સીલેક્ટીવ મૉરાલીટી

લેખનું શીર્ષક એક જાણીતી અંગ્રેજી ઉક્તી છે. એનો ભાવાર્થ થાય છે, ‘પોતાને ફાવતી નૈતીકતા’ કે ‘સગવડીયો ધર્મ’.

થોડા સમય પહેલાં એક નૈતીક કોયડો વાંચ્યો હતો તે અહીં પ્રસ્તુત છે. એ કોયડામાં વર્ણવાયેલ શક્યતાને નજરઅંદાજ કરી આપણે માત્ર એના સંદેશને સમજીએ.

બીજા વીશ્વયુદ્ધ દરમીયાન સમાધાનની શક્યતા ઉભી થઈ છે. દુનીયાના બધાએ મત આપવાનો છે અને ત્રણ ઉમેદવારોમાંથી કોઈ એકને નવી દુનીયાનો નેતા ચુંટવાનો છે.

પહેલો ઉમેદવાર કપટી રાજકારણીઓ સાથે ભળેલો છે. એની બે રખાતો છે. એ દારુ પીએ છે, સીગારેટ ફુંકે છે અને માંસાહારી છે.

બીજો ઉમેદવાર યુવાનીમાં કેફી દ્રવ્યનો નશો કરતો હતો. એને બે વખત સત્તા છોડવી પડી હતી. એ આખી રાત જાગી બપોર સુધી સુતો રહે છે. રોજ દારુની આખી બોટલ ખાલી કરે છે, સતત સીગાર ફુંકે છે અને માંસાહારી પણ છે.

ત્રીજો ઉમેદવાર સન્માનીત યુદ્ધ વીજેતા છે. એ શાકાહારી છે, દારુ કે સીગરેટ પીતો નથી. એનો માત્ર એક જ સ્ત્રી સાથે સમ્બન્ધ છે.

આપ કોને દુનીયાના નેતા તરીકે પસંદ કરશો ?

જેમણે ત્રીજા ઉમેદવારની પસંદગી કરી હોય એમણે એડૉલ્ફ હીટલરના હાથમાં દુનીયા સોંપી દીધી કહેવાય. પહેલા ઉમેદવાર ત્યારના અમેરીકન પ્રમુખ ફ્રેન્કલીન રુઝવેલ્ટ હતા અને બીજા ઉમેદવાર બ્રીટનના તત્કાલીન વડાપ્રધાન વીન્સટન ચર્ચીલ હતા.

બીજા વીશ્વયુદ્ધમાં જો નાઝી જર્મનીની જીત થઈ હોત તો આજે આપણે સાવ અલગ પ્રકારની દુનીયામાં જીવતા હોત. રુઝવેલ્ટ અને ચર્ચીલે ઈતીહાસની દીશા બદલી છે. જેમને બીજા વીશ્વયુદ્ધ સમયના રાજકારણ અને ઈતીહાસની જાણ હોય તેઓ આ કોયડાનો મર્મ સારી રીતે સમજી ગયા હશે. ન સમજ્યા હોય તેઓ આ લેખના અંતે સમજશે.

પુરી દુનીયામાં સબળો વર્ગ આદીકાળથી નબળા વર્ગનું શોષણ કરતો આવ્યો છે. ભારતીય સમાજવ્યવસ્થામાં આનો સૌથી હીન દાખલો આભડછેટનો/અસ્પૃશ્યતાનો છે. એને નીવારવાના પ્રયાસ અવારનવાર થતા આવ્યા છે. કોઈ પણ વ્યકતીના પ્રયત્નો કરતાં શહેરીકરણને લીધે એ દીશામાં ઘણી પ્રગતી થઈ છે. જો કે ગામડાંઓમાં હજી સારા પ્રમાણમાં આભડછેટ મોજુદ છે.

આભડછેટમાં માનનાર અને જાહેરમાં એવું સ્વીકારનારની વાત આપણે નથી કરવી; બલકે જાહેરમાં આભડછેટને વખોડનારા વર્ગની આપણે વાત કરવી છે. આ વર્ગના વીચારોની વીશાળતા, મનની ઉદારતા, વ્યક્તીગત અને સામાજીક સ્તરે કેટલે સુધી લઈ જવાઈ છે તેમ જ લઈ જઈ શકાય તેમ છે એ ચર્ચવાનો આ લેખનો ઉદ્દેશ છે.

આભડછેટ ન રાખવી એ ‘સર્વ માનવ સમભાવ’ અને ‘સમ્પુર્ણ માનવીય ગૌરવ’ જેવા ઉમદા આદર્શની દીશામાં લીધેલું ઉત્તમ પગલું છે. આભડછેટના ઉદાહરણથી લખાયેલ આ લેખ માત્ર દલીતો સમ્બન્ધી નથી; અન્ય જાતીય, અન્ય ધર્મીય તેમ જ જનસામાન્ય દ્વારા સર્વત્ર અવગણાયેલ, તરછોડાયેલ લઘુમતીને પણ લાગુ પડે છે.

દલીત કે પરધર્મીની આભડછેટ ન રાખતાં એમને ઘરની અન્દર આવવા દેવા, એમની પાસે ઘરનું કામ કરાવવું વગેરે આપણી જરુરીયાત મુજબ કરેલી બાંધછોડ છે. એમાં એમની ઉપયોગીતા સ્વીકારાયેલી ગણાય છે. એને આપણા વીચારો કે વર્તનની ઉદારતા કહેવું વધારે પડતું ગણાશે. એનાથી એમની ગરીમા નથી જળવાતી. બહુ બહુ તો એમના પ્રત્યે સહાનુભુતી બતાવાઈ એમ ગણી શકાય.

આપણા સામાજીક અને ધાર્મીક પ્રસંગોએ એમને આમન્ત્રણ આપી એમની સાથે એક જ પંગતમાં બેસી જમવામાં એમનું ગૌરવ જળવાય છે. આ આપણી જરુરીયાત નહીં; પણ મનની મોટાઈ છે, એમના પ્રત્યેનો સદ્ ભાવ છે. ‘સર્વ માનવ સમભાવ’ની દીશામાં લીધેલું આ પહેલું પગથીયું છે. વીચાર અને આચારની આવી ઉદારતા દાખવનાર અભીનન્દનને પાત્ર છે.

આપણને આમન્ત્રણ મળે તો તે સ્વીકારી દલીતોના સામાજીક/ધાર્મીક પ્રસંગોએ એમની સાથે બેસી એમનું (શાકાહારી) ભોજન લેવું તે બીજું પગથીયું બને.

આ બે પગથીયાં અગત્યનાં અને અઘરાં હોવા છતાં અન્તીમ ધ્યેયથી ઘણાં દુર છે. આટલું કરનારને અભીનન્દન તો ખરા જ, સાથે સાથે એ માટે પોતાની પીઠ થાબડનારાઓ માટે થોડા ધારદાર પ્રશ્નો આગળ આવે છે. અત્યાર સુધીના વીચાર અને આચાર જાહેર અને સામાજીક થયા. અંગત સમ્બન્ધથી તે ઘણા અલગ છે.

કોઈ દલીત સ્વચ્છ હોય, સંસ્કારી હોય, એની સાથે આપણો વર્ષો જુનો સમ્બન્ધ હોય, આપણા કુટુમ્બીજનોની માનમર્યાદા જાળવતો હોય તો એને આમન્ત્રણ આપી, આપણા ઘરમાં સાથે બેસી ભોજન લેવું એ ત્રીજું પગથીયું ગણાય.

આપણને આમન્ત્રણ મળે તો આ જ પ્રમાણે એમના ઘરે જઈ એમની સાથે એમનું શાકાહારી ભોજન લેવું તે ચોથું પગથીયું ગણાય. આ આપસી વ્યવહાર જો સહકુટુમ્બ કરવામાં આવે તો એ પાંચમું પગથીયું ગણાય અને સાથે પગથાર પણ બની જાય. [પગથાર (લેંડીંગ) એવું મોટું પહોળું પગથીયું છે જ્યાંથી સામાન્ય રીતે દાદરની દીશા બદલાતી હોય છે.]

સર્વ માનવ સમાનના આદર્શની નજીક પહોંચવું હોય તો આપણે હવે દીશા બદલવાની જરુર છે. હવેનાં પગથીયાં ઘણાં ઉંચાં છે અને ચઢાણ કપરાં છે.

અન્ય ઘણી જ્ઞાતીઓ સાથે આપણો ‘રોટીવ્યવહાર’ હોય છે પણ ‘બેટીવ્યવહાર’ અન્ય કોઈ જ્ઞાતી સાથે હોતો નથી. લગ્ન સમ્બન્ધ બાંધવામાં ભાગ્યે જ કોઈ પોતાના વાડામાંથી બહાર જાય છે. અન્ય જ્ઞાતી સાથે સહજપણે લગ્નબન્ધન થતાં નથી ત્યાં અન્ય વર્ણોની વાત તો દુરની થઈ.

કોઈનું સન્તાન પોતાની પસન્દગીનું; પણ અન્ય જ્ઞાતી, વર્ણ કે પરપ્રાન્તનું પાત્ર ગોતી આવે તો મોટાભાગના વડીલોની પહેલી પ્રતીક્રીયા વીરોધની હોય છે. એમની સમ્મતી વીરુદ્ધ એમનું સન્તાન લગ્ન કરી લે તો કોઈ કોઈ વડીલ સન્તાન સાથેના સમ્બન્ધ સદન્તર કાપી નાંખે છે, તો કોઈ થોડા વખત પછી ક–મને સ્વીકારે છે. બહુ થોડા એમને ઉમળકાભેર આવકારતા હશે.

અત્રે એક ચોખવટ જરુરી છે કે કાચી વયના સન્તાનોની પસન્દગી હમ્મેશાં સારી કે સાચી હોતી નથી. પાત્ર સુસંગત ન હોય તો વડીલોનો વીરોધ જરુર વાજબી ગણાય. પરન્તુ જો સન્તાનની સમજ અને પરીપક્વતા પર આપણને વીશ્વાસ હોય, એમની પસન્દગીનું પાત્ર આપણી બધી અપેક્ષાઓ પુરી કરતું હોય તો આપણે તેને જ્ઞાતી/વર્ણ/પ્રાન્તના કશાયે બાધ ન રાખતાં ઉમળકાભેર અપનાવવા તૈયાર થઈએ છીએ ખરાં ?

આપણી નજીકની ગણાતી ન હોય એવી અન્ય જ્ઞાતીના કુટુમ્બ સાથે આપણો વર્ષોનો સમ્બન્ધ હોય, એમના સન્તાનને આપણે નાનપણથી ઓળખતા હોઈએ, આપણી બધી અપેક્ષાઓ એમાં પુરી થતી હોય તો સામેથી માગું લઈને જઈએ ખરાં ?

આવી વ્યકતી જો દલીત હોય, પરધર્મી હોય તો આપણું વલણ કેવું હોય ?

પરજ્ઞાતી કે પરધર્મી સાથે લગ્નસમ્બન્ધ બાંધવામાં પહેલો બાધ આપણને ખાનપાનનો નડે છે જે વાજબી પણ છે. ખાસ કરીને દીકરી આપવાની હોય ત્યારે એનું મહત્ત્વ વધી જાય છે. એ પણ સાચું છે કે લગ્ન સમ્બન્ધે બંધાવું તે માત્ર ખાનપાનની સમાનતા કરતાં ઘણી વીશાળ અને ગહન બાબત છે. ઘણા એ વાતનું વજુદ સ્વીકારવા લાગ્યા છે.

આવા કીસ્સામાં જો બન્ને પાત્રો પુખ્ત હોય, શીક્ષીત હોય, વૈચારીક રીતે સ્વતન્ત્ર હોય, આર્થીક રીતે સ્વાવલમ્બી હોય, દરેક પ્રશ્નની પુરતી ચર્ચા કરી હોય તો, વડીલોએ આવા સમ્બન્ધનો વીરોધ કરવો જોઈએ ? ક-મને સ્વીકારવું જોઈએ ? કે સહર્ષ આવકારવું જોઈએ ?

આ સ્થળેથી પહેલાં લખાયું છે કે બાળકો આપણી સમ્પત્તી નહીં; બલકે આપણને સોંપવામાં આવેલી અમાનત છે. આટલું ધ્યાનમાં રાખીએ તો આપણા વલણમાં કોઈ ફરક પડે ખરો ?

પહેલેથી કહ્યું હતું કે ચઢાણ કપરાં છે. સન્તાનો દ્વારા અન્ય વર્ણો કે ધર્મના પાત્ર પસન્દગીના કીસ્સા જુજ છે. તેમ જ સામે ચાલીને આવું પાત્ર ગોતવા કોઈ જતું નથી. વાત આદર્શની હતી એટલે આગળ ચલાવી છે. આ એક બૌદ્ધીક કવાયત માત્ર હતી. કોઈને મુલવવાનો જરા પણ આશય નથી.

સર્વ માનવ સમાન છે એમ કહેવું સહેલું છે, કરવું ખુબ અઘરું છે. ‘સર્વ માનવ સમાન’ની દીશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એની આ ચકાસણી છે. દરેક તબક્કાને સામે લાવ્યા વગર એ શક્ય નહોતું. બીજું કંઈ નહીં તો એક આદર્શ તરીકે સ્વીકારવાનો આપણો માનસીક અભીગમ કેવો છે એનો સાચો જવાબ જાત પાસે માગવાનો છે.

