આ બાબાઓના રંગઢંગને જાણો છો ?


નીર્મળબાબા સામે છેતરપીંડીનો કેસ દાખલ થવાનો છે; પણ સીનેમા નટી જોડે કઢંગી હાલતમાં પકડાયેલા નીત્યાનન્દ સ્વામી એક કરોડની દક્ષીણા ચુકવીને તમીળનાડુના અતીશ્રીમંત મઠના અધ્યક્ષપદે બીરાજ્યા છે. અખબારો અને રૅશનાલીસ્ટો ગમે તેટલા ધમપછાડા મારે; પણ આ બાબાઓનો વાળ પણ વાંકો થવાનો નથી. તેમની પાસેથી અબજો રુપીયાની આવક મેળવનાર ટી. વી. ચેનલોના કારણે તેમના આંધળા ભગતોનો ધોધમાર પ્રવાહ કદી અટકવાનો નથી. સુરત સારી પેઠે ઓળખે છે તેવા આશારામ બાપુ, મન્દબુદ્ધીની યુવતીના વીનયભંગના આરોપી જૈન મુની કે ખ્રીસ્તીઓને ઘેલાં બનાવનાર પોલ ડીવારીન – બધાના ધન્ધા બેરોકટોક ચાલતા રહ્યા છે. દુનીયાભરમાં ધર્મસંસ્થાઓ અને ધર્મજીવનને સડતર લાગ્યું છે. આપણા દેશમાં તો સ્વામીઓ, યોગીઓ, સન્તો–મહન્તો – ગુરુઓની ગણતરી કરવી મુશ્કેલ છે. આપણા દેશમાં ઝાડવાં કરતાં ગુરુઓની સંખ્યા વધારે છે !

દુનીયામાં દુ:ખી માણસોની સંખ્યા ઘણી મોટી છે; પણ ખાસ કશું કારણ ન હોય તો પણ, રજકણ જેવા દુ:ખને ડુંગર બનાવીને પોતાને દુ:ખી ગણનારા લોકો તેમના કરતાં અનેક ગણા વધારે છે. શારીરીક રોગનો ભ્રમ સેવી તેની વધારે પડતી આળપંપાળ કરનાર લોકોને અંગ્રેજી ભાષામાં હાઈપોકોન્ડ્રીયાક કહેવાય છે. નજીવી બાબતમાં દુ:ખી દુ:ખી થઈ જનાર માણસોને કારણે બાબાઓને બખ્ખાં થઈ જાય છે. યુરોપ અમેરીકામાં આવા લોકો માનસચીકીત્સકો પાસે જાય છે. આપણા દેશમાં ગુરુઓના શરણે જાય છે. મોટા ભાગના ગુરુઓ અચ્છા માનસશાસ્ત્રીઓ હોય છે અને પ્રામાણીક ગુરુઓ તેની કબુલાત પણ કરે છે. ભાદરણના અતીસજ્જન સ્વ. કૃષ્ણાનન્દજી પોતાની રામકહાણી કહેનારને હમ્મેશાં આશીર્વાદ આપતા કે તમારી બધી મુંઝવણ છ મહીનામાં દુર થઈ જશે. આશીર્વાદથી બધા માણસોના બધા જ સવાલો શી રીતે ઉકેલાઈ જાય, તેવા સવાલના જવાબમાં તેમણે કહેલું કે, ‘કોઈના આશીર્વાદથી કશું થતું નથી; પણ શ્રદ્ધાળુ માણસને ઘણી માનસીક રાહત મળે છે.’ વળી, મોટાભાગની સમસ્યાઓ અને સવાલો ચાર છ માસમાં આપોઆપ ઉકેલાઈ જાય છે અને ન ઉકેલાય તો માણસ તેનાથી ટેવાઈ જાય છે ! સમસ્યાના ઉકેલનો જશ સ્વામીઓને મળે છે અને ઉકેલ ન આવે તેનો અપજશ નસીબ અથવા ભગવાનના ખાતે ઉધારી નાખવામાં આવે છે.

મોટા ભાગના માનસીક રોગોને અન્ધશ્રદ્ધાળુ લોકો ભુતપ્રેતનો વળગાડ માને છે અને તેથી ભાતભાતની ભુવાગીરીઓ ચાલતી હોય છે. ભુતના વળગાડનું સૌથી વધારે મહત્ત્વ કેથોલીક ખ્રીસ્તી ધર્મે સ્વીકાર્યું છે. વળગાડ કાઢી આપનાર પાદરીઓને ચર્ચ સ્વીકૃતી પણ આપે છે. કૅથલીક ભુવાઓનું આન્તરરાષ્ટ્રીય મહામંડળ ચાલે છે. મુમ્બઈના પરા મુલુન્ડમાં સેન્ટ પાયસ ચર્ચમાં રોગ મટાડવાની અને ભુત ભગાડવાની સભાઓનું આયોજન કરનાર ફાધર રુડીયસ પરેરા મે મહીનાની શરુઆતમાં લંડનમાં ગુજરી ગયા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ભુવા મહામંડળના ઉપાધ્યક્ષ હતા. પરેરાએ ભગાડેલા ભુતોએ એકઠા મળીને કરેલા સામટા હલ્લાને કારણે જ તેમનું અવસાન થયું, તેવું શ્રદ્ધાળુ ખ્રીસ્તીઓ મક્ક્મ રીતે માને છે. કોઈ બાબતમાં કશી સમજ ન પડે તેને આપણે મુરખ ગણીએ છીએ; તેમ બધી બાબતમાં પોતાને બધી જ સમજ પડે છે તેવું માની લેનાર માણસ પણ મુરખ જ ગણાય. અધ્યાત્મ અને અગમનીગમની વાતોમાં કોઈને કશી સમજ પડતી નથી; પણ અમુક ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નીષ્ણાત ગુરુઓ આપણને આંજી શકે છે અને ભોળીયા લોકો તેમની ચુંગાલમાં વધારે સહેલાઈથી ફસાઈ જાય છે. બાબાઓ અને મહન્તો અવતારી પુરુષ કહેવાય છે. હાથ ચાલાકીના ખેલ કરીને પ્રભાવ જમાવનાર સત્ય–સાંઈબાબા, સાંઈબાબાના અવતાર ગણાતા હતા. મહારાષ્ટ્રમાં અતીશય જાણીતા અનીરુદ્ધબાપુના વીશે પણ, તેઓ સાંઈબાબાના અવતાર હોવાનો દાવો કરવામાં આવે છે. તમીળનાડુના એક બાબાજી પોતાને કલ્કીનો પુર્વાવતાર ગણાવે છે અને અબજો રુપીયાની અસ્ક્યામત જમાવીને બેઠા છે.

કલ્કી અવતારનું તુત ઘણા દાયકાઓથી ચાલે છે. સો એક વરસ અગાઉ દુનીયા ભરમાંથી થીયોસોફીની બોલબાલા હતી. તેમના સ્થાપક મેડમ બ્લેવેત્સ્કીની હરામખોરી સુરતના સુપ્રસીદ્ધ કવી બહેરામજીએ ઉઘાડી પાડેલી. તેમના અનુયાયી અને રાજકારણમાં આગેવાની લેનાર એની બેસન્ટ તમીળનાડુના ગરીબ બ્રાહ્મણના બે છોકરાઓમાં જે. કૃષ્ણમુર્તી કલ્કીનો અવતાર છે અને ભુતકાળમાં ચીરંજીવ મહાત્માઓ રોજ રાત્રે તેમના આત્માને બહાર કાઢીને ઉપદેશ આપે છે, તેવા ગપગોળા ઘણા ચાલ્યા. કૃષ્ણમુર્તી મોટા થયા ત્યારે તેમણે જાતે જ આ બધો ભાંડો ફોડી નાંખ્યો અને તેમના નામે લેવાયેલી અબજો રુપયાની મીલકત ફગાવીને પોતાની સચ્ચાઈ અને ત્યાગવૃત્તી પુરવાર કરી. જે. કૃષ્ણમુર્તી અત્યંત પ્રખર વક્તા અને ગહનવીચારક હતા. વળી, આ બાબાઓ તદ્દન નક્કામા પણ નથી. પરદેશમાં સ્થાયી થયેલા તેમના બહોળા અનુયાયીઓ પાસેથી દેશને સારા પ્રમાણમાં વીદેશી હુંડીયામણ કમાઈ આપે છે. અને હવે તો બધા સમ્પ્રદાયો અને બધા ગુરુઓ પોતાની મીલકતમાંથી થોડી રકમ સમાજસેવાના કાર્યોમાં પણ વાપરે છે. ઉત્તમ ઈસ્પીતાલો અને શાળાઓ ચલાવે છે.

સમાજસેવાની સંસ્થાઓ ચલાવીને પ્રતીષ્ઠા મેળવનાર બાબાઓ વધારેને વધારે અનુયાયીઓ પણ મેળવતા થયા છે. આ બાબતમાં આપણા બધા ધાર્મીક આગેવાનો ખ્રીસ્તી મીશનરીઓનું અનુકરણ કરતા થયા છે. માનવસેવાનો ઉપદેશ ખ્રીસ્તીધર્મે આપ્યો છે, તેવો બીજા કોઈ ધર્મમાં જોવા મળતો નથી અને બીજા પાસેથી સારું શીખવામાં કશી નાનમ પણ નથી. પણ મુખ્ય તફાવત નોંધાવો જોઈએ. ખ્રીસ્તી પ્રચારકો એકઠા થયેલા નાણાંભંડોળમાંથી મોટો ભાગ સેવાકાર્યોમાં વાપરે છે. આપણા બાબાઓ આખી ‘એરણ’ લઈ લીધા પછી એક ‘સોય’ જેટલું ધન દાન–ધર્માદામાં કે સેવાકાર્યોમાં વાપરે છે.

–નગીનદાસ સંઘવી

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 17 જુન, 2012ની રવીવારીય પુર્તીમાં, એમની કટાર ‘સોંસરી વાત’માંથી.. લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક: શ્રી. નગીનદાસ સંઘવી, eMail : nagingujarat@gmail.com  

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29–06–2012

 

75 Comments

  1. તદ્દન સાચી વાત કહી છે.પણ આસ્તિકો વાત માનવા ક્યાં તૈયાર છે.ચમત્કારને નમસ્કાર કરનારાઓની સંખ્યા દીવસે દીવસે વધી રહી છે. કારણ કે ટીવી ચેનલોનો પ્રચાર વધી ગયો છે.જોનાર એટલું જ વિચારે કે ધંધાદારી ટીવી ચેનલો ઉપર આવતી જાહેરાતો બાબાઓને કેમ આપવી પડે છે? પણ કહેવત છે ને કે ગરજવાનને અક્કલ હોતી નથી.
    ખૂબ સરસ આર્ટીકલ છે.દરેક મિત્રો વાંચે અને વંચાવે તેવી વિનંતી છે.
    શ્રી નગીનભાઈ સંઘવીનો આભાર.

    Liked by 1 person

  2. વાંચક મિત્રો.
    જ્યારથી આપણે વ્યવસાય લક્ષી પ્રભુત્વાનું સામાજિક માળખું સ્વીકાર્યું છે.. ત્યારથી જીવન માં થી જીવન તત્વ ની બાદબાકી થઇ છે..
    વ્યવસાય લક્ષીતા નો આધાર સંગ્રહ ઉપર છે.. અને જયારે સમાજ તે લક્ષ તરફ દોડી રહ્યો છે.. ત્યારથી જીવન નો હ્રાસ થયો છે.. જો કે આ યુગો થી ચાલતું આવ્યું છે..
    જીવન નો આધાર ત્યાગ છે.. જે ઈશા વશ્યામ ઉપનિષદ ના પહેલા શ્લોક “ઈશા વશ્યામ ઈદમ સર્વં” માં વર્ણવ્યો છે..
    છેવટે પ્રાણ નો પણ ત્યાગ કરવાનો છે.. ગમે કે ન ગમે.. અને જયારે ત્યાગ જ જીવન નો ભોગ બને છે ત્યારે પ્રત્યક્ષ મુક્તિ મળે છે..
    મહર્ષિ વેદવ્યાસે આ વાત શ્રીમદ ભગવદ ગીતા માં સ્પષ્ટ આદેશ દ્વારા અને શ્રીમદ ભાગવત માં અનેક દ્રષ્ટાંતો દ્વારા ક્રમ બદ્ધ રીતે સમજાવી છે ..
    છેવટે જીવન એકજ છે.. અને તેને બુદ્ધિમાન થઇ , સાર્થક જીવવાનું છે..
    જે ને જે અનર્થ આચરવો હોય તે પ્રત્યે ઉપેક્ષિત રહી, આપણે છેવટ ના અસ્તિત્વ ત્યાગ ને ધ્યાન માં લઇ આજની જીવન જીવવાનું છે..
    આ પાયાની સમજણ સ્વીકારાય ત્યારે બધી દ્વિધા/વિટંબણા માંથી છુટકારો મળવાનો છે તે નિશ્ચિત છે..
    — તો પછી અનેક દ્રષ્ટિ કોણો થી ચિત્ત-ભ્રહ્મ શું કામ અનુભવવો?? જે બુદ્ધી નો વિષય છે..!!
    હૃદય તો શુદ્ધ ભાવ પ્રકટ કરે છે.. તેના ચિંધ્ય માર્ગે કેમ ના જવું.?? !!
    પછી કોઈજ વિટંબણા શેષ નહિ રહે..
    “દુનિયા બોલે તેને બોલવા દઈએ .. આપણે રામ ભજન માં રહીએ..” તે મંત્ર સાર્થક કરવા જેવો છે..
    હું તે પંથે જીવી શક્યો છું .. મારા થી બધા લોકો અનેક રીતે વધુ સાક્ષર /આચાર-સમૃદ્ધ છે..
    જરૂર સવાર શાંતિ આપનારી નીવડશે..
    અસ્તુ
    શૈલેષ મહેતા

    Like

    1. Many geniuses around the world have said lot about everything that matters in our life. How can we be sure that whatever Ved Vyas had said some 3000 years ago is “the truth, the whole truth, the ultimate truth and nothing but the truth”? Inaction (nishkriata) is lot closer to escapism (palayanvad) than to spirituality (adhyatma).
      There is something else which is even more important today. Very little is said about it and practically nothing is done about it. We humans are consuming natural resources at the rate as if there is no tomorrow. What kind of world are we going to leave for our grandchildren to live in? Forget about spirituality, there may not be humans or even other living beings if we don’t change our ways.
      I stop here as further discussion would be inconsistent with the article posted here.

      Like

      1. મુ. શ્રી મુરજી ગડા,

        આપે જે કુદરતી સંપત્તિ ના હ્રાસ ની વાત મૂકી છે.. તે સંસાધનોના વ્યવસાઈ કરણ ને કારણે છે..
        બાબો ના રંગ-ઢંગ નો મુદ્દો પણ તેમના આચાર અને તેથી નીપજતી સમૃદ્ધી અને તેના દ્વેષ ને કારેણે વિવાદ માં છે..
        જો ધનપ્રાપ્તિ એજ લક્ષ હોય તો..અને તે સરળ રસ્તો હોય તો તે રસ્તે આપણને જતા કોણ રોકે છે..??
        પણ કદાચ જે બાબા ઓ ને ધન આપે છે..તે તેમની જ્ઞાન -પ્રચાર ની સેવા અર્થે ફાળા રૂપે આપે છે..અને તેનો દ્વેષ કરવાનું ટાળે છે..
        જીવ માત્ર કાળ ખાઈ ને વૃદ્ધિ પામે છે.. અને છેવટે તે કાળ નો કોળીયો છે..
        કારણ કે મહર્ષિ વેદ વ્યાસે આ વાત (ભગવદ ગીતા માં) હજ્જારો વર્ષો પહેલા સમજાવી છે માટેજ સત્ય છે તેમ નહિ…
        સ્વસ્થતાથી વિચારી જોઈએ ત્યારે આજે પણ તેજ સત્ય જણાય છે..તે ને માટે કોઈ વિવાદ નથી
        વ્યવસાય લક્ષી તા થી ઉપર ઉઠી કાળ ખાઈને જીવતા, ઉપભોગ પુરતું હવા-પાણી -અન્ન કુદરત માં થી મેળવવા અને તે ના ઉપાર્જનની મહેનત એજ જીવન છે..
        જેનો રસ્ત્તો દરેક જીવ ને માટે સમાંતરે ખુલ્લો છે.. જે બીજા કરી શકે છે.. તે આપણે પણ કરી શકીએ છીએ..તેને માટે રાગ -દ્વેષ થવાનું કંઇજ કરણ નથી..
        માટેજ આપણે યોગ્ય માર્ગ અપનાવી, “રામ-ભજન” માં /નિજાનંદ માં જીવવાને માટે આહ્વાહન/પ્રોત્સાહન શાસ્ત્રોમાં નીર્દેશ્યું છે..
        શ્રી નગીનદાસ ભાઈ ઊંચા દર્જા ના વિચારક વિવેચક છે..તે બાબત બે મત નથી..
        માટે તેમનો તથા આપનો આદર છે..
        અસ્તુ,
        Shailesh Mehta
        Walnut Creek CA
        +1 312 608 9836

        Like

      2. Agreed that the natural resources must be conserved as their supply is limited. That also helps to minimize the pollution. Other reasons are not that important.

