માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા

–ખલીલ ધનતેજવી

રોશની ચાહો તો તખ્લીક કરો કોઈ ચીરાગ,

યું દુવાઓં સે નહીં ચાંદ નીકલને વાલા.

અન્ધશ્રદ્ધાનું નખ્ખોદ જાય ! તે હજી વેબસાઈટ યુગમાં પણ પીછો છોડતી નથી. મોબાઈલ ફોન સ્વરુપે વીશ્વ આખું ગજવામાં લઈને ફરતો માણસ, પોતાનું ભવીષ્ય સુધારવા ઢોંગી ભુવાઓ, બાબાઓ, બાપુઓનાં ચરણોમાં મસ્તક ટેકવી દેતાં શરમાતો નથી. માણસ ચન્દ્ર પર પહોંચવા ઉત્સુક છે; પણ અન્ધશ્રદ્ધા છોડવી નથી. એ ચન્દ્ર પર જશે તો પણ, પીયરમાંથી મળતા દહેજની જેમ અન્ધશ્રદ્ધાના લબાચા પણ જોડે લઈને જશે. ચન્દ્ર પર ઘર બનાવશે તે પણ વૈજ્ઞાનીક ઢબે નહીં; વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ઘર બનાવશે. ઘરમાં તીજોરી મુકાવશે; પણ લાઈબ્રેરીનું કબાટ મુકવાનું સુઝશે નહીં. ચન્દ્ર પર જઈનેય જન્મકુંડળીના આધારે જ જીવવાનું પસંદ કરશે.

ચન્દ્ર પણ એક ગ્રહ છે. અત્યાર સુધી માણસને ગ્રહો નડતા હતા. હવે વીજ્ઞાનના પ્રતાપે માણસ ગ્રહોને નડતો થઈ ગયો છે. તોય ગ્રહોની પુજા કરવાની કુટેવ છુટવાની નથી. ચન્દ્રની છાતી પર બેસીને ચન્દ્રની જ પુજા કરશે, ચન્દ્ર પર હવન કરાવશે, ગણપતી અને તાજીયાનાં જુલુસ કાઢશે, દારુ ઢીંચીને જુલુસમાં કુદકા મારશે, કાંકરીચાળો પણ કરશે ને હુલ્લડ પણ કરશે; કારણ કે ધરતી પર એણે કર્યાં છે, એવાં તમામ કારસ્તાનો જોડે લઈને જ એ ચન્દ્ર પર જવાનો છે. હવે વીચારો, આ ચન્દ્ર નામનો ગ્રહ માનવ ગ્રહથી મુક્તી મેળવવા કયા ભુવા પાસે જશે? એ માટે એને ધરતી પર ઉતરવું પડશે તો ? ધરતી પર ઉતરશે તો પણ, અહીં બધા માણસની જ તરફદારી કરનાર મળશે. ચન્દ્રની વગ તાણે એવો કોઈ બાવા-બાબા ચન્દ્રને મળવાનો નથી, બીચારો ચન્દ્ર !

ધરતી પરથી ચન્દ્ર પર જનાર વીનોદચન્દ્ર, નવીનચન્દ્ર, જગદીશચન્દ્ર, સુભાષચન્દ્ર, ચાંદ મહંમદ, અને ચાંદમીયાં જેવા કંઈ કેટલાય ફઈબાએ નામાભીધાન કે નામાંકીત કરેલા ચન્દ્રો સાચુકલા ચન્દ્રની છાતી પર બેસીને બાબાએ બાંધી આપેલી કંઠીને આંખો મીંચીને ચુંબન કરશે; પણ ચન્દ્ર સુધી જવાનો રસ્તો કરી આપનાર વૈજ્ઞાનીકના નામનું તો નાળીયેર નહીં જ ફોડે. વૈજ્ઞાનીકનું નામ યાદ કોણ રાખશે ? જતે દીવસે આ વીજ્ઞાનની દેણ છે એવું પણ એ કબુલ કરવાનો નથી. મન્દીર–મસ્જીદ બાંધાવવામાં મશગુલ થઈ જશે. કોઈ સમસ્યાના નીરાકરણ માટે દરગાહ પર ચાદર ચડાવવાની મન્નત રાખશે. સમસ્યાનું નીરાકરણ વૈજ્ઞાનીક ઢબે થયું હશે તો પણ, ચાદર તો દરગાહ પર જ ચડશે.

