‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહીં !’

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહીં !’

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહી !’ આ કહેવત સદીઓથી ભારતીય જાનપદી અનુભવોને કારણે લોકજીભે રમતી બની છે. આ કહેવતનું આગલું ચરણ કદાચીત સન્દીગ્ધ હોઈ શકે; કેમ કે વૈદ્યોની સારવાર પામેલાં તો માંદગીમાંથી વખતે બેઠાંયે થઈ શકે છે; કીન્તુ જ્યોતીષીએ જેમનાં જોષ ભાખીને, ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ કહીને વરાવી હોય તેવી, કુટુમ્બની એકાધીક કન્યાઓના વૈધવ્યપ્રાપ્તીના કેટલાય દાખલાઓ સમાજમાં અત્ર–તત્ર–સર્વત્ર– જોવા મળે છે. જ્યોતીષશાસ્ત્ર કદાપી સચોટ ન હોઈ શકે – નથી જ – એ હકીકત ઉક્ત કહેવત સ્પટપણે સુચવે છે.

હવે જ્યારે સુરતમાં જ્યોતીષીઓની કોન્ફરન્સ યોજાઈ છે, ત્યારે પીતાજીએ કહેલી એક સત્ય ધટના યાદ આવે છે; જે પોણો સોએક વર્ષ અગાઉ બની હતી. હીન્દમાં ત્યારે રજવાડાં હતાં. મુંબઈમાં ‘રાજજ્યોતીષ’ તરીકે પોતાને ઓળખાવતા એક સમૃદ્ધ ભુદેવ રહેતા હતા. ‘સમૃદ્ધ’ એટલા માટે કે દેશના કેટલાંય નગરોમાંથી પ્રગટતાં વીવીધ ભાષાનાં છાપાંઓમાં, મોટા મોટા દાવા કરતી તેમની જાહેરખબરો અવારનવાર આવતી રહેતી હોઈ તેમનો ધન્ધો રજવાડામાં સારી પેઠે વીકસ્યો હતો. એવા જ એક રજવાડામાંથી રાજવીનું તેડું આવતાં, પોતાનાં ટીપણાં તથા અન્ય જ્યોતીષગ્રંથો લઈને શુભમુહર્ત જોઈને મુંબઈ સેન્ટ્રલથી તેઓ બી.બી. એન્ડ સી.આઈ. રેલવેના ફર્સ્ટ ક્લાસમાં બેઠા. પેલા રજવાડાને ટેલીગ્રામ કરી દીધેલો કે પોતે ચોક્કસ સમયે રાજના અમુક સ્ટેશને ઉતરશે, તો શાહી આવભગતનો પ્રબન્ધ કરવો. તે મુજબ યથાસમયે તેઓ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે રાજ્યના સૈનીકોની ટુકડી સાથે બગી સ્ટેશન પર હાજર હતી. તેમાં તેમને બેસાડી તેમને રાજમહેલ પર નહીં; પરંતુ સીધા તુરંગ પર લઈ જવામાં આવ્યા, અને પુરી દીધા સળીયા પાછળ અન્ધારી કોટડીમાં ! જેલ અધીકારીને તેમણે રાજાને મળવા દેવા ઘણી આજીજી કરી પણ વ્યર્થ. એક દીવસ, બે દીવસ, ત્રણ દીવસ – એમ સપ્તાહ વીત્યું. પછી તો એક–બે–ત્રણ એમ ચાર સપ્તાહ વીત્યાં અને એમ ને એમ મહીનાઓ વીતી ગયા. ચોથે મહીને એક દી’ અચાનક તેમને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યા ત્યારે તેઓના ખરા હાલ થઈ ગયા હતા. હાથ જોડી વીનમ્રભાવે પુછયું કે તુરત રાજાજીએ કહ્યું, ‘અરે વાહ, રાજજ્યોતીષીજી ! તમે મુંબઈથી શુભમુહુર્ત જોઈ અહીં આવવા નીકળ્યા ત્યારે શું તમને એ વાતની ખબર નહોતી કે ભવીષ્યમાં તમારે માટે અહીં શી પરીસ્થીતી નીર્માણ થવા સર્જીત હતી ? જો તમને તમારા જ ભાવીની ખબર નહોતી તો પછી તમે અન્યનું ભાવી કેવુંક ભાખવાના ? તમે અહીંથી જીવતા સ્વગૃહે જઈ શકશો કે કેમ એની ખબર છે ખરી !’ રાજાની વાણી સાંભળી જ્યોતીષ ડઘાઈ ગયા. મુંગામંતર ! કાપો તો લોહીયે ન નીકળે !

