પુત્રીમ્ પુત્રમ્ સમાચરેત્

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

 આપણા સમાજમાં સ્ત્રીઓ સન્દર્ભે બેવડાં ધોરણ અપનાવાય છે; દીકરીનો જન્મ, એનો ઉછેર, એનાં લગ્ન, એનું લગ્નજીવન, એની પ્રસુતી, એની માંદગી અને છેવટે એની ચીરવીદાય – આ બધા જ તબક્કે સ્ત્રીઓને સર્વત્ર અન્યાય થતો આવ્યો છે. સાહીત્યકારોનુંય એવું છે કે, આવા અન્યાયોને બલીદાન, કુટુમ્બ–વત્સલતા, ઉદારતા (સહીષ્ણુતા) જેવા રુપાળાં નામ આપી, કરુણ રસને બહેલાવતી રચનાઓ કરે છે. આવી રચનાઓ વાચતાં, જાણે એમ લાગે છે કે, સ્ત્રીઓ પર જુલમો ગુજારાય તેમાં કોઈ વાંધો નથી. સૌથી ઘોર, કરુણતમ પરીસ્થીતી એ છે કે, ગર્ભમાંનું બાળક ફક્ત છોકરી હોવાના કારણ માત્રથી એને (જન્મ પુર્વે જ) મારી નાંખવામાં આવે છે.

–ડૉ. અશ્વીની મ. કાપડીયા

(‘છીપમાં મોતી એક’ પુસ્તીકામાંથી સાભાર)

પ્રાધ્યાપીકા બહેન ડૉ. અશ્વીનીની આ વાત બીલકુલ સાચી છે; એમાંથી ભારતીય સમાજને પડકાર તથા વર્તમાન પરીસ્થીતીની વેદનાનો ચીત્કાર સંભળાય છે. છેક નર્મદ યુગથી, વીધવાઓની સ્થીતીનું એ કવીનું હૃદયદ્રાવક બયાન કે ‘સરસ્વતીચન્દ્ર’ની ગુણસુન્દરી અને કુમુદથી માંડીને તે ‘સાત પગલાં આકાશ’ સુધી બરાબર આ જ દુ:ખદ રવૈયો ચાલતો આવ્યો છે. જાણો છો ? ખ્રીસ્તી ધર્મમાં તો નારીને ‘ઉતરતો (પુરુષથી હલકો) આત્મા’ ગણવામાં આવે છે. ભારતીય આર્ય ધર્મોમાં વળી બેવડાં ધોરણ છે : ધર્મગ્રંથોમાં સ્ત્રીઓ વીશેના તથા સ્ત્રીઓ પ્રત્યેના ઉલ્લેખો કમકમાં પ્રેરક છે અને સુત્રો એવાં ભ્રામક છે કે ન સ્ત્રી સ્વાતંત્ર્યમર્હતી/ અને તે સાથે જ વળી યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે/ ભારતીય સમાજમાં દીકરીને (એટલે સ્ત્રી સંતાનને) ‘સાપનો ભારો’ લેખાવવામાં આવે છે ! ખરેખર તો, આપણા સમાજમાં ડગલે ને પગલે જીવતા સાપના ભારા બાંધી રાખવામાં આવ્યા છે, જે બાપડી સ્ત્રીઓને જ ડસે છે. (જુઓ ઉમાશંકરનો એકાંકી સંગ્રહ ‘સાપના ભારા’) બહેનશ્રી પ્રા. કાપડીયાએ એક નવો જ ખુણો આ પુસ્તક દ્વારા અજવાળ્યો છે; જે એક સાથે કુરીવાજનું અમંગલ સુચન કરતું મંગલદર્શન છે. એ છે સ્ત્રી ભ્રૃણહત્યાથી માંડીને તે ‘ઑનરકીલીંગ’ સુધીના અમાનુષી અન્યાયો કે પાપાચારનાં ઘોડાપુર વચ્ચે, સ્ત્રીસંતાનના અર્થાત્ દીકરીના લાડકોડભર્યા, પ્રેમવાત્સલ્યથી ભરપુર એવી ગણતર ઘટનાઓનું આશાપ્રેરક તથા આશ્વાસન પ્રેરક બયાન.

