સાવધાન ! ‘શ્રદ્ધા’નો બીગ બેંગ !

We may define faith as a firm belief in something for which there is no evidence.

Bertrand Russell

શ્રદ્ધાની અન્ય એક વ્યાખ્યા અંગ્રેજીમાં એવી પણ છે કે, Faith may be defined, as a firm belief that something improbable will happen, by some irrelevant act.

આથી ગુજરાતીમાં આપણે ‘શ્રદ્ધા’ની વ્યાખ્યા આ પ્રમાણે કરીએ :

‘શ્રદ્ધા’ એક એવી સુદૃઢ માન્યતા છે કે, અમુક તત્ત્વ યા વ્યક્તીના પ્રભાવથી કે એની કૃપાથી, અમુક વીધી કરવાથી અથવા તો કેવળ તત્પ્રત્યેની માન્યતાના બળે, કંઈક અસમ્ભવ (improbable) એટલે કે પ્રકૃતીના કાર્યકારણ ન્યાયથી ભીન્ન અથવા ઉલટું પરીણામ સીદ્ધ કરી શકશે.

દા.ત. સત્યનારાયણની કથાની કે પછી અમુકતમુક બાબાની બાધા રાખવાથી પરીક્ષામાં પ્રથમ વર્ગ સાથે પાસ થવાશે. એવી દૃઢ માન્યતા.

આ વ્યાખ્યાની ચર્ચા કરતા પુર્વે આપણા વાદવીવાદની એક ગમ્ભીર ક્ષતી પ્રતી અંગુલીનીર્દેશ કરી લઈએ અને એ નાબુદ કરીને પછી જ ચર્ચાપ્રધાન વ્યાખ્યાન કરવું યા લેખ લખવો જોઈએ એવો અનુરોધ કરીએ. વાદપ્રધાન આવા કાર્યક્રમમાં, મુખ્ય મુદ્દાની વ્યાખ્યા તથા વીભાવના સ્પષ્ટ નીશ્વીત કર્યા વીના જ આપણે ત્યાં આડેધડ પ્રવચનો થાય છે અને પછી અસંગત તથા અર્થહીન એવી તુચ્છ દલીલોની ફેંકાફેંક ચાલે છે. આપણે શ્રદ્ધા શબ્દની કે વીષયની વ્યાખ્યા કર્યા વીના જ એની ચર્ચા કરીએ છીએ: હકીકતમાં, શ્રદ્ધાના ભાવ સાથે ‘વીશ્વાસ’, ‘મનોબળ’ તથા ‘ખાતરી’ આદી ભાવોની ભેળસેળ કરીને જ ગમે તે રીતે શ્રદ્ધાને બીરદાવવાનો હેતુ સીદ્ધ કરવાનો મીથ્યા પુરુષાર્થ કરી, સંતોષ માની લઈએ છીએ.

દા.ત. કોઈ એમ કહે કે, પતીને વીદેશ જવાનું યા અન્ય કોઈ નીમીત્તે લાંબો વખત ઘર બહાર રહેવાનું થાય, ત્યારે તે પોતાની પત્ની પર ‘શ્રદ્ધા’ રાખે જ છે ને કહે કે પોતાની ગેરહાજરીમાં કશું અનીચ્છનીય નહીં આચરે !’ હકીકતમાં અહીં ‘શ્રદ્ધા’ શબ્દ અસ્થાને જ છે, ચોકસાઈથી કહેવું હોય તો આને ‘વીશ્વાસ’ શબ્દથી જ ઓળખાવાય. (જો કે ઘણા પુરુષો આવો વીશ્વાસ પણ નથી રાખતા; છતાં જવું પડે એટલે જાય છે ! પણ એ વળી જુદો મુદ્દો છે, વહેમીલી માનસીકતાનો)… એક મીત્રે લંગડો ભક્ત કેદારનાથનાં દર્શનાર્થે મહાપ્રયાસથી પહાડ ચઢી રહ્યો હતો – એને ‘શ્રદ્ધા’નું બળ કહ્યું, ત્યારે પણ મેં સુચવેલું કે, એ શ્રદ્ધા નથી, મનોબળ છે.

