‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’
–દેવીકા ધ્રુવ
અષાઢથી આસોના દીવસો શરુ થાય છે એની સાથે તહેવારોના દમ્ભી, ખર્ચાળ ઉત્સવો અને મન્દીરોમાં દેખાદેખી પથરાતા સહસ્ર ભોજનોના થાળ નજર સામે આવે છે. મુળ સાચા ભાવ પર કેવા ખોટા થરોની લીલ બાઝી ગઈ છે અને જનતા સ્વેચ્છાએ આંખો પર પટ્ટી બાંધીને ફરી રહી છે. મને તો લાગે છે કે માણસ ભુલો પડ્યો છે.
ખાસ કરીને ઠેકઠેકાણે ધર્મ વીશે, ખોટા રીતરીવાજો વીશે, ચોઘડીયાં જોઈને કામ કરવા બાબતે, સ્વર્ગ-નર્ક અને ગયા જનમનાં પાપો અંગેનો સદીઓ જુનો સંકુચીત, ચીલાચાલુ આંધળો અભીગમ, હજી આજે પણ જાણે ભયને કારણે વીશ્વમાં ઠેર ઠેર ચાલુ જ રહ્યો છે. આંધળી શ્રદ્ધાએ ધર્મની સાથે સમાજને અને પોતાની જાતને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ખરેખર તો ધર્મ કોને કહેવાય તે જ જાણવાની જરુર છે. હું તો એટલે સુધી કહીશ કે જાણવાની નહીં; માત્ર આંખ ખુલ્લી રાખીને જોવાની જ જરુર છે. દુનીયામાં અને કુદરતમાં પ્રકૃતીના કોઈ પણ ભાગના કોઈપણ પદાર્થને જુઓ. ગેરંટી સાથે કહું છું કે, ચોક્કસ સમજાઈ જશે કે ધર્મ શું છે. આપણી જેમ જ સજીવ એવાં પશુ, પંખી, ઝાડ-પાન તડકાછાંયડા વેઠીને પણ શાન્ત ઉભા છે, જ્યારે જે કરવાનું છે તે કરે છે, ઋતુ પ્રમાણે બદલાય છે; છતાં સતત આપ્યા જ કરે છે. ત્યાં કોઈ શુભ-લાભનાં ચોઘડીયે કશું બનતું નથી. અરે, જન્મ કે મરણ પણ ક્યાં ચોઘડીયાં જોઈને થાય છે..!!
સાંજને ટાણે એકધારી લાઈનમાં, સાથોસાથ માળા તરફ વળતાં પંખીઓને કદી જોયાં છે? ગોધણવેળાએ ગમાણમાં વળતાં પશુઓને જોયાં છે? ક્યાંય કશી વાડાબન્ધી નથી. આમ જોઈએ તો માનવીને વાણી અને વીચારની શક્તી તો એક વરદાનરુપે મળેલી છે. પણ એને જ કારણે કેટકેટલા ઉધામા? કેટકેટલી અશાંતી? શા માટે? શાંતીથી રહેવાનું તો દરેકને ગમે છે. તો પછી આ શેની ધમાલ છે? માત્ર અને માત્ર જડ માન્યતાઓની અને આંધળા અનુકરણની. એક મુક્તકમાં ખુબ સુન્દર વાત કરી છે કે :
ન જાનેકી જરુરત હૈ મન્દીર-મસ્જીદોંમેં,
ન હૈ ભગવાન બુતોંમેં, ન પથ્થરોંમેં;
પાસ હૈ ફીર ભી હમ અન્જાન ઢુંઢતે હૈં,
વો તો બસતા હર ઈન્સાનકે દીલમેં હૈ.
સીધી, સાદી સમજણ હોવી એ જ અગત્યનું છે. દરેક માનવીના લોહીનો રંગ લાલ છે. ભેદભાવ શેનો છે? ધર્મોના ભેદ આપણે કેમ બનાવ્યા? વર્ણવ્યવસ્થા તો આજીવીકાનાં સાધનો અનુસાર રચાઈ. એને ધર્મ કોણે કહ્યો? કેમ કહ્યો? ઉંચનીચના ભેદો સારાંખોટાં કામો મુજબ હોય.. રંગ કે કહેવાતા ધર્મો પ્રમાણે નહીં. આ સમજણ પર પ્રકાશ પડવો જરુરી છે.
છેલ્લાં કેટલાયે વર્ષોથી હું જોતી આવી છું કે ધર્મને નામે, સાચેસાચ જાતજાતના ધન્ધા અને વાડાબન્ધી જ ઉભાં થયાં છે. જેવી ઠંડી ઓછી થવા માંડે કે તરત જ અમેરીકાના જુદા જુદા શહેરોમાં પ.પુ.ધ.ધુ (પરમ પુજ્ય ધર્મ ધુરન્ધરો)ઓની, મહારાજોની આવન–જાવન ધામધુમથી થવા માંડે, ડૉલરથી થેલા ભરાવા માંડે અને કરુણતા તો એ બની જાય કે સરવાળે, ધર્મ અને શ્રદ્ધા જેવા ભાવો, સમ્પ્રદાયોની ગલીગુંચીઓમાં અટવાઈ અલોપ થઈ જાય…!!! આંખને ઉઘાડી શકે અને દૃષ્ટીને માંજી શકે એ માનવતા નામનો સાચો રાહ જ અદૃશ્ય થઈ જાય!
