– કામીની સંઘવી
તાજેતરમાં બે–ત્રણ ઘટના બની આજે તેની વાત કરવી છે. ગુજરાતના મોટા ભાગનાં દૈનીકોમાં એક સમાચાર લગભગ પહેલાં પાને છપાયા હતા કે એક વરસની ઉંમરની નાનકડી પૌત્રી ન્યુમોનીયાથી પીડાતી હતી; તેથી તેની દાદી તેને જીદ કરીને તાન્ત્રીક પાસે લઈ ગઈ. તાન્ત્રીકે તે બાળકીને પેટ સહીત પુરા શરીર પર સો ડામ આપ્યા !! પેપરમાં આ સમાચાર સાથે તે બાળકીનો ફોટો પણ છપાયો હતો. જે જોઈને અરેરાટી/ ગુસ્સો અને અસહાયતા સીવાય કઈ લાગણી થાય ?
ઉત્તરપ્રદેશના એક ગામમાં પચાસ વર્ષની ની:સન્તાન વીધવા સ્ત્રીને ગામની પંચાયતે તે ડાકણ છે ને ગામના છોકરાઓને ખાઈ જાય છે તેવો આરોપ તેના પર લગાવ્યો. કારણ શું ? તો કે, હમણાંથી એ ગામમાં બે–ત્રણ ટીનેજ બાળકોનાં મોત. અને તેથી પેલી ની:સન્તાન સ્ત્રીને સજારુપે તેનું મુંડન કરાવીને ગધેડાં પર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી.
ત્રીજા એક સમાચાર એ છે એક સમાજમાં પ્રતીષ્ઠીત ગણાતા કુટુમ્બમાં દીકરાનાં લગ્ન થવાનાં હતાં. લગ્નના થોડા દીવસ પહેલાં ખબર પડી કે જે યુવતી સાથે લગ્ન થવાનાં છે, તેની જન્મકુંડળીમાં તો મંગળ અમુકતમુક જગ્યા પર છે. તે જેને પરણે તેનું ટુંક સમયમાં મોત થશે. તેથી પહેલાં તો વીવાહ ફોક કરવાનું વીચારવામાં આવ્યું. પણ યુવકે તે જ યુવતી સાથે લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો એટલે પેલી યુવતીના ભાવી પતી પરમેશ્ર્વરને બચાવવા માટે જ્યોતીષીઓએ ઉપાય સુચવ્યો. પેલા યુવાન સાથે લગ્ન થાય તે પહેલાં યુવતીને કુતરા સાથે પરણાવવામાં આવી જેથી તેના પતી પરમેશ્ર્વરને ઉની આંચ ન આવે.
અને છેલ્લે બહુ ચર્ચીત અલીગઢ મુસ્લીમ યુનીવર્સીટીની વાત, જેના ચાન્સેલરના વીચીત્ર નીર્ણયે ભારતના તંત્રીલેખોમાં આ યુનીવર્સીટીને અપજશ અપાવ્યો. આ મહાવીદ્યાલયમાં 1960માં તેમાં ભણતી મહીલાઓએ અલીગઢ યુનીવર્સીટીના ડીનને લેખીતમાં લાઈબ્રેરીમાં તેમને પ્રવેશ આપવામાં આવે તેવી અરજી કરી હતી. જેથી કરીને તેઓ લાઈબ્રેરીનાં પુસ્તકોનું અધ્યયન કરી શકે. તે જ વાતને ફરી થોડા દીવસો પહેલાં મહીલાઓએ ફરી યુનીવર્સીટીના સંચાલકો સમક્ષ મુકી; તો હાલના ત્યાંના કુલપતીએ તે દરખાસ્ત ફગાવી દીધી. કારણ તો એ આપવામાં આવ્યું કે છોકરીઓ લાઈબ્રેરીમાં આવશે તો તેમને જોવા માટે છોકરાઓની ભીડ વધશે. વળી છોકરા–છોકરીઓ સાથે બેસીને વાંચે અને કંઈ અઘટીત બન્યું તો ?
