આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો !

આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો!
નુતન વર્ષની શુભેચ્છા

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

(For ‘adults’ only)

નવા વર્ષની આવી અભીનવ શુભેચ્છા મીત્રોને પાઠવું છું એથી કેટલાક ખરે જ નારાજ થઈ જશે; પણ એવી કોઈ આવશ્યક્તા નથી. આ તો ગમે તો સ્વીકારો – જેવી જ મંગલ કામના છે. લ્યો, ઝટપટ સ્પષ્ટતા કરી દઉં : Eric Hoffer કહે છે, A great man’s greatest luck is to die at the right time.

વાચકમીત્રોમાંથી જે greatમહાન હશે તેઓ તો મારી આ શુભેચ્છાનો સાભાર સ્વીકાર જ કરશે, કારણ કે; હોફર સાચું જ કહે છે કે, ‘મહાન માણસોનું મહાનતમ સદભાગ્ય એ લેખાય કે તેઓ સુયોગ્ય સમયે આ સંસારમાંથી વીદાય લે.’

આ વીધાનનો વીચારવીસ્તાર કરી, વ્યંગાર્થ સ્પષ્ટ કરું એ પુર્વે દર્શાવું કે માનવ સહીતના આપણે સજીવો એ કુદરતનાં લાડકાં, વહાલાં કે માનીતાં સંતાનો નથી; કારણ કે; પ્રકૃતીને મન જડ–ચેતનના કોઈ ભેદ જ નથી. કુદરત અન્ધ તથા અભાન એવું કેવળ પરીબળ માત્ર છે, એથી એની સમગ્ર ગતીવીધીમાં અપવાદને કોઈ સ્થાન જ નથી. માટે જ સજીવો પ્રતી તેમ જ સજીવો માટે પ્રકૃતી બહુધા નીષ્ઠુર, નીર્મમ, લાગણીહીન, ત્રાસદાયક તત્ત્વ બની રહે છે. કુદરતની બહુવીધ ગતીવીધીઓમાંની કેટલીક આપણા અસ્તીત્વ માટે ઉપકારક નીવડે છે, તો બીજી વળી ઘાતક બની રહે છે. પ્રકૃતી પોતાની એ સમસ્ત લીલા પ્રતી સાવ જ લાપરવાહ–નીરપેક્ષ છે. એનું યથાર્થ જાણવા જેવું કારણ તો એ કે સજીવનો ઉદભવ તથા એનું અસ્તીત્વ કે એની ઉત્ક્રાંતી એ પ્રકૃતીનું સહેતુક કર્તૃત્વ નથી; એ તો કેવળ એના નીર્હેતુક અન્ધ સંચાલનોનું અનાયાસ, અનપેક્ષીત પરીણામ માત્ર છે. માણસ, વીશેષત: ધર્મના અજ્ઞાનજનીત ઉપદેશને પરીણામે પોતે વીશીષ્ટ સર્જન હોવાનું જે માની બેઠો છે એ કેવળ આત્મપ્રીતી–સ્વાભીમાનની ગલત લાગણી જ માત્ર છે, ભ્રમણા છે. માટે જ કુદરતને માનવ પ્રતી કોઈ જ મમતા નથી, જવાબદારી પણ નથી.

ઈશ્વરના અસ્તીત્વમાં માનતા ભોળા અને અજ્ઞાન આસ્તીકોને તેઓના ભ્રમનીરસન માટે એક પ્રશ્ન પુછવો બસ થશે : ‘તમારો એ કહેવાતો ઈશ્વર આટલો બધો, બેહદ નીર્દય અને ક્રુર શા માટે?’ આ પ્રશ્નના મુળમાં સજીવની યાતનાઓ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની લાચારી તથા મૃત્યુની આપત્તી જ કારણરુપે રહેલી છે : શા માટે તમારો ભગવાન પ્રાણીમાત્રને નીષ્ઠુર તથા લાગણીહીન રીતે, રીબાવી રીબાવીને જ મારે છે? મતલબ કે તે ક્રુર તો છે જ, વધારામાં આવડતવીહોણો, અણઘડ, અશક્ત તથા અવીચારી છે એમ સીદ્ધ થાય છે. શા માટે મૃત્યુ લાચાર અવસ્થામાં અણધાર્યું, અણચીન્તવ્યું જ પ્રયોજાયું હોય? માણસને જુઓ, બુદ્ધીશીલ, વીચારશીલ, સમજદાર તથા લાગણીસંપન્ન શક્તી તો એને કહેવાય : માનવવ્યવહારમાં સાઠમે વર્ષે નીવૃત્ત એટલે બરાબર સાઠમે વર્ષે જ, એક દીન પણ આઘો પાછો નહીં! વળી, ખુબ પ્રેમપુર્વક, માનપુર્વક તથા ભવીષ્યની પણ પુરી યોજના અને જવાબદારી સહીત. પેલા અણઘડ સર્જનહારને એટલુંય ન આવડ્યું કે પછી એવું સુન્દર આયોજન એના ગજા બહારની વાત હતી? મતલબ એ જ કે ભગવાન સર્વશક્તીમાન નથી, પરમ દયાળુ નથી, અર્થાત્ સત્યોનુંય પરમ સત્ય તો એ કે ભગવાન જેવું કશું છે જ નહીં. સદીઓથી એપીક્યુરસ કે ચાર્વાકના યુગથી વીવેકબુદ્ધી–સંપન્ન, તર્કપુત વીચારશીલ જનોને તો આવી પ્રતીતી થતી જ રહી છે કે કોઈ સર્જનહાર નથી. આ બધું જ સર્જન પ્રકૃતીના અન્ધ પરીબળોનાં નીર્હેતુક ગતી તથા ટકરાવનું જ પરીણામ છે.

