–કશ્યપ ચન્દુલાલ દલાલ
મારું જીવન એકન્દરે સારું ગયું છે. મારાં 47 વર્ષનાં (2016માં) સામાજીક કાર્યોથી મને ઘણો સન્તોષ થયો છે. તેમાં પણ છેલ્લાં 05 વર્ષ દરમ્યાન મારી પુસ્તીકા–‘ચાલો, આપણે વડીલ (વૃદ્ધ) થતાં શીખીએ’, ભલે મારાથી ભુલથી લખાઈ ગઈ છે; પરન્તુ તેને જે પ્રચંડ આવકાર મળ્યો છે, તેનાથી મને અનહદ આનન્દ થયો છે. આ પૃથ્વી પર અવતરીને મારા દ્વારા કંઈક સારું કામ થઈ શક્યું છે તેવો મને અનુભવ થાય છે.
અત્યારે (2016માં) મારું સ્વાસ્થ્ય ઘણું સારું છે. પરન્તુ હવે (મને 75 વર્ષ પુરાં થયાં છે એટલે) ધીમે ધીમે શરીર ઘરડું થતું જવાનું અને તબીયત બગડતી જવાની એ વાત નક્કી અને એટલે મોટે ભાગે નાનાંમોટાં શારીરીક દુ:ખો વધતાં જ જવાનાં. મૃત્યુ દરેક માટે નીશ્ચીત છે, જેનાથી હું પણ બાકાત નથી જ રહેવાનો. મારા હવે પછીના જીવનમાં પડવાનાં સંભવીત શારીરીક દુ:ખોમાંથી મારું મૃત્યુ જ મને છોડાવી શકશે, તે જ મારો મુક્તીદાતા છે અને એટલે જ મારા માટે તો મૃત્યુ અત્યન્ત મંગલકારી છે.
મારી અન્તીમ ઈચ્છાઓ નીચે પ્રમાણે છે :-
- મારી માંદગીમાંથી જો સમ્પુર્ણ સાજા થવાની કોઈ શક્યતા ના હોય તો મારા શરીરમાં છેલ્લી ઘડી સુધી ઈન્જેક્શનો ઘુસાડવાં નહીં કે નાકમાં ટોટીઓ ઘુસાડવી નહીં. મારા કુટુમ્બીજનો આનું ખાસ ધ્યાન રાખે. વળી મને જો કેન્સર (ત્રીજા કે ચોથા સ્ટેજનું) કે તેના જેવો કોઈ અન્ય અસાધ્ય રોગ થયો હોય તો, મારા તેવા રોગની કોઈ સારવાર કરવી નહીં. મને માત્ર પીડા ના થાય તેવી જ દવા આપવી. કેન્સર (ત્રીજા કે ચોથા સ્ટેજનું) કે તેના જેવો કોઈ અન્ય અસાધ્ય રોગ મટી જશે એવા કોઈ પણ પથીના ડૉક્ટરોનાં ઠાલાં આશ્વાસનોથી કોઈએ ભરમાવું નહીં. વળી તેના પીડાજનક ઉપચારો મને કબુલ પણ નથી. ૭૫ તો થયાં ! ૭૫ વર્ષની જીન્દગીથી મને ઘણો સન્તોષ છે. વળી અત્યન્ત ખર્ચાળ ઉપચાર પછી પણ, હું તો જાણે મરવાનો જ; પરન્તુ મરતાં મરતાં મારા કુટુમ્બીજનોને પણ આર્થીક રીતે મારતા જવાનું મને કબુલ નથી. આવી પરીસ્થીતીમાંથી હું વહેલો છુટું તેવી તમારે મને શુભેચ્છાઓ આપવી.
- મારી માંદગીમાંથી જો મારા સમ્પુર્ણ સાજા થવાની કોઈ શક્યતા ના હોય અને હું બેભાન અવસ્થા(કૉમા)માં હોઉં, મગજ મર્યું હોય ને શરીર માત્ર શ્વાસ લેતું હોય; તો મારા પર દયા કરી સમયસર મારા શરીરને અવયવોનાં પ્રત્યારોપણ માટે હૉસ્પીટલને સોંપી દેવું. જેથી મારાં અંગો જેવાં કે નેત્ર, કીડની, લીવર વગેરે અવયવોનાં પ્રત્યારોપણથી અન્યોનું શરીર સક્ષમ બને. તેમ જ મેં દેહદાન તો કર્યું જ છે, તેથી મારો મૃતદેહ હૉસ્પીટલમાં શીક્ષણાર્થે સોંપશો.
- મને સમ્પુર્ણ પરવશતા કબુલ નથી. મારી તેવી સ્થીતીમાં મને જૈન મુનીઓ જેવો સંથારો લેતાં કોઈએ અટકાવવો નહીં. હું કેટલું લાંબુ જીવું તે મારે માટે સહેજ પણ મહત્ત્વનું નથી. મને મહત્ત્વ એનું છે કે હું કેવું (Quality of Life) જીવું છું.
- કોઈએ મારા મૃત્યુનો શોક કરવો નહીં– મારી પત્ની નીતાએ પણ નહીં; કારણ કે મૃત્યુ સહુ કોઈ માટે અત્યન્ત મંગલકારી છે.
- મારા મૃતદેહ પર કોઈ ફુલ કે હાર ચઢાવવાં નહીં કે અગરબત્તી કરવી નહીં કે અત્તર લગાવવું નહીં.હા, કોઈને ગંધ ના આવે તે માટે મૃતદેહને નવડાવીને સાફ જરુર કરવો. ખાદીનાં કપડાં જ પહેરાવવાં. બીજું કશું ઓઢાડવું નહીં..
- આનન્દબેઠક(બેસણું) જરુર રાખવું. આનન્દબેઠક(બેસણા) દરમ્યાન મારા મનગમતાં ગીતો વગાડવાં– ભજનો નહીં. આનન્દબેઠક(બેસણા)માં આવેલાને મારી વીનન્તી કે મારા ગાયેલાં ગીતો ગાઈ સંભળાવીને તેઓ મને યાદ કરે અને બીજાને પણ મારી યાદ કરાવે. વળી, મારા મજાકીયા સ્વભાવને યાદ કરી, મારી હળવી મજાકો–રમુજો એક બીજાને કહી સંભળાવી તેની ઉજાણી કરે. કોઈએ રડવાનું તો નહીં જ; કારણ કે મૃત્યુ સહુ કોઈ માટે અત્યન્ત મંગલકારી છે. આનંદબેઠક (બેસણું)ની સમગ્ર વ્યવસ્થા અમારા દીકરા બાદલે અને અમારી દીકરી અલ્પાએ કરવી.
- મારા મૃત્યુ પછી કોઈએ સફેદ વસ્ત્રો પહેરવાં નહીં– મારી પત્ની નીતાએ પણ નહીં. મારી સ્મશાનયાત્રામાં કે આનન્દબેઠક(બેસણા)માં પણ સહુએ રોજીન્દા રંગીન વસ્ત્રો જ પહેરવાં; કારણ કે મારે માટે મૃત્યુ તો અત્યન્ત મંગલકારી છે.