બહેનશ્રીનાં આ બયાનોનો ભાવાર્થે, સારાંશ એવો સુમંગલ છે કે, આવી રુઢીગ્રસ્ત વીષમતાઓ વચ્ચે પણ, આપણા સમાજમાં આપણી આસપાસ જ એવા વીલક્ષણ કે વીશીષ્ટ ભાવનાવાળાં કુટુમ્બો વસે છે કે, જેઓ પોતાના પુત્રીસંતાનનો ઉછેર પુત્રવત્ જ કરે છે;  અર્થાત્ પ્રસ્તુત માતાપીતા કે વડીલોનાં ચીત્ત્તમાં–હૈયામાં પુત્ર કે પુત્રી વચ્ચે કોઈ જ ભેદ નથી. આ ખુબ મોટી વાત છે અને શાન્ત ક્રાન્તી છે. કારણ કે આ પુસ્તકમાં પ્રા. અશ્વીનીબહેન વારંવાર ઉલ્લેખે છે કે ભારતીય હીન્દુ સમાજમાં પુત્રસન્તાનનું મુલ્ય તથા મહત્ત્વ લગભગ અનીવાર્ય જેવું છે : ધાર્મીક તથા સામાજીક બન્ને સંદર્ભમાં : વડીલોના અગ્નીસંસ્કારથી માંડીને તે પીંડદાન સુધીની મરણોત્ત્તર ક્રીયા પુત્રને હસ્તે જ થાય, તો જ મરનારના આત્માને સ્વર્ગ મળે કે મુક્તી મળે! (આવું ‘સ્વર્ગ’ ક્યાં છે અને ‘મુક્તી’ એટલે શું ? – એ જો કે કોઈ જ જાણતું નથી !)

આ પુસ્તકમાં, આવાં સોળ સમજદાર કુટુંબોના એવા અભીનન્દનીય અભીગમનો પરીચય કરાવવામાં આવ્યો છે કે, જેમાં પુત્રીનો જન્મ કે ઉછેર, ભણતર કે લગ્ન, પુત્રનાં જેટલાં જ સ્વતન્ત્ર પ્રેમવાત્સલ્ય તથા ઉમંગ–આનન્દથી આચરવામાં આવ્યાં છે અથવા તો આવે છે; જેમાં ડૉક્ટર દીક્ષીતદમ્પતી તથા પોપટભાઈસરયુબહેન વ્યાસ જેવાં પ્રતીષ્ઠીત જાણીતાં દમ્પતીની આવી ઉમદા ભાવનાનો તથા પ્રગતીશીલ અભીગમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બહેનશ્રી પ્રા. અશ્વીનીબહેન, સંકોચ સાથે એક સત્ય જણાવું? ખુશીની વાત છે, એટલે જ જણાવવાનું મન કરું છું, તો થોડી આત્મશ્લાઘાય ક્ષમ્ય ગણશો જ, અમારા રૅશનાલીસ્ટ વર્તુળમાં એવા કેટલાક મીત્રો છે કે, જેઓએ એક જ પુત્રીસન્તાનને પુત્ર કરતાંય વધુ સ્નેહવાત્સલ્યથી વધાવી લીધું છે. ખુદ આ લેખક (ર.પા.)ને પણ એક જ પુત્રીસન્તાન છે, અને એવો સભાન નીર્ણય અમે દમ્પતીએ છેક 1950માં કરેલો, એટલું જ નહીં, એ પુત્રીનો ઉછેર પણ અમે ભારે લાડકોડથી તથા કાળજીપુર્વક કરેલો અને આજેય એ દીકરી ચી. શર્વરી દ્વારા મને એટલાં જ હુંફ – આશ્વાસન તથા પરમસંતોષ મળી જ રહ્યાં છે. (પુત્રી અમેરીકામાં વસે છે, અને હું અહીં સાવ એકલવાયો છું; પણ વળી એ જુદી સમસ્યા છે. જેની કોઈ ફરીયાદ મારા મનહૃદયમાં નથી. અને પુત્રની ખોટ તો મને ક્યારેય સાલતી જ નથી,) રૅશનાલીઝમ સ્વીકાર્યાનો એ વીશેષ લાભ છે.