હવે કોઈ પણ જડ કે ચેતન એવા નીર્માણનો અન્ત એ પણ પ્રકૃતીના અફર અને અન્ધ નીયમને જ આધીન છે. એ પણ કોઈ વીવેકસમ્પન્ન એવા સભાન તત્ત્વ–સત્ત્વનું કર્તૃત્વ જ નથી. એક પથરો કે લોહસ્તંભ પ્રકૃતીનાં વીવીધ પરીબળોના અહેતુક સંચલનને પરીણામે જેમ ઘસાઈ–ઘસાઈને અન્તે નાશ પામે છે; એ જ રીતે સજીવો પણ ઘસારાનો જ ભોગ બની છેવટ મરણશરણ થાય છે. જડતત્ત્વોનો જ આ ગુણધર્મ છે. અને એ જ આપણા સચેતન દેહનો પણ છે. ઘસારો અને અંતે નાશ. જડ–ચેતન વચ્ચે ફરક ફક્ત એટલો જ કે સજીવ પદાર્થ એની શક્તી કે એના તંત્રની મદદથી ઘસારાનો નીરંતર સામનો કરતો રહે છે. જડ પદાર્થ કેવળ ઘસાય છે, જ્યારે સજીવ ચયાપચય (મેટાબોલીઝમ)ની ક્રીયા વડે એનો સામનો કરે છે; પરન્તુ અન્તે વીજય તો ઘસારાનો જ થાય છે. અરે, ઘસારાનો સામનો કરવામાં પણ સજીવ દેહને ઘસારો જ વેઠવો પડે છે. હવે એવો સતત ઘસારો જ્યારે દેહના ગતીશીલ અવયવોને સદાના નાકામીયાબ બનાવી દે છે, જેથી યન્ત્ર બન્ધ પડે છે ત્યારે એને આપણે મૃત્યુ કહી ઓળખીએ છીએ. ટુંકમાં, ઘસારાને પરીણામે આવતી ક્ષીણતા તે વૃદ્ધાવસ્થા અને દેહયન્ત્ર ઘસાઈ ઘસાઈને સમ્પુર્ણ નાકામીયાબ બની થંભી જાય એ મૃત્યુ. કુદરતમાં આ બધી જ યોજના અહેતુક તથા એક સરખી જ છે. વીરાટ, તારકપીંડો પણ કાળક્રમે બુઝાઈને નાશ પામે અને પૃથ્વીપટે એક કીડી–જંતુય, દેહતંત્ર ક્ષીણ અને પછી સમ્પુર્ણ નાકામીયાબ બની જતાં મૃત્યુ પામે. ક્ષીણતાને પરીણામે દેહયન્ત્રના સંચાલનમાં મુશ્કેલી અનુભવાય એ જ વૃદ્ધાવસ્થાની પીડા… ઈત્યાદી…

હવે વર્તમાન માનવીની જીવનવ્યવસ્થાના સન્દર્ભમાં વીચારીએ તો વૃદ્ધાવસ્થાની ઉપર્યુક્ત પીડા તથા મજબુરી, વ્યક્તીને પોતાને માટે ગંભીર અને તેનાં સ્વજનો માટે વળી ગંભીરતર મુશ્કેલીઓ અને આપત્તીઓ સર્જે છે. ત્યારે શાણા માણસોએ એ વીચારવું જ રહ્યું કે આવી અનીવાર્ય તથા ઘણી વાર અસહ્ય એવી પીડા–આપત્તીમાંથી પોતાની જાતને અને પોતાનાં સ્વજનોને બચાવી લેવાનો કોઈ સચોટ ઈલાજ છે ખરો? વૃદ્ધાવસ્થાની વેદના તથા લાચારી ટાળી શકાય ખરી? અને ટાળવી જ જોઈએ કે નહીં? એક જવાબ તો સ્પષ્ટ જ છે કે જો ટાળી શકાય તો ઉત્તમ. વૃદ્ધાવસ્થાની પીડા તથા અન્ય જનોને માથે લાચારીજનીત બોજારુપ આફતો ટાળવી જ જોઈએ અને તે ટાળી શકાય તેમ પણ છે જ. વીચાર તો કરો, સમગ્ર માનવજાતના હીતાર્થે, ભગીરથ શારીરીક–માનસીક પુરુષાર્થો ખેડનારા મહામાનવો, કોઈ ગાંધી, ટોલ્સટોય, થોરો કે રસેલ– જો કે માનવજાતના સદભાગ્યે આ યાદીય ઠીક ઠીક લાંબી છે, એટલે ‘વગેરે’ મુકી દઈએ અને ઈતર તે ધરણી ધ્રુજાવનારા ને ધરતીનો નકશો પલટી નાખનારા સમર્થ મહારથીઓ એવા હીટલર, સ્ટાલીન,  સીકન્દર કે સીઝર, માઓ કે ચર્ચીલ, ચંગીઝખાનો અને નાદીરશાહો (કમનસીબે આ યાદી લાંબી જ છે) વગેરેમાંના કોઈ આજાર અને વૃદ્ધ થઈને ખાટલામાં લાચાર પડ્યા હોઈ, એમનાં મળમુત્રેય અન્યોને સંભાળવાં પડતાં હોય, એક જ હાંકે ને ફુંકે સમસ્ત અનુચર સમુહને દોડતો કરી મુકનાર એ ધીંગા ધુરીણો પરીચારકોને બે હાથ જોડીને, નજીવી સેવા માટે વીનવતા હોય, એક આંગળીને ઈશારે જગતઆખાને નચાવી દેનારા જ્યારે પોતાનો હાથપગ પણ સરખો હલાવી શકતા ન હોય ત્યારે એવી અવસ્થામાં મુત્યુથી બહેતર મુક્તી ઈતર કઈ સંભવે? ના, એવી અવસ્થામાં નહીં, ‘એવી અવસ્થા’ આવે એ પહેલાં જ, જીવનસીદ્ધીની પરાકાષ્ઠાની પળે, સમજદાર સજ્જને આ સંસારમાંથી ખરેખર જ વીદાઈ લઈ લેવી ઘટે. એરીક હોફર કહે છે તેમ એ ઉત્તમોત્તમ સદભાગ્ય જ નહીં; ઉત્તમોત્તમ પુરુષાર્થ પણ લેખાય કે સુયોગ્ય સમયે સદાની – final exit મતલબ કે એવો સચોટ ઈલાજ છે જ અને તે વળી આપણા હાથની વાત છે. એ છે : સ્વેચ્છામૃત્યુ, અર્થાત્ આત્મહત્યા.

