સત્ય એક હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે ?

સત્ય એક હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે ?

બધા ધર્મો – ખ્રીસ્તી, હીન્દુ, બૌદ્ધ, જૈન અને મુસ્લીમ એ એક જાતની વીચારધારા, મતાગ્રહો, પંથ કે સમ્પ્રદાય માત્ર છે. સાચા ધર્મને કોઈ નામ નથી. કોઈ નામ હોઈ શકે પણ નહીં. જીસસ અને બુદ્ધનું જીવન એ જ ધર્મ, હા, યાદ રાખો, જીસસ ખ્રીસ્તી નહોતા કે બુદ્ધ બૌદ્ધ નહોતા. આ વીભુતીઓએ ખ્રીસ્તી કે બૌદ્ધ ધર્મો જેવા શબ્દો પણ સાંભળ્યા નહોતા. સાચા ધાર્મીક લોકો માત્ર ધાર્મીક જ હોય છે. તેઓ કોઈ સીદ્ધાન્તમાં લપેટાયેલા નથી હોતા. આ જ દુનીયામાં ત્રણસો જેટલાં ધર્મો છે. આ તો કેવી વીચીત્રતા કહેવાય! જો સત્ય એક જ હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે હોઈ શકે? વીજ્ઞાન તો એક જ છે જ્યારે ધર્મો ત્રણસો!

વસ્તુલક્ષી સત્યની ખોજ માટે જો વીજ્ઞાન એક જ હોય તો આત્મલક્ષી સત્યની ખોજ માટે ધર્મ પણ એક જ હોવો જોઈએ. આત્મલક્ષી સત્ય એ વસ્તુલક્ષી સત્યની બીજી બાજુ છે. ધર્મનું કોઈ નામ કે તેના કોઈ મતાગ્રહો હોવા ન જોઈએ.

હું આવો ધર્મ શીખવાડું છું. તેને કારણે કોઈ તમને એમ પુછે કે ‘ધર્મ અંગેનો મારો શો ખ્યાલ છે તે ટુંકમાં સમજાવો’ તો તમે તેનો જવાબ નહીં આપી શકો, કારણ કે, હું કોઈ સીદ્ધાન્ત, વીચારધારા, માન્યતાઓ કે વાદ શીખવતો નથી. હું તમને ધર્મવીહોણો ધર્મ શીખવું છું અને તેનો સ્વાદ ચખાડું છું. હું ભગવત્તા કેવી રીતે ઝીલી લેવી તેની રીત શીખવાડું છું. હું તો તમને બસ, આટલું જ કહું છું, ‘આ રહી બારી, તેને ઉઘાડો એટલે તમને તારાજડીત રાત્રી દેખાશે.’ આ તારાજડીત રાત્રી અવ્યાખ્ય છે. એક વાર તમે ઉઘાડી બારીમાંથી જોશો તો આ તમને સમજાઈ જશે. જોવું એટલે જાણવું તેવો અર્થ થાય; પણ જોવું એટલે હોવું તેવો અર્થ પણ થવો જોઈએ. પછી બીજો કોઈ મત હોવો ન જોઈએ.

મારો બધો પ્રયાસ અસ્તીત્વગત છે, બુદ્ધી–ચાતુરીવાળો બીલકુલ નહીં. ખરો ધર્મ અસ્તીત્વગત છે. આવો ધર્મ બહુ જ થોડા લોકોને લાધ્યો છે અને આવા લોકોના નીધન સાથે એ ધર્મ પણ દુનીયા ઉપરથી અદૃશ્ય થઈ જાય છે. તેનું કારણ એ છે કે પછી બુદ્ધીશાળી લોકો તે ધર્મને પકડી લે છે અને તેમાંથી સાફસુથરી, તર્કયુકત, સુંદર સુંદર વીચારધારાઓ ઉપજાવવા માંડે છે. આવા પ્રયાસમાં જ આવા ધર્મનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે. આવા લોકો ફીલસુફીઓ પેદા કરે છે અને તેને કારણે ધર્મનો લય થઈ જાય છે. પંડીતો, સ્કૉલરો અને આધ્યાત્મવાદીઓ આ રીતે ધર્મના દુશ્મનો છે.