- મારી સ્મશાનયાત્રા દરમ્યાન બેન્ડ-વાજાં સાથે મારી ઠાઠડીની ફરતે સહુએ નાચ–ગાન કરવાં; કારણ કે મારા માટે મૃત્યુ અત્યન્ત મંગલકારી છે. વળી, વીર કવી નર્મદ કહે છે તેમ : ‘મારાથી તમે છુટ્યા અને વળી, તમારાથી હુંયે છુટ્યો !’
- મેં શપથ લીધા છે તે પ્રમાણે મારા મૃતદેહનું ‘દેહદાન’ કરવું. જો હું અમદાવાદથી ક્યાંક દુર મૃત્યુ પામું અને ત્યાં દેહદાન શક્ય ના હોય તો મારા પાર્થીવ દેહને અમદાવાદ સુધી લાવવો નહીં. ત્યાં જ દફનવીધી કરી નાખવો. તેવે વખતે શક્ય હોય ત્યાં સુધી મને ભુમીદાહ આપવો. જો ખરાબાની જમીન મળી જાય તો ઉત્તમ. શક્ય હોય તો ત્યારે વીડીયો રેકોર્ડીંગ કરી લેવું.
- મારા મૃત્યુ પછી માત્ર બે જ પ્રસંગો ઉજવવા– 1. સ્મશાનયાત્રા, અને 2. આનન્દબેઠક(બેસણું). નહીં દસમું, નહીં બારમું, નહીં તેરમું, નહીં સરાવવાનું, નહીં વરસી વાળવાની અને નહીં કશા પ્રકારનાં શ્રાદ્ધ. આનન્દબેઠક(બેસણું) પતી જાય એટલે બધ્ધા જ છુટ્ટા. તે જ દીવસથી સહુ પોતપોતાનાં કામ–ધન્ધે લાગી જાય.
- હું જે સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, તે સંસ્થાઓએ મારા મૃત્યુ માટે કોઈ શોકઠરાવ કરવો નહીં. પરન્તુ તેને બદલે ‘આનન્દઠરાવ’ કરવો; કારણ કે હવે તેઓ બધા મારાથી છુટ્યા. હું હવે તેમનું માથુ નહીં ખાઉં અને લોહી નહીં પીઉં.
- મારા મૃત્યુને કારણે કોઈ પણ નીર્ધારીત માંગલીક પ્રસંગ અટકાવવો નહીં. હું તો ઈચ્છું કે મારા કુટુમ્બીજનો સામે ચાલીને તેમને કહે કે, ‘કશ્યપની અનહદ ઈચ્છા હતી કે તમારે માંગલીક પ્રસંગ જરુરથી ચાલુ રાખવો.’
હું વીવેકબુદ્ધીવાદી (Rationalist) છું. એટલે ભુત-પ્રેતમાં તો માનતો જ નથી. પરન્તુ જે લોકો ભુત-પ્રેતમાં માને છે, તેવા લોકોને માનસીક દબાણમાં લાવવા માટે કહી રાખું છું કે, જેઓ ઉપરની મારી ઈચ્છાઓ પ્રમાણે નહીં વર્તે, તેમને હું ભુત થઈને વળગીશ.!!!
–કશ્યપ ચન્દુલાલ દલાલ
Kashyap Chandulal Dalal
13-Bharti Society, Ellis Bridge, Amdavad-380-006. India.
Phone : 079-2644 5889 Mobile : 094285 03249
eMail : kashyapcdalal@yahoo.com
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.
નવી દૃષ્ટી,નવા વીચાર,નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
બ્લોગર : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
શુદ્ધીકરણ સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 18/03/2016
It is a very positive article. We all should start thinking this way.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
If body is being donated for research, then where the question of funeral procession with ” band baja “? Just curious. Other wise looks a very good practical wish.
LikeLiked by 1 person
આદરણીય
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપની વાત ઘણી તાર્તીક છે, પરંતુ મારો મૃતદેહ હોસ્પીટલે પહોંચાડતી વખતે બેન્ડ-વાજાં સાથે સ્મશાનયાત્રા (હોસ્પીટલયાત્રા!) જરુર કાઢી શકાય.વળી મુદ્દા નં ૯ મુજબ જો હું અમદાવાદથી ક્યાંક દુર મૃત્યુ પામું અને ત્યાં દેહદાન શક્ય ના હોય તો ત્યાં બેન્ડ-વાજાં સાથે સ્મશાનયાત્રા કાઢી શકાય.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
अंतीम ईच्छानी आ पोस्टमां छेल्लो फकरो बरोबर छे. કહી રાખું છું કે, જેઓ ઉપરની મારી ઈચ્છાઓ પ્રમાણે નહીં વર્તે, તેમને હું ભુત થઈને વળગીશ.!!!
फक्त मारे उमेरवुं छुं के सामान्य रीते भुतनुं आयुष्य 500 वरस होय छे पण अमुक संजोगोमां जेमके उपर पोस्ट मुजब आवा भुतनुं आयुष्य 5000 वरस थई सके…
LikeLiked by 1 person
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 2 people
સરસ વાત કરી છે. માત્ર દલાલ સાહેબ જ નહીં પણ અનેક વયસ્કો આ જ ઈચ્છે છે. મેં કદી રેશનાલિસ્ટની ટોપી નથી પહેરી, પણ કંઈક અંશે મે મારા કુટુંબ અને સ્વજનો માટે આ જ સૂચના આપી છે.
ટર્મિનલ ઈલનેશ માટે મેં “hospice at home” ની સૂચના આપી છે. લિવિંગ વીલમાં જોગવાઈ કરી જ છે. મારા સડેલા અવયવોને દાન કરવાનો કોઈ અર્થ નથી. માનસિક સંતોષ માટે જ કરવા હોય તો કરો. બાકી પહેલાં એક્ષ્પર્ટ ડોક્ટર ને પૂછી જૂવો કે ૭૫ પછીના કયા અંગો કામ લાગે એવા છે. (મારા તો એકે ય નહીં).
હું સંથારો કરીને મરવા કરતાં ભાવતા ભોજન ખાઈને મરવામાં માનું છું. પૂરણપોળી કે પાણીપૂરી. જે જીભને ભાવે તે.
એમની નં ૪ અને ૫ સૂચના પણ વ્યાજબી જ છે. મેં પણ આવી જ સૂચના આપી છે. મારા રોજના કપડામાં સાદામાં સાદી પેટીમાં બંધ કરી ભઠ્ઠીમાં ફૂંકી મારવો.
ધાર્મિક કર્મકાંડ ક્રિયાઓ કરવાની જરાય જરૂર નથી. ફિલોસોફિકલ ભજનો આવેલા સ્વજનોને ગાવા સાંભળવા હોય તો હું કાઈ પેટીમાંથી ઊભો થઈને કોઈને મારવાનો નથી.
