ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?

હૃદયસ્થ રમણ પાઠકને ‘પુસ્તકાંજલી’

તારીખ બીજી ઓગસ્ટ, 2015ને રવીવારે, સુરતના નાનપરાના ‘જીવનભારતી સભાખંડ’માં, ‘પ્રાધ્યાપક રમણભાઈ પાઠક સ્મૃતીવ્યાખ્યાનમાળા’ના પાંચમા મણકામાં, દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રોની ચીક્કાર ઉપસ્થીતીમાં, ચીન્તક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભ ઈટાલીયા, સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને પારસી–હાસ્ય નાટ્યલેખક શ્રી. યઝદી કરંજીયા, ‘સન્ડે ઈ.મહેફીલ’ના સમ્પાદક શ્રી. ઉત્તમ ગજ્જર અને આ લખનારે, પ્રા. રમણ પાઠકના લેખોના બે ગ્રંથો – ‘વીવેક–વલ્લભ’ અને ‘વીવેકવીજય’ની બે ‘ઈ.બુક્સ’નું ‘લોકાર્પણ’ કરી ‘વીજાણુપુસ્તકાંજલી’(ઈ.બુકાંજલી) અર્પી હતી… જે બન્ને ઈ.બુક્સનું પ્રકાશન અમારા ‘મણી ઈ.બુક્સ પ્રકાશન’ મારફત થયું હતું..

વીવેક–વલ્લભ’ પુસ્તકની ઈ.બુક આ સાથે મોકલું છું. આવતા શુક્રવારની પોસ્ટમાં હું સૌને ‘વીવેકવીજય’ ગ્રંથની ઈ.બુક પાઠવીશ.. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ડાઉનલોડના વીધીની ફાવટ નથી તેથી આમ ગોઠવ્યું છે..

શ્રી. વલ્લભભાઈના તે દીવસના યાદગાર સમ્બોધનની યુ–ટ્યુબ લીંક મળતાં જ તે પણ તમને મોકલીશ..

ધન્યવાદ..

ગોવીંદ મારુ

(ડાબેથી સર્વશ્રી ઉત્તમ ગજ્જર, યજદી કરંજીયા,

વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત(કંસારા) અને ગોવીન્દ મારુ)

2

(ચીન્તક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભ ઈટાલીયા)

(સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને પારસી–હાસ્ય નાટ્યલેખક શ્રી. યઝદી કરંજીયા)

(પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રો)

5

(પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રો)

લો, હવે વાંચો આજની પોસ્ટ સુશ્રી. સુધા મુર્તીનો લેખ ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ? લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?

–સુધા મુર્તી

–અનુવાદ : સોનલ મોદી

એક જુની અને જાણીતી કહેવત છે, ‘પીળું એટલે સોનું નહીં ને ધોળું એટલું દુધ નહીં’ આ કહેવતમાં એક બીજું વાક્ય પણ ઉમેરવા જેવું છે– ‘ભગવાં કપડાંવાળા બધા સન્તો નહીં.’

ખરેખર, આ વાક્ય સો ટકા યથાર્થ છે. આપણે આપણી આસપાસ વર્ષોથી ધોળાં અને ભગવાં કપડાં ધારણ કરેલા વીવીધ ધર્મોના સન્તો–ગુરુઓને જોતા આવ્યા છીએ. આપણા સમાજમાં છતાંય કેમ કોઈ બદલાવ નથી આવ્યો ? કેટલા સન્તોએ આપણને ટીલાં–ટપકાં, યજ્ઞ–નૈવેદ્ય, પુજા–અર્ચના સીવાય કંઈ શીખવ્યું ? નવાં નવાં મન્દીરો, દેરાસરો, મસ્જીદો, ગુરુદ્વારા બંધાશે તેથી કંઈ ધર્મનો ઉદ્ધાર થઈ જશે ? આજકાલ તો ગુરુઓને પોતાનાં નામ અમર કરવાની, સ્મૃતીમન્દીરો સર્જવાની તથા તેમના શીષ્યોને તેમની પાછળ કરોડો રુપીયાના આંધળા ખર્ચા કરવાની ધેલછા ઉપડી છે. ખરા સંન્યાસી (સાધુ) કોને કહેવા ? જે પોતાના શીષ્યોને, અનુયાયીઓને સાચા માર્ગે દોરે તે જ સાચો સન્ત.

