તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન…?

Jivan Sarita ne Tire

નાનપણમાં અમે મામાને ત્યાં ફરવા જતા. મામા મજાકમાં પુછતાં, ‘બોલો અક્કલ બડી કે ભેંસ… ?’ અમે બધા છોકરાઓ સમુહસ્વરમાં બોલી ઉઠતાં – ભેંસ… !’ અક્કલની ઉંચાઈ માપવા માટે બુદ્ધીની મેઝરટેપ જોઈએ; પણ તે વખતે અક્કલ દુધીયા દાંત જેવી કુમળી… આંખોની ફુટપટ્ટી વડે જે મોટું જણાતું તે અમને મોટું લાગતું. આજનાં બાળકો ખાસ્સાં પરીપકવ હોય છે. તેમની સામે ચોકલેટ અને સો રુપીયાની નોટ ધરવામાં આવે તો તેઓ ચોકલેટ નહીં; સોની નોટ લઈ લે છે. (ત્રીજા ધોરણમાં ભણતા વીદ્યાર્થીને પુછવામાં આવ્યું, ‘કુંભમેળો ઉપયોગી કે વીજ્ઞાનમેળો…’ તેણે જરા વીચારીને જવાબ આપ્યો : ‘વીજ્ઞાનમેળો’… સુંદર જવાબ)

એકવાર ટીવી પર બાળકો ટીવી સીરીયલ જોઈ રહ્યાં હતાં. બન્યું એવું કે નાયીકાને ઉલટી થવા લાગી. એ સમયે એક બાળકે બીજા બાળક તરફ જોઈને અર્થસુચક સ્મીત કર્યું. બીજાએ બન્ને હાથના આંગળા એકમેકમાં ભીડી પારણું ઝુલાવવાની એક્ટીંગ કરતાં ‘ઉંવા… ઉંવા’ એવો અવાજ કાઢ્યો. કશાય પદ્ધતીસરના શીક્ષણ વીના આજનાં બાળકો ઘણું જાતીય જ્ઞાન ધરાવતાં હોય છે. તેમને સતત પ્રશ્નો થતા રહે છે. તેમનામાં શ્રદ્ધાવાદ કરતાં બુદ્ધીવાદ વધુ ઝડપથી વીકસી રહ્યો છે. એ સારી નીશાની છે. અન્ધશ્રદ્ધા સામેની તેમની પ્રતીકારક શક્તી વીશેષ છે. પુજાની અગરબત્તી કરતાં કાચબાછાપ અગરબત્તીની ઉપયોગીતા તેમને વીશેષ જણાય છે. મન્દીરના ઘંટ કરતાં નીશાળના ઘંટ જોડે તેમને વધુ ઘરોબો છે. એક વાર આ સ્થળેથી લખ્યું હતું – ‘દેશની વસતી પ્રતી સેકન્ડે ટાઈમ–બૉમ્બના ટાઈમરની ગતીએ વધી રહી છે. એ સંજોગોમાં સમાજને નાળીયેર કરતાં નીરોધ વધુ ઉપયોગી છે.’ એક ચૌદ વર્ષના છોકરાએ એ ટાઈટલ લાયબ્રેરીમાં તેના બીજા મીત્રને બતાવીને કહેલું – ‘વાત સાચી છે.’ (સીત્તેર–એંશી વર્ષ પહેલાના કોઈ કીશોરને આ વાત સાચી ન લાગી હોત; બલકે નીરોધ એટલે શું એ પ્રશ્ન પર જ તે મુંઝાઈ ગયો હોત !)

આપણી મુળ વાત શ્રદ્ધાની સરખામણીમાં જીન્દગીની નક્કર જરુરીયાતો કેટલી મહત્ત્વની હોય છે તે અંગેની છે. અબીલ, ગુલાલ, કંકુ, લોબાન કે અગરબત્ત્તી એ શ્રદ્ધાનાં સાધનો છે; પરન્તુ શ્રદ્ધાપુર્તી એ પેટપુર્તી પછીના ક્રમે આવતી બાબત છે. માનવ–વસતીમાં શ્રદ્ધાવાદ કરતાં ભૌતીકવાદનાં મુળીયાં ઉંડાં છે. ઈશ્વરપુજા વીના જીવી શકાય; પેટપુજા વીના નહીં ! માણસને પ્રભુ વીના ચાલે; પંખા વીના નહીં. હમણાં એક મન્દીરમાં મેં ભગવાનની મુર્તીને માથે પંખો ફરતો જોયો. મુર્તીને પવનની જરુર હોય તો માણસને કેમ નહીં ? પણ અમે જે ધર્મશાળામાં ઉતર્યા હતા ત્યાં બધી રુમોમાં એક પણ પંખો નહોતો !

