અધ્યાત્મમાં બુદ્ધીનો ઉપયોગ કરાય ?

–સુબોધ શાહ

     ઘણા બધા લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મનાં ક્ષેત્રો જુદાં છે. ‘દુન્યવી વીજ્ઞાનમાં બુદ્ધી વપરાય; પણ અધ્યાત્મમાં શ્રદ્ધા જોઈએ – એમાં બુદ્ધી ના વપરાય.’ જીવનમાં ક્યાં અને ક્યારે શ્રદ્ધાનો ઉપયોગ કરવો અને કયાં ક્ષેત્રોમાં બુદ્ધી વાપરવી, એ પેચીદો છતાં બહુ મહત્ત્વનો પ્રશ્ન છે.

         અધ્યાત્મના વીષયમાં બુદ્ધીની જરુર ખરી કે નહીં ?

         મનુષ્યની બુદ્ધી અત્યંત મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો આપણને બધાને ખબર છે. બીજી બાજુ, સમ્પુર્ણ તો આ દુનીયામાં કશું જ નથી. જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય અને અપુર્ણ હોય તે બધું બાજુ પર મુકી દેવાય, એવું શા માટે ? બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાઓનો આશરો શોધવો ? રોકેટ શક્ય ન જ હોય, તો હાથવગી કાર વાપરવી કે ઘોડો શોધવા નીકળવું? અથવા તો, પોતાને સંત-મહંત માનતા-મનાવતા હોય, તેવાઓમાં શ્રદ્ધા રાખી તેઓ જે કહે તે બધું માની લેવું ?

          આજ સુધીમાં ઈશ્વરનો, આત્માનો કે દેવદુતોનો સાક્ષાત્કાર પોતાને થયો છે, એવા દાવા પ્રામાણીકપણે સેંકડો વ્યક્તીઓએ કે તેમના ભક્તોએ કર્યા છે. એક વીદ્વાન હીન્દુ સ્વામીજીએ થોડા સમય પહેલાં જ મને મોટું આશ્ચર્ય આપ્યું: એમણે કહ્યું કે તેમણે પોતે ઈશુ ખ્રીસ્તને જોયા. ફલાણા સંતને ‘આત્મ સાક્ષાત્કાર થયેલ છે.’ દાદા ભગવાનને ‘જ્ઞાન થઈ ગયું’. ‘સ્વામી રામકૃષ્ણ પરમહંસે બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું.’ આવું આવું આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ. દરેક સંતની ભાષા ને શૈલી જુદી હોય છે; દરેકની કલ્પના જુદી, દરેકનું વર્ણન ને તારણ જુદું. તેથી બધાયને માની લેવાનું તો શક્ય જ નથી. મારા મનમાં એ બધાય માટે આદર હોય તો પણ; કોની વાત મારે સાચી માનવી ? સામાન્ય બુદ્ધી વાપર્યા વીના એ બાબત કેમ નક્કી કરાય ? રામ કે રહીમ ? મહમદ કે મહાવીર ? જેવી છે તેવી પણ બુદ્ધીને વાપર્યા વીના માણસ જાતને છુટકો જ નથી.

         અધ્યાત્મના જ્ઞાનીઓ અને પ્રચારકોએ પણ બુદ્ધી કે તર્ક (Logic)નો ભરપુર ઉપયોગ કર્યો છે. ભગવાન શંકરાચાર્ય (ઈ.સ. 788-820) મહાન તર્કશાસ્ત્રી વીદ્વાન હતા. ખ્રીસ્તી ધર્મના સંત થોમસ અકીનાસ (ઈ.સ. 1225-1274)ની તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં બહુ મોટી નામના છે. રજનીશ અને કૃષ્ણમુર્તીને આપણે સાંભળ્યા છે. એમના સીવાયના પણ બીજા અનેક સંતો બુદ્ધીનો ઉપયોગ કરીને રજુઆત કરે છે. તો પછી બુદ્ધી પર બંધન શા માટે ? સામાન્ય સમજનો અવીશ્વાસ શા માટે ? પ્રજ્ઞા પર પ્રતીબંધ શાથી ?

         બુદ્ધી જેમ અપુર્ણ છે, તેમ શ્રદ્ધા આંધળી હોઈ શકે; અનુભવ એકપક્ષી અને તુક્કાઓ બનાવટી હોઈ શકે. માનો કે આપણે કોન્ક્રીટની જાડી તોતીંગ દીવાલ સામે ઉભા છીએ. એની આરપાર પેલી બાજુ શું છે એ જોવાનો કે જાણવાનો કોઈ માર્ગ જ નથી. તો પછી એના વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. એ દીવાલની પેલે પાર માણસ હોય, મર્કટ હોય, મચ્છર હોય, કે કશુંય ના હોય, એવુંય બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ. અજ્ઞાનને જ્ઞાન માની લેવા કરતાં, અજ્ઞાનને અજ્ઞાન તરીકે જ સ્વીકારવું શું ખોટું ?

         કુતુહલ કે જીજ્ઞાસા જરુર, પણ પ્રજ્ઞા એ જ પુરાવો હોય; સામાન્ય સમજ એ જ વીવેક હોય. બુદ્ધી નામની સન્નારીને બે સુપુત્રીઓ છે: જીજ્ઞાસા અને પ્રશ્નશીલતા. શ્રદ્ધા એ કોઈ વાર ગતાનુગતીકતા હોય, કોઈવાર વીચાર કરવાની અનીચ્છા કે અશક્તી હોય; પણ મોટા ભાગે તો એ ચીલાચાલુ રુઢી કે શૈશવના સંસ્કાર માત્ર જ હોય છે.

          અધ્યાત્મની બાબતમાં વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન હોઈ શકે એ વાત સાવ સાચી છે. પણ સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ તો હોવાં જોઈએ કે નહીં ? એમાં વીરોધાભાસ કે તર્કની વીસંગતતા (Inconsistency) ચલાવી લેવાય ખરી ? ગૌતમ ૠષીનું ન્યાયશાસ્ત્ર અને કણાદ ૠષીનું વૈશેષીક શાસ્ત્ર, એ બન્ને સહીતનાં આપણાં મહાન છ દર્શનશાસ્ત્રો અત્યંત પ્રાચીન હોવા છતાં; બુદ્ધીની કોઈ વીસંગતતા ચલાવી લેવા તૈયાર ન હતાં. વીજ્ઞાનમાં જેમ ગણીતશાસ્ત્ર છે, તેમ ફીલસુફીમાં તર્કશાસ્ત્ર (Logic) હોય છે. એના ઉપર જ તે દર્શનશાસ્ત્રો આધારીત હતાં. (તર્કશાસ્ત્ર એટલે કલ્પના નહીં, પણ બુદ્ધીયુક્ત દલીલનું શાસ્ત્ર).

