ભારતનો સાચો સુવર્ણકાળ

–મુરજી ગડા

સતત ભુતકાળમાં રાચતા અને એને વટાવતા વર્ગની એક ખાસીયત એ છે કે નાની અમથી વાતમાં એ તરત ‘પહેલાના જમાનામાં’ પહોંચી એની ભવ્યતાની વાતો કરવા માંડે છે. એમનો એ પહેલાનો જમાનો એટલે રામાયણ અને મહાભારતમાં વર્ણવાયેલ વૈદીક કાળ. ‘જુનું એટલું સોનું; નવું એટલું નકામું’ એ એમનો મંત્ર છે. તે સીવાય અન્યત્ર જ્યારે પણ ભારતીય સંસ્કૃતીની વાત આવે છે ત્યારે એની વીશીષ્ટતાનો બધો યશ આ વૈદીક સમયકાળને ફાળે જાય છે.

આ સમયકાળ ઉપરાન્ત પણ ભારતના ભુતકાળમાં ઘણું બધું બની ગયું છે. ઘણાંને એનો ખ્યાલ નહીં હોય કે પછી એનાથી એમનો હેતુ સરતો નહીં હોય એટલે રસ ન હોય. ક્યાંક સાંભળેલું કે વાચેલું આગળ ચલાવવાની વૃત્તી પણ એમાં ભાગ ભજવે છે.

આ વૈદીક કાળ સાચે જ કેવો હતો, એનું યોગદાન કેટલું અને કેવું રહ્યું, એની ભવ્યતાના ખ્યાલ ક્યાંથી અને ક્યારે આવ્યા એની થોડી ચર્ચા કરીએ.

ઈતીહાસે છેલ્લાં 2500 વરસની આછીપાતળી નોંધ રાખી છે એને ઐતીહાસીક સમય કહેવાય છે. એના પહેલાંનો 1000 વર્ષ લાંબો એવો સમય વૈદીક કાળ કે પૌરાણીક કાળ ગણાય છે. એની પહેલાં પણ 2000 વરસ સુધી ઉત્તર અને પશ્વીમ ભારત તેમ જ આજના પાકીસ્તાનમાં હરપ્પન સંસ્કૃતી વીકસી હતી. કમનસીબે આજે એના વીશે ઘણી ઓછી માહીતી ઉપલબ્ધ છે. ભુતકાળની આ પ્રસ્તાવના અને ચર્ચા વર્તમાનને સમજવા તેમ જ ભવીષ્યની શક્યતાઓને આલેખવા જરુરી છે.

એક વીચારધારા પ્રમાણે વીદેશીઓએ કરેલ ભારતીય સંસ્કૃતીના તેજોવધના પ્રત્યાઘાતરુપે 17મી સદી અને ત્યાર પછીના ઈતીહાસકારોએ ભારતનો વૈદીક સમય હતો એના કરતાં ઘણો જ વધારે ભવ્ય ચીતરવાનો શરુ કર્યો. એ મનોવૃત્તી અને ખ્યાલ ત્યારથી પાંગરતાં આવ્યાં છે.

જે ઈતીહાસમાં નોંધાયેલું હતું એને વધુ પડતું બદલાવવું શક્ય નહોતું; પણ પૌરાણીક કાળને જોઈએ એટલો અને એવો ઓપ આપી શકાતો હતો. એના માટેનો મંચ પણ તૈયાર હતો, જેનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો. વૈદીક કાળની આ વીશીષ્ટ માર્કેટીંગને લીધે બીજા બધા સમયકાળની સીદ્ધીઓને યથાયોગ્ય સ્વીકૃતી નથી મળી. આજના ભારતના વારસા પાછળ બધા જ સમયકાળનું યોગદાન છે. એની પાછળ જે અગણીત લોકોનો પુરુષાર્થ રહેલો છે તેઓ હમ્મેશને માટે ગુમનામ થઈ ગયા છે.

વ્યક્તી, બનાવ અને વીચારસરણીના માર્કેટીંગની અસર તેમ જ એના અભાવનાં પરીણામોની ઉંડાણપુર્વકની ચર્ચા આ પહેલાં સ્વતંત્ર લેખમાં કરવામાં આવી છે.

વીદેશી ઈતીહાસકારો જ્યારે પ્રાચીન સભ્યતાઓની વાત કરે છે ત્યારે ઈજીપ્ત, મેસોપોટેમીયા, ગ્રીસ, ચીન વગેરેનું નામ પહેલાં લેવાય છે. ભારતનું નામ પછી લેવાય છે. આની પાછળ એમનો ભારતદ્વેષ નહીં; પણ પુરાવાના અભાવ ઉપરાન્ત એમના ખ્યાલો આપણાથી અલગ હોવાની શક્યતા વધુ છે. ઈજીપ્ત અને ગ્રીસની પ્રાચીન સભ્યતાના પ્રતીક સમા અવશેષો ત્યાં હજી ઉભા છે અને એમની સીદ્ધીઓની પ્રતીતી કરાવે છે. આપણી પાસેના પ્રતીક એવા બૌદ્ધ સ્તુપ, શીલાલેખ, નાલંદા વગેરે બધા વૈદીક કાળના નહીં; બલકે ત્યાર પછીના ઐતીહાસીક સમયના અવશેષ છે.

