‘ધર્મ’ શબ્દનો અર્થ નહીં સમજીને આપણે મહાઅનર્થ કર્યો છે !

–ડૉ. અનીલ કાણે 

આજે આપણે ધર્મ શબ્દને RELIGION કે મજહબના અર્થમાં જ વાપરીએ છીએ. આ ધર્મ શબ્દના ઘણા મર્યાદીત અને સંકુચીત અર્થઘટનનું પરીણામ છે. ‘મજહબ’ કે ‘RELIGION’ નો સચોટ અર્થ કરવો હોય તો ‘ઉપાસના પદ્ધતી’ એમ કહેવું પડે. આપણા દેશમાં રહેતા લોકો જુદી જુદી ઉપાસના પદ્ધતીને અનુસરે છે. જેવી કે મુસ્લીમ, ખ્રીસ્તી, વૈષ્ણવ, શૈવ, બૌદ્ધ, લીંગાયત, શીખ, રાધાસ્વામી, સ્વામીનારાયણ, બહાઈ, અહમદીયા, ઝોરોસ્ટ્રીયન, કબીરપંથી, આર્યસમાજ, બ્રહ્મોસમાજ વગેરે. આ બધી ઉપાસના પદ્ધતીને ધર્મો કહીને આપણે મહાઅનર્થ કર્યો છે.

     ધર્મ શબ્દના નીચે મુજબના અર્થો થાય છે.

  • રુઢ અર્થમાં મજહબ અથવા RELIGION
  • કાયદો, નીયમ LAW – ORDINANCE – STATUTE
  • શ્રેયકર પ્રથા, સંસ્કૃતી, પરમ્પરા PRACTICE – CUSTOM – USAGE
  • પુણ્યકર્મ, સદ્ ગુણ VIRTUE  – RIGHTEOUSNESS – MORALMERIT
  • કર્તવ્ય  DUTY – PRESCRIBED CONDUCT
  • ન્યાય, સમતા, નીષ્પક્ષપાત, RIGHT, JUSTICE, EQUITY IMPARTIALITY
  • યોગ્યતા, પવીત્રતા, ઔચીત્ય PROPRIETY,  PIETY, DECORUM
  • નીતી, ચારીત્ર્ય MORALITY – ETHICS
  • સ્વભાવ, પ્રકૃતી NATURE, CHARACTERISTICS
  • સારાસાર, વીવેક
  • ત્યાગ, બલીદાન
  • નીષ્ઠા, કર્તવ્યપરાયણતા DEVOTION, DEDICATION વગેરે

આમ ધર્મને કોઈ વીશેષ નામ આપી શકાય જ નહીં. સમ્પ્રદાયો કે ઉપાસના પદ્ધતીને જુદા જુદા નામો આપી શકાય. સમ્પ્રદાય એટલે

–   પ્રથા, રીતરીવાજ, TRADITIONAL DOCTRINE OR KNOWLEDGE

–  સીદ્ધાંત A PERTICULAR SYSTEM OF RELIGIOUS TEACHING -METHOD OF WORSHIP

એકવાર ધર્મ અને સમ્પ્રદાય વચ્ચેનો ભેદ સમજાય જાય તો ઘણી ગેરસમજણો અને કડવાશ દુર થઈ જાય. ગીતાનો એક શ્લોક આ સન્દર્ભમાં ખાસ સમજવા જેવો છે.

स्वधर्मे नीधनं श्रेय: परधर्मो भयावह: (गीता र. ३५)

આ શ્લોકમાં ધર્મ શબ્દને રુઢ અર્થમાં લઈએ તો અર્થ થાય ‘પોતાના ધર્મમાં રહી મરી જવું બહેતર છે; પરન્તુ બીજાના ધર્મમાં જવું ભયાનક છે. આથી માણસો એમ માનવા પ્રેરાયા કે ‘જો આપણે હીન્દુ હોઈએ તો હીન્દુ તરીકે મરી જવું એ બીજા ધર્મમાં જવા કરતાં વધારે સારું છે. સહેજ વીચાર કરતા જણાશે કે જ્યારે આ વાક્ય લખાયું એટલે કે ગીતા કહેવાઈ એ વખતે ધર્મ શબ્દનો આજનો રુઢ અર્થ હતો જ નહીં. ત્યારે અર્જુનને પોતાનો ‘મઝહબ’ છોડીને બીજા કોઈ ‘મઝહબ’માં જવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં ! તેથી ઉપર મુજબનું અર્થઘટન અતાર્કીક છે. અહીં ધર્મનો અર્થ ‘કર્તવ્ય, નીષ્ઠા, ન્યાય સમભાવ, નીતી’ વગેરેનું મીશ્રણ થઈને થતો અર્થ જ થાય છે.

આજ વાત બીજી રીતે સમજીએ. એમ કહેવાયું કે यत्र धर्मो ततो जय: જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અહીં ધર્મ એટલે RELIGION એવો અર્થ કરીએ તો કૌરવો અને પાંડવોના કે રામ ને રાવણના સમ્પ્રદાયો ક્યાં જુદા હતા ? રુઢ અર્થમાં ધર્મો ક્યાં જુદા હતા ? કે જેથી કહી શકાય કે જેનો સમ્પ્રદાય સાચો તેના તરફ જય થાય ? આ વાક્યનો સાચો અર્થ છે કે જ્યાં ન્યાય હોય, નીતી  હોય ત્યાં જ જય હોય.

ધર્મનીષ્ઠા અને સમ્પ્રદાયનીષ્ઠામાં જમીન આસમાનનો તફાવત છે. જેટલો ફેર તત્ત્વનીષ્ઠા અને વ્યક્તીનીષ્ઠામાં છે તેટલો જ ફેર આ બન્નેમાં છે. ધર્મનીષ્ઠ હોવું એટલે તત્ત્વનીષ્ઠ, ન્યાયનીષ્ઠ અને સત્યનીષ્ઠ હોવું. સમ્પ્રદાયનીષ્ઠા એ માત્ર ઉપાસના પદ્ધતી તરફની નીષ્ઠાની દ્યોતક છે. આપણી નીષ્ઠા ધર્મ (તેના સાચા વ્યાપક અર્થમાં) તરફ હોવાની જગ્યાએ સમ્પ્રદાય તરફ હોવી એ તત્ત્વનીષ્ઠ હોવાની જગ્યાએ વ્યક્તીનીષ્ઠ હોવા સમાન છે. તેથી જ સમ્પ્રદાયનીષ્ઠાનું સ્થાન ધર્મનીષ્ઠાના સ્થાન કરતા ની:શંક ઉતરતું જ લેખાય.

આપણે વધુને વધુ સમ્પ્રદાયનીષ્ઠ થતા જઈએ છીએ; પરન્તુ આપણી ધર્મનીષ્ઠામાં ગીરાવટ આવતી જાય છે. સમ્પદાય આપણને કહે છે ત્રણવાર સંધ્યા કરો કે પાંચ વાર નમાજ પઢો કે રવીવારે દેવળમાં જાઓ. આનું આપણે ચુસ્તપણે પાલન કરીએ છીએ; પરન્તુ ધર્મ આધારીત જીવન મુલ્યોનું જતન કરવામાં આપણે શીથીલતા બતાવીએ છીએ. બાહ્ય દેખાવો જેવાં કે ટીલાં– ટપકાં કરવાં, ચોટલી કે દાઢી રાખવી, અમુક પ્રકારનાં કપડાં પહેરવા વગેરેને આપણે ધાર્મીકતા કહીએ છીએ. આ ધાર્મીકતા શબ્દનું વીડમ્બન છે. આવા બાહ્ય દેખાવો તમે કયા સમ્પ્રદાયના છો તેના દ્યોતક છે. તેથી તેને સામ્પ્રદાયીકતા કહી શકાય. પરન્તુ નીતી, ચારીત્ર્ય, બલીદાન, વીવેક, ન્યાયભાવના, સમતા, પવીત્રતા, ઔચીત્ય અને ત્યાગ વીનાનું આ બધાં ધાર્મીક ચીહ્નો  ધાર્મીકતા નથી જ.

સમ્પ્રદાયો અને તેમની ઉપાસના પદ્ધતીઓમાં સ્થળ–કાળ પ્રમાણે ફરક થતા રહ્યા છે અને તે સ્વાભાવીક છે. પરન્તુ ધર્મ શબ્દને ખરેખર સમજીએ તો તે સ્થળ–કાળનાં બન્ધનોને ઉલ્લંધી જાય છે. તે કાલાતીત છે, સ્થળાતીત છે.

ભારતમાં રહેનારો દરેક માણસ પોતાને મન ફાવે તે સમ્પ્રદાયને અનુસરી શકે છે. તેની ઉપાસના પદ્ધતી એ તેનો નીજી મામલો છે. તેને પોતાની ઉપાસના પદ્ધતી પસંદ કરવાનો સમ્પુર્ણ અધીકાર છે. કોઈએ પણ તેમાં દખલ કરવી ન જોઈએ ન વ્યક્તીગત રીતે કે ન તો સામુહીક રીતે. અરે, રાજ્યે પણ નહીં. અહીં એક વાત બરાબર સમજી લઈએ, આ દેશના નાગરીકની ઉપાસના પદ્ધતી ગમે તે હોય, મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન, બૌદ્ધ, શૈવ કે વૈષ્ણવ પણ દરેકનો ધર્મ એક જ છે અને તે છે : ‘આ દેશના તમામ નાગરીકોનું ભલું થાય, તેમની પ્રગતી થાય, તેમની ઉન્નતી થાય અને તેઓ સુખચેનથી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું અને જાગ્રત રહેવું.’

જો આપણે સમ્પ્રદાય કે મઝહબને ધર્મ કહેવાની ભુલ નહીં કરીએ તો ઘણાં સંધર્ષો, ગેરસમજણો, તોફાનો વેરઝેર અને અશાન્તીને ટાળી શકાશે; કારણ કે બધાનો ધર્મ એક જ છે પછી ઉપાસના પદ્ધતીઓ ગમે તે હોય તો પણ શો ફરક પડે છે ! આ વાત જેટલી વહેલી સૌને સમજાશે તેટલું દેશનું ભલું વહેલું થશે.

તા.ક.:

સર્વ વાચકમીત્રોને જણાવવાનું કે, તા.૦૭ થી ૧૭ મે, ૨૦૧૨ સુધી અમે બહારગામ હોવાને કારણે આપણીરૅશનલ વીચારયાત્રાને વીરામ રહેશે.. ગોવીન્દ મારુ

લેખક સમ્પર્ક:

ડૉ. અનીલ કાણે, એ-15, સહયોગ, ગોરવા, વડોદરા – 390 016 ફોન નંબર: (O): +91 – 265 – 2290415/37/38 (R): +91 – 265 – 2387034 સેલ ફોન નંબર: +91 – 9824303730  ઈમેઈલ: kaneanil@hotmail.com;

તા.3 ઓગસ્ટ, 1995ના ગુજરાત સમાચાર દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નીનાદ’માંથી, લેખકશ્રી અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આરૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

 અક્ષરાંકન:  ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ: 4–05–2012

62 Comments

  1. ITS REAL TRUE AND THIS TRUE NOT ACCEPT THEN ITS CALL ONLY DHARMIK DEKHAV & AADAMBER ……LIKE MUKHME RAM OR BAGAL ME CHHURI

    Like

  2. “જો આપણે સમ્પ્રદાય કે મઝહબને ધર્મ કહેવાની ભુલ નહીં કરીએ તો ઘણાં સંધર્ષો, ગેરસમજણો, તોફાનો વેરઝેર અને અશાન્તીને ટાળી શકાશે; કારણ કે બધાનો ધર્મ એક જ છે પછી ઉપાસના પદ્ધતીઓ ગમે તે હોય તો પણ શો ફરક પડે છે ! આ વાત જેટલી વહેલી સૌને સમજાશે તેટલું દેશનું ભલું વહેલું થશે.”

    ૧૦૦ ટકા સંમત.

    Like

  3. The intertretation is true. We are all human beings & belong to same source. The true meaning of Dharm is same for all of us. There are so many directions to know & realize God.

    It is a very good article & I agree 100%with the author & Dipak Dholakia. Let us search our soul & do the best we can do in our life.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  4. સામાન્ય માણસ તો સંપ્રદાયને જ ધર્મ સમજે છે અને પછી ઘણી વખતે બધા ઘેટાઓ એક ભરવાડ છોડીને બીજા ભરવાડના ટોળામાં મળી જાય છે. (ભુપેન્દ્ર રાઓલના બ્લોગમાંથી)

    Like

  5. મિત્રો,
    ઉચ્ચા મૂલ્યો એ ભારતીય સંસ્ક્રુતિનો અનેરો વારસો છે. એ મૂલ્યોનુ આકર્ષણ જ અનિષ્ટતાનો શત્રુ છે!
    સરળ ભાષામાં સચોટ સમજાવટ જ લેખકશ્રીની કાબેલિયત અને પરિશ્રમનો પરિચય છે.
    આદર્શોની ઉચાઈથી અને મૂલ્યોની ઉંડાઈથી ગુંથાએલી ધર્મની પરિભાષાને જુદાજુદા સદંર્ભમાં સમજાવી લેખકશ્રીએ સાંપ્રદાયિક લઘુતાને શરમાવી દીધી છે! ભારતીય મૂલ્યોને વારંવાર યાદ કરાવી સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રદુષણને હતાશ કરવાનો આ સકારાત્મક ઉપાય છે. કોઈ ઠોસ ઉકેલ સિવાયની એક તરફી આકરી ટીકાથી લખાતા લેખો એ જલિયાંવાલા બાગમાં ગોળીબાર કર્યા બરાબર છે! આપણે એ ન ભૂલવુ જોઈએ કે અંધશ્રધ્ધાનો વાવડ એ સદીયોની ગુલામીના ત્રાસથી, ધર્મપરિવર્તનના નિષ્ઠુર આક્રમણથી અને બહુ ભણેલા લોકોના અવિચારી અપમાનોથી બહુ પીડિત થયેલ લઘુતા ગ્રથિંત લોકો પાસે બીજો કોઈ ન્યાયનો રસ્તો ન રહેવાથી દૈવીન્યાયની આશામાં ધકેલાઈ જતી લાચારીનુ સીધુ પરિણામ છે! અને તે પરિસ્થિતી તે લોકો માટે જાણે કે અજાણતા આપણે જ ઉભી કરેલ છે. ઉપર મુજબ જો અગણિત અપમાન થકી જ આ પરિસ્થિતી ઉભી થઈ છે તો પછી વધુ અપમાન કે તિરસ્કારનો રસ્તો ક્યાંથી લાભદાયી હોય?
    અહીં લેખકેશ્રીએ મૂલ્યોની વિશાળતાથી ભરપૂર ધર્મને અને સ્થગિત સંકોચિતતાથી ભરપૂર સંપ્રદાયને પ્રજારૂપી મેંઢકની સામે યથાર્થ ભાવે રજુ કરી સચોટ પસંદગી રૂપી ઉકેલની બેવજુદ મહોર મારી દીધી! ખોટી પસંદગીની દલીલને કોઈ અવકાશ નથી આપ્યો!
    લેખકશ્રી કાણે સાહેબને અને સૌના આદરણીય ગોવિંદભાઈ સાહેબને મારા ખૂબ ખૂબ અભિનંદન!