કેટલીક વાર તો એમ લાગે છે કે, જગત ઈર્ષા અને સ્પર્ધા વચ્ચે જીવે છે. સૌને દેખાડાના અખાડામાં રસ છે. એ જ એની તાસીર છે અને તસ્વીર છે. અધમોની અન્ધારી આલમનું આજે પુરેપુરું વર્ચસ્વ છે. હેનરી મીલરે ક્યાંક લખ્યું છે કે, ‘દેખાતા ધર્મની હીલચાલના જો એક્સરે કઢાવીએ તો તેમાં એક નહીં, અનેક રોગ મળે. સંસ્કૃતીને અને ધર્મને જાણે કે કેન્સર થયું છે જેનું નીદાન ચીન્તાનો વીષય છે.’ સો સચ્ચીદાનન્દ પણ ઓછા પડે એવી આ સ્થીતીના ઉકેલ માટે વારંવાર જુદી જુદી રીતે ટોર્ચલાઈટ ધરી અજવાળું કરતા રહેવું પડે તેમ છે.
આજે સંસારને એવા માનવીઓની જરુર છે કે જે સારી કુટુમ્બરચના માટે ઉમદા ચીન્તન કરતા હોય. આચારમાં મુકવી સરળ પડે એવી વ્યવસ્થા કરતા હોય. જગતથી દુર જઈને ભગવા પહેરીને નહીં; પણ સંસારમાં રહીને જ આ બધું કરવાનું હોય છે. સ્વર્ગ–નર્કની વાતો તો મીથ્યા છે. કોણે ઉપરથી નીચે આવીને કહ્યું કે ત્યાં શું છે? આ તો બધી આપણી કેવળ કલ્પનાઓ છે, ભ્રામક માન્યતાઓ છે, ખોટા ડર છે. માન્યતાઓને મજબુત કરનારા સાધુસંન્યાસીઓ વગેરેના ચરણ-સ્પર્શકરીને, હીંચકે ઝુલાવીને કે આરતી ઉતારીને અન્ધશ્રદ્ધાને આપણે પોસી છે. આ બધી જ મહામુર્ખતા છે.
ડૉ. ગુણવંત શાહે ખુબ સાચું લખ્યું છે કે ‘શીક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરુર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનીવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે ‘કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં.’ આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરુર છે. સાચા યુગદ્રષ્ટાઓ તો સમગ્ર માનવજાતના વ્યાપક કલ્યાણ માટે જીવનારા અને મરનારા હોય છે.’
આ જ વાતના અનુસન્ધાનમા શ્રી. દીનેશભાઈ પાંચાલનો લેખ વાંચવામાં આવ્યો હતો. તેમણે ખુબ સરસ વાત કરી કે, વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડૅડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ ‘સીમ્બોલ્સ’ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ ઓફ અવર ફોરફાધર્સ !’
છેલ્લે, ઉપસંહારમાં એટલું જ કહીશ કે, નેટજગત પર ફરતાં ફરતાં જાણવા અને અનુભવવા મળે છે કે, અન્ધશ્રદ્ધા જેવા કેટલાક ચીન્તાજનક વીષયોને ઘણા બધા લોકોએ હાથમાં લીધો છે અને પોતપોતાની રીતે સ્પષ્ટપણે ઉચીત વીચારોને વહેતા મુક્યા છે. કેટલા બધા લોકો ‘અભીવ્યક્તી’ બ્લોગના માધ્યમથી આ વીષયે લખીલખીને આંખ ઉઘાડવાના પ્રયાસો કરી રહ્યા છે, સમાજમાં જાગૃતી લાવવાનું કામ કરી રહ્યા છે ! આપણે આશા રાખીએ કે આ સક્રીયતાથી એક નવા સમયનો ઉદય થાય, સારું પરીવર્તન આવે અને માત્ર ‘માનવતા’ નામનો ધર્મ રહે. એક શાયરે સાચું જ કહ્યું છે કે :
દુઃખની ઉડાડે ધુળ તે શયતાન હોય છે,
સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે.
બન્નેનો મેળ સધાવીને નીપજાવે જીન્દગી,
મારું તો માનવું છે કે એ ઈન્સાન હોય છે.
અસ્તુ..
