–ભુપેન્દ્રસીંહ રાઓલ
કર્મ કે કરમ બહુ વીવાદાસ્પદ વીષય છે. મને લગભગ 25 વર્ષથી નીયમીતપણે કીડની સ્ટોન થાય છે અને નીકળી જાય છે. બાવીસેક વર્ષનો હતો અને એપેન્ડીક્સનું ઓપરેશન કરાવેલું, હમણાં બે વર્ષ પહેલાં હર્નીયાનું ઓપરેશન પણ કરાવ્યું. મારા પોતાના જ દાખલા આપું છું. 26 વર્ષની ઉમ્મરે મારા વાઈફની એક કીડની ફેઈલ થઈ જવાથી 20 વર્ષ પહેલાં તેમની તે કીડની રીમુવ કરવી પડેલી. બે વર્ષ પહેલાં બીજી કીડની પણ કહે : ‘મેં એકલે હાથે 20 વર્ષ કામ કર્યું; હવે નહીં કરું,’ કહીને ધરણા પર બેસી ગઈ, સત્યાગ્રહ પર ઉતરી ગઈ ! મેં કહ્યું, ‘નો પ્રોબ્લેમ, આપણે ડાયાલીસીસ કરાવીશું !’ જો કે બે વર્ષમાં તો બીજી કીડની પણ અમેરીકાની ઉત્તમોત્તમ વ્યવસ્થાને લીધે મળી ગઈ. એટલે જ, ‘કરમ તો ભોગવવાં જ પડે’ તેવું વર્ષોથી સગાંસંબંધીઓ પાસેથી સાંભળીએ છીએ. તમે મીત્રો પણ કોઈને કોઈ આવી તકલીફોમાંથી પસાર થતા જ હશો ને આવું સાંભળતા જ હશો. મતલબ આપણા હીન્દુઓમાં કરમ એટલે એક જાતનું ‘પનીશમેન્ટ.’ કોઈ ખરાબ કામ કર્યું હશે તેની સજારુપે, એક બાહ્ય ન્યાયરુપે આજે બીમારીઓ આવે છે અને તે વળી એવાં કર્મ કે જે મને તો યાદ પણ નથી ! એક નાનું બાળક બીમાર પડે છે તે ક્યાં કોઈ કર્મ કરવા ગયું હતું ? તો કહેશે : ‘ગયા જન્મનાં કર્મ.’ પણ ગયો જનમ હતો કે નહીં તે પણ એક હાઈપો–ધારણા જ છે ! તેનાં કોઈ સાબીતી કે પુરાવા તો છે જ નહીં. આવી સમજ એક બહુ મોટું તુત છે.
કર્મ કોઈ આપણા ભુતકાળનાં કૃત્યોની સજા નથી; કર્મ એ તો આપણા ચારીત્ર્યનાં ઘડતર માટેની મહત્ત્વની ચાવી છે.
આજના ન્યુરોલોજીસ્ટના ખુબ જ પ્રીય એવા ભગવાન બુદ્ધ શું કહે છે અને શું શીખવે છે ? બુદ્ધ તમારા કર્મ પાછળના જે તે સમયના હેતુ ને જોવાનું કહે છે. કર્મનો સંસ્કૃતમાં સીધો સાદો અર્થ થાય ‘કૃત્ય’ કે ‘આચરણ’ કે ‘એક્શન.’ પણ બુદ્ધ શું કહેવાના ? બુદ્ધ કહેવાના ‘હેતુ.’
આપણે કોઈ પ્રતીજ્ઞા લેવી હોય તો મન, વચન અને કર્મ એમ ત્રણ શબ્દો વાપરીએ છીએ. આમાં શરીર, વચન મતલબ ભાષા અને મન મતલબ વીચારો કે બુદ્ધી ત્રણે સંલગ્ન થઈ જાય. કૃત્ય પાછળ શારીરીક ક્રીયા, ભાષા અને વીચારો તો હોય છે ! આમાં બુદ્ધના કહેવા પ્રમાણે એક્શન મતલબ આચરણ કે કૃત્ય પાછળ બે વસ્તુ હોય છે એક તો ઉઘાડી વર્તણુક (bare behaviour) અને તે વર્તણુક પાછળનો હેતુ. આમ સીધી વર્તણુક નહીં; પણ તે વર્તણુક કે આચરણ પાછળનો હેતુ બુદ્ધના હીસાબે કર્મ છે અને તે કર્મ તમારા ચારીત્ર્યના ઘડતરની કુંચી છે.