હું અગ્નિસંસ્કાર એટલે ક્રિમેશનમાં માનું છું. કેટલાક રેશનાલિસ્ટો ભૂમિદાહ માટે ભ્રામિક વિચારો ધરાવે છે એની સાથે હું સહમત નથી. વિશ્વમાં બેરિયલને બદલે ક્રિમેશન વધતું જાય છે એ સ્વીકારવા માટે તેઓ તૈયાર નથી. દલીલ બાજીમાં ઉતરતો નથી. જેને જે માનવું હોય તે માને અને કરવું હોય તે કરે.
ભારતમાં હતો ત્યારે સ્મશાનમાં એક બાજુ ચિતા બળતી હોય ત્યારે ડાઘુઓ ખાણીપીણીના જલસા કરતા જોયા હતા; ત્યારે હૈયું કકળતું હતું પણ અમેરિકામાં પણ ફ્યુનરલ સર્વિસ પછી, તરત જ રિશેપ્સન થાય છે. ટેવાઈ ગયો છું. એ ખોટું યે નથી. મેં પણ મારા છોકરાંઓને કહ્યું છે કે રિવાજ પ્રમાણે ખિચડીના ભોજનને બદલે પિઝા પાર્ટીથી ચલાવી લેજો. સસ્તુ પડશે.
મારા અને હરનિશ જાનીના કોમન ફ્રેન્ડના ફ્યુનરલ પછી એમણે મિત્રની હળવી વાતો કરી શોકને હળવો કર્યો હતો.
ફરી વાર સમવયસ્ક દલાલ સાહેબને ધન્યવાદ. સાહેબ તમે એકલા નથી અમે પણ તમારી સાથે જ છીએ. અંતે આપણે આ બધું વારસદારોને કહેવાનું જ છે. આજ્ઞા આપીને એઓ પર દબાણ કરવાની દાદાગીરી કરવાનો કોઈ અર્થ નથી. એમને એમની ઈચ્છા અને સગવડ પ્રમાણે જે કરવું હોય તે કરવાની પણ છૂટ આપી દેવાની.
એક છેલ્લી વાત દલાલ સાહેબ હજુ તમારે ૨૫-૩૦ વર્ષની વાર છે હોં.
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપે અગ્નિસંસ્કાર માટે આપનો અભીપ્રાય જણાવ્યો છે. લાકડાં કાંઈ રાતોરાત પેદા થતાં નથી. ઝાડ ઉગતાં વર્ષો થાય છે. આપણા આ કુરીવાજે જંગલોના જંગલોનો સોથ કાઢી નાખ્યો છે. જંગલો ઘટતાં વરસાદ પણ ઓછો પડે. વળી શબ અને લાકડાં બળે એટલે પર્યાવરણ પણ પ્રદુષીત થાય. આમ, આ કુરીવાજને તીલાંજલી આપવા જેવી છે. મારા નમ્ર મત મુજબ પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી કોઈ રીત હોય તો તે રીત ભુમીદાનની રીત છે.
આપે લખ્યું છે કે ખિચડીના ભોજનને બદલે પિઝા પાર્ટીથી ચલાવી લેજો. સસ્તુ પડશે. મારા નમ્ર મત મુજબ આપની ગણતરીમાં કાંઈક ભુલ છે. ભારતમાં તો ખીચડી જ સસ્તી પડે.
બાકી આપની એ વાત સાચી લાગે છે કે હજુ મારે ૨૫-૩૦ વર્ષની વાર છે અને એટલે જ મારાથી નીચેનું લખાઈ ગયું છે :-
કહું છું બુઢાપાને
કહું છું બુઢાપાને પાછો વળી જા (૨)
કે જુવાનીના ઘરમાં જ હજુ તો રહું છું (૨)
કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
ઉમરો તો ડુંગરો થયો ને પાદર થયું પરદેશ (૨)
તો યે એવરેસ્ટ સર કરવાને મન હજુ થનગને છે
એટલે જ કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
હજુ કાલે રાત્રે જ સપનામાં પડોશણને ગાલે ચુંબન ચોઢ્યું હતું (૨)
(જો કે વળતામાં એણે મારે ગાલે સેંડલ ફટકાર્યું હતું)
માટે જ કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
જુવાનીમાં ધંધામાં અનેક ગુલાંટો મારી હતી (૨)
ને હજુ પણ વાંદરાને ગુલાંટ મારતા શીખવી શકું છું
તેથી તો કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
ભલે ચાર વાર પરણ્યો ને ચાર વાર રાંડ્યો (૨)
પણ હજુ ઘોડે ચઢવાના ઓરતા જાગે છે
એટલે તો કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
જો પહેરું માથે ટોપી, આંખે ગોગલ્સ, મોઢામાં ચોકઠું, સુટ, બુટ ને નેકટાઇ ને છાંટુ જો પરફ્યુમ (૨)
તો જુવાનડીયો તો ઠીક, પણ કૉલેજ કન્યાઓ પણ સીટીઓ મારે
તેથી તો કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
કહું છું બુઢાપાને કે પાછો વળી જા
કે જુવાનીના ઘરમાં જ હજુ તો રહું છું
કહું છું બુઢાપાને _ _ _ _ _ _
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
કશ્યપભાઈ, સ્નેહવંદન. આપણે બન્ને સમવયસ્ક છીએ. તમે મિત્રભાવે લખ્યું તે મને ઘણું ગમ્યું. આપણા વિચાર ભિન્નતા નું મુખ્ય કારણ સ્થ્ળ ભિન્નતા છે. તમે બધી વાતો ભારતની ભૂમિ પરની વાસ્તવિકતાના આધારે કરી છે તે સારી અને સમજવા જેવી જ છે.
સૌથી પહેલાં હું ઊંધેથી શરુ કરું
ઉંઝા જોડણી. હું બે ચાર જગ્યાએ લખું છું ત્યાં બીજી જોડણી ખોટી હોય તો પ્રુફ રિડર ગાળ દેતાં દેતાં સુધારે, ઠપકો આપે. જ્યાં આવું હોય ત્યાં સાર્થ જોડણી માટે પણ મારે મારા મિત્ર ઉત્તમભાઈની મદદ માંગવી પડે.
હવે તમે બુઢાપાની વાત કરી.
જો સમય હોય તો મારી નાટ્યાત્મક વાર્તા શ્રેણી “રિવર્સલ” પટેલ બાપાનું ‘રિવર્સલ’ વાંચજો. મજા આવશે.
