પાંચમું ભણેલા રામજીભાઈ રૅશનાલીઝમમાં પીએચ.ડી. છે !

‘પ્રા. રમણ પાઠક વ્યાખ્યાનમાળા’ ના કન્વીનર શ્રી. વીજય ભગત

પ્રગતીશીલ કટારલેખક શ્રી. ઉર્વીશ કોઠારી

આત્મઝરમરબુકનો લોકાર્પણ [(ડાબેથી) શ્રી. ઉત્તમ ગજ્જર, નાનુબાપા,

રામજીભાઈ પટેલ, ઉર્વીશ કોઠારી, વીજય ભગત અને ગોવીન્દ મારુ]

પ્રેક્ષાકાગારમાં શ્રી. ઉર્વીશ કોઠારીના વક્તવ્યને માણતા પ્રબુદ્ધ શ્રોતાજનો

પાંચમું ભણેલા રામજીભાઈ રૅશનાલીઝમમાં પીએચ.ડી. છે !

        –પ્રા. સુર્યકાન્ત શાહ

જાણીતા ઍડવોકેટ અને એકાઉન્ટન્ટ વીજય ભગત એમની અટક પ્રમાણે ભગત કુટુમ્બના છે. એમના કુટુમ્બને ભક્તી વારસામાં મળી છે. સ્વાભાવીક છે કે વીજય પણ ભગત જ હોય; પરન્તુ એમની એક મુશ્કેલી છે કે એ મગજ ખુલ્લું રાખે છે. આથી જ્યારે તેઓ સમજણા થયા ત્યારે ભણવા તેમ જ ભક્તીનું વાંચવા ઉપરાન્ત અન્ય વાંચન પણ કરવા માંડ્યું. એમાં એમને મુરબ્બી રમણભાઈ પાઠક વાંચવા મળ્યા. રમણભાઈની કલમ ‘રમણભ્રમણ’માંથી મુખ્યત્વે રૅશનાલીઝમના પાઠોનું જ વહન થતું હતું. વીજયને રમણભાઈની વાતો સાચી લાગી. રમણભાઈને ગોતી કાઢ્યા. એમને મળવા માંડ્યું. એમની વાતો એમને સ્વીકારવા યોગ્ય લાગી. એમણે રૅશનાલીઝમ સ્વીકાર્યું. રુઢીઓ, વહેમ, શ્રદ્ધા અને ધર્મનાં ગપ્પાં પણ સાચાં માનવાની મજબુરીમાંથી મુક્ત થયા. એમનાં રાત અને દીવસ પહેલાંની જેમ ચોવીસ કલાકના જ છે. પરન્તુ હવે એ સમયમાંથી મુક્ત નીર્દોષ આનન્દ મળે; તે માટે રૅશનાલીઝમની જ વાતો લોકોને સમજાવવી પડે. આથી એમણે તો રમણભાઈના જીવતાજીવત જ ‘પ્રા. રમણ પાઠક વ્યાખ્યાનમાળા’ શરુ કરી. રમણભાઈની જન્મતારીખ પછીના રવીવારે દર વર્ષે એમણે એક જાહેર વ્યાખ્યાન યોજવાનું શરુ કર્યું. આ વર્ષે પણ આવતી કાલે 31 જુલાઈને રવીવારે સુરતની જીવનભારતી સ્કુલના રંગભવનમાં એમણે પ્રગતીશીલ કટારલેખક શ્રી. ઉર્વીશ કોઠારીનું વ્યાખ્યાન સવારે 10.30 થી 12.30 સુધી યોજ્યું. ઉર્વીશ કોઠારી ‘સમાજ સુધારામાં રૅશનાલીઝમનું પ્રદાન’ વીષય પર શ્રોતાઓને સંબોધશે. અહીં સુધી તો વીજયે કરેલી ગોઠવણ કોઈ પણ કાર્યક્રમમાં ગોઠવાતી સામાન્ય બાબત છે; પરન્તુ નવાઈની વાત એ છે કે વ્યાખ્યાનમાળાના 6ઠ્ઠા મણકાના સમારંભના પ્રમુખ પાંચ ચોપડી ભણેલા રામજીભાઈને પસન્દ કર્યા તેની પાછળનું રહસ્ય ફરી એકવાર રૅશનાલીઝમ છે.

રામજીભાઈનું રૅશનાલીઝમમાં પીએચ.ડી !

