તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો

વહાલા વાચકો, પ્રતીભાવકો અને લેખકમીત્રો,

આપ સર્વમીત્રોના ઉત્સાહ, ઉમંગ અને પ્રોત્સાહન વડે ‘અભીવ્યક્તી’એ પાંચ વર્ષની સુવાંગ મઝલ પુરી કરી છે. ‘વર્ડપ્રેસ વેબસાઈટ’ તરફથી ‘અભીવ્યક્તી’ બ્લોગનો વીતેલા વર્ષ 2013નો વાર્ષીક અહેવાલ મળ્યો. જેમાં ‘અભીવ્યક્તી’એ જે સીદ્ધી હાંસલ કરી છે તે બતાવી છે. તે માટેનો સઘળો યશ લેખકો, વાચકો અને પ્રતીભાવકોને અર્પણ કરી, આપ સર્વમીત્રોના ઋણનો સ્વીકાર કરું છું. ખુબ ખુબ અભીનન્દન..

વાર્ષીક અહેવાલ માટે નીચેની લીન્ક પર ક્લીક કરવા વીનન્તી..

https://govindmaru.wordpress.com/2013/12/31/2013-in-review/

ધન્યવાદ.

 …ગો.મારુ…

તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો

રોહીત શાહ

‘અમારો દીકરો આગમ બહુ ધાર્મીક છે. હજી તો તે માંડ દસ વર્ષનો છે; છતાં કાંદા–લસણ ખાતો નથી, ટી.વી.–ફીલ્મ જોતો નથી, રાત્રે કદી ખાતો–પીતો નથી.’

મમ્મી–પપ્પાની આવી ગૌરવવાણી સાંભળીને આપણો અહોભાવ તેમના દીકરા પર ઠલવાઈ જવા લાગે છે. ધર્મને આપણે સમજવાનો નહીં; અનુકરણનો વીષય બનાવી દીધો છે. કશું જ સમજ્યા વગર એક પરમ્પરાને પકડી લેવી એ ધાર્મીકતા છે શું ?

પરમ્પરાનાં જાળાં :

ધર્મ શ્રેષ્ઠ બાબત છે એની ના નથી;, કીન્તુ ધર્મ વીશેનું અજ્ઞાન સૌથી ભુંડી બાબત છે. રેડીમેડ ટ્રેડીશનને અનુસરવાથી ધાર્મીક હોવાનું લેબલ લાગી જાય છે. કેટલાંક પેરન્ટ્સને પોતાનાં બાળકને ધાર્મીક બનાવી દેવાનો એટલો બધો રઘવાટ હોય છે કે તેઓ બાળકનું બાળકપણું ઝુંટવી લેતાં હોય છે, બાળકને દરેક પ્રકારના આનન્દથી દુર રાખવાના ઉધામા કરે છે. આ ન ખવાય, આ ન જોવાય, આમ ન કરાય – ન કરવાની યાદીમાં બાળકને ગુંગળાવી દેવામાં આવે છે. નાનું બાળક પોતાની બુદ્ધીપ્રતીભા ડેવલપ કરે અને સામે કોઈ તાર્કીક પ્રશ્નો પુછતું થાય એ પહેલાં જ તેના દીમાગમાં પરમ્પરાનાં જાળાં ગુંથી દેવાય છે. રેડીમેડ ધર્મના ખ્યાલો તેના ફ્રેશ માઈન્ડમાં ઠાંસી–ઠાંસીને ભરી દઈને લૉક કરી દેવામાં આવે છે. બાળક એટલી હદે બંધીયાર અને નૅરો–માઈન્ડેડ બની જાય છે કે તેને ગોખાવી દીધેલી ધાર્મીકતાની બહાર ડોકીયું કરવામાં પણ તે પાપ સમજે છે.

ધર્મ કે સામ્પ્રદાયીકતા ?