તો યાદ રાખો. અહીં તમને કોઈ ધર્મની દીક્ષા આપવામાં આવતી નથી. તમને તો ફક્ત ધાર્મીકતામાં દીક્ષીત કરવામાં આવી રહ્યા છે. આ ધાર્મીકતા વીશાળ, અગાધ અને અસીમ છે. આસમાન જેવડી છે.

ખરું પુછો તો આકાશ પણ તેની સીમા નથી. એટલા માટે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમારી પાંખો ફેલાવો. આ આખું અસ્તીત્વ આપણું છે. અસ્તીત્વ આપણું મન્દીર છે. અસ્તીત્વ આપણાં શાસ્ત્રો છે. અસ્તીત્વથી ઓછું જે કાંઈ છે તે બધું માણસની કૃતી છે. માણસના કારખાનાનું ઉત્પાદન છે. તેનું ઉત્પાદન કઈ જગ્યાએ થયું તે મહત્ત્વનું નથી. કારખાનામાં ઉત્પાદીત  થયેલા ધર્મથી સાવધ રહો કે જેથી, સત્ય કે જે માનવ ઉત્પાદીત નથી તેને તમે જાણી શકો. આ સત્ય વૃક્ષોમાંથી, પહાડોમાંથી, નદીઓમાંથી, તારાઓમાંથી, તમારામાંથી કે તમારી આસપાસ રહેલા લોકોમાંથી – બધેથી પ્રાપ્ય છે.

–ઓશો

[‘મુક્ત ગગનનું મસ્ત પંખી’, ભાષાંતર :એન. જી. વખારીયા તેમ જ રૅશનાલીઝમ : નવલા મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ’ ટ્રસ્ટ, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ380 027ફોન : 779-2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર ૨૦૦૭, પાન : ૮૦, સહયોગ રાશી : રુપીયા ૪૦)માંથીસંપાદક અનેપ્રકાશકના સૌજન્યથી સાભાર…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગhttps://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને નીરાન્તે મમળાવવા મન થાય કે મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર એક મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..  ગોવીન્દ મારુ નવસારી

પોસ્ટ તારીખ08/04/2011

24 Comments

  1. It is a good article to read. The true meaning of Dhrama is that we treat all human beings & animals & trees the way we want to be treated.

    The color of blood is red in every human being, animals & insects, similarly the Dharma is just one for all in this world.

    Thanks,

    Pradeep H. Desai

    Like

  2. ફકત તફાવત નામકા હૈ
    દરઅસ્લ સબ એક હી હૈ
    જો આબે સાફીકી મૌજમે હૈ
    ઉસીકા જલવા હુબાબમે હૈ.
    સ્વામી વિવેકાનંદે એક વાર કહેલું કે ધર્મો બધા સત્ય નથી, પણ બધા ધર્મોમાં સત્ય છે. આ બહુ મોટી વાત છે. આ બિલકુલ સાચી વાત છે. બધા ધર્મો સત્યના અંશાવતાર છે. સમજવાની વાત એ છે કે જેમને ધર્મનું દર્શન થયું, તે બધા અનુભવી દષ્ટા પુરુષો હતા. એ સાક્ષાત્કારી હતા. એમને જે દર્શન થયું, તે સમાધિ અવસ્થામાં થયું. ગૌતમ બુદ્ધ, કપિલ મહામુનિ, મહાવીર, ઈશુ, મહમ્મદ પયગંબર એ બધાને જે અનુભૂતિ થઈ, તે સમાધિ અવસ્થામાં જ થઈ. એટલા વાસ્તે એ સત્ય-દર્શન જ હોવું જોઈએ, એ સત્ય છે એમ જ કહેવું જોઈએ. તેમ છતાં એમના દ્વારા જે ધર્મ પ્રસર્યો, તેમાં બધું જ કાંઈ સત્ય હોય એવું ન પણ બને. કેમ કે મહાપુરુષને જે દર્શન થયું, તે એમનું નહોતું, ઈશ્વરદત્ત હતું. પરંતુ એમણે લોકોની સામે જે ધર્મ મૂક્યો, તેમાં એમનું માનવીપણું દાખલ થઈ ગયું.વ્યાવહારિક ભાષામાં આને પરસ્પરની ‘સહિષ્ણુતા’ કહે છે. દર્શનકારો આને ‘અવિરોધ’, ‘સમન્વય’, ‘એકવાક્યતા’ વગેરે કહે છે. જૈન શાસ્ત્રકારોએ આને ‘મધ્યસ્થ-દષ્ટિ’ એવું નામ આપ્યું છે. ભક્તજનો આને ‘અભેદ-ભાવ’, ‘અદ્વૈત-ભાવ’ વગેરે મીઠા-મીઠા શબ્દોથી ઓળખે છે

