આજે સવારે છાપામાં સમાચાર વાંચ્યા. ટ્રીપ એડવાઈઝરે હાથ ધરેલ સર્વેક્ષણ કહે છે કે 20થી 30 વર્ષની વયના યુવાવર્ગમાં ધાર્મીક સ્થળોએ જવાનું ચલણ વધતું જ જાય છે. ટ્રાવેલ વેબસાઈટે જે 3800 ભારતીય પ્રવાસીઓનો ઓનલાઈન સર્વે કર્યો, એમાં 20થી 30 વર્ષની વચ્ચેના સીત્તેર ટકા યુવાનોએ કહ્યું કે વરસમાં એક વાર તેઓ ધાર્મીક સ્થળની મુલાકાત લે છે. ઓલરાઈટ. હવે છેલ્લાં બે વરસની અન્દર થયેલાં બીજાં થોડાં સર્વેક્ષણ અને તેનાં તારણો પર પણ એક નજર નાંખી લો:
- મુમ્બઈમાં બહારગામથી ફરવા કે સામાજીક પ્રસંગે હાજરી આપવા માટે આવનારામાં વધુ ને વધુ લોકો સીદ્ધીવીનાયક મન્દીરે જવાનો આગ્રહ રાખતા થઈ ગયા છે. એટલું જ નહીં, મુમ્બઈ આવે ત્યારે ‘ચાલો, શીરડી પણ જઈ આવીએ.’ એવું કહેનારાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. (બાય ધ વે, મુમ્બઈથી શીરડી 350 કી.મી. ના અંતરે છે.)
- જ્વેલરી શોપ્સમાં ગણપતી, ઓમ્ વગેરે ધાર્મીક પ્રતીક ધરાવતા દાગીનાનું વેચાણ વધ્યું છે. દેવીદેવતાઓને આર્ટીસ્ટીક રુપમાં ઉતારતા આર્ટીસ્ટ, ડીઝાઈનરોની ડીમાન્ડ વધી છે.
- અજમેર શરીફની દરગાહે દર્શન માટે જતા બીન–મુસ્લીમ (દા.ત. હીન્દુઓ)ની સંખ્યા પ્રતીવર્ષ વધી રહી છે.
- ગુજરાતના એક શહેરમાં જાણીતા કથાકાર પધારેલા, ત્યારે સ્કુલ–કૉલેજમાં રજા અપાઈ અને કીશોરો–તરુણોએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી.
- બે અઢી વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં હીંગોળગઢ અભ્યારણ્ય ગયેલી, ત્યારે ત્યાં મળેલા એક સરકારી ઉચ્ચ અધીકારીએ આંકડા આપીને કહ્યું કે જુનાગઢમાં ગીરનારની વાર્ષીક પરીક્રમાએ આવતા લોકોમાં પ્રતીવર્ષે એવો જંગી વધારો થતો ચાલ્યો છે કે ત્યાં સ્વચ્છતા અને કાયદો જાળવતાં પ્રશાસનના નાકે દમ આવી જાય છે.
આ બધા સમાચાર એકસાથે વાંચ્યા બાદ જરા વીચારીને કહેજો કે આવી જાતની ધાર્મીક ભાવના વધી છે એ જાણીને તમને ખરેખર ખુશ થવા જેવું લાગે છે ?
ભગવાનમાં શ્રદ્ધા રાખવી, ન રાખવી એ દરેકની અંગત બાબત છે; પણ દરેક દેવ કે દેવીનાં હેડ ક્વાર્ટર્સ ગણાતાં સ્થળે જઈને માથું પછાડવાની – સોરી, નમાવવાની – તાતી જરુરીયાત હવે વધુ ને વધુ લોકોને વર્તાવા લાગી છે. એની પાછળ શ્રદ્ધા કામ કરે છે કે પછી આપણી અન્દર વધતી જતી અસલામતીની ભાવના અને ડર ? અને આ ભયના માર્યા વધુ ને વધુ યુવાનો મન્દીરે જવા લાગે, એ જાણીને ખુશ થવું જોઈએ ?
લોકો ફુરસદ કાઢીને બહાર ફરવા નીકળે એ બહુ સારી વાત છે. કશ્મીરનું કુદરતી સૌન્દર્ય, કર્ણાટકનું અદ્ ભુત શીલ્પ અને સ્થાપત્યકળા… આ બધું ખરેખર માણવા જેવું છે અને કોઈ વાર વળી કોઈ જીજ્ઞાસુને એવોયે વીચાર આવે કે ફલાણા ધર્મસ્થાનક વીશે આટલું સાંભળ્યું છે તો ચાલો, એક વાર ત્યાં જઈને જોઈએ તો ખરાં ! પરન્તુ વારંવાર સીદ્ધીવીનાયક, શીરડી કે તીરુપત્તી જનારા અહીંનું કુદરતી કે માનવસર્જીત સૌન્દર્ય જોવા જાય છે કે ? નો, નો, અહીં વારંવાર ચક્કર મારનારા પાસે તો ડીમાન્ડનું મોટું લીસ્ટ હોય છે ! હે પ્રભુ, મને પરીક્ષામાં પાસ કરી દે, મારી ફીલ્મ હીટ બનાવી દે, મને નોકરીમાં પ્રમોશન અપાવી દે, મારા લગ્ન કરાવી દે…વગેરે વગેરે… આવા યુવાન માગણખોરોનાં ટોળાં ધર્મસ્થળોએ વધતાં જતાં હોય, એ જાણીને હરખાવા જેવું છે ?
આપણને આપણી જાત પર, આપણી મહેનત કરવાની શક્તીમાં ભરોસો ઘટવા લાગ્યો છે ? જુના જમાનામાં લોકો પોતાની બધી કૌટુમ્બીક, સામાજીક ફરજો, પુરી થઈ ગયાનું લાગે ત્યારે યાત્રા કરવા નીકળતા; પણ હવે કૉલેજ કે ઑફીસમાં ખાસ રજા પાડીને, દુર આવેલા તીર્થસ્થળે યુવાનો દોડી જતા હોવાનું કહેવાય છે; તો બેમાંથી કઈ પેઢીને અક્કલવાળી ગણવી ?
કહેવાતા ઍજ્યુકેટેડ, ઈન્ટેલીજન્ટ, ફેમસ યુવાન, યુવતીઓ ન્યુમરોલૉજીસ્ટની સલાહ પ્રમાણે નામના સ્પેલીંગ બદલે છે. ચોક્કસ મોબાઈલ નમ્બર મેળવવાનો આગ્રહ રાખે છે. સહી કરવાની સ્ટાઈલમાં ફેરફાર કરે છે. ફેંગશુઈ એક્સપર્ટની સલાહ લઈને ઘર અને ઑફીસમાં ફર્નીચરની ગોઠવણી કરે છે. અઠવાડીયે એકાદ–બે ઉપવાસ રાખીને, કોઈ ખાસ દેવીદેવતાનાં મન્દીરે જાય છે. આંગળીઓમાં ગ્રહના નંગ ધરાવતી વીંટીઓ પહેરે છે અને પછી કહે છે કે અમે અન્ધશ્રદ્ધાળુ નથી. વૉટ અ જોક ! તમને નથી લાગતું કે હકીકતમાં આ બધું કરવા પાછળ આત્મવીશ્વાસની કમી કામ કરી જાય છે ? આ સાંભળો ત્યારે હસીને તાળી પાડવી જોઈએ ?