આજના વીજ્ઞાનયુગમાં બીલીપત્ર કરતાં બકનળી (ટેસ્ટટ્યુબ)નું મહત્ત્વ વીશેષ છે. આસ્તીક અને નાસ્તીકને સરખી ભુખ લાગે છે. આસ્થા એ આત્માનો ખોરાક છે. દાળરોટી એ પેટની જરુરીયાત છે. કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે કે માણસને શ્રદ્ધા કરતાં શીરામણની વધુ જરુર પડે છે. શ્રદ્ધાળુઓ એકાદ–બે ઉપવાસ કરી શકે; આખી જીન્દગી ભુખ્યા રહી શકતા નથી. ભગવાન વીના તેઓ જીવી શકે; પણ માણસ વીના એમનું કામ અટકી પડે. મન્દીર વીના ચાલી શકે; પણ સંડાસ વીના નહીં. સ્નેહ વીના જીવી જવાય; પણ શ્વાસ વીના નહીં. કોઈ પીઅક્કડને પુછજો. તે કહેશે, ‘મન્દીર વીના ચલાવી લઉં; પણ મદીરા વીના નહીં.’

મુળ વાત એટલી જ, માણસને શ્રદ્ધા કરતાં સાધનોની વધુ જરુર પડે છે. કોઈ કથાકારને ઑપરેશન કરાવવું જ પડે એવું હોય, ત્યારે તેણે મન્દીરનાં નહીં; હૉસ્પીટલમાં પગથીયાં ચઢવાં પડે છે. સંસાર છોડીને સાધુ બની ગયેલા લોકોને પણ જીવનજરુરીયાતનાં સાધનોની જરુર પડે છે. બસ–ગાડીમાં મુસાફરી કરવાને બદલે પગપાળા ભ્રમણ કરનારા સંતોનેય ચંપલ કે પાવડી વીના ચાલતું નથી. જૈન ધર્મના ઘણા વયોવૃદ્ધ સાધુ–મુનીઓ વ્હીલચેરમાં બેસી ભ્રમણ કરે છે. વીજ્ઞાનનો ઘોર વીરોધ કરતાં એ ગુરુઓ ધર્મપુસ્તકો વાચતાં પુર્વે આંખે ચશ્માં ચઢાવવામાં કશો છોછ અનુભવતા નથી. દાંતનું ચાડું પહેરવામાં પણ એમને વીજ્ઞાન પ્રત્યેનો તીરસ્કાર આડે આવતો નથી. સરદર્દ ઉપડે ત્યારે તેઓ પ્રભુને પ્રાર્થના કરતા નથી; પેરાસીટામોલ ટેબ્લેટ ગળી લે છે. એપેન્ડીક્સનું ઑપરેશન કરવાનું હોય ત્યારે તેઓ થોડાક સમય પુરતી વીજ્ઞાન પ્રત્યેની ઘૃણાને બાજુ પર રાખી હૉસ્પીટલમાં દાખલ થઈ જાય છે. ગંગાજળને જીવનજળ સમજતો સાધુ–સંત બીમાર પડે ત્યારે તેને ગંગાજળના નહીં; ગ્લુકોઝના બાટલા ચઢાવવા પડે છે. (જહાં કામ આવત સુઈ, વહાં ક્યા કરે તલવારી ?)

જે દીવસે ઈશ્વરની આરતી કરવાથી એઈડ્સ સાજો થઈ શકશે તે દીવસે નાસ્તીક લોકો પણ કાનની બુટ ઝાલીને શ્રદ્ધાળુ બની જશે. ઉનાળામાં પ્રસ્વેદની પીડા પંખાથી જ દુર થઈ શકે; પરમેશ્વરથી નહીં. (પરમેશ્વરને તો ખુદ મન્દીરમાં પંખો જોઈએ છે !) ક્યારેક થીજાવી દે એવી કાતીલ ઠંડી પડે છે ત્યારે ઈશ્વરના પ્રખર ભક્તને પણ શ્રદ્ધાનું આવરણ પુરું પડતું નથી. (શ્રદ્ધા સોલાપુરી ચારસાનો વીકલ્પ બની શકતી નથી) ભુખ લાગે ત્યારે ભગવાનની નહીં; ભાખરીની જરુર પડે છે. રોજ ગીતાના ચાર અધ્યાય વાંચવાનો તમારો પાકો ક્રમ હશે. તોય કેન્સર થયું હશે તો ગંગાજળ પીવાથી કે ચારધામની યાત્રા કરવાથી નહીં મટે. તે માટે કેન્સરની હૉસ્પીટલમાં દાખલ થવું જ પડે. શ્રી. હરીને રોજ ‘સાહેબજી’ કરી હોય તે ત્યાં કામ આવતી નથી.