       ‘શ્રદ્ધા શબ્દ એની ચોક્કસ વીભાવના મુજબ improbability – અસમ્ભવીતતા સાથે અતુટ સમ્બન્ધ ધરાવે છે અને આ અસમ્ભવીતતા એટલે જ પ્રકૃતીના કાર્યકારણના અફર તંત્રથી કશુંક ભીન્ન બને એવી ઘટના. જો કે એવું કદીય બની શકે જ નહીં. માટે જ શ્રદ્ધા માત્ર અન્ધ જ હોય છે. અર્થાત્ શ્રદ્ધાએટલે જઅન્ધશ્રદ્ધા’ ! ખુદ ગાંધીજીએ કહ્યું છે કે શ્રદ્ધા હંમેશાં આંધળી જ હોય ! ભાવનાશીલતા અર્થાત્ ભાવવીશ્વનો સમ્બન્ધ માનવીની લાગણીની તીવ્રતા સાથે છે અને લાગણી માત્રને તર્કવીવેકથી સહેલાઈથી સમજાવી શકાય છે, એમાં કશું જ રહસ્યમય યા અલૌકીક નથી. દા.ત. પોતાની પ્રેમીકાનો જીવ બચાવવા માટે પ્રીયજન પોતાના જાનનું બલીદાન આપી દે – એ પ્રેમની લાગણીની ઉત્કટતા સહેજે અને બહુ સહેલાઈથી સમજી શકાય છે. એવું જ માતાના સંતાન પ્રત્યેના નીરપેક્ષ પ્રેમ બાબત સમજાવી શકાય. મુળ હકીકત તો એ છે કે, પ્રકૃતીનાં જીવસૃષ્ટીનો તંતુ ચાલુ રાખનારાં જે અનેક પરીબળો છે, એમાંનું જ એક માનો બચ્ચાં માટેનો નીરપેક્ષ પ્રેમ છે, જેને કુદરતી વૃત્તી જ કહેવાય. અનેક પ્રાણીવર્ગમાં તો, મોટું થયા પછી બચ્ચું માને ઓળખતું સુધ્ધાં નથી હોતું. છતાં માદા પોતાના જાનના ભોગેય બચ્ચાનું રક્ષણ કરવા ઝઝુમે છે. માનવી તો કેટલીક વ્યક્તીઓ, કેવળ પ્રીયજનો જ નહીં; કોઈપણ સ્વજનન, અરે, અજાણ્યાનો પણ; જીવ બચાવવા પોતાની જીન્દગીને હોડમાં મુકી દે છે…

શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ આપણે તાત્ત્વીક ધોરણે નહીં; પરન્તુ પ્રકાર આધારીત એટલે કે ગુણવત્તાના પાયા પર પાડીએ છીએ; જે આપણી ઉચ્ચાવચતાની મીથ્યા માન્યતાઓ જ છે. દા.ત. ઈશ્વર ઉપરની શ્રદ્ધા કહેવાય. જ્યારે ભુતપ્રેત કે ભુવા પ્રત્યેની એવી જ લાગણીને અન્ધશ્રદ્ધા કહેવાય. આ તદ્દન વાહીયાત વીભાગીકરણ લેખાય; કારણ કે તમારે મન ઈશ્વરવીષયક જેવી અને જેટલી દૃઢ માન્યતા છે, એવી અને એટલી જ સુદૃઢ એક આદીવાસીની ભુતપ્રેત બાબતની માન્યતા હોય છે. બાકી આવાં બધાં તત્ત્વ મુળભુત રીતે તો કપોળકલ્પીત જ છે. મતલબ કે શ્રદ્ધાળુ સર્વ કોઈ અન્ધશ્રદ્ધાળુ જ હોય. તમે જેટલી શ્રદ્ધાથી ઈશ્વરની મુર્તી કે છબી સમક્ષ ધુપ–દીપ યા ફુલ–પ્રસાદનો વીધી કરો છો, એટલી જ શ્રદ્ધાથી પછાત – અભણ વર્ગો યા ભુતપ્રેતમાં કે જાદુટોનામાં માનનારી બહેનો ચાર રસ્તે જઈને પાણીનું કુંડાળું કરે છે અને નાળીયેર યા વડાં ચઢાવી આવે છે. બન્નેની મનોદશા તો પુરી સરખેસરખી જ છે. સુર્ય જેવા એક જડ પીંડની ઉપાસના કરનાર અને પથ્થરના દેવના થાનકે બલી ચઢાવનાર બન્નેની મનોદશામાં કશો ભેદ કે ઉચ્ચાવચતાનો ફરક સીદ્ધ થાય છે ખરો ? બાકી તો ‘હું જ સાચો અને ઉંચો’ – એવી મીથ્યાભીમાની લાગણીની વાત જુદી છે. ખરેખર જ શ્રદ્ધા અર્થાત્ અન્ધશ્રદ્ધા અજ્ઞાનતાનું જ પરીણામ છે, બાકી સુર્ય માનવી પર કોઈ ઉપકાર કરવા આમ, એક સળગતો પીંડ નથી જ બની રહ્યો ! એ સુર્યપુજકો બાપડા પછી જ્યોતીષમાં માનનારની ટીકા તો કરી જ કેવી રીતે શકે ?