દેખાદેખી પણ ઓછો ભાગ નથી ભજવતી. એક જાણીતી, સક્સેસફુલ ફૅશન ડીઝાઈનરે વાતવાતમાં કહ્યું કે ગમે તે થઈ જાય; પણ અઠવાડીયે એક વાર તો એ જુહુ પર આવેલા એક મન્દીરે જાય જ છે. એણે મને પણ સાથે આવવાનો આગ્રહ કર્યો. મેં ઝાઝો રસ ન દાખવ્યો. તો એણે ફીલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું મોટું લીસ્ટ આપીને કહ્યું કે એ બધા ત્યાં જાય છે. એટલે આપણે જવાથી જરુર ફાયદો થશે. એક બ્યુટીફુલ, પ્રૉફેશનલી સક્સેસફુલ યંગ વુમનના મોઢે આવું સાંભળીને ખુશી થવી જોઈએ ?
દર સોમવારની રાતે, મુમ્બઈમાં ઠેકઠેકાણેથી છોકરા-છોકરીઓ, પગપાળા સીદ્ધીવીનાયક જવા ઉપડે છે. એમને જોઈને વીચાર આવે કે એમની આટલી શારીરીક શક્તી, સારા સ્પોર્ટ્સપર્સન બનવામાં વપરાતી હોત તો ? પણ ના, તેન્ડુલકર બનવા માટે બૅટીંગની પ્રૅક્ટીસ કરવી પડે એને બદલે તેંડુલકર કોઈ કોઈ વાર કયા મન્દીરમાં જાય છે, એ જાણી લઈને ત્યાં પહોંચી જવામાં ઓછી મહેનત પડે ને ? ભગવાન ત્યાં આપણી માગણીઓ પુરી કરવા માટે બેઠા જ છે !
આપણને આ શું થઈ ગયું છે ? એક જુના ગીતની પંક્તી હતી: ‘અબ કીસી કો કીસી પે ભરોસા નહીં…’; પણ હવે પોપ્યુલર તીર્થસ્થાનોએ ભીડ જમાવતા યુવાવર્ગને જોઈને કહેવું પડે કે, ‘અબ કીસી કો ખુદા પે ભરોસા નહીં… !’
–વર્ષા પાઠક
‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 16 નવેમ્બર, 2011ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી લેખીકાબહેનની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકાના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રીમતી વર્ષા પાઠક, બોરીવલ્લી (ઈસ્ટ), મુમ્બઈ. ઈ–મેઈલ: viji59@msn.com
♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/
♦●♦●♦ વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 08–12–2011
વર્ષા બહેન મારા પ્રિય લેખીકા છે. તેમની આપણી વાત કોલમ વાંચવી મને ગમે છે. હંમેશા જરા હટકે લખે છે.
આજના યુવાનોને પ્રહલાદ પારેખનું કાવ્ય વંચાવવાની જરૂર છે.
http://bhajanamrutwani.wordpress.com/2010/02/22/shu-tamane-shraddha-che/
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …
LikeLike
It is a thoughtful article. It shows our eak mind and lack of self confinence in life.
THanks,
Pradeep H. Desai
USA
LikeLike
મનની મનોકામનાઓને પુરી કરવા માટે ધર્મિક સ્થળોએ જવાની ઘેલછા અને ગાંડપણ કેવળ હિંદુઓમાં જ નથી, પરંતુ દરેક ધર્મમાં છે. મહેનત કરીને કે બાહુબળ થકી કે પ્રયત્નો થકી મનોકામનાઓ પુરી કરવાને બદલે ધાર્મિક સ્થળોએ હાજરી અપવાનો “શોર્ટ કટ” અપનાવવાનું ગાંડપણ દરેક ધર્મમાં જોવા મળે છે.
અમારા મુસ્લીમ ધર્મમાં પણ એવા હજારો લેભાગુઓ ચારે તરફ ફેલાઈ ગયા છે, જે આવા અંધ્શ્રધ્ધાળુઓ ને શીશામાં ઉતારીને તેમના પરસેવાની કમાણી લુંટી લે છે.
મુસ્લીમ ધર્મશાસ્ત્રનું એક બોધવચન આ પ્રમાણે છે:
“હે શ્રધ્ધાળુઓ, ઘણા પીર (સંત) અને દરવેશ (સન્યાસી) લોકોની સંપત્તિ ખોટી રીતે ખાય જાય છે અને તેમને અલ્લાહના સત્ય માર્ગે થી ભટકાવી દે છે.”
કાસીમ અબ્બાસ
કેનેડા
કાસીમ અબ્બાસ
કેનેડા
LikeLike
કાસિમભાઈ, ઇસ્લામમાં તો નજૂમીઓ, રમલના પાસા, ગ્રહો જોવા વગેરેની મનાઈ છે! ચમત્કારની પણ મંજૂરી નથી. જ્યામ્સુધી હું જાણું છું ત્યામ્સુધી. મહમદ સાહેબને કુરેશીઓએ ચમત્કાર કરીને પોતે અલ્લાહના રસૂલ હોવાનું સાબિત કરવા કહ્યું તો આનો જવાબ કુરાનમાં એવો છે કે આ સુરજ અને ચન્દ્ર નિયમિત ઊગે-આથમે છે, એ ચમત્કાર નથી?
LikeLike
juvan chhokara ane chhokario mandire khrekhar darshan karva jay chhe ?
gana khara e bhane yogy patra shodhva athva to gharna vadilo koine malava na jasho evo agrah karta hoy to mandire malvanu nakki karine nikalta hoy chhe. aa ek “observation” ni vat chhe
LikeLike
કોઇ પણ ચિતન કરનારનું કામ પ્રશ્ન ઉભો કરવાનું છે કારણ એ સમાજનું રિફ્લેક્શન છે,પણ ખોટા સવાલ ડોળ છે ચિતક હોવાનો જે આપણા કથાકારો કરે છે, જે એલોકો સમાજ સુધારો આશયથી પૂછે છે.
કદાચ કોઇએ આવા યુવાનોના ઇન્ટર્વ્યુ કરવા જોઇ એ તો વધારે તારણો પર આવી શકાય.
LikeLike
મન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે ?
The title is misleading. Has the author observed that people who go to temple/mosque don’t work?