દાખલા તરીકે શારીરીક કૃત્ય તરીકે એક ડૉક્ટર સર્જન અને એક ચોર બંને હાથમાં છરી લેતા હોય છે. આ હાથમાં છરી લેવી bare behavior છે; પણ સર્જન છરી ફેરવે છે કોઈને બચાવવા અને ચોર છરી ફેરવે છે કોઈને લુંટી લેવા. બંનેના આશય જુદા છે. હવે તમે કોઈને બુમ પાડો કે, ‘ઉભો રહેજે.’ અહીં ભાષાકીય વહેવાર થયો તે bare behavior છે; પણ તેની પાછળના હેતુ જુદા હોઈ શકે. કે ‘ભાઈ, ઉભો રહેજે આગળ વધીશ નહીં. આગળ ખાડો છે તું પડી જઈશ’ અથવા ‘ભાઈ, ઉભો રહેજે. તારા ખીસામાં જે હોય તે મને આપી દે, મને લુંટ ચલાવવા દે.’ આવું જ વીચારોનું પણ છે. હું વીચારું કે ભીખારીને ભીખ આપવી ના જોઈએ તે બેર બીહેવ્યર છે; પણ આ વીચાર કે ભીખારીને ભીખ આપવી ના જોઈએ તે પાછળ બે જાતના હેતુ હોઈ શકે. એક હેતુ એવો હોય કે ‘ભીખારીને ભીખ આપવી ના જોઈએ. તેને કોઈ કામ કરતા શીખવવું જોઈએ; જેથી ભવીષ્યમાં ભીખ માંગવાની ટેવ છુટે, કામ કરે ને સુખી થાય.’ આમ આ વીચાર પાછળ દયા કે કરુણા રહેલી છે. હવે ભીખારીને ભીખ ના આપવી તેની પાછળ બીજો ઈરાદો એવો પણ હોય કે, ‘છો સાલો ભુખે મરતો.’ અહીં ક્રોધ તો છે; સાથે ક્રુરતા પણ આવી ગઈ.
બુદ્ધના હીસાબે કર્મ પાછળ છ જાતનાં પ્રેરકબળ હોય છે. સદ્વર્તન અથવા સદ્ભાવ, દયા અથવા કરુણા, ઉદારતા, દુર્ભાવ અથવા ક્રોધ, ક્રુરતા અને લોભ અથવા તૃષ્ણા. કર્મ પાછળ રહેલા પહેલા ત્રણ હેતુ પોતાને અને બીજાને પણ નુકસાનકારક હોતા નથી અને પરીણામે દુઃખ દેતા નથી. જ્યારે બીજા ત્રણ બધાને નુકસાનકારક હોવાથી દુઃખદાયી હોય છે. આમ એક ડૉક્ટર સર્જન સદ્ ભાવના સાથે હાથમાં છરી લેતો હોય છે તેમાં દર્દીને બચાવવાનો હેતુ હોય છે તેની પાછળ કરુણા અને ઉદારતા પણ સમાયેલી છે. જ્યારે એક ચોર હાથમાં ક્રોધ અને દુર્ભાવ સાથે છરી લેતો હોય છે તેની પાછળ કોઈને લુંટી લેવાનો હેતુ હોય છે તેમાં ક્રુરતા અને લોભ પણ સમાયેલો હોય છે. આમ તમે બુમ પાડીને કોઈને ઉભો રાખો તેમાં આવું જ વીશ્લેષણ કરી શકો છો. તેવી જ રીતે તમે કોઈને ભીખ ના આપવી જોઈએ તે વીચાર પાછળ સદ્ ભાવ, દયા, ઉદારતા, ક્રોધ, ક્રુરતા અને લોભ પણ છુપાયેલા હોઈ શકે છે.
હવે તમે સમજી શકો છો કે ધર્મોની નીન્દા પાછળ કે સામાજીક અને ધાર્મીક પાખંડોની નીન્દા પાછળ અને એવા લેખો લખવા પાછળ મારો શો હેતુ હોય છે ?
હવે જો તમારા કર્મ પાછળ કોઈને નુકસાન ના કરે તેવા હેતુઓ જેવા કે ઉદારતા, સદ્ ભાવ અને કરુણા વરસતા હોય તો આ કર્મો તમારા પ્રેમાળ, સમજદાર, કાળજી રાખનાર તરીકેના વીકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સરસ ઉમદા વર્તણુકનું બીજ વવાઈ જાય જે ભવીષ્યમાં વૃક્ષ બનીને મહોરી ઉઠે. સારાં કર્મો એક આદત બની જતી હોય છે. વારંવાર તમે આવાં કર્મો કરવા પ્રેરાતા હોવ છો. તમારું વલણ જ લાંબે ગાળે બદલાઈ જતું હોય છે. આપણાં કર્મો પાછળનો હેતુ જો બધાને નુકશાનકારક એવા ક્રોધ, ક્રુરતા અને લોભ જ હોય અને વારંવાર તેવું કરવા પ્રેરાતા હોઈએ તો આપણું આચરણ કાયમ માટે એવું બનતા વાર લાગે નહીં.
