Join 1,235 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
The stupid beliefs should not be followed. All women have equal right to live befor & after their husband’s death.
We all should take a bold approach regarding nonsense rituals & customs in our society. It is a good article.
Thanks.
Pradeep H. Desai
USA
LikeLike
Every human being has right to live on this earth. SATI, HONOUR KILLING etc. are nothing but cover-up under so called religious requirement. NO RELIGION IS GREATER THAN TRUTH.
Click the following and read this also:
http://img526.imageshack.us/i/aqsaij.jpg/
Qasim Abbas
Canada
LikeLike
સંતો,
શ્રીમદ ભાગવત ની શરૂઆત “सत्यम परम धीमहि” થી થાય છે.
સત્ય એજ શ્રી હરિ છે..
કોઈ ગમેતે કહે, સારાસર નો વિવેક જીવવાની જવાબદારી સ્વયં ની છે.
તે જવાબદારી નિભાવવા જ્ઞાન,શ્રદ્ધા, અને ધીરજ જોઈએ જે કેળવવાની પ્રક્રિયા એજ જીવન.
વિજ્ઞાન અનેક વાતો ની સાબિતી નથી આપી શકતું. વિજ્ઞાન ની હદ પૂરી થાય છે ત્યાં થી શ્રદ્ધા ની શરૂઆત થાય છે.
જે વિવેક બુદ્ધિ ને ગ્રાહ્ય નથી તેનો અસ્વીકાર કરવાની હિંમત કેળવીએ, પછી ભલે તે રૂઢી થી વિપરીત હોય..
જીવન કોયડો નહિ અવસર છે એવી શ્રદ્ધા કેળવીએ અને જીવી જાણીએ.
એક રસ્તો એ છે કે આપણે હાથ ને કોણી નથી એમ જીવીએ.. કે આપણો કોળીઓ આપણે નથી ખાઈ શકતા..
સ્વયં ને ખપતો કોળીયો સામે લા ના મોઢે મુકીએ અને તે પછી ની ચિંતા શ્રી-હરિને સોંપીએ..
સમાજ ચોક્કસ ઉજળો દેખાશે..જીવન જરૂર સમૃદ્ધ થશે..
આજ પરમ સત્ય છે..
અસ્તુ,
LikeLike
Preaching and practicing are two different ethics. To announce oneself a resionalist is different story than practicing it in real life is another story. Politicians do have two types of tooth / teeth. They are followers of Mahatma Gandhi,practicing goondaism. Every rationalist should start his or her social life after announcing his/her real wealth. We do not want BUGBHAGATS to serve society.” Dahi sasre nahi jai ane Gandine shikhaman aape ke ben aapne to stree jat…pati nu ghar mandvu pade……”
(1) Smallpox…Shitala…was a deadly disease once in India. Andhshraddha forced people to take SHITLAMATA’s baadha. People started building Shitalamata’s mandir/Temple.
Westerners started research work and found out a treatment…Medicine. Indians in villages still pray Shitalamata. Moraribapu has to take up this type of myth irradication from the society. He has to light a DEEP of knowledge/ education among those who are andhashradhharu. Ram,Sita,Laxaman, Hanuman…and the dip philosophy behind the acts…is not understood by …majority of the listners. They listen to it with blind faith. Akha Bhagat has said that a century ago.
It is time for all sants to practice and write “SATYA NA PRAYOGO ”
Amrut(Suman)Hazari.
LikeLike
ધર્મગુરુઓ અંધશ્રદ્ધાને દૂર કરી દેશે તેમ માનવું જરુરી નથી. સૌ ધર્મ ગુરુઓ વાડાઓ બનાવે છે અને પોતાના અલગ અલગ મંત્રો બનાવીને કે શોધીને આપે છે જેથી પોતાના વાડાની એક અલગ ઓળખ બને.
ૐ શાન્તિ, રાધે રાધે, જયશ્રી રામ, હરિ ૐ, જય જય, વિગેરે મળ્યા છૂટ્યાના ઉચ્ચારણો તેમની ઓળખ હોય છે.
આપણને ઈશુ ખ્રીસ્તના ચમત્કારો ખોટા લાગે છે પણ આપણને રામ, કૃષ્ણ અને બાબાના ચમત્કારો સાચા લાગે છે.
