કેટલાક ચીંતકો–જેમણે દુનીયા બદલી નાંખી

–યાસીન દલાલ

સ્ટીફન હોકીન્સ આધુનીક યુગના એક મહાન વૈજ્ઞાનીક છે. હમણાં એમણે એવી આગાહી કરી કે માણસજાત જો રૉબો(ટ) બનાવવામાં આગળ વધતો રહેશે તો માણસ જ માણસનો નાશ કરશે. એમણે અવકાશયાત્રાનો પણ વીરોધ કરેલો. એમણે આપેલી બ્લેક હોલની થીયરી જાણીતી છે. યુરોપમાં એક મોટો વૈજ્ઞાનીક પ્રયોગ થયો ત્યારે પૃથ્વીના ઉદ્ભવની એક નવી જ થીયરી બહાર આવી. બેઠા રહે છે અને ચીન્તન કરતા રહે છે.

છેલ્લી દોઢ–બે સદીમાં દુનીયામાં ચારથી પાંચ એવા વીચારકો થઈ ગયા. જેમણે દુનીયાનો નકશો બદલી નાંખ્યો. આ વીચારકોમાં કાર્લ માર્ક્સનું નામ પહેલું આવે. એણે 40 વરસ હાઈડલ બર્ગની યુનીવર્સીટીના પુસ્તકાલયમાં બેઠા રહીને દુનીયાભરનાં થોથાં વીંખી નાખ્યાં. એને સમજાતું નહોતું કે લાખો વરસ પછી પણ દુનીયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે ? દુનીયામાં આટલી લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે ? એણે બધા ધર્મગ્રંથો વાચી નાખ્યાં અને એવો નીષ્કર્ષ કાઢ્યો કે ‘ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે. રીલીજીયન ઈઝ ધી ઓપીયમ ઓફ ધી પીપલ.’ એણે ‘દાસ કૅપીટલ’ નામનું પુસ્તક લખ્યું જે દુનીયાભરની લાઈબ્રેરીઓમાં પહોંચી ગયું. એણે લખ્યું કે ‘ધર્મો એ માનવના શોષણનું મોટામાં મોટું સાધન છે. ધર્મોએ જ પાપ–પુણ્યની વીચારધારા ઉપજાવી કાઢી. ધર્મે જ જન્મ અને પુનર્જન્મની તદ્દન અતાર્કીક વીચારધારા ઉપજાવી કાઢી.’ માણસનો સાચો દુશ્મન એની મુડી છે. મુડીનું યોગ્ય વીતરણ થાય તો શોષણનો પ્રશ્ન જ ન રહે. આમાંથી જ સામ્યવાદનો ઉદય થયો. ખુબી એ થઈ કે સામ્યવાદનો ઉદ્ભવ જર્મનીમાં થયો અને માર્ક્સની વીચારધારાનો અમલ લેનીને રશીયામાં કર્યો. રશીયા પછી ચીન પણ સામ્યવાદના માર્ગે થયું. પુર્વ યુરોપના બલ્ગેરીયા, ચેકોસ્લેવીકીયા, પોલેન્ડ અને હંગેરી જેવા દેશો પણ સામ્યવાદના રંગે રંગાયા.

એ પછી યુરોપમાં ફ્રોઈડની વીચારધારા આવી. ત્યાં સુધી યુરોપની ખ્રીસ્તી વસ્તીમાં સેક્સ એટલે કે જાતીયતા તરફ ભારે સુગ પ્રવર્તતી હતી. લોકો સેક્સની ચર્ચા કરતાં પણ અચકાતા હતા. ખ્રીસ્તી સાધ્વીઓને પરણવાની મનાઈ હતી. ફ્રોઈડે પહેલી વાર કહ્યું કે ‘જાતીયતા મનુષ્યની સ્વાભાવીક વૃત્તી છે. જેમ માણસને પીવા માટે પાણી જોઈએ, ભુખ છીપાવવા માટે ખોરાક જોઈએ તેમ જ શારીરીક સુખ માટે સેક્સ જોઈએ. જો સેક્સ જ ન હોત તો મનુષ્યની ઉત્પત્તી ન થઈ હોત.’ પ્રારંભમાં ફ્રોઈડની આ વીચારધારા સામે ભારે વીરોધ થયો. પણ પછી ધીમે ધીમે દુનીયાએ આ વીચારધારા સ્વીકારી લીધી. ફ્રોઈડે બીજું મહત્ત્વનું કામ સ્વપ્નોના અર્થઘટનનું કર્યું. કયા પ્રકારનું સ્વપ્ન આવે અને શા કારણે આવે એની તલસ્પર્શી સમીક્ષા એણે કરી. આજે દુનીયાભરની યુનીવર્સીટીઓમાં, ‘મનોવીજ્ઞાન ભવનો’માં ફ્રોઈડની વીચારધારા ભણાવાય છે.