દર સોમવારની રાતે, મુમ્બઈમાં ઠેકઠેકાણેથી છોકરા-છોકરીઓ, પગપાળા સીદ્ધીવીનાયક જવા ઉપડે છે. એમને જોઈને વીચાર આવે કે એમની આટલી શારીરીક શક્તી, સારા સ્પોર્ટ્સપર્સન બનવામાં વપરાતી હોત તો ?
What has the author done in a constructive manner instead of writing article criticizing the others? Has author participated in any sports? If not, it is a “sufiyani” salaah.
પણ ના, તેન્ડુલકર બનવા માટે બૅટીંગની પ્રૅક્ટીસ કરવી પડે એને બદલે તેંડુલકર કોઈ કોઈ વાર કયા મન્દીરમાં જાય છે, એ જાણી લઈને ત્યાં પહોંચી જવામાં ઓછી મહેનત પડે ને ? ભગવાન ત્યાં આપણી માગણીઓ પુરી કરવા માટે બેઠા જ છે !
I suppose the author lives in a fantasy land of black and white.
Govindbhai: I suggest you to change the title of the blog to be a place for atheists & not rationalists.
LikeLike
સંસ્કારના નામે જયારે બાળકને એમ શીખવાડવામાં આવે કે,
” ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ;
ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ”
તો તેવું બાળક મોટું થઈને કામ કરવાને બદલે પોતાના ધર્મસ્થાને જ જાયને ? ઈશ્વરમાં માનવાનો ખરો ફાયદો એ છે કે કોઈ આપણે માથે કોઈ પણ જવાબદારી રહેતી નથી. વળી, આખું વર્ષ રખડી ખાધા પછી પરીક્ષા કે પરીણામના દીવસે જો ઈશ્વરના ગુણ ગાવાથી પાસ થવાતું હોય તો ક્લાસમાં બેસીને બોર થવાની શી જરૂર ? મંદીરમાં રુપીયો નાખીને મારુતી માંગવાથી કોઈને કદાચ મળી હોય તો પ્રયત્ન કરવામાં મોત તો માત્ર એક જ રુપીયાનુંને ?
કોઈને કશું કર્યા વગર બધાને બધું જોઈતું હોય છે.
વીક્રમ દલાલ (અમદાવાદ)
LikeLike
જીવનમાં અનિશ્ચિતતા વધે તો મદદની ઇચ્છા પ્રબળ બને. યુવાનોના જીવનમાં નોકરી અને આર્થિક સલામતીની બાબતમાં અસલામતી વધી છે. પહેલાં આપણા સમાજમાં બચતનું મહત્વ હતું; આજનું અર્થતંત્ર ખર્ચ પર ભાર મૂકે છે. વધારે ખર્ચ કરે એ વધારે પ્રતિષ્ઠિત. પણ વધારે ખર્ચવા માટે વધારે કમાવું પડે. આ બાબતમાં અનિશ્ચિતતા વધી છે એટલે આધાર શોધવાની જરૂર પણ વધી છે.
LikeLike
Well done Govindbhai. Andhshradhalu lokone aava chaabkha marvani khoob jarurat chhe. Salt waterma bodi ne marya hot to vadhu saaru thate.
Anand Thakkar, Kurla (W), Mumbai 400070.
LikeLike
The so called educated youths feel that by making pilgrimages to the big and famous temples in the country, their wishes will be fulfilled by the god. It is nothing but the lack of rational thinking by our so called educated youths. I am sure if they are asked about the evolution theory, 90% people will not have any idea about the theory and will show their blank faces. The greatest tragedy is that the youths with scientific background or science degree are also equally superstitious, will perform all type of irrational rituals and will try to defend their actions strongly if critized. The influence of communalist party’s rule and its continuous hold during the last decade is also responsible for diverting the thinking of many youths towards medieval thinking. The world over, people are moving towards rationalism while in India, we are moving backwards.
LikeLike
કમનસીબે મેં વર્ષાબેનને વાંચ્યા નથી.પરંતુ આ લેખમાં એમનો અજંપો વર્તાય છે. એમના લેખ પરથી લાગે છે કે વર્ષાબેન બહુ શ્રધ્ધાળં છે અને એમની આજુબાજુ જે કાંઈ બની રહ્યું છે એ એમને ખૂંચે છે.. એમના વિચારોને સલામ. ગોવિંદભાઈનેઅ પણ અભિનંદન.
LikeLike
There seems to be a mistake in the last line. It should be, ‘Ab kisi ko khud par bharossa nahin.’ For ages hundreds and thousands of people have been putting trust in God/Allah/Bhagwan/Lord. Nothing wrong in it. But depending up on only luck or Lord will not serve any purpose. Every religion has given importance to the ‘Karma’, ‘Action.’ Unfortunately people do not realise this. Those who do not work their luck too doesn’t shine. Lord’s agents are everywhere and in every community and religion. Many time they have been exposed by countless but these agents have and are brainwashing the people.
Firoz Khan
Toronto, Canada
LikeLike
ઉપરોક્ત વ્યક્ત અભિપ્રાયો ઉપરાંત રાજનૈતિક કારણ પણ હોઈ શકે?
કેશવ
LikeLike
શ્રી કેશવભાઈ,
રા્જકીય કારણો છે જ. આપણી આર્થિક નીતિઓ રાજકારણીઓ બનાવે છે. નોકરીઓમાં તીવ્ર સ્પર્ધા છે.શિક્ષણ એવું મોંઘું થતું જાય છે કે માત્ર પૈસા હોય એને જ પોસાય. બીજી બાજુ આર્થિક નીતિઓ એવી છે કે નોકરી ન મળે,અને મળે તો એ છૂટી જવાનો સતત ભય રહે.આને કારણે સ્ટ્રેસ, હાઈ બ્લડ પ્રેશર જેવી તકલીફો વધે છે. સતત ‘પરફોર્મ’ કર્યા કરવું પડે. માણસ આમાંથી છૂટવા માગે છે.એને કોઈ ખભો જોઇએ.
સરકારની નીતિઓ એવી હોવી જોઈએ કે નાગરિકની ‘નાણાકીય આવક’ને બદલે ‘વાસ્તવિક આવક’ વધે.અમર્ત્ય સેન કહે છે કે મૅડિકલ ખર્ચમાં મોટા ભગનો ખર્ચ તો જુદી જુદી ટેસ્ટનો હોય છે. સરકાર હૉસ્પિટલો ન ખોલે ્તો ભલે, પણ પૅથોલૉજિકલ લૅબ્સ તો ખોલવી જોઈએ, જ્યાં માણસ સસ્તામાં ટેસ્ટ કરાવી શકે. આવી લૅબ્સ માત્ર હૉસ્પિટલ સાથે જોડાઆયેલી શા માટે હોય? આ ખર્ચ ઘટે એ વાસ્તવિક આવક વધ્યા બરાબર છે.એક માનસને એકસો રૂપિયાનો આરોગ્ય માટે ખર્ચ થાય તેમાં સરકારી સુવુધાઓ મારફતે એને મળતી સેવાનું મૂલ્ય માત્ર ૧૮ રૂપિયા છે! સરકાર યોગ્ય નીતિ ઘડે તો કઈં નહીં તો આ ચિંતા તો દૂર થાય! આજે તો માણસને બીમારી કરતાં બીમારી પાછળના ખર્ચની ચિંતા વધારે રહે છે. એટલે શ્રદ્ધા વધવા માટે સરકારની નીતિઓ જવાબદાર હોય છે.