રામજીભાઈ હવે ધન્ધામાંથી નીવૃત્ત થયા છે. એમનું કુટુમ્બ પણ ધાર્મીક ભક્તીભાવથી રંગાયેલું હતું. તેઓ પણ ખુબ ધાર્મીક હતા. રાધાકૃષ્ણના ભક્ત હતા. એક વાર એમને પણ દયાનન્દ સરસ્વતી જેવો અનુભવ થયો. શંકરના લીંગ પર ઉન્દરડાં દોડતાં જોઈને દયાનન્દને શ્રદ્ધામાં શંકા થઈ હતી. ધર્મ અને મુર્તીઓના પ્રભાવની જે અનેક કથાઓ છે તેમાં એમને પોલાણ લાગ્યું. આથી તેઓ સુધારક થઈ ગયા. શ્રી. ઉર્વીશ કોઠારી તો ‘સમાજ સુધારણામાં રૅશનાલીઝમનું પ્રદાન’ વીષય ઉપર પોતાના વીચારો વ્યક્ત કરશે; પરન્તુ દયાનન્દપ્રેરીત સુધારાઓમાં તો ધર્મના પોલાણનું પ્રદાન વધારે હતું. આવું જ કંઈક રામજીભાઈને થયું. એમણે રાધાકૃષ્ણની મુર્તીઓ પર ચઢી ગયેલા ઉન્દરો જોયા. ત્યારે એમની ઉમ્મર બાર વર્ષની હતી.

શ્રી. રામજીભાઈ પટેલ

        આ ઉન્દરોએ રામજીભાઈને જગાડ્યા. મુર્તીઓમાં સજીવારોપણ અને તેમાં આવીને બેસતાં દેવોના થતા દાવામાં એમને શંકા પડવા લાગી. તેમાં વળી ઘરમાં એમની માતાના અવસાનના કરુણ પ્રસંગે એમના પીતા શામજીભાઈએ જણાવ્યું કે, એમની પાછળ મરણોત્તરવીધી કરવાની કોઈ જરુર નથી. શામજીભાઈની ઉમ્મર આજે 98 વર્ષની છે અને હજી આજે પણ વરાછારોડ પર કોઈક વાર જતા–આવતા દેખાય છે !

        રામજીભાઈના મનપ્રદેશમાં ધર્મનાં આદેશો પામવા માટે અવઢવ તો થવા જ માંડી હતી. તેમાં વળી એમના પીતાએ ‘મરણોત્તર ક્રીયાની કોઈ જરુરીયાત નથી’ એવું જણાવ્યું. બસ… ત્યાર પછી રામજીભાઈની વૈચારીક ગાડી રૅશનાલીઝમના પાટે સડસડાટ દોડવા માંડી. એમનું કુટુમ્બ વીશાળ છે. જાણીતા ઉદ્યોગપતી વલ્લભભાઈ ઈટાલીયા એમના લઘુબન્ધુ છે. વલ્લભભાઈ સહીત બધા જ ભાઈઓ અને વીશાળ કુટુમ્બ રૅશનાલીઝમ વીચારધારાને વરેલા છે. રામજીભાઈ ગૌરવથી જાહેર કરે છે કે એમના મોટા બંગલામાં એક પણ ભગવાન કે દેવ–દેવીઓના ફોટા નથી. જન્મ, લગ્ન કે મરણપ્રસંગોએ કદી પણ તેઓ કોઈ ધાર્મીકવીધી કરતા–કરાવતા નથી. રૅશનાલીઝમમાં ગૃહીત વીવેકબુદ્ધીમાં જ તેઓ માને છે. કાર્યકારણના સાચા સમ્બન્ધો શોધવા અને માનવવાદી અભીગમ રાખવાનો એમનો આગ્રહ છે. રમણભાઈના લેખનથી તેઓ ખુબ પ્રભાવીત છે. એમણે રમણભાઈને વાંચવા માંડ્યા તે પહેલાં તેઓ તો રૅશનાલીસ્ટ થઈ ગયા હતા; પણ દક્ષીણ ગુજરાતમાં તેઓ આવ્યા ત્યારે રમણભાઈના વીચારો જાણે એમને એમના સહોદરના વીચારો લાગ્યા ! તેઓ તો દાવા સાથે જણાવે છે કે દક્ષીણ ગુજરાતમાં રૅશનાલીઝમની તરફેણમાં અને સમાજસુધારાનું પ્રમાણ વધારે હોવામાં રમણભાઈના લેખનનો પણ અગત્યનો ફાળો છે.

