અર્થ અને કામનો પુરુષાર્થ સમેટી લેવો ઘટે. એટલે લોહીની સગાઈ નથી તેવાં સગાં–પડોશી–મીત્રો કે તદ્દન અજાણ્યાયે આપણાં જ છે, એવી ભાવના કેળવવી અને તે નોકર–ચાકર–મજુર સુધી પહોંચાડવી. વાણીને પણ તેને અનુરુપ કેળવવી. ધન હોય તો બને ત્યાં સુધી સદ્કાર્યમાં તેનો વ્યય કરવો. અત્યાર સુધી પુત્રો–પૌત્ર–પૌત્રીઓ માટે મીઠાઈ–રમકડાં–પુસ્તકો લાવતાં હવે તેનું વર્તુળ વીસ્તારવું. મોંઘી ચીજો નહીં, તો સીંગચણાયે વહેંચી શકાય. નજીકનું બાલમન્દીર, ગરીબ અને પછાત બાળકોનાં છાત્રાલય, ગરીબોની ઝુંપડપટ્ટી કે વાસ સુધી તે પહોંચાડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દાદા કે બા કોનાં ? તો સૌ કહે, ‘આપણાં’, એવો  રણકો ચોમેરથી સાંભળવા મળે તો આપણો પ્રયત્ન ફળ્યો. કોઈ માંદું આપણા થકી દવા–સારવાર પામે, કોઈ ગરીબ વીદ્યાર્થી પુસ્તકો, નોટ, ફી કે શીષ્યવૃત્તી પામે, વાર–તહેવારે ભુખ્યાઓ ભોજન પામે એવું આયોજન કરવું જોઈએ.

જીવતાં જે કંઈ થયું તે જ સાચું, વીલમાં લખેલું પરમાર્થમાંનું કામ, આપણા જેટલી જ લગનથી, તીવ્રતાથી આપણા વારસદારો કરવાના નથી, નથી ને નથી જ– એ વાસ્તવીકતા સ્વીકારી લેવી જોઈએ.

વૃદ્ધાવસ્થા પછી દેહને જવા માટે કોઈ બહાનું તો જોઈએ જ, તેથી કોઈક ને કોઈક વ્યાધી આવે તેમ બને. સાઠી વટાવી દીધી હોય, કરવાનું કામ કોઈ બાકી ન હોય, ધંધો–વ્યવસાય પુત્રોએ સંભાળી લીધો હોય તો પછી આ દેહને ટકાવી રાખવાના નાહક ઉધામા ન કરવા જોઈએ. હૉસ્પીટલમાં દાખલ કરવાનું, વાઢકાપ કરવાનું, શરીરને ખેંચાવા ઑક્સીજન કે ગ્લુકોઝના બાટલા ચડાવવા, આઈ.સી.યુ.માં દાખલ કરવા વગેરેની પળોજણ મોત બગાડનારી છે. પુત્રો અને વારસદારોનો નાહકનો ખર્ચ અને દોડધામ બચાવવાં જોઈએ. શાંતીથી સદ્ચીન્તન કરતાં કરતાં આહાર ઓછો કરતા જવું જોઈએ. જીન્દગીભર જાતજાતનું ખાધું–પીધું છે. હવે તેમાંથી મનને વાળી લેવું જોઈએ. સગાં–વહાલાંઓએ પણ દુનીયાદારીના ડરથી હૉસ્પીટલ–દાક્તરો–દવાઓ દોડાદોડી ન કરવી જોઈએ.

છેલ્લું આયોજન દેહના વીસર્જનનું છે. ભાગ્યે જ  કોઈ તેનું આયોજન કરે છે. હમણાં મૃત વ્યક્તીનું નેત્રદાન પ્રચલીત થતું જાય છે.  રડ્યોખડ્યો કોઈ દેહદાન પણ કરે છે. ખરેખર, આ બાબત જેટલું ઉંડાણથી વીચારવું જોઈએ તેટલું વીચારાતું નથી. શબનો નીકાલ સામાન્ય રીતે બાળીને, દાટીને, નદી–દરીયામાં વહેડાવી અને પારસીઓમાં પક્ષીઓને ખોરાક તરીકે આપીને થાય છે. બાળવામાં લાકડું, છાણાં, ગેસ, વીજળીનો ઉપયોગ થાય છે. આજના જમાનામાં પર્યાવરણને પ્રાધાન્ય આપીએ તો મડદાં પાછળ લાકડાં વેડફાવાનું યોગ્ય નથી. આમેય છાણાંનો ઉપયોગ બાળવામાં ન થવો જોઈએ. તેનો ઉપયોગ ખેતરમાં ખાતર માટે જરુરી છે. ગેસ અને વીજળી પણ મોંઘાં છે. દાટવાનું એક જ જગ્યાએ કરવાથી કબ્રસ્તાનમાં ઘણી જગ્યા રોકાઈ જાય છે. જ્યાં વાડો–ખેતર કે પડતર જમીન હોય ત્યાં મડદાં દાટવાથી વખત જતાં તે માટીમાં એકાકાર થઈ જાય છે. અને તેની ઉપર વૃક્ષ પણ વાવી શકાય તો એક સ્મરણ રહી શકે છે. પાણીમાં વહેડાવવામાંયે પ્રદુષણ તો થાય જ.

આમ, મૃતદેહના નીકાલ માટે જમીનમાં દાટીને ઉપર વૃક્ષ વાવવાનો વીકલ્પ સારો છે. હા, મેડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને ભણાવવામાં કે શરીરનાં ઉપયોગી અવયવોનો ફેર ઉપયોગ કોઈ જરુરીયાતવાળાને માટે થતો હોય તો દેહ–દાન કરવું ખોટું નથી; પણ તે સર્વજન માટે સુલભ નથી .

આમ, જીવન જીવતાં સૌને ખપમાં આવવું ને કોઈને નડવું નહીં તથા જીવનની સમાપ્તી પછી મૃતદેહ પણ કોઈને નડે નહીં, તે નીમીત્તે સૃષ્ટીની સંપત્તી વેડફાય નહીં એવું ચીન્તન જરુરી છે.