આવા જ ત્રીજા મહાન વીચારક આદમ સ્મીથ નામના અર્થશાસ્ત્રી હતા, એમણે દુનીયાને મુક્ત વેપાર અને ફ્રી માર્કેટ ઈકોનોમીક નામની સ્વતંત્રતાની વીચારધારા આપી. એનો આશ્રય લઈને આદમ સ્મીથે પુછ્યું કે, ‘જો વાણીસ્વાતંત્ર્ય હોય તો વેપારમાં અંકુશ શા માટે ?’ એણે સાબીત કર્યું કે અંકુશ હટાવી લેવાય તો વેપારધંધા વીકસે. અમેરીકાએ અને યુરોપના ઘણા દેશોએ આ વીચારધારા અપનાવી. જોકે બ્રીટને મીશ્ર અર્થતંત્ર એટલે કે સમાજવાદ અપનાવ્યો.

આવા એક મહાન વૈજ્ઞાનીક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સીદ્ધાન્ત આપીને દુનીયાભરમાં ખળભળાટ મચાવી દીધો. એણે સાબીત કર્યું કે ‘ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ ગુરુત્વાકર્ષણના નીયમને કારણે ફરે છે.’ આજે માણસજાતે સંખ્યાબંધ ઉપગ્રહો બ્રહ્માંડમાં ફરતા મુક્યા છે એને કારણે જ આપણે ઘરે બેઠા ટી.વી. ઉપર સંખ્યાબંધ ચેનલો જોઈ શકીએ છીએ. અમેરીકાએ તાજેતરમાં એક નવો ઉપગ્રહ તરતો મુક્યો છે. જેનો ઉદ્દેશ બ્રહ્માંડમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધવાનો છે. આઈન્સ્ટાઈનની સાપેક્ષતાની વીચારધારાએ પણ જ્ઞાનવીજ્ઞાન વીકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ જ રીતે ચાર્લ્સ ડાર્વીને ઉત્ક્રાંતીવાદનો સીદ્ધાન્ત આપ્યો. એણે શોધ કરી કે ‘મનુષ્યની ઉત્પત્તી વાનરમાંથી થઈ છે. પછી કાળક્રમે વાનરની પુંછડી નાબુદ થઈ અને ધીમે ધીમે આજના મનુષ્યનો ઉદ્ ભવ થયો.’ દુનીયાભરના પ્રચલીત ધર્મો કહે છે કે મનુષ્યની ઉત્પત્તી બેથી પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. પરીણામે ધર્મ અને વીજ્ઞાન વચ્ચે જબરું ઘર્ષણ થયું. કેટલાક વૈજ્ઞાનીકોને જેલમાં પુરવામાં આવ્યા અને કેટલાકને જીવતા સળગાવી દેવાયા. અન્તે આ ઘર્ષણમાંથી સેક્યુલારીઝમના સીદ્ધાન્તનો જન્મ થયો. આ સીદ્ધાન્તનો મર્મ એ છે કે ‘ધર્મ એ માણસની અંગત વસ્તુ છે. કેળવણી, અર્થતંત્ર અને કાયદા સાથે એનું મીશ્રણ ન કરવું જોઈએ.’ ડાર્વીને જુદાં જુદાં પ્રાણીઓની ઓળખ કરી આપી અને સાબીત કર્યું કે ‘સમાનતા અને અસમાનતાને સમજાવવી કઠીન નથી. ઘણા દ્વીપોમાં રહેનારાઓના પુર્વજો એક હતા. જેઓ વીકસીત થતાં થતાં ધીરે ધીરે પરીવર્તન આવવા લાગ્યું. આ પરીવર્તનનું ચક્ર નીરન્તર છે. જીવન માટે જે ઉપયોગી હોય એ રહેશે અને નકામું હશે એ નષ્ટ થશે. પરીણામે અત્યારે છે એના કરતાં પણ ભવીષ્યનો મનુષ્ય જુદો હશે.’

