પ્રત્યેક ગુરુમન્દીર મોહનું સ્મારક છે

– રોહીત શાહ

એક તરફ મોહ છે તો બીજી તરફ મોક્ષ છે. મોહ એટલે હથેળીમાં મુકેલો ગોળ અને મોક્ષ એટલે કોણીએ વળગાડેલો ગોળ. હથેળીનો ગોળ ગમે ત્યારે ચાખી શકાય; પણ કોણીએ વળગેલો ગોળ કદી ચાખવાનો હોતો નથી, માત્ર એને ચાખવાનાં હવાઈ ખ્વાબ જોવાનાં હોય છે. આપણને ધર્મના નામે સદીઓથી ઉઠાં ભણાવવામાં આવ્યાં છે કે હાથમાં રહેલા ગોળ (સંસાર)ને ચાખવો એ પણ પાપ છે; ભલે એનો સ્વાદ મધુરો લાગતો હોય; છતાં એને કડવો કહીને ફેંકી દો. સ્વાદ માણવો હોય તો કોણીએ વળગેલા (મોક્ષ) ગોળનો માણો; ભલે એના સ્વાદનો કોઈ જ અનુભવ ન થતો હોય.

હાથમાં છે – રોકડું છે; એ ફેંકી દો અને કોણીએ છે – ઉધાર છે; એને પામવા વલખાં મારો તો તમે ધાર્મીક ગણાઓ, તો જ તમે આધ્યાત્મીક ગણાઓ. આપણો ધર્મ મુર્તીપુજા અને વ્યક્તીપુજામાં સદીઓથી અટવાઈ ગયેલો છે. હવેના સાધુઓએ ભગવાનનાં મન્દીરો બનાવવાની સાથોસાથ ગુરુમન્દીરો પણ બનાવવા માંડ્યાં છે. કોઈ પણ સાધુ અવસાન પામે એટલે તેના અન્તીમ સંસ્કારની દરેક વીધી માટે વેપાર થાય. જે ભક્ત વધુ પૈસા ખર્ચે તે દોણી પકડે, તે ઠાઠડી (પાલખી) ઉપાડે, તે અગ્નીદાહ આપે, વગેરે. આ વેપાર હવે કરોડો રુપીયાના આંકડે પહોંચ્યો છે. એવા મૃત્યુના વેપારમાંથી ‘ગુરુમન્દીર’ બનાવીને હજારો લોકોને વ્યક્તીપુજા તરફ ધકેલવાનું પાપ પ્રસરી રહ્યું છે. ગુરુના અન્તીમ સંસ્કાર માટેના ચડાવાની રકમમાંથી ગરીબ માણસો અને શ્રાવકો માટેની કોઈ યોજના નથી બનતી.

આપણને મોહ છોડવાનો ઉપદેશ આપતા સાધુઓને તેમના ગુરુ પ્રત્યે એટલો તીવ્ર મોહ અને રાગ હોય છે કે તેનું મન્દીર બનાવ્યા વગર રહી નથી શકતા. મારી દૃષ્ટીએ ગુરુમન્દીર એ મોહનું સ્મારક છે. વેવલાઈનું વરવું પ્રદર્શન છે. ઈશ્વરની પુજા–આરતી ઓછી પડી તે હવે ગુરુના નામની પુજા–આરતી કરાવવા માંડ્યા ! ધર્મમાંય નવાં ધતીંગો તો ઉભાં કરવાં જ પડેને! એના વગર ભોટ શ્રીમંત ભક્તોને ખંખેરી કેમ શકાય?

ગયા અઠવાડીયે મારી સામે એક પ્રશ્ન આવ્યો. જૈન ધર્મમાં ચળવળો (ચળવલો) નામનું એક ઉપકર્ણ છે. સાધુઓ પાસે ‘રજોહરણ’ હોય એ જ રીતે શ્રાવક–શ્રાવીકાઓ જ્યારે સામાયીક કે પ્રતીક્રમણની ક્રીયા કરવા બેસે ત્યારે સાથે ‘ચરવળો’ લઈને બેસે. ક્રીયા દરમ્યાન વચ્ચે ઉભા થવું હોય તો એ ચરવળો લઈને જ ઉભા થઈ શકાય. પ્રશ્ન એ હતો કે પુરુષો માટેના ચરવળાની દાંડી ‘ગોળ’ અને સ્ત્રીઓ માટેના ચરવળાની દાંડી ‘ચોરસ’ કેમ હોય છે? એનું કારણ શું? મને પણ એનો જવાબ જાણવાની ઉત્કંઠા થઈ. હાથવગાં પુસ્તકો ફંફોસ્યાં. એ દ્વારા જે જવાબ જડ્યો એ આવો હતો : સ્ત્રી એટલે વાસનાનું પ્રતીક. એનાથી ચારે દીશામાંથી મુક્તી મેળવવાની હોય છે એટલે તેના ચરવળાની દાંડી ચોરસ હોય છે. ચરવળાની દાંડી ગોળ હોય તો વાસનામાંથી મુક્તી ન મળે અને ચોરસ હોય તો મુક્તી મળે એવું હોય ખરું ? એના ગર્ભીત અર્થનાં મુળ તો છેક સૅક્સ સુધી જતાં હતાં.