હું છેલ્લા ૪૫ વર્ષથી અમેરિકામાં છું. અહીં મોટેભાગે ગ્રાઉન્ડ બેરિયલ થાય છે. સિમેટરીની જગ્યાઓ ઊંચા ભાવે ખરીદવી પડે છે. એ ફ્યુનરલ જરાયે સસ્તુ નથી જ. અહીં ભારત કરતાં ત્રણ ઘણી જગ્યા છે. દર વર્ષે તમારી કલ્પનામાં ન આવે એટલા વૃક્ષો ક્રિસમસ વખતે કપાય છે લાકડાની તંગી નથી. મેં નિવૃત થતાં પહેલાં અમેરિકન પ્રજા સાથે ૪૦ વર્ષ કરતાં વધારે કામ કર્યું છે. ધીમે ધીમે આધુનિક વિચાર વાળા લોકો ક્રિમેશન તરફ વળ્યા છે અને મેં પોતે એવા ફ્યુનરલમાં હાજરી આપી પણ છે. અમેરિકામાં મેં કોઈ ગુજરાતી પરિવારમાં ગ્રાઉન્ડ બેરિયલ થયાનું જોયું સાભળ્યું નથી. મને શ્રી ઉત્તમભાઈએ એક દેહદાહની નાની બુક આપી હતી. મને તેમાં ઘણાં માહિતી દોષ દેખાયા હતા, પણ હું સમાજ સુધારકની ટોપી પહેરીને નથી ફરતો એટલે દલીલબાજીમાં નથી ઉતરતો. જેને જે યોગ્ય લાગે તે રીતે જીવે અને તે રીતે મરે.
હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો છું. મારા નિઃસંતાન કાકીની ઈચ્છા સુચન પ્રમાણે ટૂંકમાં શ્રાધ્ધ કિયા કરી હતી. હવે મારી આગળ કોઈ વડીલ રહ્યા નથી. મેં અને મારા પત્નીએ અમારા છોકરાંઓને જે સુચનાઓ આપી તે આપના લેખની કોમેન્ટમાં જણાવ્યું જ છે એટલે રીપીટ કરતો નથી. આપનો લેખ સરસ છે. ગોવિંદભાઈ રેશનાલિઝમને વરેલા મિત્ર છે. એમાં માહિતી સભર લેખો હોય તે મને ગમે છે. પણ જ્યારે કોઈ રેશનાલિસ્ટ એ ભ્રમણાં માં લખતો હોય કે એ પોતે જગત સુધારણા માટે જ જનમ્યો છે. ત્યારે મારું છટકે છે. અને કાંઈક સળી થાય એવી કોમેન્ટ કરી લઉં છું. સ્વભાવે હું ગંભીર માણસ નથી, હળવો છું.
LikeLiked by 1 person
आ प्रवीणभाई शास्त्रीए … કુટુંબ અને સ્વજનો માટે સૂચના આપી છે….
अने जणांवेल छे के
મેં કદી રેશનાલિસ્ટની ટોપી નથી પહેરી….
मारे एमां उमेरो करवो छे. टोपी तो में पण नथी पहेरी पण बीजाने जर पहेरावीए छुं.
मारी थोडीक ईच्छा छे अंतीम वीधी वखते हाजर रहेवानी…
LikeLiked by 2 people
मारे एमां उमेरो करवो छे. टोपी तो में पण नथी पहेरी पण बीजाने जरुर पहेरावुं छुं.
LikeLiked by 2 people
તમે આવશો અને હાજરી આપશો તો મને ઘણો જ આનંદ થશે. હું દટાવાનો નથી. અાર્વાકે કહ્યું હતું તેમ મારો દેહ ભસ્મિભૂત થશે. જે ઓ દટાય તે ભૂત બને અને ઝાડપર ઊંધા લટકે? આપણું કામ નહિ.
ટોપીની વાત. ટોપીઓ માત્ર અંદોલન કરવા વાળા જ પહેરે. કોંગ્રેસીઓ, પાટિદારો, આપ વાળાઓની જેમ. રેશનાલિસ્ટોએ પણ “વિવેકપંથી” ની ટોપી બનાવવી જોઈએ.
LikeLiked by 1 person
Congratulations sir. Ek jinda dil insan j aa rite abhivyakti kari shake. A person is not retired until he is living.
LikeLiked by 1 person
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
I have also posted this type of my antim Ithaca on my blog long back.am also 60 now.and ready for any moment to welcome death.
My heartily wish that I can die till only I am able to walk ,to do my necessary work by myself.heart attack is the best if given me a choice.
Don’t know.
Just except 10th a.d 11th.all r acceptable to me too.
Liked it.
Aamin..tathastu..
LikeLiked by 1 person
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા નમ્ર મત મુજબ જો બસણું ના રાખીએ તો જેમ જેમ આપણા અળખીતાઓને ખબર પસતી જાય તેમ તેમ તેઓ પોતાની ફુરસદે ખરખરો કરવા આવતા જાય. આમ થવાથી કુટુંબીજનોને ઘણી આપદા પડે. વળી જો લાંબી માંદગી પછી મૃત્યુ થયું હોય તો થાક્યા પાક્યા કુટુંબીજનોનું આવી જ બને. મળ્વા આવતાં લોકોને સમયનું વીવેકભાન જ નથી હોતું. કવેળાએ ટપકી પડે. વળી કુટુંબીજનોનો સમય પણ ઘણો બગડે. અત્યારના જમાનામાં કોઈને ના પોસાય. જો બસણું રાખ્યું હોય તો આ બધાનો છેદ જ ઉડી જાય. અને અટલે બેસણું રાખવું જ જોઈએ.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
I hope you have not copyrighted your directive because I too want to use it for myself with a few minor changes.
LikeLiked by 1 person
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
ભાઈશ્રી રશ્મીકાંતભાઈ,
૧૫ દીવસના પ્રવાસ પછી આજે જ અમદાવાદ પાછો ફર્યો છું.
બ્લોગ પર બધાની કોમેંટ ફરી વાંચતા મને ભાન થયું કે મેં આપની કોમેંટનો યોગ્ય જવાબ આપ્યો નથી. માફ કરશો.
હું લેખક ના હોવા છતાં મારાથી ભુલથી જે કાઈ પણ લખાઈ ગયું છે તેમાંથી એક પણ લખાણ હું કોપીરાઈટ વગર લખતો નથી. પણ મારા લખાણનો વ્યાપારી ઉપયોગ નહી કરવાની પુર્વ શરતે હર કોઈ વ્યક્તીંને તે કોપીરાઈટ જરુર મળી શકે છે. હું કમાતો નથી અને કોઈને કમાવા દેતો પણ નથી. આપ ઘણી ખુશીથી મારા લખાણ અથવા તેના કોઈ ભાગનો ઉપયોગ કરી શકો છો.
