પુરુષને માટે ઈશ્વર અને સ્ત્રીને ભાગે ધર્મ?

– કામીની સંઘવી

ભારતીય સંસ્કૃતીના કેલેન્ડરમાં ચૈત્ર મહીનાનું અનોખું મહત્ત્વ છે. તેનું કારણ એક એ પણ છે કે ચૈત્ર મહીનો એ સન્ત-મહાત્મા દેવતાના જન્મનો શુભ માસ છે. રામનવમી, હનુમાન જયન્તી જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જયન્તી, સ્વામીનારાયણ પંથના સ્થાપક સહજાનન્દસ્વામીની જયન્તી, વૈષ્ણવ સમ્પ્રદાયના વલ્લભાચાર્યની જન્મજયન્તી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરનો પણ જન્મદીવસ. વધુ તો ભારતીય આબોહવા મુજબ વર્ષની છ ઋતુઓમાં ગ્રીષ્મ ઋતુના બે મહીનામાંનો એક માસ એટલે પણ ચૈત્ર. આ ઉપરાન્ત સીન્ધી, મરાઠી અને તેલુગુ લોકોનું નવવર્ષ. રાજસ્થાનીઓ માટે ગણગૌર પુજા. વળી હીન્દુ માટે ચૈત્રી નવરાત્ર એટલે તપ-ઉપવાસનો મહીમા. ચારેબાજુ ઉત્સવ-ઉમંગ, પવીત્ર-પ્રસન્નતાનું વાતાવરણ. આયુર્વેદ મુજબ ચૈત્ર માસમાં નમકવીહીન ભોજનનું સુચન છે, જેથી ચૈત્રના તાપને સહન કરવા માટે શરીર તૈયાર થાય અને પીત્તપ્રકોપથી બચી શકાય. તેથી ધર્મના નામે પણ વ્રત-ઉપવાસનો મહીમા. વળી ચૈત્રમાં ઠેર ઠેર રામાયણ કે ભાગવત કથા-પારાયણનું આયોજન થાય અને ભક્તો કથાસાગરના શ્રવણ દ્વારા પાપમાંથી મુક્તી મેળવીને પુણ્ય કમાય. પણ એક વાત નોટીસ કરી કે આવા ધાર્મીક મેળાવડામાં સ્ત્રીઓ જ સૌથી મોટી સંખ્યામાં હોય છે. એવું તો નથી, કે પુરુષ કરતાં સ્ત્રી વધુ પાપ કરે છે કે પાપી છે; એટલે તેણે ભાગવત કે રામકથા સાંભળીને પોતાને પવીત્ર કરવાની જરુર ઉભી થાય. પણ શા માટે સ્ત્રી સદીઓથી વધુ ધાર્મીક છે? તેના જીન્સમાં ધાર્મીકતા છે કે પછી તેના પર તે થોપવામાં આવી છે?

આમ જોઈએ તો દુનીયાનો કોઈ પણ ધર્મ એવો નથી કે તેણે સ્ત્રીને અન્યાય ન કર્યો હોય. અને છતાં સ્ત્રી જ ધર્મનું સૌથી વધુ પાલન કરે છે કે કરતી આવી છે. છતાં સ્ત્રી એ બાબતથી અજાણ છે કે એક કે બીજાં બહાનાં હેઠળ સતત ધર્મ તેને બાંધી રાખે છે. સ્ત્રીથી આમ ન થાય કે તેમ ન થાય. તેણે આવાં કે તેવાં જ કપડાં પહેરવા પડે. તેનાથી મન્દીરના અમુક હીસ્સામાં ન જવાય કે મન્દીરમાં અમુક જગ્યા પર ન બેસાય. મસ્જીદમાં સ્ત્રી માટે પ્રવેશબંધી. ચર્ચમાં કયારેય કોઈ સ્ત્રીને ‘ફાધર’ની જેમ ‘મધર’ બનીને પ્રવચન કરતાં જોઈ છે? આટલું ઓછું હોય તેમ ઈસ્લામ ધર્મના અમુક પંથમાં સ્ત્રીને Female genital mutilation (FGM)ની સર્જરી કરવામાં આવે છે, જેથી સ્ત્રી સેક્સ્યુઅલી કન્ટ્રોલમાં રહે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ એકસો પચીસ મીલીયન સ્ત્રીઓ આ સર્જરીની યાતનામાંથી પસાર થઈ ચુકી છે. અને હજુ પણ ધર્મના પંથના નામે બાળકી પાંચ વર્ષની થાય તે પહેલાં જ તેની ક્લીટરીસ કાપી નાંખવામાં આવે; જેથી પુખ્તવયે પણ તે સેક્સ ઓર્ગેઝમના અનુભવથી વંચીત રહે અને સરવાળે પતીના ક્ન્ટ્રોલમાં રહે. આશ્ચર્યની વાત એ છે કે એક સ્ત્રી જ, ધર્મ કે સંસ્કૃતીના નામે બીજી સ્ત્રીની FGM સર્જરી કરે અને જે સુખથી પોતે વંચીત રહી છે તેનાથી પોતાની જનરેશનને પણ દુર રાખે ! જો સેક્સમાં ઓર્ગેઝમનો આનંદ મેળવવો તે પાપ હોત તો, કુદરતે તે તત્ત્વ સ્ત્રી કે પુરુષમાં મુક્યું હોત ? જો પુરુષ ઓર્ગેનીઝમ પર પહોંચીને કુદરતી જાતીય આનંદને માણે તો તે પવીત્ર અને સ્ત્રી તેમ કરે તો તે અપવીત્ર? પુરુષ અને સ્ત્રી બન્ને સર્જન તો સર્જનહારના જ છે ને ? તો પછી એકને ન્યાય અને બીજાને અન્યાય શા માટે અને તે કેટલો યોગ્ય લેખાય?