–દેવીકા ધ્રુવ
‘વેબગુર્જરી’ની સાહીત્ય સમીતીના સમ્પાદન કાર્યમાં સક્રીય, હ્યુસ્ટનની ‘સાહીત્ય સરીતા’ના માનદ્ સલાહકાર અને કવયીત્રી સુશ્રી દેવીકા ધ્રુવે ‘અભીવ્યક્તી’ માટે ખાસ લખાયેલો, આ લેખ…. લેખીકાશ્રીના સૌજન્યથી સાભાર…
લેખીકાસંપર્ક :
Devika Dhruva, 11047, N. Auden Circle, Missouri City, TX 77459 ફોન : 2814155169 ઈ-મેઈલ : ddhruva1948@yahoo.com બ્લોગ : http://devikadhruva.wordpress.com
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ પણ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 12/08/2016
WOW! WOW!… Author touch everything what I am believing after reading regularly Abhivyakti blog from maroo Saab. I have and continue to preach everything what Devika Dhroov is saying. I am hoping that if we can get one person per month change their life and accept HUMANITY as their Dharma, someday we will concur this battle.
Thank you Maroosaab for continue posting good thoughts of others in Abhvyakti.
LikeLiked by 2 people
દેવીકા ધ્રુવના વિચારોમાં મને મારા સગ્રહ કરેલા વિચારો દેખાયા છે. કાશ! કોઇક તો છે જેનામાં મારા વિચારો હાજરા હજુર છે. લાખ લાખ અભિનંદન, દેવીકાબેનને , અભિવ્યક્તિ માધ્યમને અને પુરુષોત્તમને(કહેવાતા ભગવાન પરશોતમ નહીં, ઉત્તમ-ગોવિંદને!).શીવ- લીંગ પર મુરઝાયેલા બીલીપત્રો જાણે બોકડાનો બલી હોય તેવા લાગે છે. એ કૂણા પર્ણો વગરનુ બીલી વૃક્ષ ગમશે કોઇને? પાંદડાના આવા ઢગલા મંદિરને ગંદુ કરે છે કે નહીં? હું આ પૃથ્વી પરના એ પહેલા શયતાનની શોધમાં છુ કે જેને ગાય,બકરી,ભેંસ જેવા અબોલ પ્રાણીઓના બચ્ચાઓ માટે સર્જાયેલુ દૂધ પીધુ . ગાડરીયા પ્રવાહે તેને ખોરાક બનાવી દીધો. તાકાત હોય તો સિંહણને દોહીને દૂધ પી જૂઓ. માણસે શુ દૂધ માટે બુધ્ધિનુ દેવાળુ કાઢયુ ના કહેવાય? પોતે ધરાઇ ગયો એટલે માદેવને ચઢાવવાનુ ચાલુ કર્યુ. કાળા શીવલીંગ ઉપર સફેદ દૂધનુ કોઇ ………… ને કોમ્બીનેશન ગમી ગયુ હશે. ગાય ,બકરી કે ભેંસના બચ્ચાઓની અમાનત પર દાનત બગાડનારા …………. ઓને શું કહીશુ?
ધર્મ ગ્રંથોનો નહીં, મનની ગ્રંથીઓનો વિચાર અને અભ્યાસ કરવાની તાતી જરૂર છે.
અને, તેનુ વિજ્ઞાન છે- રેશનાલીઝમ. રાહ ના જુઓ. ફેલાવો કરતા રહો. ગમે તેટલો આપણો વિરોધ થાય. આ એક સાચુકલુ ધર્મયુધ્ધ છે. શસ્ત્રો સજાવો દેવીકા ધ્રુવની જેમ….
@ અંધશ્રધ્ધાનો વેરી,માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ” , હિંમતનગર
LikeLiked by 2 people
જોયું! ચીલાચાલુ રેશનાલિઝમના લેખો અને આ લેખની અભિવ્યક્તિના લેખનો તફાવત? આ પોસ્ટ હું સાભાર મારા બ્લોગમાં શેર કરું છું.
LikeLiked by 1 person
વહાલા પ્રવીણભાઈ,
‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLiked by 1 person
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.
LikeLiked by 1 person
દુઃખની ઉડાડે ધુળ તે શયતાન હોય છે,
સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે.
બન્નેનો મેળ સધાવીને નીપજાવે જીન્દગી,
મારું તો માનવું છે કે એ ઈન્સાન હોય છે.
શાયર સાચું કહે છે.
જન્મે એ દરેક વ્યક્તિ માણસ કહેવાય છે પણ માણસાઈના ગુણો વગરના માણસ અને પશુ માં બહુ ફર્ક જોવા નથી મળતો. દરેક માણસની પશુતામાંથી ઇન્સાન બનવા તરફની યાત્રા હોય છે. જેટલો જલ્દી ઇન્સાન બને એટલો એ સફળ થાય છે.
LikeLiked by 2 people
દેવિકાબહેનના મેં બીજાપણ ઘણાં લખાણ વાંચ્યા છે, પણ મને આ લેખ વિશેષ ગમ્યો છે.
LikeLiked by 2 people
બઘુ જ ગમ્યુ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Thanks a lot.
LikeLiked by 1 person
Liked Devika’s article. Thanks.
જગત ઈર્ષા અને સ્પર્ધા વચ્ચે જીવે છે. સૌને દેખાડાના અખાડામાં રસ છે.
Very true.
