(1)ગોરમાનો વર કેવો ? તેમજ (2) સમાજસેવાનો હોબાળો

(1)

ગોરમાનો વર કેવો ?

જે  બાળાઓને હજુ રજ:સ્વલા (માસીક ધર્મ)નો સમય શરુ થયો ન હોય તેવી અબુધ બાળકીથી માંડીને દસ વર્ષ સુધીની વયની ગૌરીઓ માટેના વ્રતને ગૌરી પુજાનું વ્રત કહેવામાં આવે છે. આ વ્રતમાં માબાપ, નીત–નવીન પ્રલોભનો આપી શું ખવાય અને શું ન ખવાય તેના નીયમોનો લશ્કરી શીસ્તની જેમ જ અમલ કરાવવાની મથામણ કરતા હોય છે. એટલું જ નહીં, ‘તું જો આ વ્રત નીયમો તોડીશ તો તને ભવીષ્યમાં સારો વર નહીં મળશે’. એ મતલબનો આઘાતજનક ડર અને ભય કુમળા મન ઉપર જન્માવે છે ત્યારે તો માબાપ હદ વટાવી જાય છે. બાળાઓના શરીર પર દમન કરવાથી જ સુખ મળશે તે મતલબનો પાઠ અહીંથી જ શરુ કરાવે છે. અષાઢી સવારમાં બનીઠનીને પરાણે પહેરેલું ભપકાદાર રેશમી ઘાઘરી–પોલકું જોઈને બાળાઓનો ઉમંગ, આનંદ પાછળ વર પસંદ કરવાની પદ્ધતીમાં રહેલી ક્રુરતાને જોઈને કોઈ બુદ્ધીજીવીનો સુખમય દૃષ્ટીકોણ ક્યારે મુર્છા પામશે ???

ગોવીન્દ મારુ

સંપર્ક : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો : એરુ એ. સી. 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેલ:  govindmaru@yahoo.co.in

(2)

સમાજસેવાનો હોબાળો

     જ્યારે કોઈક ધર્મ–અધ્યાત્મ ગુરુની અલૌકીક ઉત્પત્તી અને ચમત્કારીક શક્તીનો સમાજ સમક્ષ પર્દાફાશ થઈ જાય છે અને તેમની માનવસહજ નીર્બળતાઓ સામે આવે છે ત્યારે તેમના પ્રચારકો એવા ગુરુઓની સામાજીક સેવાઓનો ગોકીરો મચાવી મુકે છે. આશ્વર્યની વાત એ છે કે આવા ગોકીરામાં કેટલાક ચર્ચાપત્રીઓ, કટારલેખકો અને મોટા ચીન્તકો પણ વગર વીચાર્યે જોડાઈ જાય છે.

સમાજસેવા કોણ નથી કરતાં ? વાસ્તવમાં બધા જ લોકો પોતાના કાર્ય દ્વારા નાની–મોટી સમાજસેવા જ કરે છે. એ દૃષ્ટીએ રાજનેતાઓ, અમલદારો, સરકારી–ખાનગી કર્મચારીઓ, ઉદ્યોગપતીઓ, ખેડુતો, પશુપાલકો, વહેપારીઓ, અભીનેતાઓ, લેખકો, પત્રકારો, શીક્ષકો, વૈજ્ઞાનીકો, ટેક્નીશીયનો, મજુરો અને સંડાસ–ગટર સાફ કરનારા પણ સમાજસેવા જ કરે છે. આમ આખો સમાજ સમાજસેવા કરે છે. એ સંજોગોમાં માત્ર ધર્મ–અધ્યાત્મગુરુના સમાજસેવાના કાર્યને જ કેમ અલૌકીક, દીવ્ય, મહાન અને શ્રેષ્ઠ ગણીને તેના ગુણગાન ગાવામાં આવે છે અને માત્ર તેમની જ પુજા–વંદના કેમ કરવામાં આવે છે ?