          ‘બુદ્ધીથી પર, એનાથી પેલે પાર, એવું કંઈક છે’ એમ કહેવાય છે, તે માન્યતા છે. એ સાચી પણ હોય, ખોટી પણ હોય; તોય એ પુર્વધારણા (Assumption) જ છે, સાબીતી નથી કે તર્કશુદ્ધ હકીકત પણ નથી. અધ્યાત્મનો વીષય બુદ્ધીથી પર હોય તો પણ આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે, બીજું કંઈ નથી. તો પછી એને વાપરવી કેમ નહીં ?

        ઉત્ક્રાંતીના ક્રમમાં મનુષ્ય તદ્દન નવો છે. એનું મગજ લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. બુદ્ધીનું કેન્દ્રસ્થાન એવો આપણા મગજનો Cerebral Cortex કે Neo-cortex નામનો અગ્રભાગ એથીય વધુ નવો છે. તે વીકાસ પામી શકે છે અને હજી પણ વીકસી રહ્યો છે. પહેલાં નહોતી સમજાતી એવી અનેક ચીજો આજના વીજ્ઞાને બુદ્ધીનો ઉપયોગ કરીને શોધી કાઢી છે. તેમ છતાં, જીવનના કેટલાક પ્રશ્નોને સમજી શકવા આપણે તદ્દન અસમર્થ છીએ એ પણ સર્વમાન્ય હકીકત છે. પામર માનવ પ્રાણીનાં ટચુકડાં મગજની એ અનીવાર્ય અશક્તીનો નમ્રતાપુર્વક સ્વીકાર કરીને, તુક્કાઓ દોડાવ્યા વીના, એ પ્રશ્નોને આપણે જરુરથી બાજુએ રાખી શકીએ. સમય વીતશે, વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર પ્રગતી કરશે, તેમ તેમ જ્ઞાનના રણદ્વીપો વીસ્તરતા જશે ને અજ્ઞાનનાં રણને આંબશે. આજ સુધી આમ જ થતું આવ્યું છે. દુનીયાની બધી પ્રજાઓ સુર્યને દેવ માનતી. આજે એ સુર્યદેવનું ઉષ્ણતામાન, અંતર ને કદ, બધુંય માણસે માપી લીધું છે. વરુણદેવ પર વહાણો ચાલે છે. અને વાયુદેવ પવનચક્કીઓ ચલાવે છે. Quantum Theory નો પ્રખર વૈજ્ઞાનીક રીચાર્ડ ફેઈન્મેન લખે છે: ‘ખોટા જવાબોમાં રાચવા કરતાં અજ્ઞાનમાં રહેવું વધારે સારું.’  હું જાણતો ના હોઉં, ને છતાં ‘જાણતો નથી’ એમ કહેતાં શરમાઉં, તો એ મારી અપરીપક્વતાનું લક્ષણ છે.

           ઉપર વર્ણવી તેવી એક અભેદ્ય દીવાલ તે મૃત્યુ છે. એની પાછળ શું છે તે (અનેકના દાવાઓ છતાં) કોઈને ખબર નથી. જન્મ, જરા અને મૃત્યુને જાણવા, એમનો ઉપાય શોધવા, ઉપનીષદ્‌ યુગમાં નચીકેતા મથ્યો; ગૌતમ બુદ્ધે પણ સર્વસ્વ છોડ્યું. ભગવાન બુદ્ધને સુદ્ધાં એ જ્ઞાન મળી શક્યું નથી. તો પછી મારા કે તમારા જેવાનું શું ગજું ? દાવો તો બધાય કરે છે; પણ ખરેખર કોઈને જાણવા મળ્યું ? ઉપાય મળ્યો ? ના. રડતી કીસા ગોતમીને ભગવાન બુદ્ધે સમજાવ્યું તેમ, કોઈ ઉપાય નથી. કોઈ રસ્તો નથી. મૃત્યુ અભેદ્ય છે, અનીવાર્ય છે; એને સ્વીકારો. જીવનને સ્વીકારો. વૃદ્ધત્વ અને મૃત્યુને સ્વીકારી લઈ બની શકે તેટલી સારી રીતે જીન્દગી જીવો. બધી શોધના અંતમાં શોધની નીરર્થકતા સમજાય. બધા જ્ઞાનના અંતમાં જણાય કે તમે કેટલું ઓછું જાણો છો; કેટલું ઓછું જાણી શકો છો; સારું જીવવા ખાતર તો કેટલું ઓછું જાણવાની જરુર હોય છે!

        વીજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, બન્નેની ગમે તેટલી પ્રગતી થાય, કેટલાક પ્રશ્નો હંમેશાં ઉભા જ રહેવાના. માત્ર એ કારણે જ નહીં કે આ બન્ને અધુરાં છે; એ પ્રશ્નોનું સ્વરુપ અને પુછવાની રીતના કારણે સુધ્ધાં પ્રશ્નો તો રહેવાના જ. જીવન શું, ચેતન શું, આત્મા શું, એવું એવું આપણે જ્યારે પુછીએ છીએ, ત્યારે ભુલી જઈએ છીએ કે આપણે ઘણીબધી ધારણાઓ (Axioms) સ્વીકારી લઈને બોલીએ છીએ:

૧. કે જીવન અને મૃત્યુ વચ્ચેની લાઈન સ્પષ્ટ ને સુરેખ હોય છે; (એ નથી)

૨. કે મગજ, મન અને આત્મા, ત્રણેય એકમેકથી તદ્દન જુદાં ને સ્વતંત્ર છે; (એમ પણ નથી)

૩. કે મુશ્કેલ પ્રશ્નોના સરળ ઉત્ત્તરો હોય છે ને એ હાથવગા છે. (એમ પણ નથી.)

         ઉપરની ત્રણેય ધારણાઓ બાંધવા માટે કોઈ જ આધાર નથી.

         એ જ રીતે, જ્યારે આપણે પુછીએ છીએ કે જીવનનો અર્થ શો કે પ્રયોજન શું, ત્યારે આપણે અકારણ માની લીધેલું (Assumed) હોય છે કે દરેક ચીજનો અર્થ હોવો જ જોઈએ. વળી એ પણ આપણે ભુલી જઈએ છીએ કે દરેક બાબતનો અર્થ તો એ જ હોય છે કે જે ખુદ આપણે જ એને અર્પેલો હોય છે. જીવનનો અર્થ પુછવો એટલે પ્રશ્નના સ્વરુપમાં એનો ઉત્તર સ્વયં ગૃહીત ધરવો.