આપણી ક્રીયાઓ અને પ્રતીક્રીયાઓ સદ્ ભાવ, કરુણા અને ઉદાત્તતા ભરેલી હોય તો તે આપણને દયાળુ, કરુણામય અને ઉદાર વ્યક્તીમાં પરીવર્તીત કરી નાખશે. આવી જ રીતે આપણે ક્રોધી, ક્રુર અને લોભીયા પણ બની શકીએ. અહીં માઈન્ડફુલનેસ–ધ્યાન ખુબ મદદરુપ થઈ શકે છે. આપણી ક્રીયાપ્રતીક્રીયા મેમલ બ્રેન ઓટોમેટીક આદતવશ આપતું હોય છે. ત્યાં ધ્યાનને લીધે આપણે આપણી પ્રતીક્રીયાઓ પ્રત્યે વધુને વધુ જાગરુક બની શકીએ છીએ. અને વધુ ને વધુ પોઝીટીવ બનતા જઈ શકીએ છીએ. આપણે આદતવશ આચરણ કરવાને બદલે આપણાં કર્મો પાછળ રહેલા હેતુને ઓળખી શકીએ છીએ તો આદતને બદલી પણ શકીએ. મુળ સવાલ છે આપણું વલણ બદલવાનો.
હવે ઈવોલ્યુશનરી સાયકોલોજીને ધ્યાનમાં લઈએ તો માનવી સમુહમાં રહી ઉત્ક્રાંતી પામેલો છે તે હકીકત છે. આપણા પોતાના ભલા સાથે સમુહનું ભલું પણ ઈચ્છવું પડતું હોય છે. કારણ સમુહ કહો કે સમાજ કહો સમાજના ફાયદામાં જ આપણો ફાયદો છે. હવે કોઈને નુકસાન થાય નહીં તેવો હેતુ કાયમ રાખીએ અને કર્મ કરીએ તો સમુહના સભ્યોને કોઈ વાંધો હોય ખરો ? સમુહના ભલા માટે સમુહની ગાડી બરોબર ચાલે તે માટે સમુહે થોડા નીયમ જે તે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી બનાવ્યા હોય છે, કોઈને નુકસાન થાય તેવા હેતુ લઈને કર્મ કરીએ તો પેલો નારાજ તો થવાનો જ છે. અને એવા કર્મને લીધે સમુહ વડે અપાતી સજા પણ ભોગવવી પડે તો બધા દુ:ખી થવાના. નુકસાન આપનાર અને પામનાર બધા દુ:ખી થવાના. લાંબા ગાળે આપણો પોતાનો સમુહ આખો આપણાથી નારાજ રહે તો કોને ફાયદો ? સામાજીક અસ્વીકાર તો મેમલ બ્રેન માટે બહુ મોટી દુઃખદાયક સજા છે. પરંતુ સમાજ પણ ઘણીવાર સમયના તકાજાને ઓળખતો હોતો નથી અને જડસુ બની પરમ્પરાગત નીયમો જકડી રાખતો હોય ત્યારે સમાજના ભવીષ્યના ફાયદા માટે નીયમો તોડવા પડતા હોય છે. ત્યારે ગાંધી અને દયાનન્દ જેવા સજા પામી જીવ ગુમાવતા હોય છે; પણ તેમના આ કર્મ પાછળ ડૉક્ટર સર્જનની છરી હોય છે; ચોરનું ચાકુ નહીં.
હવે હું બીમાર પડું છું; કારણ હું આ શરીરમાં છું અથવા આ શરીર છું અને તેના અલગ નીયમો છે. શરીર બીમાર પડે છે તેનાં અનેક કારણો હોય છે. શરીર ઈજા પણ પામતું હોય છે અને ઘરડું પણ થતું હોય છે. હમણા હીમાચલ પ્રદેશમાં 26 છોકરાઓ સાથે ડુબી ગયા તો આ 26 છોકરાઓ સામટા કોઈનું મર્ડર કરવા ગયા હશે ? એમની ભુલ કે એમના શીક્ષકોની ભુલ કે અજાણી નદીમાં આમ તરવા ના પડાય તેવું કોઈએ શીખવ્યું નહીં. પ્રકૃતી પોતે ન તો ક્રુર છે; કે ન તો દયાળુ. એના નીયમ તોડો તો તે કોઈનીય દયા રાખે નહીં. પરમાત્માને પરમ કૃપાળુ કહેનારાઓને મોઢે આ જબરદસ્ત તમાચો છે કે 26 યુવકો એકસાથે તણાઈ ગયા. એટલે હું કહું છું જો તમે પરમાત્માને માનો તો એને ખરાં અર્થમાં માનો કે તે ના ક્રુર છે; ના દયાળુ.