દલીત સાથેના લગ્ન તો દુરની વાત થઈ. દલીત કીશોર અને કીશોરી દત્તક લઈ એમની જ જ્ઞાતીમાં પરણાવવાનો દાખલો જોયો છે. એના માટે પણ ઘણી હીમ્મ્ત અને માનસીક તૈયારીની જરુર પડી હશે. એની પુરતી સરાહના કરવી આવશ્યક છે.

એક જૈન મીત્રે કહ્યું કે આભડછેટમાં આપણા શાસ્ત્ર સમ્મત નથી એટલે તેઓ એનો વીરોધ કરે છે. ધારો કે શાસ્ત્ર સમ્મત હોત તો એ આજના સમયમાં ઉચીત ગણાત ? મનુસ્મૃતી વર્ણભેદનું સમર્થન કરે છે. આ કારણે સર્જાયેલી સમસ્યાઓની આકરી કીમ્મત હજીયે ચુકવાઈ રહી છે. આતન્કવાદીઓ અને આત્માઘાતી હુમલાખોરો પણ એમનાં કૃત્યોને ‘શાસ્ત્રસમ્મત’ ગણે છે. શાસ્ત્રોમાં લખેલું બધું જ સ્વીકાર્ય ન હોય. ક્યારેક આપણે સારાસારનો વીચાર કરવાનો હોય. આ વાત દરેક ધર્મના શાસ્ત્રોને લાગુ પડે છે.

શાસ્ત્રો સમય પ્રમાણે બદલાય છે, એમાં સુધારા – વધારા થતા રહ્યા છે. આવા ફેરફાર ધાર્મીક પન્થોને એકબીજાથી અલગ પાડે છે. જો કે બધા પોતાનાં શાસ્ત્રોને અસલ ગણે છે અને એકબીજા સાથે વીવાદ કરે છે. છતાંયે શાસ્ત્રોમાં સમય પ્રમાણે યોગ્ય ફેરફાર થતા રહે એ સારું છે અને જરુરી પણ છે.

બધા ભારતીઓ માટે આજે સૌથી અગત્યનું કોઈ શાસ્ત્ર હોય તો તે દેશનું બંધારણ છે. જો બંધારણને બધા અનુસરતા થાય તો દેશના મોટા ભાગના આન્તરીક પ્રશ્નો હલ થઈ જાય. (આ એક વીશફુલ થીંકીંગ માત્ર છે.) જે દેશમાં બંધારણ કરતાં ધર્મગ્રંથને અગ્રેસર માનવામાં આવે છે એની આજે શી હાલત છે તે આપણે જાણીએ છીએ.

ખાનપાનની બાબતમાં આપણે ઘણા ચુસ્ત છીએ. એમાં ઢીલ રાખનારી અન્ય જ્ઞાતીઓ પ્રત્યે થોડો અણગમો ધરાવીએ છીએ. આપણા જ સમાજના, આપણા પરીચયમાં હોય એવા કોઈ ખાનપાન બાબતમાં ‘શુદ્ધ’ ન હોય તો એમની સાથે આપણો વ્યવહાર કેવો હોય ? પરનાત કે પરધર્મી પ્રત્યે માત્ર ખાનપાનને લીધે અણગમો હોય એવો અણગમો આપણા જ્ઞાતીબન્ધુઓ પ્રત્યે જાહેરમાં બતાવી શકીએ ? કર્મ આધારીત નહીં; પણ જન્મ આધારીત આ ભેદભાવને સીલેક્ટીવ મોરાલીટી ન કહેવાય ?

ઘણાને કહેતા સાંભળ્યા છે કે પુર્વજન્મનાં કર્મોનાં ફળ સ્વરુપે આપણો જન્મ ઉચ્ચ કુળમાં થયો છે, એટલે કે આપણે બીજા કરતાં ઉંચા છીએ. આભડછેટમાં ન માનવા છતાં આવું ઉંચ–નીચના ભેદભાવનું વલણ ‘સૌ માનવ સમાન’થી આપણ સૌને દુર લઈ જાય છે. આપણો જન્મ અને ખાનપાન આધારીત આડમ્બર ઘણાને ખટકતો હશે.

મહાવીરના ઘણા આદેશોમાંનો એક આદેશ અહીંસાનો છે જે આપણે પ્રમાણમાં સારી રીતે અપનાવ્યો છે. તે સીવાયના બીજા આદેશોને આપણી સગવડે હાંસીયામાં ધકેલી દીધા છે. આવી ટુંકાવેલ, મર્યાદીત જૈનપણાની ઓથે આપણે પોતાને વધુ પડતું મહત્ત્વ આપીએ એ પણ સીલેક્ટીવ મૉરાલીટી છે.

દરેક દેશ, ધર્મ અને સમાજમાં એવા પણ થોડા લોકો મળી આવે જેઓ જ્ઞાતીભેદ, રંગભેદ, વર્ગભેદમાં માનતા નથી. બીજાઓ સાથે છેતરપીંડી કે તેમનું શોષણ કરતા નથી. કુટુમ્બ, સમાજ અને દેશ પ્રત્યેની ફરજ પ્રામાણીકતાથી બજાવે છે. એમનું અંગત જીવન જે પણ હોય, એમનું છે. આપણી પરીભાષામાં એ શુદ્ધ ન પણ હોય.

દરેક ઠેકાણે બીજો એક એવો વર્ગ છે જે પોતાની ધાર્મીક માન્યતાઓનું ચુસ્તપણે પાલન કરતો હોય; પણ અન્યો સાથે એમનું વર્તન સદ્ ભાવપુર્ણ ન હોય. તેઓ બીજાની મજબુરીનો ભરપુર લાભ લેતા હોય છે. વાર્તા અને ફીલ્મોમાં ખલનાયક તરીકે બતાવાતા કર્મકાંડી બ્રાહ્મણો, વ્યાજખાઉ શાહુકાર, ઢોંગી તાન્ત્રીક તેમ જ લોકોને ઉશ્કેરતા રાજકીય, સામાજીક ધાર્મીક નેતાઓ વગેરે આ વર્ગના થોડાક દાખલા છે.

મોટાભાગનો જનસમુદાય આ બે વર્ગની વચ્ચે ક્યાંક હોય છે. એમના માટે થોડા સવાલ છે. આગલા બે વર્ગના લોકોમાંથી વધુ નૈતીક કોણ ગણાય ? કોણ વધુ વીશ્વાસપાત્ર છે ? આપણને કોની સાથે સમ્બન્ધ રાખવો વધુ ગમશે ?

લેખની શરુઆતમાં આપેલ કોયડાનો મુળ વીષય સાથેનો સમ્બન્ધ હવે છતો થયો છે. માણસના સારા-ખરાબ હોવાની વ્યાખ્યા કરવી ઘણી અધરી છે. એનું અંગત અને જાહેર જીવન ઘણું અલગ હોઈ શકે છે. શુદ્ધ કે પવીત્ર ગણાતા અંગત જીવનના જે પણ ફાયદા હોય, જાહેર જીવનનાં કાર્યોની બીજા પર થતી અસર દુરગામી હોવાથી વધારે અગત્યની છે. જીવનભર જાતજાતના સંયમ-નીયમ પાળનાર; છતાં નીષ્ક્રીય રહેતી વ્યક્તી કરતાં લોકોની મુસીબતોમાં કામ આવતા સ્વચ્છંદીનું જીવન વધુ સાર્થક છે.

ભેદભાવ માનવ પ્રકૃતીમાં જન્મજાત છે. સદીઓથી આપણે પ્રકૃતીથી અળગા થઈ સંસ્કૃતી તરફ વધવાની કોશીશ કરતા આવ્યા છીએ. હજી બે ડગલાં આગળ વધીએ. જન્મ આધારીત ભેદભાવને સાચા અર્થમાં ભુલી જઈએ અને અંગત જીવન કરતાં જાહેર જીવનને વધુ મહત્ત્વ આપીએ.

અનેક પ્રકારની અન્ધશ્રદ્ધાઓથી ભરપુર ભારતીય સમાજોની સરખામણીએ કોઈ એક સમાજ થોડો ઘણો વધુ ઉદારમતવાદી અને પ્રગતીશીલ હોય તો પણ એ ઠોઠ નીશાળીયાઓ વચ્ચે પહેલો નમ્બર લાવવા જેવું થયું. વીશ્વકક્ષાએ આગલી હરોળમાં બેસી શકાય એટલી આચાર-વીચારની વીશાળતા કેળવવાનું ધ્યેય રાખીએ તો ‘સર્વ માનવ સમાન’ કહેવું સાર્થક બનશે. પછી સીલેક્ટીવ મૉરાલીટીનો સવાલ નહીં રહે.

મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 મેઈલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજનું મુખપત્ર પગદંડી માસીકના ૨૦૧૦ના જુન માસના અંકમાં અને પછી કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર મંગલ મન્દીર માસીકના ૨૦૧૨ના મે માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. સરળતા માટે વર્ષ વાર પીડીએફની લીન્ક નીચે આપી છે..

૧.    પ્રથમ વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-1st-year/

૨.    બીજા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-2nd-year/

૩.    ત્રીજા વર્ષની પીડીએફ:  https://govindmaru.wordpress.com/pdf-of-3rd-year/

૪.    ચોથા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-4th-year/

આભાર.. ..ગોવીન્દ મારુ..

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07–06–2012

46 Comments

  1. પહેલો ઉમેદવાર કપટી રાજકારણીઓ સાથે ભળેલો છે. એની બે રખાતો છે. એ દારુ પીએ છે, સીગારેટ ફુંકે છે અને માંસાહારી છે.

    બીજો ઉમેદવાર યુવાનીમાં કેફી દ્રવ્યનો નશો કરતો હતો. એને બે વખત સત્તા છોડવી પડી હતી. એ આખી રાત જાગી બપોર સુધી સુતો રહે છે. રોજ દારુની આખી બોટલ ખાલી કરે છે, સતત સીગાર ફુંકે છે અને માંસાહારી પણ છે.

    ત્રીજો ઉમેદવાર સન્માનીત યુદ્ધ વીજેતા છે. એ શાકાહારી છે, દારુ કે સીગરેટ પીતો નથી. એનો માત્ર એક જ સ્ત્રી સાથે સમ્બન્ધ છે.

    One cannot decide, how someone will be based on the above attributes.

    બીજા વીશ્વયુદ્ધમાં જો નાઝી જર્મનીની જીત થઈ હોત તો આજે આપણે સાવ અલગ પ્રકારની દુનીયામાં જીવતા હોત. રુઝવેલ્ટ અને ચર્ચીલે ઈતીહાસની દીશા બદલી છે.

    Similarly, history’s direction would have changed if Nazi Germany were to win.

    What do you say of Britan and US who are running many wars & killing people around?
    Your “suggestion” of US/Britain also has selective morality underneath it.

    Because we haven’t seen what would be the world like if Germany were to win, you are assuming that it would be worse than what it is now. Can anyone predict the future?

    Like

    1. કલ્પેશ
      હિટલર ની જીત થઈ હોત તો દુનિયાનુ ચિત્ર જુદુ જ હોત. સારુ હોત કે ખરાબ એ અલગ વાત છે. હાલ જે ઈકોનોમીના જોરે બીગબોસ બની બેઠા છે અને દુનિયાને પોતાની આંગળી થી નચાવી રહ્યા છે. એને હિટલર ઓળખી ગયો હતો. અને તેથી એમની સામુહિક હત્યા કરવાની કોશીશ કરેલી. પોતે બિગબોસ બનવા માગતો હતો. એ બની ગયો હોત તો દુનિયા આજે એ પ્રમાણે ચાલતી હોત.

      Like

  2. શ્રી મુરજીભાઈ મુખ્યત્વે આભડછેટનો પ્રશ્ન લઈને આવ્યા છે અને લેખ મૂળ તો જૈનોને ઉદ્દેશીને લખાયેલો છે. પરંતુ, આ વાત સનાતની હિન્દુઓને પણ લાગુ પડે છે. ‘મરજાદીઓ’ના વર્તનમાં અને શ્રી મુરજીભાઈ કહે છે તેવા જૈનોના વર્તનમાં કઈં ફેર નથી.

    ખરેખર તો જૈન ધર્મ નાસ્તિક (એટલે કે વેદની સત્તા ન માનનારો) ધર્મ છે. પરંતુ ઋગ્વેદના પુરુષ સૂક્તમાં જે વર્ણ વ્યવસ્થાને માન્યતા આપવાનો પ્રયાસ થયો છે તેને જૈન સમાજે વ્યવહારમાં પડકારી નથી.

    શીખ ધર્મની પણ એ જ સ્થિતિ છે. ઊંચા, પડછંદ જાટોનું શીખ ધર્મમાં વર્ચસ્વ છે અને દલિત શીખોની હાલત એમાં પણ એવી જ રહી છે જાટ શીખ દલિત શીખને નીચો માને છે. હાલત તો ઇસ્લામમાં પણ સારી નથી.