હવે વીચાર કરો કે સામાયીક–પ્રતીક્રમણની ક્રીયા કરવાની હોય ત્યારે પુરુષો અને મહીલાઓ માટે સ્થાપનાજી એક જ હોય, કટાસણાં સમાન હોય, નવકારવાળી (માળા) સમાન હોય, પણ ચરવળાની દાંડી જુદી જોઈએ. સ્ત્રી અને પુરુષને વાતે–વાતે જુદા પાડવાની આપણી ભ્રષ્ટ પરમ્પરાનો આ એક પ્રયોગ છે એથી વીશેષ કાંઈ નથી. પ્રતીક્રમણમાં પણ વીધી પુરુષ કરાવતો હોય તો સ્ત્રીને એ વીધી ચાલે, પણ જો પુરુષને વીધી ન આવડતો હોય અને સ્ત્રી વીધી કરાવે તો પુરુષને માટે એ અસ્વીકાર્ય ગણાય. પશુ–પંખી અને જંતુના આત્માઓ વચ્ચે પણ ભેદ ન કરવાનો બોધ આપનારા, સ્ત્રી–પુરુષના આત્મા આગળ આવીને અટકી પડ્યા– ભટકી ગયા.

મોહ છોડવો જ હોય તો પુરુષપણાનો અને ગુરુપણાનો મોહ છોડો. આજે કોઈ ગુરુ પોતાના શીષ્યોને લેખીતમાં એમ કહેવા તૈયાર છે ખરા કે : ‘મારા અવસાન પછી મારા ભક્તોને ગેરમાર્ગે દોરનારાં ગુરુમન્દીરો બનાવશો નહીં ?’ હું મારા ગુરુ માટે મન્દીર નહીં બનાવું અને તમારે મારા માટે મન્દીર નહીં બનાવવાનું. વ્યક્તીના યોગ્ય ગુણોને યથાશક્તી અનુસરો ભલે; પણ તે વ્યક્તીની પુજા કરવાની જરુર નથી. ગુરુમન્દીરો બનાવીને તો ઉલટાનું આપણે છીછરા–અધુરા છીએ એવું પુરવાર કરીએ છીએ. હકીકતમાં કોઈ પણ મન્દીર એ આજકાલ તો અધ્યાત્મનો સુપર મૉલ બની ગયું છે. ભારતમાં ધર્મના નામે જેટલા કરોડ રુપીયાનું ટર્નઓવર થાય છે એટલું અન્ય કોઈ ઈન્ડસ્ટ્રીમાં નથી થતું. ધર્મના નામે ચાલતા આ વેપાર–કારોબારનાં પલાખાં સમજાય તો નોપ્રૉબ્લેમ.

રોહીત શાહ

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક મીડડેમાં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ નોપ્રોબ્લેમ સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક રોહીતોપદેશ પ્રકાશીત થયું છે. (પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001; ફોન : (079) 221 44 663;  પૃષ્ઠ : 144; મુલ્ય: રુપીયા 100/- મેઈલ : goorjar@yahoo.com  માંથી, લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખકસંપર્ક : શ્રી. રોહીત શાહ, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પરમથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમસોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, વીજલપોર. નવસારી.પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 0066 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in 

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19/06/2015

Rohitopdesh

23 Comments

  1. I fully agree with Rohitbhai. Look at BAPS Swaminarayan and they 100% believe in worshiping their gurus. They do every thing to collect money.