બહેનશ્રી પ્રા. અશ્વીનીબહેન આ વીષય એટલે કે પુત્રીસન્તાનને પુત્રવત્ ગણી આવકારવાનો અનુરોધ આ પુસ્તકમાં પ્રધાનધ્વની લેખે કર્યો છે; એ તો એક અત્યન્ત ઉપયોગી તથા અભીનન્દનીય પ્રદાન છે જ; પરન્તુ સાથેસાથે એ નીમીત્તે તેઓએ આ પુસ્તકમાં ઉત્ત્તમ સામાજીક ચીન્તન પ્રસ્તુત કર્યું છે, એ પણ મુલ્યવાન તથા આવકાર્ય છે: દા.ત. આપણા સમાજમાં ભયાનક પીડાકારી લેખાતું સ્ત્રી પ્રત્યેનું વાંઝીયામહેણું (પૃ. 35), તેઓ અનુરોધે છે કે, મોટી ક્રાન્તીની મીથ્યા રાહ ન જોયા કરો; પરન્તુ તમારા પોતાના કુટુમ્બથી જ, તન્દુરસ્ત આચાર–વીચારને અપનાવો ને નીષ્ઠાપુર્વક અમલી બનાવો ! (પૃ. 36) ભ્રુણહત્યા નહીં; યોગ્ય રીતે ભ્રુણદાન કરો ! (પૃ. 47), હજી સ્ત્રી–પુરુષ સમાનતા માટે તો ઘણી મજલ કાપવાની બાકી છે. (પૃ. 64 ), સ્વતન્ત્રતા, સમાનતા અને બન્ધુતા આ સુત્રો જીવનમાં શક્ય તેટલાં વહેલાં સ્વીકારીને જીવનરાહ નક્કી કરીએ તો, એ આપોઆપ તન્દુરસ્ત સમાજના ઘડતર તરફ લઈ જશે. (પૃ. 09), લગ્નમાં વરથી કન્યા નાની જ હોય, એવો આગ્રહ જાળવવાની જરુર નથી. (પૃ. 31) ઈત્યાદી.. ડૉ. કાપડીયાબહેનશ્રીએ આવી બધી બાબતોનો અર્થાત્ સમાજ સુધારાનો અનુરોધ બહુ જ સરળ, છતાં સુન્દર, હૃદયસ્પર્શી શૈલીમાં કર્યો છે એ બદલ તેઓ અભીનન્દનનાં અધીકારી અવશ્ય છે. તેમની શૈલીમાં સર્જનાત્મકતા પણ છે, એના એક બે નમુના જોઈએ :

(1) ઉત્તુંગ શીખરો ઘરના ચળકતા ખડકોની નીચે, મીઠાં પાણીનાં ઝરણાં સતત વહેતાં હોય છે, જે હેઠવાસના જીવોને પરમ શાન્તી અર્પે છે.(એવી ડૉ. પ્રભાવતીબહેન દીક્ષીતની સેવા પ્રવૃત્તી છે : પૃ. 51)

(2) પુરુષપ્રધાન સમાજમાં એક સુભાષીત છે કે ‘છોકરો સોળ વર્ષનો થાય, એટલે તેને મીત્ર સમજવો’ – આ કહેવતને ધરમુળથી સુધારી, બાપ–દીકરી વચ્ચે જાતીય બાબતો અંગે પણ નીખાલસતાથી ચર્ચા થતી થાય. (જ્યોતી વૈદ્ય અને ચી. સોનલ : પૃ. 33) ઈત્યાદી.

અન્તમાં લેખીકાબહેનને એક બે સુચન નમ્રતાપુર્વક કરવાનું મન થાય છે કે, પ્રત્યેક દમ્પતી અથવા તો દીકરીની હસ્તી યા ઉંમરનાં ચોક્કસ વર્ષ આપ્યાં હોત તો સારું રહેત એ જ રીતે એ વંદનીય યુગલનાં સરનામાં કે ટેલીફોન નંબર પણ, જો તેઓની મંજુરી હોય તો, આપવાં જોઈએ. દા.ત. ગીતાબહેન, એમના પતી નીતીનભાઈ અને પુત્રી શ્વેતાના નીવાસ સંદર્ભે અમારા બારડોલીનો જ ઉલ્લેખ આવે છે. તો જો તેઓનું ચોક્કસ સરનામું આપ્યું હોત, તો મને સમ્પર્ક કરવાનું ગમત. ખેર, એ તો બધું ગૌણ લેખાય, પણ આવું પુસ્તક, જેને પ્રસ્તાવનાકાર પ્રો. સુર્યકાંત શાહે અભુતપુર્વ અદ્ ભુત કહ્યું છે; એવું અજોડ પુસ્તક, પુરતાં શ્રમ–કાળજીપુર્વક પ્રગટ કરવા બદલ પ્રો. ડૉ. અશ્વીનીબહેન મનસુખલાલ કાપડીયાને લાખ–લાખ ધન્યવાદ! અલબત્ત, એક ગંભીર છતાં આડવાત એ કે, એક જ સ્ત્રીસન્તાન–પુત્રીથી સમ્પુર્ણ સન્તોષ, સુખ તથા આનન્દ માની લેતાં માતાપીતા વળી એક જુદી જ દુ:ખદ સમસ્યા પણ જન્માવે છે; જે જાણવા ઈચ્છતા – જીજ્ઞાસુ ભાવકોએ સરોજ પાઠક લીખીત એક પરમ હૃદયસ્પર્શી વાર્તા ‘મુંગા નકારનો હાહાકાર’ વાંચવી. (પ્રાપ્તીસ્થાન: શ્રી. અગ્રવાલ ટ્રસ્ટ, 1308, રંગીલદાસ મહેતાની શેરી, ગોપીપુરા, સુરત– 395 501)