    Like

  6. ધર્મ એ સ્વતંત્ર શબ્દ છે. એની સાથે વિશેષણ લાગે ત્યારે સંપ્રદાય બને છે. ધર્મનો સીધો અર્થ થાય છે માનવતા. માનવતા એજ મોટો ધર્મ છે. આ દુનિયામાં માનવતાને બધાજ લોકો મહત્વ આપે, માનવતાનું કામ કરે તો ઘણા માણસોના ઘણા દુઃખોનો, પ્રશ્નોનો અંત આવે.

    જૈન મુનીઓ જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે એવું કહે છે કે “ધર્મ લાભ” થાવ. એજ પ્રમાણે બૌદ્ધો કહે છે “ધર્મમ શરણં ગચ્છામી” એટલેકે તમે ધર્મને શરણે જાવ અને માનવતાનું કામ કરો. હિંદુ, બુધ, જૈન, ખ્રિસ્તી, યહૂદી કે ઇસ્લામ એ કોઇ ધર્મ નથી પણ સંપ્રદાયો છે. આ બધા સંપ્રદાયોએ પોતાના આશ્રિતો માટે સારું કામ પણ કર્યું છે જ્યારે બીજાઓ માટે કશું કર્યું નથી કે વટલાવી-લડાવીને બરબાદ કરવાનું કામ કર્યું છે. સમગ્ર પ્રજામાં મતભેદો પાડ્યા છે. આને લેધે વિશ્વમાં અનેક લડાઈઓ થઇ છે અને લાખો લોકો માર્યા ગયા છે. આપણે ત્યાં તો બધુજ વધારે તેમ હિંદુ સમ્રદાયના પણ અનેક સંપ્રદાયો થયા છે. જે કોઈ નવો ગુરુ થાય તે પોતાનો સંપ્રદાય બનાવે છે. આ સંપ્રદાયોએ પોતાનો સ્વાર્થ સાધવા માટે લોકોને ગેર-માર્ગેજ દોર્યા છે.

    ઉપનિષદ કહે છે “धर्मो रक्षति रक्षित:” જો તમે ધર્મને પાળશો,ધર્મનું રક્ષણ કરશો તોજ તે ધર્મ તમારી રક્ષા કરશે. એટલેકે તમે માનવતાનું કામ કરશો તો તે માનવતાજ તમારું રક્ષણ કરશે. સમજણ આવતાં માણસે સંપ્રદાયમાંથી નીકળી વિશાળ માનવ ધર્મને અપનાવવો જોઈએ. ગાંધીજીનો જન્મ શ્રી મદ વલ્લભાચાર્યના પૃષ્ટિ સંપ્રદાયમાં અને સરદાર વલ્લભભાઈનો જન્મ સ્વામીનારાયણ સંપ્રદાયમાં થયેલો પણ એમણે પોતાના જીવનમાં માનવ ધર્મનેજ વિશેષ મહત્વ આપ્યું અને મહાન થઇ ગયા.

    Like

  7. આ સુંદર લેખના સંદર્ભમાં એક-બે મુદ્દા ધ્યાન ખેચે છે! તો વિચાર વિમષના હેતુથી લખુ છુ.
    (૧) આપણા બીન-સાંપ્રદાયીક દેશમા, જુદાજુદા સંપ્રદાયો અને સંપ્રદાયીક ચર્ચા કેટલા અંશે કાનૂની ગણાય? કે પછી દારૂબંધીના કાયદા જે રીતે દારૂનુ મહત્વ વધારી દે છે તેમ બીન-સાંપ્રદાયીક્તા પણ તેવી જ બીજી કફોડી હાલતનુ પ્રયોજન છે?
    (૨) ગીતાજી વાંચે તો ઘણો સમય વીતી ગયો તો ગેરસમજ હોય તો માફ કરજો અને સુધારો સુચશો તો સમજ પણ વધશે એ આશાથી હુ એવું માનું છે કે જ્યારે “स्वधर्मे नीधनं श्रेय: परधर्मो भयावह: (गीता र. ३५)” શ્લોક બોલાયો ત્યારે પરિસ્થિતી કંઈક આવી હતી:
    અર્જૂન પોતાની જ સામે લડવા તૈયાર થઈ ઉભેલ સ્વજનોને જોઈ તેના ગાત્રો ગડી ગયા અને પગ નીચેથી ધરતી ખસી જતી લાગી અને તે બોલ્યો, “હે કેશવ, અમારા સ્વજનોને મારીને મારે શા માટે જીવવુ હોય? એના કરતા તો અમે ભીક્ષા માંગી જીવીએ તે જ વધુ ઉધ્ધાર કરનારુ છે!” અને તેના જવાબમાં શ્રી ક્રુષ્ણ ઉપેરનો શ્લોક બોલ્યા. મારી સમજ પ્રમાણે એ શ્લોક્માં કહેવાનુ પ્રયોજન એ હતુ કે, “હે અર્જુન તારો ધર્મ (કર્તવ્ય) ક્ષત્રિય ધર્મ (કર્તવ્ય) છે અને ભિક્ષા માંગવાંનો નહી. ભિક્ષુકનો ધર્મ (કર્તવ્ય) આ પરિસ્થીતીમાં ભલે તને સહેલું લાગે અને તારે તારો ક્ષત્રિય ધર્મ (કર્તવ્ય) પાળવો ભલે અઘરો હોય તે છતાં છોડવો ન જોઈયે.”

    Like

  8. સંપ્રદાય નું અનુકરણ કરવાથી ઝડતા, કટ્ટરતા અને અંધવિશ્વાસ વધે છે અને તેની સાથે વ્યક્તિવાદ વકરે છે .
    પહેલા ગુરુ નો જન્મ માણસો ના દ્વારા થાય છે અને પછી તેમાંથી સંપ્રદાય બને છે જેમની એક સીમા હોય છે,
    એકાકાર હોય છે અને પૈસા ની બોલી માં ચડસાચડસી થાય છે. સંપ્રદાય ઉત્પન્ન થવાથી ધીમે ધીમે ઘર માંથી
    મંદિરો અને પછી સારા નરસા કામો માટે આશ્રમો નિર્માણ પામે છે. આના માટે જવાબદાર હોય તો તેના અનુયાયીઓ જ છે
    જે પોતાની જિંદગી અને મૂડી ઠગ સાધુઓ ને સમર્પિત કરે છે. ફક્ત ગુજરાત માજ સ્વામીનારાયણ સંપ્રદાય
    લોકો ના ખિસ્સા ખાલી કરી ને પોન્ગરતો જાય છે અને બીજી ગણી બદી તેમાં ઘુસી ગઈ છે. આ સાધુઓ ને ખબર છે
    કે ગમે તેટલા રૂપિયા બનાવીશું કાયદો અને નેતાઓ તેમની સાથે જ છે એટલે તેઓની લીલા લહેર ચાલ્યા જ
    રાખવાની કોઈ અટકાવી શકશે નહિ. તમે ફક્ત રાજકીય આંદોલન જ કરો છો કદી કોઈ આવા જુઠા સંપ્રદાયો વિરુદ્ધ પણ
    જલદ આંદોલનો થવા જોઈ એ. જે માનસ ને માનવતા વિષે ૫ મિનીટ બોલતા ના આવળે તે સંપ્રદાય નો પ્રમુખ સ્વામી થઇ જાય. દેશ વિદેશ માં મંદિરો ખોલી ને લોકો ની મૂડી વેડફી નાખે અને મંદિરો તો વગર નુકસાને નફો જ કરાવે છે ને? ગુજરાત માતો આ સંપ્રદાયે હદ કરી નાખી છે. જ્યાં ત્યાં મંદિરો બંધાવા માજ પડ્યા છે. સંત તો પોતાના કમાયેલા પૈસા થી જ લોકો ની સેવા કરે તે જ સંત. પ્રમુખસ્વામી ને આપ્ણે શું કહીશું
    જેઓ લોકો ના ખિસ્સા માંથી લુંટ્યા વગર પટાવી, ધમકાવી, જબરજસ્તી થી લઇ જાય છે. અરે નવાઇ ની વાત તો એ છે કે જે અનુયાયી ને પોતાની માતા નો જન્મ દિવસ યાદ નથી તેઓ આવા લોકો ના જન્મ દિવસે દુર દુર થી આચી લાખો રૂપિયા બાબા ના ઘોડિયામાં નાખે છે. આ કેટલું ઉચિત છે. ઠેર ઠેર ગુરુકુળો ખોલી ને કુમળા બાળકોને પોતાના સંપ્રદાય તરફ ખેચી જાય છે. પણ લોકો હજુ આંધળા છે અને આ સાધુઓ હજી જાગૃત છે .
    મંદિરો ખોલવાથી લોકો નું જીવનધોરણ ઊંચું ની આવે પણ આ લોકો નું જરૂર આવશે. આવા લોકો ના લીધે જ
    ધર્મ આજે હોસિપાત્ર બની ગયો છે તે સત્ય સ્વીકારવું પડશે.

    Like

    1. “Shabdsoor”જીને જો કોઈ સંપ્રદાયનો ખરાબ અનુભવ થયો હોય તો તે બાબતમાં તેમને કહેવાનો ચોક્કસ હક છે! લોકોના વિચાર બહાર આવે તો જ દુનિયાને ખબર પડે કે જે તે સંમ્રદાયમા શું ચાલી રહ્યુ છે!

      Like

  9. Excuse i am not follower of swaminarayan sampraday but i feel we should not comment any sampraday here without knowing any thing in deep

    Like

    1. આવા સંપ્રદાયો અવૈજ્ઞાનિક વાતો ફેલાવતા હોય તો એમની ટીકા શા માટે ના કરવી? ધાર્મિક સંપ્રદાય હોય એટલે શું સિક્કો વાગી ગયો કે એના વિરુદ્ધ બોલાય જ નહિ?

      Liked by 1 person

  10. ધર્મ કહે છે, જેટલા સારા તેટલા મારા. સંપ્રદાય કહે છે, જેટલા મારા તેટલા સારા.
    વીક્રમ દલાલ (અમદાવાદ)

    Like

  11. one may go through all links and find facts about religion.

    ફક્ત ગુજરાત માજ સ્વામીનારાયણ સંપ્રદાય
    લોકો ના ખિસ્સા ખાલી કરી ને પોન્ગરતો જાય છે અને બીજી ગણી બદી તેમાં ઘુસી ગઈ છે. આ સાધુઓ ને ખબર છે
    કે ગમે તેટલા રૂપિયા બનાવીશું કાયદો અને નેતાઓ તેમની સાથે જ છે એટલે તેઓની લીલા લહેર ચાલ્યા જ………….you may read this link fully

    http://www.swaminarayan.org/faq/index.htm

    Like

  12. આ લેખમાં ધર્મની વ્યાખ્યા સમજાવવા “ગીતા” ના સ્લોક્નો ઉપયોગ થયો છે. તો ગીતા, રામાયણને મહાકાવ્ય સમજતા લોકોની સમજ ખાતર “History Channel ” દ્વારા પ્રસારિત વિડીયો લીન્ક મૂકુ છુ જેમાં શ્રીક્રુશ્ન ની હયાતીના પુરાવા અને હિન્દુ સંસ્ક્રુતીના પુરાવા ૩૦,૦૦૦ વર્ષથી પણ વધુ જૂના હોય તે પુરવાર થાય છે.

    The Ancient City of Dwarka & some older cities as old as 30,000 yrs found under sea near City of Khambhat…

    Like

  13. ડો. અનીલ કાણેએ આપણને ધર્મ અને ઉપાસના પદ્ધતિની વચ્ચેની સાચી સમજ

    આપવાની સાદી ભાષામાં કોશિશ કરી છે,જે ઘણી સમજણ આપી જાય છે.

    સાચો ધર્મ માનવતા,શુશ્રૂષા,દયા અને લોકસેવા છે જે અત્યારના વાતાવરણમાં

    અને લોકો સંપ્રદાયની અલગ પાડતી દીવાલ કરીને લઈને સહુકોઈ પોતાનો

    સ્વાર્થ સીધો કરતા થઇ ગયા છે, આડંબરો અને અભિમાનોથી મોટા દેખાવો

    કરીને ધર્મનો,નહિ અરે સંપ્રદાયોના ગુણગાન ગાયા કરે છે!!.

    લેખો રજુ કરતા રહ્યા છે,જેમાંથી ઘણાં લોકોને ધર્મ અને ધતિંગ વચ્ચેનો

    તફાવત સમજાયો હશે,આમતો ગુજરાતી આમ આદમી બહુ પુસ્તકો વાંચવાલાયક

    પુસ્તકોતો વાંચતો નથી પણ કથા,કીર્તન,ભજન,મંદિરે જવું એનેજ ધર્મ માને છે,

    કોઈકોઈ વાર માણસ છે એટલે કોઈ કરુણ કથની સાંભળીને હૈયું ભરાઈ આવે

    ને બેપાંચ પૈસાનું પોતાની હાલત.હેસિયત મુજબ દાન પણ કરી નાખતો હોય છે.