એક પુજનીય સન્ત ‘ધર્મ અને વીજ્ઞાન’ વીશે પ્રવચન કરી રહ્યા હતા. આમ તો, તેઓ પ્રખર જ્ઞાની પુરુષ છે અને કીમતી વીચારોય ધરાવે છે. પરન્તુ આવી ભુલ કરી બેઠા ! એમણે કહ્યું, ‘ભગવાને ચંદ્ર પૃથ્વીથી અઢી લાખ માઈલ દુર ગોઠવ્યો, એ જ બરાબર સહેતુક છે. બાકી એ જો થોડો નજીક મુકાયો હોત તો, એવી મોટી ભરતી આવત કે આપણે સૌ ડુબી મરત’ – એવું કંઈક અને વળી ઈશ્વરની લીલા વીશે એથીય અનેકગણું હાસ્યાસ્પદ એવુંય ઘણુંબધું તેઓશ્રીએ કહ્યું. જવાબમાં મેં લખ્યું, ‘અરે સ્વામીજી, આજની અપેક્ષાએ જો વધુ મોટી, જોખમી ભરતી આવી હોત, તો માનવી સમુદ્રકાંઠાથી થોડા વધુ દુર વસવાટ કરત; એમાં ડુબી મરવાનું તો આવે જ ક્યાંથી ? ઈતર લીલાની હાસ્યાસ્પદતાનો જવાબ મેં, આમન્યા ખાતર જાહેરમાં નહીં લખ્યો; પણ પત્રથી જણાવ્યો. તેમ છતાંય સ્વામીજી મારા પર ભયંકર રોષે ભરાયા !

આવી જ ભગવાનની લીલાના મીથ્યા વખાણ ‘બીગ બેંગ’ના લંબાણકાળ (ડ્યુરેશ) બાબતે પણ શ્રદ્ધાળુઓ કરે છે કે, ‘એ જો સેકંડના એક અબજમાં ભાગ જેટલોય લાંબો ટુંકો હોત, તો આ બ્રહ્માંડ આવું ન રચાયું હોત અને આપણેય ન હોત’ ઈત્યાદી. અરે મીત્ર, ડ્યુરેશન પ્રમાણે જેવું બ્રહ્માંડ રચાયું હોત; પછી તેવી જ સમગ્ર સૃષ્ટી વીકસી હોત અને એનો કોઈને જ કશો હરખશોક નહોત. કારણ કે આ સમગ્ર લીલા કેવળ જડ તત્ત્વોની જ છે, જેને મન જ નથી, કે એમાં પછી આપણી કે કશાનીય કશી ફીકર ચીન્તા હોય. આનો એક સાદોસીધો સચોટ પુરાવો જ એ છે કે, સુર્યના એક પૃથ્વી સીવાયના  બીજા આઠ ગ્રહો સાવે સાવ નીર્જન, અર્થહીન ઘુમ્યા જ કરે છે, અબજો વર્ષોથી ! એની પરવા કરનાર કોઈ તત્ત્વ છે ખરું ? વળી, ધુમકેતુઓ પણ અનીયમીત સફરી બનીને આવે છે અને ગુરુ જેવા વીરાટ ગ્રહો એને ગળીય જાય છે ! બ્રહ્માંડમાં આવા તો અસંખ્ય, અબજોના અબજો પીંડો છે અને અથડાઅથડીની તથા ભાંગફોડની ભયંકર ઘટનાઓ નીરન્તર બન્યા જ કરે છે, કુદરતનું સંચાલન ‘અન્ધ નીયમ’વશ પ્રવર્તે છે. પરન્તુ સમય તથા વીસ્તારની અસીમ અગાધતાને પરીણામે, આપણને હાલ તુરત એની કશી જ આપત્તી નથી, માટે જ ઈશ્વરની લીલાને વખાણીએ છીએ અને એના પર શ્રદ્ધા રાખી બેફીકર (?) લીલાલહેર કરીએ છીએ ! બાકી નજીકની એક નીહારીકા (એન્ડ્રોનેડા ?)  પ્રચંડ વેગે આપણી ગેલેક્સી તરફ ધસી રહી છે, જે અમુક અબજો વર્ષ બાદ ટકરાશે પણ ખરી જ. અને ત્યારે બધું જ હતું ન હતું થઈ જશે. ખેર, અજ્ઞાનમ્ પરમ્ સુખમ્ ! બાકી વીજ્ઞાન તો આજે માનવસર્જીત ડી.એન.એ. બનાવવા સુધી પહોંચી ગયું છે… તમારું ડી.એન.એ. બજારમાં મળતું થઈ જશે !