બાળકને ધર્મ સમજાવવો એ જુદી વાત છે અને તેને માત્ર પરમ્પરાઓ પઢાવી દેવી એ જુદી વાત છે. કેટલાંક પેરન્ટ્સ તો પોતાનાં બાળકોને ફાલતું ધાર્મીક શીબીરોમાં મોકલતા હોય છે. આવી શીબીરોમાં ધર્મનું નહીં; સામ્પ્રદાયીકતાનું પ્રભુત્વ હોય છે. સુખ અને આનન્દ ભોગવવાં એ પાપ છે એનું જ રટણ ત્યાં થતું હોય છે. શીબીર ચલાવનાર ગુરુ બાળકોને ધર્મનું નહીં; એના ખુદના સમ્પ્રદાયનું ગોખણીયું જ્ઞાન પીરસે છે. વાહીયાત વીધીવીધાનો અને ક્રુર ક્રીયાકાંડો કરવા માટે જ જાણે કે મનુષ્ય–અવતાર મળ્યો હોય એવું શીક્ષણ આપવામાં આવે છે. બાળક પરાક્રમી અને પ્રામાણીક, ચારીત્ર્યવાન અને સ્પષ્ટવક્તા બને એ જરુરી છે કે ટીલાં–ટપકાં તાણનારું ભગતડું બને એ જરુરી છે ? ધર્મના નામે સામ્પ્રદાયીકતામાં બાળક ગુંગળાઈ ન જાય એ જોવાની જવાબદારી કોની ?

સામ્પ્રદાયીક શીબીરો શંકાસ્પદ :

બાળક ગમે તેનાં ચરણોમાં સાષ્ટાંગ કરીને આળોટતું થઈ જાય એટલે તે ધાર્મીક બની ગયું  ? ‘જય જીનેન્દ્ર’, ‘જય સ્વામીનારાયણ’, ‘જેશી ક્રષ્ન’, ‘ખુદા હાફીઝ’ બોલવાનું આવડી જાય એટલે બાળક શું ધાર્મીક બની ગયું ? આ બધાં સામ્પ્રદાયીક પ્રતીકો છે. ગળથુથીમાંથી જ જેને સામ્પ્રદાયીકતા પીવડાવવામાં આવતી હોય તે બાળક ભવીષ્યમાં ધર્મને સમજવા જેટલું ઉદાર અને નીખાલસ બની શકે ખરું ? ધર્મ કદી સંકુચીત નથી હોતો અને સામ્પ્રદાયીકતા કદી ઉદાર નથી હોતી. ધર્મ સમભાવ શીખવાડે છે, સહીષ્ણુતા આપે છે; જ્યારે સામ્પ્રદાયીકતા માત્ર સંકુચીતતા આપે છે. એ સંકુચીતતા આગળ જતાં વીસ્તરીને અન્ય ધર્મ–સમ્પ્રદાય પ્રત્યે ધીક્કાર અને ઘૃણા પ્રગટાવે છે. પોતાની જ પરમ્પરાઓ શ્રેષ્ઠ છે અને બીજાઓની પરમ્પરાઓ ખોટી કે નકામી છે એવાં ખોટાં ગણીત બાળકના મનમાં દૃઢ કરનારી શીબીરો યોજનારા ગુરુઓની દાનત ડાઉટફુલ છે. શીબીરમાં આવેલાં બાળકોમાંથી ભવીષ્યના પોતાના શીષ્યો શોધવાનો પ્રપંચ પણ તેની પાછળ હોય છે !

બાળકને જીજ્ઞાસુ બનાવો :

વીશ્વ આજે જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બાળકને સામ્પ્રદાયીક સીમાડાઓમાં બાંધી રાખવું એ મહાપાપ ગણાશે. બાળકને  ગાયત્રીમંત્ર, નવકારમંત્ર કે કુરાનની આયાત નહીં આવડે તો તેનું કશું અટકી પડવાનું નથી; પણ તેને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નહીં આવડે તો તે દુ:ખી–દુ:ખી થઈ જશે. બાળકને ગોખણીયું ન બનાવો, જીજ્ઞાસુ બનાવો. તેના દીમાગમાં જાતજાતના પ્રશ્નો ફુટતા રહેવા જોઈએ. બુદ્ધી જે વાત ન સ્વીકારી શકે એનો વીનમ્ર વીરોધ કરવાનું તેને આવડવું જ જોઈએ. મોટે ભાગે એમ કહેવાય છે કે ભક્તીના માર્ગમાં બુદ્ધીનું કોઈ જ કામ નથી. એનો અર્થ એ થાય કે ભક્તીના માર્ગમાં માત્ર મુર્ખાઓનાં ટોળાં જ જઈ શકે છે ! બુદ્ધી વગરની ભક્તી હંમેશાં જડતાનો જ પર્યાય બની રહેતી હોય છે.