    અને પોતાને ધાર્મિક માની લ્યે છે!!

    આપણા કહેવાતા ધાર્મિક,અરે ઉપાસના પદ્ધતિના પ્રચારકો સાચી સમજણ પાડતા નથી.

    આ બેશબ્દ લખનારને કોઈ ઉપાસના પદ્ધતિમાં વિશ્વાસ નથી પણ માનવ ભાવનામાં

    શ્રદ્ધા છે,તેથી કોઈ પણ શબ્દોકે શ્લોકો ટાંકવા મુનાસિબ અને યોગ્યતા નથી લાગતી,

    સંસ્કૃતના ઘણાં પુસ્તકોમાં ઘણું જ્ઞાન છે પણ આપણે ત્યાં હરહમેશ ધર્મપુસ્તકોનો

    આશરો લઈને બચાવ કરવા આપણે ઢાલ ધરતા હોઈએ છીએ.

    અમુક વાંચક મિત્રોએ કહેવાતા ધર્મના ધુરંધરોની ટીકા કે વિવેચના કરી છે

    તે જરા પણ ખોટું નથી,સારા વિચારોની આપલે થવાથી ગૂંચવાડા સુલ્ઝાવામાં

    મદદરૂપી થાય છે, અને બધાય લોકોની વિચારો રજુ કરવાની કુનેહ સરખી પણ

    નથી હોતી.

    શ્રી ગોવિંદભાઈ મારુનો ફરી આભાર કે તેઓ હરહમેશ નવી નવી વાતો ને વિષયો

    આપણા સમક્ષ રજુ કરતા રહે છે.

    Like

  14. કર્મનો મર્મ

    કર્મનો મર્મ મર્મથી ધર્મ ધર્મથી નીતિ હું સમજી
    કર્મ અકર્મ વિકર્મની સાથે સુકર્મની રીતિ હું સમજી

    રોજ રોજની રટમાં જો હું શુધ્ધભાવ ભરી રાચું
    કામ-કાજ ને ફરજ – કરજમાં, કરી શકુ હું સાચું

    સત્-સંસારમાં જીવી રહીને, સંતની પદવી પામું
    સુખ ચેનમાં રહ્યા છતાંયે, જનકરાજ કહેવાવું

    યમનિયમના દસ સાધનો, માત પિતાથી શીખી
    સમભાવ સમતોલન ભક્તિ, ગુરુકૃપાથી પામી

    શ્યામની ગીતા દીપક મારો, ઘનઅંધાર હટાવે
    રામ ને સીતા હાથ ઝાલીને, સરયૂ પાર ઉતારે
    ——————- સરયૂ પરીખ
    http://www.saryu.wordpress.com

    Like

      1. આભાર. ઘણા વર્ષો પહેલા, ‘વિનોબાની વાણી’ જેલમા હતા ત્યારના પ્રવચનોનુ પુસ્તક વાંચ્યા પછી સમજ અનુસાર લખાયેલ. નમસ્તે. સરયૂ

        Like

  15. માનવી નો ધર્મ છે માનવતા. જગત ના જેટલા પણ “ધર્મ”, જે જે “ધર્મ” થી ઓળખાય છે, તે સર્વે માનવ સર્જીત જ છે.

    કાસીમ અબ્બાસ

    Like

    1. સરયૂબહેનની કવિતા તો ખૂબ પ્રેરણાજનક લાગી. વિનોબા ભાવેજીના પુસ્તક વાંચનની આ કમાલ છે જાણી આશ્ચર્ય તો જાણે શમી ગયું! કેમકે પ્રભુ પ્રેરણાનાં રોમાંચથી વધુ મોટું રોમાંચ અને આશ્ચર્ય પણ બીજુ શું હોઈ શકે! પ્રભુ પ્રેરણા કયા કયા સ્વરૂપે, કયા કયા સમયે અને કોના કોના થકી આવે એ જો જાણી શકાય તો પછી પ્રભુ લીલાનુ માહત્મ્ય જ શાનુ! કર્મયોગમાં જ્યારે ભક્તિયોગ ભળે ત્યારે જ્ઞાનયોગ શૂર મિલાવ્યા વગર છુટકો જ ક્યાં છે! આપણો નરસૈંયો પણ કઈ મોટી પાઠશાળામાં કવિની ડીગ્રી લેવા ગયો તો? શામડિયાની સોડમાંથી નીકળવાની એને ફૂરસત જ ક્યાં હતી?
      સરયૂબહેન તમે પણ અવારનવાર તમારા વિચારો અને તમારી ક્રુતિઓ રજુ કરતા રહેજો.
      કાસીમભાઈના વિચારો પણ ખુબ પ્રેરણાજનક છે તો તમે પણ અવારનવાર કંઈક લખતા રહેશો તેવી આશા સાથે નમસ્કાર.

      Like

  16. આપણાં મહાન ગુજરાતી કવિ અખા ભગતની સાદી પણ સચોટ વાણીમાં કેટલો મર્મ અને ધર્મ વિશેની ઓળખ આપીછે તે તેમના જાણીતા અને લગભગ વારંવાર લોકો ટાંકતા રહે છે તે છપ્પા પણ ફરી ગોખી જવા જેવા છે!!
    “એક મુરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ,
    પાણી દેખી કરે સ્નાન,તુલસી દેખી તોડે પાન,
    એ અખા વડું ઉત્પાત,ઘણા પરમેશ્વર કે ક્યાંની વાત (૯૮)
    પંડ પખાળે,પૂજે પહાડ,અને મનમાં જાણે હું તો જાણ;
    આપે આત્મા ને બહાર ભમે,મૂરખ સામો માંડી નમે.
    ડાહ્યા પંડિત થઇ જે આદરે,તે અખો મન્ય કેમ ધરે? (૯૯)
    એક પરમેશ્વર ને સઘળા પંથ,એ તો અળગું ચાલ્યું જંથ.
    જ્યમ અગ્નિ અગ્નિને સ્થાનક રહ્યો,અને ધુમાડો આકાશે ગયો,
    પણ અળગો ચાલ્યો તે ક્યમ મળે? એમ અખા સહુ અવળા વળે.(૧૦૩)
    આવાતો અખા ભગતના અનેક ચાબખાઓ છે તેમના કાળમાં પણ ધર્મના નામે જે ધતીંગો ચાલતાં તેમના પર તીખા પ્રહારો અને કટાક્ષો
    તેમણે સમાજના લોકોને સાદી સમજ આપવા માટે કર્યાં છે,પણ સમાજમાં કશો ફેર નથી પડ્યો,પણ મુઠ્ઠી ભર લોકોને તેમનું જ્ઞાન લાધ્યું,જે આજે પણ આપણાં બધાં માટે પ્રેરક અને દીશાદર્શક બની રહ્યું છે. સમાજની માન્યતા અને કહેવાતી ધાર્મિકતા બદલવી એક કપરું કામ છે,તેમ છતાં જે લોકો માનવતા અને સેવાનું કામ રચનાત્મક ધોરણે કરતા હોય છે તેમનું પરિણામ સારું જ આવતું હોય છે. આ ચર્ચા રસપ્રદ છે,જે છાશ વલોવાય ને માખણ સારું ઉતરે તેમ આવી ચર્ચા ખેતરમાં ‘ખેતીનું પાણી’ મળે અને મોલનો પાક સારો થાય તેવી વાત છે ! શ્રી ગોવિંદ ભાઈ મારૂ આપનો આ શિક્ષા યજ્ઞ ચાલુ રાખશો.અમારા જેવા કેટલાય તમારી સાથે છે!!

    Like

  17. Religion is the biggest BUSINESS in India and around the World. It has done more harm than anything else. DHARMA means DUTY in a Society towards All Other Living Beings, including Animals and Environment. The World is Sufferring due to WARS in the name of Religions. Gurus, Priests, Mullahs, etc. are making a Living without working. They Misguide Simple People and Dupe them. Don’t Give/Pay any Money to them. This is the shortest way to Eliminate them from the Society. Let us Start One Person at a time. I have been doing this for quite some time. The Time is Past for Reading, Talking, Writing, etc. This is The Time to Act.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

  18. દેશપ્રેમીઓ માટે આજે ટાગોર-જયંતી છે.
    બાકીના સૌને માટે આમીર-ખાનનો સંદેશ છે કે તેઓ તો ફક્ત ‘સત્યમેવ જયતે” દ્વારા પ્રશ્નોને વાચા આપનાર જ છે. એ સમસ્યાઓનો હલ કરનારા નથી. આમીરભાઈએ સહેલો અને પ્રસંષા આપનારો રસ્તો લીધો છે. માથાના દુ:ખાવા જેવો સમસ્યાને હલ કરવાનો અને સુઝાવ આપવાનો બોજ તો કોઈ મુરખ ગાંધીવાદી સમાજસુધારક પર છોડી દીધો છે! આમીરસાહેબને ૧ લાખથી પણ વધુ લોકોએ ધન્યવાદના ફોનકોલ કર્યા છે. આમીર સાહેબને મારા પણ ધન્યવાદ કારણ કે ખાનસાહેબને ખબર છે કે સુઝાવ વગરના લેક્ચરો સાંભળવાની અને વાંચવાની તો ભારતની જનતાને ટેવ જ પાડી ગઈ છે.
    અરે સાહેબ, પાયાની ઈંટ થઈએ તો ગોદા જ ખાવા પડેને! ઝરુખાની ઈંટ થઈએ તો નામના મળે!
    देख तेरे संसारकी हालत क्यां हो गई भगवान! कितना बदल गया इन्सान! आया समय बडा बेढंगा, नाच रहा नर हो के नंगा!…….

    Like

    1. કૉમેન્ટ પર ‘લાઇક’ ક્લિક કરાતું હોય તો હું આ કૉમેન્ટ પર ક્લિક કરૂં છું.

      Like

      1. Dear Dipakbhai,

        I am really surprised that you liked Ashwin Patel’s above comment. He has a habit of negative and sarcastic opinion for other people’s work.

        As for Amir Khan’s impact, he has done more in 90 minutes than anyone else has done so far. Several events have already happened because of his program and we will know about more of them in days to come.

        Deep-rooted malaise in our society needs to be first addressed, and then people need to be gathered in its support, which gets the authorities moving. This is just the first step. Often, that is not enough. The enemy is spread thought out the country. We do not take law in our hands. That is how things work in Democracy. Let us not judge anyone so hastily.

        It is true for Anna Hajare’s work as well. He brought one of the major problems we have today on the national scene. We got to see first hand how the Parliament and Parliamentarians operate. The problem is so serious; it will take lot more effort to make even a dent into it. We have to credit the people who built the foundation for it.

        It is in our “culture” (for that matter in whole world) for opportunist people to join the “band wagon” to further their personal interests. Anna may not have a quality to spot such people or even may lack strong leadership qualities, but that is not his fault. He took on the mighty government with whatever little he has, which showed at the Ramlila ground. He did make a tactical mistake for his Bombay gathering, for which we should not write off everything else he has done. Somebody has to start the movement for it to get going. Now it is for other people to take the leadership if India is serious to get rid of the corruption. (Gandhiji is not borne every year.)

        If someone believes that a “Divine being” will descend from heaven to solve our problems, has a very long wait if it ever happens.

        It is too much to write in a response column. I am working on an article to address several eccentric comments made on this blogpost recently. It may take a while for it to appear here as several other articles are already in line waiting for their turn.

        Like

  19. અરે! શ્રી મુરજીભાઈ,
    મારી નાની વાતમાં તો તમે અંગ્રેજીમાં મોટુ લેક્ચર ઝાળી દીધુ! આદરણીય દીપકભાઈ પર થૂક ઉડાડવાને બદલે એ થોડા શબ્દો ટાગોર જયંતિ નીમિતે ટાગોરજી માટે અથવા તો કવિ પ્રદીપની રચના ( देख तेरे संसारकी हालत क्यां हो गई भगवान! कितना बदल गया इन्सान! आया समय बडा बेढंगा, नाच रहा नर हो के नंगा!…….)સંદર્ભે કવિ પ્રદીપ માટે વાપર્યા હોત તો સહેબ, દેશભક્તિનો અને ક્રાંતિનો રંગ જામત! દેશભક્તિ અને ક્રાંતિના રંગ વગર ચીતરેલું તમારુ આ રેશનાલીશ્ટ લોકશાહીનુ પિક્ચર મને તો ખૂબ બેડોર લાગે છે!
    તો મિત્રો, રેશનાલિશ્ટ તર્ક પ્રમાણે જો હીરાની પરખ કરવી હોય તો બધી ઝગમગટતી વસ્તુ ઉપર પહેલા કાપો મુકવો પડે! અને તેમ કરવા થકી જ હવે મારા ઉપર, મુરજીભાઈ જેવા ઘણા લોકો ગુસ્સે થયેલા છે, જે સ્વભાવિક છે! તો મારી ઉધ્ધતાઈને માફ કરશો! આ કાપો/ચીરો મુકવાની ઉધ્ધતાઈ મે અને મારા મિત્રે ( Park Land એ ) દીપકભાઈ સાથે પણ ઘણી વખત કરેલ છે અને જેમ હીરા પર સામાન્ય કાપાની કોઈ અસર ન પડે તેમ આ સ્થિતપ્રગ્ન, પરિપક્વ અને અનુભવી લેખક્ના લખાણમાં સત્વિક્તાનો શ્રોત કોઈ પણ નીચભાવના વગર જળવાઈ રહ્યો. આદરણીય ગોવિંદભાઈ પણ પોતાનો ઉદ્દામ ભાવ જાળવી ક્યારેક ક્યારેક અમારી ઉધ્ધતાઈને સાચા હીરાની હેસિયતથી જીરવી ગયા! તો મિત્રો એક ઝવેરીની હેસિયતથી સાચા વાંચક બની અસલી હીરાને પારખતા રહો અને નકલીને એના સ્થાને જ રહેવા દો!
    બીજુ કે આમીરની ચાલતી ગાળીમા ઘણી સવારી થઈ રહી છે તે માહિતી બદલ મુરજીભાઈનો આભાર! મુરજીભાઈ પણ હવે અન્નાની બાબતમાં, આમીરની બાબતમાં અને રાજકારણની બાબતમાં પણ જરાય સંકોચ વગર મોટા સાદે બોલતા થઈ ગયા છે તે ખૂબ આવકારદાયક છે.
    મિત્રો, આપણને તો ફક્ત સાત્વિક બદલાવની જ ઉપાસના છે. તેથી આપણને ફક્ત બદલાવની સાથેજ મતલબ છે અને તે બદલાવ કોના થકી આવે તેની સાથે કોઈ મતલબ નથી! માનવ જીન્દગી આમ પણ સારા કામ માટે અને સારા વર્તાવ માટે ખૂબ ટૂકી છે તો ખોટી હુસાંતુસીને આપણી જીન્દગીમા સ્થાન ન હોવુ જોઈએ! એમાં જ તો પરમાર્થનો હેતુ છે અને પરમાનંદનો આનંદ છે.