    Like

  3. ” જે જોડે તે ધર્મ અને જે તોડે તે અધર્મ”

    Like

  4. We must study MAHABHARAT as a whole and each character
    in the epic then we understand why TRUTH is Ek and DHARMA Anek”. Ekam sat vipra bahudha vadanti—”that which exists is One: sages call it by various names!!!
    Each person interprets it differently based on their own capacity to think and act in the world of MAYA!
    So in other words Satya Ekj Chhe ane Raheshe – but its variance will be as many as number of people who lived on this planet and yet to come…
    Nothing can be done about it – except each individual must realize in the heart of their hearts!
    So be it!

    Like

  5. THE BIGGEST DHARM I.E. RELIGION OF THE WORLD IS “TRUTH” – PURE TRUTH – WITHOUT ANY MIXTURE OF ANY KIND.

    THE PURE TRUTH I.E. DHARM SAYS:

    “I CAME TO EXPLAIN TRUTH TO HUMAN BEING, BUT THE MOST MURDER OF TRUTH BY HUMAN BEING IS UNDER MY NAME”.

    “WITH MY SUPPORT, HUMAN BIENG HAS MADE MILLIONS OF THEIRE BROTHER “SUPPORT-LESS”.

    “HUMAN BEING HAS ERECTED WALLS OF “BLIND-FAITH” AROUND MY BODY, SO NOW THEY CANNOT SEE THE REAL GOD, WHO HAS SENT ME FOR THEM.”

    “I AM ONLY ONE, BUT DIFFERENT HUMAN BEING LOOKS AT ME WITH DIFFERENT SIGHT.”

    “I HAVE COME FOR “DEVELOPMENT” I.E. “VIKKAS” AND NOT FOR “DESTRUCTION” I.E. “VINAASH”.

    AND SO ON…………………………………..

    QASIM ABBAS
    CANADA.

    Like

  6. પૃથ્વી એક જ છે તો પછી લોકો અલગ અલગ કેમ ? આવો સવાલ કોઈ પુછે છે ખરું ? દરેક જગ્યાએ અલગ લોકો, અલગ પહેરવેશ, અલગ ખોરાક, અલગ બોલી !! એમાં કોઈને નવાઈ લાગે છે ખરી ?

    સત્ય એક જ હોય પણ સમજણ બધાની અલગ હોઈ શકે છે. દરેકને પોતપોતાની રીતે રીતે વીચારવાનો, માન્યતાઓ ધરાવવાનો, ખોરાક પસંદ કરવાનો અધીકાર છે. સત્યને સમજવાની તાકાત ફક્ત વીજ્ઞાનને જ છે એ વાત બેહુદી છે.

    દરેકને પોતાનું સત્ય હોઈ શકે છે. “મારું સત્ય જ સાચું અને બાકીનાનું અજ્ઞાન” એવી માન્યતા જ અવૈજ્ઞાનીક છે. સત્ય એક હોવા છતાં એને પામવાના માર્ગો સૌના અલગ હોય જ અને હોય તો કોઈએ વાંધો ન લેવો જોઈએ. વૈજ્ઞાનીકતાને નામે બીજાને હંમેશાં કોચતાં રહેવું તે હળાહળ અન્યાયભર્યું, અવૈજ્ઞાનીક અને બીનલોકશાહી માનસ છે.

    Like

  7. Dharma na name “ullu” banta rahevu…..ke lutata….lutatta rahevu shu e pan halahal anyay nathi…???? Bhart ni to mukhyavate e che ke agnan praja ne varsho thi dharmana name loko….. Khulla sabdo ma kahu to Duuuu banavta avya chhe…..Ane bhagavn e loko ne saja karvani jagyaye easho arram ane temni pedhine a/c tatha car appe chhe……????

