–રોહીત શાહ
સડી ગયેલી ધાર્મીક પરમ્પરાઓ વીશે લખવાને કારણે મને ઘણી વખત ‘નાસ્તીક’ હોવાનું ગૌરવયુક્ત સન્માન પ્રાપ્ત થયું છે. જો કે હજી વધસ્તંભ પર ચડવાનું કે ગોળીએ વીંધાઈ જવાનું સદ્ ભાગ્ય નથી મળ્યું. અધ્યાત્મની ભાષામાં કહું તો વધસ્તંભ પર ચડવા માટે કે ગોળીએ વીંધાઈ જવા માટે મારાં પુણ્ય ઓછાં પડે છે. ધમકીઓ મળે છે, ત્યારે મારું શુરાતન પ્રબળ બને છે; પણ પછી રહસ્ય સમજાઈ જાય છે કે : ‘ગરજતા મેઘ કદી વરસતા નથી.’
મારું ચાલે તો હું આ સંસારમાં માત્ર બે જ ધર્મો રહેવા દઉં :
- રાષ્ટ્રધર્મ અને
- સંસારધર્મ.
જગતમાં 84 લાખ જીવયોની (એટલા પ્રકારના જીવો) હોવાનું કહેવાય છે. એમાં એકમાત્ર માણસ જ એવો જીવ છે જેણે પરીવારની અને સમાજની અદ્ ભુત વ્યવસ્થા બનાવી છે. બાળકને વહાલ અને જતન મળે, વૃદ્ધોને સેવા અને આદર મળે, યુવાનોને તક અને સ્વતંત્રતા મળે, સૌ પરસ્પરને સહયોગ આપે અને સ્નેહની આબોહવામાં મોજથી જીવન જીવે એવી કુટુમ્બવ્યવસ્થા–સમાજવ્યવસ્થા જેણે સૌ પ્રથમ સોચી હશે તેને લાખ–લાખ વંદન અને અભીનંદન…
ફૅમીલી–લાઈફમાં કુદરત સાથેનું અનુસન્ધાન છે. પ્રાકૃતીક જીવન જીવવાની સાથે–સાથે સામુહીક જીવનનું સન્માન પણ એમાં છે. સમાજવ્યવસ્થામાં શરીરની ઉપેક્ષા નથી. ફૅમીલી–લાઈફમાં શારીરીક જરુરતોનો પુરો ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં; એમાં ભાવાત્મક અને ભાવનાત્મક બાબતોને મહત્ત્વ આપીને માનવજીવનને ધન્ય બનાવવાનો રચનાત્મક કૉન્સેપ્ટ છે. માત્ર કુદરતી જીવન જીવવાનું હોત તો પરોપકારનાં આટલાં બધાં મહાન કાર્યો આપણી સામે ન હોત. સંસારધર્મ મારે મન એ કારણે જ શ્રેષ્ઠ ધર્મ છે કે એમાં કુદરતી જીવનશૈલીની સાથે કલાત્મકતા અને સામાજીકતાનો સમાવેશ થયેલો છે.
લેકીન–કીન્તુ–પરન્તુ : ગરબડીયા ગામના બાવાએ આખી બાજી બગાડી નાખી. તેને આનન્દથી જીવતાં ન આવડ્યું, એટલે તેણે બીજાઓને આનન્દ નહીં માણવાનો ઉપદેશ આપ્યો. તેને પ્રસન્નતાથી છેટું પડી ગયું, એટલે તેણે સૌને પ્રસન્નતાથી દુર ધકેલી દીધા. ગરબડીયા ગામના બાવાને આખો સંસાર સ્વાર્થમય દેખાયો, તેને દરેક કાર્યમાં નર્યું પાપ જ પાપ દેખાયું. ઉપયોગી થતાં ન આવડ્યું, એટલે પોતે યોગી બની ગયો અને જરાય પુરુષાર્થ કર્યા વગર બીજાના રળેલા રોટલા ખાતો થઈ ગયો. ધર્મના નામે ત્યાગ–વૈરાગ્યનાં આવાં વાહીયાત જુઠાણાં જેણે સૌ પ્રથમ ફેલાવ્યાં હશે તેને લાખ-લાખ ધીક્કાર !