મરનારને વરસોવરસ યાદ કરી છાપામાં તેમના ફોટા છાપવાનો કુરીવાજ હમણાં હમણાં વ્યાપક થતો જાય છે. આવો દેખાડો શાનો ? પૈસા ખર્ચીને છાપામાં દર વરસે યાદ કરવાની શી જરુર ? આવું જો બધાં જ દર વર્ષ કરવા માંડે તો છાપામાં વાંચવાના કોઈ સમાચાર કે લેખની જગ્યા જ ન બચે ! અથવા તો અનેક પાનાંઓનું છાપું નીકળે ને કાગળનો નર્યો વેડફાટ જ થાય. કાગળ પણ વાંસ અને વનસ્પતીમાંથી બને છે. એટલે વનોનું નીકન્દન નીકળી જાય. મરનારના ગુણો  સ્મરીને આપણું જીવન સમૃદ્વ બનાવવાનો સંકલ્પ દર વર્ષે ઘરના કુટુમ્બીજનો ભેળા મળી કરી શકે–જો બહુ લાગણી હોય તો. કેટલીક વાર તો મરનારે જીવનભર યેનકેન પ્રકારેણ પૈસો ભેગો કર્યા સીવાય બીજું કોઈ કામ ન કર્યું હોય; તેવાને દર વરસે છાપે ચડાવી તેમને મનોમન લોકો પાસે ગાળો દેવડાવવાની જરુર નથી હોતી. જેણે સેવાનાં, પરમાર્થનાં કાર્યો  કર્યાં હશે, તેમને તો દુનીયા આમેય યાદ કરવાની છે જ.

સાઠીમાં પ્રવેશ્યા પછી ‘બુદ્ધી નાઠી’ – એવી કહેવતને સાચી ન પાડવાનો પ્રબળ પુરુષાર્થ સૌએ કરવો જોઈએ. ઉલટું, વૃદ્ધની બુદ્ધી અને અનુભવ તો વધે છે. તેનો માત્ર કુટુમ્બીજનોને જ નહીં, સમાજ સમસ્તને લાભ મળવો જોઈએ. આપણી પાસે કાન બે; પણ જીભ તો એક જ છે ! તેનો ખ્યાલ રાખી વૃદ્ધે વાણી ઉપર સંયમ રાખવાથી પરીવારમાં શાંતી રહે છે. હા, પુછનારને તેઓ જરુર જવાબ આપે,  સલાહ ન આપે. નાછુટકે જ બોલવાનું રાખે તો વૃદ્ધો અકારા ન થાય. પૌત્ર–પૌત્રીઓ સાથે હળવા–મળવાનું, તેમને વાર્તા કહેવાનું, ફરવા લઈ જવાનું, શાળાએ મુકવા–લેવા જવાનું, તેમની દૈનીક ક્રીયામાં તેની માને(તે ઈચ્છે તેટલું જ) મદદરુપ થવાનું, શાક લાવી આપવાનું, સમારી આપવાનું, બજારની નાની મોટી ખરીદી કરી લાવવાનું, પુત્રવધુ ચીંધે તે અને તો કરવાનું રાખવાથી વૃદ્ધો ઘરમાં ઉપયોગી થશે. તેઓ પોતાની વયના મીત્રો–સગાંઓ વચ્ચે વધુ હળેમળે ને કાવ્ય, શાસ્ત્ર, વીનોદ કરે તે સારુ છે ; પણ પુત્રપુત્રવધુ કે ઘરના અન્યની નીન્દાકુથલીમાં ન પડી જવાય, તેનો ખ્યાલ રાખે તો મરણ સુધરે.

ઘરમાં મર્યાદીત આવક હોય તો વૃદ્ધો પુત્રો પાસે અનાવશ્યક માંગણીઓ કરવાનું ટાળે. ‘ઈન્દ્રીયોને સમેટી લેવાની છે’ તેવી જાગ્રતી રહે તો તેના ભોગ માટેની સામગ્રી ન ખરીદાવે તો સારું. મનોરંજન–ભોજન ઘરમાં જે કાંઈ ચાલતું ને પીરસાતું હોય તેમાં ફાવશે–ચાલશે–ગમશે–ભાવશેની વૃત્તીથી ભળી જવાય તો તેનાથી રુડું બીજું કાંઈ નહીં.

અત્યારે સમાજમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. વૃદ્ધાશ્રમો કરવાની પ્રવૃત્તી શરુ થઈ છે; પણ વૃદ્ધાશ્રમ અનીવાર્ય અનીષ્ટ છે એમ માનવું જોઈએ. ઘરમાં–કુટુમ્બમાં જ વૃદ્ધ રહે ને સૌને ઉપયોગી ને પ્રીય થઈ શકે, તે જ આદર્શ વ્યવસ્થા છે. ગાયને માટે પાંજરાપોળ અને વૃદ્ધ માટે વૃદ્ધાશ્રમ સરખાં છે. હા, જેનો પરીવાર જ ન હોય, તેઓ જરુર વૃદ્ધાશ્રમને નીવાસ બનાવે.

વૃદ્ધાવસ્થા, બીમારી, મરણ, મરણ પછીનું બેસણું અને અન્ય ક્રીયાઓ વીશેનું આ ચીન્તન સાઠી પસાર કરનારાં અને પસાર કરી ગયેલાં વૃદ્ધ વાચક ભાઈ–બહેનોને ખપ લાગશે, તેવી આશા છે. સીનેમાના એક ગીતની કડી અત્રે યાદ આવે છે :

જીયો તો ઐસે જીયો જૈસે સબ તુમ્હારા હૈ,

મરો તો ઐસે કી જૈસે તુમ્હારા કુછ ભી ન થા” ………. અસ્તુ !

–જગદીશ શાહ

તા. 01 ફેબ્રુઆરી 2006ના ‘ભુમીપુત્ર’ના અંકમાંની એમની ‘સમાચારને સથવારે’ કૉલમ તેમજ ‘સન્ડે ઈ–મહેફીલ’ –  વર્ષ : બે –   અંક : 94 –  માર્ચ  25, 2007માંથીઆંશીક ફેરફાર સાથે સાભાર… –ગોવીન્દ મારુ

લેખક પરીચય

1934માં ટાંગુ(મ્યાંમાર–બ્રહ્મદેશ)માં જન્મેલા શ્રી. જગદીશ શાહ ત્રણ વર્ષની ઉંમરે પરીવાર સાથે વડોદરા આવી સ્થીર થયા. અભ્યાસ વડોદરામાં. ઈન્ટર સાયંસમાં જ કૉલેજ છોડી દીધી. ત્યારે પણ અભ્યાસમાં, સામાજીક કાર્યોમાં, અખાડામાં અને નેતાગીરીમાં અગ્રસર હતા. આજે પણ જનહીત ધરાવતા કોઈ પણ નવા વીચારને અપનાવવા સદા તત્પર. તે કારણે જ કદાચ આ સર્વોદયી નેતા અલગ પડવાના ભય વીના શરુઆતથી જ ‘ઉંઝાજોડણી’ના ચુસ્ત સમર્થક રહ્યા.

આઝાદીની લડત વેળા ઉંમર નાની; પણ પછી વીનોબાજી જોડે ભુમીસમસ્યાના ઉકેલના કામે જોડાયા. પરીવારને આ કદમ ન રુચતાં 15 ઓગસ્ટ 1953ના દીને ઘર ત્યજ્યું અને વીનોબાજી જોડે દેશભ્રમણ કર્યું. પછીથી તે સંદેશ લઈ રવીશંકર મહારાજથી માંડી નારાયણ દેસાઈ જોડે ગુજરાતયાત્રા કરી. ગુજરાત અને ભારતના ‘સર્વોદયમંડળ’ના પ્રમુખ–મંત્રી તરીકે યશસ્વી કામગીરી કરી. શીક્ષણ, આરોગ્ય, જનજાગૃતી માટેનાં કામો આજે પણ સતત કરતા રહ્યા છે.