આટલી ચર્ચા બાદ વીવેકસમ્પન્ન, બુદ્ધીશીલ વ્યક્તીના ચીત્તમાં તો એવી સ્પષ્ટ પ્રતીતી થઈ જ જવી જોઈએ કે આત્મહત્યા એ જરાય ખરાબ, અનીતીમય કે અધર્મી પગલું નથી જ નથી. યાદ રાખો કે સમગ્ર પ્રાણીસૃષ્ટીમાં કેવળ એક માનવપ્રાણી જ આત્મહત્યા કરી શકે છે. મતલબ કે એવી ઈચ્છા કે એનો અમલ એ માનવીય ગુણલક્ષણ છે, મનુષ્યની સમુચીત વીવેકબુદ્ધીનો નીચોડ છે, વીચાર પ્રમાણેના આચારની બહાદુરી છે, સ્વહીત તથા પરહીતની સજાગ ચીંતા યા સચીંત જાગૃતીનો પરીપાક છે, એ માનવધર્મ તથા પરમોચ્ચ પ્રકારની માનવતા છે. મુરખ લોક જે પોપટ પાઠ ભણે છે કે આત્મહત્યા એ કાયરતા છે તે ધરાર ગેરસમજ છે, અવીચારી પરમ્પરાદાસ્ય છે. હકીકતે જે લાચાર અને પરાધીન બન્યા છતાં જીવ્યા કરે, જાતે પીડા ભોગવે અને અન્યને માથે બોજરુપ બની બીજાને પીડે, કોઈને જ એની હસ્તી આવશ્યક લાગતી ન હોય અને સર્વ કોઈ છુટકારાની જ રાહ જોતાં હોય, એક કાળે અછોવાનાં કરતાં સ્વજનો–સ્નેહીઓના તીરસ્કારના પછી જે ભોગ બની ગયો હોય તેવો માણસ જો મરી ન શકે અને જીવ્યા જ કરે તો ખરો કાયર તો તે જ સીદ્ધ થાય. માટે એટલું જ યાદ રાખો, ગોખી રાખો કે, Let us die at the right time – એમાં જ ડહાપણ છે, ઉપરાંત વીરતા છે અને આપણું ભલું પણ છે. આત્મહત્યા કરી જુઓ તો ખબર પડે કે આપઘાત એ કાયરતા છે કે વીરતા ?

અશક્તી આત્મહત્યાની,
એને આશા કહે જનો !
(સુન્દરમ્)

હવે આત્મહત્યા–સ્વેચ્છામૃત્યુ આડે એક અફર શરત : જેમ તમારું સશક્ત યા લાચાર અસ્તીત્વ અન્ય કોઈનેય માટે આપત્તીરુપ કે પીડારુપ ન બનવું જોઈએ એ જ રીતે તમારું મૃત્યુ–સ્વેચ્છામૃત્યુ પણ અન્ય કોઈ પણ જીવન્ત વ્યક્તી માટે આફત કે યાતનાનું કારણ ન જ બની રહેવું જોઈએ – એટલું ધ્યાન રાખવું જ રહ્યું. સાથે સાથે એવી પેટા શરત પણ ખરી જ કે પ્રસ્તુત આપત્તી કે પીડા શુદ્ધ ભૌતીક, અર્થાત્ ઈજાકારક, દુ:ખદાયક હોવી જોઈએ. અન્યથા તો આત્મહત્યા અસંભવ બની જાય; કારણ કે પ્રેમ, માયા, મમતા, લાગણી, આત્મીય ભાવ, સખ્ય, સાંન્નીધ્યની ઝંખના ને વીરહની વેદના આદી સ્વજનત્વની સંવેદનાઓ તો પીડવાની જ, મતલબ કે કોઈ પણ મૃત્યુ પાછળ જીવનાર કોઈકને માટે તો દુ:ખકર નીવડવાનું જ, ખાસ કરીને માનસીક દુ:ખને સન્દર્ભે. કીન્તુ એ તો ગમે ત્યારે પણ એકદા અનીવાર્ય છે જ, એમ સમજી–સ્વીકારી સહી લેવાનું–સ્વજન, સ્નેહી દુર દેશાવર જઈ રહ્યું હોય એવા ભાવે અર્થાત્

ગણ્યું જે પ્યારું પ્યારાએ,
અતીપ્યારું ગણી લેજે!
(બાલાશંકર)

કાયમી વીદાય લેનાર વ્યક્તી આવી બાબતોએ જો સમાધાન કે સંમતી સાધી શકે તો એ વળી ઉત્તમ; કારણ કે થોડા વહેલા–મોડાનો જ આ સવાલ છે. ટુંકમાં, તમારા મૃત્યુથી પાછળ કોઈ ભુખે મરવાનું હોય તો તમારે જીવવાની કોશીશ કરવી જોઈએ, જ્યારે તમારા જીવનથી કોઈ દુ:ખી થતું હોય તો તમારે મરવાની કોશીશ કરવી જોઈએ. અને જો તમારી પોતાની કે અન્યની વેદના–યાતનાના સંભવને કારણે તમે સ્વેચ્છામૃત્યુ ઈચ્છો ત્યારે એથી સ્નેહીજનને થનાર વીરહની વેદના બાબતે સમાધાનની કોશીશ કરવી જોઈએ.