મારા ઉપરોક્ત લખાણના મુદ્દા નં. ૪ અને ૬માં મારે ઉમેરવું છે કે આખી દુનીયાની સહુ કોઈ વ્યક્તી કે જે મારા સમ્પર્કમાં આવી છે તે હર કોઈ વ્યક્તીને અતી નમ્રતાપુર્વક અને છતાં અતી આગ્રહપુર્વક વીનંતી કરું છું કે તે સહુ કોઈ મને પ્યાર જરુર કરે પરંતુ મારામાં મોહ (આસક્તી) ના રાખે. [મારી નમ્ર સમજ મુજબ કોઈ પણ વ્યક્તી અથવા વસ્તુ તરફનો આપણો મોહ (આસક્તી) જ તે વ્યક્તી અથવા વસ્તુની અનઉપસ્થીતીમાં આપણને શોક કરાવે છે.] મારા મૃત્યુના શોકનો અહેસાસ કોઈને પણ ના થાય તેનો કદાચ આ સૌથી વધુ રામબાણ ઈલાજ છે.
આશા રાખું છું કે આ ઉમેરણ પણ આપને ગમશે.
આભાર
આપનો
કશ્યપ ચંદુલાલ દલાલ
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઈ અને પ્રિય કશ્યપભાઈ ચંદુલાલ દલાલ
કશ્યપભાઈ ના વિચારો મને ગમ્યા .મેં બે વરસ પહેલા મેં મારા ડોક્ટરને મારા અમેરિકન મિત્રને મારા એક બ્લોગર મિત્રને અને મારા મોટા પુત્ર દેવજોષી તરીકે રવિવાર ન્યુ જર્સીના સમય પ્રમાણે બપોર પછી http://www.wrsu .org ભારતીય સંગીત રજુ કરે છે જેનો ફોન #732 932 8800 તેને પણ લખીને આપ્યું છેકે મારા શરીરમાં કોઈ રોગને લીધે તકલીફ થાય તો ઓપરેશન કરવું નહિ કોઈ અકસ્માતને કારને ઓપરેશનની જરૂર જણાય તો ઓપરેશન કરવું એક વખત મને હું સીનીયર સેન્ટરમાં હતો ત્યારે મને ઝાડા ઉલટી થયા .ત્યારે મને સત્તાવાળાઓએ હોસ્પીટલમાં એમ્બ્યુંસ દ્વારા ઈમરજન્સી મોકલી આપ્યો કોઈ વખત ખોરાકમાં ફેરફારના કારણે પેટમાં ગરબડ થાય છે અને ઝાડા ઉલટી થઇ જાય છે . પણ આ વખતે મને આરામ કરવો પડે છે અને પછી અર્ધી કલાકમાં સારું થઇ જાય છે .પણ મને હોસ્પિટલ ભેગો કર્યો અને મને હાર્ટ એટેક આવ્યો છે એવું ડોકટરે કહીને મારું ઓપરેશન કરી નાખ્યું આ પછી મારે લખીને કહેવું પડ્યું હિન્દી ભાષામાં કે મારું ઓપરેશન કરીને મને જીવાડવાની કોશીશ ન કરવી . હું પણ વધારે પરાધીન થઈને પોતાના વ્હાલાઓને હૈરાન કરીને રીબાઈ રીબાઈને મરવું એના કરતા સંથારો કરીને સુકી પથારીએ મોતને ભેટવું ઉત્તમ છે . મને આવતી એપ્રિલ 15 20 16 નાં રોજ પરમેશ્વરની ઈચ્છા હશે તો હું મારી ઉમરના 95 વરસ પુરા કરી નાખીશ અને 96માં વર્ષમાં પ્રવેશ કરીશ હાલ મને કોઈ રોગ નથી .નિયમિત કોઈ દવા ખાતો નથી લાકડીના ટેકા વગર ચાલી શકું છું .પણ એક મહિના પહેલા હું પડી ગએલો એટલે મારા હિપનું હાડકું ભાંગી ગયું એટલે થોડી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું . અને એ પણ થોડા દિવસમાં મુશ્કેલીનો અંત આવી જશે મને ડોક્ટર માઈકલે કીધું કે તમને કોઈ દવાની જરૂર નથી .
LikeLiked by 1 person
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
૧૫મી અપ્રીલે મને યાદ આવે કે ના આવે, આપને અત્યારથી જ જન્મ દીવસના હાર્દીક અભીનંદન આપી દઉં. આ ઉમ્મરે પણ આપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો તે જાણી વીષેશ આનંદ અને અભીનંદન.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
મિત્રો,
શ્રી કશ્યપ ચંદુલાલ દલાલની મરણોપરાંતની ઇચ્છાઓ જાણી. ખૂબ ગમી. પોતે જન્મે જૈન હોવાથી જૈનઘર્મને સંબંઘમાં રાખીને પોતાની અંતિમ ઇચ્છાઓ પરમ સમીપે પદાર્પણ કરી છે. માનવઘર્મને આ ઇચ્છાઓમાં સરસ રીતે વણી લીઘી છે. વાચકને પણ કન્વીન્સ કરી શકે તે રીતે લખાયુ છે.
તેમણે ૧૧મી ઇચ્છામાં ‘ લોહી પીવાની‘ વાત લખી છે. તે મને નથી ગમ્યુ.
મરીઝે પોતાની અંતિમ ઇચ્છામાં કેવી સરસ વાત કરી છે..
.‘ મોત વેળાની આ અૈયાસી નથી ગમતી ‘મરીઝ‘,
કે હું પથારીમાં રહું ને આખુ ઘર જાગ્યા કરે.‘ જે કશ્યપભાઇની પણ ઇચ્છા રહી છે.
પરમ સમીપે પુસ્તકમાં કુન્દનિકા કાપડીઆઅે પ્રસ્તાવના (અંતરની વાણી )માં શરુઆતમાં કહ્યુ છે કે..‘ આમ તો, પ્રાર્થના અે અંતરતમનો અંતરયામી સાથેનો નિરવ સંવાદ છે; પણ ક્યારેક ભાવો અને લાગણીઓને પોતાની અભિવ્યક્તિ માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે……………‘ ઘણી વ્યક્તિઓ આજકાલ પોતાન વિલમાં કશ્યપભાઇની ઇચ્છાઓ લખી જાય છે. અમારા નજીકના અેક વડીલે પોતાનું શરીર મેડીકલ કોલેજને ‘ જ્ઞાન ‘ ના પાઠયપુસ્તક તરીકે અર્પણ કરેલું અને ૧૧મુ. ,૧૨મુ…તેરમું બઘુ જ નહિ કરવાની સૂચના કરેલી સાથે સાથે બેસણુ આનંદથી ઉજવવાનું કહેલું તે તમના પત્નિ અને બાળકોઅે પાળેલું.
ઘડપણ શબ્દ અેક નીગેટીવ સંજ્ઞા છે…..તમે ઘરડાં નથી થતાં…સિનિયર થાઓ છો…અેટલે જ કોઇના સુંદર શબ્દો સમજીઅે જે દરેક માનવી માટે છે…..Positive thinking……
‘ ન કહો કે ઘડપણ આવ્યું, અેમ કહો કે ડહાપણ અાવ્યુ.