1975ની કટોકટી દરમીયાન નીર્ભયલેખન બદલ જેલવાસ પણ ભોગવ્યો. ‘ભુમીપુત્ર’ના તંત્રી તરીકેના લેખનથી ગુજરાતના જાહેરજીવન સાથે સવીશેષે સંકળાયા. વડોદરાનાં કોમી રમખાણો વેળા શાંતીસૈનીક તરીકેની એમની સાહસપુર્ણ ભુમીકા નીર્ભયતાનું ઉદાહરણ બની રહી.

‘ભુમીપુત્ર’માં એમની લોકપ્રીય કટાર ‘સમાચારને સથવારે’ ઉંઝાજોડણીમાં પ્રકાશીત થાય. દેશવીદેશ બહોળો વાચકવર્ગ ધરાવતા ‘શીવામ્બુ’ નામના માસીકના તેઓ તંત્રી છે અને તે પણ ઉંઝાજોડણીમાં પ્રકાશીત થાય છે જે નીચેની  સાઈટ પર જોવા મળશે:

http://sites.google.com/site/pahelumsukha/old-issues-of-shivambu

નીર્ભય, સાદા,  અપરીગ્રહી,  સરળ,  નીખાલસ  અને  આ  સર્વોદયી–  રૅશનાલીસ્ટ, વીવેકબુદ્ધીવાદી–ગાંધીજન ગુજરાતનું  ઘરેણું છે.

1960માં જીનવસંગીની બનેલાં મંજુલાબહેન પ્રવૃત્તીમય પળોમાં હરક્ષણે સાથે જ હોય. દીકરા કપીલભાઈએ સજીવખેતીનાં સંશોધન–પ્રયોગોમાં અને ડૉ. ભરતભાઈએ કુદરતી ઉપચાર ક્ષેત્રે નેત્રદીપક કામગીરી આરમ્ભી છે. બન્ને ભાઈઓએ પણ આશ્રમને જ પોતાની કર્મભુમી બનાવી છે.

સંપર્ક: શ્રી. જગદીશ શાહ, ‘નીસર્ગોપચાર કેન્દ્ર’,  વીનોબા આશ્રમ,  ગોત્રી,  વડોદરા–390 021 ફોન : (0265) 237 0489 મોબાઈલ : 98243 26037

દર રવીવારે ‘સન્ડે ઈ–મહેફીલ’ મેળવવા લખો: uttamgajjar@gmail.com

‘સન્ડે ઈ–મહેફીલ’ની અત્યાર સુધીની જુની સઘળી પીડીએફ ફાઈલો વેબસાઈટ: http://sites.google.com/site/sundaymahefil/ પરથી તથા http://www.gujaratilexicon.com/index.php?action=downloadSeM પરથી પણ સરળતાથી ડાઉનલોડ થઈ શકશે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 23–09–2010

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. શુક્રવારથી રવીવાર સુધી હું મુંબઈમાં હોવાથી આ લેખની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.’

