(1) આત્મા અને પુનર્જન્મ (2) શીક્ષણમાં વૈજ્ઞાનીક અભીગમ

આત્મા અને પુનર્જન્મ

ધાર્મીક પુસ્તકોમાં કહેવાતા આત્માની વ્યાખ્યા વાંચી છે. પુનર્જન્મ વીશે પણ વાંચ્યું છે. આત્મા અને પુનર્જન્મ બન્નેને સાથે સમજવાની કોશીશ કરું છું ત્યારે પરસ્પર વીરોધી બે બાબતો ઉપસ્થીત થાય છે. આ પરસ્પર વીરોધી બાબતો પુનર્જન્મની થીયરીને ખોટી સાબીત કરવા સમર્થ છે. ધાર્મીકો કહે છે કે આત્મા અવીભાજી છે, વગેરે. આત્માની આ વ્યાખ્યા માની એમની પુનર્જન્મ વીશેની વાતો વીચારીએ ત્યારે આ પરસ્પર વીરોધી બાબત ઉભી થાય છે.

ગર્ભાધાન કેવી રીતે થાય છે ? પુરુષના વીર્યમાં રહેલો શુક્રાણુ (સ્પર્મ) સ્ત્રીના એક ઈંડા (ઓવમ)ને ફેલોપીઅન ટ્યુબમાં ચોક્કસ સમય અને સ્થળે મળે તો જ ગર્ભાધાન થાય (આ માટે સંભોગ જરુરી છે જ એવું નથી). શુક્રાણુ સજીવ છે, પુરુષના વીર્યના એક ટીપામાં લાખોની સંખ્યામાં શુક્રાણુ હોય છે જે માઈક્રોસ્કોપમાં હરતાફરતા જોઈ શકાય છે. પ્રત્યેક શુક્રાણુમાં ‘જીવ’ છે. લાખો જીવો વીર્યમાં છે. એ જ પ્રમાણે સ્ત્રીના અંડાશય (ઓવરી)માંથી પ્રતીમાસ એક ઈંડું (ઓવમ) છુટું પડે છે. આ ઈંડું (ઓવમ) પણ સજીવ છે. આ ઈંડું (ઓવમ) ફેલોપીયન ટ્યુબમાં ચોક્કસ જગ્યાએ પહોંચે છે ત્યારે જ જો સંભોગ થાય (અગર બીજી રીતે) ત્યારે પુરુષ વીર્યના લાખો શુક્રાણુ પૈકી કોઈ એક શુક્રાણુ દોડીને (રીતસરની ઈંડાને મળવા માટે શુક્રાણુઓ વચ્ચે રેસ જામે છે !) સૌથી પહેલા ઈન્ડાને ટચ કરી એમાં દાખલ થઈ જાય ત્યારે ગર્ભાધાન થએલું કહેવાય. બાકીના લાખો શુક્રાણુ પછી ઈંડામાં પ્રવેશી શકતા નથી અને દર મહીને નાશ પામે છે (એ આત્માઓ કયાં જાય છે ? રામ જાણે !). આ ફલીત થયેલું ઈંડું ગર્ભાશયમાં આવી વીકાસ પામે છે. પરસ્પર વીરોધી બાબતો અહીં એ છે કે ‘જીવને ફરી જન્મ લેવા માટે બે હોસ્ટમાં દાખલ (?) થવું પડે,  એક નર અને બીજું નારી/માદા. નરમાં શુક્રાણુ બનીને અને માદામાં ઈંડું બનીને. હવે આત્મા તો અવીભાજીત છે તો એ આ બે ઘરનો પરોણો કેવી રીતે બની શકે ? અને જો એવું બને તો આત્મા અવીભાજીત છે એ ખોટું ઠરે. પરસ્પર વીરોધી બાબતો એક બીજાનો છેદ ઉડાડે છે.

ટુંકમાં, પુનર્જન્મની વાતો ગપ્પુ છે. હકીકતમાં પુનર્જન્મ જેવું કશું છે જ નહીં. મૃત્યુ વ્યક્તીગત આત્યંતીક પ્રલય છે. પાછળ કશું ‘હોવાપણું’ રહેતું નથી. સીવાય કે વીઘટીત થયેલાં તત્ત્વો, પદાર્થો અને દળ જે વીજ્ઞાનના નીયમ મુજબ કદી નાશ પામતાં નથી પણ રુપાન્તરીત થતા રહે છે.

નરસીંહ જી. પરમાર

સંપર્ક:

શ્રી નરસીંહ જી. પરમાર, 503, શંખેશ્વર એપાર્ટમેન્ટ, કાલીયાવાડી પુલ પાસે, નવસારી–396 445, સેલફોન નંબર: 98243 56766

તા. 15/08/2010ના રોજ પ્રકાશીત થયેલા સત્યાન્વેષણના અંકમાંનો આ લેખ સત્યાન્વેષણની તેમ જ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર

 રૅશનલ દ્વીમાસીક સત્યાન્વેષણ(વાર્ષીક લવાજમ માત્ર રુપીયા પચાસ) હવે વેબસાઈટ પર વાંચવા માટે ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/sataanveshan-oldissues

 

(2)

શીક્ષણમાં વૈજ્ઞાનીક અભીગમ

સાઉથ ગુજરાત કૉલેજ એન્ડ યુનીવર્સીટી ટીચર્સ અસોસીએશન, સુરત સંચાલીત ‘સુર્યકાન્ત શાહ નીવૃત્તી–પ્રવૃત્તી ભંડોળ’ના ઉપક્રમે પ્રકાશીત પુસ્તક ‘શીક્ષણમાં વૈજ્ઞાનીક અભીગમ’નો વીમોચનવીધી તાજેતરમાં જ ઉજવાઈ ગયો. ગુજરાત અને દેશમાં સાંપ્રત સમયમાં જામેલા અજ્ઞાનરુપી અંધકારના અડાબીડ જંગલમાં પ્રકાશરુપી જ્ઞાનનું એક કીરણ રેલાવવાનો આ નીર્ભય અને મરણીયો પ્રયાસ છે.

વૈજ્ઞાનીક અભીગમ એટલે માત્ર વીજ્ઞાનનું શીક્ષણ અને વૈજ્ઞાનીક સાધનોનો ઉપયોગ નહીં;  પરન્તુ વૈજ્ઞાનીક અભીગમ એટલે વૈજ્ઞાનીક માનસીકતા યા વૈજ્ઞાનીક મીજાજ. આપણાં વીચાર, વાણી, વર્તન અને વ્યવહારો પરમ્પરાગત ઢબના નહીં; પરન્તુ એ ‘કેમ અને શા માટે ?’ એવા પ્રશ્ન દ્વારા પ્રત્યુત્તરીત, સત્ય સંશોધીત હોવાં જોઈએ. જેના દ્વારા સ્વસ્થ અને ન્યાયી એવા કલ્યાણકારી સમાજનું નીર્માણ એ શીક્ષણમાં વૈજ્ઞાનીક અભીગમનું લક્ષ્ય છે.

શાળા–કૉલેજોમાં શીક્ષણ આપતા શીક્ષકોએ માત્ર વીજ્ઞાનના વીષયમાં જ નહીં, પરન્તુ ઈતીહાસ, સાહીત્ય, અર્થશાસ્ત્ર આદી તમામ વીષયોમાં પણ પ્રસંગોપાત્ત પોતાના પુર્વગ્રહો અને અંગત માન્યતાઓનો ત્યાગ કરીને અર્થાત્ તટસ્થ રહીને તેમાં વૈજ્ઞાનીક દૃષ્ટીબીન્દુએ વીવરણ કરવું જોઈએ.

ધ્રુવનો પાઠ ભણાવતી વખતે શીક્ષકે વૈજ્ઞાનીક અભીગમની દૃષ્ટીએ ઓછામાં ઓછી બે બાબતોનું વીતરણ કરવું જોઈએ. પ્રથમ એ કે ધ્રુવના પીતાને બે પત્નીઓ હતી તેથી ધ્રુવના અપમાનની ઘટના બની હતી. પ્રાચીનકાળની બહુપત્નીત્વની પ્રથા અનર્થકારી હતી. એ સમજાવવા માટે રાજા દશરથનું ઉદાહરણ પણ શીક્ષક રજુ કરી શકે. રામચંદ્રે સાવકી માતાના વચનને કારણે જ વનવાસમાં જવાનો વખત આવ્યો હતો, વગેરે…

બીજી બાબત શીક્ષકે એ સમજાવવી જોઈએ કે ઈશ્વરનાં તપ, પુજા, પ્રાર્થના આદી ક્રીયાકાંડો કરવાથી તેનું કોઈ ફળ મળતું નથી, કે તેનાથી કોઈ કાર્ય સફળ થતું નથી. કાર્યમાં સફળતા અને જીવનની સમસ્યાઓનો હલ, કેવળ સાચા અને પ્રબળ પુરુષાર્થ દ્વારા જ મળે છે. શીક્ષણનો ઉદ્દેશ માત્ર રોજી–રોટી નહીં; પરન્તુ સ્વસ્થ સમાજનું ઘડતર છે અને એ માટે શીક્ષણમાં વૈજ્ઞાનીક અભીગમ અનીવાર્ય છે.

–એન. વી. ચાવડા

(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન ચીન્તક, અને લેખક)

સંપર્ક:

શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ-394 335, જી. સુરત ફોન નંબર:  (02622)–247 088

સુરતના દૈનીક ‘ગુજરામીત્ર’ના તા.12/11/2010ના અંકમાં, ‘ચર્ચાપત્ર’ વીભાગમાં પ્રસીદ્ધ થયેલ ચર્ચાપત્ર. ‘ગુજરાતમીત્ર’ તેમ જ ચર્ચાપત્રી શ્રી. ચાવડા સાહેબના સૌજન્યથી…. સાભાર.

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405 – સરગમ કો–ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી.  સેલફોન: 99740 62600 ઈ–મેઈલ :  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 14–10–2011

 

38 Comments

  1. GREAT ! I salute both, Shri Narsinh G. Parmar and Shri N.V.Chavda.

    Thanks for the clear picture and explanations. Science has opened our eyes and taught us the facts of life. When we did not have the scientific proof, or knowledge, we were attributing our ” NO KNOWLEDGE” to God or any other SHAKTI. Science, today can even make/ generate our body organs using our body STEM CELL, in laboratories, which will ease the transplant operations. This scientific knowledge has helped us coming out of our “BLIND BELIEF” to know the truth of life and use that knowledge for further knowledge gaining. Once upon a time plant kingdom was not ‘ live’. Now we know even plants propagate like we animal kingdom members.