LikeLike
વર્ષા બહેનનો સરસ લેખ છે. એવું લાગે છે કે આ માણસજાત જ્યાં સુધી ધરતી પર રહેશે ત્યાં સુધી અંધશ્રદ્ધા રહેવાનીજ. અમેરિકા જેવા દેશમાં પણ મેજિક અને વિચ-વિદ્યા જેવું હોય છે.
ભારતમાં દેવ પાસે અપેક્ષાકૃત મંદિરમાં દોડવાનું કોઈ કાળે બંધ થશે નહિ અને વસ્તી વધારા સાથે કાયમ મંદિરે આવો ધસારો વધતોજ રહેશે. આઝાદી મળ્યા પછી દેશની વસ્તી ત્રણ ઘણી વધી છે. લોકોની આવક પણ વધી છે, તદ ઉપરાંત પશ્ચિમના લોકોની સરખામણીમાં આપણી પ્રજાની પ્રવૃત્તિઓ જુદીજ છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પ્રજાના માઈન્ડ “સ્પોર્ટસ” જેવી પ્રવૃત્તિમાં રોકાયેલા હોય છે. ભારતના લોકોને ક્રિકેટ સિવાય બીજો રસ હોય તેવું જણાતું નથી.
આપણા દેશના લોકોના મસ્તીષ્કને એવી રીતે ઘડવામાં આવ્યા છે કે તે માનતા(બાધા) જેવા દુષણોમાંથી મુક્ત થાય એવું લાગતું નથી. અભણ તો સમજ્યા પણ ભણેલા પણ દોર-ધાગા, તાવીજ વિગેરેમાંથી ઊંચા નથી આવતા. કાસીમભાઈ લખે છે કે મુસલમાનોમાં પણ અંધશ્રદ્ધા છે, હું કહું છું કે હિંદુઓમાં તો ડબલ કરતાંયે વધારે અંધશ્રદ્ધા છે, કારણ કે હિન્દુઓના તો દેવ ઘણા તદ ઉપરાંત દરગાહમાં પણ ચાદર-ફુલ ચઢાવવા જાય છે. હિંદુઓના તો દેવોની વસ્તી પણ હંમેશા વધતી રહે છે.
મધુસુદનભાઈએ જણાવેલા કારણો પણ બરાબર છે કે યુવાન છોકરા-છોકરીઓ મંદિરમાં ફક્ત દર્શન કરવા નથી જતા. મંદિર વડીલો માટે પણ એક મિલન સ્થાન રહ્યું છે. અહી અમેરિકામાં ૧૯૮૦-૯૦ન વર્ષોમાં અમે પણ દર રવિવારે મંદિરે જતા, દર્શનનું તો નામ, અમે તો મિત્રોને મળવા અને પ્રસાદના બહાને જમવા જતા. જો પ્રસાદ આપવાનો બંધ કરી દેવામાં આવે તો મંદિરે આવનારાની સંખ્યા પર કેવી અસર પડે તે જાણવું રહ્યું.
અત્યારેતો આ હિંદુ પ્રજાને પગપાળા યાત્રા કરવાનું એક ગાંડપણ વળગ્યું છે. જ્યાં જુઓ ત્યાં આવા સંઘો ચાલતા રસ્તામાં જોવા મળે છે. મારા એક બનેવી મુંબઈથી નીકળી રસ્તે ચાલતા ૧૫ દિવસે અંબાજી પહોચ્યા હતા. રસ્તામાં યાત્રાળુઓ માટે બધી સગવડો હોય છે. એનાથી રસ્તાપર લારીવાળાના ધંધા વધ્યા છે.
“ઓ ઈશ્વર ભજીયે તને” કવિતા અમે પણ ગાતા, પરંતુ તેની કોઈ વિપરીત અસર થયેલી નહિ. બાળપણમાં ગવાતી આ કવિતાનો આશય કદાચ ઈશ્વરમાં શ્રદ્ધા થાય તેવો હશે. જો કે હવે તો આવી કવિતાઓ ભારત બિન-સામ્રદાયિક દેશ હોવાને લીધે પાઠ્ય પુસ્તકમાં જોવામાં નથી આવતી.
મને એવું લાગે છે કે પાંચેક વર્ષ માટે ટીવી પર આસ્થા ચેનલ(બાવા ચેનલ) બંધ કરવામાં આવે, ન્યુઝ પેપરમાં ચમત્કારોની કથા લખવાની બંધ કરવામાં આવે,
જ્યોતિષ વિદ્યાના લેખો બંધ કરવામાં આવે, ટીવી પર વેચાતા તાંત્રિક વિદ્યાના યંત્રો, તાવીજ, રુદ્રાક્ષના મણકા વિગેરે વેચવાના બંધ કરવામાં આવે અને ધર્મના નામે સરઘસ કાઢવા પર તથા પગપાળા સંઘ પર પ્રતિબંધ મુકવામાં આવે તો કદાચ પરિસ્થિતિ કદાચ સુધરે.
LikeLike
i am agree with Vikrambhai dalal, and also agree with bhikhubhai mistry.when population rise and rise,everythings gose with,without faith there is no life.
LikeLike
The survey has found that the people in the countries like Denmark, Sweden & Norway, where the religiosity is minimum, are the most happiest in the world. Even in the countries like USA ,where majority of population is religious, religiosity in decreasing.I am giving the link below to the article titled “Religiosity drops in America” which appeared on the website “Why Evolution is True”
The link to the article is as follows:
http://wp.me/ppUXF-d2U
LikeLike
………નથી લાગતું બધામાં આત્મવીશ્વાસની કમી કામ કરી જાય છે ?……
આ હકીકત લખેલ છે. માણસ એ પછી નાનો હોય કે મોટો, ભણેલ હોય કે અભણ, દેશી હોય કે વીદેશી, રંગે કાળો હોય કે ધોળો, બધા આવી જાય.
ભારતમાં જે લોકો પત્થરની પુજા કરે છે એમને ખબર પડવી જોઈએ કે કોઈ આલીયા માલીયાના મંત્ર ભણવાથી પત્થરમાં પ્રાણ નથી આવતા. આવું એકલા હીન્દુઓમાં નહીં બધા ધર્મમાં છે. ભારતમાં હીન્દુઓની વસ્તી વધારે છે એટલે એમની પત્થરની પુજા અલગ હોય છે. કોઈ કબરની પુજા કરે છે કોઈ સ્મારક્ની પુજા કે ગુણગાન કરે.