આજે તમે બીમાર પડો છો તે કોઈ તમારા કરમની સજા નથી; શરીરનો ધરમ જ છે. બુદ્ધના હીસાબે સારાં કર્મ જીવનઘડતર, ચારીત્ર્યઘડતરની ચાવી છે. સારાં કરમ આપણને હકારાત્મક લાગણીઓ સાથે જીવવાનું શીખવે છે. જેથી આપણે હંમેશાં આનંદીત રહી શકીએ. કારણ ખરાબ કરમ તમને અને આખા સમાજને હાનીકારક છે અને તે બ્રેનમાં સ્ટ્રેસ કેમીકલ્સ છોડતા હોવાથી તમને કાયમી હાની કરી શકે છે.
–ભુપેન્દ્રસીંહ રાઓલ
ગુજરાતી વેબસાઈટ ‘કુરુક્ષેત્ર’ના 11 જુન, 2014ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ, શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલના ના અને http://raolji.com ના સૌજન્યથી સાભાર…
લેખક/બ્લોગર સમ્પર્ક: શ્રી. ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ–(અમેરીકા) સેલફોન: +1 732 406 6937 ઈ.મેઈલ: brsinh@live.com
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.
જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 14/11/2014
It is a very practical article with full of truths and simple analysis which can help all people. Buddha is more practical than any body. If people had followed and understood Buddha then, India would have been different today.
I have listened Buddha’s lectures. It did help me a lot.
Thanks for a such a nice article.
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
મિત્રો,
જડસુઓનો એક જમાનો હતો. સાઘુ, સંતો (?) જે કહે તે સનાતન સત્ય. અને મીરાં બાઇ કહી ગઇ કે, ‘કરમકી ગતી ન્યારી રે સંતો, કરમકી ગતી ન્યારી….મુરખકો તુમ રાજ દિયત હો, પંડિત ફીરત ભીખારી.‘….૨૦મીના અંત ભાગમાં અને ૨૧મી સદીની શરુઆતથી વિજ્ઞાને શરીરશાસ્ત્રનો રીતસર અભ્યાસ કર્યો…સમજ્યુ…અને જે કોઇ તારણ નિકળ્યા તેને પુરવાર કર્યા. કર્મ , કરમ , ક્રુત્યના એનાલીસીસ કર્યા. દરેક ક્રુત્ય કરવા પાછળ કારણભૂત કેમીકલનો અભ્યાસ કર્યો..તેની સાબિતિઓ મેળવી….દરેક ખોટુ કામ કરવાવાળો પહેલેથી જાણતો જ હોય છે કે સત્ય શું છે. અને તોજ તે સત્યની સામે પોતાનો ઉદ્દેશ પાર પાડવાના પ્લાન ઘડી શકે છે. સકામ પ્લાન…દા.ત. પોલીટીક્સ રમવું. બુદ્ઘ તેમના જમાનાના આગવા વિચારક હતાં. રસ્તાની વચ્ચે ચાલનારને ૧૦૦ ટકા ખબર હોય છે કે તે ૧૦૦ ટકા એક્સીડન્ટનો શીકાર બની શકે છે. પરિણામની તેને પહેલેથી ખબર હોય છે અને તે માટે જ તે પોતાનો સેઇફ રસ્તે ચાલવાનો પ્લાન ઘડે છે. આપઘાત કરવાના નિર્ણયવાળો તેની ચાલ…કરમ…કર્મ..તે રીતે ઘડે છે. આ પ્રક્રિયા કેમ અને કેવી રીતે થઇ તેનો ફાઇનલ કરમ કરવાવાળાને સમજમાં નથી આવતી. તે તો કહેશે કે પુર્વ જનમના કરમો સારા કે ભગવાને આ બુદ્ઘી આપી. સમજ પૂર્વક વૈજ્ઞાનિક રીતે જો વિચારશે તો પરિણામ જુદુ જ આવે. સાઘુઓ, કથાકારો પણ જાણતા હોય છે કે મુરખોના , ઘેંટાઓના આ કાફલાંને ઉલ્લુ બનાવીને કમાણી કરીને કરોડાઘિપતિ બનવું હોય તો કરમનો સિઘ્ઘાંત તેમના ભેજામાં ઘૂસાડવો જોઇએ. કરમનો સિઘ્ઘાંત પાળનાર પોતાની જાતને હોમી દઇને ગરીબી તરફ પ્રયાણ કરે અને ઉલ્લુ બનાનાર સાઘુ, કથાકાર પૈસાદાર બનવાની પ્રોસેસમા આગળ વઘે. અહિં પણ ગણત્રીપૂર્વક ચાલ ચાલનાર તેમની ચાલના પરિણામો ભોગવે છે. બાપુને હાર્દિક અભિનંદન અને ગોવન્દભાઇનો હાર્દિક આભાર કે આવો અલખ આર્ટીકલ વિચાર વિનિમય માટે આપ્યો. આ પણ એક સમજીને આચરેલું કર્મ, ક્રુત્ય છે જેમાં બન્ને લેખક અને પ્રકાશક સમાજના ભલા માટેના આશયથી કરમ આચરે છે. ૨૧મી સદીના આપણે આવાં લેખો વાંચીને ચર્ચા કરીયે છીઅએ તે પણ………સમજીને પરદુ:ખે ઉપકાર કરનારાઓ છે….મુખમેં રામ ઔર બગલમેં છુરી પણ સમજી વિચારીને કરાતું કર્મ છે…..ઉત્તર ભારતની ઉક્તિ : ભગત જગતકો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત, જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત……Osho said, ” The real question is not whether life exists after death…..The real question is weather you are alive before death.”
