–ચન્દ્રકાન્ત બક્ષી
જ્યોતીષ વીશે લખવામાં વ્યાવહારીક જોખમ છે. દરેક બીજી સ્ત્રી અને દરેક ત્રીજો પુરુષ જ્યોતીષમાં માને છે. ભવીષ્ય વેત્તાના દરેક લખેલા શબ્દ પર લોકોને જે વીશ્વાસ છે એ અદ્ ભુતથી પણ વધારે છે ! જ્યોતીષી કે ભવીષ્યવેત્તાનું નામ ન હોય, એડ્રેસ ન હોય, ગોત્ર ન હોય; છતાં પણ ભણેલાગણેલા માણસોને એમની વાતોમાં, એમના અક્ષરેઅક્ષરમાં જે આસ્થા છે એ અન્ધશ્રદ્ધાથી જરા પણ ઓછી નથી. ભવીષ્ય વીશે જાણવું એ માણસની કમજોરી છે અને રહેશે. જ્યોતીષ જેવો ધમધોકાર ધંધો બીજો નથી. મુહુર્ત જોયા વીના પરણવા નીકળનારા કે પુજા કર્યા વીના ગૃહપ્રવેશ કરનારા ભાગ્યે જ મળશે ! ભારતમાં જ્યોતીષ હતું, છે અને રહેશે…
1985ના સપ્ટેમ્બરની પહેલી તારીખે દેશના પ્રથમકક્ષાના અંગ્રેજી સમાચારપત્રમાં આ પ્રકારની જાહેરખબર વાંચવા મળે છે : ‘27/155, બીઝનેસમેન, જે દુબઈમાં સ્થાયી છે, એને માટે 20થી 25 વર્ષની ખુબસુરત ગ્રેજ્યુએટ સુન્ની મુસ્લીમ કન્યાએ જન્મકુંડળી (હોરોસ્કોપ) સાથે પત્રવ્યવહાર કરવો.’ ચારેક વર્ષ પહેલાં પાકીસ્તાનમાં અંગ્રેજી દૈનીકમાં સાપ્તાહીક ભવીષ્યના મકર અને વૃશ્ચીક અને તુલા જોઈને ખુબ જ આશ્ચર્ય થયેલું ! મુસ્લીમ પાકીસ્તાનમાં ઉર્દુ અખબારો પણ ભવીષ્યવાણીની કૉલમો ચલાવે છે એવું ત્યાંના દોસ્તોએ કહ્યું છે. સોવીયેત યુનીયન જેવા કમ્યુનીસ્ટ દેશમાં પણ ટ્રેડ યુનીયન પત્ર ‘ત્રુદ‘ સતત શીકાયત કરતું રહે છે કે ભવીષ્યવાણી કહેવી એ સામાજીક દુષણ બની ગયું છે અને એને કારણે કેટલીય જીન્દગીઓ ખોટી આશા–નીરાશાઓમાં બરબાદ થઈ જાય છે. એટલે રશીયામાં પણ જ્યોતીષનો ‘રોગ‘ તો છે જ !
જ્યોતીષ મહાન શાસ્ત્ર હશે; પણ એ પ્રેક્ટીસ કરનારા એટલા મહાન નથી. જ્યોતીષની શેરબજાર જેવી એક દ્વીઅર્થી ભાષા છે. દરેક અનુમાનશાસ્ત્રે પોતાની એક ભાષા પેદા કરી લેવી પડે છે. કોઈ પણ આગાહી મુળભુત બે જ પ્રકારની હોઈ શકે છે – ક્રીકેટ ટીમ જીતશે અથવા નહીં જીતે ! રાજીવ ગાંધી સફળ થશે કે નહીં થાય. પણ આટલી સ્પષ્ટતાથી આગાહી કરવામાં આવતી નથી. મહાત્મા ગાંધીની હત્યાની એક ભવીષ્યવેત્તાએ જરુર આગાહી કરી હતી !