પુરાતત્ત્વ ખોદકામથી મળી આવેલી બધી વસ્તુઓ હરપ્પન સભ્યતાની છે. જેમાં ખેતીનાં અને બીજાં ઓજારો છે; પણ યુદ્ધને લગતાં હથીયાર ખાસ નથી. આ એમની શાન્તીપ્રીયતાની નીશાની છે. વૈદીક સભ્યતાના પ્રતીક એવાં શસ્રો, અસ્ત્રો, રાજાઓના મુગટ, તુટેલા રથના ભાગ વગેરે વસ્તુઓ હજી સુધી કોઈ ખોદકામમાંથી મળી નથી.

હરપ્પન સંસ્કૃતી વીશે ભલે મર્યાદીત માહીતી હોય; પણ એના પછીના સમય પરની એની અસરને અવગણી ના શકાય. અહીંસક વીચારધારા ધરાવતા બૌદ્ધ અને જૈન ધર્મનાં મુળ શાન્તીપ્રીય હરપ્પન સભ્યતામાં હોવાની શક્યતા વધારે છે. યુદ્ધવીરોને બીરદાવતી લડાયક વૈદીક સભ્યતામાં હોવાની શક્યતા ઘણી ઓછી છે.

વૈદીક કાળની સૌથી મોટી પુંજી છે ગ્રંથો, મહાગાથાઓ અને અન્ય પુસ્તકો. વીવીધ વીષયો પરનું લખાણ ત્યારથી જ શરુ થયું છે. એમાં સમાયેલું વીસ્તૃત જ્ઞાન આજે પણ એટલું જ સુસંગત છે. છતાંયે પુસ્તકોની કેટલીક મર્યાદાઓ હોય છે. એ ક્યારે લખાયાં અને પાછળથી એમાં કેટલા અને કેવા ફેરફાર થયા એ વીશે ચોક્કસપણે કંઈ કહી શકાતું નથી. શું હોવું જોઈએ અને શું હોઈ શકે છે, એવી લેખકની કલ્પનાઓ અને અપેક્ષાઓ પુસ્તકોમાં વધુ હોય છે. એ બધું સો ટકા વાસ્તવમાં હતું એમ માની લેવામાં ભોળપણ છે. વૈદીક કાળનું જ્ઞાન સૈદ્ધાન્તીક વધુ છે. એનો વ્યાવહારીક ઉપયોગ ઘણી સદીઓ પછી થયો હતો. આજે પણ નવી શોધના વ્યાવહારીક ઉપયોગ માટે સદીઓ નહીં; તો દાયકાઓ તો લાગે જ છે.

પૌરાણીક દન્તકથાઓ અવાસ્તવીકતા, અસંગતતા અને વીરોધાભાસથી ભરપુર છે. એની ચર્ચા કરવી એટલે કે વીવાદનો મધપુડો છંછેડવા બરાબર છે. ચમત્કારોથી ભરપુર વાર્તાઓ લોકોને વધુ ગમે છે. પણ દન્તકથાઓને જ્યારે ઈતીહાસના નામે ફેલાવવામાં આવે છે ત્યારે અજ્ઞાન અને અન્ધશ્રદ્ધા પાંગરે છે. ભુતકાળનું ગૌરવ હોવું એ એક વાત છે અને એના નશામાં પડ્યા રહેવું એ બીજી વાત છે. દરેક પ્રકારનો નશો પ્રગતીની આડે આવી, હાનીકારક બને છે.

વર્ણવ્યવસ્થાને પરીણામે શરુ થયેલી અસ્પૃશ્યતા પણ વૈદીક સભ્યતાની જ ઉપજ છે. આ ભારતીય સંસ્કૃતી પરનું સૌથી મોટું કલંક રહ્યું છે. વૈદીક સમય બ્રાહ્મણો અને ક્ષત્રીયો માટે ભલે સુવર્ણકાળ હોય, આમપ્રજા માટે તો નહોતો જ.

છેલ્લાં 2500 વરસની ઈતીહાસની નોંધ પ્રમાણે ઉત્તર ભારતનો સુવર્ણકાળ મૌર્યવંશ, ગુપ્તવંશ અને પછી ઠેઠ મોગલકાળના પુર્વાર્ધ દરમીયાન ગણવામાં આવે છે. આ ઉપરાન્ત ભારતમાં એક લાખથી પણ વધારે રાજાઓ થઈ ગયા. એમાંથી ઈતીહાસમાં ગૌરવશાળી સ્થાન પામેલા રાજાઓની સંખ્યા સો બસોથી વધુ નહીં હોય.

રાજાશાહીના જમાનાની ફક્ત ઉપલા વર્ગની વાતો જ નોંધાયેલી છે. 99 ટકા પ્રજાની કથા–વ્યથાનો ક્યાંય અણસાર નથી. પ્રજાનો એક મોટો ભાગ દલીત ને દાસ હતો. એમના માટે સમ્પત્તી રાખવાનું શક્ય અને માન્ય નહોતું. બીજો વીશાળ વર્ગ ખેડુતોનો હતો. તેમના પર કરનો બધો ભાર હતો. પુષ્કળ રાજકીય અને સામાજીક બન્ધનો હતાં. શીક્ષણ અને સ્વતન્ત્રતાનો સદન્તર અભાવ હતો. પડોશી રાજ્યો વચ્ચેનાં યુદ્ધો એક સામાન્ય ઘટના હતી. વેપારી વર્ગ સીવાયની વ્યક્તીઓ માટે આર્થીક પ્રગતી શક્ય નહોતી.