Amrut Hazari.
LikeLiked by 1 person
Spelling Correction….The real question is whether you are alive before death.
LikeLike
ભગવાન દયાળુ પણ નથી. અને ક્રુર પણ નથી. વાળી ફિલોસોફી ગમી. આખો લેખ સરસ છે. વિચારો તો ઘણાં આવે છે. પણ એને માટે મારે હઝારી સાહેબની જેમ જુદો લેખ લખવો પડે. થન્યવાદ.
LikeLiked by 2 people
Is this a re-post? I have read this article before from Bhunedrasingh.
It is all in mind…… Your body is engine of your life…. however way you treat it, response will be according to it. So any health related deficiancy is due to maintaing your engine and so much depend on your so called ‘KARNMA’
Just compare car. When car breakdown, where is ‘Karma’ or how ‘karma’ has to do anything with this? As Amurtkaka mention, yes one do know outcome of their activities before they indulge in it.
LikeLike
saras lekh bapu ane govind maru aagal aa lekh raolji .com par vanchyo chhe karmana siddhant ni thiyari jova jaiye to ekdam bakvas chhe ASARAM no dakhalo laiye to samajavu saral padse jo asarame gaya janam ma sara karmo karya hoi toj aavo sant no avtar male ane jo gaya janam ma jo pap karya hoi to saja rupe jel male ( je hal ma bhigvi rahyo chhe ) ane jo gaya janam na satkarmo na fal rupe tene jo sant no avtar malyo hoi to aa janam ma tene sara putra putri patni malya hoi pan ahi paristhi ekdam ulti chhe tena kutumb ma ek pan vyakti sari kahevane layak nathi khare khar aapna hindu dharma ma karma na siddhant ane avtar vaad e banne dushan chhe jena thaki narayan ane asaram banne potane krushna tarike olkhavta hata ane lila karta rahya je karma na siddhant ane avtar vaad ni thiyari ahi khoti pade chhe bijo dakhalo levo hoi to daud ibrahim no lai sakai .
LikeLiked by 1 person
The author is very right : The theory of Karma was meant to inspire people to be good and to do good. It is not meant to punish us or to explain events.
Nobody has a complete explanation of even simple events in life (like disease) because every event has a myriad possible hidden causes which none can exactly find out. So we have formed a habit of saying “God knows” or ” Jeva jenaa Karam.” Religions have exploited this kind of very natural sentiment to preach Rebirth, God, Heaven, Hell, etc. when modern science had not arisen.
The right way for us is to depend on proven objective truths of Science; not on speculative subjective Mysticism. Science knows what it knows and humbly accepts what it does not know. Mystics guess things and claim to know everything. They pretend to look humble at times, just to impress the common man —-he cannot see through their flowery language to find out their motives and imaginations.
What cannot be explained must be left to be discovered with an humble admission of our natural inborn ignorance.
