દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?

દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?

–રોહીત શાહ

એક મહાત્મા તેમના વ્યાખ્યાનમાં ઉપદેશ આપતા હતા : ‘લાઈફમાં કદી નેગેટીવ ન બનો. સક્સેસ માટેની માસ્ટર–કી પૉઝીટીવ થીન્કીંગ જ છે.

‘જો તમે દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. જો કોઈ તમને ગાળ આપે તો એમ સોચો કે તેણે તમને શારીરીક ઈજા તો નથી કરી ને! જો કોઈ તમને અપમાનીત કરે તો એમ સમજો કે તમારું ગયા જન્મનું ઋણ ચુકવાઈ રહ્યું છે, ગયા જન્મમાં તમે તેને અપમાનીત કર્યો હશે એટલે આ જન્મમાં તેનો હીસાબ ચુકતે થઈ રહ્યો છે.’

તે મહાત્માનાં જુઠાણાં આટલેથી જ અટક્યાં નહોતાં. તેમણે તો આગળ વધીને એમ પણ કહ્યું કે ‘દેહ અને આત્માને અલગ સમજવા એ જ્ઞાન છે, તમારું નામ એ તો તમારી સ્થુળ ઓળખ છે, આત્માને કોઈ નામ–ઠામ નથી હોતું, આત્માનું કદી ઈન્સલ્ટ પણ નથી થતું અને આત્માને કશી ઈજા પણ નથી થતી, ભુખ–તરસ વગેરે દુ:ખો કેવળ દેહનાં છે, આત્માને એવાં દુખો સ્પર્શી પણ શકતાં નથી!’

પૉઝીટીવ થીન્કીંગનો ઉપદેશ આપનારા તે મહાત્માને સભામાંથી એક વ્યક્તી પણ એવો સવાલ પુછવાની હીમ્મત કરતી નહોતી કે બાપજી! તમે આ સંસારને પૉઝીટીવ થીન્કીંગથી સમજવાની સહેજે કોશીશ કરી હતી ખરી? જે માતા–પીતાએ તમને આ પૃથ્વી પર પેદા કર્યા અને તમે નાના હતા ત્યારે તમારાં બાળોતીયાં ધોયાં, તમને સ્તનપાન કરાવ્યું, તમને ઉછેરીને મોટા કર્યા એ માતા–પીતાને તમે શા માટે છોડી દીધાં? સગાં–સ્વજનો અને મીત્રોના સમ્બન્ધમાંથી તમને સ્વાર્થની બદબુ આવી એટલે એ છોડીને તમે ગુરુ–શીષ્ય અને ભક્તોના સમ્બન્ધો ઉભા કર્યા. તમારી પાસે પૉઝીટીવ થીન્કીંગનો એક છાંટો પણ હોત તો તમે લાગણીથી તરબતર થઈ શક્યા હોત અને તાજગીભર્યું જીવન જીવી શક્યા હોત. તમારે નોકરી–વ્યવસાય ન કરવાં પડે એટલે ત્યાગી–વૈરાગી બનીને બીજાના પુરુષાર્થનું રળેલું ખાવાનું અને પહેરવાનું સ્વીકારી લીધું. શું તમને નથી લાગતું કે આ બધું છળકપટ તમારા નેગેટીવ થીન્કીંગનું વરવું પરીણામ છે? તમારી પાસે પૉઝીટીવ થીન્કીંગ હોત તો સંસારને અને સમાજને ત્યાગવાની નોબત જ ન આવી હોત ને? સ્થુળ દુ:ખોથીયે ડરી જનારા તમે કાયર તો નથી ને? તમે તો રણમેદાન છોડીને ભાગી ગયેલા છો. તમારાં કર્તવ્યો અને ફરજો બાબતે તમે કદી તટસ્થ ભાવે ખાનગીમાં વીચાર્યું છે ખરું? જે જગત તમારી પ્રાથમીક સગવડો પુરી પાડે છે એને મીથ્યા કહેવા પાછળ તમારું કયું પૉઝીટીવ થીન્કીંગ છે?