જીવનમાં ડગલે ને પગલે શ્રદ્ધા કરતાં સાધનોનું આટલું મહત્ત્વ રહ્યું હોય ત્યારે સાધનોની જાળવણી જરુરી છે. જીવન એ જીવાત્માનું પ્લેટફોર્મ છે. જીવ મુસાફર છે. જીન્દગી એનો રસ્તો છે. એથી જીવ અને જીવનની પુરા આદરથી જાળવણી કરવી એ સૌનો જીવનધર્મ છે. ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવ્યા બાદ ઠેરઠેર માણસોને જીવતા જલાવી મુકવામાં આવ્યા. જીવ અને જીવન બન્ને સળગ્યાં. એમાં ન તો રામ રાજી થયા; ન અલ્લાને આનન્દ થયો. જીવતો જાગતો માણસ રહેંસાઈ જાય પછી સલામત રહેલી શ્રદ્ધા, બકરી કપાઈ ગયા પછી બાજુમાં પડેલા છરા જેવી હોય છે, એવી જીવલેણ શ્રદ્ધાને માથે આપણે કુરબાની કે શહીદીનું લેબલ લગાવી દઈએ છીએ. આગજનીને ધર્મયુદ્ધમાં ખપાવી દેવાય એનાથી મોટો ધાર્મીક દંભ બીજો એકે નથી. રામ–રહીમ માંહોમાહે કપાઈ મરે છે, ત્યારે ઈશ્વર અને અલ્લાનું અરણ્યરુદન માણસના કાન સુધી પહોંચતું નથી. કેટલા હીન્દુ મર્યા કે કેટલા મુસ્લીમ એવી ચર્ચા થાય છે. ખરો હીસાબ તો કેટલા માણસો મર્યા એનો કાઢવો જોઈએ. ડાબો હાથ કપાય કે જમણો; દેહને સરખી વેદના થાય છે. તમારી આંખો ફોડી નાખતાં પુર્વે કોઈ તમને પસંદગીની તક આપતા પુછે – ‘ડાબી ફોડું કે જમણી.. ?’ તો તેનો કોઈ આનન્દ થાય ખરો ?

આપણી કમનસીબી એ છે કે આપણે હીન્દુ કે મુસ્લીમને મરતાં જોઈએ છીએ પણ ઈશ્વર કે અલ્લાના આઘાતને જોઈ શકતા નથી. આ પૃથ્વીલોકમાં છાસવારે બુદ્ધીનાં ઉઠમણાં થતાં રહે છે અને માનવતાનાં મૈયત પર જીન્દગીઓ કુરબાન થતી રહે છે. બચુભાઈ એથી જ કહે છે – ‘ઈન્સાન અગર ઈન્સાન કો કરે કુરબાન; તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન… ?

દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી શ્રી. દીનેશ પાંચાની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાંથી કેટલાક ચુંટેલા લેખોના સંગ્રહ, ધરમકાંટો (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 પ્રથમ આવૃત્તી: મે 2013, પૃષ્ઠ સંખ્યા: 152 + 16 = 168, મુલ્ય: 100/-)માંથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B – Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Gaon, KOPARKHAIRNE. Navi Mumbai 400 709  સેલફોન:  8097 550 222  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 27–12–2013

28 Comments

  1. શ્રી દિનેશભાઈ હજુ પચાસ વર્ષ પહેલાની જ ધર્મ-અધર્મની વાતો લખતા હોય એમ લાગે છે. એઓ માને છે એના કરતાં આજે ઘણાં લોકો વધારે બુદ્ધિશાળી છે જ. જેઓ નથી સમજતા તેઓ તમારા લેખ વાંચવાના નથી. જે સમજે જ છે તેને માટે તમારા અરણ્યરૂદન લેખોની શી જરૂર?

    Like

    1. pravin bhai tame lakho chho ke aranyarudan lekho lakhavani su jarur parantu tame aava lekho vancho chho teparthi lage chhe ke aa lekh aranyarudan nathi ane dinesh bhai mane chhe tenakarta aaje loko vadhare buddhi shali chhe parantu nivrutt suprim judge markandey katju lakhe tem hindustan ma 90 % loko andh shraddhalu chhe jethi aaje loko karodo nu mandirbandhavava mate garib ma garib manas pan falo aapase bhagvan na darthi ane ek sandas bandhava mate fakta thoda rupiya bhega karva hoi to taklif padse mate manase dharmikmanav banva karta manavtano dharma bajavavo joiye