    Just think about a white aromatic liquid that comes out as one of the basic ingredients of crude petroleum. How scientist Kekule could find out its structure as a hexagonal (Benzene) ring with alternate double bonds and made up of Carbon & hydrogen ?Today the whole pharmaceutical as well as other chemical industries & our body’s basic chemical ingredients, based on Kekule’s structure of Benzene. Scientist gave us the structure of water, H2O and this is the base of all the functions we do in our daily life. Someone said, if science would not have questioned and said that EARTH is round, the earth still would have flat shape. Let us think scientific way and find the secrets of life. Parmar Saheb, your question is correct and let people think and find out the TRUTH. Chavda Saheb, you have helped the readers to help their near and dears to think and try to find out the truth scientifically.

    Today in the year 2011, we all are living life with ( Using ) tools or any other means or ways, which are proven scientific means. Even teaching in schools or colleges uses scientific methods and means to teach the truth which is evident by our today’s life. There are people who use all the scientific ways and means to live every moment and at the same time are living with old blind belief.

    Thanks to the scientific advancement that we are in touch with each other on this Govind Maru saheb’s Blog. Every single person is using iPod or iPhone or iPad or computer and…many of them. say…BHAGAVAN GAVE US THIS……..

    HUMAN’s DHARMA is ‘SCIENCE’ VIGNAN….KNOWLEDGE…. and NOT, Hinduism or Islam, or Christianity, or Buddhism or Jainism…LET US LIVE MANAV DHARMA……..

    Like every Dharma has its positive as well as negative sides, Science’s knowledge is being used in both the ways, +ve & -Ve. This is HUMAN NATURE.

    Thanks.

    Amrut Hazari.

    Like

  2. (૧) આત્મા અને પુનર્જન્મ

    આત્મા અને પુનર્જન્મનો વિષય અતિ ગહન છે. બુદ્ધ, જૈન અને હિંદુઓ બધાજ શાસ્રના આધારે આત્મા અને પુનર્જન્મને માને છે. મારું એવું માનવું છે કે પુનર્જન્મના કોઈ સજ્જડ પુરાવા મળતા નથી. કદાચ હોય, કદાચ ન પણ હોય એટલે અત્યારે જે જન્મ ચાલી રહ્યો છે તેને સાર્થક બનાવવો જોઈએ.

    એક પ્રશ્નોત્તરી શિબિરમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદને શ્રી ઉદયભાઈ વ્યાસે પ્રશ્ન કર્યો કે કર્મનું બંધન અને પુનર્જન્મ બાબતમાં આપનો શું અભિપ્રાય છે? જવાબમાં સ્વામીજીએ જણાવ્યું કે શાસ્ત્રોમાં તો પુનર્જન્મ ભર્યો પડ્યો છે પરંતુ મારો વ્યક્તિગત મત એવો છે કે પુનર્જન્મ નથી. હું પહેલાં મચ્છર હતો, પછી ભૂંડ થયો, પછી કુતરો થયો, હાથી થયો અને આમ ફરતાં ફરતાં મનુષ્ય થયો એ હું વ્યક્તિગત રીતે માનતો નથી.

    વધુ આગળ કહે છે કે, કર્મનો સિદ્ધાંત પણ સો ટકા સાચો નથી, એવા કેટલાયે કર્મો છે જેના ફળ મળતા નથી, એટલે તે ફળો પરલોકમાં મળે કે બીજા જન્મમાં મળે એ વાત બરાબર નથી. ફળ ક્યારે મળે કે જયારે પ્રજા, સરકાર, કાયદો વિગેરે બધું વ્યવસ્થિત હોય. અહી તો ખૂન કરીને માણસ છૂટી જાય અને ખૂન ન કર્યું હોય તે ફાંસીએ ચઢે, એ રીતે કર્મનો સિદ્ધાંત કામ કરતો નથી. કર્મનું ફળ વ્યવસ્થા હોય તો મળે અને વ્યવસ્થા ન હોય તો ન મળે.

    મારું માનવું છે કે દરેક વસ્તુને વિજ્ઞાનની રીતે મુલવવાથી પ્રશ્નો હલ કરી શકાય નહિ. આત્મા જોઈ શકાતો નથી એટલે નથી એવું કહી શકાય નહિ. શરીરની જે ચેતન શક્તિ તેજ આત્મા છે એવું કેટલાક લોકો માને છે. શાસ્ત્રમાં આત્માની વ્યાખ્યા છે પરંતુ તેની અહી lજરૂર નથી. કુદરતની આ કરામતને કોઈ પામી શકે એવું મને લાગતું નથી.

    (૨) શિક્ષણમાં વૈજ્ઞાનિક અભિગમ

    વૈજ્ઞાનિક અભિગમ દરેક બાબતમાં હોવો જોઈએ પરંતુ ઈશ્વરનાં તપ, પુજા, પ્રાર્થના આદી ક્રિયાકાંડો કરવાથી તેનું કોઈ ફળ મળતું નથી, કે તેનાથી કોઈ કાર્ય સફળ થતું નથી એ એક નાસ્તિક અભિપ્રાય છે. ગાંધીજીને જે બળ મળતું હતું તે તેની સવાર સાજની પ્રાર્થનામાંથી. છેલ્લા સો વર્ષોમાં જો કોઈ પૂર્ણ આદ્યાત્મિક પુરુષ થયા હોય તો તે મહાત્મા ગાંધીજી.

    જીવન ફક્ત પુરુષાર્થ કરવાથી સફળ નથી થતું. જીવનમાં દયા, પ્રેમ, શ્રદ્ધા, માનવતા જેવા ગુણો હોવા અત્યંત જરૂરી છે તે સ્વસ્થ સમાજનું ઘડતર કરે છે.

    Bhikhubhai Mistry
    Houston, Texas, USA

    Like

  3. namskar bhikhubhai, excellent opinion.my personal thinking is , we should not argue about PUNRJANMA etc.. only ask once soul , what is good n what is bad. when it says GOOD do that without any fear. n says BAD, never do it.

    Like

  4. કર્મના સીધ્ધાંત અંગે મારી માન્યતા જરા જુદી છે.
    જેટલુ મારૂ વાંચન રહ્યુ છે તે ઉપરથી હુ એમ માનુ છુ કે, કર્મ અને તેના ફળો પણ હોય છે અને પુર્વ જન્મ પણ…..
    તે એ રીતે કે આપણે જે કર્મ કરીએ છે તેનુ ફળ આપણને મળે જ છે અને તે ફળ મેળવવા જ આપણે ફરી ફરી ને જન્મ લેવો પડે છે. ઘણા એમ માને છે કે 10 ખરાબ કર્મો કર્યા અને સમે 10 સારા કર્મો કર્યા તો હીસાબ બરાબર એ ગણતરી જ ખોટી છે. કર્મના લેખા જોખામા આ પ્રકારે તાળો મેળવવાનુ ગણિત છે જ નહી. ત્યા એક જ સીધ્ધાંત છે કર્મ કરો અને ફળ ભોગવો.
    એટલે કે આપે જે 10 ખરાબ કર્મ કર્યા એનુ ખરાબ ફળ તો આપે ભોગવવાનુ જ છે અને સામે જે 10 સારા કર્મ કર્યા તેનુ પણ સારૂ ફળ આપે ભોગવવાનુ જ છે. અને તે માટે પુનર્જન્મ લેવો જ પડે છે. ખુની લુટારા છુટી જાય છે અને નિર્દોષો દંડાય છે તે એ રીતે કે એ કુકર્મ કરનાર ના ક્યારેક કરેલ સતકર્મનુ પોત હજી પ્રકાષે છે, એ પુરા થયે એનો સમય આવશે. તે જ રીતે નિર્દોષ તેના કયા કુકર્મનુ ફળભોગવતો હશે તે તો એ જ જાણે ( કારણ કે આપણે કુકર્મ અંધારામા છુપાઈને કરીએ છે અને સતકર્મ જાહેરમા છડે ચોક જ્યારે હોવુ જોઇએ તેનાથી ઉલટુ ) અને આ પ્રકારે જ્યારે કર્મોના સારા નરસા ફળ ભોગવતા જ તમારો સમય પુરો થઇ જાય તો એ ફળો તમારે પછીના જન્મમા અમુક રીતે ભોગવવા પડે.
    આ વિષયને વિસ્તારથી સમજવા માટે “શ્રીમદ ભગવદ ગીતા”, “શ્રી ગરૂડ પુરાણ” , શ્રી હિરાભાઇ ઠક્કર લીખીત “કર્મનો સીધ્ધાંત” અને શ્રીમતી ખુરશેદ ભાવનગરી લીખીત “The Laws of the spirit world “ પુસ્તકો ઉપયોગી રહેશે

    Komal

    http://ajvaduu.wordpress.com/

    Like

  5. બાકી બધું બરાબર છે, પણ જીવ વીગ્નાનો ઉપયોગ કરીને “આત્મા” વીશે સમજવાનો પ્રયત્ન કર​વો એ ન્યુટનના નીયમોનો ઉપયોગ કરીને ક્વોન્ટમ ભૌતીકશાસ્ત્ર સમજ​વા જેવું ગણાય​…

    Like

  6. સાબિતીની પેલે પાર પ્રતીતિનો પ્રદેશ – ડૉ.ગુણવંત શાહ

    આપણા મનમાં કો’ક વિરલ પળે આવા વિચિત્ર પ્રશ્નો ઊઠે છે :

    · ઉપરઉપરથી દેખાય તે ખરેખર વાસ્તવિક (real) હોય છે ખરું ?

    · શું આ ઘનીભૂત ખડક એ વાસ્તવિકતા (reality) છે ?

    · ભૂરા આકાશ નીચે લીલું ઘાસ ચરતી પેલી ગાય વાસ્તવિક છે ?

    · રસ્તા પર અટવાતાં વાહનો, સ્ત્રીપુરુષો અને દુકાનોમાં જામેલી ભીડ આખરે શું છે ?

    · શું વાસ્તવિક્તા દ્રવ્યતા, પદાર્થતા અને વસ્તુતા પૂરતી જ સીમિત છે ?

    · મૃત્યુ થાય ત્યારે આખરે શું મરે છે ?

    · આપણું અસ્તિત્વ એટલે શું કેવળ શરીરનું અને મનનું જ અસ્તિત્વ ?

    · શું આપણું ‘હોવું’ દેહ અને મન ઉપરાંત પણ કોઈ અન્ય બાબત પર આધારિત ખરું ? એ અન્ય બાબત કઈ ?