બાળકને એ સમજાવો કે…

ભગતડું બાળક સાંસારીક બાબતોમાં ડગલે ને પગલે પાપ જોતું થઈ જશે. પેરન્ટ્સની એ જવાબદારી છે કે પાપ અને પુણ્યની સાચી અને તટસ્થ સમજ બાળકને આપવી. ટી.વી. જોવું હંમેશાં ખરાબ નથી. શું જોવું અને શું ન જોવું એનો વીવેક બાળકને સમજાવવો જરુરી છે. ટી.વી. પ્રત્યે ધીક્કાર કરવાથી કંઈ ધાર્મીક બની જવાતું નથી. બાળકને એ પણ સમજાવવું જરુરી છે કે સાંસારીક સમ્બન્ધો ભલે સ્વાર્થથી ભરેલા હોય; છતાં નકામા નથી. સ્વાર્થ ન હોય, તો જગતમાં ધર્મ કરવા પણ કોણ નવરું છે ? મોક્ષ અને વૈકુંઠ પામવાનો સ્વાર્થ ન હોય, તો કોણ ભક્તી કરવા બેસશે ? બાળકને એ સમજાવો કે પરાવલમ્બી બનવું એ સૌથી મોટું પાપ છે. હરામનું ખાવું એ પાપ છે. બાળકને એ પણ સમજાવો કે સૌથી મોટું પુણ્ય શક્તી અને સામર્થ્ય છે. જે શક્તી પરોપકાર કરે છે એ શક્તી જ પોતે ધર્મ છે.

સંતાનને ભુલશો નહીં :

ભુલો ભલે બીજું બધું મા–બાપને ભુલશો નહીં,

અગણીત છે ઉપકાર તેના એહ વીસરશો નહીં !

આ કવીતા આપણે ખુબ ગાઈ લીધી. એ કવીતાનો મર્મ જો કે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. છતાં આજે એક ‘અજાણ્યા કવી’ની કવીતા ગાવી છે. જુની કવીતા સન્તાનોએ  યાદ રાખવાની છે, તો આ નવી કવીતા પેરન્ટ્સે યાદ રાખવાની છે:

ભુલો ભલે જગમાં બધું સંતાનને ભુલશો નહીં !

અગણીત છે અરમાન તેનાં એહ વીસરશો નહીં !

પુજા કરી, બાધા કરી ત્યારે દીઠું છે મુખડું,

એ દેવના દીધેલને કદીયે દુભવશો નહીં !

ગુણમાં તમારાથી સવાયાં નામ એ તમ રાખશે,

ઘડપણ મહીં થાશે સહારો વાત એ ભુલશો નહીં !

શ્રદ્ધા ભરો, ક્ષમતા ભરો, સંસ્કાર તેના દીલમાં

સ્વપ્નો તેનાં સાકાર થાશે, બનશે માન એ વીશ્વમાં !

 –રોહીત શાહ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક Kids કૅર (પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ : 8 + 136, મુલ્ય : રુપીયા 100/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’ના લેખક શ્રી. રોહીત શાહની કલમમાં કૌવત છે, ચીંતનમાં નાવીન્ય છે, રજુઆતમાં નીખાલસતા અને મર્દાનગી છે.. ‘દુધ–દહી’ બન્નેમાં પગ રાખી, ના નાસ્તીકો નારાજ થાય કે ના આસ્તીકો વીફરે તેવું મોઘમ લખનારા તો ઘણા છે. પણ સોય ઝાટકીને કોઈની પણ સાડાબારી રાખ્યા વીના એકદમ તર્કશુદ્ધ સત્ય લખનાર તો બહુ જ ઓછા છે.. તેઓની અત્યન્ત લોકપ્રીય કૉલમો મન્ડે-મન્થન, બુધવારની બલીહારી, ફ્રાઈડે-ફલક અને નોપ્રૉબ્લેમ (શનીવારે) પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં તેમ જ દેશ–વીદેશોનાં અનેક છાપાં–સામયીકોમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનાં નમુનેદાર 10 પુસ્તકો (1) ‘સજના સાથ નીભાના’ (2) ‘આજ ફીર જીને કી તમન્ના હૈ’ (3) ‘ટૅક – ઓફ’ (4) ‘મુઝ કો યારો માફ કરના’ (5) ‘દો કદમ તુમ ભી ચલો…’ (6) ‘હેલો, મૅડમ !’ (7) ‘Kids કૅર’ (8) ‘કેન્ડલ–લાઈટ ડીનર’ (9) ‘આ અબ લૌટ ચલેં’ (10) ‘લાઈક OR કૉમેન્ટ’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 ફોન: (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ: goorjar@yahoo.com થી પ્રગટ થયાં છે.