પ્રામાણીક પુરુષાર્થ કરીને પેટ ભરવું એમાં વળી પાપ શાનું ? પરીવારને પ્રેમ કરવો એમાં વળી પુણ્યને ગોબો શેનો પડે ? હળીમળીને મોજથી જીવવાની ત્રેવડ ના હોય એવા લોકો વળી શાના મહાત્મા ? ગરબડીયા ગામનો બાવો ધર્મનો પુજારી નથી; સમ્પ્રદાયનો સન્ત્રી છે. કહેવાતા (તથાકથીત) ધર્મને કારણે સાચો માણસ પણ પોતાને પાપી સમજતો થયો અને પેલા પાખંડીને પુણ્યાત્મા માનવા લાગ્યો. માનવમુલ્યો બાજુમાં ધકેલી દઈને, આ ખવાય અને આ ન ખવાય–આમ કરાય અને આમ ન કરાય; એવાં ફાલતુ ત્રાગાં કરવામાં વ્યસ્ત થઈ ગયો. ‘દેહાલય’ને ભુલીને ‘દેવાલય’ તરફ તેણે આંધળી દોટ મુકી. રુડો–રુપાળો સંસાર છોડીને વૈરાગ્યના વગડામાં ભટકી જવું એને ધર્મ કેમ કહેવાય ? જીવતા–જાગતા માણસ કરતાં મુર્તી મહત્વની બની જાય એવો ધર્મ કોઈ પણ સમજુ માણસ માટે ઍક્સેપ્ટેબલ ગણાય ખરો?
આજે સંસારને એવા ગુરુની ગરજ છે જે ફૅમીલી–લાઈફ માટે તાજું–તાજગીસભર ચીન્તન કરતો હોય. ચાલો, એક ક્ષણ માટે માની લઈએ કે પેલો ગરબડીયા ગામનો બાવો કહે છે તેમ, આ સંસાર સ્વાર્થના સમ્બન્ધોની માયાજાળ છે; તો પણ આપણે એનો ત્યાગ શા માટે કરવાનો ? સંસારમાં રહીને સ્નેહનાં સમીકરણો ન રચી શકાય ? આપણે ની:સ્વાર્થ રહીને તથા પરોપકારી બનીને કહેવાતા સ્વાર્થી સંસારને સુન્દર બનાવવાનો પુરુષાર્થ કરવો એ શું પુણ્યકાર્ય નથી ?
પહેલી વાત તો એ છે કે આ સંસાર જરાય સ્વાર્થી નથી. જો સંસાર માત્ર સ્વાર્થથી ખદબદતો હોત તો આપણું જીવન ક્યારનુંય સમાપ્ત થઈ ગયું હોત. આપણે અત્યારે જીવી રહ્યા છીએ એમાં આપણાં માતા–પીતાનો, સ્વજનો–મીત્રોનો ભરપુર અને ભવ્ય–દીવ્ય સહયોગ કેન્દ્રમાં છે. એ સૌએ આપણી અનેક ભુલો વારંવાર માફ કરી છે, એ સૌએ આપણને પ્રેમ કર્યો જ છે. કેટકેટલા અજાણ્યા લોકોના ઉપકારોને કારણે આપણે આ જગતમાં વસી રહ્યા છીએ, એ ભુલી જવું એ તો ગદ્દારી જ ગણાય.
મારી દૃષ્ટીએ સંસારનું શ્રેષ્ઠ સુખ પારીવારીક સુખ છે. પરીવારમાં જેને સુખ શોધતાં નહીં આવડ્યું હોય, તેને આખા જગતમાંથી સુખ નહીં જડે. તે માત્ર ભ્રાન્તીઓ–ભ્રમણાઓમાં ભટક્યા કરશે. ખોટી જગ્યાએ સુખ શોધવા જવાનું વૈતરું ન કરવું પડે એ માટે, કુદરતે જ આપણને દેહ આપ્યો છે. હું તો ‘દેવાલય’ કરતાં ‘દેહાલય’ને અધીક પવીત્ર સમજું છું.