તો વાત આમ છે, પછી તો મોટપણે ‘મહારાજા’ પુસ્તકમાં પણ આ કીસ્સો વાંચવામાં આવેલો અને તાળો મળ્યો હોય મઝા આવી‘તી. એ પુસ્તકના લેખક શ્રી દીવાન જર્મનીદાસ હતા. જેમણે યુવાનીથી લઈ સાંઠેક વર્ષ પર્યન્ત હીન્દના વીવિધ રાજ્યોમાં દીવાન તરીકે કામ કરેલું અને રાજા–મહારાજા–રાણીઓ–કુંવર–કુંવરીઓ સાથે દેશ–વીદેશમાં સફર પણ ખેડેલી. રાજકાજનો તેમને બહોળો અનુભવ હોઈ છેલ્લે સચીનના નવાબે  પોતાના તાબાના ડુમસનો વીકાસ કરવા પરામર્શ માટે શ્રી દીવાનને નીમંત્રેલા અને એક માસ પર્યંત ડુમસ ખાતે નવાબના બંગલામાં રહેલા, ત્યારે આપણા નવાબ સાહેબને તેમને મળવાની ફુરસદ નહી હોય એક મહીનો મોજમજા માણીને એમનામ જ પરત ગયેલા. ‘મહારાજા’ પુસ્તક બાદ ‘મહારાણી’ નામક બીજું પુસ્તક પણ તેમણે લખેલું. બન્ને અંગ્રેજી પુસ્તકોમાં પણ પેલા ‘રાજ જ્યોતીષી’ જેવા અનેક રસપ્રદ કીસ્સા નોંધાયેલા છે. જે હીન્દવી રાજા–મહારાજા, નવાબો, સુલતાનોની વીલાસી જીવન શૈલીના કચ્ચા ચીઠ્ઠા ખોલી આપે છે.

મુદ્દો એ છે કે, ભારતવર્ષના ઋષીઓએ, તારા ગ્રહો વગેરે ખગોળીય પીંડોની ગતીના સુક્ષ્મ નીરીક્ષણોને આધારે કરેલા સાચા ગણીતને આધાર તરીકે રાખી, ફલકથન જ્યોતીષનેય ‘વીજ્ઞાન’ તરીકે ઓળખાવી, ફેંકછાપ શૈલીની એક આગવી કલા વીકસાવી, લોકોની છેતરપીંડી કરી, ગજવા ભરનારાઓનો મોટો વર્ગ અસ્તીત્વમાં આવ્યો છે. સ્વાભાવીક જ, હાલના પરીવેશમાં ધર્માવલમ્બી રાજ્યો તરફથી પોતપોતાના નીહીત સ્વાર્થોના હીતાર્થે આવી પ્રવૃત્તીને પ્રોત્સાહન જ મળે,  કેમ કે અંગ્રેજ અમલવેળાના પેલા રજવાડાના રૅશનાલીસ્ટ શાસક જેવો એક પણ રાજ્યકર્તા આજના સ્વતન્ત્ર લોકશાહી ભારતમાં જોવા મળતો નથી, ત્યારે પ્રજાએ જ આવા ‘જ્યોતીષ પરીષદ’ અહીં ભરનારાઓને નીરુત્સાહ કરવા ચળવળ પ્રારમ્ભવી પડશે. તેમ થાઓ.

–શરદ ભી. દેસાઈ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.24/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક :

શ્રી શરદ ભી. દેસાઈ, 2/2, હેમ ટેરેસ, સરગમ શોપીન્ગ પાછળ, પાર્લે પોઈન્ટ, સુરત 395 007. ફોન : (0261) 225 4274 સેલફોન : 93771 23795

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.com/

અક્ષરાંકન : ગોવીન્દ મારુ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 9/12/2010

20 Comments

  1. It is a very good article to read. I hope that people should learn in their life.

    Thanks

    Pradeep H. Desai
    Indianapolis,USA

    Like

  2. આર્ટીકલ સારો છે,પરંતુ મને લાગે છે કે પૂરી માહિતી ના અભાવ ના કારણે એક તરફી વિગત જ અહીં આપવામાં આવેલ છે. સારો એટલા માટે છે કે અંધશ્રધ્ધા પ્રત્યે તે સજાગતા લાવવામાં મદદરૂપ થાય તેમ છે.