ભરતવાક્ય

શ્રી. ચલથાણ વીભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી એનાં સાધનોની મર્યાદામાં રહીને વીવીધ પ્રવૃત્તીઓ પણ કરે છે. શ્રીમતી વી. આર. ભક્ત શીક્ષણ મહાવીદ્યાલયનાં (કામરેજ) શ્રેયાન પ્રાધ્યાપીકા ડૉ.અશ્વીનીબહેન કાપડીયાએ અમને જણાવ્યું કે, તેઓ એક જ દીકરીનાં મા–બાપવાળાં કુટુમ્બોનો અભ્યાસ વૈજ્ઞાનીક દૃષ્ટીએ કરવા માંગે છે. અમારે માટે આ નવો જ મુદ્દો હતો; તેથી આ મંડળીએ એનો સમગ્ર આર્થીક બોજો ઉપાડી લેવાનું સ્વીકાર્યું..

–જયંતીભાઈ છોટુભાઈ પટેલ (પ્રમુખ)

પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટારરમણભ્રમણ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 24 જુલાઈ, 2010ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકના અને ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોયતે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજપરમથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Village, KOPARKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ:govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:28/03/2014

 

 

18 Comments

  1. Very nice thought. We must accept child as child and not as boy or girl. Those days are gone where son become torch barier of family.

    We are blessed with one daughter and have raised her to where she is our ‘world’. Yes I always claim my daughter is my duniya.

    For those who think male gender can do more than female gender…. wake up…. this is not 18th century anymore. We live in 21st century where female gender can do everything male gender can and more as they can incabate and produce future generation.

    Thank you for sharing

    Like

  2. may be one child policy like in China may solve this problem if adopted.

    One may Google Search and read…………….

    Gender Preference in the United States
    Sex selection………in Wikipedia

    Like

  3. ડો.અશ્વીની કાપડીયાને આ લેખ માટે હાર્દિક અભિનંદન. પ્રા. રમણ પાઠકને પણ. આપણી પ્રજાની માનસીકતા હેમરીંગ દ્વારા જ કદાચ બદલી શકાય. સમજાવતને તો આપણી પ્રજા ઘોરીને પી જાય. જેલમાં ક્રુર ગુનેગારોનું જીવનચલન હેમરીંગ દ્વારા બદલવાનું કરવામાં આવે છે. પરિણામ ઘારેલું મળે છે. આપણી પ્રજા કદાચ સ્ત્રીઓ પ્રત્યે અપનાવાતા બેવડા ઘોરણો માટે કોઇક પ્રકારના હેમરીંગ માટે લાયક છે.
    પુત્રીમ્ પુત્રમ્ સમાચરેત્……કે પછી યત્ર્ નાર્યસ્તુ પૂજ્યંતે……જેવા સુવિચારો તો પુસ્તકોના પાનાઓને જ ઉજાળવા લખાતા હોય છે. આજના રોજીદા જીવનની પરિસ્થિતિ અને રહેણીકરણી આ વાતોને ખોટી સાબિત કરે છે.
    આ આર્ટીકલ શરુઆતમાં ‘આપણો સમાજ‘ રીફર કરે છે. આપણો સમાજ અેટલે મહદ્ અંશે હિંદુઓ / આર્યો અને કદાચ તેઓમાંથી કન્વર્ટ થયેલા મુસ્લિમો. થોડો ઇતિહાસ :
    Islam first came to India with Arab traders as early as 7th Century A.D. to coastal Malabar. Islam arrived in 11th century to coastal Gujarat. Islam arrived in North India in 12th century with Turkis invasion and has since became a part of India’s religious and cultural heritage.( en.wikipedia.org/wiki/islam_in_India). So majority of today’s muslims in Indian subcontinent were Hindus.

    ટૂંકમાં આજના મોટે ભાગના. કન્વર્ટ મુસ્લિમો પણ હિન્દુ / આર્યો હતાં…તેમનાં જીન્સમાં હિંદુપણું સચવાયેલું છે. ભારત, પાકિસ્તાન,બાંગલાદેશ અને સાઉથ કોરીયામાં સ્ત્રી જાતી માટે જુદો વ્યવહાર છે અેવું ઇતિહાસ કહે છે.

    Now we go back to the subject of “DISCRIMINATION AGAINST GIRLS IN INDIA.”

    આજની આપણી ચર્ચા પરિણામલક્ષી છે.