વેદોમાં સ્વર્ગ, નર્ક અને ચમત્કારોને નકાર્યા છે. પણ આપણે હનુમાનને વાંદરા માનીએ છીએ અને ભગવાનના અવતારોને સત્ય માનીએ છીએ.
આ વિશ્વમાં પ્રકાશને આજના એક છેડેથી બીજા છેડે જવું હોય તો ૨૦ અબજ વર્ષ થાય એટલા જ વખતમાં વિશ્વ તેટલું જ વધી ગયું હોય. આપણી પૃથ્વી એક રજથી પણ નગણ્ય છે. આ વિશ્વમાં અબજો સૂર્ય મંડળ છે. તેમાંના ઘણાને આપણાથી પણ વિકસિત સંસ્કૃતિઓ હોઈ શકે છે. ત્યારે આપણે પૃથ્વી ઉપર થયેલા માણસોને ઈશ્વર માનીએ છીએ.
આપણા બાવાઓ વહેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારોની દુનિયામાં અને તેની કથાવાર્તાઓમાં ગળાડૂબ હોય છે. આ બાવાઓ ભદ્રંભદ્રીય અને રજનીશના જેવી ફિલસુફીઓ હાંકે રાખતા હોય તેઓની પાસે બૈદ્ધિક ઉદ્ધારની આશા રાખવી પૂનર્વિચારણા માગી લે છે.
LikeLike
http://www.divyabhaskar.co.in/article/MAG-andhe-jahan-ke-andhe-raste-1736179.html
chk it
LikeLike
મોરારીબાપુ અને રેશનાલીસ્ટ ? માની ના શકાય તેવી વાત છે તેમ છતાં આપના જેવા કહેતા હશે તો કંઈક તથ્ય હશે તેમ ધારી લેવામાં હરકત નથી. કોઈ કથાકાર પોતાના શ્રોતાઓને સત્ય એ જ ઈશ્વર છે તેવું કયારે ય નહિ કહે કારણ તેમના સ્થાપિત હિતો જોખમાય જતા હોય છે. ખરા અર્થમાં જો આ સ્વીકારતા હોય તો દેશમાં આવેલા 25000થી પણ વધુ સંપ્રદાયોને એક કરી તમામની વચ્ચે એકતા સ્થાપી સૌનો ઈશ્વર એક જ છે તેવી વિભાવનાની સ્વીકૃતિ મેળવવા નિષ્ઠા પૂર્વક્ના પ્રયાસો હાથ ધરવાની રામાયણ કથા કરતાં પ્રાથમિકતા આપી હવે પછીનું જીવન આ હેતુ સિધ્ધ કરવા માટે કાર્યશીલ થવા પ્રતિબધ્ધતા જાહેર કરવી જોઈએ. એક વાત સ્પષ્ટ છે કે આપણાં દેશના લોકોને મોરારીબાપુ કે એવી જ કક્ષાના અન્ય સાધુ-સંતો કે મહંતો સમાજમાં જો સમયના પરિવર્તન સાથે તાલ મીલાવવા આદેશ આપે તો લોકો તે હોંશે હોંશે સ્વીકારશે ! સરકારના આદેશનું પાલન ના પણ કરે ભલે દંડનીય જોગવાઈ હોય ! અરે મારા મિત્ર જ્યાં કથાઓ થતી હોય છે ત્યાં સભા મંડપની બહારના ભાગમાં શ્રોતાઓ જે ગંદ્કી કરે છે તે આંખ સામે હોવા છતાં આવી ગંદકી નહિ કરવા બે શબ્દો પણ કોઈ કથાકાર કહેતા હોય તેમ સાંભ્ળ્યું નથી. કથાના આયોજકો કે મંદિરર્નુ સર્જન કરનારા ભક્તો ભંડોળ કઈ અને કેવી પ્રવૃતિમાંથી મેળવે છે તે પણ જાણવા કોશિશ કરતા નથી માત્ર કથા કરવામાં કે મંદિરો બાંધવામાં જ રસ લેતા આ સાધું-સંતો જો ગંભીર થઈ સમાજ સુધારવાના આદેશ આપે તો આ દેશમાં આવનારા દિવસોમાં સોનાનો સૂરજ ઉગે પણ કમનસીબે આમાંના કોઈને એકતા સ્થાપવામાં રસ નથી વિભાજન અને વધુ વિભાજન જ તેમના સ્થાપિત હિતો જાળવી શકે તેમ હોય તે દિશામાં જ આ સર્વે પ્રયત્નશીલ રહેતા હોય છે.