    Like

    1. If this article seems one sided story to you, then will it be convenient for you to say something about the other side as per your viewpoint?

      Like

  3. જ્યોતિષમાં માનવુ કે નહિ એ અંગત પસંદગી છે. કેટલી હદ સુધી માનવુ, કોની વાત માનવી એ વ્યક્તિની બુધ્ધિમતા પર અવલંબે છે. જેવી રીતે ખૂણેખાંચરે બનાવટી વૈદ્યો પોતાની દુકાન ખોલીને તબીબીવિજ્ઞાનને બદનામ કરે છે તેવુ જ જ્યોતિષશાસ્ત્ર માટે કહી શકાય. બે વિજ્ઞાનીઓએ એક સરખુ શિક્ષણ લીધુ હોય છે છતા એક સામાન્ય કલાર્ક બની રહે છે અને બીજો નીતનવી શોધો કર્યા કરે છે. બે વૈદ્યો સરખુ તબીબી શિક્ષણ લેવા છતા સરખેસરખા હોશિયાર નથી હોતા.
    જો જ્યોતિષશાસ્ત્ર તદ્દન બોગસ હોત તો સરકારી શિક્ષણસંસ્થાઓમાં તેમના વિશે અભ્યાસક્રમ ન ચાલત. જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન જ છે, પરંતુ ખૂબ જ અટપટુ વિજ્ઞાન છે. તેના પૂરતા અભ્યાસ વગર કાચુ કપાવાનો ભય રહે છે અને મોટા ભાગે એમ જ થાય છે. જો કોઈ વૈદ્યોની ભૂલને લીધે દર્દી હેરાન થાય તો તેના માટે જવાબદાર વૈદ્યો છે, નહીં કે તબીબીવિજ્ઞાન.આધુનિક તબીબીવિજ્ઞાનની શોધોના ઘણા સારા પરિણામો છે છતા કોઈ સારવાર અનુકૂળ ન આવી કે મોરબીડીટી-મૉરટાલીટીની ચર્ચામા તબીબની ભૂલ જણાય તો તે અંગે ફરી આવી ભૂલ ન થાય તેવી યોજના થાય છે.હવે તો દરેક જગ્યાએ આવી સગવડ હોય છે
    પણ પાયાની વાત તો એ છે કે દરેક આતુરને પોતાની વ્યાધિનો ખ્યાલ હોવો જોઇએ . જ્યોતિષમા ગણિત ૧૦૦% સાચુ પડે પણ ભવિષ્ય કથન અને તેના ઉપાયો અંગે ચોક્કસાઇ રાખવી જરુરી છે.આ અંગે મારો મત એ છે કે દરેક ઉપાયમા શ્રધ્ધા પૂર્વક સર્વશક્તિમાનને ભજવાના હોય તો તકલીફ વગર પણ પણ તેને ભજવા(આવું આદરણિય મોરારજી દેસાઇનું સૂચન હતું)જ્યોતિષ એ ગાણિતીક પધ્ધતિ થી શક્યતાઓ ની આગાહીઓ કરે છે.આજની અનિશ્ચિતતાઓ સામે ટકી રહેવા આવું ફોલાદી મનોબળ જરૂરી છે

    Like

    1. Astrology cannot be compared with medical science. There are many diseases like polio or chickenpox which are more or less eradicated while there are many other diseases which are no more fatal like TB or even cholera, as they used to be at some point of time. What is the contribution of astrology in solving the problems? In my opinion, the comparison is completely unjustified and illogical.

      Like

  4. I personally do not have faith in Astrology-Jyotish. Many may be believing because of probabilities. Those who benefitted from it, Promoted it. Others won’t say as they are ashamed of having believed in it and failed.

