ગ્રહો આપણી પાછળ નથી પડ્યા આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ

તસવીર સૌજન્ય : ‘મીડ–ડે’ ના (તસવીર સૌજન્ય : મીડ–ડે)

 ગ્રહો આપણી પાછળ નથી પડ્યા

આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ

–રોહીત શાહ

તમારે નીયરેસ્ટ ફ્રેન્ડ–સર્કલમાં સૌના ડીયરેસ્ટ બની જવું હોય તો એની એક માસ્ટર–કી છે. કોઈ પણ એક વ્યક્તીનો હાથ જોઈને એના વીશે બે–ત્રણ આગાહીઓ કરી દો. ઍસ્ટ્રોલૉજીનો તમને થોડોક અભ્યાસ અથવા અનુભવ છે એવું સૌને લાગવા દો. પ્રથમ બે–ત્રણ વ્યક્તીઓ વીશેની આગાહી વાજબી લાગે એવી હોવી જોઈએ. તમે એ વ્યક્તીથી પરીચીત હશો એટલે યોગ્ય અને ઉચીત આગાહીઓ કરવામાં તમને કોઈ પ્રૉબ્લેમ નહીં નડે.

તમે જોજો, એ વખતે આસપાસમાં ઉભેલા સૌ કોઈને તેમની હથેળી તમારા સુધી લંબાવવાની ચળ ઉપડશે. મહીલાઓ સાથે ખાસ ફ્રેન્ડશીપ કરવા માટે આ રામબાણ ઈલાજ છે, કારણ કે દરેક બીજી મહીલાને જ્યોતીષના આધારે પોતાનું ફ્યુચર જાણવાની ક્યુરીયોસીટી હોય છે. આ કારણે જ તાંત્રીકો–વીધીકારો સામે મહીલાઓ વધુ છેતરાઈ જતી હોય છે.

જે લોકો એમ માને છે કે જ્યોતીષ બહુ મહાન શાસ્ત્ર છે અને એનું જ્ઞાન બહુ ગહન છે એ લોકોને તો જ્યોતીષમાં શ્રદ્ધા અને ઈન્ટરેસ્ટ હોય એ સ્વાભાવીક છે. લેકીન–કીન્તુ–પરન્તુ વીસ્મયની વાત તો એ છે કે જે લોકો જ્યોતીષને બકવાસ, વાહીયાત અને નકામું સમજે છે એવા લોકોનેય પોતાનું ફ્યુચર જાણવામાં ઈન્ટરેસ્ટ હોય છે.

વ્યક્તીગત રીતે જ્યોતીષને હું ધતીંગ જ માનું છું. ભોળા લોકોને ભરમાવીને પોતાની રોજીરોટી રળી ખાવાનો એક બીઝનેસ છે જ્યોતીષ. છતી આંખે આંધળા અને પાંગળા કરી મુકવાનું કામ જ્યોતીષ કરે છે એવું હું ચુસ્તપણે માનું છું. છતાં મનોરંજન ખાતર જ્યોતીષી સાથે સંવાદ કરવાનો ચાન્સ મળે ત્યારે ‘ઈન્ટરેસ્ટ’ બતાવું છું ! મૅજીશ્યન જ્યારે મૅજીક કરે ત્યારે બધું હમ્બગ જ હોય છે એવી ખાતરી હોવા છતાં મનોરંજન માટે આપણે એવા પ્રયોગો જોવા પૈસા ખર્ચીને જઈએ જ છીએને ! મોટા ભાગનું મૅજીક તો બે જ બાબતોમાં સમાયેલું હોય છે : વસ્તુને છુપાવતાં આવડવી અને છુપાયેલી વસ્તુને ચાલાકીપુર્વક પ્રગટ કરી બતાવવી. ઝડપ અને ચપળતા જરુરી છે. જ્યોતીષનુંય તદ્દન એવું જ છે. એમાંય બે બાબતો ઈમ્પોર્ટન્ટ છે : સામેની વ્યક્તીની માનસીકતા અને સામાજીક ભુમીકા જોઈને આગાહી કરવી તથા આગાહી સાવ સાચી–શ્રદ્ધેય લાગે એવી સ્ટાઈલ ઑફ પ્રેઝન્ટેશન રાખવી. ક્યારેક કોઈ આગાહી ખોટી પડી જાય તો એ માટેનું નક્કર કારણ કે વાજબી બહાનું બનાવતાં તમને આવડતું હોય તો પછી સમજો કે તુમ્હારી તો નીકલ પડી, બૉસ !

