‘વાસ્તુ’શાસ્ત્ર કરતાં ‘વસ્તુ’શાસ્ત્ર વધુ મહત્ત્વનું છે !

 રોહીત શાહ

એક માણસને શરદી જેવી સામાન્ય બીમારી હતી. થોડા ઘરગથ્થુ ઉપચારો કર્યા; પણ શરદી મટી નહીં. તે માણસ એક ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે તેને તપાસીને કહ્યું, ‘વાઈરલ ઈન્ફેકશન છે.’

પછી તે માણસે એક વૈદ્યરાજને બતાવ્યું. વૈદ્યરાજે નીદાન કરીને કહ્યું, ‘તમને કફદોષ છે.’

એક જ્યોતીષીએ પણ પોતાની રીતે ગ્રહો–નક્ષત્રોનાં પલાખાં માંડીને જવાબ આપ્યો, ‘તમારા પર અત્યારે માઠી ગ્રહદશાનો પ્રભાવ ચાલી રહ્યો છે. હજી પંદરેક દીવસ સુધી આ પ્રભાવ રહેશે.’

પેલો માણસ એક તાંત્રીક પાસે માર્ગદર્શન લેવા ગયો. તાંત્રીકે ભયાવહ મુખાકૃતી કરીને આગાહી ઉચ્ચારી, ‘તમારા કોઈ શત્રુએ તમારા માટે મેલી વીદ્યાનો પ્રયોગ કરાવ્યો છે. તેની સામે તમારેય વીધી કરાવવી પડશે. જો વીધી કરાવવામાં વીલમ્બ કરશો તો પછી પેલી મેલીવીદ્યાનો પ્રભાવ આગળ વધી જશે. તમારા માટે કદાચ જીવનું જોખમ પણ થઈ શકે છે !’

હવે વારો આવ્યો વાસ્તુશાસ્ત્રીનો. તેણે પેલા માણસના ઘરે જઈને જોયું, ‘તમારા રસોડાનું બારણું દક્ષીણ દીશામાં છે એને કારણે આ તકલીફ ઉભી થઈ છે અને તમારા બેડરુમની બારી ઈશાન ખુણા તરફની છે એને કારણે તમારી તકલીફનો ઉકેલ શક્ય નથી. તમારે એ બન્નેની સીચ્યુએશન બદલવી જ પડશે !’

વાત માત્ર એટલી જ હતી કે એક માણસને સામાન્ય બીમારી હતી. જુદા–જુદા લોકોએ વાતનું વતેસર કરી નાખ્યું. જાત–જાતનાં નીદાનો અને ભાત–ભાતના ઉપચારો ! પેલો માણસ કન્ફ્યુઝ થઈ ગયો. છેલ્લે તે કોઈ સાધુ પાસે ગયો અને તેમનું માર્ગદર્શન માગ્યું. સાધુએ માર્મીક રીતે મંદ સ્મીત કરતાં કહ્યું, ‘ભાઈ, આ તો ગયા જન્મનાં કર્મનું ફળ છે. તેં ગયા ભવમાં કંઈક પાપકર્મ કર્યું હશે એટલે હવે આ ભવમાં ભોગવવાનો વારો આવ્યો છે !’

દરેક ધન્ધાદારી માણસ સાવ સામાન્ય વાતને પોતપોતાની રીતે ટ્વીસ્ટ કરતો હતો, વળ ઉપર વળ ચઢાવ્યે રાખતો હતો !

જગતમાં લાખો લોકોને નાની–મોટી શારીરીક, માનસીક, આર્થીક, સામાજીક તકલીફો પડતી જ હોય છે. સંસારની એક પણ વ્યક્તી તકલીફમુક્ત નથી. તમારી તકલીફનો ઉંડો અભ્યાસ કરીને તમે જાતે જ એનું નીવારણ શોધી શકો; પરંતુ તમે એવું નથી કરતા. તમારા સ્વજનો–મીત્રોય ક્યારેક તમને મીસગાઈડ કરતા રહે છે. પરીણામે તકલીફ દુર નથી થતી. વાહીયાત ઉપચારો તમારા માટે થોડો વખત આશ્વાસન બને છે. તમે થોડા સમય માટે રીલૅક્સ થયા હોય તેવું ફીલ કરો છો; પરંતુ આખરે ઠેરના ઠેર !