સદીઓ સુધી ચાલેલી આ રાજકીય અરાજકતા છતાંયે ભારતીય સંસ્કૃતી પાંગરતી રહી છે. ભવ્ય મન્દીરોનું નીર્માણ, શીલ્પ–સ્થાપત્ય, ચીત્રકામ, સંગીત, સાહીત્ય વગેરે જે આજે પણ મોજુદ છે એનો મોટો ભાગ આ સમય દરમીયાન થયેલો છે. કમનસીબે ઈતીહાસે એની ખાસ નોંધ લીધી નથી.

વર્તમાનને વખોડનારાઓને નહીં દેખાય; પણ ભારત માટે સાચો સુવર્ણકાળ હવે આવ્યો છે. સાચો એટલા માટે કે પહેલાંની જેમ એ ફક્ત ખાસ વર્ગ પુરતો મર્યાદીત નથી; પણ દેશ આખા માટે છે. આ માત્ર આર્થીક પ્રગતી નહીં; પણ બધી બાબતોને લાગુ પડે છે.

પહેલીવાર ભારત એક રાષ્ટ્રીય એકમ તરીકે ઉભરી આવ્યો છે. ગુંગળાવી નાંખતી પુરાણી સમાજવ્યવસ્થા અને શોષીત આર્થીક વ્યવસ્થામાંથી દલીત, ગરીબ અને સ્ત્રી વર્ગ બહાર નીકળી રહ્યો છે. રાજકીય સ્વતન્ત્રતા કરતાં આ સામાજીક અને આર્થીક સ્વતન્ત્રતા એમના માટે વધુ મહત્ત્વ ધરાવે છે. શીક્ષણ વધ્યું છે. ચેપી રોગો અંકુશમાં આવ્યાથી આવરદા લંબાઈ છે. બધાને વીવીધ ક્ષેત્રોમાં પોતાની કુશળતા અજમાવવાની તક મળે છે. કળા, મનોરંજન, વ્યવસાય વગેરે બધાં ક્ષેત્રોમાં આ સ્પષ્ટ દેખાય છે. જાતીવાદ, અસ્પૃશ્યતા, પરપ્રાન્તના લોકો પ્રત્યેનો અણગમો અને અવીશ્વાસ ઓછા થઈ રહ્યા છે. વીકસતાં શહેરો, પરીવહન અને સંદેશાવ્યવહારનો આની પાછળ ઘણો મોટો ફાળો રહેલો છે.

આર્થીક પ્રગતીના આંકડામાં ન દેખાતી આ બધી બાબતો સમાજ અને દેશને શક્તીશાળી બનાવવામાં અને ટકાવી રાખવામાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે.

છેલ્લા બે દાયકામાં આર્થીક ક્ષેત્રે સાધેલ પ્રગતીને લીધે ભારત આજે આગલી હરોળના દેશો વચ્ચે સ્થાન મેળવી શક્યું છે. આની પાછળ આપણી મહેનત અને કાબેલીયત ઉપરાન્ત કુદરતની કૃપા અને આન્તરરાષ્ટ્રીય સંજોગોએ પણ મોટો ભાગ ભજવ્યો છે. આઝાદીએ આપણને આબાદીની જે તક આપી છે, એનાં ફળ બધાને એકસરખાં અને આપોઆપ નથી મળી જવાનાં. એ મેળવવાની સ્વતન્ત્રતા મળી છે, જે પુરાણી સમાજવ્યવસ્થામાં નહોતી. લાયકાત આપણે પોતે કેળવવાની છે.

બદલાતી સામાજીક અને આર્થીક વ્યવસ્થાથી જેમને કંઈક ગુમાવવાનું છે એ લોકો ‘ધર્મદ્રોહ’, ‘નૈતીક અધ:પતન’, ‘સંસ્કૃતીનો નાશ’ વગેરે જેવા નારા લગાવીને એનો વીરોધ કરતા રહેવાના. એમની વાતોમાં જે થોડુંઘણું પણ સત્ય હોય તે એકંદરે થયેલ પ્રગતીની ચુકવવી પડતી કીમ્મત ગણાશે.

કોઈ ગમે તેટલો વીરોધ કરે પણ જે પરીવર્તન ચાલુ થયું છે તે અટકવાનું નથી; કારણ એમાં આપણે એકલા નથી. આપણા પુરતું એને ધીમું પાડી શકીએ એટલું જ.

પહેલી વખત મોટાભાગની દુનીયા એક જ દીશામાં જઈ રહી છે. એ છે ‘લોકશાહી રાજ્યપદ્ધતી’ અને ‘મુક્તવેપારની આર્થીક નીતી’. બીજા વીશ્વયુદ્ધની સમાપ્તી અને ભારતની આઝાદી વખતે ફક્ત 25 દેશોમાં લોકશાહી હતી. 60 વરસમાં એ સંખ્યા વધીને 125 જેટલી થઈ ગઈ છે. જે દેશોએ હજી સુધી લોકશાહી નથી અપનાવી, એમણે પણ મુક્ત આર્થીક નીતી અપનાવી છે. દુનીયાથી અલીપ્ત રહેવાની સનાતની મનોવૃત્તી અધોગામી છે.