        The problem with prayers, bhajans etc. is that it is done by most people for the personal material gain. It also prevents many people from becoming self-reliant. That is why so many run to these babas and bapus whenever they have slightest problem in their life.

        Like

    2. This is a reply to Mr. Shailesh Mehta’s comment

      Dear Sir,
      I respectfully disagree with your points. Please allow me to enumerate my thoughts:
      1. I do not believe the purpose of life is ‘tyag’. Life evolved out of chemical reactions about 4 billion years ago. The purpose of life is propagation of life. That is the whole and sole purpose of life, and anyone that tells you something different is incorrect. Yes, you can put many additional layers on the basic fact, but ‘tyag’ is certainly NOT the purpose of life. In fact, for as long as life has existed, its purpose has been continuation of the same genes, and therefore, સંગ્રહ is not only necessary, it is actually an evolutionary advantage. Yes, today’s rampant consumerism is not great, but it is certainly better than ‘tyag’.
      2. As humans have grown to have consciousness (which is still being researched, but more and more evidence is emerging that it is simply a by-product of evolution that helped us survive and succeed), some of the other concepts such as ‘tyag’ have come into existence. Yes, one day we must die (i.e., do a ‘tyag’ of life). But that does not mean the purpose of life is to abandon everything. That is simply nihilism or escapism.
      3. When you say “જે ને જે અનર્થ આચરવો હોય તે પ્રત્યે ઉપેક્ષિત રહી, આપણે છેવટ ના અસ્તિત્વ ત્યાગ ને ધ્યાન માં લઇ આજની જીવન જીવવાનું છે..” that is exactly nihilism or escapism. Certainly, one person can do that. That is a personal preference. But a society cannot. If a society as a whole becomes ઉપેક્ષિત towards અનર્થ, then there is simply anarchy – આરાજકતા. Perhaps this attitude is what has brought our once great country to its current state.
      4. When you say “આ પાયાની સમજણ સ્વીકારાય ત્યારે બધી દ્વિધા/વિટંબણા માંથી છુટકારો મળવાનો છે તે નિશ્ચિત છે.. – તો પછી અનેક દ્રષ્ટિ કોણો થી ચિત્ત-ભ્રહ્મ શું કામ અનુભવવો?? જે બુદ્ધી નો વિષય છે..!!
      હૃદય તો શુદ્ધ ભાવ પ્રકટ કરે છે.. તેના ચિંધ્ય માર્ગે કેમ ના જવું.?? !!”, it sounds extremely similar to what the Babas preach. They say, just put your rational thought, your વિવેકબુદ્ધિ aside, and just follow what you feel in your heart! That is so easy to do it seems correct! But life is not easy. It does require entertaining difficult thoughts even though they involve અનેક દ્રષ્ટિ કોણો. It does require challenging અનર્થ. It requires taking the difficult path, not the easy one. Putting your rational thought aside is exactly the opposite of what everyone should be doing.
      5. I am not trying to be nit-picky, and i do grasp your meaning as is evident from my comment #4 above. But I do somehow get bugged when people keep talking about feelings of heart in today’s day and age. When writing poetry, sure. But in a discussion about rationalism, it is not great to use the sentence “હૃદય તો શુદ્ધ ભાવ પ્રકટ કરે છે.. તેના ચિંધ્ય માર્ગે કેમ ના જવું.?” In reality, હૃદય is just a pump that circulates blood through the body. What it really means is “my irrational thoughts/feelings drive me to certain beliefs and actions, and I find those relatively easy to follow rather than the rational ones which may cause complicated thinking, so I’d like to take the easy way out”. Both “અનેક દ્રષ્ટિ કોણો થી ચિત્ત-ભ્રહ્મ” as well as “શુદ્ધ ભાવ” are completely in the brain, not in the heart.
      6. I see that Mr. Gada has made this point already, and I second that. Who says Vyas, or the person who wrote the “ઈશા વશ્યામ” shlok in ઉપનિષદ knew any more about this than us? In fact, there is plenty of scientific evidence that they probably knew a lot less than we do today. So at best, we can take their thoughts as some poetic advise from their view-point, and should give it no more weightage than we would give to the opinions of a well-meaning elderly neighbour who is not completely connected with today’s society.

      With respect and best wishes,
      A. Dave (દવે)

      Like

      1. શ્રી દવે સાહેબ, તમારા બધા અભિપ્રાયો વમ્ચ્યા અને હું સંમત છું પૉઇંટ નં ૬ માં મારે શ્રી મૂરજીભાઈ અને તમારા મંતવ્યના સંદર્ભમાં આટલું ઉમેરવાનું છેઃ
        ગીતામાં કહ્યું છેઃ” ન તદ્ભાસયતે સૂર્યો, ન શશાંકો ન પાવકઃ//ય્દ્ગત્વા ન નિવર્તંતે, તદ્ધામ પરમં મમ.
        એટલે કે જેને સૂર્ય કે ચન્દ્ર કે અગ્નિ પ્રકાશિત કરતા નથી અને જ્યાં ગયા પછી પાછા ફરાતું નથી, એ પરમ ધામ મારૂં છે.
        આજે આપણે જાણીએ છીએ કે સૂર્ય અને ચન્દ્રને સમાન ન ગણી શકાય, સૂર્યનો ગ્રહ પૃથ્વી અને એનો ઉપગ્રહ ચન્દ્ર જેનો પોતાનો પ્રકાશ જ નથી. ભગવાનને આ વાતની ખબર ન હોય? ખરેખર જો ભગવાને આ કહ્યું હોત તો એણે સૂર્ય અને ચન્દ્રને બરાબરનો દરજ્જો ન આપ્યો હોત. ખરેખર તો આપણે બિચારા સૂર્યની બ્રહ્માંડમાં શી સ્થિતિ છે તે પણ જાણીએ છીએ! આવું પરમ ધામ ભગવાનનું હોય?
        પરમ્તુ એમં ભગવાનનો વાંક નથી. ગીતાના રચનાકારનું જ્ઞાન આટલું જ હતું! એને મન સૂર્ય અને ચન્દ્ર બન્ને સરખા હતા! આમ પ્રાચીન ઋષિમુનિઓ આપણા કરતાં ખગોળ શાસ્ત્રના જ્ઞાનની બાબતમાં પાછળ હતા. અને એમનું આ અજ્ઞાન આપણા સૌથી વધુ આદરપાત્ર ગ્રંથમાં પણ ઘુસી આવ્યું છે.

        Like

      2. શ્રી દવે,
        ૧) જીવન નું ધ્યેય ત્યાગ નહીં મોક્ષ હોઈ શકે જેનો રસ્તો ત્યાગ ની ભાવના વાળો હોય..તો તે દુ:ખ દર્દ રહિત નો હોઈ શકે..
        ૨) પ્રજોત્પતિ તે અનેક માં નું એક જીવન કાર્ય છે.. તે માત્ર sole purpose જીવન કાર્ય કે ધ્યેય નથી../ન હોઈ શકે.. ગૃહસ્થાશ્રમ નો સમય તે અર્થે પણ વ્યતીત કરવા નીર્દેશ્યું છે..
        ૩) કદાચ આજે આજનો ધર્મ ના જીવ્યા તે escapism કહેવાય ત્યાગ ની ભાવના થી જીવ્યા ને escapism ના કહેવાય માત -પિતા પોતાના ભોગ નો ત્યાગ કરી બાળકો નું જીવન સંવારે છે તેના થી જીવન ઉજળું બને છે.. જીવન નો હ્રાસ નથી થતો.. અને વિકાસ પણ નથી અટકતો..
        આજ કારણો થાકી ભારતીયો સમૃદ્ધ હતા અને અનેક દેશ ના લોકો ભારત માં સમૃદ્ધ પામવા આવતા..
        જો યોગ્ય સ્વ-આચરણ કરવા માં આવે તો તે સમૃદ્ધિ આજે પણ પામી શકાય …વિષય શ્રધ્ધા નો છે
        સમાજ વ્યક્તિના આચરણ થી બને છે.. સમાજ છે માટે વ્યક્તિ નથી..
        પશ્ચાત સંસ્કૃતિ ભોગ પ્રધાન છે તો સામાજિક જીવન પશુ જેવું વર્તાય છે..
        તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે મીટ માંડી તેમના પતન માં થી રસ્તો શોધવા મથી રહ્યા છે..
        જુલિયા રોબર્ટ્સ નું ધર્માન્તરણ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે..
        ૪) દરેક વાત માં બુદ્ધિ વાપરી ફાયદા માટે જીવન ગોઠવવામાં અમેરિકા જેવો દેશ – જેનું પૂછડું પકડી દરક દેશો આંધળું અનુકરણ કરી રહ્યા છે -..
        તે અધોગતિ ની ખાઈ માં જઈ ખાબક્યો છે..
        અને એટલું દેવું કરી બેઠો છે..
        કે તેની પ્રજા ની એક પેઢી ની મહેનત તે દેવાની ભરપાઈ નહિ કરી શકે..
        બુદ્ધિ ગમ્ય વિચાર કરતા રેશ્નાલીષ્ટો માટે આ વિચારવાનો વિષય છે.. કે નુકસાન ભોગ માં કે ત્યાગ માં થયું ??. અને ઉકેડાનો ખડકલો થયો તે વધારામાં..!!
        ૫) માટેજ હમેશા આંખે દેખ્યું-કાને સાંભળ્યું – ઇન્દ્રીઓએ પારખ્યું તેનાથી આગળ પણ સત્ય હોય છે જે છેવટે અનુભવાય છે -જેમ વાવેલા બીજ માં થી ફળ પ્રાપ્તિ થાય છે તેમ – .. અને જે જીવન ને આધાર પૂરો પાડે છે..
        બબોએ કહ્યું માટે તેનો વિરોધ કરવો એ રેશનાલીઝમ નથી..સારા સાર નો વિવેક રાખવો અને યોગ્ય આચરણ જ કરવું તે રેશનાલીઝમ દરેક ને માટે શક્ય છે જ..
        જે ભૌતિક સગવડો કરતા જીવન ને સમૃદ્ધ કરીઆપે તે વિચાર/આચાર ખરા રેશનલ ….
        અને તે આચરે તે વી વ્યક્તિઓનો સમાજ સાચો રેશનલ સમાજ ..
        જે… કાયદો હોય કે ન હોય..અણ હક ની દરેક વસ્તુ નો અ સ્વીકાર કરે
        ઘણું વિષયાંતર થાય છે.. તે બદલ ક્ષમા કરજો..
        અસ્તુ
        શૈલેષ મહેતા

        Like

      3. શ્રી શૈલેષભાઈ, તમે કહ્યું છે કે ” બબોએ (બાબાઓએ) કહ્યું માટે તેનો વિરોધ કરવો એ રેશનાલીઝમ નથી”
        સાચું. પણ બાબાઓ ધર્મમાં કઈં જાણતા નથી અને લોકોને ઠગે છે. એમ કહેવામાં ખોટું શું છે? એ તો કૉમન સેન્સની વાત છે. આટલી સાદી વાત તો સૌ કોઈ સમજી શકે. મને લાગે છે કે આ લેખનો હેતુ બાબાઓનાં કરતૂતો ખુલ્લાં પાડવાનો છે. એમાં તો સૌએ સંમત તહ્વું જોઇએ.
        બાકી મને ખબર નથી કે કેટલા જણ ભારતીય સંસ્કૃતિ તરફ પોતાના ઉદ્ધાર માટે નજર નાખે છે. આવું હોય તો પણ આપણે એમાંથી એ શીખવાનું છે કે કઈં નહીં તો એ લોકો પોતાને ત્યાં જે કઈં છે તે બધું સારૂં છે એવી ડીંગ તો નથી મારતા ને! બીજા રસ્તા શોધે છે, આપણે તો માની લીધું છે કે આપણે ત્યાં છે તે બધું સારૂં છે! કોઈ પણ એમાં ઉણપ દેખાડે તો સહન કરવા તૈયાર નથી થતા.
        આપણો બીજો વહેમ એ છે કે આપણે ભોગવાદી નથી. સત્ય સ્વીકારવામાં કશું ખોટું નથી.

        Like

      4. ———પશ્ચાત સંસ્કૃતિ ભોગ પ્રધાન છે તો સામાજિક જીવન પશુ જેવું વર્તાય છે..
        તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે મીટ માંડી તેમના પતનમાંથી રસ્તો શોધવા મથી રહ્યા છે..

        This is very un-informed statement and hence close to being chidish.

        Like

  3. સારો લેખ છે. જે. કૃષ્ણમૂર્તિને મેં પણ વાંચ્યા છે. એમણે જાતે જ ઑર્ડર ઑફ ધી સ્ટાર સોસાયટીનું વિસર્જન કર્યું અને જાહેર કર્યું કે તેઓ કોઈના ગુરુ નથી. એમણે શ્રોતાઓની સમાંતર , વ્યાસપીઠ વિના – બેસવાનું શરૂ કર્યું. અને એમણે સોક્રેટિસની શૈલીમાં સવાલજવાબ દ્વારા પોતાની વાત કહેવાની પ્રણાલિ અખત્યાર કરી.
    કૃષ્ણમૂર્તિ કોઈ પણ સ્થાપિત જ્ઞાનને, પરંપરાને સાચું જ્ઞાન માનતા નહોતા. જો કે એમનો પ્રભાવ મગજ પર બહુ પડે છે એમ લાગતાં મેં એમને વાંચવાનું બંધ કર્યું કારણ કે એ પોતે જ કોઈના ગુરુ બનવા તૈયાર ન હોવા છતાં, મારા માથામાં ગુરુપદે સ્થાપિત થવા લાગ્યા હતા!
    મારો ખ્યાલ છે કે. કૃષ્ણમૂર્તિને ઍની બિસેન્ટે કલ્કી અવતાર નહીં, પણ બુદ્ધના અવતાર જાહેર કર્યા હતા. આ તરફ લેખકનું ધ્યાન દોરૂં છું.

    Like

  4. Mr. Nagindas Sanghvi is a well known writer. I have read his many articles and still reading every week in ‘Divya Bhaskar.’ I too have written on this subject. Unfortunately I was treated as Muslims criticising Hindu Babas and Bhagwans. People are habitual of seeing the religion and jaat of writers and not the actuality. I have another friend Mr. Qasim Abbas here in Toronto and he too writes on this subject matter. anyways, we will continue educating the people. In fact we need more to write. We don’t write only about ‘Babas’ and ‘Bhagwans’ we also write about ‘Pirs.’ People in need run after such cheats. There is a saying in Gujarati. Lobhiya hoi tyan dhutara bhuke nahin mare.

    Firoz Khan
    Sr. Journalist and Columnist
    Toronto.