લાખો લોકોનાં ઘરમાં રસોડાનું બારણું કોઈ એક ચોક્કસ દીશામાં હોય છે અને ઘરમાં બેડરુમની બારી પણ કોઈ એક ચોક્કસ દીશામાં હોય છે. બહુમાળી ફલૅટમાં તો અનેક લોકોના ફલૅટના બારી–દરવાજા કોઈ એક જ દીશામાં હોય છે. છતાં એ તમામની તકલીફો એકસરખી નથી હોતી. તમારા ઘરમાં ફ્રીજ અને એસીની સગવડ હોય એ મહત્ત્વનું છે; એની દીશા નહીં. મને તો વાસ્તુશાસ્ત્ર કરતાં વસ્તુશાસ્ત્રમાં વધુ ઈન્ટરેસ્ટ છે. જેના ઘરમાં તીજોરી કે ફ્રીજ ન હોય તેને વાસ્તુશાસ્ત્રના દોષો તો લાગે જ છે !? ભાગ્યરેખા જો હથેળીમાં જ હોય અને ભાગ્યરેખાઓ અનુસાર જ બધું ચાલતું હોય તો જેના હાથ જ નથી એવી વ્યક્તીનું ભાગ્ય શેના આધારે ચાલશે ?

ખોટી દીશામાં માણસ ગમે એટલો આગળ ચાલતો રહે તો પણ તે સાચી મંઝીલ પર પહોંચી નથી શકતો.

શરીર છે; તો બીમારી પણ આવે. જીવન છે; તો સંઘર્ષોય આવે. ધન્ધો છે; તો નુકસાન પણ આવે. સન્તાનો છે; તો સન્તાપોય આવી શકે. દરેકની શારીરીક અને માનસીક ક્ષમતા જુદી–જુદી હોય છે. રોગ લાગુ પડવાનાં સ્પષ્ટ કારણો હોય છે. સમ્બન્ધ બગડવાનાં ચોક્કસ કારણો હોય છે. આર્થીક સમસ્યાઓ કે નુકસાનનાંય નીશ્ચીત કારણો હોય છે. આપણે એનો અભ્યાસ કરીએ તો આ બધું સમજાઈ જાય અને પછી સાવ સહજ સ્વીકાર્ય બની રહે, પરંતુ આપણે બહાવરા બની જઈએ છીએ અને છીછરા ધન્ધાદારી લોકો પાસે એના ઉપચાર માટે દોડી જઈએ છીએ. ખરેખર તો તમે જેની પાસે ઉપચાર માટે ગયા હો છો તેનેય તેની પોતાની અનેક ખાનગી સમસ્યાઓ હોય છે. તે તો બીચારા (!) કોઈને કહી શકતાય નથી ! પોતાના ઉપચાર પણ કરી શકતા નથી.

વહેમ, ચમત્કાર, અન્ધશ્રદ્ધા વગેરેને કારણે ધતીંગો અને ક્રીયાકાંડોની આપણા દેશમાં ભરમાર ચાલી છે. તમે કોઈ પણ સમસ્યા કે તકલીફનો સહજ સ્વીકાર કરો, સમજણપુર્વક અને આત્મવીશ્વાસથી એનો ઉકેલ વીચારો, ખોટી દીશામાં અને પાખંડી લોકો પાસે દોડી જવાને બદલે થોડી ધીરજ રાખો; તમે જાતે જ થોડા અનુભવો પછી કહેશો કે ‘નો પ્રૉબ્લેમ !’

 –રોહીત શાહ

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં લેખક શ્રી. રોહીત શાહની અત્યંત લોકપ્રીય કૉલમ ‘નો–પ્રોબ્લેમ’ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક ‘નો-પ્રૉબ્લૅમ’ પ્રકાશીત થયું છે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 ફોન : (079) 221 44 663(079) 221 44 663 પૃષ્ઠ : 8 + 224, મુલ્ય: રુપીયા 150/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : 079-2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તીબ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..   