સંસારી વ્યક્તિ નો પુત્ર જો એકી સાથે પિતાને મોટી રકમ માસના અંતે આપે તો પિતા પૂછે કે ભાઈ તારો પગાર માસિક 25000/- છે અને આ દસ લાખની રકમ એકી સાથે ક્ઈ કમાણીમાંથી મેળવી અર્થાત પુત્ર કોઈ અનીતિ કે અનૈતિક પ્રવૃતિમાંથી તો આ રકમ મેલવી નથીને તેની ચકાસણી બે સવાલ કરી જાણી લે છે જ્યારે આઅપણાં આ કથાકારો કે સાધુઓ-સંતો દાનની રકમ સ્વીકારતા/મેળવતા પહેલા દાન આપનારને આવી કોઈ પ્રકારની સ્પસઃટ્તા કરવા જણાવતા હો તેવું જાણ્યું નથી. તેમ છતાં જો મોરારી બાપુ રેશનાલીસ્ટ બની રહ્યા હોય તો જાગ્યા ત્યારથી સવાર ગણી આવકાર્ય છે. ધન્યવાદ અને આવનારા સમયમાં તેઓશ્રી લીડ લઈ અન્યોને પણ આ સત્ય સમજાવશે તેવી આશા સાથે . અસ્તુ !
LikeLike
IF SARDAR PATEL CAN MERGE SMALL RAJYA TO PRESENT GOVT.AND RELIEVE ALL RAJA,GOVT MUST ALSO RELIEVE TRUSTY OF ALL DHARMASTHAN,MANDIR ETC AND USE ALL THE INCOME FOR GOVT.NEED.
IN PROCESS BRING ANDHSHRADHA TO ZERO LEVEL.
PROPER MANAGEMENT HAVE TO BE WORKED OUT WITH THE FULL SUPPORT FROM PUBLIC AT LARGE.
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
લેખ સમયને અનુસાર યોગ્ય અને સચોટ છે, પરંતુ જે સત્યની આપ્ વાત કહેવા માંગો છો તે જો આ કહેવાતા ધર્મધુરંધરો અને કહેવાતા કથાકાર, રામાયણી કે ધર્મગુરુ અપનાવે તે સમાજમા પડેલ મોટા ભાગની અંધશ્રદ્ધાનું નિરાકરણ આવી શકે, પરંતુ જો તેમ તે કહે કે કરે તો તેના સામ્રાજ્ય, દુકાન, વેપારનું શું ? તોના સ્થાપિત હિતનું શું ? અને કદાચ પણ કોઈ પહેલ કરે તો આપને તેની પાસે નહિ જઈએ, કારણ આપનો ખોરાક જ જુઠ્ઠ છે.
કહેવાય છે કે સત્યનિષ્ઠ માણસ મોટેભાગે hand to mouth હોય છે, તેની પાસે કશું અન્ય હોતું નથી, જે હાલ તમે ક્યાંય ભાળો છો ?
LikeLike
મને સ્વામી સચ્ચિદાનંદની વાતો ratinalist લાગે છે.