જ્યોતીષનું સૌથી ખરાબ પરીણામ એ છે કે એ અસ્થીર માણસને કમજોર બનાવી નાંખે છે. આન્ધ્રમાં વીધાનસભાની ચુંટણી હતી. કોંગ્રેસની પાંત્રીસ વર્ષોથી બહુમતી હતી. દીલ્હીમાં ઉમેદવારો ભેગા થયા હતા. કોંગ્રેસી ઉમેદવારોએ શુભમુહુર્ત કાઢીને પત્રકો ભર્યાં. પણ એ શુભમુહુર્ત સાચવવા માટે દીલ્હીથી ખાસ ચાર્ટર કરેલું ઈન્ડીયન એરલાઈન્સનું હવાઈ જહાજ ખાસ શુભમુહુર્ત કાઢીને દીલ્હીથી હૈદરાબાદ માટે ઉડ્યું. સરકારી હવાઈ જહાજ મુહુર્ત પ્રમાણે આ રીતે ઉપડતું નથી; પણ દેશના ‘ભવીષ્ય‘નો પ્રશ્ન હતો અને પ્લેન ચાર્ટર કરેલું હતું ! બધાં જ શુભમુહુર્તો સચવાયાં, કોંગ્રેસીઆ ઉમેદવારોએ કોંગ્રેસની જન્મકુંડળીના બધા જ ગ્રહો સાચવ્યા પણ જનતાનું ગૃહ ભુલી ગયા ! આન્ધ્રના રામારાવે કોંગ્રેસને સખત પરાજય આપ્યો. મુહુર્તો ખોટાં કાઢવાનો પ્રશ્ન હતો જ નહીં. ઘણા બધા જોશીઓએ એકથી વધારે મુહુર્તો સાચવ્યાં હતાં અને એમનું સમ્પુર્ણ મતૈક્ય હતું – પણ જોશીઓ ખોટા પડ્યા.
1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. મરાઠા સેનાઓના સેનાપતી હતા સદાશીવરાવ ભાઉ અને સામે અફઘાન અહમદશાહ અબ્દાલી હતો. અફઘાનો શક્તી વગરના, સંગઠન વીનાના હતા, મરાઠાઓ તૈયાર હતા. મૌસમ આક્રમણ માટે ઉપયુક્ત હતી; પણ ભાઉસાહબ પ્રખર જ્યોતીષી હતા. હમણાં ગ્રહો બરાબર ન હતા, એમનું કહેવું હતું.
મરાઠી સેનાના મુખ્ય તોપચી ઈબ્રાહીમખાને કહ્યું કે આ મોકો છે હુમલો કરી દેવાનો; પણ ગ્રહો ઠીક ન હતા. મરાઠા વીલમ્બ કરતા રહ્યા, વરસાદ આવ્યો, નદીઓ ઉભરાઈ ગઈ. ચોમાસું ગયું. પણ હજી ગ્રહો બરાબર ન હતા. અન્તે એક દીવસ યુદ્ધ થઈ ગયું, યુદ્ધ કરવું જ પડ્યું. છેલ્લે દીવસે મરાઠા સૈનીકો એમનું છેલ્લું ભોજન અને ઘોડાઓની છેલ્લી રસદ ખતમ કરીને યુદ્ધમાં ઉતર્યા. ભાઉસાહેબે કહ્યું, હવે ગ્રહો બરાબર છે…
નવેક માસના વીલમ્બ પછી મરાઠા–અફઘાન યુદ્ધ થયું. ગ્રહો સારા હતા–પણ અફઘાનો માટે ! 1761માં જે યુદ્ધ થયું એણે ભારતનું ભાવી શેષ કરી દીધું અને એમાં પરાજયનું એક કારણ હતું સદાશીવરાવ ભાઉનો જ્યોતીષમાં અડગ અન્ધવીશ્વાસ.
કથાકાર મધુરાયની એક વાર્તામાં એક પાત્ર રમુજમાં કહે છે કે : ‘મારી મમ્મીને મંગળ હતો અને મારા પપ્પાને મંગળ હતો એટલે મારો જન્મ થયો !’ ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો ‘લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.’