    Real thing is Self-Efforts. You may reach atleast somewhere closer in the direction of Goal. There won’t be any Total Failure. Success and Failure, therefore are relative terms on the same specter. Human Ego is satisfied to some extent, but it is Not a Real Success.

    Managemen Consultants are in the same category. They take the client company’s Umbrella and Try to save them from the Rain. It is the same as Forecasting about Weather. Nature has Not been Controlled by Human Beings completely. Major portion is only a Forecast. Some may call all these Scientific in to-day’s world.

    Individuals have a Choice- To Believe in their own Self i.e. SELF-CONFIDENCE or To Depend on Other People’s Judgement/Help.

    Fakirchand J. Dalal
    U.S.A.

    Like

    1. It is true that management, as a science, is not as precise as physics or chemistry. Same is the case for other branches of humanities like economics etc. Weather forecasting is also very much imprecise as on date, especially with longer time horizones. It is evolving and improving. For example, while it may not be possible to predict the rainfall for a season before monsoon sets in, it is possible to alarm people atleast few hours before the cyclone strikes.

      However, the comparision of such sciences with astrology is not fair in my opinion as astrology is not a science. Objectivity and cause-effect reasoning is altogether missing in astrology.

      Like

      1. જ્યોતિષશાસ્ત્રને તબીબી વિજ્ઞાન સાથે કે અન્ય શાસ્ત્રો સાથે સરખાવી જ ન શકાય. વૈદ ભૂલ કરે એ બને પણ તબીબી વિ્જ્ઞાન પોતે નહીં. જો કે આ વિજ્ઞાન પોતે જ વિકસતું રહે છે એટલે એમાં જૂની પ્રેક્ટિસ કે રીતો બદલાતી રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં આજ સુધી નવી કોઈ રીત શોધાઈ? જ્યોતિષશાસ્ત્રનો આધાર શો? આધાર એ જ ને કે અમુક ગ્રહો અમુક રાશિમાં છે એટલે એનો અમુક જાતનો પ્રભાવ પડે છે. હવે આ ગ્રહોની પશ્ચાદ્ભૂમાં રાશિઓ દેખાય છે જે કેટલાંય પ્રકાશવર્ષ દૂર છે. એ માત્ર આપણી અવૈજ્ઞાનિક સમજ છે કે અમુક ગ્રહ અમુક રાશિમાં છે, ખરેખર એવું નથી. અને બીજો સવાલ – જો કોઈ ગ્રહ અમુક રાશિમાં હોવાથી ખાસ પ્રકારની અસર પેદા કરી શકતો હોય તો એ રાશિ પોતે જ કેમ આપણા પર સીધો કઈં પ્રભાવ પાડતી નથી?

        Like

  5. WE NEED MYTH BUSTERS…..

    India, in particlar, is land of BLIND BELIEF. Now that science has started preparing the new generation to ask questions and to believe only when the MYTH is scientifically proved.

    It is not in near future that India will have atleast 70% of MYTH BUSTERS of its total populations. Doctors and Engineers are the followers of MYTH and its creators.

    Amrut(Suman)Hazari.

    Like

  6. સુજ્ઞ વાંચક મિત્રો,
    કર્મ-સિધ્ધિ ના પાંચ કારણો : ૧) સ્થાન,

    ૨) કર્તા ૩) સાધનો ૪) ક્રિયાઓ ૫) અને બધું છતાં દૈવ.

    શ્રી શરદ દેસાઈ ના આ આલેખ માં, આ પાંચ માં ના એક કારણ ની ચર્ચા આપણે કરીએ છીએ,
    અને
    કર્મ-સિદ્ધિ રૂપી હાથી ને પેલા ચાર અંધળા ની જેમ મૂલવવા નો પ્રયત્ન કરીએ છીએ જે અયોગ્ય છે.

    જો શાસ્ત્ર ખોટું હોત તો ક્યારનું એ મારી ગાયું હોત…. આપણા સુધી પહોંચ્યું જ ન હોત. માટે શાસ્ત્ર ને ખોટું સાબિત કરવા ની ચેષ્ઠા મુકીએ અને તેના જાણકાર ની ઉપેક્ષા કરવા નું ટાળીએ તે યોગ્ય લેખાશે.