    મુસલમાનોએ પણ હિન્દુ જાતિ પ્રથા સ્વીકારી લીધી છે. શેખ કે કુરેશી વણકર સાથે લગ્ન નહીં કરે. કબીર વણકર હતા અને એમનો રોષ હિન્દુઓ અને મુસલમાનો પ્રત્યે એક સરખી રીતે વ્યક્ત થાય છે એમાં એમની નીચી મનાતી જાત પણ કારણભૂત છે.

    આમ, અસ્પૃશ્યતા અને જાતિપ્રથા ધર્મના સીમાડા વટાવીને સર્વવ્યાપી બની ગઈ છે. આપણા દેશમાં ધર્મ બદલવાનું તો સહેલું છે પણ જાત નથી બદલી શકતી. આથી જાતનો અભ્યાસ ધર્મના અભ્યાસથી અલગ પડી જાય છે.

    બીજું, શ્રી મૂરજીભાઈ કહે છેઃ “આપણને આમન્ત્રણ મળે તો તે સ્વીકારી દલીતોના સામાજીક/ધાર્મીક પ્રસંગોએ એમની સાથે બેસી એમનું (શાકાહારી) ભોજન લેવું તે બીજું પગથીયું બને.”

    અહીં એમણે ‘શાકાહારી’ શબ્દ કૌંસમાં મૂક્યો છે. એ કદાચ બે દિશા સૂચવે છે.

    કાં તો કૌંસ એમ સૂચવે છે કે માત્ર શાકાહારી ભોજન લેવું, માંસાહારી નહીં. આ પણ જાતિ-ઘમંડ થયો. શા માટે શાકાહારી વ્યક્તિ પોતાને ઊંચી માને છે? આભડછેટમાં આ પણ એક મોટું પરિબળ રહ્યું છે.

    કૌંસનો બીજો અર્થ એ થાય કે શી મૂરજીભાઈ એમ કહેવા માગે છે કે દલિતને ઘરે માંસાહાર ન કરો તે તો સમજ્યા, પણ શાકાહારી ભોજનમાં શો વાંધો? આ તબક્કે તેઓ આહારના પ્રશ્નને છેડવા ન માગતા હોય તો (અને તો જ) કૌંસને હું યોગ્ય માનું છું. શાકાહારી વધારે સારો હોય, એમ તો મૂરજીભાઈ ન જ માની શકે કારણ કે એ અતાર્કિક દાવો છે. એમ હોય તો દુનિયાની લગભગ ૯૮ ટકા પ્રજાને આપણે ખરાબ માનવા તૈયાર થઈ જવું પડશે.

    કૌંસને કારણે ‘શાકાહારી’ શબ્દ ‘હાઈલાઇટ’ થઇ જાય છે. આથી વિવાદ ઊભો થવાની શક્યતા જોતાં હું ધ્યાન દોરૂં છું. આશા છે કે શ્રી મૂરજીભાઈ આ બાબતમાં સ્પષ્ટતા કરશે.

    Like

  3. The original article addresses very strict Jain group. It was written as a response to a very specific event that took place in Kutch. I wouldn’t even suggest to them to eat whatever was offered to them.
    I deleted the event part subsiquently but left rest of it as it was.

    Someone being vegetarian does not necessarily mean that he looks down at others. That may be his personal choice. Majority Gujaraties are vegetarians. At the same time, I also said to my original group:

    મહાવીરના ઘણા આદેશોમાંનો એક આદેશ અહીંસાનો છે જે આપણે પ્રમાણમાં સારી રીતે અપનાવ્યો છે. તે સીવાયના બીજા આદેશોને આપણી સગવડે હાંસીયામાં ધકેલી દીધા છે. આવી ટુંકાવેલ, મર્યાદીત જૈનપણાની ઓથે આપણે પોતાને વધુ પડતું મહત્ત્વ આપીએ એ પણ સીલેક્ટીવ મૉરાલીટી છે.

    This should explain what you were seeking.

    Like

    1. શ્રી મૂરજીભાઈ શાકાહાર અને માંસાહાર વચ્ચે શું સારૂં તેના જજ ન બને એ તો હું સમજ્યો જ હતો અને મેં મારી કૉમેન્ટમાં એ લખ્યું પણ છે. માત્ર ‘શાકાહારી’ શબ્દ કૌંસને કારણે ‘હાઇલાઇટ’ થઈ જતો હોવાથી સ્પષ્ટતા જરૂરી જણાતાં મેં વિનંતિ કરી હતી.

      Like

  4. શાકાહાર સારો કે માંસાહાર તે પ્રશ્ન હંમેશા પેચીદો રહેવાનો છે. રહી વાત ઉંચ નીચની તો તેમાં શાકાહારી હોવાથી તે વધારે આદર્શ ગણાય તેમ માની ન શકાય. આહાર વાતાવરણ, સંગ અને જરૂરીયાત પ્રમાણે લેવાતો હોય છે. ગુજરાતમાં મોટા ભાગે શાકાહારીઓ છે જ્યારે અન્ય પ્રાંતમાં માંસાહારીઓ નું પ્રમાણ જોવા મળે છે. અલબત્ત દારુ અને માંસાહાર તામસી હોવાથી સાધકો માટે વર્જ્ય છે તેમ છતાં સાંસારીક જીવન જીવતી વ્યક્તિઓને તેના ત્યાગનો ઉપદેશ વ્યવહારુ યે નથી લાગતો અને લોકો તે સ્વીકારે તેમ પણ નથી લાગતું.

    કેટલાક પોષક દ્રવ્યો માત્ર માંસાહારમાંથી મળે છે પરીણામે શાકાહારીઓને તે પુરક દ્રવ્યો દવા તરીકે લેવા પડે છે. જેમ કે વીટામીન B12 માંસાહાર અને ગાયના દૂધમાંથી મળે છે. ગાયનું દૂધ ખૂબ વધારે માત્રામાં લેવું પડે જે સાંપ્રત પરિસ્થિતિમાં શક્ય નથી હોતું તેવા સમયે શાકાહારીઓએ B12 ની ઉણપ પુરી કરવા ગોળીઓ કે ઈંજેક્ષન લેવા પડે જ્યારે માંસાહારીઓને તે સીધા મળી જાય.

    માંસાહારમાં પ્રત્યક્ષ હિંસા છે. વળી માંસાહાર પકાવતી વખતે ઉત્પન્ન થતી દુર્ગંધથી શાકાહારીઓનું માથું ફાટી જતું હોય છે. તેને લીધે કાઈ માંસાહારી શાકાહારીથી ઉતરતી કક્ષાનો ન થઈ જાય.

    Like

    1. અતુલભાઈ,
      માંસાહાર વિશે તમારા તટસ્થ અને વૈજ્ઞાનિક વિચારો જાણીને આનંદ થયો. આયુર્વેદની ઘણી દવાઓમાં માંસનો ઉપયોગ થાય જ છે.
      ગુજરાતમાં શાકાહારીઓનું પ્રમાણ વધારે છે તે જૈન ધર્મના પ્રભાવને કારણે. સાધન સંપન્ન લોકોની ટેવો સમાજજીવનના મુખ્ય પ્રવાહ તરીકે પ્રતિષ્ઠા પામે છે.

      Like

  5. શાકાહારી ભારતીયોના મસાલેદાર ભોજનની તીવ્ર વાસ માંસાહારી અમેરિકનો સહન કરી શકતા નથી. ગુજરાતના શાકાહારી લોકો આખીને આખી બેન્કો ખાઈ ગયા છે. આહારને નૈતિકતા સાથે શું લેવાદેવા? મહાવીરનો અહિંસાનો આદેશ કોણે અપનાવ્યો છે? ચામડાના બેલ્ટ ના પહેરતો એક જૈન શોધી આપો. ટુથપેસ્ટ, સફેદ સુગર, બ્યુટી લોશન કે ક્રીમ નાં વાપરતા હોય તેવા જૈન કેટલા? મુનિઓને છોડી દેજો. હિન્દુઓ હિંસા કરો તમતમારે અને એમાંથી બનતી વસ્તુઓ અમને આપો. પાપ ભોગવો તમે અને વસ્તુઓ ભોગવીએ અમે. ખેતી કરવાથીએ હિંસા તો થાય જ છે. તો જૈનો અનાજ શું કામ ખાતા હશે? પણ આ હિંસા તો હિંદુ કરવાના જૈન નહિ. પ્રત્યક્ષ હિંસા જ હિંસા કહેવાય? પરોક્ષ હિંસાનું શું? કતલખાનાનો વિરોધ કરો અને બેલ્ટ પહેરવાનું ચાલુ રાખો. પાછલે બારણે કસાઈઓને ગાયો વેચો અને ગાયો ભરેલી કે માંસ ભરેલી ટ્રક પકડી ધરમ કરો. હહાહાહાહાહા!!!લાખો ગરીબોના પૈસા હડપ કરીને જીવતા દોઝખમાં ધકેલી દેવા તેના કરતા એક ચિકન ખાઈ લેવું સારું શું કહો છો??

    Like

  6. મુખ્ય મુદ્દો અસ્પૃશ્યતાનો છે.૬૦ વર્ષ ની આઝાદી પછી પણ આ વ્યવસ્થા માં પરીવર્તન ના આવ્યું તેમાં સવર્ણો કરતા તો ત્યારના અને આજના નેતાઓ જવાબદાર છે. કેમ આજે ડૉ. આંબેડકર ફક્ત દલિતો ના જ નેતા કહેવાય છે? ગાંધીજી દલિતો ને ત્યાં જઈ તેમના ઉદ્ધાર માટે નહિ પણ નામ કમાવવા માટેજ જતા હતા. પહેલા ના જમાના માં સવર્ણો અને દલિતો વચ્ચે આટલો વિગ્રહ નહતો પણ નેતાઓ એ તેમાં આગ ચાંપી છે. પહેલા એકબીજાનું સન્માન જળવાતા અને વ્યસ્થા ચાલતી હતી. પહેલા સરકાર નહતી ત્યારે સુચારુ વ્યવથા તો સામજિક હતી જ. દલિત શબ્દ એતો આજના નેતાઓ અને પહેલા ના મહાત્માઓ ની નીપજ છે. આજે દેખાવ કરવા રાહુલ ગાંધી દલિતો ના દરબાર માં જાય છે કેમ કે તેવો ને દલિતો ની નહિ પણ વોટ ની જરૂર છે; આ વ્યવસ્થા ચાલશે ત્યાં સુધી કઈ જ નહિ થાય. મારા કારખાનાંમાં મને રોજ ચા બનાવી આપનાર દલિત છે માટે હું પોતે દલિતો નો વિરોધી નથી તે ચોખવટ કરી લઉં. કેમ ડૉ. આંબેડકરના બાવલાને તેમની જન્મ તિથી માટે ફૂલહાર કરવા દલિત સમાજ માંથી આવે તેવા આદેશો થાય છે ? સવર્ણ અને દલિતો માં વેરઝેર આ નેતાઓ એ ભર્યા છે સરકારી યોજનામાં મોટી મોટી અને ખોટી મજુરી ચૂકવી તેવો ને કામચોર બનાવ્યા સિવાય કઈ જ કર્યું નથી તેવો ને પરાવલંબી બનાવવા માં પણ સરકાર જ જવાબદાર છે. મારે ત્યાં ૪૦ દલિતો કામ કરે છે અને બધાજ પ્રમાણિક અને મહેનતુ છે અને ગુજરાન ચલાવે છે. અમે કદી પણ લડ્યા નથી કે એટ્રોસીટી નો કેસ પણ થયો નથી. કેમ…? આ કારણો તમે બધા શોધી શકો છો કે ખરા ગુનેગાર કોણ છે ?

    Like

    1. શ્રી જગદીશભાઈ,
      તમે કહો છો કે ” પહેલા ના જમાના માં સવર્ણો અને દલિતો વચ્ચે આટલો વિગ્રહ નહતો પણ નેતાઓ એ તેમાં આગ ચાંપી છે. પહેલા એકબીજાનું સન્માન જળવાતા અને વ્યસ્થા ચાલતી હતી. પહેલા સરકાર નહતી ત્યારે સુચારુ વ્યવથા તો સામજિક હતી જ.”

      સવર્ણો દલિતોનું સન્માન કરતા, એવો તમારો દાવો સાચો છે?હા, દલિતો સવર્ણોનું સન્માન કરતા. એ સાચું છે.

      આજે આ ‘સુચારુ’ વ્યવસ્થા તૂટી પડી છે અને એમાં તમને સૌ નેતાઓનો વાંક દેખાય છે! સત્ય એ છે કે આપણે દલિતો પર અસંખ્ય જુલમો કર્યા છે અને આજે પણ કરીએ છીએ. આ કહેવાતી સુચારુ વ્યવસ્થા ઉચ્ચ વર્ણના લોકોને અનુકૂળ હોય તે રીતે બદલાઈ હોય તેમાં તમને વાંધો નથી, પણ દલિતો પહેલાંની જેમ એમના સ્થાનેથી આગળ વધે તેમાં તમને વાંધો છે.

      એ ‘સુચારુ’ વ્યવસ્થા પ્રમાણે તો તમારા હાથમાં કમંડળ હોવું જોઇતું હતું અથવા તો આજના જમાનામાં તમે બહુ બહુ તો શિક્ષક થયા હોત, પણ તમે તો કારખાનું ચલાવો છો! આ તો વૈશ્યોનું કામ છે, બ્રાહ્મણોનું નહીં! તો ‘સુચારુ’ વ્યવસ્થાનું શું થયું? તમારા લાભમાં તૂટી છે, ભલે તૂટે!