સમગ્ર પ્રકૃતીનું સંચલન (સંચાલન નહીં) એના અન્ધ, જડ, અફર કાર્ય–કારણના નીયમોને વશ ચાલ્યા જ કરે છે, જેમાં જડ–ચેતનનોય કશો ફરક નથી. કેદારનાથમાં પ્રચંડ પુર આવે, તો એમાં મહાન ભગવાન પણ લાચાર ! હજારો ‘ભક્તો’ ડુબી મર્યા, ત્યારે એ ઈશ્વર શું કરતો હતો ? સુરતમાંય થોડાં વર્ષ પુર્વે  આવો લાચાર હાહાકાર મચી જ ગયો હતો ને ? હકીકતમાં, કાર્ય–કારણના અફર નીયમો સમક્ષ સમ્પુર્ણ લાચારી અનુભવતા મનુષ્યે, કેવળ મીથ્યા ગૌરવ કે મોટપ અનુભવવા માટે ‘શ્રદ્ધા’ જેવો આધ્યાત્મીક શબ્દ – ભાવ ગોઠવી કાઢ્યો. બાકી એથી કોઈ લાભ નથી.

ભરતવાક્ય

અતીશયોક્તીનીય અતીશયોક્તી ઉર્ફે કોના બાપની દીવાળી ?!! સોવીયેત સર્વસત્તાધીશ સ્તાલીને (સ્ટેલીને) એક કરોડ નહીં; એક અબજ માણસો મારી નાખેલા !

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી ચીંતક–લેખક પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 7 ડીસેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકના અને ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજપરમથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકનગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 01/08/2014

18 Comments

  1. મનની મનોકામનાઓને પુરી કરવા માટે ધર્મિક સ્થળોએ જવાની ઘેલછા અને ગાંડપણનું નામ અંધ્શ્રધ્ધા. અંધ્શ્રધ્ધા કેવળ હિંદુઓમાં જ નથી, પરંતુ દરેક ધર્મમાં છે. મહેનત કરીને કે બાહુબળ થકી કે પ્રયત્નો થકી મનોકામનાઓ પુરી કરવાને બદલે ધાર્મિક સ્થળોએ હાજરી અપવાનો “શોર્ટ કટ” અપનાવવાનું ગાંડપણ – અંધ્શ્રધ્ધા – દરેક ધર્મમાં જોવા મળે છે.

    ધર્મ નામની વસ્તુ ઍ આજે જગતમા બહુજ મોટો ઉધ્યોગ બનાવી લીધેલ છે, અને આ ઉધ્યોગ પાતિઓ છે મોલવીઓ , પૂજારીઓ, પાસટરો વગેરે, જેમને આ અંધ્શ્રધ્ધાળુઓ થકી ઘીકેળા અને લીલા લહેર છે.

    ધર્મના નામે જે અધર્મો થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે.

    અંધ્શ્રધ્ધાળુઓ ના પૈસે કરોડોની કીંમત ના મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તય્યાર થઈ જાય છે, પરંતુ ગરીબો અને નિરાધારોની ઝુંપડીઓ કાચી ને કાચી જ રહે છે.

    મોટા પેટ વાળા મોલવીઓ, સાધુઓ તથા પાસ્ટરો ને બત્રીસ જાત ના પક્વાનો અને મેવાઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ દરિદ્રો ને બે ટંક્નુ ભોજન નથી મળતું. આ છે ધર્મની વ્યાખ્યા!
    અમારા મુસ્લીમ ધર્મમાં પણ એવા હજારો લેભાગુઓ ચારે તરફ ફેલાઈ ગયા છે, જે અંધ્શ્રધ્ધાળુઓ ને શીશામાં ઉતારીને તેમના પરસેવાની કમાણી લુંટી લે છે, અને પ્રજા ના પૈસે
    તાગડધિન્ના કરે છે.