એક માણસ પાસે દસ કરોડની સમ્પત્તી હોય અને એ માણસ એ સમ્પત્તી ફેંકી દઈને પુરુષાર્થહીન–પરાવલમ્બી જીવન જીવે એમાં એની ધન્યતા ગણાય કે એ માણસ પોતાની સમ્પત્તી ખર્ચીને એક ઈન્ડસ્ટ્રી ખડી કરીને એમાં પાંચસો–હજાર માણસોને રોજીરોટી રળવાની તક આપે, તેમને સ્વાવલમ્બી બનાવે એમાં તેની ધન્યતા ગણાય ? એક માણસ પોતે પણ પરાવલમ્બી બને છે; જ્યારે બીજો માણસ અનેકને સ્વમાની–સ્વાવલમ્બી બનાવે છે : તમે આ બેમાંથી કોને મહાત્મા કે પુણ્યાત્મા માનશો ? કટાઈ ગયેલા જુના ધાર્મીક ખ્યાલો પકડી રાખવામાં જીવનની સાર્થકતા છે કે પછી પરીવર્તન પામતા જગત સાથે તટસ્થ, તાજા અને તંદુરસ્ત ખ્યાલો સ્વીકારવામાં જીવનની સાર્થકતા છે ?
તમારી કેવી ગતી થશે ?
મનને મારી–મારીને જીવવાનું શીખવાડતા ગરબડીયા ગામના બાવાથી હવે દુર રહેવું પડશે. મન્ત્ર–ધર્મની ઉપાસના છોડીને હવે મૈત્રી–ધર્મની ઉપાસના આરંભવી પડશે. સીધું જીવન જીવતાં આવડતું હશે, તેને સાધુજીવન જીવવાની જરુર નહીં રહે. એક ભાઈ મને પુછતા હતા, ‘તમે તો ધાર્મીક વીધી–વીધાનમાં માનતા જ નથી, વ્રત–તપ કાંઈ કરતા જ નથી; પણ સપોઝ, એ બધું સાચું હશે તો મર્યા પછી તમારી કેવી દુર્ગતી થશે ?’
મેં તેમને કહ્યું, ‘મારી દુર્ગતીની ચીન્તા ન કરો, વડીલ ! મેં તો અહીં પુરેપુરાં સુખો ભોગવી જ લીધાં છે. અને હજી જીવીશ ત્યાં સુધી પ્રામાણીકપણે તમામ સુખો દીલથી ભોગવીશ. પણ સપોઝ, તમે જે વીધી–વીધાન અને વ્રત–તપમાં માનો છો એ બધું મીથ્યા હશે, તો તમે તો અહીં પણ કાંઈ ભોગવ્યું નથી અને મર્યા પછીયે કશું નહીં પામો ! તમારી કેવી ગતી થશે ?’
–રોહીત શાહ
લેખક–સમ્પર્ક :
શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com
મુમ્બઈના ‘મીડ–ડે’ દૈનીકમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સોશ્યલ સાયન્સ’ (29 એપ્રીલ, 2015)માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 29/04/2016
છેલ્લો ફકરો સચોટ સવાલ પુછીને આખા લેખનો નીચોડ જણાવે છે. ખુબ સરસ.
LikeLiked by 1 person
શ્રી રોહિત શાહનો લેખ મને બહુ ગમ્યો . પરભવની અને સ્વર્ગની વાતો સાંભળી હું જ્યારે 7 =8 વરસનો હતો ત્યારે ધ્રુવ ની જેમ પોષ મહીનાની કકળતી ઠંડીમાં ઉઘાડે શરીરે અને ઉઘાડે પગે તપ કરવા હાલી નીકળેલો ઈ તો ભલું થાજો રૂખડ ભાર્થીનું કે મને ધમકી આપીને ઘર ભેગો કર્યો ન નહીતર હું બાવળની ઘીચ ઝાડીમાં વરુ અને શિયાળનું ભોજન થઇ જાત…
LikeLiked by 1 person
બહુ સરસ લેખ.