જ્યોતીષ પાસે ઘણા પ્રશ્નો અનુત્તર છે. તરત જન્મેલા મૃત બાળકને પણ સામાન્ય મનુષ્ય જેટલી લાંબી જીવનરેખા હોય છે ! બન્દરની હથેળી પર પણ આપણા જેવી જ રેખાઓ હોય છે. સામુદ્રીક વીદ્યા એ હથેળીઓ વીશે કંઈ કહી શકે છે ? ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમી) ચોક્કસ શાસ્ત્ર છે, જ્યારે જ્યોતીષ (એસ્ટ્રોલોજી) હજી અનુમાનની વસ્તુ છે. જન્મની ક્ષણને ભવીષ્ય સાથે સમ્બન્ધ છે ?
હીન્દુસ્તાનમાં એક જ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. અમેરીકામાં ત્રણ સમયો છે. આસામ અને ગુજરાતમાં એક જ સમય હોઈ શકે ? બે ઘડીયાળો એક સ્થળે પણ સરખો સમય બતાવતી નથી ! હોસ્પીટલની ઘડીયાળ પણ સાચી જ હોય એ જરુરી નથી. ચોક્કસ કે એક્ઝેક્ટ સમય ઘડીયાળો પર નીર્ભર નથી; પણ તમે કયા ચોક્કસ અક્ષાંશ–રેખાંશ પર જન્મ્યા છો એના પર આધારીત છે. કદાચ જ્યોતીષીઓ આ વીશે ક્યારેય સાવધાન નથી હોતા. શીયાળા–ઉનાળાના જગતના ઘણા દેશોમાં જુદા જુદા સમય હોય છે. અક્ષાંશ–રેખાંશની દૃષ્ટીએ ભારતવર્ષમાં પુર્વતમથી પશ્ચીમતમ બે સ્થાનો વચ્ચે વૈજ્ઞાનીક રીતે લગભગ બે કલાકનો ફર્ક હોવો જોઈએ. સ્થાનીક સમય અને ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે પણ ફરક હોય છે. દૃષ્ટાંતરુપે જોઈએ તો અમદાવાદના સ્થાનીક સમયમાં 40 મીનીટ ઉમેરો તો ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવે; પણ આસામના ગુવાહાટીમાં 37 મીનીટ બાદ કરો તો આઈએસટી આવે !
ગ્રીક ‘હોરોસ્કોપ’ પરથી ભારતીય ‘હોડાચક્ર’ આવ્યું. આપણે ત્યાં જન્મકુંડળી જુની વસ્તુ છે. કહેવાય છે કે રાવણની કુંડળીમાં સુર્ય સાતમા ઘરમાં હતો. રામાયણમાં રામનાં લગ્ન પછી દશરથ અયોધ્યા પાછા ફરી રહ્યા છે, ત્યારે વનમાં પક્ષીઓનો તીવ્ર કાકારવ સાંભળે છે; પણ હીંસક પશુઓ પાળેલાં જાનવરોની જેમ પાસે આવીને આસપાસ ફરે છે. દશરથને અપાર આશ્ચર્ય થાય છે ત્યારે વશીષ્ઠ આ લીલા સમજાવે છે. પક્ષીઓનો કાકારવ આવનારી આપત્તીઓનો દ્યોતક છે જ્યારે હીંસક પશુઓનું શરણ બતાવે છે કે એ આપત્તીઓ પસાર થઈ જશે ! ઋષી વશીષ્ઠની ભવીષ્યવાણી અક્ષરશ: સાચી પડે છે.
એ જ જુનો પ્રશ્ન આવે છે : જોશી જોષ જુએ છે તો એની છોકરી કેમ રંડાય છે ?
જ્યોતીષ અંગત વીશ્વાસનો પ્રશ્ન છે. વહેમ એ, જ્યોતીષનો અનૌરસ પુત્ર છે. નીર્દોષ આનન્દ માટે જ્યોતીષ બહુ સરસ વીષય છે અને સાપ્તાહીક ભવીષ્ય એમાં ઉત્તમ છે !