    Like

    1. કોઈ કારણસર મને એક પણ કૉમેન્ટ વાંચવા મળી નહોતી. આજે ઓચિંતા જ અશ્વિન ભાઈની છેલ્લી કૉમેન્ટ વામ્ચી અને શ્રી મૂરજીભાઈએ મને સંબોધીને લખ્યુમ છે તે વાંચ્યું. શ્રી અશ્વિનભાઈની મૂળ કૉમેન્ટમાં આ શબ્દો ચેઃ ” સુઝાવ વગરના લેક્ચરો સાંભળવાની અને વાંચવાની તો ભારતની જનતાને ટેવ જ પાડી ગઈ છે.
      અરે સાહેબ, પાયાની ઈંટ થઈએ તો ગોદા જ ખાવા પડેને! ઝરુખાની ઈંટ થઈએ તો નામના મળે!
      મેં લાઇક કર્યું તે આ મંતવ્યને કારણે. શ્રી મૂરજીભાઈ પણ એમની કૉમેન્ટમાં કઈંક કરવા પર ભાર મૂકે છે. જો કે મેં એ આજે જ વાંચ્યું, સામાન્ય રીતે હું કોઈ કૉમેન્ટ વાંચવાનું ટાળતો નથી. એના પર લખું કે ન લખું, એ જુદી વાત છે. ક્યારેક સમયના અભાવે રહી જાય એ બને.
      હું માનું છું કે કઈંક કરવું જોઈએ.

      પરંતુ કોઈ એક માણસ ઉપાય સૂચવે અને બધા અમલ કરે એ ન બને. શ્રી મૂરજીભાઈની વાત સાથે સમત છું કે ગાંધીજી દર વર્ષે પેદા નથી થતા. આપણે સૌએ સાથે મળીને કરવું પડશે.

      ઇસ્લામમા એક હદીસ બહુ સારી છે. કઈં ખોટું જણાય તો એનો શરીરની પૂરી તાકાતથી મુકાબલો કરો. તે ન કરી શકો એમ હો તો બોલીને વિરોધ કરો. એ પણ શક્ય ન હોય તો મનથી વિરોધ કરો. એટલે કે ખોટૂ હોય તેને સાચું ન માનો.

      અહીં આપણે મળીએ છીએ તો કઈં નહીં તો બીજા તબક્કા સુધી તો પહોંચ્યા જ છીએ. આટલું નિરાશાજનક નથી. હું શ્રી મૂરજીભાઈને એક તટસ્થ્ભાવે, સૌમ્ય શબ્દોમાં પરંતુ સ્પષ્ટ લખનારા લેખક માનું છું. ઘના લેખો વામ્ચું છું એમાં સુધારાવાદી લક્ષણૉ જૌં છું. એમનું મહત્વ ઓછું નથી, તેમ છતાં તાત્વિક ચર્ચાની, ધર્મની શરૂઆતની, એનાં મૂળભૂત તત્વોની વગેરે વાતો શ્રી મૂરજીભાઈના લેખમાં મળે છે. માણસ પોતાની વાતને સાચી માને પણ સત્ય પર પોતાનો ઇજારો હોવાનો દાવો ન કરે એ બહુ મહત્વનું છે. મને શ્રી મૂરજીભાઈના લેખોમાં મને આ જોવા મળ્યું છે.

      અને અશ્વિનભાઈ તમે તો હંમેશાં મારા પ્રત્યે સૌજન્ય દાખવ્યું છે. ક્યાંક દલીલોના જોશમાં તમે કઈંક પડકાર રૂપ લખ્યું હોય તો મને એનો જવાબ આપવાની તક મળી એમ માનું છું. પરંતુ તમે અવિનય કર્યો હોય એવું લાગ્યું જ નથી તો એમાં મારી બાઘાઈ હશે, ઉદારતા નહીં! હવે ફરીથી તમારી બધી કૉમેન્ટ વાંચીને નવેસરથી ગુસ્સે નહીં થઈ શકું!

      ભાઈ પાર્ક લૅન્ડ જુવાન છે અને કદાચ આ બ્લૉગ પર જૂની પેઢીએ નવી પેઢીને શું આપ્યું એ મતલબની કોઈ કૉમેન્ટ કરી હતી. એમની વાત સાચી લાગતાં મેં એનો સ્વીકાર કર્યો હતો. એમણે પણ બહુ જ આદરથી જવાબ વાળ્યો હતો. તે પછી પણ કદાચ એક-બે બાબતોમાં અમે સામસામે થયા છીએ, પણ એમના તરફથી અવિનય? મને શંકા પણ નથી પડી!

      આનો અર્થ એ નથી કે અહીં જે કઈં લખાય છે તે અને લખવાની રીતો સાથે હું સંમત હોઉં છું. પરંતુ મારી જ રીત સાચી એમ પણ્ કેમ હોય? ઉપર મેં કહ્યું છે કે સત્ય પર કોઈનો ઇજારો નથી.

      ચર્ચા થાય ત્યારે આપણે એને કેન્દ્રમાં રાખીને વિસ્તાર કરીએ તો કઈંક આપણો ફાળો ગણાય, પણ ચર્ચા આડે પાટે ચડી જાય એવું પણ બનતું હોય છે. હું તો દસમાંથી નવ વાતો સાથે અસંમત હોઉં તો માત્ર એક જ મુદ્દા પર લખવાનું પસંદ કરૂં છું. જ્યાંથી સારૂં મળે ત્યાંથી લઈ લેવું. વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ ન ભૂલે એ તો યાદ હશે જ ! કારણ વગરના વિતંડાવાદમાં શું વળે?્માત્ર કોઈને હરાવવા માટે શા માટે લખવું. એના કરતાં એનો લાભ ન લેવો?

      આજે જરૂર છે એક દૃઢ મત ધરાવતા જૂથની. ઘણા જણ મળી રહેશે. આપણે સૌ અમુક મૂલ્યોમાં માનીએ છીએ અને એ મૂલ્યો હવે ધોવાતાં જાય છે. આ બાબતમાં સક્રિય બનીએ તો સારૂં. મતાભિન્નતા રહેશે જ પણ સર્વસંમતિ પણ બનશે, મને ખાતરી છે.

      Like

  20. MR. Ashwin Patel,
    I knew you were going to respond anyway. I was surprised that Dipakbhai liked your comment and wanted to know which part he really liked. He answered that now and the issue is cleared.

    To my writing responses in English, I have clarified it several times before. I won’t go in it again.

    This article was on defining the religion. Out of nowhere and no reference, you started criticizing someone, as usual for you, (Amir in this case) who is trying to do something good.

    You start by saying, દેશપ્રેમીઓ માટે આજે ટાગોર-જયંતી છે. બાકીના સૌને માટે આમીર-ખાનનો સંદેશ છે કે…………………….
    This also implies as whoever listened to Amir or appreciates what he is doing is not a Patriot!

    I have a question for you, If it was some other Hindu celebraty doing this show, would you have said the same thing?

    I see it as Amir’s humbleness for sying that he is only instrumental in this mission. He wanted to give the power and the credit to people for participating rather than himself taking the credit. He is truly being the foundation stone. Anyone with open mind can see that.

    Throughtout my two years of association with this blog, I have not used strong words or harsh language. Sorry to say that I have to do this with you as you do not seem to understand the gentel language.

    I have been reading your rude responses on other articles also. It seems that You are fundamentally against rationalism. In that case, why do you spend your time reading and responding here? Do you really think that we are going to change our thinking which we have adopted after life long experence, observation and thought process?

    I also like to repeat something that I have said many times before. We in general and I in perticular, are not here to change any hardcore believers like you. All this is written for those who do not like what they see around them under the name of religion and looking for an alternate. All rationalists today were borned in a religious family and have got to this stage after going through the same process described above. We like to give newcomers the benefit of our findings. For your information, there are many in that catagory. Incidentaly you are not one of them.
    You should be thankful that you are being tolerated here. Other places may not be so forgiving.

    And this is for everybody: I got a phone call few days ago. We talked about some good and bad about the rationalism and this blog. What is intereating is that the caller would not give his name. Unfortunately my landline phone does not have caller ID. This was not the first time or it won’t be the last time either. I am used to it, nothing new.

    Like

    1. Thank you Mr. Vikram Dalal. I have read your book, “Rationalistni Najre Gita” and talked to you about it on phone few years ago.

      It would help a lot if writers responded to the comments made to their article. Also, if other rationalists joined the debate to make it more interesting would serve the cause. I hope things change for better.

      Like

  21. And yes, you have talked about culture many times before. Culture is not what is written in books centuries ago. Culture is what we see happening around us in the PRESENT Times, good and bad together. Books are normally idealistic. They talk about how the things SHOULD BE and not how the things ARE. Even if the old books represent the society of that time, it was THEIR culture and not OURS. They are long gone and lot has happened since then. Our culture is what goes on right now. It sure isn’t anything to be proud of. Even you have said that.

    Gandhi, Tagore, Vivekandad and many more like them did a great job in their times. It is good to remember them, but we have to move on. We have to appreciate everybody around us for whatever they are doing to make things better and not just criticize them. All those good people in past were also criticized by their opponents to the extent that some of them were actually assassinated. Now we know who was right and who was wrong.

    I saw the video link you posted here and others, which came with it. Those are made by UFO enthusiasts, paranormal believers and some other publicity seekers. I have seen many more programs like this during past 40 years. Most notable was the one where the maker claims that the man never went to the moon. It was all US government’s Propaganda. Recently a Jain Muni has published a 240 page book claiming that the earth is not round, Nether it rotates around its axis, nor it revolves around the Sun. In fact, the SUN, Moon and everything else revolve around the stable Earth. There was a 30-minute film being shown in one place in Palitana. So much for such claims.

    All the video you posted proves is that there are remains of ancient cities off the coast of Gujarat. Agreed. Everything else they claim is their interpretation. Those are actually the remains of the towns from Harappan civilization. (I save the Krishna part for future)

    Like

  22. YouTube પર જે કઈં હોય તે બધું સાચું જ માનવાની જરૂર નથી હોતી. હકીકતમાં હડપ્પાથી પણ જૂની વસાહતના અવશેષ મળ્યા છે પણ એના વિશે નિશ્ચિતપણે જાણી શકાય એટલા વ્યાપક પ્રમાણમાં નથી મળ્યા.
    વળી, કૃષ્ણની કથા દ્વારકા સાથે જોડાયેલી છે. અને સમુદ્રની નીચેથી ચાર થરો મળ્યા છે, એ વાત પણ આજની નથી. છેક ૧૯૭૯-૮૦માં પુરાતત્વવિદ ડૉ. હસમુખ સાંકળિયાનું એક નાનું પુસ્તક ‘રામાયણ’ મેં વાંચ્યું હતું, એમાં એમણે દ્વારકામાં સમુદ્રી પુરાતત્વીય શોધખોળ વિશે પણ લખ્યું હતું. સૌથી નીચે જે દ્વારકા મળી છે તેનું વર્ણન મહાભારત સાથે મેળ ખાય છે. ત્યાંથી Painted Gray Ware (PGW) એટલે કે ચિત્રકામ વાળાં રાખોડી રંગનાં વાસણો વગેરે મળ્યાં છે. રોમમાં દારૂ રાખવા માટે વપરાતાં પીપ જેવાં પાત્રો પણ મળ્યાં છે.આનો અર્થ એ કે એ વખતે રોમ સાથે દ્વારકાનો વેપાર ચાલતો હતો.
    PGW દિલ્હીના પુરાના કિલ્લામાંથી અને કુરુક્ષેત્ર વગેરે સ્થળોથી પણ મળ્યાં છે. પુરાતત્વશાસ્ત્રીઓએ કાર્બન ડેટિંગ કરીને આ સમય ઇસુ પૂર્વે ૧૬૦૦-૧૨૨૦ હોવાનું તારવ્યું છે.
    દ્વારકાના જ પટ્ટા પર ઇરાનમાં(?) પણ સમુદ્રી તોફાન આવ્યું હતું એવા દસ્તાવેજો છે. પરંતુ આ સમય ૩૨૦૦-૩૫૦૦ વર્ષ જૂનો છે.બીજી એક લિંક પરથી આને લગતી વીડિયો આજે જ જોઈ, એમાં બહેરીન અને દ્વારકામાં સમુદ્રી તોફાન આવવાનો ઉલ્લેખ છે અને એમાંની કૉમેન્ટરી પ્રમાણે એ સમય ઇસુ પૂર્વે ૧૬૦૦-૧૫૦૦ વર્ષનો છે.
    તોફાન આવ્યા પછી જ મહાભારતની રચના થઈ હશે. આથી કૃષ્ણનો સમય પણ આશ્રે ૩૫૦૦ વર્ષનો ગણાય., સો-બસ્સો વર્ષ આગળ પાછળ માની લો.
    ‘કુરુક્ષેત્ર’ બ્લૉગવાળા આપણા મિત્ર શ્રી ભૂપેન્દ્રસિંહભાઈએ તો પોતાનો જેનોગ્રાફ કરાવ્યો છે. એમાં એક મુખ્ય માર્કર છે તે એમને મધ્ય એશિયા સુધી પહોંચાડે છે અને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મોટાભાગના લોકો અને ખાસ કરીને બ્રાહ્મણોની જીન-યાત્રા જોતાં તેઓ મધ્ય એશિયાથી આવ્યા છે. આ માર્કર દસ હજાર વર્ષ કરતાં જૂનો નથી. પણ શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના પૂર્વજો સીધા ભારત નથી આવ્યા. એમનામાં પશ્ચિમ એશિયા (મિડલ-ઈસ્ટ)ની વસતિમાં જોવા મળતો માર્કર પણ છે. સૌથી જૂનો માર્કર રશિયા સાથે સંબંધિત છે. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ આ વાંચશે અને ચર્ચામાં જોડાશે એવી આશા છે. આમ દસ હજાર વર્ષ કરતાં ઓછા સમયથી અહીં આર્યો દેખાય છે.
    મહાભારતની વાત કરી તો એમાં તો બાલ્હિકો, આભિરો, યવનો (કાલ યવન) અને મ્લેચ્છોનો પણ ઉલ્લેખ છે. આ બધા આર્ય નહોતા.
    તે ઉપરાંત ભારતની બહાર હિદુકુશ અને તેનાથી આગળ મધ્ય એશિયા તરફ જતાં જે વેદીઓ મળી છે તે ઋગ્વેદકાળની વેદીઓ કરતાં પ્રાચીન છે (લેખક રાજેશ કોછડ The Vedic People –લિંકhttp://iisermohali.academia.edu/ProfRajeshKochharTRUE/Papers/1170804/The_Vedic_People_Their_History_).