અભણ, ગરીબ અને પછાત વર્ગના લોકોમાં અન્ધશ્રદ્ધા ખુબ જ ફાલી છે, એવું જાહેરમાં કહેનાર વ્હાઈટ–કોલર મેયરો, અધ્યક્ષો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પોલીસ અમલદાર સુધીના શીક્ષીત અને સમાજમાં આદર્શરુપ ગણાતા માણસો, પોતાની અન્ધશ્રદ્ધાને વહાલથી બચીઓ કરી કરીને પંપાળતા રહે છે. આ બધા લોકો વરસાદ ન પડે તો કથા કરાવે, કોઈ રસ્તે વારંવાર જીવલેણ અકસ્માતો થતા હોય તો એ સ્થળે હવન કરાવે છે. ચુંટણીમાં ટીકીટ મેળવવા બાધા રાખે, ટીકીટ મળી જાય એટલે ચુંટાઈ જવાની બાધા રાખે, ચુંટાઈ જાય એટલે મન્ત્રીપદ કે અધ્યક્ષપદ મેળવવા બાધા રાખે. પરીક્ષામાં પાસ થવા બાધા રાખે, નોકરી માટે મન્નત માને, બદલી માટે પણ બાધા રાખે. આ બધાં કામો પૈસા ખવડાવવાથી જ થઈ જતાં હોવાં છતાં; બાધા રાખી હોય તે તો પુરી કરવાની જ ! ઉપરી અધીકારીને ખવડાવવા માટેના પૈસા ઘર ગીરવે મુકીને મેળવ્યા હોય તો પણ; એ પૈસાનું કોઈ મુલ્ય નહીં. બધો જશ બાધાને ફાળે જાય છે. ફલાણા બાબાની બાધા રાખી એટલે આ કામ થયું.

આપણે ત્યાં વાહનવ્યવહાર વધ્યો છે. માર્ગ અકસ્માતો પણ નીરન્તર થતા રહે છે. માર્ગમાં કોઈ સ્થળે વારંવાર અકસ્માત થતા હોય તો રસ્તો દુરસ્ત કરાવવાને બદલે હવન કરવા બેસી જવાનું. મુળભુત નડતર અને નડતરના નીરાકરણ માટે માર્ગ દુરસ્તીનું કામ હાથ પર લેવું જોઈએ, પણ આવું કોણ કહે ? કહેનારના ઘર પર પથ્થરમારો થાય. નાતબા’ર મુકી દેવાય. સમાજમાં હુક્કાપાણી બંધ કરી દેવાય.

અભણ અને બધી રીતે પછાત એવા માણસની અન્ધશ્રદ્ધા પણ આપણને ગમતી નથી, તો શીક્ષીત અને સમાજમાં આદરપાત્ર ગણાતો અથવા આદર્શરુપ ગણાતો માણસ અન્ધશ્રદ્ધામાં તણાવા લાગે તો એની પાછળ પાછળ દોરાતી પ્રજા પર એની શી અસર પડે ? આદર્શપાત્ર ગણાતો સમાજનો અગ્રણી એમ કહે કે રસ્તે ચાલતા કોઈ પ્રેતાત્માએ મારું ગળું ભીંસી દીધું હતું. શ્વાસ રુંધાવા લાગ્યો હતો. એ તો સારું થયું કે બાબાએ મન્ત્રેલો દોરો મારા ગળામાં બાંધેલો હતો એટલે હું બચી ગયો. પણ ભલા માણસ, પ્રેતાત્મા આવીને ગળે બાઝી પડયો એનું શું ? મંત્રેલા દોરામાં શક્તી હતી તો એ પ્રેતાત્મા તમારી પાસે આવે જ શી રીતે ?