LikeLiked by 1 person
જમાનાઓથી ચાલી આવતી આવી નકામી વાતો મગજમાં ભૂસાની જેમ ભરવાથી બધાની અક્કલ બહેર મારી જાય. પરિણામે બહુધા લોકો કરમનાં ફળ ભોગવીને જ રહેતાં હોય ! ખેર, જ્યારથી સમજ આવે ત્યારથી સહી. નિશ્ચિંત જીવો.
LikeLiked by 2 people
સરસ લેખ રાઓલસર, કર્મ ને ભગવાન બુદ્ધ ના દ્રષ્ટી એ જોવાનો નવો દ્રષ્ટિકોણ મળ્યો !
કર્મના સિધાંત માં ઘણી વાતો એવી છે કે જેને સમજી કે સમજાવી શકાતી નથી. માનીલો કે મેં એક ખૂન કર્યુ, કોઈ કારણ સર મને આ જન્મ માં એની સજા ના મળી, મારું કર્મ સંચિત થયું. પાંચ જન્મ ને અંતે મારું કર્મ પરિપકવ થઇ ને પ્રારબ્ધ બન્યું ને મને એ જન્મ માં દુઃખી દુઃખી કરી નાખવા માં આવ્યો. હવે પ્રશ્ન 1 પાપ કર્યું કોને ? આત્માએ કે શરીરે ? લોકો બંનેને જુદા જુદા માને છે. માનીલો કે દુષ્ટ બુદ્ધિ પ્રેરિત શરીરે કર્યું. તો આ જન્મ માં શરીર, મગજ ને બુદ્ધિ નાશ પામ્યા છે. નવા શરીર ને દુઃખી કરવામાં આવે તો અન્યાય છે. જો પાપ આત્મા એ કર્યું હોય ને શરીર ને દુઃખી કરો તો પણ અન્યાય જ છે. જો શરીર નો ઉપયોગ કરી ને આત્મા ને દુઃખી કરવાની વાત કરો તો પણ મુર્ખતા છે. કારણ કે ગીતાજી માં કહે છે કે આત્મા સુખ – દુઃખ થી પર છે. હવે જે તત્વ સુખ – દુઃખ થી પર હોય તેને દુઃખી કરવાનો વિચાર પણ કેમ કરી સકાય? કમસે કમ મને નહિ તો દુઃખી કરવા વાળા ને તો ખબર હોવી જ જોઈએ! અષ્ટવક્રા ગીતા મુજબ આત્મા કેવળ દ્રષ્ટા છે, કોઈ કામ કરતો નથી. હવે જેને કામ કર્યું નથી ને કેવળ દ્રષ્ટા છે તેને દુઃખી કરવાનો વિચાર પણ કેવીરીતે કરી સકાય? મજાની વાત તો એ છે કે મને દુઃખી કરી નાખવામાં આવે છે પરંતુ કહેવામાં નથી આવતું કે મારા ક્યાં પાપ ની સજા છે! હવે મને ખબર જ ના હોય કે મારા ક્યાં પાપ ની આ સજા છે તો હું કે મને દુઃખી થતો જોનારા બંને સુધરતા જ નથી ! જો સુધરે નહિ તો સજા આપવા નો ફાયદો શું ? સુખ ને દુઃખ ભોગવવા માટે મનુષ્યેતર યોનીઓ છે તો પછી ફક્ત સુખ ભોગવવા માટે સ્વર્ગ કે ફક્ત દુઃખ ભોગવવા માટે નર્ક ની શી જરૂર ? આ ભોગ યોની અને સ્વર્ગ નર્ક માં સુખ દુઃખ ભોગવી લીધા હોય અને ભોગ યોની માં કરેલા કર્મ સંચિત ના થતા હોય તો લોકો ને મનુષ્ય અવતાર માં શા માટે સુખી કે દુઃખી કરવા માં આવે છે ? જવા દો આવી વાતો નો કોઈ અર્થ નથી….
10-15 હજાર વર્ષ પહેલા લોકોને સજીવ શરીર અને નિર્જીવ સરીર વચ્ચે તફાવત ની ખબર નહોતી પડતી ત્યારે તે સમય માં જે જ્ઞાન -વિજ્ઞાન વિકસ્યું હતું તે પરથી આત્મા ની થીયરી આસ્તિત્વ માં આવી. આજના જેનેટિક એજીન્યરીગ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ના યુગ માં આત્મા નું આસ્તિત્વ સ્વીકારી શકાતું નથી. આત્મા ના હોય તો પાપ-પુણ્ય , સ્વર્ગ-નર્ક, પૂર્વજન્મ-પુન:જન્મ, સદગતિ -દુર્ગતિ, મોક્ષ વગરે નક્કામી વાતો છે.