    અધ્યાત્મ (metaphysics)નો સંબંધ અંતિમ વાસ્તવિક્તા (ultimate reality) અંગેના ઉપરોક્ત પ્રશ્નો સાથે રહેલો છે. આવા પ્રશ્નો જ જ્યાં ન ઉઠે એવી દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. ઉપરથી દેખાય તે સૃષ્ટિની સપાટીની નીચે ખરેખર શું છે તે જાણવા માટેની જિજ્ઞાસાવાળી થોડીક વ્યક્તિઓ પણ ન હોય એવી દુનિયામાં જીવવા કરતાં તો ખડક બની જવું સારું. આ સૃષ્ટિની અંતિમ વાસ્તવિકતા અંગેની શોધ અધ્યાત્મના ક્ષેત્રમાં સદીઓથી ચાલતી રહી છે. સત્ય શું, વાસ્તવિક શું, ન્યાયી શું, મુલ્યવાન શું અને અર્થપૂર્ણ શું – એવા પ્રશ્નોની હારમાળા જાગૃત વ્યક્તિને કનડે છે. અંતિમ વાસ્તવિકતા અંગે કો’ક પ્રબુદ્ધ ચિત્તમાં જન્મેલી ઊર્ધ્વમૂલ જિજ્ઞાસાને આપણા ૠષિઓએ બ્રહ્મજિજ્ઞાસા કહી. ઉપનિષદના મંત્રો એટલે ૠષિની બ્રહ્મજિજ્ઞાસાનાં અલૌકિક ચેતના–સ્ફુલિંગો. ૠષિની બ્રહ્મજિજ્ઞાસાથી શરુ થતી આ યાત્રા એક પછી એક ઊંચે લઈ જતાં સોપાનો દ્વારા આગળ વધે છે. પ્રથમ તો બ્રહ્મજિજ્ઞાસા પ્રગટ થાય. પછી એ ક્રમશ: બ્રહ્મવિદ્યા, બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મનિષ્ઠાના શિખરો વટાવીને અંતે બ્રહ્મલીનતાની ટોચ પર લઈ જાય એમ બનતું હશે. ગીતા કહે છે તેમ : ‘બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ.’ આ અવસ્થા અશોચ્ય અને નિરીચ્છ પદ સુધી સાધકને લઈ જાય છે.

    ગણિત, વિજ્ઞાન અને ટૅકનોલોજીના વિકાસ સાથે એક અત્યંત રૂપાળો રોગ માણસને વળગે છે જેનું નામ છે : ‘સાબિતીજ્વર’ આ ત્રણે વિદ્યાક્ષેત્રો સાબિતીની સીમ વટાવીને કશું જ તારણ ન કાઢવામાં માને છે. આવો આગ્રહ સર્વથા યોગ્ય છે. માનવસંસ્કૃતિના વિકાસમાં આવા આગ્રહનો ફાળો ઓછો નથી. જો આવો આગ્રહ ન હોત તો પૃથ્વી હજી સપાટ ગણાતી હોત, સુર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એવું જ કહેવાતું હોત અને શીતળાની રસીને બદલે શીતળામાતાની કૃપા પર જ લોકો આધાર રાખતા હોત. જો સાબિતીનો આગ્રહ ન હોત તો હજી આપણે પાષાણયુગમાં જ જીવતા હોત.

    સાબિતીનો આગ્રહ રોગ ત્યારે જ બને જ્યારે કશુંક સાબિત ન થઈ શકે તે હોઈ જ ન શકે એવી હઠ પકડવામાં આવે. આ સૃષ્ટિમાં એવી તો કેટલીય બાબતો છે જે સાબિત નથી થઈ શકતી અને છતાંય ‘છે.’ સાબિતીનો આગ્રહ રોગની કક્ષાએ પહોંચે ત્યારે બે પ્રકારની જડતાનો ઉદય થાય છે :

    (૧) જે સાબિત થઈ શકે તે જ સત્ય હોઈ શકે; અને

    (૨) જે સાબિત ન થઈ શકે તે સર્વથા વાહિયાત ગણાય.

    વર્ષો પહેલાં રાજકોટમાં છેલભાઈ નામે એક ફોજદાર થઈ ગયા, એમણે પકડેલો એક ખૂની કોર્ટમાં નિર્દોષ છૂટી ગયો. પાછળથી છેલભાઈ એ માણસને મળ્યા અને પૂછ્યું : ‘‘સાચું કહેજે, તેં ખૂન કરલું કે નહીં ?’’ પેલાએ નિખાલસપણે જણાવ્યું : ‘‘સાહેબ ! મેં ખૂન કરેલું એમાં કોઈ જ શંકા નથી પરંતુ કોર્ટના ચુકાદા પછી હવે મનેય વહેમ પડે છે કે કદાચ મેં ખૂન ન પણ કર્યું હોય !’’

    વાસ્તવિકતા એ કે માણસે ખૂન કર્યું. કોર્ટમાં એ સાબિત ન થઈ શક્યું તેથી ખૂનીને નિર્દોષ છોડવામાં આવ્યો. પ્રશ્ન થાય કે : જે સાબિત ન થઈ શકે તે હકિકત, હકિકત મટી જાય ખરી ? સાબિતી સત્યની ઓશિયાળી છે; સત્ય સાબિતીનું ઓશિયાળું નથી. આમ કહેવું એમાં સાબિતીનો અનાદર નથી. સત્યના વ્યાપને બાથમાં લેવામાં સાબિતીનું કદ ક્યારેક નાનું પડે છે. બાળક માટે સીવડાવેલું પહેરણ એ મોટો થાય ત્યારે નાનું પડે છે. એવું બને ત્યારે એ પહેરણનો ઉપયોગ ન કરવો એમાં પહેરણનો અનાદર નથી.

    આ સૃષ્ટિનું સમગ્ર સત્ય સાબિતીમાં સમાઈ શકે તેમ નથી. એ તો પવનને ફુગ્ગામાં પૂરવાની ચેષ્ટા ગણાય. અત્યાર સુધીમાં વિજ્ઞાન દ્વારા જે કાંઈ સાબિત થયું છે તે તો, હજી જે બધું સાબિત થવાનું બાકી છે, તેની સરખામણીમાં સાવ અલ્પ છે. સાબિતી માટેનો આગ્રહ એ ગણિતજ્ઞ, વિજ્ઞાની અને ટૅકનોલોજિસ્ટનો સ્વધર્મ છે. સાબિતી અંગેની અક્ષમ્ય લાપરવાહીને કારણે આપણે ત્યાં અંધશ્રધ્ધા અને વહેમનાં ગંધાતા ખાબોચિયાં સર્જાયાં. ધર્મગુરૂઓએ તો આવા ખાબોચિયાંને ગંગાનો દરજ્જો આપ્યો. અભણ, અબુધ અને ભોટ પ્રજાને છેતરવામાં તથા એનું શોષણ કરવામાં ધર્મગુરૂઓ શાહુકારોને પણ આંબી ગયા.

    સાબિતીનું કાળજું તર્ક છે. આપણે જોયું કે તર્કને વેદમાં ૠષિ કહ્યો. સાબિતી તર્ક ઉપરાંત જ્ઞાનેન્દ્રિયોએ એકઠી કરેલી દ્રશ્ય–શ્રાવ્ય (audio-visual) સામગ્રી પર આધાર રાખે છે. આમ જે કશુંક તર્કાતીત કે ઈન્દ્રિયાતીત હોય તે સાબિતીની પકડમાંથી છૂટી જાય છે. કર્ણ કુંતીનો પુત્ર હતો. જો આ બાબત સાબિત ન થઈ શકે એવું બને તોય વાસ્તવિકતા બદલાતી નથી. દુનિયાની અદાલતોમાં સાબિતીનો આગ્રહ રખાય એ સર્વથા યોગ્ય છે પરંતુ ઘણીવાર ન્યાયાધિશને લાગે છે કે ગુનાનું સમગ્ર સત્ય એની પહોંચ બહાર છે. એવે વખતે ન્યાયાધિશ ખુલ્લું મન રાખે અને ગુનેગાર જણાતી વ્યક્તિને સજા ન કરે એમાં જ સત્યશોધકની નમ્રતા રહેલી છે. આમ સાબિતી માટેનો આગ્રહ ખોટો નથી પરંતુ જે વ્યાપ સાબિતીની સીમમાં પુરાઈ ન શકે તેમાં તો સાવ ખુલ્લું મન લઈને જ પગરણ માંડી શકાય.

    ૠષિ બનવાનું આપણે માટે શક્ય ન પણ હોય, તોય ખુલ્લું મન રાખવું એ તો આપણા હાથની વાત છે. અંતિમ સત્ય અંગે અશ્રધ્ધા કે અંધશ્રદ્ધા રાખવાને બદલે આપણે શ્રદ્ધાની મદદ લેવાની છે. અંધશ્રદ્ધા કેવળ ઈશ્વર પર જ હોય એવું નથી. અંધશ્રદ્ધા તો કમ્પ્યુટર પર પણ હોઈ શકે. અધ્યાત્મનો સંબંધ સાબિતીની પેલે પાર આવેલા આત્મપ્રદેશ સાથે છે. આકાશમાં ઊગેલા શરદપૂર્ણિમાના ચંદ્ર તરફ હાથ લંબાવીને આંગળી ચીંધીને ચંદ્ર બતાવવામાં આવે ત્યારે આંગળીને ટેરવે ચંદ્ર નથી હોતો. ચંદ્ર તો ખૂબ દૂર હોય છે. અંતિમ વાસ્તવિકતા સાબિતીની સરહદથી ઘણી દૂર હોય છે. જગતના મહાન વિજ્ઞાનીઓને જે મૂળે અમર્યાદ છે, તેને સમજવામાં સાબિતીની સીમા નડે તેનો ખ્યાલ વહેલો આવે છે. મહાન વિજ્ઞાનીઓની નમ્રતાનું આ જ ખરું રહસ્ય છે. તેઓ ખરેખર જાણે છે કે પોતે કશું નથી જાણતા.

    અધ્યાત્મના માર્ગે જનારાઓએ ખુલ્લા મનના સત્યશોધક તરીકે જૈન દર્શનમાં પ્રબોધેલા સ્યાદવાદ અને અનેકાંત દ્વારા પ્રજ્ઞાવાન નમ્રતા કેળવવાની છે. સત્યની ચોટલી પકડીને બહાર નથી આણવાનું; સત્યનો પગરવ સાંભળી શકાય તે માટે કાન સરવા કરવાના છે. રુડોલ્ફ કાર્નેપ કહે છે : “Metaphysicians are musicians without musical talent.” અધ્યાત્મવાદીઓ તો સંગીતની નિપુણતા વગરના સંગીતકારો છે. આપણે આગળ વારંવાર ચર્ચી ગયા તેમ આ સૃષ્ટિનો કૉસ્મિક લય પામવો એ જ અધ્યાત્મ. અધ્યાત્મ માર્ગના યાત્રીઓ કૉસ્મિક સંગીતના સૂર સાંભળવા ઝંખે છે.