ભુંગળાવાળું થાળીવાજું, પછી રેડીયો, ટેપરેકોર્ડર્સ, કેસેટ્સ, ટેલીફોન, કમ્પ્યુટર, ટેલીવીઝન અને મોબાઈલ ફોન વગેરે અપ્રાપ્ય અને આધુનીક ઉપકરણો વીજ્ઞાને આપણી સામે લાઈનબંધ ગોઠવી આપ્યાં છે. એમાંનું એક પણ ઉપકરણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું? સમાજને ઉપયોગી એવું કંઈ પણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું ? કોઈ વૈજ્ઞાનીકે ક્યારેય એવી મન્નત રાખી નથી કે મોબાઈલની શોધ સક્સેસ જશે તો દરગાહ પર ચાદર ચડાવશે કે કોઈ મન્દીર પર છપ્પન ગજની ધજા ફરકાવશે ! અન્ધશ્રદ્ધાએ માણસને કાયર બનાવી દીધો છે, આળસુ બનાવી દીધો છે. દીવો શોધવાનું કે સળગાવવાનું સુઝતું નથી અને અજવાળા માટે મન્નતો માનતો અને બાધા રાખતો થઈ જાય છે. અન્ધશ્રદ્ધાએ માણસને છતી આંખે આંધળો બનાવી દીધો છે.     

ખલીલ આજ વો આઈને બેચનેવાલા,

કુએ મેં ઝાંક કર ચેહરા તલાશ કરતા હૈ.

–ખલીલ ધનતેજવી

‘સંદેશ’ દૈનીકમાં દર બુધવારે પ્રકાશીત થતી અર્ધસાપ્તાહીક પુર્તીની લોકપ્રીય કટાર ‘જીવન-ઉત્સવ’માંથી (તારીખ 11 જુન, 2014ના અંકમાંથી) સંદેશ અને લેખકશ્રી. ખલીલ ધનતેજવીના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક: શ્રી. ખલીલ ધનતેજવી, પટેલ ફળીયું, યાકુતપુરા, વડોદરા – 390 006 ફોન:(0265)251 0600 સેલફોન: 98982 15767 ઈ.મેઈલ: khalil_dhantejvi@yahoo.com

અભીવ્યક્તી.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સમારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 6– 03 – 2015

25 Comments

  1. શ્રદ્ધા ના ઑઠા હેઠળ થતા અંધ્ધશ્રદ્ધા ના સર્વે ધતીન્ગો પાછળ પંડીતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે નો જબરદસ્ત ફાળો છે, આને તૅઓ આ ધતીન્ગો થી અઢળક કમાણી કરે છે. જ્યાં સુધી તેઓનું અસ્તિત્વ છે, ત્યાં સુધી ધતીન્ગો ચાલતા રહેશે અને આપણે લખતા રહેશું.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  2. It is 100% true. A superstitious nature will make person so much weak mentally that he will lose his thinking capacity. A honesty in life and a hard work help us all the time to become successful in life.

    Thnks,

    Pradeep H. Desai
    USA

    Like

  3. कांकरीचारो…. राजा नागडो के नागडा जेवो हतो ए टेणीया बाळके कह्युं ए पहेलां राजाना रसाला साथे फरता बधा राजाना वागा के पहेरवेश वीसे वखांण करता हता. खलील धनतेजवीए चाबका मारी मारी समजावेल छे पण चंद्र उपर वास्तुशास्त्र अने कुंडली जोईने पग मांडशे ए चोक्कस छे. रावणने दस माथा हता अने सीतानो जन्म पृथ्वीमांथी थयो छे ए माटे हवे आफ्रीकाना टेणीयाओ कांकरीचारो करे छे.

