અધ્યાત્મનો  અનુબન્ધ

5

   મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત અંક 04 ( https://govindmaru.com/2015/04/17/culture-can-kill-4/ )ના અનુસન્ધાનમાં..)

‘આપણા પછાતપણાનું સૌથી મહત્ત્વનું કારણ આપણી પ્રાચીન માન્યતાઓમાં રહેલું છે. મનુષ્યો એમની માન્યતાઓ અનુસાર વર્તન કરે છે અને માન્યતાઓ બાળપણમાં મળેલા સંસ્કારોથી ઘડાય છે. આપણી માન્યતાઓ, આપણાં વલણો, રીતરીવાજો, રુઢીઓ, એ સર્વ ભારતીય સંસ્કારોનો એક ભાગ છે; અને એ સંસ્કારોનાં મુળ અતી પ્રાચીન કાળથી ધર્મમાં રહેલાં છે. તેથી ભારતીય સંસ્કારોને યથાયોગ્ય રીતે વર્ણવવા કે બદલવા હોય, તો સૌથી પહેલાં ધર્મ અને અધ્યાત્મની વાત કરવી પડે.’    –સ્વામીવીવેકાનંદ.

આ લેખનો વીષય ‘ધર્મ કે અધ્યાત્મ’ નથી. પણ એમના વીના જો આપણા કુટપ્રશ્નો સમજી શકાતા ન હોય, તો સૌ પ્રથમ એ બન્ને સમજવાં પડે. અધ્યાત્મના ગંભીર અને વ્યાપક વીષયમાં બહુ ઉંડી ડુબકી માર્યા વીના આ પ્રકરણમાં એની થોડીક કામ પુરતી વાતો જ કરીશું.

શ્રદ્ધા બદલવી સહેલ નથી. શીક્ષણ કે તર્કશક્તી, બુદ્ધી કે પંડીતાઈ, વીચાર કે વીવેક, એમાંનું કાંઈ ધર્મ અને શ્રદ્ધા સામે કામ કરતું નથી. છતાં કો’ક આંચકો, કૈંક ઉથલપાથલ, કો’ક મરણ જેવો પ્રસંગ, આવું કંઈક બને અને માણસની માન્યતાને એક જ ક્ષણમાં પલટી નાખે એ શક્ય છે. હજાર દલીલો જે કામ ના કરી શકે તે કામ એક અકસ્માત કરે છે. આવી શ્રદ્ધા માણસના સમગ્ર અભીગમને, સમસ્ત વર્તનને બદલી શકે છે. અધ્યાત્મ એ માણસને બદલનાર સૌથી મોટી શક્તી છે.

♦ માન્યતા (Belief) અને શ્રદ્ધા (Faith) :