LikeLiked by 2 people
2016-08-13 0:50 GMT+05:30 Devika Dhruva :
ગોવિંદભાઈ,
આ સાથે વિમલાબેન હીરપરાની ઈમેઇલ આપના બ્લોગના પ્રતિભાવમાં મૂકવા માટે મોકલું છું. તેમની વાતોમાં તથ્ય છે.
દેવિકા
Devika Dhruva.
http://devikadhruva.wordpress.com
On Friday, August 12, 2016 2:13 PM, Vimla Hirpara wrote:
દેવિકાબેન,
નમસ્તે.
હું વિમલા હિરપારા, મેરીલેન્ડ, અમેરીકાનિવાસી. તમારો સાધુસંતોની પધરામણી ને આપણા સમાજના દંભો વિષેનો લેખ વાંચ્યો. બિલકુલ સાચી વાત છે. આપણા મહાત્માઓ ને ધર્મધુરંધરો માંદા પડે ત્યારે આઇસીયુમાં જ પહોંચી જાય છે.
કોઈ મંત્ર કે માંદળીયું એમને બચાવતું નથી. તો ભગવાન પરની શ્રદ્ધા ને ભકિત ક્યાં જાય છે ? ‘પોથી માંઇલાં રીંગણાં !’ બરાબર ને ! હું તો માનું છું કે મંદિર એટલે મનની અંદર જાવ. ઇંટ ચુનાની ઇમારતમાં નહીં.
બીજી વાત. હમણા પંદરમી ઓગસ્ટે આઝાદદિનની પરેડ નીકળશે. એના લીડર કોઈ નેતા નહિ; પણ અભિનેતા હશે. કમાલ છે એ દેશની લોકશાહીની કે જ્યાં નેતા માંદા પડે તો એની મુકતી માટે પ્રજા પ્રાર્થના કરે ને અભિનેતા માંદો પડે તો એના જીવન માટે પ્રજા પ્રાર્થના કરે ! નેતાનેય શું દોષ દેવો ? એ આવે છે તો પ્રજામાંથી જ ને ! આઝાદીનાં આટલાં વર્ષ પછીય પ્રજા પરદા પરના નેતા ને રાજનેતાનો ભેદ સમજી શકી નથી. દેશમાં તો ઠીક; પણ અહીં આવેલા શિક્ષિત ગણાતા લોકોય અંધશ્રદ્ધામાંથી બાકાત નથી.
એ જ,
વિમલા હિરપારા
LikeLiked by 1 person
સૌ વાચક અને ભાવક મિત્રોનો ખૂબ ખૂબ
આભાર-દિલથી.
Devika
LikeLiked by 1 person
દેવિકાજી અને મારા રેશનાલિસ્ટ પિતા(રોહિત દરજી)…નાં આવા જ કટ્ટર રેશનલ વિચારોની જરુર છે.. પોતાનાં જેવા જ વિચારો, વાંચવાથી મનમાં ઘણો આનંદ થાય છે.
રેશનલ વિચારોનો ફેલાવો કરનાર ગોવિન્દ મારુ અને સાથી મિત્રો, લેખકોને.. આ રેશનલ ટ્રેન સડસડાટ ગામેગામ પહોંચે એવી શુભેચ્છાઓ…….
LikeLiked by 2 people
અને પછી વિચારોના દીવે આચાર અમલી બને એવી પણ આશા રાખીએ.બરાબર ને?
LikeLiked by 1 person
Khub saras lekh lakhta raho devikaben ane amne pahodta raho govind bhai. Ahi ek vat dhyan ma leva jevi khud devi ( devikaben ) govind ( govindbhai ) banne na nam juvo to kahevata bhagvan na upar thi temna vadilo e rakhya hase chhata teo samaj ne sacha bhagvan pattharona mandiro ma ked thayelo pattharno bhagvan nathi te samjave chhe. Jyare enathi ekdam viprit dishama juvoto ( RAMDEV, ASHARAM,RAVISHANKAR, RAMRAHIM,NIRMALBABA) jeva pan bhagvan na namo rakhi ne manav samaj sathe kevi gandi ramat ramr chhe manushyone aavto janam sudharva ni lalach aapine pote keva sukh sahyabi bhogve chhe. Chhata prajani aankh khulti nathi. RAJNISHE KHUB SARAS LAKHYU CHHE, PAHENKE BHAGVA, BANDHKE LANGOT HO GAYE BHRAMCHARI, ketlo sundar kataksh, samajne jarur chhe magaj ma bajela sadiyo juna dharmik jala saf kare teva pant shirt ane saree ke dress dhari aava sacha sudharako rational writer thinker reeder ni.
LikeLiked by 2 people
“ધર્મ” નામની વસ્તુ વિષે ની અંધશ્રધા દરેક “ધર્મ” માં જોવા મળે છે. ધર્મના નામે “ધતિન્ગ” કરવાવાળા પાખંડી ધર્મગુરુઓ અંધશ્રધાળુઓને મૂર્ખ બનાવીને અઢળક નાણુ ભેગું કરીને ઍશ કરે છે. આ પાખંડીઑ નાણા લઈ ને અંધશ્રધાળુઓને “સ્વર્ગના સર્ટિફીકેટ” આપે છે.