      મહાત્મા ગાંધી નામ કમાવા માટે જતા હતા એમ તમે કહો છો પણ તમારી કૉમેન્ટ પરથી તો લાગે છે કે એમની કમાણી માત્ર બદનામી જ છે!

      બાબાસાહેબ આંબેડકરને શા માટે માત્ર દલિતોના નેતા માનવામાં આવે છે, એમ તમે પૂછો છો. તમે જ કહો ને? તમે એમને તમારા નેતા માનો છો? સવર્ણો એમને નેતા માને છે? આપણે પોતે તો એમને માત્ર દલિતોના નેતા માનીએ અને પછી શોધવા બેસીએ કે એમને શા માટે માત્ર દલિતોના નેતા માનવામાં આવે છે! અને કહેવાતી ‘સુચારુ’ વ્યવસ્થા સામે આંબેડકરે બુલંદ અવાજે વિદ્રોહ કર્યો હતો અને છેલ્લે આપણો વર્ણવ્યવસ્થાવાદી મહાન ધર્મ પણ છોડી દીધો. આવા આંબેડકર વિશે તમારો શો અભિપ્રાય છે?રાહુલ ગાંધી વગેરેનાં નામ આપીને જાણે આ સામાજિક નહીં, માત્ર રાજકીય મુદ્દો હોય એવી છાપ ઊભી ન કરો તો સારૂં. આમ કરીને મૂળ મુદ્દાની ચર્ચાને ટાળો નહીં.

      અસ્પૃશ્યતા હિન્દુ સમાજનું મોટું દૂષણ છે. “સર્વે ભવન્તુ સુખિનઃ” એ માત્ર આપણાં પાપોને છુપાવવાનું સોહામણું સૂત્ર છે. એ પોથીમાંનાં રીંગણાં છે. ઉદાહરણઃદલિતના હાથની ચા તો પી લો છો પણ એની સાથે જમ્યા છો? એના ઘરે ગયા છો?

      Like

      1. દીપકભાઈ હું મારી શાળા ના દલિત શીક્ષક ને ત્યાં તેના લગ્ન સમારંભ માં જઈ ને ત્યાં જ જમ્યો હતો અને તે

        પણ મારા ગામ મા જ. દીપકભાઈ કરવું અને કહેવું માં ગણો તફાવત છે

        Like

  7. The primary theme of the article is about the evil of class differences, which may be based on religion, caste, state etc. etc. Food preference is not even an issue here. Note this:
    આભડછેટના ઉદાહરણથી લખાયેલ આ લેખ માત્ર દલીતો સમ્બન્ધી નથી; અન્ય જાતીય, અન્ય ધર્મીય તેમ જ જનસામાન્ય દ્વારા સર્વત્ર અવગણાયેલ, તરછોડાયેલ લઘુમતીને પણ લાગુ પડે છે.
    Unfortunately as usual, the discussion is going in a different direction.

    Like

  8. શ્રી મૂરજીભાઈના આ લેખના સંદર્ભમાં અહીં એક લિંક આપું છું.

    Click to access mm_aug11.pdf

    આ જૈન સામયિકના પાના ૧૯૫ પર શ્રી મૂરજીભાઈનો જ લેખ છે, જે વાંચવા જેવો છે. જર્રોર વાંચશો.

    Like

  9. દલિતો ના નામે મસીહા બનનારા લોકો ને તો તેવો પછાત રહે તેમાં જ તેઓ ને ફાયદો છે. નેતાઓ પણ આજ ઈચ્છે છે
    આજે સરકાર ના લીધે નહિ પણ લોકો ની જાગૃતિ ના લીધે બદલાવ આવતો જાય છે .અનામત આપી ને શું દલિતો નો
    વૈચારિક ઉદ્ધાર થશે ? જવાબ ના જ હોય. આજે તેવો બધાજ મંદિરો માં છૂટ થી જઈ શકે છે કોઈ સામાજિક પ્રતિબંધ નથી જ. છતાં પણ જો નાં જાય તો વાંક સવર્ણો નો? તેવો સારા સવર્ણો ના વિસ્તારો માં ઘર
    લઇ શકે છે અને રહે છે પણ . શહેરો માં તો આ વ્યવસ્થા સ્વીક્રતી તરીકે જ લેવાય છે. આભડછેદ માટે જે પ્રશ્ન ઉઠાવ્યો છે
    તે આજ ના જમાના સાથે સુસંગત નથી. આવું હવે ક્યાય દેખાતું નથી. સવર્ણો ના બુફે જમણવાર માં સવર્ણો અને દલિતો માંથી જ આવે છે અને પીરસે છે તેમાં લોકો ને વાંધો નથી પણ તેવો ના મસીહાઓ ને વાંધો છે.
    બ્રાહ્મણ સરકારી પટાવાળાની નોકરી પણ ઈમાનદારી અને ખંત થી કરે છે તેમાં તે નાનપ અનુભવતો નથી
    પણ જો દલિત પટાવાળો હોય તો તેના અધિકારો ની ચર્ચા થાય. દેશ ના પછાત લોકો નું જેટલું નુકસાન સવર્ણો એ
    નથી કર્યું તેના કરતા તો હજાર ઘણું નુકસાન નેતાઓ એ કર્યું છે.

    Like

    1. વહાલા જગદીશભાઈ જોશીસાહેબ,
      તમે ક્યાં છો ને કારખાનેદાર છો કે કેમ તે ખબર નથી. પણ તમે દલીતો વીશે અને ગાંધી વીશે જે જે વચનો–વીચારો લખ્યાં તે વીચાર માગી લે છે. દલીતોના ઉદ્ધાર માટે આ દેશમાં આટલી સક્રીય રીતે અવાજ બુલંદ કરનાર ને જીવ હોડમાં મુકનાર કેટલા ‘મસીહા’ થયા હતા ? તેમાં ‘ગાંધી’એ કેટલું કર્યું તેનું મુલ્યાંકન કરીશું ? વળી, તમે લખો છો કે :‘‘ આજે તેઓ બધાં જ મંદીરોમાં છૂટથી જઈ શકે છે કોઈ સામાજિક પ્રતિબંધ નથી જ.’’ એ વાત પણ ચકાસવા જેવી છે ! જો ખરે જ એવું થયું હોત તો ઉદ્ધાર થઈ જાત આ દેશનો ! કબુલ કે આજથી પચાસ–સો વર્ષ પહેલાંની સ્થીતીની સરખામણીમાં આ દીશામાં ઘણું કામ થયું છે; તોય લેખક મુરજી ગડાએ પોતાના લેખમાં ચાર તબક્કા ગણાવ્યા છે તેમાંના કેટલા અમલમાં મુકાય છે ? હા, દલીતો સાથેની અવરજવર વધી છે, સાથે ઉઠવાબેસવાનું, સહભોજન પણ થતું થયું છે એ કબુલ; પણ તેમ કરતાંકરતાંયે મનમાંથી એ ‘દલીત’ છે એવું એક ‘શબ્દ–ચીત્ર’ પળવાર પણ હટે છે ? હજી જ્ઞાતીવાદનાં મુળ જરાયે ઢીલાં થતાં નથી ત્યાં ભાઈ ગડાના નીર્દેશેલા પેલા ચાર તબક્કા તો બહુ દુરની વાત થઈ. હા, તમારી એક વાત સાચી કે આ બાબતમાં રાજનેતાઓનાં ‘નાટક’ આજકાલ વધ્યાં છે. તેઓ કોઈ દલીતની ઝુંપડીમાં રોટલો ખાઈને કે બાવલાંઓ મુકીને આ પ્રશ્ન ઉકેલી નહીં શકે. એ તો એમના મતો મેળવવાના સઘળા ઉદ્યમો થયા. આટલું કબુલ..
      અમદાવાદના ડૉ. જી. કે. વણકરસાહેબે કેટલાક બ્લોગ શરુ કર્યા છે. ‘નયા માર્ગ’, ‘દલીત અધીકાર’, ‘દલીતકાવ્યો’, ‘દલીતકાવ્યોનો અંગ્રેજી અનુવાદ’ વગેરે તેની વીગત નીચે આપું છું..
      ‘દલિત અધિકાર’ના અંકો http://dalitadhikar.wordpress.com/
      ‘ગુજરાતી દલિતસાહિત્યના અંગ્રેજી અનુવાદ’નો બ્લોગ http://gujaratidalitsahitya.blogspot.in/
      ‘ગુજરાતી દલિતકવિતા’નો બ્લોગ
      http://gujaratidalitkvita.blogspot.in/

      સમય મળ્યે જોઈ જશો. તે વાંચતાં સમજાય છે કે હજી દલીતોની વેદના શમી નથી. પાને પાને તે ટપકે છે. હજી ઘણું કરવાનું બાકી રહે છે..

      ‘શાકાહાર’ કે ‘માંસાહાર’ કે ‘રાજનેતાઓ’ કે ‘રાજનીતી’ને હાલ બાજુએ રાખી, ભાઈ ગડાએ લેખમાં મુકેલા મદ્દાઓને ઝીણવટથી તપાસીએ તે ઠીક રહેશે એમ મને લાગે છે.. ઉત્તમ ગજ્જર : સુરત : uttamgajjar@gmail.com

      Like

  10. દીપકભાઈ અમારો ધંધો પહેલા શિક્ષક નો જ હતો અને સારી વિદ્યા આપતા તેવું બધા જ લોકો કહે છે પણ
    હવે આઝાદી પછી અનામત ના લીધે અમારો ધંધો છીનવાઈ ગયો એટલે કારખાનું કરવું પડ્યું છે ભાઈ.
    હા સવર્ણો એ કદી દલિતો નો ધંધો લઇ લીધો હોય તે જાણ્યું નથી. કવિવર ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ
    ના પુતળા તમે ક્યાય જોશો નહિ કેમ કે તેવો ખુબ જ વિદ્વાન હતા પણ પણ ડૉ. આંબેડકર ના બાવલા ગુજરાત માં જ
    ખુબ મોટી સંખ્યા માં છે. તો આ બાવલા લગાવવાનો નિર્ણય સવર્ણો કરે છે.? મેં એકવાર મારા વિસ્તાર માં કવિ ઉમાશંકર જોશી ના બાવલા માટે રજૂઆત કરવા ગયો પણ મને સફળતા ના મળી તે પણ ફક્ત નેતાઓ ના લીધે.
    અને કહ્યું કે ઉમાશંકર ના બાવલા થી પક્ષ ને શું લાભ થવાનો તે કહો. હવે જવાબ તમે આપશો દીપકભાઈ

    Like

    1. ચાલો. અનામતને કારણે તમે શિક્ષક ન બની શક્યા અને કારખાનેદાર બની ગયા. તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી મારી શુભેચ્છાઓ સ્વીકારશો.

      આમ પણ સરકારી સ્કૂલના શિક્ષક બનવા કરતાં સ્વતંત્ર રીતે વ્યવસાય કરતા હો તેમાં આર્થિક નુકસાન તો કઈં જ નથી. પોતાની સ્કૂલ ખોલવાનો વિચાર પણ ખોટો નહોતો.

      ગુજરાતમાં વિદ્યાસહાયકની યોજના તો છે જ. એમાં મારો ખ્યાલ છે કે મહિને ચાર-પાંચ હજાર રૂપિયા તો મળે જ છે અને ત્રણેક વર્ષે નોકરી પાકી થઈ જ જાય છે. સાંભળ્યું છે કે એમાં પણ પૈસાની લેતીદેતી થતી હોય છે, પણ એ તો ભારતવ્યાપી બીમારી છે. આમ છતાં અધ્યાપન કાર્યમાં જ રસ હોય તો પ્રયત્ન કરવામાં કઈં ખોટું નહીં.

      ખરી વાત એ છે કે તમે અનામતને કારણે નહીં પરંતુ બદલાતી આર્થિક અને સામાજિક વ્યવસ્થા વિશેની તમારી સાચી સમજને કારણે (સાચી સમજ અંડરલાઇન કરૂં છું). સ્વતંત્ર વ્યવસાયનો રસ્તો લીધો છે. તમે અનામતની તકલીફની વાત કરો છો, પણ એ જો સાચું હોત અને કારખાનાં ખોલવાનું સહેલું હોત તો બધા દલિતો કારખાનાં જ ખોલત. અનામત માગત જ નહીં.

      તમે કહેલી સુચારુ વ્યવસ્થામાં જે લોકો કારખાનાં બનાવવાને પાત્ર મનાય એ લોકોએ તમારો વિરોધ નહીં જ કર્યો હોય એની મને ખાતરી છે. એ જ તો એ સુચારુ વ્યવસ્થાની ખૂબી છે. આજ સુધી, અને સદીઓથી દલિતો માટે અમુક કામો અનામત રહેલાં છે જ. સવર્ણો જે કામ કરે છે તે કામમાં દલિતો ભાગ માગે છે ત્યારે જ સમસ્યા ઊભી થાય છે.