હીન્દુ ધર્મમાં પવીત્રતાના નામ પર અમુક દીવસોમાં સ્ત્રીને ધાર્મીક પ્રવૃત્તીમાંથી બાદ રખાય. કારણ તો શરીરના અમુક અંગમાં થતો રક્તસ્ત્રાવ અપવીત્ર છે એટલે. પરન્તુ પુરુષને પણ પ્રકૃતીદત્ત અમુક સ્ત્રાવ થતો હોય છે; તો પણ તેને માટે તેવાં કોઈ બંધન નહીં ! ક્યારેય કોઈ પુરુષ મન્દીરે જવાની ના પાડે છે ખરો કારણ કે તેનું વીર્યસ્ખલન થયું છે એટલે ? વળી આ સ્ખલન તો સ્ત્રીની જેમ નીશ્ર્ચીત દીવસોમાં નહીં; ક્યારેય કે કોઈપણ સમયે થઈ જાય છે ! તેને આપણે ખુબ સ્વાભાવીક–કુદરતી ગણીએ છીએ; એટલે તે બાબતે કોઈ આભડછેટ નથી રાખતા. ઈવન વીચારતા પણ નથી કે વીર્યસ્ખલન અપવીત્ર છે એટલે પુરુષથી તે સમયે મન્દીરમાં ન જવાય – તેવું વીચારતાં પણ આપણને પાપ લાગે છે. પણ સ્ત્રી અમુક દીવસોમાં મન્દીરે જાય કે ઘરના લોકોને અડે તો બીજા અપવીત્ર થઈ જાય ! આપણા ધર્મના કોઈપણ વેદ કે ઉપનીષદમાં કશે લખ્યું નથી કે સ્ત્રી મેન્સીસમાં હોય ત્યારે તેણે ભગવાનના દર્શન ન કરવા કે ધાર્મીક ક્રીયાથી દુર રહેવું. અને છતાં આજે એકવીસમી સદી જેને આપણે માનવઉત્થાન અને સાયન્ટીફીક સેન્ચ્યુરી કહીએ છીએ તેમાં આવા ભેદભાવ આજે પણ વ્યાપક છે. હજુ પણ આપણાં ઘરોમાં સાંભળવા મળે છે : ‘બેબીની તબીયત સારી નથી; એટલે સત્યનારાયણનો પ્રસાદ લેવા એ ન આવી.’

એક ડૉક્ટર–કપલને ત્યાં નવરાત્રીના દીવસોમાં જવાનું થયું. ઘરમાં વાતાવરણ ગમ્ભીર હતું; કારણ તો ગાયનેકોલૉજીસ્ટ તેવા આ કપલની ટીનએજ દીકરી મેન્સીસમાં હતી; પણ જીદ્દ લઈને બેઠી હતી કે મારે તો દાંડીયા રમવા જ જવું જ છે ! અને તેની હાઈલી એડ્યુકેટેડ મૉમ તેને કન્વીન્સ કરવાનો પ્રયત્ન કરતી હતી કે તેનાથી આ દીવસોમાં ગરબા ન રમાય. ત્યારે દીકરીએ માને સવાલ કર્યો, ‘જો હું મેન્સીસમાં છું અને અપવીત્ર છું તો તું પણ અપવીત્ર કહેવાય. કારણ કે દીવસમાં રોજ તું કેટલી ડીલીવરી કરાવે છે અને તે સ્ત્રીઓના ચેકઅપ અને બીજા ટેસ્ટ દ્વારા તું પણ રક્તસ્ત્રાવના ટચમાં રહે છે તો અપવીત્ર તું પણ થઈ ને ?’ માને દીકરીની વાત વાજબી લાગી અને તેણે દીકરીને ગરબા રમવા જવાની પરમીશન આપી.