    પરિણામ જોઇ રહ્યા છીઅે. પરંતુ આ પરિણામ આવ્યુ ક્યાંથી ? કારણો કયા? કોણ જવાબદાર ? કોણે આ નિયમો બનાવ્યા કે જેને કારણે આ પરિણામ આવ્યું. મનુસંહિતા વાંચી જોઇ છે? વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ ગીતામાં ઘણી જ્ગ્યાઅે આવે છે. સ્ત્રીને સમાજમાં રહેવાના નિયમો મનુસંહિતામાં આપ્યા છે…તેમા સ્ત્રીની કોઇ ગણત્રી નથી. અને મનુ મહારાજના નિયમો બ્રાહ્મણોઅે સમાજમાં જડી દીઘા. વાંકડાની રીતોથી દિકરી સાપનો ભારો બની ગઇ. ઘર્મના વાહકો, સમાજ અને સમાજના ચલાવનારાઓનું હેમરીંગ કદાચ સુઘારો લાવે.
    વિજ્ઞાને સાબિત કર્યુ છે કે માતાના પેટમાં જન્મેલું પિંડ પુરુષ છે કે સ્ત્રી તેનો પુરો આઘાર પિતાના ક્રોમોસોમ્સ ઉપર અવલંબે છે. પિતા જ તે લીંગ માટે જવાબદાર હોય છે. ભણેલા ગણેલા કુટુંબમાં પણ દિકરો પ્રિફર્ડ…..અરે….જે માતા બનવાની છે તે સ્ત્રી પોતે પણ સામાજીક પરિબળોને કારણે દિકરો ઇચ્છે છે….વોટ અે ટરેજડી……

    અમેરિકા અને યુરોપમાં પરિસ્થિતિ અલગ છે….ત્યાં ઘરડાં મા બાપની કાળજી દિકરી લેતી હોય છે. ત્યાં દિકરીનો મોટો મહિમા છે. પોપ્યુલેશન સેન્સસના આંકડા વઘુ પ્રકાશ પાડશે.

    આજે….નોર્થ અમેરિકામાં….1029 Women Vs 1000 Men.
    Europe…………..1076 Women Vs 1000 Men
    2001 census…India……..927 Women Vs 1000 Men
    2011 census…India 914 Women Vs 1000 Men.

    ભ્રુણ હત્યા આ માટે જવાબદાર છે. સરકારી કાયદાઓ પોઠીમાંના રીંગણા છે. ડોક્ટરો કમાવાની ઘૂનમાં ભ્રુણ હત્યામાં ભાગ ભજવે છે. ભણેલાં મા બાપ આ કર્મ કરનારાઓ ઘાર્મિક રાક્ષસો છે.
    આજનો સમાજ આપણા થકી જ બનેલો છે. આપણે જ આ પરિસ્થિતિ માટે જવાબદાર છીઅે. સમાજમાં જોઇતા સુઘારાઓ માટે આપણી પાસે અેકતા નથી. હિદુંસ્તાન અને હિંદુઓ કદી અેક થયા નથી અને થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
    શ્રી રમણભાઇઅે કહ્યુ તે રીતે આત્મશ્લાઘા માટે નહિ પરંતુ દાખલા તરીકે કહીશ કે મારાં કુટુંબમાં છેલ્લા ૬૦ વષૅમાં દિકરા જન્મયા છે. દરેક નવા આગમન વેળાં બઘા પ્રાર્થના કરતાં કે દિકરી આવે. અમારી પ્રાર્થના ૬૩ વષૅ પછી મારા દિકરાને ઘરે સફળ થઇ રહી છે…આખા હઝારી કુટુંબમાં આનંદનું વાતાવરણ જન્મ્યુ છે.
    દરેક અેકમે સુઘરવાનું છે. વિચારો બદલવાનાં છે. અમારા સ્નેહિના ઘરે દિકરીઓઅેગયે મહિને મૃત માતાને ખાંઘ દીઘી હતી અને તે બાદની બઘી કહેવાતી ઘાર્મિક ક્રિયાઓ પણ કરી હતી., જેવીકે પીંડ દાન……

    અમૃત હઝારી.

    Like

  4. સ્ત્રી ભ્રુણ હત્યા !!

    આ વણજન્મેલી વેએદેહિ ની વેદના તું વિચારી જો.
    લોહી થી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.

    પાંચાલી ની શક્તિ તારી,મહાભારત જો રચી શકે .
    અંબા દુર્ગા કાળી ને એક અવસર તો આપી જો .

    ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
    ચંદ્ર સરીખી પ્રતિકૃતિ ને એક વખત અવતારી જો.

    કુળદીપક ની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલી ને ,
    દંભી સામાજિક મુલ્યો ને એક ઠોકર તો મારી જો.