બાપજી સામે ઑડીયન્સ કંઈ જ બોલતું નથી, એટલે બાપજી હીરો બનીને જુઠાણાં ચરકતા રહે છે. કેટલાક શ્રોતાઓ મનમાં તો બધું સમજતા હોય છે; પરંતુ વ્યર્થ વીવાદથી વેગળા રહેવાનું પસન્દ કરીને ચુપ રહે છે. આપણને ઘેર પહોંચતાં સહેજ મોડું થાય; તોય આપણી માતા કે પત્ની કેવી બેબાકળી થઈ ઉઠે છે! મૃત્યુ પામેલી વ્યક્તીના બેસણામાં આવતા સેંકડો લોકોને કયો સ્વાર્થ હોય છે? અજાણી વ્યક્તીને બસ કે ટ્રેનમાં પોતાની સીટ આપવાની ઉત્સુકતા બતાવનાર વ્યક્તીને સ્વાર્થી કહેતાં આપણી જીભ કેમ ઉપડે? અનાથાશ્રમો, પુસ્તકાલયો, ઘરડાંઘર, ચબુતરા, પાંજરાપોળો વગેરે સંસ્થાઓને પોષતા લોકોને આપણે સન્ત–મહાત્મા કરતાં પવીત્ર ન સમજીએ તો એ આપણી નાદાનીયત અને નફ્ફટાઈ છે.

જ્ઞાનની બડી–બડી વાતો કરીને, દેહ અને આત્માને જુદા પાડતા કહેવાતા જ્ઞાનીને વ્યાખ્યાન આપવા માટે સરસ સીંહાસન તો જોઈએ જ છે. તે જ્ઞાની મહાત્મા કેમ પોતાના દેહને કશું કષ્ટ આપતા નથી? ઉપદેશમાં તો તેઓ કહે છે કે નામનો પણ મોહ ન રાખવો જોઈએ; પરન્તુ હકીકતમાં તે પાખંડીઓ, પોતાના નામને ‘આત્મજ્ઞાની’, ‘દીક્ષા દાનેશ્વરી’, ‘તીર્થોદ્વારક’, ‘યુવા સમ્રાટ’, ‘પ્રાત:સ્મરણીય’ જેવાં વાહીયાત વીશેષણોથી સતત સજાવતા રહે છે. પોતાના નામની પાછળ ‘ભગવન્ત’, ‘દેવ’, ‘દેવેશજેવાં પુંછડાં ચોંટાડ્યા વગર તેમને કેમ ચેન પડતું નથી? શું આપણું એકલાનું જ નામ મીથ્યા હોય છે? તેમનું નામ શાશ્વત હોય છે?

કોઈ વેશ્યા આપણને બ્રહ્મચર્યનો ઉપદેશ આપે તો કેવું લાગે? દરીયો આપણને ખારાશ ન રાખવાનો બોધ આપે તો કેવું લાગે? કોઈ વીંછી આપણને ડંખ નહીં મારવાની શીખામણ આપે તો કેવું લાગે? માત્ર અને માત્ર નેગેટીવ અને સંકુચીત સોચના કારણે જેણે સંસાર અને સમ્બન્ધોનો (કહેવાતો) ત્યાગ કર્યો હોય એવા લોકો આપણને પૉઝીટીવ થીન્કીંગની પ્રેરણા આપવા માટેની શીબીરો યોજવાનાં ત્રાગાં કરે તો આપણને કેવું લાગે?

જ્ઞાનના નામે ભ્રાન્તીઓમાં ભટકાવતાં જુઠાણાંની આરપારનું સત્ય સૌને સમજાય તો નો પ્રૉબ્લેમ.

–રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (શનીવાર સ્પેશ્યલ, 17 ઓગસ્ટ, 2013ની)માં પ્રગટ થયેલી એમની  લોકપ્રીય કટારનો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ‘ઈસુ’ https://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 1612–2016

 

29 Comments

  1. આપણ ને આપણા માં-બાપ ની કદી મેહનત થી માનવ જીવન પ્રાપ્ત થયું છે તો એને એક માનવી તરીકે જીવ વું જરૂરી છે પરાન્તય આપણે આપનય જીવન ઘેંટા-બકરા જેવું જીવીયે છીએ જયા કોઈ ભરવાડ ગુરુ તરીકે આપણા જીવન માં આવે અને આપણું ગાલલુ ચલાવે…..
    પોઝિટિવએ થીંકીંગ મહત્વ નું છે જીવન માં પરંતુ એ આપણી અંદર થી થવું જોઈ એ નહિ કે કોઈ ઢોંગી ના બોલ થી…
    રોહિતભાઈ ની વાત એકદમ સાચી… આપણે ” ડાહી નાતરે જાય અને ગાંડી ને શિખામણ આપે”