1860માં બ્રીટીશ સામયીકોમાં અનેક લેખો છપાયા. જે ડાર્વીનના સીદ્ધાન્તો ઉપર હુમલો કરતા હતા. પણ હક્સ્લીએ ડાર્વીનને ટેકો આપ્યો. એમણે મજાકમાં પુછ્યું કે ‘તમારા દાદાઓ વાનર હતા ?’ ડાર્વીને જવાબ આપ્યો કે, ‘પસંદગી કરવાની હોય તો હું એક વાનરને દાદા સમજુ; નહીં કે કોઈ ચર્ચના બીશપને.’

બીજી બાજુ કેટલાક ધર્મના અનુયાયીઓ હજી પણ એમ જ કહે છે કે વીશ્વનું સર્જન ઈશ્વરે કર્યું છે અને એ બેથી ચાર હજાર વરસ પહેલાં થયું છે. એની સામે ડાર્વીનની થીયરી સાચી હોય એના અનેક પુરાવા મળી આવ્યા છે. અમેરીકા અને કેનેડામાં ડાયનોસોર બનાવવામાં આવ્યા છે. પણ કેટલાક ધર્મચુસ્તો હજી વીજ્ઞાનનાં તથ્યોને માનવા તૈયાર નથી. આ ધર્મચુસ્તો એમ પણ માને છે કે માણસ ચન્દ્ર ઉપર ગયો જ નથી. અમેરીકી વીજ્ઞાન સંસ્થા નાસાની પ્રયોગશાળામાં આ નાટક ભજવાયું હતું એમ પણ લોકો કહે છે; પણ કેટલાક લોકોની અન્ધશ્રદ્ધાથી વૈજ્ઞાનીક તથ્યો ખોટાં ઠરતાં નથી. અમેરીકામાં એક જુથે ઈન્ટેલીજન્ટ ડીઝાઈન નામની થીયરી વીકસાવી કાઢી છે. ત્યાંની અદાલતે જણાવ્યું કે આ થીયરી વૈજ્ઞાનીક રીતે ખોટી છે. વૈજ્ઞાનીક અભીગમ કહે છે કે તથ્યો કસોટી અને અનુભવની એરણ ઉપર સાચાં સાબીત ન થાય ત્યાં સુધી તે માની શકાય નહીં. જે તત્ત્વો ઈન્દ્રીયાતીત છે તેને વીજ્ઞાન સ્વીકારતું નથી. આને કારણે ધર્મ અને વીજ્ઞાનનાં કાર્યક્ષેત્રોને જુદાં પાડી દીધાં છે.

આવો જ એક વધુ વીચારક માર્સલ મેક્લુહાન નામે થઈ ગયો. એનો જન્મ કેનેડામાં એડમન્ટન ખાતે થયો હતો. 51–52માં એણે ‘ગ્લોબલ વીલેજ’ એટલે કે ‘વૈશ્વીક ગામડા’(વીશ્વગ્રામ)ની કલ્પના કરી. એણે કહ્યું કે ‘એક દીવસ એવો આવશે કે દુનીયા ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનીકેશનની દૃષ્ટીએ એકદમ સાંકડી થઈ જશે.’ રાબેતા મુજબ એ જમાનામાં લોકોએ ગાંડો કહીને એને હસી કાઢ્યો. પણ આજે એને ‘મીડીયા પ્રોફેટ’ કહીને એની પુજા કરવામાં આવે છે. સુપરસોનીક વીમાન મુંબઈથી લંડન ચાર કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રાન્સપોર્ટની ક્રાન્તી કહેવાય. ઈન્ટરનેટની મદદથી દુનીયાની કોઈ પણ માહીતી ઘરે બેઠાં મળી શકે છે. લંડન કે ન્યુયોર્કનો કયો વીસ્તાર ક્યાં આવેલો છે એ બટનની ચાંપ દાબતાં તમને ખબર પડી જાય છે. ફેક્સની મદદથી કોઈ પણ લખાણ કે તસવીર કે ચીત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં દુનીયાના એક ખુણેથી બીજા ખુણે પહોંચી જાય છે. મોબાઈલ ફોનમાં વીડીયો કેમેરા પણ આવી ગયા છે. વીડીયો કેસેટમાંથી સીડી અને ડીવીડી સુધીની યાત્રા આપણે પાર કરી. હવે તો આઈપોડ ઉપર પાંચસોથી છસો જેટલાં ગીતો એકસાથે ઉતરી શકે છે.