રામજીભાઈના પાંચ ધોરણ સુધીના અભ્યાસ સામે અત્યારના પીએચ.ડી. સુધી કેટલાક ભણેલાઓની રુઢીઓ, વહેમ અને ધર્મના અવૈજ્ઞાનીક આદર્શોમાં દૃઢ શ્રદ્ધા નજરે પડે છે ત્યારે તારણ તો એવું જ આવે છે કે, શીક્ષણ માણસને વીવેકશીલ બનાવે જ એવી ખાતરી આપી શકાતી નથી. મૃત સગાની પાછળ સ્મશાનમાં લાકડાથી જ અગ્નીદાહ આપવાનો આગ્રહ આવા ભણેલાને પુરતો લાગતો નથી. સ્મશાનમાં; વીજળી અને ગેસના ચુલા હોય છે, છતાં ભણેલાઓનો આ આગ્રહ સમજાવે છે કે શીક્ષણને અને વીવેકને સમ્બન્ધ નથી. વાત અહીંથી અટકતી નથી. બળતા શબમાં કીલોબન્ધ ચોખ્ખું ઘી નાંખવામાં આવે, અને એવા જ બીજા ખાદ્યપદાર્થો. સગુ પીએચ.ડી. હોય તો પણ નીસાસો જ નાંખવો પડે કે આ વ્યક્તીને પળભર પણ જવાબ નથી આપતો કે એ પર્યાવરણને તો ભારે નુકસાન પહોંચાડે જ છે; પરન્તુ અનેક ગરીબોના મુખેથી ખોરાક પણ ઝુંટવી લે છે ! આ તો એક દાખલો છે. ભણેલાઓની અવૈજ્ઞાનીકતા પુરવાર કરતા આવા અનેક દાખલા મળે છે. બારમા–તેરમાના ભોજન સમારંભ એટલે ચીરવીદાય લેતી વ્યક્તી પાછળ દુ:ખની અભીવ્યક્તી નહીં; પણ દુધપાક આરોગ્યાનો આનન્દ ! આવી અવૈજ્ઞાનીક રુઢીઓ પરત્વે રામજીભાઈને ભારે આક્રોશ છે.

આ બધી રુઢીઓ સમાજવીરોધી છે તેવું તેઓ મક્કમપણે માને છે. આથી આવી રુઢીઓ અને ધર્મની ઘેલછા વીશે જ્યારે તેઓ બોલવા માંડે છે ત્યારે રૅશનાલીઝમના પરના એમના ઉંડા ચીન્તનનો પરચો મળે છે. તરત સમજાઈ જાય છે કે રામજીભાઈનું આ ચીન્તન એમને પીએચ.ડી.ની પદવી મેળવવાને માટે લાયક ઠરાવે છે ! તેઓ માને છે કે સમાજસુધારાની પાછળ જો રૅશનાલીઝમની વીચારધારા કામ કરશે તો એ સુધારા કાયમનું સ્થાન લેશે. કોઈ એક સુધારક એના જીવનમાં માંડ બે–ત્રણ સમાજસુધારાની અહાલેક જગાવી શકે, જેમ નર્મદે ને દુર્ગાશંકરે કર્યું હતું. ઘણા કીસ્સાઓમાં તો એવું બન્યું છે કે, એ સુધારકના અવસાન પછી એણે પ્રબોધેલા સુધારાઓનું પણ અવસાન થયું છે. રામજીભાઈ માને છે કે આવા પ્રત્યેક સુધારા પાછળ રૅશનાલીઝમની વીચારધારા જો ઉભી હોત તો જ એ સુધારા સમાજમાં કાયમનું સ્થાન લઈ શકે.

રૅશનાલીઝમનું પ્રદાન

આ જ મુદ્દા પર આવતીકાલે ઉર્વીશ કોઠારી બોલવાના છે. ઈતીહાસ જોતાં એવું દેખાય છે કે સમાજ સુધારાની આગેવાની લેનારાઓ કંઈ રૅશનાલીસ્ટ નહોતા. કોઈ એક રુઢી અથવા ધાર્મીક આદેશમાં એમને મુખ્યત્વે અન્યાય દેખાયો. એ અન્યાયને દુર કરવા એમણે સામાજીક સુધારાની આગેવાની લીધી. મોટા ભાગના સમાજ સુધારકો ખુબ ધાર્મીક હતા અને ઘણી અવૈજ્ઞાનીક તેમ જ નુકસાનકારક વીધી–પ્રવીધીઓ પણ કરતા હતા.