સ્ત્રી ગમે તેટલું ભણે તો પણ, તે મુળભુત રીતે બદલાઈ નથી તેવું ઘણી વાર તેણે શૉ ઓફ કરવા માટે પણ કરવું પડતું હોય છે. કારણ કે છોકરીને ભણાવતાં માતા-પીતાના મનમાં મોટો હાઉ એ હોય છે કે દીકરી વંઠી જશે તો ? એટલે ઘણી વાર ભણેલી સ્ત્રીઓ વ્યવહારમાં પણ ઓર્થોડૉક્સ બની રહે છે; કારણ કે તેમના પર કોઈ વંઠેલનું ટેગ ના લગાડે. પણ શા માટે સંસ્કૃતી કે ધર્મને બચાવવાની જવાબદારી સ્ત્રીના ખભા પર જ નાખવી?

આજથી એક બે સેન્ચુરી પહેલાં સ્ત્રીનું જીવન પીતા, પતી અને પુત્રને આધારીત હતું. બાળપણમાં પીતા, યુવાનીમાં પતી અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સ્ત્રીનું લાલન-પાલન કરે. એટલે સ્ત્રીના મોટાભાગનાં વ્રતો પતી કે પુત્રના ક્ષેમકુશળ માટે હતાં. જો પુત્ર કે પતી કે પીતા સલામત હોય તો તેનું જીવન સલામત રહે. કદાચ ત્યારની સામાજીક પરીસ્થીતી તેવી હતી કે સ્ત્રીનો આધાર કે અસ્તીત્વ માત્ર પુરુષ પર આધારીત હતું. પણ કોણે કહ્યું કે સ્ત્રી વ્રત-તપ કરે તો જ તેનો પીતા-પતી અને પુત્રરુપી સંસાર સલામત રહે? ત્યારે પણ સમાજમાં એવા દાખલા હતા જ કે સ્ત્રીએ અમુક-તમુક વ્રત કર્યાં હોય છતાં તેના પતી-પીતા કે પુત્ર મરણને શરણ થયા હોય. એટલે એવા વહેમ કે અન્ધશ્રદ્ધાથી થતાં વ્રત કે ઉપવાસનું કોઈ મહત્ત્વ જ નથી. વળી પુત્ર કે પતી કે પીતા સલામત છે એટલે મારી જીન્દગી સલામત રહે તે માટે વ્રત કરવાં તે પણ એક પ્રકારનું સ્વાર્થીપણું નથી? આમ તો આપણે જ કહીએ છીએ કે બહેનો સ્વાર્થી નથી; છતાં આ કેવું સ્વાર્થીપણું? સ્ત્રીનું ની:સ્વાર્થપણું કેવું હોય તેનો એક દાખલો.

આપણી ભાષાના ઉત્તમ કવી અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનીત સ્વર્ગીય કવી શ્રી રાજેન્દ્ર શાહનો એક લેખ તેમનાં માતા વીશેનો વાંચ્યો હતો. કવીનો જન્મ ઓગણીસસો તેરમાં. જન્મ પછી ટુંકા સમયમાં પીતાની છત્રછાયા ગુમાવી. વીધવા માએ એકલા હાથે તેમનો ઉછેર કર્યો હતો. એક વાત તેમણે તેમની માતા વીશે તેમના મા વીશેના નીબન્ધમાં ટાંકી હતી : ‘મારી માએ હું તેમનું એકમાત્ર સન્તાન હોવા છતાં કોઈ બાબતમાં તેમણે મને અટકાવ્યો ન હતો. જાણે નીર્ભીકતાની મુર્તી મારે મને તે જ હતી. મારી નીર્ભીકતાની દેન મારી મા છે.’ આજથી સો વર્ષ પહેલાંની વીધવામાં આટલી નીર્ભીકતા હોય તો આજની વેલ એડ્યુકેટેડ વામામાં કેમ નથી? જે થવાનું હોય તે થાય જ છે પછી તમે વ્રત કરો કે ના કરો. શા માટે આજે પણ હજુ સ્ત્રીઓ બાવા-બાપુઓના પગે પડે છે અને તેમને આશારામ કે નારાયણ સ્વામી બનવામાં આડકતરી મદદ કરે છે? કશે પણ ધાર્મીક કથા-પુજા હોય, સ્ત્રીઓનાં ટોળેટોળાં ઉમટે. જાણે પુણ્ય કમાવવાની હોડ લાગી હોય! મીરાં-ગંગા સતી કે પાનબાઈ કયારેય કોઈ સન્ત–મહાત્માના પગ દબાવવા માટે ગયાં ન હતાં. નથી તેમણે કોઈ સન્ત–મહાત્માના પગ પંપાળ્યા. ભગવાન તો તમારી ભીતર જ છે ને ? શા માટે મન્દીર-ગુરુદ્વારા-દરગાહ પર લાઈન લગાવીને ઈશ્ર્વર-અલ્લાહ કે જીસસને શોધવાના પ્રયત્ન કરવા?