    Like

  23. Very interesting. I have a whole lot more to say on this topic but it would be a totally different subject and a lengthy write-up.
    I have also written an article on our ancestry, which I hope Govindbhai puts on this blog sometime or better yet, Dipakbhai you put it on your blog.

    Like

  24. (૧) “દેશપ્રેમીઓ માટે આજે ટાગોર-જયંતી છે. બાકીના માટે આમીર….”ના મારા statement માં મેં બે જ ગ્રુપનો ઉલ્લેખ કર્યો હતો! એક દેશભક્ત ગ્રુપ અને બીજું બહુ મોટું ” Who cares ” ગ્રુપ! દેશ-ગદ્દારોની વાત કરવામાં તો હું માનતો જ નથી કારણ કે તેમની વાત ના કરાય, તેમને તો ફક્ત ઠાર જ કરાય! Knowing your ego, Mr. Gada, I knew you were not going to wear a patriotic hat! “Who cares” perfectly fitted the arrogant head!
    (2) હવે ફિલ્મ-જગતની વાસ્તવિકતાનો વિચાર કરીએ તો બધાને ખબર છે કે આજનો સુપરસ્ટાર્સ ખાન-ટ્રાયો એકબીજાની હરીફાઈમાં ગળાબૂડ ડૂબેલો છે! “કોન બનેગા કરોડપતિ” ની ટીવી-સીરીયલ પછી શાહરૂખખાન અને “બીગ બોસ”ની ટીવીસીરીયલ પછી સલમાનખાનની બધી ફિલ્મો સુપેર-હીટ થઇ અને કરોડો રૂપિયા બનાવ્યા! તે હિસાબે આમિરખાનની પણ ટીવી પર ઉપસ્થિતિ predictable જ હતી! આમીર આમ પણ બધા ખાન-સ્ટારોમાં વધુ ક્રિયેટીવ છે તેથી તે પોતાની મુવ બીજાનું પરફોર્મન્સ જોયા પછી સૌથી છેલ્લે અને વિશેષ ઠબે જ કરે છે! આમીરે એક જર્નાલીસ્ટ ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યુકે “હું ટીવીના સ્ક્રીન કે રૂપેરી પરદાની બહાર, મને પોતાને રસ્તામાં કોઈ ચળવળને લઇ જતા જોતો નથી!”
    તો મિત્રો, આ રૂપેરી પરદાના કલાકારોએ અને ક્રિકેટરોએ અત્યાર સુધી કરોડો નહિ પણ અબજો રૂપિયા ભારતની જનતા પાસેથી ઉઘરાવ્યા છે પણ ભારતના ઇતિહાસમાં એમાના કોઈએ ભારતની જનતાના હિત માટે પેસાની વાત તો બાજુ પર રહી પણ પોતાની મફત લોકપ્રિયતાનો ઉપયોગ કોઈ મોટા પાયે થયો હોવાનો એક પણ દાખલો મારા ખ્યાલમાં નથી! ટાગોર જયંતી સમયે જ આમિરનો ઈન્ટરવ્યુ મારા વાંચવામાં આવ્યો તો આપણા અંગ્રેજીભાષ્ય લેખકશ્રીએ “આમીર મુસ્લિમ છે માટે” કહી પોતામાં ઊંડે છુપાયેલી કોમવાદની વિકૃતતા એક કુશળ રાજકીય ઠબે ઉછળી નાખી! સુપર-સ્ટાર્સ ખાન-ટ્રાયો આપણી વર્થલેસ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે તે વાતની વાંચકોને યાદ દેવડાવવાને બદલે આપણા ખુબ સુધારાવાદી લેખકે કોમવાદનું હથિયાર ઉગામ્યું!
    લેખકશ્રી તમને એ પણ કહેવાનું ભૂલી ગયા કે, પશ્ચિમના દેશોના ફિલ્મ કલાકારો અને ખેલાડીઓ પોતાના અબજો રૂપિયા અને પોતાની બધી જ લોકપ્રિયતા પોતાના ચાહકો (પ્રજા)ના હિતમાં વાપરે છે! મોટી-મોટી ચેરીટી તો ઠીક પણ જરૂર પડે ત્યારે તેઓ પ્રજા માટે કે સુધારાઓ માટે રસ્તા પર આવી જાય છે! સરકાર અને મીડિયાથી માંડી બીજાબધા સ્થાપિત હિતોને ચેકમાં રાખે છે! જરૂર પડે તો “thought provoking” ડોક્યુમેન્ટરી દ્વારા સતાપલટો કરાવી નાખે છે! પ્રજાને હાનીકારક સરકારી નીતિઓને પણ નાબુદ કરાવી જાણે છે! અરે બીજા દેશોમાં થતા યુધ્ધના પરિણામો પણ બદલાવવાની શક્તિ ધરાવે છે! બંગલા-દેશની આઝાદીની બાબતમાં મોટાપાયે લોક જાગૃતિ લાવવા અને ધન-ભંડોર ઉભું કરવામાં “બીટલ્સ”એ પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરી અગ્ર ભાગ ભજવ્યો હતો!
    (continue…..)

    Like

  25. (પહેલાનું અનુસંધાન)
    (૩) આમીરે બહુ સ્પષ્ટ ભાષામાં અને બહુ જ વિવેક પુરવક “ટીવી અને રૂપેરી પર્દામાંથી બહાર નહિ નીકળવાની” પોતાની ઈચ્છા જાહેર કરેલી છે અને તે સાથે common sense ધરાવતા બધા લોકો જાણે છે કે પરિવર્તનની ચળવળ શેરીએ શેરીએ ન જાય ત્યાં સુધી ભ્રસ્તાચારમાં સંડોવાયેલ ગવર્નમેન્ટસ તરફથી કોઈ ફેરફાર સ્વેચ્છાએ થવાના નથી તો પછી તમે લોકોને ઉચી ઉચી આશાઓ શા માટે આપો છો? પશ્ચિમના દેશોની હોલીવુડ-સિલેબ્રીટીસના ડેડીકેસન અને high standards ની વાત તો તમે છુપાવી રાખો છો અને અન્નાને નાનો અને નીચો બતાવી આમીર માટે high expectation ઉભું કરવું એ શું ગેરમાર્ગે લઇ જનારો રસ્તો નથી?
    (૪) લોકો માટે પરિવર્તનની ચળવળ શેરીઓમાં લઇ જનારો વ્યક્તિ પણ ભારતમાં એક જ તો છે! તો મુબઈમાં અન્ન ફેલ, લાંબી દ્રષ્ટિનો અભાવ, leadership skill lacking, અન્નની આજુબાજુના માણસો કમજોર કે ભ્રસ્ટ વગેરે વગેરે પણ બધું ગેરમાર્ગે જ દોરનારું અને મંદિરમાં સાધુની જેમ રહેનાર અન્ના માટે negative image આપનારું નથી?
    અન્નના જ સાથી શાંતિભૂષણએ આજ થી લગભગ ૪૫ વર્ષ પહેલા લોકપાલ બીલ લોકસભામાં પહેલી વાર રજુ કર્યું ત્યારથી આજસુધી ભ્રસ્ટ નેતાઓએ બીલને પાસ ન થવા દીધું અને હવે તે પાસ થશે તે કોના પ્રયત્નો થકી હશે? મુંબઈમાં અન્નનો drawback માટે કોણ જવાબદાર? શું “Who cares” ગ્રુપ જવાબદાર નથી? શું ૭૫ વર્ષના વડીલ, કદાચ college graduate પણ નહિ હોય તેવા યુદ્ધના મેદાનમાંના લશ્કરી ખટારાના ડ્રાયવર આ વયોવૃદ્ધને શેરીઓમાં લોકો માટે જ (કારણ કે પોતાને તો ફેમીલી પણ નથી) લડતા જોઈ તમારી આંખોમાં શું પાણી પણ નથી આવતા? એને પણ તમે શું હિંદુ છે કહી કોમવાદમાં ફસાવી દેશો? આતે કેવો અહંકાર! અ તો કેવી કટ્ટરતા! શું મુડીબા ભુલાઈ ગયા? શું કજરીવાલ ભારતમાં બુદ્ધિશક્તિ અને સમર્પણનું પ્રતિક નથી? I.I.T. graduate અને ભારતની income-tax branchના હેડને શું ભારતમાં કરોડો રૂપિયા બનાવવાનું શક્ય નહોતું તે સમાજ સુધારકનું ઘેલું લાગ્યું? શું ભ્રસ્તાચારીયોની આટીઘુટીથી ખંડિત ભારતના કાયદા common senseને ગીરે મુકીને નિર્દોષને તો શું પણ ભારતની આખી જનતાને ભ્રસ્તાચારી સાબિત કરવામાં સક્ષમ નથી? કોંગ્રેસ ગવર્નમેન્ટે જ એ સાબિત કરી તો આપ્યું? શું જીંદગીમાં કદી લાંચ આપવા નો ભ્રષ્ટાચાર પણ ન કર્યો હોય તેવો કોઈ વીરલો છે, ભારતમાં?
    જેના મોઢામાં સત્યનું બળ હોય, જેની ચાલમાં ૭૫ વર્ષે પણ સિહની અદા હોય, જેના હાથમાં અહિંસાનું હથિયાર હોય અને જેના ર્હદયમાં ભારત માટે અને ભારતની ભાવી પેઠી માટે કુરબન થઇ જવાની જ આગ લાગી હોય તેને ભલા મારી-તમારી કે બીજા કોઈની પણ શું જરૂર છે? આજના વિકૃત ભારતે ભલે ગાંધીના હાથમાંથી ગીતા અને મોઢામાંથી રામ છીનવી લીધા હોય પણ ગાંધી અન્નના રોમેરોમમાં વસે છે! ભલે ભગતસિંહના મોથામાંથી “ઇન્કલાબ” છીનવાયો હોય પણ તે અન્નાના જીભને ટેરવે હજુ પણ વસે છે! ભલે સરદારની પીઠમાં ખંજર ભોક્યું હોય પણ સરદાર અન્નાની ચાલમાં વસે છે! ભલે મૌલાના આઝાદની ટોપી છીનવાઈ ગઈ હોઈ પણ મૌલાના અન્નાની મક્કમતા અને વફાદારીમાં વસે છે!
    (૫) તો સાહેબ, એક તરફ વાચકોને તમે ફિલ્મ અભિનેતા તરફ ઉચી આશા બંધાવો છે તો પછી ભારતની ભાવી અને યુવા પેઢીને નિરાશાનો સંદેશ શા માટે? “ગાંધી વારવાર આવતા નથી નો નિરાશાવાદ શા માટે? શું ગાંધી કે ભગતસિહ પણ એક સમયે સામાન્ય બાળક નહોતા? “અંગ્રેજો ભારત છોડો” અને “ઇન્કલાબ ઝીન્દાબાદ” તે માતાની કોખમાંથી શીખીને આવેલ? તો શા માટે આવો નિરાશાવાદ? શા માટે આવો miss-leading approach?
    (continue……)

    Like

  26. શ્રી કાણે સાહેબનો લેખ વાંચીને મારી આંખોના ખુણા થોડાક ભિંજાઈ ગયા, પણ અમુક કોમેન્ટો વાંચીને મારી આંખો સુકાઈ ગઈ……કેવુ આશ્ચર્ય……

    Like

  27. What an arrogance, what a doublespeak and what a twisted mind. I was advised by a good friend not to waste my time and energy with you. May be I should have listen to him.

    Since I did not, I will clarify few worthwhile points you raised and ignore the garbage coming from you. It is not worth the time and effort.

    This is what I had written earlier in one of my response. And I quote,

    “Sure, all kind of social problems could be discussed on rationalist blog. But, that is Govindbhai’s prerogative for this blogspot. We, however, should not crowd every article with the same issues. Actually, corruption is a huge problem and everyone is aware of it. It needs more doing and less talking. One of the ways to do it is to support Team Anna.”

    And now you are lecturing me on that.

    Everyone in film industry, in Cricket, in politics, in business etc. is after making fast money. Why name only Khan brothers? I don’t know what Amir’s intentions are for doing the show. Regardless of that, He sure is doing a great service with his program. Why can’t you appreciate that instead of criticizing him?