સ્ટીવન્સન અને આઈન્સ્ટાઈન પણ દુનીયાને આગળ લઈ જવામાં મદદરુપ થયા. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની થીયરી આપી. તો સ્ટીવન્સને ચાની કીટલીનું ઢાંકણું ઉછળતું હતું તે જોઈને વરાળની શક્તી પારખીને આગગાડીની શોધ કરી. તો રાઈટ બ્રધર્સે ઉડતું પંખી જોઈને વીમાન બનાવ્યું. હજી વીજ્ઞાનની શોધખોળો એટલી ઝડપથી આગળ વધી રહી છે કે આવતીકાલે કઈ શોધ થશે એ કોઈ કહી શકતું નથી. આમ, આ ડાર્વીનની 200મી જન્મજયન્તી નહીં; પણ ધર્મ અને વીજ્ઞાનના ઘર્ષણની જન્મજયન્તી છે. આપણે યુરોપની જેમ અન્ધશ્રદ્ધા અને વહેમોમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી 21મી સદીમાં પ્રવેશી ગયાની વાતો માત્ર ટૅકનીકલ રહેશે. હજી દેશમાં ઠેર ઠેર અન્ધશ્રદ્ધા, વળગાડ અને ભુતપ્રેતમાં લોકો માને છે. આપણે સમજવું જોઈએ કે દુનીયામાં સાચો ધર્મ એ માનવધર્મ છે. વીધી ધર્મ પણ જ્યાં સુધી નીતીમત્તામાં માનતો હોય ત્યાં સુધી વાંધો નથી. પણ વીધી ધર્મ એમ.એમ. રોયની થીયરી મુજબ સામુહીક અહમ્ માં ફેરવાય ત્યારે મુસીબત સર્જાય છે. આપણો એક પગ અણુયુગમાં અને બીજો પગ છાણયુગમાં છે. ડાર્વીનને આપણે માત્ર યાદ કરવાની ઔપચારીકતા ન કરવી હોય તો આપણે વૈજ્ઞાનીક અભીગમ અપનાવીશું તો જ એને સાચી અંજલી આપી ગણાશે. આપણી સરકારે અબજોના ખર્ચે ચન્દ્ર ઉપર યાન મોકલ્યું; પણ આપણે માત્ર વીજ્ઞાન અપનાવીએ અને વૈજ્ઞાનીક અભીગમ ન અપનાવીએ તો એ અર્થહીન છે.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચારવીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 10 જાન્યુઆરી, 2015ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281) 257 5327 .મેઈલ: yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 13/02/2015

19 Comments

  1. Khub saras samjavyu ek pag anuyug ma ane bijo pag chhnyug ma dharm karta karma mahan chhe evu jyare manvi samajse tyare Bharat ma garibi komihullado vagere bandh thase atyareto Bharat ma tila tapka bhagva ane karmakand ej dharma evu 90% loko samje chhe.

    Liked by 1 person

  2. શ્રી યાસીન દલાલનો આ લેખ વાંચવા અને વિચારવા જેવો છે ‘

    આ માહિતીસભર લેખ પ્રેરક પણ છે.

    Liked by 1 person

  3. આપણો એક પગ અણુયુગમાં અને બીજો પગ છાણયુગમાં છે Jiya soodhi aapne aapnaa yatit ne jarvi rakhishu tiya soodhi aapne aa chhan maa j rahishu. Kaash koi evoo vaignanik shodhan thai jenathi aa chhan ma pag rakhnaaraa ne samjaai ke ye loko kai sadi ma jive chhe!!!!!

    Well explained and compared.

    Liked by 1 person

  4. ખુબ સુંદર લેખ. ગઈ કાલે જ બી.બી.સી. હીન્દી સમાચારમાં કંઈક આ મતલબનું વાંચવા મળ્યું કે, માણસ ખરેખર વાંદરામાંથી ઉતરી આવ્યો છે, અને એના પુરાવા રુપે આજે પણ કેટલાય લોકોને પુંછડી લાગેલી જોવા મળે છે. એ પુંછડી ઘણા પ્રકારની હોય છે, કોઈને ધર્મની, તો કોઈને જ્ઞાતીની, કોઈને ગામની, કોઈને પોતાના મહોલ્લાની સુધ્ધાં પુંછડી વળગેલી હોય છે. એમાં કદાચ સૌથી વધુ જ્ઞાતીની પુછડીવાળા જોવા મળે.