અમારાં મુસ્લિમ ધર્મમાં તો આ પાખંડીઑ કહે છે કે “મસ્જીદ બનાવવા માટે પૈસા આપો, તો સ્વર્ગમાં તમોને ઘર મળશે”.
ઝૂકતી હે દુનિયા, ઝૂકાને વાલા ચાહીયે.
કાસીમ અબ્બાસ, કેનેડા
LikeLiked by 2 people
કાબિલે દાદ વાસ્તવિક વિચારો સાથેનો અતિ ઉતમ લેખ.!!!!!
ધર્માંધો, અન્ધશ્રદ્ધાળુઓ વાચી સમજી વિચારીને જીવનમાં અમલ કરતા શીખે તો, જાતનું અને અન્યનું જીવન પણ ખુબ જ સરળ બની જાય.
અમારી જ્ઞાતિનાં માસિક મુખપત્ર “કબીરવાણી”માં આવા લેખોને હું અન્યોના લાભાર્થે લેખકની મુકસમ્મતિની અપેક્ષાએ મોકલતો રહું છું.
LikeLiked by 2 people
જરૂર કરસનભાઇ. મારી સંમતિ છે. આભાર.
LikeLiked by 1 person
From: Hemant Jani 10:01 PM (20 minutes ago)
to: Uttam Gajjar uttamgajjar@gmail.com
માનનીય ઉત્તમભાઈ,
કુશળ હશો.
દેવિકાબેનનો રેશનાલીઝમ ઉપરનો લેખ વાંચીને ખુબ આનંદ નહીં, સંતોષ થયો એમ લખીશ. વાંચકોના અભીપ્રાયો વાંચીને સમજાશે કે કેટ કેટલાં લોકો આ અને આવી કુરુઢીઓ ને ધીક્કારે છે. દેવિકાબેનના લેખે મારા જેવા કઈ કેટલાંયની હિમ્મત ખોલી નાંખી અને આ રીતે જાહેરમાં પોતાના વીચારો વ્યક્ત કરવા, લખવા પ્રેર્યાં.
અમારે અહીં લંડનમાં પણ એપ્રિલ મહીનાથી ધ.ધૂ.પ.પૂ.ઓ અને મહારાજો, સ્વામીઓ, બાપુઓ અને ઓઝાઓની લંગાર યુ.એસ. જતાં જતાં વચેટ વીસામો કરીને થોડી રોકડી કરી લેવા આવે છે. જતાં જગ્યા ના મળે તો વળતી વખતે “સત્સંગી સમુદાયનાં આગ્રહને વશ થઇ” બહુજન હીતાય રાત્રી રોકાણ (આઠ-દસ દીવસનું) કરતા જાય છે !! અને સ્થાનીક, લોકલ છાપાંઓમાં ફૂલ પેજ, હાફ પેજ જાહેરાતો આપે છે અને બદલામાં તેઓના બકવાસનું લાઈવ કવરેજ છપાવે છે. મારાં આફ્રીકા અને અહીંના અનુભવો પરથી જણાવું તો, આ તમામ જાહેરાતોમાં જો સૌથી નીચે “કથાની શરૂઆતમાં અલ્પાહાર અને અંતમાં મહાપ્રસાદ ની વ્યવસ્થા છે”ની નોંધ ના હોય તો કોઈને બગાસા ખાવા જવાની ફુરસદ નથી હોતી, આ તો એ બહાને બે-ચાર માણસોને મળી લેવાશે અને કઈ નહીં તો “ટંક તો ટળશે ” !!! જેવા બીલકુલ વ્યવહારુ વીચારે જ બુઢ્ઢાઓ અને ડોશીઓ ફ્રીડમ પાસ(મફત ટ્રાવેલ પાસ )ના સહારે હાજરી પુરાવી આવે છે.
ઉત્તમભાઈ, આપ તો જાણતા જ હશો, કે દેશ કરતાં અહીં પરદેશમાં આપણા લોકોને ધાર્મીક ઉભરા ખુબ આવે છે. અને દેખા-દેખી અને હુંસા-તુંસીમાં આવા ધર્મ-ઢોંગીઓ ફાવીને જોઈતો લાભ લઇ લે છે. ખુબ જ અફસોસ થાય છે આટ આટલી મોંઘી જાહેરાતો અને મોંઘાદાટ હોલભાડાં ભરીને તેઓ શું પામતાં હશે? મીથ્યાભીમાન ? વ્યર્થ-વટનો દેખાડો ? અને અંદરખાને થી જાણવું તો આમાંના મોટાભાગનાં સરકારી બેનીફીટ લેવાં કઈંક તાયફા કરી છૂટતા હોય છે.