    Thanks,

    Pradeep H. Desai

    Like

  2. આ પૃથ્વિ ઉપર જીવિત અને પ્રજોત્પત્તિદ્વારા જીવનને કાયમ રાખે છે તે ક્રિયા સેક્સ હોરમોનને આઘિન હોય છે. સુતા કે જાગતાં હોરમોન કાર્યરત હોય છે. અેટલે ઘરમના નિયમો બનાવો કે બીજા કોઇ, સેક્સ હંમેશા પહેલું પગલું હોય છે. બહારની વિઘિઓ તો આયવોશ બને છે. ઘરમ નામે ભરમ. સેક્સથી દૂર દુનિયામાં કોઇ ભાગી શકતું નથી.
    જ્યાં પ્રજોત્પત્તિ છે ત્યાં સેક્સ હજરાજૂર છે. નિયમોનુસાર સેક્સની પુજા કરો. તેના નિયમો બનાવો…નિયમો બનાવો….નિયમો બનાવીને પાળો….બનાવીને પાળો…..બનાવીને પાળો…..
    જૈન સાઘુ કે સાઘવીને યૌવનમાં અેકબીજાને જોઇને આવેગ ાહિ થતો હોય ? અાવેગ કુદરતી છે…સેક્સ હોરમોનને આઘિન છે….પણ તેને દાબીને મનને ભટકતુ કરવું.?
    થોડી વાત સંદર્ભમાં. પૃથ્વિ ઠંડી પડી અને તેની ઉપર પાણી બન્યુ ત્યારથી તે પૃથ્વિ ઉપર જીવ પેદા થયો છે….તે અેકમાંથી અનેક બની રહ્યો છે…ઇવોલ્યુશનના નિયમને આઘિન વાંદર અને બીજા પ્રાણિઓ અને માનવ પણ બન્યો. આ પૃથ્વિ ઉપર ત્યારથી આજની તારીખ સુઘીમાં કેટલાં જીવો બન્યા અને મર્યા. પૃથ્વિ ઉપરની તણુ અે તણુ જગ્યા અેવી નથી કે તે મૃત જીવથી અલિપ્ત રહી હશે. અને તે ઘરતીમાં…ઘરતીની અદર મૂળીયાના બળે જે કાંઇ વનસ્પતિ બને છે તે (અંદર કે બહાર) માનવો ખાય છે. વઘુ વાચક વિચારે……ઘરમ અેક ભરમ અને નાશક છે.

    Like

  3. Friends,
    I am thinking in other direction. We have been trying to enlight the seniors and those who are in their 30 – 55 years of age. May be this age group is starting at 25 years. Very small change might have happened. This group of age already heavily influenced by religion and its representatives. For them, even if convinced, it is difficult to return. Why waste energy on them ? The seniors already have one foot in the crematary.

    Why not we try to educate the buds ? It is easy to educate and convince young buds. (Age group…5 – 20)

    I recommend the languges to use are Gujarati and English. English strongly as children and their parents in cities would prefer to get rducation in English language as it is a universal language.Also the explanation on the basis of scientific proofs will be the best way to convince.

    કુમળું ઝાડ વાળો તેમ વળે.

    પાકટ ઝાડને તેમની રીતે મરવા દો.

    ગોવીંદભાઇ, બાળ વિભાગ ચાલુ કરો. બાળકો સુઘી પહોંચવાના માર્ગો શોઘો. પછી છોને બન્ને વિભાગો ચાલુ રહે…પાકટમાંથી જે ફાયદો મળશે તે નફો.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. khub saras lekh darek manushya potana kahevata dharma ane sthapit dharma ne chalavava mate banavela bhagvan ane teni pachhad praja ne kayam ne mate vyast rakhava mate ubha karela karmakand na dushan ne samje to jarur vish chakra mathi chhutkaro thai.

    Like

  5. “ગુરૂમંદિર”ની વાત કરી ત્યાં મને શીખ પંથના ગુરૂદ્વારાની વાત યાદ આવી. શીખ પંથના દશમા ગુરૂ – ગુરૂ ગોવિંદસિંહજીએ હુકમ કર્યો હતો કે તેમનાં અવસાન પછી કેવળ તેમના ધર્મગ્રંથ – જેમાં માનવ ધર્મને પોષવાનાં કવિત છે, તેને જ ગુરૂ માનવો. (સબ સિખ્ખન કો હુકમ હૈ, ગુરૂ માનિયો ગ્રંથ). આજે તેમના પંથમાં કોઈ વૈભવમાં આળોટતા, હિરા મોતીનાં ઘરેણાં, પાઘડી અને તેના પર મોતીનાં મંદિલ લગાડીને અને બગ્ગીઓમાં સ્વાર થઈને નીકળતા ગાદી વારસ, વંશપરંપરાગત ‘મહારાજ’, ‘બેટાજી’ ‘બેટીજી’ ‘દાદા’ કે ‘દીદી’ નથી. આ ગુરુદ્વારાઓમાં ગરીબ-શ્રીમંત એક હરોળમાં બેસી એક સાથે દાલ રોટીના ‘ગુરૂના લંગર’માં જમે છે; કરોડપતિઓ સેવા કરવા એંઠા વાસણ માંજતાં જોવા મળશે. નેપાળના ભુકંપમાં લાખથી વધુ ભોજનનાં પૅકેટ્સ આ લંગરમાંથી મોકલવામાં આવ્યા હતા.