    Liked by 1 person

  5. Friends,
    Wish you all a very happy Valentine Day. Love is the theme….

    Karl Marx was a communist. He had tremndous sympathy for poor. He hated rich. Few of his quotes are eye opner, even in today’s society.

    (1) Religion is the sigh of oppressed creature, the heart of a heartless world, and the soul of soulless condition. It is the opium of the people.

    (2) Social progress can be measured by the social position of the female sex.

    (3) Necessity is blind untill it becomes conscious. Freedom is the consciousness of necessity.

    (4) The history of all previous societies has been the history of class struggle.

    (5) The meaning of peace is the absence of opposition to socialism.

    Charles Darvin gave three laws of the human society./ evolution……Applicable even today….
    (1) High rate of population.
    (2) Struggle for existance and
    (3) Survival of fittest…
    The third law, some define as…Survival of the luckiest……

    I congratulate Mr. Yasin Dalal for this article, which has all the points very much in referance with even today’s human life.

    Amrut Hazari.

    Liked by 1 person

  6. વાંદરા માણસના પુર્વજ નહીં પણ પીતરાઈ છે. વધુ માહીતી માટે યુ ટ્યુબ માં richard dawkinsના વીડીઓ જુઓ.

    Liked by 1 person

    1. મારો ૧૮/૦૧/૨૦૧૨ નો ઊત્ક્રાંતી પરનો લેખ એજ વાત સમજાવે છે.

      Liked by 1 person

  7. ભુતકાળની સીદ્ધીઓનો ઉપયોગ ખાતર તરીકે કરીને એનાથી વર્તમાનમાં સારું અનાજ ઊગાડી શકાય (પ્રગતી કરાય). એનો ઊપયોગ ખોરાક તરીકે કરી વાગોળ્યા કરીયે તો અપચો થાય. આ વાગોળવાનો ધંધો આજકાલ ખૂબ ફૂલ્યોફાલ્યો છે.

    Liked by 1 person

  8. भारतमां गरीबाई, अज्ञानता, नात जात, वगेरेमां रामायण अने महाभारतनी काल्पनीक कथाओए महत्वनो भाग भजव्यो छे. वेद, उपनीषदनो नीचोड के सार गीता होय तो गीतामां ठेक ठेकाणे वर्णसंकर, नात जात के कर्म बाबत उल्लेख छे अने काल्पनीक कथाओना सार रुपे आ ग्रंथे देशने नुकसान करेल छे. मंत्र तंत्रमां राष्ट्रपीता गांधीजी पण फसाई गया. पछी नानो माणस तो बीचारो वीचारी ज केम सके? गेलेलीयो के कार्ल मार्क्स ने बदले मंत्रोथी गांधारी के कुंतीने बाळको थया ए आ देशमां वधु प्रचार थाय छे. एमएम रोय, यासीन दलाल, गोवीन्द मारु बधाए मंत्रोनी नागचुडमांथी छोडाववा रोजे रोज हथोडा मारवा पडशे…

    Liked by 2 people

  9. આપણે ત્યાં વિજ્ઞાનના મેળા ઓછા ભરાય છે, અજ્ઞાનના અને ચમત્કારના મેળા વધારે ભરાય છે. વિજ્ઞાનનો પ્રચાર ઓછો થાય છે અને જ્ઞાનનો(કથાઓ/વાર્તાઓ/દંતકથાઓ/પુરાણો વિ.) વધારે. વૈજ્ઞાનિક અભિગમની મોટી-મોટી જાહેરાતો ક્યાંય જોઇ ખરી? જ્યાં જ્યાં નજર પડે ત્યાં-ત્યાં જેમ નરેન્દ્ર મોદીનો જ ચહેરો દેખાય છે તેમ અંધશ્રધ્ધાને ખુલ્લી પાડતી તસવીરો ઠેર ઠેર લગાડવામાં આવશે ત્યારે ધર્મ-પરિવર્તન /માનસ પરિવર્તન થશે. રેશનાલીઝમનો ખૂબ પ્રચાર કરવો પડશે, એ પણ કોઇનાથી ડર્યા વિના. આ કામ કોણ કરશે ? સરકાર? ના. તમે અને હું-આપણે રેશનાલીસ્ટો અને વૈજ્ઞાનિકો જ આ ક્રાંતિ કરી શકીએ. કરો તૈયારી!!!!!!!!!!!!!!
    આ લેખના આ વાક્યો ખૂબ ગમ્યા- ‘તમારા દાદાઓ વાનર હતા ?’ ડાર્વીને જવાબ આપ્યો કે, ‘પસંદગી કરવાની હોય તો હું એક વાનરને દાદા સમજુ; નહીં કે કોઈ ચર્ચના બીશપને.’
    ધન્યવાદ યાસીન દલાલને અને આપણા ગોવિંદભાઇને.
    લિ. અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી ‘કર્મ’ , હિંમતનગર