26 Comments

  1. ખૂબ જ પ્રેરણાદાયક ઊજવણી
    “છેલ્લું આયોજન દેહના વીસર્જનનું છે. ભાગ્યે જ કોઈ તેનું આયોજન કરે છે. હમણાં મૃત વ્યક્તીનું નેત્રદાન પ્રચલીત થતું જાય છે. રડ્યોખડ્યો કોઈ દેહદાન પણ કરે છે. ખરેખર, આ બાબત જેટલું ઉંડાણથી વીચારવું જોઈએ તેટલું વીચારાતું નથી. શબનો નીકાલ સામાન્ય રીતે બાળીને, દાટીને, નદી–દરીયામાં વહેડાવી અને પારસીઓમાં પક્ષીઓને ખોરાક તરીકે આપીને થાય છે. બાળવામાં લાકડું, છાણાં, ગેસ, વીજળીનો ઉપયોગ થાય છે. આજના જમાનામાં પર્યાવરણને પ્રાધાન્ય આપીએ તો મડદાં પાછળ લાકડાં વેડફાવાનું યોગ્ય નથી. આમેય છાણાંનો ઉપયોગ બાળવામાં ન થવો જોઈએ. તેનો ઉપયોગ ખેતરમાં ખાતર માટે જરુરી છે. ગેસ અને વીજળી પણ મોંઘાં છે. દાટવાનું એક જ જગ્યાએ કરવાથી કબ્રસ્તાનમાં ઘણી જગ્યા રોકાઈ જાય છે. જ્યાં વાડો–ખેતર કે પડતર જમીન હોય ત્યાં મડદાં દાટવાથી વખત જતાં તે માટીમાં એકાકાર થઈ જાય છે. અને તેની ઉપર વૃક્ષ પણ વાવી શકાય તો એક સ્મરણ રહી શકે છે. પાણીમાં વહેડાવવામાંયે પ્રદુષણ તો થાય જ….”સુંદર વાત થોડું ચિંતન …”“WE CAN bury her, burn her, or dump her.” The lucrative business of running funeral homes is rarely as blunt as that portrayed by Monty Python, a British satirical television show, and certainly not a front for cannibalism. But burial rites in most of the modern world remain an expensive relic of 19th-century habit. The last big innovation was cremation, which is now under fire for its environmental costs. A study conducted in 2007 for Centennial Park, a cemetery in Australia, found cremations produce the equivalent of 160kg of CO2 per body. A cemetery burial emits a mere 39kg. But maintenance (mowing lawns and the like) makes the ultimate carbon footprint of burial bigger than cremation.
    Both tend to make extravagant use of coffins made from valuable hardwoods such as oak and mahogany. In America the coffin may then go into a cumbersome and expensive burial vault. Unpleasant chemicals abound. A paper published in the Journal of Environmental Health in 2008, entitled “Drinking Grandma”, warned about the public-health risks of formaldehyde leaking from cemeteries into groundwater. Cremations are dirty too. Dental fillings mean that they account for as much as a fifth of Britain’s mercury emissions: regulations require crematoria to cut mercury emissions by half by 2012.
    Customers (or their relatives) want change. A survey in 2007 for the AARP, an American senior-citizens’ lobby, found that more than a fifth of respondents wanted greener burials; subsequent surveys have had similar results. That can mean sharing hearses, or using home-grown flowers and coffins made with cardboard (pictured) or willow, which biodegrade easily. But bigger changes are also afoot.
    One is that more people want to be buried in natural habitats—not headstoned in neatly ordered plots, or in vaults. Although natural-burial grounds exist in places as far afield as America and Australia, they are most widespread in Britain, thanks largely to permissive rules. The first natural-burial ground was set up in 1993. More than 200 have since opened. Andy Clayden of the University of Sheffield says that 242 natural-burial grounds are either up and running or planned in Britain, only just fewer than the country’s 252 crematoria.
    Ireland’s first natural-burial ground won planning permission last month, and is due to open in October. Colin McAteer, who runs it, says indebted Irish property owners are calling him in the hope that their undeveloped land could be used this way too. It is not an obvious commercial bet: burial grounds cannot be redeveloped, so banks are unlikely to want them as collateral. But they can make some money. Mr McAteer’s site will also be a managed forest, for example.
    New technologies are changing the picture, too. One is “water cremation” or alkaline hydrolysis, where a corpse is placed into a heated solution of water and potassium hydroxide. In a few hours, the corpse dissolves into an inorganic liquid, which can be used as a fertiliser, and a white ash-like residue. Aquamation Industries, an Australian company, opened a water-cremation facility in Queensland last month. Resomation, a British firm, will install equipment in Florida by the year-end. Its founder, Sandy Sullivan, says conventional cremation produces four times as much CO2 as does this process.
    Another nascent technology takes a different approach. The body is freeze-dried in liquid nitrogen, then vibrated so that it dissolves into a fine powder. Further processes evaporate water and remove things like mercury. The residue can be put into a shallow grave and turns to mulch in about a year. Observers reckon that the Swedish company which developed the idea, Promessa, has promised much and delivered little. But Susanne Wiigh-Masak, its founder, says that franchises are now in place in South Korea and Britain, and that the need for crematoria to comply with mercury-abatement rules could also prompt orders in Sweden itself.
    None of this yet amounts to a revolution. There are no good data on take-up of green options. New technologies need new legal frameworks, and legislators tread very carefully when it comes to death. Members of the public may take time to adjust to the idea of being dissolved. (Though cremation was seen as outrageous in its day.
    Natural-burial grounds do not wholly avoid the problem of land scarcity (the fact they can have several uses helps). In theory, the funeral industry ought to be happy to offer whatever consumers want. But Joe Sehee of the Green Burial Council, a non-profit organisation, says that in America at least, many funeral directors are unwilling to ruffle the feathers of suppliers of coffins, vaults and the like. Even so, if the traditional funeral is to be buried, concern for the environment is the likeliest undertaker.”
    પ્રૌઢ વયમાં લાયકાત અને શક્તિ પ્રમાણે પ્રૌઢ મહત્વાકાંક્ષા સેવી તેમનો પણ અનુભવ લીધો. કેટલીક બાબતો સાર વગરની હોય તેવી લાગી. કેટલીક બાબતોનો અનુભવ મળતાં તૃપ્તિ થઇ ગઇ. આ બધું સંતોષનો જ વિષય છે. જે પુરૂષાર્થ આપણે આરંભ્યો હતો તે જ નવી પધ્ધતિથી અને મોટા પ્રમાણમાં બીજાઓ ચલાવે છે તે જોઇને અપાર સંતોષ થાય જ અને નવી પધ્ધતિથી અને મોટા પ્રમાણમાં બીજાઓ ચલાવે છે તે જોઇને અપાર સંતોષ થાય છે. ઘડપણને કારણે જે વાત હવે મારે હાથે થઇ શક્તી નથી તેની નાહક ચિંતા કરીને પોતાની જાતને શા માટે સૂકવી નાખવી? બાલ્યાવસ્થા જેટલી આનંદદાયક હતી, જુવાની જેટલી પ્રોત્સાહક હતી તેટલી જ વૃધ્ધાવસ્થા શાંતિદાયક, સંતોષપ્રદ અને ચિંતનાકુળ બની છે. જેમ સાંજના થાકની સાથે મીઠી અને ગાઢ નિંદ્રાનું આગમન સુખદાયક લાગે છે, તે જ રીતે વિવિધતાથી ભરેલા આ જીવનનો અંત પણ આવવાનો છે અને યથાકાળે મૃત્યુમિત્રની મુલાકાત નક્કી થવાની જ છે, તે શ્રેષ્ઠ આશ્વાસન છે.તેથી આ રીતની ઊજવણી પ્રેરક દ્રષ્ટાંત છે.

    Like

  2. પ્રિય ગોવિન્દભાઈઃ
    તમારો મોકલાવ્યો લેખ “નમુનેદાર બેસણું” વાચ્યો. મને ગમ્યો. બીજા સુચનો સાથે એક વધુ સુચન ઉમેરવા વિન્નતીઃ મ્રુત્યુ પામેલ વ્યક્તિની મરજી અથવાતો પ્રવ્રુતિ મુજબ કોય સન્સ્થામા દાન આપવાની વિન્નતી કરવી જેથી ખાસ કરીને વિદ્યાર્થિને લાભ થાય અથવાતો બીજા કોય સામજિક કાર્યમા મદદ થાય.
    જયેન્દ્ર ઠાકર

    Like

  3. Taraditions and customs of burials and creamations age old,
    since time immemorial,to bring change in this fundamental
    unvarying perfomance of acts is a ‘Herculean’ task,even some sections in communities of its members try to do some thing different it requires great strength and will power to act on.

    As many different opinions and suggetions have been expressed by different people,no any better, best or apppealing solutions have so far in sight,and many percentage of populations may not like perhaps other alternative method,so most of famlies may not accept or dare to
    go for changes,it is also not as simple for other customs,rites and rituals to give up,in many cases all close family’s consensus consents are also required,unless dead person’s last death wish for the funeral arrangement are diffrent from traditional burial or creamation.

    At the moment and in this time of period it may not change,only if something unusual, unforseen and compelling circumstances arise to change the practice of funerals,burial or
    creamation.

    Many views,opinions and reports are every day and day out publishes all around the world about environments,many steps and precautions are also taken by International Institutions and the governments but so far no one have come up with idea about disposal of deads,this is very tricky and delicate issue to ponder into.

    Those who decide to do last rituals of dead are close family members,it in their hands ultimately to reform this customs
    of burial and creamation,in the case of this issue; good thinking,understanding and education are esssential part of it,well this is not yet have developed so far in our society.

    Like

  4. મનુષ્ય આ પામર જગતમાં ખાલી હાથે આવે છે અને ખાલી હાથે આ પામર જગત થી વિદાય લે છે. તેના પહેલા પહેરણ (ઝભલા) માં ગજવું નથી હોતુ, તેમ છેલ્લા પહેરણ (કફન) માં પણ ગજવું નથી હોતુ. પણ વચગાળા ના જીવન માં ગજવા માટે તે ખુવાર થાય છે અને બીજાઓને પણ ખુવાર કરે છે. તો પછી તેના આ જગત થી વિદાય વેળા આ બધા નાટકો ની શી જરૂરત છે? મુસ્લીમ ધર્મશાત્ર તો કહે છે કે મ્રુત્યુ એ એક પરીક્ષા છે, માટે સંયમ જ કેળવો. બધી ખર્ચાળ વિધિઓ પરંપરા થી ચાલતી આવે છે, જેમાં કશું સત્ય નથી.

