નસીબવાદ

11

પ્રગતીરોધક માન્યતાઓ – 3

નસીબવાદ

                                                                           –સુબોધ શાહ

(ગત લેખાંક : 10 https://govindmaru.com/2015/10/30/culture-can-kill-10/ ના અનુસન્ધાનમાં)

પ્રગતીરોધક માન્યતાનું ત્રીજું પાસું છે એની સાથે જોડાયેલો પ્રારબ્ધવાદ. ‘નસીબમાં હશે તે થશે’, ‘લખ્યા લેખ કોણ ટાળી શકે?’, ‘પુર્વ જન્મનાં જેવાં કરમ’ આવી વાતો આપણે બધા નાનપણથી વારમ્વાર એટલી બધી વાર સાંભળીએ છીએ કે જાણ્યે અજાણ્યે એને ચીરકાલીન વીશ્વ–સીદ્ધાન્ત માની લઈએ છીએ. ભારતીઓને મન પુરુષાર્થ વ્યર્થ છે; કારણ કે આપણે કશું કરી શકતા નથી, બધું આગળથી નક્કી થયેલું હોય તે જ થાય છે. ગીતામાં ભગવાને જાતે કહ્યું છે તે કંઈ ખોટું હોય ? પરીશ્રમ કે પુરુષાર્થ કરવાની કોઈ પ્રેરણા; ઉદ્યમ કરવાનો કોઈ હેતુ; પ્રયત્ન જારી રાખવાનું કારણ કે પ્રેરકબળ (Motivation) ભારતીય માનસમાં જન્મતું નથી, કદાચ જન્મે તો પોષાતું નથી. પરન્તુ પરદેશી આક્રમણો સામે કે મુશ્કેલ પ્રશ્નો સામે તો Motivationની જ જરુર સૌથી વધારે હોવાની. ગીઝની જેવો મોટો શત્રુ આવ્યો ત્યારે આપણે શરુઆતમાં માન્યું કે સોમનાથ ભગવાન એને નષ્ટ કરશે. એથી ઉલટું જ કંઈ થયું; ત્યારે માન્યું કે આપણું નસીબ જ એવું હશે. આપણાં આ કે તે જનમનાં પાપોની આ શીક્ષા હશે, એનો કાંઈ ઉપાય નથી. આ પ્રકારની માન્યતાઓ ખોટી તો છે જ; પણ વધુ ગંભીર પરીણામ એ છે કે એના લીધે આપણે આગળ વીચાર કરતા અટકી જઈએ છીએ કે આપણા પરાજયનાં સાચાં કારણો શાં હતાં? હથીયારોની ખામી હતી? સૈનીકો ઓછા પડ્યા? શીસ્ત તુટી? વ્યુહરચના ખોટી હતી? કે પછી એ બધું જ? આવા પ્રારબ્ધવાદની સામે ખ્રીસ્તી ધર્મની પસન્દગી કરવાની છુટ (Free Will) ની માન્યતાની સરખામણી કરો. ‘તમે ચાહે તે રસ્તો લેવા મુક્ત છો’ The choice is yours.’ ઉપરાંત, ઈસ્લામની આક્રમક ફીલસુફી અને મહમદ પયગમ્બરનું જીવન સરખાવો. એ બન્ને સામે ભારતીય સમાજ કેમ નમી પડ્યો એ સ્પષ્ટ થઈ જશે.

નાની વયમાં મારી તન્દુરસ્તી વીષયક કોઈક બાબતમાં શ્રદ્ધાળુ માતાપીતાએ ધર્મગુરુની સલાહ માગી. નીદાન મળ્યું કે મેં પુર્વજન્મમાં કોઈ ગુરુની નીન્દા કરી હશે, એનું જ આ પરીણામ હોય. ઉપાય ? કોઈ નહી. કર્મનું ફળ ભોગવ્યે જ છુટકો. જેવું જેનું નસીબ ! પ્રાયશ્ચીત્ત થાય ? હા, ભગવાનની મુર્તીના અભીષેકનું જલ પુરી શ્રદ્ધાથી દવા તરીકે વાપરો. આ દવાથી બે ફાયદા થાય : રોગ મટે તો ધર્મમાં શ્રદ્ધાભક્તી વધે; ના મટે તો શ્રદ્ધા ઓછી હતી એમ સાબીત થાય !