હમણાં જ થોડા વખત પહેલાં મારે મૈસુર જવાનું થયું હતું. ત્યક્તા અને વીધવા સ્ત્રીઓ માટે બંધાયેલા આશ્રમ ‘નારીગૃહ’નું ઉદ્ઘાટન હતું. જે સ્ત્રીઓને કોઈ આશરો નથી, જેમનો કોઈ સહારો નથી – ‘પોતાનું’ કહેવાય તેવું કોઈ નથી – તેવી જરુરીયાતમંદ વીધવાઓ, તથા ત્યક્તા સ્ત્રીઓ માટે આ સુન્દર નારીગૃહની રચના કરવામાં આવી હતી. શહેરની બહાર, વીશાળ જગ્યામાં, ચારે બાજુ ચોગાન, બાગ, સુન્દર ફુલ–ઝાડ અને વચમાં વીશાળ આશ્રમ. બહેનો સીવણ, ભરતકામ, અંગ્રેજી વાચન–લેખન શીખી શકે તેવી વ્યવસ્થા. મોટા ભાગની સ્ત્રીઓ સાસરીયાંના રોજબરોજના ત્રાસથી, દહેજના દુષણથી કે દારુડીયા પતીથી હારી–થાકી, કંટાળીને અહીં આવી હતી. મોટાભાગની સ્ત્રીઓના પીયર–પક્ષે પણ આવી જ કંગાળ પરીસ્થીતી હતી. ક્યાં તો મા–બાપ હયાત ન હોય અથવા તો પીયરમાં જ ખાવાનાં સાંસાં હોય.

અમુક છોકરીઓ તો ખુબ યુવાન લાગતી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, છેલબટાઉ યુવાન છોકરાઓ આવી નીર્દોષ – નાની, ચંચળ અને નાદાન છોકરીઓ જોડે પ્રેમનું નાટક ખેલી, ભોળવીને તદ્દન ખોટાં લગ્નો કરે, ફસાવે, યુવાનીનું જોશ ઉતરે, મધુરજની માણવાનું પતે એટલે કહેવાતો પતી છુમન્તર થઈ જાય. પેલી નાદાન, ભોળી છોકરી મા–બાપના ડરથી પોતાના ઘરે પાછી તો ન જ જઈ શકે, શરમની મારી આવા આશ્રમમાં આવે.

આવી છોકરીઓને ખુબ જ લાગણી અને પ્રેમથી સમજાવવી પડે. તેમની માનસીક પરીસ્થીતી એટલી હદે નાજુક થઈ ગઈ હોય કે તે અન્તીમ પગલું લેતાં પણ ન અચકાય. તેમને હુંફ આપી, સાચા રસ્તે વાળી, રોજી મળે તેવી વ્યવસ્થા કરવી પડે. જીવનરુપી પડકારને ખુબ હીમ્મતથી ઝીલવાનું શીખવવું પડે. આમ કરવામાં ન આવે તો જાણતાં કે અજાણતાં આવી છોકરીઓ વેશ્યા–વ્યવસાયમાં અથવા તો ચરસ–હેરોઈન–ગાંજાની હેરાફેરીના વ્યવસાયમાં પડી જાય છે. હું આ સ્ત્રીઓનો આમાં કોઈ વાંક જોતી નથી. વાંક હોય તો તેમની ઉમ્મરનો અને સંજોગોનો. આપણી ફરજ તો તેમને આમાં મદદ કરવાની છે. કહેવત છે ને, ‘માણસ માત્ર, ભુલને પાત્ર’.

આપણા સમાજમાં કોઈ પણ કંઈ સારું કામ કરે તો તેની ચારેકોર ‘વાહ–વાહ’ થઈ જાય. સારા કાર્યને, સફળતાને એવોર્ડોથી બીરદાવવા જ જોઈએ. પણ મારા મતે સમાજને ખરી જરુર છે આવા જરુરીયાતમંદ લોકોને થોડો સહારો, મદદ આપવાની. આપણી વસ્તીના પ્રમાણમાં આપણા દેશમાં સારી અને સસ્તી હૉસ્પીટલો કેટલી ? વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, નારીગૃહો, વ્યસનમુક્તી કેન્દ્રો કેટલાં ? ફક્ત આંગળીના વેઢે ગણાય તેટલાં જ.

ઉપરની વાત મેં એટલા માટે કરી કે મૈસુરમાં સૌ પહેલું આ ‘નારીગૃહ’ શરુ કરનાર કોઈ મોટા શ્રેષ્ઠી કે ઉદ્યોગપતી ન હતા; પણ અહીંના ખુબ જ જાણીતા ધાર્મીક પંથ ‘સુત્તુર મઠ’ના મુખ્ય મહન્તશ્રી હતા. ‘સુત્તુર મઠ’ એટલે દક્ષીણ ભારતનો ખુબ જ જાણીતો ધાર્મીક સમ્પ્રદાય. તેના મુખીયાજી, મુખ્ય સ્વામીજીને મન, ‘જનસેવા એ જ પ્રભુસેવા’. તેમના વીચારો ખુબ જ સ્પષ્ટ છે. તેઓ માને છે કે કોઈ પણ ધાર્મીક સમ્પ્રદાય પાસે એક મહીનાની જરુરીયાત કરતાં વધારે ફંડ ભેગું થાય તો દુષણો લાવે છે. આવા પવીત્ર મઠોમાં પણ ભગવાધારી સાધુ–સન્તોમાં અન્દર–અન્દર ચડસા–સડસી હોય જ છે. જો પૈસાનો યોગ્ય સમયે, યોગ્ય ઉપયોગ ન થાય તો મન્દીરોમાં જ કુકર્મો થાય, અન્તે વીનાશ થાય.

સ્વામીજી અત્યન્ત લાગણીશીલ. તેમણે ધાર્યું હોત તો મઠને મળેલ દાનના પૈસામાંથી નવો મઠ ઉભો કરી શક્યા હોત, પોતાનું સ્મૃતીમન્દીર કરાવ્યું હોત, યજ્ઞો કે નવાં મન્દીર પણ કરાવી શક્યા હોત. પણ, તેમણે જોયું કે મૈસુરમાં આવી તરછોડાયેલી સ્ત્રીઓ માથું ઉચું રાખીને પોતાની રીતે રહી શકે તેવું કોઈ નારીગૃહ નથી. તેમણે પોતાની સમાજ પ્રત્યેની ફરજ સમજીને એક કરોડ રુપીયાનું દાન કર્યું. દોઢ એકર જમીન કાઢી આપી અને સુન્દર નારીગૃહ રચાયું.

મૈસુરના બીજા કહેવાતા ભગવાધારી સન્તોને અને સામાન્ય માનવીઓને સ્વામીજીએ વીચારતા કરી મુક્યા. ખરા નેતા તો આવા જ હોવા જોઈએ. ભલે તે રાજકીય હોય, સામાજીક કે ધાર્મીક નેતા હોય. ‘સાચા ગુરુ એટલે જે પોતાના શીષ્યોને પરોપકારી થવાનું શીખવે તે.’ આ બાબત સ્વામીજીએ પોતાનાં સત્કાર્યો દ્વારા સાબીત કરીને બીજા માટે આ કાર્યમાં આગળ વધારવાનો માર્ગ મોકળો કરી આપ્યો. આ નારીગૃહ જોડે તેમણે પોતાનું નામ ક્યાંય જોડ્યું નથી.

આપણા પ્રાચીન સાહીત્યમાં ‘માતૃદેવો ભવ’, ‘પીતૃદેવો ભવ’ પછી ત્રીજા દેવ તરીકે આચાર્ય (ગુરુ)ને સ્થાન આપવામાં આવ્યું છે. આવા મહન્તને જોઈને, મળીને શીર આપોઆપ ઝુકી જાય છે.

નવાં–નવાં મન્દીરો, દેરાસરો તથા અન્ય દેવસ્થાનોનાં બાંધકામ અને રીપેરીંગમાં લાખો–કરોડો રુપીયા આ ગરીબ દેશમાં નીયમીત રીતે ખર્ચાય છે. આજથી બીજા સો વર્ષ સુધી એક પણ નવું મન્દીર કે અન્ય દેવસ્થાન નહીં બંધાય તો પણ આ દેશને અને આપણા ધર્મોને કોઈ ઉની આંચ નથી આવવાની. શા માટે દેવને નામે ભેગા થતા પૈસા હૉસ્પીટલો, આશ્રમો, કૉલેજો, શાળાઓ, રસ્તા ને બ્રીજ બાંધવા માટે અને સમાજના સર્વાંગી ઉદ્ધાર માટે ન વપરાય ? શા માટે ?

સુધા મુર્તી

અનુવાદ : સોનલ મોદી ( smodi1969@yahoo.co.in )

‘ઈન્ફોસીસ ફાઉન્ડેશન’ નામક સેવા સંસ્થાનાં ચેરપર્સન સુધા મુર્તી, સંસ્થાનાં સેવાનાં કામ માટે ભારતભરમાં ફરતાં રહ્યાં અને અસંખ્ય જરુરતમંદોના પરીચયમાં આવ્યાં. એમને થયેલા ભાતીગળ અનુભવોની રસલ્હાણ એમણે એમના મુળ અંગ્રેજીમાં લખેલા પુસ્તક ‘Wise and Otherwise’ માં કરી. એનો રસાળ ગુજરાતી અનુવાદ ‘મનની વાત’ પુસ્તકમાં આપ્યો સોનલ મોદીની કસાયેલી કલમે. ડીસેમ્બર 2002માં પ્રગટેલા આ માનવસંવેદના જગાડતાં આ અદ્ ભુત પુસ્તકની સોળ(16) આવૃત્તીઓ થઈ ચુકી છે ! (પ્રકાશક : આર. આર. શેઠની કંપની (eMail : sales@rrsheth.com ), પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–400 002 અને ખાનપુર, અમદાવાદ380 001. (Website : www.rrsheth.com ) પાનાં : 212; મુલ્ય : રુ. 125) આ પુસ્તકની સંપુર્ણ આવક સમાજસેવાનાં વીવીધકાર્યો માટે વપરાય છે એ એની વીશેષતા છે.

‘મનની વાત’ પુસ્તકમાંનો આ 36મો લેખ, પુસ્તકનાં પાન 134થી 136 ઉપરથી, લેખીકા, અનુવાદક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

 ‘રૅશનલવાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07–08–2015

   

 

23 Comments

  1. I fully agree with Sudhaben Murthy’s point of view. Even in USA also, millions of $ are wasted in building unnecessary temples.The temples can be built with low budget and extra money can be used to help very needy people.

    Thanks for such a good article.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. Bharat ni kahevati dharmik praja fakat uniformsvala ( safed ke bhagva ) ane thodu Sanskrit bole tene sant mane chhe karma jota nathi jyare praja karmakand na badle karma ma manse khara santo je uniform paherya vagar school hospital vagere chalave teva santo ne manvani jarur chhe.

    Like

  3. સુઘા મૂર્તિઅે જે સવાલ કરીને …. વિષયને વાચકો સમક્ષ મુક્યો તે ખુબ જ યોગ્ય છે. સવાલના જવાબો શોઘતાં શોઘતાં કોઇક જગ્યાઅે ????
    કહે છે કે સંતો અને તેના જેવાં બીજાઓઅે આપણને ટીંલા ટપકા અને બીજી કહેવાતી ઘાર્મિક ક્રિયાઓ કરતાં શીખવ્યું.
    છેલ્લા પેરેગ્રાફમાં લાલ ઇન્કમાં કહે છે કે ‘અાજથી બીજા સો વરસો નવાં મંદિર મસ્જિબ નહિં બંઘાય તો આપણા દેશને કે ઘર્મને કોઇ ઊની આંચ નથી અાવવાની.‘ શું ઘરમો અને તેનાં અંઘશ્રઘ્ઘાળુ ચેલાઓને ચાલુ રાખવા છે ? આમ થાય તો તેમના મનનું જ થાય. મંદિરો અને બીજા ઘર્મસ્થાનો બનવાના જ. મૂળ ઘરમ અને તેના વાહકો છે. ઘર્મસ્થાનો તો તેમનું મનગમતું બાળક છે. અને આ ઘર્મસ્થાનો તો પેલાં સાઘુડાઓ, સંતો અને બીજા બઘાઓનો બીઝનેસ છે. કોણ ખોટીયો ઘંઘો કરે ? ફક્ત પૈસાની વાત નથી…તેમાં તો સ્ત્રીઓ પણ હોવાનું કહેવાય છે. ઇન્વેસ્ટર અને સાઘુડાઓની કંપનીનું અેક વખતનું ઇન્વેસ્ટમેંટ અને અનઅેકાઉન્ટેડ મની લોન્ડરીંગનો ઓથોરાઇઝ્ડ ઘંઘો…મીલીયન્સનો ઘંઘો…પછી ઘર્નસ્થાનો શા માટે નહિં બાંઘે? અમેરિકામાં તો આ ઘંઘામાં ડોક્ટરો પણ પડેલાં છે.

    અાદર્શ સીચ્યુઅેશનમાં ઘર્મસ્થાનો નવાં બંઘાવા જોઇઅે નહિ અને જે છે તેને તાળાં મારવા જોઇઅે. પરંતુ ????? ઘંઘો???????નફો જ નફો ….નહિં ઇન્કમટક્ષ…નહિં ચોપડા લખવાનાં અને અંઘશ્રઘ્ઘાળુઓ સામેથી ચાલીને અાવીને મુંડાવી જાય……હોનેસ્ટીથી કમાણી કરતાં શું હાલ થાય છે તે તો બઘા સમજી શકે છે.

    મૂળ ઘર્મ…કહેવાતા ઘર્મો છે અને બીજી બઘી તેની પેદાશ છે. મૂળીયા કાપો. ડાળીઓ ફરી ઉગે તે ઘ્યાનમાં રાખો. વિષય મને જચ્યો નહિં.

    તેમના વાક્યો સાથે મેળ ખાય તેવાં બે વાક્યો હું પણ રજૂ કરું……
    ‘ ઝાહિદ શરાબ પીને દે મસ્જીદમેં બૈઠ કર, યા ફીર વો જગા બતાં દે જહાં ખુદા ના હો.‘ અા વાક્ય કદાચ કોઇની મતી ફેરવી અાપે તો નવાઇ નહિ.( ઘર્મ સાથે અા વાક્યને સંબંઘ નહિ બાંઘવા વિનંતિ છે.)
    અને…..
    ‘ ખાદીના સફેદ ઝભ્ભા, ઘોંતીયા પહેરનારા બઘા ગાંઘીજી નથી હોતા.‘

    Like

  4. તદ્દન સાચી વાત કરી છે.જુના મંદીરો સામે કોઈ જોતું નથી અને નવાં નવાં મંદીરો બંધાય છે.મીલ્કતો એકઠી થયા બાદ વહીવટ કરવા વાળાની હુંસાતુંસી અને દેખાદેખીના કારણે ખૂન ખરાબા સુધીના દાખલા બની જાય છે.સરુઆતમાં છાપાંવાળા આવી બાબત ખૂબ ચગાવે છે પણ પછી શું?

    Like

  5. અત્યારે ઍકવીસમી સદીમાં તો ધર્મસ્થાનો નાણા પાડવાની ટંકશાળ બની ગયેલ છે.

    કેનેડાની મસ્જીદોમાં નાણાનો જે ગેરઉપયોગ થઈ રહ્યો છે, તેના સમાચારો અહીના
    વર્તમાનપત્રો માં પ્રગટ થઈ રહ્યા છે. ઍક મુસ્લીમ તરીકે મેં પોતે મસ્જીદોમાં થતી ગેરરીતીઓ બહુજ બારીકાઈ થી જોયેલ છે. ભોળા મુસ્લીમોને જન્નત (સ્વર્ગ) માં જવાની જુઠી બાયધરી આપીને તેઓની પાસે થી નાણા ઓકાવાવવામાં આવે છે, અને બિચારા ભોળા મુસ્લીમો પૈસા આપીને જન્નત (સ્વર્ગ) માં જવાની લાલચમાં પોતાનું અને પોતાના બાળબચ્ચાઓનું પેટ કાપીને મસ્જીદોમાં નાણા આપે છે, અને આ તકસાધુઑ ઍટલે કે મુલ્લાઓ અને મોલવીઓ આ પૈસાથી ઍશ આરામનું જીવન વિતાવે છે અને મોજમજા કરે છે.

    કાસીમ અબ્બાસ, કેનેડા

    Liked by 1 person

  6. I totally agree with Quasimbhai and Pravinbhai.

    My experience: there was a patel family who has small convinant store, and were living in small room behind store in California. His son pick up lunch everyday from school which is supported by and designed for ‘low income family’ When some Bapu from Swaminarayan was visiting, this patelbhai give $35000 to biuld walkway for Bapu…. Now you figure…… Does Bapu need $35000 walkway or he should support his family for better living?

    All over USA, they are building 15 and 20 million dollers worth temples…. Atlanta – georgia Swaaminarayan Temple was build for $19 million …it has become more of tourist spot for non-indians then worship place for Indians. Only if they use 1 million to build temple and return other 18 million to community for better cause? Worst part of htis is donor who donated funds does not spend any extra money on their employees who work hard for them!!!

    …and matter of speech for colleting donation is .. “Bhagwaan ye tamne aatloo badhu aapiyu to emaathi 10% to Bhagwaan na thai j”

    Like

  7. સંજય, સ્મિતા ગાંઘીના વિચારો ૧૦૦ ટકા સાચા છે. બીજુ ભારતના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી પોતે સાઘુ,સંતો,મંદિરોના વાહક છે. બીજા બઘા જ પોલીટીશીયનો પોતાના સ્વાર્થ માટે આ ઘર્મસ્થાનો બાંઘવા પહેલી પંગતમાં હોય છે. અને તે કારણે તો આસારામ જેવા મજબુત અેવાં બને છે કે ભારતની કોઇ પણ કોર્ટ તેમને અડકી નહિ શકે કારણ કે તેને પોલીટીશીયનોનો સાથ છે. સાંભળવામાં અાવેલું કે ચૂંટણી જીતવા આ પોલીટીશીયનો ભલ ભલાનાં બલીદાનો અપી શકે તેવા હોય છે. સાચુ, જુઠુ…..???????? જાણે. વાડ જ ચીભડાં ગળે તો પછી ખેડૂતને શું કહેવું ?
    ટૂંકમાં કહેવાતા ઘરમો અને તેના વાહકો દૂર નહિ થાય ત્યાં સુઘી કાંઇ જ વળવાનું નથી તે ૧૦૦ ટકાની વાત.
    અમૃત હઝારી.

    Like

    1. amrut bhai ni vat ma sur ma sur puravu chhu kharekhar bharat ne 100% rationalist government joiye chhe toj aa badhu shakya chhe ane tame lakho chho tema umero karvo jaruri pan chhe aapna vadapradhan jeva vyakti chutani pahela ambaji ni pujakari ne vivekanand yatra kadhi hati ane chutani jitya pachhi Ganga aarti na name desh na ketla karod nu pani karyu hase ane YouTube par jai ne jovo ASARAM ane MODI mantrochhar kare chhe ane antma ASARAM kahe chhe ke mane maro shivo malyo je shabdo SAMARTH SWAMI RAMDASE CHHATRAPATI SHIVAJI MATE UCHHARELA. kya RAMDAS nekya ASARAM chhata aapna mat lalchu netao aava adham kaksha na kahevata sant ne stage par mukhya sant ( maheman) nu birud aapyu hatu. Kyathi thai desh no uddhar.

      Like

      1. sorry kyan SAMARTH SWAMI RAMDAS ane kya ASARAM
        khan CHHATRAPATI SHIVAJI ane khan NARENDRA MODI.

        Like

  8. ધર્મ એટલે = વગર રોકાણે ૧૦૦ ટકા નફાનો ધંધો સાથે માન….પાન અને ઉપરથી ખમ્મા..ખમ્મા . જુઓને અમેરિકા, કેનેડા. યુકે અને બીજા દેશોમાં આ સાધુ બાવાઓ અને કથાકારોની જમાત વારંવાર કેટલી ઉમટયા કરે છે.

    Like

    1. Kharekhar to America jeva sudharavadi deshe bava bamta karmakandi Brahman vagere ne visa na aapva joiye mara vanchva ma aavyu chhe ke China e pramukh swami ne visa nota aapya ane eni same gunvantshah swami sachchidanand ne visa aapya hata tyani sarkar nu kahevu chhe ke dharmik ( kahevata) santo kharekhar gheta onu tolu vadharva aavta hoichhe ane visa na aapya te saru nahito Bharat na paisa thi china ma pan ( bhavna) mandir thoki besadyu hot .

      Like

  9. ઘર એ જ મંદિર છે. ઘર એ જ મસ્જિદ છે. ઘર એ જ અગિયારી છે. ઘર એ જ ગુરુદ્વારા છે. ઘર એ જ પેગોડા છે. ઘર એ જ દેરાસર છે. ઘર એ જ ચર્ચ છે. દુનિયાનો છેડો ઘર છે અને ઘરમાં સંસ્કારોની પાઠશાળા છે. ઘર એક ધાર્મિક સ્થાન છે. પવિત્ર સ્થાનને વળગી રહીએ તો બીજા ધર્મસ્થાનો શોધવાની કે બનાવવાની જરુર નથી. HOME IS ” હોમ”.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

    રોહિત દરજી ” કર્મ”, હિંમતનગર

    Like

  10. Very good article with nice thoughts as is the nature & writings of Ms.Sudha Murtyji always. Very true that temples should divert their funds for social activities which are necessary for the society. Some temple-managements have started realising this & spend funds for health activities (such as conducting blood & eye-operation camps, running regular health-clinics for people in their area, providing food & food articles to needy people etc.). However,such activities are less in comparison to the requirements and more funds are spent for building temples etc. Such activities need to be increased. —navin nagrecha, Pune. ..

    Like

  11. શ્રી સુધા મૂર્તિના આ લેખમાં દર્શાવેલા વિચારો સાથે તથા અન્ય વાચકોએ દર્શાવેલા પ્રતિભાવો સાથે સંપૂર્ણ 100% સહમત હોઈ મારો પ્રતિભાવ દશાવી પુંરાવર્તન નહિ કરતા આ લેખ મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર !

    Like

  12. નરેન્દ્ર ભાઈ મોદીએ બહુ દુનિયા જોઇ છે અને તેઓ ખોટા માણસને, એક રાજકરણી તરીકે બચાવે તેવા નથી. વિદેશોમાં હિન્દુ મંદિરો લોકોને મળવા માટેનું સારું સ્થળ હોય છે. પણ દેશમાં તે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓનું અને ધંધા-કમાણીનું સાધન બની ગયું છે. તેથી નવા મંદિરો કે જેની સ્થાપના વિધિપૂર્વકના ટ્રસ્ટ દ્વારા અને કાયદાની રુએ ન થઈ હોય તે બધા તોડી નાખવા જોઇએ. આ વાત ચર્ચ અને મસ્જીદોને પણ લાગુ પાડવી જોઇએ. જેમને પણ મંદિર બાંધવા હોય તેમને પહેલાં જર્જરિત જુના મંદિરનું પુનરોદ્ધારનું કામ આપવું જોઇએ.

    Like

  13. આજે સામાજિક અસંતુલનને લીધે..જરૂરિયાત મંદોની વહારે ધાવવું,તેમની મીનીમમ જરૂરિયાતથી પશુતર જીવનમાંથી મુક્તિ મળે…એ આજની તાકીદ છે.આ કાર્યમાટે સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા કે સરકારી સંસ્થા થકી ઘણું બધું થઈ શકે..ને કરવાની વૃત્તિ કેળવવી પડશે. મંદિરની જરૂરિયાત કે ત્યાં થતા એશએરામ સામેની નારાજગી બાબત, એ એક વાત છે ને, જે પશ્ચિમના જગતની અત્યારે સ્થિતિ છે ..તેની બીજી બાજું કહું!…ઘણા ચર્ચો વેચાઈ ગયા….શખાવતો થકી ઘણા રચનાત્મક કામ થતા દેખાય..પણ ધર્મનો જે મૂળભાવ જીવનનાં દૂષણો ડામવા..એક સંસ્થા તરીકે કામ થતું હતું..તેનો ક્ષય થતો ગયો..ધનથી..પાર્ટીઓ..ડ્રગ..કે…વેશ્યાવૃતિને પ્રોત્સાહનનો અડ્ડો બની છવાવું…એ નજરે પડતું ગયું..કોઈ રોકનાર નથી…સામાજિક બંધન નથી…ભવિષ્યની કે પાડોશીની ચીંતા ..કશું અનુભવાય નહીં..સઘળું લાગણી શૂન્ય.એટલે અમુક દોષિત તત્ત્વોને લીધે..મંદિર કે શિશુવયથી સંસ્કાર વગર…એક રોબટ ટાઈપ સમાજ….શું લાભ આપશે..એ ભગવાન જાણે! ભારતની સંસ્કૃતિ ખોટી નથી..તેનો દૂરોપયોગ ખોટો છે..તે સામે બાંયો ચઢાવવી યોગ્ય છે…પ્રથા સામે નહીં.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  14. ધર્મની અને એના સ્થાનની આવશ્યકતા છે,એ કુટપ્રશ્ન છે એનો જવાબ જરુરિયાત છે.

    Like

  15. દવે સાહેબ ની વાત કે ” મંદિર લોક-મિલન-સ્થાન હોય” સમજાય તેવી છે..
    મંદિરને સમાજ-સંસ્કાર કેંદ્ર અને ભાષા-કેળવણી ના પ્રાપ્તિ સ્થાન તરીકે ઉપયોગ માં લેવાય તેવી સગવડ વાળું બનાવી શકાય, જેમાં દરેક સેવાઓ નિશુલ્ક મળે.. બાળકો સંસક્રુત , મૌખીક ગણીત અને નીતિશાસ્ત્ર શીખી સકે.. ભાગવત-કથા અવિરત ચાલુ હોય.. દરેક મોર્ચે સબળ વાનપ્રસ્થિઓ કાર્યરત હોય અને સમાજ ને તેનો આધાર હોય..
    વહેવાર માં જરુરી વસ્તુઓ નું આદાન-પ્રદાન હોય અને પૈસો દાનપેટી સુધી સીમીત હોય ..

    આવા સંકલ્પ વાળા મંદિરો.. વૈભવ ના પ્રતિક થી હટી ને સમાજ સંસ્કાર ના ધ્યોતક બનીશકે ..
    આમ નવી દિષા માં આગે કૂચ થઇ શકે..
    જૂદા રાહ ચાતરવાની જરુર છે

    Like

  16. Do you also think in same line of this Rationalist people?
    Do their thinking have any such a huge base of religion as our hindu religion?

    The so called rationalist are nothing but big hypocrites.

    Our religion have been tested and sustained through thousands of years and that is a big proof of its truthfulness and eternity.
    We can not generalise by two – three exceptions of Saints or incidences.
    We should be proud of saints like Dongre Maharaj, Pandurang shastri , Vinaba Bhave , etc.

    I am proud to be HINDU and Vaishnav in particular.

    Like

  17. धर्मस्थानोनुं संचालन लोकशाही ढबे थतुं नथी. आशाराम बापू अने पांडुरंग शास्री पोताना दीकरा-दीकरीने वारसामां संप्रदाय सोंपे छे. ट्रस्ट द्वारा संचालित न होय तेवा धर्मस्थानो सरकार हस्तक लई लेवा जोईए; अने तेनुं संचालन लोकशाही ढबे थाय ते जोवुं जोईए. अक्षरधाम, गांधीनगरनी अति किंमती अने विशाण जग्या सरकारे मात्र एक रुपियामां आपी छे.आपणी पासे स्कूल-कोलेज माटे ज़मीन नथी; धर्मस्थानो माटे छे !

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s