ક્યાંક તમારું ધાર્મીકપણું તમને કુવામાંના દેડકા તો બનાવતું નથીને? આ ચૈત્ર માસમાં તેનું પારાયણ કરીએ તો ‘સ્ત્રી–એમ્પાવરમેન્ટ’ થયું કહેવાય?

રેડ ચીલી

God is for man and religion is for woman-

– Joseph Conrad

– કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 10એપ્રીલ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માંપ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાનાઅને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી,D-804, New Suncity,Aptt., B/H. Bhulka Bhavan School,Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી.સેલફોન: +919537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 02/05/2014

24 Comments

  1. WOW! I never thought that someone will touch on this subject. I have always oppose to this difference among genders. Author has mention many example here where we are not treating female gender equally.

    Those days are gone where female has to depend on male of their life i.e Father, Husband, or son. We must educate and advocate our society to get out of gender difference.

    I salute to daughter of gynocologist mother for pointing out. I strongly recomend this to younger generation that if anything being told to them doesnot convince or make sense then they should question and/or fight back. This will help get rid of some of our blindfaith.

    Like

  2. માનસીક કક્ષાએ સ્ત્રી-પુરુશ વચ્ચે ભેદ પાડવા, સ્વીકારવા અને ચલાવી લેવાનું આપણું વલણ બતાવે છે કે જીવનને તટસ્થતાપુર્વક જોવાની સમઝણ હજી આપણે કેળવી નથી તેનો દોશ કહેવાતા ધર્મગુરુઓનો છે.

    Like

  3. મહીલા અત્યાચાર માટે હીન્દુ, ખ્રીસ્તી અને ઈસ્લામ ધર્મમાં બરાબર તપાસો. વધુને વધુ મહીલા અત્યાચાર હીન્દુ ધર્મમાં થાય છે. સ્વતંત્ર ભારત પછી રાજેન્દ્રપ્રસાદ અને અન્ય મીત્રોએ હીન્દુઓના કાયદા માટે વીરોધ કરેલ. પછી ટુકડે ટુકડે હીન્દુ લગ્ન કે વારસાનો કાયદો બન્યો. દુનીયામાં વીધવાઓને ફરીથી લગ્ન કરવાની બધી જગ્યાએ છુટ હતી પણ ભારતનાં હીન્દુઓમાં સખ્ત મનાઈ હતી. વીધવા સ્ત્રી લગ્ન કરે અને એને કોઈ મારી નાખે એ ગુનો બનતો ન હતો.

    ઈશ્લામમાં ચાર લગ્ન કરવાની છુટ હતી પણ હીન્દુઓ ગમે એટલી મહીલાઓ સાથે લગ્ન કરી શકતા. ૧૦૦, ૨૦૦ અને ૧૬૦૦૦ સુધી. એવા પુરુષનું મૃત્યુ થતાં બધી સ્ત્રીઓ વીધવા બની જતી અને વીધ્યાચંદ્ર સાગરે એના માટે અંગ્રેજોને સમજાવી હીન્દુ વીડો રીમેરેજ નામનો કાયદો બનાવ્યો. હીન્દુ વીધવા પુનઃ લગ્ન કાયદો બનાવતી વખતે પુનાના બ્રાહ્મણોએ જે વીરોધ કરેલ એનાથી એ બ્રાહ્મણો કે એમના વારસદારોને આજે પણ નરકયાત્નાનો શ્રાપ વીધવાઓ આપે છે.

    દેશમાં કર્મનો એટલો વર્ચસ્વ હતો અને હજી છે કે ગરીબ, દલીત અને વીધવાઓ સમજતી કે કર્મને કારણે ગરીબાઈ આવે છે, કર્મના કારણે ઉચ કે નીચ જાતીમાં જન્મ થાય છે અને કર્મના કારણે વીધવા થવું પડે છે. હકીકતમાં કર્મ એટલે પોપાબાઈનું રાજ. ધર્મગુરુઓ કે ગોર મહારાજ અગડમ બગડમ ઉચ્ચાર કરી કંઈક બોલે. લોકો એને મંત્ર કે પવીત્ર મંત્ર સમજી અનુસરણ કરતા અને મહીલા અત્યાચાર માટે માનસ તૈયાર થતું જે અત્યારે પણ ચાલુ જ છે. કામીની સંઘવીબેને આ પવીત્ર મંત્ર કે પવીત્ર મહીના બાબત સમજાવી બદનામ ચૈત્ર મહીના બાબત સમજાવેલ છે. ગોવીન્દભાઈએ બદનામ વૈશાખ સુદી ત્રીજના દીવસે આ પોસ્ટ મુકેલ છે. વધુને વધુ બાળ લગ્નો આ બદનામ અક્ષય તૃતીયાના દીવસે થાય છે.