    આની સામે આપણાં મંદિરો – જેને ‘હવેલી’ કહેવામાં આવે છે તે જુઓ. ત્યાં પ્રદર્શીત થતા ‘છપ્પન ભોગ’, ‘સંતો’ માટે પરદેશોમાં પંચતારક રહેઠાણ અને ‘ગુરૂમંદિર’ની સ્થાપના વિ. વિશે આપની વાત વાંચી મન દુ:ખી થાય છે. ધર્મ પરમાર્થ માટે સ્થાપવામાં આવ્યા હતા. તેની જે અવગતિ થઈ છે તેના માટે આજકાલના ગુરૂઓ અને તેમના સ્વાર્થસાધુ ચેલાઓ જેટલા જવાબદાર છે તેથી વધુ જવાબદાર તેમના ભાષાચાતુર્યમાં ભોળવાતી જનતા છે. ધર્માંધતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધામાં સબડતા લોકો માટેનો આપનો ઉપક્રમ યોગ્ય છે.

    Liked by 1 person

  6. Dear Rohit Shah, Wonderful article but non-believers like us are in minority. Even 5% of the population understand this most of the problems could be overcome. Regards.
    Dhiru Mistry

    Like

  7. I totally agree with Amrutkaka. Yes, we must teach our younger genration of what is right. Get out of “Bhaktoovera & dhong in name of Bhakti or religion”
    I also have problem creating human as GOD and doing pooja -aarti of them. Specially after their death. I am totally against post activity (kriya-karam) after anyone death. The way I see is building has vacated snd tenant has gone in next living thing, why should we do kriya-karam in name of departed?

    Not just our samaaj, but many religion and community where female has been looked up as 2nd or after men. We all are human, our gender is for our identity and should be treated as such (equal)!

    Like

  8. રોહિત શાહ એક બેધડક હિમ્મતવાન,
    ખુલ્લંખુલ્લા લખનારા ક્રાંતિકારી લેખક છે તેમના
    દરેક લેખમાં સમાજમાં ચાલતા સામાજિક, ધાર્મિક દુષણો અને રીવાજો સામે હરહમેશ જોરદાર ’ઢીંક’ લગાવતા રહેતા હોય છે, તેમની આલબેલ પણ સમજદાર સમુહમાં પહોંચતી રહેતી હોય છે પણ આપણા સમાજમાં એક એવો વર્ગ છે તેને સમજાવવા માટે આકાશ પાતાળ એક કરો તો પણ ‘ભેંસ પાસે ભાગવત વાંચવા’ જેવું છે !
    તેમને જે ‘ગુરુપૂજાની’ કથા/વાત કરી છે તેમાં તેમને જૈનધર્મના એક પાઠપૂજાની વાત કરીને પોતાની નૈતિક હિમત અને તે ધર્મમાં સ્ત્રી અંગેની અસમાનતાની જે ખુલ્લી વાત કરી છે તેથી કૈક તે ધર્મના અનુયાયીઓને આ ગમ્યું પણ નહિ હોય, તેઓ એક નીડર પત્રકાર છે કોઈની સાડીબાર રાખતા નથી અને સાચી વાત કહેતા રહેતા હોય છે જે તેમને કોઈ પણ સંજોગોમાં કોઈના ડર વિના ચાલુ રાખશે એમ આપણે બધાં ઇચ્છીએ.
    આ સંદર્ભે એક વાત કહેવાનું જરૂરી બને છે કે એકાદ દશકા પહેલા જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ શ્રી કાંતિ ભટ્ટએ જૈનો વિશે પોતાનાજ સાપ્તાહિક ‘અભિયાન’માં એક ટીકાત્મક લેખ લખેલો અને તેમને તેમન ભાગીદારો જે જૈનો હતા તેમનો રોષ વહોરી લીધો અને તે સાપ્તાહિકમાંથી તેમનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો, આ જગજાહેર વાત છે.
    આપણે ત્યાં આવું બને તેમાં કોઈ નવાઈ લાગવી જોઈએ કેમકે ‘પૈસો બોલે છે’ ગમે તેવો ભડવીર અને હોશિયાર પત્રકાર હોય છે પણ તે પત્રનો તે એક લેખકજ હોય છે કેમકે તંત્રી તો ‘શેઠ’ જ હોય ભલે પછી તે ‘શોભાનો ગાંઠિયો’ જ હોય.રોહિત શાહને અભિવાદન તો આપીએજ પણ સાથે સાથે આ જૈનો જે ‘પોતાની લાગણી દુભાણી’ છે એવું કહીને તેનું વેર ના વાળે તે આપણે બધાયે જોવાનું છે. .
    પ્રભુલાલ ભારદિઆ
    ક્રોયડન,લંડન