મારા આ વીચારો કોઈ પણ સન્દર્ભે આત્યંતીક નથી, એનોય એક સચોટ પુરાવો અન્તે આપી જ દઉં: તેરાપંથી જૈન સમ્પ્રદાયમાં ‘સંથારા’નો ધાર્મીક આદેશ છે જ, જે ધાર્મીક પુણ્યકાર્ય જ લેખાય છે. એનો સીદ્ધાન્ત છે: ‘જ્યારે તમને તમારું જીવન સંપુર્ણ કૃતકૃત્ય પ્રતીત થતું હોય, જેથી હવે પછી વધુ જીવવું એ અનાવશ્યક કે આ ધરતીને માથે બોજારુપ લાગતું હોય ત્યારે એવા નીરર્થક અસ્તીત્વનો સ્વેચ્છાએ અન્ત લાવી દેવો’ (સ્પષ્ટતા : આ અવતરણ નથી, સારાંશ–ધ્વનીરુપ વીધાન જ છે) અને સમગ્ર જૈન સમાજમાં પણ સાધુઓ માટે તો સંથારાનો ધર્માદેશ છે જ. આ ધાર્મીક રીવાજ પાછળ રહેલી ઉચ્ચ ભાવના જો માનવજાત સમજે અને સ્વીકારે તો સ્વેચ્છામૃત્યુ અનીચ્છનીય નહીં ગણાય અને આપઘાતવીરોધી કાયદાઓ રદ થશે. અરે, સમાજ તથા સરકાર કોઈ પણ નાગરીકને આત્મહત્યામાં સહાયભુત બને એમ પણ બને અને બનવું જોઈએ. યાદ રાખો કે આજના આ લેખનો પ્રધાન ધ્વની તથા ખાસ અનુરોધ કેવળ સ્વેચ્છામુત્યુનો નથી, વધુ ભાર તો અત્રે ‘સુયોગ્ય કાળે મૃત્યુ’ ઉપર મુકવા ઈચ્છું છું. અર્થાત્ જીવનમાં જ્યારે તમારાં માન–સન્માન, મુલ્ય, કીર્તી, સ્થાન પ્રાપ્તી–પ્રદાન આદી સર્વોચ્ચ પરાકાષ્ઠાની ઝળહળતી અવસ્થામાં હોય ત્યારે શાન્તી–આનન્દપુર્વક વીદાય લેજો.

ભરત વાક્ય
Under the wide and starry sky,
Dig me a grave and let me die…

‘અસીમ તારાખચીત આકાશની નીચે મારી કબર ખોદો અને મને ચીરવીદાય લેવા દો. હું આનન્દપુર્વક જીવ્યો અને હવે આનન્દપુર્વક મરું છું. સમ્પુર્ણ સ્વેચ્છાએ જ હવે હું આ કબરમાં અનન્ત નીદ્રામાં પોઢી જાઉં છું.’ –સ્ટીવન્સન

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

મુમ્બઈનું દૈનીક ‘સમકાલીન’ (હવે બંધ છે)માં, દર મંગળવારે પ્રગટ થતી રહેલી પ્રા.રમણ પાઠકની લોકપ્રીય કટાર ‘સંશયની સાધના’માં પ્રગટ થયેલા ઘણાબધા લેખોમાંથી, આપણા ગઝલકારમીત્ર વીજ્ઞાનવીદ્, રૅશનાલીસ્ટ અને  એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતના આચાર્ય શ્રી. સુનીલ શાહે પસંદ કરેલા લેખોનું, ડીસેમ્બર 2008માં, પુસ્તક ‘વીવેક–વલ્લભ’ ગ્રંથનું સમ્પાદન કર્યું. સુરતના ઉદ્યોગપતી, રૅશનાલીસ્ટ, ચીન્તક, વક્તા અને લેખકમીત્ર શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા (vallabhitaliya@gmail.com)નો આર્થીક સહયોગ મળતાં તે ગ્રંથ પ્રકાશીત થયો.

‘વીવેક–વલ્લભ’ પુસ્તક (આઉટ ઓફ પ્રીન્ટ છે; ‘વીવેક–વલ્લભ’ પુસ્તકની ઈ.બુક નંબર – 4 ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.com/wp-content/uploads/2022/01/ebook_04_vivekvallabh_raman_pathak_final_2015-08-02.pdf )નું આ પ્રકરણ–30, લેખકશ્રી અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર… ..ગોવીન્દ મારુ..

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :
અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી 61 ઈ.બુક્સ’ ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ વીભાગ’ https://govindmaru.com/ebooks/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@gmail.com પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને ઈ.બુક્સ મોકલી આપીશ. (Update: 10/06/2022)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..    ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર–નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@gmail.com

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01/05/2015

24 Comments

  1. Some time ago, I had received an e-mail from one of my contacts, which touched my heart. Here is that e-mail message:

    ———————————————-

    When I’ll be dead…..,
    Your tears will flow,..
    But I won ‘t know…

    Cry for me now instead !