આમ જોઈએ તો ઉપરના ત્રણ સમાચારને અને છેલ્લી મુસ્લીમ અલીગઢ લાઈબ્રેરીની ઘટનાને પહેલી નજરે કશું લાગતું વળગતું નથી. અને આમ જુઓ તો આ લાઈબ્રેરીવાળી ઘટના આ બધી ઘટના સાથે ગાઢ રીતે સંકળાયેલી જ છે. અન્ધશ્રદ્ધા અને અભણપણું તે બન્ને વચ્ચે મા–દીકરી જેવો લાગણીભીનો સમ્બન્ધ છે. જ્યાં ભણતર ન હોય ત્યાં અન્ધશ્રદ્ધા આવે, આવે અને આવે જ.
આપણાં ઘરોમાં સવારની એક ઝલક જોશો તો સમજાઈ જશે. પચાસથી લઈને પાંસઠ વર્ષની સ્ત્રીની દીનચર્યા કેવી હોય છે ? તો કહો કે સવારે તેમને મીનીટનો પણ સમય ન હોય; કારણ કે તેમના દેવ–ભગવાન કે ઈશ્ર્વરને રીઝવવાના હોય. ઠાકોરજીને જાત જાતના ભોગ ધરાવવા માટે મહેનત થતી હોય. ઠાકોરજીને સ્નાન–લેપ વસ્ત્રનો વીધી ચાલતો હોય. તેમાં આ દેશ કે પરદેશમાં શું ચાલે છે તે વાંચવા–વીચારવાનો સમય કયાંથી હોય ? સમજી શકાય કે, આ બધાં ધાર્મીક વીધીવીધાન તે ટાઈમપાસ કે એકલતા દુર કરવા માટે હોય તો તો નો પ્રોબ્લેમ… પણ માત્ર ‘હું આમ કે તેમ કરીશ તો જ મારું કે મારા કુટુમ્બનું સારું થશે’ તેવી ભાવના સાથે થતું હોય તો તે અન્ધશ્રદ્ધા જ છે. અને સરવાળે આવા બધા ધાર્મીક વીધીમાં રચીપચી સ્ત્રીને દુનીયામાં શું થાય છે તેની સાથે કેટલી નીસબત હોય ? મંગળ પર આજે યાન પહોંચ્યું છે, તો કાલે માનવ પણ પહોંચશે તે વાત તેને સમજાય જ કેવી રીતે ?
ડામ આપ્યા તે તાન્ત્રીક અને બાળકીનાં દાદી તો એક સરખા ગુનેગાર છે; પણ સૌથી મોટા ગુનેગાર તો તે નીર્દોષ બાળકીનાં માતા–પીતા છે. દાદી બાળકીને તાન્ત્રીક પાસે લઈ જવાની ગમે તેટલી જીદ કરે; પણ માતા–પીતાએ તેને પરમીશન કેમ આપી ? બાળકીનાં માતા–પીતાને સમજ ન હતી કે તાન્ત્રીક કેવો વીધી કરશે ? વાંક દાદી કે તે બાળકીના મમ્મીનો પણ નથી. સદીઓથી આપણે ત્યાં સ્ત્રીને ભાગ્યે જ બહારની દુનીયા સાથે સાંકળવા પ્રયત્ન કરીએ છીએ. પત્ની કે સ્ત્રી ‘ડમ્બ ઈઝ ધ બેટર’ એવું વલણ આપણા સમાજનું રહ્યું છે. એટલે એકવીસમી સદીમાં પણ આપણે ત્યાં આવી ઘટના ઘટે કે ન્યુમોનીયા જેવો રોગ થયો હોય તો પણ; બાળકને ડૉકટર પાસે લઈ જવાને બદલે તાન્ત્રીક પાસે લઈ જઈએ. જો તે દાદીને સાચી સમજણ મળી હોત કે બાળકને યોગ્ય દવા કરાવવાથી જ રોગ મટે; નહીં કે દોરા–ધાગા કે બીજા બર્બર તાન્ત્રીક વીધીથી; તો આવી ઘટના આપણા સમાજમાં બનત ખરી કે ? આજે જરુર છે માત્રને માત્ર શીક્ષણનો વ્યાપ વધારવાની. માત્ર સ્કુલીંગથી કશું સુધરે તેમ નથી; પણ જુની પેઢીને પણ વાચન કે પ્રયોગ દ્વારા શીક્ષીત કરવાનો સમય આવી ગયો છે.