સારા મીંઠાં અનુભવોનું જ્ઞાન, જુઓ તો મણ મણ આવ્યું.‘
Pablo Picasso said, ” We do not grow older, We grow riper.”
Mary Sarton said, ” Do not deprive me of my age. I have earned it.”
અેક ગુજરાતી કવિ કેટલી હદે નીગેટીવ વિચારઘારા વહાવે છે તે તેનાં આ શબ્દોમાંથી ટપકે છે…મરણ પહેલાં જ તે તો મરી ગયેલો છે…..
.‘ કોણ બાંઘે અમને તોરણે, ? અમે પાનખરનાં પીળા પાન.‘
ભૂતકાળના કરેલાં મનગમતાં..માવતા ભરેલાં કામથી કોઇ અેક સમયે ‘ સંતોષ‘ માની લઇને ‘ વીલ‘ બનાવવું કેવું લાગે કે જ્યારે સચ્ચાઇ અેમાં હોય કે ‘ ચલના જીવન કી કહાણી, રુકના મૌત કી નીશાની.‘
Someone said,” Grow old with me, the best is yet to come.
A English proverb, a positive one, is, ” The older the fiddler, the sweeter the tune. ”
જીવનમાં બે જ વાતો ૧૦૦ ટકા સાચી છે અને તે છે…જન્મ અને મરણ. તો પછી માનવતાની સુવાસ મુકતાં જઇઅે..અંગત રીતે છેલ્લા શ્વાસ સુઘી કાર્યરત રહીને અને મરણ પછીનું વીલ બનાવીને.
નવા વિષયને વાંચીને આનંદ થયો. વઘુ વિચારો લખવાનો અાનંદ થયો.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
આદરણીય અમૃતભાઈ
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપે જણાવેલાં મુક્તકો વાંચી ઘણો આનંદ થયો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપને સમજફેર થતી લાગે છે. હું જન્મે જૈન નથી. મારી જાણ બહાર મારો જન્મ વૈષ્ણવ કુટુંબમાં થયો છે. પરંતુ મારા માટે કોઈ ‘હીંદુ’ શબ્દ વાપરે તો તે મને ‘ગાળ’ જેવો લાગે છે. ‘માનવતા’ જ મારો ધર્મ.
“હું માનવી, માનવ થાઉં તો યે ઘણું”.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
उपर कोमेन्टमां पाब्लो पीकासोनो उल्लेख छे. आना चीत्रो बजारमां लेवा जाओ तो न मळे. आडी अवडी लीटीओ के होळीना रंगनी जेम रंगो होय. फक्त नीचे लखेल होय पाब्लो पीकासो…
LikeLiked by 1 person
Saras vichar mrutyu pachhi na karmakand bandh thavaj joiye.
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
ditto
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
I have been inspired by Govind Maroo and Late Nathubhai Damaniya of Navsari on this matter….. Few years back, me and my wife both have declared this, and has given rights to my daughter as well as my relatives…..
On Dallalsaab list : Item #9 is what I am disagree with…… If for any reason, my body can not be used for education or my organ can not be transplant, then I want cremation where there is nothing will left behind for anyone to memorialize… Having ‘Bhumdaah’ aka burial will leave landmark for your loved one to visit…….
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપે અગ્નિસંસ્કાર માટે આપનો અભીપ્રાય જણાવ્યો છે. લાકડાં કાંઈ રાતોરાત પેદા થતાં નથી. ઝાડ ઉગતાં વર્ષો થાય છે. આપણા આ કુરીવાજે જંગલોના જંગલોનો સોથ કાઢી નાખ્યો છે. જંગલો ઘટતાં વરસાદ પણ ઓછો પડે. વળી શબ અને લાકડાં બળે એટલે પર્યાવરણ પણ પ્રદુષીત થાય. આમ, આ કુરીવાજને તીલાંજલી આપવા જેવી છે. મારા નમ્ર મત મુજબ પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી કોઈ રીત હોય તો તે રીત ભુમીદાનની રીત છે.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
Ekdum sachi vaat – Laakdaa raatoraat nathi peda thataa. Ane etlaa maate j electric oven ni shodh thai…. I am all for turning all of crematory into ‘woodless’ process yaane electric ya to CNG process. If I remember correctly, Navsari is first in Gujarat offering this service…..
Bottom line : once your soul depart body, your body is useless and should be dispose at minimum cost of sources with maximum benefit to future generation.
LikeLiked by 1 person
વૃદ્ધ જનો- સીનીયર સિટીઝનો માટે વાંચવા અને વિચારવા જેવો લેખ . અંગત વાતોને નિખાલસ રીતે લોકોની જાણ માટે જાહેર કરી સૌને પ્રેરણા આપવા માટે દલાલ સાહેબને અભિનંદન.
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
Wah dil ko chu liya 100person sachi vaat che
Sent from my iPhone
>
LikeLiked by 2 people
આદરણીય
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLike
આદરણીય ઉષાબેન,
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
Khub j sunder vicharo. Saras lekh. Hospitalma rahine saune takalif thay e karata ‘santharo’ uttam. Em janu che ke ‘VOHARA’ loko mrtune ujave che. Smashanyatraman pan sunder kapada paherine jay che.
SAU VAYASKAROE APNAVAVA JEVA VICHARO.
Shri Dalal ane murabbi Govindbhai ne abhnandan.
LikeLiked by 2 people
આદરણીય નવીનભાઈ,
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
“શોક ના કરશો” એમ કહેવું યોગ્ય નથી. શોક કરવાનો શોખ કોઈને થતો નથી. તે તો એક માનવસહજ પ્રતિભાવ છે. તેની તીવ્રતા વધતી ઓછી હોય. જેમ કે અભિમન્યુના કપટવધનો થાય તેવો શોક ભીષ્મના ઈચ્છામૃત્યુનો ના થાય. નીકટના સગા, મિત્ર કે સંબંધીના અવસાનનો શોક થવા દેવો જોઈએ. પણ તેનાથી લોકોના જીવન ઠપ થઇ જાય કે ખોરવાઈ જાય નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ.
LikeLiked by 2 people
આદરણીય રશ્મીકાંતભાઈ,
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
માનનીય કશ્યપભાઈ,
આપે મારા શોક અંગેના પ્રતિભાવનો ઉત્તર ના આપ્યો. મૌનં સર્વાર્થ સાધકમ અનુસાર તમારી સ્વીકૃતિ માની લઉં છું.
હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊ ની કશી દ્વિધા હતી જ નહિ. કેટલાક લેખકો તો સાંકડા અને પ્હોળા એ અને ઓ જુદા પાડવા માટે ઉપરની માત્રાને ચત્તી કે ઉંધી લખતા હોય છે તેમને તમે શું કહેશો? મને તો મારું નામ રશ્મીકાંત લખાય તે નથી ગમતું, અડધા શ અને હ્રસ્વ મિ વચ્ચે જગ્યા શા માટે રાખવી? કાંત વડે ચરખો યાદ નથી આવતો? તેથી મારી પસંદગી રશ્મિકાન્ત પર છે.