      Like

      1. ભાઈશ્રી પટેલભાઈ, મારા હાર્દિક સ્નેહ વંદન. રખે માનતા કે હું અતિધાર્મિક કે સંપુર્ણ રેશનાલિસ્ટ છું. વડીલ શ્રી રમણભાઈને મળ્યો છું. ગોવિંદભાઈની સાલસ મૈત્રી અનુભવી છે. રેશનાલિસ્ટ ભુપેન્દ્રસિંહ રાઓલ મારા મિત્ર છે. હું બ્રાહ્મણ હોવા છતાં ઘણાં કર્મકાંડોનો વિરોધી છું. અને કોઈ પણ ધર્મનો વિરોધી નથી. છેલ્લા પિસ્તાળીસ વર્ષથી પરદેશમાં વસ્યો છું. ભાઈ, હવે મારી મનોદશા સમજાય છે? બાવો બોલે કે જજ બોલે, એટલે બધા જ આંકડા આધારભૂત ન બની જાય. ૯૦% અંધશ્રધ્ધાળુ છે? શ્રદ્ધા અંધશ્રદ્ધાનું વિષ્લેષણ સ્વતંત્ર બુદ્ધિથી થવું જોઈએ. જેને મંદિરમાં પૈસા આપવા હોય તેને આપવા દોને? એ આર્થિક વહેંચણી કદાચ આપનારને માનસિક ક્મ્ફર્ટ ઝોનમાં મુકતી હોય. એની સામે કકળાટનો શો અર્થ? હા, જેને અંગતરીતે નુકશાન થતું હોય તેને પ્રતિકાર કરવાનો સંપૂર્ણ હક છે.
        પહેલાજ વીકમાં ધૂમ ૩ની અધધ તિજોરી છલ્કાવતી પજાને કહોને કે, બાપલા આ બધા સ્ટંટ તો ખોટા છે. આ મુવી જોવાનું માંડી વાળો. એટલા પૈસામાં કેટલા બધા ટૉયલેટ બંધાશે!
        હું બન્ને પક્ષે સમતોલ વાતો કરી શકું એમ છું. જેની સાથે મારા સંબંધ છે એવા મિત્રોને હું કહેતો ફરું છું. તમે તમારી રીતે જીવો અને અન્યને એમની રીતે જીવવા દો. રેશનાલિસ્ટોનું ઝનૂન પણ હવે ઈસ્લામિક ઝનૂન જેવું થતું જાય છે.
        આ મારી પોતાની માન્યતા છે. હું ખોટો હોઈશ તો ખોટા હોવાનું ગૌરવ છે.
        ઈન્ડિયાનો સાંભળેલી વાત છે. સાચી ખોટી રામ જાણે. એક રેશનાલિસ્ટ બાઈક પર જતો હતો. કોઈ ધાર્મિક વરઘોડો જતો હતો. ટ્રાફિકજામને કારણે એનો ગુસ્સાનો પારો ઊંચે ચડતો હતો. એવામાં એક બાર તેર વર્ષની છોકરી (ભાઈ કે બહેન)બાળકને કેડમાં ઘાલીને ભુખી છું કહી ભીખ માંગતી હતી. પેલા ભાઈએ સેલફોનથી ફોટો પાડ્યો. લેખ લખ્યો. લેખને બદલે પોતાના વૉલેટમાંથી ૨૦-૨૫ રૂપીયા કાઢી લારી પરથી કંઈક ખાવાનું જ અપાવ્યું હોત તો?

        Like

    2. shree pravin bhai mane tamara vishe ati dharmik ke retionalist avo purvagrah bandhavano koi adhikar nathi aapani lagni dubhai hoi to kheldili purvak mafi magu chhu ane maf karshoj avi 100% asha rakhu chhu parantu (gujaratmitraravipurti 22 dec 2013 pan no 3 par sonsarivat lekhak nagindas sanghvi) vanchava / vicharva jevo lekh chhe baki hu kon tamara vishe astik ke nastik no abhipray aapnar hu to na astik na nastik banne ni vachche no vastavik manav chhu vastavikta svikari ne mafi magu chhu

      Like

      1. ભાઈશ્રી પટેલ. આપણાં અંગત વિચારો એ મંતવ્યને માટે માફી માંગવાની ન હોય. કોઈપણ જાતના દ્વેષ વગર ચર્ચા થવી જ જોઈએ. મારું અંગત માનવું એવું છે કે પોતાને અતિજ્ઞાની ગણતા માનવો જગત સુધારણાનો ખેપ ધારણ કરી પોતાના વિચારો અન્ય પર લાદવાની કોશીશ કરે તે ખોટું છે. પછી એ કોઈ ધર્મગુરુ હોય કે રેશનાલિસ્ટ હોય. ભાઈ મને તો ધાર્મિક અને રેશનાલિસ્ટ બન્ને તરફથી પથરા પડે છે. તમે માત્ર તમારા વિચારો જ વ્યક્ત કર્યા છે. ભાઈ માફી માંગવાની ન હોય.