    Like

    1. ફિરોઝભાઈ, તમે મુસલમાન હોવાને કારણે તમારા લેખ ન છપાયા એ દુઃખની વાત છે. આ બાવા સાધુઓ અને પીર મુજાવરો લોકોને ઠગે જ છે.
      અમે અજમેર ગયા ત્યારે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે પણ ગયા. મને ત્યાંના મુજાવરો અને હરદ્વારના પંડાઓમાં કઈં ફેર જ ન લાગ્યો. વળગી જ પડ્યા. ધર્મને નામે પેટિયું રળતો હોય એવો એક આખો વર્ગ છે. આ વર્ગની રીતભાત એકસરકેહી જ હોય છે. અંડરવર્લ્ડમાં પણ ધર્મના ભેદભાવ નથી હોતા!

      અમારા એક મિત્રે અબ્બાના ઇન્તકાલ પછી ચાલીસમા દિવસે ગરીબોને જમાડ્યા. સાંજે વધેલું ભોજન ક્યાં આપવું ? પાડોશમાં એક પીરબાબાનું સ્થાનક ઓચિંતું પ્રસિદ્ધ થયું છે, ત્યાં ગયા. એ વખતે ત્યાં બે-ત્રણ દાઢીવાળા મુલ્લાઓ અને એક-બે હિન્દુઓ પૈસાનો હિસાબ કરતા હતા. અમારા મિત્ર એ વખતે પહોંચ્યા તે એમને ન ગમ્યું. એક મુલ્લાએ ઊભા થઈને એમને દરવાજે જ રોકી લીધા. એમણે ખાવાનું આપવાની વાત કરી તો એને એક જગ્યા દેખાડી કે અહીં રાખી દો. બસ, પછી, એ ચારપાંચ જણા ધર્મના ભેદભાવ ભૂલીને સૌથી મહાન દેવતા નગદનારાયણની સેવામાં લાગી ગયા.
      હું માનું છું કે કોમવાદ સૌથી વધારે ખરાબ દૂષણ છે. આપણે ધર્મનાં ધતિંગો તો ખુલ્લાં પાડીએ પણ એના નામે ચાલતું કોમ રૂપી ધતિંગ વકરતું રહે એ સ્થિતિ સારી નથી. ખરેખર તો હિન્દુ અને મુસલમાન કોમો વચ્ચે ખુલ્લો સંવાદ થવો જોઈએ. એના અભાવમાં એક બીજા વિશે ખોટી માહિતીઓના આધારે ઇમેજ બને છે અને આ ઇમેજ લડ્યા કરે છે. હાલમાં શ્રી અબ્દુલભાઇ મુનશીએ દીન-એ-ઇસ્લામ નામનો બ્લૉગ શરૂ કર્યો છે. તેઓ મુસલમાનોની અંદર જ ધર્મની બાબતમાં જ્ઞાન ફેલાવવાનો પ્રયાસ કરે છે. એમનો પ્રયાસ સારો છે. હકીકતમાં અંધશ્રદ્ધા અનેઅજ્ઞાન બધી કોમોમાં સરખા પ્રમાણમાં છે. તમારા અને કાસિમભાઈના પ્રતિભાવો હંમેશાં સારા હોય છે.
      તમારો પ્રતિભાવ વાંચ્યા પછી મૂળ વિષયથી હટીને આ લખવાનું અનિવાર્ય લાગ્યું છે.

      Like

      1. દીપકભાઈ કોમ કોમ વચે વેરઝેર ખાળી શકાય તેમ નથી કેમ કે એ તો મહાત્મા ગાંધીજી થી ચાલતું આવે છે. એક ધર્મ સહિશ્નું અને બીજો
        કટ્ટર છે જેથી કટ્ટરતા ને નાથી ના શકાય. હિંદુ ધર્મ માં ભલે અંધશ્રદ્ધા હોય પણ માનવતા બધાજ ધર્મો કરતા વધારે છે તે હકીકત પણ સીકારવી પડે છે. હિંદુ જતું કરવા માં મને છે એટલે જ તો મોગલોએ મંદિરોનો નાશ કર્યો હતો પણ એક બાબરી તૂટી તેમાં આખા વિશ્વ માં દેકારો થઇ ગયો. બહુમતી પ્રજા પોતાના હકો જવા દઈ લગુમતી પ્રજા ને સંરક્ષણ તેમ જ બીજા ઘણા ફાયદાઓ આપે છે. તે પણ સમજી શકાય તેમ છે. અહી ભારત માં મુસ્લિમ તો ઠીક પણ અફજલ અને કસાબ પણ સુરક્ષિત છે અને તેમને અહી ફાવે પણ છે.

        Like

  5. શ્રી. નગીનદાસ સંઘવીનો લેખ સારો છે જ પણ આ બાબાઓને પૈસા કોણ આપે છે? પ્રજામાં અક્કલ ન હોય તો શું થાય? લુંટવાની તક હોય છતાં ન લુંટે તેવા કૃષ્ણમુર્તી, ગાંધીજી કે લાલબહાદુર શાસ્ત્રી જેવા કેટલા?
    પ્રજા ક્યારેય રેશનાલીસ્ટ અભીગમ અપનાવશે તેમ લાગતું નથી. ઉલટાનું બાબાઓનું જોર વધતું જાય છે. કોલેજમાં જીન્સ પહેરીને જતી કન્યાઓના કાંડે બાંધેલી નાડાછડી જોઈને જીવ બળે છે.
    હું મારા ઘરમાં જ રેશનાલીટીનું આચરણ કરાવી શકતો નથી ત્યાં બીજાને કયા મોઢે શીખામણ આપવી?
    વીક્રમ દલાલ

    Like

  6. વિક્રમભાઈ,
    તમારો અફસોસ સાચો છે, પણ મહાસમુદ્રમાં એક તરાપાને જોરે તમે આગળ વધો છો. તકલીફ તો છે જ. વળી, તમે માત્ર પચાસ વર્ષથી પ્રયાસ કરતા હશો પણ ટેવ તો હજારો વર્ષ જૂની છે.આપણી ઊમર શારીરિક રીતે નહીં પણ આપણા સંસ્કારોથી માપીએ તો હજારેક વર્ષની થાય. આ આંકડો એટલો મોટો છે કે એમાં પેઢીઓના ભેદ નથી રહેતા. બાપ દીકરો, પૌત્ર બધા એક જ પેઢીના ગણાય કારણ કે બધા પેઢી દર પેઢી આગળનું જીવન રિપીટ કર્યા કરે છે. નવું કોઈ નથી જીવતા. એટલે રૅશનાલિટીનું આચરણ કરાવતાં તો વર્ષો નીકળી જશે.

    આમાં સફળ થવાની આશા પણ ન રાખવી જોઈએ. જ્હૉન ધી બૅપ્ટિસ્ટે ઈસુ માટે કહ્યું હતું કે ” હું તો પાણીથી બૅપ્ટિઝમ આપું છું, મારા પછી આવશે એ આગથી બૅપ્ટિઝમ આપશે. એના બૂટની વાધરી બાંધવાની પણ લાયકાત મારામાં નથી.” એટલે જ્હૉનની જેમ હવે આવનારની રાહ જોઈએ. પણ જ્હૉન ધી બૅપ્ટિસ્ટે જ ઈસુ માટે તખતો તૈયાર કર્યો.
    કોઈના આવવાની શક્યતા પણ તમે જેટલું કર્યું છે તેના જ કારણે ઊભી થઈ છે.

    Like

    1. Our aim is to keep the flame burning. Hopefully someone in future will have needed genius and marketing skills to turn our flame in the raging fire or rationalism..

      Like

  7. આ બધી સંસ્થાઓ ધર્મની સેવા ની લાગણીનો દુરુપયોગ કરીને વ્યાપારી પાનું કરે છે અને સેવાને નામે અશો આરામ , ભોગ વિલાસ અને પોતાના નામે
    સંપત્તિનું સર્જન કરે છે , એમોના ઘણા નાં વારસદારો તો પુજીપ્તિઓને શરમાવે તેવા જીવન જીવેછે અને દુનિયાની માગામાં માગી ગાડીઓમાં ફરે છે
    એટલુજ નહિ પરંતુ સમાજને શરમાવે તેવા કૃત્યો પણ કરે છે

    Like

  8. ધર્મ ની વ્યથા [ કાવ્ય – ગઝલ ]
    ===============
    રક્ષકો,ભક્ષકો ને,કમાન્ડો માં ગૂંગળાય ધજા
    ધાર્મિકતા, પ્રસાદ,ભેટે , વહેચાય છે કથા

    સાધુ, બ્લેક કમાન્ડો ,બંદુક થી રખવાળું કરી
    આશન,શાશન મજબુત કરે ભક્તો ભેગા કરી

    દેશી વિદેશી ગાડીએ, પ્રભુ ભક્તિ ,પ્રચાર
    લોક્દયાનું લેબલ લઇ ,ખુદાની રખવાળી

    ભરે લક્ષ્મી જોળીમાં , ભક્તોનો ખડકલો કરી
    પ્રસાદી , અર્થોપારજન, આશ્રમો ફૂલ્યા ફાલી

    દોડમાં,પડાવો ક્યોય,લક્ષ્મી,વીણ,જોવા મળ્યા ?
    ધાર્મિકતા ઝોળી ભરતી અર્થની રહી દોડતી

    સસ્તે મેળવી રસ્તા, ને, રસ્તે, પડાઓ બોધતી
    ધર્માચાર્યો ભરે ભંડારો , શ્રદ્ધાઓ શ્રોતાની
    *** પ્રહેલાદભાઈ પ્રજાપતિ

    Like

  9. ઈશ્વર નું સરનામું [ કાવ્ય ગઝલ ]
    =============
    મિત્રો ને લોકો નારાજ થઇ ગયા
    ભગવાનના ઘરનું સરનામું પૂછ્યું

    વરષોથી ચાલતું આવ્યું છે, બોલ્યા
    માનવાનો અને એતો છે વિષય શ્રદ્ધા નો

    તો ,મારામાં રહેલો આ,હું , કોણ ?
    બોલું છું,જે , તે ,સંભળાય,દેખાય ,ક્યાં ?

    તો શું ? એજ ઈશ્વર ? જે ,દેખાતો નથી ?
    પછી આ બધા નામ ધારીઓ છે કોણ ?

    ઈશ્વર સંભળાય છે દેખાતો નથી શું ?
    સરનામું મારામાજ રહેલું જે દેખાતું નથી તે ?
    ===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

    Like

  10. its realy true… indian people will not talk with respect to their parients but they will lay on the feet of these Pakhandi BABAs

    Like

  11. “તમે માત્ર પચાસ વર્ષથી પ્રયાસ કરતા હશો પણ ટેવ તો હજારો વર્ષ જૂની છે.” ચાર્વાક કે અખાની અસર સમાજ ઉપર પડી નથી.

    Like

    1. દયાનંદ સરસ્વતીની પણ નહીં. વિવેકાનંદની પણ નહીં! જો કે છાસવારે આપણે એમને ક્વૉટ કરતા રહીએ છીએ.

      Like

  12. લેખ સારો છે પણ હમણા થી વિષયવસ્તુ સરખા જ હોય છે. હિન્દુઓની માતાઓ બહેનો ભોળી છે એટલે આવા બાવાઓ પાદરીઓ અને મુલ્લાઓ ઠગે છે.કોઈ રૂપીઓ ઠગે છે તો કોઈ સ્ત્રીઓનું ચરિત્ર ઠગે છે. કોઈ ગૃહસ્થ રૂપે કે કોઈ સાધુ ના વેશમાં કે કોઈ પોતાને જ્ઞાની કે મહાત્મા જણાવીને તો કોઈ યોગી કે ભક્ત ગણાવીને ભલીભોળી પ્રજાને
    ઠગે છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકો એ સાવધ રહેવું જોઈએ.આજકાલ વ્યાખ્યાન આપનારા ઘણા ઠગો સંસાર માં ફરે છે અને ચરે છે.તેવો કંચન અને કામિની ના દાસ હોય છે તો કેટલાક માંન પ્રતિષ્ઠા ના દાસ હોય છે.કેટલાક તો પોતાને ગુરુ કહેવડાવે છે તો કેટલાક તો અમે ભગવાન છીએ તેમ કહેતા ફરે છે.કોઈ પોતાને મહાત્મા તો કોઈ યોગીરાજ કહેવડાવે છે. પણ આપણે તેવો ને ઓળખીએ છીએ કે બાવાની ઝોળી માં શું છે. પણ આપણે તેવો ને કઈ જ કહેતા નથી. દોષ કાઢવાનો આપણો અધિકાર નથી એમ માનીએ છીએ. પણ ઘણા સારા સાધુઓ શાસ્ત્રો ની ભાષા પોતાની રીતે અને ભાષા માં ફક્ત સેવા ખાતર કરતા હોય છે. આપણે એટલું ધ્યાને રાખવું જોઈએ કે ગીતા ના વચનો એ ભગવાન કૃષ્ણના,રામાયણના તુલસીદાસના,મહાભારતના વેદવ્યાસ ના વચનો છે. મહાવીર સ્વામી અને ભગવાન કૃષ્ણ ના વચનોનું પાલન કરવાથી ઉદ્ધાર થાય છે એમાં તો કહેવાનું શું હોય ? પરંતુ જો કોઈ માણસ મૂર્ખતા ને લીધે એને મહાત્મા માની લે પૂજા કરવા લાગે તો થોડું કલ્યાણ થાય?
    શાત્ર ભાષણ નો વિષય નથી પણ મનન નો વિષય છે.સ્તર કે ગ્રંથ ના શબ્દો એ તો તેકનલાકડી છે એને સહારે સત્ય ની ખોજ કરવાની છે. હાથ માં રહેલી ગીતા જયારે રુદય માં ગુંજે ત્યારે સાચું સત્ય. બાકી દીપકભાઈ ખ્રિસ્તી ધર્મ વાળા તો ધર્મ પરિવર્તન પાછળ પડી ગયા છે તે પણ જરા જોજો

    Like

    1. પ્રિય ભાઈ ‘શબ્દસુર’
      તમે શબ્દ્સુર છો તો હું શબ્દશૂર છું! એટલે તમે મને ખ્રિસ્તીઓની વટાળ પ્રવૃત્તિ વિશે સાવધાન કર્યો છે તેનો જવાબ લાંબો થયો છે, તો માફ કરશો. નીચે જવાબ છેઃ
      પ્રિય ભાઈ શબ્દસુર,
      ધર્મ પરિવર્તન વિશે શ્રી ફિરોઝભાઇએ જે સંકેત આપ્યો છે તે આંતરમંથન માટે છે અને જરૂરી નથી એમ તો તમે પણ નહીં કહો.
      તમે મને સંબોધીને ખ્રિસ્તીઓની વટાળ પ્રવૃત્તિ પર ધ્યાન આપવા જણાવ્યું છે. આપણે પહેલાં તો વસતી ગણતરીના આંકડા લઈને જોઈએ કે ખ્રિસ્તીઓની ટકાવારી શી છે. આંકડા ૨૦૦૧ની વસતી ગણતરીના છે, ૨૦૧૧ની વસતી ગણતરીના સત્તાવાર આંકડા હજી બહાર નથી પડ્યા. ધર્મ પ્રમાણે વસ્તીની સખ્યા અને ટકાવારી આ મુજબ છેઃ

      બધા ધર્મોના લોકો/ ૧,૦૨૮,૬૧૦,૩૨૮/ ૧૦૦.૦%
      હિન્દુ/ ૮૨, ૭૫,૭૮,૮૬૮/ ૮૦.૫%
      મુસલમાન /૧૩,૮૧,૮૮,૨૪૦/ ૧૩.૪%
      ખ્રિસ્તી/ ૨,૪૦, ૮૦,૦૧૬/ ૨.૩%
      શીખ /૧,૯૨,૧૫, ૭૩૦ /૧.૯%
      બૌદ્ધ/ ૭૯,૫૫,૨૦૭/ ૦.૮%
      જૈન/ ૪૨, ૨૫,૦૫૩/૦.૪%
      અન્ય/ ૬૬, ૩૯, ૬૨૬/% ૦.૬
      ધર્મ વિશે કશું ન જણાવનારા/ ૭,૨૭,૫૮૮/ ૦.૧%