આપણી જ પ્રગતીથી અંજાઈને આપણે આત્મગૌરવથી આગળ વધી આત્મપ્રશંસા / આત્મશ્લાઘા સુધી જવા લાગ્યા છીએ. બેઠામાંથી ઉભા થઈ ચાલવા માંડ્યું છે. દોડવાનું તો હજી બાકી છે, ત્યાં જીતવાની વાતો થાય છે. કેટલાક લોકોને મહાસત્તા બનવાનું હાથવેંતમાં લાગે છે.

ઉંચું ધ્યેય રાખવામાં કંઈ ખોટું નથી; પણ પગ જમીન પર હોવા જરુરી છે. સફળતા કોઈને સારો કે ખરાબ નથી બનાવતી. માણસમાં કે સમાજમાં મુળભુત ગુણ કે અવગુણ, જે પણ હોય એને તે બહાર લાવે છે. આ નીયમ માણસની જેમ રાષ્ટ્રને પણ લાગુ પડે છે.

હવે વાસ્તવમાં એક ડોકીયું કરીએ. દુનીયાની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ ભારતમાં વસે છે. જ્યારે આપણે દુનીયામાં થતા કુલ ઉત્પાદનના છઠ્ઠા ભાગ જેટલું ઉત્પાદન કરીએ, દરેક ક્ષેત્રની ‘એકસો શ્રેષ્ઠ’ની યાદીમાં 17 નામો ભારતીયોનાં આવતાં થાય ત્યારે આપણે દુનીયાની સરેરાશમાં આવ્યા કહેવાઈશું. આગેવાન બનવાની વાત પછી આવશે. રમતગમત જેવાં કેટલાંક ક્ષેત્રોમાં હજી તો ખાતું માત્ર ખોલ્યું છે.

રાષ્ટ્રીય ઉત્પાદનમાં જે રાષ્ટ્રોથી આગળ નીકળવાની સંભાવના છે એમના કરતાં આપણે વીસ્તારમાં દસ ગણા અને વસતીમાં પંદર ગણા જેટલા મોટા છીએ. વૈશ્વીકીકરણ અને ઔદ્યોગીકીકરણના આ જમાનામાં જ્યારે માનવ સંખ્યા એ ખરી સંપત્તી છે, ત્યારે વસતી પ્રમાણે દેશોના ક્રમ અને મહત્ત્વ રહે એ સ્વાભાવીક છે. આપણું વાજબી સ્થાન હોવું જોઈએ એ તરફ આગળ વધી રહ્યા છીએ એટલું જ. આજે વસતીની રીતે ભારત દુનીયાનો બીજા નંબરનો અને ક્ષેત્રફળની રીતે દુનીયાનો સાતમા નંબરનો મોટો દેશ છે (ક્ષેત્રફળમાં ભારતથી ઘણા મોટા દેશ એવા કેનેડા અને ઓસ્ટ્રેલીયાની જેટલી વસતી છે એટલો વસતીવધારો ભારતમાં બે વર્ષમાં થાય છે !)

આર્થીક પ્રગતીથી ન્યાયતંત્રની જડતા, કાયદો અને વ્યવસ્થાનો અભાવ, ભ્રષ્ટાચાર, ટ્રાફીકની સમસ્યા, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે પ્રશ્નો હલ નથી થઈ જવાના. એમ કહેવાય છે કે અંદરથી સડો લાગ્યા સીવાય બહારથી પડી ભાંગવું સહેલું નથી. આને જ બીજી રીતે જોતાં એમ કહેવાય કે બીજાઓ પર સરસાઈ મેળવવી હોય તો અંદરનો સડો દુર કરવો આવશ્યક છે. મહાસત્તા બનવા માટે આ બધું કરવું જરુરી છે.

રાજકારણીઓ ભલે આન્તરીક વીવીધતાને આપણી શક્તી કહેતા હોય; પણ એ એક પ્રચાર જ છે. વાસ્તવમાં આપણો જાતીવાદ, ધર્મવાદ વગેરે પ્રગતીમાં હમ્મેશાં બાધારુપ–અડચણરુપ રહ્યા છે. આપણું રાજકારણ એનો પડઘો પાડે છે.

ભાગ્યમાં માનતી અને મન મનાવીને બેસી રહેતી અશીક્ષીત, ગરીબ પ્રજા હવે એટલી ભોળી નથી રહી. આનો યશ ટી.વી.ને ફાળે જાય છે. એમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વધી છે. આર્થીક અસમાનતા પ્રત્યેના એમના પ્રતયાઘાતો પ્રગતીમાં અવરોધ બની શકે છે.

આટલાં બધાં નકારાત્મક પરીબળો ઉપરાન્ત વર્તમાનકાળ આગલા કોઈપણ સમયકાળ કરતાં પ્રજા માટે વધારે સારો છે. ભારતના સાચા સુવર્ણકાળની આ હજી શરુઆત છે. મધ્યાહ્ને પહોંચવામાં હજી ઘણી વાર છે. જ્યારે પણ ત્યાં પહોંચીએ એનો યશ પ્રગતીશીલ નવી વીચારસરણીને હશે. પરીવર્તન વીરોધી જુનવાણી માનસને નહીં.