આટલો મતભેદ હોવા છતાં આપનો લેખ ઘણો ઉત્તમ માનું છું.
LikeLike
આખી દુનીયાની સહુ કોઈ વ્યક્તી કે જે મારા સમ્પર્કમાં આવી છે તે હર કોઈ વ્યક્તીને અતી નમ્રતાપુર્વક અને છતાં અતી આગ્રહપુર્વક વીનંતી કરું છું કે તે સહુ કોઈ મને પ્યાર જરુર કરે પરંતુ મારામાં મોહ (આસક્તી) ના રાખે. [મારી નમ્ર સમજ મુજબ કોઈ પણ વ્યક્તી અથવા વસ્તુ તરફનો આપણો મોહ (આસક્તી) જ તે વ્યક્તી અથવા વસ્તુની અનઉપસ્થીતીમાં આપણને શોક કરાવે છે.] મારા મૃત્યુના શોકનો અહેસાસ કોઈને પણ ના થાય તેનો કદાચ આ સૌથી વધુ રામબાણ ઈલાજ છે.
આશા રાખું છું કે આ ઉમેરણ પણ આપને ગમશે.
આભાર
આપનો
કશ્યપ ચંદુલાલ દલાલ
LikeLiked by 1 person
આદરણીય રશ્મીકાંતભાઈ,
૧૫ દીવસના પ્રવાસ પછી આજે જ અમદાવાદ પાછો ફર્યો છું.
“શોક ના કરશો”વાળા આપના પ્રતીભાવનો જરા ઉતાવળથી પ્રતીપ્રતીભાવ આપ્યા પછી ખ્યાલ આવ્યો કે આપના પ્રતીભાવનો મારો જવાબ અધુરો રહી ગયો છે.
આપ લખો છો કે “હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊ ની કશી દ્વિધા હતી જ નહિ”. હું લેખક તો છું નહી પરંતુ એક વીવેકબુદ્ધીવાદી (Rationalist) હોવાને નાતે આ વીશય પર વાંચન અને મનન ઘણું કર્યું છે. અક પુસ્તીકા પણ લખી કાઢી છે, જે અક શોધ નીબંધના સ્વરુપે છે, અને જેને અક વીચારશીલ ભાષાવીદે “અજોડ પુસ્તીકા” તરીકે બીરદાવી છે. આપણી ગુજરાતી ભાશામાં વપરાતાં ૬૫ (પાંસઠ) વરણો, ચીહ્નો અને જોડાક્શરો ઘણી સહેલાઈથી, વીવેકબુદ્ધીથી અને સહેજ પણ અર્થભેદ થયા વગર રદ કરી શકાય તેમ છે અવું આ શોધ નીબંધમાં મેં પ્રતીપાદીત કર્યું છે. ભલભલા વીદ્વાનો પણ ગુજરાત વીદ્યાપીઠીય જોડણી સાચી લખી શકતાં નથી એ સનાતન સત્ય છે. મારી વાતમાં આપને જરા પણ શંકા પડતી હોય તો કોઈ પણ મોટા પુસ્તક પ્રકાશકના પ્રુફ રીડરને પુછી જોજો.
જે લેખકો સાંકડા અને પ્હોળા એ અને ઓ જુદા પાડવા માટે ઉપરની માત્રાને ચત્તી કે ઉંધી લખે છે તે બીલકુલ સાચાં છે. જ્યાં ઉચ્ચાર સાંકડો થતો હોય ત્યાં ચત્તી માત્રા થાય અને જ્યાં ઉચ્ચાર પ્હોળો થતો હોય ત્યાં ઉંધી માત્રા થાય. બીલકુલ વૈગ્નાનીક !!! માણસ જાત બોલતા ઘણી વહેલી શીખી અને લખતા ઘણે મોડેથી શીખી. અને માટે જેમ બોલાય તેમ લખાય અને નહી કે જેમ લખાય તેમ બોલાય.
મારી દ્રશ્ટીએ “શ્મી”માં વચ્ચે કોઈ જગ્યા નથી કારણ કે “શ્મી” પોત જોડાક્શર છે. બાકી તો પસંદ અપની અપની ખયાલ અપના અપના. મતભેદ ભલે હોય, મનભેદ ના હોવા જોઈએ.
આ વીશય પર ઘણી લાંબી ચર્ચા કરી શકાય તેમ છે.
અહીં જે પુસ્તીકાનો મેં ઉલ્લેખ કર્યો છે તેની જુજ નકલો જ મારી પાસે બચી છે, પરંતુ આપને રસ હોય તો મારા સરનામે આપનુ સરનામુ લખી મોકલશો તો એક નકલ જરુર મોકલી શકીશ.
આપનો
કશ્યપ
LikeLiked by 1 person
Aap mue fir dub gai duniya..! Pachhotar ni aatli chinta sha mate?!…Ne e pan rationalist ne??!!
LikeLiked by 1 person
આદરણીય તુષારભાઈ,
સાદર વંદન,
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
આપે લખ્યું છે કે Pachhotar ni aatli chinta sha mate?!…Ne e pan rationalist ne??!! અરે ભાઈ, આપની ઘણી મોટી ભુલ થાય છે. મને મૃત્યુની કોઈ ચીંતા કે ભય નથી. મૃત્યુ કાલે આવતુ હોય તો આજે આવે અને કાલ આવતુ હોય તો અબ ઘડી આવે. મારે માટે તો મૃત્યુ મંગલકારી છે. આ તો, અમે વાણીયા જરા અગમચેતીવાળા એટલે અગાઉથી લખી રાખ્યું. બાકી મારે તો હજુ ઘણું લાંબુ જીવવાનું છે. હજુ ફક્ત ૭૫ જ થયા છે. “અભી તો મે જવાન હું” અને એટલે તો મારાથી લખાઈ ગયું છે કે
કહું છું બુઢાપાને
કહું છું બુઢાપાને પાછો વળી જા (૨)
કે જુવાનીના ઘરમાં જ હજુ તો રહું છું (૨)
કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
ઉમરો તો ડુંગરો થયો ને પાદર થયું પરદેશ (૨)
તો યે એવરેસ્ટ સર કરવાને મન હજુ થનગને છે
એટલે જ કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
હજુ કાલે રાત્રે જ સપનામાં પડોશણને ગાલે ચુંબન ચોઢ્યું હતું (૨)
(જો કે વળતામાં એણે મારે ગાલે સેંડલ ફટકાર્યું હતું)
માટે જ કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
જુવાનીમાં ધંધામાં અનેક ગુલાંટો મારી હતી (૨)
ને હજુ પણ વાંદરાને ગુલાંટ મારતા શીખવી શકું છું
તેથી તો કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
ભલે ચાર વાર પરણ્યો ને ચાર વાર રાંડ્યો (૨)
પણ હજુ ઘોડે ચઢવાના ઓરતા જાગે છે
એટલે તો કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
જો પહેરું માથે ટોપી, આંખે ગોગલ્સ, મોઢામાં ચોકઠું, સુટ, બુટ ને નેકટાઇ ને છાંટુ જો પરફ્યુમ (૨)
તો જુવાનડીયો તો ઠીક, પણ કૉલેજ કન્યાઓ પણ સીટીઓ મારે
તેથી તો કહું છું બુઢાપાને કે પાછો વળી જા _ _ _ _
કહું છું બુઢાપાને કે પાછો વળી જા
કે જુવાનીના ઘરમાં જ હજુ તો રહું છું
કહું છું બુઢાપાને _ _ _ _ _ _
Aap mue fir dub gai duniya..! એવું છેક તો ના જ માની શકાય. જો એમ જ માનતા હોઈએ તો કોઈ એ વસીયતનામુ પણ ના જ બનાવવું જોઈએ. ભલેને વારસદારો લડી મરતા!!!