    Like

  8. જુગલકિશોરભાઇના અભિપ્રાય સાથે હું સો ટકા સંમત છું.સત્ય સમજવાની તાકાત કેવળ
    વિજ્ઞાનને જ છે એ વાત બેહુદી જ નહીં પણ મૂઢતા ભરેલી કહેવાય. જગતના મહાન વૈજ્ઞાનિકો
    પણ એવો દાવો નથી કરતા.
    સત્યના બે પ્રકાર છે.
    એક છે ઋત અર્થાત સૃષ્ટિના ભૌતિક અને આધ્યાત્મિક અચળ નિયમો જે સ્થળ અને કાળની પકડમાં આવતા નથી. દા.ત.ગુરુત્વાકર્ષણનો નિયમ.અથવા જન્મ પછી મૃત્યુની નિશ્ચિતતા.
    બીજું છે વ્યાવહારિક સત્ય જે બદલાતું જ રહે છે. દા.ત.હું બાળક હતો પણ કાળની અસરથી આજે હું બાળક નથી. મારી દ્રષ્ટિએ મન એટલે મગજમાંથી વહેતા વિચારોનો પ્રવાહ.અને આ પ્રવાહની દિશા અને ગતિ દરેક માનવમાં અલગ અલગ હોય છે.એટલે જ ઉકિત છે ને કે
    એકં સત વિપ્રા બહુધા વદંતિ.

    Like

  9. ઓશોના આ શબ્દો પહેલાં પણ વાંચેલા, કદાચ હીન્દીમાં, પણ ગુજરાતીમાં આ રુપાંતર ઘણું ગમ્યું.
    મારા ખ્યાલ મુજબ ઓશોએ ક્યાંક કહ્યું છે કે પદાર્થને જાણવાના શાસ્ત્રને વીજ્ઞાન કહેવામાં આવે છે, તેમ આત્માને જાણવા માટેનું શાસ્ત્ર તે ધર્મ. શરીરમાં, તે પછી માનવીનું હોય, પ્રાણીનું હોય, જીવજંતુનું હોય કે વનસ્પતીનું હોય જે ચૈતન્ય રહેલું છે તે એમાંથી દુર થતાં જડ, મૃત થતુ હોય છે. આ ચૈતન્યને જુદાં જુદાં નામો આપવામાં આવ્યાં છે, જુદી જુદી રીતે એને ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જડનો અભ્યાસ જેને આપણે વીજ્ઞાન કહીએ છીએ તે કરે છે, જ્યારે આ ચૈતન્યને જાણવાનું શાસ્ત્ર તે ધર્મ. તેથી જ કદાચ ‘ધારયતિ ઈતિ ધર્મઃ’ કહેવાયું હશે? આમ જેમ વીજ્ઞાન એક જ છે, તેમ ધર્મ પણ એક જ છે. કહેવાતા જુદા જુદા ધર્મો આ ચૈતન્યને, આત્માને, સત્યને જાણવાના માર્ગો છે. સત્યનો સાક્ષાત્કાર કરનારાઓએ એમને જે રીતે એ સત્ય લાધ્યું હોય તે માર્ગ પોતાના અનુયાયીઓને બતાવ્યો હોય અને એક સમયે એક જ માર્ગને અનુસરી શકાય, એકી સાથે બે માર્ગો પર કોઈ ચાલી ન શકે. આ કારણે માર્ગચુસ્તતા આવી, જે કમનસીબે ધર્મચુસ્તતા બની.

    Like

  10. વાંચક મિત્રો,
    ધર્મ જીવી જાણવાની વાત છે… વ્યાખ્યાન કરવાની વાત નથી..મૂળ તો જીવન એજ સત્ય..છે
    ઓશો ની વાત તદ્દન સાચી છે.. ઈશુ બુદ્ધ વી. ધર્મ જીવનારા હતા.. પંથ તો તેમની પાછળના ઓ એ રચ્યો..
    અને આચાર ને નેવે મૂકી પંથો ના રસોડા રચ્યા અને જેટલા રસોડા એટલી વાનગી કાઢી..
    આમ એક સત્ય ના અનેક ચીલા ચાતર્યા..
    જે ધર્મ જીવી જાય છે..તેને એકેય ચીલા ની જરૂર નથી..
    માટે જો ધર્મ જીવવા નો સંકલ્પ લઈએ તો આગળનો રસ્તો ઈશ્વર સુજાડસે
    છેવટે મારો પ્રભુ તો મારી ચેતના છે.. તેને સત્ય પારખતાં આવડશે…
    માટે “કેટલા પંથક અને કેમ” ના રવડે ચડવા ની અને તેમ કરી આત્મ ને છેતેરવાની આવશ્યકતા નથી જ .