કોઈ અહીં દલીલ કરશે કે ‘તમે ધર્મ ગુરુ જેવું મહાન કાર્ય કેમ કરી બતાવતા નથી ? તમારી એવી હેસીયત છે ખરી?’ આવી દલીલ કરનારાઓને મારો પ્રશ્ન છે કે તમે રેલવે સ્ટેશનના પાટા પરની ગંદકી ઉઠાવવાનું અને ગંદી ગટરોની સફાઈનું નાનું અને સામાન્ય કામ કેમ કરી બતાવતા નથી? તમારી એટલીય હેસીયત કેમ નથી?’ તાત્પર્ય એ છે કે સંડાસ અને ગટર સફાઈનું કામ પણ સમાજસેવાનું અનન્ય, અજોડ અને મહાન કાર્ય છે. કારણ કે એના વીના આપણો સમાજ એક દીવસ પણ ટકી શકે નહીં. તો એવા મહાન કાર્ય કરનારાને માન–સન્માન આપવાને બદલે તેમનો તીરસ્કાર કેમ કરવામાં આવે છે? વર્ણવ્યવસ્થાજન્ય પુર્વજન્મનાં પાપકર્મ અને પ્રારબ્ધના બહાના તળે એમને અન્યાય અને એમનું શોષણ કેમ કરવામાં આવે છે? ધર્મગુરુઓએ આજ પર્યન્ત એ વર્ગનાં સર્વાંગી ઉત્થાનનાં સમાજસેવાનાં કાર્યો કેમ હાથ ધર્યા નથી?

     સંડાસ–ગટર સફાઈ કરનારાઓને અને તમામ પ્રકારના કાર્ય કરનારાઓને એની સમાજસેવાનો બદલો પગારરુપે મળે જ છે. તેમ ધર્મગુરુઓને પણ એમની સમાજસેવાના કાર્યો બદલ વળતર રુપે પગાર મળે જ છે ને?  આ ધર્મગુરુઓ પાસે કરોડો અબજોની સમ્પત્તી ભેગી થાય છે એ દર્શાવે છે એમને એમની સેવા બદલ વળતર પેટે ભરપુર મેવા–મીઠાઈ મળે જ છે.

     સરકારી ક્ષેત્રોમાં અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર છે તો ધર્મગુરુઓના આશ્રમોમાં શું ભ્રષ્ટાચાર નથી? આશ્રમોમાં પણ લડાઈ–ઝઘડા, ખુન અને હત્યાઓ થાય છે, અસામાજીક પ્રવૃત્તીઓની દુર્ગન્ધો પણ એમાંથી અવારનવાર પ્રગટ થાય છે. સામાન્ય લોકોની સમાજસેવા અને ધર્મગુરુઓની સમાજસેવા વચ્ચે ખાસ કોઈ મોટો તફાવત તો છે જ નહીં. પછી ધર્મગુરુઓની સેવાઓને દીવ્ય અને અલૌકીક તથા મહાન શા માટે ગણવામાં આવે છે ? એનો આટલો બધો હોબાળો શા માટે ? વાસ્તવમાં સંશોધનનો આ મહાન વીષય છે.

     કોઈ પણ માણસને જીવનમાં સફળતા અને સીદ્ધી માત્ર પોતાની લગન અને પુરુષાર્થને કારણે જ મળે છે. કોઈના આશીર્વાદથી કશું જ મળતું નથી. છતાંય એવું કોઈ માનતા હોય કે તેમને કોઈના આશીર્વાદથી સીદ્ધી મળી છે તો એ તેમનું અજ્ઞાન, શીશુવયમાં મળેલા કુસંસ્કાર યા ખોટું શીક્ષણ અને અન્ધશ્રદ્ધા છે. એટલું જ નહીં; એમાં સામાન્ય સમજણનો પણ અભાવ છે.

– એન. વી. ચાવડા

(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક)

 

સંપર્ક : શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – ૩૯૪ ૩૩૫, જી. સુરત. ફોન નંબર:  (02622) 247 088

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર,  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14 – 07 – 2011

 

21 Comments

  1. We should tell wrong or false things to our children or we should not use any fearful way to convince them for any thing.

    It is a very nice article to read.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Like

  2. Corruption at its top is in religeious sector, because masses follow blind-faith. Satya(?) Saibaba, Baba Ramdev, Amma – the hugging saint etc. etc. are multi-multi billionaires and these fortune is from masses following them blindly. The sam scenario is almost in all religions including Muslim religion, where worship houses are built with blind-faith public money, and then these houses become their બાપીકી જાગીર.

    Qasim Abbas

    Like

  3. ધાર્મિક તહેવારો સમાજના દરેક વર્ગને આનંદ અને વિસામો
    મળે તેમજ નવાનવા સંપર્કો અને સંબંધો બંધાય એ હેતુથી
    સમાજના સંસ્કારી અને સુશિક્ષિત વર્ગે ખુબ વિચારીને લોકસમુદાય
    વચ્ચે સદીઓ પહેલાં શરુ કર્યા હતા દેશ અને કાલક્રમે તે એવા
    ચોકઠા અને બીબામાં જડબેસલાક બેસી ગયા અને તેમાં અનેક
    ધાર્મિક ઓઠા નીચે જડ અને અંધશ્રદ્ધામાં અટવાય ગયા કે તે
    જીવન જીવવાનો જાણે નિયમ થઇ ગયો!!
    બ્રાહ્મણો,પુરોહિતો અને કહેવાતા ધર્મના ઠેકેદારોને આ એક
    આજીવિકાનો ધંધો મળી ગયો જે આજે પણ ૨૧મી સદીમાં પણ
    પુરજોશથી ચાલુ છે.
    દીધે રાખો,મારા બાપલા કોઈ કંઈ પૂછતું નથી!!