પ્રશ્ન, પુરાવો, તર્ક કે શંકા વીના કોઈ માન્યતા સ્વીકારીને એને દૃઢતાથી વળગી રહીએ ત્યારે, વ્યાવહારીક વીષયમાં એને નીષ્ઠા કે વીશ્વાસ, અને આધ્યાત્મીક વીષયમાં એને શ્રદ્ધા કહેવાય છે. સમાજમાંથી, કુટુમ્બમાંથી અને ધર્મમાંથી ગ્રહણ કરીને ઉંડી માન્યતાઓને આપણે સ્વીકારી લઈએ છીએ. વીચારશક્તી પુરી વીકાસ પામેલી ન હોય એટલી નાની ઉંમરમાં આ બનતું હોય છે. મોટા થયા પછી એમને બદલવાનું તો દુર રહ્યું; એ વીશે પ્રશ્ન કરવાનાં બુદ્ધી, શક્તી, જ્ઞાન, રસ, રુચી, હીમ્મત કે સમય સુધ્ધાં, બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. પરીણામે રુઢીગત માન્યતાઓ ચીલાચાલુ સ્વરુપમાં સર્વસ્વીકૃત બનતી જાય છે. જેની પાસે શક્તી ને જ્ઞાન હોય તેવા અનેક પાસે રસ, રુચી કે હીમ્મત હોય જ એ હમ્મેશાં શક્ય નથી. તેઓ પોતાની રુઢ માન્યતાઓને બુદ્ધીથી સાચી (Rational) ઠેરવવા પ્રયત્નશીલ રહેતા હોય છે. શ્રદ્ધા એ રંગીન કાચનાં ચશ્માં જેવી છે. વાસ્તવીક હકીકતને જે રંગનાં ચશ્માંમાંથી જોઈએ એ જ રંગની એ દેખાય; બીજા બધા રંગ એમાંથી બાદ થઈ જાય. પછી એ જ રંગ સાચો એમ સાબીત કરવાનાં કારણો આપણે બુદ્ધી વાપરીને શોધી કાઢીએ, ને આપણી માન્યતાને સાચી ઠેરવીએ. ઈશ્વરમાં ઉંડી શ્રદ્ધાવાળો માણસ ગમે તેટલો ભયાનક ધરતીકંપ જોયા પછી પણ ‘હે ઈશ્વર, તું દયાળુ છે’, એવું બોલવાનું ભાગ્યે જ બંધ કરે છે. માન્યતા કરતાં સત્ય હકીકત સાવ જુદી હોય ત્યારે માણસ શબ્દોની રમતથી, ચબરાકી ભરેલી દલીલોથી, કે અપ્રામાણીક છટકબારીઓ શોધીને પોતાની માન્યતાનો બચાવ કરે છે. અનેક ડાહ્યા ને પ્રામાણીક સજ્જનોએ ગુલામીની અને અસ્પૃશ્યતાની ઘૃણાજનક પ્રથાને સારી ને સાચી ઠેરવવા દલીલો કરી છે. એ જ રીતે જીહાદ, ક્રુરતા, ક્રુઝેડ, ડાકણો, પૃથ્વીકેન્દ્રીય વીશ્વ, આ બધું એક સમયે તર્કસંગત (Rationalize) કરવામાં આવતું હતું એ ઈતીહાસ–સીદ્ધ હકીકત છે. હીન્દુ સમાજની મુર્તીપુજા, વીધીવીધાન, વીધવાઓનાં પુનર્લગ્નનો વીરોધ, વગેરે ઘણી બધી માન્યતાઓ આ વર્ગમાં આવે છે. ખ્રીસ્તી ધર્મમાં જીસસના પુનરુત્થાન વીશે, જૈનોમાં કંદમુળ ન ખાવા વીશે, આવી જ પરીસ્થીતી છે.

ધાર્મીક માન્યતા એ શ્રદ્ધાનો વીષય છે; બુદ્ધીનો નહીં, એમ કહેવાય છે. સીક્કાની સારી બાજુને શ્રદ્ધા કહીએ તો એ જ સીક્કાની બીજી બાજુને અન્તીમવાદ કે ધર્માંધતા કહેવી પડે. ‘મારા સત્યમાં મારી અડગ અને અનન્ય શ્રદ્ધા છે; મારું સત્ય જ સાચું, પુરેપુરું સાચું અને એમાં સત્ય સીવાય બીજું કંઈ જ નહીં.’ ડાહ્યા માણસો આમ બોલે કે નહીં તો પણ, એમની આવી શ્રદ્ધાનો અર્થ સામેવાળાના સત્યમાં અશ્રદ્ધા જ થયો. અન્તીમવાદીઓ, માર્ગ ભુલેલા મુર્ખાઓ ભાગ્યે જ હોય છે; મોટા ભાગના પોતાના ધર્મની માન્યતાઓમાં અડગ અને અનન્ય શ્રદ્ધાવાન એવા ઈશ્વરભક્ત હોય છે. બીન લાદેન અને અલ–કાએદાને તો બધા જાણે છે. અમેરીકામાં ‘Solar Temple’  નામના વ્યક્તીપુજક સમ્પ્રદાયથી 74 માણસો માર્યા ગયા હતા; જીમ જોન્સ નામના ગુરુએ આત્મઘાતી ‘People’s Temple’ સ્થાપ્યું હતું. અમેરીકન સમાજમાં જો આવું બની શકે, તો ભારતમાં ભગવાનો છાશવારે ઉગી નીકળે એમાં આશ્ચર્ય શાનું? ધર્મોના ચુસ્ત અનુયાયીઓને સહીષ્ણુતા દાખવવાનું કામ બહુ આકરું પડે છે. દરેક ધર્મ બીજા ધર્મને માર્ગ ભુલેલો ગણે છે. આપણી માન્યતા સત્ય પર નહીં; શ્રદ્ધા પર આધારીત હોય; છતાં આખી દુનીયાને આપણે મનાવવાની કોશીશ કરીએ છીએ કે અમારું અર્ધસત્ય એ જ એકમેવ પુર્ણ સત્ય છે.