      ખ્રિસ્તીઓઃ ૧૯૪૧-૨.૧ %//૧૯૫૧-૨.૩%//૧૯૬૧- ૨.૪%//૧૯૭૧-૨.૫%//૧૯૬૧-૨.૪%//૧૯૭૧-૨.૪%//૧૯૯૧/૨.૩%//૨૦૦૧-૨.૩%.
      ખ્રિસ્તીઓની મુખ્ય વસ્તી ઇશાન ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં, દક્ષિણ ભારતમાં મુખ્યત્વે કેરળ અને તમિળનાડુમાં અને પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે ગોવામાં છે. દેશની વસતી વધશે તે સાથે આ પ્રદેશોમાં પણ વસતી વધવાની જ છે. એના કારણે ખ્રિસ્તીઓની કુલ સંખ્યા વધશે, પણ એ વટાળનું કારણ નહીં હોય. કદાચ ટકાવારી પણ વધે અને કુલ ૩%થી ૪% સુધી પણ પહોંચે, કારણ કે પહેલાં દલિતો ધર્મપરિવર્તન કરે તો પણ સત્તાવાર રીતે લખાવતા નહીં. એક કારણ તો કદાચ ક્વૉટાના લાભ જતા કરવા પડે તે અને બીજું કારણ એકલા પડી જવાનો ડર.
      કદાચ તમે મુસલમાનોની ટકાવારી વધવાની વાત કરશો. આ સાચું છે. પરંતુ એમના જીવનમાં વિકાસની તકો વધે અને કન્યા શિક્ષણ વધે, ઘરની આવકમાં એમનો ફાળો વધે જીવનાનું પ્લાનિંગ કરવાને દૃષ્ટિ કેળવાતી જશે. એ સાથે બાળકોની સંખ્યા ઘટતી જશે. આ કઈં ગણિત નથી કે એક આંકડા પરથી નક્કી કરી શકાય. સામાજિક વિકાસલક્ષી અભિગમ આમાં બહુ કામ આવે.
      આપણા જેમ આરબોની પરંપરામાં પણ પુત્રનું મહત્વ વધારે છે અને સંતાનને ‘દેવનાં દીધેલ’ માનવામાં આવે છે.ઇસ્લામમાં પણ એ દેખાય છે. કોઈ પણ ધર્મ એના ઉદ્‍ભવ સમયની સામાજિક પરિસ્થિતિઓથી મુક્ત ન રહી શકે. મુસલમાનોમાં બહુમતી ગરીબ છે. કોઈ પણ ધર્મમાં ગરીબ પરિવારો મોટા હોય છે, પણ સંપન્ન શિક્ષિત પરિવારો નાના. કારણ એ કે એમાં સ્ત્રીના અભિપ્રાયનું પણ મહત્વ હોય છે. આપણે ત્યાં “અષ્ટપુત્રાઃ ભવ” આશીર્વાદ અપાતા અને માત્ર બે-ત્રણ પેઢી પહેલાં સાત-આઠ સંતાન હોય એ સામાન્ય લાગતું. કુરાનશરીફમાં પણ સંતાનને રોકવાની મનાઈ છે, પરંતુ તે સાથે શરત પણ છે કે તમે આવનારા બાળકનો સારી રીતે ઉછેર કરી શકો તો જ લાવી શકો. આનો અર્થ એ નથી કે મુસ્લિમ પુરુષો આ શરતનું પાલન કરે છે. આરબોમાં પણ coitus interrupts જેવી સંતતિ નિયમનની રીત પયગમ્બરના સમયમાં પણ પ્રચલિત હતી.

      ગુજરાતના ૨૦૦૧ના આંકડા અહીં અલગ આપું છુઃ

      બધા લોકોઃ ૫,૦૬,૭૧,૦૧૭ / હિન્દુઃ ૪,૫૧,૪૩૩,૦૭૪ /
      મુસલમાનઃ ૪૫,૯૨,૮૫૪/ખ્રિસ્તીઃ ૨,૮૪,૦૯૨/શીખઃ૪૫,૫૮૭ /બૌદ્ધઃ ૧૭,૮૨૯/જૈનઃ ૫,૨૫,૩૦૫/
      અન્ય ૨૮,૯૬૮
      આમ ખ્રિસ્તીઓ મોટે પાયે ધર્મ પરિવર્તન કરાવતા હોય એવું દેખાતું નથી. આવું માનવું એ પણ એક જાતની અંધશ્રદ્ધા જ છે.

      Updated Answer:
      Christianity is India’s third-largest religion with approximately 24 million followers, constituting 2.3% of India’s population. The works of scholars and Eastern Christian writings state that Christianity was introduced to India by Thomas the Apostle, who visited the southern state of Kerala in 52 CE to proselytize amongst Kerala’s Jewish settlements. Today large Christian populations exist in South India, the Konkan Coast and the North-Eastern states. Indian Christians also have one of the highest literacy, work participation and sex ratio figures among the various religious communities in India.

      Demographics:
      The total number of Christians in India as per Census in 2001 are 24,080,016 or 2.34% of the population. From the late 19th century, the fastest growing Christian communities have been located in the northeast, in the Seven Sister States, among the Khasis, Mizos, and the Nagas. Today Christians are most prevalent in the northeast, and in the southweste

      Read more: http://wiki.answers.com/Q/What_is_the_percentage_of_Christians_in_India#ixzz1zImfgOC9

      Like

      1. દીપકભાઈ, આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે અને સ્થાનિક ભાષા પ્રાંત મુજબ અલગ અલગ છે. પરંતુ આપણે અત્યારે કઈ ભાષા ને મહત્વ આપીએ છીએ ? જવાબ ઈંગ્લીશ જ હોય અને આ મોટાભાગ ની
        ઈંગ્લીશ શાળાઓ ક્રીસ્તિયન લોકો ચલાવે છે. જ્યાં આપણી હિંદુ સંસ્કૃતિ ના પ્રસાર પર અસર પડશે
        આવી શાળાઓ માં શું ભણાવે છે તેમ જ શું થાય છે તે બધા જાણે છે. ક્રિસ્તીઓ ભલે ૪% હોય પણ તેમની ભાષા
        ભારત માં ૩૦% લોકો ભણે છે અને તેમાં વધારો જ થતો જાય છે. મુસ્લિમો ભલે ૫ કે ૭% હોય પણ તેમની મસ્જીદ માંથી નીકળતો વહેલી સવારે બાંગ નો ફેલાવો ૯૦% ભારત ની ભૂમિ માં ફેલાય છે. આ સત્ય છે અને સ્વીકારવું પડશે. લઘુમતી ના લીધે જ આ બધી છૂટછાટ છે તે કેટલા અંશે વ્યાજબી છે? તમે લાગુમતી ની વાત કરો છો પણ બિહાર અને ઉત્ત્રરપ્રદેશમાં તો ઈંગ્લીશ અને ઉર્દુ ના જ
        સરકારી દરવાજે લખેલું હોય છે. ત્યાં સ્થાનિક ભાષા કે જ્યાં ૯૦% પ્રજા બોલેછે તે ભાષા ને કેમ મહત્વ નહિ ?
        england માં હિન્દી શાળાઓ ચાલુ કરીએ તો ? આપણે હજુ ગુલામી માંથી બહાર આવ્યા નથી તેનું આ પરિણામ છે.
        પોતાની સંસ્કૃતિ નસ્ટ થાય તેવો ઘાટ ઘડાયો છે.

        Like

    2. ભાઈ શબ્દસૂર, તમે લખ્યું : ‘હિન્દુઓની માતાઓ બહેનો ભોળી છે એટલે આવા બાવાઓ પાદરીઓ અને મુલ્લાઓ ઠગે છે. કોઈ રૂપીઓ ઠગે છે તો કોઈ સ્ત્રીઓનું ચરિત્ર ઠગે છે. કોઈ ગૃહસ્થ રૂપે કે કોઈ સાધુના વેશમાં કે કોઈ પોતાને જ્ઞાની કે મહાત્મા જણાવીને તો કોઈ યોગી કે ભક્ત ગણાવીને ભલીભોળી પ્રજાને ઠગે છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકો એ સાવધ રહેવું જોઈએ.’
      ગુણવંત શાહ લખે છે : ‘પાઘડીનો વળ છેડે’
      ગુજરાતના ધર્મપતીઓને પાંચ અગત્યનાં સુચનો :
      1. પત્નીની સાચી પ્રશંસા કરવામાં કરકસર ન કરો.
      2. પત્ની ઈચ્છે ત્યારે તેને ખુશીથી પીયર જવા દો.
      3. પત્નીને લાગવા દો કે તમે તેની સુરક્ષા કરી શકો તેવા સક્ષમ ‘મરદ’ છો.
      4. બીજું કોઈ પત્નીની ખોટી ટીકા કરે ત્યારે મનથી એનો બચાવ કરો.
      5. પત્નીને ભરપુર પ્રેમથી ભીંજવી દો અને એને બાવાઓથી દુર રાખો.

      તા. ૨૯ મે ૨૦૦૪ના ‘સંદેશ’ની સાપ્તાહીક રવીવારીય પુર્તી ‘સંસ્કાર’માંથી સાભાર..

      Like

  13. There is a saying in Hindi ” Duniya zukti hey, zukanewala chahiye”. Thes Baba, Gurus , and PIR are all supoorted by people who is craving for name or suffering from some inferiority in life. SOme people may have used all resources to inprove their health, welath, and prestige and if nothng works, then they turn to these Babas or GURUS and BABA will give him a mantra to solve his problems. This is pure balishta andhshradhha.

    Like

  14. Dipak bhai,
    My articles are regularly published. What I said earlier was that when my articles are published Hindu readers don’t like them. They drag ‘Komwad.’ And this some times pain me. Whenever. I go to Ajmer sharief I always quarrel with so called ‘Khadims.’ You are absolutely right when you say that there is no difference between them and Pandas.
    Shabdasoor bhai, it’s not only ‘Hindu’ mothers and sister who are innocents as you said. This category of women is in every religion. Before I came to live in Canada I thought this Western people are educated and intelligent. But here too it is the same.
    Palm and Tarot readers are everywhere! They too believe in Black Magic and Bhoot Pishach!!! And learned people visit them!! I think whether it is East or West they are sailing in the same boat.

    As for Converting Hindus brothers and sister by anyone please allow me to ask one question with full respect. Why it is happening? Is there something wrong within ourselves as a society? One should introspect to find answer. Instead of blaming others pleas try to find out our own short comings and try to correct them. I beleive it is difficult task but not impossible one.

    Best regards to all.

    Like

  15. લેખકને ન્યાય મળે તે માટે વાચકમીત્રો અને મંતવ્યદાતાઓને લેખ/વીષયના અનુસંધાને ચર્ચા કરવાની મર્યાદા જાળવવા હાર્દીક વીનંતી..
    ધન્યવાદ..
    ..ગોવીંદ મારુ

    Like

  16. દીપકભાઈ હિન્દુઓના કાર્યક્રમો જો રાત્રે ૧૦ વાગ્યા પછી થાય તો સુપ્રીમ કોર્ટ ના નિયમ મુજબ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી માઈક વગાડી શકાય નહિ નો કાયદો બતાવી બંધ કરવા માં આવે છે અને બાંગ સવારે ૫ કે તેથી વહેલી પણ
    થાય છે તો ત્યાં કાયદો તો શું કોઈ કંઈજ કરી કે કહી ના શકે. તમારી બીજી અંગ્રેજી ની વાત માટે મોટી ચર્ચા થાય એમ છે અને ધારદાર થાય પણ આપણે વિષય નેજ વળગી રહીશું તો જ સારું.

    Like

  17. આજના બાવાઓ ને દેખાવું છે હિંદુ જેવું અને દોસ્તી પૈસા ની કરવી છે. આ તફાવત પ્રજા એ સમજવા જેવો છે.
    ખ્રિસ્તી બાવાઓ તમને બુદ્ધી થી મારી રહ્યા છે. લોકો ને એક ઘર બનાવવાના ફોફા હોય ત્યાં સ્વામીનારાયણ વાળા
    કરોડા ના મંદિર બનાવી એશોઆરામની જિંદગી જીવે છે. ત્યાં કોઈ કંઈજ નહિ બોલે કેમ કે એતો ધર્મ માં લખ્યું છે મંદિરો બનાવવાનું. આ સાધુઓનું અર્થશાત્ર, તર્ક્શાત્ર અને સ્વાર્થશાત્ર સમજી શકાય તેમ નથી દીપકભાઈ. વેપાર માં નફાનુકસાન હોય પણ આતો મંદિરો માં પણ આજ હિસાબ માંડે છે. આ લોકો પ્રજા ને જુદા જુદા બંધનો માં જકડી રાખી લોકો ને મુશ્કેલીયોમાં મૂકી ને તેવો પોતે આનંદ માં પહોચી જાય છે. બધા જ ભગવાન ને મંદિરો ના કારાગૃહો માં કેદ કરી પોતાની ઝોળીઓ ભરે રાખે છે. પછી ૧૦૦૦ રૂપિયા એકઠા કરી ૫૦ રૂપિયા નું દાન કરે છે
    એટલે તેમની વાહ વાહ થાય છે. ખરેખર તો અલ્લાહ કે રામ કે મહાવીર કે ઇસુ આ બધા અવતારો દરેક માનવજાત ના ઉત્થાન માટે નો સંદેશો લઇ આવ્યા હતા પણ માણસે તેમને સંપ્રદાયો માં વહેચી દીધા.
    આજે મંદિર અને મંડી માં બિલકુલ તફાવત નથી રહ્યો. આજે દારૂ નો વહેપારી મઠાધિપતિ કરતા વધારે પ્રમાણિક હોય છે.
    આ પ્રજા ને કેશવાનંદ અને નિત્યાનંદ અને નારાયણ સાઈ જેવા જ પસંદ છે પછી સારા સાધુઓ ક્યાંથી નજર માં આવે ? ગોવા ના એક પાદરી એ સેવા માટે બાલ્યાશ્રાય ખોલ્યો અને બાળકોનું વેશ્યાગૃહ ચલાવીને પરદેશી મુલાકાતીયોના મનોરંજન દ્વારા કરોડો
    રૂપિયા બનાવ્યા. આજે સાધુઓ નાં મન માં શાત્ર સુત્ર અને તન માં કામસૂત્ર હોય છે તેનાથી પ્રજા એ જાગવાની જરૂર છે. બધા સાધુઓ આવા નથી પણ જે છે તેમનો પ્રચાર વધારે છે.

    Like

    1. Dear Mr. Joshi:
      I respectfully disagree with “આજના બાવાઓ ને દેખાવું છે હિંદુ જેવું અને દોસ્તી પૈસા ની કરવી છે. ” You are assuming that ‘hindu’ means no interest in money. That is completely untrue. Everyone world over has a love for money, whether hindu, muslim, christian, or any other religion. Being a Baba is simply a business, and people go into that simply to have easy life and make money. Maybe one out of 10,000 is genuinely interested in persueing god or doing good for the society, but the rest are simply in it for the love of money, and this is true regardless of religion or country.
      My second issue is with the term “aaje”. This is how it has been for ever, and for ever thus it shall be. Charvaak and his followers like us will try our best to spread rationalism, of course. But it is not “aaje”. It is an ongoing battle.
      With respect,
      A. Dave (દવે)

      Like

  18. મુળ લેખનો આશય ધર્માંગુરુઓથી પ્રજાને ચેતવવાનો છે, તેમાં બધા જ ધર્મના ધર્મગુરુઓ આવી જાય. ચર્ચામાં વીશયાંતર થાય છે.