        સારમાં સાર એક જ છે : ઉટપટાંગ વાતોને છોડો. શ્રદ્ધાને બાજુએ રાખો; બુદ્ધીને અપનાવો. શ્રદ્ધાને કીનારો નથી, બુદ્ધી વીના આરો નથી.

–સુબોધ શાહ

 લેખક શ્રી. સુબોધ શાહનું એક અંગ્રેજી પુસ્તક ‘Culture Can Kill – How Beliefs Blocked India’s Advancement’ એ શીર્ષકથી અમેરીકાથી પ્રકાશીત થયું છે. એના કેટલાક અંશોનો, મુળ લેખક શ્રી. સુબોધ શાહ દ્વારા જ થયેલો આ ભાવાનુવાદ, અહીં લેખકની અનુમતીથી રજુ કર્યો છે. તે પુસ્તક મેળવવા માટે લેખકનો સંપર્ક કરવા વીનંતી.

–ગોવીન્દ મારુ

લેખક સમ્પર્ક :

Subodh Shah, 7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Ph : 001-636-240-5230   eMail : ssubodh@yahoo.com

અક્ષરાંકન : Govind Maru, 405, Evaz Apparel (Krishna) Apartments, B Wing, Opp. Balaji Garden, Bonkode village, KOPARKHAIRNE, Navi Mumbai – 400 709 સેલફોન : 8097 550 222 ઈ.મેલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 26/04/2013

47 Comments

  1. બુદ્ધિનો યથાર્થ ઉપયોગ કર્યા વગર સાચા અધ્યાત્મમાં પ્રવેશ શક્ય નથી. બુદ્ધુ લોકો અધ્યાત્મને નામે ટીલા ટપકાં, માન્યતાઓ, રીત રીવાજો અને જાત જાતનું અગડં બગડં ચલાવતા હોય છે.

    બુદ્ધિ પ્રાણીમાત્રને મળેલ શ્રેષ્ઠ સાધન છે તેનો ઉપયોગ કર્યા વગર ભૌતિક કે પારમાર્થિક એકે જગતમાં પ્રગતિ ન થઈ શકે.

    અધ્યાત્મ એટલે શુ?

    ભગવદ ગીતા કહે છે કે આપણે અથવા તો જીવ એટલે અધ્યાત્મ. તેમાં બુદ્ધિની બાદબાકી કરી નાખો તો અધ્યાત્મના મુખ્ય અંગનો જ છેદ ઉડી જાય.

    પાંચ કર્મેન્દ્રીયો + પાંચ જ્ઞાનેન્દ્રીયો + મન + બુદ્ધિ + ચિત્ત + અહંકાર આ ૧૪ ના સરવાળાને અદ્યાત્મ કહે છે. હવે બુદ્ધિની બાદબાકી કરો તો અધ્યાત્મના પંથે કેવી રીતે આગળ વધી શકાય?

    અધ્યાત્મ એટલે સ્વની જાણકારી…

    Like

    1. Atulbhai,
      I am very happy to know that a good scholar of the Gita and a deep believer like you happens to agree with me that Intellect or Buddhi must not be kept aside while talking about religion or spirituality.
      Please keep writing. Thanks a lot. –Subodh Shah

      Like

      1. અતુલ જાની, સમગ્ર જીવ શ્રુષ્ટિ માં ઈશ્વર એ બુદ્ધિ ફક્ત માણસ ને જ આપી છે.તેથી જ માણસ એ ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છે એમ કહેવાય છે. ” જીવ એટલે અધ્યાત્મ. ” આ વસ્તુ મને ઠીક લગતી નથી કારણ કે જીવ માં સમગ્ર જીવ શ્રુષ્ટિ આવી જાય. જયારે અધ્યાત્મ ની સમજણ અને તેમાં વિકાસ ફક્ત માણસ જ સાધી શકે છે.કારણ કે માણસ ને ઈચ્છા અને અહંકાર નામ નાં બહુજ મહત્વ નાં સાધનો પણ મળેલ છે.

        Like

  2. Those who isolate intellect from spirituality or faith are rejecting the basic notion of integration of human experience. Atul Jani says it succinctly (above) and accurately.

    Like

  3. બુદ્ધિ અને શ્રદ્ધા એ આપણી બે આંખો સમાન જ છે , જેમ બંને આંખો થકી દ્રશ્ય ત્રિ – પરિમાણીય દેખાય છે તેમ ભૂત – ભવિષ્ય – ભવિષ્ય રૂપી પરિમાણોથી સજ્જ જીવનને પણ શ્રધ્ધા અને બુદ્ધિરૂપી બે આંખોની જરૂર છે 🙂

    Like

  4. મારી હળવી નજરે….બુદ્ધિનો ઉપયોગ કરાય? જો તમારી પાસે હોય તો જરૂર કરાય. માંગી ભીખીને કે ઉધાર લીધેલી, ચોરેલી કે કોઈએ પરાણે પધરાવેલી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો માર ખાવાનો વખત આવે.

    Like

  5. Faith and Intellect are two different entities. Faith has NO Logical Support. It is better to accept Ignorance than Faith. Faith is the Religious Term, Intellect is Physiological Term. It is Scientifically proved. Faith is a BELIEF, which has NO Support whatsoever. Let us proceed with our Common Sense/Intellect. In the name of FAITH, GURUS have supplied Anything and Everything, including TRASH. Do Not Accept Shastras that have NO Logic. They could be Opinions.

    Science does NOT Accept Opinions. It asks for PROOF, Scientific. This is the DIFFERENCE between RELIGION and SCIENCE. Faith and Belief are BOGUS. Gurus are their Money-Making Agents. Instead of Begging and Cheating, GURUS may better do some WORK for an Honest Living. Religion is for The Ignorants and GURUS Trade in that. Science is REALITY and RELIGIONs are The Non-Existant Unknown Path. Don’t Travel into Wilderness with Briefless Barristers- i.e. CHEATS.

    Fakirchand J. Dalal
    U.S.A.
    Thursday, April 25, 2013

    Like

    1. Dear Shri Dalal,
      Every word of yours (above) is the truth, the whole truth and nothing but the truth. And so, quite precious. Thanks. — Subodh —

      Like

  6. સરસ લેખ પસંદ કર્યો ગોવીંદભાઈ. એ માણવાની તક આપવા બદલ હાર્દીક આભાર. સુબોધભાઈએ અંગ્રેજીમાં લખેલ પુસ્તકનો ગુજરાતીમાં સારાંશ આપ્યો એ બદલ એમનો પણ આભાર.
    ભાઈ શ્રી ફકીરચંદ દલાલનું એકેએક વાક્ય બહુ સચોટ છે. એમની સાથે હું ૧૦૦% સંમત છું. આટલું સ્પષ્ટ અને સોંસરું ઉતરી જાય એવું વક્તવ્ય ખરેખર ધન્યવાદને પાત્ર છે.