    I was also hinted about your racizm. Looks like I hit the spot. Or else, you would not have turned it around.

    You talked a lot about patriatism. Tell me where you live, and then we will talk about YOUR patriatism.

    Like

    1. (પહેલાનું અનુંશંધાન)

      (૬) અર્કીઓલોજીસ્ટ પાણીમાં ડૂબકી મારી અવશેષો શોધે અને એ કેટલા જુના છે તે વિજ્ઞાનિક સાધનોથી નક્કી કરે, કમ્પુટર મોડેલ્સ, લોકલ માન્યતા અને પ્રાચીન પુસ્તકોના આધારે અવશેષોનો ઈતિહાસ સાથે સબંધ શોધે!
      પણ આપણા લેખકશ્રી ઘરની બહાર એક પણ ડગલું ભર્યા વગર અનુંમાનોનું રીસર્ચ કરે!
      સરવડા અને બાદબાકીનું એવું ગણિત ગણેકે, આપણને ગ્રહો અને નક્ષત્રોની ગણતરી કરતા મહાજ્યોતિષશ્રીની યાદ આવે!
      અરે ભાઈ! અર્કેઓલોજી કેઈ તઘલખના તરંગો કે શેખચલ્લીની કલમ થોડી છે! સત્યની શોધ માટે તો એ બાબતના નિષ્ણાતોની સલાહ લેવાની પડે! પણ રાખે પોતાનો ઈગો હણાય કે આડંબર ઉઘાડો પડે તે બીકે ઘણા superficialist સત્યની શોધને avoid કરે!

      (૭) લેખન જગતમાં એક બાજુ સ્થાનિક ભાષાઓ બચાવવાની મોટી જુંબેશ ચાલે છે ત્યારે લેખકશ્રી English સિવાય બીજું કઈ લખતા નથી! પછી ભલેને, ગુજરાતી બ્લોગના વાચકને
      અંગ્રેજી આવડે કે ન આવડે! પ્રશ્ન પૂછો તો ઉદ્ધાતાયનો જવાબ મળે કે તે બાબતે મેં પહેલા કહી દીધેલું છે તો ૧૦૦૦ પાનાની અ બ્લોગની PDF પર જવાબ શોધીલો! Is it a ignorance towards clients or અરોગન્ટ અહંકાર!!
      ભૂતકાળમાં પણ ઘણા વાચકોએ લેખકને “ઉકેલ વગરની રજુ કરેલી સમસ્યાઓ” પર ચોખવટ કરવાનું કહેલ તો અંગ્રેજીમાં જ જવાબ મળે કે “મારી જવાબદારી સમસ્યાઓ describe કરવાની છે અને ઉકેલ આપવાની નત્થી!” વાચક જરા વધુ પડકાર કરે તો જવાબ મળે કે ” who are you to ask me? What have you done for this? વગેરે, વગેરે!
      રાજકારણીઓ પણ પ્રશ્નોથી ઘભરાય કે પોતાનું છીછરાપણું ઉઘાડું ન પડે માટે સામેની વ્યક્તિ માટે મુજવણ ફરી પરિસ્થિતિ ઉભી કરે! લખાક્શ્રી પણ પોતાને અંગ્રેજી બહુ આવડે તેનો હાવ ઉભો કરે જેથી ઘણા લોકો રજુ કરેલ વિગતની ગુણવત્તા તપાસ્યા વગર જ ઈમ્પ્રેસ્સ થઇ જાય અને પ્રશ્નો ન પૂછે પણ ખાલી ગુણગાન જ ગાઈ! બીજો લાભ એ થાય કે જેને અંગ્રેજી ન આવડતું હોય અથવા ઓછું આવડતું હોય તેના પ્રશ્નોને અંગ્રેજી જવાબ મળે તેથી અંગ્રેજી જવાબનો પ્રતિકાર પણ ન થાય!
      આ તો કેવો સગવડિયા ધર્મ? કોઈ વાચકોને ખોટી આશા અપાય તો કોઈને ખોટી નિરાશા! ઘરમાં બેઠા બેઠા જ રિસર્ચનો ઢોંગ રચાય! પશ્ચિમની શીખવા જેવી વાતોને છુપાવાય અને પશ્ચિમની નિરર્થક વાતો પર કાગળના મહેલ રચાય! અંગ્રેજીનો હાવ ઉભો કરી અમુક લોકોને discussion માંથી દુર રખાય અને તેમના પ્રશ્નો દબાવી દેવાય! જરૂર પડે તો કોમવાદનો પણ સાથ લેવાય!
      ડો. કાણે સાહેબે ખુબ સદાય અને સફળતાથી ધર્મ અને સંપ્રદાયોની વાત કરી! કદાચ સગવડિયા ધર્મની વાત ફરી કોઈવાર કરશે!

      Like

      1. If you know about Carbon 14 dating system, tell us about it. Then I will tell you that and other dating systems, which go beyond carbon 14 system and used by Archeologists and Anthropologists. I can tell you about the “Half Life” related to this as well.

        You did not tell us where you live but You again shown your twisted mind. Don’t need to prove it over and over. We all know that by now.

        Like

  28. Only because he is a muslim. Some psudo-Hindus do not believe in “vasudhaivakutumbakam” and believes that by default all Hindus are good and all muslims are bad, including Bismillahkhan, Dr. A.P.J. Kalam, Naushad, Zakirhusain, Amajad Ali Khan……etc.

    Like

  29. ધર્મ શબ્દને બહુ ઉછાળ્યો, પોત પોતાના જ્ઞાન મુજબ બધાએ સારી સારી વાતો લખી. સંત તુલસીદાસ કહે છે:

    दया धर्मका मूल है, पाप मूल अभिमान
    तुलसी दया न छान्दिये, जब लग घटमे प्राण.
    દયા=માનવતા=ધર્મ
    વધુ શું લખું? આટલુંજ આવડે છે.

    શ્રી જગજીત સિંહનું ગીત સાંભળો: http://www.youtube.com/watch?v=M3qCzUBCJGI
    मै न हिंदु न मुसलमान, मुजे जीने दो.

    Like

  30. Yes, there are lots of “indifferent” people who don’t care about what happens in the country. That does not mean people who do not celebrate “Tagore Jayanti” are ALL “indifferent” type.

    There is a difference between Patriots and Nationalists. Some of the nationalists could be extremists as well, while they pretend to be patriots. For example: Gandhiji was Patriot, while people who wanted to kill him were extreme Nationalists. Extremists, whether they are Nationalists, religious fundamentalists, communists, capitalists or any other ideologists, could cause damage to the society. (This is true for their public life and not a private life. Extremism in a private life is totally different matter.)

    I request Govindbhai to be vigilant to spot such extremists who may be trying to hijack this blog in a direction other than its original intent.

    Like

    1. રેશનલ વિચારોને એક અવસર:

      પ્રશ્ન # (A) : અંધશ્રદ્ધા અને આડંબર વિશેના લેખો ક્યાં રજુ કરવામાં આવે?
      જવાબ : શ્રી ગોવિંદભાઇના બ્લોગ પર.
      પ્રશ્ન # (B) આ બ્લોગ પર અંધાશ્રધામાં માનનારા લોકો કેટલા?
      જવાબ : લગભગ કોઈ નહિ.
      પ્રશ્ન # (C) અંધશ્રદ્ધા અને આડંબર વાળા લોકો કયા સ્થળે વધુ હોય?
      જવાબ : તીર્થ સ્થાનોમાં ને મંદિરોમાં.
      પ્રશ્ન # (D) તો અંધશ્રદ્ધા અને આડંબર વાળા લોકોનો સામનો કરવા ક્યાં જવું પડે?
      જવાબ : તીર્થ સ્થાનો અને મંદિરમાં.
      પ્રશ્ન # (E) તો મંદિર અને તીર્થ સ્થાનોથી દુર રહેવાની સલાહ શું યોગ્ય છે? તો કેમ?
      જવાબ: સલાહ યોગ્ય નથી. કેમ કે બધા સારા લોકો જો મંદિર અને તીર્થ સ્થાનેથી દુર રહે તો, અંધશ્રદ્ધા અને આડંબરને (એ સ્થાનો પર ) રોક ટોક સિવાયનું ખુલ્લું મેદાન મળી જાય અને તેથી અંધશ્રદ્ધા અને આડંબર એક્ચુલી વધુ મજબુત બને.
      પ્રશ્ન # (F) શું ગોવિંદભાઈના બ્લોગનું કામ અંધશ્રદ્ધાને અને આડંબરને વધુ મજબુત કરવાનું છે?
      જવાબ : હરગીઝ નહિ.
      પ્રશ્ન # (G) અંધશ્રદ્ધા અને આડંબરને અનાયાશે પણ થતી મદદ શું બંધ ન કરવી જોઈએ? અને તેના બદલે શું કરવું જોઈએ?
      જવાબ : એ ન્યુસંસોને થતી બધી મદદ બંધ જ કરાવી જોઈએ. તેને પહોચતા પૈસાના અને મદદના બધા રસ્તા બ્લોક કરી દેવા જોઈએ. સારા માણસોએ મંદિર અને તીર્થ સ્થાનો પર પોલીસની હેસિયતથી જઈ અંધશ્રધ્ધાળુ લોકોનો સાચી સમજ આપતા રહેવું જોઇયે. અને તેમની સાથે આત્મીયતા વધારતા વધારતા પરિવર્તનના સ્વપ્નને સાચું બનાવવું જોઇયે. અને તે સાથે સાથે આડંબરખોરોને પણ હેરાન કરતા કરતા અને તેમની પોલ બહાર પડતા પડતા તેમના પ્રયત્નોને સતત નાસીપાસ કરવા જોઇયે કે જેથી તેઓ પોતે ક્યાંતો સુધારી જાય અથવા તો ત્યાંથી ભાગી જાય.
      પ્રશ્ન # (H) ઉપર પ્રમાણે શું આડંબરને દુર કરવાના નામે જો આડંબરને મદદ થાય તો તે પણ આડંબર ન કહેવાય?
      જવાબ : મુરજીભાઇ ગડાને પૂછો.

      Like

      1. Very funny and interesting as well.

        FYI, everything you say IS happening. Just because you are not aware of it does not mean it is not. Writers write, teachers teach, field workers do their part, and so on.

        I have a suggestion for you. Start your own blog and I will be a visitor there. It is always easy to criticize someone or something than to create.

        By the way, why do you hide behind a “nickname”?

        Like

    2. ગળા સાહેબ, ધર્મ નો અર્થ સમજી ને અનર્થ કર્યો છે . આ વિષય પર ની ચર્ચા માં અશ્વિન ભાઈ પટેલ ની ચર્ચા સૌથી
      ચોટદાર રહી છે તે સ્વીકારવી રહી. તેવો ધર્મ ને સાથે લઇ ને ચર્ચા કરે છે અને વર્તમાન પ્રસ્શ્નો ને વાચા આપે છે .
      બીજા ની વાત સ્વીકારવી અને તેનું ધારદાર રજૂઆત યોગ્ય હોય છે. ધર્મ નો અર્થ તો ગાંધીજી પણ સમજ્યા ના હતા
      અને તેવો એ જમાના માં હિંદુઓ ની વિરુદ્ધ દ્રોહ કરી ૫૫ કરોડ પાકિસ્તાન ને સખાવત કરી અને ભારત ને બીન્સંપ્રદાયિક જાહેર કર્યો. તેમની ઈચ્છા મુસ્લિમો અહી પણ રહે તેના માટે પણ ઉપવાસ કરતા હતા પણ મુસ્લિમો દ્વારા ચલાવાતા કતલખાના બંધ કરાવવા એકપણ ઉપવાસ નહોતો કર્યો. આમ કરવાથી તેવો નારાજ થઇ જશે નો ડર હતો . આ જીદ આપણી પેઢી ને ઘણું નુકસાન થશે તે તો સમય બતાવશે. ધર્મ નો અર્થ ભારત માં ફક્ત એકજ સમુદાય ને માટે જ સર્જાયો હોય તેમ લાગે છે. રાજનેતાઓ ને આજે ધર્મ એટલે ઇસ્લામ નઈ પણ મુસ્લિમ થાય તેમ લાગે છે. હજ માટે હાજીઓ ની જબર જસ્ત સરભરા થાય એ ધર્મ નો અનર્થ છે તેમ કહેવાય. અને ભારત માં મુસ્લિમ રાષ્ટ્રપતિ બને અને સંરક્ષણ પ્રધાન ખ્રિસ્તી બને તે હિંદુ ધર્મ નો અર્થ કહેવાય.