આપણે ત્યાં દહેજનું દુષણ ઘટ્યું છે; પણ ધર્મને નામે થતાં પાખંડ ઘટ્યાં નથી. ઉલટાની આજની યુવા જનરેશન વધુને વધુ ‘ધાર્મીક’ (!) થતી જાય છે ને જેને પરીણામે વધુને વધુ લોકો અન્ધશ્રદ્ધા તરફ વળે છે. ડૉક્ટર–એન્જીનીયર થયેલા લોકો પણ શુકન અપશુકનમાં માનતા હોય છે. સારાં–નરસાં ચોઘડીયાં જોઈને સારાં કામનું મુહુર્ત કરતા હોય છે. અરે, દીવાળીમાં કમ્પ્યુટરની પુજા કરતો વર્ગ પણ છે. હકીકત દીવા જેવી સ્પષ્ટ છે; છતાં આપણે તે જોઈ શકતા નથી. એટલે રોજબરોજ આવી ઘટનાઓ ઘટતી રહે છે. આપણે હવે આવા બધા સમાચાર છાપામાં વાંચી વાંચીને રીઢા થઈ ગયા છીએ. એટલે આપણને પણ કશો ફરક પડતો નથી. પેપર વાંચીને બાજુમાં મુકી દીધું, એટલે પત્યું.
બીજી બાજુ આપણી ગ્રામ કે ખાપ પંચાયતોએ કાળો કેર વર્તાવ્યો છે. સ્ત્રીઓને બર્બર સજા કરવામાં તેઓ માહેર છે. આપણી અદાલતને સમાન્તર ચાલતી આ પંચાયતોની ન્યાયીક પ્રણાલીઓ તાલીબાન જેવા ત્રાસવાદીઓ દ્વારા નીર્દોષ લોકોને થતી રંજાડથી કમ નથી. શા માટે વીધવા–ની:સન્તાન સ્ત્રી જ ડાકણ કહેવાય ? તેની જ નજર ગામનાં બાળકો પર પડે ને બાળકો મરી જાય? કેમ કોઈ ની:સન્તાન વીધુરને કદી કોઈ સજા નથી થતી ? કેમ કદી એવા સમાચાર નથી વાંચવા કે સાંભળવામાં આવતા કે વીધુરે બીજાના છોકરા પર બુરી નજર નાખી, તેથી કોઈના છોકરાનું અહીત થયું ? જો એક વીધવાની નજર ખરાબ હોઈ શકે તો વીધુરની નજર પણ ખરાબ હોય શકે ને? તેનું એક જ કારણ કે આપણે ત્યાં સર્વ દોષ સ્ત્રીઓમાં જ હોય છે. કારણ કે આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે ને ! સમાજનાં મહત્ત્વનાં નીર્ણયો કરવાનાં મહત્ત્વનાં સ્થાન પર પુરુષ વર્ગ બેઠો હોય છે. મોટા ભાગની ખાપ કે ગ્રામ પંચાયતોમાં સ્ત્રીઓને સ્થાન હોતું જ નથી. અને એકાદ સ્ત્રી કશે પંચાયતમાં હોય તોય તેનું સ્થાન ચાવી દીધેલા પુતળાથી વધારે નથી હોતું. એટલે પછી સ્ત્રીને આવી વીચીત્ર કે ક્રુર સજા થાય તેની શી નવાઈ ?