ગયા અઠવાડીયે જ એક અખબારમાં લગ્ન–વીષયક ઍડ્વર્ટાઈઝમેન્ટ વાંચી હતી : ‘કૅનેડાથી માત્ર દસ દીવસ માટે ઈન્ડીયા આવેલા પટેલ બીઝનેસમૅન માટે કન્યા જોઈએ છે. બાયોડેટા અને કુંડળી સહીત તરત કૉન્ટૅક્ટ કરશો.’ માણસ એજ્યુકેટેડ હોય અને વીદેશમાં જઈને બીઝનેસ કરતો હોય એટલે પોતાનું ભોટપણું છોડી જ દે એવું કંઈ થોડું હોય ?

કુંડળી શાના આધારે બને છે ? જન્મના ગ્રહોની પરીસ્થીતીના આધારે. જન્માક્ષરમાં જન્મની તીથી–તારીખ અને જન્મનો સમય પર્ફેક્ટ હોવો જોઈએ એમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર દરેક દેશમાં સમય જુદો–જુદો હોય છે. ભારતમાં ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ એક જ છે, અમેરીકામાં ત્રણ–ત્રણ સ્ટાન્ડર્ડ ટાઈમ છે. આ ઉપરાન્ત દરેક ઘડીયાળનો પણ કોઈ એક ફીક્સ સમય નથી હોતો. વ્યક્તીના જન્મ વખતે કઈ ઘડીયાળનો અને કયા દેશનો ટાઈમ, સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે માન્ય રાખવો ? જન્મની ક્ષણનો પ્રભાવ, શું વ્યક્તીના આયુષ્યની અન્તીમ ક્ષણ સુધી પડતો રહે છે ?

જ્યોતીષી કદી સ્પષ્ટ ભાષામાં આગાહી કરતો નથી એવું કેમ ? રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન થશે જ અથવા રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન નહીં જ થાય – આ બેમાંથી જ કોઈ એક રીઝલ્ટ આવવાનું ફીક્સ છે. જ્યોતીષીઓ આપણને આ બે અન્તીમોની વચ્ચે ઝુલાવ્યા કરે છે. છાતી ઠોકીને તેઓ કોઈ એક જ રીઝલ્ટ ડીક્લેર કરતા નથી. વૈજ્ઞાનીકોની આગાહીની ભાષા સ્પષ્ટ હોય છે. ફલાણી તારીખે અને ફલાણા સમયે – અમુક સેકન્ડે સુર્યગ્રહણ થશે એમ આગાહી કરે છે અને દર વખતે એવું અવશ્ય બને જ છે. જ્યોતીષનું શાસ્ત્ર ગણીતના આધારે રચાયેલું છે એમ કહેવાય છે, તો પછી એની આગાહીની ભાષા પારદર્શક કેમ નથી ? એ હંમેશાં ગોળ-ગોળ જ કેમ હોય છે ?

ભવીષ્ય જાણવાનું કુતુહલ માણસની બડી કમજોરી છે. જ્યોતીષીઓ એ કમજોરીના મુડીરોકાણ પર પોતાની ઈન્ડસ્ટ્રી ચલાવતા હોય છે. મારી દૃષ્ટીએ જ્યોતીષશાસ્ત્ર આદમીને ગુમરાહ કરનારું, કમજોર બનાવનારું એક ભયાનક પૉલ્યુશન છે. જ્યોતીષને કારણે કોઈની જીન્દગી સુધરી ગઈ હોવાનું કદી નથી જાણ્યું; પરન્તુ જ્યોતીષના કારણે અનેક લોકોની લાઈફ ડીસ્ટર્બ થઈ છે અને કેટલાકની લાઈફ તો બરબાદ થઈ ચુકી છે.

મર્સીડીઝ ગાડીની આગળ

લીંબુ–મરચાં લટકતાં જોઉં છું ત્યારે મને ખાતરી થઈ જાય છે કે અન્ધશ્રદ્ધાને ગરીબ–શ્રીમન્તનો ભેદભાવ નડતો નથી. ક્યારેક તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધાની દીશામાં દોડવાનું વધુ માફક આવે છે અને પાખંડીઓ તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધા તરફ દોડાવવા જ ટાંપીને બેઠા હોય એ સ્વાભાવીક સત્ય છે.