    Like

    1. મહીલા અત્યાચાર માટે હીન્દુ, ખ્રીસ્તી અને ઈસ્લામ ધર્મમાં બરાબર તપાસો. વધુને વધુ મહીલા અત્યાચાર હીન્દુ ધર્મમાં થાય છે.

      One may search in Wikipedia…………
      Islam and domestic violence

      Like

  4. ભારત્માં તો ઈંદીરા ગાંધી હતાં, પ્રતિભા પાટીલ હતાં, આજે પણ સોનિયા ગાંધી છે, જયલલીતા, મામતાદીદી, માયાવતી, વસુંધરા રાજે, આ લોકોના હાથમાં તો સત્તા હતી કે છે, પણ તો પણ તેઓએ ભારત માટે પણ કાંઈ કર્યું નહીં…….સ્ત્રીઓને માટે કોઈ એવા કાયદા કર્યા નહીં કે બદલાવ્યા નહીં, જેમાં માત્ર અને માત્ર સ્ત્રીઓનોજ અવાજ હોય….. તો પુરુષો, જેમના હાથમાં સત્તા છે તેઓ શું ધુળ કરવાના…….??????
    જ્યાં સુધી સ્ત્રી પોતે હાથમાં સત્તા લઈને જબરદસ્તીથી કાંઈ નહીં કરે, કાયદામાં બદલાવ નહીં લાવે ત્યાં સુધી, ભારત હોય કે પરદેશનો કોઈ પણ દેશ હોય…….આમજ ચાલ્યા કરશે, એવું લાગે છે…..
    સુંદર લેખ છે…

    Like

  5. શ્રી ગોવીંદભાઈ,
    તમારા લેખો બધા સુંદર ચુંટેલા અને મનન કરવા જેવા હોય છે. બધાજ વાંચવાની તો મજા પડેજ છે, પણ સાથે સાથે જુના લેખો વાંચીને તેમની પાછળના અભિપ્રાયો વાંચવાની પણ મજા પડે છે.
    તમે લેખકો-લેખીકાઓના ઈમેલ આપો છો તે એક બહુ ઉત્તમ કાર્ય છે. જો તમારી પાસે હોય તો મને નીચેના લેખક-લેખીકાઓના ઈમેલ સરનામા આપવા મહેરબાની કરશો.. એવી આશા છે.

    (૧) Dr.Sharad Thaker
    (2) Dr.Pragna Pai
    (3) Kajala Oza vaidya (મુંબઈ સમાચારમાં એમના ૩-૪ all different ઈમેલ આવે છે જે ખોટા હોવાથી ઈમેલ પાછા આવે છે)
    (૪) Dr.Sudha Murti
    બસ એજ,
    લી.મનસુખલાલ ગાંધી
    U.S.A.

    Date: Thu, 1 May 2014 23:24:43 +0000
    To: mdgandhi21@hotmail.com

    Like

  6. લેખીકા કામિનિબેન સંઘવીને હાર્દિક અભિનંદન. વિષયને ખુબ સુંદર રીતે સમજાવ્યો છે.
    ભાગવદ્ ગીતા, રામાયણ , મહાભારત અને મનુસંહિતા બઘા સ્ત્રીની જીંદગીને લેખકે બતાવી તે રીતે બતાવીને ખાસ કરીને સ્ત્રીઓ અને આખા સમાજની વિચારશક્તિને સ્ત્રી વિરોઘી બનાવી દીઘી છે. સ્ત્રીઓ પણ જાણે જીનેટીક રોગ લઇને જીવતી હોય તેવું લાગે છે. તેવું જીવન જીવે છે. અને પોતાની દિકરીઓને પણ પોતાની અંઘશ્રઘ્ઘા ભરેલી રીતે જીવવા મજબુર કરે છે.

    લગ્ન સમયે કન્યાને અખંડ સૌભાગ્યવતી ભવના આશિર્વાદ આપવાની પ્રથા અભણો વિચારવા વગર બીજાઓને રસ્તે આપતા અને આપે છે….આ આશિર્વાદનો અર્થ થાય છે કે તું તારા પતિ કરતાં પહેલાં મરજે.

    ભાગવદ્ ગીતામાં સ્ત્રીઓનો ઉલ્લેખ કેટલો છે ? હિંદુ ઘર્મ અને તેણે સરજેલો સમાજ પુરુષપ્રઘાન જ બનાવવામાં આવ્યો હતો અને આજે પણ છે.
    હિંદુ ઘર્મની જેમ જ બીજા ઘર્મો પણ પુરુષપ્રઘાન હતાં અને આજે પણ છે. દુનિયાભરની સરકારો અને નોકરી આપનારાઓ સ્ત્રીઓને પુરુષ કરતાં સેઇમ કામ માટે ઓછો પગાર આપે છે. અમેરિકાની સરકાર હાલમાં સમાન પગારનો કાયદો લાવવા કાર્યશીલ છે ત્યારે ત્યાંના રીપ્બલીકનો ( પૈસાદાર લોકો ) તેનો વિરોઘ કરે છે.