શરીર બીમાર પડે તે માટે DNA, શરીર ની રચના, ખોરાક, વાતાવરણ, વ્યાસન વગરે જેવા ઘણા કારણો હોય શકે છે. લોટરી લાગવી, સંતાન નું મૃત્યુ થવું એ માત્ર એક અકસ્માત છે જે પૂર્વનિર્ધારિત કે પૂર્વયોજિત નથી. જેમાં મનુષ્ય માત્ર સમય ને સંજોગો નો શિકાર બને છે. તે કોઈ પણ જાતના પૂર્વ કર્મ નું ફળ નથી.
આતો કૈક પણ થાય એટલે… તે પહેલા કૈક કર્યું હશે !!! ….હા કર્યું હશે ભાઈ મને કશું યાદ નથી થાય તે કરી લો બીજું શું !!!
LikeLiked by 2 people
બહુ સરસ ધન્યવાદ .. પોઈન્ટ બધા નોધવા જેવા છે.
LikeLiked by 1 person
આજથી ૨૫ વરસો પહેલાં ‘કર્મનો સિઘ્ઘાંત‘ નામનું પુસ્તક.. લેખક.. હિરાભાઇ ઠક્કર વાંચ્યુ હતું. પચાવી શક્યો ન્હોતો. કદાચ ગોસ્વમિજીએ જે કોમેંટ લખી છે તેવું જ કાંઇક હતું. આપણાં ઘર્મમાં આરતી હોય છે…જેમાં…….મન વાંછીત ફળ આપે..એવી છેલ્લી કડી આવે છે….શું રોજે પૂજા પાઠ કરનારાઓને કોઇ રોગ થતો જ નથી ? તેમને મન વાંછીત ફળ નથી મળતું ?
LikeLiked by 1 person
સુરતના રેશનાલિસ્ટ રમણસર પાઠક એક વાત વારંવાર લખતા કે કુદરત જેટલી અણઘડતા બીજે કશે નથી. કુદરતમાં કશું પૂર્વનિયોજિત કે પૂર્વનિર્ધારિત કશું હોતુ નથી. એટલે કર્મ કે કર્મના ફળ વગેરે વાતમાં માનવું એટલે કુદરતની અણઘડતામાં સાથ આપવો. અને ખુદના કર્મ પર જ કુહાડો મારવો. બેસ્ટ ધર્મ માનવધર્મ. જીવો અને જીવવા દો..રાઓલસર આપના વિચાર ગમ્યા.
LikeLike
Very good article. Thank you Raolji and Govindbhai. I think, you are the pillars of this society (especially Gujarati society) who is more inclined to karma and ahem (or fear of GOD punishment). The best thing is “Do good andbe good to others). If God has given you health, wealth, and happiness, share it with others who need it and deserve it. Thanks once again Raolji.
LikeLike
પ્રકૃતિ ના તો કૃર છે, ના તો દયાળુ, વાતંમાં ઘણું કહી દીધુ, આખો લેખ ગમ્યો.
LikeLike
સરસ લેખ લેખકને ધન્યવાદ
LikeLike
Jindig pratya – 1 Navo J abigam apnavva / kelvva layak. Utkrusht lekh.
LikeLike
आ कर्मनी चर्चामां हीन्दु, बौद्ध, जैन एम बधाना कर्म अलग अलग होय छे. कोईकना कर्म शरीरना माप प्रमाणे एटले के कीडीना नाना अने हाथीना मोटा, कोईकना वीचार आधारीत आम कर्म बाबत बधा हीन्दु एटलेके हीन्दु, बौद्ध जैनोसाथे मळे ए जरुरी छे. वेद, उपनीसद, पुराण, रामायण, महाभारतमां पण अलग अलग मान्यता छे. सवर्ण अने अवर्ण के दलीतना कर्ममां फरक होय छे. एटले के एक ज कर्म १००-३०० अलग अलग प्रकारनो जाती प्रमाणे थई जाय. ब्रमचर्यने महत्व आपे अने साधु के गुरु पोते ज लंपट होय एना पण अलग अलग कर्म होय….
LikeLiked by 1 person
आ कर्म अने आत्माने सीधो सबंध. कोई पण प्राणीनो आत्मा क्यां पण जन्म ले. हवे कुतरानो आत्मा मानव शरीर बने त्यारे आखो दीवस कुतरानी जेम सुंघवानुं चालु राखे ए एटले सुधीके जीभ के नाकनो वीमो पण कढावे….