ધનવર્ષા અનુષ્ઠાન થશે

મને લાગે છે કે ગ્રહો કદી માણસની પાછળ નથી પડતા, માણસ જ ગ્રહોની પાછળ આદુ ખાઈને પડેલો રહે છે. ગળચટ્ટી ભ્રાન્તીઓની પાછળ ભટકવાનું આપણને બહુ ગમે છે. કોઈ સાધુને વાહીયાત સપનું આવે અને જમીનમાંથી 1000 ટન (પછીથી 21000 ટન) સોનું મેળવવા ખોદકામ કરીને લાખો રુપીયા વેડફવા આપણે રઘવાયા થઈ ઉઠીએ છીએ. પબ્લીસીટી સ્ટન્ટ કરનારા પાખંડીઓને પુજનારો બહુ મોટો જથ્થો આપણી પાસે છે. એક બ્રેકીંગ ન્યુઝ પ્રમાણે ભારતને આર્થીક સંકટમાંથી બચાવવા માટે અમદાવાદમાં 1,25,000 ધનવર્ષા શ્લોકનો મંત્રજાપ થવાનો છે. 20 થી 28 નવેમ્બર દરમ્યાન 500 બ્રાહ્મણો તથા અનેક સાધુ–સન્તો ભેગા મળીને આ મન્ત્ર–અનુષ્ઠાન કરવાના છે. શું આ અનુષ્ઠાન પછી સાચે જ ધનવર્ષા થશે ? થશે તો ક્યાં થશે ? ગુજરાતમાં કે પછી સમગ્ર ભારતમાં ? અને જો આ અનુષ્ઠાન પછીયે કોઈ જ ધનવર્ષા ન થાય તો એના સમર્થક સાધુ–સન્તો કબુલ કરવાની નૈતીક હીમ્મત બતાવશે ખરા કે આ નર્યું જુઠાણું જ હતું ?

એક જ સમસ્યા છે

આપણા દેશમાં જેટલો ફેસ–પાઉડર નથી વપરાતો એટલાં અબીલ, ગુલાલ અને કંકુ વપરાય છે. લાલ–કાળા દોરા, નાડાછડીઓ, રક્ષાપોટલીઓ, વાસક્ષેપ, ભભુતીઓ, માદળીયાં, તાવીજો આ બધાંની એક બહુ જ મોટી ઈન્ડસ્ટ્રી આપણે ત્યાં સદીઓથી ચાલી રહી છે, જે દર વર્ષે અન્ધશ્રદ્ધાનો મબલખ નફો રળે છે. સન્તાન ન થતું હોય, સન્તાનનાં લગ્નનો મેળ ન પડતો હોય, બીઝનેસમાં બરકત ન હોય, ફાઈનૅન્શીયલી તંગી રહેતી હોય, પત્ની બીજા પુરુષ જોડે ભાગી ગઈ હોય, પતીને કોઈકની સાથે લફરું હોય, કોઈને કશો વળગાડ હોય, કોઈ દીમાગી પરેશાની પજવતી હોય – આવી અનેક સમસ્યાઓના માત્ર પાંચ જ મીનીટમાં ઉકેલ લાવી આપનારા લોકોની બહુ મોટી ફોજ આપણા દેશમાં છે. સમસ્યા એટલી જ છે કે એવા તાંત્રીકો–વીધીકારોની સમસ્યાનાં કોઈ સૉલ્યુશન્સ ખુદ તેમની પાસેય નથી !

રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર નો પ્રૉબ્લેમ(06 નવેમ્બર, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડે ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/05/2016

 

26 Comments

  1. I fully agree with Rohitbhai’s views. It is everywhere but it is much more in India. In life, honesty , hard work and dedication are required to get success. This is not a rocket science. It is so simple to understand. I do not believe any of these nonsense things in my life. Thanks for such a good article for reading and thinking.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  2. માણસ રોકેટ છોડીને ગ્રહો પર પહોંચી જાય છે પણ આગ્રહો અને પૂર્વગ્રહો છોડી નથી શકતો.

    Liked by 1 person

  3. As Consumer reporter Clark Howard always said that if they have solution for you to become millionaire then how come they are not millionaire?