    महाभारत अने गीता उपर कांकरीचारो करवानुं अंग्रेजी माध्यमना टेणीयाओए शरु करी दीधुं छे. रामायण अने महाभारतनी कथाओने कारणे महीला अत्याचार, गरीबो उपर अत्याचार अने बाळको उपर अत्याचार थाय छे. हीन्दु वीधवा महीला पण समजे छे के कर्मने कारणे वीधवा थवुं पड्युं. लोकसभा अने राज्यसभामां हजी राम मंदीरनी चर्चाओ थाय छे अने युकेना अंग्रेजो के बीबीसी वाळा फील्म उतारे छे. यु ट्युब उपर एवी केटलीये फील्मो जोवा मळे छे. माथुं धडथी अलग थई जाय छतां धड लडतुं हतुं एना पाडीया देशमां ठेक ठेकाणे जोवा मळे छे अने दरेक प्रसंगमां गणेशनी प्रथम स्थापना के पुजा थाय छे…. कांकरीचारो…..

    Like

  4. Ane Chandra per javaa maate pan saroo muhrat ane tithi joi ne j javaai…..

    Rahi vaat ek nariyel fodvaa ni? Nariyel koi maanas na naame na fodai…. ye enu maathoo fodiya baraabar kehvai…….

    …Ane kadaach evoo pan bane ke aaj no maanas evi baadhaa rakhe ke hoon chanra per jai ne tiya 101 nariyel chandra ne j chadhaavish yaa bij na chaand na divase tiya chaadar chadhavish…..

    Please continue to write article like this. request all readers, do your part in enlighting others with hope that you will convert atleast 1 person to be human and willing to follow humanity!!!

    Like

    1. ha hamnaj yaad aavyu gaya varse mangal par yaan mokalta pahela aapma vaignyaniko e mangal yaan ni nanakdi prakruti banavi ne teni dakshin bharat na koi mandir ma puja vidhi kari hati ane tena phota satheno lekh gujarat mitra ma aavyo hato bhai shree khalil ni vaat ni sathe ekdam bandh bese chhe MANUSHYO UPGRAH CHHODE PAN PURVA GRAH NAHI CHHODE …….haa …..haa….haaaa…..

      Like

  5. જૂની અંધશ્રદ્ધા સાથે હવે અદ્યતન સમયની અંધશ્રદ્ધા ઉમેરાવા માંડી છે તે પણ મોટો પ્રશ્ન છે.