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : 079-2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode, KOPARKHAIRNE (west),  Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222  ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 03/01/2014

Kids care
Kids care

49 Comments

    1. વહાલા રમાકાન્તભાઈ,
      ‘અભીવ્યક્તી’ બ્લોગના હેતુઓને અનુરુપ અને ‘અભીવ્યકતી’માં જે સ્તરના લેખો પ્રકાશીત થાય છે તેવા સ્તરનો તમારો લેખ હશે, તો તે પ્રગટ કરતા મને ખુશી જ થશે..
      તમે ‘અભીવ્યક્તી’ની બીજી વખત મુલાકાત લીધી અને મારા બ્લોગની મોકળા મને તમે કદર કરી તેનો મને આનન્દ અને ગૌરવ…
      ધન્યવાદ.
      -ગો.મા.

      Like

  1. પણ તેને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નહીં આવડે તો તે દુ:ખી–દુ:ખી થઈ જશે……

    ઈન્ટરનેટ પર ધણું જ શીખવાનું છે પણ બાળકો ફેસબુક,ગેઈમ્સ,ચેટ્સ,મુવીઝ,કાર્ટૂન ,લાઈફસ્ટાઈલ વિગેરેમાં ટાઈમ પસાર કરેછે.

    Like

  2. rohit bhai lakhata raho ane maru to manvu chhe ke thidi geeta ni book chhapavi ne teni prastavana ma pahelo aa lekh joint karvo joiye pachhi loko nakki kare ke su jaruri chhe vignyan dharma ke vastavikta karan ke hamna bardoli (gujarat) ma marari bapu ni katha tv upar joi tema swaraj ashram na balako ne pratham harod ma bethela joya tyare kherekhar dukh thayu ke su aa balako potani swatantra vivek buddhi thi betha hase ke pachhi school na principal na hukam thi garib balako j ashram shala ma bhane chhe banvajog chhe ke koi balak virodh kare to tene shala mathi kadhi pan mukavama aave ane kharekhar to morari bapu ej kahevu joiye ke balako ne bhanvado sa mate temni swantrata upar balatkra karvo joiye pan bapuo sudhare toj shakya chhe

    Like

    1. tamari vat sav sachi chhe. evi shalaoma balakoni evi j dasha hoy chhe. shistna bahane badhu chalya kare chhe.

      Like

  3. I fully agree with author’s comments and thoughts. All parents should start thinking in this direction. I read Rohitbhai’s article in Jankalyan Magazine.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  4. મિત્રો,
    રોહિતભાઇને કહેવું છે કે,
    બાળકને નાનપણથી જેવું વાળીયે તેવું વળે. કુમળું ઝાડ જેવું વાળીયે તેવું વળે. પરંતુ વાળવાવાળાના સંસ્કાર ઉપર બઘો આઘાર રહે છે. આજના આરટીકલમાં મા–બાપ કેટાલીસ્ટનું કામ કરે છે અને તે તેમની ફરજ / ઘર્મ છે. તદન સાચી વાત.

    આજના વિષયને સમજાવવા રોહિતભાઇઅે જે લખાણ લખ્યુ છે તેમાં મને થોડા વાક્યો માટે સવાલ ઉઠયા છે. તેઓ લખે છે કે……
    (૧) તમારા બાળકને સાવ ભતકડું ન બનાવશો…( ભક્તાણી ? )

    સાવ ?…કેટલાં ટકા બનાવવું ? કેવા પ્રકારનું બનાવવું ?

    (૨) ઘર્મ શ્રેષ્ઠ બાબત છે અેની ના નથી……બાળકને ઘર્મ સમજાવવો અે જુદી વાત છે.

