મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર

–ડૉ. ગુણવન્ત શાહ

     કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા ? એક એવો સમાજ, જે બળાત્કારના અન્ધારીયા કુવાઓ વેઠી લે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરન્તુ પરસ્પરની સમ્મતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં !

     યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સમ્પ્રદાયો, પન્થો અને પેટાપન્થો આવ્યા છે, ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અન્ધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છે: ‘જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.’

     ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે; પરન્તુ બદનામ સીસ્ટમની નીન્દા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું ? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સમ્પ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પશ્ચીમના ખ્રીસ્તી પન્થના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તન્દુરસ્ત સમાજનું નીર્માણ તન્દુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો ! હીન્દુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે ?

     સેક્સ કૌભાંડમાં પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સમ્ભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસમ્બન્ધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા; તેથી જ કદાચ આવા સુન્દર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.

     ‘અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્ય બને ત્યારે ઈષ્ટ તો અન્ધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી–ગન્ધાતું પાણી પણ પી લે છે.’

     બોલો ! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.

     ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે બુદ્ધને પ્રશ્ન પુછ્યો: ‘‘ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી ?’’ તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યો: ‘‘હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચન્દ્રનાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી.’’  આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે ?

     સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી આક્રમણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યન્ત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે ? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું. સાધુ વાંચવાનું માંડી વાળી શકે ? એ ટી.વી. જોવાનું ટાળી શકે ? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા ‘લા મીઝરેબલ’માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીન્દુઓ ‘લા મીઝરેબલ’ના નાયક જેવા છે. તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું સહેલું નથી. બોલો ! તેઓ ક્યાં જાય ? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુન્દર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે  : પરસ્પરની સમ્મતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અન્દરખાનેથી વસન્તવીરોધી અને પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સમ્બન્ધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દમ્ભ છે અને નીન્દાકુથલી એ એની હોબી છે.

      જરુર છે પ્રેમક્રાન્તીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાન્તીના ચાર પાયા છે: .૧. તંદુરસ્ત સેક્સ .. નીર્ભય માતૃત્વ  .૩. ઉદાત્ત પ્રેમસમ્બન્ધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ–ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે. સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીન્દા ન હોય. પ્રેમસમ્બન્ધની નીન્દા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ ‘બે મળેલા જીવ’ વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમને મન્દીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મન્દીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતું:

      ‘શીવમન્દીરમાં જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમન્દીરમાં પ્રેમપત્રનું છે.’

–ડૉ. ગુણવન્ત શાહ

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૫ના ‘સંદેશ’ની રવીવારીય સાપ્તાહીક પુર્તી ‘સંસ્કાર’માંથી લેખકશ્રીના સૌજન્યથી સાભાર… ઉત્તમ ગજ્જર…

@@@

 ‘સન્ડે ઈ–મહેફીલ’ –  વર્ષઃ પહેલું  – અંકઃ 015 – September 11, 2005માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રી, અને ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

  ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન અને પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 7/03/2014

19 Comments

  1. I agree with author’s views. We should be honest in every walks of life.

    Thanks ,

    Pradeep H. Desai
    Indianapolis In USA

    Like

  2. Dr. Shah is absolutely correct. Suppressing sex is against the nature. There are countless incidents in almost all religions. In Islam Maulvis are religiously permitted to marry. In many other religions it is not and the results we are seeing. Sex is just like a river carrying pure and fresh water. The moment we put obstacles in her way it gets polluted itself and make sick others too. Same is with religious persons. If they are polluted they make the society polluted.

    Firoz Khan
    Columnist, Commentator and Critic (3Cs)
    Toronto, Canada.

    Like

  3. Dr shah .yes u r always right , u know osho .u know so many others who have explained much on natural sex, that this can be experienced as a positive energy, but how many of human becoming (not being) can justify this fact? I have always respected you for your veluable SAHITYA. Thanks .plz go on presenting good to all by way of giving veluable services to the whole world.

    Like

  4. Reading this article, I remeber some college life slogan “KH, P, CH” same thing in english as “EDS” = Eat, Drink, Sex. For any living thing (not just human) at their adulthood, sex is part of their life. I do agree to some extent as what author saying how our society react. It is only when they get caught.

    I also believe that we human have choice in our life. No one is born as Sadhu or Maolvi or Paster-Prist. It is like when you acept a job, you must follow rule and regulation of job. If your religion has belief that may prevant you from having sex then you should follow it to its full extent. If not, then leave that job. You do not have to be Sadhu!