ધર્મ, સંસ્કૃતી, ઈતીહાસ બધાં એકબીજાં સાથે વણાયેલાં છે. આ બધું લખાણ કોઈ એક ચોક્કસ ધર્મ કે સંપ્રદાયને લક્ષમાં રાખી કરવામાં નથી આવ્યું. કેટલીક બાબતો સામાજીક સ્તરે, કેટલીક રાષ્ટ્રીય સ્તરે જ્યારે મોટાભાગની માનવસમુદાયને સમ્બોધે છે. એટલા માટે એનો સન્દર્ભ જોવો જરુરી છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના 2007ના નવેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: GOVIND MARU, 405, Evaz Apparel CHS, (Krishna Appartments, B Wing), Opp. Ayyappa Temple, Samata Nagar, Sectore: 12 E, BONKODE VILLAGE,  Navi Mumbai 400 709  સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:       govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 14/06/2013    

10

20 Comments

  1. 1.
    ‘વર્ણવ્યવસ્થાને પરીણામે શરુ થયેલી અસ્પૃશ્યતા પણ વૈદીક સભ્યતાની જ ઉપજ છે. આ ભારતીય સંસ્કૃતી પરનું સૌથી મોટું કલંક રહ્યું છે. વૈદીક સમય બ્રાહ્મણો અને ક્ષત્રીયો માટે ભલે સુવર્ણકાળ હોય, આમપ્રજા માટે તો નહોતો જ.’

    2.
    ‘ રાજાશાહીના જમાનાની ફક્ત ઉપલા વર્ગની વાતો જ નોંધાયેલી છે. 99 ટકા પ્રજાની કથા–વ્યથાનો ક્યાંય અણસાર નથી. પ્રજાનો એક મોટો ભાગ દલીત ને દાસ હતો. એમના માટે સમ્પત્તી રાખવાનું શક્ય અને માન્ય નહોતું. બીજો વીશાળ વર્ગ ખેડુતોનો હતો. તેમના પર કરનો બધો ભાર હતો. પુષ્કળ રાજકીય અને સામાજીક બન્ધનો હતાં. શીક્ષણ અને સ્વતન્ત્રતાનો સદન્તર અભાવ હતો. પડોશી રાજ્યો વચ્ચેનાં યુદ્ધો એક સામાન્ય ઘટના હતી. વેપારી વર્ગ સીવાયની વ્યક્તીઓ માટે આર્થીક પ્રગતી શક્ય નહોતી.’

    3.
    ‘ભારતના સાચા સુવર્ણકાળની આ હજી શરુઆત છે. મધ્યાહ્ને પહોંચવામાં હજી ઘણી વાર છે. જ્યારે પણ ત્યાં પહોંચીએ એનો યશ પ્રગતીશીલ નવી વીચારસરણીને હશે. પરીવર્તન વીરોધી જુનવાણી માનસને નહીં.’

    Like

  2. હું અર્થશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી. જ્યારે ભારતના વિકાશની વાત કરીએ ત્યારે બે વાત ભૂલી ન જવાય. હું ૧૯૬૮મા યુ.કે ગયો ત્યારે ૧ પાઉન્ડ = લગભગ ૨૦ રૂપિયા હતા. ૧૯૭૦માં અમેરિકા આવ્યો ત્યારે ૧ ડોલર = ૮ રૂપિયા હતા. વૈશ્વિક સ્તરે ભારતના અર્થતંત્રનું મૂલ્યાકન વિદ્વાનો પર છોડું છું. મૂળભૂત સંશોધનો પાશ્ચાત દેશોમા વધુ થાય છે. ભારત અને ચીન નકલકરવામાં નિપુણ અને ઝડપી છે. હું માત્ર છેલ્લા ૭૫ વર્ષની જ વાતો કરું છું. આદીકાળની નહીં.
    જો રાજકીય અને સામાજિક ભ્રષ્ટાચાર અંકુશમાં ન આવે તો સુવર્ણકાળ ઉગતો જ આથમી જશે.

    Like

  3. પ્રવીણભાઈની વાત સાથે સહમત છું. કદાચ તો વિકાસની વ્યાખ્યામાં ભુલ થઈ રહી છે. અમીર – ગરીબ વચ્ચેની ખાઈ મોટી થતી જાય છે. વિકાસ ‘વર્ટીકલ’ થઈ રહ્યો છે અને તેથી વિશેષ દ્રશ્યમાન થાય છે. આસપાસથી પ્રગતિ જોઈને, સમાજનો ઘણો મોટો ભાગ પોતાની ‘અપેક્ષાઓ’ વધારી ‘અપેક્ષીત’ બને છે પણ તે સંતોષી શકતો નથી અને તેથી ગુનાખોરી અને ભ્રષ્ટાચાર જેવા રસ્તાઓ અખત્યાર કરે છે. સૌનો સાથે વિકાસ શક્ય બને ત્યારે જ ખરેખર વિકાસ થઈ શકે તેવું મારું માનવું છે. જ્યાં નેતાગીરી જ યોગ્ય ન હોય ત્યાં દોરવણી કઈ દિશાની મળે ?

    Like

  4. sari vat lai aavyaa pan vaidik yugni uplabdhhio atyre ketlik upyogma che jevi ke vaidik ganit , ane dharm shastr .je shnshodhan magi le che ,

    ishwar purohit

    Like

  5. well presented both past and present. good hope for future for which i agree too. nice to read and reread this article. thanks.

    Like

  6. Yes, things are pretty bad in India even today. However, life for ordinary people was far worse in past. That is the main theme of this article.

    If we accept that reality, then only we can appreciate the progress made in healthcare, life expectancy, educational opportunity, freedom of relocation, freedom to choose our profession etc.etc.