    બીજું, દારેક પંથક નો અમુક વિચાર નું મૂળ શોધવા ની બુદ્ધી ની કસરત કરીશું
    તો સમજાશે કે એ બધી નદીઓ નું મૂળ સ્ત્રોત્ર સનાતન ધર્મ માં છે
    માટે સનાતન ધર્મ/વિચાર-ધરાને બીજા પંથક ની બરાબરી ની નજરે તુલના ના કરીએ તેજ યોગ્ય છે..
    ખ્રિસ્તી કે ઇસ્લામ કે બુદ્ધ કે શીખ – એ ને હિંદુ/સનાત ની જોડે એક ત્રજ્વે ના તોલી શકાય … સનાતન તો મૂળ સ્તોત્ર છે
    તો અસલ/મૂળ ને પકડવું તે ડાહ્યું પગલું ભર્યું ગણાશે.
    માટેજ કહ્યું છે… “દુનિયા બોલે એને બોલવા દઈ એ ..આપણે રામ ભજનમાં રહીએ”
    આપણે ધર્મ જીવી જાણીએ..
    અસ્તુ,
    શૈલેષ મેહતા
    mehtasp25@gmail.com

    Like

  11. very good story.
    in all over world only one religion – truth
    so,
    all religion are euqal and great religion is truth.

    Like

  12. Silly argument. If station is one, there could be number of roads leading to it…..

    Now say, how could there be so many paths for just one station (Dharma)…!LoL…Rationalism depends totally on reasoning but there could always be logical falacies in it…

    Like

  13. શ્રી ગોવીંદભાઇ,
    આમ તો ઓશોને વાંચવા અને સમજવા ગમે છે, જો કે તેમનું કહેલું બધું જ માનવું તેવો કોઇ આગ્રહ પણ નથી રાખ્યો. (જો કે દરેકમાં આમ જ છે) ઓશોની છાપ એક તર્કબદ્ધ દલીલ આપનાર તરીકે છે, પરંતુ થોડા દુઃખ સાથે કહીશ કે આ લેખમાં તર્કની એ ધાર બુઠી લાગે છે. પ્રશ્ન યોગ્ય છે પરંતુ ઉત્તર સાવ ગળે ઉતરે તેવો નથી.

    આગળ, ખાસ તો જુગલકિશોરભાઇ, ગીરીશભાઇ આદી મિત્રોએ ઓશોના આ તર્ક પર સારો તર્ક પ્રસ્તુત કર્યો છે. તે ઉપરાંત બે‘ક તર્ક હું મારી અલ્પમતિ અનુસાર રજુ કરૂં તો, પ્રથમ તો (ઘણી વખત ચર્ચાયું તેમ) વિજ્ઞાન અને ધર્મની સરખામણી જ સાવ બીનજરૂરી છે. “વસ્તુલક્ષી સત્યની ખોજ માટે જો વીજ્ઞાન એક જ હોય તો આત્મલક્ષી સત્યની ખોજ માટે ધર્મ પણ એક જ હોવો જોઈએ.” — આ સામે કોઇ તર્ક મુકે કે વિજ્ઞાન પણ એક નથીજ, પદાર્થ સંબંધી સત્યોની ખોજ માટે પદાર્થ વિજ્ઞાન અને અંતરિક્ષ સંબંધી સત્યોની ખોજ માટે ખગોળવિજ્ઞાન હોય છે. શરીર સંબંધી બાબતો માટે વળી શરીર વિજ્ઞાન અને વૈદક હોય છે. ટુંકમાં તમે ખગોળ વિજ્ઞાનના સહારે રોગ ના મટાડી શકો ! આવું જ આત્મલક્ષી સત્યની ખોજ માટે કેમ ન હોઇ શકે ? તો ઓશો શું ઉત્તર આપે ?