    કાસીમ અબ્બાસ

    Like

  5. એલેક્ઝાન્ડર સિકંદર મર્યો ત્યારે એની સુચના મુજબ એની સ્મશાન યાત્રા સમયે બંને હાથ બહાર ખુલ્લા લટકતા રાખવામાં આવેલા.જેથી દુનિયા જોઈ શકે કે સિકંદર ખાલી હાથે આવેલો અને ખાલી હાથે જાય છે.અમારા સાબરકાંઠા ના રાજપૂત સગાઓ માં તો રીવાજ જ છે કે ત્યાં મરણ નિમિત્તે લોકો બેસણા કે સુતક ને દિવસે ખરખરો કરવા જાય તેમને જમાડી ને જ મોકલવામાં આવે છે.જમણ માં મીઠાઈ અને બુફે સ્ટાઈલ જ હોય છે.નવા વિચારો આવકારદાયક છે.

    Like

  6. My dear Govindbhai Maru.

    Well, it is always said that the revolutionaries have to suffer
    heavilly in every field, as the society is scarsely ready to accep
    new concepts. Govindbhai, your suggestions regarding the
    cremation of dead bodies is worth appreciation. in view of
    social regulations prevailing since quite a long time as every
    Hindu will wish that his body after his death should be burnt
    with timber only, and not even in electric furnace.
    Anyway donating the entire body to medical institute is the
    best concept, as it can solve many problems at a stretch.

    I wish you all the best in your present new concepts, strating with obvituary, which is really worth appreciations in all
    respects. with warm regards. jesingbhai sheth

    Like

  7. હું પણ એમાં જ માનું છું તમને તમારા સગા વ્હાલા પર્ત્યે લાગણી હોય તો એમને –
    દોડધામ કરાવ્યા નો શો અર્થ , મેં મારા પતિ ને કહ્યું છે કે , કદાચ મને કઈ થાય –
    તો પરાણે આધુનિક ટેકનોલોજી થી જીવાડી મારા શરીર સાથે જે મારા છે એમને –
    હેરાન ના કરશો, મારી પાછળ બેસણું રાખવાની જરૂર નથી , પણ જો કોઈ ને ખબર –
    પડે ને મળવા આવે તો સારી રીતે જમાડજો, કહે જો કે તમે જમશો તોજ સીમા જમી –
    શકશે , બાકી ખોટા રીતી રીવાજો માં તણાઈ ને કોઈ ને હેરાન ના કરશો,
    જો બધા એવું સમજે તો કેટલું સારું,

    Like

  8. ગોવિંદભાઈ હવે આ બધું જુનુ થઈ ગયું. હવે કાઈક નેટ બેસણા વિશે વિચારો.

    Like

  9. Very interesting. In 21st century, we have accepted ‘ who ever is born is going to die.’. That was true in olden days also. But people were crying a lot and “Chati kutavaanu’ etc. Now people take it very lightly and celebrate after death. “Dad magile tevi vat cche.”

    Like

  10. નમુનેદાર બેસણા વાળી વાત ગમી. પણ જુની ઘરેડમાંથી બહાર આવવાની હિંમત તો જોઇએ ને? નવી વાતને આવકારવા કે બિરદાવવાળા જેટલા છે એનાથી વધુ વખોડનારા હોતા નથી?

    Like

  11. ઉત્તમ વિચાર છે,

    પણ સ્વછંદતા નો અતિરેક ન થવો જોઈએ. કેમ કે સામાન્ય જનતા ઘોંઘાટ કરી મુકીને અન્યોને ત્રાસ આપે છે એનો ખ્યાલ કોણ રાખશે, એ યક્ષપ્રશ્ર્ન નથી શુ??
    કેમ કે એકલ્દોકલ ઉદાહરણ તો સારુ લાગે પણ જ્યારે એ પણ રીવાજ બની જશે પછી ઘોંઘાટને કોણ સહન કરશે?

    મારી અંગત ઈચ્છાની વાત કરુ તો, હુ ફક્ત અને ફક્ત પરમપિતા પરમેશ્વરની મહિમા-સ્તુતિના જ ગાણા શાંતિથી-ઘોંઘાટ વગર ગાઈ-વગાડવાની ઈચ્છા રાખુ છે, કેમ કે પરમપિતા જ મને નશ્વર શરીરના બંધનમાંથી છોડાવીને એમના આત્મિક રાજ્યમાં પ્રવેશ કરવાનો મોકો પુરો પાડે છે ને અને એમણે જ મને આજ સુધી સાજો-નરવો રાખ્યો છે, બીજુ કોઈ નહિ. જગત નો કોઈ ડોક્ટર કોઈ મરીઝને સાજો નથી કરી શક્તો જ્યા સુધી પરમ્પિતાની ઈચ્છા હોય, જગતનો કોઈ ગુરુ એના ચેલાને ઉધ્ધારકારક માર્ગ ચિંધવી શક્તો નથી જ્યા સુધી પરમપિતાની ઈચ્છા ન હોય, જગતનો કોઈ શિક્ષક કોઈ વિધ્યાર્થીને સત્યનુ શિક્ષણ આપી નથી શક્તો જ્યાં સુધી પરમ્પિતાની ઈચ્છા ન હોય, વગેરે વગેરે. એટલે મારા જીવન દરમ્યાન એકે એક પગથીયે પરમપિતાની ઈચ્છા વગર હુ ચાલી ન શક્યો હોવ તો પછી એ પરમેશ્વરને કમ સે કમ મરણ પછી જે છેલ્લો મોકો મળ્યો હોય તો એનુ ઉત્તમ ઉદાહરણ કેમ ન પુરુ પાડુ. આજ સુધી જગતમાં પ્રભુ યીશુએ સુળી પર ચડીને પોતાનુ બલિદાન આપ્યુ એવુ ઉદાહરણ બીજુ કોઈ નથી, જેને કારણે આખો ઈતિહાસ બે ભાગ થઈ ગયો હોય, ઈસુ પહેલા, અને ઈસ્વીસન. (આપણે આજે ઈસુવી સન માં જીવી રહ્યા છે એનો પણ લોકોને ખ્યાલ નથી રહેતો કેવુ આશ્ચર્ય છે)

    Like

  12. Dear Jagdidhbhai,

    Absoluteely marvellous article on post humous rites. Cudos to you. YOu very much echo my thoughhts regarding such age old and meaningless activities carried on here in India.

    I’ve written a Gujarati ACHHANDAS.

    હું હવે બેસણામાં જતો નથી,
    મારી પાસે ખાદીનો રુમાલ અને ઝભ્ભો નથી,
    મારી પાસે સિન્થેટીક અશ્રુઓ નથી,
    હું નથી ઈચ્છતો કે સાચા અશ્રુઓનું ઉઠમણું થાય.