    ઉપનિષદોમાં અંતિમ વાસ્તવિકતાનો સંકેત એટલે આત્મા. સ્થૂળતા ખરી પડે. સૂક્ષ્મતા વધતી રહે અને જ્યારે શૂન્યતાની લગોલગ પહોંચી જાય ત્યારે જે વાસ્તવિકતા બચે તે ચેતનાબિંદુને આપણા ૠષિઓએ ‘આત્મા’ તરીકે ઓળખાવ્યું. આ બે મંત્રોમાં ૠષિ આપણને સાબિતીની પેલે પાર આત્મપ્રદેશની મનોયાત્રાએ લઈ જાય છે, કહે છે :

    જે સર્વ જીવોને

    આત્મામાં જ નિહાળે

    અને

    સર્વ જીવોમાં આત્મા જ ભાળે

    તે કોઈને ધીક્કારતો નથી

    ***********************

    જ્યાં સર્વ જીવો આત્મરૂપ બની ગયા

    ત્યાં વળી શોક કેવો અને મોહ કેવો ?

    બધું જ એકરૂપ બની ગયું !

    ************************

    આત્માની સંકલ્પનાની વિસ્તૃત સમીક્ષા ઉપનિષદોમાં બહુ વિસ્તારથી થઈ છે. આ બે મંત્રોમાં આવી તત્વચર્ચા નથી. અહીં તો આત્મભાવ કેળવાય ત્યારે જે જાદુ થાય તેની જ વાત થઈ છે.

    · જે સીમાયુક્ત છે તેને સાબિત કરી શકાય પરંતુ જે નિ:સીમ છે તેને સાબિત શી રીતે કરવું ?

    · વિજ્ઞાન માપની પ્રતીતિ કરાવી શકે; અમાપની નહીં.

    · સ્થૂળ હોય તેને પ્રત્યક્ષ બતાવી શકાય પરંતુ જે સૂક્ષ્મ હોય તેનો દાર્શનિક પુરાવો ક્યાંથી લાવવો ? પરમની સૂક્ષ્મતા તો ઈલેક્ટ્રોન–માઈક્રોસ્કોપને પણ નથી ગાંઠતી.

    · જે શબ્દોમાં વર્ણવી શકાય તેવું હોય તેને શબ્દ દ્વારા પામી શકાય પરંતુ જે શબ્દાતીત હોય તેનું શું ?

    થોડાંક વર્ષો પર ઐક અનોખો એનસાઈક્લોપીડીયા બહાર પડ્યો જેનું મથાળું છે : “એનસાઈક્લોપીડીયા ઓફ ઈગ્નરન્સ.” આ ગ્રંથમાં જે જે બાબતો હજી વિજ્ઞાનની પકડમાં નથી આવી તે બાબતો પરનાં લખાણો છે. જેમ જેમ સમજ પડતી જશે એમ આ ગ્રંથના પ્રકરણો ઘટતાં જશે અને છેવટે ગ્રંથનું અસ્તિત્વ મટી જશે. પરિચયનો ટાપુ અપરિચયના સાગર વડે ઘેરાયેલો છે. બધું સાબિત નથી થઈ શકતું. જે સાબિત નથી થઈ શકતું તેનો આંધળો સ્વીકાર ન હોય તે જ રીતે આંધળો અસ્વીકાર પણ ન હોય. પરમ સત્યનો પગરવ સાંભળવા માટે કાન સરવા રાખીને પ્રાર્થનામય ચિત્તે પ્રતીક્ષા કરવી એ જ ખરી વાસ્તવીકતા છે. આ પ્રતીક્ષા અપ્રમાદ વગર ફળતી નથી. એ તપશ્ચર્યા અને તિતિક્ષા માંગે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેન કહેતા તેમ, ‘જેઓ ગરમી સહન ન કરી શકે તેમણે રસોડામાં જવાનું ટાળવું જોઈએ.’

    લેખકના પુસ્તક ‘અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ’માંથી સાભાર

    Like

    1. Dear Vijaybhai;
      Love.
      For the first time I read something rational on this blog. I do not rate the people, who do not have an open mind and readiness to learn from the conversation and discussion here. Happy to read your views and openness.
      His Blessings.
      Sharad

      Like

      1. Dear Vijaybhai;
        Love.
        For the first time I read something rational on this blog. I do not rate the people rational, who do not have an open mind and readiness to learn from the conversation and discussion here. Happy to read your views and openness.
        His Blessings.
        Sharad
        (NB: Corrected One)

        Like

  7. Mehul
    Thanks. Very appropriate example. Not Newton’s law of gravity. Yes ! But scientists use Einstien’s theory ( E=MC2 ) and trying to find many many secret”GAHAN” knowledge in the study of QUANTUM MECHANICS. At the same time there is a new finding in the scientific research. And it is a continuous process.The findings are tested and proof / truth of the findings is obtained by experimenting. ( Karma no sidhhant is a theory and there is no proof for it. It is said and believed. It is a good lesson for being a good human. Its preachings when put in daily practice one can be a good human. Let devce or design experiments to prove the presence of Atma and reincarnation. As Swami Sachhidanand expressed, I would like to know if, reincarnation is happening, today I am a Hindu…will in next birth I will be a muslim ? or Christian ? or Jain or ???????????OR Animal of a plant of a ROSE ?

    Thanks.

    Amrut Hazari.

    Like

  8. Friends,
    Let me quote the very famus shloka by Pujya Rushi Muni Charvak…….

    It says…(Meaning) When we have this life and we are in this world…Enjoy…If needed to make debt , do it and enjoy GHEE, ( ghee pio), because who knows or who has the proof that there is reincarnation….PUNARJANMA…PUNARJANMA KUTEH ?…….

    We had philosophers whom our generations have been following…Rushi Charvak was one of them and he too had students…..

    Let us churn the philosophy and find some butter…..

    Amrut Hazari.

    Like

  9. Karmano sidhdhant is relly working than how dose it justify for…………

    1. Idi Amin,Hitler,Sadam Hussein as well war mongers very many cruel rulers who killed innocent millions.
    2.Butchers who killed thousands of innocent birds and animals in his life.
    3. Exterminator who kills unaccounted trillions and trillions of innocent insects and bugs.

    Hindu faith belives that all soul must passed through 184,000 avtars before salvation than above all and very many others have no chance for salvation? ?

    Kindly someone share some SOLID and convincing proof no BS please.

    Like

  10. I agree with KOMAL read the book once its available well, you will get solid proof of the result of KARMA from KARMANO sidhhant…………….

    Further i also would like to add to go through the detailed discussion by Sister Shivani of Brhmakumari & see her cassettes you will find proof

    Now those who actually just want to argue & don’t want to believe they will not believe even though 10000…. proofs they will see but when they will personally feel the actual experience by life they will not only learn but teach others & transform them a lot……….

    One fine day you will experience from your own life when you will get returns of your GOOD/ BAD karma you will not only realize but will get amazed by knowing ….where you stand, what you gain, what you are……….. apart from that the way of thinking in our own life changes when you will understand the truth behind the KARMA

    Krishna says GOD never helps but its your KARMA who gave u this life & other things happening in your own life when you will start thinking coz of any GOOD/ BAD is you only & your thoughts only you will experience a different world.

    Lastly to deliberate you will get thousand of points but unless you experience you will never …………………………

    KOMAL I felt good you read that book & commuted by your post kaink vanchvu & ene jivnama utarvu alag alag che but tame vanchine jivanma utarvani koshish kari che saru lagyu……….. go ahead & pl also read books of SISTER SHIVANI of BRahma KUMARI or hear her cassettes you will feel better or you can watch show on TV ASTHA Channel – evening 7.10 to 7.40 & 10.00-10.30 pm at night GOD Bless you, oNce you change you can change thaughts of others

    Tipe Tipe sarovar bharay One fine day we will say many people has changed their thoughts & we can see new transformed people around us great ……

    Like

  11. “આત્મા” શું છે? ખરેખર આ વિષય ઘણોજ ગહાન છે. સાદી ભાષામાં આ પ્રમાણે સમજી શકાય:

    આપણા શરીરને આપણે અડીયે એટલે આપણે પોતાને અડીયે છીએ. અપણું શરીર એક ભૌતિક વસ્તુ છે. આપણે જે વિચારીએ છીએ તથા આપણી લાગણીઓ પ્રદીશિત કરીએ છીએ, તે ભૌતિક નથી. તેનેજ “આત્મા” કહી શકાય. માનવી ને જોઈ શકાય છે, પરંતુ તેની લાગણીઓ ને નથી જોઈ શકાતી, અને તેને જ આત્મા કહી શકાય.

    માનવી જ્યારે મરી જાય છે, ત્યારે તેનું શરીર તો સામેજ હોય છે, પરંતુ તેની સર્વે શક્તિઓ – વિચારવાની તથા લાગણીઓ પ્રદીશિત કરવાની – તેના મરી ગયા પછી ક્યાં ગઈ, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું, અને તેનું જ નામ “આત્મા” કહી શકાય.

    રહ્યો પ્રષ્ન “પુર્ન-જન્મ”નો, તો તેને ભૌતિક રીતે ન સમજી શકાય, પરંતુ ધર્મશાસ્ત્રો થકી સમજી શકાય, જો ભગવાનમાં વિશ્વાસ હોય તો.

    કાસીમ અબ્બાસ

    સમજી શકાય, જો ભગવાનમાં વિશ્વાસ હોય તો.

    કાસીમ અબ્બાસ

    Like

  12. A question or a problem is solved by scientist through the following steps. He or She who follows these steps to understand the problem/question, irrespective of the educational background, ( even having no educational/ School or College degree) is a scientist. A methodical approach is the scientific way to study a problem. Scientist do not believe whatever someone has said or opined. They experiment themselves and convince own self to believe with the result he/she has found. They inform society of their findings.
    (1) Read whatever literature is available on that particular subject. Try to understand what ever has been said using your own understanding, logic and judgement of the subject using the literature already published. Those who have studied and opined had their own and different from each other,opinions. This creates confusion and confused people follow the advocate blindly. Use logic and knowledge to avoid confusion.
    (2) Do not believe what ever has been said. Use that literature to build your own opinion as a base for your study. If a opinion has been said by a very famous saint or a philosopher, in whom you believe, than also you are to study whatever has been so far said and written by very many thinkers. Do not become a blind follower. You have to have your own opinion.
    (3) Knowledge is always progressive and updated. You also can add to the so far researched publication. This new knowledge that you are adding is a helping material for further research.
    (4) ATMA and PUNARJANMA are the subjects which are being studied by saints and philosophers since centuries and YUGAS, but even today it is a QUESTION….
    (5) I would plan my experiments studying my family members including my own life. For this study I would use the knowledge that has been published or said by the great thinkers or researchers so far. I would use logic and see that whether what has been said is only theory or has been the results of experiments. Muni & philosopher Charvak was one of those scientist saints who found what ever has been postulated was theory. He did not follow these theories but studied reality of the life that every living body is living( Animal & Plant kingdom members). Now,regarding Janma and Maran., What was before Janma ? and what is there after Maran ? NO CLUE.

    Thanks.

    Amrut Hazari.