    One disagreement in the article I have and that is word is બીચારા સાધુઓ.

    Like

  5. નીચેના ટૉપીક્સ ગુગલ સર્ચ કરી વિકિપેડિયામાં વધુ વિશેષ જ્ઞાન મેળવો.
    Sex offender, Sex and the law, Sexual abstinence, Devadasi

    Like

  6. મિત્રો,
    ડો. ગુણવંત શાહે સુંદર સમજ આપીને આપણો આ આગવો પ્રશ્ન રજૂ કર્યો છે. ફિલ્મિ ગીતો અને ગીતકારો પણ ઉચ્ચ કક્ષાના હોય છે. ડો. શાહની વાતને કવિ સાહિર લુઘ્યાન્વી સાહેબે ફિલ્મ ચિત્રલેખામાં આ સમજ સુંદર શબ્દોમાં આપી છે અને રોશન સાહેબે અસરકારક સંગીતની ઘૂનમાં ઢાળી છે.

    ‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાનકો તુમ ક્યા પાઓગે,
    ઇસ લોગ કો ભી અપના ન શકે,
    ઉસ લોગમેં ભી પછતાઓગે…
    સંસાર સે ભાગે ફિરતે હો…..

    યે પાપ હૈ કયા, યે પૂણ્ય હૈ કયા ?
    રીતો પર ઘરમો કી મુહરે હૈ (૨)
    હર યુગમેં બદલતે ઘરમોં કો કૈસે આદર્શ બનાઓગે ?
    સંસાર સે ભાગે ફિરતે હો….

    યે ભોગ ભી અેક તપસ્યા હૈ,
    તુમ ત્યાગ કે મારે ક્યા જાનો (૨)
    અપમાન રચયેતા કા હોગા રચના કો અગર ઠુકરાઓગે….
    સંસારસે ભાગે ફિરતે હો….

    હમ કહતે હે યે જગ અપના હૈ, તુમ કહતે હો જુઠા સપના હે (૨)
    હમ જનમ બીતાકે જાયેંગે,
    તુમ જનમ ગવાં કે જાઓગે….
    સંસાર સે ભાગે ફિરતે હો……‘

    ‘યે ભોગ ભી.‘….કડી સાઘુ બનેલાઓને માટે ખાસ નૂકતેચીની કરે છે….
    આશારામોની કમી નથી….ઘેંટાઓની કમી નથી…..
    જયાં જયાં નજર મારી ઠરે…..યાદી ભરી છે આશારામોની…….
    વઘુ હવે પછી…..

    અમૃત હઝારી.

    Like

  7. વીક્ટર હ્યુગોની લા મીઝરેબલ, જૈન સાધુ ચીત્રભાનુ, દ્રૌપદી પોતે વસ્ત્રાહરણ માટે તૈયાર છે અને તથાગત બુદ્ધના સરોવરના નીર્મળ જળ ઉપરથી વાદળાનું પસાર થવું, ઉપરની પોસ્ટમાં પાંજરાપોળીયા સમાજનું દર્શન થાય છે.

    ખાપ પંચાયતના ફતવા એટલે જ તો ચાલુ છે.

    Like

  8. Aatla mota Bharat desh ma ek pan Bhadveer nathee je Khap Panchayto ne ankush ma raakhe? Mera Bharat Mahan.

    Like

  9. જે સમાજ ‘બે મળેલા જીવ’ વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમને મન્દીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મન્દીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે.

    પ્રબુદ્ધ વિચારક ડો .ગુણવંત શાહે એમના આ લેખમાં સેક્સ અંગે એમના જે રેશનલ

    અને સ્પષ્ટ વિચારો રજુ કર્યા એમાં ભારોભાર સત્ય છુપાયેલું છે એની કોઈ નાં કહી શકે

    એમ નથી .એમના લેખો અને વક્ત્વ્યોની આ જ તો ખૂબી છે .

    Like

  10. Very good article. We will have to follow Buddha who preached madhyam marg for common people,which is neither over sex nor depriving from sex. For sex, hunger and sleep are three basic animal instinct and has to be controlled by following madhyam marg.

    Rajen Maheshwari

    Like

  11. “જૈનસાધુ ચિત્રભાનુએ સંસાર માંડીને સુન્દર દાખલો બેસાડેલો.”
    ગુણવંતભાઈના આ વિધાનમાં હકીકત-દોષ છે. મુનિ ચિત્રભાનુ સાધુવેષમાં હતા ત્યારે જ તેમનાં અત્યારનાં પત્ની સાથે સંભોગ માણતા હતા અને એને પરિણામે પ્રમોદાબેન પ્રેગ્‍નંટ બની ચૂક્યાં હતાં. જો એવું ન થયું હોત તો ચિત્રભાનુ આજે પણ દંભી જીવન વીતાવતા હોત. સંસાર માંડવો એ એમની મજબૂરી હતી, સમજણ નહીં.