    Keva no bhaavaarth ek j ke loko paisaa kamaavaa shu shu nathi kartaa…ane aapne as maanvjaat ema ne ema j sandovayeli rahe chhe…..

    I like example of Magician. Yes, one should be entertained, yet one never should believe.

    Liked by 1 person

  4. જ્યાં જ્યાં જીવન જીવવા માટે અથવા પોતાની પાસે જે નથી તે મેળવવાનુ શક્ય નથી હોતું અને સંઘર્ષ કરવો પડતો હોય ત્યાં ત્યાં…અંઘશ્રઘ્ઘાળુઓ પોતાની હાયવરાળ કાઢતા હોય છે…અને સાયકોલોજીનો દૂરુપયોગ કરી જાણતા સ્માર્ટ લોકો તેમનો લાભ ઉઠાવતા હોય છે. જૂના જમાનામાં ઉંદરને પકડવાના પીંજરા દરેક ઘરોમાં રાખતાં હતાં. લોભમાં લાલો લોટે…અને પીંજરામાં …….
    જે જે દેશોમાં જીવન જરુરીઆતની ચીજો સહેલાઇથી મળતી હોય છે ત્યાં પ્રમાણમાં ફળજ્યોતિષિ અને તેના જેવાં બીજા કહેવાતા શાસ્ત્રો ઓછા વપરાય છે. અહિં અભણતા અને કદાચ જન્મજાત ઘર કરીને બેઠેલાંસંસ્કારો કામ કરતાં હશે.
    ડો. જેરામ. જે. દેસાઇની બુક…‘ વહેમ , અંઘશ્રઘ્ઘા નિષેઘ ‘ જરુરથી વાંચો..અને વંચાવો. અંઘશ્રઘ્ઘા તો અસ્તિત્વ ઘરાવે જ છે…આપણે સૌ જાણીઅે છીઅે.. તેનું સોલ્યુશન આ પુસ્તકમાં મળી રહેશે.
    કુલ ૬૧૧ પાનાનું આ પુસ્તક રુપિયા ૩૦૦નું છે. જેને પ્રપ્ત કરવા માટે સંપર્ક:
    ડો. જેરામ.જે દેસાઇ, નડિયાદ, ૩૭૮ ૦૦૧. ફોન નં: (૦૨૬૮) ૨૫૨૬૪૯૯.

    ભારતીય જ્યોતિષ જ્યારે જન્મ્યુ ત્યારે લોકોને ફક્ત ૯ ગ્રહોની હાજરીની જાણ હતી. પૂજા પાઠ પણ નવગ્રહોની જ થતી અને કરાવાતી. આજે વિજ્ઞાને બીજા ઘણા ગ્રહોની શોઘ કરી છે…….તેમનું અપમાન કેમ કરીને કરાય ?

    પૃથ્વિ ઉપરના સમુદ્રોમાં આવતી ભરતી અને ઓટને વિજ્ઞાને પણ ચંદ્રને જવાબદાર બતાવ્યો છે. તે જ્ઞાન પણ જ્યોતિષોને મદદ કરે છે.

    આજે ફેસબુક ઉપર વાંચ્યુ. : ૧૫૦૦ વરસો પહેલાં ભારતીય જ્યોતિષ વરાહમિહિરે મંગલ ઉપર પાણી છે તે શોઘેલું હતું…….

    આપણે ૨૦૧૬ના વરસમાં જીવિઅે છીઅે અને વિજ્ઞાનની સિઘ્ઘિઓ શીવાય શ્વાસ પણ લઇ શકતાં નથી…….

    ઓલ ઘી બેસ્ટ……

    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. Nice presentation. Congratulations !
    “ભવીષ્ય જાણવાનું કુતુહલ માણસની બડી કમજોરી છે. ગળચટ્ટી ભ્રાન્તીઓની પાછળ ભટકવાનું આપણને બહુ ગમે છે.” Very true. Everyone agrees. I have questions for our good readers and our respected popular writer here:

    1. As the writer rightly says, it is OUR weakness, not the astrologer’s.
    So, when will our great writers like Rohitbhai stop blaming astrologers and Gurus and start searching our own people’s minds?
    2. How and why did a huge huge majority of our people become so gullible and silly? Why can they not stop being silly, even now, in the 21 st century?
    Thanks. —Subodh Shah — USA.