        Like

  2. દીનેશભાઈએ શરુઆત કરી છે ફૂટપટ્ટીથી. માપવાનું એ ગેજેટ ભલે હાથમાં ન હોય પણ ખબર પડે કે ભેંસ મોટી હોય. ઋષીમુનીઓ અને ધર્મગુરુઓની પાસે ખોટું ગેજેટ છે એ એમને આજ દીવસ સુધી ખબર નથી પડી. ભુગોળનું અજ્ઞાન એમણે શાસ્ત્રોમાં એવી રીતે ગોઠવી દીધું કે પૃથ્વી સપાટ છે અને ચંદ્ર, સુર્ય બધા પૃથ્વીની આસપાસ ફરે છે.

    ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્ર્હ છે એ આજે પણ હીન્દુ કે જૈન ધર્મગુરુઓ કે ઋષીમુનીઓ સ્વીકારવા તૈયાર નથી. બીચારા સુર્ય દાદા પાસે તો પૃથ્વી, મંગળ, ગુરુ બધા કાંઈજ વીસાતમાં નથી અને નીહારીકામાં આવા તો કરોડો અબજો સુર્ય કે તારાઓ છે. હીન્દુઓની કથા કે જૈનોના કોઈ પુજનમાં આજે પણ મોટી મોટી ખોટી ખોટી ડીંગ મારે છે અને અમારા શાસ્ત્રો સાચા કહે છે.

    દીનેશભાઈએ બરોબર સમજાવ્યું છે કે કેન્સરમાં હોસ્પીટલમાં જવાથી રાહત મળશે મંદીર કે ચાર ધામ યાત્રામાં તો સમય, શક્તી અને ધનનો વ્યય થવાનો છે.

    હવે આખી દુનીયામાં બાળકોને જે શીક્ષણ આપવામાં આવે છે એ ઈતીહાસ, ભુગોળ, વીજ્ઞાન કે ગણીતને અનુરુપ હોય એ જ શીખડાવે છે એટલે બાળકોને જાણે અજાણે પણ હકીકત ખબર પડી જાય છે.

    પૃથ્વી સપાટ છે પણ નીરીક્ષક કે ઈન્સ્પેક્ટર આવે તો કહેવું ગોળ દડા જીવી છે એ નર્મદના જમાનામાં ભલે કહેવાતું પણ હવે નાના બાળકને ખબર પડી ગઈ છે કે કથામાં શું ડીંગ છે અને હકીકતથી કેટલી વીપરીત છે…

    Like

  3. આ પૃથ્વીલોકમાં છાસવારે બુદ્ધીનાં ઉઠમણાં થતાં રહે છે

    શ્રી દિનેશભાઈ ની આ વાત બિલકુલ સાચી છે . એને સાબિત કરવા માટે ઘણા દાખલા

    મળી શકે એમ છે -એનો તોટો નથી . એમના આ લેખમાં તેઓએ થોડા જાપ્યા છે .

    ખુબ રસિક લેખ માટે લેખકને ધન્યવાદ અને એ પોસ્ટ કરવા માટે શ્રી ગોવિંદભાઈને પણ .

    Like

  4. I agree with Pravin Shastri comment. I also believe that knowledge and its power can over rule everything in life. Problem in society we face is that rather than getting or achieving ‘true’ knowledge, we drift toward easy out concept. Example : Even educated people will drift toward BLIND FAITH and act upon. Just look at Aasharam or Nirmalbaba followers. Many of them are well educated yet they are drift toward ‘easy promise’ from these thugs. Similar things also has happen in other religion as well.

    Enjoy reading article.

    Like

  5. હેલ્લો
    ગુજરાતી સાઇટ બનાવવા બદલ ધન્યવાદ…
    તમારી આ વેબસાઈટ ખુબ જ સરસ છે
    આ સાઇટ ની ઘણીવાર મુલાકાત કરી બહુ ગમે છે. અભિનંદન

    ‘ઈન્સાન અગર ઈન્સાન કો કરે કુરબાન; તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન… ?