    Like

  12. ગોવિંદભાઈ, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

    ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.
    આપ આપના વાંચકો માટે અમારી સાઈટ ની માહિતી આપતી કોઈ પોસ્ટ લખશો તો વધુ ગમશે અને વધારે ગુજરાતી મિત્રો સુધી માહિતી પહોંચી શકશે.

    ધર્મેશ વ્યાસ

    Like

  13. ————–કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે.——————

    Even if we accept this, what is the big deal about it?. I have lot of respect for these two persons along with many others like them for the social work they have done, and not for their celibacy. Why celibacy should be given so much importance any way? It doesn’t have be be a goal in life, leave alone.the basic requirement for some “sainthood”.

    Scientists, philosophers, social reformers etc. have done great service to human society. It didn’t matter whether they practiced celibacy or not. We have to move beyond this uncalled for importance given to this unnatural practice.

    Like

  14. Friends,
    There is a defination for the word celibacy.” Abstention from sexual relations.” OR Virginity.
    ” A person who is unmarried, especially one who has taken a religious vow of chestity.”

    Chestity=ભ્રહ્મચર્ય..=..સામાજીક OR ઘાર્મિક.

    ડો. શાહ કહે છે કે, ‘ કહેવાતા ઘરમને નામે….રોગી સમાજને જન્મ આપ્યો છે…રોગી સમાજ બે પ્રકારના……માનસિક અને શારિરીક.

    સેક્સ, જન્મસીઘ્ઘ અઘિકાર છે.

    Study :WWW.pbs.org/wgbh.evolution/sex/

    Why Sex?
    Evolution. ( Animal OR Plant.)

    ” In evolutionary terms, sex is more important than life itself. Sex fuels evolutionary change by adding variation to the gene pool. The POWERFUL URGE to pass our genes on to the next generation has likely changed the face of human culture in ways we’re only beginning to understand.”

    સેક્ષ, સેક્ષ વિજ્ઞાનનો જન્મ, જ્યારથી જીવની ઉત્પત્તિ આ પ્રુથ્વિ ઉપર થઇ ત્યારથી થયેલો છે. જીવ, પ્રાણિ કે પછી વનસ્પતિના રુપમાં હોય.
    ઘર્મનો જન્મ કદાચ ૫૦૦૦ કે ૬૦૦૦ વષૅ પૂર્વે થયો હશે.
    તે પહેલાં પ્રાણિઓનું જીવન,મુક્ત જીવન હતું.
    અેટલે કે સેક્ષ અને ઘર્મને સીઘો કોઇ સંબંઘ નથી. માણસે જેમ જેમ સંસ્કૃતિ તરફ પગલાં ભર્યા, વિજ્ઞાનની શોઘો કરીઅને ઘર્મોના બંઘનો બનાવ્યા ત્યારથી, લગ્નના, લગ્નજીવનનાં ઘાર્મિક બંઘનો બનાવ્યા અને ત્યારથી ચેસ્ટીટી કે સેલીબસીની કે વીરજીનીટીની વાતો બનાવી.
    સેક્ષ, હોરમોન્સની અસર હેઠળ ચાલતી શારિરિક ક્રિયા છે. ટેસ્ટોસ્ટેરોન(પુરુષ), ઓઇસ્ટરોન, પ્રોજેસ્ટેરોન, અેસ્ટરોન ( સ્ત્રી )જેવા હોરમાન્સની અસર શરીરમાં અેવો આવેગ જન્માવે છે કે તેને રોકવાની કોઇપણ પ્રાણિની કે માનવની તાકાત નથી. આ અસરનો પાવર ( અર્જ ) સૌથી વઘુ હોય છે. કોઇપણ સાઘુ, મહાત્મા કે બ્ર્હમચારી જો છાતી થોકીને તે અસરને નાથી હોવાની વાત કરતા હોય તો તે જુઠા છે. કુદરતી આ શક્તિ નાથવાની કોઇની તાકાત નથી. ઘર્મ તો તેની વાતોના વડા કે ઘતીંગ જ કરે છે તેવુ કહેવાય. બળાત્કાર પણ દુષણ જ છે. સેક્ષ હોરમોન્સની ગેરહાજરી નપૂંસકતા પ્રદાન કરે છે. સંસારમા રહીને પણ સાઘુત્વ પામી શકાય છે અને તેમ કરવાથી સામાજીક દુષણો પણ અટકાવી શકાય છે.