તમે જો નીયમીત સાપ્તાહીક ભવીષ્ય વાચવાના બન્ધાણી હો તો તમારે માટે થોડી સુચનાઓ અને ભવીષ્યવાણી નીચે મુજબ છે :
“……પાડોશમાં પોપટ હોય તો સંભાળશો. ઑક્ટોબરમાં તમે પ્રાણીબાગમાં જાઓ એવા સંજોગો છે. આ જુન સુધીમાં તમને ફક્ત બે જ સ્ત્રીઓ પ્રેમ કરે એવા યોગ છે. દીવાળી સમયે એક બંગાળી તમને તમારો વીમો ઉતરાવવા માટે ચેષ્ટાઓ કરશે; પણ તમે એમાંથી છટકી જશો. પ્રથમ છ માસ તમને તમારા ટેલીફોન તરફથી કોઈ તકલીફ નહીં રહે. વરસાદના દીવસોમાં તમારી વર્ષો જુની એક પ્રીયા તમને યાદ કરશે અને બેએક વાર ગુંડા મોકલશે; પણ તમારો સુર્ય તપી રહ્યો છે. આપઘાત કરવા માટે આ અઠવાડીયું સારું નથી. રેસકોર્સમાં ‘યુ’ કે ‘ડબલ્યુ’ નામથી શરુ થતા ઘોડા પર જુગાર રમવાથી ફાયદો થશે. જેના પીતાનું નામ મુળજી કે હરીદાસ કે ચમનલાલ હોય એવા શખ્સથી દુર રહેજો. જુલાઈમાં વાળ કપાવશો નહીં અને નવું ટી.વી. ખરીદશો નહીં. સપ્ટેમ્બરમાં પેન્ટ સીવડાવશો તો સીટમાંથી ટાઈટ થઈ જશે. આ વર્ષે અત્તરની શીશીઓ લેવી નહીં અને લેશો તો ખોલતી વખતે એના બુચ તુટીને અંદર ચાલ્યા જશે. આ વર્ષે પાંચ ફીટ સાડા ત્રણ ઈંચ ઉંચી એક સ્ત્રીથી તમને સન્તાપ છે; પણ શીયાળામાં એને લગભગ પરણી જવાનો યોગ ઉભો થશે. વૃશ્ચીક રાશીમાં જન્મેલા એક જાડા બેંક મેનેજર સાથે બોલાચાલી થશે. તમને ટેબલ ટેનીસના બૉલની ઘાત છે માટે એનાથી સંભાળશો. આ વર્ષે તમારે એકન્દરે સન્તાનયોગ નથી.”
અને હા, હું જ્યોતીષમાં માનતો નથી.
♦ ક્લોઝ અપ ♦
ગ્રાહકોને વીનન્તી છે કે વચ્ચે વચ્ચે એમણે સીલીંગના પંખાઓ તરફ તાકતા રહેવું, જ્યારે પંખાઓ ફરતા દેખાય (અમારા પંખાઓ તો ચાલતા જ નથી !) ત્યારે સમજવું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. [કલકત્તામાં એક શરાબના બારમાં લટકાવેલી સુચના] (પુસ્તક : અતીક્રમ)
–ચન્દ્રકાન્ત બક્ષી
મશહુર ગુજરાતી લેખક શ્રી. ચન્દ્રકાન્ત બક્ષીના અનગીનત વીષયો પરના વૈવીધ્યસભર લેખોનું સંકલન ‘બાકાયદા બક્ષી – Chandrakant Bakshi’ના 26 સપ્ટેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકના અને બ્લોગના સૌજન્યથી સાભાર…
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 19/02/2016
જોશીઓની વાતો કેવી રમુજી હોય છે! એક ખુબ જાણીતા અને પળાતા સંપ્રદાયના પંચાંગમાં માલ વેચવાના અને માલ ખરીદવાના જુદા જુદા મુહુર્તો આપેલા હોય છે. બધા વેપારીઓ જો તે પ્રમાણે વર્તે તો બજારો બંધ કરવા ના પડે?