    બીજૂં, “તો યાદ રાખો. અહી તમને કોઈ ધર્મની દીક્ષા આપવામાં આવતી નથી.” — આમ કહેનાર ઓશોના જીવતે જીવત જ પોતાનો સંપ્રદાય બની ગયો હતો. ચોક્કસ પ્રકાર કે રંગના વસ્ત્રો, ગળામાં માત્ર ઓશોના જ ચિત્ર વાળી માળા, માત્ર ઓશો જ સાચા એવો દુરાગ્રહ, આ બધું જેનો ઓશોએ વિરોધ કર્યો છે તેવો એક સંપ્રદાય જ તો થયો, ! ધર્મો ત્રણસો કેમ ? તેનો એક ઉત્તર સ્વયં ઓશો જ થયા ! અન્ય ધર્મ-સંપ્રદાયો પણ આમજ તો રચાયા.

    જો કે સવાલ; ’સત્ય એક હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે ?’ એમાં કોઇ તર્કબદ્ધત્તાજ નથી. આ તો એવું થયું કે અમદાવાદ એક હોય તો ત્યાં પહોંચવાના માર્ગ આટલા બધા કેમ ? આને બદલે પ્રશ્ન એમ પણ કરી શકાય કે “આ ત્રણસો ધર્મો એક જ સત્ય બતાવે છે ?” હવે જુઓ મજા !! જવાબ ગમે તે હોય પરંતુ જવાબ શોધવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશો તો બની શકે કે પછીનો સવાલ “આ ત્રણસો એક ધર્મો…” એમ હોય !!

    ટુંકમાં રામ, કૃષ્ણ, બુદ્ધ કે ઈશા, કોઇ નહીં ઇચ્છતું હોય કે અમારો અલગ ધર્મ બને. તેઓએ પણ માત્ર સત્ય શોધવાનો ઉદ્યમ જ કર્યો હશે, પછી તેમની કેડીએ ચાલનારાઓથી કેડી રસ્તો બની જે અલગ ધર્મનું નામ પામ્યો. જેમ ’હું તમને ધર્મવીહોણો ધર્મ શીખવું છું’ કહેનાર ઓશો પણ મંડાણ તો “ધર્મવીહોણા ધર્મ” નાં જ કરે છે ને ?

    કશો અવિનય થયો હોય તો દરગુજર કરશો. વિચારપ્રેરક લેખ માટે આભાર.

    Like

  14. પોતા તરફ.. બીજા તરફ..સ્રુષ્ટી તરફ અને સૃષ્ટી કર્તા તરફ આદર અને ભાવથી જોવું વર્તવું તે
    ધર્મ..નામ રુપ ભલે હજાર હોય..જેટલી વ્યક્તિ તેટલા રસ્તા પણ હોય શકે..છતાં એકબીજા સાથે ગેર સમજ ન રહે..બીજાનું બીજાપણૂ..ગેર સમજ દૂર થઈ શકે છે..તેની પાસે જઈ પ્રેમથી વાતચીત કરી…..આત્મીયતા સાધી કે મિત્રતા બાંધી..

    Like

  15. Dear Govindbhai Maru:

    Very good discussion. It is prompting a lot of responses. Sometimes it looks that any discussion about Religions takes the route of definitions.

    Religion is the creation of People through their Gurus, Pundits and Scholars. The result is they Exploit the Ignorant People for their Own Vested Interests. Blind Faith and Traditions are Not Religion. They are Traded by Money Makers in the Name of Religion. Most of the Believers are Brain-Washed as they do not want to Practise the Principles.

    They Provide Temples, Churches, Mosques, Gurudwaras, etc. with the Immoral Money to Trick the People to Deprive them of their Money by showing them Heaven, Moksha, etc. which are imaginary, Not Real. No one can describe them. they take people away from their Real Duties by Rituals i.e. “Kriyakand”. If SOUL or GOD is within Living Beings, one can get the Message – “Do GOOD”.

    Nature has Provided All The Tools and Materials. Human Beings are Supposd to work and Produce what they Need. One does Not Need Gurus to make a living by misguiding. Gurus have to work too, like every one else. The Evil Minds of Human Intelligence has created Castes and Classes to Divide People into Different Religions and further Divisions into Sects to Confuse the Rustic Person. All these are NOT RELIGIONS, they are ALL BUSINESSES Selling Same Products in different Forms -“Same Wine in Different Bottles.