    ઘર્મ અેટલે શું ? ફરજ ?, Humanity, Duty towards living ? જીવનના નિતિ નિયમો ? પૂજા પાઠ ? ક્રિયા કરમ ? ભગવાં કપડાં પહેરવા ? ..માતાના પેટે જનમ લેવો અને ભગવાં પહેરીને પોતાની માતાના .અેટલે કે..સ્ત્રીના શરીરમાં પાપ જોવા ? અને ખાનગીમાં સ્ત્રીસંગ માટે રઘવાટ કરવો? અને તે સાબિત પણ કરી બતાવવું. તો શ્રેષઠતા શા માં ?

    (૩) ઘર્મ કદી સંકુચિત નથી હોતો…………

    પહેલાં ઘર્મની સાચી વ્યાખ્યા સમજીયે પછી સંકુચિતતાનો સવાલ ઉઠાવીયે.
    ઘર્મ…મોરારી બાપુ શીખવે તે કે પછી આસારામ શીખવે તે ? કે ભૂપેન્દ્ર પંડયા શીખવે તે ? ( કામ કરીને પછી પત્નિ અને દિકરીઓના હાથે માર ખાવો તે ? ) કે પછી શંકરાચાર્ય શીખવે તે ? ( ખૂનના આરોપ માથે લેવા ? ) કે શ્રી શ્રી…..શીખવે તે ? કે પછી ઉમરવાન , પુખ્તવયના સાઘુડા કે ભતકડાં બનીને ખાનગીમાં સંસાર ભોગવતાં રહીને કુમળા મનના બાળકોને સન્યાસી બનાવવા તે ?

    પુખ્તવયના ઘેટાંઓ આસારામ કે તેનાં દિકરાંમાં ભગવાન જૂઅે અને સબમીટ થાય….અને પરિણામ આવે ત્યારે અક્કલ આવે….તો પછી બિચારા બાળકોના શા હાલ થતાં હશે ?

    ભૂતકાળમાં ગરીબાઇ કે ભીખારીપણુ જોયેલું હોય અને સાઘુ બન્યાબાદ ઘરમને નામે બઘી જ જાતના ઐશ્રવૅર્ય મફતમાં સામે ચાલીને મળતાં હોય તો પછી મુરારી બાપુ હોય કે ભૂપેન્દ્રજી કે આસારામ હોય કે પછી કોઇપણ સંપ્રદાયના ગુરુજીઓ હોય, પરકાના છોકરાંને જ જતી બનાવવામાં માને ……..
    પુખ્તવયના ઘેંટાઓને પહેલાં તેમનાં અંઘાપામાંથી બહાર કાઢીયે…….

    વઘુ ઘણું વિચારી શકાય….
    અમૃત હઝારી.

    Like

    1. svajan shri
      maro lekh vachine sugya vachakne khyal aavi j jay ke balkne andhshradhdhathi door rakhavani vat ema chhe. khota vandha ane fanda kadhavani jaroor nathi.
      Thanks.

      Like

    2. Amrit hajari Bhai Balako ne bhagatadu na banavaso ej barabar chhe karanke pukhatavai na ne to Bachpan mathi ava sanskar malela hoi jethi teo bhagatada bani Betha chhe ane avaj no Balak kale pukhatavai no thavanoj chhe mate nanpan thi j bhagat na banavata vastav Vadi bane Eva sanskar apava joiye dharma atle andhali khiskoli ni ramat koi pan piurava vagar vat ne sachi mane tene samaja dharmik mane chhe ane sanka Kare tene nastik mane chhe pan sanka ej vignyan chhe mate Balako ne prashna puchhata kariye jignasu banavie Toj motathai tyare koi pan vat swikare te pahela. Jate nirnay Lai sake nahi to asaram ni jem 5 karod andhala Bhakto peda thase.

      Like

  5. દરેક મા બાપ આ વાંચી જરુર વીચારે કે પોતાના બાળકનો વીકાસ કરવામાં માબાપે અને ખાસ કરીને માએ ધર્મ બાબત પોતાના બાળકને શું શીખડાવ્યું છે…

    રોહીતભાઈ શાહની આ પોસ્ટને ગોવીન્દભાઈ મારુએ અભીવ્યક્તી બ્લોગની છટ્ઠા વરસની શરુઆતમાં દરેક બાળકના માબાપે જેમણે પોતાના બાળકનું બાળકપણું ઝુંટવી લીધું હોય એમને ખાસ વાંચવા જેવી છે.