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      ‘દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  2. મિત્રો,
    પોઝીટીવ થીંકીંગ અને નીગેટીવ થીંકીંગ બન્ને અંગ્રેજી શબ્દો છે. આ બન્ને શબ્દોની વ્યાખ્યા અને તેના ઉપયોગ વિશેની વિગતો પહેલાં સમજવી પડે. જે હેતુથી રોહિતભાઇઅે પોઝીટીવ થીંકીંગ શબ્દનો ઉપયોગ કર્યો તે મને થોડો જચ્યો નહિં.સરસ દાખલો છે. જંગલમાં તમે સિંહની સામે આવી જાઓ….તો તમે શું વિચારો ? તમારે જાતને બચાવવાની છે. દોડવા માંડશો? બાજુમાંના ઝાડ ઉપર ચઢી જશો? ઝાડ પર ચઢવા શાનો ઉપયોગ કરશો? પાંદડાનો કે બાજુમાં પડેલી ઝાડની ડાળીનો? અહિ સ્થિર ચીત્તે તમારે સફળતા પામવાના વિચારો કરવા રહ્યા…તેને પોઝીટીવ થીંકીંગ કહેવાય…..અંગ્રેજીમાં સરસ વાત કહી છે…Positive thinking gives you positive thoughts, build your skills, boosts your health & improves your work.” Also there is a small quote which explains Positive thinking …method…it is helpful….” Follow your heart but take your brain with you.”
    રોહિતભાઇઅે સાઘુડાઓ અને મહાત્માની વાતો કરી. તેઓના સાઘુ બનવા પાછળની તેમની નીગેટીવ થીંકીંગની વાતો કરી….અને સાથે સાથે….બુઘ્ઘિને ભાડે આપીને જીવતાં ઘેંટાઓની વાતો કરી. મુરખ માનવીને મુરખ બતાવવા બીચારા ઘેંટાને અેક્ઝામ્પલ બનાવવામાં પણ અન્યાય છે. મારું તો માનવું છે કે લાખોની સંખ્યામાં મળી રહેતાં મુરખોની મુરખાઇનો લાભ લેનાર સાઘુ કે મહાત્મા બનેલો માણસ પોતે સ્માર્ટ છે. તેને ખબર છે કે મુરખોને કેવી રીતે મુરખ બનાવી ને દોહી લેવાય. તે સાઘુડાઓ કે મહાત્માઓને તે સ્થાન અાપનાર લોકોને જ કશુરવાર સમજવા રહ્યા. તેવી જ રીતે ગુંડાઓ પણ લાભો લે છે. હ્યુમન સાયકોલોજી અહિં કામ કરે છે.સરસ વાત કહી છે સુરેન ઠાકરે, ‘ દુનિયા જરુર પૂજતે અમને ઝુકી ઝુકી, અફસોસ કે ખરાબ થતાં આવડ્યું નહિ.‘ અને બીજા કોઇઅે કહેલું કે‘ આવારગી છોડ દી હમને તો લોગ ભૂલને લગે હૈ, વરના શોહરત કદમ ચૂમતીથી જબ હમ બદનામ હુઆ કરતે થે.‘ ચિત્રલેખા ફિલ્મનું આ ગીત કેટલું સચોટ છે કે જે રોહિતભાઇનું કહેવું સરસ રીતે સમજાવે છે..રણમેદાન છોડીને ભાગનાર કદાચ સમજીને ભગવા પહેરનાર લુચ્ચાઓ પણ હોય…છતાં….‘ સંસાર સે ભાગે ફીરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે ? ઇસ લોગ કો ભી અપના ના શકે, ઉસ લોગ મેં ભી પસ્તાઓગે….( પુરુ ગીત જરુરથી વાંચવા વિનંતિ.)
    પતિ, પત્નિ અેક નિર્ણય લેવા માટે પોત પોતાના વિચારો અેકબીજાને કહે. જે રસ્તે કુટુંબને ફાયદો થતો હોય તેને સમજીને પછી તેને વઘુ વિચારીને કામમાં લેવા કરતાં તે રસ્તામાં ક્યા કયા નુકસાન આવી શકે તેની ઉપર ભાર દેવો તે નીગેટીવ થીંકીંગ થયું કહેવાય…..
    વિષયની વિગતો સાથે કદાચ હેડીંગ બંઘબેસતું નથી આવતું. આ મારા વિચારો છે અને તે દરેકના વિચારો સાથે સહમત ના પણ હોય. કદાચ આ મારા વિચારો ‘ નીગેટીવ થીંકીંગ‘ પણ હોય.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. yup. This is new age/Watsapp/Facebook BS everyone has become philosophers by forwarding such always positive crap! There is nothing like good or bad always or +ve or -ve always… it depends on who is looking at the situation. All the these saints and maharajs are now becoem addicts of facebook, watsapp and Telegram and continue this BS!!
    I feel sorry for the people who can not see the reality as it is!
    Thanks for sharing.
    Nikhil