    Like

  19. Friends,
    The main theme of the article is…”.BEWARE OF THESE CHEATS.”…called Babas,Mullas,Padaries, Maharajo, Bapuo, …..and……….AND those who have “realisation” of this cheating, have to teach others how to not get involved and be safe.
    The “LEAVE A REPLY” has provided a platform to the philosophers to teach the world the PHILOSOPHY which NO ONE COULD PUT IN PRACTICE IN HIS OR HER LIFE. These philosophies are also being taught by these cheats from whom we have to be AWARE OF.
    We have already known the problem. It is crystal clear. Now what we have to do is,FIND OUT A SOLUTION WHICH CAN HELP THOSE WHO ARE BEING CHEATED. Let us start discussing to find out a solution. My views:
    (1) We have seen that the CHEATS are coming from all the different religions. Meaning the believers or the cheated ones are coming from different religions. The cheats are taking advantage or disadvantage of the writings in the respective religion books.
    It means LET US HAVE ONE DHARMA…MANAV DHARMA..with its own teachings which can help. THIS IS NOT POSSIBLE…Than what could be the solution ? ( A very interesting fact Mr. Ashok Dave had provided answering a question from Mr. Ajaysingh Champavat, of Himatnagar. Q: Bharatno nagaric ‘RASHTRADEVO BHAVA:’ kyare shikhshe ? ANS: Ashok Dave: Nagaric? Bharatma tame vari nagaric kyare joyo? Aapna deshma to koi, vaishnava chhe, koi jain chhe, koi bhrahman chhe, Aavi nagaric jevi gar na bolo bhai. Let me add: koi Muslim chhe, koi christi chhe, koi parsi chhe…..BHARTIYA KOI NATHI)
    (2) Let us have volunteers to alert people at the office doors of these cheats.
    (3) All news papers should not accept advertisements from all these cheats. And they should write slogans to awake people.
    (4) All primary schools, Middle schools, High schools, Colleges should conduct a special course of awakening the students. This must be a compulsory subject to pass or clear to get graduation degree.
    (5) While giving employment the employer should take in writing from the new employee that he or she will never go to these cheats. If found consulting , they will be terminated.
    AND MY SCHOLAR FRIENDS CAN ADD MANY MORE STEPS THOSE CAN BE TAKEN TO HELP IRRADIATE THIS POISON from the society.
    Let me have a permission to state: ” Atitni bhavyatane vagorta ane vartamanni vastaviktane upexata manasni aa karun katha chhe….Bhavya atit kone mate ane kyare hato? Parantu vartamanni vastavikta to harekne maate laagu padeli chhe ane te aapne sau joi shakiye chhiye ane anubhavi shakiye chhiye.”
    UTHO, JAAGO ANE DHYEYA SIDHHA KARO.
    SAMAJNE SUKHI BANAVAVANU AAPNA HAATHMAJ CHHE.

    AAbhar.

    Like

    1. Amrut Sir:
      I agree! Well said! Instead of discussing, we should be proposing suggestions.
      Of your suggesions, I believe #4 is easier to implement than others. Rationalism and Humanism should be taught on schools and colleagues. Some western universities try to do that, and some do it well, while others get strong resistance. Still it is definitely worth the effort.
      With respect,
      A. Dave (દવે)

      Like

  20. સંઘવી સાહેબે ઉભો કરેલ પ્રશ્ન સાચો અને સમજવા જેવો છે! પ્રશ્નોની સાથે સાથે ઉકેલની શક્યતાઓ પર પણ ભાર મુકીયે તો ચર્ચા વધુ અસરકારક બને તેમ માનું છું!
    બગ-ભગતોની ઠગાઈ, લફગાઈ અને નાલાયકીના કિસ્સાઓ બધા ધર્મોમાં અને બધી જગ્યાએ વધવા માંડ્યા છે! આ પાખંડીઓને અને તેમની પ્રવૃતિઓને ભગવાન સાથે કોઈ લેવા દેવા ન હોઈ શકે તેથી તેમને તકસાધુ (તક સાધવાવાળો) કહેવો જ ઉચિત કહેવાય! ગાંધીના ભારતની આબોહવા આ પાખંડીઓને કેમ વધુ માફક આવે છે તે બાબત દુનિયા માટે ભલે અચંબા જનક હોઈ શકે પણ ભારતવાસીઓ માટે ન હોવી જોઈએ!
    સાથે સાથે, આ પાખંડીઓને નાથી ન શકવામાં વાંક પણ આપણો જ તો છે, તે બાબતમાં શંકા પણ ન હોવી જોઈએ! બદમાશ ડાકટરોની આખી લીન્કને ઉઘાડી પાડવાની હિમત કરી સંતોષ માની લઈએ છીએ! પણ આ ઠગ-ભગતોની ઠગાઈની ભીતરમાં કેટલી મોટી અને મજબુત લીંક છે તેની સામે નજર કરવાની પણ હિમત નથી કરી શકતા કારણકે રાખેને ઊંડે ઊંડે સંડોવાયેલો રાજકીય ગુંડો ક્યાંક પાછો ગુસ્સે ન થઇ જાય! જેમ મુંબઈના પોલીસને આજકાલ સામે ઉભેલા ગુંડાને પકડવાની પણ બીક લાગે કે રખેને પાછો દાઉદનો માણસ હાથ ન લાગી જાય!!
    તો આ બધી ડરપોકતાનું કારણ છે ઉચા મુલ્યોને તિલાંજલિ અને મુલ્યોની ચર્ચાને પણ તિલાંજલિ! ગાંધીની પહેલા અને ગાંધીની સાથે સાથે થઇ ગયેલા વીર-પુરુષોની વાતો કરતા આપણને શાહરુખ-સલમાન અને સચિન-સહેવાગની વાતો વધુ પસંદ આવે છે! ઘરમાં નાના બાળકો સાથે પણ એજ વાત કરીએ છીએ, ઓફિસમાં પણ એજ વાત અને TV પર પણ એજ જોવા મળે છે! સરોજીનીબેન નાયડુ, કવિ પ્રદીપ કે ટાગોરની વાતો હવે એકવીસમી સદીમાં આપણને જુનવાણી લાગે છે! આશ્ચર્યની વાત એ છે કે સત્ય, અહિંસા અને નીડરતાના વીર સોપાનો લખનાર ગાંધી પરદેશમાં નેશન-મંડેલા અને ડો. કિંગ જેવા વીર-પુરુષો પેદા કરી શક્યો પણ ભારતને વીરપુત્રો આપવામાં નિષ્ફળ નીવડ્યો! તો પછી દુનિયાના આપણા માટેના આશ્ચર્યથી આપણને આટલી બધી હેરાનગતિ શા માટે?
    હેરાનગતિ એ હોવી જોયે કે સમાન્ય ભારતીયોના પ્રશ્નો હવે વિકરાળ બની ગયા છે અને તેને હલ કરવા એકલદોકલ વ્યક્તિની નહિ પણ મોટી જનશક્તિની જરૂર રહેશે! તો જાગૃતિની નાની નાની ચિનગારીઓ સળગાવીને આખા જગતને ફરી અચંબામાં મુકવાનું કામ આપણે જરૂર કરી શકીએ!

    Like

    1. ભાઈ અશ્વિન પટેલ ની વાતો માં તત્વ છે..
      ચર્ચા પશ્નો ઉકેલવાની કરવી જોઈએ..
      મારો પ્રતિભાવ એ છે.. કે
      જ્યાં સુધી પૈસાને જીવન થી ઉંચી કક્ષાએ મુકીશું.. ત્યાં સુધી..આવી ધર્મ વિરોધી ક્રિયા -પ્રક્રિઅઓ ચાલ્યા કરશે..
      જેના લઈને હાલ વીર પુરુષો નથી નીપજતા..
      પ્રકૃતિ ત્રિગુણી માયા ના પ્રભાવ તળે ચાલી રહી છે.. જેમાં અર્થ નું ઉપાર્જન , સંચય અને દાન પણ આવી જાય છે.. અને તેના પરિણામ આઘાત/પ્રત્યાઘાત સમા હોય છે..
      હાલ પ્રવર્તતા અધર્મ નું મૂળ જીવ-જીવન થી ઉપર આંકવામાં આવતી પૈસા ની પ્રધાન તા ‘જ’ છે.. જેને કારણે બોલબાલા ભ્રષ્ટ લોકોની પૂંજીપતિ હોવાને કારણે છે.. સદાચારી આચાર્યો ની નથી..
      પૈસો સાધ્ય માટી સાધન થશે..ત્યારે બધું જુદું ભાસશે …
      પૈસા નું મહત્વ ‘ફૂટબોલ’ ની રમત માં ‘ફૂટબોલ’ જેટલું હોઈ શકે..
      જેના વડે આખી રમત ગોઠવાઈ છે.. પણ કોઈ તેનો સંગ્રહ નથી કરવા પ્રેરતું કે તેના ધારક ને પ્રતિષ્ઠિત કોઈ નથી ગણતું..
      જયારે અયોગ્ય સ્થાને બિરાજતો પૈસો અહં પોષે છે, દ્વેષ નું કારણ બને છે.. અને ખોટો માભો ઉભો કરે છે.. કેટલીકવાર જાન લેવા પણ સાબિત થયો છે..
      માટેજ ત્યાગ નો મહિમા પૈસાને જોરે ચાલતા ભોગ કરતા અધિક અંક્વામાં આવ્યો છે..
      બાબા ઓ જે ઘડીએ પૈસા માટે સદાચારનો પ્રચાર કરે તે ઘડીએ તે આચાર્ય માટી ગણિકા નો સ્વાંગ ધારણ કરે છે..અને પદ ભ્રષ્ટ થયેલ જોવાય છે..
      તેમની દયા ખાવી જોઈએ .. તેમનો દ્વેષ ના થાય.. . નહીતો ગૃહસ્થ ધર્મ નો નાશ થાય અને સમાજ દુષિત થાય – ગણિકા નું સામ્રાજ્ય ફેલાય…
      સાધકે બુદ્ધિમાન થઇ પ્રકૃતિ ની ત્રિગુણી માયા ને આધીન સ્વધર્મ આચરવો તેવો સ્પષ્ટ આદેશ મહર્ષિ વેદવ્યાસે શ્રીમદ ભગવદ ગીતામાં આપેલો છે..(આજે ગુરુ-પૂર્ણિમા છે).
      જેનાથી અંતિમ ધ્યેય ની પ્રાપ્તિ થાય છે..
      અસ્તુ,
      શૈલેષ મહેતા

      Like

  21. ખ્રિસ્તી દેવળોમાં એકઠા થતા પૈસાનો ઘણો બધો ભાગ માનવતાના કામમાં વપરાવાનું કારણ છે તે પૈસા આપવા પાછળનો ખરો આશય!
    ખ્રિસ્તી લોકો પોતાની કમાણીના લગભગ ૮-૧૦% પૈસા પોતાના દેવળોને: પ્રભુમાં રહેલ અટલ શ્રદ્ધાના કારણે આપે છે અને નહિ કે પાદરીની ચમત્કાર શક્તિ કે પાદરીના નકલી કાવાદાવાને કારણે! તેથી તે પૈસાનો ઉપયોગ સારા કામમાં કરવા સિવાય પાદરીઓને છૂટકો નથી હોતો!
    જયારે ભારતના બાબાઓને થતા દાનનું પ્રમાણ બાબાની ચમત્કાર શક્તિ અને બાબાની પ્રભાવ શક્તિ પર સીધી રીતે આધારિત હોય છે! તેથી બાબોને મળતા પૈસા, બાબાએ પોતાની આવડતથી કમાયા હોય તેવો તેમને ભાસ થાય છે અને તેથી તેના પર તેઓ અધિકાર જમાવી શકે છે! છગનભાઈને પૂછીએ તો કહે કે, “હું તો સ્વામીને પૂછ્યા વગર કોઈ ધંધો buy કરતો જ નથી કારણકે આજ સુધીના બધા ધંધા સ્વામીની કૃપાથી રોજબરોજ વિકસી રહ્યા છે!” છગનભાઈનો વ્યવસાય ભલે પછી દારુ કે માંસ વાંચવાનો હોય કે જુગારના કસીનાનો હોય પણ સ્વામીની કૃપા તેમના પર રહે છે અને સ્વામીને પૈસા પણ તેમાંથી જ મળે છે! તો પછી આ કાળી મજુરીની કમાણી બીજા માનવો માટે કેમની વાદફી દેવાય! મંદિરોમાં જતા પૈસાનો વહીવટ પણ ક્યાંક તો સરકારી બદમાસો કરી રહ્યા છે કે પછી જુદાજુદા ટ્રસ્ટોમાં ઘુસી ગયેલ એજ બદમાસો ટ્રસ્ટના નામે કરી રહ્યા છે!
    ખ્રિસ્તી દેવાડોને મળતા બધા જ પૈસા માનવતાના કામમાં વપરાય છે તે પણ સાચું નથી! પશ્ચિમના બીજા નોટ-ફોર-પ્રોફિટ સંસ્થાઓના બીઝ્નેસોની જેમ દેવળો પણ પોતાની કમાણીનો ઘણો મોટો ભાગ બીઝનેસ-પ્રમોશન અને advertisement માટે ફાળવે છે અને માનવતાના કાર્યો પણ બીઝનેસ-પ્રમોશન જેવું જ કંઈક ગણાય છે તેવું મારા મિત્રોનું કહેવું છે! નોટ-ફોર-પ્રોફિટ સંસ્થાઓએ પોતાની લગભગ બધી કમાણી Tax-exemption ના નિયમ અનુસાર વાપરી નાખવી પડે છે તેથી દેવળો માનવતાના કામ કરે છે, જયારે બાબાઓ ખિસ્સા ભારે છે!
    અને આ બધો ઉપદ્રવ આપણે શાસ્ત્રોના ઉપદેશોને અભરાઈયે મૂકી દેવાની અવદશાને લીધે છે! ગીતામાં શ્રીકૃષ્ણ, પૂજા સ્થાને ફૂલ કે ફૂલની પાંખડી લાવવાનું કહે છે! પૈસા નહિ! સાધુઓને ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવાનું કહ્યું છે! મોટા બંગલા-ગાડીમાં નહિ! ગીતામાં, દરેક કર્મ કરતા પહેલા તેની પાછળના ત્રણ ભાવોનો (સતો-ગુણ, રજો-ગુણ અને તમો-ગુણ) વિચારવાનું કહ્યું છે અને તે પ્રમાણે “પૈસાનું દાન” કરવાના પણ ત્રણ પ્રકાર છે! તો દરેક મનુષ્યે પોતે કમાયેલા પૈસાનો અને પોતે કરેલ દાનનો ઉપરના ત્રણ ભાવોને ધ્યાનમાં રાખી સાચા અને સારા કામમાં ઉપયોગ થાય તે જવાબદારી પૂર્વક જોવું જોઈએ! અને એ પ્રમાણે જો આપણે વિચારતા અને કરતા થઇયે તો તમો-ગુણમાં થતા બાબાઓના દાન આપોઆપ અટકી જાય!

    Like

    1. Dear Ashiwnbhai
      With respect, sir, I disagree. I am not sure where this concept of christian churchesspending all their money for charitable works comes from. They also spend only a little bit for actual charitable work and keep the rest for conversion work and for making Rome rich. Agreed, our Babas are despicable. I just don’t see any other religion’s Babas to be any better. Please see the following: http://en.wikipedia.org/wiki/The_Missionary_Position:_Mother_Teresa_in_Theory_and_Practice
      Respectfully,
      A. Dave (દવે)

      Like

      1. શ્રી Dave સાહેબ,
        મારા લખાણ બાબતમાં તમારી ગેરસમજ થઇ લાગે છે!
        મારા લખાણના છેલ્લા ફકરાની પહેલી Line માં જ મેં લખ્યું કે, “ખ્રિસ્તી દેવાડોને મળતા બધા જ પૈસા માનવતાના કામમાં વપરાય છે તે પણ સાચું નથી!”
        ત્યાર પછી મેં મારા મિત્રના અભિપ્રાયને ટાંકીને સાચી હકીકત રજુ કરવાનો પ્રયત્ન કર્યો કે માનવતા તે તેમના બીઝનેસ પ્રમોશનનો પાર્ટ છે એટકે કે તેમનો બિઝનેશ “conversion” દ્વારા વધતો હોવાથી કહી શકાય કે “માનવતા એ એક માર્કેટિંગ ટુલ (Tool) છે!” એટલે જ માનવતામાં વાપરતા પૈસા તેઓ “માર્કેટિંગ purpose” માટે અલગ રાખે છે!
        તો દવે સાહેબ, મારો અને તમારો કહેવાનો સાર લગભગ સરખો હશે, ફક્ત કહેવાની ભાષા અને રીત થોડી અલગ રહી હોવાથી અલગ ભાવ ઉભો થયો હોઈ શકે!
        મારું ધ્યાન દોરવા બદલ આપનો આભાર.