      ઉમાશંકરભાઈના બાવલા અંગેની વાતથી વિષયાંતર થશે, પરંતુ તમે જે લખો છો તેના પરથી મને લાગે છે કે તમારા પ્રયત્ન અધકચરા રહ્યા છે. હું મદદ કરવા તૈયાર છું. માત્ર એટલી માહિતી આપો કે (૧) તમે કયા નેતાને મળ્યા અને કયા નેતાએ તમને આવો જવાબ આપ્યો?(૨) એ નેતા કયા પક્ષના હતા અને તમે એમને કઈ સાલમાં મળ્યા?(૩) આ જવાબ પછી તમે આગળ શા પ્રયત્ન કર્યા? (૪) રાજકારણ સિવાયના કોઈ સામાજિક નેતાને મળ્યા?
      (૫) હાલમાં જ એક સંગઠને ઉમાશંકર જન્મ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમ યોજ્યો હતો. એ લોકોને મળ્યા?
      આ પ્રશ્નોના જવાબ મળ્યા પછી હું તમને અંગત ઇમેઇલથી કેટલાંક નામો આપીશ.એટલે અંગત ઇમેઇલ આપવા પણ તૈયાર રહેશો. એમનો તમે સંપર્ક કરશો અને મારો રેફરન્સ પણ આપશો.

      તે સિવાય કોઈ સાથે વાત કરતાં તમે કઈં બોલી નાખો અને એ નેતા જવાબમાં કઈં બોલી નાખે એને પ્રયત્ન કહેવાય નહીં. માફ કરશો.( આમ છતાં નેતાના શબ્દોમાં કટાક્ષ છે, તમારી વાતનો વિરોધ નહીં એ તો સમજી જ શક્યા હશો, એવી આશા રાખું છું).

      Like

  11. દીપકભાઈ, મેં શાળા નથી ખોલી પણ જે શાળા કવિ ઉમાશંકર ના કર કમળો દ્વારા સ્થાપિત થઇ તેનું મંડળ દ્વારા સંચાલન થાય છે તેમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું
    અને જે મેં દલિત શિક્ષક ની વાત કરી તે મારા ગામ નો છે અને છેલા ૧૦ વર્ષ થી કામ કરે છે છતાં પણ સરકારે તેને કાયમી કર્યો નથી અને તેના
    પગાર નો ખર્ચ મંડળ ભોગવે છે . શાળા ગ્રાન્ટેબલ છે તેની નોધ લેશો . તેના પગાર નો ખર્ચ બ્રાહ્મણ પરિવારો ના પસીનાની કમાણી માંથી ચૂકવાય છે
    ખરાઈ કરવી હોય તો તૈયાર છું. બીજું આ બ્રાહ્મણો દ્વારા સંચાલિત શાળા માં એક પણ બ્રાહ્મણ છોકરો ભણતો નથી. અને મોટાભાગ ના દલિત અને પછાત વર્ગોના
    વિદ્યાર્થીઓ ભણે છે . આખા વિસ્તાર માં સારા માં સારી સુવિધા ધરાવતી શાળા છે . કોઈ પણ શિક્ષક ની ભરતી માં એક પણ પૈસો ડોનેશન તરીકે લીધો નથી
    અને શાળા નું પરિણામ ૯૦% ઉપર જ આવે છે . મારો કહેવાનો મતલબ એજ કે સરકાર કરતા આવી સંસ્થાઓ પછાત વર્ગો માટે સારા કામો કરી રહી છે.
    અહી ની શાળા માંથી ભણેલા પછાત વિદ્યાર્થીઓ સારી જગ્યાએ સેટ થયા છે જેમાં આ શાળા નું યોગદાન છે અને તેમના શબ્દો પણ છે . માટે કહેવું અને કરવું માં ફરક છે.
    સરકાર પછાતો ને ખરી દે છે અને અમે તેવોને સાચી પ્રેરણા અને શિક્ષણ આપી એ છીએ.

    Like

    1. શ્રી જગદીશભાઈ,
      ૧. ઉમાશંકરભાઈના બાવલા વિશેના મારા પ્રશ્નોના જવાબ નથી આપ્યા.
      ૨. તમે લગ્ન સમારંભમાં જમ્યા તે બહુ સારૂં કર્યું. એમ જ હોવું જોઈએ.
      3. પરંતુ, તમે એમ માનતા હો કે આભડછેટની ભાવના દૂર થઈ ગઈ છે, તો એ સાચું નથી. શહેરોમાં એનું પ્રમાણ ઘટી ગયું છે તે સાચું છે, પણ એ માત્ર વ્યવહારમાં આવેલું પરિવર્તન છે; ભાવનામાં નહીં.
      ૪. જ્યાં સુધી આપણે જૂઠને સત્ય માનતા રહેશું ત્યાં સુધી આ દૂષણ દૂર નહીં થાય. નાતજાતના વાડા ભુંસાઈ ગયા છે એમ માનવું સત્ય નથી.
      ૫. તમારી શાળામાં બ્રાહ્મણ બાળકો નથી ભણતાં, એમ તમે કહ્યું છે. તમારી શાળામાં માત્ર દલિત બાળકોને જ પ્રવેશ અપાય છે કે કોઈ પણ બાળક જાતિના આધાર વિના પ્રવેશ લઈ શકે છે? કોઈ પણ બાળક પ્રવેશ લઈ શકતું હોય તો બ્રાહ્મણ પરિવારો તમારી શાળામાં શા માટે પોતાનાં સંતાનોને મોકલતાં નથી? આ મુદ્દા પર તમે વિચાર્યું હોય તો અમને જણાવવા વિનંતિ છે.

      Like

    2. લેખક શ્રી,
      દીપક ભાઈ , આભાર કે એટલી સરસ ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તમે આપ્યું ,પહેલા તો લેખક શ્રી એ ખુબ જ સરસ અને ઝીણવટ રાખીના પગથીયા નું વિરુપણ કર્યું એ પ્રશંશા ને પાત્ર છે ,છતાં પણ પહેલા એક વાત સર્વ લોકો ને કહીશ કે દલિત શબ્દ સંવિધાન ના કયા અનુચ્છેદ માં લખેલ છે ?…કે તમે લોકો દલિત શબ્દ વાપરો છો ,બાબા સાહેબ એ કદી દલિત શબ્દ વાપર્યો જ નથી ,,દરેક માનવીના મગજ માં કઈ ઉંચો હોય એનો ભાવ થોડો હોય છે જ ,પછી એ બ્રાહ્મણ હોય કે પછાત હોત ,એ વાત અહી દેખાય છે ,,કે દરેક ને પછાત જાતિ થી ઉંચો હોવાનો ભાવ વત્તા ઓછા અંશે દેખાય છે , લેખક શ્રી ના આ લેખ માં એ વાત દેખાઈ આવે છે ,પછી એ શાકાહાર ના સંદર્ભ માં હોય કે પછી પછી કોઈ કહેવાતી (દલિત )ની છોકરી ના લગ્ન માં જમવાની વાત હોય ,દરેક ને એ ભાવ આવે છે કે ” મેં દલિત (કહેવાતા ) ઘરે જમવાનું ગ્રહણ કર્યું ,,” જાણે કે મીર માર્યા હોય ..કોઈ ભાઈ એ આ વાત એ વ્યક્તિગત ના લેવી,
      બીજી લેખક શ્રી વ્યસન ની વાત એ મારા મત મુજબ પછાત વર્ગો સાથે જોડી હોય એમ લાગે છે ,,વ્યસન એ પણ વ્યક્તિગત બાબત છે ,હા માનું છુ કે કહેવાતા દલિત સમાજ માં એનું પ્રમાણ વધુ છે .બીજી વાત તો જગદીશ ભાઈ શું કહેવા માંગે છે એજ સમજી શકાતું નથી ,ઘડીક માં પોતે બ્રાહ્મણ છે એ બતાવે છે તો અનામત ને વાંક આપે છે ,,પોતાના માં ક્લિઅર નથી ,દીપક ભાઈ ની વાતો ગમી ,,
      અંતે સરસ લેખ અને લોકો ના અભિપ્રાયો ,છતાં હજી મગજ માંથી બ્રાહ્મણ જતા વાર લાગશે ,,,

      Like

  12. Friends,
    Let us talk about the subject of Veg and Non-veg food. And talk about today’s practical life, that once upon a time was called “conservatives living.”
    In 2012, I have seen many families with both, vegetarian and Non-vegetarian living under one roof, and dining on one dining table.Older generation and younger generation. Older generation is well aware of the lifestyle of the younger generation. This is happening in urban areas (mostly) in India and openly in overseas.
    This is an example of co-existence. This is the answer to “Struggle for existence”
    Today’s generation ( most of them ) knowingly or unknowingly do not care or believe in cast system or VARNA-VYAVASTHA. ( openly or in a secret way ) Old “CULTURE” is now exposed and it’s bad features are being washed away.
    ” Har yugme badalte dharmoko kaise aadarsh banaoge ?” Old is no more Gold…Old is gone. I / we myself / ourselves have changed my / our lifestyle since the date of my / our birth, regularly to be with the flow of constantly changing time. We have changed our thinking pattern and changed our practical lifestyle. Let us ask ourselves and find out a honest answer.
    Who will lead and rule our country and society ? Time is the factor…but answer would be…Those who believe in co-existence.
    Thanks.

    Like

  13. નમસ્તે ગોવીંદભાઈ,
    સરસ ચર્ચા જગાડનાર લેખ મુકવા બદલ ધન્યવાદ. દર વખતે આપની પોસ્ટ બાબત આપની ઈમેઈલ મળતી આથી જલદી વાંચવાનું મળતું. હવે આપે ઈમેઈલ મોકલવાનું બંધ કર્યું લાગે છે, આથી આ પોસ્ટ મોડી જોવા મળી. એનાથી બધી ચર્ચા વાંચવા મળી એ લાભ થયો.
    અમારા ગામમાં હરીજનો માટે પાણી ભરવાનો કુવો અલગ હતો, આજે પણ હશે, જો કે હું છેલ્લાં ૩૭ વર્ષથી પરદેશમાં છું. બહુ નાનો હતો ત્યારે પણ મેં એમના કુવા પર જઈ પાણી પીધેલું. અહીં પરદેશ આવ્યો તે પહેલાં મારા ઘરમાં તથા હરીજનોના ઘરમાં એમની સાથે બેસી ભોજન કર્યું છે. ઉત્તર બુનીયાદી શાળામાં આચાર્ય હતો ત્યારે પણ અમારી શાળાના વીદ્યાર્થી હરીજનોના ઘરે પાણી પીધું હતું, તે સમયે એમનાં માબાપોએ કહેલું, ‘સાયેબ, અમારા ઘરનું પાણી તમારાથી નો પીવાય’.
    હા, કોઈ પણ પ્રકારના ધર્મ, જ્ઞાતી, વર્ણ, લઘુમતીના ભેદભાવો હોય તે ખરેખર ખેદજનક છે.
    ગાંધીજી જેવા માટે ‘નામના માટે’ હરીજનોને ત્યાં જતા હતા (ગાંધીજી દલિતો ને ત્યાં જઈ તેમના ઉદ્ધાર માટે નહિ પણ નામ કમાવવા માટેજ જતા હતા.) એમ કહેવું એ ખરેખર તો ગાંધીજીને સમજવામાં જગદીશભાઈ ખુબ જ ઉણા ઉતર્યા છે એમ મને લાગે છે. હું ઈચ્છું કે જગદીશભાઈ એમના આ વીધાન પર ફરીથી વીચાર કરે.