    Liked by 1 person

  4. સરસ વિચારવા લાયક લેખ.

    જો આચરણ ના હોય તો માત્ર ઉપદેશ એ પોથીમાંનાં રિંગણા બરાબર છે.

    Liked by 2 people

  5. પ્રિય ગોવિંદભાઇ મારું,
    શ્રી રોહીત શાહનો લેખ સમજવા જેવો છે.

    समंदरको मीठा करना है करे अहम केकिन
    इससे भी अहम तर है अपनेको मयह करना ।

    Liked by 2 people

  6. રોહિતભાઈના લેખમાં નહિ પણ થોડો મારામાં વાંધો છે. આ બ્લોગમાં કાયમ લખાતી વાતની જ પાવભાજી બનાવી છે.

    ન્યુઝ પેપરને માટે આ લેખ ઉતાવળમાં લખી નાંખ્યો હોય એવું લાગે છે. સ્પષ્ટ વિચારોને બદલે મંચ પર બેસીને ઉપદેશ આપતા ને ઝૂડી નાંખવામાં લેખનો ધ્યેય બેસ્વાદ બની ગયો હોય એવું લાગ્યું. જોકે એમાં પણ મારી જીભ અને મારી સમજ શક્તિનો વાંધો.

    એ બાપુ કોણ હતો? ક્યારે અને ક્યાં બોલ્યો? તો બીજી વખત એના પ્રવચનમાં જઈને એને ચેલેન્જ કરી શકાતે. અથવા એને અભિવ્યક્તિના મંચ પર આમંત્રિત કરીને આપણે આપણા વિચારોથી એના માનસ પરિવર્તન કરતે તો સમાજને વધુ ફાયદો થતે.

    મારું અંગત માનવું એવું છે કે કોઈ એક બાવો એક લાખ માણસને મંત્રમુગ્ધ કરી શક્તો હોય તો તેને ચર્ચાના મંચ પર હાજર કરી, ચર્ચા કરી, સત્ય સમજાવી; જો એ બાવાને આપણી રીતે બદલી શકીયે તો લાખ્ખો નહિ તો હજારો માણસો ભ્રમિત વિચારોથી બચી જાય.

    અભિવ્યક્તિ એક પ્રસિધ્ધ મંચ છે. સારું કામ કરે છે. હું નિયમિત રીતે ફોલો કરું છું. ગું તો અડધી સદીથી દેશ બહાર છું; અને અહિ આવતા નામાંકિત બાવાઓના લફરામાં પડ્યો નથી. પણ નામાંકિત રેશનાલિસ્ટ કોલમિસ્ટો જ્યારે એકની એક બીબાઢાળ રજુઆત કરે અને બ્લોગ ફોલો કરતા એકના એક મિત્રો પ્રશસ્તિ કરે એથી એની જે અસર પ્રસરતી નથી પણ ચોક્કસ વર્ગના રેશનાલિસ્ટ મિત્રો પૂરતી જ સિમિત રહી જાય છે. જાણે ટ્રેડમિલ પરના મુસાફર બનતા જઈએ છે.
    મિત્રો, એક વાર વિચારો કે રોહિતભાઈ એવું તો શું કહ્યું કે જે તમે જાણતા ન હતા.

    સાચો માર્ગતો લોકોને જ નહી પણ બાવાઓને સુધારવાનો છે.