    –Viral Vyas.

    Like

  13. સુંદર લેખ અને સાથે સાથે ઘણા બધા સરસ સૂચનો.

    જો હું મારા પરિવારનું ઉદાહરણ આપું તો મારા દાદાએ આજથી ૪ વર્ષ પહેલા દેહદાન કર્યું હતું (મારા મતે, આ દુનિયાનું જો સૌથી મોટું જો દાન હોય તો તે દેહદાન છે) અને મારા બાએ ૨.૫ વર્ષ પહેલા નેત્રદાન કર્યું હતું.

    Like

  14. “જીયો તો ઐસે જીયો જૈસે સબ તુમ્હારા હૈ,
    મરો તો ઐસે કી જૈસે તુમ્હારા કુછ ભી ન થા”

    શ્રી મારૂ સાહેબ

    ભઈ..મજા આયી ગઇ. લેખક જગદીશ શાહને પણ ધન્યવાદ.

    પ્રફુલ ઠાર.

    Like

  15. એક નવી વાત સાથે આપનો આ લેખ જૂની ઘરેડમાંથી બહાર આવી નવું ગ્રહણ કરવા પ્રેરે તેવો હોવા છતાં સામજિક માહોલ જોતા કેટલા લોકો આ નવા વિચારને સ્વીકારી અમલ કરવા જેટ્લી હિમત દાખવશે તે યક્ષ પ્રશ્ન બની રહેશે ! ઉપરાંત ભાઈ રાજેશની વાતમાં પણ તથ્ય સમાયેલું છે કે એક વાર આવો નવો ચિલ્લો પડ્યા બાદ મૃતક પાછળ જે શાંતિથી પ્રાર્થના થવી જોઈએ તેને બદલે ફુલ વોલ્યુમ સાથે માઈકો ભજનો અને તેપણ સીનેમાની ઢ્બે ગાજતા તો નહિ થઈ જાય ને ?
    અત્રે સૌરાષ્ટ્ર્માં કેટલીક જ્ઞાતિઓમાં બેસણાંમા આવનારાઓને ચા-પાણી વગેરે આપવાનો રિવાજ ઘણા જૂના સમયથી અસ્તિત્વમાં છે. જરૂર તો છે મૃત્યુ પાછળ રહેલા કુરિવાજો નાબુદ કરવાની ! અખબારો જુઓ તો ખ્યાલ આવે છે કે મૃતકને શ્રધ્ધાંજલિ આપતી આખા પાના ભરી જાહેરાતો આવતી રહે છે તે કોને માટે છે ? મૃત્ક તો વાંચવા ના નથી તેથી પરિવારના લોકોને સારું લગાડવા અન્ય સગા-વહાલા કે મિત્રો આવી જાહેરાત આપે છે અને સાથો સાથ પોતાની પણ જાહેરાત કરતા રહે છે ! મારા દ્રધ મત પ્રમાણે બેસણું/ઉઠમણું રાખવાની જ આવશ્યકતા નથી જે રિવાજ માત્ર 2 મિનિટ માટે મોઢા-મોઢ થઈ સારું લગાડવાની ભાવના/ઈરાદા સાથે નિભાવવામાં આવતો હોય તેવાઓથી મૃતકના અંગત પરિવારના સભ્યોને કયું સાંત્વન મળી રહેવાનું ? આ ઔપચારિકતા નીભાવવા કેટલા લોકોને કચવાતા મને સમય સર હાજરી આપવી પદતી હોય છે તે કરતાં જેમને ખરેખર લાગણી/પ્રેમ હશે તે સર્વે તેમના અનુકૂળ સમયે આશ્વાસન આપવા આવી શકે તેવી પ્રથા અપનાવવી મારી દ્રષ્ટિએ વધુ વ્યવહારુ અને સર્વ સ્વીકૃત બની રહે તે વધુ સંભવ છે. મૃત દેહ માટે મારે મતે તો દેહ દાન એ શ્રેષ્ઠ રીત છે. આ વિષે મારાં બ્લોગ ઉપર થોડા સમય બાદ એક વિગત વાર લેખ મૂકવા વિચારી રહ્યો છું. અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિદ

    Like

    1. સાચી વાત છે. બકરી કાઢતાં ઊંટ પેસી જાય .. જોખમ ઊભું જ છે!
      એક વખત રિવાજ શરૂ થયો કે પછી દેખાદેખીમાં ન થાય એટલું ઓછું.
      કોઈ વળી એવું જાગે કે: માત્ર ગીતો જ શા માટે સંભળાવવા? સ્વર્ગસ્થ તો ફિલ્મો જોવાના શોખીન હતા .. માટે તમામને મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ બતાવી દઈએ તો વટ પડી જાય!!!
      શુભ કે અશુભ પ્રસંગે શરૂ થયેલા સુધારાઓ વખત જતાં દેખાદેખીના લીધે જ સાદાઈ છોડીને ખર્ચાઓ તરફ ગતિ કરી ગયા છે.
      છતાંય નવી રીત અપનાવનાર ધન્યવાદને પાત્ર તો છે જ.

      Like

  16. પોસ્ટ વાંચી !

    જગદીશભાઈએ એક સુંદર લેખ લખ્યો છે !…..અનેક વાંચકોએ એને વધાવી લીધો છે, અને પ્રતિભાવો આપી એમના વિચારો પણ દર્શાવ્યા છે.

    જગદીશભાઈએ “બેસણું”ના રિવાજથી શરૂઆત કરી, ત્યારબાદ, જુના/નવા રિવાજો…અને સાથે સાથે, માનવના મ્રુત્યુ-દેહ વિષે …માનવના ઘડપણના જીવન વિષે..વિગેરે લખી અંતે ફીલ્મ ગાયનના શબ્દોથી લેખ પુરો કર્યો !

    બધા જ વિષયો પર ચર્ચા કરવી નથી. ફક્ત “બેસણું ” વિષે ચર્ચા !