    ૨૧મી સદી ‘વિજ્ઞાનીકઘર્મ ‘ની સદી છે. વિજ્ઞાન અેજ ઘર્મ. (સંસારસે ભાગે ફીરતે હો…..?).
    સેક્ષ, જીવન જીવવાની ત્રણ મુખ્ય જરુરીયાતોમાની અેક સૌથી અગત્યની જરુરીયાત છે.
    આ વાત સાબિત કરે છે કે ઘર્મઅે રોગી સમાજને જન્મ જ આપ્યો છે.
    અેસોના પુસ્તક..‘.સંભોગથી સમાઘી‘…વાંચવા જેવું પુસ્તક છે.

    અમૃત હઝારી.

    Like

  15. ગોવિંદભાઈ, આ લેખ અને લેખક જ નહીં પણ આ લેખ મુકવા બદલ તમને અને ઉપરોક્ત કોમેન્ટ કરનાર સૌને ધન્યવાદ. શ્રી.અમૃતભાઈ હજારીની કોમેન્ટ ઘણી જ ગમી. સંયુક્ત કુટુંબની સંકડાશ્માં સેક્સ અંધારાનો ગુપ્ત વિષય બની ગયો છે.
    જૂનવાણી ડોસા-ડોસીઓ પોતાના લગ્નજીવન દરમ્યાન વન-ટુ-થ્રીમાં ક્રિકેટની ટીમ ઉભી કરી દેતા પણ એ વડિલો ન તો મુક્ત આનંદ માણતા કે આનંદની અભિવ્યક્તી કરી શકતા.
    સરસ આર્ટિકલ.

    Like

  16. ……‘….જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયુ….‘…….
    તે સાઘુ (?)ને……
    શાબાશ!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!અને બે સવાલ પૂછીયે……

    શું તું સ્વયંભૂ હતો??????????????????????????????????????????????????

    જે માંની કૂખે જન્મ લીઘો તે માંને જઇને પૂછી આવ કે તને (માંને) જોવાનું મારો ઘરમ ના પાડે છે તો હું શું કરૂં ??????????????????????????????????????????????????????????
    તારી કૂખે જે બહેને જન્મ લીઘો છે તે બહેનને જોવાનું મારો ઘરમ ના પાડે છે તો હું શું કરું ??????????????????????????????????

    હે ઘરમના વાહક????????????

    ત્યારે તારી માં તને જવાબ આપશે કે…….‘હે નપુંસક….જો તને તારા મગજમા મૈથુન સંબંઘી વિચારો ઉપર અંકુશ ના હોય તો ડૂબી મર……..તને જનમ આપીને મેં તો મારી કૂખ લજવી…….‘ માંને કે બહેનને તો તું જંગલમાં જ મુકી આવ…..પરંતુ…તારો ભગવાન તો હરેક સ્થાનમાં છે કણ કણમાં છે, તે તો અમને જોતો રહેશે ને????? તે તો સર્વેને પોતાના બાળકો સમજે છે તે તો અમને ગળે લગાવશે ને???????

    Like

  17. શ્રી ગુણવંતશાહને, વાંચવા ,વિચારવા ને સાંભળવા એક લ્હાવો છે.સતત અભ્યાસી એમની કલમ, ગુજરાતી સાહિત્યની શોભા છે. આ લેખ પણ અનેક પાસાં ઉજાગર કરે છે. તેમની વાતોને સમજી, એક જીવન પધતિ વિકસે તો,

    કુદરત સાથે સમન્વય સધાય…સુંદર જીવાય…અતિરેક બધે જ વિનાશી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  18. આ આર્ટિકલ સાવ વિચાર વિહીન છે….અરે તમે ધર્મ માં હિન્દુ નિજ વાત કરોને…! સાધુ અને બ્રહ્મચર્ય બંને પૂરક છે….
    આપણા શાસ્ત્રો માં બ્રહ્મચર્ય ને સાધુ ના જ્ઞાન નું પાત્ર કહ્યું છે…તમે એવો માણસ બતાવો જે…સંસાર માં મસ્ત રહી મહાન બન્યો હોય…
    ગુણવંત શાહ ની વાત કરીએ તો તે કોઈ પણ વાત માં બ્રહ્મચર્ય ને કેમ ઘુસા ડે…તેની પાસે કોઈ પુરાવો નથી… શાસ્ત્ર નથી..ને ખાલી સમાજ ને બગાડે…. ગુણવંત શાહ શું ગાંધીજી કરતાં વધારે જ્ઞાની છે…???

    Like

Leave a comment