    અસ્તુ,

    શૈલેષ મેહતા

    Like

  7. Jyotish Shashtra is more for a weak & confused minds!
    Most of it is CS (Common Sense, if followed will lead you in the right direction) and rest BS (B–L S–T) and for some crooks it is money making business e.g. Pun Maharaj etc…etc… There are enough stupid and confused folks in this world will make such crook Jyotishees Rich… I would not say anything more here!

    Like

  8. શ્રી ગોવીંદભાઇ, લેખકશ્રીએ ટુંકમાં પણ ઉદાહરણ સહીત સરસ સમજુતી આપી. જો કે શું સાચું, શું ખોટું એ વાતે સદા મતભેદ રહેવાનાં. અને આ શાસ્ત્રની સચોટતા બાબતે જે કહેવાય છે તે સાદું ખગોળશાસ્ત્ર તથા સંભાવનાનું ગણિત છે, જેના સચોટ ગણિત અને ગણતરીઓની કદાચ ફળકથન અને નિરાકરણ વગેરે સુચવતા એવા સંદિગ્ધ શાસ્ત્ર શાથે ભેળસેળ થયેલી છે. બાકી તો અહીં પ્રસ્તુત ઉદાહરણ સ્વયં સ્પષ્ટ છે અને અન્ય હજારો આવા ઉદાહરણો મળી શકે છે. છતાં કોઇ કદાચ અહોભાવે કે સ્વાર્થભાવે કે મારી જેમ પુરતી જાણકારીને અભાવે જ્યોતિષશાસ્ત્રને સ્પષ્ટપણે ખોટું કહેતા હિચકિચાટ અનુભવે તે સમજાય તેવું છે. પરંતુ હા, આગાહીઓ કરતા, ભવિષ્ય બતાવતા, સારા ખરાબ મુહર્તો કાઢતા, નડતરો દુર કરવાનો દાવો કરતા, ગ્રહો અને તેના નંગોની વિંટીઓ બાબતે સલાહ સુચનો આપતા, અને આ માટે અનેક પ્રકારનાં ક્રિયાકર્મો કરવા પ્રેરતા લોકો માત્રને માત્ર ભોળા કે લાલચુ લોકોને ઠગે જ છે. ભરપુર રીતે ઠગે છે. ૧૦૦ % ધુતારાવેડા જ કરે છે. માણસના આત્મવિશ્વાસની ખામીનો આ લોકો લાભ ઉઠાવે છે. દાક્તરી વિજ્ઞાન શાથે આની સરખામણી કરવી એ મગજમાં ન ઉતરે એવી વાત છે. બાકી તો જેને છેતરાવું હોય તેને તે માટેનો પુરતો હક્ક છે, તેને રોકનાર આપણે કોણ ?
    આપનો અને લેખકશ્રીનો આભાર.

    Like

  9. લેખ પણ સારો અને તેના પ્રતિભાવો પણ વિચારવા યોગ્ય.
    કોઈપણ શાસ્ત્ર વિષે આપણને સંપૂર્ણ જાણકારી ના હોય તો તેથી તે ‘શાસ્ત્ર’ નથી કે તે ખરાબ છે તેમ કહેવુ યોગ્ય નથી.
    અધૂરો ઘડો છલકાય તેમ પૂર્ણ જાણકારી વગરના તબીબો કે જ્યોતિષીઓ સાચુ નિદાન કે માર્ગદર્શન કરી શકે નહી.
    કહેવાય છે કે મનુષ્ય પોતાનુ નસીબ સાથે લઈને આવે છે અને લખ્યા લેખ મિથ્યા થતા નથી.
    નસીબમાં શું છે તે જ્યોતિષ પાસેથી જાણવાને બદલે માણસે પોતાના કર્મ પર ભરોસો રાખવો જોઇઍ.
    સારૂ કર્મ કરતા રહીશુ તો જ્યોતિષની પળોજણમા પડવાની જરૂર નહી રહે.