    Like

  13. ==

    આત્મા, પરમાત્મા, પુર્વ જન્મ, પુનઃજન્મ, કર્મ જેવું કંઈક હોત તો તે બધા ધર્મમાં હોવું જોઈએ. ફક્ત હીન્દુઓ કે એના પેટ વીભાગો જ આ અત્મા અને કર્મનો ઉલ્લેખ છે. આ આત્મા અને કર્મને કારણે ભારતમાં જાતી પ્રથાને ઉત્તેજન મળ્યું. જેમકે મહાવીરનો જન્મ તો ક્ષત્રીયમાં જ થવો જોઇએ. ઈતીહાસ તપાસતા ખબર પડશે કે જૈનોને મહાવીરના આગળના ૨૭ ભવો ખબર છે પણ એની માતા કોણ હતી તે ખબર નથી જેનાથી શંકા જાય છે એ તરછોડાયેલ કે કોઈ વેશ્યાનો પુત્ર હતો. મહાવીર પછી ૨૦૦ વર્ષમાં અનુયાયીઓને અકડામણ થઈ અને ગપગોળા ઉમેરી દીધા.

    કર્મનો સીંધ્ધાંત ભારતમાં જેટલી હીન્દુઓની જાતીઓ છે એમાં બધાને અલગ અલગ લાગે છે.

    जैन दर्शन के नव तत्त्व मेंसे साभार

    अन्य दर्शनों की मान्यताएं।

    सांख्य, योग और वेदान्त दर्शन आत्मा को स्थायी, अनादि, अनन्त, अविकारी, नित्य, निष्क्रिय कूटस्थ और नित्य मानते है। परन्तु उसे परिवर्तनीय नहीं मानते। षड्दर्शनसमुच्चय में कहा गया है कि सुख, दु:ख और ज्ञान आत्मा के धर्म नहीं, प्रकृति के धर्म है। सांख्य आत्मा को कर्ता नहीं मानता केवल भोक्ता मानता है। सांख्य आगम में कहा गया है, “अस्ति पुरुषोकर्ता निर्गुणो भोक्ता चिद्रूपः” (गणधरवअद, पृ ६)।

    नैयायिक और वैशेषिक मानते है कि आत्मा नित्य है और सर्वव्यापी है। उनके अनुसार प्रत्येक कार्य के लिए जीव स्वयं जिम्मेदार है। वे ज्ञान आदि को आत्मा का गुण मानते है।

    मीमांसा दर्शन मानता है आत्मा एक है परन्तु देहादि की विविधता के कारण वह पानी में पडे चन्द्रप्रतिबिम्ब के समान अनेक रुपों में दिखाई देती है।

    बौद्ध दर्शन के अनुसार आत्मा एकान्त क्षणिक है उसमें जीव का स्वभाव नहीं बताया गया है। कारण यह है कि दु:ख मुक्ति उदेश्य होने से जीव का स्वभाव जानने की आवश्यकता नहीं है। जीव किसी भी वस्तु के एक भाग में नहीं वरन् प्रत्येक भाग में है। उदाहरणार्थ रथ के प्रत्येक भाग में रथ है और रथ की कल्पना भी है। इस प्रकार बौद्ध धर्म अनात्मवद को मानता है।

    ऋग्वेद और अथर्ववेद में कहा गया है कि मृत्यु के उपरान्त जीव अपने पूर्वजों के पास जाकर पूर्णत्व प्राप्त होने तक रहता है।

    बृहदारण्यक उपनिषद् में अनेकजीववाद का विरोध है। कठोपनिषद् के अनुसार जीव चिरन्तन है और शरीर से स्वतन्त्र है। एक जन्म से दुसरे जन्म तक जाने का कारण अविद्या है। गौडपादाचार्य कहते है कि जीव एक है उसका जन्म या मरण नहीं होता। उपनिषद् के ऋषियों के अनुसार आत्मा ही दर्शनीय, श्रवणीय, मननीय और ध्यान करने योग्य है।

    स्मृतिकार आचार्य मनु कहते हैं कि सब ज्ञानों मे आत्मज्ञान ही श्रेष्ठ है। सब विद्याओं में वही पराविद्या है। उसी के कारण मानव को अमृत अर्थात् मोक्ष की प्राप्ति होती है।

    http://vkvora2001.blogspot.com/2009/10/blog-post_22.html

    Like

  14. Who said what ?
    Whatever has been said is all theory / Belief./ Philosophical thinking. ( LIFE Philosophy, 5000,years ago / 3000 years ago / 500 years ago/ 250 years ago was different than it is today.)
    No practical experience. No proof for actual reincarnation, since 5000 years.
    I want to try experimenting myself. Is there any way or route someone has suggested? or described? I would study that and try to follow the instruction to get reincarnation.
    I am in need of a guide or Guru who can show me the way…He may join me, I will be obliged.
    The society will be obliged.
    One thing is clear that I do not know anything about my previous life OR the life before this that i am living today. Only possibility is that i can work on the project…LIFE AFTER THIS..NEXT LIFE….

    Please help me and the society at large.

    Amrut Hazari.

    Like

  15. પૃથ્વી ઉપર જડ અને ચેતન બંને છે. પ્રાણી કે વનસ્પતિ નો જન્મ થાય છે. વિકાસ થાય છે. તેને ભૂખ લાગે છે. સારી નરસી લાગણી થાય છે. તે પ્રજનન કરે છે. અંતે મૃત્યુ પામે છે. વળી તે માં અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ નો સમન્વય છે. જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી તે જીવિત છે. ચેતના એજ આત્મા. માણસ મૃત્યુ પામે પછીજ એન શરીરનો નાશ થવાની શરૂઆત થાય. જીવતા માણસનું શરીર નાશ ન પામે. તેજ રીતે જડ વસ્તુનો નથી વિકાસ થતો કે નથી એકાએક નાશ થતો. તેને કોઈ લાગણી નથી. એટલે આત્મા નથી એમ કહી દેવું ખોટું છે.
    આપણને દેખાય છે કે પૃથીવીની ફરતે સૂર્ય, ચંદ્ર અને તારા ફરે છે. ગેલેલીઓએ શોધ્ય ત્યાં સુધી એ સાચુજ લાગતું હતું. તમે ક્યારેય પૃથ્વીને ફરતી અનુભવી શકતા નથી. તેજ રીતે આત્માને પણ જોઈ શકતો નથી. જો આત્મા ન હોત તો જડ અને ચેતન વચ્ચે કોઈ ભેદ જ ન હોત. રેશનાલીસ્ટ હોવું એ એક બાબત છે પરંતુ પુરેપુરા જ્ઞાન વિના કોઈનો પણ વિરોધ કરવો એ બરાબર નથી.
    તમામ માણસનું લોહી સરખુજ છે. પરંતુ વિજ્ઞાને તેના એ, બી, ઓબી,ઓ સાથે પોઝીટીવ અને નેગેટીવ એવા વિભાગો પાડ્યા.તેમ એક દિવસ આત્મા ની પણ ચોક્કસ વ્યાખ્યા આપી શકાશે. આથી આત્મ જેવું કશુજ નથી એવો ઉતાવળીઓ નિર્ણય લઇ લેવાની જરૂર નથી. જરૂર છે આ અંગે વ્યવસ્થિત વૈજ્ઞાનિક રિસર્ચની, ઢોંગી બાબા અને કહેવાતા પાખંડી સંતો ના સંગ થી દુર રહેવાની અને ખુદ પોતાને સમજવાની.

    Like

  16. નરસીંહ જી. પરમારે શરુ કરેલી ચર્ચા પ્રથમ પગથીયે જ ખોટી છે. ગર્ભધાનમાં બે કોષોનું(cells),મિલન થાય છે, વિભાજહન નહી.કોષોમાં આત્મા હોતો નથી એટકે કે અહીં આત્માનો સવાલ ઉભો કરવો એ ગેરસમજ છે. કારણ કે જ્યારે મ્રુત્યુ થાય ચે ત્યારે આત્મા શરીર છોડી જાય છે પણ શરીરના કોષોમાં ચયાપચનની ક્રિયા હજુ ચાલતી હોય છે અને તે વિભાજન પણ પામતા હોય છે. આ ક્રિયા થોડા સમય પછી બંધ થય જાય છે.અવયવો ત્રાન્સપ્લાન્ટ થાય છે ત્યારે આત્માનું ત્રાન્સપ્લાન્ટ થતું નથી.
    શરીરમાં આત્માની નિગહબાની નીચે કોષો કામ કરે છે.તેના વિભાજન તો કરોડોની
    સંખ્યામાં થતા હોય છે, તે આત્મા વિભાજન નથી.
    આત્મા અને પરમાત્માનું મિલન (જિવ અને શીવનું) એતો એક અદ્ગભુત પ્રસંગ છે… નિર્વાણ!
    વિચાર વિનિમય માટે ચર્ચા કરવી જરુરી છે,
    વાંચો, વિચારો અને લખો…વિવેક બુધ્ધિ સાથે!

    Like

  17. આત્મા અને પુનર્જન્મ ગહન વિષય છે.
    મારુ ધાર્મિક વાંચન વધુ નથી પણ હમેશા થોડા પ્રશ્ન મનમાં જરૂર ઉદભવે છે.
    આત્મા એટલે છું ? આત્મા કોને કહેવાય ? મુત્યુ પછી આત્માનું શુ ? આત્મા અમર છે તો ફરી વખત જન્મ ક્યા અને ક્યા સિદ્ધાંતો ના આધારે જન્મ લે છે ? કર્મનું ફળ મળે છે તો ખૂન કરના દરેક વ્યક્તિને સરખુ જ ફળ મળે છે ? ચોરી કરના દરેક ચોરને કર્મ ફળ મળે છે?

    Like

  18. મૂળ વિષયથી ગાડી કર્મના પાટા ઉપર ચઢી ગઈ, તો જરા વધુ લખવાની ઈચ્છા થઇ. કર્મના બંધન અને તેનું ફળ એ એક પ્રકારની માન્યતા છે અને તે અમુક અંશે સાચી છે. એકે એક કર્મનું ફળ અવશ્ય મળેજ છે એવું શક્ય હોય તેવું લાગતું નથી. ધારોકે તમને થોડા મચ્છરો કરડી ગયા તો બીજા જન્મમાં તમે મચ્છર થઇ, માણસ બનેલા મચ્છરને કરડશો? તેજ પ્રમાણે હડકાયું કુતરું જો કરડે તો બીજા જનમમાં તમે હડકાયું કુતરું બની માણસ બનેલા કુતરાને કરડવા જશો?

    શ્રી હીરાલાલ ઠક્કરની બુક મેં પણ બે-ત્રણ વાર વાચી છે અને તેની કેસેટો પણ સાંભળી છે. કર્મના સિદ્ધાંતોની પણ અમુક મર્યાદાઓ છે. બીજા જનમની વાતો જવા દઈએ પરંતુ આજ જનમમાં કદાચ તમે કોઈને આર્થિક, માનસિક કે શારીરિક રીતે નુકશાન કરો તો એજ જનમમાં તેનો બદલો કદાચ મળે. આવા અનુભવો અપવાદ રૂપ કોઈ કોઈ વ્યક્તિને ન પણ થાય એવું મારું માનવું છે.