    અમૃત હઝારી.

    Like

  7. આ લેખ એક મિત્રે ફેસબુકમાં શેઅર કરેલો. લેખ તો સરસ જ છે પણ બે શબ્દો સુધારવા યોગ્ય જણાય છે. એક શબ્દ વપરાયો છે ઓર્ગેનીઝમ ખરેખર ઓર્ગેઝમ હોવો જોઈએ. અને બીજો ક્લીટર્સ ને બદલે ક્લિટરીસ હોવો જોઈએ. બાકી પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું યેનકેન પ્રકારે શોષણ તો થવાનું જ.
    હવે તમે શરૂમાં જ લખ્યું છે , ‘ભારતીય સંસ્કૃતીના કેલેન્ડરમાં ચૈત્ર મહીનાનું અનોખું મહત્ત્વ છે. તેનું કારણ એક એ પણ છે કે ચૈત્ર મહીનો એ સન્ત-મહાત્મા દેવતાના જન્મનો શુભ માસ છે. રામનવમી, હનુમાન જયન્તી જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જયન્તી, સ્વામીનારાયણ પંથના સ્થાપક સહજાનન્દસ્વામીની જયન્તી, વૈષ્ણવ સમ્પ્રદાયના વલ્લભાચાર્યની જન્મજયન્તી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરનો પણ જન્મદીવસ.’ શું આ બધા ચૈત્રમાં જન્મ્યા એટલે ચૈત્ર મહિનો અનોખો કેમ થઇ જાય? આ તો એક અકસ્માત જ છે. હવે તમે લખો છો,’આમ જોઈએ તો દુનીયાનો કોઈ પણ ધર્મ એવો નથી કે તેણે સ્ત્રીને અન્યાય ન કર્યો હોય. અને છતાં સ્ત્રી જ ધર્મનું સૌથી વધુ પાલન કરે છે કે કરતી આવી છે. છતાં સ્ત્રી એ બાબતથી અજાણ છે કે એક કે બીજાં બહાનાં હેઠળ સતત ધર્મ તેને બાંધી રાખે છે.’ તો આમાંના બેત્રણ ને બાદ કરતા બધા ધર્મધુરંધરો જ છે અને ધર્મોના સ્થાપકો પણ છે. એમના સ્થાપેલા ધર્મોને લીધે સ્ત્રીઓને શું ફાયદો થયો? વૈષ્ણવ આચાર્યોએ તો બ્રહ્મસંબંધ બાંધતા જ સ્ત્રી સાથે બધું અમને અર્પણ કરો એમ કહી સદીઓ સુધી ભક્તોની સ્ત્રીઓ ભોગવવા મળે તેવી વ્યવસ્થા કરી લીધી છે. સ્વામિનારાયણ નો એક ફાંટો તો એક વર્ષની કે તાજી જન્મેલી બાળકી ની હાજરી પણ નાં જોઈએ કહી સમગ્ર સ્ત્રી જાતનું અવમાન કરી જ રહ્યો છે. જ્યાં સુધી કોઈપણ જાતના ધર્મોનું અવલંબન નહિ છૂટે ત્યાં સુધી સ્ત્રીનું શોષણ થવાનું જ છે. સ્ત્રી ઉદ્ધાર થવાનો નથી.

    Like

  8. મારા ખૂબ નજીકી મિત્ર શ્રી ભૂપેન્દસિંહજીની સૂક્ષ્મદર્શક આંખો ખૂબ જાણીતી છે. તેમના વિચારોની સાથે મારા વિચારો…વાંચેલુ જ વહે;ચવા માટે લખું છુ. વાચકે પોતે અર્થ કરી લેવો તે મારી વિનંતિ છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતા. અઘ્યાય ૧. શ્લોક : ૪૦.
    કુલક્ષ્યે પ્રણશ્યન્તિ કુલઘર્મા: સનાતના………..

    અનુવાદ : કુળનો નાશ થતાં સનાતન કુળઘરર્મો નાશ પામે છે અને કુળઘર્મ નાશપામતાં આખા કુળને અઘર્મ દબાવી દે છે.

    શ્લોક : ૪૧ :
    અનુવાદ : હે ક્રષ્ણ, અઘર્મના દબાણથી કુળની સ્ત્રીઓ ભ્રષ્ટ થાય છે. હે વાસષ્ણેય , ષ્ત્રીઓ ભ્રષ્ટ થાય ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. ( પુરુષ કદાપિ ભ્રષ્ટ નથી થતાં, તેઓ તો સ્ત્રીઓને ભ્રષ્ટ કરવાના હક્કો લઇને સર્ટીફિકેટ લઇને જન્મે છે. ).