    ખુબ જ સુન્દર …”

    Like

  6. aaj na balako ne shala mathi je sikshan male chhe te kharekhar uttam chhe parantu shala ma java pahela j to kumla manas upar je mata pita dwara andhshraddha nu sikshan ni saruaat thai gai hoi chhe jem ke aapano dharm aa chhe ane aapano j dharma uttam chhe jyare balak ne ek neta ne swikarva mate sarkare 21 varas ni ummar nakki kari chhe jethi potani swantra buddhi thi potano neta sodhi sake jyare dharm ni babat ma mata pita dwara balak ne koi swantra nirnai leva jevado thai te pahela j pote mani lidhela dharma ke pote mani lidhela bhagvan ne swikarva ni faraj padai chhe koi balak ne puchhi jojo ke tu falana dharma ke falana bhagvan ma kem mane chhe to javab malse ke mara mata pita mane athava to gharna badha mane chhe mate hu ama manu chhu to ama vicharva jevi vat e chhe ke dharma svikar va mate pan manas pukhta to thavo joiye ne

    Like

  7. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી કેમ ન હોય, આજની પરિસ્થિતિ વિપરીત છે. આસ્તિક, નાસ્તિક કે વૈજ્ઞાનિક બધા પૈસાના મોહમા ફસાયેલા છે. કજિયાનું મ્હોં કાળું. યેન કેન પ્રકારેણ ,કમાયેલો પૈસો
    બધે ચર્ચાય છે , પૂજાય છે. ‘શ્રદ્ધા આંધળી છે. સાધનને પાંખો છે. ક્યાં બેયનો મેળ ખાય ?

    Like

    1. pravinaben paiso sadhan chhe manav jyarthi paisani puja karto thayo atleke sadhana karto thayo tyarthi dukhi chhe sadhan ni sadhana na hoi sadhan to bhogavavanu hoi fakt bharat j avo desh chhe jya dhanteras jevo tahevar chhe ane paisane laxmi rupe pujai chhe ane bakina 364 divase paisa hathno mel samje chhe kharekhar to samagra duniya ma paisa ane parmeshwar be vastu manvi sivai bija koi prani ni jaruriyat nathi ane teo pan jivan jivej chhe atlu jo manvi vichare to aa banne vastu manvi ne nirarthak lagase

      Like

  8. ખુબ જ સુંદર લેખ !
    વહેમ-અંધશ્રધ્ધાના સદીઓ જુના જડ – ખડ્ડુષ આવરણો ઉખાડનારા જુજ. જ્યારે પ્રસથાપિત કરનારા\( ઢૉગી ટીલા-ટપકા અને ભગવાધારી- કથાકારો) બેસુમાર.
    જેથી લાંબા સમય સુધી આ અભિયાન જારી રાખવાની જરુર છે.

    Like

  9. દિનેશભાઇ,
    હાર્દિક અભિનંદન. સમયની સાથે ચાલનાર જ સુખી જીવન જીવી શકશે. સમયની અને વિજ્ઞાનની પ્રગતીને અવગણનારા બરબાદીનો રસ્તો ઘારણ કરે છે. વિજ્ઞાનની પ્રગતીના ફળરૂપ મળેલા, ઉપલબ્ઘ સાઘનોનો ઉપયોગ કરતાં કરતાં તેનો વિરોઘ કરનારને શું કહેવું ? વર્તમાન કરતાં ભૂતકાળ સારો હતો કહેનારને જીવન જો વસમું લાગતું હોય તો જંગલમાં જઇને રહેવું જોઇઅે. જ્ઞાન અને વિજ્ઞાનનો વિરોઘ કરતાં કરતાં આઘુનિક જીવનમાં ગળાડૂબ રહેનારને શું કહેવું ?
    દિનેશભાઇ,
    પરફેક્ટ અભ્યાસ, પરફેક્ટ અવલોકનના પરિણામને પરફેક્ટ શબ્દોમાં વણીને તમે વાંચનારને સમજાવ્યુ છે કે, ‘ મનકી આંખે ખોલ, તુઝે પીયા મીલેંગે. તમારા આ લેખને અરણયરુદન કેવી રીતે કહી શકાય ? આ અને આવા બીજા ઘણાં લેખોની આપણા સમાજમાં તાતી જરૂરત છે…..ઘીરજથી વાંચીને સમજવાની કોશીશ કરનારની આંખ જરૂરથી ખુલશે. દેરસે આયે, દુરસ્ત આયે જેવી વાત થશે. હું જ ડાહ્યો અને બીજા ઉલ્લુના દિવસો હવે નથી રહ્યા. વિજ્ઞાનની સીડીના બળે મેળવેલાં જ્ઞાનથી સારી સારી નોકરી મેળવી અને દેશ, પરદેશમા વિચર્યા…..તો હવે આવી વ્યક્તિની ફરજ બને છે કે જ્ઞાન વિજ્ઞાનનો પ્રસાર કરે.
    અને….‘ તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા…..ઇન્સાનકી ઓલાદ હે ઇન્સાન બનેગા……‘
    સમયે દુનિયાને નાની બનાવી દીઘી છે….તેમાં વિજ્ઞાનનો સિંહ ફાળો છે. અને તેને કારણે વિશ્વમાનવની ઉત્પત્તિ નજીકમાં છે. પછી હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, જ્યુ, કાળા, ઘોળા…..નહિ પરંતુ માનવનો જન્મ થશે….રાહ જુઓ…….ભારતમાં પણ….બ્રાહમણ, કોળી, ઘાંચી, સુથાર, મોચી, ડુબળા, ………….નહિ રહે………