    “શ્રી ગરૂડ પુરાણ” કોઈએ વાંચવું નહિ એમાં કર્મના ફળની એટલી બધી ભયંકરતા બતાવી છે કે તમારી ઊંઘ હરામ થઇ જશે.

    હવે આત્મા અને પુનર્જન્મની બાબતમાં જણાવવાનું કે, રેશનાલીષ્ટોને એવું માને છે કે જે વસ્તુ દેખાય તેજ સત્ય છે. દુનિયામાં ઘણી વસ્તુઓ દેખાતી નથી. હવા, અવાજ, ગુરુત્વાકર્ષણ, લાગણીઓ વિગેરે દેખાતી નથી પરંતુ તેનો અનુભવ થાય છે તેજ પ્રમાણે આત્મા દેખાતો નથી પરંતુ શરીર હલન-ચલન કરે છે તેથી ખબર પડે કે તે શરીરમાં આત્મા છે. ભગવાન બુદ્ધ અને મહાવીર આત્મવાદી હતા. ઈશ્વરવાદી ન હતા એવું મારું માનવું છે.

    ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય, શિક્ષણમાં હવે ધર્મ અંગેની આખ્યાયિકાતો કહેવામાં આવતી નથી. પરંતુ હું માનું છું કે કથાઓ દ્વારા શાસ્ત્રનો મર્મ સમજાવવામાં આવ્યો છે. શ્રવણ અને તેના માં-બાપને આખા દેશની કાવડમાં બેસાડીને માઇલો સુધી ચાલી યાત્રા કરાવવી એ અશક્ય છે. પરંતુ તેમાં “मातृ देवो भव, पितृ देवो भव” સિદ્ધાંત છુપાયેલો છે.

    શાસ્ત્રનું ધ્યેય આખી પ્રજાને પકડવાનું છે. જ્યાં સુધી સમગ્ર પ્રજા અને સમાજ પકડાય નહિ ત્યાં સુધી એ સુરક્ષિત નથી હોતો અને બળવાન પણ નથી હોતો. હિંદુઓનું મૂળ શાસ્ત્ર વેદ એટલે હાથ, તે સમાજને સીધો પકડી નથી શકતો એટલે તે પાંચ આગળાથી સમાજને પકડે છે. આ પાંચ આગળા તે ઉપનિષદ, મહાભારત, શ્રી મદ ભાગવત, ગીતા અને રામાયણ. આ શાસ્ત્રોમાં બતાવેલી ઘટનાઓ ઐતિહાસિક નથી પરંતુ આખ્યાયિકાઓ છે એમ સમજવાથી શાસ્ત્રના ભેદો ખુલશે. (Swami Sachchidanandji – Dantali)

    જે ભાઈઓએ અગ્રેજીમાં પ્રતિભાવ આપ્યો છે તેમને જણાવવાનુંકે જો પ્રયત્ન કરશો તો ગુજરાતીમાં લખવું બહુ સહેલું છે જેથી તેનો લાભ ઘણા લોકોને મળી શકે. નીચે જે લીંક આપી છે તે ક્લિક કરો અને લખવાનું ચાલુ. હિન્દી, ઉર્દુ, સંસ્કૃત વિગેરે લીપીઓમાં પણ લખી શકાશે.

    http://www.google.com/transliterate/gujarati

    Bhikhubhai Mistry
    Houston, Texas, USA
    Phone: 281 879 0545

    Like

  19. મીત્રો, જડમાંથી ચેતન સહેલાઈથી ઉત્પન્ન થયેલ છે. ૧૨ થી ૧૫ અબજ વર્ષ પહેલાં એ વીધી શરુ થઈ. સુર્યમાંથી પૃથ્વી પછી બની. પછી તો અગન જ્વાળાઓ શાંત થઈ પાણી થયું અને અટપટી રાસાયણીક ક્રીયા થઈ. જડમાંથી ચેતન થયું.

    બે લાઈનની વીધીને ભારતના ઋષી મુનીઓએ ગોળ ગોળ વાતો કરી મુંઝવી નાખ્યા. ડફોળ દરીયા કીનારે ગયા હોત તો ખબર પડી ગઈ હોત કે સામેથી આવતું વહાણ આસ્તે આસ્તે દેખાય છે મતલબ પૃથ્વી ગોળ છે.

    અને નરક સ્વર્ગ મોક્ષની રચના કરી નાખી. ભારતમાં ૩૦૦૦ વર્ષમાં ૩૦૦૦થી વધારે જાતીઓની રચના થઈ ગયી.

    Like

  20. શ્રી વી. કે. વોરા ભાઈએ વિવેક વગર ઋષિ-મુનીઓ માટે જરા વધુ પડતુજ લખી નાખ્યું. લોકો પોતાનો અભિપ્રાય આપતા અટકી ગયા, પરંતુ મને એવું થયું કે મારે આ બાબતમાં થોડું લખવું જોઈએ.

    ઋષિઓએ એક બ્રહ્મની વાત પરજ વધારે ભાર મૂક્યો છે. તેઓ સુધારાવાદી હતા અને તેમના સમયમાં તમારો મત રાખવાની છૂટ હતી એટલેજ “ચારવાક” જેવા
    રેશનાલીસ્ટોનું અસ્તિત્વ હતું. તેમણે પણ આપણા સમાજમાં બૃહ્શ્પતિનું સ્થાન આપવામાં આવ્યું. આપ જે છૂટથી લખો છો, બોલો છો અને વર્તન કરો છો એ આપણા ઋષિઓનોજ પ્રતાપ છે. આશરે પોણા બસો વર્ષો પહેલાં એક ઋષિ થઇ ગયા તેનું નામ છે મહર્ષિ દયાનંદ સરસ્વતી. ગાંધીજીને ઘણા કાર્યકરો તેમને સ્થાપેલી DAV કોલેજોમાંથી મળ્યા હતા અને જો આવા ઋષિઓ, ગાંધીજી, સરદાર પટેલ વિગેરે વ્યક્તિત્વો થયા ન હોત તો, દેશમાં ઇસ્લામજ આવવાનો હતો અને તેવા સંજોગોમાં બધાને ધર્મ વિરુદ્ધ કે પયગંબર વિરુદ્ધ લખવાની, બોલવાની કે વર્તન કરવાની છૂટ રહી ન હોત. એવું કહેવાય છે કે જો દયાનંદ સરસ્વતી ન થયા હોત તો પાકિસ્તાનની ભૌગોલિક રેખા દિલ્હી સુધી ખેંચવાની હતી. ગાંધીજીની અસહકાર અને અહિંસાની લડત સામે અંગ્રેજો પણ એટલાજ સારા હતા કે તેમણે નમતું જોખ્યું. જર્મન, ફિરંગી કે મુસ્લિમ સુલતાનોને ગાંધીજી નમાવી શક્ય ન હોત. જો આપને ખબર હોય તો દીવ, દમન અને ગોવામાંથી ફીરન્ગીઓને હાંકી કાઢવા તથા જુનાગઢ અને નિઝામ માટે લશ્કરની જરૂર પડી હતી. ગાંધીજીને અગ્રેજો સામે લડવાનું બળ શ્રી મદ ભગવત ગીતામાંથી મળ્યું હતું.

    ૧૨ થી ૧૫ હાજર વર્ષો પહેલાં જે થયું હોય તે, પરંતુ આ મનુષ્ય જાતને કોઈ એવું માધ્યમ જોઈએ કે તે સંસ્કૃતિ અને સમાજની રચના કરી શકે. કોઈ પણ દેશ તેની સંસ્કૃતિ વિના ટકી શકે નહિ. એ સંસ્કૃતિની રચનામાં ધર્મનો ઘણો મોટો ફાળો હોય છે. અમે ઈશ્વરવાદીઓ એવું માનીએ છીએ કે આ પૃથ્વી પર એવી વ્યવસ્થા છે કે તેથી આ દુનિયા ચાલી રહી છે અને જો વ્યવસ્થા છે તો તેનો વ્યવસ્થાપક પણ છે. આ અમારી દ્રઢ શ્રદ્ધા છે કે જેવી રીતે રેશનાલીસ્ટોને ડો. કૌર કે કૃષ્ણમૂર્તિ પર પોતાની માન્યતાની શ્રદ્ધા છે. હિંદુ ધર્મમાં કબીર, નાનક જેવા અસંખ્યો સંતો થયા તેમણે અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો છે પરંતુ તમે રેશનાલીસ્ટો અંધશ્રદ્ધા સાથે શ્રદ્ધાનો પણ વિરોધ કરી રહ્યા છો. કદાચ વકીલ નાસ્તિક હોઈ શકે પરંતુ ડોકટરોને તો આ શરીરની રચનામાં, વ્યવસ્થામાં ભગવાનાજ ભગવાન દેખાય છે. આસ્તિકતા છે તોજ નાસ્તિકતા છે.

    બુદ્ધ અને મહાવીર પછી જે શ્રવણકાળ શરુ થયો પછી સધુઓજ સાધુઓ આખા દેશમાં પરિભ્રમણ કરવા લાગ્યા. તેમણે મોક્ષ મેળવવા કે નિર્વાણ માટે લોકો પાસેથી કંચન-કામિનીનો ત્યાગ કરાવ્યો એટલે લોકો પાસેથી પુરુષાર્થ છોડાવ્યો અને ગૃહત્યાગ કરાવડાવ્યો આનાથી દેશને પારાવાર નુકશાન થયું અને હજુ પણ (તેની અસરથી મુક્ત થયા નથી એટલે) થઇ રહ્યું છે

    હવે જ્યારે આત્મા નથી, પરમાત્મા નથી, ધર્મ નથી એટલેકે સંસ્કાર નથી સંસ્કૃતિ નથી, સમાજ નથી, લગ્ન વ્યવસ્થાની પણ જરૂર નથી તો રહો પશુઓની જેમ. કપડાં પહેરવાનીયે શી જરૂર? જાણીતા રેશનાલીસ્ટ આચાર્ય રજનીશ એવુજ માનતા હતાને? અસ્તુ.