આમ વીસમી સદીના ઉત્તરાર્ધ સુધી સમાજ સુધારામાં રૅશનાલીઝમનું પ્રદાન નહીંવત્ છે. અલબત્ત, એનાથી ઉલટું બન્યું ખરું. સમાજ સુધારાએ રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં ઘણું પ્રદાન કર્યું. રુઢીઓ અને ધાર્મીક આદેશોની અવગણના થઈ શકે જ નહીં, એવી જે દૃઢ માન્યતા છે તેમાંના એક વીરુદ્ધ કોઈ સમાજસુધારક બ્યુગલ ફુંકે અને થોડો ઘણો પણ સફળ થાય તો લોકોને ખ્યાલ આવે છે કે રુઢીઓ અને ધાર્મીક આદેશોને પડકારી શકાય. આ ખ્યાલ આવે તે જ રૅશનાલીઝમનો આવીર્ભાવ છે. જેમ દયાનન્દને દેખાયું કે નાના ઉન્દરડા શીવજીને અને રામજીભાઈને દેખાયું કે રાધાકૃષ્ણને પડકારે છે તેથી તેની ભક્તી કરવા જેવું નથી. તેમ એકાદ સફળ થતી સમાજસુધારાની ચળવળ રુઢીઓ અને ધર્મોના જડબેસલાક માળખામાં છીદ્રો પાડે છે. આથી જ કેટલાક સુધારા સમાજ માટે ઘણા ઉપકારક હોય છે; છતાં સાધુ–બાવા–મૌલવીઓ એનો વીરોધ કરે છે. એમને ફડક પેસી જાય છે કે જે પરીવર્તન થઈ રહ્યું છે તે સમાજ માટે ઉપકારી હોય છતાં તે એમની સત્તાને પડકારે છે. કોઈ પણ સત્તાધીશ એની સત્તાને ફેંકાતા પડકારનો વીરોધ કરે જ. આથી દેખાયું છે કે જેમાં ધર્મને લેવા–દેવા ઘણી ઓછી હોય છે તેવા સમાજસુધારાનો પણ ધાર્મીક આગેવાનો વીરોધ કરે છે.

વીસમી સદીના ઉત્તરાર્ધથી પ્રજાના નાના વર્ગને ખ્યાલ આવ્યો કે વીજ્ઞાન–ટૅકનોલૉજીના લાભદાયી ઉપયોગની સાથોસાથ વૈજ્ઞાનીક અભીગમ પણ જીવનમાં અપનાવવો જોઈએ. આ નાનો વર્ગ તપાસવા માંડ્યો છે. એને જે રુઢીઓ અને આદેશો સમાજ માટે નુકસાનકારક દેખાય છે તે પુરાવા–તર્ક સાથે સમાજ સમક્ષ મુકવા માંડ્યો છે.

આ રૅશનાલીસ્ટો કુરુઢીઓ અને સમગ્રપણે ધાર્મીકતાની પાછળના અવૈજ્ઞાનીકતાભર્યા માનસને ચર્ચા તળે લાવે છે. સમ્બન્ધકર્તાઓને સમજાવે છે કે આ રોગીના માનસને આરોગ્યદાયી બનાવો. જે લોકો એ સમજવા માંડ્યા છે તેઓ મહત્તમ નીર્દોષ આનન્દને માણવા લાગ્યા છે. આ પોતે એક સામાજીક સુધારો છે, જે સંગીન છે અને દીર્ઘજીવી છે. પશ્ચીમના દેશોમાં રૅશનાલીઝમના પાયે સમાજસુધારા મોટા પ્રમાણમાં થવા માંડ્યા છે. ભારત સહીત રુઢીચુસ્ત દેશોમાં આવું બનતું નથી. એવું બને તે પ્રત્યેક રૅશનાલીસ્ટે પોતપોતાના કાર્યપ્રદેશમાં જોવાનું છે.

–પ્રા. સુર્યકાન્ત શાહ

‘ગુજરાતગાર્ડીયન’ દૈનીક, સુરત (તા. 30જુલાઈ,2016)ની શનીવારીય પુર્તી ‘સાયન્સગાર્ડીયન’ની સાપ્તાહીક કટાર ‘વીસ્તરતી ક્ષીતીજો’માં પ્રગટ થયેલો લેખ. લેખકશ્રીનાઅને ‘ગુજરાતગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક :

Prof. SURYAKANT SHAH, 17, Gayatri Ganga Nagar, Near Makanji Park, Adajan, Surat – 395009. Mobile : 98793 65173 – eMail : suryasshah@yahoo.co.in

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +919537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05–08–2016

 

11 Comments

  1. “જાગ્યા ત્યાંથી સવાર”
    I must take this opportunity to thanks Govind Maru Saab for having blogs from various writers. Five years or so ago, I was also like believing certain practice. Today, my thoughts have been changed.
    Thank you “Abhivyakti”.