    Like

  6. વાહ, ખલીલભાઇ,
    તમારી તમતમતી તીખી તલવાર જેવી ભાષા સોંસરી ઉતરી જાય તેવી…પોચકી પાણી જેવી માય દિકરાને પંપાળે તેવી ફીક્કી ભાષાનું કોઇ કામ નહિં. તમારે માટે ખૂબ માન થયુ. લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે. તમારા આર્ટીકલનો પહેલો પેરેગ્રાફ વાંચ્યો અને લોહી ગરમ થઇ ગયુ….સચોટ ટૂંકા વાક્યો. સમજીને પસંદગી પામેલાં શબ્દો…થોડા નાના પેરેગ્રાફમાં જે કાંઇ વાંચનારના મગજમાં ઉતારવાનું તે બઘુ સમાવી લીઘું.
    પેલો અમિતાભ માંદો પડે ને હિન્દુ…મુસલમાન …ખ્રિસ્તી…જૈન.અને બીજા બઘ્ઘા પ્રાર્થના કરવા લાગી જાય…પૂજા કરવા લાગી જાય…જાણે તેમનો જાનથી પ્યારો દાદો મરવા પડેલો છે…અને ભારતનિ ક્રિકેટ ટીમની જીત માટે હવન કરાવવા બેસી જાય…પોતાના દિકરા..દિકરીઓ માટે રમત ગમત…(ગમત છોડો.)…માં પ્રગતિ માટે રસ નહિ લે…..અને તે ના…યકો…જુગાર રમીને હાર જીત નક્કિ કરે….લાખો કરોડો રુપિયા કમાઇ લે…અને તેના પેલા પ્રેમીના ઘરમાં હાંલ્લા કુસ્તી કરતાં હોય…..સરકાર ચલાવનારાઓ અક્કલ વગરના…તેઓ જ અંઘશ્રઘ્ઘામાં દેશ ચલાવે…યુવાનોને સૌથી સબળ સાઘન બનાવી શકાય કે જેઓ અંઘશ્રઘ્ઘામાંથી બહાર કાઢે. સરકારે દેશના નાગરીકોના અને દેશનાં ભલા માટે કડક કાયદાઓનો અમલ કરવો રહ્યો. સરકારની સામે થાય તેવાં લશ્કરી ફોલોઅર્સવાળા સાઘુને અક જ વીકમાં જાહેરમાં અવી સજા કરવી રહી કે બીજા સાઘુ બનતાં પહેલા લાખ વખત વિચાર કરે. કોર્ટ સીસ્ટીમ નપુસક છે. દેશના ભલા માટે કાયદાની છટકબારીઓને વાપરીને તરત જ સજા કરવી રહી. બચાવના વકિલોને નાગરીકોઅે ઘરે બેસાડવાનું કામ કરવું જોઇઅે. કોની હિંમત છે કે બચાવનો વકીલ બને? જો કોઇ તૈયાર થાય તો તેના બૈરી છોકરાંને તેની સામે ઉભા કરવાં.
    કહેવાતા ઘર્મો….કે જે પૂજા , પાઠ, સાઘુ, સંતો, કથાકારોના ઘેટાં, ગુલામો બની રહેલાં છે તેઓને જીંદગીના માણસાઇનાં પાઠ ભણાવવા રહ્યા…કડક થાવ…પોચા પોચા…સમજાવી સમજાવીને કાંઇ વળવાનું નથી….ખલીલભાઇને અભિનંદન…
    સાથી હાથ બઢાના સાથી રે…અેક અકેલા થક જાયેગા…મીલ કર બોજ ઉઠાના…..
    અમૃત હઝારી.
    આવાં તેજાબી લેખો દરેક ગામમાં હેન્ડબીલના રુપમા દરેક મહિને ઘરે ઘર પહોંચતા કરવા જોઇઅે…૨૫ ટકા પણ જો તેનો લાભ મળશે તો પણ પાંચ દસ વરસોમાં ઘણો લાભ મળશે. વહેવારમાં હોય તે બઘી જ ભાષામાં છપાવવા.

    Like

  7. હાં યાદ અાવ્યુ…..જે સરકારમાં સાઘુઓ, સાઘુડીઓ….મીનીસ્ટર હોય તે સરકાર દેશનું શું ભલું કરવાની…? આટલાં મહિનાઓમાં આ સાઘુઓઅે તેમનાં વિચારોનું બજાર ખુલ્લું મુકી દીઘુ જ છે. મત મેળવવા માટે જો આ અંઘશ્રઘ્ઘાઓને પંપાળતા, પોષતાં પક્ષોના વડાઓ હોય…કે જે હજાર કીલો સુખડના લાકડા બાળે…તેને હાથે સેશનું શું ભલું થવાનું ? ભારત તો ભગવાનને ભરોશે જ ચાલે છે…અને ચાલશે……નરોમાં ઇન્દ્રઅે….કાંઇક કરવું જોઇઅે…..
    અ.હ.

    Like

  8. વઘુમાં……વિજ્ઞાને મહા મહેનતે કરેલી રોજીંદા જીવનમાં વપરાય તેવી દરેક શોઘો અંઘશ્રઘ્ઘાળુઓના હાથમાં ઇઝીલી આવી જાય છે અેટલે વાપરનારને વિચારવાની તકલિફ લેવી પડતી નથી……

    Like

  9. વિજ્ઞાનની શોધો પછી જ અંધશ્રધ્ધામાં ઘટાડાને બદલે વધારો થતો જાય છે.મોબાઇલ ફોનમાં દરરોજ ભગવાનના ફોટાઓ અને સંત, બાબા અને પુરાણીઓના વિડીયો વિગેરે વોટ્સ એપમાં મોકલે છે. દરેક ટીવી ચેનલમાં પણ ધાર્મીક પ્રોગ્રામ તો ખરાજ. જ્યોતીષીઓ અને વાસ્તુશાસ્ત્રીઓ અને બાબાઓ પ્રચાર માટે ભારતની અને પરદેશની ટીવી ચેનલોમાં પોતાની જાહેરાતો આપતા થઇ ગયા છે. અંધશ્રધ્ધાના પ્રચારને મોકળું મેદાન મળી ગયું છે.