નીષ્ક્રીયતા કે આળસ કરતાં નસીબવાદ વધારે હાનીકારક છે. આપણી આળસ કે નીષ્ફળતાને સૈદ્ધાન્તીક પીઠબળ પુરું પાડીને એ વાજબી ઠરાવે છે; નીષ્ક્રીયતાને એ ઉચ્ચ દરજ્જો પ્રદાન કરે છે; અને આપણને ઉદ્યમ કરવાથી દુર રાખે છે. ‘મારી જીન્દગી જો મારા હાથમાં જ ના હોય તો ઉદ્યોગ, મજુરી, મહેનત, એ બધી ઝંઝટમાં પડવાની શી જરુર? એવું કરીને પણ ફાયદો થશે ખરો ?’ જે સમાજનું કલ્ચર આ જાતની વીચારસરણીનો પુરસ્કાર કરે, એ સમાજ પ્રગતી, ધ્યેય કે વીજય ખાતર મરી ફીટવાની તમન્ના પ્રગટાવી શકે ખરો ?

કુદરત આગળ મનુષ્ય નીર્બળ છે. આકસ્મીક અને અણધાર્યું પણ બને જ છે. હકારાત્મક વલણ, યોગ્ય અભીગમ અને ઉદ્યમ દાખવીને આ બધામાં સુધારો કરી શકાય છે. માનવજીવનની ચડતીપડતીમાંથી છુટકારો નથી એ નસીબવાદને શરણે જવાનું કારણ ન બનવું જોઈએ. આપણા ભવીષ્યનું ઘડતર આપણે ત્યારે જ કરી શકીએ, જ્યારે આપણી જાતને નસીબનો શીકાર કે રમકડું કલ્પવાનું છોડી દઈએ. બધી બાબતોમાં આપણુ જ ચાલવાનું નથી, એનો અર્થ એવો તો નથી જ કે કોઈ પણ બાબતમાં આપણું ચાલવાનું નથી; એટલે આપણે એને છોડી દઈએ. સંપુર્ણ નીયન્ત્રણ આપણા હાથમાં ના હોય છતાં; વધુ સારાં પરીણામોની શક્યતા વધારવા ખાતર આપણે ઘણું બધું કરી શકતા હોઈએ છીએ. સક્રીયતા ને સુધારણા, ફરી કાર્ય, ફરી વધુ સુધારણા, એ જ યોગ્ય રીતી છે. અગમચેતી લીધા પછી પણ નીષ્ફળતા મળે, તો એનો નીર્ણાયક પ્રત્યુત્તર એ જ શ્રેષ્ઠ નીતી છે. આપણો પ્રબળ પ્રારબ્ધવાદી સમાજ આ વ્યવહારુ સીદ્ધાન્ત કદી સમજ્યો નથી.

પ્રારબ્ધવાદ વીશે ત્રણ વાતો નોંધવા લાયક છે :

  1. તમે એને કદી ખોટો ઠરાવી ના શકો : જે કાંઈ થાય તે જ થવા નીર્માયું હતું ! તમે ક્યાં જઈ રહ્યા છો એ તમને ખબર ન હોય, ત્યારે બધા રસ્તા તમને ત્યાં જ પહોંચાડે.
  2. પ્રારબ્ધવાદ સ્વનીર્મીત ભાવી ( Self–fulfilling prophecy) ભાખે છે; શેરબજારની જેમ. એમાં બધાનો ઝોક મન્દી તરફ હોય ત્યારે મન્દી જ થવાની.
  3. પ્રારબ્ધવાદ સાચો હોય તો નીતીની કે ઈશ્વરની કૃપાની કે સ્વ-પસન્દગી (Free Will)ની જરુર જ નથી. જે થવાનું હતું તે જ થઈને રહેવાનું હોય, તો આ ત્રણેય નીરર્થક છે. આ તો તદ્દન સહેલું તર્કશાસ્ત્ર છે.