અંતમાં આભાર કે આટલો ઉભરો ઠાલવવા મળ્યો. બાકી તો જીવ બાળીને બેસી રહેવા સીવાય શું થઇ શકે ? એક બે વાર આવા પ્રસંગોએ એક બે મુરબ્બીઓ પાસે વ્યથા ઠાલવવા કોશિશ કરી તો, હું કોઈ બીજી દુનીયામાંથી આવ્યો હોઉં તેવી તીરસ્કૃત નજર નાખીને આઘે ખસકી જાય. પછી તો હવે મને તેવાઓની આવી તીરસ્કારભરી નજરનો સામનો કરવામાં એક જાતનો સંતોષ મળતો હોય તેવું લાગવા લાગ્યું છે.
હેમંત જાની.
LikeLiked by 1 person
શ્રીમાન હેમંત જાનીના વિચારો વાંચ્યા: “કથાની શરૂઆતમાં અલ્પાહાર અને અંતમાં મહાપ્રસાદ ની વ્યવસ્થા છે”
અહીં કેનેડામા પણ નાણુ બનાવવા પાખંડી મુલ્લાઓ બીજા દેશોથી આવે છે અને આવા કાર્યક્રમોમાં પણ આવી જાહેરાતો હાય છે: ” કાર્યક્રમ પછી ભોજન (ડીનર) ની વ્યવસ્થા છે.”
આ ઍકવીસમી સદીમાં “ધર્મ” ખરેખર ઍક “ધંધો” બની ગયેલ છે.
કાસીમ અબ્બાસ, કેનેડા
LikeLiked by 3 people
Very nice article. Congratulations to Devikaben and Govindbhai.
–Subodh Shah — USA.
LikeLiked by 2 people
good article
LikeLiked by 1 person
દિનેશભાઈ,નમસ્તે. આપના શબ્દોને “અવતરણ’ તરીકે મૂકવાની ખુશીપૂર્વક સંમતિ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
LikeLiked by 1 person
Thank you..
LikeLiked by 1 person
ધર્મને હંમેશા પ.પુ.ધ.ધુ. ઓની નજરે જોવાની લોકોને એક આદત બની ગઈ હોય તેવું લાગે છે અને કદાચ તેને વખોડવાની ફેશન પણ. કુંભમેળા એ શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની પરાકાષ્ટા હોય તેવું લાગે પણ તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિહાળનારા પર પશ્ચિમી વૈજ્ઞાનિકો છે તેઓએ તેઓએ તેમના અભ્યાસ બાદ કહ્યું છે કે કુંભમેળાને અંતે, હાજરી આપવા બાદ જેઓ ત્યાં રહ્યા છે, તે લોકોના અભ્યાસ બાદનું તારણ –
‘Our results reveal that whilst Kalpwasis and Controls had comparable pre-Mela scores on both of our measures (Well-being and Symptoms of Ill-health), their post-Mela scores diverge to show the Kalpwasis doing better. With regards to the Well-being measure, the Kalpwasis showed an improvement from before to after the Mela whereas the Controls did not. With regards to their reporting of Symptoms of Ill-health, the pattern is similar. Whilst there is some evidence that both groups improved (perhaps because the first measure was taken in the winter and the second was taken in spring) the improvement was greater for the Kalpwasis.’
(https://www.theguardian.com/science/blog/2013/jan/15/kumbh-mela-festival-crowds-good-for-you)
અને (http://journals.plos.org/plosone/article?id=10.1371/journal.pone.0047291)
આવો જ સંશોધન લેખ (http://ngm.nationalgeographic.com/2014/02/kumbh-mela/spinney-text) પર છે.
ધર્મને દરેક વ્યક્તિએ પોતાની રીતે સમજવો જોઈએ એવું મને લાગે છે. પ.પુ.ધ.ધુ.ઓને ટાંકીને નકારી ન શકાય.
LikeLike
પ્રિય દેવિકા બેન
અત્યાર સુધી પુરૂષોનું પરિબળ હતું . ભગવાન લોકોનું કલ્યાણ કરવા અવતાર લ્યે ઈ પણ પુરુષ તરીકે ભગવાન કુંવારી છોકરીને ગર્ભવતી વતી કરે અને બાળક જન્મે એ પણ પુરુષ તરીકે હવે તમારા જેવી સ્ત્રી શક્તિની જરૂર છે , લોકોને માર્ગ દર્શન આપવા માટે
મારુનામ હિમ્મતલાલ જોશી છે . બ્લોગ જગતમાં હું આતા તરીકે ઓળખાઉં છું .
LikeLiked by 2 people
આદરણીય હિંંમતભાઇ, આપના નામથી,બ્લોગથી અને લખાણોથી હું પરિચિત છું જ.આપનો પ્રતિભાવ જોઈ આનંદ થયો..વંદન સહ આભાર.
LikeLiked by 1 person
પ્રિય દેવિકા બેન
બ્લોગથી તમે પરિચિત છો મારાં લખાણો થી પણ તમે પરિચિત છો એ જાણી મને ખુશી થઇ .
LikeLiked by 1 person
very nice sirji
LikeLiked by 2 people
આજ વિષયપર મારું આ કાવ્ય વાંચોઃ
ક્યારે આવશે ભાન?
એક ડાહ્યાને એવી ટેવ,
પ્રસાદ માટે પૂજે દેવ.
ન્હાયા વગર ન અડે,
નેતાઓના પગે પડે.