    Finally, Do Not Go To Any Structured Religions. Do Not Pay a Penney to them for Any Reason. Stay Away from All These Jackals in the Garb of Gurus. “TATHASTU”.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706
    U.S.A.

    Like

  16. ઈશ્વરે કદીયે પંથ રચ્યા નથી
    આ પંથ રચનારા તો ,તેની , પછીના તેના ,અનુયાયીઓ જ છે
    આ અનુયાયીઓ ને જ , ઈશ્વર નાં નામે ,તેમનું , પોતાનું ,ગાવણું ગાવું છે
    અને લોકોને .શ્રદ્ધાના નામે , ભરમાવવા છે ,
    શ્રદ્ધા એ સત્ય નથી ,એ એક ઓધળો,વિશ્વાસ છે
    આ, વિશ્વાસનો અનુયાયીઓ દ્વારા તોડ મરોડ કરી જુદો જુદો સ્વરોપો અપાય છે
    અને પોતાને મન ગમતા ઈશ્વરના નામે અનેક ચીલા પડાય છે

    Like

  17. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    અહી આપેલા ઓશોના પ્રવચનના બે-ચાર ફકરા, તેનુ શિર્ષક અને કેટલાંક વાક્ય પર ભાર દેવા તેને રંગીન કરવાને કારણે ઓશોની વાતનો મર્મ ચૂકી વાચકો બીજા રવાડે ચઢી ગયા. ઓશોના વિરોધીઓ એ પણ એક વાત તો કબુલ કરવી જ પડે કે ઓશો જેવી તર્ક શક્તિ કોઈની પાસે નથી. તો ઓશો એ એવો તર્ક શા માટે આપ્યો કે “સત્ય એક જ હોય તો ધર્મો ત્રણ્સો કેવી રીતે હોઈ શકે?” કોઈ આઠમા ધોરણ્નો વિદ્યાર્થી પણ આવા સીધા સાદા તર્ક ને બેબુનિયાદ સાબિત કરી તેમ છે. જેમકે અનેક મિત્રોએ કહ્યું કે એકજ સ્થળ પર પહોંચવાના અનેક માર્ગ હોઈ શકે તેમ જ પરમાત્મા સુધી પહોંચવાના પણ અનેક માર્ગ હોઈ શકે. અને તે સત્ય પણ છે. અત્રે મિત્રોની જાણ સારુ લખું છું કે હિન્દુએ કોઈ ધર્મ જ નથી. પણ આવા અનેક માર્ગનો જેઓએ સહર્ષ સ્વિકાર કર્યો તેવા લોકોનો સમુહ માત્ર છે અને તેથી જ હિન્દુઓમા અનેક ધારાઓ જેવીકે કૃષ્ણ, શિવ, શંકરાચાર્ય,ઉપનિષદોના ઋષીઓ, નારદ, વલ્લભાચર્ય, નાથ સંપ્રદાય,તંત્ર અને બીજા ઘણા બધા ગણાવી શકાય તેવા અલગ લગ માર્ગો નો સમુહ છે. આ તમામ ધારાઓ એક બીજા સાથે ઝાઝો મેળ નથી ખાતી તેમ લાગે પરંતુ તે તમામ ધારાઓ પરમાત્મા સુધી પહોંચવાના અલગમાર્ગ જ છે. હિંદુ એકજ ધર્મ એવો છે જેમા તમને સ્વતંત્રતા છે કે તમે તમારી પસંદગી કે પ્રકૃતિ મુજબનો માર્ગ સ્વીકારી તમે પરમાત્મા સુધીની યાત્રા કરી શકો છે. બાકી બધા ધર્મો તમને પસંદગી નથી આપતા. ઓશોએ પ્રથમવાર આ તમામ ધારાઓ પર પ્રવચનો આપી તેમાનો કચરો દુર કર્યો અને તમામ માર્ગ સ્વચ્છ કરી આપણી સમક્ષ મુક્યા છે. એ જ ઓશો આવી વાત કરે તો જરા થોભી જઈ વિચાર કરી પછી જ આપણો અભિપ્રાય આપવો શાણપણની નિશાની છે. એકાદ બે વાક્યોને કે શબ્દોને પકડીને કુદી પડવું કેટલું યોગ્ય છે? હવે આ ફકરાઓમાથી જે રંગીન અક્ષરોમા લખે છે તે કાઢીનાંખી આખો આર્ટિકલ ફરી વાંચી જાઓ તો ઓશોનો ઇશારો શેના તરફ છે તેનો ખ્યાલ આવી જશે. મારી સમજ છે કે આપણે જ્યારે કોઈ બુધ્ધ પુરુષને વાંચીએ કે સાંભળીએ ત્યારે હંમેશા તેના શબ્દોને ન પકડતા વાતનો મર્મ પકડવો જોઈએ. જેમ કે ઇશપની કથાઓમાં કે બીજી ઘણી બધી બોધ કથાઓ મા હોય છે તેમ. મારી સમજ મુજબ ઓશોનો ઇશારો ધર્માના નામે ઉભા થયેલા વાડાઓ પ્રત્યે અને આ વાડાઓને કારણે માનવજાતને થયેલ નુકશાન તરફ આપણું ધ્યાન દોરવા માટે છે અને કહેવા માંગે છે કે હવે ધર્મનને લેબલો આપવાના બાજુપર રાખો ને ધર્મની જગ્યાએ ધાર્મિકતા કેળવો. ધાર્મિકતા એક ક્વોલિટિ છે અને કહેવાતા ધર્મ ને હવે નફરત અને ઘૃણાનો લૂણો લાગી ગયો છે.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ.