    શ્લોક: ૪૨:
    અનુવાદ: વર્ણસંકર પ્રજા કુળઘાતીઓ અને કુળને માટે નરકની સ્થિતિ સર્જે છે. કેમ કે પિંડ અને તર્પણક્રિયા જેઓની નાશ પામી હોય, તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે.
    ( બિચારી સ્ત્રીઓ ! તેમના થકી જ કુળ નાશ પામે અને પિતૃઓ નરકમાં જાય ! હાય રે સ્ત્રી તારે નામે સ્વર્ગ અને નરક લખાયેલાં છે ૧ તું જ અભાગણી…તું જ પુરુષને જન્મ આપનારી , તું જ પુરુષ પિંડને ઘરીને જણનારી……તું જ પુરુષો વડે ભ્રષ્ટ થનારી…તારે નામે જ કુળકલંકીનું કલંક પણ તે જ પુરુષ વડે પામનારી ….શા માટે ? શા માટે ?

    આ સર્ટીફિકેટ તને આપનાર બીજો કોઇ નહિ….. પણ પેલો રાસ રમનારો…….

    અમૃત હઝારી.

    Like

    1. કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ|
      ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત|| ૧.૪૦||
      kula-ksaye pranasyanti
      kula-dharmah sanatanah
      dharme naste kulam krtsnam
      adharmo ‘bhibhavaty uta

      TRANSLATION

      With the destruction of dynasty, the eternal family tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligious practice.

      PURPORT

      In the system of the varnasrama institution there are many principles of religious traditions to help members of the family grow properly and attain spiritual values. The elder members are responsible for such purifying processes in the family, beginning from birth to death. But on the death of the elder members, such family traditions of purification may stop, and the remaining younger family members may develop irreligious habits and thereby lose their chance for spiritual salvation. Therefore, for no purpose should the elder members of the family be slain.

      અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ|
      સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસઙ્કરઃ|| ૧.૪૧||

      adharmabhibhavat krsna
      pradusyanti kula-striyah
      strisu dustasu varsneya
      jayate varna-sankarah

      TRANSLATION

      When irreligion is prominent in the family, O Krsna, the women of the family become corrupt, and from the degradation of womanhood, O descendant of Vrsni, comes unwanted progeny.

      PURPORT
      Good population in human society is the basic principle for peace, prosperity and spiritual progress in life. The varnasrama religion’s principles were so designed that the good population would prevail in society for the general spiritual progress of state and community. Such population depends on the chastity and faithfulness of its womanhood. As children are very prone to be misled, women are similarly very prone to degradation. Therefore, both children and women require protection by the elder members of the family. By being engaged in various religious practices, women will not be misled into adultery. According to Canakya Pandita, women are generally not very intelligent and therefore not trustworthy. So, the different family traditions of religious activities should always engage them, and thus their chastity and devotion will give birth to a good population eligible for participating in the varnasrama system. On the failure of such varnasrama-dharma, naturally the women become free to act and mix with men, and thus adultery is indulged in at the risk of unwanted population. Irresponsible men also provoke adultery in society, and thus unwanted children flood the human race at the risk of war and pestilence.

      સઙ્કરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ|
      પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ|| ૧.૪૨||
      sankaro narakayaiva
      kula-ghnanam kulasya ca
      patanti pitaro hy esam
      lupta-pindodaka-kriyah

      TRANSLATION

      When there is increase of unwanted population, a hellish situation is created both for the family and for those who destroy the family tradition. In such corrupt families, there is no offering of oblations of food and water to the ancestors.

      PURPORT

      According to the rules and regulations of fruitive activities, there is a need to offer periodical food and water to the forefathers of the family. This offering is performed by worship of Visnu, because eating the remnants of food offered to Visnu can deliver one from all kinds of sinful actions. Sometimes the forefathers may be suffering from various types of sinful reactions, and sometimes some of them cannot even acquire a gross material body and are forced to remain in subtle bodies as ghosts. Thus, when remnants of prasadam food are offered to forefathers by descendants, the forefathers are released from ghostly or other kinds of miserable life. Such help rendered to forefathers is a family tradition, and those who are not in devotional life are required to perform such rituals. One who is engaged in the devotional life is not required to perform such actions. Simply by performing devotional service, one can deliver hundreds and thousands of forefathers from all kinds of misery. It is stated in the Bhagavatam:
      devarsi-bhutapta-nrnam pitrnam
      na kinkaro nayam rni ca rajan
      sarvatmana yah saranam saranyam
      gato mukundam parihrtya kartam

      “Anyone who has taken shelter of the lotus feet of Mukunda, the giver of liberation, giving up all kinds of obligation, and has taken to the path in all seriousness, owes neither duties nor obligations to the demigods, sages, general living entities, family members, humankind or forefathers.” (Bhag. 11.5.41) Such obligations are automatically fulfilled by performance of devotional service to the Supreme Personality of Godhead.