મારી કુંડળીમાં તેરમાં સ્થાનમાં મારા સત્કર્મો, પ્રયત્નો, આત્મવિશ્વાસ વગેરે છે. રાહુ કેતુની દૃષ્ટી મારા પર પડી શકતી નથી કારણ કે રાહુ ચૌદમાં સ્થાનમાં અને કેતુ પંદરમાં સ્થાનમાં છે. તેમને તો મેં કુંડળીનિકાલ કર્યા છે. બંદાને જોશીઓની કશી જરુર નથી પડતી.
LikeLiked by 1 person
જ્યોતિષશાસ્ત્ર (Horoscope) નું ધતીન્ગ જગતના દરેક દેશમાં ફેલાયેલ છે. અમારા મુસ્લિમ ધર્મમાઁ તો આ ધતીન્ગને ઈસ્લામ ધર્મ નીસાથે જોડી દેવામાં આવેલ છે, અને આ ધતીન્ગ થકી મુલ્લાઓ અને બાબાઓ ભોળા લોકોને મૂર્ખ બનાવીને પૈસા બનાવે છે.
તે ઉપરાંત હસ્તરેખા (Palmistry) ગ્રહોની હીલચાલ (Astrology) વગેરે ધતીન્ગો પણ પૂરા જગતમાં ચાલી રહ્યા છે.
ઈસ્લામ ધર્મ ની સાથે જેને કશી લેવા દેવા નથી ઍવા “ઈલમે જફર” (આંકડાની માયાજાળ), કુરાની ફાલ, વજીફા, અમલ વગેરે થકી પણ તકસાધુઑ મુસ્લિમોને મુર્ખ બનાવીને અઢળક નાણુ કમાય છે.
ઝૂકતી હે દુનિયા,ઝૂકાને વાલા ચાહીયે.
કાસીમ અબ્બાસ
કેનેડા
LikeLiked by 2 people
હોશીયાર જ્યોતિષ હંમેશા માનસિક રીતે નબળા અને અંઘવિશ્વાસુ માણસોનો શિકાર કરવા માટે તૈયાર હોય છે. વેપાર છે. મગરના મોમાં માથુ મુકનારને મગર નથી કહેવાનો કે અંજામ શું આવવાનો છે.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
E shastra to chhe j.fakt jonaro jankar hovo joie.E bhavishyani Guide line to aapi j shake.Baki actual banvu to ishvar na hath ma j chhe
LikeLike
’ ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો ‘લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.’
Very well said, true but tragic.
LikeLiked by 1 person
It is a good article full of truth. I fully agree with Qasim Abbas and Amrut Hazari. Everything depends upon you.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
અેક સાચો દાખલો ઘણુ ઘણુ કહે છે. જ્યોતિષ્ીમા માને. કન્સલ્ટ કરે અને પોતે પણ જ્યોતિષ. કન્ફર્મ જાતે કરે. જ્યોતિષનો વાંક પણ કાઢે. દિકરાના લગ્ન માટે લગભગ ૫ વરસોથી આ ચક્ર ચલાવે છે..કેટલાંઅે માંગા આવ્યા પણ…????..બિચારો દિકરો…..કુંવારો….દુ:ખી….કહેવાય નહિ અને સહેવાય નહિની સ્થિતિમાં યુવાની ગુમાવી રહ્યો છે…..આઇ પીટી હીમ…..છોકરાઅે હિંમત બતાવીને પોતાના જીવનનો નિર્ણય જાતે કરવો જોઇઅે…..
જ્યોતિષિઅે સર્ટીફાઇ કરેલા કેટલાં લગ્નો સ્વર્ગ સમા આનંદદાયક બન્યા તેની રીસર્ચમાં તેના અનુભવીઓ મદદ કરી શકે. સાચી વાત કરીઅે અને અા લેખ વાંચનાર સમાજને જાગૃત કરવામાં મદદરુપ થઇ શકે. ટી.વી અેશીયા, ન્યુ જર્સી ઉપર પ્રેમ જ્યોતિષની અેડ દર પાંચ મીનીટે અાવે છે…તે ઘણા શો સ્પોન્સર કરે છે…..આ બઘા પૈસા આવે છે ક્યાંથી ?