    Like

  6. Very well said by Rohitbhai. Also Amrutkaka has raise key question here.

    I just like to share my experience raising my daughter. I grew up in family where my parent lived their life through believing in Bhakti, But they thought me one and only one thing – HUMANITY. I live my life in name of Humanity. And I raise my daughter educating and explaining not just what Bhagvat Gita, but also other granth as well. As she grew up, we left her to choose what is best for her allowing her to understand her deeds vs. consonances from her deed.

    I pledged every parent to allow what Rohitbhai has preech here in his article and that is : “ALLOW YOUR CHILDREN TO LIVE THEIR LIFE WITH FREEDOM” – Freedom of what they would like to do more so than what we like them to do.

    Like

  7. અને એ પછી રમકડું કે ગતકડું પણ ના બનવું જોઇએ..

    Like

  8. તદન સત્ય અને સચોટ વાત કરી છે. સુંદર અને સમજવા જેવો આર્ટિકલ.

    Like

    1. Only message is to establish relationship with heart and with only mind. Our children here in usan canada are remained away from ou indian culture yes bhagatda nathi banvava .but at tge same time abhivyatima je kahevayu chhe teno kevo ane ketalo bhag teo samaje chhe te jovanu kam konu? In my views what I find is that they remain much away from elders .I am afraid they will go for something GATAKADA. Of course I also want not to become bhgatada but they shluld know besic philosphy of our religeous culture.

      Like

  9. દરેક બાળકના માં-બાપે વાંચવા અને વિચારવા જેવો રોહિતભાઈનો આ લેખ છે .

    નવા જમાનાના બાળકોના મગજમાં જૂની પેઢીના વિચારોને એક પોપટની

    જેમ એની ઈચ્છા વિરુધ ગુસાડવા એ બાળકના કુદરતી વિકાસની વિરુદ્ધમાં જાય છે .

    Like

  10. Very good and thought provoking article. A must for every parent. Teach your children about good and bad virtues without referring to any religion or religious teachings. Help hi.her grow his/her own skill. Let them decide what children want instead of imposing your wills and wishes. Give them knowledge and not sanskars. Let them chose their own. Teach them the importance of humanity and not the religion cuz humanity is the best religion. It is good to see that Rationalism is on increase. 30% of Europe and the West are rationalist.
    Firoz Khan
    Jouranlist, Critic and Commentator.
    Toronto, Canada.

    Liked by 1 person

  11. Pankajbhai I am much delited to see your message by email. What I belive so far as indian relegious culturic philosophy is concerned I am of the opinion that our children have very nice telent but at the same parents also must have that background & they r supposed to extract from the children what are their interest& liking. Right from the age from 4or 5 here in canada n usa uk I understand there is no such group who can meet to gether & discussed & decide a line of programme to train our children in this direction. I can contribute time and teachung if my fecilities are provided.
    Thanks we will bd in touch.

    Like

  12. સાવ ભગતડું ના બનાવશો મતલબ થોડું ઘણું ભગતડું બનાવાય… હહાહાહાહાહાહા આ દેશની પડતીનું મુખ્ય કારણ ભક્તિસંપ્રદાય છે. આપણે ગામેગામ ભગતડા પેદા કરે રાખ્યા. સાવ ભગતડું નહિ મૂળ ભગતડું જ બનાવાય નહિ..

    Liked by 1 person

    1. Tamari vat sathe sammat chhu, ane mare e j vat kahevi chhe, pan indian lokoni mentality mujab emni sathe vat karavi pade ne ?

      Like

      1. હું પણ લેખ સાર્હે શબ્દશઃ સહમત હતો જ. મામેકમ શરણમ વ્રજ અને સંશયાત્મા વિનશ્યતિ આ બે વાક્યોએ દેશને પતન તરફ ધકેલી દીધો એવું નથી લાગતું?