      Like

  31. મિત્રો,
    આ બ્લોગ પર મારા વિચારો કે પ્રતિકાર દર્શાવવાની મારી તકો હવે નહીવત રહી હશે તેનો સ્વીકાર કરી, આપ સહુની નમ્રતા, વિવેક અને કદર બદલ ઋણની ભાવના રજુ કરું છું. બે-બે મહિના સુધી મારી ગુસ્તાખી અને આકરા સ્વભાવને શ્રી ગોવીન્દભાઈએ અને તમે સૌએ સહ્યો તે પ્રશંસાનીય અને આભારાજનક છે! “shabdshoor”જી એ હમેશા મારા માટે કુણો ભાવ બતાવ્યો અને વારંવાર ઉદારતાનો ટેકો આપ્યો તે બદલ તેમનો ખુબ ઋણી છું! Shabdshoorજી, તમારી રજુઆતમાં હમેશા સત્યનો રણકાર તો હોય છે જ પણ હવેતો વેધકતા અને નીડરતા પણ આંખે ઉડીને વળગવા માડી છે તો તે રજુઆતોને વળગી રહેજો અને આ બ્લોગને તમારી જરૂર રહેશે તો મુજ બુઝદિલ થકી તમે તમારી તક જતી નહિ કરતા! આદર્શ યુવા, “ભાઈ Park Land” અને બીજા જાણીતા કે અજાણ્યા સૌ શુભેછકોને પણ એ જ પ્રાર્થના!
    મિત્રો, આમ તો તમને કોઈને વ્યક્તિગત રીતે મળવાનો યોગ નથી થયો. આદરણીય ઉત્તમભાઈ ગજજરના પરદેશી મિત્રો કે જેમના કેટલાક મારા લોકલ મિત્રો હોવાથી શ્રી ગોવિંદભાઈના આ બ્લોગની લીન્ક મારા ઉપર ઘણા વખતથી આવતી હતી તો એક દિવસ ઉત્સુકતા પૂર્વકની વધુ નવરાશ મળતા આ બ્લોગ પર આવ્યો અને arguments કરવાની આદતો થકી રોકાય પડ્યો! ગુજરાતી લખવાની ટેવ તો પચ્ચીસેક વર્ષથી તદ્દન છૂટી ગઈ હતી તો ઉત્તમભાઈએ મોકલેલ અમુક લીન્કો થકી ગુજરાતી લખવાનો (ભારતમાં ગાળેલા વીસેક વર્ષ જુનો) મહાવરો ફરી પાછો કોઠે પડી ગયો! ૨ મહિનાના ટુકા ગાળામાં આટલું બધુ ગુજરાતી વાંચવાનો અને લખવાનો તમે જે મહામુલો અવસર આપ્યો તે બદલ શ્રી ઉત્તમભાઈ અને શ્રી ગોવિંદભાઈથી માડી આપ સૌ મિત્રોનો દિલના ઉડાણમાંથી આભાર માનું છું!
    આમ તો મારા વ્યવસાયમાં હું ખુબ વ્યસ્ત હોઉં છું અને લેખન જગત સાથે મારે જવ્વલેજ કોઈ લેવા દેવા રહે છે! પરદેશમાં જ જન્મી, પરદેશમાં જ મોટાભાગની જીંદગી ગાળવાથી પારકા દેશમાં પોતાની જાતને પ્રમાણીકતાથી અને અસરાતાપુર્વક વ્યક્ત કરવાનું મહત્વ ઘણા કુશળ વડીલો પાસેથી શીખ્યો છું અને તે સંદેશને આગળ વધાવવાની જવાબદારી પણ લેતો આવ્યો છું.
    તો મિત્રો, વિચારવિમશનો ફરી યોગ મળે કે ન મળે તો અ તકનો લાભ ઉઠાવી થોડા સામાન્ય સત્યો અને માન્યતાઓ તપાસી જઈએ! આપણી એક ચર્ચામાં કેટલાક મિત્રોએ (કદાચ દીપકભાઈએ જ ) જણાવ્યું હતું તે પ્રમાણે:
    (૧) સત્ય પર બધાનો સરખો અધિકાર છે અને સત્ય પર કોઈનો ઈજારો નથી, પછી ભલેને તે દુનિયાનો સૌથી મોટો ચમરબંધી હોય! “આપણે હમેશા સત્યની સાથે રહીએ” તે હમેશા સાવધાની પૂર્વક યાદ રાખવાનું છે. અને એનાથી ઉલટું જો “સત્ય હમેશા મારી સાથે જ છે” તેવો ભાવ બહુ રાખીએ તો અનર્થ થવાનો, ખોટો અહંકાર થવાનો અને તે થકી નિર્દોષને અન્યાય થવાનો પણ પૂરો ભય પૂરો ભય રહેલ છે
    (૨) આપણે જયારે સત્યની સાથે જ હોઈએ ત્યારે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, પછી ભલેને તે દુનિયાનો સૌથી મોટો ચમરબંધી કેમ ન હોય! સાથે એટલું પણ યાદ રાખજો કે સત્ય એ દુનિયાની સૌથી મોટી પણ સૌથી સસ્તી (એક પૈસાનો પણ ખર્ચ કર્યા વગર મેળવી શકાય તેવી) તાકાત છે અને તે પ્રભુની જ દેન તેવી દિવ્ય તાકાત છે! આપણે જો તે તાકાતની સાથે હોઈશું તો આપણને ચેનની નીંદર આવશે અને કોઈની સાથે દગાબાજી કે અન્યાય કરવાનો દોષ કે એ દોષનો ભાવ પણ નહિ લાગે!
    સાથે એ પણ જાણવું ઘટે કે શરુ શરૂમાં સત્ય પડકાર જેવું લાગે તો કોઈ કોઈવાર એકલવાયુ લાગે તો વળી કોઈવાર શરમજનક કે હાસ્યાસ્પદ લાગે! અને તેવી પરિસ્થિતિમાં સત્યને છોડી ભાગવાનું મન થઇ જાય અને જે સત્યથી ભાગે તે પામર છે , તે કાયર છે! પુરુષો માટે સત્ય એ મર્દાનગીનું કામ છે! કારણકે સત્ય પોતાની સાથે હમેશા નીડરતા લાવે છે, શૂરવીરતા લાવે છે, અને વાસ્તવિકતાની નીખાલાશીતા પણ લાવે છે !
    એક પ્રકારે જોતા સત્યનો સૌથી મોટો દોષ addiction (લત) છે! દારૂડીયાને જેમ દારૂની લત લાગે અને પોતાની બરબાદી વોહરી લે છે તે જ પ્રમાણે પણ તદન વિરુદ્ધ દિશામાં સત્ય તમને એની એવી તો લગની લગાવે છે કે સમાન્ય દેખાતો માનવ પણ મહામાનવની શક્તિથી માનવતાના પ્રેમમાં કે દેશના પ્રેમમાં કે પછી પ્રભુ પ્રેમમાં કુરબાની વહોરી લે છે અને દુનિયાની નજરમાં મહામાનવ થઇ જાય છે પણ સેતાનોની આંખનો કણો થઇ જાય છે! સેતાનની ઊંઘ તે હરામ કરી દે છે! સત્ય એક આવો ચેપી રોગ છે ને કે તે ખાલી કોઈના વાંચવામાં કે ખાલી સાંભળવામાં આવે તો પણ તેનો ચેપ લાગી શકે છે અને ભલભલા શૂરવીરને પણ ભાવવિભોર બનાવી રડાવી શકે છે!
    તો સત્યની સાથે રહેવું અને સત્યને વાગોળતા રહેવું તે પ્રભુની સાથે રહેવું અને પ્રભને વાગોળતા રહેવા સમાન છે! પ્રભુની સાથે રહેવાનો અને પ્રભુને વાગોળતા રહેવાનો ચસ્કો અને ચટકો કેવો હોય તે વર્ણવાની લાયકાત તો આ પામર જવામાં નથી આવી તેથી તે વાત તો નરશૈયા પર કે મીરાજી પર છોડી દઉં છું! લાયકાતની બાબતમાં તો એટલું જ કહી શકું કે જયારે પ્રભુની વાત કરવાની લાયકાત આવે ત્યારે પ્રેમની મહેક ઉઠે. દ્વેષ જન્માવતો મારો પામર જીવ તો એ લાયકાત માટે કોશો અને કદાચ જન્મોના જન્મો દુર છે! કેટલાક ઉચા જીવોના કથન પરથી એટલું જરૂર કહીશ કે સત્યને વાગોળવાના એટલેકે પ્રભુને વાગોળવાના સતત પ્રયત્નો જ છવાતે તો આદતમાં જ પરિણમશે અને આપણા રોજના કાર્યોને અને આપણી રોજનીશીને સાત્વિકતા બક્ષશે!

    Like

    1. મિત્રો, ( Perhaps, last but not least)
      “Shabdsoor”જીની કોમેન્ટ્સવાળા ગાંધીજીની જીંદગીમાં એવા અવનવા બનાવો બન્યા અને એવા અવનવા પરિવર્તનો આવ્યા કે પશ્ચિમના લોકો તો ઘણીએય વખત મોહનદાસ ગાંધીથી હેબતાઈ જ ગયા હશે! ગાંધીએ તેમને હેબતાવા જેવા કારણો પણ ક્યાં ઓછા આપ્યા! અંગ્રેજોની influence-વાળો દેખાતો શુટેડ-બુટેડ બેરિસ્ટર ગાંધી, ઓચિન્તોજ, જો શરીર પર ધોતિયા સિવાય બીજા કપડા પહેરવાના જ છોડી દે તો shock તો લાગેજ ને! અને તે સ્વાભાવિક પણ છે! પશ્ચિમવાસીઓને ચોક્કસ આપણો આ નગ્ન-ફકીર ગાંડો લાગ્યો હશે.
      હવે પશ્ચિમના દેશમાં ગાંડા માણસોનું પ્રમાણ એટલું બધું છે કે જનરલ પબ્લીકને પણ ખબર હોઈ છે કે ડાકટરો બે વસ્તુ પર મહત્વ આપે છે. (૧) દર્દીની જીંદગીમાં “Head trauma” જેવી કોઈ ઘટના ઘટી? કારણકે કાર અકસ્માતો, કે એમના એડવેન્ચરસ સ્વભાવને લીધે, કે પછી વ્યસનોમાં ભાન ભૂલીને થઇ ગયેલ મારામારીમાં કે રસ્તામાં કે ઘરે પડી જવાના બનાવોથી “Head injury” થવી તે બહુ common છે જેની તપાસ આ ડાકટરો સૌથી પહેલા કરે છે. (૨) વ્યસનોનું પ્રમાણ પણ એટલું મોટું છે કે ગાંડા વ્યક્તિની તપાસમાં વ્યાસનો તપાસ #૨ સ્થાન અપાય છે!
      તો આપણા ગાંધીને એ લોકો ગાંડો પુરવાર કરે તે પહેલા આપણે ઉપરની બે બાબતોની તપાસ કરી લઈએ! (1) “Head injury” ની બાબતમાં તો ગાંધીને માથા પર ઘણી બધી લાકડીયો પડી હશે પણ મારી દ્રસ્ટીએ અંગ્રેજોની અસરથી પ્રભાવિત હોય તેવા દેખાતા ગાંધીની જીંદગીમાં પહેલું તે એવું શું બન્યું કે ગાંધીને અંગ્રેજોની જ સામે પડવાનું ગાંડપણ ઉપાડ્યું? તો જવાબ હતો કે અંગ્રેજોએ તો મુર્ખ બની પોતાનું પેટ ચોડીને જ શૂળ ઉભું કર્યું! તેમણે શુટેડ-બુટેડ અંગ્રેજી સ્ટાઈલમાં રહેતા ગાંધીને દક્ષિણ-આફ્રિકામાં ચાલતી ગાડીએ મુસાફરીની ટીકીટ લીધેલી હોવા છતાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી નીચે ફેકી દીધા! ગાંધીને “Head injury” થઇ અને તેમની ડાગરી ચસકી ગઈ! અંગ્રેજોને એમ કે આ દાળભાત ખાઉં ગુજ્જુ શું કરવાનો હતો! પણ ગાંધીને આપેલી માથા પરની ચોટ અંગ્રજોને ભારે પડી ગઈ! (૨) હવે ગાંધીના ગળપણમાં વ્યસનોએ શું ભાગ ભજયો? તો આપણે ભણી ગયા હતા કે નાનપણમાં કોઈની પીધેલી બીડીનું થુથું પણ ગાંધીના હાથમાં આવ્યું હશે તો તેની મઝા પણ મોહનદાસે દિલથી માણી હશે! પણ સૌથી મોટું વ્યાસન જેણે ગાંધીને ગાંડો બનાવી દીધો તે હતું “સત્યનો ચસ્કો” અને “અહિંસાનો ચટકો”! આ હથિયારો બે હથિયારોની કીમત હજુ પણ તેની તે જ છે! ભાવમાં વધઘટ નથી થઇ, હજી પણ મફતમાં જ મળે છે! કારણકે ગાંધીના મૃત્ય પછી પણ અંગ્રેજોની જેમ કાળાબજારીયા હવે આ બે હથિયારોની કાળા-બજારી કરવામાં ઘભારાય છે કે રખેની તેમની હાલત પણ આ જ હથિયારોથી અંગ્રેજો જેવી થઇ જાયતો? તો મિત્રો, સારા ને સાચા ભારતીય તરીકે, ગાંધીની head injury, ગાંધીના વ્યાસનો અને ગાંધીના ગાંડપણને કદી ભૂલતા નહિ! કારણકે અંગ્રેજો પણ જો એ બાબતોને ભૂલવા તૈયાર ન હોય તો ભલા આપણે શા માટે ભૂલીએ!

      Like

      1. અશ્વિનભાઈ તમે ચર્ચામાં ભાગ લેતા રહેજો. જેની પાસે સમય નથી એજ આવી ચર્ચામાં ભાગ લઇ શકે અને રજૂઆત કરી શકે .
        મારી વિનંતી ને સ્વીકારજો. આવી ચર્ચા થીજ પોતીકા વિચારો પ્રગટ કરવાની તક રહે છે અને માર્ગદર્શન મળે છે. ભારત ને હવે ફરી ગુલામીમાં થી બહાર લાવવા માટે ૧૦ સ્વામી વિવેકાનંદ ની જરૂર છે. એ. રાજા જેલ માંથી છૂટી ને
        પાછા આજે આપણી ગૌરવવંતી સંસદ ને દીપાયમાન કરી છે તેની ખુશાલી પણ હજી ભારતીય લોકો ને મનાવવાની છે .
        ઉત્તરપ્રદેશ માં ૪૦૦૦ કરોડ ના હાથી ના અને માયાવતીજી ના પુતળા જોવા જવાનું બાકી છે. હજુ મોટું લીસ્ટ છે અફજલ ગુરુ ને ફરી સંસદ માં હુમલો કરવાની તક છે. કસાબ સાહેબ ને વિનતી કરવાની કે તમે જો મુંબઈ આખું જોઈ લીધું હોય તો દિલ્હી બાજુ લટાર મારી આવશો તો
        કોઈ જ વાંધો નથી. તમે અફજલ સાથે ત્યાં સંસદ ની કેન્ટીન માં ખુલ્લા મને ચર્ચા કરી શકો છો .