    Like

    1. Tamari sathe sammat pan rohitshah adagman na lekhak chhe bakirahelo saval aalekh gharna ane mitravartul ne forward chhe aapne badha vachako e abhivyakti na vachako vadhe evo prayas karvo rahyo.

      Like

  9. Very nice article!-In Dawoodi Bohras same thing is happening!Son of Syedna Taher Saifuddin built a big Alishan Makabara like tajmahal in Bhendi bazar ,Mumbai in memory of his father ,where the Bohras now visit & put lots of money inside the collection boxes! you know what the income is –It runs into crores of rupees a year! & then the cycle repeated for his son again & now there 2 makabaras & more income for Syedna’s family! This Thating has to stop & Govt need to investigate !!!

    Like

    1. 100% tamari vatsache sammat parantu aapni sarkar no vado khud andhshraddhalu hoi haal maj ganga safai nu tarkat ubhukari ne prajane gumrah ane paisanu pani kare chhe ane gujarat ma ambaji nu mandir sarkar chalave chhe tene pan ghummat par sonano dhol chadhavva no je sarkar pote nirnay karti hoi tya sarkar su tapas karavvani jarur chhe aapnu desh ne ekdam rational abhigam dharavta netao ni.

      Like

    2. First of all very right thought to put in place…. thanks a loft Rohit sir, Maru sir……

      See, the thought behind the logic….Guru samdhi/ Makbara/temples these are long term investments to get long term return, without any tax liabilities, permission… In any public work which really help the poor and needly people have high recurring cost (like public hospital, school, public toilets etc.) also no any surety of profit / return…. only the temple and baba’s(Guru’s) related places are surety of profit.

      We have a great history that the Baba’s and the other religious gurus are very finically strong. They control government indirectly and shows their power time to time.

      As common man we just teach our children to keep safe distance from this type of activity, if we really help to mankind, work our free time for needy people by teach or help to develop the skill which help them to sustain the life…….

      This post is not for all gurus…some gurus are work really work for mankind……
      Real gurus always wish that the his student will archive best in life…

      Regards,

      Hrudra

      Like

  10. मोह अने मोक्षनी कल्पना जेटली सुंदर देखाय छे एटली प्राप्त करवी सहेली नथी. रोहीतभाईए गुरुमंदीरथी शरुआत करी छे. हकीकतमां आ बधा गुरुओ ढोंगी रीपीट ढोंगी होवाथी मोक्षमां गया ज नथी. मने चोक्कस खबर छे सातमी नारकीमां सबडे छे. सातमी नारकीमां वधु ने वधु लोको आवे ए माटे बीजा गुरुओ आ धंधो चालु राखे छे. पृथ्वी गोळ दडा जेवी छे अने सुर्यनी आसपास फेर फुडरडी फरे छे ए सादु ज्ञान खबर न होवाने कारणे आ ढोंगीओए मोक्षनी कल्पना करी. हवे जेमणे पण मोक्षनी कल्पना करी ए बधा सातमी नारकीमां सबडे छे.

    चंद्र उपगृह, पृथ्वी गृह अने सुर्य तारो आवी अबजो अबज तारा माळाओनी एक गेलेक्षी अने आवी अबजो गेलेक्षी ब्रह्मांड हशे. कोने खबर आवा केट केटला ब्रह्मांड हशे. एमां आ गुरुओए मोक्षनी कल्पना करी देशना लोकोने वीचारमां दरीद्र बनावी नाख्या. दुनीयाना वधुने वधुने दरीद्र अहीं रहे छे अने भुख्या पेटे सुए छे. दुनीयानी सात अबज वस्तीना हीसाबे जैनोनी वस्ती मांड बे पांच करोडमां हशे पण मोक्ष अने कर्मनुं वर्चस्व आखा हीन्दु समाज उपर पाडी दीधेल छे.