        Like

    2. Dear Ashwinbhai:

      You are indeed correct. My apologies for getting confused. I agree that we’re probably trying to say the same thing in different ways. I was just being unequivocal that the “babas” are bad everywhere, and waste money regardless of which religion they are in. You were being more considerate than mean old me! 🙂
      Sincerely,
      -A. Dave

      Like

  22. Dear Nagindas Sanghavi, Nathubhai Dodia and Other Friends:
    Religions have been deteriorated and have been used as Platforms by these Gurus who Exploit the Believers – Rich & Poor, Men & Women, Educated and Uneducated, in India and Abroad. All Structured Religions have Heirarchy. The Top is Occupied by Gurus as they heve been Respected due to their Character and Knowledge. In reality, this is NOT so.

    There are NO established Credentials. Christians have their Own Training Schools for their Priests. There also some turn out to be BAD. Celibasy is Difficult during the Youthful Period. This is Natural. We have many examples in ALL religions for exploiting Women. I am a Jain and I have myself experienced this at the Jain Upashraya. My Suggestion is to take out Celibasy from the Requirement of a Priest. Priests should be MARRIED and an established Family. However, Vigilance has to be Essential and Privacy has to be avoided, as a Rule.

    Blind Faith and Brain-Washing has been used as a Future GOAL of Salvation/Moksha. We have to emphasise that there is No Such Place elsewhere. No one really Knows the PAST and the FUTURE. This is a FAKE Place Created by Scripures written by Acharyas. Therefore, the GOAL should be to be Good Citizens Observing Common Rules of ETHICS, e.g. Truth, Non-Violence, Non-Stealing, etc. This is a matter of fact that almost ALL Religions have prescribed them.

    The Second thing is Temples with Idols of NON-EXISTING GODS. They Promote Blind Faith. GOD, even if some one Believes in it, is NOT in the Trading Business of Favouring some one who Prays and Donates a few Pennies.

    Religion has been Teaching Escapism and In-Actioon in many cases. But, “Work is Worship” needs to be Promoted. “Cleanliness is Next to Godliness” is another Goal to be taught and Practised, starting from Schools. Therefore, EDUCATION is The Best Resource to Create Good Citizens.

    We have to Provide an Alternative to Religions, with establishing Models through Schools. Rationalists have to Work on these Platforms and Provide Positive Alternatives. An Enlightened Educated Citizen will Not end up in the clutches of these Fake Money-Making GURUS.

    These are some of the Practical Suggestions to Avoid Traditionalism of BELIEFS in ALL Religions..

    Fakirchand J. Dalal
    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

  23. Dear Sanghavi Sir:
    I heartily agree with almost everything you have raised in the article. However, I respectfully disagree on one small point. You mention that “ખ્રીસ્તી પ્રચારકો એકઠા થયેલા નાણાંભંડોળમાંથી મોટો ભાગ સેવાકાર્યોમાં વાપરે છે. આપણા બાબાઓ આખી ‘એરણ’ લઈ લીધા પછી એક ‘સોય’ જેટલું ધન દાન–ધર્માદામાં કે સેવાકાર્યોમાં વાપરે છે.”. I do not believe that is true. કાગડા બધે કાળા જ હોય છે.

    In the western countries, the government routinely catches some priest taking all the money and using it for personal luxuries. maybe 1 in 100 gets caught and punished, but the same level of ‘એરણ’ & ‘સોય’ is going on there. Even in India, Missionary Agnes of Albania (better known as “Mother Teresa”) simply used the misery of the poor of Calcutta to generate massive donations, most of which either went to Rome or to missionary work, and little was actually spent on desperately needed medical work. Even donations given with a condition to specifically improve one foster home or hospital, were completely sent over to Rome.

    Also, I agree that Nityanand may be a complete fraud and con-artist. However, he at least had relationships with some movie actresses with their permission. In India and in the west, countless priests have raped little boys and have faced no reprimand for their actions.

    I am by no means pardoning what our Babas do. I’m simply pointing out that it is true everywhere. In the name of religion, the religious leaders simply continue to con and exploit common people like they have done for thousands of years, and that is true regardless of country or religion.

    With respect,
    A. Dave (દવે)

    Like

  24. Friends,
    I am happy that many of my friends have similar opinion about enlightening the mass by educating at school and college level. ( I have read at one place…Educated & uneducated…I say there is a differance between a degree holder and educated.)
    In addition, I wish to say…
    (1)In India TV is having a much large number of followers than one single or cumulative number of fake religious and other cheats.
    (2)TV also provides media to the cheats to advertise and propagate their business and get business.
    (3) As we know TV media provides background for the advertisement to the cheats, it is also a very fertile field which has a very very big number of followers,of the cross section of the varied agegroup ( Child to old….3 years to 80 yers of age ) to the cinema actors…film actors. ( for both…provide education in both …Good & Bad fields ) Mr. Amirkhan has recently started a serial called…”SATYAMEV JAYATE” Reports say…This has attracted and educated millions of Indian citizen on the subjects he has dealt with. Children are most catalyzed. That is what is required.Old people also believe what Amirkhan explains. Hats off to Amirkhan that he is educating people by going against politicians and also the business people with wasted interest…like…Doctors…& cheats in the society in various fields. Why not promote Amirkhan and help him with moral support to continue educate the cross section of the Indian citizens (Age wise)…(Irrespective of poor, rich, with or without school attended & degree holder or Educated.) Amirkhan is the BEST OF THE BEST SOCIAL WORKER TODAY IN INDIA. All rationals have to be first to help him.
    Your opinions are welcomed.
    Thanks.

    Like

    1. I completely agree with you on what you said about Aamirkhan. He deserves all the support he can get.

      Incidently, there is an email going around, doubting his intentions, credibility and everything else about his program. (I got it the other day from one of my friend in England.) Very unfortunate.

      I also saw his live interview on one of the nationwide channel. Worth noting was what he said about the money part, many have reservations about.

      All the cost of producing the whole program including his field working team’s expences come from his total payment of Rs. 3 crores. He feels whatever is left after that is nowhere close to what he could make by producing or acting in commercial films. The essence of this is that he is not doing this for MONEY, as some people believe.

      Like

  25. There are more people with wasted interest in our world. These people for their own interest try to throw ” HAVAN MA HADAKA” Amirkhan has produced films of philentropic nature. If he is earning, what is wrong. He is enlightening the people for good. Morari Bapu, a poor school teacher who is teaching RAMAYAN’s secrets (?)…which did not create a single person with the idles of RAM. Morari Bapu is multimillionier today. He teaches ethics to the world and he is not practicing. He deserted the person,Mr. Gandhi…from Mumbai..who provided his home as a platform to start RAMAYANKATHA first time in Mumbai. I have some copies of letters written by Morari Bapu received from Mr.Gandhi.
    Let Amirkhan…carry on. We do not have any other philentropist from other religion. Let him earn for the labor he and his team is putting in for this noble cause. Let him have some profit. What is wrong ?
    BHRUHATYA…DOCTORS…DHRAMANDHATA….BLIND BELIEF….it is not easy to iradiate from our society. He has accepted this challange. I wish him success. We the people should ask him to earn and continue this NOBLE work. Most efficient approach to irradiate wrongs from the society.
    Gada saheb, Let we rationals extend him our support.
    Let those unhappy persons do whatever they want to do……They are the rotten unhappy people.
    Thanks.
    Amrut Hazari.

    Like

    1. આમીર ખાને મૅડિકલ જગતની પોલ પાધરી કરી છે.
      ” બધા ડૉક્ટરો એવા નથી” એવી પાંગળી દલીલ એની સામે કરવામાં આવી.
      આવી જ એક દલીલ આ જ ફોર્મૅટમાં મળે છે -“બધા બાબા એવા નથી”.!

      Like

      1. વેદવ્યાસની પ્રભાવશાળી CV અને વેદવ્યાસની અદભુત રચનાઓ, ચાર્વકને અદેખાઈની આગમાં ભરખી લેતી તેનો ઉલ્લેખ સિવાયની વેદવ્યાસ અંગેની ચર્ચા ખુબ અનુચિત રહી! કમનસીબે કે સદનસીબે ચાર્વાકને પોતાની પાસે કોઈ નિપૂર્ણતા નહતી પણ ઈતિહાસમાં તે નાસ્તિકતા અને અર્થવાદ (Materialism) માટે જાણીતો બન્યો! વેદ-વ્યાસની કૃતિ અને કથાનોનું અર્થઘટન ફક્ત આધુનિક શબ્દકોશ ઉઘાડી કરવાનો પ્રયત્ન નિરર્થક અને હાસ્યાસ્પદ કહેવાય! હજારો વર્ષો પહેલા થઇ ગયેલ સંવાદોનો અર્થ તે જમાનાની ભાષાની નિપૂર્ણતા જાણ્યા કે પામ્યા સિવાય અને તે જમાનાના Slags અને Dialogues ની નિપૂર્ણતા જાણ્યા કે પામ્યા સિવાય ન થઇ શકે અને તેમ કરવું તે પણ બાલીશ કહેવાય! (ઉદાહરણ રૂપે) વિનુભાઈના લગ્નમાં જઈ આવ્યા પછી આજે જો હું કહું કે, “વિનુભાઈ ઘોડે ચડ્યા” તો ૨૦૦-૫૦૦ કે હાજર વર્ષ પછી શબ્દકોશ ઉઘાડી શબ્દે શબ્દનો અર્થ કરનારા લોકો પોતાના છીછરાપણાનું પ્રદર્શન કરતા કહેશે કે, “વિનુભાઈ સમભોગની વિકૃતાતાથી પીડિત હતા (ઘોડાને અધ્યાહાર રાખી)”.
        તો મિત્રો, ભૂતકાળની ભાષાઓ પ્રત્યેની આપણી મર્યાદીતતાને (Limitation) સમજો, અર્થનો અનર્થ કરવામાં શક્તિ અને સમય ન વેડફો અને વર્તમાનની સમસ્યા સમજી, ભવિષ્યને સુધારવામાં સહાય કરો!
        વેદ-મુલ્યો અને વેદ-ધર્મ પ્રત્યેની ચાર્વકની ચીડ અને અદેખાઈ, આજે પણ ભૂતના પડછાયાની જેમ, ભારતીય સંસ્કૃતિની પાછળ પડી ગયેલ છે! મારી દ્રષ્ટીએ, સતત નિષ્ફળતાથી ગુસ્સે થયેલ ચાર્વાકતાએ હવે ભ્રામકતા ને બહુરંગીપણાનો આશરો લીધો છે! ધાર્મિકતાના સંહાર અર્થે ક્યાંક તે ધર્મ-ધર્મ વચ્ચેની લડાઈમાં તો ક્યાંક તે ધર્મોમાં અર્થવાદ (Materialism) રૂપે દેખા દે છે. (૧) માનવતાને Marketing Tool બનાવતા ધર્મો પર ચાર્વાકનો અર્થવાદ કામ કરી રહ્યો છે તો (૨)બાબાઓના રંગીલા રંગોમાં, ધર્મગુરુઓની દોલત-ઘેલછામાં કે પાખંડીઓની પાખંડી લીલાઓમાં પણ ભગવાન કે ધર્મ સાથે કોઈ લેવાદેવા ન હોઈ તેવી નાસ્તિકતા અને અર્થવાદ પણ ચાર્વાક-દર્શન કરાવે છે.

        Like

      2. This is in response to Ashwinbhai’s comment on July 9 about Vyas vs. Charvak.
        My apologies to the blog moderators that this tangent is really off-topic. But No matter what Ved Vyas’s intent was several thousand years ago, and no matter how beautifully he created his works, the fact remains that today, we must evaluate it by today’s language and today’s standards. None of us were alive then, so the contention that we must know the nuances of the language at that time is not correct.

        A logical, rational approach is as follows:
        1. Do we know the nuances of the language & context from Ved Vyas’s time, and can we interpret his works today using those nuances/context? If yes, let us do so. But in that case, my interpretations are as valid as yours.
        2. If no, then is it acceptable to all of us to interpret his texts using today’s language and context? If yes, great, let us do so. And again in that case, my interpretations are as valid as yours.
        3. If no to that as well, then what we just agreed on is that Ved Vyas cannot be intrepreted in today’s language and context, and that no one knows that era’s language and context. Then why is it relevant? Why read it? If it is uninterpretable using today’s language and context, then why would anything said by him be useful in today’s context? To be relevant today, he must be interpretable today. It is as simple as that.

        Instead, I humbly propose that let Vyas’s poems be beautiful works of literature, or even embellished history. But do not make them authoratitive guidebooks of how to live today. There is enough scientific and moral guidance available today to those who want it. There is no need to look for it in ancient works of literature.

        And with respect, i find the contention that the modern babas are following Charvak, to be the childish one. They are clearly quoting Vedas, asking everyone to follow Vedas and Gita, then using it to con people. There is no Charvak in there. It is all religion! In fact, the “પાખંડીઓની પાખંડી લીલાઓ” are all being done by the religious, not by charvakians.
        Sorry for such a long off-topic comment.
        With respect,
        A. Dave

        Like

  26. Dear Ashvinbhai:
    My apologies for misspelling your name twice with a ‘W’ instead of a ‘V’. I will be more careful in future, if an urge to write arises again.
    🙂

    Like

    1. દવેભાઈ,
      તમારે મારા નામના Spelling-mistake બાબતે માફી માંગવાનું કોઈ કારણ નથી! છતાં તમારી ઉંચી રીતભાતની ખુબ કદર કરું છું.
      બીજું કે જેમ અમુક લેખક કે અમુક ડોક્ટર કે અમુક નેતા ખરાબ હોવાથી તેમાં અપવાદ ન હોઈ શકે તે ધારણા ભૂલ ભરેલી છે તેમ ગુરુઓમાં, સ્વમીઓમાં અને બાબોમાં પણ અપવાદ રૂપ સારા વ્યક્તિત્વ ન હોઈ શકે તે પણ ભૂલ ભરેલું છે અને તે જોતા, દીપકભાઈ પણ
      ક્યાંક અજાણે રોષ કરી બેઠા તેવું કઈક લાગે છે પણ મને વાંચવાનો સમય નથી મળ્યો! આપણે જો બધા સ્વામીઓને ખરાબ કહીએ તો સ્વામી સચીદાનંદજી (જેમના લેખ આ બ્લોગ પર પણ છપાઈ ચુક્યા છે) માટે પણ ખેદ જનક વાત કરી કહેવાય!
      ખેર, પોતાના ઉમદા વિચારો રજુ કરતા નવા વાચકમિત્રો (દવેભાઇ, શૈલેશભાઈ અને બીજા પણ ઘણા મિત્રો) ને વિચારોની આપ-લેમાં જરૂરી હિસ્સો લેતા રહે, તેવી વિનંતી. વિચારોની આપ-લેની પ્રક્રિયામાં થોડી ઘણી ચડ્શા-ચડ્શી થઇ પણ જતી હોય છે પણ તે Healthy-disagreement છે માટે તે પ્રક્રિયાથી નાસીપાસ ન થતા તે પ્રક્રિયાનો હિસ્સો બનતા રહો તેવી ભાવના સાથે…