એમાં રાજઘાટ, શાંતીવન, વીજયઘાટ, કીસાનઘાટ, શક્તીસ્થળ, એકતાસ્થળ, વીરભુમી અને કેટલાએ પત્થર કે સ્મારક આવી જાય.
ભારતમાં વલ્લભ ભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને ગાંધીજી જેવા પણ આમા થાપ ખાઈ ગયા અને પત્થરાની પુજા માટે વલુકડા થઈ ગયા. વેરાવળનું સોમનાથ મંદીર એનું ઉદાહરણ છે.
LikeLike
हो सकता है में आपके विचारों से सहमत न हो पाऊ फिर भी आपके विचार प्रकट करने के अधिकारो की रक्षा करूँगा .
LikeLike
Varshben,
The prime concept is, ” AB KISIKO KHUD PE BHAROSA NAHI”
Ab kisiko kisipe bharosa nahi has no importance. Also Ab kisiko KHUDA pe bharosa nahi, does not help to prove the title of the article.
People should have (1) self confidence. (2) Thinking power / Research minded approach to analyse what is right & what is wrong (3) Vision and thinking power to judge what is right and what is wrong. And to determine this one should think and analyse with honesty.
In old age people will accept what has been said by once established guru or saint. Today we have more knowledge, more technology, more education, & the remedies for those diseases which were not curable & people were forced to pray a God who can help. There was no go accept praying for those incurable diseases.
In cast system, except Brahmins, other casts were forced to follow the preachings done by so called BEST OF THE BEST and FAVOURABLES of GOD/GODS…BRAHMINS. Now inter cast, inter state & inter national marriges are generating a blend/ race of man that will help reducing this BLIND FAITH AND DEPENDENT MENTALITY ON SO CALLED GODS. The STRUGGLE FOR EXISTENCE WILL TEACH A STRONG LESSION TO THE TODAY’S GENERATION BECAUSE THEY KNOW THAT THERE IS ONLY ONE WAY TO SURVIVE & THAT IS SURVIVAL OF FITTEST. Those are dependent on God’s Blessings have to vanish.
DARWIN HAS GIVEN THREE TRUTHFUL LAWS OF LIFE FOR HUMANS.
(1) HIGH RATE OH POPULATION/ BIRTH
(2) STRUGGLE FOR EXISTENCE &
(3) SURVIVAL OF FITTEST…
Those who favor praying God for their needs will have to either get lost or work hard and struggle for existence. THIS IS THE TRUTH.
LET ME CHALLENGE A PERSON WHO WANTS TO PROVE THAT PRAYING GOD SITTING IN A TEMPLE,HE OR SHE CAN GET A DESIRABLE MODEL OF A CAR AS A GIFT. BE HONEST.
BEST WISHES from Amrut Hazari.
LikeLike
aaj na kahevata dharm guru o e dharam ne business banavi dedho 6. aapni kamnasibi 6 ke aapne aa badha no hasta hasta bhog baneye 6. Only & only we foolish people are responsible for it .
Jago manas jago //////
LikeLike
Very good awakning thoughts ! ! ! ! !
Keepon writing and publishing such articales on a regular basis
It will be a great services for those who few come out from these labouries worships,aarti,puja,hom-havans and kriya-kand.
1000’s of Kabirji may reborn, still menkind fearfully refuse to change
“I,am not in any Temples or Mosques, nor am I.in any Kaba or at Kailash,
you keep looking for me at wrong places, while I,am right there within you”
LikeLike
વર્ષાજીના આ લેખના સમાન સંદર્ભ સાથેનો શ્રી યાસીન દલાલનો ગુ.સ.માં પ્રસિધ્ધ થયેલો “સ્પર્ધા જીતવા જ્ઞાનની જરૂર છે” તે આપે બ્લોગ ઉપર મૂકેલો. આ બંને લેખનો સુર એક જ છે. અંધશ્રધ્ધા-માનતા-બાધા વગેરે કદાચ દેશના જીન્સમાં વણાઈ ગઈ છે. અને તેનો ભરપૂર ઉપયોગ આ એક વીસમી સદીમાં જીવતા લોકો નવી ટેકનોલોજી દ્વારા કરી રહ્યા છે. હવે પોસ્ટ-કાર્ડ કે પત્રો વડે નહિ પણ ઈ-મેલ કે એસએમએસ મારફત સંદેશાઓ 7-11-21 વ્યક્તિઓને મોકલવા જણાવવામાં આવે છે અને તેમ નહિ કરાય તો ગંભીર નુકશાન અને કરશો તો મોટો ફાયદો થશે તેમ જણાવી ધમકી અને લાલચ આપવામાં આવતી રહે છે. ખરું પૂછો તો બદનસીબે લોકોમાં કામ પ્રત્યેની નિષ્ઠા કરતાં કામચોરી કેમ કરવી અને ઓછી મહનતે વધુ અને હજુ વધુ કેમ મેળવી લેવું તેની યુક્તિ-પ્રયુક્તિ અજમાવી રહ્યા જણાય છે.
કેટલાક કામના સમય દરમિયાન મંદિરોમાં દર્શન કરવા કે કથા સાંભળવા જતા જોવા મળે છે. કામના સમય દરમિયાન આવનાર મુલાકાતી/અરજદારને કેમ ટાળવો તેની નવી નવી રીત રસમો શોધતા રહે છે. જ્ઞાન કે મહનેત વગર વધુ અને વધુ મેળવી લેવાની જણે સ્પર્ધા ચાલે છે.જો કે, આ વૃતિ ઉપરની કક્ષાએથી નીચે સુધી ફેલાય છે. અત્યંત મહત્વના કાર્યો પડતા મૂકી પોતાને જે મળ્યું છે તે ટકાવી રાખવા કે હજુ વધુ ઓછી મહનતે કેમ મળતું રહે તે માટે રાજકારણીઓ અને અન્ય સેલીબ્રીટીઓ સાધુ-સંતો-મહંતોની આગળ-પાછળ ફરતા રહે છે. આ ચેષ્ટા સામાન્ય લોકો અને વિશેષમાં યુવાધનને ખોટા સંકેતો આપતા રહે છે જે તેઓને ગેર રસ્તે દોરે છે પરિણામે પગપાળા મંદિરોના દર્શનેજવાની એક ફેશન શરૂ થયા છે તો બીજી તરફ માનતા-બાધા વગેરે અનેક પ્રકારના તૂત ચો તરફ ચાલ્યા/ફેલાતા રહી ફાલે ફૂલે છે. તેમ છતાં આવા લેખો દ્વારા થાક્યા વગર જાગૃતિ ફેલાવનારા હતાશ કે નિરાશ થયા વગર લેખકો અને બ્લોગર મિત્રો ધન્યવાદને પાત્ર છે. લગે રહો !!! એક દિવસ જરૂર પ્રકાશ ફેલાશે !