    You will send flowers,..
    But I won’t see…

    Send them now instead !

    You’ll say words of praise,..
    But I won’t hear..

    Praise me now instead !

    You’ll forget my faults,..
    But I won’t know…

    Forget them now, instead !

    You’ll remember me for a couple of days……
    (Then, you will forget me, because I was).

    Remember me now instead…………

    (Because I am !)

    You’ll miss me then,…
    But I won’t feel…

    Miss me now, instead

    You’ll wish…
    You could have spent more time with me,…

    Spend it now instead !!

    ”Spend time with every person u luv

    Make them feel Special” ,

    Life is short…

    ———————————————————-

    Qasim Abbas
    Canada

    Liked by 2 people

  2. નગ્ન સત્ય વાત છે! આપ મૂઆ બાદ ડૂબ ગઈ દુનીયા! માંગ્યા મોત મળતાં હોત તો શું જાઈતું હતું?

    Like

  3. Very nice article. Sincerely, Kantilal Sharma Voluntary Social Worker Plaza Apartments 91 Sip Ave.Apt. 502 Jersey City, NJ 07306 (R)(201) 795-1069 (C) 704 290 8973. From: અભીવ્યક્તી To: sharmakantilal@yahoo.com Sent: Friday, May 1, 2015 9:55 AM Subject: [New post] આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો ! #yiv7071418700 a:hover {color:red;}#yiv7071418700 a {text-decoration:none;color:#0088cc;}#yiv7071418700 a.yiv7071418700primaryactionlink:link, #yiv7071418700 a.yiv7071418700primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv7071418700 a.yiv7071418700primaryactionlink:hover, #yiv7071418700 a.yiv7071418700primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv7071418700 WordPress.com | ગોવીન્દ મારુ posted: “આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો !નુતન વર્ષની શુભેચ્છા–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)(For ‘adults’ only)નવા વર્ષની આવી અભીનવ શુભેચ્છા મીત્રોને પાઠવું છું એથી કેટલાક ખરે જ નારાજ થઈ જશે; પણ એવી કોઈ આવશ્યક્તા નથી. આ તો ગમે તો સ્વીકારો–જેવી જ મંગલ કામના છે. લ્” | |

    Like

  4. Khubj umda lekh manav jat je ghadpan ma yatna bhogve chhe ane darek kshane mot mate kakludi kare chhe ( kadi na joyela bhagvano pase je fakt sambhadela ke vanchela hoi pan hakikat ma nathi ane jo hoi to param krupalu dayalu ne badle atishay krur nirday evu visheshan shobhe) teva sanjogo ma swechchha mrutyu yogya j hovu joiye.

    Like

  5. Human nature: Living their life in ‘FEAR’….fear of everything including death. And when you die, you do not have any feeling left for anyone or anything…. So why should we afraid of death?

    Well explained article…..

    Like

  6. બહુ સાચી વાત છે લેખકશ્રીની. પણ સુખદ અને શુભ મ્રુત્યુ માટે કદાચ પ્રયત્ન નથી કરાવો પડતો. મોટે ભાગે જેવું જીવન હોય તેવું જ મ્રુત્યુ હોય છે. માણસના મૃત્યુમાં તેના જીવનનું પ્રતિબિંબ ડોકાતું હોય છે. જે માણસ સરળ હોય તે જીવનનાં બંધનોને સરળતાથી ફગાવી મૃત્યુને ભેટી શકે છે. જે માણસ આંટીઘૂંટીથી ઉંચો જ ન આવ્યો હોય તે માણસ રીબાઈ રીબાઈને મારે છે. સુખદ અને શુભ મ્રુત્યુ માટે સુખદ અને શુભ જીવન જરૂરી છે !

    Liked by 1 person

  7. Lekh Mahadanshe satyapratit thay chhe.
    parantu kadavi vastvikata e pan chhe ke shri Raman Pathak pote ghanu lambu jivya ane te pan pachhali ummare patharivash..antimdivaso lagbhag lachar sthitima…Jijivisha ishvare evi muki chhe prani matrama ke e khud potan a vicharo amalma na muki shakya..!

    Liked by 1 person

    1. રેશનાલીઝમની મર્યાદાનું આ એક ઉદાહરણ છે. વ્યક્તિ ગમે તેટલું ઈચ્છે, કુદરત (ઈશ્વર) આગળ કશું ચાલતું નથી.

      Like

  8. જીવન માટે આશા આવશ્યક છે, આશાનો પાયો છે શ્રદ્ધા. બધી બાજુથી અત્યંત વિષમ સંયોગોથી ઘેરાયેલી વ્યક્તિ નિરાશ થઈને જો રેશનલ દૃષ્ટિકોણથી વિચારે તો તેને એમ લાગી શકે કે આપઘાત કરવા સિવાય બીજો કશો ઉપાય નથી. આવો વિચાર આવવાનું કારણ શ્રદ્ધાનો સદંતર અભાવ. કોઈના પર કે કશાક પર જો શ્રદ્ધા હોય તો આશાનું નાનું સરખું પણ કિરણ તે વ્યક્તિને જીવતી રાખી શકે. છતાં કોઈ વ્યક્તિ જીવન ટુંકાવવાનું નક્કી કરે તો પણ તે પોતાના હાથમાં નથી હોતું. આપઘાતના પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે. ડોક્ટરોએ આશા છોડી દીધી હોય તેવી વ્યક્તિઓ પણ ત્યાર બાદ ઘણું લાંબુ જીવી જતી હોય છે.