વીચારશુન્યતા :

અધ્યાત્મ અને પુનર્જન્મ વીશેની માન્યતાઓ એટલી બધી શ્રદ્ધા માગી લે છે કે ઘણીવાર એ વીચારશુન્યતાની હદમાં પહોંચી જાય છે. મારા એક સુશીક્ષીત મીત્ર કહે, ‘ત્રણ જન્મો પુર્વે હું ફીન્લેન્ડમાં માછીમાર હતો એમ એક જ્યોતીષીએ મને કહેલું’. એમને કોઈ કહે કે મારા ગામમાં સાતમાળી મકાન છે, તો એ નહીં માને. પરન્તુ સાત સ્વર્ગ અને સાત નરકના અસ્તીત્વ વીશે એમને કોઈ શંકા નથી. એ દરેકનાં નામ સુધ્ધાં એ જાણે છે. વીચારશક્તીને ઘેર મુકીને જાઓ તો જ આપણાં મન્દીરોમાં પ્રવેશીને વાર્તાઓને માણી શકો. ગયા જન્મનાં કે આવતા જન્મનાં રંગીન સપનાં ગુરુ તમને ખાતરીપુર્વક બતાવી શકે; કારણ એની ખાતરી કરવા કોઈ જવાનું નથી એની ગુરુજીને ખાતરી છે. ખાતામા બીલકુલ બેલેન્સ ન હોય તો પણ; 1૦૦ વરસ પછી જ વટાવી શકાય એવો એક કરોડ રુપીયાનો ચેક આજે કોઈ પણ તમને આપી શકે છે.

ધર્મમાં શ્રદ્ધા હોવી એમાં કંઈ ખોટું નથી, પરન્તુ યાદ રહે કે એ શ્રદ્ધા ફક્ત ઈશ્વરમાં નહીં; પણ એના નામે ધંધો કરનારા ભક્તોમાં, સાધુઓમાં, પુરાણોમાં, પુનર્જન્મમાં, ચમત્કારીક વાર્તાઓમાં અને વીધીઓ ને રીવાજોના બખડજન્તરમાં તમને દોરી જાય છે. આ બધાંમાં સારાપણાના અલ્પાંશ સાથે મુર્ખતાનો અધીકાંશ હોય છે. શ્રદ્ધાનો સુતરનો તાંતણો સામાન્ય સમજથી દુર દુર માઈલો જેટલો ખેંચો ત્યારે તે તુટી જશે. તુટશે નહીં તો દરેક પ્રકારની વીચારશુન્યતા અપનાવી લેવાની ટેવ પાડશે. પરંતુ દુન્યવી વાસ્તવીકતા હજી સુધી ઘણાના માનસમાં પ્રવેશી શકી નથી.

કેટલીક હાનીકારક ને સુપ્રચલીત એવી માન્યતાઓની આ નાનકડી અને અપુર્ણ યાદી હતી, જેણે ભારતીય સમાજને સદીઓથી જકડી રાખ્યો છે. એમનો પ્રચાર–પ્રસાર કરનાર હજારો કથાઓ, પુરાણો, ફીલ્મો, ગુરુઓ, આશ્રમો, દેશમાં ઠેરઠેર પથરાયેલાં છે. એમની રુઢીગ્રસ્ત કથાઓ, ચીલાચાલુ વાતો, બીબાંઢાળ સુત્રોચ્ચારો, એ બધાં જનતાનાં રોજનાં ખોરાક–પાણી બની ગયાં છે. આ બધાંના તાણાવાણા વણાઈને આપણા સંસ્કારોનું પોત પ્રગટ્યું છે. એ વસ્ત્રની મજબુતી ને ગુણવત્તા તપાસીને એને માપવા ને મુલવવાની આજે તાતી જરુર છે.

–સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના જુલાઈ માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને ‘મંગલ મન્દીર’ની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ http://govindmaru.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/11/2015

18 Comments

  1. Govindbhai,

    I received your all mails, which you are sending me time to time.
    I am very very pleased to read it. But still I found it very difficult
    to write in Gujarati. The other problem is that… time is to short
    to answer to all our eFriends… But no problem… I am trying to
    manage… Please always be with me… !! with regards….!