પારકી આશ, સદા નિરાશ. ( પોતે પણ જ્યોતિષ બનવું નહિ….નહિ તો યુવાન દિકરો કુંવારો રહી જાય.)
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Shu tame pan….. Prem Jyotishi ni pet per laat maaro chho? Ane TV Asia ane baki ni badhi j desi channelo nu poshan ma haath nakho chho?
Sachoo kahoo to ekad be vaar mane pan vichaar aavelo ke aa dhandho khoto nathi…
(Kataax ma)
LikeLiked by 1 person
As far as I know off: There are only 12 astrological sign in lunar cycle and zodiac cycle. Lunar cycle change every 36 – 48 hours where zodiac sign cycle change every 28-32 days.
Lunar cycle is followed by most of eastern countries as well as most religion with exception of Christianity.
SO, on average, every 12th men has same sign and tend to have same horoscope. Anyone can write horoscope column or do Horoscope for anyone. I assure you that 60-70% will be true of what you have said. Now, normal person think you are great astrologer because 60-70% of what you said is true for him/her…..
I must admit : I have study Astrology with great deal of interest and enjoyed making Kundli as fun. I pick up this hobby when was 12 years old. However, when time came for my own marriage, I told my father in law that i do not want kundli to be matched. I just want your daughter and that is all..
Whoever had made my kundli which indicate that all of Grah are in my 10th house with Ketu is alone in 5th house. And my wife kundli indicate that Mangal is in 12th house and doshit…..
On base of this we would never have matched….
Also, as far as looking for muhrat : one must calculate local sun (daylight) time and divide in 8 to get actuall muhrat per each segment of muhrat… most pandit has fix time as 1.5 hours per segment starting 6am which is completely incorrect.
As author point out, sthanik samay is more important than anything, and must be calculated on base longitude.
Above information is only for those who still think that they need to look up all this.
Otherwise : As my Mama used to say “Choth, Chaudash, ane Nem- Utaa tem na tem.
LikeLiked by 1 person
મેં ક્યાંક વાંચ્યું છે, કેટલાક સમય પહેલાં જ્યારે રાજાઓ હતા ત્યારે કોઈ બહુ જ પ્રસીદ્ધ જ્યોતીષી થઈ ગયો. રાજા અને જ્યોતીષીનાં નામ અત્યારે યાદ નથી. રાજાએ એ જ્યોતીષીની કસોટી કરી. એને દરબારમાં બોલાવવામાં આવ્યો. જ્યોતીષી સમજ્યો કે રાજા એનું બહુમાન કરવાનો છે. એ બનીઠનીને ગયો. રાજાએ એને લેવા માટે ખાસ ગાડી મોકલી હતી. જેવો જ્યોતીષી પહોંચ્યો કે એને જેલમાં પુરી દેવાનો હુકમ થયો. છ માસ સુધી એને જેલમાં રાખ્યો. પછી એને બોલાવવામાં આવ્યો. રાજાએ પુછ્યું તું બીજા બધાંનાં ભવીષ્ય જુએ છે, તારું કેમ ન જાણી શક્યો?
સરસ લેખ પસંદ કર્યો ગોવીંદભાઈ. અભીનંદન અને આભાર.
LikeLiked by 1 person
બક્ષી સાહેબે સાચુ લખ્યુ છે.લેખ સારો છે. થોડુક તેમાં હું ઉમેરુ.