    Liked by 1 person

  2. મિત્રો,

    સરસ વાત થઇ. સમાજ સુઘરક… વખતેની સ્વયંસેવક નીતિ અને લગની અને જીવન લગાવી દેવા માટે પીઅેચ.ડી.ની ડીગ્રીને કોઇ સંબંઘ હું જોતો નથી. આ વ્યક્તિ પોતે જ પોતાના વિશે કાંઇ પણ બોલવા વિના કામ કરતો જ જાય છે…
    શ્રી રામજીભાઇ પટેલને જેણે જાણ્યા છે તેણે તો તેમના હરેક કામમાં સાથ આપવાનો હોય. તેમને ડીગ્રીઓથી નવાજવાની વાત પણ વિચારાય નહિ. જે કર્મ સમાજ માટે તેઓ કરી રહ્યા છે તે ડીગ્રી લેવા માટે નહિ પરંતુ સમાજ સુઘારા માટે કરી રહ્યા છે.. તેમના મનમાં ઉંઘમાં પણ ડીગ્રી દેખાઇ નહિ હોય…! જાત ન્યોછાવર કરવાની લગની જ હોય….. શ્રી ઉર્વીશ કોઠારી, શ્રી ઉત્તમ ગજ્જર, શ્રી નાનુબાપા, શ્રી વિજય ભગત અને શ્રી ગોવિંદ મારુ પણ રામજીભાઇના જ સ્વરુપો છે… અને તે કાર્ય પણ નિજાનંદ માટે જ. ઘણા અેવા અજાણ્યા કાર્યકરો પણ છે જેઓ દિવસના પ્રકાશમાં નથી આવ્યા… છતાં તેઓ પોતાનું કર્મ કર્યે જાય છે. આ વાંચનમાળા અેક સુંદર કર્મ છે… ઘીમે ઘીમે પોતાનો ઉદ્દેશ પાર પાડી રહી છે. નવી પેઢી સમજતી થઇ રહી છે.

    ગઇ ત્રીજી ઓગષ્ટે શ્રી હરનિશ જાનીને ઘરે અેક સાહિત્ય સભાનું આયોજન તેમણે કરેલું. મને તેમણે ‘અભિવ્યક્તિ’ના લેખો ઉપરના મારા વિચારોનું પઠન કરવાં ખાસ જણાવેલું. મેં 30 જુલાઇના લેખ…‘ સ્વર્ગ આકાશમાં નહીં, ધરતી પર જ છે’ના સંદર્ભે લખેલા મારા વિચારોનું પઠન કરેલું જેમાં મેં ‘સંત કબિર’ના વિચારોને સભા સમક્ષ રજુ કર્યા હતા. બઘા સાહિત્યકારો અને હાજર રસિકોને ખૂબ ગમ્યા હતા… રૅશનાલિઝમના વિચારો તો સંત કબીર, અખાજી અને કેટલાઅે સદ્ગુણી સંતોઅે સમાજને કહેલાં જ છે. કદાચ આજના કથાકારો કે અમુક પંથના સાઘુઓ અને ક્રિયાકાંડ કરાવનારા વેપારીઓ રૅશનાલીઝમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે… દરેકનું માનવું જુદુજુદુ હોઇ શકે. કબિરજીના થોડા વિચારો જે મેં સભામાં રજુ કરેલાં તે અહિં લખું છું.(‘અભિવ્યક્તિ’ બ્લોગની મારી કોમેંટમા પણ લખેલા જ છે. હાથવગા રહે તે વિચારે લખું છું.

    તે પહેલાં કવિ સાહિલને વાંચીઅે :

    ‘ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘સાહિલ’,
    ભગવાન સે મિલને કી આરઝું પે હંસી આતી હૈ.’