    Liked by 2 people

  6. Someone has rightly said,

    પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
    ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
    આપણે *ગ્રહોના નંગ* બનાવી,
    મઢી દીધા *અંગુઠીમાં.*

    Liked by 1 person

  7. ઉપરના આઠ વિદ્વાનોએ કહી દીધું કે શાહ સાહેબનો લેખ સરસ છે એટલે મારે કંઈ પણ જુદું કહેવાનું હોય જ નહીં. સરસ એટ્લે સરસ જ. એમાં શંકાને જરા પણ સ્થાન નહીં. પણ વિદ્વાન લેખક પાસે મારી અપેક્ષા એવી કે હું કે મારા મિત્રો ન જાણતા હોય એવી કોઈ વાત લખે તો નવું જાણવા મળે.
    આતો જાણે અનોપ જલોટા એના દરેક કાર્યકમમાં ઝીણી રે ઝીણી રે ગાતા હોય અને આપણે તાળી પાડતા હોઈએ એવી વાત થઈ. ઓફ કોર્સ; એ ભજન સરસ તો છે જ. નવું નથી. નવી ગઝલમાં જરા વધુ મજા આવે. પંકજભાઈ ઘુંઘરુ તૂટ્યાનું ગાય ત્યારે સારું હોય તો પણ એકનું એક લાગે. બસ એવું જ કેટલાક લેખોનું છે.
    જ્યોતિષએ શાસ્ત્ર છેકે નહીં તે મને ખબર નથી. મારા બ્લોગમાં જેઓ પધારતા હશે તેઓ તો જાણે છે કે હું જ્યોતિષને કેટલું માનું છું. જ્યોતિષ પણ એક ધંધો છે. પછી તે છેતરપીંડીનો હોય કે લૂંટનો હોય, જપ, ગ્રહશાંતી, ભવિષ્ય સુધારવા માટે થતાં કર્મકાંડો એ ધંધો છે. એનાથી પણ અનેક કુટુંબો ના પેટ ભરાય છે. જો ગેરકાયદેસર હોય તો એ બંધ થવો જ જોઈએ. એગ્રી. જ્યોતિષ મનોરંજન માટે રહે તેમાં કોઈને વાંધો ન હોય. હું પણ ઠેકડી ઉડાઉ છું.અટપટા શબ્દોમાં દૈનિક,સાપ્તાહિક કે માસિકમાં આવતા ભવિષ્ય હું જોતો પણ નથી. રોહિતભાઈએ લખવાનો ધંધો આજીવિકા માટે સ્વીકાર્યો હોય તો તેમાં પણ કાંઈ વાધો ન હોઈ શકે. એ લખી શકે. ગમે તે લખી શકે.
    જ્યોતિષ જો સમાજને માટે દુષણ હોય અને તે કાયદાથી પણ અટકાવી શકાય એમ ન હોય તો માત્ર સુજ્ઞ લોકો બહિષ્કાર કરે એટલું પૂરતું નથી.
    રોહિતભાઈ જેવાઓ પ્રતિભાશાળી લેખકોએ જે જે સામયિકો જ્યોતિષીઓની જાહેરાત પોતાના પત્રોમાં આપતા હોય કે જે જે પત્રો ભવિષ્યની કોલમ છાપતા હોય એમનો બહિષ્કાર કરી લેખો આપવાનું બધ કરવું જોઈએ.
    હું આવા નિર્ણયોને અભિનંદન સાથે આવકારું છું. નવા અને જન જાગૃતિના નક્કર પગલાં ગણું છું.
    મારી ઉપર કોમેન્ટ કરનાર મોટેભાગે બધા મિત્રોને હું જાણું છું તેઓ પણ રોહિતભાઈએ ગાયલું ગીત સારીરીતે ગાઈ શકે છે. બાકી લેખ તો સરસ જ છે. એટલું જ કે નવી વાત નથી.
    હું માત્ર મારા વિચારો અભિવ્યક્તિના મંચ પર રજુ કરું છું. એમા માત્ર ગોવિંદભાઈ જ નહીં પણ વાચક કે પ્રતિભાવ દર્શકને ના ગમે તો જરૂરથી જણાવજો. હું કોમેન્ટ કરવાનું બંધ કરીશ.