    – Dinesh Panchal

    Liked by 1 person

    1. One can write in Gujarati script using gmail account. On that account, on the second line from top, all the way to the right there is a gaeared wheel. To its left, there is a box for choosing language options. Left click on the downpointing triangle on it. From the pull down menu that opens up, select ‘Input Tools Settings’. Two lists will show up. The one on the left is marked “All input tools:”. dozens of languages are listed under it. The list on the right hand is marked “Selected input tools:” There are two arrows between the two lists. To select ‘Gujarati’, click on it and also on the top arrow. “Gujarati” will show up on the right column. One can enter as many languages from the left to the right. (I have selected Gujarati, Sanskrit, Hindi and Marathi to enable me to write in any of them.) Any selected language can be cancelled by clicking on it and then on the lower arrow. One has to write the comment on gmail’s ‘Compose’ tab and then copy paste on Abhivyakti or any other blog on which he or she wants to submit the comment.

      I think Gujarati lexicon have also developed a font for writing in Gujarati directly on the blog. But I do not know how to download it.

      Liked by 1 person

  2. “આવા પ્રારબ્ધવાદની સામે ખ્રીસ્તી ધર્મની પસન્દગી કરવાની છુટ (Free Will) ની માન્યતાની સરખામણી કરો. ‘તમે ચાહે તે રસ્તો લેવા મુક્ત છો’ The choice is yours.’ ”

    છેક એવું પણ નથી. શ્રીકૃષ્ણએ તો ગીતામાં કહ્યું છે

    विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु || (श्रीमद्भगवद्गीता 18:63)
    હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર. (ગીતા પ્રેસ, ગોરખપુર નું ભાષાંતર)

    ગુરુઓને આ ના ગમ્યું તેથી તેનો ઉલ્લેખ જ નથી કરતા.

    “નીષ્ક્રીયતા કે આળસ કરતાં નસીબવાદ વધારે હાનીકારક છે.” ખરું લખ્યું. તેથી તો હું યુવાનોને best of luck કહેવાને બદલે કહું છું May your hard work bring you a brilliant success. અર્થાત જો તમે સખત પરિશ્રમ કર્યો હોય તો (અને તો જ) તમને ઝળહળતી સફળતા મળે એવા મારા આશીર્વાદ છે.

    Like

  3. “આવા પ્રારબ્ધવાદની સામે ખ્રીસ્તી ધર્મની પસન્દગી કરવાની છુટ (Free Will) ની માન્યતાની સરખામણી કરો. ‘તમે ચાહે તે રસ્તો લેવા મુક્ત છો’ The choice is yours.’ ”
    છેક એવું પણ નથી. શ્રીકૃષ્ણએ તો ગીતામાં કહ્યું છે
    विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु || (श्रीमद्भगवद्गीता 18:63)
    હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર. (ગીતા પ્રેસ, ગોરખપુર નું ભાષાંતર)
    ગુરુઓને આ ના ગમ્યું તેથી તેનો ઉલ્લેખ જ નથી કરતા.
    “નીષ્ક્રીયતા કે આળસ કરતાં નસીબવાદ વધારે હાનીકારક છે.” ખરું લખ્યું. તેથી તો હું યુવાનોને best of luck કહેવાને બદલે કહું છું May your hard work bring you a brilliant success. અર્થાત જો તમે સખત પરિશ્રમ કર્યો હોય તો (અને તો જ) તમને ઝળહળતી સફળતા મળે એવા મારા આશીર્વાદ છે.

    Liked by 2 people

  4. સો ટકાની વાત. હવે સવાલ રહ્યો છે….પેલા નસીબમાં માનતાને સમજાવવાનો. આ આર્ટીકલને પાઠયપુસ્તકમાં સમાવી શકાય કે નહિ? મોટો પ્રશ્ન છે. સુબોઘભાઇની લખેલા સત્યો તો બુઘ્ઘોને ખબર જ છે. અબુઘોને સમજાવવાના છે. પાઠયપુસ્તકમાં સમાવવાનો અેક રસ્તો દેખાય છે. રસ્તો અઘરો છે. વિચાર કરવા વિનંતિ છે.
    થોડા Quotes……..on LUCK……
    1. Ralph Waldo Emerson :
    ” Shallow men believe in luck or in circumstances.. Strong men believe in cause and effect.”
    2. Thomas Jefforson:
    ” I am a greater believer in luck, and I find the harder I work the more I have of it.”
    3.William Shakespear :
    Oh, I am fortune’s fool.”
    4. Samual Goldwyn:
    The harder I work, The luckier I get.”
    5. Steve Maraboli:
    Luck is a word, the bitter teach to the ignorant.”
    6. Emily Dickinson:
    ” Luck is not chace – it’s Toil – fortune’s expensive smile is earned.”
    7. E.B. White:
    ” Luck is not somthing you can mention in the presence of self-made men.”