    હિન્દુ ઘર્મમાં “બસણું”નો રિવાજ છે…બીજા ધર્મોમાં પણ કંઈક રિવાજો જોવા મળે જ છે…તો, પ્રથમ સવાલ એ રહે કે “આ રિવાજ હોવો જોઈએ કે નહી ?”..ચાલો, એટલું તો સર્વ માનશે કે પરિવારમાં કોઈનું મ્રુત્યુ એટલે “દુઃખભરી કહાણી”..જ્યારે કોઈ પણ દુઃખી હોય ત્યારે એની વિચારધારા/સમજ અંધકારમાં હોય..એવા સમયે, જો કોઈ બીજું બાજુમાં “બેસે”..કે પછી, “બે શબ્દો” કહે તો તો જરૂર હિંમત મળે..અંધકાર દુર થાય…તો, આવું કરવું ખોટું છે ?….બસ, આટલો જ આ રિવાજની શરૂઆતનો હેતુ હશે એઅવું મારૂં માનવું છે !..સમયના વહેણમાં, “આવા કપડા પહેરવા”..”રડવું”….”ભોજન કરાવવું” વિગેરે વિગેરે ઉમેરાયું …એ જ યોગ્ય નથી ! …..જે નિહાળો છો તે તો ખોટું પણ સાથે સાથે, માનવીઓની “હ્રદય ભાવના”ઓ પણ બદલાય ગઈ છે..આજે, “મન વગર જાવું “…”અપશબ્દો કે મ્રુત્યુ પામેલા માટે ખરાબ બોલવું “વિગેરે વધી ગયું છે….પણ, બીજી દુઃખની વાત તો એ કે મ્રુત્યુ પામેલાના પરિવારના માણસો પણ બદલાય ગયા છે…..”છાપાઓમાં જહેરાતો”…..”ભોજન ઉત્સવ”…”મરેલાને તદ્દન ભુલી ગયા હોય એવું વર્તન”…આ જ ખોટું છે !

    “બેસણું”નો રિવાજ જે હેતુથી શરૂ થયો હતો તે યોગ્ય હતો !…મ્રુત્યુ પામેલો માનવી એ મરે પછી શું થાય તે જોવાનો નથી..પણ એના માનવ દેહને “આદરભાવ” સાથે નિહાળવો એક મુખ્ય માનવ-ફરજ છે !

    મારા મતે માનવ મ્રુત્યુ સમાયે>>>
    (૧) મ્રુત્યુ દેહને પ્રેમથી નિહાળી, એની યાદમાં પ્રભુનું નામ જોડી, અંતીમ વિદાય આપવી.

    (૨) મ્રુત્યુના દિવસે ઘરે પરિવારે દીલથી પ્રાથનાઓ કરવી…યોગ્ય લાગે તે પ્રમાણે, સગા સ્નેહીઓ સાથે બેસી સમુહ પ્રાથના કરવી..એ દિવસ કે ત્યાર બાદ !

    (૩) શક્તિ હોય તે પ્રમાણે “દાન” કરવૂં …ગરીબોને સહાય..શિક્ષણ માટે દાન…વિગેરે

    (૪) સદગતના જીવનમાંનું “સારૂં” લઈ પરિવારજનો એમના જીવનમા ઉતારે તે મોટી “અંજલી” છે !

    (૫) દેહ દાન….કે કોઈ અંગનું દાન યોગ્ય જે કહેવાય…અને જો એ પ્રમાણે “વીલ”માં હોય કે એવી “ઈચ્છા” દર્શાવી હોય તો એને માન આપવું એ એક ફરજ બની જાય છે !

    જગદીશભાઈનો ગીત શબ્દો થોડા બદલવા છે>>>>

    જીવો તો એવું જીવો કે તમે સૌ માટે જીવ્યા ,

    મરો તો એવું મરો કે સૌ તમારી યાદ જીવી રહ્યા !

    >>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai..Please visit Chandrapukar !
    Inviting all your Readers to Chandrapukar hor HEALTH Posts ..& other Posts !

    Like

  17. ગોવિંદભાઈ લેખ બદલ તમને અને જગદીશભાઈને ધન્યવાદ. કોમેન્ટ વાંચતા જણાયું કે બધા મહાનુભાવોને શ્રી જગદીશભાઈનુ સુચન ઘણું જ ગમ્યું લાગે છે,આમેય મનુષ્યનું મન પોતાને મનગમતી વસ્તુ અને રીત તરફ જલ્દી ખેંચાય છે,કહેવાય છે ને,” ગમતું હતું ને વૈદે કીધું”…. બેસણામાં ફિલ્મી સંગીત????? હસી હસી ને પેટ દુઃખી આવ્યું…કેવું સંગીત વાગશે…” કર ચાલે હમ ફિદા જનેમન સાથીયો અબ તુમ્હારે હવાલે વતન સાથીયો.” જો મારનાર નુ મનપસંદ ગીત બેસણામાં વગાડવામાં આવે તો….જો મારનારને ગમતું ગીત:-” ગુમનામ હે કોઈ,બદનામ હે કોઈ,કિસકો ખબર કોણ હે વો અનજાન હે કોઈ…..” હા કોઈ નવયુવાન મૃત્યુ પામે તો એનું મનપસંદ ગીત આ પણ હોઈ શકે,” મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીયે”
    જગદીશભાઈ ના મનની કલ્પનાને કારણે કોમેડી સીરીઅલ અને ફિલ્મોને નવો આઈડિયા મળી ગયો…..લોકોને હસાવા માટેનો!!!!

    બેસણામા જમવાની વાત….બેસણું હમેંશા માણસ મારી જાય એના ૨ થી ૫૬ દિવસમાં જ રાખવામાં આવે છે.એ સમયમાં મરનારના પરિવારજનો સ્થિતપ્રજ્ઞની અવસ્થામાં નથી હોતા કે બેસણામાં આવનાર માટે જમવાની વ્યવસ્થા કરે.અને બેસણામાં આવનાર લોકો પણ જમતા નથી હોતા.

    નેત્રદાન અને દેહદાન બહુ સરાહનીય બાબત છે…જેમણે આ દાન કરેલું છે એમને ખુબ ખુબ ધન્યવાદ.પણ ભારતની વસ્તી ૧૨૫ કરોડ છે. જો બધા જ નેત્રદાન અને દેહદાન કરશે તો?????? અરે ફક્ત ૧૦% જ આ દાન કરે તો????? એના કરતાં જીવતાજીવત લહુદાન કરો એની વધારે જરૂર છે.વધારેમાં વધારે બ્લડ બેંક ઉભી કરો….તો કોઈનો જીવ બચી જશે…..હું નેત્રદાન અને દેહદાનનો વિરોધ નથી કરતો એની તુલના તો હું કન્યાદાન ના પવિત્ર દાન સાથે કરું છું…..મરણ મનુષ્યના હાથની વાત નથી એટલે કોણ,ક્યારે અને કેવી રીતે મરશે ત્યારે એના શરીરની હાલત કેવી હશે એના આધાર પર જ નેત્રદાન અને દેહદાન સંભવી શકે છે, પણ જો ખૂનનું દાન કરવામાં આવે તો કેટલાયના જીવ બચી શકે એમ છે…..

    Like

  18. liked the article about “BESANU” & about disposal of dead body.
    if cremation is decided then electric furnace is better than cremation by burning with wood.
    donating the body for medical colledge is ideal.
    In case of “brain dead “, relatives can decide to donate organs for tranceplant , this is ideal. many patients are waiting for different organs .
    madhu

    Like

  19. Adbhut article.!!
    Rasikaben nu maran nibhavnara sarve swajano, Jagdishbhai Shah ane Govindbhai Maru badha abhinandan na adhikari chhe… Samaajne prerana male tevu khara arthma krantikaari kaary karva badal pun: congrats ane Aabhar ke te amari sathe sher karyu.!