અનેક માણસો સામાન્ય બુદ્ધીને બાજુએ રાખી લોજીક સામે લડવા ઈશ્વરનો ઉપયોગ કરે છે. યાત્રાએ જતાં જ મારા મીત્રને ગમ્ભીર કાર અકસ્માત થયો. એને સો ટકા ખાતરી થઈ ગઈ કે ઈશ્વરની દયાએ જ એને બચાવ્યો. પણ યાત્રા જ અટકી પડી; લાખોનો ખર્ચ, ભયંકર વેદના અને કાયમી અપંગ દશા. આ બધાં માટે કયો શયતાન જવાબદાર? કારનો ડ્રાઈવર? ખરાબ રસ્તો ? ધોધમાર વરસાદ, હૉસ્પીટલની બેદરકારી, પોતાની કમનસીબી, ગયા જનમનાં પાપ કે કલીયુગ? કોર્ટમાં વીમા કંપનીના કેસમાં વીદ્વાન જજ સાહેબે આ બધાંની જવાબદારી ટકાવાર ઠરાવી આપી તેમ છતાં; એ બાબતમાં એના મનમાં થોડીક શંકા રહી ગઈ ખરી!  જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે. આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી ? ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો ? માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય! શ્રદ્ધાનો આ અજબ જાદુ છે.

માન્યતા કે શ્રદ્ધા માનવજીવનનો પ્રેરણાસ્રોત છે. માણસની માન્યતાઓ એના જાગૃત કે અજાગૃત માનસમાં રહેલી હોઈ શકે; એના શબ્દો, રીતીનીતી, વીગતો કે વાર્તાઓ બદલાતાં રહે; પણ પોતાની માન્યતાઓને અનુસરીને જ માણસો કામ કરતા રહે છે. માણસ કેવો છે, શું કરે છે, કેવી રીતે એ કરે છે, એ બધાનો આધાર એની માન્યતાઓ પર હોય છે. મહાવીર કે મહમદમાં શ્રદ્ધા ધરાવતા માણસો વીચાર – વાણી – વર્તનમાં તદ્દન જુદા હોય છે, એ તો સહેલાઈથી ધ્યાનમાં આવે એવી વાત છે. તેથી વ્યક્તી અને સમાજ ઉપર કોઈપણ પ્રકારની માન્યતાની સારી–નરસી અસરો શી થાય છે એનો તલસ્પર્શી અભ્યાસ અતી આવશ્યક છે. અભ્યાસ કર્યા પછી એની નીખાલસ ચર્ચા–વીચારણા કરવામાં કોઈ બંધન હોવું જરુરી નથી. વ્યક્તીગત રીતે અને સમુહમાં, એમ બન્ને રીતે ધર્મ આચરવામાં આવે છે અને ધર્મ એ આધ્યાત્મીક ઉપરાન્ત એક સામાજીક સંસ્થા પણ છે; જેમ શાસનતન્ત્ર છે; જેમ આર્થીક વ્યવસ્થાપન–તન્ત્ર છે; જેમ વીજ્ઞાન છે. આ બધી સંસ્થાઓનો ઉંડો પ્રભાવ સમાજ પર પડતો હોય છે અને તેમની ચર્ચાઓ આપણે કાયમ કરીએ જ છીએ. તો પછી શુભ આશયથી ધર્મની યથાયોગ્ય ચર્ચા શા માટે ટાળવી જોઈએ?