    Like

    1. પ્રિય ભિખુભાઈ;
      પ્રેમ.
      આપ કહો છો, “હવે જ્યારે આત્મા નથી, પરમાત્મા નથી, ધર્મ નથી એટલેકે સંસ્કાર નથી સંસ્કૃતિ નથી, સમાજ નથી, લગ્ન વ્યવસ્થાની પણ જરૂર નથી તો રહો પશુઓની જેમ. કપડાં પહેરવાનીયે શી જરૂર? જાણીતા રેશનાલીસ્ટ આચાર્ય રજનીશ એવુજ માનતા હતાને?”
      હું રજનીશજીનો શિષ્ય છું. તમારા ઉપરોક્ત વચનોથી દુખી થઈને કે કોઈ દ્વેશ ને કારણે નહીં, પણ અહીં ઘણાબધા મિત્રોને રજનીશજી માટે ઘણી બધી ગેરધારણાઓ છે અને કઆચ કોઈની આ ગેરધારણાઓમાંથી તેમને મુક્ત કરી શકાય તે હેતુથી જ તમને અહીં લખી રહ્યો છું. રજનીશજી (ઓશો) પાસે મેં ૧૯૭૮માં સન્યાસ લીધો અથવા કહો કે તેમને મને શિષ્ય તરીકે સ્વિકારેલ. એ સમય ખુબજ કપરો હતો. રજનીશજીનુ નામ લેવું પણ અતિ કઠીન હતું તો તેમનો સન્યાસ લેવો એટલે એક દુઃસાહસ સિવાય કાંઈ નહતું. રજનીશજી એક નોટોરીયસ ગુરુ હતાં અને એક યા બીજા વિધાન કરી સમગ્ર સમાજને ખળભળાવી મુકતા. બેહોશ સમાજના લોકોને જગાડવાની તેમની રીતરસમ મારા જેવા ઘણા બધા સન્યાસીઓને માટે સમાજમાં જીવવું પણ મુશકેલી ભર્યું બનાવી દેતું.અમારે વારંવાર સગાં, મિત્રો અને સમાજના લોકોની ઘૃણા સહન કરવી પડતી. પણ આજે સમજાય છે કે એ પરીક્ષામાંથી પસાર થયા બાદ આજે એટલી ક્ષમતા આવી છે કે કોઈ ટીકાઓ, ઘૃણા કે ગાળૉ એટલી વિહવળ અમને નથી કરતી અને ભિતર કોઈ દ્વેષભાવ ૌભો નથી થતો.
      હું અહીં રજનીશજીનો કોઈ બચાવ કરવા કે તરફદારી કરવા નથી માંગતો પણ એટલું જ કહેવા માંગુ છું કે રજનીશજીના કમસેકમ ૧૦ પુસ્તકો વાંચો, તમારા રસના હોય તેવા કોઈ પણ.આત્યાર સુધી લગભગ ૬૫૦ પુસ્તકો છપાઈ ચુક્યા છે અને મોટાભાગના પુસ્તકો ઈન્ટરનેટ પર વિના મુલ્યે ઉપલબ્ધ છે. આપણે કોઈના વિષે જ્યારે કાંઈપણ ટિકાત્મક રીતે બોલીએ ત્યારે પહેલાં જે તે વ્યક્તિ વિષે કે તેના કથન વિષે પુરું સમજવાનો પ્રયત્ન કર્યા પછી જ કાંઈ કહેવું જોઈએ અને તેમાં જ બુધ્ધિમત્તા છે તે આપ સમજી શકશો.
      મેં ૧૯૭૮થી અત્યાર સુધી જે અનુભવ કર્યો છે તેમા મને જણાયું છે કે મોટાભાગના લોકો જે રજનીશજી વિષે ટિકાત્મક બોલે છે કે લખે છે તેઓએ ક્યારેય પણ તેમનું એકપણ પુસ્તક વાંચ્યું નથી હોતું, ફક્ત છાપા કે મેઝીન કે કોઈઅન્યના વકતવ્યપર જ તેમનો અભિપ્રાય આધારિત હોય છે.
      શેષ શુભ.
      પ્રભુશ્રિના આશિષ.
      શરદ

      Like

    2. ધર્મ, સંસ્કાર, સંસ્કૃતી આ બધા રુપાડા શબ્દો છે અને રાજાસાહીના જમાનામાં જ્યારે ધર્મનો રાજ્ય સાથે સબંધ હતો ત્યારે ધ.ધુ.પ.પુ.ઓએ ઉપજાવી કાઢેલ તુત કે તુતફતુર હતું.

      રાજાસાહીના જમાનામાં મારે એની તલવાર જેવી હાલત હોવાથી ડરથી લોકો ફરજીયાત ધર્મને અનુસરણ કરતા હતા અથવા એ પ્રમાણે વીધીવીધાન કરતા હતા.

      જેમ જેમ લોકસાહીનો વીકાસ થસે લોકોનું અને કાયદાનું સાસન આવતું જસે.

      ઓનરકીલીંગનો દાખલો લો. કોઈ પણ પુખ્ત વયના યુવક અને યુવતી લગન કરે એમાં ધર્મ કે ખાખ પંચાયતો વચ્ચે આવે છે અને રુપાડું ધર્મ, સંસ્કૃતીનું બહાનું આગળ લાવે છે..

      એ હવે કોર્ટો નક્કી કરે છે કે લગન કાનુની યોગ્ય છે કે નથી.

      એટલે મીત્ર ભીખુભાઈએ જે પશુની જેમ ઉલ્લેખ કરે છે એ ધર્મ આધારીત સમજવું. એમણે કપડાં બાબત જે પ્રશ્ર્ન કરેલ છે એ માટે કોર્ટો સજા આપે છે જે ભોગવવાની રહેશે.

      Like

  21. સ્નેહી શ્રી શરદભાઈ:

    આપનો પ્રતિભાવ વાંચ્યો અને તે બાબતે આપને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું.

    મેં જાણ્યું તે પ્રમાણે આચાર્ય રજનીશમાં પ્રકાંડ પાંડિત્ય હતું તેની ના નથી, તેમણે ૬૫૦ જેટલી બુકો લખી તે વાત પણ સાચી. મેં વર્ષો પહેલા એક બુક મંગાવેલી અને તેમના થોડા વાક્યો વાંચતા અને સમજતાં નાકે દમ આવ્યો હતો, એટલે પછી તે મારા મિત્રને પધરાવી દીધી. એટલે દશ બુકો વાંચવાનો કોઈ સવાલજ રહેતો નથી. હવે મારું કહેવું એ છે કે જો કોઈ ગમે તેવો મોટો પંડિત હોય પરંતુ તેનો સંદેશ આમ જનતા સુધી પહોંચતો ન હોય તો તેવા સંદેશોને શું કરવા છે? જો કોલેજ ભણેલાઓને પણ સમજ ન પડે તો સામાન્ય લોકો શું સમજી શકે?

    ભગવાન બુદ્ધે કહેલું કે તથાગતની ભાષા સરળ હોય. મેં સાભળ્યું છે કે ભગવાન મહાવીરની ભાષા પણ સરળ હતી અને તેજ પ્રમાણે ગીતાની ભાષા અને
    ગાંધીજીની ભાષા સરળ હતી. કોઈ વ્યક્તિ ગમે તેટલા પુસ્તકો લખે પરંતુ કોઈ સમજીજ ન શકે તો તેવા પુસ્તકો વાંચવાનો અર્થ શું?

    રજનીશને અમીર લોકોએ ૯૫ રોલ્સરોય ભેટ આપી, પરંતુ તેમાંથી એક પણ વેચીને કોઈ માનવતાનું કામ કર્યું હોય તેનો કોઈ નક્કર પુરાવો મળતો નથી.

    કોઈ ગમે તેવો મોટો પંડિત હોય પરંતુ દેશને કે સમાજને કોઈ રીતે કામ આવે નહિ તો તેવા લોકોનું વર્ચસ્વ સમાજમાં રહેતું નથી. કાળે કરીને લોકો ભૂલી જશે.

    આ બાબતમાં વધુ લખવાની જરૂર જણાતી નથી.

    OSHO: Making Love Is a Sacred Experience

    Like

    1. પ્રિય ભિખુભાઈ;
      પ્રેમ.
      મારી સમજ મુજબ, સત્યને સમજાવવામાં, અત્યાર સુધી થયેલા તમામ સતગુરુમા સૌથી સરળ ભાષાનો ઉપયોગ ઓશો એ(રજનીશ)કર્યો છે. પરંતુ આપને રજનીશની ભાષા પકડમાં ન આવતી હોય તો રજનીશને મારો ગોલી. એ કદાચ તમારા માટે નહી હોય. રજનીશે જે કરવાનુ હતું તે એ કરી ગયા. તમને સ્વામી સચ્ચિદાનંદની ભાષા પકડમાં આવતી હોય તો આપની સવતંત્રતા છે કે આપ તેમના બોધ વચનોને જીવનમા ઉતારો. ગંતવ્ય તરફ યાત્રા માટે મોટર ગાડી કઈ બ્રાન્ડની છે તે અગત્યનુ નથી. યાત્રા કરાવવા ગાડી સક્ષમ છે કે નહીં તે જ અગત્યનું છે.
      પ્રભુશ્રિના આશિષ.
      શરદ

      Like

  22. મીત્રો, મેં નરક, સ્વર્ગ અને મોક્ષની રચના વીષે લખ્યું છે અને ઋષી મુનીયો વીષે ડફોળ શબ્દ વાપર્યો છે. આ નરક, સ્વર્ગ, મોક્ષ, આત્મા, કર્મ, પુર્વ જન્મ કે પુનઃજન્મની માન્યતાઓ આપણાં મગજમાં બચપણથી એટલી બધી આવી ગઈ છે કે બીજું વીચારવા આપણે શકતી ગુમાવી દીધી છે.

    આ પંડીત, મહાપંડીત, આચાર્ય, ઋષી મુનીઓએ મંત્રોના નામે લોકોને એટલે હદે સુધી ગેરમાર્ગે દોર્યો કે ગેલેલીયો પછી ૨૦૦ વર્ષ સુધી પણ આપણે પૃથ્વી ગોળ દડા જેવી છે એ સ્વીકારવા તૈયાર ન હતા.

    આ દેશમાં ચાર્વાક કે ચાર્વાકવાદ થઈ ગયો એના પછી બુદ્ધ, મહાવીરના અનુયાયીઓએ પણ મહાવીર અને બુદ્ધ પછી ૨૦૦-૪૦૦ વર્ષમાં આત્મા અને કર્મની કુંડી કે ઉંડી ખાઈમાં ફસાઈ ગયા.

    ભારતમાં ગરીબાઈ, ભૃષ્ટાચાર, નારી અને દલીત અત્યાચાર એ આત્મા અને કર્મની સમજ ને કારણે થાય છે અને વીધવા પણ સમજે છે કે કર્મના કારણે વીધવા થઈ. ૧૫૫ વર્ષ અગાઉ હીન્દુઓ માટે હીન્દુ વીડોઝ રીમેરેજ એકટ, ૧૮૫૬ નામનો દુનીયાનો અજોડ કાયદો બનાવવામાં આવેલ. ભારતમાં સતીનો રીવાજ, દુધપીતીનો રીવાજ હતો એવી રીતે માન્યતા હતી કે વીધવા ફરીથી લગ્ન કરે તો મોક્ષનો અધીકાર ગુમાવી દે.