    Like

  10. ધરતી પરથી ચન્દ્ર પર જનાર વીનોદચન્દ્ર, નવીનચન્દ્ર, જગદીશચન્દ્ર, સુભાષચન્દ્ર, ચાંદ મહંમદ, અને ચાંદમીયાં જેવા કંઈ કેટલાય ફઈબાએ નામાભીધાન કે નામાંકીત કરેલા ચન્દ્રો સાચુકલા ચન્દ્રની છાતી પર બેસીને બાબાએ બાંધી આપેલી કંઠીને આંખો મીંચીને ચુંબન કરશે; પણ ચન્દ્ર સુધી જવાનો રસ્તો કરી આપનાર વૈજ્ઞાનીકના નામનું તો નાળીયેર નહીં જ ફોડે.

    આપણી આ એક સામાજિક કરુણતા છે. અંધ શ્ર્ધાની આજ કાલ બોલ બાલા છે.

    ખલીલ આજ વો આઈને બેચનેવાલા,

    કુએ મેં ઝાંક કર ચેહરા તલાશ કરતા હૈ.

    –ખલીલ ધનતેજવી

    વાહ ! સરસ ચિંતન લેખ .

    Like

  11. Thank you Maru saheb. I enjoy reading the articles. I hope that more people read this and change their behaviors.I learned that you did visited NJ. I wish I knew. Anyway, next time please let me know so that I can get chance to meet you in person.I am from Liliya Mota a small town near Amreli. I am Kadia Kumbhar and worship Bal Mukund dada. IWe do not believe in anyone but him.None of my elders ever did what is written in this article. I am proud of my grand parent for standing up against this kind of ritual.Thank you again. You are my hero.

    Ramnik Vandra
    8 Mariposa Place
    Old Bridge, NJ 08857
    732 360 1283
    732 887 2746 Mobile

    Date: Fri, 6 Mar 2015 13:10:06 +0000
    To: vandrar@hotmail.com

    Like

  12. ખુબ સરસ લેખ. ગઈ કાલે જ આ ભુવાઓ અને બાધાની વાતો અહીં ન્યુઝીલેન્ડમાં કેટલાક મીત્રો સાથે થઈ અને આવા અંધશ્રદ્ધાળુ જ્યાં પણ જશે ત્યાં એ બધું સાથે લઈને જશે એમ અહીં કહેવામાં અવ્યું છે, તે કેટલું અક્ષરશઃ સાચું છે, એની ખાતરી થઈ. કેમ કે એવા અંધ અહીં પણ છે-ભારતમાં મોટા થયેલા અને અહીં સ્થાયી થયેલા.

    Like

  13. પ્રિય ગોવિંદભાઈ મારુ
    તમે જ્યાત્યાન્તથી ખુબ મહેનત કરીને જ્ઞાન દાયક લેખો પીરસો છો મને બહુજ ગમે છે . આજે મેં ખલીલ ધન્તેજ્વીનો લેખ વાંચ્યો . બહુ ગમ્યો . આ માટે તમારો અને ભાઈ ખલીલનો હું આભાર માનું છું .
    .

    Like

  14. ખુબ સરસ લેખ. જૂની અંધશ્રદ્ધા સાથે હવે અદ્યતન સમયની અંધશ્રદ્ધા ઉમેરાવા માંડી છે તે પણ મોટો પ્રશ્ન છે.

    Like

  15. पोस्ट्ना लेखक खलील धनतेजवीए बावा साथे बापुनो उल्लेख करेल छे. देशमां बापुनुं नाम एटले महात्मा गांधीजी.