      From Bhagvad Gita as it is

      Like

      1. Excellent article. Nor sure if the person giving this particular reply has even read the article or tried to understand it. Or if it is blind parroting of gita. So sad.

        Excellent article!
        A. Dave

        Like

      2. Are we living in 21st century or in the dark middle ages?. What are you talking about? Many Gods have fathered illegitimate children. Most kings also had illegitimate children. Do we blame victim women for that?

        It is surprising to see such a humbug comment on rationalist blog!

        Like

      3. Translating Sanskrut Language is very hard, and requires a lot of intelligence. Good translation by gujaratisampradayo on 1.41.
        I live in most advance country in the world, and even here women gets paid less than a men. This clearly shows that irresponsible men will always takes advantage of women regardless of the religion. By nature women are very gullible, and trustworthy. Solution is to create a society of responsible men who can create a society who respects women. Vaidik culture created this society of respect towards women- Yatra Narystu pujyate tatra ramyate devta. Sitamata, Atri, Gargi were all well learned women. But vaidik culture is in minority, that no one tries to understand. So called Budhidhijivis try to translate Sanskrit language without any intellect. They can barely translate their own mother tongue in English but claim they can translate Sanskrit.

        Like

  9. This is good article revealing the blind faith which goes on for ever. I hope it gives something to think about to people. Good luck.

    Like

  10. Respected Kaminiben
    This article should be published in every Gujarati newspaper. Women have been exploited for thousands of years by religion, by all religions. Our Hindu religion exploits it as much as others!
    With respect,
    A. Dave

    Like

  11. મિત્રો,
    મારા વાંચન અને થયેલી રીસર્ચના સંદર્ભો પ્રાણિ જગતમાં જે MALE & FEMALEને તેમનું રોજીંદુ જીવન જીવતાં બતાવ્યા છે તેમાં પણ કુદરતી રીતે પુરુષ પ્રાઘાન્ય જોવા મળે છે. સ્ત્રીને પ્રજનનની અને વંશવેલો વઘારવાની જવાબદારી સોંપવામાં આવી છે.
    રીવોલ્યુશનને આઘારે ઘીમે ઘીમે વાનરમાંથી જ્યારે માનવ બન્યો ત્યારે પણ આ પરંપરા ચાલુ રહેલી. સંસ્કૃતિના વિકાસની સાથે આજની ૨૧મી સદીમાં જે સંસ્કૃતિમાં આપણે જીવીઅે છીઅે તેમાં પુરુષ અને સ્ત્રીને સમાન હક્કોનો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સવાલ હજી સોલ્વ થયો નથી. ‘પુરુષ પ્રાઘાન્ય‘ જીનેટીક રોગ બની બેઠેલો લાગે છે. વિજ્ઞાને આપેલાં જ્ઞાનને સાંકળીને ઘણું ઘણું જાણી શકાય.
    વ્હાય ઘેર ઇઝ રેઝીસ્ટંસ ?
    મઝેનો વિષય છે…….
    અમૃત હઝારી.

    Like

    1. (1) વાંદરા માણસનાં પુર્વજ છે તેવી માન્યતા ખોટી છે. વાંદરા માણસનાં પુર્વજ નહીં પણ પીતરાઈ છે.
      (2) રેવોલ્યુશન નહીં પણ ઈવોલ્યુશન

      Like

  12. શ્રી અમૃતભાઈ આ બધું વેદવ્યાસે લખેલું છે કૃષ્ણને તો ખોટો ફસાવી દીધો છે. હહાહાહાહા

    Like

  13. ધન્યવાદ ગોવિંદભાઈ.. બે શબ્દો સુધાર્યા તે મૂળ લેખમાં જ હતા . આપણા બ્લોગર મિત્ર રજની અગ્રાવતે આ લેખ ફેસબુકમાં મુક્યો ત્યાં પણ આ બે ભૂલો હતી. પ્રિન્ટીંગ ભૂલ પણ હોઈ શકે છે.

    Like

  14. શ્રી દલાલ,
    ઇવોલ્યુશન શબ્દ હોવો જોઇઅે તે સાચુ છે. ઉતાવળમાં ભૂલ કરી બેઠો. આભાર.
    અમૃત હઝારી.

    Like

  15. જુઓ આ અમેરિકન જેરી સ્પ્રીન્ગરના દૈનીક શોઝ અને નિહાળો આધુનિક સતીઓના પરાક્રમ !
    શું ભારતીય સ્ત્રીઓ આ પ્રકારની સ્વતંત્રતા ની શોધમાં છે ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s