    સંત કબીર :

    (૧) પત્થર પૂજે પ્રભુ મિલે, તો મેં પૂજું પહાડ,
    તા તે ચક્કિ ભલી, પીસ ખાય સંસાર.
    (૨) પહાન કેરા પુતલા, કરિ પૂજૈ કરતાર,
    ઇન્હી ભરોસે જો રહે, તે બીડે કાલી ઘાર.
    (૩) પાથર હી કા દેહરા, પાથર કા હી દેવ,
    પૂજનાર આંઘરા, ક્યોં કરિ માનૈ સેવ.
    (૪) પહાન ક્યાં પૂજીયે, તો નાહિ દેઇ જવાબ,
    અંઘા નર આશામુખી, યા હિ હોય ખરાબ.
    (૫) મૂરતિ ઘરી ઘંઘા રચા, પાહન કા જગદીશ,
    મોલ લિયા બોલે નાહિ, ખોટા બિસ્વા બીસ.

    અને વાંચ્યું…

    આઘુનિક ‘વાચસ્પતી’…( સ્વ. ના… ના… ‘સ્વ’ કેવી રીતે વાપરી શકાય ? સ્વર્ગ અને નર્ક તો આપણી ડીક્શનરીમાં જ નથી.)
    શ્રી રમણભાઇને સત સત પ્રણામ.
    અમૃત હઝારી.
    ( અમૃત અને ઝેર….ફક્ત માનવ મનના ભાવોને વ્યક્ત કરતાં શબ્દો જ છે.)

    આપ સૌને વિનંતિ છે કે આ વિચારો કોઇ પણ પોલીટીકલ વિચારો નથી…ખુલ્લા મનના વિચારો છે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. પ્રિય ગોવિંદભાઈ મારુ
    મને સૂર્યકાન્ત શાહે લખેલ રામજીભાઈ પટેલની વાત ગમી. હું બીલખા આશ્રમમાં ભણવા ગયો ત્યાં હું પંડિત રઘુનંદન ઝા નો પ્રિય વિદ્યાર્થી હતો. કેમકે મારા પ્રશ્નો પૂછવાની ટેવ એને બહુ ગમતી. આશ્રમમાં ભણવા જતા પહેલાં મારી ઉંમર જ્યારે આઠેક વર્ષની હશે ત્યારે મારી માની ધ્રુવની વાતોની બહુ અસર થયેલી અને હું ધ્રુવની જેમ તપ કરીને પ્રભુને પ્રસન્ન કરું. અને હું અને મારો મિત્ર શિયાળાની કડકડતી ટાઢમાં વહેલી સવારે. બધા ઊંઘતા હતાં. ત્યારે તપ કરવા હાલી નીકળ્યો. પણ સદનસીબે રૂખડ ભારથી ઘોડેસવાર અમને સામા મળ્યા. અને અમને ધરાર ઘર ભેગા કર્યા. આ પછી હું આશ્રમમાં ભણવા ગયો ત્યાં પંડિત ઝાએ બૃહસ્પતિની વાત કરી મારા જીવનમાં ક્રાંતિ આની પછી હું આર્મીમાં હતો ત્યારે મને એક જૂની ઉર્દુ બુક વાંચવા મળી તેમાં એક પ્રકરણ બૃહસ્પતિ વિષે હતું. જેનો એક ફકરો આતાવાણી બ્લોગના પહેલા પણ ઉપર હિન્દી લિપિમાં મુક્યો છે. કેટલાક વિદ્વાનોના કહેવા પ્રમાણે બૃહસ્પતિ રમેશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી. પણ પંડિત ઝા ના કહેવા પ્રમાણે તે બધા માને છે એવી રીતે નોતો માનતો કે તે આકાશમાં રહે છે..