LikeLike
…… આવા લેખો દ્વારા થાક્યા વગર જાગૃતિ ફેલાવનારા હતાશ કે નિરાશ થયા વગર લેખકો અને બ્લોગર મિત્રો ધન્યવાદને પાત્ર છે. લગે રહો !!! એક દિવસ જરૂર પ્રકાશ ફેલાશે ! હું અરવિંદભાઈ સાથે સહમત છું.
LikeLike
The article and the discussion was so interesting that the thinking process went on and on.
Before i start with the new thought, let me ask my friends to bear with me for the printing mistakes i did in my first writeup.e.g. 3rd para….Pl read as…There was no go except…….
Today’s thought…..
Shri Satya Saibaba came to my mind. He was the representative of God for millions of his followers. Once he had announced that he will live upto his age of 92 years (Pl. correct if not correct). He was the Guru who have healed sorrows of thousands and thousands of his followers. He would do CHAMATKARS to prove that he is the GOD ON EARTH for his students / followers….say blind followers. What Saibaba could do was become rich and use some of his riches for social benefits. And left MONEY for the trustees to fight for.
When he was sick and on deathbed, he could not do anything…pray his God…nor he could do any chamatkar to get cured. HE HAD TO GET ADMITTED TO THE HOSPITAL. LAKHO NA DUKH DUR KARNARO , BICHARO POTANE MAATE KAIPAN KARI SHAKIYO NAHI……..
GOD’s OWN PREFERRED CHILD WAS MISERABLE, HELPLESS. HAS HE REALIZED WHAT IS MOX ? IS A QUESTION.
MANDIR, MASJID, CHURCH, and…..are places where in recent years, we have seen on TV & read in everyday news papers that business being run and that to VARIETY ENTERPRISE type business.
AAP MARIYA SHIVAYE SWARGE NA JAVAY….MAHENAT KARO ANE REWARD MELVO.
If you wait for an apple to fall in your mouth, sitting under the tree, than forget it.
If you are Newton, than falling apple would make you think and work hard to invent the law of gravity….but without hard work nothing will be coming to you…
Amrut Hazari.
LikeLike
માણસ ભરોસો કરવાને લાયક હવે રહ્યો નથી.
ભગવાન પર રાખેલો વિશ્વાસ દગો દેતો નથી
તેનો અર્થ એ નથી કે ભગવાન આપણું બધું પાર ઉતારશે. કહેવત
યાદ હશે “પુરષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે” યુવા વર્ગ ધાર્મિક સ્થળે
જાય તેમાં વાંધો નથી. પણ ઘેટાંના ટોળાની માફક અનુસરે તે વિચાર
ઉચિત નથી.
LikeLike
nice
LikeLike
લેખનો આશય દેખાદેખીકે એક બંધાય ગયેલી ભાવનાઓના ગાડરિયા
પ્રવાહ સામે એક બત્તી અનુભવાય છે. એક વાત પણ એટલી જ અગત્યની
છે કે માનવીની સમાજની જીવન શૈલી કાળધર્મ ને સંજોગો આધારિત
વિકસી છે. માણસે અનેક કુદરતી હોનારતોનો સામનો કર્યો છે અને
તેવા વિપરિત સંજોગોમાં અસહાય સ્થિતિમાં કોઈ ગેબી શક્તિ માટે
પોકાર ઉઠ્યો જ હશે. મંદિર કે કોઇ પણ ધાર્મિક સ્થળો એ સમાજને
સારા માર્ગે આશ્રય આપવાનું સ્થાન છે અને લોકો હલકા મનોરંજન કે
જુગારખાના કે અડ્ડાઓમાં જાય તે કરતાં સાત દરજ્જે સારું છે. હા,આજે
જે દૂષણો ઉભા થયા છે તે સામે વિરોધ કે જાગૃતિ જરૂરી છે જ ,એમાં
બે મત નથી. પુરુષાર્થનો કોઈ પર્યાય નથી અને ખોટા અવલંબનો કે
આડંબર એ પતનના જ માર્ગો છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
This article clearly indicates that senior/elderly generation has failed to lead our youth in right directions! Our elderly generation has left youth in confused state & as a result youth has no other option but to rely on The Father of all fathers/ The all mighty God! I want to assure India’s young generation that they are in good & safe hands of The all-mighty God! I want tell Younger generation of India that, “I am sure that elderly generation has failed to lead you & now criticizing you as lazy & failure but you guys need to go to mandirs everyday & if you can not go than have Lord name & murthi established in your heart & continue to do your every day’s work/duty/karma while whispering name of Lord all day long & Lord will feel in your life with happiness guiding you in right direction since current elderly generation has failed to accept “Van-prastha-ashram” duties to dedicate self to the society leaving self&family attachments aside to fight against better world/ better society for youth by fighting corruption, fighting gundas 7 by leading youth to hard work & high morals!
Govindbhai, criticizing youth & criticizing Hindu ways & Hindu values are easy ways to mislead confused youth & confused Hindus to make money & to be popular! If you are above 51 (Ekavan) yrs old, then you have entered in to Van-prastha-ashram age group! In that case please do favor to use your blog to guide youth in right directions rather than to make fun out of their actions! Please, teach other elderly people who have forgotten their duties towards youth to correct their actions & to begin doing right (Jagya tyathi savahr) towards youth & towards your Indian society to protect her rich cultural values!
LikeLike
પ્રિય ‘પાર્ક લૅન્ડ’ ભાઈ/બહેન
તમારી વાત સાથે હું સંમત છું કે સીનિયર પેઢી પણ પોતાની ફરજમાં ચૂકી છે. મેં પહેલાં કૉમેન્ટ આપી છે (December 8, 2011 at 5:48 pm) તેમાં યુવાનો અલૌકિક શક્તિમાં શા માટે વધારે શ્રદ્ધા રાખતા થઈ ગયા છે તેનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો છે.
હું આજની પેઢીની ટીકા નથી કરતો. મારા કરતાં આ પેઢી સામેના પડકારો વધારે મોટા છે, એ પણ સાચી વાત છે.ઉદ્વિકાસના નિયમ પ્રમાણે મને એમ પણ લાગે છે કે આજના કોઈ પણ શિશુનું મગજ મારા મગજ કરતાં વધારે મોટું હોવું જોઈએ.આજના યુવાનો મારા કરતાં વધારે ઇન્ટેલીજન્ટ છે, એમાં પણ શંકા નથી.