    સંથારો કરવાનો વિચાર સારો છે. તેમાં પણ ખોરાક પુરેપુરો બંધ કરવાને બદલે થોડો તો ચાલુ રાખવો જોઈએ કે જેથી પોતાના શરીરની સ્વચ્છતા જાળવી શકાય, બીજાઓ પર આધાર રાખવો ના પડે.

    કેટલાક વયસ્કો સહેજ પણ બેચેની લાગે કે તરત ડોક્ટર પાસે કે હોસ્પિટલમાં પહોંચી જાય છે તે અનુચિત નથી લાગતું?

    પ્રાણત્યાગને બદલે વધારે અગત્ય છે સત્તા અને અંકુશને છોડવાની. કોઈ કોઈ સત્તાધારીઓ પોતે ગમે તેટલા માંદા અથવા અશક્ત થઇ જાય તો પણ સત્તા પકડી રાખે છે. નાના કુટુંબોના વડાઓ પણ છેલ્લા શ્વાસ સુધી પોતાનો અંકુશ જતો નથી કરતા. તે યોગ્ય છે?

    Like

  9. ખુબ જ સુંદર લેખ, વર્તમાન ડો.કર્વાર્કિયન પણ આજ મતે અમલ કરનારા જવામર્દ હતા.
    જે સંત કબીર સાહેબ ૬૦૦ વર્ષ પહેલા સાચે જ કહી ગયા કે
    ” आप मुए पीछे डूब गई दुनिया “

    Like

  10. જીવનનું આ અંતિમ સત્ય..શુભ રીતે પાર પડે, એ જ સૌથી ઉત્તમ. સ્નેહીજનો, પરિવારના ભાવો…એટલે ભાવ બંધન..જીવતા માણ્યું એટલે જ આપ્તજનની વિદાય વસમી લાગે…જનારને તો ગયા પછી..નવી સફર જ, રહે એ વલખે પણ લેખમાં સત્યતાનાં દર્શન દેખાય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  11. જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. જેમ એક કોષી અમિબામાંથી કાળક્રમે બહુકોષી અને વિકસિત માનવ જાતિ થઈ તેમ સુપરસ્ટ્રીંગ કે સુપર કણના વિવિધપ્રકારના જોડાણોથી જેને આપણે મૂળભૂત કણો (જેમકે ક્વાર્ક) થયા અને પરમાણુઓ બન્યા. પરમાણુઓના અનુકુળ સંજોગોમાં અણુઓ બન્યા. અણુઓએ પણ અનુકુળસંજોગોમાં નવા અને વધુ સંકિર્ણ અણુઓ બનાવ્યા. આ સંકિર્ણ અણુઓમાંથી જટિલ કે વધુ સંકીર્ણ રીપ્રોડક્ટીવ અણુઓ બન્યા જેને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. દરેક પદાર્થ નો ગુણ છે કે તે પોતાની યુનીકનેસ (એકત્વ) જાળવી રાખે. જેને આપણે જીજીવિષા કહીએ છીએ. પણ બાહ્ય બળો થી કોઈ અલિપ્ત નથી. દરેક પદાર્થ અણુઓનો બનેલો હોવાથી અણુઓ વધુ સ્થાયી સ્થિતિ તરફ જવાનો પ્રયત્ન કરે છે. એકસ્થિતિથી બીજી સ્થિતિ તરફ અને બીજી સ્થિતિમાંથી ત્રીજી સ્થિતિ તરફ એવી ક્રિયા સતત ચાલતીજ રહે છે. આ બીજી સ્થિતિ ની આવરદા એક સેકન્ડના પરાર્ધોના પરાર્ધોના ભાગ થી માંડી અબજો વર્ષ સુધીની હોય છે. સુપર કણ કે સુપર સ્ટ્રીંગ કે સુપર મેંબ્રેન સ્થુળ છે કે તરંગ છે તે કોઈ જાણતું નથી. જે સુક્ષ્મ છે તેઓ ને ૨૬ આયામો (ડાઈમેન્શન) હોય છે. આપણા ઉપકરણો ત્રણ વત્તા એક (લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) આયામ પુરતા સીમિત હોય છે. તેથી તેને આપણે સમજી સકતા નથી કે અનુભૂતિ શકતા નથી. પણ ગણિત તેને વિષે ક્યારેક થોડું અને ક્યારેક ઘણું બધું કહી શકે છે. સુખ અને દુઃખ શું છે અને ઈશ્વર શું છે? આ વાતને મૂળભૂત રીતે સમજવા માટે સુક્ષ્મ વિશ્વ અને વિશાળ વિશ્વના ગુણોને સમજવા પડે.
    એકવાત ધ્યાનમાં રાખો, કશું અલૌકિક નથી. કશું જડ નથી. બધું જ ચૈતન્યમય છે. બધું જ સજીવ છે.