LikeLiked by 1 person
प्रिय गोविन्द भाई આપના લખાણો ઉત્તમ પ્રકારના હોય છે એટલે મને ગમે છે .
LikeLike
વહાલા વડીલ,
આપને લખાણો ગમે છે તેનો આનન્દ..
માનનીય લેખકોના લેખ પસંદ કરી ને અત્રે આપ સૌ વાચકમીત્રોને રેશનલ વીચારો વહેંચવાની વીનમ્ર સેવા બજાવું છું.
ધન્યવાદ.
LikeLike
કર્મનું ‘ઓસડ’ જે લોકો આંધળી આસ્થામાં જીવતા હોય છે તેમને બહુ નડે,જ્યોતિષ જોવડાવે,
દાનપુન્ય કરવા માંડે,દોર ધાગા કરવામાં લાગી પડે,ભુવા પાસે દોડી જાય અને જયારે કોઈજ
કારી નાં ફાવે ત્યારે હારી જઈને ‘કરમ નું લખેલુ કોઈ ના ફેરવી શકે’ આ માનસિકતા કોઈ નવી નથી હિન્દુસ્તાનની પ્રજાને આ વારસાગત મળેલી ‘કરમ કુંડળી’ ની કથા છે!
ચિંતાની અને દિલગીરીની વાત તો એ છે કે શિક્ષિત અને પોતાને સુધરેલા ગણાતા લોકો પણ આ ‘કરમ કુંડળી’માં આવી ગયા છે.રાજ્કારણીયો,ઉદ્યોગપતિઓ,પોતાના હાથે થતા કોઈ મોટા ‘પ્રોજેક્ટ’ના આરંભ માટે ‘મુરતફુરત’ જોવડાવીને કામ કરે આવી મનોદશા રાખતા લોકો પ્રજાનું શું દળદાર ફીટાવાના હતા ! આવા સમાજમાં ‘Morality’નો અભાવ જ્યાંત્યા નજરે પડે છે, પ્રમાણિક સમાજ માટે આ ગુણ હોવો જોઈએ,અને જ્યાં છે ત્યાં કઈ સ્વર્ગ નથી પણ ત્યાં લોકોના નીતીનીયામોના ધોરણો પ્રમાણમાં ઇચ્છનીય છે,.
કર્મની કુંડળીનું કુંડાળું હિન્દુધર્મમાં આપણે કોઈ હજુ સમજ્યા નથી તેમ માનવું પડે અને ખૂબીની વાત અને સવાલ થાય તો એ છે કે હિંદુ સમાજને જ કેમ નડે છે?
આ ‘બ્લોગ’માં ઘણા બુદ્ધિશાળી,શિક્ષિત લોકો પોતાના વિચારો પ્રકટ કરતા હોય છે અને
કોઈકોઈ વાર બે લીટીઓમાં પોતાનો મત અને વિચાર આપી દે છે તો કોઈ વળી પોતાની
વાંચન શક્તિના અને વિચાર શક્તિ નો બહોળો નીચોડ રજુ કરે છે.
વિચારોની આપલે થવાથી ઘણું જાણવાનું શીખવાનું મળે છે.
જે કોઈને કર્મની કુંડળીમાં આસ્થા હોય તેને તમે કઈ પણ કહેશો તો તે પોતાના અનુભવની વાતો કહેશે અને તમને તેના શીશામાં ઉતારવાનો પ્રયાસ પણ કરશે.
લોકોએ સમજીને વાસ્તવિક રીતે પોતાના સંજોગો મુજબ જીવવાનો પ્રયત્ન કરવો રહ્યો
LikeLike
મનેતો ઇસુખ્રીસ્તથી પણ આશરે 600 વરસ પહેલા ભારતમાં થઇ ગએલા બૃહસ્પતિની વાતો બહુ ગમી .તેઓએ સ્વર્ગ , નર્ક , પુનર્જન્મ ,પાપ ,પુણ્ય ,જીવ આત્મા ,મોક્ષ બધાનો છેદ ઉડાડી નાખ્યો . પણ આમ કરવા જતાં પોતાનો અને પોતાની બુકનો છેદ ઉડી ગયો .
એટલે એના પછી ગોતમ બુદ્ધ અને જૈનાચાર્યો એ સ્વર્ગ , નર્ક . પાપ પુણ્ય ,પુનર્જન્મ , જીવ ,આત્મા , મોક્ષ .વગેરેની માન્યતા આપી .
LikeLike