    Liked by 1 person

  4. અખિલ બ્રહ્માંડનો રચનાર એ એક અદૃશ્ય શક્તિ છે . જેનું પરમેશ્વર નામ આપ્યું છે મોટા ઐશ્વર્ય વાળો ..મારા ગામમાં એક લાલજી સુતાર રહે . આ સુતાર વિષે મેં આતાવાણી માં ” ગોમતીમાંનો લાલો ગાંડો થયો .” એ શીર્ષક ઉપર લખ્યું છે . એણે એક પાડી ખરીદી સમયજતા એ પાડી ભેંસ બની ગઈ .અને વયાની પણ દોવા નદ્દે આ સમયે એક સાધુ વેશ ધારી ઠગ નજીકના ગામ ચીખલોદ્રામાં આવ્યો એ બધી જાતના મન્ત્રો જાણે એવો એનો દાવો હતો . લાલો તેની પાસે ગયો . ઠગ સાધુએ સવાપાંચ રૂપિયા લઈને દોરો કરી આપ્યો અને ભેંસને ખીલે બાંધવાનું કીધું ,અને ભેંસ ચરવા જાય ત્યારે ખેલે ઘીનો દીવો કરવો ત્રણ દિવસમાં ભેંસ સ્થિર ન થઇ જાય તો મારી પાસેથી બીજો દોરો કરાવી જવો આ દોરાના ફક્ત સવા રૂપિયો આપવાનો , મેં લાલાને વાત કરીકે આવી ઉછાળા મારતી ભેંસ ત્રણ દિવસમાંતો શું પણ છ દિવસમાં જો ડાહિ ડમરી થઇ જાય , તો હું એ સાધુને મારી ભેંસ અર્પણ કરી દઉં . આ લાલાની ભેંસ એકાદ મહિના પછી સીધી રીતે દોવા દેવા માંડી એ પણ મારા પ્રયાસના લીધે મેં પ્રયાસ કરતાં પહેલાં ભેંસને ખીલેથી દોરો છોડાવીને એ દોરા ઉપર સવજી દેસાઈ જેવા ચાર પાંચ જણાની રૂબરૂ મેં પેશાબ કર્યો . સવજી ભાઈ કહે તમે સાપને જોતાંની સાથેજ ખુલ્લા હાથે પકડી લો છો .એ મન્ત્ર તમે ક્યાંથી શીખ્યા। આ મદારી લોકો મોરલી વગાડે છે એટલે સાપ એની નજીક આવે છે પછી આ લોકો મન્ત્ર મારીને પકડીને કંન્ડિયામા મૂકે છે . મેં કીધું એ વાત તદ્દન ખોટી છે જો મોરલી નો અવાજ સાંભળી સાપ નજીક આવે તો હું મોરલી વગાડનારને સો રૂપિયા આપું ;
    આપણા એક જાણીતા બ્લોગર ભાઈ છે તેણે મને કીધું કે તમે મન્ત્ર જાણો છો , મેં એને કીધું કે કોઈ જાતના મન્ત્રો હોતાજ નથી , હું રસ્તે ચાલ્યા જતા કોબ્રાને ફક્ત મારા ખુલ્લા હાથથી પકડી લઉ છું અને તે નાગના શરીરના કોઈ પણ ભાગથી એ માટે મારી આવડત અને જબરજસ્ત હિમ્મત છે અને એ પણ નાગને બીજા કોઈ ઝેરી સાપને નહીં .

    Liked by 2 people

  5. ‘માટે તું પરમશ્વર ઉપર શ્રદ્ધા રાખીને ઈરાન ફરવા જરૂર જા’

    લગભગ બધા જ રેશનાલીસ્ટ ઇશ્વર, શ્રધ્ધાની ઠેકડી ઉડાડે છે. પણ અંતરમાં ઇશ્વરને સ્વીકારે છે એવું કેમ ?
    કોમેન્ટની શરુઆતમાં લખેલા શબ્દો ‘http://aataawaani.wordpress.com/’ પરની એક પોસ્ટના છે. આ ફક્ત એમનો જ પ્રશ્ન છે એવું નથી લગભગ બધા જ મહાનુભાવોની આ સ્થિતી છે
    મને લાગે છે કે કર્મકાંડ, સમાજની પ્રચલીત રૂઢીઓના વિરોધને રેશનાલીઝમ નામ આપ્યું છે. એ સાચું છે અને તેને ત્યાં સુધી સિમિત રાખવું ઘટે. પણ શ્રદ્ધા એ અંગત વિષય છે. કોઈના કહેવાથી ઉદભવતી નથી. ઇશ્વર છે કે નહી તે અગત્યનું નથી પણ માનવીને પોતાની શક્તિઓ જાગૃત કરવામાં ‘ઇશ્વરની શ્રદ્ધા’ ઉપયોગી છે.
    સ્વર્ગ-નરકની કલ્પનાઓ કે આવી અન્ય વાતો, એ ફક્ત માનવીને જીવન જીવવા માર્ગદર્શન હેતુ છે. વેદપુરાણોને ખોટા કહેવાનો મતલબ નથી એમાં જીવન જીવવા માટેનું માર્ગદર્શન છે. મુદ્દો તમે એને કઈ રીતે જુઓ તે છે. સમાજની બધી વ્યક્તિઓની વિચારક્ષમતા સરખી નથી હોતી. દરેકને સમજાવવા માટે જુદા જુદા રસ્તાઓ અખ્ત્યાર કરવા પડે છે.
    આ સાહિત્ય તે વખતના સમાજ માટે યોગ્ય હતું હવેના જમાના માટે આપણે તેમાં સુધારા કરી શકીએ, પણ એ બધું જ ખોટું છે એમ કહેવું યોગ્ય નથી.
    દયાનંદ સરસ્વતીના જમાનામાં સમાજના રીતિ-રીવાજો સમાજની પ્રગતિ માટે અવરોધરુપ હતા માટે એમણે ઝુંબેશ ઉપાડી. પણ આજે ઘણા દેહદાન અને ચક્ષુદાન થઈ રહ્યા છે એ ભુલવું ન જોઈએ