    Again, this is only the beginning. For the first time in history, We have power to choose our leaders. Only we, as a group, are to be blamed for choosing wrong leaders.

    Like

  7. મુરજી ભાઈ,
    તમારા લેખોમાં હંમેશાં સોનાની ‘ટકોર’ મને માલુમ પડી છે,તમે ‘આપણી સંસ્કૄતિ મહાન છે’ એવુ વારંવાર બણગા ફુંકતા લોકોને પણ આકરો અને ‘તમતમતો’ ઉત્તર આપી દીધો છે! કોઇ પણ ધર્મને આડશમાં(પડદામાં) ના લેતાં આ તમે ભારતમાં વસતા બધાજ લોકોની વાત કરી છે,ઈતર ધર્મના લોકો છેલ્લાં ઘણાં દાયકાઓથી તે ધર્મના ઉદ્ભવસ્થાન તરફની વિચારધારા પોતાનાં આંગણાં કે ઘર પુરતી ના રાખતાં હિન્દુસ્તાનનાં રાજ્યબંધારણમાં અને જાહેરજીવનમાં પણ પેસાડવાની પેરવી ચાલુ રાખે જ છે, આજના વાતાવરણમાં જ્યાં ‘મત બેન્ક’નો શાપતો લાગી ચુકયો છે તે પણ હિન્દુસ્તાનને પ્રગતિનાં ડગ ભરવામાં નડી રહ્યો છે, કહેવાતા ‘સેક્યુલરો’ બહુમતિ સમાજમાંથી આવે છે પણ તેમનીજ ‘નિંદા’ કરવામાં પાછા પડતા નથી,આ ફરી હિન્દુસ્તાનના રાજકારણની વાત થઈ ગઈ! વારંવાર ‘ભારતીય સંસ્કૄતિ’ના ગાણાં ગાવાથી અહં પોષાવા સિવાય કોઈ પણ રીતે સમાજ,વ્યાપાર,ઉદ્યોગની પ્રગતિ
    નથી થતી એ આપણને બધાને પણ જાણ છે.

    વૈદિક કાળના અવશેષો કોઈ કાળે હિન્દુસ્તાનના કોઇ પણ ભાગમાં મળી શકવાની ૧૦૦% શક્યતા નથી,હજારો વર્ષના ઈતિહાસમાં પણ ભૌગોલિક ફેરફારો થતા રહ્યા છે,નદીઓના વહેણો પણ બદલાયાં હશે,પ્રજાનાં સ્થળાન્તરો પણ આબોહવા,વાતાવરણના કારણે અવારનવાર થતા રહ્યા હશે,આવા અનેક કારણોને હિસાબે કોઈ અવશેષો મળી શકે તેમ નથી.તાડ્પત્રો,શાસ્ત્રો,લેખો કે પુસ્તકોમાં વર્ણવાયેલી,લખેલી વાતો જેવા કોઈ રાજમહેલો કે ઇમારતોના કોઇ અવશેષો મળ્યાની જાણ જાહેરમાં આવી નથી.

    મૌર્યકાળ,અશોક સામ્રાજ્ય,ગુપ્તકાળએ નોંધણીય ઈતિહાસ છે આ બધાં ભારતીય પરંપરાના છે જેમાં ‘સર્વધર્મ સમાન’ હતાં,વર્ણવ્યવસ્થાનું કલંક તો હતું જ પણ બ્રાહ્મમણવાદનો ત્રાસ અને ભેદભાવ પછીની સદીઓમાં વધતાં પરીસ્થિતી વધુ વણસી હતી,જેમાં ચાર વર્ણોમાંથી ચારસો થયા! અને ઉત્તરોત્તર સંખ્યા વધી રહી. આજે તેનાં શાપમાં સપડાયા છીએ તેની નાગચૂડ છોડાવવી મુશ્કેલ બની છે અને હવે ઉચ્ચજ્ઞાતિ,દલિત,પછાત,અર્ધપછાત વર્ગોના નામે વિકસતી જાય છે.પ્રગતિ તો કોઇ રુન્ધી નથી શકવાનું પણ તે કાચબાની ગતીએ રહે તો સમાજને નુક્સાન થવાનું અને નબળાં લોકોને ઘણું સહન કરવું પડે.

    Like

  8. મિત્રો,
    મુળજીભાઇનો આ આર્ટીકલ ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને વણી લે છે. રાજકારણ, સામાન્ય નાગરીકની જીંદગી, અને ઇતિહાસને હંમેશા ગર્વથી પોતાની સાથે રાખવાના માનસિક વલણને વણી લીઘાં છે. ઇન્ડસ્ટરિયલ વિકાસની સાથે સાથે આજે જે જાહોજલાલી દેખાય છે તેને માટે ફુગાવાને પણ કારણભૂત લોકો ગણે છે. વિકીપીડીયાના રીપોર્ટ મુજબ અમેરીકન ડોલર સામે રુપિયાના મુલ્યાંકનનો ઇતિહાસ ખૂબ ઇન્ટરેસ્ટીંગ છે.
    Rupees per 1 $.
    1917 = 13.00 / 1925 =10.00 / 1947 = 1.00 / 1952 =5.00 / 1970 = 7.60 / 1975 = 8.409 / 1980 = 7.887 / 1985 = 12.369 / 1990 = 17.504 / 1995 = 32.427 / 2000 = 45.00 / 2006 = 48.336 / 2007 Oct. = 38.48 / 2008 June. = 42.51 / 2008 Oct. = 48.88 / 2011 Sept 21 = 48.24 / 20011 Nov 17 = 55.395 / 2012 May 23 = 56.25 / 2012 June = 57.15 / 2013 May 15 = 54.73 / 2013 June 10 = 58.150 / 2013 June 11 = 58.650 & 2013 June 12 = 58.500.