    Liked by 1 person

  8. સ્નેહી પ્રવિણભાઇ,
    તમારી વાત ખૂબ ખૂબ ગમી. આ અગાઉ,તમે જે નવીનતાની વાત કરી તે, વાત હું અેટલીસ્ટ ત્રણ…ચાર વખત લખી ચૂક્યો છું…..તમારા વિચારો સાથે ૧૦૦ ટકા સહમત છું. પ્રશ્નો બઘાને ખબર છે …તેના ઉકેલો ઉપર વિચારો કરો…..સવાલ અેક લીટીનો હોવો જોઇઅે. જવાબ….સોલ્યુશન…. આખા પાના ભરીને હોવું જોઇઅે. સવાલનો ઉકેલ હોવો જોઇઅે.
    તમારી કોમેંન્ટ ખૂબ…ખૂબ….ખૂબ….ગમી.
    અમુત હઝારી.

    Like

  9. રોહિતભાઈનો લેખ સનાતન સત્ય છે. ગ્રહોના નામે ચરી ખાતા તકસાધુઓ જ ગ્રહોની પાછળ પડી અંધ શ્રદ્ધાળુઓને દોડાવે છે.

    Liked by 1 person

  10. પ્રિય ગોવિંદભાઈ
    બહુ સરસ લેખો તમે વાંચવા આપો છો . એ તમારા કાર્યને હું વખાણું છું . ભાઈશ્રી રોહિત શાહને હું ખુબ ધન્યવાદ આપું છું .
    આજ હું મારી વાત કહેવા માગું છું .
    હું સર્પ વિષે અલ્પ જ્ઞાન ધરાવું છું . હું આ મારી ક્લાબાબત અમદાવાદના છાપાઓમાં ચમક્યો છું .અને એક વખત મુંબઈના જન્મ ભૂમિમાં પણ ચમકેલો છું .હું કાળા નાગને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું . મારા બ્લોગ મે લખેલું છે . અને મને ઘણી વખત સાપ કરડેલ પણ છે . એક વખત હું મૃત્યુ સુધી પહોંચેલો પણ બચી ગયો છું . આ વાત મેં આપણા એક બ્લોગર ભાઈને કરેલી ત્યારે તેઓએ મને કીધેલું કે તમો સાપના મંત્રો જાણતા હશો . આ બાબત હું શું જાણું છું એ મનેજ ખબર છે . હવે આ ભાઈ કબુલ નહી કરેકે મેં એવું કીધેલું કે સાપ પકડવાના મંત્રો હોય છે . હું હાથ ચાલાકીના ખેલ કરું છું . હું કઈ રીતે જોનારની નજરને ભુલાવામાં નાખું છું . એ જાણવું મુશ્કેલ છે . પરમ પૂજ્ય સત્ય સાઈ બાબા પોતાના મોઢા માંથી સોનાનુ શિવ લિંગ કાઢે છે . એ તમે થોડુક ધ્યાન રાખો તો ખબર પડી જાય એમ છે પણ હું મારા મોઢામાંથી બટેટુ કાઢી બતાવું એ કેવી રીતે કાઢું છું . એ જાણવું મુશ્કેલ છે . કાળા વીંછીને મારા મુખ ફરતો દેખાડું મારા મોઢામાં મુકું એ જાણી . જવું . મોઢામાં મુકતા પહેલા મારી હથેળીમાં મૂકી લોકોને બતાવું કે એના ડંખમાં કે એના મોઢામાં મેં કશો ફેરફાર તો નથી કર્યોને ?
    સાતેક વરસ પહેલા હું અને મારો પૌત્ર ડેવિડ ક્રુઝમાં ફરવા ગએલા અહી કિચન ટેબલ ઉપર ચીનના કર્મ ચારીએ કોતરનો સિક્કો ચાલાકીથી ગુમ કરી દીધો। એ ક્યા ગુમ થઇ ગયો એ મેં ગોતી કાઢ્યો . અને પછી મેં એ સિક્કો ગુમ કર્યો એ ગોતી ન શક્યો . ઈંગ્લેન્ડમાં મેં જાદુ કર્યો . એક ભાઈ મારા પગમાં પડી ગયો . આ વાત મેં આતાવાણી માં લખી છે અને વિનોદભાઈ પટેલે તેના બ્લોગમાં લખી છે .