    આભાર.
    અમૃત હઝારી,
    ઇઝલીન, ન્યુ જર્સી,
    અમેરીકા.

    Like

  10. आर्टीकलके अनुसंधानमे एक रचना याद आनेसे प्रस्तुत है.

    “हिन्दु- मुसलमान ये दो लोग, उनका प्याला सिर्फ है एक !
    एक मगर है उनकी हाला, और उनकी एक है मधुशाला !
    दोनो रहते है एक, जब तक वो मंदिर मस्जीदमे जाते !
    बैर बढाती मंदिर-मस्जीद, दोनाका मेल कराती मधुशाला !

    Like

  11. Vad jeva teta ane bap jeva beta. Jar jara janam ane mrtyu badhuj dukhdayk che, sudharu hu maro bhav nathi koi jode avelu ane nathi jode aavavan. Nithak babtoma na fasav aa anmol jivnane?

    Like

  12. Mandir, Masjid, Gurdwaron Men Baant Diyaa Bhagwaan Ko,
    Dharti Baanti, Saagar Baanta, Mat Baanto Insaan Ko (2).

    And see this too:

    Bekaar Haathon Ko Do Pehle Kaam,
    Baad Men Bolo Rahim-o-Raam.

    Firoz Khan, Toronto, Canada.

    Like

  13. શ્રી દીનેશભાઈની વાતમાં ભલે દમ છે, પણ, તેમણે ફક્ત અર્ધી બાજુનીજ વાત કરી છે…પણ, શ્રી પ્રવિણભાઈએ જે વાત લખી છે તે બાજુની તો ગણતરીજ નથી કરી….કોઈ પણ આસ્તિક હોય કે નાસ્તિક હોય, પણ, વાત તો ઈશ્વર અને મંદિર સુધી પહોંચીજ જાય છે….તમે ઈશ્વરમાં કે મંદિરમાં માનો કે ન માનો, પણ નકારાત્મક લખવા માટે પણ ભગવાન અને મંદિરનું નામ તો લેવું પડે-લખવું પડે….જ…અને ગરીબોની વાત વધારીને, મલાવીને, દુઃખદાયક જ લખવી હોય તો, ગરીબો ગરીબ ન રહે તેવો ઉપાય છે છતાં પણ કેમ નથી લખાંતો….???? કુટુંબ નિયોજન અપનાવીને જો ગરીબો કાંતો બાળકો પેદા કરવાનું છોડી દયે અથવા એકથી વધુ ન કરે તો તુરતજ તો નહીં પણ, ૧૫-૨૦ વરસ પછી ગરીબોની વસ્તિ ઓછી થતી જશે, અને પછી એક વખત એવો આવશે કે ગરીબ શોધ્યો નહીં જડે, અને પછી ભણેલી, ઉચ્ચ અભ્યાસ કરેલી પ્રજા અંધશ્રધ્ધામાં માનતી બંધ થઈ જશે..મંદિર છે તો મૂર્તિ છે, મૂર્તિમાં લોકો ભગવાન જુએ છે, ભગવાનમાં લોકો માને છે, ભગવાનની થોડીક બીક પણ રાખે છે, બાકી તો મસ્જિદની જેમ મૂર્તિ ન હોય, ભગવાનમાં ન માનતાં હોય, કેમકે મૂર્તિજ ન હોય તો ભગવાનની કલ્પનાજ નથી કરી શકતાં અને પછી મુસલમાન લોકોની શી હાલત છે તે નજરોનજર દરરોજ જોવાય છે. એવું નથી કે હિંદુઓ બધા દુધે ધોયેલાં છે, પણ મુસલમાનો કરતાં તો ઓછા હિંસક અને સહિષ્ણુ છે, કેમકે થોડો પણ ભગવાનનો ડર છે કે, ખોટું કરતાં પણ ભગવાન જુએ છે.