    Like

  7. Faith and belief has to be in their on balence nothing works alone we need both thing,We are just human maney thing happend beyound our imaginetion then outometic our belief started to work their is no win win sutuation just use
    your on comfort jone and walk with,onley intelligent does work some time belief work.Nice topic. Each human has all diffrent experience.

    Like

  8. શ્રી ગાંડાભાઈ,
    આ લેખ સુબોઘભાઈની બુક Culture can kill ના એક ભાગને સમજાવે જરુર છે. પુરેપુરું પુસ્કતનું વાંચન વઘુ ઊંડાણમાં ડૂબકી મરાવશે. એક વિજ્ઞાનના વિદ્યાર્થીના ૧૦ થી પણ વઘુ વરસોના, ઇતિહાસ અને જુદા જુદા ઘરમોના ઊંડા અભ્યાસ અને મનનને અંતે જન્મેલું આ પુસતક મૂળ અંગ્રેજીમાં વાંચવાની હું ભલામણ કરું છું. મને આ લાભ મળેલો છે.
    નિસપક્ષ રીતે કરેલો અભ્યાસ વિશાળ જ્ઞાનનું ફલક ખોલશે. વિચારતા કરશે. સવાલો પૂછતાં કરશે. વઘુ વાંચવા દોરશે. જવાબો શોઘતા કરશે. મઝા આવશે.વિચારોમાં ફેરફારો પણ આવશે. સાચુ લાગે તે સ્વીકારવું પણ પડશે. નવી વિચાર દિશા ખૂલશે.
    હું શ્રી સુબોઘભાઈ સાથે ૧૦૦ ટકા સહમત છું.

    Like

  9. Sir,

    The book’s title is “Culture CAN kill” It doesn’t say “culture Always Kills” It talks about the difference between our culture and the culture of developed countries, to prove why they progressed while we, once near the top, went down the ladder. If your opinion of the book being “useless” is based on the title only, then it would be premature. As the saying goes, “you can not judge the book by its cover” Here it is the title. It is a big task to read and digest this book.

    Like

    1. During my early years in the USA, I asked one of my “White” colleague, “Who do you think will break this tradition of white-protestant-male presidents, a women or a black? This was some 40 years ago, Post Martin Luther King’s assassination and during Watergate scandals times, Using a word black for African-Americans was not politically incorrect then. Without a moment’s hesitation, he said “Black”. Notwithstanding that women make up 50% of the voters while blacks only 12-13%? Well, History proved him right. Call this a cultural hang-up of sexist attitude. Though, this has not done much harm to the USA as far as I understand.

      At the same time, women as the head of the government in Asian countries have not improved the bad conditions for women there in general. In short, male or female at the top does not make much difference compared to other factors that influence the fate of the nation.

      You also mentioned Japan. Japan was probably the only country in Asia, which prevented European colonialism to take over. It is also the first country in Asia to use modern technology and develop. That is their culture. The case for India has been totally different. Practically every foreign invader succeeded here, over the period of thousand years. That was our culture. Culture of a state can and does profoundly influence the course of history.

      Like

  10. Friends,
    The title, ‘Culture CAN kill’ is to be analysed before it is evaluated. The word ‘CAN” will give you a conditional analysis of the title. ( Yes, it CAN..kill, if culture is not observed / practiced in its best right way.) And also without reading the book and its contents, if someone opine about the book, than I say, it is immature and premature.
    For example,
    If one does not want to study the law of gravity thoroughly, how he or she will understand what is GRAVITY ?
    The question of appointment of a woman President or Prime Minister, I understand that it is a part of the result of the observation of culture, but more of the playing of the politics of that particular time period.
    The world is PURUSHPRADHAN. Even I and you are PURUSHPRADHAN in our own cultureal nature and its implementation in our daily life.
    Manu smruti is 98% PURUSHPRADHAN. Only one or two Shlokas written to keep women KHUSH. It does not give any authority to women to run house or home. The laws are MAN MADE.(PURUSHPRADHAN)
    My request is to all my friends to read the book first and than opine.

    WE ARE DISCUSSING ” બુઘ્ઘ્ીનો ઉપયોગ……..” as a TITLE OF THE ARTICLE.
    Let us discuss , “બુઘ્ઘ્ીનો ઉપયોગ…..”

    Like

    1. Women get elected in SAARC countries NOT because of any additional respect or equality but because of currupt politics, and “King’s daughter/niece therefore next queen” mindset.

      Besides, it is impossible to judge a country’s culture on such a trival fact that oooh, they have had a female leader and some others have not. Do you know how many European countries have had female queens and prime ministers? Does that make them superior to India?

      Your arguments are as foolish as saying “oh, first you tell me why there are no Paan Stalls in Chicago, otherwise everything you say is wrong!” It is utterly illogical (and by the way, there are paan stalls in chicago).

      Lastly, none of your protests or arguments have anything whatsoever to do with the article. You just picked up the name of the book from the author bio, and went off on your own tangent. That is not fair discourse. It does a disservice to everyone that wants to discuss the article.

      Like

  11. Friends,

    First of all, It is not worth getting emotional in the discussion. It serves no purpose

    Secondly, it is improper to get personal with anyone. We really do not know enough about their background and contributions. If we do not agree with someone’s viewpoint, we let go. That is not a defeat or surrender. It is more like maturity. Let us show that much magnanimity.

    Like

    1. Dear Harishbhai,
      I appreciate your patriotism. Pl. see the following brief quote from my book:

      “અર્નેસ્ટ હેમિંગ્વે કહે છે: “તમારે લેખક થવું છે? તો બતાવો, તમને ઘા ક્યાં ક્યાં પડેલા છે?” લેખક થવું એ મારું ધ્યેય કે ધન્ધો નથી, પણ મને ઘા જરૂર પડેલા છે —માત્ર મને નહિ, મારા અનેક દેશબન્ધુઓને. મારી ભારતમાતાને. ઊંડા ઘા, ગંભીર ઘા, અણરુઝ્યા ઘા. ભારતમાતા હજાર હજાર વરસથી કકળે છે. રાષ્ટ્રશાયર મેઘાણીએ ગાયું છે એંમ “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ”, એ જોઈને એક દીકરો —કોઈ પણ દીકરો —શું ચૂપચાપ બેસી રહી શકે? કંઈપણ કર્યા વિના? બોલ્યાચાલ્યા વિના? ”
      That is why I wrote the book— not to criticize my motherland, but to do my duty, to help patriotic people like you to save it. Thanks.

      Like

  12. Yes, I am crazy about my country હરીશ ત્રિવેદી અહી શું કરો છો? લશ્કરમાં ભરતી થઇ જાવ અહી તો બધા દેશદ્રોહી અને ધર્મ વિરોધી ભેગા થયા છે. ચીનાઓ ટૂંક સમયમાં છેક ભાગોળે આવી પુગશે, ભાઈ તમારી અહી જરૂર નથી ખોટી શક્તિ વેડફો નહિ. અહી તો આવી ચર્ચાઓ ચાલે જ રાખશે. આપણા સૈનિકોના માથા લોકો વાઢી જાય છે અને તમે અહી સમય બગાડો છો.

    Like

  13. Dear Harishbhai,
    1.This article is not about my book or about America.
    2. I don’t wish that my book—or any book– be judged from the title only. Titles have to be short and will be incomplete.
    3. In case you are serious, and write to me an e-mail like some other readers, I can send you a one-page summary of my book (in Gujarati) that I am sure will compel you to change your mind..
    Thanks for your interest. — — Subodh Shah.

    Like

    1. બુધ્ધિ અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને જો આપ પણ પ્રયત્ન કરશો તો મળશે અવનવી માહિતી ઓ Google અને Wikipediaનો ઉપયોગ કરતાં હોય તો મળશે દરેક માહિતી, પ્રદુષણ અને Corporate Culture of West વિશે links મુકુ છું જો જો જો રસ હોય તો પશ્ચિમનાં અંધભક્ત નહી હો તો મજા આવશે. આભાર સિધ્ધાર્થભાઇ ભરોડિયાનો
      નોંધ:
      ‘કૉમેન્ટમાં કોઈ પણ પ્રકારની લીંક કે વીડીયો ક્લીપીંગ મુકાઈ હોય તો તે રદ કરવી અને બાકીનું લખાણ રાખવું’ એ નીયમ અન્વયે મારે દુ:ખ સાથે આપના આ લખાણમાંથી લીંક ડીલીટ કરવી પડી છે..
      –ગો.મારુ

      Like

  14. ગાંડાઓના ગામ ના વસે, પણ બ્લોગમાં તો કોમેન્ટ જરૂર આવે ! કહેતા બી દિવાના ને સુનતા બી દિવાના !! આવી કોમેન્ટો ક્યાંથી છપાય…?

    Like

  15. અરે હરીશભાઈ
    પુસ્તક વાંચ્યા વગર, ફક્ત title વાંચીને શા માટે તલવાર લઈને ઠેકી પાડો છો?
    લેખ વિષે લખોને, ભાઈ સાહેબ!

    Like

  16. હહાહાહાહાહા હરીશ ત્રિવેદી તુમ નહિ સુધરોન્ગે…..પેલા રવિશંકર બે વાર શ્રી શ્રી લગાવીને બેઠા છે ત્યારે મને હસવું આવે છે તે મારા આગળ ત્રણ વાર શ્રી લગાડી દીધું. પાછો મહામાનવ બનાવી દીધો? હહાહાહાહા ભાઈલા હરીશ તમે એવા લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો જે લોકો બીમારીઓને ગળે વળગાડીને ફરી રહ્યા છે. હવે જો તમને કોઈ કહે કે આ બીમારી છે તો તમને ગાળ દીધી હોય તેમ લાગે છે. તમે લોકો જાતે જાતે ધરમના ઠેકેદારો અને સંસ્કારની પુછડીઓ બની બેઠેલા છો. આપણી સંસ્કૃતિએ એટલા બધા ગુમડાં પાળી રાખ્યા છે કે નાં પૂછો વાત. વળી આ બધા ગુમડાં શણગાર લાગે ત્યારે એના જેવી કરુણતા બીજી એકેય નાં હોય. આ કદરૂપા ગુમડાં તમારે હટાવવા જ નથી. એના ઉપર સુબોધ શાહ અને મારા જેવો નસ્તર મુકે એટલે ભારે પીડા થાય છે. એટલે અનાપશનાપ બકવાસ ચાલુ થઇ જાય છે. ભાઈલા આપણા બાપદાદા છેક રશિયાથી ભારત આવેલા છે. તે પહેલા ઈરાન રહેલા છે. ભારત કરતા તો ઈરાન આપણી માતૃભુમી પહેલા કહેવાય. પણ આપણા જેવા દંભી ધરમની ધાબળી ઓઢીને ફરતા લોકોને ગળે તે વાત નહિ ઉતરે. કમાવા લોકો દેશ છોડીને મુંબઈ જતા હોય છે અમે થોડા વધુ આગળ ગયા એમાં આ સંસ્કારી લોકો ખરાબ શબ્દો વાપરતા હોય છે, અમને કોઈ ફરક પડતો નથી. ભક્તોની સ્ત્રીઓનું સરેઆમ સેકસુઅલ શોષણ કરતા ગુરુઓમાં આપણ લોકોને ધરમ દેખાય છે, એવા ગુરુ આવે ત્યારે આખા લાંબા થઇ જએ છીએ. સ્ત્રીઓના મોઢા નાં જોવાય અને પુરુષોની અને છોકરાઓની પૂંઠ જુએ, જુએ શું એનું શોષણ કરી નાખે તેવા ઓરેન્જ્ધારિઓમા આપણને ધરમ દેખાય છે. આપણે એવા દમ્ભીડા છીએ પાછલા બારણે ગાયો કસાઈઓને વેચીએ અને આગળ જઈ માંસ ભરેલી ટ્રક પકડી ધરમ કરીએ છીએ. કસાઈઓ અને મુસલમાનો પશુપાલકો નથી. એમની પાસે ગાયો કપાવા માટે આવે છે ક્યાંથી? ગાયોની કતલના ફોટા ફેસબુકમાં મુકનાર તમામને મેં આ સવાલ પૂછ્યો છે કોઈ જવાબ આપ્યો નથી. આપણે ગાયો વેચનારને પકડવામાં રસ ધરાવતાં નથી, હહાહાહાહા અમારે કદરૂપા ગુમડાં પર નસ્તર મુકીને ભારતીય સંસ્કૃતિને વધુ મહાન બનાવવી છે તમારે આવા વધુ ગુમડાં પાળીને શણગાર સમજી ભારતીય સંસ્કૃતિ મહાન નાં બણગા ફૂંકવા છે આટલો ફરક સમજાય તો અહી બકવાસ કરવા આવજે બાકી પેલા કૃષ્ણાર્પણનાં બહાને સ્ત્રીઓના સેકસુઅલ શોષણ કરતા ગુરુઓના ચરણમાં પડ્યા રહો તે જ હિતાવહ છે.

    Like

    1. “વિજ્ઞાનને વિનાશ જ માનું છું.”
      Oh, in that case, quickly disconnect from the internet, and throw away your computer. Do not touch phone or use any vehicles. Do not weak any cloths made in mills, Do not wear eyeglasses. Do not take any medicine. In fact, most of the food you eat has been grown using scientifically developed fertilizer, so it is best to go on a permenant fast. But do not drink any clean water either because that is also due to science. All of these things are “Vinaash!”

      Like

    2. When a drunken person goes on blabbering on a street, normal people ignore him and go on with their business. This does not mean they have nothing worthwhile to say to him. They know the futility of anything they say.

      I believe you are an intelligent person Mr. Harish Trivedi. You also know things about the world around us, though looking thru different type of glasses. It appears that respondents on this blog chose to ignore the challenge in your above comment. This does not mean that they ran out of points to counter your claims, as many of us are learned writers and writing is our major activity. Regardless of the differences in our viewpoints, the discussion could have been more fruitful had you controlled your temper and language. I hope this makes you to think differently about your approach in future for common good.

      Like

  17. શ્રી ભૂપેનદ્રભાઈ,
    થોડી વઘુ વાતોનો આનંદ લઇઅે ………..સેકસૂઅલ શોષણની વાત ગાંઘીજીઅે પોતાની બાયોગરાફીમાં કહી છે. હવેલીઅે જે કરમો થતાં તેની વાત. આ તો જૂના રીતરીવાજો છે જે મંદિરોમાં આજે પણ અમલમાં છે. આજે ચાલુ હોય તેમાં કલ્ચર જળવાય. ચાલુ રાખવું પડે.
    ટેસટોસટેરોનની શકતિને કોણ નાથી શકીયું છે? માટે આદંબરો શા માટે ? સંસારી પણ સમાજ સેવા કરી શકે.

    શ્રી શ્રી રવિશંકરની વાત યાદ આવી. ન્યુજશીૅમાં અેમના છોકરાંઅો કે પછી ચમચા ,ખબરપત્રી સાથે વાતોમાં કહેતા હતા કે શ્રી શ્રીને તો દુનિયાનાં દરેક દેશનાં વડા સાથે ગાઢ સંબંઘ છે. તેઅો શ્રી શ્રીની સલાહ લે. સલાહ અમલમાં મૂકે.
    મેં સવાલ જવાબ વખતે અેક વાત પૂછી. જો દુનિયાના દેશોના વડા તેમની સલાહ લેતા હોય અને અમલમાં મૂકતા હોય, તો શ્રી શ્રી તેમને લડાઈ બંઘ કરવાની સલાહ કેમ નથી આપતા ? શાંતિ સથાપવાની સલાહ કેમ નથી આપતા ?
    આ સવાલનો જવાબ આપવા વિના, મિટીંગ આટોપી લીઘી.
    શ્રી શ્રી ના ટેકેદારો કે પછી ચમચાઅો, દાકતરો, વકિલો, અઘીકારીગણ, જેવા ખૂબ ભણેલા લોકો હતા.
    હવે આ વિષય ઉપર વઘુ વિચારવાનું કામ, જે કોઈ સાચા વિચારકો અને ચિંતકો છે તેમનું છે.

    Like

  18. વિજ્ઞાન અને અધ્યાત્મ કદી પણ વિરોધી નથી હોતા, એ વાક્યને હુ નકારુ છુ. જ્યારે વિજ્ઞાન હાવી થઈ જાય છે ત્યારે નાસ્તિકતા કે સ્વછંદતા ઉપજે છે પણ જ્યારે વિજ્ઞાનમાં આધ્યાત્મ, કે આધ્યાત્મમાં વિજ્ઞાન ભળે છે ત્યારે ‘મહાત્મા ગાંધી બાપુ’ ઉપજે છે…. એવુ મારુ માનવુ છુ

    સૌ પ્રથમ જુઓ, સાંભળો, અડો, ચાખી જુઓ…… અને આ બધુ બુધ્ધિનુ કામ છે, જ્યારે બુધ્ધિનુ કામ પતી જાય છે ત્યારે શ્રધ્ધા જાગે છે, શ્રધ્ધા આપણને એ કામ ફરી ફરી કરવા પ્રેરે છે અથવા લલચાવે છે, બુધ્ધિ ના પાડતી હોવા છતાં એ કામ પછી ભલે સારુ હોય કે ખોટુ એ કરવા માટે પ્રેરે છે, ધકેલે છે, ખેંચે છે, અને છેવટે એ કામ કર્યા પછી જે ફળ મળે છે એ નક્કિ કરે છે કે શ્રધ્ધા કોના પર કરવી વિજ્ઞાન ઉપર કે આત્મિકતા ઉપર.

    મચ્છર કરડતો હોય છતાં પણ એને ન મારવો એવુ જૈનો માનતા હોય છે એ શ્રધ્ધા જ્યારે સામાન્ય મનુશ્ય માટે એ મલેરિયા ઉપજે છે એને મારવા ઔષધો કે છંટકાવ વાપરવા કે નેટ વાપરવી એ વિજ્ઞાન, હવે જે જેને અનુસરે છે એ એ પ્રમાણે ફળ પામે છે………એટલે પરમાત્માની વાતોમાં પણ બુધ્દિ વાપરી જુઓ, જીવન પ્રણાલિ જ બદલી જશે, ગીતા અને બાઈબલનો નવો નિયમ વાંચી જુઓ,….. કદાચ તમે ‘મહાત્મા’ બની બેસો……. ધન્યવાદ…

    Like

  19. Rajeshbhai,
    Please help me. Your first sentence above confused me.
    You say: “વિજ્ઞાન અને અધ્યાત્મ કદી પણ વિરોધી નથી હોતા” , એ વાક્યને — —

    This sentence is not there in my article above. Where did you get it from? Thanks. — —Subodh Shah.

    Like

  20. જેટલો રુપિયો ક.ફી.ના પ્રયોગ માટે ફ્રાંસના અંડરગ્રાઉંડ પ્રયોગ પાછળ ખર્ચાયો એ રુપિયો જો જગતના દેશોને પહોચાંડ્યો હોત તો ગ્રીસ આજે દેવાળીયુ થઈને યુરોપના દેશોને ઠંડા ન પાડ્યા હોત. માનવિય વિજ્ઞાન દ્વારા ઉપરનીચે થતી ઈકોનોમી પણ વિગ્યાનની જ દેન છે

    Like

  21. Friends, થોડું વઘું જ્ઞાન મેળવીઅે…………….વિજ્ઞાન મેળવીઅે……………..

    Are we discussing Economics or Science or ADHYATMA ? I am puzzled. I was reading most current issue of Smithsonian magazine. (May 2013).( By Richard Conniff.) It carries one interesting Scientific article with heading, ” Creatures inside you.” Meet the Microbes living in your Body. It explains some hard facts of our life with the proof. I thought it will provide a most recent knowledge of our life and of very high importance. I am taking this opportunity to share what I read.

    You are not just Human. There are countless creatures living inside your body – And they GOVERN your HEALTH and HAPPINESS……………………….

    The Editor of this magazine, Micheal Caruso writes on the scince subject discussed in this issue…..

    Science: It is astonishing to realize that there are roughly 23,000 genes inside you that makes you HUMAN – and an estimated 2.3 million genes that belong to micro-organisms as well. Most of them live in your stomach and intestines. (You can’t help being reminded of that scene in Alian where, well, you remember what happens.) The Human Microbiome Project (‘The Body Eclctic,” Page: 40) is a deep dive into the micro-organisms living inside our bodies – what they are, what they are up to in there and how understanding them could lead to MAJOR IMPROVEMENTS IN OUR LIVES.
    *****************************************************************************************
    જ્ઞાન અને વિજ્ઞાન અેટલે કે વિશેષ અનુભવજન્ય્ જ્ઞાન, માણસ શિકાર કરતો થયો ત્યારથી મેળવતો થયો અને ઉપયોગમાં લેતો ગયો. આ પરિસથિતિમાં તે પોતાની જીવન જરુરિયાતો માટે જ વિચારતો હતો. અઘ્યાત્મ ,મણસના જીવનમાં જયારે તે ખાઘે પીઘે સુખી થયો અને તેને થોડો સમય વિચારવા માટે મળયો અેટલેકે બુઘ્ઘિ વાપરવાની તેણે શરુઆત કરી ત્યારે દાખલ થયું. હું કોણ ? કેવી રીતે બન્યો ? મારા જીવનનું પરપઝ શું ? આ બઘું શા માટે ? સમજ ના પડી તેમાં ભગવાન દેખાયા. ચાલો તે પણ ચલાવી લઇઅે, પરંતુ જયારે ભગવાનને વેપારનું સાઘન બનાવીને વાપરવાનું શરું કરીયું તયારે તો હદ થઇ ગઇ.

    બિગ બેંગ થિયરી વિજ્ઞાને આપી. પરુથવિ ઠંડી પડી અને જીવન માટે પરિસથિતિ માફક બની ત્યારે, સમુદ્રમાં અેકકોષી જીવો જુદા જુદા કેમીકલો અને સૂરજની ગરમીના રીઅેકશન વડે બન્યા. તેમાંથી બહુકોષી જીવો થયા. સમય લાખો અને કરોડો વરસોનો વહી ગયો. ઘીમે ઘીમે ચાર પગી અને પછી બે પગી, જેવાકે વાનર…અને માણસ જુદા જુદા કેમીકલોના મિશ્રણથી થયાં. વનસ્પતિ પણ તેજ રીતે બની. બન્ને જીવન માટે અેક બીજા પર આઘાર રાખતાં થયાં.જેમાં સમજ ના પડી તે ભગવાનને નામે ચડાવી. વિજ્ઞાને જેમાં સમજ આપી તે માણસને નામે ના છુટકે ચડાવી.

    જયારે માણસે મગજ ચલાવવાનું ચાલુ કરીયું, અને સવાલો પૂછતો થયો ત્યારે ફિલોસોફી તેના જીવનમાં દાખલ થવાં માંડી. કદાચ આ સમયે તેની પાસે શબ્દો અને લેખન પણ ન હતું. ટૂંકમા માણસના જીવન માં આઘ્યાત્મ્ આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ વષૅ પહેલાં દાખલ થયું કહેવાય. જયારે જુદા જુદા ઘરમો બનયા તયારે દરેક ઘરમોઅે પોતાના વિચારો અમલમાં મુક્યા. પોતાનું કલચર પેદા કરીયુ . આપણે બઘા માનીયે છીઅે કે માણસે પોતે વિચારીને અને અનુભવ થકી સાબિતિ સાથેનું જ્ઞાન મેળવેલું છે. વિજ્ઞાન મેળવેલું છે. અઘ્યાત્મમાં સાબિતિ ક્યાં છે ? માની લીઘેલું અને શ્રઘ્ઘા રાખીને સવાલો પૂછવાં વિના ચલાવી લેવાની વાત છે.

    ટૂંકમાં જીવન જીવવા માટે અને વઘુ વિકાસ ભરેલું જીવવા માટે, વઘુ વિકાસ પામવા માટે પણ જ્ઞાન અને વિજ્ઞાનની જ જરુરત છે. જીનેટીકસ્ આજે સૌથી વઘુ વિકસિત વિજ્ઞાન છે. માનવ જીવન તથા પૃથવિ પરનાં દરેક જીવના ભાવિ માટે સંશોઘનની જરુરત છે. વિજ્ઞાન તે પુરું પાડે છે.
    વિજ્ઞાન , સંશોઘન માટે ઇકોનોમિકસ્ નો વિચાર નરી મુરખાઇ છે.

    Like

  22. શ્રી રાજેશભાઇ,
    વિજ્ઞાન જ્ઞાન આપે છે. સારું કરવાનું જ્ઞાન આપે છે. માણસ તેના કલચરમાં કે ઘરમમાં લખેલી વાતોને અનુસરીને દાનવ બનવાનું પસંદ કરીને વિજ્ઞાનનો ગેરઉપયોગ કરે તો તે ઘરમનું નખ્ખોદ જાય. તે કલચરનું નખ્ખોદ જાય કે જે તેને દાનવ થવાંનું જ્ઞાન આપે છે.

    અમેરીકામાં થયેલા બનાવો માટે ઘારમીક અને કલ્ચરલ માનયતા જવાબદાર સાબિત થયેલી છે.

    વિજ્ઞાને હંમેશા જ્ઞાન સારાં માટેજ આપેલું છે. માણસે તેના દાનવિય મગજને ઇશારે તેનો દૂરઉપયોગ કરેલો છે.

    પાડાને વાંકે પખાલીને ડામ શા માટે દો છો ?

    વિજ્ઞાને આપેલું જ્ઞાન શરુઆતમાં સારા માટે વપરાય છે. દાનવ મગજ તે જ્ઞાનનો દૂરુપયોગ શોઘીને પોતાના આત્માના સંતોષ માટે, તેના સંહારક વિચારોને સંતોષ આપવા કરે છે.

    ભાઇ,

    તમે અને હું બન્ને વિજ્ઞાનનો સદ્ઉપયોગ કરીને જીવન જીવીયે છીઅે. શાંતિથી જીવન પસાર થાય તેવા પગલાં ભરીને જીવીયે છીઅે. જો વિચારીયે તો મિનિટમાં દાનવ બની શકીયે.
    મને આનંદ છે કે તમે વિજ્ઞાનનો સદ્ઉપયોગ જ કરો છો.

    Like

      1. ધન્યવાદ અને પ્રણામ દરેક વડિલમિત્રોને, I LOVE AND RESPECT YOU ALL FROM DEEP OF MY HEART….