    Liked by 1 person

    1. વીચાર તો સારો છે પણ હોર્ડીંગ મુકવાના પૈસા કોણ આપે? રેશનાલીસ્ટોને કોઈ દાન આપવાનું નથી કે નથી ટેકસ ઉઘરાવી શકાય તેમ છે.

      Like

  10. માણસ જન્મે એટલે ચાર વસ્તુ એને અાપોઅાપ વારસામાં મળે.એ અંગે વેદમાં શ્ર્લોક પણ છે તેનું તાત્પર્ય છે કે અાહાર,નિદ્રા, ભય અને સેક્સ જન્મની સાથે દરેકને મળે જ.વધતું ઘટતું પ્રમાણ એ જુદી વાત છે.એટલે હાઇ સ્કૂલમાં સેક્સનું શિક્ષણ અાપવું જોઇએ.પણ અાપણો કહેવાતો સમાજ એ વાત અાવે એટલે શાહમૃગની જેમ
    પોતાનું માથું રેતીમાં નાંખી છુપાવે છે.પણ હમણા મેં એ પણ જોયું કે નાનકડાં બાળકોના પ્રોગ્રામમાં છોકરા-છોકરીને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ છે કે નહિ એવો અઘટિત સવાલ પૂછાય છે જાણે કે દુનિયામાં અમે અત્યાધુનિક છીએ.પણ એ કેટલું વાજબી છે ? એમાં અનુશાસન કેટલું જળવાય છે તે વિચારણીય પ્રશ્ન છે.

    Like

  11. આ બ્લોગ પર કોમેન્ટ્સ મુકનારા અને વાંચનારા મિત્રોની સગવડ ખાતર જણાવવાનું કે જીમેઇલ પર ગુજરાતીમાં લખવાનું બહુ સહેલું છે. ઉપરથી બીજી લાઈનમાં જમણે હાથે ચક્કર હોય છે તેની ડાબી બાજુએ જે બોક્ષ હોય છે તેમાં ક્લિક કરવાથી ઘણી ભાષાઓની યાદી ઉઘડે છે. તેમાં ‘ગુજરાતી’ પર ક્લિક કરીને ગુજરાતી લીપી પસંદ કરી શકાય છે. તે અને અંગ્રેજી બેમાંથી જે લીપીમાં લખવું હોય તે લીપીમાં લખી શકાય છે. બે ને બદલે વધારે ભાષાઓ પણ પસંદ કરી શકાય છે. રોમન લીપીમાં લખાયેલી ગુજરાતી કોમેન્ટ વાંચવાનું અઘરું લાગે છે.

    ન્યુટને ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી એવી સામાન્ય માન્યતા છે. ખરેખર તો તેણે ગુરુત્વાકર્ષણનું માપ નક્કી કરી બતાવ્યું હતું.

    કાર્લ માર્કસે સામ્યવાદની વિચારધારા આપી. તેમાં ઈશ્વર અને ધર્મ બંને પર પ્રતિબંધ હતો. છતાં તે પોતે જ એક નવો ધર્મ બની ગઈ. જેને લીધે અસંખ્ય લોકોને જુલ્મો સહન કરવા પડ્યા.

    Like

    1. ન્યુટને ગુરુત્વાકર્ષણના માપ ઊપરાંત એનો વ્યાપ, અસર, ઉપયોગ વગેરે ઘણું બધું શોધ્યું હતુ. ગુરુત્વાકર્ષણનુ અસ્તિત્વ એક સામાન્ય અવલોકનની બાબત છે. “ન્યુટને ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી” એ કહેવામાં ભાશાની મર્યાદા છે.
      આવીજ ગેરસમજો ઘણી વૈજ્ઞાનીક શોધોની બાબતમાં પ્રચલીત છે. એના દાખલા છેઃ વનસ્પતીમાં જીવ છે, વાંદરામાથી માણસ થયો વગેરે વગેરે.