      Like

      1. અરે, અશ્વિનભાઈ, એમ કેમ લાગ્યું કે હું રોષમાં છું? પન કોઈ કારણસર લાગી ગયું હોય તો ક્ષમા માગું છું. હકીકત એ છે કે હાલમાં હું બીજા એક કામમાં ગળાડૂબ છું એટલે સમય કાઢવાનું મુશ્કેલ બને છે.
        અહીં હું એક-બે ખુલાસા કરવા માગું છું. તમે ચાર્વાક વિશે લખ્યું છે કે એ Materialist હતો. આજે એની ખરાબ અસરો દેખાય છે. ચાર્વાક શું હતો, કોણ હતો એ જાણવા માટે ચાર્વાકવાદીઓના કોઈ ગ્રંથ નથી મળતા. એના વિશે જે જાણવા મળે છે તે એના વિરોધીઓએ કરેલી ટીકા પરથી જાણવા મળે છે. એટલું સમજાય છે કે એ Materialist હતો. એની જે ટીકાઓ થાય છે તે દેખાડે છે કે એ સ્વર્ગ-નર્ક, આત્મા-પરમાત્મામાં નહોતો માનતો. એ માનતો કે શરીર ચાર મહાભૂતનું બનેલું છે અને ધીમે ધીમે એનું વિઘટન થતું જાય છે અને અંતે એ નિષ્ક્રિય થઈ જાય છે, આને આપણે મૃત્યુ કહીએ છીએ.
        આમ, એ Matterને ચેતન કરતાં મુખ્ય માને છે અને ચેતનનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારતો નથી. તમે જે અર્થમાં materialism શબ્દ વાપર્યો છે તે સુખોપભોગવાદ છે, આના માટે યોગ્ય શબ્દ Hedonism છે. એમાં ‘કાલ કોણે દીઠી છે’ જેવી સ્વાર્થપૂર્ણ આછકલાઈ છે, બીજા વિશે વિચારવાની તક નથી. પરંતુ Materialism તો એક ચિંતન છે. એને અનાત્મવાદ,પ્રકૃતિવાદ્દ કે જડવાદ કહી શકાય પણ સુખોપભોગવાદ નહીં. ચાર્વાકનું ચિંતન વિકસ્યું તે લગભગ બુદ્ધની આસપાસનો સમય છે. પરમ્તુ ચાર્વાકના ચિમ્તનમામ કોઈ ક્રિયા નથી. બુદ્ધના ચિમ્તનમાં ચે, મહાવીરના ચિમ્તનમામ ચે અને આત્માવાદી ચિંતનોમાં છે. આમ ક્રિયા ન હોવાથી એની પરંપરા ન બની. એના અનુયાયીઓ શું કરતા હશે તે ખબર નથી. કારણ કે એમને સમ્પ્રદાય ન બનાવ્યો. વળી, બધા અનાત્મવાદીઓ એક જ રીતે વિચારતા કે કેમ તે પણ જાણી શકવાનું સાધન નથી. આજે આપને એની જેટીકાઓ જાણીએ છીએ તે તો કદાચ બધા અનાત્મવાદીઓને લગતી છે. આ બધાને ચાર્વાકના નામ સાથે જોડી દેવાયા છે તે જ દર્શાવે છે કે લોકોમાં એમનો પ્રભાવ કેટલો પ્રબળ હશે, ચાર્વાક ચિંતનના સમૂહનું મૂળ નામ ‘લોકાયત’ છે. એનો અર્થ છેઃ લોકોમાં પ્રચલિત.
        સમય મળ્યે વધુ ચર્ચા કરીશ, આભાર.

        Like

  27. દવે સાહેબ,
    ચાર્વાક-દર્શન કહે છે કે,
    ” Enjoy today and everyday! Borrow money from others & do not worry about paying back! Gather wealth by whatever means (rape, murder or loot) because there is no God and no concept of moral as such! Care about self only & reward self by indulging things you like the most (food, wine, coke, water, man, woman, gambling, etc) because there is only one life to live and it arises from mixture of 4 elements only and not 5 elements! etc…”
    પોતાના જીવનકાળમાં પણ ચાર્વાક કોઈ મોટા ટોળાને ન આકર્ષી શક્યો અને ધર્મને પણ કોઈ મોટી આંચ ન આપી શક્યો! નાસ્તીક્તાનો તેના સંદેશને પણ તે કાળમાં લગભગ સરિયામ નિષ્ફળતા મળી.
    પણ ચાર્વાકના Materialistic અને Self-indulgenceના સંદેશે જયારે પોતાની નાસ્તિકતાનું મોહરું છુપાવ્યું, ત્યારે તેને પશ્ચિમની સંસ્કૃતિ અને ધીરે ધીરે પશ્ચિમી ધર્મોમાં ગુસણપટ્ટી કરવાની તક મળી અને તે તકની સાથે તે ઉપદ્રવની જેમ હવે લગભગ આખી દુનિયા પર અને ખાસ કરીને ગરીબ દેશોમાં, પહેલા રાજકારણમાં અને પછી ધર્મ અને સંસ્કૃતિ પર છવાઈ ગયો!
    ચર્વાકની Materialistic અને self-indulgence ફિલોસોફીમાં ફસાયેલા પશ્ચિમી દેશો જાણે ” There is no tomorrow” ની માફક રાક્ષસી પાયે દુનિયાના resources ને ખુબ સંકુચિત કારણો અર્થે વેડફી રહ્યા છે. તેને કારણે Green-house-gases નું પ્રદુષણ હવે ધર્મનો જ નહિ પણ આપણી પૃથ્વીના વિનાશને આમંત્રી રહ્યો છે! આ Green-house-gases ના રાક્ષસી પુત્ર (Global-warming) ની આડપેદાશ રૂપે આજે આપણે (પુર, ઘોડાપુર, વાવાઝોડા, વંટોડીયા, દુકાળ, ધરતીકંપ, વગેરેની) શિક્ષા (punishment) ભોગવી રહ્યા છીએ!
    આપણે નાના હતા ત્યારે કેહવામાં આવતું કે, “સ્કુલેથી સીધો ઘરે આવજે, બીજે ક્યાંય ફાફા ન મારતો નહિ તો બાવો ઉપાડી જશે!” તો મિત્રો, હવે આ બહુરૂપી બાવો::: ક્યાંક બાબા થઇ, ક્યાંક સ્વામી થઇ, તો ક્યાંક ગુરુ થઇ, તો ક્યાંક બાપુ થઇ આવે છે અને ચાર્વાકના (૧) Materialistic સંદેશ હેઠળ પૈસાની લુટ ચલાવે છે (૨) Self-indulge ના સંદેશ હેઠળ સ્ત્રી, પુરુષ, બાળકો સાથે ક્યાંક તો આડ-વહેવાર ઉભા કરે છે અથવા તો મનમાની કરે છે. (૩) પ્રભુ સાથે કોઈ લેવાદેવા ન હોઈ શકે તેવી ઉપર મુજબની હરકતોથી પોતાની નાસ્તિકતા ઉઘાડી પડે છે!
    તો મિત્રો, આપણે સૌ સાચા ભણેલા-ગણેલા ગ્રુપ તરીકે ભેગા મળી, એકબીજાના સહકારથી, પોતપોતાની કુશળતા મુજબ ઢોંગી બાબાઓ અને ઢોંગી રાજકારણીઓને માત આપીએ, તેમને ઉઘાડા પાડીએ અને આપણી પોતાની જાતને, આપણી ભાવી પેઢીને અને આપણી પૃથ્વીને બચાવવાના પ્રયત્નોમાં લાગીએ તેવી સુભેછા સાથે..

    Like

    1. Dear Ashvinbhai:
      I am very passionate about my views and sometimes I put forth my points aggressively. My apologies if it appeared rude or angry – that was not the intent. There is no રોષ or ચડ્શા-ચડ્શી – just expression of strongly held views.

      A couple of clarifications: I only learned about સ્વામી સચીદાનંદજી from this blog, and indeed he appears to be a major exception. But the original article is about generic ‘babas’ who are conning people, and for each person like સ્વામી સચીદાનંદજી, there may be 10,000 con artists. My comments generally cover the other 9,999, and not the exception.

      Regarding Charvak: I know little about him, you may know lot more. However, my understanding of him was that anything about him that survives is written by his enemies only. History is not kind to the vanquished. I would not be surprised if his views of “party at any cost” were exaggerated by his enemies. And if not, if his views were indeed like those reported, then obviously, those are not worth following, and should be avoided. Having said that, it would not necessarily mean that his opponents – such as Ved Vyas – are right in all their views either.

      Another minor point: Today’s ‘babas’ do not propagate materialism – in fact, they preach non-materialism, while secretly conning and looting people. The last person that preached materialism / self-indulgence was Rajneesh, and he is long dead. My understanding is that the Author’s intent is exactly to warn everyone about these 9,999 babas that preach traditional vedic values but in practice only loot, rape, and even kill. They are not charvakians, they oppose Charvakian values, while secretly doing worse deeds.

      If there was a Charvak who preached self-indulgence today, he will get ample followers (another Rajneesh). Would he be wrong? No more wrong than those who preached Vedic values in past and made women walk through fire to prove their innocence! He may be wrong, but I’d still admire him for being truthful. He would be preaching what he practiced. It is the ‘bag-bhagat’ babas that સંઘવી સાહેબ is warning against, and that is whom I would put as the worst class of society.
      With respect…

      Like

      1. દવેભાઈ,
        ચાર્વાક વિષે પૂરું જાણનારા લોકો કેટલા હશે તે કહેવું તો મુશ્કેલ છે! પણ વેદવ્યાસને ચાર્વાકના ઓપોનન્ટ કહેવા તે અનુચિત છે કારણકે વેદવ્યાસના જમાનામાં ચાર્વાકની હયાતી પણ ન હતી! અને હયાતી હોત તો પણ તે જમાનાને ચાર્વાક જેવા વ્યક્તિત્વ માટે આજના જેટલું મહત્વ પણ ન હતું. તેથી ઇતિહાસે ચાર્વાકની “વેદ-ધર્મ અને વેદ-મુલ્યો પ્રત્યેની ઘૃણા” સિવાય બીજી કોઈ ખાસ નોધ પણ ન લીધી.
        ચાર્વાક-દર્શન તરીકે જાણીતા Concepts (નાસ્તિકતા, Materialism અને Self-indulgence) ને મેં જયારે આજના પાખંડી બાબાઓની કાર્યપધ્ધતિમાં વાપરતા જોયા ત્યારે વેદ-ધર્મ અને વેદ-મુલ્યો પ્રત્યે ઘૃણિત ચાર્વાકે ફરી દેખા દીધી હોય તેમ લાગ્યું!
        કમનસીબે આજના જમાનામાં રાક્ષસી મુલ્યોને જાળવી રાખનારા અને તેનું અનુકરણ કરનારા લોકોની સંખ્યા પણ ક્યાં ઓછી છે! હિટલરને પૂજનારા લોકો, દુનિયામાં હજીપણ ક્યાં ઓછા છે!

        Like

    2. જ્ઞાન-ગંગાનું પાણી અમારી તરફ પણ છુટું મુકવા બદલ દીપકભાઈ ખુબ આભાર.

      Like

  28. મિત્રો,
    ભારતીય શાસ્ત્રોમાં બીજા પણ ગૃહસ્થીઓ માટે પૈસાની અને બીજા Resources ની જરૂરિયાત અને સંગ્રહ પર ભાર મુક્યો છે! પણ શાસ્ત્રોમાં સમજાવેલ અર્થવાદ ચાર્વાકના અર્થવાદ કરતા તદન જુદો છે. શાસ્ત્રોનો અર્થવાદ નૈતિકતા દોરીથી બંધાયેલો છે જયારે ચર્વાકનો અર્થવાદ અનૈતીક્તાના પ્રચાર સમો છે!
    શાસ્ત્રોમાં પૈસાની કમાણી કરી આપનાર વ્યવસાયોને પણ કર્મોના સિદ્ધાંતોની જેમ ત્રણભાગમાં વહેચેલ છે. શિક્ષણીક અને તબીબી રસ્તે મળતા પૈસા જો તે વ્યવસાય સાથે જોડાયેલા મુલ્યોને વળગીને મેળવવામાં આવે તો તે શાતસ કમાણી કહેવાતી! ધંધાકીય અને દલાલીના રસ્તે મળતા પૈસા પણ જો તે વ્યવસાય સાથે સંકળાયેલા મુલ્યોને વળગીને કરવામાં આવે તો તે રાજસ કમાણી કહેવાતી! નોકરીમાં પણ પોતાની ફરજોને વળગી નૈતિક્તાથી કમાયેલ પૈસા પણ શાતસ કહેવાય. કોઈને મારીને, કોઈને છેતરીને કે ઉલ્લુ બનાવીને, કોઈને ધાકધમકી આપીને કે નિર્બળ-અબળાઓ પર અત્યાચાર વર્ષાવી કમાયેલ પૈસા કે કમાણી તામસ કહેવાતા! આમ જીવનના દરેક કર્યો અને દરેક બનાવો કે ઘટનાઓને આવી રીતે શાતસ, રાજસ અને તામસના માપદંડથી તોલવાનો આગ્રહ રાખતો! ગૃહસ્થીઓને શાતસ અને રાજસના મિશ્રિત નૈતીકતાથી જીવવાનું શીખવતું . અને તેથી રાજસના ધંધાકીય રસ્તે મૂડી કમાતા શેઠિયાઓ ભલે મખ્ખી ચુસ રીતે વર્તતા હોય, પણ અનાથ આશ્રમ, વિધવા આશ્રમ, સ્કુલ-શાળાઓ, સાધુને સાધના કરવામાં વધુ સમય મળે માટે પર્વતની તળેટીઓમાં રસોઈખાના બાંધવા જેવા શાતસ કર્મો પણ કરી જીવનમાં શાતસ-રાજસનું મિશ્રણ જાળવી રાખતા! મુકેશ કે અનીલ અંબાણી આજે ભલેને દુનિયાના બીલીયોનર્સમાં મોખરે હોય પણ ઉપરના શાતસ કર્યો કરવામાં કડી તેમનું નામ સાંભળ્યું? હા, 2G કૈભાંડમાં જરૂર સાભળ્યું છે!
    ખેર, ટુકમાં ચાર્વાકનો Materialism બીજાના પૈસા પાછા આપવાની ના પડે છે અને ગમે-તે રસ્તે મૂડી ઉભી કરવાનું પ્રોત્શાહન આપી તામસ રસ્તે અનૈતિકતાથી પૈસાની લૂટ કરતા રાજકારણીયો , અમલદારો, બાબાઓ અને અનૈતિકતાથી ભ્રષ્ટ જનસમુદાય ઉભો કરવાનું પ્રોત્શાહન આપે છે! Self-indulgence ના સંદેશથી જનસમુદાયને વ્યભિચારના નરકમાં ધકેલે છે. ધર્મે સિંચેલા સંસ્કાર, સંયમીતતા, સદાય, સદાચાર અને સદભાવનાને ખંડિત કરી બદીઓથી ભરપુર જંગલરાજ ઉભું કરે છે! તો પસંદગી રહી અપની-અપની…….

    Like

  29. બધાજ ધર્મોમાં થોડા ઘણા અંશે આપણાં બાબાઓ જેવા પાખંડી ધૂતરાઓ જોવા મળે છે પણ આપણને સદીઓથી કોઈ હરાવી શક્યું નથી! આ બાબતમાં આપણે અવ્વલ છે.

    અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
    ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
    આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. – રમેશ પારેખ

    Like

  30. Dear Dipakbhai and A. Dave,
    I was going to write about charvak the same thing what both of you have already said. There is no point in adding few more lines to that.
    History is always written by the winner. Whatever Charvak preached then did not prevail so he comes out as a vilian regardless of the merit of his work.
    There were more than 30 different ideologies going on and discussed vigorously during the time of Buddha and Mahavir. Charkvak’s was one of them at one extreme and Mahavir’s at the other extreme. All were not necessarily contemporary. The debate went on for few centuries. Intellectually, that was the golden era for India.
    Dipakbhai, I referred you to one of the interesting article on this subject in Gujarat Samachar thru my email few weeks ago. Looks like it got off your mind because of your other engagements.