    Year 1947 was the BEST.

    ૧. મહાસત્તા બનવા માટે………..૧. ઓછા રાજકિય પક્ષો હોવા જોઇઅે. ૨. રાજકિય પક્ષોની અેકતા જરૂરી હોય છે. દેશના વિકાસની જ ચિંતા દરેકને હૈયે હોવી જરુરી છે. ૩. દેશદ્રોહ આપણો પુરાણો રોગ છે તેને નાબુદ કરવો રહ્યો. ૪. ટેલંન્ટેડ વિજ્ઞાનીઓની કદર કરીને તેમને જોઇતી રિસર્ચ માટેની સગવડો પુરી પાડવી રહી. ૫. રીસર્ચરોના કામમાં પોલીટીક્સ જવુ ના જોઇઅે. પરદેશમાં જઇને ભારતિય વિજ્ઞાની જે સફળતા હાંસલ કરે તેને પોતાના માણસે મેળવેલી સિઘ્ઘિ ગણાવીને ડાન્સ કરવાનું બંઘ કરવું રહ્યુ. પ્રવિણભાઇ કહે છે તે સાચુ છે. ભારત આજે પણ વેચાતી લીઘેલી પ્રોસેસોને સહારે મેન્યુફેક્ચરીંગ કરે છે. ( કદાચ ચોરી કરેલી પ્રોસેસ પણ હોય. ) પોતાની રિસર્ચ કેટલા ટકા ?. ખૂબ ઓછા. ક્વોલીટી ઉપર ઘ્યાન આપવું ખૂબ જરુરી છે.
    ૨. ભવ્ય ભૂતકાળને મ્યુઝીયમમા મૂકીને શાળાનાં છોકરાંઓને ઇતિહાસ રુપે શીખવો તે બસ છે. ગડા સાહેબ કહે છે તેમ ભુતકાળની ભવ્યતાના પુરતાં પુરાવા પણ નથી મળતાં.
    વર્તમાનને મજબુત કરો. મજબુત વર્તમાન ભાવિ પઢીને માટે વિટામીન અને પ્રોટીનપુરાં પાડશે.
    ૩. અભણ અને ગુનેગાર રાજકારણીઓને દૂર કરીને ભણેલા અને દેશદાઝવાળા નિસ્વાર્થી લીડરોને દેશનુ શુકાન શોપો.
    ૪. પ્રવિણભાઇની ભવિષ્યવાણિ સાબિત કરવામાં આજના ભારતના ભ્રષ્ટાચારી ચાલકો જરુરથી આગ પુરી પાડી રહ્યા છે તે ચોખ્ખુ દેખાઇ રહ્યુ છે. ભ્ષટાચારી પોલીટીશ્યનોને પગલે ચાલીને આખો દેશ લાંચ લેતો થઇ ગયો છે જથી કરીને સામાન્ય નાગરીકની રોજીંદી જિંદગી દોજખ બની ગઇ છે. મોઢું હસતું રાખીને જીવે છે. આમાં પ્રોગ્રેસ સરફેસ પર છે. ડોલરની સામે આજના રૂપિયાની કિંમત જેટલો…………
    વાચક મિત્રો વઘુ ઉમેરી શકે……
    ભાવિ પઢીનું ઉજ્જ્વળ ભાવિ જ ભારતને સુવર્ણયુગના દર્શન કરાશે. આજના કારભારથી તે પામી શકાશે નહીં.
    અમ્રત હઝારી.

    Like

    1. Discussion of Exchange rates is too much off the topic. since it is already started, it is worthwhile to clarify few things here.

      Exchange rates were totally controlled by RBI until 1980s. Besides, all rates were calculated via British pound. In 1960s US$ was fixed at Rs.3.75. In 67-68 it was devauled to Rs.7.50 fixed rate. Because of these controls there was 100% premium in black market those days. They started floating in 80s.

      Like

  9. ગતાંકથી આગળ………….
    શ્રી ભરાડીયાના લેખમાં ઘર્મોનો જે ઉલ્લેખ છે તે પણ દેશની હાલક ડોલક પરિસ્થિતી માટે કારણભૂત ફેક્ટર છે. આજે ઘાર્મિક યુઘ્ઘો દેશની બરબાદી નાતરી રહ્યા છે. માનવ ઘર્મની સ્થાપના જો શક્ય બને તો તે દેશને માટે પ્રબળ કારણ પુરુ પાડશે.
    આભાર.
    અમ્રત હઝારી.

    Like

  10. Friends,
    This is a interesting info. I thought let me share.

    On CNN TV , today they released one info, interesting enough for we Indians to boast ( ? )….

    England’s Royal family. ………Recent DNA tests revealed that Princess Diana, the mother of Prince William and Prince Harry, had Indian ancestor. Her grand, grand, grand ……..mother was from India.

    So, the Royal family has Indian heritage….and that says…England ( also those countries where England had its rule, including India ) was partly run by a Indian blood / gene.