હું માનુ છુ કે,જ્યોતીષ એક બલા છે. જ્યોતીષ એક તૂત છે. મંગળ ક્યારેય કોઇનુ અમંગળ ના કરે.ક્યારેય કોઇ ગ્રહ કોઇને પણ ના નડી શકે. હા, દુરાગ્રહ નડે,હઠાગ્રહ નડે, પૂર્વગ્રહ નડે. બાકી આ-ગ્રહ ના નડે. કુંડળીના ગ્રહો તમારા માટે ગોઠવનારને એ ગ્રહનુ માપ ખબર છે? તમારી હસ્તરેખાઓ જોઇ-જોઇને તેની હસ્તરેખાઓ ઘસાઇ જાય છે, તે બાપડો કોને બતાવે?
જ્યોતીષ એ જુઠ્ઠો વેપલો છે, માણસોને વ્યવસ્થિત રીતે મૂર્ખ બનાવવાનો વ્યવસાય છે અને આખરે જ્યોતીષકળા એ માત્ર અંધશ્રધ્ધા સિવાય બીજુ કંઇ નથી.
ભવિષ્ય જાણનારા જ્યોતીષશાસ્ત્રીઓ તમે શરુઆત પોતાનાથી કરી તો જુઓ?!!!!!!!!!
@ @@@@@@@ અંધશ્રધ્ધાનો વેરી,માનવતાનો પ્રહરી.
રોહિત દરજી”કર્મ”, હિંમતનગર
LikeLiked by 1 person
I know a Jyotishi who lives in a remote village of north Gujarat and does pooja business of village temple of a Goddess. He is a pious and sincere Brahmin. People respect and trust him. He helps people to see Jyotish, janma kundali and muhurt etc. He got his own daughter married. In a span of couple of years the daughter became widow and came back to her fathers’ home as the in-laws were not ready to keep her. She then got severely injured in fire while cooking and died. Were was the Jyotish then?
LikeLiked by 1 person
Khub saras lekh .
LikeLiked by 1 person
I believe in KARMA,and therefore I do not believe in these > However I also feel that the Jyotish Shastra is based upon scientific background but no one of so called Astrologers have thorough knowledge and they rob people.
LikeLiked by 1 person
શુભ મુહુર્ત સમયે જ ધારેલું કામ ના થાય તો શું? તેનો દાખલો એક જાણીતા ઋષિનો છે. તેમની પત્નીને પુત્રી જન્મી. મુનીવરે કુંડળી બનાવી. ગ્રહો એવા હતા કે તેના લગ્ન એક ખાસ દિવસે એક ખાસ ક્ષણે જ ના થાય તો અનર્થ થઇ જાય. તે પ્રમાણે લગ્ન ગોઠવાયા. પરંતુ સમય જોવાની વાડકીમાં જે કાણું હતું તેની ઉપર ચોખાનો દાણો આવી જવાથી મુહુર્ત ચુકી જવાયું. મુનીવારે વિવાહ રદ કર્યા, પુત્રીને આજન્મ કુંવારી રાખી. બિચારી!
LikeLiked by 1 person
ज्योतीष अने मुहरत बाबत हीन्दुओए आखा देशनुं जे नुकशान करेल छे एओ कोई हीसाब नहीं मळे. मुहम्मद गजनवी आवेल त्यारे मंदीरनी धजानो उल्लेख छे अने गजनवीए पहेलां धजाने नीचे पाडी. मंदीरना तगडा पुजारीओने गुलाम बनावी लुंटनो बधो माल चाबुकना सथवारे गजनी लई गयो. पृथ्वीराज चौहाण वखते मुहम्मद गोरी पण पृथ्वीराजने हरावी कतल करी. आ हीन्दुओमां शीवाजीए सुरत लुंटनो बधो माल मुहरत जोई औरंगजेबना दरबारमां आपी आवेल अने पछीतो मुहरत जोई लुंटना मालथी औरंगजेब पुरा पचास वरस राज कर्युं. आ मुहरत अने ज्योतीषे देशनुं जे नुकशान करेल छे एना परीणाम हजी लोको भोगवे छे….
गोवीन्दभाई मारुए बक्षीनी आ पोस्टने स्थान आपी हकीकत जणांवेल छे….