    What is Co-incidence?
    Wlkipedia Dictionary:
    ” A co-incidence is a remarkable concurrence of events or circumstances which have no apparent casual connection with each other. The perception of remarkable co-incidences may lead to supernatural, occult; or paranormal claims, or it may lead to belief in fatalism, in the exact manner of a predetermined plan.”

    Albert Einstein said, ” Co-incidence is God’s way of remaining anonymous.”

    નસીબ ????
    અમૃત હાઝારી.

    Liked by 1 person

    1. આપણે ત્યાં પણ કેટલાક સુભાષિતો છે જેવા કે ​

      ​उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथै:|
      न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा: ||

      ​ઉદ્યમ વડે જ કામ પર પડે છે નહીં કે વિચાર કરવાથી. સુતેલા સિંહના મોંમાં પ્રાણીઓ (આપમેળે) દાખલ થતા નથી.

      પ્રશ્ન એ છે કે પ્રજાને આવા ઉપયોગી સુત્રોને પચાવતાં કેવી રીતે શીખવવું.

      Liked by 1 person

  5. મિત્રો,
    ચાલો આપણે હિન્દુઓના ઘરમાં….દરેક ઘરમાં બાળકના જન્મ પછીના છઠ્ઠા દિવસે થતી વિઘિની વાત કરીઅે. છઠની પૂજા., જેમાં પેપર, સાહિનો ખડીયો, કલમ મુકવામાં આવે છે. ભાગ્ય લખનાર દેવી રાતે તે બાળકનું ભાવિ લખી જાય છે…અેમ કહેવાય છે. હવે વિચાર કરો…..દરેક જન્મેલા બાળકનું ભવિષ્ય જો તેના જન્મના છઠ્ઠે દિવસે જ તય થઇ જતું હોય તો પછી આ બઘી ચર્ચા શાને ? હિન્દુ….હિન્દુ…..જ્યોતિષીઓ…..ગુરુઓ…..ભગત…ભૂઅાઓ……સ્વામીજીઓ……કથાકારો…….અેવા જ…ગણયા ગણાય નહિ અને વિન્યા વિનાય નહિ અેટલાં અંઘશ્રઘ્ઘાના વાહકો, વેપારીઓ….અેક ઢૂંઢો…હજાર મીલે…દૂર ઢૂંઢો પાસ મીલે જેવા સંજોગો હોય ત્યાં ગાજરની પીપુડી કેટલી વાગવાની ?
    જુના ઘાર્મિક ગ્રંથો….વેદો….અને બીજા પુસ્તકો જો નસીબને પ્રાઘાન્ય આપતા હોય અને ૨૧મી સદીમાં ભણી ગણીને જીવતાં લોકો માનસિકતામાં ૫૦૦૦ હજાર વરસો પુરાણા હોય તો પછી રામ બોલો ભાઇ રામ જ બોલવું પડે.
    રામ બોલો ભાઇ રામ……
    અમૃત હઝારી.

    Liked by 2 people

  6. A very good article in English on “Superstitions” by Swami Shekar has been published in two parts in Canadian weekly “Times of India” in issues 20th and 27th November 2015. Both parts are attached herewith for your reading.

    Qasim Abbas
    Canada

    Date: Fri, 27 Nov 2015 12:46:58 +0000
    To: qasimabbas15@hotmail.com

    Liked by 1 person

  7. “Naseeb” or “Kam-naseeb” i.e. lucky and unlucky has no place in one’s life. Only determination, education, wisdom and hard work are essence of life. Due to blind faith at very large scale world wide, the opportunists i.e. pandit, mulla, peer, faqir, baba, bapu, jyotishi etc. etc. are earning their livelihood from blind faith people.