    Like

    1. શ્રી મૂરજીભાઈ, ખરેખર જ ગુજરાત સમાચારનો લેખ વાંચવાનું રહી ગયું છે. તમારો લેખ તો મેં મળતાં જ વાંચી લીધો પણ જવાબ આપવાનું બન્યું નહીં.
      તમે અને શ્રી દવેસાહેબ એક વાતે સંમત છો કે વિજેતાના વિચારો સ્થાપિત થાય. ઇતિહાસ પણ વિજેતાની નજરે લખાય.
      મને આ કારણ નથી લાગતું ચાર્વાકને હું પરાજિત નથી માનતો.મેં પહેલાં પણ લખ્યું છે કે લોકાયત એટલે લોકોમાં પ્રચલિત. કોઈ જાતના ખાસ પ્રયત્ન વિના આપમેળે જે વિચાર લોકોએ સ્વીકાર્યો હોય તેને ગ્રંથોની, પ્રચારકોની જરૂર ન પડે. તમારી વાત સાચી છે કે બૌદ્ધિક વિકાસની દૃષ્ટિએ ભારતનો એ સુવર્ણકાળ હતો. ચાર્વાકવાદીઓએ સંપ્રદાય ન બનાવ્યો, કોઈ પદ્ધતિ પ્રચારમાં ન મૂકી એટલે કાળગ્રસ્ત થઈ ગયા.બુદ્ધે નિર્વાણની રીત દેખાડી, સંઘની સ્થાપના કરી, પરંપરા બની અને ગ્રંથો લખાયા. આ ગ્રંથોની હાજરી હોવા છતાં ભારતની ભૂમિમાં બૌદ્ધ ધર્મ અદૃશ્ય થઈ ગયો. ચાર્વાકવાદીઓ Free thinkers હોવા જોઇએ. બધા આડંબરોનો સોક્રેટિસની સ્ટાઇલમાં અનાદર કરતા હશે, એના વિશે જાહેરમાં ચર્ચા કરતા હશે, પણ ગ્રંથ લખવા ન બેઠા. આમ છતાં એમને ‘લોકાયત’ નામ પણ એમના વિરોધીઓએ જ આપ્યું છે! આમ એ પ્રવાહનો પ્રભાવ છેક નવમી સદી સુધી એટલે કે શંકરાચાર્યના કાળ સુધી રહ્યો. આ નાની વાત નથી. કશા જ આધારરૂપ ગ્રંથો વિના પણ એ ચિંતન ધારા લોકોમાં જીવતી રહી છે!
      શાસ્ત્રાર્થથી જેમને પરાજિત કર્યા એમને તો પાછળથી ‘કો-ઑપ્ટ’ કરી લીધા, પણ અહીં તો હરાવે તો કોને? સામાન્ય માણસ પણ મોટા મોટા દાવાઓને હસી કાઢતો હશે. એ સ્થિતિમાં ટીકા કરવા સિવાય બીજું શું રહે? તે પછી તરત મુસલમાનોનાં આક્રમણો થયાં અને આપણી સંપૂર્ણ શરણાગતીની માનસિકતામાં ભક્તિકાળનો વિકાસ થયો.આક્રમણ અને નવી સત્તા સામે કોઈ આધારની જરૂર પડે તેમ હતી.ચાર્વાક તો આવો આધાર પૂરો પાડવાની ના પાડે છે. એટલે ચાર્વાક અદૃશ્ય થવાનાં કારણો સામાજિક-રાજકીય (socio-political) છે.ભક્તિકાળમાં પણ સામાન્ય લોકો સંસ્કૃત સિવાયની ભાષાઓમાં આગળ આવ્યા. એ પણ પોઝિટિવ ઘટના છે, એ ન ભૂલીએ. એ પણ ચાર્વાકથી જુદા પ્રકારનો વિદ્રોહ હતો
      આજે આપણે જુદા જુદા કેટલાયે વિચારોને એક માનીએ છીએ. ભગવાનથી માંડીને કર્મના સિદ્ધાંત જેવા અનીશ્વરવાદી યાંત્રિક વિચારને પણ અદ્વૈત સિદ્ધાંતની બરાબર માનીએ છીએ. આ ‘કો-ઑપ્શન’ છે. ચાર્વાક્વાદીઓને કો-ઑપ્ટ કરી ન શકાયા. આને હું ચાર્વાકનો વિજય માનું છું. આજે પણ આપણે ચાર્વાક અલગ છે એમ ચર્ચા કરીએ છીએ. એના સમર્થક અને વિરોધી એક વાતમાં સંમત થાય છે કે ચાર્વાક અલગ છે.
      ઘણાબધા વિચારો એક સાથે મૂકી દીધા છે તો માફ કરશો. બધાં પાસાં અલગ અલગ વિચારવા જેવાં છે..

      Like

      1. Dear Ashvinbhai:
        Small clarification about “કારણકે વેદવ્યાસના જમાનામાં ચાર્વાકની હયાતી પણ ન હતી! અને હયાતી હોત તો પણ તે જમાનાને ચાર્વાક જેવા વ્યક્તિત્વ માટે આજના જેટલું મહત્વ પણ ન હતું. “- My understanding was that there was indeed a person called Charvak in Hastinapur, and he was burnt alive after the victory of “dharma” by Pandavs. He was maligned as a supporter of Duryodhan simply because he was against the vedic definition of dharma.

        In fact, I had read somewhere that there was a Charvak even before then – right around the time when vedas were being created. My understanding was that throughout history, anyone who followed original Charvak’s views was also called Charvak – that is fairly consistent with how many people were named in India in those times. They were typically called a name based on their unique characteristics rather than a name as we understand it today.

        The only one we know more about is the most recent one, during the times of Buddh, the one Shankaracharya railed against. BUt that is not to say there weren’t others before him.

        Dear Dipakbhai:
        I agree 100% about your points about Charvakians being Free-Thinkers and also with your definition of Materialism. There were probably many followers of his views, but being burnt alive throughout history would have kept them from admitting it publicly. So in that sense, I would call Charvak ‘vanquished’. Whether we like it or not, preserved and popular history is the one left by the followers of vedas, and the actual sayings or viewpoints of those burnt alive may have been lost. After burning a person alive, it is very easy to distort their materialistic (i.e., ‘no soul’, vedas are just someone’s opinion – not eternal truths, etc.) views into hedonistic or even worse views (loot and rape and enjoy today at the expense of others). That would simply be propanganda. Unfortunately, those burnt alive were not allowed to leave their sayings in a codified manner similar to those doing the burning. That is the only sense in which i mean victory/loss.

        Your other point is also very true. It is very difficult to codify Free Thinking and have every free-thinker follow that code and preach it. It goes exactly against the very definition of free thinking. In fact, one of the modern western thinkers has compared it to “herding cats”. 🙂

        Dear Murjibhai:
        I’m honored that you are looking into my comments and agreeing with many of the points. Many thanks!

        Like

  31. વાંચક મિત્રો..
    ઘણું બધું વિષયાંતર થઇ રહ્યું છે.. જયારે લેનાર બાબાઓ અને આપનાર દાનીઓ પોતાના કાર્ય બદલ રાજી છે..
    તો.. મુ. નગીનદાસ સંઘવી થી લઈને મુરજી ભાઈ ગડા સુધીના ..
    કોને ચેતવી રહ્યા છે..??
    કે ઈર્ષા કરી રહ્યા છે??
    ભાઈ અશ્વિન, દીપક અને દવે..એ આટલી બધી ચાર્વાક સંબંધી માહિતી આપી બદલ આભાર.. શું આ માત્ર અભિપ્રયો જ છે.. કે જીવન લક્ષ છે??
    આચરણ વગરના અભિપ્રાયો..શ્રી ગડા ની ભાષા માં કીડીશ કહેવાય..
    ચાર્વાક બાબતે હું કશુજ નથી જાણતો.. તે બાબત નો મને ગર્વ અને આનંદ છે..!!
    કારણ શ્રાદ્ધળુ.. હોવાનો કદાચ મને ભ્રમ છે.. અંધ-શ્રાદ્ધળુ કે કેમ તે મરણ અંતે નક્કી થશે..
    ચાર્વાક જાણ્યા પછી શું આપ ચાર્વાક જીવવા પ્રેરાઈ રહ્યા છો??
    જોકે ઇતિહાસે..બુદ્ધ, મહાવીર કે ભગત સિંહ જેવા ના જીવન ની નોંધ લીધીછે જે ચાર્વાક નહોતા..તેવી માહિતી છે..
    લખતા રહેવાને આહ્વાહન બદલ અશ્વિન ભાઇ નો આભાર
    શૈલેષ મહેતા

    Like

    1. આદરણીય શૈલેષભાઈ,
      આ વિષયામ્તર નથી. શ્રી અશ્વિનભાઇએ બાબાઓના વર્તનને ચાર્વાકીય વર્તન ગણાવ્યું એટલે મેં અને બીજા મિત્રોએ બાબાઓનું વર્તન ચાર્વાકીય નથી એ દેખાડવાનો પ્રયત્ન કર્યો. આમાં ચાર્વાકવાદ વિશે જે કઈં માહિતી છે તે જ અહીં રજૂ કરી છે.
      ચાર્વાક ‘જડ’ને પ્રાથમિકતા આપે છે. તમે ચેતનને પ્રાથમિકતા આપો છો. પરંતુ, હું માનું છુંકે જડનું અસ્તિત્વ કદી પણ ચર્ચાનો વિષય નથી રહ્યું કારણ કે એ હંમેશાં રહ્યું છે. માત્ર જડમાંથી ચેતન વિકસ્યું કે ચેતનમાંથી જડ – એ ચર્ચાનો વિષય રહ્યો છે અને તે પણ આજથી નહીં, અઢી હજાર વર્ષથી આ મુદ્દો ભારતમાં ચર્ચાય છે. એ જ કારણે અમર્ત્ય સેન Argumentative Indian જેવા શબ્દો વાપરી શક્યા છે.
      મૅટીરિયલિસ્ટો કઈં લંપટ નથી હોતા. મારી વિરુદ્ધ આજ સુધી એક પણ બળાત્કાર, લૂંટ કે ખૂનનો કેસ નથી નોંધાયો! ( ચાર્વાક વિશે તમારી ધારણા છે તે જોતાં તમે અભિપ્રાય અને આચરણમાં ભેદ હોવાનો આક્ષેપ કરી શકો કે પોતાને ચાર્વાકવાળો કહેવડાવે છે પણ આચરણ જૂઓ – આજ સુધી એક પણ રેપ કર્યો નથી!)
      તમે ભગત સિંહનો ઉલ્લેખ કર્યો છે તો એ શ્રદ્ધાળુઓ કરતાં ચાર્વાકની વધારે નજીક હતા. એમણે પુસ્તક લખ્યું છે -Why I am an Atheist. એ matterને પ્રાથમિકતા આપતા માર્ક્સવાદી ચિંતનમાં માનતા હતા અને નિરીશ્વરવાદી હતા. matterને પ્રાથમિકતા આપતાં ચિંતનો ભારતમાં તો ઘણાં હતાં. ઉત્તરમિમાંસાનું પ્રભુત્વ તો પાછલથી વધ્યું અને એમાં આદિ શંકરાચાર્યનો મોતો ફાળો રહ્યો. બારમી-તેરમી સદી આવતાં તો ભક્તિમાર્ગે વેદાંતી દર્શનને ઊંચે સ્થાને બેસાડી દીધું અને માત્ર lip service આપી. પણ આખી દિશા બદલી ગઈ. આજે એનો પ્રભાવ સૌથી વધારે છે એટલે આપણે હવે Argumentative Indian નથી રહ્યા. “કરિષ્યે વચનં તવ” (તું જેમ કહેશે તેમ કરીશ)વાળા બની ગયા છીએ.
      અહીં આપણે માત્ર ચર્ચા કરીએ છીએ, કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હું પ્રયાસ નથી કરતો. મારા વિચારમાં (કે બીજા પ્રતિભાવકોના વિચારોમાં) બળ જણાય અને એનો કોઈ સ્વીકાર કરે તો બસ. ન કરે તો પણ એમના પ્રત્યેનો આદરભાવ ઓછો નહીં થાય.આભાર.

      Like

  32. દવેસાહેબ, તમારા તર્કમાં પણ બળ છે. આપણે એક જ વાત જુદા જુદા શબ્દોમાં કરીએ છીએ. તમને મારો પ્રતિભાવ ગમ્યો તેનો સ્વાભાવિક રીતે જ આનંદ છે.

    Like

  33. મિત્રો,
    અનિષ્ટનો ફણગો ફૂટે કે તણખો ઝરે ત્યારે Materialism, Hedonism, Self-indulgence, બદી, દુષણ કે ઉપદ્રવ જેવા શબ્દોની રમતોમાં ન પડાય! નહિ તો એ ફણગો Weed બની સમાજમાં બધે ફેલાય જાય! તણખો બની બધું ભરખી જાય! શબ્દો જુદા હશે પણ તેમાં રહેલ નુકશાનકારક શક્તિને નાકારાનારા રેશનાલીસ્ટ પણ ન કહેવાય કારણકે શબ્દોની રમતથી તો હિટલર નો પણ બચાવ થઇ શકે, ઔરંગઝેબનો પણ થઇ શકે અને રાવક કે ચર્વાકનો પણ બચાવ થઇ શકે! “મૂડી નાંખ્ય વિના મૂડી મળતી નથી” જેવી ચર્વાકતા ઉચા પ્રમાણપત્રને લાયક છે કારણકે એને રહી વેદવ્યાસ તરફ ઘૃણા! તો દુશ્મન નો દુશ્મન આમ તો સારો લાગેને પછી ભલેને તે સમાજ માટે ઉપદ્રવ રહ્યો હોય! જે બાબો અને બગ-ભગતો સામે આ બ્લોગમાં ચર્ચા ચાલતી હોય છે તે બહુમુખિયાઓને પણ આનંદ જ થઇ રહ્યો હશે કે મારા ગુરુ ચર્વાકની તો આ લોકો પ્રશંશા કરી રહ્ય છે…….

    Like

  34. Dear Ashvinbhai:
    I think we should close the chapter on Charvak. You clearly have read and thought much about him and perhaps know a lot more about him than I do. Whether his views were as extreme as you believe or not, is irrelevant today. Certainly, no one’s purpose is to conduct “શબ્દોની રમતો”.

    What is relevant today, and what Sanghvi saheb is pointing out, is that the Babas (at least 99% of them) are con artists and we need an awakening of the people against that, otherwise, it will continue to deteriorate. As long as there is blind faith in religious leaders, Babas of all religions will simply keep exploiting everyone. That awareness, that questioning attitude, needs to be built. It matters nothing what philosophy those babas are actually following – charvakian or vedic or their own. What matters is that they are criminals who exploit people under the guise of religion. That દુષણ must be rooted out from the society. That is what matters, not which philosophy those criminals are following. They are abusing people. That must be stopped. Period.

    I hope this helps clarify.
    With respect,
    A. Dave (દવે)

    Like

  35. દવેસાહેબ,
    આ બ્લોગ પર આવ્યો (૩-૪ મહિના પહેલા) ત્યારથી આજ સુધી, પ્રશ્નોના ઉકેલ સંબંધે ચર્ચાની આવસ્યાકતા પર ભાર મુકાતો આવ્યો છું. વિષયને અનુલક્સી ઉકેલની ચર્ચા કરવાના પ્રયત્નો પણ ઘણા કર્યાં છે! આમ પણ પ્રશ્નોની ચર્ચા કરતા ઉકેલની ચર્ચા દરમિયાન ભાઈચારો વધુ કેળવાતો હોય છે તો એ ફાયદાને ધ્યાનમાં રાખી, સાથે મળી આપણે, ઉકેલની ચર્ચાને જરૂરી ન્યાય અને પ્રોત્સાહન આપી શકીએ!

    Like

Leave a comment