    કાસીમ અબ્બાસ , ટોરંટો, કેનેડા

    Liked by 1 person

  2. I have come to conclusion that you cannot convince the people who have this kind of blind faith, even who have studied science. Science does not accept faith or authority.

    Liked by 1 person

    1. Yes, Sanatbhai, it is just impossible to tell and convince any and many about their BLIND-IRRATIONAL-FAITH. Dr Bharat Desai, Bilimora.

      Liked by 1 person

      1. Respected Sanatbhai and Bharatbhai

        I know that it is easy to say no one will change. But all we need is one person to change his/her opnion. Then all this work is worthwhile. And there are enough people on the edge who just need a single spark to open their eyes and change. We must keep trying.

        With respect,
        A. Dave

        Liked by 1 person

  3. ધર્મના નામે અને શ્રદ્ધા ના નામે જે અધર્મો અને અંધ્શ્રધ્ધાઓ થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ અને શ્રદ્ધા છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે.

    અત્યારે જગતના ૯૯ ટકા લોકો ધર્મની મોહ્જાળમા ફસાયેલા છે અને ઍવા ઍવા કાર્યો અને કર્મો (કે કુકર્મો ) કરી રહ્યા છે કે તે થકી આ જગતને નર્ક સામાન બનાવી મુકેલ છે.

    કાસીમ અબ્બાસ , ટોરંટો, કેનેડા

    Liked by 1 person

  4. Science bhanelo maanav ye science ne na apnaave tene shu kahevoo? Aaj no maanav aa panthe pahonchi gayo chhe je Science ne bhaniyaa pachhi enaa magaj maa thonseli Shradhaa ane eni paachhal na kartaviyo maa j lachiyo pachiyo rahe chhe…ane upper thi kahe ke ye to karvoo j pade nahi to Bhagwaan ke Devi maa prakopaai!!!!

    Ye loko maate to ek j line kahi sakoo ” Bhagwaan badhaanu bhaloo kare ane bhadhaane sadboodhi aape….. saroovat maaraa thi kare”……

    Perfact timing for this article as we just finish Ramjaan, and Shraavan just got started.

    Liked by 1 person

  5. ‘શ્રધ્ધા’ ને આસ્તિકતા કે નાસ્તિકતાના દ્રષ્ટિકોણથી જોવાને બદલે, થોડું માનસશાસ્ત્રીય રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો –
    આપણી કોઈ પણ ‘જરુરીયાત/ઈચ્છા’ પુરી કરવાની શરુઆત કરવા માટે એક ‘આંતરીક ધક્કા’ની જરુર પડે છે. જેમકે પાણી પીવાની ઇચ્છા થઈ તો બેઠક પરથી ઉભા થવા માટે અંદરથી એક ધક્કાની જરુર છે. (યાદ રાખો, આળસુ માણસ થોડો સમય ઇચ્છાને દબાવી બેસી રહે છે અ્થવા અન્ય ઉપાય શોધે છે.) આ તો શારિરીક જરુરીયાતની વાત થઈ, પણ આપણી માનસિક જરુરીયાતને સંતોષવા પણ એક ધક્કાની જરુર છે. આપણી માનસિક જરુરીયાત ઉભી થયેથી ‘પ્રેરણા’ ઉભી થાય, પણ ફક્ત એકલી ‘પ્રેરણા’થી કામ ચાલે નહી. તેના અમલીકરણમાં એક ધક્કાની (Force) જરુર છે. આ Force ને ‘શ્રધ્ધા’ તરીકે ઓળખી શકીએ. આમ શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સરખામણી આસ્તિકતા કે નાસ્તિકતાના સંદર્ભમાં જ કરી શકાય.

    Liked by 1 person

    1. shraddha ane vignyan e banne vastu j alag chhe shraddha etle purava vagar nu andhalu anukaran ane vignyan etle 100 % purvar karelu satya dharma etle manavta manav upyogi karya evu arth ghatan karvu joiye hovu joiye jyare prachalit kahevata dharmaguru karma kandi brahmano e dharma na name evu bajar ubhu karyu chhe ke dharma na name koi multi national company ne sharmave evu kalu dhan nu bhandol upar betha chhe ane te badha praja na paisa chhe.