    Like

    1. લેખ ખુબ કુશળતાથી લખાયો છે, દ્રષ્ટિકોણ પણ સારો છે. વાચકોને જો પ્રશ્નો જ ન ઉપજે તો લેખ મનોમંથન જગાવવામાં નિષ્ફળ ગયો કહેવાય! આ બ્લોગના જુના લેખોની ટીપ્પણીઓમાં હિંદુઓને અને તેમના ભગવાનોને પણ ખુલ્લેઆમ ગાળો લખાયેલી વાચવા મળી છે. શબરી ભીલ હતી તેથી રામની ચાકરી કરાવી પડી એવો કોઈ ભાવ પણ ઉભો કરાવ્યો હતો તેવો પણ કંઈક ખ્યાલ છે. ગાંધીજીની તો આખી જીંદગી જાણે વિવાદોના વંટોળ વચ્ચે વીતી ગઈ! આઝાદીના નામ પર જીંદગી ન્યોછાવર કરી કાળી કોટડીઓમાં રાતોની રાતો વિતાવી! અંગ્રેજોની લાઠીઓ ખાધી અને રામ નામ પર ગોડસેની ગોળી પણ ખાધી. હરીજન સેવા પણ જાણે એળે ગઈ! હિંદુ-મુસ્લિમ વચ્ચેના ઝેર-ઝગડામાં ગાંધીએ તો જીવતે-જીવતા બંને બાજુઓથી કેટલીયે ગાળો અને ધમકીઓ સહી લીધી હશે! આઝાદી તો બધા લોકો મઝાથી ભોગવે છે પણ ગાંધીને કોઈ પણ સ્વાર્થ વગર પોતાનો કહેનાર કોઈ મહારથી જોયો? ન સુવર્ણમાં જોયો, ન હરીજનોમાં જોયો, કે ન મુસ્લિમોમાં જોયો! હા ગાંધીનું નામ વટાવતા ઘણા જોયા પણ કોઈના હૃદયના ઉડાણમાં ગાંધી ન જોયો! આપણા દિલની ભલે એ વ્યથા હોઈ પણ મહાત્માઓના જીવનની એ જ કથા હોય છે, મહાત્માઓના જીવનની એજ કસોટી હોય છે! મોહમદ રફીસાહેબનું ગીત યાદ આવી ગયું કે, “રામ કે મંદિરમે જા બેઠા શ્રીરામકા રખવાલા!” મહાત્મા તો મહાન-આત્મામાં ભળી ગયા પણ આપણે સૌ તો જયાના ત્યાજ રહી ગયા!
      હવે આ લેખની શરૂઆતમાં લખેલા નૈતિક કોયડાની વાત મેં ભારત વિષે સારું એવું જાણતા અને ભારતમાં મિશનરીનું કામ કરી ગયેલ અમેરિકન ભાઈને કરી તો કહે કે, “તમે ભારતીઓ Ignorant અને manipulators છો!” મને ખ્યાલ આવી ગયો કે તેને આ વાતથી ક્યાં ખૂચ્યું! મેં કહ્યું, “તેમ કેમ?” ભાઈ બોલ્યા કે, ” હું ભારતમાં રહી ગયેલો છું અને મિશનરીના કાર્ય દ્વારા ભારતીય વિચારધારથી પરિચિત છું. તે બહુ વગોવાઇ ગયેલા અને ભારે Image-crisis ધરાવનાર વ્યક્તિ (Hitler) ના ઉદાહરણના ઓથા નીચે character-crisis ધરાવતા બે પશ્ચિમી નેતાઓના character ને એટલેકે (રાખત રાખવાનું અને Drugs નો નશો કરવાનું) ઉચિત ગણાવવાનો પ્રયાસ કર્યો.” તેણે સિગારેટ પીવાની, દારૂ પીવાની કે માંસાહાર કે શાકાહારની બાબતમાં હરફ સરખો ન કર્યો! કદાચ તે વસ્તુઓ અહી સામાન્ય હોવાને કારણે! તે બોલ્યો, “તમે લોકો માનો છો તેવા ઉડબંગ હંમે નથી. આમારા ચુટાયેલા નેતાઓને અમે નેતાગીરીમાં અવ્વલ સમજતા જ નથી. Election માં ઉભા રહેલા અમારા candidates ભારતમાં election લડતા thugs કરતા વધુ ચકાસાયેલા હોઈ છે. અમે જયારે કોઈ candidate ને elect કરીએ ત્યારે “better of the two or three Evils” માંથી જે સારામાં સારો હોય તેને એક term માટે ચુંટીયે અને જરૂર પડે તો ફરી વખત બીજાનો અખતરો કરીએ. તમારા ભારતની જેમ બીજા બધા બુદ્ધિના ઓથમીર હોય તેમ વારસાગત ગાદીપતિ ના નીમીયે.” ગુસ્સામાં એ બોલ્યો, “England ના લોકોએ બીજું વિશ્વયુદ્ધ જીત પછી બીજા જ વર્ષે ઇલેકશનમાં ચર્ચિલની હકાલપટ્ટી કરી દીધી. તમે ભારતીયો સમજો છો એટલા અમે પશ્ચિમી લોકો character ના Bankrupt પણ નથી. તમને લોકોને ના ગમે તે બધા લોકોની ઈમેજ-ખંડિત કરવાની ટેવ પડી ગઈ છે અને તેથી જ તમે નાના નાના ગ્રુપોમાં વહેચાઈ ગયા છે અને સ્વાર્થની વૃતિને લીધે એકબીજાની ખુંડણી કાર્ય કરો છે. પૈસો જ તમારો પરમેશ્વર છે ને નિજ સ્વાર્થને લીધે દેશને પણ વેચી નાખો તેવા છો……” વગેરે વગેરથી મારો તો ધોયલો જ કાઠી નાખો! કદાચ ભારતીઓને convert કરવાની મુશ્કેલીયોનો ગુસ્સો મારા પર આવી પડ્યો.

      Like

  14. It is good to know that so many of readers have crossed the dinning as well as work barrier with other casts/religion. Would we be equally comfortable in INDIA to work for/under someone who once was considered “inferior” to our caste?

    Let us move a step further, as in the article. Where do we stand in a matter of our children’s marriage, at least in principle?. (Actual doing is lot more complex matter.)

    Like

  15. દીપકભાઈ
    ઉમાશંકર કવિ ના બાવળા માટે મારે જે તે સમયે સમાધાન કરી ને એક નવા ઓવરબ્રીજ ના નામકરણ સાથે સંતોષ માની લીધો અને તે વાત ને
    ૭ વર્ષ થઇ ગયા.
    અમારી શાળા માં દરેક ને જાતી કે ધર્મ જોયા વગર પ્રવેશ અપાય છે. અને હા બ્રાહ્મણો ની સંખ્યા નથી તેનું કારણ ફક્ત બ્રાહ્મણો રોજી રોટી અને વહેપાર માટે
    અન્યત્ર સ્થાઈ થયા છે. પણ આ શિક્ષણ સંસ્થા નિષ્પક્ષ સેવા આપી રહી છે. અને બીજી વાત કરું તો આજ પછાત લોકો ના ઉચત્તર અભ્યાસ માટે
    કોલેજ પણ આવતી સાલ થી શરુ કરીએ છીએ. આ ફક્ત વાતો નથી પણ સત્ય છે. દલિતો ને આજ જોઈએ છે પણ બિચારા રાજનેતાઓ અને તેમના
    મસીહાઓ તેમને ખોટા રસ્તે લઇ જઈ રહ્યા છે.
    બીજું દીપકભાઈ મેં મારૂ કારખાનું મારી જાત મહેનત અને બુદ્ધિથી વિકસાવી છે. હું પણ બીજા પછાત ની જેમ જ ગ્રેજુએટ થયો છું અને આર્થીક રીતે
    પછાત લોકો ના કરતા પણ વધારે પછાત હતો તો પણ કારખાનું નાખી સારી રીતે ચાલવું છું . તો પછી પછાત લોકો ને કે દલિત લોકો ને કારખાનું કરતા કોણ સવર્ણો કે સરકાર રોકે છે ?
    ત્યાં તેવો પાછા કેમ પડે છે ? અભ્યાસ તો કરે છે. અને એ પણ બધું મફત જ મળે છે. હા સંપૂર્ણ મફત જ . તો પછી તેવો કેમ આવું વિચારતા નથી?
    સવર્ણો ના પાળે છે? ના પણ જવાબ છે કે આટલા વર્ષો થી સરકારી મદદો લઇ લઇ ને હિંમત અને ધગશ થતા મહેનત ના ગુણ કદાચ વિકસી ના પણ શક્ય હોય.

    Like

  16. Bhagavad Gita, Adhiyaya : 4….Karma Brahmarpan Yoga….Shloka: 13…says…
    Krishna: Chaturvarnya maya…….
    Lord Krishna says, I created 4 Varna / cast system…
    Lord Manu wrote laws for Hindus to live…as per the cast system..(.Brahmin pradhan & Purush pradhan cast system…Brahmins are superior cast and rulers. Women did not have any recognition.)
    Someone may say the shloka and laws of Manu are misinterpreted.
    Whatever has happened. Today Hindu Dharma is living the same cast system of hate and neglect.Swami Sachhidanand wrote a book titled ” ADHOGATI NU MUL, VARNA-VYAVASHTHA”
    There is another book worth reading and it is, CULTURE CAN KILL, written by S.Subodh. ( Subodh Shah ) in English Language. Worth reading. An eye opener. India, today is not living in human society. It is a BUSINESS Society life being lived.
    The cast system is deep rooted. It is a slow process changing. Our preachers are playing a catalyst’s role in teaching about cast system.. e.g. Ramayan….main characters are Bhrahmins and Khshtriyas. Mahabharat also same. Today’s politics and politicians are also culprit.
    Education can help to remove the cast system, slowly. Some dedicated volunteers are needed.

    Like

  17. The Subject of `Selective Morality’ has been looked at many aspects, some quite wrongly. “Untouchebility” is still in the mind of People as Superior and Inferior. This is basically a Wrong way of Looking at the Real Issue. Religion and “VARNASHRAM” arrangement has played their role, very badly.

    “Varna” was based on certain speciality of profession or avocation. It was Not based on “Upper” and/or “lower” category of work. As Civilization enriched into Industrial Age, which led to Urbanization, had changed many aspects of Human Living. WEST is Caste-Less and Class-less as well. However, The “HAVES and HAVE-NOTS” have resulted. There is a Conflict between these two Groups. Unions took up the case of Have-Nots i.e. Labor. There is an Opening to move- up with Education. Therefore, my opinion is for Education, starting with Basic one. In the Age of Technology and Science, there is No Room for any Distinction, but Just `MERITS’ i.e. Ability.

    Indian Society is Caste-Ridden, yet it is losing its impact in Industrial/ommercial Urban Areas. The West, where we live in U.S.A. does not have Caste or Class Distinction as Upward Mobility is Possible. Here, we have another peculiar Conflict among Whites and Colored People, i.e. Blacks, Hispanics and Asians. Human Nature, it appears to be Irrational with Visible differences. Race and Religions have entered Political arena.

    Martin Luther King, Jr. had to Lead Blacks for their Human Rights like Equality, Voting Rights, etc. Even Women also had to fight for their Rights of Equality with Men. There are these kinds of Inharent Distinctions in All Societies. There are Movements to overcome these demeaning distinctions.

    Religious, Political and Class Distinctions Need to Change. These are Possible only with “RATIONALISM”. This is Possible with Progressive Social Reform Movement. Some of us are Part of this Movement in so many Different ways. Vegitarianism, Veganism, Environmentalism, Animal Rights and Non-Violence Movements, etc. Let us accept All these in terms of Globalization, which is sweeping the world. India and China alongwith Russia, Brazil and South Africa are in the Vanguard. Let us all play our Role as Universal/World Citizens.

    Fakirchand J. Dalal
    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

    1. મુ. ફકીરચંદભાઈ, આપની બધી વાત સાથે સમ્મત છું, તેમ છતાં એક વાક્યને વધારે વૈજ્ઞાનિક રૂપે મૂકવાની જરૂર જણાય છેઃ
      “Varna” was based on certain speciality of profession or avocation.”
      વર્ણવ્યવસ્થા કોઈ સભામાં સર્વાનુમતિથી ઠરાવ પસાર કરીને લાગુ નહોતી કરવામાં આવી. એટલે એને કોઈ ‘પ્રોફેશન’ સાથે જોડવાનું અતાર્કિક છે. એમ હોત તો જન્મજાત વર્ણ નક્કી ન થતા હોત. આ માત્ર શોષણ છે. અમેરિકામાં જાતિદ્વેષ છે. ભારતમાં એ પ્રકારની જાતિઓ નથી, પણ તેમ છતાં દ્વેષ છે. આપની જેમ જ હું પણ અમેરિકાના જાતિદ્વેષને યોગ્ય નથી માનતો. પરંતુ, જ્યાં ડૉ.કિંગનું બલિદાન લેવાયું ત્યાં ઓબામા પ્રેસિડન્ટ બની શકે છે, અને તે પોતાની તાકાત પર, એ મોટું પરિવર્તન છે. ભારતમાં દલિત, મુસ્લિમ કે ખ્રિસ્તીને રાષ્ટ્રપતિ બનાવવા માટે બીજા પક્ષો નિર્ણય લે છે કે હવે દલિતને (કે. આર. નારાયણ) રાષ્ટ્રપતિ બનાવો, હવે મુસલમાનને (એ. પી. જે. અબ્દુલ કલામ) રાષ્ટ્રપતિ બનાવો. આમ એમની બીજી મૅરિટ પર એમની ધાર્મિક કે કોમી ઓળખ સવાર થઈ જાય છે અને આવા નેતાઓ વર્ણવાદીઓના ખભે ચડીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.

      Like

  18. ગડા સાહેબ, આપણા સગવડીયા ધર્મની શી વાત કરવી? ખરખર તો સ્વાર્થ માટે જ ધર્મ પાળીએ છીએ. આપે દલિત કે અન્ય-ધર્મી શાકાહારી સાથેના સમાન વ્યવહારની વાત કરી. જો આપ ‘સંડે ટાઈમ્સ’ વાંચતા હો તો ખબર હશે કે સેલેબ કૂકિંગ માં કેટલા બધા કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના હિંદુ-જૈન બોલીવૂડ કલાકારો માંસ-મચ્છી-ઈંડાની રેસીપીને પોતાની ટોપ ફેવરીટ ગણાવે છે ! અરે આપ એ પણ જનતા હશો કે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના ધનિક હિંદુ -જૈન લોકો મોટી મોટી હોટેલ્સમાં કેવું નોન-વેજ ફૂડ આરોગતા હોય છે! મેં તો મારા પરદેશના ( યુ.કે. , કેનેડા, દ. આફ્રિકા ) પ્રવાસમાં જોયું છે કે મારા સૌ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના હોસ્ટ નોન-વેજ ખાતા હતા ! અને એ પણ દારૂની જયાફત સાથે.