ગુજરાતીના આ નવા ‘એકત્ર’ ફોન્ટ વીશે

મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ સાથે આ લેખની પીડીએફ પણ મુકી છે. આ પીડીએફ નં. 305ના  અક્ષરોના વળાંક તમને ગમ્યા ? જૅક્સન, મીસીસીપી, અમેરીકા સ્થીત ભાઈ અતુલ રાવલના ‘એકત્ર ફાઉન્ડેશને’ તે આપ્યા છે.. ‘શ્રુતી’ જેવા જ યુનીકોડ ગુજરાતી ફોન્ટ છે.. થોડાં જરૂરી ફેરફારો થયે http://www.ekatrafoundation.org ની વેબસાઈટ ઉપરથી પણ અપલોડ થઈ શકશે.. એપલ મૅક મશીનમાં પણ આ જ ફોન્ટ ચાલશે.. ..ગોવીન્દ મારુ..

@

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી.  સેલફોન: 9537 88 00 66  +919537 88 00 69537ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 12/04/2014

9 Comments

  1. આત્મ વિશ્વાસ ગુમાવે તે વ્યક્તિને સૌ મૂર્ખ બનાવે !

    Like

  2. I 100% agree with Rohitbhai’s analysis. A weak minded people are easily exploited in this world. You can solve your own problem if you want. It is a common sense thing in life.

    Thanks for such a good article.

    Pradeep H. Desai
    USA

    Like

  3. A business minded Bhudev knows how to earn his lively hood just by preying on weak minded people.
    A business may teach people how to smoke and how to stop and one may pay to the piper both way !

    Like

  4. મિત્રો,
    શ્રી રોહિત શાહ સુંદર મઝાનો વિષય લઇને આવ્યાછે. આપણા સર્વેના જીવન માટે કહેવાયુ છે કે ઘરતીનો છેડો….ઘર..પ્રેમ ભરેલો વિસામો…જયાં મનને શાંતિ મળે..પોતાનાપણું મળે.
    Western world has recognized the big difference between HOUSE and HOME. They call residence a HOME. The built physical structure of cement, wood and iron, that residence, is HOUSE. Home is where there is life and love. They say, HOME SWEET HOME. They define in a philosophical belief this HSH as…..
    (1) It’s GOOD to be at HOME. Where we love, is HOME. Home is where the heart is. There is no place like HOME.
    (2) In our HOME, let LOVE abide and bless all those who step inside. ( આપણે અતિથી દેવો ભવ.કહિયે છીઅે)
    (3) Home sweet Home. Happiness is HOMEMADE. My house is my castle.

    વાસ્તુશાસ્ત્ર….દિશાઓને મહત્વ આપે છે. દેવ દેવીઓને મહત્વ આપે છે. પરંતુ રોહિતભાઇના લેખમાં લખ્યુ છે તે મને સત્ય લાગે છે…લોભીયા હોય ત્યાં ઘૂતારા ભૂખે નહિ મરે. શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘા આપણા જીન્સમાં અને લોહિમાં કણ કણમાં ભળેલાં છે. તે જીન્સ અને લોહિ પેલા બિઝનેસમેનને ભૂખે નહિ મરવા દે.
    દિનેશભાઇ કહી ગયા છે કે અંઘશ્રઘ્ઘાની કોસ્ટ ઓફ પ્રોડક્સન બહું ઉંચી હોય છે તે સાચુ છે.
    જીજ્ઞેશ ચાવડા જાગ્રુતિનું બીગુલ વગાડી ગયા છે, ‘ શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘાના મહાસાગરમાં આજે પ્રત્યેક માનવ ભવસાગર પાર ઉતરવાની મહેચ્છા કે ઝંખના ઘરાવે છે.‘
    આ ભવની પહેલા સોચો….પછી પરભવની વાત કરો…….
    હું વલસાડ નજીકના અતુલ પ્રોડક્ટસ લી.મા સર્વિસ કરી ચુક્યો છું. શ્રી હરનિશ જાની, શ્રી ભલ્લા, શ્રી ઉમાકાંત મહેતા, શ્ર જયંત મહેતા પણ અતુલીયન રહી ચુક્યા છે. શ્રી ભલ્લા અમદાવાદ સ્થિત છે. બીજા અમેરિકા, ન્યુ જર્સી સ્થિત. અેક કોમ્પ્યુટર મેસેજમાં શ્રી જાનીની વાતનો જવાબ આપતાં શ્રી ભલ્લા લખે છે કે, ‘ ( અમદાવાદના અેક અેરીયા વિષે….)
    My Dear Harnish,
    Regarding your referance about grave yard monument, located near Rajendra Park, it is still there, however grave and monuments are now not visible. It is now called, “BIMA CENTER” and there are many residential houses, 3-4 Printing Presses, Tution Classes, small godowns, shop etc……