    —– ડો સેદાની

    સ્ત્રી ભ્રુણ હત્યા! નારી જાતી નું નિકંદન ! પુરુષ પ્રધાન સમાજ માં નારી નું આવું અવમુલ્યન ?
    આ માટે શું પુરુષ ને જ જવાબદાર ગણીશું ? anesthetist તરીકે નો મારો ૪૧ વર્ષ નો અનુભવ
    મને કહે છે કે મહદ અંશે -મોટા ભાગે સ્ત્રી ની ઈચ્છા આમાં નિમિત્ત બનતી હોય છે .મજબુરી
    નો અંચળો ઓઢી ને તમારી જવાબદારી થી આંખ આડા કાન કરવા હોય તો જુદી વાત છે.
    આ કાવ્ય માં મારી વ્યથા ને વાચા આપી છે. ડો. સેદાની…

    Like

  5. ધીરી ગતીએ સમાજ આબધી વાતો સ્વિકારી રહ્યો છે.

    Like

  6. Paththr etla pujyadev toy na avyu brahm gyan, khajano to khudma che mano nhi jano e smay ane hmnana smay shu ekj che jago umar jetli to samj jo samajma aave to dhukhni pare pan svarg che, jago dosto, nothing is imposible because I m possible.

    Like

  7. મારો અનુભવ છે કે વૃદ્ધ માતા-પીતા માટે દિકરા કરતા દિકરી વધુ જીવ બાળે છે તેમજ વધુ સારી સમ્ભાળ રાખે છે. તે સમ્ભાળ ત્યારે રાખી શકે છે જ્યારે તે સાસરીયાના સંયુક્ત કુટુમ્બમા નહીં પણ પોતાના સ્વતન્ત્ર વિભક્ત કુટુમ્બમાં રહેતી હોય. બન્ને પ્રકારના જમા-ઉધાર પાસા છે.

    Like

  8. આ સામાજિક સમસ્યા ,અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે. પુરુષ અને સ્ત્રીની શારિક કુદરતી રચના વિભિન્ન છે. અગાઉના સમયમાં પ્રજાના ,અંદર અંદરના વર્ચસ્વો માટે આક્રમણ ખાળવા, ખડતલ પુરુષોનો વર્ગ ,એક

    જરૂરિયાત હતી. હવે જમાનો બદલાયો છે, સામાજિક જવાબદારી ઉપાડવાની રીતો બદલાતી જાય છે. હવે સુધારાને અવકાશ છે, આ આવશ્યક છે..ને હવે ભેદ કરવો એ અન્યાય જ છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  9. દીકરીને વ્હાલનો દરિયો કહેવાય છે . દુર રહેતી હોય છે પણ માં-બાપની હમ્મેશાં ચિંતા

    કરતી હોય છે .

    બાપની આંખોમાં બે વખત આંસુ આવે છે ,પ્રથમ જ્યારે દીકરી ઘર છોડે છે ત્યારે

    અને બીજીવાર જ્યારે દીકરો તરછોડે ત્યારે .

    અગત્યના સામાજિક પ્રશ્ન ઉપર પ્રકાશ ફેંકવા માટે ડો.અશ્વીની કાપડીયાને તથા આ લેખ માટે

    પ્રા .રમણ પાઠક હાર્દિક અભિનંદન. . આ લેખને પસંદ કરવા માટે સંપાદક શ્રી

    ગોવીદભાઈને પણ.