    Liked by 1 person

  11. One more gem from the poem I had posted from earlier.

    સાયંટિફિકલિ બ્લડ ચૅક કરી,
    ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
    સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં,
    લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

    Liked by 1 person

  12. I do not know who wrote this but here it is to support:

    અજ્ઞાત
    *અતિશ્રદ્ધા* છે *અવળચંડી,*
    *વેવલાપણાંનાં વાવેતર* કરે.
    🔹યુરોપે અટપટાં *યંત્રો* શોધી ફીટ
    કર્યાં *ફૅક્ટરીમાં;*
    🔸આપણે *સિદ્ધિયંત્રો* બનાવી,
    ફીટ કર્યાં *ફોટામાં.*
    🔹પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
    ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
    🔸આપણે *ગ્રહોના નંગ* બનાવી,
    મઢી દીધા *અંગુઠીમાં.*
    🔹જાપાન *વિજાણુ યંત્રો* થકી,
    સમૃદ્ધ બન્યું જગમાં;
    🔸આપણે *વૈભવલક્ષ્મીનાં વ્રતો* કરી,
    ગરીબી રાખી ઘરમાં.
    🔹અમેરીકા *વૈજ્ઞાનિક અભિગમથી*
    બળવાન બન્યો વિશ્વમાં;
    🔸આપણે *ધાર્મિક કર્મકાંડો થકી,*
    કંગાળ બન્યા દેશમાં.
    🔹પશ્ચિમે *પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું*
    આ લોકમાં;
    🔸આપણે *પુજાપાઠ–ભક્તિ કરી,*
    સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
    🔹ઍડવર્ડ જેનરે રસી શોધી, *શીતળા*
    નાબુદ કર્યા જગમાં;
    🔸આપણે *શીતળાનાં મંદિર બાંધી,*
    મુર્ખ ઠર્યા આખા જગમાં.
    🔹 *પર્યાવરણ–પ્રદુષણથી* જયારે
    જગત આખું છે *ચિંતામાં;*
    🔸આપણે *વૃક્ષો જંગલો કાપી,*
    લાકડાં ખડક્યાં *ચીતામાં..*
    🔹 *વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,*
    લોકોને પીડે આ દેશમાં;
    🔸 *ફાલતુશાસ્ત્ર* છે એ,છેતરાશો નહીં,
    *ઠગનારા ઘણા* છે આ દેશમાં.
    🔹સાયંટિફિકલિ *બ્લડ* ચૅક કરી,
    ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
    🔸સંતાનોને ફસાવી *જન્મકુંડળીમાં,*
    *લગ્નકુંડાળાં* થાય આ દેશમાં.
    🔹 *લસણ–ડુંગળી–બટાકા* ખાવાથી
    *પાપ* લાગે આ દેશમાં,
    🔸 *આખી ને આખી બેન્ક* ખાવા છતાં
    *પાપ ન* લાગે આ દેશમાં.

    Liked by 2 people

  13. ૨૦૧૬ની સાલમાં પણ આ અેટલું જ સાચુ છે. અહિં અમેરિકામાં પણ આ બઘુ હજી પણ ચાલી રહ્યુ છે. ભારતથી ડોક્ટર થઇને આવે કે ઇન્જીનીયર થઇને આવે, અહિંની પરીક્ષાઓ પાસ કરીને નોકરી મેળવે. પરંતુ ભારતથી પૂજારી કે પૂજા વિઘિ કરાવનાર બ્રાહ્મણ બનીને…આવે તેને તરત કમાણીના સાઘનો મળી જાય છે. પરીક્ષા આપવાની કેવી ? અેક બે વરસોમાં તો પૈસાવાળો બની જાય છે. કમાણી પણ કદાચ અેવી કે ટેક્ષ ફ્રી હોય……રોકડી…..નોકરી કરવાવાળાને તો પાંચ દિવસ આઠ કલાક નોકરી અને કદાચ રાતની શીફ્ટ પણ કરવી પડે.

    Liked by 2 people

  14. અમારે અહી ફીજી માં પણ પંડિત કે બ્રાહ્મણ રોજ નવા નવા ઘરાકો શોધતા ફરે… અને ગરીબ બિચારી પ્રજા એમની વાતો માં આવી જાત જાત ના કર્મ-કાંડ પાછળ પોતાની રહી સહી જીવન મૂડી પણ ગુમાવે…

    Liked by 2 people

  15. Astrology is a science and, therfore, unless you have a scientific proof to dispute or reject the theories behind these effects of planets movement on a human life,
    I would suggest to refrain from making such statement in your blog .

    It is easier to misguide somebody than to enlighten .