(ક્રમશ:)

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના ડીસેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક:

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક: www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશી બાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66  ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29/05/2015

15 Comments

  1. શ્રી સુબોઘભાઇના શબ્દે શબ્દ સાથે સહમત છું.
    અમૃત હઝારી.

    Like

  2. Samaj par jyan sudhi Guruo ni pakad raheshe tyan sudhi tamari vat sathe fakt juj rational thinking vala j sahmat thavana.Guru vina gyan nahi evu bharamavi bharmavi e loko juno daru pai pai ne motta samuh ne
    nasha ma j rakhe chhe.

    Like

  3. Once again Subodhbhai na article ma sari evi detail shradhaa maate jova mali chhe. In my opinion, Aam janataa Shradhaa shu chhe e j samji shakti nathi to pachhi ema badlaav kevi rite laavi sakaay?

    Like

  4. Sachot lekh 100% sahmat guru bhrahma…………… Tasmey shree guruve namah no mantra japti praja ne mate haju 21 mi sadi ma pan roj no ek guru pake chhe te desh na badha guruo ne lashkar ma bharti karva joiye desh mathe sanrakshan bajet ghatse ane bekari ghatse.

    Like

  5. ખુબ જ સુંદર લેખ અને ગુજરાતીમાં રજુઆત પણ ઘણી જ સરસ.
    આ નીચેની બાબતો કેટલી સચોટ રીતે રજુ કરી છે:
    “ધર્મોના ચુસ્ત અનુયાયીઓને સહીષ્ણુતા દાખવવાનું કામ બહુ આકરું પડે છે. દરેક ધર્મ બીજા ધર્મને માર્ગ ભુલેલો ગણે છે. આપણી માન્યતા સત્ય પર નહીં; શ્રદ્ધા પર આધારીત હોય; છતાં આખી દુનીયાને આપણે મનાવવાની કોશીશ કરીએ છીએ કે અમારું અર્ધસત્ય એ જ એકમેવ પુર્ણ સત્ય છે.”
    “જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે.”
    “આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી ? ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો ? માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય! શ્રદ્ધાનો આ અજબ જાદુ છે.”

    Like

  6. बचपणमां बार हाथनुं चीभळुं अने तेर हाथनुं बी खबर हती.

    बे चार दीवस पहेलां वेबगुर्जरी उपर वांच्युं के रेल्वेना पाटा ओळंगता दोडती ट्रेने वणकरभाईना बे टुकडा करी नाख्या. खाटकी के कसाई बकरी अने छुरी लई पसार थतो हतो एणे छुरीथी बकरीना बे टुकडा करी बकरीना नीचेना भागने वणकरना शरीरना बे टुकडामांथी उपरना भाग साथे जोडी दीधो. बे दीवस पछी आजनी तारीखमां आ वणकरभाई कपडुं वणे अने बकरीनो भाग एक बे लीटर दुध पण आपे. समजो बे दीवस पहेलांनी सत्यघटना…

    सुबोधभाई शाहना पुस्तक के लेखमांथी मुरब्बी श्री मुरजीभाईए रजुआत करी छे के हीन्दुओ युद्धमां जतां पहेलां गुरुना आशीर्वाद लेता, पुजा करता, शुकन जोता.

    हवे वीचारो पेला खाटकी के कसाईए पुजा के शुकन माटे राह जोई होततो वणकरभाईनी शी हालत थात?

    गोवाळीओ गाय के भेंसना पग बांधी कंईक मंत्र जेवुं बोली गाय के भेंसने दोही ले. ए हीसाबे गांधीजी महान कहेवाय. बकरीनुं दुध पीता. गाय के भेंस पासेथी चोरेलुं नहीं.

    महावीर के नाथद्वाराना अनुयायीने पुछवुं जोईए गायना पग बांधी वाछरडांनुं चोरेलुं दुध पीवाथी कई नारकीमां जवाय?