“સડી ગયેલી ધાર્મીક પરમ્પરાઓ વીશે લખવાને કારણે મને ઘણી વખત ‘નાસ્તીક’ હોવાનું ગૌરવયુક્ત સન્માન પ્રાપ્ત થયું છે.” આપના આવા સન્માનોમાં વૃધિ કરતાં રહો એ વિનંતિ.
LikeLiked by 1 person
સ્નેહિશ્રી રોહિતભાઇ,
મારું જો ચાલે તો હું તમારા બે ઘર્મોમા મારો એક ઘર્મ પહેલે નંબરે જોડી દઉં…અને તે છે…’માનવ ઘર્મ&’#8230;’માનવ ઘર્મ’ જો હોનેસ્હટીથી ચાલતો હશે તો સંસાર ઘર્મ તો શું પણ વિશ્વઘર્મ પણ દુનિયાને પ્રેમ અને શાંતિથી, ભાઇચારા સાથે જીવવાનો પંથ પુરો પાડશે. હું માણસમાંથી માનવ બનવાના રસ્તે છું અને હોનેસ્ટીથી બજાવું છું……વઘુ પછી ક્યારેક…..
અમૃત હઝારી.
LikeLiked by 2 people
I echo here to Amrutkaka. As I have said in many of my comment that we got Maanav Avtaar to follow Maanavdharma…. nahi ke lookha – loochchaa bava o.
This is your life … keep your KH, P, ane CHA healthy…and enjoy while you can. Upper kone joyu chhe ane kaun javaanu chhe ye badhi magaj ni bimaari maathi bahaar nikalso to jiven ni badhi j shanti anoobhavo saksho…..
LikeLiked by 1 person
સરસ લેખ. ભાષા પણ વાંચતા જ રહીએ એ રીતે વીવીધ અનુપ્રાસ વડે શણગારી છે, કદાચ સ્વયંસ્ફુર્ત છે. જુઓ આ શબ્દાવલીઓ: ‘દેહાલય’ને ભુલીને ‘દેવાલય’ તરફ તેણે આંધળી દોટ મુકી. હું તો ‘દેવાલય’ કરતાં ‘દેહાલય’ને અધીક પવીત્ર સમજું છું. મન્ત્ર–ધર્મની ઉપાસના છોડીને હવે મૈત્રી–ધર્મની ઉપાસના આરંભવી પડશે.
હાર્દીક અભીનંદન ભાઈ રોહીતભાઈને તથા ગોવીંદભાઈને, સુંદર લેખની લહાણી બદલ.
LikeLiked by 1 person
Saras lekh Rohit bhai,
Mara manva mujab
1: manavdharma.
2: sansardharma.
3: rashtradharma.
Saras lekh aabhar govind bhai.
LikeLiked by 1 person
આપના બધા જ લેખો વાંચું છું કેટલાક તો મારા ‘વર્લ્ડ’માં મારી રીતે મઠારીને સેઇવ પણ કરી લઉં છું. આજના લેખમાં છેલ્લો પેરેગ્રાફ ખુબ ખુબ ગમ્યો.
કુશળતા ઇચ્છું છું.
નવીન બેન્કર
LikeLiked by 1 person
A VERY GOOD ARTICLE. ACCORDING TO MY UNDERSTANDING THERE IS NO DIFFERENCE BETWEEN ‘sansardharma’ &’ manavdharma’. THEY ARE TWO SIDES OF THE SAME COIN. LET US ACCEPT BOTH THESE & FOLLOW THEM TO BETTER OUR LIFE.
HEARTIEST CONGRATULATIONS TO Shri Rohitbhai for his article & to Shri Govindbhai for SHARING THE SAME .–navin nagrecha.