આમ છતાં હું એમને એવી સલાહ નહીં આપું કે તેઓ કોઈનો આધાર લે. એમની સમસ્યાઓ એવી છે કે જે મેં જોઈ જ નથી એટલે હું ઇલાજ નહીં બતાવી શકું એ પણ સાચું છે. પરંતુ, જ્યારે પણ સમસ્યાઓ આવે ત્યારે એ પેઢીઓનો ભેદ કરીને નથી આવતી. આજે મને જે સમસ્યા નડે તે મારા માટે એટલી જ ગંભીર હશે. જે જમાનો યુવાનો માટે ચૅલેન્જ બનીને આવ્યો છે, તે મારા માટે પણ વધારે મોટી ચૅલેન્જ રૂપ હશે ને?. આમ છતાં મને નથી લાગતું કે હું મંદિરમાં જઈશ તો મારી સમસ્યા દૂર થઈ જશે અથવા તો, મનમાં મૂર્તિ હશે તો જ હું સફળ થઈશ. ના, એવું નથી. આ દુનિયામાં સમસ્યાઓ હશે તો ઉકેલો પણ આ જ દુનિયામાં હશે.
આજે માત્ર સમસ્યાઓ નથી સુવિધાઓ પણ છે, જે પહેલાં નહોતી. પહેલાં પોતાનું ઘર બનાવવું એ તમારાથી આગળની પેઢી માટે ભગવાનના આશીર્વાદ વિના શક્ય નહોતું, આજની પેઢી પાસે લોનની સગવડ છે, પહેલાં તો લોન આપનારા પણ નહોતા. તમારા વડીલોને આ સમસ્યા વિશે વધારે ખ્યાલ હશે.આ બાબતમાં તમારી સામે સમસ્યા આવી તે પહેલાં ઉકેલ હાજર થયો હશે. એટલે દરેક પેઢી માટે સંયોગો બદલાય છે.
પરંતુ તમારી વાત સાચી છે. વાંક અમારી પેઢીનો છે, જે દૈવી મદદ શોધતી રહી અને યુવાનોને એમ ન શીખવ્યું કે અલૌકિક સહાય જેવું કઈં નથી હોતું. આવી માન્યતાઓની બાબતમાં મને પેઢીઓ વચ્ચે ભેદ નથી દેખાતો. અલૌકિક મદદ જૂની પેઢીની ટેવ છે. યુવાનો એને નકારે એમાં કઈં ખોટું નથી, પરંતુ એમણે આવી માન્યતાઓ ચર્ચા વગર સ્વીકારી કીધી છે.
LikeLike
મીત્રો,
માત્ર મન્દીરે સદેહે ધક્કા ખાવાની વાત તો ઠીક; પણ ઈન્ટરનેટ પર આ રીતે દેવના દર્શન કરાવી, આ કે તે લાભ થવાની લાલચ આપી અન્ય મીત્રોનેયે ફરજીયાત દર્શન માથે મારી, તેનેયે સેંકડો મીત્રોને ‘ન ફોરવર્ડ કરશો તો આમ થશે ને તેમ થશે’ તેવી ગર્ભીત ધમકી આપી, આ મહામુલી છતાં મફત મળતી ઈન્ટરનેટી સુવીધાનો દુરુપયોગ કરી, માણસને પુરુષાર્થી બનાવવાને બદલે, અંધશ્રદ્ધા ફેલાવવાનો ઉદ્યમ કરનાર ભણેલાને શું કહેવું !
એક મેઈલ–વ્યવહાર આપ સૌ સમક્ષ મુકું છું. તેમાંથી મોકલનારનું અને તેમણે મારા સહીત જે ૪૬ જણાને આવી મેઈલ મોકલેલી તેમની આઈડી મેં ભુંસી નાખી છે. અંદર જે લેખની વાત આવે છે તે ભાઈ ઉર્વીશ કોઠારીનો લેખ જોવા
https://sites.google.com/site/semahefil/sm-173–blind-faith-on-internet લીંક પર ક્લીક કરતાં જ તે સામે આવશે. આપણે વીચારવાનું એ છે કે ત્યારે કરીશું શું? બધું ચાલે છે તેમ જ ચાલવા દઈએ? કે આવા–‘અભીવ્યક્તી’વાળા સેંકડો ગોવીન્દ મારુ કાર્યરત બને તેવું કરીશું ?..ઉ.મ.. uttamgajjar@gmail.com
From: Uttam Gajjar [mailto:uttamgajjar@gmail.com]
Sent: Saturday, December 10, 2011 3:32 PM
To:
Cc:
Subject: SHANI Miracle Chain – Don’t Break
મીત્રો,
વર્ષોથી પ્રકાશીત થતા સુરતના ‘સત્યાન્વેષણ’ માસીકના વીદ્વાન તંત્રી પ્રૉ. સુર્યકાંત શાહસાહેબનો સૌ પ્રથમ મળેલો પ્રતીભાવ આપ સૌની જાણ માટે.. સાથે એક લેખ..
આશા છે, આપને ગમે..
..ઉ.ભ..
From: Suryakant Shah [mailto:suryasshah@yahoo.co.in]
Sent: Saturday, December 10, 2011 2:54 AM
To: Uttam Gajjar
Subject: Re: SHANI Miracle Don’t Break
Dear Uttambhai and Madhubahen
I appreciate your spirit to denounce those people who are misusing Internet, one of the most advanced scientific and technological inventions for spreading unscientific beliefs.
Really, I wonder! Is Shanidev so cheap that pleases with circulating mails! With warm regards,
Suryakant Shah
Editor,
‘Satyanveshan’ Monthly,
Surat
From: Uttam Gajjar [mailto:uttamgajjar@gmail.com]
Sent: Saturday, December 10, 2011 9:20 AM
To:
Cc: GOVIND MARU (govindmaru@yahoo.co.in); URVISH KOTHARI (uakothari@yahoo.com)
Subject: RE: SHANI Miracle Don’t Break
વહાલા ભાઈ અને મીત્રો,
આ ‘શનીદેવ’ની વાતો તમે ૪૬ મીત્રોમાં વહેંચી..
એ ૪૬ મીત્રોએ એમના મીત્રોને કદાચ મોકલી હશે..
મને એ જાણવામાં રસ છે કે, ભાઈ, તમને અને
તમારા મીત્રોને એનાથી કયો લાભ થયો ?
તમે જેમને મોકલી છે તેમને જ હું આ લખું છું અને
બીજા કોઈને પણ ન મોકલી, ચેઈન તોડું છું અને તેથી
મને જો કશું નુકસાન થશે તો હું તે તમને અચુક લખીશ..
પણ તમને શો ફાયદો થયો તે મને લખશો ?
હા, અલભ્ય એવી આ ઈન્ટરનેટી સુવીધાનો દુરુપયોગ કરી
સમાજમાં અન્ધશ્રદ્ધા ફેલાવવાનો લાભ(ગેરલાભ !) તો મળી જ ગયો !!
આ સાથેનો લેખ વાંચવા વીનંતી અને તમે જેને જેને આ
મેઈલ મોકલી હોય તેને પણ તે લેખ વાંચવા મોકલવા વીનંતી..
જેથી સમાજને લાભ થશે; ગેરલાભ કદાપી ન જ થાય.. મઝામાં ?