    Like

  10. ફક્ત આપણા સમાજમાં જ નહી, સમગ્ર વિ્શ્વમાં સ્ત્રી-પુરુષ ના કુદરતી વિરોધાભાસને કારણે જ્યાં સમન્વય નથી ત્યાં ઝગડો ચા્લ્યા જ કરે છે. પૂ. ગાંધીજીએ એક જગ્યાએ કહ્યુ છે કે અહિંસક લડત તેઓ કસ્તૂરબા પાસેથી શીખ્યા. જે રીતે ઘરમાં કસ્તૂરબાની સ્ત્રી શક્તિએ ગાંધીજીનો સત્તાનો મક્કમતાથી પ્રતિકાર કર્યો તે જ રી્તને ગાંધીજીએ દુનિયામાં વિસ્તારી જાણી. પતિ-પત્ની વચ્ચે અરસપરસ પ્રેમ હોય અને અન્યાય સામે અસહકારની લડત વડે સ્ત્રી ઘરમાં પોતાની જ્ગ્યા કરવામાં જ્યારે સફળ થાય છે ત્યારે કેટલીક વાર સત્તા પ્રાપ્તિ માટે પણ તે આ હથિયાર વાપરતી રહે છે અને પુરૂષને ઘરમાં રહેવું દુષ્કર કરી દે છે. સિક્કાની આ બીજી બાજુની આપણે બહુ ચર્ચા નથી કરતા કારણ કે સ્ત્રીને આપણે અબળા ગણીએ છીએ. શા માટે? કદાચ પ્રેમને આપણે વેવલાઈ ગણીએ છીએ માટે? કે પછી માતા બની શકવાની તેની કુદરતી શક્તિને કોઈ કચડે તો તેને સ્વરક્ષાની તાલિમ કદી આપવામાં જ નથી આવી હોતી માટે? કે પછી પરિવાર અને સમાજની વધુ પડતી અપેક્ષાઓ સામે તે વિરોધનો સૂર નથી ઉઠાવતી માટે? કુદરતી ત્યાગ અને સહનશીલતાને કારણે પરિવારનો સ્તંભ થયા પછી પણ કદરદાની કે પ્રશંસા ની અપેક્ષા નથી રાખી શકતી માટે? સદીઓથી સ્વજનોથી કચડાતી સ્ત્રીને જન્મથી જ સહન કરવાની ફરજ પડવામાં આવે છે અને તે ફરજ તે હસતા કે રડતા અદા કરે છે માટે? સ્ત્રી જ નહી કોઈ પણ વ્યક્તિ અન્યાય કે અત્યાચાર સામે અવાજ ઉઠાવે ત્યારે તેને દબાવી દેવા માટે દિલ્હી સુધીની સત્તા મજબુત છે માટે? દબાયેલા આ અવાજોના વિસ્ફોટે મહાસત્તાઓને તોડી છે એ આપણે ભૂલી જઈએ છીએ. આર્થિક રીતે સ્ત્રી સ્વતંત્ર થયા પછી ધોરણો બદલાયા છે.પણ તો ય નોકરી કરતી સ્ત્રીને ઘરના કામમાં હાથ બટાવતા પુરૂષો પણ તે કામ પોતાનું ગણીને નહી પણ પત્નીને મદદ કરવાની ફરજ સમજીને કરતા હોય છે. અને જેની પત્ની નોકરી ન કરતી હોય તેવો પતિ ઘરસંભાળ અને બાળકોના ઉછેરના કાર્યોને સમકક્ષ ગણી આર્થિક સ્વતંત્રતા આપતો હોય ત્યારે પણ પોતાનો અધિકાર એણે પત્નીને આપ્યો છે એમ માને છે એ સ્ત્રીનો પ્રાપ્ત અધિકાર છે અને એને મળવો જ જોઈએ તે રીતે સમાજને કેળવવા જતાં પુરૂષનો અહમ ઘવાય છે.આવો ઘવાયેલ અહમ વકરે ત્યારે તે સ્ત્રીઓને વધુ રંજાડે છે. પુરૂષનો અહમ સાચવી લેવા તરફ જ્યારે સમાજના સ્ત્રી-પુરૂષ સૌ સહમત હોય ત્યારે દુઃખમાં એકલી પડેલી સ્ત્રી અસહાયતા અનુભવે અને બળ વાપરવા કરતા પોતાને અબળા ક્હેવડાવવાનું વધુ પસંદ કરે તો નવાઈ નહી! કમ સે કમ સમાજની સહાનૂભૂતિ તો પામે. પ્રતિકારથી વધુ દુઃખ ઉભા કરીને કોઈ જ ફાયદો નથી તેવી તેની સમજણ સાવ ખોટી પણ નથી હોતી. સમાજ વ્યક્તિઓનો સમૂહ છે. વ્યક્તિઓ બદલાશે ત્યારે સમાજ બદલાશે. અને આ બદલાવ ઉપલા વર્ગથી શરૂ થવો જરૂરી છે. મોજશોખમાં રાચતી કેટલીક ઉપલા વર્ષની સ્ત્રીઓ આ મોજશોખ છોડી ન શકવાથી પુરૂષના અહમ સાથે પોતાનો અહમ જોડી સહિયારા અહમને સાચવી લેવા મથતી હોય છે. તેના પતિથી અલગ તેની કોઈ ઓળખ હોતી નથી. પતિ જો કાઢી મૂકે તો ક્યાં જવુ અને શું કરવું તેની દિશાસૂઝનો અભાવ તેને અબળા કરી મૂકે છે. આવી અબળાઓનો લગ્નના બજારના જલ્દીથી વિક્રય થાય છે. પુરૂ્ષ અને સ્ત્રી બંને વર્ગો સાથે મળી જ્યારે સમાજની આ નબળી માનસિકતા બદલવા ઝઝૂમશે ત્યારે સ્ત્રી અબળા મટી સબળા થશે અને સમાજમાં રોશની લાવવા સમર્થ નીવડશે.