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 1 person
સ્નેહીશ્રી ગોવિંદભાઈ,
કશ્યપભાઈની અંતિમ ઇચ્છાઓ જાણી સ્વાભાવિક આનંદ જ થયો. સાચો વિવેકબુદ્ધિવાદી આમ
જ વિચારે અને લખે. કુશળ હશો.
લિ:
બકુલા
LikeLiked by 1 person
આદરણીય બકુલાબેન,
સાદર વંદન.
આપને ‘મારી અંતીમ ઈછ્છાઓ’ ગમી તેથી આનંદ થયો. આપના સુંદર પ્રતીભાવ બદલ ઘણો આભાર. આપના પ્રતીભાવથી મને ઘણું બળ મળ્યું છે.
હું એક સંસ્થા ચલાવું છું. તેની ૧૦ વર્શીય ઊજવણીના કાર્યક્રમમાંથી હમણાં જ ફારેગ થયો છું શારીરીક અને માનસીક બંને રીતે સારો એવો થાકી ગયો હતો. વળી દુકાળમાં અધીક માસ. હું ૨૦-૨૦ મેચ જોવાનો ભારે આશીક. મેચ ભલે ગમે ત બે દેશ વચ્ચે હોય! પરીણામે આપને આટલો મોડો જવાબ આપી શક્યો છું. માફ કરશો.
બકુલાબેન, કદાચ આપ મને ઓળખી નથી શક્યા. હું આપને ઓછામાં ઓછું બે વાર મળ્યો છું. બંને વખતે વલસાડના આપના બહેનપણી આશાબેન (વીરેંદ્રભાઇ શાહ) દ્વારા. એક વખત ભીખુભાઈ વ્યાસની સંસ્થામાં અને બીજી વાર વલસાડમાં સ્વ. નારાયણભાઈની શોકસભામાં. મેં આપને મારી પુસ્તીકા ‘ચાલો, આપણે વડીલ (વૃદ્ધ) થતાં શીખીએ’ પણ ભેટમાં આપી છે. મેં ૨-૩ વર્ષ (૨૦૧૪થી ૨૦૧૬ દરમ્યાન) વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના પીંડવળ મુકામે આવેલા ‘સર્વોદય પરીવાર ટ્રસ્ટ’માં કામ કર્યું હતું. જોકે એ જ વીસ્તારમાં (૧૯૭૦ થી ૧૯૭૨ દરમ્યાન) સર્વોદય કાર્યકર્તા ડૉ. નવનીતભાઈ ફોજદાર સાથે પણ કામ કર્યું હતું.
મારા અને આપના વીચારો ઘણાં મળતા આવે છે જાણી ઘણો આનંદ થયો.
આશાબેન અને વીરેંદ્રભાઇને મારા પ્રણામ સાથે યાદ આપજો.
આપનો
કશ્યપ
નોંધ :-
ઉપરના લખાણમાં એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’(ઉંઝાજોડણી)નો ઉપયોગ કર્યો છે.
‘ઈ–ઉ’ની દ્વીધામાંથી કાયમી છુટકારો મેળવીએ
એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ અપનાવીએ
‘જય ઉંઝાજોડણી’
LikeLiked by 2 people
વર્ષો પહેલા મેં એક મારા વસિયતનામાં જેવી ગજલ બનાવી છે ,તેમાં હું કહું છુકે मातम नही मनाना મતલબકે મારા મૃત્યુ પછી દેખાડો કરવા પદ્ધતિસરની રો કકળ તાલમાં છાજિયાં લેવાં . એવું નહી કરવાનું .
LikeLiked by 1 person
bhagvaan kashyp dalalni ichchhao puri kre
LikeLiked by 1 person
પ્રિય દાવડા ભાઈ
સર્જરી મટી ગઈ છે ‘ આવતા સોમવારે ડોક્ટર પાસે જવાનો છું . વોકર વગર એક ડગલું ચાલી નથી શકતો . ડેવિડ મને વિલ ચેર દ્રારા હેર્વે ફેરવે છે . એનો 12 વરસનો દીકરો પણ મને વ્હીલ ચેર માં બેસાડીને ચલાવે છે , મારા કરતા મારું લેપ ટોપ વહેલું ઘરડું થતું હોય એવું લાગે છે કોઈ વખત બરાબર કામ નથી આપતું .
મારા હિપનું હાડકું ભાગ્યું , એમાં મને જલ્દી વૃદ્ધાવસ્થા આવી પહોંચી .
મેં મહિનાની 19 તારીખે બહામા તરફ સમુદ્ર યાત્રાએ હું અને ડેવિડ નું કુટુંબ જવાના છીએ
LikeLike
વહાલા વડીલ આતાજી,
આપના હીપનું હાડકાની સર્જરી થઈ ગઈ…
હાલ વૉકર વડે ચાલો છો…! આપશ્રી સત્વરે સાજા થઈ દોડવા લાગો તેવી અંતરેચ્છા…
..ગો.મારુ..
LikeLike
ગોવિંદ ભાઈ
અરે દોડવાની ક્યાં વાત કરો છો હાડકું ભાંગ્યા પહેલા જેવો ચાલતો હતો એવું . ચાલી શકું તોપણ ઘણું છે . આવતા સોમવારે ડોકટરે બોલાવ્યો છે એટલે એમની પાસે જવું પડશે . એક વખત હું નહોતો ગયો એટલે આ વખતે ન જાઉં તો મારા પૌત્ર ડેવિડ ને પણ નહી ગમે .
LikeLike
વહાલા વડીલ
‘આતાવાણી’ થકી અમોને મીનરલ્સ અને વીટામીન્સ મળે છે.. એ જ રીતે આપશ્રીના મનોબળને જોતા તો મને ખાત્રી છે કે ચાલી શકશો અને દોડતા પણ થશો જ…
LikeLike