LikeLike
ભાઈ સોહમ આપની વાત સાથે હું સહમત છું. સચ્ચિદાનંદ સ્વામી જેવા દેશમાં 100 સાધુઓ પેદા થાય તો કદાચ રેશનલ વિચારોનો ફેલાવો થાય અને આંધળી ભક્તિમાં ઓટ આવે. મોરારીબાપુએ મહુવામાં વિશ્વ ધર્મ સંગોષ્ઠિ રાખેલ જેમાં દલાઈલામા જેવા પણ પધારેલ આ વિષે મારાં બ્લોગ ઉપર મેં વિસ્તૃતતાથી લખ્યું છે. આ સંગોષ્ઠિમાં સ્વામી સચ્ચિદાનંદ હાજર નહિ હતા સંભવ છે કે તેઓશ્રીને નિમંત્રણ નહિ હતું. આ પ્રસંગે જે સ્થળે આ સમારંભ યોજેલો ત્યારે મહુવાની નદી ઓળંગી જવું પડતું અને તમામ સાધ-સંતો આ જ માર્ગે જતા-આવતા રહેતા તે માર્ગને એક કાંઠે મરેલું કૂતરું દિવસો સુધી પડી રહેલું અને અત્યંત દુર્ગંધ મારતું હોવા છતાં મોરારીબાપુ સહિત એક પણ સાધુએ આ કુતરાને ખસેડવા કોઈ આદેશ નહિ આપેલો સંભવા છે કે એરકંડિશન ગાડીઓમાં પસાર થતા આ વૈભવી સાધુ-સંતોને દુર્ગંધે કનડ્યા ના હોય ! તેમ છતાં મારા જેવા રેશનલ વિચારોની અલ્પ સમજ ધરાવતા હોય અને કદાચ હવે વધતી ઉમર સાથે મોરારીબાપુ પણ રેશનલ વિચારો ધરાવતા થયા હોય તો આવકાર્ય જ છે અને અગાઉના મારાં પ્રતિભાવમાં કહ્યું છે તેમ 25000થી પણ વધારે સંપ્રદાયો ધરાવનાર સર્વે વચ્ચે એકતા સાધવા પ્રાથમિકતા આપી સૌ નો ઈશ્વર પણ એક જ રહે તેવા પ્રયાસો કરવા હવે પછીનું જીવન અર્પણ કરવું જોઈએ ! શક્ય છે કે પોત પોતાના વાડાઓ ત્યજવા સંપ્રદાયના વડાઓ તૈયાર ના પણ થાય પણ મને વિશ્વાસ છે કે જો આવો પ્રયાસ કરવામાં આવે તો શરૂઆતમાં કદાચ 5-15 સંપદાયના વડાઓ તો અચુક સહમત થશે ! યક્ષ પ્રશ્ન તો એ છે કે કોણ પહેલ કરે ? મોરારી બાપુ આ પહેલ કરશે ? અરે ! રામકથા સાંભળવા આવતા શ્રોતાઓને ગંદકી ના કરવા આદેશ આપે તો પણ ઘણૂં મોટૂં કાર્ય થશે ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
વડીલ,
આપની વાત સાથે સહમત છું,મોરારિદાસ હરિયાણી અને રેશનાલીસ્ટ?સૂર્ય ઉગવાનો નથી લાગતો.મોરારિદાસ માર્કેટિંગ નિષ્ણાંત છે.અસ્મિતા,સંસ્કૃત અને સદભાવના પર્વો યોજી લેખકો અને પત્રકારોને અંકે કરી લીધા છે.હવે રેશનાલીસ્ટનો વારો છે.
LikeLike
everyone is expert in talking but nobody is ready to oppose that marketing expert celebrity because of only fear of death.