      Liked by 1 person

      1. ‘વિજ્ઞાન ૧૦૦ % પુરવાર કરેલું છે સત્ય….’ એ ભ્રમ છે. વિજ્ઞાનના નિયમો સમયાંતરે બદલાતા રહે છે. સત્યની સાર્વજનિક વ્યાખ્યા આપી શકાય તેમ નથી સૌ સૌને પોતાનું સત્ય હોય છે.

        Liked by 1 person

    2. Bahen shree vignan je sodhe chhe tema jankalyan j hoi chhe ane dharma kaij sodhto nathi ane fakt dha dhu pa pu Sivai koi nu Kalyan karto nathi vignan pruthvi par ( kahevata swarg ) jevu jivan jivava ni sagvad puri pade chhe ane dharma murtyu bad swarg batave chhe ane evo prachar karine. Dha dhu pa pu o jivta swarg bhogve ane aapan ne mate murtyu bad nu swarg batave chhe.

      Like

  6. Frinds,
    Trust??????????????? શ્રઘ્ઘા ?????? આસ્થા????? ભરોશો????? માન્યતા??????
    Someone say, ” God is my trust, I believe in God.” Does this mean,”He or She has no trust in him or her ?, or less than what he or she has in that unseen, unexperienced , believed to be God.???”
    Educated and uneducated both sail in the same boat. Some people say, ” They ( those who believe in that non-existing, unseen God.)are influenced, mesmerized, hypnotized.
    My question is, ” How can a educated person who have passed educational exams, learning the subjects using hes or her intellect and logic?”
    This mean they are not using their brain. And that is why the mass is being exploited and used and reused till their blood is tatally sucked by few ones like Asaram & his son and there are hundred of other.

    અખો બિચારો………………………………………………….કહે ગયે ……..

    (૧) તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયા,
    તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

    (૨) આંઘળો સસરો ને સરંગટ વહુ, અેમ કથા સાંભળવા. ચાલ્યા સહું,
    કહ્યુ કાંઇ ને સમજ્યુ કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,
    ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યુ સાંભળ્યું સર્વે ફોક.

    (૩) અેક મુરખને અેવીટેવ, પથ્થર અેટલાં પૂજે દેવ,
    પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તાડે પાન,
    અે અખા વડું ઉત્પાત, ઘણાં પરમેશ્વર અે ક્યાની વાત?

    ભગવાન બન્યા હતાં….તેમનું અસ્તિત્વ હતું….તેમણે બઘી બુકો લખી હતી…..આ બઘા સવાલો બને છે ત્યારે જવાબો……શ્રઘ્ઘા હોવી જોઇઅે…..
    અેક દાખલો….ગાંઘીજી જન્મેલા….રામક્રષણ પરંહંસ જન્મેલાં…..અબ્રાહામ લિંકન જન્મેલાં…..હ્યું અેન સાંગ જન્મેલાં…વિ..વિ…..તેની સાબિતિઓ છે……
    ઘણું વઘુ લખી શકાય,
    દરેક હિંદુનાં ઘરમાં મંદિર તે પૂજાસ્થાન હશે જ. મુસ્લીમના ઘરમાં મહંમદનો પૈગામ….ખ્રિસ્તિના ઘરમાં ઇશુની મૂર્તિ………શ્રઘ્ઘાથી કે અંઘશ્રઘ્ઘાથી………
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. અમૃતભાઈ, કારણ તે લોકો પરંપરામાં જ માને છે. કદાચ તેમના ડી એન એમાં જ એ તત્વ પડ્યું હશે! નહીં તો ભણેલો ગણેલો માણસ આ બધું શી રીતે સ્વીકારી શકે?
    વાંસવનમાં સખી! પાવો વાગ્યોને, હું તો ઘેલી શ્યામને મળવાને નીસરી.
    ખીજડા હેઠળ બાવજીએ ધૂણી ધીખવી, હું તો મૂઈ દુ;ખડાં હરવાને નીકળી.
    બાપુનો આશ્રમ ઝાકમઝોળ મારી બઈ!હું તો ભોળી ધન્વન્તરી શોધવાને નીસરી.
    મંદિર વિરાજે મારો કાળીયો ઠાકર, હું તો સઈ! લક્ષ્મીના સગપણ નીસરી .
    ભવોભવની મારી ભાવટ ભાંગવાને હું તો ભોળી ચરણ પખાળવાને નીસરી.
    શહેર વચ્ચે મઝાર ઓલિયા પીરની, હું તો સઈ માથું ટેકવવા નીસરી.
    દુ;ખની ગઠરી માથે મૂકીને મારી બઈ! હું તો સુખનો આભાસ શોધવાને નીસરી .
    વાંસવનમાં સખી! પાવો વાગ્યોને, હું તો ઘેલી શ્યામને મળવાને નીસરી.