    ઉજળી ચામડી વાળો ( એટલે કે ગોરો ) કે ઉચ્ચ જ્ઞાતિ વાળો દારૂ પીવે કે નોન-વેજ ખાય ત્યારે જોનાર સનાતની હિંદુ કે જૈનની મોરાલીટી જ નહિ સેન્સીટીવીટી પણ સીલેક્ટીવ બની જાય છે ! આવી જ ફૂડ-હેબીટ વાળો દલિત, જમાઈ તરીકે રાક્ષસ જેવો લાગે છે, પણ એવી જ અને એથી પણ વધારે ‘બુરાઈઓ’ ધરાવતો ‘ ગોરિયો’ કે ‘મુસલમાન’ જમાઈ તરીકે બહુ દેવદૂત જેવો લાગે છે. કહેવાતી ઉચ્ચ ગણાતી હિંદુ હિરોઈનોના માબાપ આવા ભારથારોથી ઓળઘોળ થઇ જાય છે. માંસાહારી સલીમને રાજપૂત જોધાબાઈ અને એવી તો કેટલીય ક્ષત્રીયાણીઓ પોતાના ભરથાર માનીને રાજરાણીઓના મનપાન પામી છે અને છતાં ક્ષત્રીયવટને કશું ખોટું લાગ્યું નથી.

    ગડા સાહેબ, મનુસ્મૃતિમાં આ જ સગવડિયા ઉર્ફે સ્વાર્થી ધર્મને માટે બ્રાહ્મણો અને અન્ય દ્વિજો માટે ‘આપદ ધર્મ’ ને નામે બહુ મોટા છીંડા મુક્યા છે.

    Like

    1. નીરવભાઈ,
      તમારાંઅવલોકન સાચાં છે. માત્ર મોરૅલિટી નહીં પણ સિન્સિટિવિટી પણ સિલેક્ટિવ છે. આપદ્‍ ધર્મ આપણને બધી છૂટ આપે છે. એટલે આપણે જે કરીએ તે બધું આપદ્‍ ધર્મમાં આવી જાય અને ધર્મ તો બીજાને ઉપદેશ આપવા માટે જ રહે છે.

      Like

    2. What is your point? I do not understand.

      I repeat two of my points here.

      1) સર્વ માનવ સમાન છે એમ કહેવું સહેલું છે, કરવું ખુબ અઘરું છે. ‘સર્વ માનવ સમાન’ની દીશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એની આ ચકાસણી છે. બીજું કંઈ નહીં તો એક આદર્શ તરીકે સ્વીકારવાનો આપણો માનસીક અભીગમ કેવો છે એનો સાચો જવાબ જાત પાસે માગવાનો છે.

      2) ભેદભાવ માનવ પ્રકૃતીમાં જન્મજાત છે. સદીઓથી આપણે પ્રકૃતીથી અળગા થઈ સંસ્કૃતી તરફ વધવાની કોશીશ કરતા આવ્યા છીએ. હજી બે ડગલાં આગળ વધીએ. જન્મ આધારીત ભેદભાવને સાચા અર્થમાં ભુલી જઈએ અને અંગત જીવન કરતાં જાહેર જીવનને વધુ મહત્ત્વ આપીએ.

      Like

      1. Please excuse me, friends, but the first requirement in a rationalist blog like this should be for all writers to stick to the subject. Let us keep aside personal feelings, anecdotes, hatred of politicians, etc. if they are irrelevant to the matter. The subject here is Equality. It is neither vegetarianism, nor politicians, nor Umashanker Joshi, nor sensitivity, etc. Is equality between man and man (or woman) a good ideal? To what extent is it practicable? How much progress have we made in advancing that ideal in Indian society? I request everyone’s views on these topics, as Gada saheb has desired. Thanks. —Subodh

        Like

  19. subodhbhai, i am sorry i hurt you. i knew it would hurt all those who find it easy to give ‘lip service’ and show ‘lip sympathy’ in the name of ‘equality’. it is real demanding to practise real ‘equality’ , for it involves shedding centuries-old privileges and forgoing priorities over others less endowed.

    my yankee friend, i am sure you will be getting to taste a bit of what it is to be ‘unequal’ there, gandhi did get in s. africa and so did our shilpa shetty in uk. howsoever fair ‘shah’ is in india and howsoever ‘high caste’ ‘shah’ thinks he is in india, you are ‘black’ or ‘brown’ and certainly lower in the eyes of the whiteman to allow you enjoy full and real ‘equality’. do you wish to allow them their privileges in the name of race and colour ?

    Like

  20. Friends, We are discussing “Selective morality” on the basis of different subjects….As per the paragraph….
    ” Khanpan ni babatma aapane ghana chusta chhiye…………….Karma aadharit nahi, pan janma aadharit aa bhedbhavne “selective Morality” na kahevay? This is one of the subjects. Inter cast marriage is another subject…..and……………
    So this question asks the reader to discuss this subject of selective morality on the basis of food habit. Selective morality = equality ?
    Why talk about Manu ? Manu has permitted Bhrahmins to eat meat after yagna….Puja…
    Want to talk about Manu ? Why in the 21st century we are giving equal status ( lawful and personal ) to women? (Exceptions not to be considered) (Manu did not consider women equal to Men in social status) Are we not heading towards creating equality in other fields ? It is a slow process…Let us be the volunteers to achieve the target fast, rather than discussing on papers…..
    Thanks.

    Like

  21. માફ કરજો મિત્રો, સિલેક્ટીવ મોરાલીટી વિશેના આ લેખની શરૂઆત માંસાહારના ઉલ્લેખ સાથે થઈ છે, વચમાં બે વાર શાકાહારી ભોજન એવો સિલેક્ટીવ ઉલ્લેખ ખાસ કરાયો જ છે. મોટાભાગના કહેવાતા દલિતો માંસાહારી હોય છે. શાકાહારી શબ્દ વાપરવો તે જ પ્રથમ તો સિલેક્ટીવ મોરાલીટી થઈ ગઈ કે નહિ? જૈનો કીડીયારા પૂરે, પાંજરાપોળ ચલાવે, કતલખાના વિરુદ્ધ સરઘસ કાઢે અને બેલ્ટ પહેરવાનું ચાલુ રાખે, હાડકાના ભુકામાથી મેળવાયેલા કેલ્શિયમ વડે સફેદ કરેલી ખાંડ ભરપેટ વાપરે તે પેરાડોક્સ શું સિલેક્ટીવ મોરાલીટી નથી? દલિત સાથે બેસીને એમનું શાકાહારી ભોજન લેવું, પણ દલિત માંસાહારી હોય તો? ગુજરાતીઓ સિવાય યુપી કે બંગાળના બ્રાહ્મણો પણ માંસાહારી હોય છે, તો દલિત સાથે બેસીને બંગાળી મત્સ્યાહારી રવીન્દ્રનાથ ટાગોર શું ખાશે? લગ્નની વાત જવાદો પહેલા જોડે બેસીને ખાવામાં તો રેશનલ બનો પછી આગળ વાત કરો. પોતાને શાકાહારી ગણાવી માંસાહારીઓને તુચ્છ ગણવાની માનસિકતામાંથી પહેલા બહાર આવીએ.

    Like

  22. 1) સર્વ માનવ સમાન છે એમ કહેવું સહેલું છે, કરવું ખુબ અઘરું છે. ‘સર્વ માનવ સમાન’ની દીશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એની આ ચકાસણી છે. બીજું કંઈ નહીં તો એક આદર્શ તરીકે સ્વીકારવાનો આપણો માનસીક અભીગમ કેવો છે એનો સાચો જવાબ જાત પાસે માગવાનો છે.

    2) ભેદભાવ માનવ પ્રકૃતીમાં જન્મજાત છે. સદીઓથી આપણે પ્રકૃતીથી અળગા થઈ સંસ્કૃતી તરફ વધવાની કોશીશ કરતા આવ્યા છીએ. હજી બે ડગલાં આગળ વધીએ. જન્મ આધારીત ભેદભાવને સાચા અર્થમાં ભુલી જઈએ અને અંગત જીવન કરતાં જાહેર જીવનને વધુ મહત્ત્વ આપીએ.

    ****સર્વ સમાન છે કહેવું સહેલું છે, માનવું અઘરું છે, કરવું અતિ અઘરું છે. આદર્શો વડે આજ સુધી કોઈ સુધારો થયો હોય તેવું લાગતું નથી. આદર્શોના પોટલાં પુસ્તકોમાં બહુ શોભે. આદર્શો એટલા બધાં મહાન અને ઊંચા ના હોવા જોઈએ કે પાળી નાં શકીએ, અને પાળવાની મથામણમાં દંભી બની જઈએ. ભારતમાં આજ સુધી એજ થયું છે. આપણા જેટલી દંભી પ્રજા બીજે ક્યાય નહિ હોય. પહેલા વૈજ્ઞાનિક અભિગમ કેળવીએ. વિજ્ઞાન સમજ આપશે કે આપણે બધાં જીનેટીકલી એક સમાન છીએ.
    ******* પ્રકૃતિ ફક્ત પ્રકૃતિ છે, મધર નેચર ફક્ત મધર નેચર છે. સંસ્કૃતિ ફક્ત વહેમ છે. સંસ્કૃતિઓએ જેટલા ભેદભાવ કર્યા છે અને જેટલી હત્યાઓ કરી છે તેટલી હન્ટર ગેધરર સમાજોએ નથી કરી.

    મારા વૈજ્ઞાનિક કવિ મોટાભાઈની કવિતા માણો
    14. Rationality
    Lions prey on innocent antelopes
    They kill them mercilessly and devour
    Deers love their calves as tigers their cubs
    Lions and tigers are cruel and kind?
    Neither cruel nor kind, they are indifferent.
    They cannot think rationally, nor even irrationally,
    and are just indifferent.
    We the humans can think rationally, also irrationally!
    Any way we are different!!

    Like

  23. The week is almost over and it is time for a new article to be posted.

    The discussion was mainly focused on food choices, which was not even an issue here. The primary theme of the article was about rising over class differences as much as we can. No one came close to saying that they would be open to their child’s choice of his/her life partner, regardless of the origin, at least in PRINCIPLE.

    I have a suggestion for Shri Uttam Gajjar to play a role of a closing moderator. That would be commenting on the article as well as the discussion that followed. This would be done at the end of the week but before the next article is posted. Could you take the responsibility to do this regularly Uttambhai?

    Like

  24. Navinbhai અને Raol Saheb ની વાત ખુબ વાસ્તવિક અને પ્રમાણિક લાગી! સગવડિયા વાતો અને સગવડિયા વર્તનનું જોર હવેતો બધે જ જામી ગયું છે!
    જાતીવાદના નામ હેઠળ જ હવે નવો જાતિવાદ ઉભો થઇ રહ્યો છે! બ્રામણ, અછૂત, પછાત, હરીજન વગેરે શબ્દો અને એ શબ્દોના ભેદભાવને લીધે ભૂતકાળમાં જે મહા અનર્થ થયો તે જ અનર્થ હવે એ શબ્દોને વારંવાર બોલવાથી, યાદ કરાવવાથી અને તેને જીવિત રાખવાથી થઇ રહ્યો છે! બધા પોતાને બહુ સુધારાવાદી બતાવવા માટે અનામતને ઉચા સાદે બહાલી આપે છે પણ અનામત આર્થીક રીતે પછાત લોકો માટે જ હોવો જોઈએ તેવું કેટલા લોકો બોલે છે? જો આર્થીક પછાતતાને નામેજ અનામત અપાય તો આર્થીક રીતે પછાત બધી વર્ણના લોકોનો ઉદ્ધાર થાય અને જાતિના નામે થતા અનર્થો દુર થાય! પણ આ પ્રકારની વાત કરવાથી કદાચ એટલી નામના ન મળે જેટલી આનાથી ઉધી વાત કરવાથી મળે! અને કદાચ “Divide and Rule” ના સગવડિયા ધંધાને આચ આવી જાય!
    મિત્રો, આ બ્લોગ પરના ૯૦%થી વધુ લોકો ક્યાંક તો આર્થિક રીતે સુખી એવા ધંધા કે નોકરીમાં જોડાયેલા છે અથવા તો મારી જેમ પરદેશ બેસી ચર્ચામાં જોડાય છે તો તે પ્રમાણે આપણામાંના મોટાભાગને જાતિ પર આધારિત અનામત વ્યવસ્થાથી કોઈ મોટી આચ નથી આવતી તો ખાલી સારા દેખાવા માટે જ કે પછી દિલમાં ડંખતા Guilt ને દબાવવા માટે કે પછી બીજા કોઈ નીજી સ્વાર્થ માટે આપણે સૌ ખુબ અનર્થ યુક્ત બાબતને કદાચ અનાયાસે જ પોષતા હોઈશું પણ આપણે ભૂલવું ન જોઈએ કે આમ કરવાથી આપણે એક નવા પ્રકારના જાતિવાદના જ “સાપ ને દૂધ પવડાવી રહ્યા છીએ!”
    આધુનિક ભારતમાં અછૂત પર હજુ પણ અત્યાચારો થઇ રહ્યા છે અને તેમને મંદિરમાં જવાની હજુ પણ મનાય છે તેવી બાબતોમાં મને થોડી ઘણી અતિશયોક્તિ થતી હોય તેમ પણ લાગે છે કારણકે મંદિરમાં જતા લોકોનું (મારા ખયાલ પ્રમાણે) તો કોઈ I.D. જોતું હોય અને અંદર જવાની ના પડતું હોય તેવું મારા ખ્યાલમાં પણ નથી! છતાં પણ જો એવું કયાંક થઇ પણ રહ્યું હોઈતો તેની નાબુદી માટે જે તે સ્થળે તેના વિરોધની લડત મજબુત કરાવી જોઈએ અને તે બાબતને આખા ભારતમાં થઇ રહી હોવાની અતિશયોક્તિથી દુર રાખવી જોઈએ. એક સારા અને સાચા ભારતીય તરીકે સૌએ જાતિઓએ અછૂત પીડા અને પ્રથા નષ્ટ થાય અને સાથે સાથે જાતિના નામે ચાલતી જાતિવાદને પોષતી અનામત વ્યવસ્થાની જગ્યાએ આર્થીક પછાતતા પર આધારિત અનામતની જોગવાઈ થાય તેવી લડતને સાથ આપી ભારતને ૨૧મિ સદીમાં લઇ જવાની ચળવળને બુલંદ કરાવી જોઈએ!