    Qasim Abbas

    Liked by 1 person

  8. Saras lekh bajuna saher ma satmalni building hoi to joyavagar na mane pan sat patal ane sat swarg namsathe jane khub saras udaharan .

    Liked by 1 person

  9. उपरनी पोस्ट बरोबर वांचो. स्पष्ट लखेल छे के सोमनाथ मंदीरने गजनी लुंटवा आव्यो. मंदीरनी धजाने नीचे पाडी कतल चलावी मंदीरना लींगने तोडी मंदीरना तगडा मजबुत पुजारीओने गुलाम बनावी बधो माल ठेठ गजनी लई गयो. कमाल तो जुओ ए ज गुलाम बनेला पुजारीओ लींगनो पत्थर ठेठ गजनी लई गया अने मस्जीदना पगथीयां लगाडी दीधो. ए तो आपणे नक्की करवानुं छे के हजार वरसमां आपणे पुजारीओ पासेथी गुलामी सीवाय शुं शीख्या?

    Liked by 1 person

  10. कुर्वन्नेवेह कर्माणि जिजिविषेत्छतम् समा: કામ કરતાં કરતાં સો વરસ જીવવાની આશા રાખવી જોઈએ તેવી ઇશાવાસ્ય ઉપનિષદની ભલામણ છે. તેનો અમલ તો ક્યારેય નહોતો થયો. ​”શું શા પૈસા ચાર” સાંભળી વ્યથિત થયેલા પ્રેમાનંદે ઉત્કૃષ્ટ સાહિત્ય રચ્યું. ચારના વધીને કેટલા પૈસા થયા તે તો કોણ જાણે. પણ અણધાર્યું પરિણામ એ આવ્યું કે અનનુકરણીય નરસિંહ મહેતા પ્રસિધ્ધ અને લોકપ્રિય થઇ ગયા. પ્રજાની રહીસહી ઉદ્યમશીલતા પણ નામશેષ થઇ ગઈ. ​ અધૂરામાં પૂરું વળી “વૈષ્ણવ જન” વડે ગાંધીજીએ તેમને મહાન બનવી દીધા. જે જીવનમાં એક પાઈનું પણ સ્વધન કમાયા નહોતા તે કવિ “પરધન નવ ઝાલે હાથ” લખે તે કેવું?

    આવા તો ઘણા પાત્રો છે કે જેમના વખાણ બંધ કરવા જોઈએ.

    ​બીજી બાજુ વિચારવા જેવી વાત એ છે કે અંગ્રેજોને ભારતીય લોકો મહેનતુ લાગવાથી ‘ગીરમીટિયા’બનાવીને બીજા દેશોમાં લઇ ગયા કારણ કે ત્યાંની સ્થાનિક પ્રજા બરાબર કામ નહોતી કરતી. સારા મહેનતુ લોકો જતા રહ્યા અને આળસુઓ રહી ગયા! ​

    Liked by 1 person

  11. ગઝનીએ ૧ વાર નહી ૧૭ વાર સોમનાથનું મંદિર લુંટેલું. કોઈ ફરજ પર ચોકીદાર ફરજ પર હોય અને જો ચોરીઓ થાય તો એને પાણીચું મળે ક્યાં એની સામે પોલીસ કેસ થાય.
    જ્યારે આ સર્વવ્યાપી,સર્વજ્ઞ ,સર્વશક્તિમાન કયા કારણોસર નીસહાય ,નિરબળ અજાણ રહયો જેનો ગાડી -ઘેલી – અંધ્શ્રદ્ધાળુનિ જમાતે સહજ પણ તર્ક દોડાવ્યા વિના ફરી ફરીને મંદિરમાં લખલૂટ ખર્ચો કરતા રહ્યા અને ગઝની લૂટતો રહ્યો.
    ખુબ સુંદર લેખ !!!! આવા જુદા જુદા ખુબ લેખોનિ, સરખી વિચારસરણી વાળા લેખકોની પાસેનિ અપેક્ષા સહીત.

    Liked by 2 people

    1. सोमनाथ मंदीरनी लुंट अने नाशमां आ मुहम्मद गजनी ठेठ गजनीथी आव्यो. मांड थोडा साथीदारो हता. अने मंदीरना तगडा पुजारी अने भक्तो गजनी थी दस घणां हता.