    અને સાચી વાતતો એ છે કે, મંદિરમાં આવતાં પૈસા જોવાય છે, પણ, મંદિરમાં લોકો પાસેથી ફરજિયાત પૈસા નથી લેવાતાં, જેને આપવું હોય તે આપે, ફરજિયાત નથી, જ્યારે ફિલમ જોવા જાવ છો ત્યારે ટિકીટ વગર જવાતું નથી અને એક મુવીમાં ૩૦૦ કરોડ મલતાં હોય તેવી તો હવે ઘણી ફિલમો આવે છે, તેમાંથી થોડા લાખ આપે તો પણ હજારો ટોઈલેટ બની શકે છે, મોટા ભાગના મંદિરો તો ઘણી બધી ચેરીટીમાં પૈસા આપે છે, આ મુવીવાળા કે IPL-ક્રિકેટવાળા કઈ ચેરીટીમાં કે ગરીબોના ઉધ્ધારમાં પૈસા આપે છે……..??????

    Like

  14. Dinesh bhai ni vaato atom Bomb ni garaj saare chhe. Badhaanj dukho ke taklifo no ilaj dharma ma dhoondnaara maate aa lekh ek lal battini garaj saare chhe. Saarun chhe aa lekh ek Hindu mitra ae lakhyo chhe. Koi Muslime lakhiyo ho to Hindu dharma na thekedaaro tuti padya hot ane anek nirdoshoni jaan gayee hot.

    Firoz Khan
    Toronto, Canada.

    Like

    1. bhai firoz khan tame ava lekho vancho chho ane dinesh bhai lakhe chhe dinesh bhai koi var muslim dharma vishe pan lakhe to pan abhiprai aapavo j rahyo karan ke hu tame dinesh panchal badha dharmik manav nathi pan (manavdharmi) chhiye karan ke duniya ma darek dharmo ma sara kam no j mahima gavayo chhe to apane dharma chhodine manavata apanaviye ane manav samaj ni ankho par chedhala andhashraddha ni ( zamarvel ) jalautarva ni koshish kariye chhiye jaryr safalta malse

      Like

  15. ઘોર જંગલમાં રાત્રે એકલા જઈ , લેખ લખજો ..ખબર પડી જશે બધા વૈજ્ઞાનિક તથ્યોની…સમય , સંજોગોની સાથે ઘણી અજાયબ શક્તિઓ થકી , આ બધું યુગોથી ચાલી રહ્યું છે. અગડમ-બગડમ ઊભું થતું,

    એ સ્વાર્થી પારાયણો છે..આ મારા વિચારો છે…તમારા સાચાય હોય.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  16. નવી પેઢીને હવે ધર્મ પુસ્તકોની જરૂર નથી રહી. હવે પરસ્પર સમજદારી અને ભાઈચારો,માટે એક સર્વમાન્ય ગાઈડ લાઈનની જરૂર છે. જે પુસ્તક રૂપે નવા યુગની નવી પેઢી માટે બચપણ થી જ ભણાવાય.

    Like

  17. એથી જીવ અને જીવનની પુરા આદરથી જાળવણી કરવી એ સૌનો જીવનધર્મ છે. ….
    મત મતાંતર એ સદીઓથી ચાલતો આવ્યો છે ને જરૂરી છે.સ્થળ, કાળ ને સંસ્કૃતિના વિકાસ સાથે ..આદી માનવ આજની કક્ષાએ પહોંચ્યો છે…એક અંગ્રેજી સાયન્ટીફીક ફિલ્મીકરણ જોઈ…સદીઓથી આ પૃથ્વી પર જીવન ટકાવવાની મથામણ જોઈ..કબીલાઓના હુમલા જાણે…જંગલ રાજ..જે જીવ્યો એ જીવ્યો. આવી વિપરીત પરિસ્થિતિમાંથી ,આપણે ભાષા થકી આજની સ્થિતિએ પહોંચ્યા છીએ. ધર્મ એટલે જ જીવવાની કળા.સમાજને દોરતાં દોરતાં..દોષો વધ્યા ને મનને સ્થિર કરી ,તનને તંદુરસ્ત રાખવાની પ્રથા…ક્રિયાકાંડ ને ભય બિન ના પ્રિતીમાં ઘૂમ થઈ ગઈ. જાગૃત પુરુષાર્થે ..વિજ્ઞાને નવી દ્રષ્ટિ આપી..સમજ આપી. હવે સમજદારીથી ન્યાય તોળવો..એ જ સાચી સમજદારી. ..સદૌપયોગ. લેખનું હાર્દ ગમ્યું…હું આસ્તિક કે નાસ્તિક કે રેશનાલીસ્ટની પહેલમાંનું તથ્ય તલાસવાનું પસંદ કરું ને ગજા મુજબ દ્વેષ વગર મૂલવું..ચાલું.

    લેખ માટે ખૂબ ખૂબ ધન્યવાદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment