આત્મા  અને  અધ્યાત્મ

8

મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત લેખાંક : 7 https://govindmaru.com/2015/07/31/culture-can-kill-7/  ના અનુસન્ધાનમાં.. )

અધ્યાત્મ એટલે આત્મા વીશેનું જ્ઞાન. આત્મા નથી તો અધ્યાત્મ નથી, અને પરમ–આત્મા પણ નથી. તાત્પર્ય કે ઈશ્વર વીશેની બધી ફીલસુફીઓમાં આત્માનું અસ્તીત્વ માની લીધેલું હોય છે. વીચારવન્ત મનુષ્ય આત્માના અસ્તીત્વને કેટલી હદ સુધી સ્વીકારી શકે તે બન્ને બાજુઓ, ટુંકમાં તપાસી જોઈએ.

આત્મા છે એમ માનવા માટે બે દલીલો કરાય છે :

1. ફીરસ્તાઓ અને મહાપુરુષોએ કહ્યું છે એટલે માનો, શ્રદ્ધા રાખો; પ્રશ્નો ન પુછાય.

2. આત્મા એટલે ચેતન, ચૈતન્ય, જીવ. મૃત્યુનો અર્થ એ જ કે આત્મા વીદાય થયો. જીવતા માણસમાં આત્મા હોય, એના મડદામાં નહીં; સજીવમાં આત્મા હોય, જડમાં નહીં. આત્મા ન હોય તો જીવન ના હોય.

આમાંની પહેલી દલીલ શ્રદ્ધા વીશે છે. આ ગુઢત્વ કે રહસ્યવાદ છે. એ બુદ્ધીને બાજુએ રાખવાનો અભીગમ છે, એટલે ચર્ચાને ટાળવાની વાત છે. મગજના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકો એટલે વાતચીત જ બન્ધ. આ અભીગમ Reason, Rationality, Science, Objectivity આ બધા કરતાં તદ્દન અલગ પ્રકારનો છે.

બીજી દલીલમાં જીવન શું છે, મૃત્યુ શું છે, એ જગજુનો મહાપ્રશ્ન સમાયેલો છે ને એમાં નીચેના મુદ્દાઓ અત્યંત વીચારણીય છે :

1. સજીવ અને નીર્જીવ વચ્ચેની ભેદરેખા ખુબ જ પાતળી છે. જીવનનું એક લક્ષણ એવી, પ્રજોત્પત્તી કરવાની ક્ષમતા, વાયરસમાં નથી. અન્ય જીવંત પ્રજાતીના આધાર વીના બીજું વાયરસ જન્મી શકતું નથી. તો પછી વાયરસને સજીવ કહેવાય કે નીર્જીવ ? એનામાં આત્મા હોય ? સજીવ–નીર્જીવની ભેદરખા ઉપર એ જીવે છે. વાયરસ અને બેક્ટીરીયા એ બન્નેમાં Mutation થાય આખી પ્રજાતી બદલાઈ જાય, એટલે આત્મા એનો એ જ રહ્યો કે બદલાઈ ગયો કહેવાય ? એકકોષી જીવ વીભાજીત થઈ બે જીવ બને ત્યારે એક આત્મામાંથી બીજો ઉત્પન્ન થયો કહેવાય ? આવા પ્રકારના બધા પ્રશ્નોના જવાબમાં ધર્મના પંડીતો કહે છે, ‘ખબર નથી.’ આ બે શબ્દો આસ્તીકોનો બચાવ કરવા સાથે તેમને વીનયી ને નમ્ર પણ દેખાડે છે. સત્ય એ છે કે કોઈ ધર્મના ફીરસ્તાના યુગમાં સુક્ષ્મદર્શક યંત્રો (Microscope) શોધાયાં ન હતાં, ને આ સુક્ષ્મ જીવો કોઈએ જાણ્યા કે કલ્પ્યા પણ ન હતા.

2. માણસ કે પ્રાણીની મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે, એ આપણે ધારીએ છીએ એવું સ્પષ્ટ નથી. માણસનું હૃદય બન્ધ પડ્યા પછી એને ફરી કામ કરતું કરી શકાય છે. મગજથી મરેલો (Brain-dead) માણસ પણ જીવે છે. તો પછી માણસ મર્યો ક્યારે ? એનો આત્મા ક્યાં હતો ? કઈ ક્ષણે એને છોડીને ગયો ? અવયવોમાં અર્ધોપર્ધો જીવન્ત હતો ? હજી છે ? બીજા અવતારના ગર્ભમાં પ્રવેશવાની રાહ જોતો હતો ? ઘણાં જન્તુઓ માથું કપાયા પછી પણ જીવે છે. અનેકને મગજ હોતું જ નથી. અનેકને હૃદય નથી. પ્રાણીશાસ્ત્રનું આવું જ્ઞાન કેટલાને હોય છે ?

3. શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ કરે ? ચેતન કે જીવ એ જ આત્મા હોય તો ગર્ભધારણની ક્ષણને જ જન્મ કહેવો પડે; કારણ ગર્ભમાં જીવ છે જ. સ્ત્રીનો અંડકોષ ને પુરુષનો શુક્રાણુ બન્નેમાં આત્મા હોય ? ફલીકરણ સમયે બે આત્મામાંથી એક જ થયો, તો બીજાનું શું થયું ? આ ક્ષણે પ્રકૃતી કરોડો શુક્રાણુઓનો નાશ કરે છે, એટલે આત્માઓનો નાશ થયો કહેવાય ? આ બધા પ્રશ્નો ધારીએ એટલા ઉપલક નથી, ગમ્ભીર છે. ગર્ભપાત (Abortion)ના કાયદા વીશેની ચર્ચામાં અમેરીકામાં આ પ્રશ્નો ચર્ચવા પડે છે. જન્મ અને મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે એ વીશે કોર્ટોમાં અનેક યુદ્ધો ચાલે છે. આજે તો માબાપ બન્ને મરી ગયાં હોય તો પણ; એમનું બાળક જન્મી શકે છે. એટલે કે શીતાગારમાં સંગ્રહ કરેલા શુક્રાણુમાં માણસનું અમરત્વ સુરક્ષીત છે. આંબાને કલમ થાય છે. કપાયેલી ડાળ વાવવાથી નવો છોડ ઉગે છે. આત્માના પુરસ્કર્તાઓને વનસ્પતીશાસ્ત્ર અને જીવશાસ્ત્ર કેટલું આવડે છે ?

4. દરેક માણસના દેહમાં ત્રણ લાખ અબજ જેટલા કોષો છે. દરેક કોષ જીવન્ત છે, એનું પોતાનું જન્મ, જીવન, મૃત્યુનું ચક્ર છે. એક બીજમાંથી વીશાળ વૃક્ષ વીકસે છે. દરેક કોષ, દરેક બીજને પોતાનો અલગ આત્મા હોય ? હોય તો એક વૃક્ષમાં કેટલા આત્મા થયા ? ન હોય તો બીજમાંથી વૃક્ષ કેમ જન્મ્યું ?

5. આત્માની કલ્પના દરેક ધર્મમાં અલગ પ્રકારની છે. ખ્રીસ્તીઓ માને છે કે પ્રાણીઓમાં આત્મા ન હોય. હીન્દુઓ માને છે કે દરેક જીવમાં આત્મા હોય. પ્રાણીઓને ખાવાં જોઈએ? સજીવ વનસ્પતીને ખવાય ? દહીંમાં જીવન્ત બેક્ટેરીયા હોય છે; તો દહીં ખવાય? સમ્પુર્ણ અહીંસક બનીને કોઈ પણ જીવી શકે ? સુક્ષ્મ જીવાણુઓ જીવન્ત છે ને એ તો સર્વત્ર છે.

6. અજર, અમર, અનન્ત માનવામાં આવતો આત્મા પહેલવહેલો ક્યાંથી અને ક્યારે આવ્યો ? આત્મા તેજોબીન્દુ માત્ર હોય, અ–શરીરી હોય, સ્વતન્ત્ર હોય, સુખદુઃખ એને લાગતાં જ ન હોય; તો એને મોક્ષ શામાંથી જોઈએ છે ? ‘જે જેલમાં નથી એને જેલમાંથી છુટવું છે’, એમ શા માટે ?

7. અવયવોની અદલાબદલી (Organ transplant), કૃત્રીમ પ્રાણીઓ (Cloning), નવગર્ભકોષો (Stem Cells) વીશેનું સંશોધન, વગેરે પ્રયોગોથી વાકેફ હોય એવી કોઈપણ વીચારવન્ત વ્યક્તી આત્માના અસ્તીત્વમાં માની શકે એ આજે સંભવીત નથી, સીવાય કે વીજ્ઞાનપુર્વેના કાળના પુરાતન સંસ્કારોને કોઈ પણ ભોગે એ વળગી રહેવા માગતી હોય; અગમનીગમ ને ગુઢવાદ (Mysticism) ને છોડી શકતી ન હોય. કાર્બન નામના મુળ તત્ત્વ વીના કોઈ જીવ બન્યો નથી. એમ મનાતું કે એનાં સંયોજનોને ભગવાન સીવાય કોઈ બનાવી શકે નહીં. 1848માં પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્રીઓએ કાર્બનનું સંયોજન એવું યુરીઆ પહેલવહેલું બનાવીને એ માન્યતા ખોટી પાડી. આજે તો પ્રોટીન પણ બને છે, હજારો જૈવીક પદાર્થો બને છે અને જનીન દ્રવ્ય વીશે અદ્ભુત સંશોધનો થઈ રહ્યાં છે. કાલે ઉઠીને વૈજ્ઞાનીકો સ્વયં સંયોજાતા અણુઓ (Self-Duplicating Molecules) બનાવશે, ત્યારે આત્માના આ વીશેષજ્ઞો શું કહેશે ? આત્માનો જન્મદીન ઉજવશે ?

પ્રશ્નોનો પાર નથી, કલ્પના સીવાય કશાનો આધાર નથી; છતાં આત્મા આવો છે, તેવો છે, પામવો છે, તારવો છે, એવી ઝંખનાઓ અપાર છે.

વીજ્ઞાનના ત્રણસો વર્ષના એકધારા પ્રહારોથી બધા ધર્મોને તાર્કીક રીતે ગમ્ભીર માર પડ્યો છે. એમના ફીલસુફોએ જવાબો આપવાના નીષ્ફળ યત્ન કર્યા છે; પણ એક ધર્મના જવાબને બીજાનો જવાબ નકારે છે. છેવટે બાકી રહે છે એમનો એક જ આશરો અને તે છે : ‘શ્રદ્ધા રાખો.’

બુદ્ધી કે સામાન્ય સમજ ધાર્મીક માન્યતાઓની સાબીતી આપી શકતી નથી; એમને અસંગત  થતાં અટકાવી શકતી નથી; શક્ય, સમ્ભવીત કે સમજી શકાય તેવી પણ બનાવી શકતી નથી; છતાં અનેક બુદ્ધીશાળી વ્યક્તીઓ ધર્મને છોડી શકતી નથી. એનાં કારણો અતીમાનુષી (Superhuman) નહીં, માનસીક અને સામાજીક છે :

નીતીશાસ્ત્ર (Ethics) અને ધર્મ વચ્ચેના સમ્બન્ધ વીશેના સામાજીક ખ્યાલો ભુલાવામાં નાખે છે. નાનપણથી મેળવેલ કેળવણી કે સંસ્કારો સહેલાઈથી છોડી શકાતા નથી. કોઈ ધર્મગુરુના વ્યક્તીત્વનું આકર્ષણ ચુમ્બક જેવું કામ કરે છે. ઉત્ક્રાન્તીના ક્રમમાં બુદ્ધીશક્તી નવી છે ને મુખ્યત્વે માણસમાં જ છે; લાગણી તંત્ર (Emotion) મગજમાં સર્વવ્યાપી છે ને સર્વ પ્રાણીઓમાં છે; પરન્તુ બુદ્ધીશક્તી (Reason) મગજના ઉપરના જમણા ભાગ (Cerebral cortex)માં કેન્દ્રીત થયેલ હોય છે; તેથી લાગણીનું જોર વધુ હોય એ સ્વાભાવીક છે. બીજાં થોડાંક મનોવૈજ્ઞાનીક કારણો પણ ભાગ ભજવે છે. દા.ત., અત્યન્ત બુદ્ધીમાન પુરુષ પણ જીવનમાં પ્રત્યેક ક્ષણે રૅશનલ રહી શકતો નથી. એ પણ છેવટે તો માનવી છે ને ! માનસીક ભુખ, તાણ, તૃષા, અંદેશા, અનીશ્ચીતતા, ભય, બધું આપણને બધાંને અસર કરે છે.  માણસ કોઈ આદર્શને અત્યન્ત અગત્યનો ગણતો હોય ત્યારે એનો બચાવ કરવા બેહદ પ્રયત્ન કરે છે. કેટલાક અધ્યાત્મવાદી બુદ્ધીશાળી હોવા છતાં અધ્યાત્મની બીજી બાજુને જોવાની અનીચ્છા ધરાવે છે. કેટલાકને ચીન્તા છે કે અધ્યાત્મને છોડવાથી જીવનમાં શુન્યાવકાશ પેદા થશે. બર્ટ્રાન્ડ રસેલ જેવા ઘણા જાણીતા–અણજાણ્યા મનુષ્યોનાં જીવનવૃત્તાન્તોથી એ સાબીત થયેલું છે કે આ અંદેશો તદ્દન પાયાવીહીન છે. મારો અને મારા ઘણા અંગત મીત્રોનો આ જ અનુભવ છે.

ઉપરનાં બધાં કારણોથી માણસને અધ્યાત્મ સ્વાભાવીક રીતે મળે છે; અનધ્યાત્મ અપવાદ બને છે. એક કે વધારે કારણો સર લાગણીતન્ત્રનો કબજો જમાવીને મગજમાં ઉંડે ઉંડે બેઠેલા અગમ્યવાદ (Mysticism) ને છોડવો મુશ્કેલ બને છે. બુદ્ધીવાદને સ્વીકારવાનું તો ઠીક, યથાર્થ સમજવાનું સુદ્ધાં સહેલું નથી. અજ્ઞેયવાદી (Agnostic), વીવેકવાદી (Rationalist) કે નાસ્તીક (Atheist) જેવા લોકોએ પણ ઉપરનાં કારણોની પ્રબળતા લક્ષમાં લઈને ધાર્મીક લાગણી સાથે યોગ્ય ધીરજ, સન્માન ને સમભાવથી વર્તવું જોઈએ.

 (ક્રમશઃ)

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/08/2015

15 Comments

  1. સાદી ભાષા માં ઍમ કહી શકાય કે આત્મા ઍટલે “આપણે પોતે, આપણા શરીર, ર્હદય, મગજ, વિચારો, લાગણીઓ વગેરે સહિત”.

    “આત્મા” પછી આવે છે,શબ્દ “પરમાત્મા”. આપણાથી ઉચ્ચતર હોય, તેને “પરમાત્મા” કહી શકાય.

    કાસીમ અબ્બાસ

    Like

  2. સુબોઘભાઇનો લખેલો અેકે અેક શબ્દ સ્વીકારી લીઘો છે, મેં. તેમાં કશુ પણ ઉમેરવા જેવું નથી કે કાઢી લેવા જેવું નથી. છતાં અેકાદ બે વાતો મનમાં આવે છે.
    નં: ૫ મા. હિંદુ અને ખ્રિસ્તી ઘરમોની માન્યતાઓ વિષે લખાયુ છે પરંતુ જૈન ઘર્મ ‘જીવ‘ ઉપર વઘુ ભાર અાપે છે. તેઓ વઘુ દલીલ આપીને વઘુ ક્લેરીટી આપવાનો પ્રયત્ન કરી શકે. સમજવા માટે વઘુ ઉપયોગી થઇ શકે.