    શમસાનની ઘરતી ઉપર તે વિમા કંપનીવાળાછે જેઓ જીવનનો વિમો આપે છે, તેમની ઓફીસ છે. જીવનના વિમાના પેપરો છાપતાં પ્રિન્ટીં પ્રેસ છે…..જીવનના સુખ, દુ:ખ શીખવવાના ટયુશન ક્લાસીસ છે…અને કબરો ઉપર બંઘાયેલા હોમ સ્વીટ હોમમાં વસતા માનવ જીવનો છે….બઘા જ સુખી છે…જીવન રાબેતા મુજબ..ચાલે છે…લગ્નો થાય છે…..બાળકો જન્મે છે….મરણો પણ રાબેતા મુજબ થાય છે…જીવનચક્ર પોતાનું કર્મ કર્યે જાય છે…..કોઇને પણ પેલાં શમસાન અને તે શમસાનની ઘરતીની નીચે દતાયેલાં મ્રુત આત્માઓ નડતા નથી….
    આ તો જોયેલી જાણેલી હકીકત છે. કોને ખબર છે કે જુગોથી આ ઘરતીની સોડમાં કેટલાંઅે સુખી, દુ:ખી આત્માઓ દટાયેલાં પડેલાં છે..માનવોના અને પ્રાણિઓના….અને આપણે સૌ તે ઘરતી માંથી નીકળેલું પાણી પીઅે છીઅે…તે ઘરતીમાંથી ઉપજેલું ઘાન્ય ખાઇઅે છીઅે.
    ફીલોસોફી : આ ઘરતીમાંથી આવ્યા છીઅે અને આ ઘરતીમાં જ સમાવાનું છે.

    વાસ્તુશાસ્ત્ર અને વસ્તુશસ્ત્ર બન્ને મનના વહેમો શિવાય બીજું કાંઇજ નથી.

    અમૃત હઝારી.
    ન્યુ જર્સી. અમેરિકા.

    Like

  5. As Mahaatmaa Gandhiji said once: Every happiness has sadness to follow and every Sadness will bring happiness” Sukh ane dukh ye sikka ni be baju chhe….. Aapne sikka ne fakt ek baju joi ne to decision nathi lei saktaa.

    Life is nothing but both side of coin. We must accept it and make best out of it. When Human face any difficulty in life, if he try to find reason then he will never progress in life. But if he is willing to except difficulty and try to find solution to it, he will be out of difficulty in notime.

    As Amrutkaka explain about home sweet home which remind me what my mother told me once: ” Makaan to sau koi banaavi ske, parantu jivan jiv va maate ghar banaavavoo jaroori chhe”

    My belief on Aatma : Once Aatma depart body it is gone and recarniate in different life. And will not recognize his/her old life and associate with old life. It is us who carry everything in name of that Aatmaa just to satisfied ourself.

    Very nice articles. Lets hope this will enlighte some of human who has strong belief regarding Jiyotishi, Tantrik, etc…

    Like

  6. વાસ્તુશાસ્ત્ર એ એક ઘણી જૂની હિંદુઓની ધાર્મિક ઘર નિર્માણ પહેલા અને પછીથી થતી પરંપરા છે પણ છેલ્લા ચારેક દશકાથી

    તેમાં વેપારીકરણ થયું છે અને તેના નીક્લી પડેલા નિષ્ણાતો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.

    લોકોની વધતી જતી નિરાશા અને આપદા જે બહુધા દેશના રાજકારણીઓએ ઉભી કરી છે તેમાંથી ભાગવાને આવી અંધશ્રધ્ધામાં લોકો ‘બેવકૂફ’ બનીને જાણે અજાણતા સપડાય જતા હોય છે. ભલભલા હોશિયાર ગણાતા અને શિક્ષિત પણ આમાંથી બાકાત નથી.

    આજના યુવાવર્ગના શિક્ષિત લોકોને એક ય બીજી રીતે આ ‘જાળ’ની ખબર છે પણ સંયુક્ત કુટુંબમાં તેમનું કાંઈજ ચાલતું નથી અને જો તેનો વિરોધ કરે તો વડીલો તેમને મોઢે ચોડી દેતા હોય છે ‘હવે બહુ ભણેલો છે ઈ અમને ખબર છે,તારે કઈજ ડહાપણ કરવાનું નથી’
    એક કહીને ઉતારી પડે છે! આવા યુવાવર્ગનું કીજ ચાલતું નથી,જે વડીલો છે તેમનેતો પરંપરા અને પોતાની ધાર્મિકતાનીજ દેખભાળ કરવાની પડી હોય છે.
    રોહિત શાહનો લેખ ઘણા લોકો વાંચીને વિચારશે કે લેખની વાત સાવ સોળવલ્લાં સોનાજેવી છે પણ જયારે વખત આવે છે ત્યારે લગભગ બધાજ ‘માટી પગા’ પુરવાર થાય છે અને કોઈ વ્યાજબી ઉત્તર તેમની પાસે નથી અને ગલ્લાંતલ્લાં થઇ જાય છે! જો હિન્દુસ્તાનના આજના શિક્ષિત યુવાવર્ગમાં કોઈ આવી ચેતના કે જાગૃતિ આવી ગયી હોત તો આ બધા સાધુ,સંતો,બાપુઓ,ગુરુઓ અને રાજકારણીઓને ક્યારના સીધા દોર કરી નાખ્યા હોત પણ આવી કોઈજ ક્રાંતિ નથી આવી કેમકે આપની સંસ્કૃતિતો ‘મહાન’ છે ને!

    આપને આવું કોઈજ જબ્બર ક્રાંતિમાં માનતા નથી કેમકે આપને તો અહિંસાના પુજારીઓ છીએ!

    કોઈ ભાઈને આ વાત રુચે પણ નહિ કે આ ‘શું બકે છે ?’ હા મિત્રો, નજર દોડાઓ આજનાં વિશ્વમાં કેવી કેવી જગાએ અને અન્ય દેશોમાં લોકો પોતાના હક્કો માટે કેવા કેવા નુસખા,અખતરા અને લડતો ચલાવતા હોય છે,આપણે ત્યાજ લડત ચાલુ થતાજ અંદરોઅંદર લડત ચાલુ થઇ જાય છે કે ‘મારે મોટા ભા‘ થવું છે તેની ટાંટિયા ખેંચતાણી શરુ થઇ જતી હોય છે! જે લોકો લડતમાં આવે છે તેમના મોટા ભાગના તો બેકાર,ગુંડા અને ગુનેહગારો જોડાઈ જતા હોય છે જે આગળપડતો ભાગ ભજવે છે તે શિક્ષિત,સમજુ જવાબદાર હોય છે પણ
    આ મવાલી,ગુંડા તત્વો પાસે તેમનું કાંઈજ ચાલતું નથી. અને છેવટે આવી લડતોની ‘ શબવાહિની’ પણ નથી જડતી કે ક્યાં ગઈ ,

    ઘણીવાર આવી લડતોતો રાજકીય પક્ષો પણ રોળી નાખતા હોય છે.

    આ વચ્ચે બે શબ્દો એટલે લાખાયા કે આપને ત્યાં જે ધાર્મિક પરંપરાઓ છે તેની આડઅસર આપણા બધાના જીવનમાં આવી હોય છે અને અસર કરતી હોય છે, હિન્દુસ્તાનમાંતો રાજા રામમોહન રાય થી મોહનદાસ ગાંધી જેવા સુધારકો થઇ ગયા પણ કોઈનું કાંઈજ ચાલ્યું નહિ હા થોડીક અસરો થોડા વર્ષો માટે મૂકી ગયા પણ આજે તેનું નામ છે પણ તેમના વિચારો ગાયબ થયા છે.

    જાતિવાદ જ્ઞાતિવાદ પણ આપના સમાજનું દુષણ છે જે ફક્ત સારા અને સંસ્કારી શિક્ષણ થકી નાબુદ થાય પણ આ એક જબ્બર ઊંચા પહાડનું ચડાણ સમું સાબિત થાય તેમ છે.સદીઓની રૂઢિઓ આપણા કહેવાતા સ્વતંત્ર લોક સમાજમાં જડી જાય તેમ નથી આમાં ધર્મની કોઈજ બાબત નથી,લોકોની સંસ્કારિતા અને સદભાવનાની ઊંડી સમાજની જરૂર છે.

    વાસ્તુશાસ્ત્રને ગ્રહણના નાં લાગે અને એક ધાર્મિક ક્રિયા ગણીને લોકો પૂજા અર્ચન કરે અને તેના નિષ્ણાતો અને પંડિતો લોકોને લૂંટવાનું અને શીશામાં ઉતારવાનું બંધ કરી દીએ તેજ લોકકલ્યાણનું કામ છે..

    Like

  7. લેખ અને એના પ્રતિભાવો સાથે હું સંમત્ત છું. માત્ર ભારતમાં જ નહીં પણ અહીં અમેરિકા જેવા દેશમાં પણ વાસ્તુશાસ્ત્રવાળાઓ ફૂટી નિકળ્યા છે. એઓ ઈન્ડિયન ટીવી ચેનલો પર દરેક પ્રોગ્રામની સ્પોન્સરશીપ હેઠળ પર જાહેરાતોનો વરસાદ વરસાવે છે. પ્રશ્ન એ થાય કે આ ધંધાવાળા જ્યોતિષીઓ, વાસ્તુશાસ્ત્રવાળા કેટલું કમાતા હશે કે તેમને ટીવી પર એડવર્ટાઈઝમેન્ટનો જંગી ખર્ચો પોસાય!
    નિષ્ફળ ગયેલા હતાશ માનવીની લાચારીને રોકડી કરવાનો વ્યવસાય છે. અને ધંધો એટલે શું? પૈસાના બદલામાં હું તમારી જરૂરિયાત પૂરી પાડું છું. તમે જ મારા ગ્રાહક છો. તમારી શારીરિક માનસિક સામાજિક પરિસ્થિતિને મારી સલાહથી ફાયદો થશે એ આશાએ જ તમે મારી સલાહ માટે નાણાં છલકાવો છો. આ મારો ધંધો જ છે. હું એ ચાલુ રાખીશ જ…જ્યાં સૂધી કાનૂની પ્રતિબંધ ના આવે ત્યાં સુધી. આ મનોવૃત્તિ લેનાર વેચનારની છે. હું પોતે સ્વતંત્ર વિચારશૈલીનો અકડુ માણસ છું. સમાજ શીખામણથી ન સુધરે. કાયદા અને શિક્ષાથી જ સુધરે….તમે કહેશો કે આ ખોટું છે..હું પણ કહીશ આ ખોટું છે બીજા હજાર કહેશે કે તમે સાચા છો. રોહિતભાઈ કે પ્રવીણભાઈ પ્રસિધ્ધ થઈ જશે. બસ એટલું જ. કાયદો લાવો..અમલ કરો..બામણ બાવા અને બેહૂદા શાસ્ત્રની દુકાનો ફરજીયાત બંધ કરાવો. બાકી હંમેશા કહેતો આવ્યો છું કે આ અરણ્યરૂદનનો શો અર્થ છે?

    Like

  8. મારા ખૂબ નજીકી મિત્ર અને સાયકોથેરેપીસ્ટ જેઓ અમેરિકામાં પ્રેક્ટીસ કરે છે અને જેમના પેશન્ટ ગુજરાતીઓ પણ છે તેમણે ગઇકાલે ગુજરાત દર્પણ સાહિત્ય સભામાં તેમને નવાં પુસ્તકના વિમોચન દરમ્યાન ગુજ્જુઓની માનસિક પરિસ્થિતિ વર્ણવિ…..તેમના બે ત્રણ ભણેલા, ગણેલા ગુજ્જ્ુ પશન્ટોઅે વાસ્તુશાસ્ત્રીની સલાહ મુજબ તેમના જીવનના પ્રોબ્લેમો સોલ્વ કરવા માટે તમના ઘરનાં સંડાસો તોડાવીને મોટા ખર્ચા કરીને વા.શા.ની બતાવેલી દિશામાં નવા બંઘાવ્યા છે. તેમના પ્રોબ્લેમો હજી ત્યાંના ત્યાં જ છે. તેઓ ખસ્યા નથી.
    મારા વાંચનમાં આવેલી મહાનુભવોની ઉક્તિઓ……………….
    (1) Never argue with stupid people, they will drag you down to their level and then beat you with their experience.
    (2) Never underestimate the power of stupid people in large group.
    (3) નિકોલસ બોઇલો કહી ગયો છે કે, ‘ દરેક મૂર્ખને તેની પ્રશંસા કરવા માટે વઘારે મોટો મૂર્ખ મળી જ રહે છે.‘
    (4) Voltaire said, ” The comfort of the rich depends upon an abundant supply of the poor.”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s