        અશ્વિનભાઈ તમે ચર્ચા ચાલુ રાખજો તેવી વિનંતી
        જગદીશ જોશી
        હિમતનગર
        ગુજરાત
        9426067184

        અશ્વિનભાઈ તમે ચર્ચામાં ભાગ લેતા રહેજો. જેની પાસે સમય નથી એજ આવી ચર્ચામાં ભાગ લઇ શકે અને રજૂઆત કરી શકે .
        મારી વિનંતી ને સ્વીકારજો. આવી ચર્ચા થીજ પોતીકા વિચારો પ્રગટ કરવાની તક રહે છે અને માર્ગદર્શન મળે છે. ભારત ને હવે ફરી ગુલામીમાં થી બહાર લાવવા માટે ૧૦ સ્વામી વિવેકાનંદ ની જરૂર છે. એ. રાજા જેલ માંથી છૂટી ને
        પાછા આજે આપણી ગૌરવવંતી સંસદ ને દીપાયમાન કરી છે તેની ખુશાલી પણ હજી ભારતીય લોકો ને મનાવવાની છે .
        ઉત્તરપ્રદેશ માં ૪૦૦૦ કરોડ ના હાથી ના અને માયાવતીજી ના પુતળા જોવા જવાનું બાકી છે. હજુ મોટું લીસ્ટ છે અફજલ ગુરુ ને ફરી સંસદ માં હુમલો કરવાની તક છે. કસાબ સાહેબ ને વિનતી કરવાની કે તમે જો મુંબઈ આખું જોઈ લીધું હોય તો દિલ્હી બાજુ લટાર મારી આવશો તો
        કોઈ જ વાંધો નથી. તમે અફજલ સાથે ત્યાં સંસદ ની કેન્ટીન માં ખુલ્લા મને ચર્ચા કરી શકો છો .

        અશ્વિનભાઈ તમે ચર્ચા ચાલુ રાખજો તેવી વિનંતી
        જગદીશ જોશી
        હિમતનગર
        ગુજરાત
        9426067184

        અશ્વિનભાઈ તમે ચર્ચામાં ભાગ લેતા રહેજો. જેની પાસે સમય નથી એજ આવી ચર્ચામાં ભાગ લઇ શકે અને રજૂઆત કરી શકે .
        મારી વિનંતી ને સ્વીકારજો. આવી ચર્ચા થીજ પોતીકા વિચારો પ્રગટ કરવાની તક રહે છે અને માર્ગદર્શન મળે છે. ભારત ને હવે ફરી ગુલામીમાં થી બહાર લાવવા માટે ૧૦ સ્વામી વિવેકાનંદ ની જરૂર છે. એ. રાજા જેલ માંથી છૂટી ને
        પાછા આજે આપણી ગૌરવવંતી સંસદ ને દીપાયમાન કરી છે તેની ખુશાલી પણ હજી ભારતીય લોકો ને મનાવવાની છે .
        ઉત્તરપ્રદેશ માં ૪૦૦૦ કરોડ ના હાથી ના અને માયાવતીજી ના પુતળા જોવા જવાનું બાકી છે. હજુ મોટું લીસ્ટ છે અફજલ ગુરુ ને ફરી સંસદ માં હુમલો કરવાની તક છે. કસાબ સાહેબ ને વિનતી કરવાની કે તમે જો મુંબઈ આખું જોઈ લીધું હોય તો દિલ્હી બાજુ લટાર મારી આવશો તો
        કોઈ જ વાંધો નથી. તમે અફજલ સાથે ત્યાં સંસદ ની કેન્ટીન માં ખુલ્લા મને ચર્ચા કરી શકો છો .

        અશ્વિનભાઈ તમે ચર્ચા ચાલુ રાખજો તેવી વિનંતી
        જગદીશ જોશી
        હિમતનગર
        ગુજરાત
        9426067184

        Like

    2. દારૂડીયાને જેમ દારૂની લત લાગે અને પોતાની બરબાદી વોહરી લે છે તે જ પ્રમાણે પણ તદન વિરુદ્ધ દિશામાં સત્ય તમને એની એવી તો લગની લગાવે છે કે ….

      Like

  32. શ્રી અશ્વિનભાઈએ ચર્ચામાં ભાગ લેવાનું ચાલુ રાખવું જોઈએ. એમના વિચારોમાંથી ઘણું જાણવાનું મળે છે. અશ્વિનભાઈ જેવી વ્યક્તિ આ મુક્ત ચર્ચાની વેબ સાઈટ પર દુર્લભ છે એવું હું માનું છું.

    જે કોઈ વ્યક્તિ ગુજરાતી સમજી શકે અને કમ્પુટર વાપરી શકે તેને ગુજરાતી લખવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. અંગ્રેજીમાં લખેલી કોમેન્ટ હું વાંચતોજ નથી. એથીએ એ વધુ આગળ લખું કે શ્રી ગોવિંદભાઈએ અંગ્રેજીમાં લખાયેલી કોમેન્ટને રજૂઆત થતી અટકાવવી જોઈએ. અંગ્રેજી પ્રત્યે મને ઘ્રણા છે એવું નથી, હું માનું કે અંગ્રેજી, અંગ્રેજીના સ્થાને છે.

    Like

  33. મને નથી સમજાતું કે ‘ટીકા ટીપ્પણી ‘ના બીજા વાંચનારાનો આગ્રહ છતાંય
    શ્રી મુરજી ગડા કે પોતાની દલીલો અંગ્રજીમાં આપતા રહે છે!!
    તે પોતે પોતાના વિચારોના ‘લેખો,નિબંધો’ ગુજરાતીમાં લખે છે તો પછી
    ‘ટીકા ટીપ્પણી’કે અંગ્રેજીમાં? આશા રાખીએ કે હવે પછીના તેમના ચર્ચાના
    ઉત્તરો ગુજરાતીમાં વાંચવા મળે.
    ‘ધર્મ’વિષેના આ લેખના પ્રતિભાવોમાં ઘણી બુદ્ધિગમ્ય ચર્ચા થઇ,
    ઘણું જાણવાનું પણ મળ્યું,જોકે એક વાત જરા ખટકી કે
    બે વ્યક્તિના ‘અહં’ની ટકરાવાની,શ્રી અશ્વિન ભાઈએ ઘણા તર્કબદ્ધ જવાબઆપ્યા
    તેમ તેમણે શ્રી મુરજી ગડાને ‘ઉતરડી’લેવાનો પણ પ્રયાસ કર્યો,એ મુજબ
    શ્રી મુરજી ગડાએ પણ થોડી ‘શિષ્ટ રીતભાત’ છોડી હતી! જે થોડુંક ‘ખુંચ્યુ’.
    શ્રી ગોવિંદ ભાઈ મારુએ હિંમતવાન અને એક જવાબદાર ‘તંત્રી’નો ભાગ ભજવ્યો
    તે બદલ તેમણે પણ ખુબજ અભિનંદન.

    Like

    1. મિત્ર શ્રી “shabdsoor”જી (જોષી સાહેબ), શ્રી Mistry સાહેબ, શ્રી Phbharadiaસાહેબ, શ્રી “Park Land “જીને અને બીજા સૌ મિત્રોને માનસિક તંગદિલીની પરિસ્થિતિમાં મુકવા બદલ મારી વ્યક્તિગત ક્ષમા યાચના!
      May 17th ના લખેલ મારી last comment પછી હું આ બ્લોગ પર પાછો આવ્યો ન હતો તેથી આપ સહુ મિત્રોની comments પણ વાંચવામાં આવી નહતી! આપ સહુના suggestions, આદર ભાવ અને સારા વચનો બદલ હું હૃદયના ઉંડાણ માંથી આભારની લાગણી વ્યક્ત કરું છું. આપ સહુના suggestions અને વિનંતીને ધ્યાનમાં રાખી પ્રમાણિક પરિવર્તનને જરૂર અવકાશ આપીશ!
      દેશની સમસ્યાઓને ઉલ્લેખતી શ્રી shabdsoor જીની વ્યથા અને દેશદાઝનો ભાવ દાદ માંગીલે તેમ છે! તેમને મારી સલામ!
      વ્યથા, ગ્લાનિ અને ખેદનો ભાવ માનસિક સ્વસ્થતા માટે આવકારદાયક જરૂર હશે પણ તેની અવધી જો લાંબી ચાલે તો તે શક્તિને ક્ષીણ કરનાર છે! તેજ રીતે એકલવાયાનો ભાવ (feeling of loneliness) પણ શક્તિને ક્ષીણ કરનાર છે. કોઇપણ સમસ્યાઓના પડકારને ઝીલવા માટે શક્તિના સંગ્રહ અને શક્તિના ઉમેરાની જરૂર હોય છે તો તે બાબતે થોડો વિચાર વિમાશ!
      ભગવદ-ગીતાની મારી ઉપરછલ્લી સમજ મુજબ (૧) કોઈ જીવ એકલો (lonely) નથી. (૨) દરેકના શરીરમાં અંતરાત્મા તરીકે એક મોટો આત્મા (પરમ-આત્મા) રહેલો છે. તો પછી એકલવાયા (loneliness) નો ભાવ શા માટે! (૩) દરેકના શરીરમાં/અંતરમાં શક્તિનો મોટો પુંજ (શક્તિપુંજ) રહેલો છે. ઊંડી, સતત અને સાચી સાધનાથી આ શક્તિપુંજનાં તાળા ખીલી શકાય છે! આ શક્તિપુંજ કોઈના માટે ચેતનશક્તિનો શ્રોત બને તો કોઈના માટે શારીરિક શક્તિનો શ્રોત તો વળી કોઈના માટે માનસિક શક્તિનો શ્રોત બને! ભગવાન બુદ્ધ માટે આ શક્તિપુંજ “Enlightenment” નો શ્રોત હતો! તો વળી તેનાથી બહુ નાના અંશે માર્શલ આર્ટના બાદશાહ એવા “Bruce Lee” માટે શારીરિક શક્તિ નો શ્રોત! Computer ને પણ chess માં હરાવનાર વિશ્વનાથ આંનદ માટે આ શક્તિપુંજ માનસિક શક્તિનો શ્રોત છે! તો વળી કેટલાક મહાનુભાવો માટે આ શક્તિપુંજ ડો. કાણેએ વર્ણવેલ ધર્મની નૈતિકતા કે માનવતાનો શ્રોત!
      અંતરાત્મામાં જો ઇષ્ટ દે-વ (દેહમાં વસનાર)ની છબી પ્રસ્થાપિત કરી તેની સાથે મિત્ર-પ્રેમી-પિતા-માતા તરીકે, કે મહાનુભાવ તરીકે, કે ગુરુ તરીકે, કે પ્રભુ તરીકેનો સંબંધ અને ભાવ સ્થાપી સાધના કરવાથી લાંબા અભ્યાસ અને મહાવરા પછી શક્તિપુંજનાં તાળા ખોલવાનું સંભવી શકે છે. ઇષ્ટ દેવમાં ન માનતા હો તો કદાચ Role model ની છબી ઉપર મુજબ પ્રસ્થાપિત કરાવી શક્ય બની શકે!
      હું તો રહ્યો વિજ્ઞાનનો ઉપાસક અને આધ્યાત્માને જખાનારો. તેથી જયારે વિજ્ઞાનિકોએ કહેવા માડ્યું કે “ભ્રમાંડનો જન્મ Black-hole (કાળા કાણા) માંથી થયો છે” તો મને ભ્રમ થયો હોય તેમ લાગ્યું અને ફરિયાદ કરવાનું મન થયું અને “Black-hole” વિષે મેં વાચવા માડ્યું તો મને તો ” Black-hole “માંય કાળિયો (શામળિયો) હસતો દેખાયો તેથી ફરિયાદ કરવાનું મIળી વાળ્યું. તો આ હતી એક ગમ્મત! પણ હકીકતમાં તો અધ્યાત્મિક જગતમાં નિશાળયોતો ઠીક પણ ત્યાનું એપ્લીકેશન ફોર્મ મળવવાની લાયકાત પણ હું નથી ધરાવતો! એક ઉત્સુક બાળક જેમ ઝાડ પર લટકતી સુન્દર પતંગ નીચે ઉતારવા માટે સક્ષમ ન હોવા છતાં આખા ગામને એ પતંગની વાત કરવા દોડી જાય છે તેમ આ Information sharing જમાનાને અનુરૂપ થઇ “આપણા અંતરમાં ડોક્યું” કરવાની Information share કરી છે! તો મિત્રો, આપણે કોઈ પણ ઘડીએ એકલા હોતા જ નથી. અંતરાત્મામાં રહેલ મિત્ર સાથે જો આપણે દોસ્તી પાડી દઈએ તો એ ગોઠીયો હમેશા આપણી સાથે જ હોઈ છે અને તે શક્તિપુંજ પણ આપણી સામે જ રાખી દે છે!
      શ્રી ગોવિંદભાઈની આગેવાની હેઠળના આ સંયુક્ત કૌટુંબિક ઝૂડામાંથી એકપણ લાકડી ઓછી ન થાય તે જોવાની આપણી જવાબદારી રહી!
      તો શ્રી જોષી સાહેબ, શ્રી Phbharadia સાહેબ, શ્રી Park Land જી અને બીજા મિત્રો પણ જો વેકેશનમાંથી પાછા આવી ગયા હોઈ તો અને જયારે પણ વ્યસ્ત દિનચર્યામાંથી નવરાશ મળે તો તરત જ શ્રી ગોવિંદભાઈ અને શ્રી ઉત્તમભાઈની Emails ને માન આપી નવા અંકોની ચર્ચામાં અને વિચાર વિમશમાં જોડાઈ જાવ કારણકે એ પદ્ધાતીજ આધુનિક જમાનાનો સત-સંગ છે!

      Like

  34. ધર્મની હજાર વ્યાખ્યા થવાની છે, અને લોકો ટીલા ટપકાને જ ધરમ માનવાના છે. માટે માઓએ ચીનમાં કરેલું તેમ ભારતમાંથી ૫૦ વર્ષ માટે ધર્મ શબ્દ જોઈએ જ નહિ. પુરેપુરો પ્રતિબંધ મૂકી દેવો પડે. મંદિર મસ્જિદોમાં સ્કૂલો કોલેજો બનાવી દેવી જોઈએ.

    Like

Leave a comment