    Like

    1. Good question, Amrutbhai.
      I am told by Jain scholars that Atma is pure energy.
      Jiva is Atma with its attached Karmas.
      Karma in Jain metaphysics is bad because Atma attains Moksha (Liberation) only when it sheds all Karmas through penance.

      Other religions do not agree. Each religion offers a different guess about what Atma is all about and also about Karma being good or bad. But that — — is a big topic. Thanks. — –Subodh.

      Like

  3. Atma (Soul) is also known as Jiva. Atma defined into three categories:
    Bahir Atma (external soul), Antar Atma (Internal soul) and Parmatma (Supreme
    Soul) which leads to path of eternity.

    Like

  4. Excellent Article.It is very difficult to digest it if one is not true rationalist & free from all prejudices of spirituality.

    Like

    1. You say one should be “free from all prejudices of spirituality”? Why should not we be free from all sorts of prejudices such as those for or against spirituality, for or against logic, for or against science, for or against politicians/lawyers and so on?

      Like

  5. સુંદર …ખુબ જ મનનીય અને વિચારવંત લેખ !!!
    આ જીવન શક્ય એવી રીતે ચિંતામુકત રહીં આંનદથી જીવવું જોઈએ. જેને બદલે કાલ્પનિક બીજા ભવ કે મોક્ષની માથાકૂટ કરી આ જીવનમાં શામાટે દુખ વહોરી લેવું ???.

    Like

  6. There can be a force which has created earth, solar system, universe. You call it by any name or God. Those who are not “rationalists ” believe in some creator of everything . While Rationalists don’t accept it. Can they explain how this happened? It can’t be accident.

    Like

    1. There are more questions about The Creator. 1) Where did he live before he created the universe? Obviously, has to be somewhere Outside the Universe.
      2)What is there beyond the known Universe?
      3) What was the purpose of his creation? It can’t be to interfere in lives of mortals on this tiny earth, which is nothing compared to the whole universe. 4) Did he really create us or did we create HIM?.
      One assumption leads to many more questions.

      Liked by 1 person

  7. To Shri M. Shah :
    1. You say: “There can be a force which has created — –“. That is a very big assumption. It needs a consistent, corraborative logic, if not a proof. “Can be” does not mean that “there is”. Something can be eternal, for example. Alternatively, even if you assume that everything must have a creator, the question still remains: Then, who created the creator in the first place?
    2. Rationalists accept that they don’t know everything. God may be there. Or, God may not be there. How do we know? The difference between a Rationalist and a Non-rationalist is not in the content of knowledge. The difference is in the method used to obtain knowledge. That is another big subject. It needs modern science and advanced logic to really grasp it all.
    But all readers may not be interested in such things. If anyone is really and truly interested, he is welcome to call or write me an e-mail. Because I don’t write lightly on such subjects, I hope to have a good conversation with a really intelligent person like you. Thank you for sharing your views.
    —Subodh Shah –NJ.

    Liked by 2 people

  8. Badhi lamna jik muko ane Aapna Astitva, Vastutva and Punnatv no Swikar karo koi Aatmana Specialist (Jaankar) drawara. Pachi badha Blogos lakhvanu Bandh thai jase ! Badhe Hu Hu ane Hu naj Darshan thase. Aa Vyabhicharini Budhhini badhi kasaratne karane aava Prashnonu Udbhav sthan thai che ! Tame Potej Aatma Swayam cho parantu Aadi _______ Kapatki tethi dekhatu nathi. OM.

    Like

Leave a reply to Tushar Bhatt Cancel reply