    Liked by 1 person

  6. જો આપણને પાપ – પુણ્યનો ભેદ પારખવાની સત્તા આપવામાં આવે તો આપણને ઊંઠાં ભણાવનાર કથાકારોનું શું થાય ? મને અનુભવ થયો એની વાત બહુ ક્થાઓ સાંભળ્યા પછી બહેર મારી ગઈ મતી (કારણ) સાચી વાતો કમ હતીને ખોટી વાતો બહુ હતી .

    Liked by 1 person

  7. –પ્રા. સુર્યકાન્ત શાહના રામજીભાઇ સાચા રેશનાલીસ્ટ હોવા અંગેના લેખને સલામ. રૂઢીઓમાં ના માનનારી પેઢીઓ કેટલી? રૂઢીને જ રૂડી માની અંધશ્રધ્ધાને પોષનારા કહેવાતા બૌધ્ધિકો માત્ર ડીગ્રીધારી હોઇ શકે, કે જેઓ શ્રી સવા લખીને લખવાની શરૂઆત કરતા હોય. રામજીભાઇ જેવા માણસો માટે રેશનાલીઝમ જેવુ ઉત્તમ બીજુ કોઇ વિજ્ઞાન નથી. જ્યારે પી એચ ડી થયેલાઓ પરમ દિવસે સોમવારે મહાદેવને દૂધ ચઢાવવા જશે, ભાઇ! શ્રાવણ મહિનો છે!!!!!!!
    આ કોમેંટ લખનારે તમે જેટલી પણ જાણતા હોય તે તમામ રૂઢીઓ છોડી દીધી છે.
    મુક્તિનો આનંદ અભિવ્યક્તિ બ્લોગ દ્વારા વ્યક્ત કરવાની ખૂબ મઝા આવે છે.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

    રોહિત કે. દરજી,” કર્મ” , હિંમતનગર

    Liked by 1 person

  8. बीजानी पासेथी आनंद मेळववा माणस जुठु बोलवा लाग्यो अने डरथी ईश्र्वरनी रचना करी नाखी. पछीथी आमां दरेक जण जोडाई गयो…

    डरथी पेदा थयेला आ वीचारो पछी भारतमां रामायण महाभारतमां देखाई आवे छे. जुठाणानी हद्द थई जाय छे.

    लोकशाही सरकारो बनाववा राजकरणीओ एमां जोडाई गया अने हालनी सरकार तो राम मंदीरना मुद्दा उपर सरकार बनावे छे.

    पोस्टनी छेल्ली लखेल छे के … પશ્ચીમના દેશોમાં રૅશનાલીઝમના પાયે સમાજસુધારા મોટા પ્રમાણમાં થવા માંડ્યા છે. ભારત સહીત રુઢીચુસ્ત દેશોમાં આવું બનતું નથી. એવું બને તે પ્રત્યેક રૅશનાલીસ્ટે પોતપોતાના કાર્યપ્રદેશમાં જોવાનું છે.

    सुर्यकांतभाई, उर्वीशभाई, वीजयभाई, गोवीन्दभाई, गज्जरभाई, ई बुक्स अने पीडीएफ बनावी मुकवामां मदद करनार बधा अने वांची कोमेन्ट करनारा बधा रामजीभाई पासेथी शीखी पीएच.डी. करी रह्या छे.

    Liked by 1 person

  9. liked this article.
    More and more temples are being build by many phd’s and doctors in western countries just like in India instead of hospitals and schools.
    Liked earlier coment:
    ‘ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘સાહિલ’,
    ભગવાન સે મિલને કી આરઝું પે હંસી આતી હૈ.’
    Thanks for the post.

    Liked by 1 person

  10. the words are alone a great photographs of all lounges?the face are killer of millions/THE FREE IS THE KILLER OF FUTURE?railway,bus,physically?the mass making more mistakes?the innocents animals are killed for the test of tong?the political parties majority bring the rain?give the empty land to empty hand for happy future!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s