    आजना समाचार —-

    प्रेस काउंसिल के पूर्व अध्यक्ष काटजू ने कहा है कि गांधी ने देश को बहुत नुकसान पहुंचाया। उन्होंने लिखा है, ‘बापू ने राजनीति में धर्म को घुसाकर फूट डालो और राज करो की ब्रिटिश नीति को आगे बढ़ाया।’ काटजू का आरोप है कि गांधी हर भाषण में रामराज्य, ब्रह्मचर्य, गो रक्षा, वर्णाश्रम व्यवस्था जैसे हिन्दूवादी विचारों का जिक्र करते रहे, इससे मुसलमान, मुस्लिम लीग जैसे संगठनों की ओर आकर्षित हुए।

    Like

    1. हुर्रियत कांफ्रेस के वरिष्ठ नेता सैयद अली शाह गिलानी ने बीबीसी से बातचीत में कहा है कि जम्मू-कश्मीर एक स्वायत्त क्षेत्र है और यह भारत का हिस्सा नहीं जब तक कि यहां के लोग यह फ़ैसला नहीं कर लेते हैं…………………………..सप्ताह के पहले ही दिन संसद की कार्यवाही हंगामे के साथ शुरू हुई। जम्मू-कश्मीर में मुफ्ती मोहम्मद सईद सरकार द्वारा अलगाववादी नेता मसरत आलम की रिहाई को लेकर लोकसभा में कांग्रेस के सदस्यों ने जोरदार हंगामा किया।

      Like

      1. नगालैंड के दीमापुर में जिस तरह भीड़ ने बलात्कार के एक अभियुक्त को पीट-पीट कर मार डाला वो न्याय के तालिबानी तरीकों से भी बदतर प्रतीत होता है.
        यह चरमपंथी संगठन इस्लामिक स्टेट द्वारा विभिन्न पत्रकारों और पश्चिमी नागरिकों के सिर काटे जाने की घटनाओं से भी बुरा प्रतीत होता है.
        लेेकिन भारत एक सभ्य और लोकतांत्रिक समाज है, ऐसे में क्या हमारे समाज में ऐसी प्रवृत्तियाँ ज़्यादा परेशान कर देने वाली हैं?

        Like

  16. નરોમાં ઇંદ્ર જ નવરત્રીના ઉપવાસ કરે છે…… હા….હા…..હા……!!!!!!!!!!!!!!!!!!
    @ રોહિત દરજી ‘ કર્મ ‘ , હિંમતનગર

    Like

  17. પ્રિય ગોવિંદ ભાઈ મારુ પ્રિય ખલીલ ધનતેજવી ભાઈ
    આ આર્મ સ્ત્રોન્ગે ચંદ્રની ધરતી ઉપર પગ મુક્યો .એ પહેલા તો હિંદુ પુરાણો લખવા વાળા ચંદ્ર ઉપર પહોંચી ગયા હતા . અને તેઓએ ચંદ્ર અમૃતથી ભરેલો છે એવું શોધી કાઢેલું એ પછી તેઓ આકાશની દૂરની સફરે ગયા . અને ત્યાં કેટલા સ્વર્ગ છે કેટલા નર્ક છે . અને નરકમાં કેટલા દુ:ખો છે . કેવા પ્રકારના દુ:ખો છે . અને સ્વર્ગ કેટલા છે અને ત્યાં કેવા પ્રકારના જલસા અને સાહ્યબી છે . એની જાત તપાસ કરી હતી . દરેકના નામ બધીજ તપાસ કરી જયારે ચંદ્ર ઉપર ગએલા ત્યારે ધરાઈને અમૃત પી લીધેલું . એટલે એ બધા અમર થઇ ગયા . પણ ભૂલ એ થઇ કે સ્વર્ગને બદલે નરકમાં જતા રહ્યા . એટલે હાલ તેઓ નરકની પીડા સહન કરે છે ..વળી પાછા અમર થઇ ગયા છે એટલે કાયમ નર્કની યાતનાઓ ભોગવ્યા કરશે .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s