    Like

  20. રાજેશભાઇ, યશવંત ઠક્કર અને યશની ગુજ્જુ દુનિયાની ટિપ્પણીઓ બહુ સારી લાગી.
    નવું કરવા જતાં જૂનું જ નવું બનીને પાછું ન આવે! રા,નો વિચાર મૌલિક છે અને ય,ઠ.એ એનો સારો વિસ્તાર કર્યો છે. પણ ય, ગુ, દુ,એ તો હાસ્યની સ્કિટ જ લખી નાખી છે!… હાસ્યનીછૉળ ઉડાડીને બીજા જ ફકરામાં સીરિયસ થઈ ગયા! મઝા આવી.
    મરણ પછી જમણ તો થતાં જ અને હજી પણ બારમા-તેરમાનાં જમણ થાય જ છે.હવે બેસણામાં પણ જમણ કરવાનું શરૂ કરીએ, જેથી બેસણામાં આવેલા જમે તો જ મૃતક જમી શકે! શા માટે મૃતક જમી શકે એમ માનીએ છીએ?
    આ બધામાંથી એક જાતનો મૃત્યુનો ભય દેખાય છે, અથવા સ્વીકારવાની હિંમતનો અભાવ દેખાય છે. મૃત્યુ એટલું બધું નિશ્ચિત છે કે એના જેવી નિશ્ચિત તો ભૂતકાળની ઘટના જ હોઈ શકે. જેમ હું કયા વર્ષમાં ગ્રેજ્યૂએટ થયો એ આજે વાસ્તવિક રીતે બદલી ન શકું તેમ મ્રુત્યુ પણ ન બદલી શકું. માત્ર મને તારીખની ખબર નથી. એમ તો અકબર બાદશાહના જન્મની તારીખની પણ મને ખબર નથી.આમ મૃત્યુનું લક્ષણ ભૂતકાળની ઘટના જેવું છે એટલે એને ભૂતકાળની પેન્ડિંગ ઘટના માની લઈએ. ભૂતકાળ જડ છે,એમાં કશું ન થઈ શકે; વર્તમાન પ્રવાહી છે એ કોઈ પણ દિશા પકડી શકે અને ભવિષ્ય સંભાવનાઓનો સમુચ્ચય છે.એમાં કઈં પણ બની શકે. એટલે મૃત્યુ વિશે વધુ વિચારવાને બદલે જીવન વિશે વિચારીએ.

    Like

  21. ઘણા ભાગે મારા વિચારો શ્રી ચંદ્રવદનભાઈ ના વિચારોની સાથે મળતા આવે છે . હિન્દુ ઘર્મમાં “બસણું”નો રિવાજ છે… બીજા ધર્મોમાં પણ કંઈક રિવાજો જોવા મળે જ છે… “આ રિવાજ હોવો જોઈએ કે નહી ?”..આ સવાલના જવાબમાં એવું લાગે છે કે , મનુષ્ય એ સામાજિક પ્રાણી છે ,અને તેથી તે પોતાના પરિવાર ઉપરાંત બીજા ઘણાજ લોકો સાથે આલાપ અલગ પ્રકાર ના સંબંધો અને લાગણીઓથી જોડાયેલો રહે છે , તેથી જયારે પણ કોઈના પણ મૃત્યુ નો બનાવ બને ત્યારે, પરિવાર ઉપરાંત બીજા ઘણો લોકો ને માટે એ બાબત ઓછા વધતા અંશે આઘાત જનક બની રહે છે તેથી,મૃત્યુ પામેલા જિવનાં સંબંધીઓ ઉપરાંત તેના હયાત પરિવારના મિત્રો અને સ્નેહીઓ જરૂરથી ઈચ્છે છે કે તેઓ આવા દુઃખના પ્રસંગે તે પરિવારને એક વાર મળી અને પોતાની લાગણી દર્શાવી અને હુંફ અને ટેકો કરવાની કોશિશ કરે , પરંતુ જયારે આમ ઘણાજ લોકો પોતાના સમયે અને અનુકુળતા એ આવનજાવન કરતા રહે તો ..તે ઘણુંજ લાંબો સમય સુધી ચાલતું રહે અને વળી વારંવાર એકની એક વાતો વાગોળ્યા કરવાથી તે પરિવાર ને માટે જીવન જાણે અજીબ મોડ ઉપર સ્થગિત થઇ જાય અને તેમાંથી બહાર નીકળી અને ફરીથી સામાન્ય રૂટીનમાં આવવું મુશ્કેલ થઇ પડે, તેથીજ આવો “બેસણા”નો રીવાજ પડ્યો હશે.. જેથી કરી અને સર્વે મુલાકાતીઓ એક સમયે આવી ને પોતાની લાગણીઓ દર્શાવી શકે અને પરિવાર પણ તેનો સ્વીકાર કરી અને પોતાનો આભાર પ્રદર્શિત કરી શકે, અને દરેક વ્યક્તિ ફરીથી પોતાના સામાન્ય રૂટીનમાં પરોવાતું થાય. પરંતુ આ મૂળ હેતુ વાત વિસરાઈ અને કંઈક ખોટા દેખાડા અને રીવાજ જેવી બની રહે છે તે સાચેજ અયોગ્ય છે.
    મૂળ હેતુ જળવાયેલો રહે અને મૃત્યુ નો મલાજો જળવાયેલો રહે અને વાતાવરણ પણ શાંત ગંભીર અને પવિત્ર રહે તે માટે, પ્રાર્થના સભાનું આયોજન પણ યોગ્ય રહે . અમુક વ્યક્તિ ને પોતાના અનુભવ અને યાદ રજુ કરવાની ઈચ્છા હોય તો તેમને પણ બે થી ત્રણ મિનીટ નો સમય આપી શકાય… પરંતુ આ બધું શાંત, ગંભીર અને સ્વસ્થ ચિત્તે અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે હોવું જરૂરી છે.

    Like

  22. શ્રી ગોવિંદભાઈ,
    બેસણું સુંદર લેખ અને સાંપ્રત સમાજમાં ચાલતી એક પ્રથા છે તેને
    બદલવી જોઈએ એવી એક અપીલ જેવો સુંદર અને અનન્ય લેખ.

    સ્વપ્ન

    Like

  23. Priya Marubhai,

    Mrutyu pachhi Aa sarir koi ne kaam aave tenathi saaru shu hoi sake. Sundar lekh chhe.. Chila chalu thi par jai samajik ferfaro jaruri chhe… teno amal karva aagan aavvu padse. Sahu ne parvade teva rivajo hova joi se. Mata pita ne aakhi jindgi haddhut karnara mrutyu pachhi temnu karaj kare chhe.. te matra dekhada mate j hoi chhe. Aa paisa jaruriyato na bhala mate vaprai to saara parinam aavi sake tem chhe.

    kv gohel

    Like

Leave a comment