    એ વીધવા ફરીથી લગ્ન કરે તો એને મારી નાખવી એની મીલકત પચાવી પાડવી અને ફરીથી લગ્ન કરતાં બાળકો થાય તો હીન્દુઓથી અલગ કરી દેવા. આવી કેટલીએ માન્યતાઓ હીન્દુઓના મગજમાં ઘર કરીને બેઠેલી.

    સ્વતંત્ર ભારતમાં આ બધી માન્યતાઓમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. આભળછેટને બંધારણથી અને બીજા દસેક કાયદાથી દુર કરવાના બધા પ્રયત્નો થયા પણ મહીલા અત્યાચાર ઘટાડી ન શક્યા. સંસદના કાયદાથી ઘર કરેલ માન્યતાઓ દુર કરવી અઘરી છે. જાહેરમાં તમ્બાકુ પ્રદર્શન અને વપરાશ કાયદાથી મનાઈ છે એ કોઈને માનવામાં આવે? હીન્દુ માન્યાતાઓને કારણે આ જ હાલત દલીત અને મહીલાઓની છે.

    આપણે ખેતરમાં કુવાથી પાણી ઉપર લાવવા પમ્પ વાપરીએ, રેડીઓ વાપરીએ, કોલસાના ઈન્જીનથી ચાલતી રેલ્વેમાં મુસાફરી કરીએ, મોબાઈલ, કોમ્પ્યુટર, નેટ કે આઈપેડ વાપરીએ એટલે કે આધુનીક બધી ચીજો વાપરીએ પણ નારીયેળ વધેરવાનું કે કોમ્પ્યુટરને લીમ્બુ મરચા બાંધવાનું ન ભુલીએ.

    કોને ખબર, આપણે કયારે સ્વીકારીશું કે પૃથ્વી ગોળ છે, સુર્યની આસપાસ ફરે છે. કુંવારી છોકરી કે છોકરો ૧૮ વર્ષના થાય અને લગ્ન માટે બાપની આસપાસ આંટા મારે. આ બીચારો આપણો દાદો સુર્ય તો નીહારીકાની નાભી આસપાસ ચક્કર મારે છે અને અબજો વર્ષમાં હજી ૧૮ આંટા મારી નથી શક્યો. આવી કરોડો અબજો નીહારીકાઓ છે અને દરેકમાં કરોડો અબજો તારાઓ છે. પ્રોબાબીલીટી અને સ્ટેટીસ્ટીક્સની વીકીપીડીયામાંથી થોડીક પ્રારંભીક માહીતી નીચે મુંકુ છું.

    Probability is ordinarily used to describe an attitude of mind towards some proposition of whose truth we are not certain. The proposition of interest is usually of the form “Will a specific event occur?” The attitude of mind is of the form “How certain are we that the event will occur?” The certainty we adopt can be described in terms of a numerical measure and this number, between 0 and 1, we call probability. The higher the probability of an event, the more certain we are that the event will occur. Thus, probability in an applied sense is a measure of the likeliness that a (random) event will occur.

    Statistics is the study of the collection, organization, analysis, and interpretation of data. It deals with all aspects of this, including the planning of data collection in terms of the design of surveys and experiments. A statistician is someone who is particularly well versed in the ways of thinking necessary for the successful application of statistical analysis. Such people have often gained this experience through working in any of a wide number of fields. There is also a discipline called mathematical statistics that studies statistics mathematically.

    આપણે જુગાર રમીએ અને ક્યારેક ન જીતવાના હોઈએ તો પણ જીતીએ? ખીસા કાતરુને કાંઈ રોજ દલો થોડો મળે? બોલો આમા આત્મા અને કર્મનો ક્યો સીદ્ધાંત કામ લાગે?

    Like

  23. Acharya Rajnish alias Bhagvan Rajnish alias Osho Rajnish in reality was a fraud. Neither he was Acharya (Principal of any school), nor he was an enlighten person nor he was knowledgeable, He himself was less read person had no logical approach. Quote one para from any of his books, I would condemn it logically.

    Like

  24. નમસ્તે, નરસિંહ સરજી, આપે કહ્યુ કે ૧) બાકીના લાખો શુક્રાણુ પછી ઈંડામાં પ્રવેશી શકતા નથી અને દર મહીને નાશ પામે છે (એ આત્માઓ કયાં જાય છે ? રામ જાણે !). આ ફલીત થયેલું ઈંડું ગર્ભાશયમાં આવી વીકાસ પામે છે.
    અને ૨) ટુંકમાં, પુનર્જન્મની વાતો ગપ્પુ છે. હકીકતમાં પુનર્જન્મ જેવું કશું છે જ નહીં. મૃત્યુ વ્યક્તીગત આત્યંતીક પ્રલય છે. પાછળ કશું ‘હોવાપણું’ રહેતું નથી. સીવાય કે વીઘટીત થયેલાં તત્ત્વો, પદાર્થો અને દળ જે વીજ્ઞાનના નીયમ મુજબ કદી નાશ પામતાં નથી પણ રુપાન્તરીત થતા રહે છે.

    હુ કહિશ કે આપના સવાલમાં જ મને ઉત્તર જડી ગયો લાગે છે, જુઓ….

    મારા મતે શુક્રાણો કે સ્ત્રીઓના ઈંડા એ સ્વતંત્ર આત્માઓ નથી, એ તો જીવંત અંણુ જેવા બાયોલોજીકલ કેમીકલ પદાર્થો છે, એમા આત્મા નથી હોતા, આત્મા તો જ્યારે બાળકનો સંપુર્ણ વિકાસ થઈ જાય છે ત્યારે સાતમે મહિને “ખોળો ભરવાનુ” કે “શીમંત” નુ પર્વ ઉજવીએ છીએ (આ વિધીઓ પણ નરી અંધશ્રધ્ધા જ છે) ત્યારે એ બાળકમાં પરત્માત્માનો અંશ આવવાની તૈયારીઓ કરવા લાગે છે અને જ્યારે જન્મ વખતે એ બાળક ની નાળ છેદાય ને સ્વતંત્ર એંટીટી બને છે ત્યારની ઘડીએ એના શરીરમાં પરમેશ્વરનો અંશ એટલે કે આત્મા એનો અધિકાર લઈ લે છે, એવુ મારુ માનવુ છે.

    હુ આવુ એટલા માટે કહુ છુ કેમ કે બાઈબલ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે દરેક મનુષ્ય પરમપિતાનુ સંતાન છે અને એની રક્ષા કરવા માટૅ પરમપિતા એમના અંશને એટલે કે (પવિત્ર) આત્માને એ અલૌકિક રીતે બાલકમાં રોપે છે. એટલે જે શુક્રાણુઓ કે ઈંડાઓ ફલિત ના થયા તેઓ બાયોલોજીકલિ અને કેમીકલી શારીરના અન્ય નકામા રસાયણોમાં રુપાંતરીત થઈ ચુપચાપ નીક્ળી જાય છે, અને અન્ય મેટર જે અન્ય જીવ માટે ઉપયોગી બને છે. આ રીતે આપણે પુનર્જીવનને મુલવી શકીએ..!! કેમ કે આપે કહ્યુ તેમ “વીઘટીત થયેલાં તત્ત્વો, પદાર્થો અને દળ જે વીજ્ઞાનના નીયમ મુજબ કદી નાશ પામતાં નથી પણ રુપાન્તરીત થતા રહે છે.” પરમેશ્વરની ગતિ અનન્ય છે એને મારા જેવો મુરખ, અબુધ, નીર્બુધ્ધિ શી રીતે ભુલાવી શકે……

    Like

  25. સીક્ષણમાં વૈજ્ઞાનીક કે રેશનલ અભીગમ હોવો જોઈએ. પહેલાં કવીતાઓમાં હે ભગવાન, ઓ ઈશ્વર વગેરે કવીતાઓ આવતી હતી. એ હવે દુર થવા લાગી છે.

    તુલસીરામની કાલ્પનીક રામાયણ કે કથાની જેમ હવે એમ પણ જાણવા મળે છે કે સીતાતો રાવણને પ્રેમ કરતી હતી.

    કથામાં રામે સીતાને વનમાં મોકલી મહીલા અત્યાચાર કરેલ છે.

    મહાભારતની કાલ્પનીક કથામાં મહીલા અત્યાચાર બાબત હવે ઉલ્લેખ આવે છે. ગીતામાં જાત પાત વર્ણ ભેદ વીસે ઉલ્લેખ છે.

    ભરત ખંડની ગરીબાઈ અને ભૃસ્ટાચારનો સીધો સમ્બધ રામાયણ અને મહાભારતની કાલ્પનીક કથાઓ સાથે છે એ હવે રોજ જાણવા મળે છે.

    આપણે હાલની સીક્ષણ પદ્ધતી બાબત ગમે એવા ડખા કરીએ આપણા બાળકને અંગ્રેજી માધ્યમ અને દસમીમાં વધુને વધુ કેમ માર્ક્સ મળે એ માટે તનતોડ મહેનત કરીએ છીએ.

    આ સીક્ષણ પદ્ધતી હવે આપણને ફાવી ગઈ છે અને જેમના વડીલોને અંગ્રેજી …ડી.સી.બી.એ., વગેરે આવડતું ન હતું

    એમના વારસદારો આરામથી, સહેલાઈથી, ઓછા ખર્ચે અંગ્રેજી લખી વાંચી કે બોલી સકે છે. એટલેકે સીક્ષણ પદ્ધતી સ્વીકારવા લાગ્યા છે.

    લોકપાલ – પબ્લીક ચાર્ટર કે ગ્રીવીયન્સ રીડ્રેસલનો કાયદો બનતાં પ્રાથમીક શાળા કે હાઈસ્કુલોમાં પ્રાર્થનાઓ બંધ થસે. રસ્તા પર ધાર્મીક યાત્રાઓ, ઢોલ ત્રાંસાઓનો ત્રાસ બંધ થસે.

    સરકારી કચેરીઓમાં ભગવાન, ઈશ્ર્વરને લગતી પુજા અર્ચના, પ્રાર્થનાઓ, છબીઓ રાતો રાત ગાયબ થવા લાગસે.

    માહીતીના અધીકારની જેમ સામાન્ય નાગરીક પણ ચાર્ટર બાબત અધીકારીઓને પુછવા લાગસે અને અધીકારીઓને ચાર્ટર પ્રમાણે વર્તન કરવું પડસે.

    લોકસાહીનો વીકાસ થતાં આત્મા, કર્મના ભુતને ભાગવું પડસે.

    Like

  26. we are hearing the above reformations since last 62-65 years, but still we are going deeper and deepr in the world of ignorance all over the India……….. I request all to see the “3 Idiots” movie again and again………. sience/education is good for excellence but not for peace of mind and enlightenment of country………. for that God is require………..

    Like

  27. atma ni soth to gyani purush dada sri e kar ni kari nakhi che. pustako dvara nahi parantu anubhav dvara . anubava gyan sachu j hoy che………………………………….

    Like

Leave a comment