    Like

  25. અશ્વિન ભાઈ ,
    \’\’આધુનિક ભારતમાં અછૂત પર હજુ પણ અત્યાચારો થઇ રહ્યા છે અને તેમને મંદિરમાં જવાની હજુ પણ મનાય છે તેવી બાબતોમાં મને થોડી ઘણી અતિશયોક્તિ થતી હોય તેમ પણ લાગે છે કારણકે મંદિરમાં જતા લોકોનું (મારા ખયાલ પ્રમાણે) તો કોઈ I.D. જોતું હોય અને અંદર જવાની ના પડતું હોય તેવું મારા ખ્યાલમાં પણ નથી\’\’

    આ વાક્ય માં તમે સમર્થન પણ કરો છો અને વિરોધ પણ ,,આધુનિક ભારત માં મંદિર ના કિસ્સા તો કઈ નહિ એનાથી પણ વધુ થઇ રહ્યા છે ,અમદાવાદ ના સાણંદ તાલ્લુકા ના એક ગામ માં અછુત ના ત્યાં નવી પરણેલી વહુ પહેલી રાત દરબાર ના ત્યાં નું ચલણ આજે પણ જીવિત છે,કદાચ દુર રહો છો તો તમારા ધ્યાન માં નથી ,,મહેસાણા ના કેટલાય ગામ માં હજી મંદિર માં પ્રવેશ નથી ,વાળંદ વાળ નથી કપાતો ,,આવી હજારો સમસ્યાઓ છે ,,એ તો નીકળીને જોવું પડે ભાઈ અહિયાં બ્લોગ પર લખવાથી નહિ દેખાય ,,બીજી વાત ,કે

    લેખક શ્રી,
    દીપક ભાઈ , આભાર કે એટલી સરસ ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તમે આપ્યું ,પહેલા તો લેખક શ્રી એ ખુબ જ સરસ અને ઝીણવટ રાખીના પગથીયા નું વિરુપણ કર્યું એ પ્રશંશા ને પાત્ર છે ,છતાં પણ પહેલા એક વાત સર્વ લોકો ને કહીશ કે દલિત શબ્દ સંવિધાન ના કયા અનુચ્છેદ માં લખેલ છે ?…કે તમે લોકો દલિત શબ્દ વાપરો છો ,બાબા સાહેબ એ કદી દલિત શબ્દ વાપર્યો જ નથી ,,દરેક માનવીના મગજ માં કઈ ઉંચો હોય એનો ભાવ થોડો હોય છે જ ,પછી એ બ્રાહ્મણ હોય કે પછાત હોત ,એ વાત અહી દેખાય છે ,,કે દરેક ને પછાત જાતિ થી ઉંચો હોવાનો ભાવ વત્તા ઓછા અંશે દેખાય છે , લેખક શ્રી ના આ લેખ માં એ વાત દેખાઈ આવે છે ,પછી એ શાકાહાર ના સંદર્ભ માં હોય કે પછી પછી કોઈ કહેવાતી (દલિત )ની છોકરી ના લગ્ન માં જમવાની વાત હોય ,દરેક ને એ ભાવ આવે છે કે ” મેં દલિત (કહેવાતા ) ઘરે જમવાનું ગ્રહણ કર્યું ,,” જાણે કે મીર માર્યા હોય ..કોઈ ભાઈ એ આ વાત એ વ્યક્તિગત ના લેવી,
    બીજી લેખક શ્રી વ્યસન ની વાત એ મારા મત મુજબ પછાત વર્ગો સાથે જોડી હોય એમ લાગે છે ,,વ્યસન એ પણ વ્યક્તિગત બાબત છે ,હા માનું છુ કે કહેવાતા દલિત સમાજ માં એનું પ્રમાણ વધુ છે .બીજી વાત તો જગદીશ ભાઈ શું કહેવા માંગે છે એજ સમજી શકાતું નથી ,ઘડીક માં પોતે બ્રાહ્મણ છે એ બતાવે છે તો અનામત ને વાંક આપે છે ,,પોતાના માં ક્લિઅર નથી ,દીપક ભાઈ ની વાતો ગમી ,,
    અંતે સરસ લેખ અને લોકો ના અભિપ્રાયો ,છતાં હજી મગજ માંથી બ્રાહ્મણ જતા વાર લાગશે ,,,

    Like

    1. મયંકભાઈ,
      એક ભૂલ સુધારી લેવા વિનંતિ છે. આ લેખ મૂળ શ્રી મૂરજીભાઈ ગડાનો છે. મેં માત્ર કૉમેન્ટ કરી છે. તમને હું અંગત રીતે ઓળખું છું એટલે તમારૂં ધ્યાન દોર્યું હતું કે અહીં સારી ચર્ચા થાય છે અને તમે નક્કર ઉદાહરણો આપી શકશો. હું તો માત્ર આ લેખ તરફ આંગળી ચીંધવાના પુણ્યનો હકદાર છું.

      શ્રી મૂરજીભાઈએ શ્રી ઉત્તમભાઈને સંકેલા માટે કહ્યું છે તેને હું આવકારૂં છું. મૂળ ચર્ચા જાતિવાદી ઘમંડ વિશે છે, એમાં શંકા નથી. માંસાહાર, મદ્યપાન પણ
      ઊંચનીચના માપદંડ તરીકે વપરાય છે. આપણે સગવડિયા ધર્મ તરીકે ઉચ્ચ વર્ણના લોકોના માંસાહાર અને મદ્યપાનને ક્ષમ્ય ગણી લઈએ છીએ પણ નિમ્ન કહેવાતા વર્ગ માટે એને દૂષણ ગણીએ છીએ, આમ છતાં, જે લોકો માત્ર શાકાહારી હોય તેઓ પછાત જાતિના લોકોને ઘરે માંસાહાર સિવાયનું ભોજન લઈ શકે છે. પણ લેતા નથી, એ મોટા ભાગે સાચું છે.

      શ્રી અશ્વિનભાઈ ગિલ્ટ ફીલિંગની વાત કરે છે. એમ જ માની લો કે હું ગિલ્ટ ફીલિંગથી જ દલિતો માટે અનામત રાખવાની હિમાયત કરૂં છું. આવી જ એક ચર્ચા પછી શ્રી અશ્વિનભાઈ મારો અભિપ્રાય જાણે છે. હકીકતમાં માત્ર અનામત જ નહીં સર્વાંગી વિકાસ માટે કામ કરવાની જરૂર છે. એ પણ સત્ય છે કે આર્થિક રીતે પછાત લોકોને રાહત મળવી જોઇએ, પણ આ વિચાર શિડ્યૂલ્ડ ક્લાસના લોકોને અપાતા
      લાભોના જવાબમાં પેદા થઈ છે. અને એ વિચાર વહેતો મૂકનારા સમાજ સુધારકો નથી (અશ્વિનભાઈ માત્ર એ લોકોનો મત રિપીટ કરે છે) પણ કટ્ટર કોમવાદીઓ છે. હું એ માંગને ટેકો આપવા તૈયાર છું, પણ એના માટે સરકારની ગરીબવિરોધી નીતિઓ સામે લડત આપવી પડશે. જે ગ્રાહક નથી તે માણસ જ નથી એવી નીતિઓની તરફેણ કરીએ અને આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની હિમાયત કરીએ એ માત્ર શબ્દો છે. એમાં કઈં વળશે નહીં.

      શ્રી મૂરજીભાઇએ સીધો સવાલ પૂછ્યો છે કે કોણ પોતાનાં સંતાનોના વિવાહ સંબંધોમાં નાતજાતનો વિચાર નહીં કરે? મારો જવાબ છે કે એમાં મારી ગણતરી કરી લેવી, લગ્નમાં નાતજાત મહત્વનાં નથી જ. જન્મ કુંડળી પણ મહત્વની નથી.

      પરંતુ હું માનું છું કે લગ્ન જેવી બાબતમાં છોકરા છોકરીને સ્વતંત્રતા આપવી જોઇએ. માતાપિતા શોધશે તો પરિચિત સમાજમાં જ વર કે કન્યા શોધશે! પછી એ બ્રાહ્મણ હોય કે મોચી. આ સવાલ બેધારી તલવાર જેવો છે.

      એટલું જ નહીં, તમે ઉદાર હો અને પરનાતની છોકરી કે છોકરાને પસંદ કરો તેનો એ અર્થ નથી કે સામી વ્યક્તિ તમને હકારાત્મક જવાબ આપશે.
      આ પ્રશ્ન ધાર્યા જેટલો સહેલો નથી.

      પરંતુ, છોકરા છોકરી પ્રેમ કરીને પોતાના જીવનસાથી પસંદ કરે છે તેમાં પણ અભાનપણે, અવશપણે ઊંચનીચની ભાવના કામ કરે છે, એ વાત ધ્સયાન બહાર નહીં ગઈ હોય. સમાજશાસ્ત્રીઓ માટે આ વિચારવાનો મુદ્દો છે. આપ સૌ પાસેથી હું જાણવા માગું છું કે આપ જાણતા હો તેવાં પ્રેમલગ્નોમાં પણ એવા કેટલા કિસ્સા છે કે છોકરી કે છોકરો બેમાંથી એક પરંપરાગત રીતે ઓળખાતા સવર્ણ કે દલિત વર્ગમાંથી આવતાં હોય તેમ છતાં પ્રેમ થઈ જાય અને લગ્ન કરે? અહીં માબાપ એના માટે પરવાનગી આપવા તૈયાર થશે કે નહીં એ તો પૂછતો જ નથી. જાતિના ખ્યાલ વગર પ્રેમ થઈ જતો હોય એવા કેટલા કિસ્સા છે? આ પ્રશ્ન પર પણ વિચારવા જેવું છે.

      Like

  26. વરસ પછી કે મહિના પછી કોઈ નવો બ્લોગ વાંચક આવે અને તેને પોતાનો આભિપ્રાય આપવો હોય તો શું કરે? જાન્યુઆરી ૧૩, ૨૦૧૧ નાં રોજ લખીને મુકેલા મારા એક લેખમાં હજુ આજે પણ કોમેન્ટ્સ આવી છે, અને એવું પણ નથી કે કોઈ નવા વાચકે, શ્રી દીપકભાઈ અને ચિરાગ પટેલા જેવા જુના વાચકોએ આપી છે. જેઓ એમાં પહેલા કોમેન્ટ્સ આપી પણ ચુક્યા છે. મારા બ્લોગમાં નવા નવા વાચકો આવતા જાય છે તેમને શું મારે કોમેન્ટ્સ આપતા શું રોકી રાખવાના? નવા લેખો મુકતો જાઉં છું છતાં જુના લેખોમાં ચર્ચા ઘણીવાર ચાલુ હોય છે.

    આર્ટીકલ લખીને નીચે સ્પષ્ટ સૂચના લખી દેવી કે આટલાં મુદા સિવાય કોઈએ ચર્ચા કરવી નહિ. સિલેક્ટીવ મોરાલીટી.

    Like

  27. gada saheb, your central point is already taken note of by everybody. but people on their own preferred to comment on other issues which were floated along. since they found them provocative, it was natural to put you on the corrective course by elaborations and illustrations. the rational writer of the post must not get annoyed by the dissenting opinions and seek for censorship in the name of moderation. let all put across their points of view without any inhibitions, let the participants ponder over the post vis-a -vis the comments and let them judge themselves and find out the truth in the issues – central or peripheral.

    Like

  28. whether central or peripheral, all expressed their opinions on the issues floated by you. participants have a right to ponder on all such points of view, including that of the writer of the original post who provoked them to vent their disagreement. his central point was already taken note of by all but it was his subsidiaries that incited elaborations and ‘diversions’. i request gada saheb not to get annoyed by dissent and seek to curb free discussion in the name of moderation. sir, you are a rationalist and must stand up for freedom of expression. allow the write-up and the comments thereon to be judged by their merits.

    Like

    1. No sir, I am not annoyed. I was only surprised.
      I do not curb the dissent either. Where did you get that idea from?

      Like

  29. Shri Gada, In Hazari family we have ( My father side and also from my mother side) My elder brother, his younger son, my younger son,my 8 cousins had inter cast marriages without any resistance. The first inter cast marriage was about 42 years ago. Latest is going to be in July 2012.

    Like

Leave a reply to M. Gada. Cancel reply