કશે–કદી આપણે એવું કશું વાંચતા કે સાંભળતા નથી કે પતીને ભારે મંગળ છે. માટે પત્નીના માથે ઘાત છે અને તેના માથે મોત ભમે છે. એટલે પત્નીની રક્ષા કાજે, પતીને પહેલાં કુતરી સાથે પરણાવવામાં આવે ? કે પછી પત્ની માટે કોઈ પુરુષ મંગળવાર કે શનીવાર કરે ? આવું વાંચવું પણ આપણને હાસ્યાસ્પદ લાગે. આખરે પત્ની કે સ્ત્રીની કીંમત શી? એક વાત વાંચી હતી. એક આદીવાસી પુરુષની પત્નીને કંઈ મોટો રોગ થઈ ગયો હતો. એટલે ડૉકટર પાસે પત્નીનો ઈલાજ કરાવવા ગયો. ડૉકટરે પત્નીની સાજા થવાની કીંમત બે હજાર રુપીયા કહી. પતી, પત્નીને સારવાર કરાવ્યા વીના ઘરે લઈને જતો રહ્યો. કારણ પાંચસો રુપીયામાં તો નવી મળે છે તો જુની પર બે હજાર રુપીયાનો ખર્ચ શું કામ કરવો ?
એક વાક્ય વાંચ્યું હતું કે તમે એક પુરુષને શીક્ષણ આપશો તો તમે એક વ્યક્તીને શીક્ષીત કરશો; પણ તમે એક સ્ત્રીને શીક્ષણ આપશો તો તે પુરા સમાજને શીક્ષીત કરશે. ઉપર જણાવેલી ઘટનાઓ ફરી આપણે પેપરમાં વાંચવી કે સાંભળવી ના હોય તો સ્ત્રીને શીક્ષીત કરો.
– કામીની સંઘવી
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 11 ડીસેમ્બર, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક:
કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર….
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ... ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 17/07/2015
Khub saras lekh.
Samaj mathi andhshraddha nabud karva mate baheno e aagal aavavu padse ane sauthi pahela ishwar chhej nahi e abhigam apanavvo padse. Ishwar chhe toj puja bhakti katha, badha vagere chhe sarv manyataonu mul ishwar ane dakan, bhut vagere chhe ane karmakandi brahmano, jyotishaacharyo, bapu vagere ishawar na kop thi bachavvana rasta batavi ne paisa kamai chhe. Tevi j rite bhuva, bhagato dakan bhut pichash vagere na kop thi bachavana rasta batavi ne kamani kare chhe. Sauthi saras upai banne ma na manvu ej chhe.Chhelle ek vakya ma lakhvanu samje tene mate saru.
KADAM ASTHIR CHHE JENA TENE RASTO NATHI JADTO,
ADAG MAN NA MUSAFIR NE HIMALAY PAN NATHI NADTO.
LikeLike
Very good article for our life. I fully agree with Kaminiben.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
કામીનીબેન સ્ત્રી છે એટલે વેદનાને આ સરસ લેખમાં વાચા આપી છે. પરંતુ અંધશ્રધ્ધાનો સૌથી મોટો વાહક સ્રોત હોય તો તે સ્ત્રી છે. કારણકે સ્ત્રીને પોતાની સલામતીની જ ચિંતા સતાવતી રહેતી હોય છે. બેશક, આજે ભારતીય સ્ત્રીઓમાં હિંમત આવી છે. આ હિંમતને અંધશ્રધ્ધા હટાવવા પણ વાપરવી પડશે. ઝાંસીની રાણી ન થવાય તો ચાલશે ,પરંતુ મેલડીની માયા લાગવી ના જોઇએ. અંધશ્રધ્ધાનુ મુળ માણસનુ અધુરુ વિકસેલુ મન છે અને નકલ કરવાની પ્રણાલી છે. ”તારો રસ્તો તુ કંડાર ” એ સુત્રની સાથે બાથ ભીડી દ્યો. ખમ્મા .. ખમ્મા .. થઇ જશે.
@ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી.
રોહિત દરજી” કર્મ”, હિંમતનગર
LikeLike
સરસ.
અભિવ્યક્તિઅે અહિં અેક મીડીયાનું કર્મ કર્યુ છે. કેટલાં વાંચશે ??????? જેટલાં વાંચશે તેમાંથી કેટલાંક કદાચ અમલમાં મુકે પણ ખરાં. કોમન વાત હવે…..દરેક ઘરમાં અેક ઇન્સપેક્ટર જનરલ હોય છે. (જેને લાગુ પડતું હોય તેણે જ સ્વીકારવું.). ભલો ભૂપ તે ઇ.જ પાસે ગરીબડી ગાય બની જાય છે. ઇ.જ કહે તેજ થાય…..( દરેક વાચક પોતાને અા બાબતે સવાલ પૂછી જૂઅે.)
ડોક્ટર , સર્જન, કે વિજ્ઞાની..કે.પોલિટીશીયનો અને બઘા જ ભણેલા ( સાઉથ ઇંડીયાના ભણેલાઓ અને વિજ્ઞાનીઓ ખાસ) ટીલાં ટપકાના જોરે જ સફળતા પ્રાપ્ત કરતાં હોય છે???????? મંગળ ઉપર યાન મોકલનાર પણ પૂજા કરીને નારીયેળ ફોડે છે અને આરતી ઉતારે છે. આપણે અહિં અંઘશ્રઘ્ઘાને દૂર કરવાના ઉપાયો શોઘવાના છે. સવાલ તો કામીનીબેને લખી દીઘો છે. તેનું અેનાલીસીસ નથી કરવાનું.
દરેક ભાષાના ન્યુઝ પેપરો અંઘશ્રઘ્ઘાને પ્રોત્સાહન આપે છે…તેને વેપાર જોઇઅે છે. ટેલીવીઝન ઉપર જ્યોતિષીઓની કેટલી અેડ અાવે છે ? મીડીયા જ અંઘશ્રઘ્ઘાનો ફેલાવો કરે છે અને લુચ્ચાઓ અભણો, ગરીબોને ઉલ્લુ બનાવે છે.
ઉપાય અેમાં છે કે મીડીયા થકી ઉંડા ઉંડા ગામડાઓમાં જઇને જગૃતિ જગાવવી. સીનેમા અા કર્મમાં સૌથી આગવો ભાગ ભજવી શકે. પરંતુ પોલીટીશીયનો, વેપારીઓને વસ્તી અંઘશ્રઘ્ઘાળુ રહે તેમાં જ રસ છે.. અા અંઘશ્રઘ્ઘાને જોરે તેમને પોતાની ખીચડી પકાવવી છે. જેને અંઘશ્રઘ્ઘા દૂર કરવામાં રસ છે તે ૧.૨૭ અબજની વસ્તીમાં કેટલાં ?????? અને તેને કેટલાનો સાથ છે??????
કોઇપણ પ્રકારનાં મીડીયા ઘારે તો જનજાગૃતિ લાવવામાં મદદરુપ થઇ શકે છે.
ફરી અેક વાર લખુ છું કે પ્રશ્ન આપણે સૌ જણીઅે છીઅે. તેના અનાલીસીસમા પડવા કરતાં તેના નિરાકરણના રસ્તા શોઘો. પ્રસંગો બનતા રહેશે…પેપર છાપતાં રહેશે…આપણે ચર્ચા કરીને હાથ ઘોઇને બેસી જઇશું……અને નવાં પ્રસંગો બનતા રહેશે…અને…????????
LikeLiked by 3 people
હું અંધશ્રદ્ધા માં માનતો નથી એવું કહેનારા પણ અંધશ્રદ્ધા થી ડરતા હોય છે…
LikeLike
કામિનીજી બહુ દિવસે ટહુક્યા પણ સાચી વાત લાવ્યા.. આપણાથી થાય તેટલું કરીએ. અમૂત હજારીની વાત પણ સાચી છે. હવે કરી એ પણ શું ?????હરિ હરિ.
LikeLike
Very nice. There should be a debate in all political parties, social organisations, parliament, state legislative assemblies, Universities and colleges for doing away with this menace and mass education against anything unscientific should be encouraged.
LikeLike
ખુબ જ સરસ,માહિતીસભર વાસ્તવિક અને મનનીય લેખ. સમજાતું નથી કે કામિની બહેન જેવી મહિલાઓ-પત્નીઓ ની ટકાવારી માડ ૧ કે ૨ જ હોય !!!!
મહિલાઓને જ આ બાબતે એક જાતનું શુરાતન ઉપડતું હોય છે. કોઈ ટીલા ટપકા વાળો ભગવાધારી સાધુ બાવો જોયો નથી કે એની પાછળ ગાડા, ઘેલા. અને પાગલ બની જનાર મહિલાઓનો સુમાર નથી. એ સ્ત્રી જાત કયારે પણ એમાંથી બહાર આવનાર નથી જ નથી. ઉલટાનું એમના પતિઓને એના સાવ ખોટા માર્ગે વાળવા જેહાદ પોકારનારી પત્નીઓથી જીવવાનું દોઝખ બનવાની દુર ઘટનાઓનો પણ કોઈ સુમાર નથી.
તેથી જ મહીલો જ શિકાર બનતી આવી છે અને બનતી જ રહેશે .
LikeLike
Every article so far I have read written by Kamini Shanghvi has enlighten and are directly discuss topic of how Male dominated society and where woman values are. Furthermore, her article does accept the culprit of problem which is woman.
If we all can share through social media on our wall or status her article, we will be doing favor to society.
LikeLike
કામિનીબેન, આપ ખુબ સરસ કામ કરો છો. આપણી અંધશ્રધ્ધાનું મૂળ અજ્ઞાન અને અભણ લોકોમાં જ રહેલું છે. અહીં અમેરિકામાં પણ આવી અંધશ્રધ્ધાળુ સ્ત્રીઓ, ઘેટાના ટોળાની માફક વર્તન કરતી જોવા મળે છે.
નવીન બેન્કર (હ્યુસ્ટન)
LikeLike
shree Govindbhai, tamara lekho nu angreji maa bhashanater karvani mane taklif pade chhe, mara pukht ummar na balko gujarati bole chhe pan vanchi nathi sakta. koi sahelo rasto batavso?
LikeLike
मारा हीसाबे अंधश्रद्धानुं मुळ ५-६-७ धोरण सुधीना अभ्यासमां आपणे पोते जाते लीधेल ओछो रस छे.
दाखला तरीके अबजोना हीसाबे नीहारीकाओ अने दरेक नीहारीकामां अबजोना हीसाबे ताराओ अने पछी गृहो अने उपगृहो बाबत ५-६-७ धोरणना अभ्यासक्रममां आवे छे. केमीकल लोचाने कारणे पृथ्वी उपर जीवनी शरुआत थई. आ सीधीसादी वात प्राथमीक शाळाना अभ्यासक्रममां आवे छे. ईश्र्वर, भगवान, गोड, अल्लाह, आत्मा परमात्मा तो भयना कारणे मगजमां दाखल थया.
मोबाईल, नेट अने वेबना कारणे पृथ्वी उपरनी माहीती नजीक आवती थई. टुंक समयमां आ बावा, फकीरो, भीक्षुओ खरेखर भीखारी थई जशे. मगज रचनानी बरोबर खबर पडी जशे. बावा, फकीरो, कहेवाता धर्मगुरुओनी बधी पोल खुली रही छे. ईन्द्र वरसाद मोकले छे अने पत्थरमां प्राण प्रतीष्ठा थाय छे ए पत्थर पत्थर रही जशे अथवा मुहम्मद गजनवी के मुहम्मद गोर एने मस्जीदना पगथीयामां लगाडी देशे. रामायण अने महाभारतनी कथाओए आ देशने नुकशान करी गरीबाई अने अत्याचारने टेको आपेल छे ए दुर थई जशे….
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLike
આમાં ખાસ બોલાય એવું જ નથી. આ હકીકત તો સત્ય જ છે. મંગળ પર જઈને ઈસ્લામિક કે ક્રિશ્ચનો શું કરશે તે તો ખબર નથી. પણ મને ચોક્કસ ખાત્રી છે કે જ્યારે આપણે મંગળ પર પહોંચીશું ત્યારે ત્યાં આપણા મંદિરો બાંધીશું જ. અને તે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ.
જોયું નહીં આ આપણી જ સુનિતા અમેરિકનને પરણી, સ્પેસમાં સમોસા ખાધા; અને ઈન્ડિયામાં આવી ગામના મંદિરે જઈને ભાવ ભક્તિ હોય કે ન હોય પણ દર્શન કર્યા.
આપણાંથી એને ન તો પૂછાય કે ન તો એવું સમજાવાય કે ‘બેન આ બધું શા માટે’. તમે આવી ભારતીયતા ધાર્મિકતાનું જાહેરમાં પ્રદર્શન કરશો તો અમારી સમાજ સુધારણા પ્રવૃત્તિને કેટલું નુકશાન થશે એનો ખ્યાલ છે ખરો?
તો આપણેતો આપણા વિચારોની અભિવ્યક્તિ જ કરવી રહી. કોઈક સમજીને સુધરે તો એ સમાજ માટે સારું જ છે.
કામિનીબેન સરસ લખે છે.
LikeLike
આપણાં ઘરોમાં સવારની એક ઝલક જોશો તો સમજાઈ જશે. પચાસથી લઈને પાંસઠ વર્ષની સ્ત્રીની દીનચર્યા કેવી હોય છે ? તો કહો કે સવારે તેમને મીનીટનો પણ સમય ન હોય; કારણ કે તેમના દેવ–ભગવાન કે ઈશ્ર્વરને રીઝવવાના હોય. ઠાકોરજીને જાત જાતના ભોગ ધરાવવા માટે મહેનત થતી હોય. ઠાકોરજીને સ્નાન–લેપ વસ્ત્રનો વીધી ચાલતો હોય. તેમાં આ દેશ કે પરદેશમાં શું ચાલે છે તે વાંચવા–વીચારવાનો સમય કયાંથી હોય ? સમજી શકાય કે, આ બધાં ધાર્મીક વીધીવીધાન તે ટાઈમપાસ કે એકલતા દુર કરવા માટે હોય તો તો નો પ્રોબ્લેમ… પણ માત્ર ‘હું આમ કે તેમ કરીશ તો જ મારું કે મારા કુટુમ્બનું સારું થશે’ તેવી ભાવના સાથે થતું હોય તો તે અન્ધશ્રદ્ધા જ છે. અને સરવાળે આવા બધા ધાર્મીક વીધીમાં રચીપચી સ્ત્રીને દુનીયામાં શું થાય છે તેની સાથે કેટલી નીસબત હોય ? મંગળ પર આજે યાન પહોંચ્યું છે, તો કાલે માનવ પણ પહોંચશે તે વાત તેને સમજાય જ કેવી રીતે ?
જવાબ ઍજ કે જે લેખમાં કહીયુ છે તેમ:” સ્ત્રીને શીક્ષીત કરો.”
સાથે શિક્ષીત સ્ત્રીને સમજતી કરો.
LikeLiked by 1 person
Great article.
Even in USA, educated Indians do things without any logic.In new Hindu Temple there is a car Puja space where many devotees bring new or used car for the puja performed by the pujaris.There is a charge for that. Income for the temple and Daxina for the priest. This is one example.There are many rituals and beliefs people follow without any logical reason.When their children ask for the reasons they do not have answer other than thats the way we did in India.
Who is responsible for such poor treatment of women from centuries in India? Have you read Manu Smruti.?All rules are written there.Only true education can change these conditions. However society needs support from all these religious people who are controlling minds of millions.
LikeLike
Thanks all
LikeLike
Brilliant article, but only few of us think this here in London Swaminarayan temple was first temple indian style but now every area has one same with gurudwaras, masjid every time I see this it hurt my soul.
LikeLike