    Liked by 1 person

  8. જીવનના નેવુંના દશકામાં પણ તેજ તરાર મગજની વિચાર શક્તિ ધરાવનાર વડીલ રમણભાઈ
    પાઠક ના બધા જ લેખોમાં નવા મનનીય વિચારો જોવા મળે છે .

    આ લેખમાં એક શ્રધા શબદ ના અનેક અર્થોનું એમણે કેવું દાખલા દલીલો સાથે બધાને શીરાની માફક ગળે ઉતરી જાય એવું વિશ્લેષણ કર્યું છે જે આશ્ચર્ય ઉપજાવે એવું છે .

    આ પહેલાં પણ એમણે શ્રધા અને અંધ શ્રધા જેવા અનેક વિષયમાં ગુજરાત મિત્રમાં એમની જાણીતી કોલમ રમણ ભ્રમણ માં લગભગ ૩૭-૩૮ વર્ષથી એમના રેશનલ વિચારો રજુ કર્યા છે .

    આવા નર્મદ જેવા સમાજના એક પ્રહરી મુરબ્બી રમણભાઈને એમની સામાજિક જાગૃતિ
    માટેની અનન્ય સેવા માટે હાર્દિક વંદન .

    Liked by 1 person

  9. શ્રધ્ધામાં અશ્રદ્ધા રાખવી કે અશ્રદ્ધામાં શ્રધ્ધા? કેટલીક શ્રધ્ધા વ્યક્તિ માટે તો બીજી કેટલીક સમાજ માટે જરૂરી હોય છે. અશ્રદ્ધાનો અતિરેક પણ બાધા કરે. સમજપૂર્વક નિર્ણય કરવો જોઈએ.
    શ્રદ્ધા એટલે એવી વિચારસરણી કે જે ન તો સાચી પૂરવાર કરી શકાય ન તો ખોટી. વસ્તુતઃ તર્કના પાયામાં શ્રધ્ધા જ હોય છે. તર્કની શરૂઆત કરતા પહેલાં કેટલાક તથ્યો ગૃહિત કરવા પડે એટલે કે સાબીતિ આપ્યા વગર સ્વીકારવા પડે જાણે કે તે સ્વયંસિધ્ધ સત્ય હોય. આને અંગ્રેજીમાં પોસ્ટ્યુલેઇટ્સ (postulates)કહે છે. કયા મૂલ્યોને ગૃહિત કરવા અને કયા ને નહીં તે જે તે તાર્કિકની વ્યક્તિગત શ્રધ્ધા પર નિર્ભર કરે છે.
    શ્રધ્ધા અને તર્ક એક બીજાના પર્યાય નથી પણ પૂરક છે અને એકબીજા પર આધાર રાખે છે.
    તર્કના બીજા છેડે પણ શ્રધ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા તેમના ઉત્તર માટે આપણે શ્રધ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુધ્ધિથી વિચારી શકાય તેમને માટે શ્રધ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામૂહિક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધાર વધારતા જવું જોઇએ. જેમ કે ઋષિઓએ ભલે એમ કહ્યું હોય કે પૃથ્વી શેષનાગ પર આધારિત છે હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.
    તર્ક તેમજ શ્રધ્ધાની પારના પણ કેટલાક વિષયો છે. સૌથી મોટી ભૂલ આપણો અને લગભગ બધા જ ધર્મો કરે છે કે આવી બાબતો, જેવી કે જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થિતિ અને ગતિ, અંગેના પ્રશ્નોના જવાબ આપે છે. આ જવાબો ન તો શ્રધ્ધા પર કે ન તો તર્ક પર આધારિત હોય છે. તે તો કાલ્પનિક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે ‘અહો રૂપં અહો ધ્વનિઃ’ ની જેમ તેમના સાથીઓએ અને શિષ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલિત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરૂપ છે કે નહીં તે વિચારવાની તસ્દી કોણ લે?

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s