        Liked by 1 person

    2. 100% sachi vaat kari chhe bhupendrabhai raol karan ke aa bhagat loko ni upaj j bhagvan chhe karan ke bhagvan na hoi to temno dhandho (bhagvan ni agenci)padi bhange ane bhagat loko e bhagvan na nam par dhandho chalu kari ne ( kahevatabhagvan ) ne hasiya ma muki ne pote full page par avi jai ne pote bhagvan bani betha chhe lakhavani jarur nathi ke mandir mate pan ginesbook ma nam lakhavi ne gaurav anubhavata sampradai pase atlu dhan chhe ke teo dungar jetlu dhan lai ne betha chhe ane dungar ni toch jetlu sikshan medical vagere ma dan kari ne potana dhandha ni jaherat kare jai chhe khare khar to bharah sarkare (80 c) je dan na paisa par tex nathi lagato te nabud karva jevi chhe

      Like

    3. Bhupendrasinh tamari vat 100 % sachi chhe Jyare doctor operation Kare tyare apane Evu nathi kaheta ke bodhoj bagad nahi kadhso pan badhaj bagad kadhinakhvanu kahiye chhiye to Balako ni kelavani baat ma pan ej abhigam rakhavo joiye.

      Like

  13. Govindbhai, I agree with you whole heartedly. I hope people will think about this seriously and put in practice. Religion has done most harm to humanity than anything in this world. Thank you.

    Like

  14. સ્વજન રોહિતભાઇ,
    આપણે સૌ હેલ્ઘી ડીશકશન કરીયે છીઅે, જેથી કરીને આપણો સમાજ સુઘારાની રાહે આગળ વઘે. બઘાના વિચારો સાચા અર્થમાં સાચી રાહ તરફ લઇ જાય. વઘુ મોટા ફલક ઉપર વિચારવાનું વઘુ ક્લેરીટી આપશે. આ બાબતને કોઇ પ્રકારના વાંઘા વચકા ગણીને ગુસ્સો કરવો ? ભાઇ, પોઝીટીવ કે નીગેટીવ થીંકીંગ/ વિચારો ઉપર વઘુ વિચારણા સાચે રસ્તે જરુરથી દોરશે. તમારી લાગણૂ દુભાઇ તો માફ કરજો. પરંતુ દરેક વાચકે આપેલાં વિચારમાં કાંઇક કામનું શોઘવું જોઇઅે.
    તમારો સ્વજન,
    અમુત હઝારી
    ઇઝલીન, અમેરીકા.

    Like

  15. શ્રી રોહિતભાઈને ગુજરાત ટાઈમ્સ(ન્યુયોર્ક)માં નિયમિત વાંચીએ છીએ. એવો જ રણકો, સમાજને બત્તી ધરતો લેખમાં લાગ્યો. બાળકો તો જેવું વાતાવરણ ઝીલશે , તેવા જ ઘડાશે. મોટેરાનૅ જગૃત કરતો આ લેખ લાગ્યો. આપણી જવાબદારી પ્રત્યે સાવધાન થવું પડશે..વૈશ્વિક માનવ ધર્મથી.

    શ્રી ગોવિંદભાઈ..સરસ બ્લોગ પોષ્ટ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  16. પ્રિય ગોવિંદભાઈ,
    ‘તમારા બાળકને ભગતડું ના બનાવો’ એ વાત વાંચી મને મારો એક અનુભવ યાદ આવ્યો એ લખવાની ઈચ્છા થઇ જે હું લખું છું:
    મારી માં પાસેથી ધ્રુવની વાતો સાંભળી મને તપ કરવાનું મન થઇ આવ્યું મારી ઉમર આઠેક વરસની હશે ત્યારે હું અને મારો મિત્ર રુઘો તપ કરવા પોષ મહિનાની વહેલી સવારે ઉઘાડે પગે અને ઉઘાડ ડીલે બાવળની ઘાટી ઝાડીમાં જવા રવાના થયા.
    ભલું થાજો રૂખડભાઈનું કે ઝાડીમાં પહોંચતા પહેલા અમને ધમકાવીને ઘર ભેગા કર્યા. જો અમે ઝાડીની અંદર પહોંચી ગયા હોત તો અમારો પત્તો લાગવો મુશ્કેલ હતો કેમકે અમને શિયાળિયા ખાઈ જાત..

    Like

  17. All the religions has teaching and preachings are similar to show the right path to live. Early age kids can learn faster all the rituals of the religion. As they grow and get educated they raise quations as we do.
    Religions (DHARM) and DHARMA ( DUTY FOR LIVING) two different things
    real meaning of DHARMA is make living according to what own heart say what is right or wrong and follow right path called DHARMA.

    Like

Leave a comment