      धजाने नीशान बनावी नीचे पाडवी अने कतल चलावी लुंट करवी.

      आपणे आ सोमनाथ मंदीरनी लुटमांथी शुं शीख्या?

      दुनीयाना आंतकवादमां सोमनाथथी अयोध्यानी रथ यात्राओए भाग भजव्यो अने बाबरीना ढांचाने तोडी पाड्या पछी अमेरीकाना प्रख्यात अभीमानी टावरो जमीन दोस्त थई गया…

      Liked by 1 person

  12. પ્રારબ્ઘવાદી ગુજરાતીઓ જીવનના નીચોડના રુપે કહેવતો બનાવીને તેને સનાતન સત્ય તરીકે પ્રસ્થાપિત કરે છે……ચાર કહેવતો……..
    ૧. નસીબથી વઘુ અને ભાગ્યથી વઘારે ન કોઇને મળ્યુ છે અને ન કોઇને મળશે.
    ૨. જો નસીબમાં હોય કંકર તો શું કરે શંકર ?
    ૩. પ્રારબ્ઘ અને પરુષાર્થ બન્નેના માર્ગ ભિન્ન છે., છતાં જ્યારે તેઓ જ્યાં મળે છે ત્યાં અદભૂત સફળતા પ્રગટે છે.
    ૪. દરેક કામમાં જોખમ હોય છે….પરંતુ કશુ નહિ કરવામાં મોટું જોખમ હોય છે.
    વિચારકો વિચારે….બીજી પણ કહેવતો હશે જ….જે નસીબને સાંકરતી હોય.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  13. ‘પ્રારબ્ધ્ધ’ શબ્દનો બીજો અને ખરો અર્થ ‘શરુ કરેલું’ થાય છે. એક શ્લોક કહે છે,

    प्रारभ्यते न खलु विघ्नभयेन नीचै: प्रारभ्य विघ्नविहता: विरमन्ति मध्या: |
    विघ्नै: पुन:पुनरपि प्रतिहन्यमाना: प्रारबध्धमुत्तम जना: न परित्यजन्ति||

    વિઘ્નના ભયથી નીચ પ્રકારના લોકો કામ શરુ કરતા નથી. વિઘ્ન આવે તો મધ્યમ પ્રકારના લોકો કામ પડતું મુકે છે. વારંવાર વિઘ્ન નડવા છતાં ઉત્તમ પ્રકારના લોકો શરુ કરેલું કામ (પ્રારબ્ધ્ધ) પડતું મુકતા નથી (પૂરું કરે જ છે).

    “ધર્મમાં શ્રદ્ધા હોવી એમાં કંઈ ખોટું નથી, પરન્તુ યાદ રહે કે એ શ્રદ્ધા ફક્ત ઈશ્વરમાં નહીં;”
    ધર્મમાં પણ શ્રધ્ધા ન રાખીએ કે ઈશ્વરમાં પણ ન રાખીએ તો કદાચ ચાલે. શ્રધ્ધા ઈશ્વરીય ગુણો જેવા કે સત્યપ્રિયતા, ન્યાયપ્રિયતા, કરુણા વગેરેમાં રાખવી જોઈએ. God is above and beyond all religions.

    હમણાં એક સરસ વાક્ય વાંચવામાં આવ્યું. ​”Humans have both hearts and minds, and both must find expression” (David Von Drehle in ‘Beating Isis’, Time weekly, Nov. 30 – Dec. 7, 2015 issue, p. 54)​ આ વાક્ય આમ તો અત્યારની પરિસ્થિતિના સંદર્ભમાં લખાયું છે પણ બધા સંજોગોમાં સાચું છે. દિલ અને દિમાગ બંને વાપરીને નિર્ણય લેવા જોઈએ. ઈશ્વર પ્રત્યે શ્રધ્ધાને લીધે મંદિરે જઈએ ખરા પણ તેના કોઈ બની બેઠેલા દલાલ ગુરુ આપણને બનાવી ના જાય તેટલું તો દિમાગ પણ વાપરવું જોઈએ.

    રશ્મિકાન્ત ચં દેસાઈ

    Liked by 1 person

  14. I have no words to say thanks to you for such a go and very practical article for reading and thinking. I fully 100% agree with you.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

Leave a comment