    Like

  4. માનો યા ના માનો પણ કડવુ અને અડવુ સત્ય એ છે કે “ભારતમાં મંદિરો જ અંધકાર અને પાપ ફેલાવે છે, અને વધુમાં લોકોને અંધકારમાં જ જકડી રાખવા માંગે છે” જેથી મબલખ સંપતિ ના ઢગલા ઉપર સુવા મળે ને….!!!!!!

    Like

  5. Who the hell has sent an authentic message from heavens after the death….? Does strict religious practitioner lives 1000 years of healthy life…? Then, why this hypocracy, blind beliefs and blind following…Bull-shit.

    Like

  6. સુંદર લેખ બદલ લેખક શ્રી એન. વી. ચાવડા તથા ગોવીંદભાઈને હાર્દીક અભીનંદન તથા આભાર.

    Like

  7. Really very nice article by both of you. Everything is true but in crowd one man can not do as per his desire.

    Like

  8. વાંચક મિત્રો,

    ગુરુત્વાકર્ષણના કુદરતી નિયમ જેવું માનવ માત્રમાં નબળાઈ પ્રત્યે આકર્ષણ રહેલું છે..
    નબળાઈઓ જાણવી તે જ્ઞાન અને તેનો પ્રતિકાર તે સંઘર્ષ …
    જ્ઞાન અને પ્રયત્ન ના ‘પમ્પ’ દ્વારા જીવન નું ઉત્થાન થાય છે…
    “બીજો શું શરુ કરે છે” તે બાબતેતેને બિરદાવતા રહી, “આપણે આપણા થી બને તે સારું કરવું” તે વણ-કથિત નિયમ દરેકે આચરવા જેવો છે..
    ઉગતી વયે.. અનેક સવાલો નામ માં ઉઠે છે.. જેનું સમાધાન અનુભવી વડીલો પાસે થી જાણવા મળે છે..
    સવાલો નું સમાધાન સહજ રીતે સાચું /યોગ્ય પૂરું પાડવું જે માટે જોર-જુલમ- લાલચ વિ. શોર્ટ-કટ ન અપનાવ વા
    તે વડીલો નું કર્તવ્ય છે..જેથી વિકૃતિ ના બીજ ના વવાય તથા
    સામે પક્ષે વડીલો ની આજ્ઞા માં રહેવું તે સગીરો ને માટે લાભદાયી – શુભ ફળ દાયી છે,
    તે વિશ્વાસ નું વાતાવરણ બની રહે તે સામાજિક જવાબદારી છે જે દરેકે નિભાવવાની છે..

    દરેક સમસ્યા માટે ગોકીરો કરવાથી આપણા જીવન માં કંઇ ઉજાશ ફેલાશે?
    તો જે કાર્ય થી ઉજાશ ફેલાય તેનું જતન કેમ ના કરવું ??
    જીવન એકજ છે.. તેને સારી રીતે જીવાય તેવા એકધારા ઉપાયો કેમ ન કરવા??

    જવાબ કુદરતે આપેલાજ છે.. “કાંટા વાવે બોર ના ઉગે”

    “ચાલો આપણે બોર વાવીએ”

    અસ્તુ,

    શૈલેષ મેહતા

    Like

  9. Good articles. I have critically gown through both articles and I find that they are very good and I hope that you will continue to write such views.

    Like

  10. બંને ચર્ચાપત્રો આંખ ઉઘાડનારા છે.. જેઓ આંખ ઉઘાડવા માટે તૈયાર હોય તેને માટે..! બાકી તો.. એ રામ એના એ જ..!
    ગોવિંદભાઈ, અભિનંદન.

    Like

  11. ગોઅરમાના વ્રત કરતં તો વધુ નુકસાન કરતી તીવીના લાઈવ શો હોય છે. પંચ-સાત વર્ષના બાળકને સ્ટેજ પર નચાવવા, ફીલ્મી ગીતો ગવડાવવા અને એમાંય પણ જ્યારે બાળક હરીફાઈમાં પાછું પડે ત્યારે એની આંખના આંસું કરતા હૃદય પર વધુ ઘા થાય છે. એ ક્યારે બંધ થશે ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s