        અમ્રુત સાહેબ, આપના ધન્યવાદ. આપશ્રીએ મને વિકનેસ ચીંધવા બદલ.

        “And they GOVERN your HEALTH and HAPPINESS” એક્ચુઅલી ‘THEY ARE, THAT IS, GENES INSIDE OUR BODY ARE ENJOYING THEIR HEALTH AND HAPPINESS IN OUR BODY NOT WE.’

        MY DEAR SIR, YOU MUST BE WELL VERSED WITH FACTS OF ALL WRITERS WHO EARNS FROM THEIR WRITINGS IN WESTERN WORLD.

        PEOPLE MAY OR MAY NOT KNOW THEM VERY WELL, THEIR NATURE, THEIR HABITS AND THEIR LIKINGS AND DISLIKINGS. MOST OF THEM ARE DRINKERS, SMOKERS. MAY BE SOME OF THEM HAVE BAD HABITS WHICH MAY BE COUNTED AS UNSPIRITUAL IN THE EYES OF SPIRITUAL BEING. AND THEIR WTITINGS MAY BE GOOD FOR HUMAN BODY OF MIND BUT NOT ADDING IN SPIRITUAL HEALTH SIR. I DO READ THEM BUT CAN NOT RATE THEM AS GOD OF MY THAOUGHT.

        PARTING OTHER RELIGIONS , I AM SURE THAT CHURCH DONT EARN FROM SPREADING MISLEADING FACTS BUT SPIRITUAL.

        YOU SCIENTIFICT PEOPLE ARE LIVING IN YOUR PHYSICAL WORLD AND OTHER ARE IN THEIR RESPECTIVE WORLD. WE ARE LIVING AMONG 24999 DIFFERENT WORLDS NEARLY.

        EVERY ECONOMY IS A science and is a FRUIT OF LITERATE AND NOT OF SPIRITUAL. ONE SHOULD LEARN SPIRITUAL ECONOMY, MAN KIND WILL NEVER LIVE IN SCARCITY. YOU may FIND SOME ON THE DARK LANES OF NEW YORK DURING NIGHTS distributing to needy, THEM I WILL CALL, SPIRITUAL ECONOMIST. SO MANY PEOPLE WANTS TO DO THAT KIND OF WORK, BUT THEY CANT DUE TO SCARCITY OF TIME or OPENNESS. THEY are always on serch of such spiritual economist and like to DONAT TO such SPIRITUAL ECONOMIST. I have lot to write but this much is enough now……….i respect you all with love of God……

        Like

  23. You say: “દરેક યુધ્ધ મારા મતે વિજ્ઞાનનાં કારણે થયાં છે નહી કે ધર્મનાં કારણે”

    What? You are actually suggesting that wars were CAUSED by science? That is the most utterly ridiculous argument that even a 5th grader can refute. Wars have been faught for many things – usually land, money or power. And most of all, religion. Religion has been the root cause of wars for thousands of years, including in India. genocides have been committed in the name of religion, which is equal to saying “my imaginary friend is better than your imaginary friend” And yes, they have happened in India routinely well before islamic or christian invasions (and after that also). Have you read any history?

    And to say that science caused wars is truly a ridiculous argument. No one has ever gone to war over the law of gravity or the second principal of thermodynamics, or genetic code of the horsefly!

    Like

  24. ભાઈ હરિશ તમે શુ કહેવા માગો છો સમજ્યો નહિ. મારા ‘વાય’ ક્રોમોઝોમની હિસ્ટ્રી વિષે મે જ લખ્યુ છે. નેશનલ જીયોગ્રાફી ચેનલનો પ્રોગ્રામ ચલી રહ્યો છે. આખી દુનિયામાથી જિન્સ એકઠા કરાઇ રહ્યા છે. દુનિયાના નંબર વન જેનેસેસિસ્ટ ડૉ અલ સ્પેન્સરની પ્રયોગશાળામાં મે મારા ગાલ ખોતરીને જિન્સ મોકલ્યા હતા. આખિ દુનિયામા માનવ આફ્રિકાથી નિકળેલો છે. હુ ડર્વિન અને ડૉકિન્સનો ચેલો પ્રથમ પછી ફ્રૉઇડનો… મને રેશનલ કહેવો ના કહેવો મને કોઈ ફરક પડતો નથી..હુ રિયાલિસ્ટિક છુ, એમાં રેશનાલિઝમ આવી જાય.. ના આવે તો કાઈ નહિ. મને સાવરકર, શહીદ ભગતસિંહ અને નહેરુની જેમ હિન્દુ એથિઈસ્ટ તરીકે ઓળખાવામા જરાય શરમ નથી. માનવતાવાદના બહાને તમે મારા છોકરાને મારવા આવો તો ઉભા ચીરી નાખુ..માનવતાવાદના નામે કોઇ ચાઇનિઝ હરિશ ત્રિવેદિને મારવા આવે તો પણ ઉભો ચીરી નાખુ..અહિંસા મારા માટે પરમધર્મ નથી, સર્વાઇવલ મારા માટે પ્રથમ ધર્મ છે.

    Like

  25. અહિંસા મારા માટે પરમધર્મ નથી, સર્વાઇવલ મારા માટે પ્રથમ ધર્મ છે. આમ હું રિઅલિસ્ટિક, રૅશનલ, હિન્દુ એથિઈસ્ટ, હ્યુમૅનિટેઅરિઅન કેટલી બધી પદવીઓ? જાતે જ મેળવેલી..હાહાહાહાહાહહ

    Liked by 1 person

  26. વ્હાલા રાજેશભાઇ,
    વેસ્ટ હોય કે ઇસ્ટ….ફીક્સન લખવાવાળા લખવાનો વેપાર કરતા હોય છે. વિજ્ઞાની સંશોઘનના રીપોટૅ લખતા હોય છે. વેપાર નહિં.
    વિજ્ઞાનીઅે કરેલા સંશોઘનને તમે તમારી રીતે મૂલવીને પેલા ૨.૩ મિલિયન જીન્સને માટે પોતાની કોમેંટ મૂકી ત્યારેજ ખયાલ આવી ગયો કે ……………………………………………..
    ભૂપેન્દ્ભભાઇ, તમારી હરેક વાત સર આંખો પર………….

    Like

  27. ઈસુથી આશરે 600 વરસ પહેલાં થઇ ગએલા ભારતીય તત્વ વેત્તા બૃહસ્પતિને કહેવું પડ્યું કે 6 શાસ્ત્રો , વેદ ,ઉપનિષદ ,પુરાણો , રામાયણ મહાભારત આડી ગ્રંથો વિશ્વાસ પાત્ર નથી . કેવળ માણસ ની બુદ્ધિજ વિશ્વનીય છે .

    Like

Leave a comment