    Liked by 1 person

    1. आ बधा गुरुओ आपसमां ज्यारे मळे छे के चर्चा करे छे त्यारे समजवुं एमना अनुयायीओ हवे जोरदार झगडो करशे अने अमारा गुरु मोटा अने जीत्या एवो दावो करशे. मुहम्मद गोर अने मुहम्मद गजनवीने ठेठ गजनी थी आ देशमां आ गुरुओ के एमना अनुयायीओ लाव्या छे. काळो केर वर्तावनार अकबरनो वारसदार औरंगझेबने आव घणां गुरुओ भेटी गयेल.

      Like

  11. રોહિતભાઈ સાથે સંપૂર્ણ સહમત છું. ગુરૂની સમાધી કે આશ્રમને નામે અશિક્ષિત -અંધશ્રધ્ધાઉઓને રીતસર લૂંટવામાં જ આવે છે. અને ભોળા-અબુધ લોકો કરજ કરી અરે ! પોતાના અને બાળકોના મોંમાથી કોળિયા ઝૂંટવી દાન કરતા રહે છે. જો કહેવાતા આશ્રમો-મંદિરોની મિલ્ક્ત અનાથ-ગરીબો માટે રચનાત્મક કાર્યોમાં વપરાય તો દેશની તરક્ક્કી આભને આંબે ! આ તમામ સાધુઓ-ગુરૂઓ-મહંતો-બાવાઓ કે મૌલાવીઓ એક જ જમાતના છે. લોકોમાં ભય અને ડર પેદા કરી પોતાની તમામ પ્રકારની વૃતિઓ સંતોષતા રહે છે. પોતાના પ્રચારકો દ્વારા ગુરૂ ધાર્મિક અને આધ્યાત્મિક સિધ્ધિઓ સિધ્ધ કરેલા છે અને લોકોના દુઃખ દર્દો મિટાવી દેવા સમર્થ છે તેવો પ્રચાર કરતા રહે છે. આજના રાજકારણીઓ આ તમામ ટેક્ટીક્સ આ જમાત પાસેથી જ શીખ્યા છે. લોકોને ભરમાવો ડરાવો અને પોતાના તરભાણા ભરો તે તેમનું અંતિમ લક્ષ્ય રહેલું છે. આવા વાતવરણમાથી બાળપણથી જ યોગ્ય શિક્ષણ આપી શકાય તો કદાચ આવનારા સમયમાં કંઈક પરિવર્તનની આશા રહે . શ્રી હઝારી અમૃતની વાતમાં તથ્ય જણાય છે. પણ આમ થઈ શકે ખરું?

    Like

  12. Play House, School are the right platform to teach ANDH VISHWAS. Why cant we all (collectively) take the necessary effort & give The MARGDARSHAN to our new generation.

    Like

  13. For Our Children Marriage, Maharaj or Brahman will take Decisions for compatibility like CHATTISH GUN, MANGALIK OR NON-MANGALIK. Who are better Well Wisher for our own Children. Brahman or Parents.

    My fellow Citizen Please wake up & try to come out from such situation & face the real world.

    Like

  14. How far some one can go in glorifying something can be seen in headline of one article in todays newspaper. It says,
    ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર ઊંચકિને ઈન્દ્રનું ગર્વ ઊતાર્યું હતું તે “યોગથી” કરેલી તાકાત હતી.

    Like

    1. આજ પર્યત અસખ્ય વાર કઈ કેટલા ભગવાનોના મંદિરો લુટાયા તોડાયા અને નેસ્ત નાબુદ થયેલા તેનો ઈતિહાસ સાક્ષી છે. જેમાં કોઈ કલ્પના કે MYTH નથી. ત્યારે આવી પ્રચંડ શકતીવાલા ભગવાનોનિ શક્તિ કયા દેવે કે ભગવાને હણી નાખેલી ?? હ.

      Liked by 1 person

  15. સરસ લેખ. બાળકોને આ વાત સમજાવવી જરૂરી છે, એ વિચાર સૌથી ઉત્તમ.

    Like

  16. “મોહ એટલે હથેળીમાં મુકેલો ગોળ અને મોક્ષ એટલે કોણીએ વળગાડેલો ગોળ.” Excellent metaphor.

    Like

Leave a comment