    Like

  10. વૈદ્ય કે જ્યોતિષ બંનેની મર્યાદાઓ સમજીને મદદ લઈ શકાય. જેમ એમની મર્યાદાઓ છે તેમ મદદ લેનારની ય મર્યાદાઓ હોય છે જ ને? માનો કે વૈદ્ય કે જ્યોતિષની અગાઉથી કોઈના મૃત્યુનો ખ્યાલ આવી જાય અને પોતે બચાવી શકે તેમ ન હોય તો પણ અંત સુધી આશાભર્યું જીવન શાંતીથી વિતાવી શકે તે માટે શારીરીક અને માનસિક ઉપચારના પ્રયત્નો ચાલુ જ રાખવામાં આવે છે. કોઈ નિરાશામાં ડૂબેલાને જ્યોતિષ આશા આપી શકે અને એ આશાના બળે પ્રશ્ન હલ થઈ શકે. આ મનોવિજ્ઞાન સાથે ગણિતથી મદદથી ભૌગોલિક સ્થાનની સૂક્ષ્મ અસર જેમાં બહુ જૂજ લોકો કુશળ હોય છે તેને નકારવું તે પણ અંધશ્રધ્ધાના ભાગ રૂપ છે. આપણા અજ્ઞાનને વળગીને તેને જ સાચું માનવું તે જો અંધ શ્રધ્ધા હોય તો પોતાના માનેલા સત્યને જડતાથી વળગનારા સૌ અંધશ્રધ્ધાળુ જ ગણાય. આવી અંધશ્રધ્ધા ઉચ્ચ પદવી ધારણ કરેલાઓમાં પણ જોવા મળે છે.

    Like

    1. પ્રિય ભાઇ,તમે લખો છોઃ” કોઈ નિરાશામાં ડૂબેલાને જ્યોતિષ આશા આપી શકે અને એ આશાના બળે પ્રશ્ન હલ થઈ શકે.” નિરાશામાં ડૂબેલા હોવું એ મનોવૈજ્ઞાનિક બીમારી છે અને એનો ઇલાજ જ્યોતિષી પાસે હોવાનો સંભવ નથી. એના માટે મનોચિકિત્સકો વધારે ઉપયોગી થાય.આપણે માનસિક બીમારીઓને સ્વીકારતાં અચકાઇએ છીએ એટલે મનોવૈજ્ઞાનિક પાસે જતા નથી,પણ દુનિયામાં બીજે એવું નથી. કઈં તકલીફ થાય તો લોકો સીધા ધર્મગુરુ પાસે કે જ્યોતિષી પાસે જતા હોય એવું નથી. ભૌગોલિક સ્થાનની સૂક્ષ્મ અસર વિશે લખતાં તમે કબૂલ કરો છો કે એ જાણનાર ‘જૂજ’ વ્યક્તિ હોય છે. જ્યોતિષીઓનો તો રાફડૉ ફાટ્યો છે. એ વર્ગને જૂજ તો ન જ કહેવાય.

      Like

    2. Who are these rare experts? What are the principles established by them? Is it possible for anyone to objectively verify these princeples for their correctness by applying them across a large sample to predict the future and then observe the actual outcomes? If no, then is it fair to describe astrology as science?

      Like

  11. પ્રિય મિત્રો;
    પ્રેમ્;
    જ્યોતિષમાં માનવું કે ન માનવું તે વૈયક્તિક સ્વતંત્રતા છે અને માનનારાને કોઈ અટકાવી શકવાનું નથી, કે ન માનનારાને કોઈ મનાવી શકવાનુ નથી. જ્યોતિષના સમર્થનમા અને વિરોધમા અનેક દલીલો કરી શકાય અને છતાં કાંઈ સમાધાન કાઢી શકાય નહી. હા, એટલું સાબિત કરી શકાય કે હું ખૂબ સારો તર્ક કરી શકું છું અને પ્રતિસ્પર્ધિને હરાવી શકુ છું. તેમ છતાં કેટલાક સદગુરુઓએ ઇશારા કર્યા છે કદાચ ચર્ચા કરનારાને ગમે.

    “यंहा सबकुछ नियोजीत है, फिरभी आयोजन करना पडता है.”

    रामदुलारे बापु

    “एक छोटेसे छोटा तिनका पूरे ब्रह्मांडको प्रभावित करता है, तो चांद तारे हमारे जिवनको प्रभावित न करते हो ये हो नहीं शकता.”

    ओशो

    શેષ શુભ
    પ્રભુશ્રિના આશિષ
    શરદ

    Like

Leave a comment