LikeLiked by 1 person
વાત સાચી છે પણ નુકશાન હિન્દુઓએ નથી કર્યું. અહિત હિન્દુઓનું ઋષિઓએ કર્યું છે, ફલજ્યોતિષ અને મુહુર્તશાસ્ત્ર ઉભું કરી ને.
LikeLiked by 1 person
आ डफोळ ऋषीमुनीओने दरीया कीनारे दुरथी आवती होळी अने नजीकनी होळी केम देखाय छे ए अनुभवनी खबर न पडी ते न पडी.
दुनीया आखीने पृथ्वी गोळ दडा जेवी छे ए खबर पडी एना पछी 200 हा पुरा 200 वरस पछी खबर पडी के पृथ्वी गोळ दडा जेवी छे अने सुर्य आसपास फरे छे. खरेखर डफोळ ऋषीमुनीओ….
LikeLiked by 1 person
Very good 👌👌👌👌👌👌👌👌
Sent from my iPhone
>
LikeLiked by 2 people
એક મારી સાથે નોકરી કરતો વિજય શંકર બહુ જ્યોતિષમાં મુહુરતમાં માને અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા . અમારી ગામડા બીટમાં નોકરી હતી રાતના જવાનું હતું . હું ત્યાર થઈને વિજય ને બોલાવવા ગયો . તે કહે હમણા થોડી વાર થોભો સારું મુહુર્ત નથી . હમણાજ નીકળી જઈશું તો બહુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે . મેં કીધું હું તો હમણાજ નીકળી જવાનો છું . કેમકે જો મોડા જઈશું તો ઇન્સ્પેકટર સાહેબ આપની ધૂળ કાઢી નાખશે . હું તુર્ત નીકળી ગયો . સાહેબ મળ્યા મને પૂછ્યું વિજય ક્યા છે . મેં કીધું એ થોડા મોડા આવશે . સાહેબે એની નોટબુકમાં એન્ટ્રી કરી કે આળસુ માણસ છે .અને આબાબત એને ઘણું ગુમાવવું પડેલું . ઠેઠ ડી એસ પી સુધી ખોટી છાપ પડી . એક વખત હું એમના ભગવાનને પગે લાગ્યા વગર અને કાળ ચોઘડીયામાં નીકળ્યો . અને મેં એક દારૂ લઇ જનારને પકડ્યો . મારી ઉત્તમ કામગીરી થઇ . જોકે મેં વિજયને ભેગા હતા અમે બન્ને એ દારુ લઇ જનારને પકડેલો એટલે અમને બન્નેને ઇનામ મળેલું .
LikeLiked by 1 person
વાત તો સાચી છે, પરંતુ મને સંપુર્ણતા નથી લાગતી કેમ કે સોમવાર, મંગળવાર….. એમ દરેક વારો તો જ્યોતિષીઓની જ દેન છે ને, એનું શું કરવું?
અઠવાડિયું, મહિનો, વરસ વગરે…. એનું શું?
સવાર, બપોર સાંજે, રાત, મધ્યરાત્રિ, ઠંડી, ગરમી, વરસાદ એ બધુ જ્યોતિષીઓ અને એ દર્મ્યાન કરાતા અને ન કરાતા કામો, વગેરે… માથું ભમી જાય છે…
સુરજ એ દિવસ હોવાની સાબીતી છે અને ચંદ્ર રાત્રીની, સુરજ રાતે ઉગે એવુ સાબિત કરી આપનાર ફ્કત જ્યોતિષશાસ્ત્ર જ છે ને, વિજ્ઞાન તો સુરજ રાત્રે હોવાનું જ નકારવાનુ પણ જ્યોતિષ તો રાત્રે પણ સુરજ ક્યાં હોવાને એ સાબિત કરે છે ને, એ ગડમથલનું શું કરવુ?
વિજ્ઞાનની એક મર્યાદા છે અને જ્યોતિષની પણ, ધર્મની પણ મર્યાદા છે અને વિવેકની પણ..
અતિવિવેકીપણુ ઘાતક છે…… જડતા છે…
એ અંધશ્રધ્ધાની સગ્ગી બેન છે…
LikeLike