    Like

  12. [(For ‘adults’ only)
    નવા વર્ષની આવી અભીનવ શુભેચ્છા મીત્રોને પાઠવું છું એથી કેટલાક ખરે જ નારાજ થઈ જશે; પણ એવી કોઈ આવશ્યક્તા નથી. આ તો ગમે તો સ્વીકારો–જેવી જ મંગલ કામના છે. લ્યો, ઝટપટ સ્પષ્ટતા કરી દઉં: Eric Hoffer કહે છે, A great man’s greatest luck is to die at the right time.
    વાચકમીત્રોમાંથી જે great – મહાન હશે તેઓ તો મારી આ શુભેચ્છાનો સાભાર સ્વીકાર જ કરશે, કારણ કે;હોફર સાચું જ કહે છે કે, ‘મહાન માણસોનું મહાનતમ સદ્ ભાગ્ય એ લેખાય કે તેઓ સુયોગ્ય સમયે આ સંસારમાંથી વીદાય લે.’[
    પૂજનીયશ્રીની વાત સો ટકા સત્ય છે. પણ, આપણો સમાજ અને ન્યાયાયિકો આ સત્યનો સ્વીકાર કરશે? વર્ષો પહેલાં રેપ પીડિતા અને કોમમાં સરી પડેલ અરૂણા શાનબાગની સ્વેચ્છા મુત્યુની માગણીને સામાજિકો અને ન્યાયાયિકોએ ઠુકરાવી હતી ત્યારે લખાયેલું આ કાવ્ય અહી મૂકું છું.
    મુક્તિ નથી
    ક્ષણે ક્ષણે તૂટતા શ્વાસોની દોજખ શી જિંદગીની,
    કરાલ ઊંડી ખીણની ધાર પર લટકતા મોતની
    ભાઈ, તરસ તો કરો!
    કાળકોટડીમાં સૂતેલ જીવંત અસહાય શબની
    લોચન લખોટીઓની સપાટી થીજેલ આંસુની
    ભાઈ, તરસ તો કરો!
    વજનદાર હવામાનની બીહડ અસહ છત હેઠળ,
    મંડરાતા અને સ્વજન કીકીઓમાં ડોકાઈ રહેલ,
    ચામાચીડીયાં અને તેમના બીભત્સ ચિત્કારની
    ભાઈ, તરસ તો કરો!
    ઓ વ્યસ્ત, મસ્ત સંથારા, સમાધીમાં મ્હાલનારા!
    ખોલી દો! શાસ્ત્ર, નીતિ-ન્યાયનાં દામ્ભિક તાળાં।
    આ યાતનાના આંદામની કેદીની અકથ્ય વેદનાની,
    ભાઈ, તરસ તો કરો!
    મુક્તિ છે ધર્મને, મુક્તિ છે માત્ર માત્ર પાંડુ પુત્રોને
    મુક્તિ છે પૂંઠે ચાલ્યા આવતા એકલા એક શ્વાનને
    ના,ના, મુક્તિ નથી કેવળ દુખિતા, પિડિતા કૃષ્ણાને।
    ભાઈ, તરસ તો કરો!

    Liked by 1 person

  13. અડઘું ગ્લાસ ખાલી છે અને અડઘું ગ્લાસ ભરેલું છે….તે કદાચ ‘ સ્વેચ્છામૃત્યુ‘ કે ‘ સ્વેચ્છાજીવન‘ વિષે પણ વાપરી શકાય. ભીષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન હતું તે મહાભારત નામના મહાકાવ્યના લેખકે લખેલું. હારાકીરી કે સુસાઇડ..કે.આત્મસમર્પણ…કે આપઘાત કોઇ પણ સ્વેચ્છામૃત્યુ કે ઇચ્છાજીવનની ચવ્યાખ્યામાં આવી શકે નહિ.
    પૃથ્વિ ઉપરના જીવનને …વનસ્પતિ કે પ્રાણિને સેલ્ફ લાઇફ સર્કલ મળેલું હોય છે. વનસ્પતિ પોતાનું જીવન તે કુદરતે આપેલાં ચક્રને આઘિન પુરુ કરે છે. પ્રાણિઓમાં આપણે માણસની વાત કરીઅે તો મેડીકલ સાયંસે કરેલી શોઘોઅે , રોગોને માટે દવાઓ કે ટરીટમેનટ ન હતી ત્યારેના જીવન કરતાં જીવાદોરી લંબાવવાનું કાર્ય કર્યુ છે. શ્રી રમણભાઇને પણ હોસ્પિટલ અને ડોક્ટરોની મદદથી જીવન વઘુ જીવવામા મદદ મળેલી. તે મદદ વિના તઓ કદાચ વહેલાં ગુજરી ગયા હોત.(?)…..
    કવિ સુંદરમે કહેલું, ‘ અશક્તી આત્મહત્યાની, અેને આશા કહે જનો !‘
    અાત્મહત્યા અે સ્વેચ્છામુત્યુ નથી. દુ:ખી થઇને જીવનદોરી ટૂકાવવી અે સ્વચ્છામૃત્યુ ના કહેવાય.
    મારી વિવેકબુઘ્ઘિ, મારું લોજીક, તર્કપૂર્ણ વિચારશીલતા કહે છે કે જ્યારે આપણે સ્વસ્થ જીવન જીવતાં હોઇઅે, સારા નરસાની વ્યાખ્યા સમજતાં હોઇઅે, પોતાનું આ જીવન પોતાને મળેલાં કર્મો કરીને સંતોષ અને આનંદમય જીવન જીવતું હોય, ત્યારે કુદરતી મૃત્યુ પછી પોતાના શરીરનું મેડીકલ વિજ્ઞાનને રીસર્ચ માટે અથવા તે શરીરની અંદરના ઉપયોગી અંગોનું બીજા નીડીને જીવનદાન આપવા માટે વાપરવા દેવા દાન કરીઅે તેને સ્વેચ્છામુત્યુ કહેવાય. ‘ હું મારી સજાગતામાં મારા જીવનને લોકાર્પણ કરું તે જ મારું સ્વચ્છામૃત્યુ.‘
    નહિ તો…‘ આપ મૂઅે ફીર ડૂબ ગઇ દુનિયા.‘
    હું કહીશ કે આવતા મહિનાની બીજી તારીખે હું દેહત્યાગ કરીશ તે ઇચ્છામૃત્યુ નથી કે સ્વેચ્છામૃત્યુ નથી.( તે કદાચ કોઇ અજાણ સંજોગોમાં ખરું અે પડે.)
    સ્વેચ્છાઅે અેવું જીવન જીવો કે તમારા ગયા પછી પણ તમારી યાદ જીવતી રહે…તે સ્વેચ્છા જીવન….અને તે જ પોતે ઘડેલું પોતાનું જીવન અને મરણ…સ્વેચ્છા મરણ….
    અમૃત હઝારી.