      Like

  12. Maru saheb,
    Khub saras… khub mahatva ni desh duniya temaj knowledge ni rational vaat janvanu platform aape tayaar karyu che… khub khub hardik subhecchao…. Sathe keep it up Marusaheb..

    Liked by 1 person

  13. \પ્રિય ગોવિંદભાઈ મારુ
    યાસીન દલાલનો લેખ બહુ ઉત્તમ હતો . દુનિયાને પલટાવી નાખનાર માણસોની વિગતવાર ઓળખાણ આપી , ઘણું સરસ જાણવા મળ્યું . ભારતમાં ઇસ્વીસનથી 600 વરસ પહેલા થઇ ગએલ બૃહસ્પતિ પણ કરામતી કારક વિચારો ધરાવતો હતો . એ સ્વર્ગ નર્ક જેવું કોઈ સ્થળ અખિલ બ્રહ્માંડમાં ક્યાય નથી એના વિષે પણ કોઈકે લખવું જોઈએ .મારી શ્રી યાસીનભાઈ દલાલને વિનંતી છે કે બૃહસ્પતિના સીધ્દ્ધાન્તો પણ લોકો સમક્ષ રજુ કરે . બુદ્ધ અને જૈન વિચાર ધારા એના પછી આવી .
    મારા આતાવાણી બ્લોગમાં શ્રી સુરેશ જાનીએ થોડુક લખ્યું છે
    જ્યાં સુધી જીવો સુખેથી જીવો મરવું એતો નિશ્ચિત છે
    માર્યા પછી પાછું નથી આવવું એ પણ એટલું નિશ્ચિત છે . હિંમતલાલ આતાઈ

    Liked by 1 person

  14. આ જોક્સ છે .
    એક દીકરીએ એની માને પૂછ્યું . આપણી માણસોની ઉત્પતિ કેવીરીતે થઇ ?
    માએ જવાબ આપ્યો . સ્વર્ગમાં god નો માનીતો એક આદમ નામનો દેવ દૂત હતો એ ને ગોડે સ્વર્ગના બગીચાઓના ફળો તમામ ખાવાની છૂટ આપેલી પણ એક ઝાડ દેખાડીને કીધું કે આ ઝાડનું ફળ તારે ખાવાનું નથી પણ આદમે ગોડનું કહ્યું માન્યું નહિ અને ગોડે ખાવાની ના પડેલી એ ફળ ખાઈ લીધું એટલે ગોડ ખીજાય ગયા અને આદમને સ્વર્ગમાંથી કાઢી મુક્યો અને એને પૃથ્વી લોકમાં મોકલી આપ્યો અને એને પોતાની પ્રજાની ઉત્પતિ કરવાની છૂટ આપી , એટલે આપણે આદમના વંશ વારસો માણસો છીએ . આજ દીકરીએ એના બાપને પૂછ્યું કે આપણે માણસો કેવી રીતે ઉત્પન્ન થયાં બાપે ડાર્વિન વાળી વાત કરીકે આપણે મનુષ્યોની ઉત્પતિ વાંદરાંઓમાંથી થએલ છે છોકરી મુંજાણી કે માં આમ બોલે છે અને બાપ આમ બોલે છે તો આમાં સાચું શું છે ? દીકરીએ પોતાની મુંજવણ એની માં આગળ રજુ કરી માએ જવાબ આપ્યો . તારો બાપ જે રીતે ઉત્પન્ન થયો એ વાત કરી એણે હું જે રીતે ઉત્પાન્ન થઇ એની મેં વાત કરી .. માની વાત સાંભળી દીકરી બોલી તોતો નું હું માં માણસ અને બાપ વાંદરો એનું મિશ્રણ સંતાન કહેવાઉં . ખરું ?

    Like

  15. Bahu sundar lekh 6 jivan shu 6 ne shu karava nu 6 te samajayu 6 andhsradh chodi ne jivan ma manavata nu kam karava nu 6 manavataj mota ma moto dharam 6

    Liked by 1 person

Leave a comment