લસણ ડુંગળી ના ખાય,
મસાલાથી મોઢું ગંધાય.
ફરે લઇ હાથમાં માળા,
ભક્તિના કરીલે ચાળા.
વાર તહેવારો ખૂબ કરે,
બોલે ત્યારે અંગારા ઝરે.
ગરજે ગધાડાને બાપો કહે,
જીભ પર જાણે ગંગા વહે.
કપટ કરી કરી કમાણી કરે,
ગળે માળાઓ નાખી ફરે.
બોધ બધાને બહુ આપે,
સ્વાર્થમાં લોકોના પગ કાપે.
ડીગ્રી મેળવી ના’વ્યું જ્ઞાન,
ક્યારે આવશે ‘ચમન’ ભાન?
* ચીમન પટેલ “ચમન”
LikeLiked by 3 people
આભાર; ગોવીન્દભાઈ અને દેવિકાબેન
LikeLiked by 2 people
So…. what is the remedy?
LikeLiked by 1 person
“દેશમાં તો ઠીક; પણ અહીં આવેલા શિક્ષિત ગણાતા લોકોય અંધશ્રદ્ધામાંથી બાકાત નથી.”
વિમલાબેન હિરપારાની કોમેન્ટમાં થી ખરેખર તો શિક્ષિત ગણાતા લોકોયે જ અંધશ્રદ્ધા ને વધુ ચગાવી છે અને તેમાંય ડોલરની સમ્રુધીએ તો ખાસ.
ભગવાન તેમને સદ્ બુદ્ધી આપે..
LikeLiked by 2 people
પેલો મ. ગઝની ૧૭-૧૭ વાર સોમનાથનું મંદિર તોડી ફોડી ને લુંટી ગયેલોત્યારે ૨-૩ હજાર ભગતડા ભજન કીર્તન કરતા રહ્યા અને કહેતા કે શંકરજી એનું ત્રીજું નેત્ર ખોલશે અને ગઝનીને ભસ્મી ભુત કરી નાખશે. એમાનું કાઈ પણ એ સર્વ શકિતમાન સર્વવ્યાપી કે કર્તાહર્તા તેવો ભગવાન ક્યાંક ભાંગ કે ગાંજો ફુકતો હતો ???
જો કોઈ સામાન્ય ચોકીદાર ગુરખો એની ફરજ દરમ્યાન ૧-૨ લુટને નાં અટકાવી કે રોકી શકે તો એને નોકરીમાંથી પાણીચું ચોક્કસ મળે જ મળે . જ્યારે આ તો એક જ મન્દીર ૧૭-૧૭ વાર. અને આવા તો રોજ બરોજ કેટ કેટલા મંદિરોમાં ચોરીઓના કે તેની મિલકતોને પચાવી પાડવાના કિસ્સાનિ કોઈને નવી કે તેનાથી અજાણ નથી !!!!
દેવિકાબહેન આવા વધુને વધુ લેખોની અપેક્ષા સાથે સ્ત્રી જગતને ખાસ આમાંથી મુકત કરવા આપનું આ અભિયાન જારી રાખવા વીનંતી ! ! ! ! !
LikeLiked by 2 people
અરે,અરે કરસનભાઇ,આપ તો ‘ભગવાન ક્યાંક ભાંગ કે ગાંજો ફુકતો હતો ???’કહી ઈશ્વર પર તૂટી પડ્યા?…ના…ના..ના..મુરબ્બી… આપણી વાત લોકોની અંધશ્રધ્ધા પર છે. વિશ્વની ચાલક એવી પરમ શકિત પર નહિ. એ હંમેશા યાદ રહે..જ્યારે જ્યારે જન્મ અને મૃત્યુની પળ વિશે વિચારીએ ત્યારે એ જે પરમ તત્ત્વ છે તેના પર તો ભીતરી આસ્થા છે જ. એ શ્રધ્ધાને મનમાં કાયમ રાખીને, સાચી સમજણ સાથે, યોગ્ય રાહે,નમ્રતાપૂર્વક ચાલવાની આ શોધ છે..
LikeLike
Good article, need to put in life, every day, thanks Govinbhai and Devikaben.
LikeLiked by 2 people
Yes,need to put in life.that’s the way to go….
LikeLiked by 1 person
બેન દેવીકાબેન,
તમે આવુ લખો છો” વિશ્વની ચાલક એવી પરમ શકિત પર નહિ. એ હંમેશા યાદ રહે..જ્યારે જ્યારે જન્મ અને મૃત્યુની પળ વિશે વિચારીએ ત્યારે એ જે પરમ તત્ત્વ છે તેના પર તો ભીતરી આસ્થા છે જ.”
ના…ના…ના.. હજુ આપના રેશનાલીઝમમાં કમી છે. પરમ તત્વ કે પરમ શક્તિની વાતો વિજ્ઞાનથી પર છે, બેન… એવુ કશુ હોય જ નહીં.
@ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ” હિંમતનગર
LikeLiked by 1 person
Yes ROHIT BHAI tamari vat ekdam sachi chhe rational vichar ni sathe param tatv ke shakti jevu kashuj na hoi vicharvanuj na hoi nahito pachha pela bhagatda kahese param shakti tej amaro manelo bhagvan. aa samajva mate RAMANPATHAK no lekh ( raman Bhraman) prakruti na andh niyamo vanchvo samajvo pade.
LikeLiked by 1 person
Very nice article after a long time. Congratulations to Devikaben. But on the subject of “Parm Chaitnya”, I agree with Rohitbhai. The whole cosmos runs on the laws of nature,physics or science.
LikeLiked by 2 people
We have good thoughts above. I support Dr. Dinesh, Shri PM Patel and Shri Rohit Darji, as opposed to Devikaben, the good writer of this article.
We in India are very much behind the advanced world in science education and our understanding of the scientific mind. Modern physics has very well explained the ideas like what we call the Param Tatva, origin of the world and sources of life on Earth. Not just explained, but proved. We need to study that more deeply and extensively.
I congratulate the above three good thinkers. Thanks. –Subodh Shah –USA.
LikeLiked by 2 people
Thank you Subodhbhai for your comment.
LikeLiked by 1 person
દેવીકાબેન
ભારતની ભોળી પ્રજાને આવા પંપૂધધૂઓ લૂંટી રહ્યા છે
પરદેશમાંથી જાકારો આપો. ખાસતો પ્રમુખસ્વામીના સાધુઓથી ચેતજો તેઓ તો હવે મંદિરો બનાવવા ઘરમાં ઘૂસીને સોનું જ લઇ જાય છે
લોકોની જમીનો પચાવે છે
લોકોને જાગૃત કરવા હજી ઘારદાર લખો
LikeLiked by 2 people
દેવિકાબહેન ! હું આપના જેવો સિદ્ધહસ્ત વિચારક ,લેખક કે ભાષાવિદ નથી જેનાસમ્પૂર્ણ એકરાર સહીત એક વાત ચોક્કસ કહીશ કે.-. અંધશ્રધ્ધા,કુરિવાજ, કર્મનો સિધ્ધાંતનિ પૂરી હાનીકાર કપોળ કલ્પનાનો પાયો જ પરમતત્વ,પરમશકિતકે વિશ્વપિતાને આભારી છે. અંધશ્રધ્ધા કે વહેમોને દુર કરવા હોયતો તેના મૂળમાં જ ઘા કરવાનું આપને જરૂરી કેમ નાં લાગ્યું ???
ખુબ મર્યાદિત સાધનસંપન્ન કે નિર્બળ માં નિર્બળ સામાન્ય મજૂરીયો પિતા તેના સંત્તાનોને ભાગ્યે જ ભુખે સુવાડતો હશે. ત્યારે આ પરમ તત્વ, જે સર્વ શકિતમાન, પરદુઃખભંજન, સર્વનું સદા હિતકરનારો, વિશ્વપિતા કેટ કેત્લાઓને ભૂખે સુવાડે છે અને કેટલાયેને વાનગીઓનો સુમાર નહિ તેમજ અન્નના બગાડની તો વાત જ શી કરવી.
ચર્ચા આડેપાટે થઇ છે જેના સ્વીકાર સહીત, નિર્વિવાદ મારો મુદ્દો આપનાં અતિ સુંદર લેખના સંપૂર્ણ સમર્થનમાં જ છે.
LikeLiked by 2 people
મિત્રો,
દેવિકાબેનના લેખથી અને એની પરની મિત્રોની ચર્ચા એ આ વિષયમાં એક શરુઆત છે. આથી આપણે એક-બેને આ માયામાંથી જગાડીએ તો એ શુભ શરુઆત ગણાશે. અંદર અંદર ઘણા આ સહી શક્તા નથી!
આવા એક વિષયમાં મારો લેખ ‘શોર્ટ કટ’ વાંચવા ‘વેબગુર્જરી’પર જવા નમ્ર વિનંતિ છે.
‘શોર્ટ કટ * ચીમન પટેલ “ચમન”
‘વેબગુર્જરી’પર નવલિકા વિભાગમાં ૧૦ઓગષ્ટ૧૪ ના રોજ મુકાયો છે.
LikeLiked by 3 people
પી.એમ.પટેલ,ડૉ.દીનેશ પટેલ અને સુબોધ શાહ – આપના વિચાર-સમર્થન બદલ આભાર.
ભાઇ,શબ્દ્સૂર – આપની હિંમત બદલ આભાર. ટોળાઓને શુ કહેવુ? કોણ આપણુ માને? રેશનાલીસ્ટ સરકારની તાતી જરૂર છે આ દેશને. મૃત શરીરની જ્યાં ચાર દિવસ સુધી આરતી ઉતારવામાં આવે છે, હમ ઉસ દેશકે વાસી હૈ.
@ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ” , હિંમતનગર
LikeLiked by 2 people
good article. andhashraddha virodhi vicharone full support. i pity on the people who deny the existance of paramshakti.
LikeLiked by 1 person
Khub sundar.
LikeLiked by 1 person