LikeLiked by 1 person
ખૂબ સુંદર અને સાચો લેખ. નીચેનો પેરેગ્રાફ ઘણો ગમ્યો એટલા માટે કે એમાં નર્યું સત્ય છે અને સૌએ સમજીને આચરણમાં મૂકવા યોગ્ય છે.
“મારી દૃષ્ટીએ સંસારનું શ્રેષ્ઠ સુખ પારીવારીક સુખ છે. પરીવારમાં જેને સુખ શોધતાં નહીં આવડ્યું હોય, તેને આખા જગતમાંથી સુખ નહીં જડે. તે માત્ર ભ્રાન્તીઓ–ભ્રમણાઓમાં ભટક્યા કરશે.”
એ સિવાય પણ આખો લેખ વ્યંગાત્મક શરુઆત હોવા છતાં સાહિત્યિક અને સચોટ છે. આના અનુસંધાનમાં એક સરસ અવતરણ ટાકુઃ
” પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને સા્ધુ-મહાત્મા બનનાર કરતાં કલંકનો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.”
LikeLiked by 1 person
Khub khub abhinandan Rohitbhai,
Saras vastvik vichar, Mara mitro aa babatni charchama mane NASTIK gane chhe. Temane tamara lekhthi convince karvama mane bal malashe.
Abhar……
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
વહાલા વડીલ અરવીન્દભાઈ,
‘સંસારધર્મ : શ્રેષ્ઠ ધર્મ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLike
ધર્મગુરુઓ અને પ્રચારકોની એ ચાલાકી હોય છે કે ભોળા લોકોની સુખની વ્યાખ્યા જ બદલી નાંખવી. પછી કાલ્પનિક આધ્યાત્મિક સુખનો ગોળ કોણીએ લગાડી દેવો. ભલેને અટવાયા કરતા!
LikeLiked by 1 person
મારી અંગત અને અડવીતરી માન્યતા.
પચ્ચીસ વર્ષની ઉમ્મર પછી જીવન કેમ જીવવું એ કોઈ ગુરુ પાસે સલાહ લેનારને હું મુર્ખ જ ઘણું છું. પછી એ ગુરુએ લંગોટી પહેરી હોય કે થ્રી પીસ સ્યૂટ. અને વાત વાતમાં માનવીએ કે સમાજે કેમ જીવવું એવી સલાહ આપવાનું એડિક્શન હોય એને હું મહારોગીષ્ટ સમજું છું.
જનમ્યો છું તો જાતે જ જીવી જાણવામાં માનું છું.
LikeLiked by 2 people
उपरनी कोमेन्टमां स्पष्ट लखेल छे के केटला वरस सुधी सलाह, सुचन, अनुसरण करता रहेशो?
एमणे पचीस वरसनुं जणांवेल छे ए बरोबर छे.
एटले पचीस वरस पछी आपणे दीगम्बर, लंगोटी के थ्री पीस धर्म, गुरु, बावा, पासे जईए पोतानी मुर्खाई प्रदर्शन ज कहेवाय…
प्रवीणभाई शास्त्रीए तक आपी एटले आ रीप्लाय तैयार थयो…
LikeLiked by 1 person
દોસ્તો, રશ્મિકાંત દેસાઈ સાહેબે વાત કરી તેમાં આપણી કોઈ દલીલ ચાલે નહિ. પણ જરા કોણી પર લગાવેલા ગોળની વાત હોય તો મેં તો હું ખૂબ નાનો હતો ત્યારે સક્સેસ્ફૂલ્લી ટ્રાય કરી ને બન્ને કોણી પરનો ગોળ ખાધો છે.
ડાબી કોણી પર જમણાં હાથથી અને જમણી કોણી પરનો ડાબા હાથથી ખાઈ લેવાની જેની સામાન્ય આવડત ના હોય તેમની બીજી વાતો કેમ માની લેવાય?
દોસ્તો નો ઓફેન્સ…ટેઇકિટ લાઈટલી. દેસાઈ સાહેબની વાત સાચી છે.
LikeLiked by 1 person