    Like

    1. ખાસ નોંધઃ
      કેટલાંક ઓશો પ્રેમી મિત્રોને પૂછતાં ખબર પડી કે અત્રે જે પુસ્તકમાંથી આ ફકરાઓ લેવામા આવ્યા છે તે ઓશોનુ પુસ્તક નથી પણ કોઈ અન્ય વ્યક્તિએ (કદાચ ઓશોનો સન્યાસી) લખેલ પુસ્તક છે જેનો શ્રિ વખારીયાજીએ અનુવાદ કર્યો છે અને તેનુ ગુજરાતી નામ “મુક્ત ગગનનું પંખી” આપેલ છે.

      Like

  18. ધર્મ તો એક જ છે,
    અધર્મી ઓ ની માન્યતા અનેક છે,
    એટલે ધર્મ ત્રણસો છે, એતો અધર્મી ઓ નું તરકટ છે.
    ધર્મ ને અનેક નામે રજુ કરાય છે,
    અનેક ધર્મો હોવા છતાંયે કયાં કોઈ એક ધર્મ ને અનુસરે છે ,
    એતો અનુસરે છે એમની મલીન માન્યતા ને,
    જેને ધર્મ ના નામ ના વાઘા પહેરાવવા માં આવ્યા છે,
    ત્રણસો ધર્મ માંથી કોઈ એક પણ ધર્મ ને અનુસરતું હોત-
    તો આટલા ઢોગી ઓ ની બોલબાલા ના હોય,
    અરે વિજ્ઞાન એક હોવા છતાયે કયા કોઈ નો એક મત હોય છે,
    પંડિતો, સ્કોલરો , કે આધ્યત્મ્વાદી ને પણ ખબર નથી કે ધર્મ શું છે,
    હા ધર્મ એમના માટે ધન ઉપર્જ્ન્ય નું સાધન જરૂર છે,
    ધર્મ ની સાચી માન્યતા મરી પરવારી છે,
    ને વિજ્ઞાન ના નિત નવા અખતરા થાય છે.
    અધર્મી જ ધર્મ ઉભા કરે છે, ને અધર્મી જ અનુસરે છે.
    સીમા દવે .

    Like

  19. ભાઈ શ્રી,
    આભાર
    સત્ય ને પચાવવા વાળા માણસો છે જ નહિ, એટલે તો ધર્મ નો દંભી અંચળો ઓઢે છે ,

    Like

  20. ધન્યવાદ ભાઈઓ, મારુ કાર્યુ પુરુ થયુ, ભાઈઓ સત્ય પ્રત્યે જાગ્રુત થાય એવી મારી ઈચ્છા પુરી થઈ, પ્રભુ સૌનુ ભલુ કરે……

    Like

Leave a comment