    Like

  11. Suvarna yug (Golden period) does not mean everything for everybody or being ahead of everyone else. Suvarnayug means, in general and this article in particular, the time period which is better than any other period for that country, company or specific group of people. Even USA had problems all along in spite of being the world leader for decades.

    There is nothing wrong in copying a product. Everyone does not need to reinvent everything that comes in the market. Most of Asia progressed that way while we wasted the time because of wrong policies and misplaced pride. What needs to be kept in mind while copying, is that the product is made of good quality at affordable price.

    Like

  12. Very well described article. I do believe History do repeat at any given time. However, if we do not keep our heritage as it was then we definitely will loose value of it. With saying this, Yes India is on verge becoming Golden Youg Country.

    One observation about history comparison: Number country has compared of their past with India where they are very young countries. Indian history goes way beyond last 5000 years. Unfortunately, our ancestor did not keep good trek record.

    Why we do not teach Veda to our children? Yes technology can do lot more than we have ever done before, but who remember “AAMLI” once they are lost in technology?

    Pravinbhai and Jagdishbhai comment mention about Politics and corruption as well as rich/poor class gap…. who is responsible for this?

    I do believe India need changes in politics. She need strong leader with fresh thoughts…… If we manage this then yes we will see India in Golden Youg. In closing, a Swiss economics & financial specialist has predict that India will be equal to USA inall aspect by 2048….. I do believe this is possible.

    Like

  13. કલિયુગ ધન્ય છે, આઈફોન છે, પ્લેન છે, કમ્પ્યુટર છે, કાર છે એ.સી. છે, સતયુગમાં શું હતું , શકોરાં ?

    Like

  14. વૈદીક સભ્યતાના પ્રતીક એવાં શસ્રો, અસ્ત્રો, રાજાઓના મુગટ, તુટેલા રથના ભાગ વગેરે વસ્તુઓ મળી છે પણ અહી ભારતમાંથી નહિ કાઝાકીસ્તાનમાથી. દાટેલા ઘોડાના હાડપિંજર પણ મળ્યા છે. સ્ટોરી ઓફ ઇન્ડિયા નામની બી.બી સી ની ડોક્યુમેન્ટરી જોઈ લેવી.. આપણે ઈતિહાસ નથી લખ્યા પુરાણો લખ્યા છે. કોઈ તાળો જ નાં મળે..બધી વાર્તાઓ તક્ષશિલામાં બેસીને લખાયેલી છે, મનુસ્મૃતિ પણ ત્યાં જ લખાયેલી. નાલન્દા બૌદ્ધ હતું માટે ત્યાં બૌદ્ધ સાહિત્ય લખાયેલું. કવિ જયદેવ ગીતગોવિંદ લખ્યા પછી રાધાકૃષ્ણ ફેમસ થયા. એના ભાઈ બોપદેવે ભાગવત લખ્યું.. આર્યો યુરોપ અને રશિયાની દક્ષિણેથી ભારત આવ્યા છે. અહીની મૂળ સંસ્કૃતિ હરપ્પન છે. અને દક્ષિણ ભારતની દ્રવિડિયન…માનવી આફ્રિકાથી નીકળી મિડલ ઈસ્ટ થઇ સીધો દક્ષિણ ભારત ગયો છે. સૌથી જુનો gene માર્કર M 130 તામીલનાડુનાં વિરુમાંડી નામના ભાઈના gene માંથી મળ્યો છે. જે ઓસ્ટ્રેલીયન આદિવાસીઓમાં કોમન છે.

    Like

  15. There are common threads between Ramayan and Greek Epic “Helen of Troy”
    What does this suggest? Mere coincedence or something more?

    Like

  16. મુરજીભાઇ,
    તમારી વાત ગમી. થોડી લીન્કો જોડવાનું કામ તજજ્ઞોઅે કરી છે. મહાભારત અને રામાયણ સાથે જોડવાનું પણ કરી જોયુ છે. થોડા નામો કે પાત્રોને સરખાવી જોવાનું પણ કરેલું છે. દા. ત.
    દ્રોપદી કે સીતાને હેલન ઓફ ટ્રોઇ સાથે સરખાવાય છે. તે ઉપરાંત………..
    Helen was in Paris . Her depressed husband goes to get her back. Paris was burnt twice. etc. Bhishma and many are also compared.
    Troy = Tripura
    Argus = Indra
    Uranus = Varun
    Time and plot of story are compared in details in many many research studies.

    Like

  17. Actual the story goes like this to my knowledge.(Most of the kingdoms those days were city states like todays HongKong, Songapore etc.)

    Wife of one of the Greek king elopes (not kidnapped) with prince of Troy named Paris. Troy was across the ocean and very rich and powerful kingdom. Greek, king had a powerful brother who gathers other Greek kings and they together invade Troy. Eventually, troy falls and was then burnt.

    The main fighter from Greek side, Achilles, had some special powers and also a curse. Paris’s brother was also unbeatable except only by Achilles. there are some other similarities here and also in Homer’s epics Iliad and Odyssey.

    All this can not be just coincidence.

    Like

  18. Learned men travelled routinely between Greece, Iran and North-West India (Takshashila?) during several centuries B.C. That is how Alexzander was tempted to invade Iran and India. He lived in Iran for seven years and even married one princess there. Blind poet Homer lived in Greece some three centuries before Alexander.

    This is how much is known to me thru history books. Beyond this would be a guess work.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s