    Liked by 1 person

  14. “સ્વેચ્છાઅે અેવું જીવન જીવો કે તમારા ગયા પછી પણ તમારી યાદ જીવતી રહે…તે સ્વેચ્છા જીવન….અને તે જ પોતે ઘડેલું પોતાનું જીવન અને મરણ…સ્વેચ્છા મરણ….”

    ખુબ સરસ અને મુદ્દાની વાત લખી, અમૃતભાઈ.

    Like

  15. Eric Hoffer કહે છે, A great man’s greatest luck is to die at the right time. That is only for old, depressed and people who dependent on others. In world so many people live curse life or in coma (living in nursing home without help of family). Just like person has to retire on his best tim;. We have to Live this world at our best time.
    At the time of over eighty five or more is the best time for Ichchha Mrutyu.
    By the way we may not be a burden on society, relatives, and also National Economy.

    Like

  16. मांगने से जो मौत मिल जाती ,कौन जीता फिर इस जमाने में

    Like

  17. પ્રિય ગોવિંદ ભાઈ મેં તો ક્યારનુંય મારા દીકરા અને અંગત મિત્રોને કહી રાખ્યું છે કે ,જયારે મારો શ્વાસ અટકતો અટકતો ચાલતો હોય જેને ઉર્દુમાં न ज अ का आलम કહે છે ત્યારે મારી છાતી દબાવીને મારા શ્વાસ ચાલુ કરવાની કોશિષ ન કરવી પણ મને મૃત્યુને ભેટવા દેવો .
    હું બહુ લહેરથી જીવ્યો છું હાલ હું કંઈ નાની ઉમરનો નથી . મારી ચોથી પેઢીનો જુવાન એકલો अकेलाही मेरा जनाज़ा उठाकर श्मशान तक ले जा शकता है .

    Like

  18. યુ.એસ.એ.ના ડોક્ટર જેક કવોર્કિઅન, જે યૂથનેઝિઆ એક્ટીવિસ્ટ હતા અને જેમણે જાહેરમાં ટર્મીનલી ઇલ દર્દીઓને મરવા માટે મદદ કરી વર્ષો જેલ ભોગવી હતી. તેઓ માનતા કે જીવલેણ, અસાધ્ય રોગથી પીડાતા માનવી માટે મરવું એ ગુનો નથી અને એમને ડેથ વિથ ડિગ્નિટિ બક્ષવી એ એક ડોક્ટરની ફરજ છે. પરંતુ ધર્મના ધૂરંધરો તેમ જ સમાજનો એક મોટો ભાગ એમની આ વાત સાથે સહમત નથી. ડોક્ટર આસિસ્ટેડ સુસાઈડ જો લીગલાઈઝ કરવામાં આવે તો પશ્ચીમના કેટલાક દેશોમાં, જ્યાં હેલ્થ કેરનો બોજ ગવર્મેન્ટ ઉપાડી રહી છે એ આ રીતે ઓછો પણ થઈ શકે.

    બેબી બુમર્સ ની પેઢી, જે દિવસે દિવસે ઘરડી થઈ રહી છે અને આધુનિક વૈજ્ઞાનિક સગવડોને લઈને લાંબુ જીવવાની છે. આ હેલ્થ કેરનો બોઝ કોણ ઉપાડશે? નવી પેઢી? આ વિશ્વવ્યાપક, ચડસાચડસીના સંઘર્ષમાં એ કરી શકશે?

    આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ ઇચ્છા પ્રમાણે દેહત્યાગ કર્યાના ઉલ્લેખો જોવા મળે છે. તાર્કિક દષ્ટિએ જોતા અને વિવેક બુદ્ધિથી વિચારતા, આત્યંતિક દુ:ખથી છુટકારો એ જ શું મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ ના હોવો જોઈએ?!

    Like

  19. मुंबईमां मोटी सरकारी होस्पीटलमां एक नर्स उपर 40-45 वरस अगाउ अत्याचार करी कुतराने बांधवानी सांकळथी गळु दबावी मारी नाखी. ए नर्सनुं तो खरेखर मृत्यु थयी गयेल पण शरीर जीवतुं हतुं.

    आवडी मोटी प्रख्यात अने आधुनीक सगवडो साथे होस्पीटलमां ए नर्सने 40-45 वरस कोमामां पसार करवा पडया. मारा शीवरीना नीवास स्थानथी मांड 1-2 कीलोमीटर दुर अने ए होस्पीटलमां नीयमीत दर्दीओने जोवा पण जाउं. आ नर्सना शरीरने म्रुत्यु थवामां आटला वरसो लाग्या एटले लागे छे मगज नहीं शरीरनुं महत्व छे. मीत्रो शरीरने शारुं लागे त्यां सुधी नेट, ब्लोग, स्मार्टफोन, पीसी बधाने उपयोग करी लेजो….

    Like

  20. As per Swiss law to help a person to commit suicide without any financial benefit is legal.their is one institution namely Dignitas is working there who helps people to commit suicide.There web site is http://www.dignitas.ch..I strongly believe that when you feel that ‘enough is enough’.you have right to terminate your life with dignity.Any reader who believe in this ideology may get in touch with this organistion on e-mail to know further details.one year back shri.Dipak Solia has written an article in Divya Bhasker-‘-Sunder-ati sunder’ it is worth reading.

    Like

Leave a comment