LikeLike
તિલક,
જુઓ શ્રી અરવિંદભાઈએ સત્ય અહી પણ લખ્યું જ છે.ડરવાનું કોઈ કારણ નથી.મોરારિદાસ માર્કેટિંગ નિષ્ણાંત છે.એમ કોઈનું મર્ડર કરાવી નાખે તેવા માર્કેટિંગ ડફોળ નથી.એક ધાર્મિક પરિવાર એવો ડફોળ નીકળેલો.પણ આ બાપુ એવા નથી.જુઓ અહી તો મોટા મોટા સાક્ષરો એમના ખોળામાં બેસવા પ્રેમથી મજબુર કરી દેવાયા છે.એનું નામ જ હોશિયારી.આ ચિંતકો રૂપાળાં શબ્દો વાપરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે.સત્ય અહી ઢંકાઈ જાય છે.માટે જ કવિતાઓ મને ખાસ ગમતી નથી.એનાથી સત્યની કોઈ અસર રહેતી નથી.બને એટલું સત્ય અને તે પણ કડવું સત્ય હું તો લખું છું.સત્યમાં જેટલી કડવાશ ઉમેરાય તેટલી ઉમેરું છું.જેથી પગના તળિયાથી માંડીને ચોટલી સુધી ઝટકો લાગે.ચોટલી ઉભી થઇ જવી જોઈએ.કોઈ કુવામાં પડે તો કવિ કહેશે ધરતીમાં સમાઈ ગયા.હું કહીશ આત્મહત્યા કરી.મોરારિદાસ કદી રેશનલ બની શકે નહિ.પછી ગુરુપૂનમનાં દિવસે જે લાઈન લાગે છે મુરખોની એમના ચરણે ધન ધરવાની, તે બંધ થઇ જાય.કથા તો મુખ્ય બિજનેસ છે.કોઈ મરેલા કુતરા હઠાવવા માટે કે સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે નથી.આ કહેવાતા બાપુ સુંઠના ગાંગડે ગાંધી એટલે કરીયાણાવાળાં નહિ,પણ ગાંધીજી બાપુ બનવા પણ ઘણી વાર નીકળી પડે છે.ગાંધી બાપુ તો પોતડી પહેરી તડકામાં ઉભા ઉભા કથા કરતા હતા.આ બાપુ તો લાખોના સિંહાસન મને વ્યાસપીઠ પર બેસતા હોય છે અને એ.સી.હોલમાં કથા(બિજનેસ) કરતા હોય છે.
ભાઈ તિલક,તમારે જે લખવું હોય તે લખો કોઈ મારી નહિ નાખે.
LikeLike
અહી તો મોટા મોટા સાક્ષરો એમના ખોળામાં બેસવા પ્રેમથી મજબુર કરી દેવાયા છે not by love, it is done by large envelope of money. and dont be over confident and misunderstand him. that marketing expert can do also murder bt not himself but he do all these with help of his servants. even you will be anounced as his opposer and you are general person not vip, his servants will harrass to u also.
LikeLike
ભાઈ શ્રી તિલક ની વાત ના અનુસંધાને…. “માટે પૈસા અને સત્તા દરેક પ્રકાર ના અધર્મ ના મૂળ છે”. इति सिद्धं
LikeLike
nothing advantage of that. and sensitive matter is that society allows those persons and support to do dirty activities. nobody ready to expose these expert persons.
LikeLike
પ્રિય મિત્રો;
પ્રેમ;
આપણી મૂળભુત સમસ્યા છે આપણૉ અહમ અને અહમને કારણે કેટલાંક સાવ સાદા સત્યો આપણે જોઈ શકતાં નથી. અહમને કારણે આપણને થાય છે કે હું માનુ છું તે સત્ય છે કે શ્રધ્ધા છે અને બીજા માને છે તે અસત્ય અને અંધશ્રધ્ધા છે. એટલું જ નહીં આપણે પોતે કોઈ સત્ય જાણ્યું નથી આપણી બધી વાતો, માન્યતાઓ, તર્કો આપણી સંસ્કારીતતા, અનુમાનો કે વાંચન પર આધારીત હોય છે, આપણા અનુભવપર આધારીત હોતી નથી. પણ આપણા દાવાઓ જોઈએ તો જણાશે કે તેમા નર્યો અહમ ટપકી રહ્યો છે. એક જીદ છે, એક હઠ છે, એક આગ્રહ છે. સામાવાળાને નીચો દેખાડવાનીવૃત્તિ છે. મારી જાતને બુધ્ધીમાન સાબિત કરવાની વિકૃતિ છે. પણ આપણને આ બધા સત્ય અહમને કારણે દેખાતા નથી. આપણે સત્યને સમર્થનની વાતો તો કરી શકીએ છીએ પણ સત્ય શું છે તે સમજાતું નથી કે જોઈ શકતા નથી. સત્યને નામે આપણે આપણી માન્યતાઓ કે વિચારોને લોક સમર્થન મળે તેવું ઈચ્છતા હોઈએ છીએ જેથી આપણૉ અહમ થોડો વધુ મજબૂત થાય. પણ ખરેખર તો આપણે આપણા પગ પર જ કુહાડી મારતા હોઈએ છીએ.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
LikeLike