    Like

    1. શ્રી નવીનભાઈ,
      કુશળ હશો.
      સાયન્સ એને કહેવાય, જેનું રિઝલ્ટ દરેક વ્યક્તિ માટે સાચું અને સમાન હોય. હજારમાંથી 3 કે 4 વ્યક્તિને માટે અનાયાસ સાચું પડે એને સાયન્સ કેમ કહેવાય ?
      જ્યોતિષ સાયન્સ હોય તો પણ એના નામે વેપાર કરનારા લોકો સામે વાંધો લેવો જોઈએ. ઘેર ઘેર જ્યોતિષના નામે ગોરખ ધંધો વ્યાપક બની રહ્યો છે.
      અજ્ઞાની અને ભોળા લોકો સાથે છેતરપિંડી કરવાનું કામ સાયન્સનું કદી ના હોય.
      મારા લેખને મળેલા વિવિધ પ્રતિભાવો પુરવાર કરે છે કે આજે જ્યોતિષના નામે જે કઈ ચાલી રહ્યું છે, તેનાથી ઘણા લોકો દાઝેલા છે.
      મારો લેખ ફરીથી તટસ્થ મનથી વાંચી જાવા આગ્રહ છે.

      Liked by 1 person

    1. સદરહું રચના શ્રી. ખીમજીભાઈ કચ્છીની છે…

      Like

  16. મેં ગયા સપ્તાહે જ વાચી અને મને પસદ આવતા, કોમ્પ્યુટરનો ઉપયોગ ના કરી શકતા વડીલો માટે કોપી કરી રાખી છે. જે રચનાની નીચે સુવાચ્ય અક્ષરે ” શ્રી દિનેશ પંચાલ”, ચોખ્ખુ લેખેલ છે જે આધારે મેં માહિતી શેર કરી હતી.

    Liked by 1 person

    1. અંધશ્રદ્ધા એ થીજી ગયેલી અબૌદ્ધીકતા છે. સદીઓથી માણસના મનના ડીપફ્રીઝરમાં જર્જરીત માન્યતાઓ અને વહેમોનો બરફ ઝામી ગયો છે. આપણો કહેવાતો ધર્મ બીજું કાંઈ નહીં; પણ આધ્યાત્મીકતાના ગેસથી ચાલતું કોમ્પ્રેસર છે. (બચુભાઈ કહે છે, ‘એ કોમ્પ્રેસરનું મોડેલ ઘણું જુનું છે. હવે અદ્યતન ટેકનોલોજીના ફ્રોસ્ટ ફ્રી ફ્રીઝમાં બીનજરુરી બરફ ઝામતો નથી. ફ્રીઝની જેમ સંસ્કૃતીય ફ્રોસ્ટ ફ્રી હોવી જોઈએ.) પશ્વીમમાંય અંધશ્રદ્ધાળુઓ વસે છે. પરંતુ તેમની તુલનામાં આપણે અતી અંધશ્રદ્ધાળુ પ્રજા છીએ. કમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટ કે હૉસ્પીટલોના દરવાજે પણ મરચું અને લીંબુ લટકતાં મેં જોયા છે. પેલા ડીપ ફ્રીઝરનો બરફ પીગળીને ગામ, શહેર, ગલી, નુક્કડ અને ઘરેઘરમાં ફેલાઈ ગયો છે. એ હકીકતનું સમર્થન શ્રી ખીમજીભાઈ કચ્છી (A–38 –જલારામ સોસાયટી, વેડ રોડ, સુરત–395 004. Mobile – 98251 34692)ની નીચેની ‘ધર્મ અને વીજ્ઞાન’ રચનામાંથી મળે છે.
      ‘ધર્મ અને વીજ્ઞાન’
      અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
      અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
      યુરોપે અટપટાં યંત્રો શોધી, ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
      આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
      પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
      આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
      જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
      આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
      અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
      આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
      પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
      આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
      ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
      આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
      પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
      આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
      વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
      ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
      સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
      સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
      લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
      આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

      ધુપછાંવ
      અંધશ્રદ્ધાનો જો હોય વીષય તો, પુરાવાની જરુર પળેપળ છે;
      ઝાંઝવાથી પ્યાસ ન બુઝાય તો, શીદ માનીએ કે જળ છે…?
      –દીનેશ પાંચાલ

      Like

Leave a comment