..ઉ.મ.. સુરત
From:
Sent: Thursday, December 08, 2011 3:37 PM
To:
Subject: Fw: SHANI Miracle Don’t Break
(અહીં એક ફોટો મુકી મોકલ્યો છે, શનીદેવનો, જે મારાથી અહીં પેસ્ટ થઈ શક્યો નથી..સોરી, તમને દર્શનનો લાભ ન આપી શકાયો !)
LikeLike
Dear Dholakiasaheb,
Thanks for your positive & realistic input for younger generation of India! Every time I visit India I see can not think how youth of India can survive & can make living! Rampant corruption has become almost unsolvable except you take law in your hand & be gunda to make living because at times degrees & talent has no value to get employment! When I open news paper it is all about heart breaking news of youth committing suicide because law makers & law keepers have openly acted like gundas & taking away every opportunities from talented youth! Only way for youth to keep sanity is through rich Hindu cultural trust in God. If you go to other poor countries, guns-murders&rapes has become ways of life! Indian youth has restraint them self from playing that kind of roles because of faith in God! It is not a perfect world out there but it would help if writers like you provide hope, direction & support to Indian youth! I am not young to claim myself youth but writers & shahitkars have God given gift to keep youth encouraged, so they do not give up like writers during Independence of India kept Mishal for Independence going against cruel rulers of India. Personally I am foreigner to India but because of sanaskar I received from my parents, I would not want to give up on our youth especially when India is facing a big war from inside dusmans of corrupt & cruel law makers & law keepers who are seemingly much stronger than British Gundas! Thanks again Dipakbhai.
LikeLike
પ્રિય પાર્ક લૅન્ડ ભાઈ/બહેન,
મારા માટે તમે જે સદ્ભાવપૂર્ણ શબ્દો વાપર્યા તે બદલ આભાર. ભ્રષ્ટાચાર એવો વ્યાપક છે કે મને એ પ્રશ્ન થાય છે કે એ શું આપણી સાંસ્કૃતિક દેન છે? પરંતુ અહીં, માત્ર યુવાનો વિશે ચર્ચા કરીશ.
શ્રી અતુલભાઈ જાનીની કૉમેન્ટમાંથી અહીં ક્વૉટ કરૂં છું એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાની સાથે)
“ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ
મારૂં ઉદાહરણ આપું તો ઘમંડ કહેવાય, તેમ છતાં આપું છું. હું વીસ-બાવીસનો હતો ત્યારે એક ગુરુ મને કંઠી બાંધવા માગતા હતા. મને એમણે કહ્યું કે મારી બધી સમસ્યાઓનો ઉપાય આ છે. મેં કહ્યું કે ભગવાને મને બે હાથ, બે પગ અને એક મગજ આપ્યાં છે. પહેલાં હું એમનો ઉપયોગ કરીશ, ભગવાને આટલી મદદ તો આપી દીધી, હવે એને છાસવારે તકલીફ આપવાની જરૂર ખરી? તે પછી એ ગુરુને હું કદી ન મળ્યો.
LikeLike
Dear govindji,
It’s a real story off current time. I would like to publice in my news paper. Give me permision.
-Dhanesh Parekh
Tower Road
Navsari
Mo.-9825488151
LikeLike
વહાલા શ્રી ધનેશભાઈ,
તમે મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ની મુલાકાત લીધી તે બદલ અને મારા બ્લોગમાં શ્રીમતી વર્ષા પાઠક નો પ્રસીદ્ધ થયેલ લેખ ‘મન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે ?’ તમને પસન્દ પડ્યો– આનંદ થયો.. આભાર.
મારો મકસદ રૅશનલ વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે.. લેખ તમે પ્રગટ કરો એ આનંદની જ વાત છે.. સાથે મારી ત્રણ વીનંતી માન્ય કરશો ?
૧. આ લેખ છપાય તેની નીચે, લેખીકા શ્રીમતી વર્ષા પાઠક, બોરીવલ્લી (ઈસ્ટ), મુમ્બઈ. ઈ–મેઈલ: viji59@msn.com છાપવું. લેખકને આપણે કશો પુરસ્કાર તો આપતા નથી; પણ એમનો આનંદ બેવડાશે..
૨. ‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 16 નવેમ્બર, 2011ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી લેખીકાબહેનની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકાના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર… તેની નીચે, ‘શ્રી ગોવીન્દ મારુ, નવસારી (ગુજરાત)ના બ્લોગ ‘અભીવ્યક્તી’ https://govindmaru.wordpress.com/ ના સૌજન્યથી સાભાર…’
એમ જરુર છાપવું.. આમ થતાં, ‘રાહબર’, નવસારીના વાચકોને મારા બ્લોગની મુલાકાત લેવાની પ્રેરણા મળશે. આટલું લેખકને અને ‘અભીવ્યક્તી’ બ્લોગને શ્રેય આપવા અર્થે જ લખુ છું.
૩. લેખીકા બહેન અને મને એની એક નકલ અચુક મોકલશો..
હું મારા બ્લોગ ઉપર લેખ મુકવા પહેલા લેખકને ફોન/મેઈલ કરી તેમની અનુમતી મેળવીને તે લેખ મારા બ્લોગ પર પોસ્ટ કરું છું…. તમારે નવેસરથી પરવાનગી લેવાની જરુર હું જોતો નથી..
ફરીથી આભાર…..
–ગોવીન્દ મારુ
LikeLike
As per talk with Mr. Harisinh Chavda(Ex.M.P.-Banaskantha(Guj) Yesterday.
Very much thanks to you.
Your selection and thinking is very good.
LikeLike
Mananiya Varshaben,
Sorry, pan hu aaMandire javani vatma aapani sathe sahamat nathi.
LikeLike
મહેનત કોને કરવી છે…..!!!!??
જાદૂઈ ચિરાગ મળે ને પૈસા નો ઢગલો થઈ જાય,એક નારિયળ ભગવાન ને ચડાવી તો આપણી મનોકામના પૂર્ણ થઈ જાય,૧૦૦ રૂપિયા ની લાંચ (ચડાવો તો આપણી મનની ભ્રમણા છે.) આપીએ તો આપના કામ થઈ જાય.
જ્યાં સુધી આવા વિચારો માં પરિવર્તન નહિ આવે ત્યાં સુધી બધુ બેકાર છે.
ગોવિંદભાઈ આપના પ્રયાસો સારા છે પણ આ બદ્દી જલ્દી જાય તેમ લાગતું નથી..??
LikeLike
varshaben,
aapne mara dhanyavad,aava lekh vanchi ne kadach aa 21me sadi no manas aavi
andh-sradha manthi bache to vadhare saru.tamari mahenat lekhe lagi ganashe.
loko ne andh-sradha manthi bahar kadhva mate govindbhaino sahkar chhe tethi
mane lage chhe k jarur asar thase.
namskar,
m.patel(uas)
LikeLike