    Like

  11. સ્નેહિ શ્રી ડો. પ્રવીણ સેદાની,
    અભિવ્યક્તિના બ્લોગે મને ઘણા વખતથી જેમને શોઘતો હતો તેમને મેળવી આપ્યાનો આનંદ છે. ઘણા વખત પહેલાં અેડીસનમાં તમને સંગીતના સૂરો રેલાવતા અને મંત્રમુગ્ઘ કરતાં સાંભળેલા. ભૂલ્યો નથી. વર્સા જોષી સાથે તમે છેલ્લી ઘડીઅે સાથ આપેલો અને શાસ્ત્રીય સંગીત રેલાવેલું હજી યાદ છે. મારે તમને મળવું છે. ન્યુ જર્સીમા રહેતા હો તો પરસનલી અને દૂર રહેતા હો તો તમારો કોન્ટેક. ખૂબ આનંદ થયો. તમારી કવિતાઓ, કાર્ટુન,લેખો અને ગીતો…બઘાજ અેનેસ્થેસ્યાનું કામ કરે છે……
    કોન્ટેક કરીયે.
    બીજો માર્ગ ન્હોતો માટે અભિવ્યક્તિનો સાથ લીઘો છે.
    આભાર.
    અમૃત હઝારી.
    hazariamrut@gmail.com

    Like

  12. Friends,
    Today I read about a book, written recently by 39th President of America, Jimmy Carter. The title of the book is, ” A call to action : Women,Religion, Violence and Power.”
    You also can find exrupts by entering the name of the book in google.
    Or enter the book name under, parade.com/carter.
    Exrupt: In A call to Action, our 39th President urges readers to fight human rights abuses against women. This is not just a women’s issue, he writes. It affects us all……
    The world’s discrimination and violence against women and girls is the most serious, pervasive and ignored violence of basic human rights : This is president Jimmy Carter’s call to Action.
    President Carter was encouraged to write this book by a wide coalition of leaders of all faiths. His urgent report covers a system of discrimination that extend to every nation. Women are deprived of equal opportunity in wealthier nations and “Owned” by men in others, forced to suffer servitude, child marriage, and genital cutting. The most vulnerable, along with their children, are trapped in war and violence…………
    Friends,
    This book covers every nations. Worth reading. Our today’s ABHIVYAKTI
    topic covers India.
    Thanks.
    Amrut Hazari.

    Like

  13. આપણા દેશમાં મહીલા અત્યાચાર માટે વેદ, ઉપનીસદ, ગીતા, રામાયણ, મહાભારત વગેરેની કથાઓએ મહત્વનો ભાગ ભજવેલ છે. ઈન્દ્ર અને બ્રહ્માના બળાત્કારની કથા આવે છે. આ કથાઓને કારણે લોકોએ સુખ, દુખ ગરીબાઈ, અત્યાચાર બધું કર્મ ઉપર છોડી દીધેલ છે. સ્ત્રી વીધવા થાય એ પણ કર્મ ફળ છે.
    સીતા અને દ્રૌપદીના જન્મથી મરણ સુધી આખી કથા વાંચીએ તો તરત જ ખબર પડી જાય છે કે સીતા પાસે પૃથ્વીમાં સમાવી લેવા સેવા કાંઈ જ બચ્યું નથી.
    રામાયણ અને મહાભારતની કથાઓને જીવનમાંથી બહાર કાઢવા એ કથાઓને હડધુત કરવી જોઈએ.

    Like

    1. Good thinking & writing v k vora saheb.
      Dharma pustako e desh ne pachhad rakhava ma moto bhag bhajvyo chhe ane hajupan dharma guruo te bhagirath karya Karij rahya chhe.

      Like

  14. ગુજરાતી ભાષામાં
    સન્નારી છે, સન્નર નથી,
    ધર્મપત્ની છે, ધર્મપતિ નથી.
    સુકન્યા છે, સુવર નથી

    Like

  15. શ્રી વી. કે વોરા સાહેબને મારાં હ્રદયના અભિનંદન. રામાયણ અને મહાભારતને ઉઘાડા પાડવા માટે.
    શ્રી પ્રજ્ઞાજુની છેલ્લિ પંક્તિ માટે ….સુવર ( સારો વર).અને .સુવર( ભૂંડ)…ભૂંડ જર્ુરથી છે.

    અભિનંદન.
    અમૃત હઝારી.

    Like

  16. મારો અનુભવ છે કે વૃદ્ધ માતા-પીતા માટે દિકરા કરતા દિકરી વધુ જીવ બાળે છે તેમજ વધુ સારી સંભાળ રાખે છે. એટલેજ દીકરી એ વહાલનો દરિયો કહેવાય છે.

    Like

Leave a comment