    …. મહાવીર કે મહમદમાં શ્રદ્ધા ધરાવતા માણસો વીચાર – વાણી – વર્તનમાં તદ્દન જુદા હોય છે, એ તો સહેલાઈથી ધ્યાનમાં આવે એવી વાત છે…..

    सुबोधभाईना पुस्तकमांथी एक प्रकरण मुरजीभाईए रजु करेल छे.

    Liked by 1 person

  7. Many friends above have blamed the Gurus. And I agree.
    Yet, Vivekanand was also a great Guru. Our own Swami Sachchidanand is also a Guru. Why don’t our people follow them?
    Why do they follow other kinds of Gurus like — — — well, you know who.
    I don’t understand this situation in India.
    Thanks, everyone. — — Subodh Shah –May 30.

    Like

  8. “ગુરુ વગર જ્ઞાન નહી” આ વાક્યને હિંદુ ધર્મમાં બ્રહ્મ વાક્ય માનવામાં આવે છે અને આજ હિંદુ ધર્મની મોટી ટ્રજેડી છે. એક વાર કોઈને ગુરુ બનાવી દો એટલે ખલાસ. ગુરુને દુનિયાની બધી જ વાતોની માહિતી છે, એમ માનવા લાગો. ઘરની, ઘરના સબંધોની, સંસારની, સમાજની, રાજ્યની, દેશની, કે વિશ્વની…, આ બધાની જાણકારી એમની પાસે કેવી રીતે હોઈ શકે? એ પણ આપણી જેમ માણસ જ છે. હું એક બુધ્ધિશાળી એન્જિનિયર કે સાયન્ટીસ હોઉં, તો મને મારા વિષય વિષે જાણકારી હોઈ શકે, પણ બીઝનેસ અથવા વકીલાત વિષે હું કેટલું જાણું? એટલે આ ગુરુઓ સર્વજ્ઞાની હોતા જ નથી અને હોઈ પણ ના શકે. જ્ઞાનની પણ એક મર્યાદા હોય છે. આખુ જીવન જ્ઞાન મેળવતા રહો તોય થોડા તો અધૂરા જ રહેવાના. પૂર્ણ જ્ઞાની કેવી રીતે બની શકો? પણ આ કહેવાતા ગુરુઓ માટે સમાજમાં ઘેટાઓની ક્યાં કમી હોય છે!

    અરે, ગુરુએ ધર્મના થોથા ઉથલાવ્યા છે એટલે એ થોડી ઘણી ધર્મની વાતો કરી શકે, પણ સંસારના વિકટ પ્રશ્નો એ ક્યાંથી ઉકેલી શકે. એમણે તો કદી સંસાર માંડ્યો નથી એનો અનુભવ, એનુ જ્ઞાન એમની પાસે ક્યાંથી હોઈ શકે? પણ ભોળી અને હાથે કરીને મૂરખ બનતી પ્રજા દરેક પ્રશ્નોના જવાબ એમની પાસે માગવા જશે. ખોટા જવાબો મેળવશે, પસ્તાસે પરંતુ શિખશે નહીં. પેલી ગુરુશ્રદ્ધા, અંધશ્રદ્ધા એમની બુધ્ધીને શીખવા નહીં દે.

    ગુરુનુ સ્થાન ગાઈડ જેવું હોવુ જોઈએ. શિક્ષક જેવું હોવુ જોઈએ, જે એમની વાતોને દબાણપૂર્વક માનવા મનાવવાનો આગ્રહ ના રાખે પરંતુ એમની વાતો સાંભળવા અને સાંભળ્યા બાદ વિચાર, મનન કરવા પ્રેરે. ગુરુને એક ગાઈડ, માર્ગદર્શક, આંગળી ચીંધનાર બનાવી શકાય. પણ ખૂબ સાવધાન રહેવું પડે. એ pedestal પર પહોંચી ના જાય કે પછી આપણે એમને pedestal પર પહોંચાડી ના દઇએ એ જોવું રહ્યું. ટૂંકમાં પોતે પોતાના ગુરુ બનવું જોઈએ. મારો ગુરુ હું, એ સત્ય સ્વિકારવુ રહ્યું.

    Like

Leave a comment