    Liked by 3 people

  7. રોહિતભાઈ ને જાણ થઇ કે આજે પોઝિટિવિટી ના વ્યાખ્યાન ની માટે એક ઇન્ડુસટ્રી ઉભી થઇ ગયી છે , જેને ધાર્મિકતા સાથે સ્નાન સૂતક નો સંબંધ નથી

    પોઝિટિવિટી ને સાંસારિક સંબધો થી કશું લાગતું વળગતું નથી , નહિ તો આટલી દીકરી ઓ પરની ને સાસરે જઈ ને જ કેમ આત્મહત્યા કરતી હોત , દહેજ સંબંધી આટલા કાયદા હોવા છતાં કેમ ઘેર ઘેર હજીય અનેક સ્વરૂપ માં માંગણી ઓ મુકાય છે.

    અને આજ પોઝિટિવિટી નું નવઉ ક્ષેત્ર એટલે ખુલ્યું છે કે નવી પેઠી કોઈ પણ ક્ષેત્રે જરાક પણ હાર મળે એટલે સિંઘ આત્મહત્યા ના અને ડ્રગ્સ ના અવળા માર્ગે ચડતા રોકી શકાય

    રહી વાત મહાત્મા ના ઉપદેશ ની સરખામણી વેશ્યા ના ઉપદેશ સાથે કરવાની ,
    તો ખરી વાત વેશ્યા આપણને બ્રહ્મચર્ય ના ઉપદેશ નાજ આપે, પણ આતો એવા મહાત્માઓ છે જે બાર બાર વર્ષો સુધી વેશ્યા ના ઘરે રહી અકિંચન બ્રહ્મચર્ય પાલી ને , વેશ્યા ને પણ નરક માંથી ઉગારે છે.

    તમને આ ઉંમરે પણ હજુ સાચા સાધુ ને ભેટો નથી થયો, બલ્કે અન્ય સમાંજો ના બાબાઓ ના જ ચક્કર કાપ્યા લાગે છે.

    Like

  8. લેખ પસંદ કર્યો પણ પ્રવિણભાઈ અને અમુલભાઈની કોમેન્ટ વાંચીને…
    પોઝીટીવ અને નેગેટીવ થીન્કીંગ એ ચવાઈ ગયેલી વાત માટે યોગ્ય નથી

    Liked by 2 people

  9. મિત્રો,
    સરસ ચર્ચા ચાલે છે. દરિાની ખારસ અને વેશ્યાની વૈશ્ય તરીકેની કબુલાત તો …..?????
    કોઇક જગ્યાઅે વાંચેલું યાદ આવી ગયું…‘ હું કોણ છું અને કેવો છું તે કબુલ કરવું તે જ્ઞાન છે. ‘
    લાખોને બદલવા કરતાં….માટે સરસ ક્વોટ છે. ‘ જો શાંતિથી જીવવું હોય તો બીજાને બદલવા કરતાં પોતાની જાતને બદલો…..કાંકરાથી બચવા ચપ્પલ પહેરવા જોઇઅે, આખા ગામમાં જાજમ ના પથરાય.‘
    અહિ અેક સુઘારો સુચવું છું…લાખો ફોલોઅર્સને સુઘારવાનુ મહાભારત ખેલવાં કરતાં અેક બે સાઘુડાઓ ને બદલવા જોઇઅે………
    Someone said, ” Never underestimate the power of stupid people in large group.”

    સિનિયર્સ….ઘરડાં નથી કહેતો…..સિનિયર્સને માટે નિગેટીવ થીંકીંગનો અેક દાખલો અાપુ…..‘ કોણ રે બાંઘે અમને તોરણે ? અમે પાનખરનાં પીળાં પાન.‘ પોતે જાતે આવાં વિચારો કરીને મરેલાંની જીંદગી જીવી રહ્યા હોય તેવું નથી લાગતું ? કેમ સામાજીક સેવા હાથે લઇને ેક્ટીવ લાઇફ જીવવાનાં વિચારો નથી કરતાં ?
    ઘણા ઘણા બીજા વિચારો છે…ફરી કોઇવાર….
    આ ચર્ચામાં અેક્ટીવ ભાગ લઇને અેટલીસ્ટ હું તો પોઝીટીવ થીંકીંગ કરું છું તેનો મને અાનંદ છે…..બીજી ઘણી અેક્ટીવીટીઓ કરું છું જેના થકી જરુરીઆતમંદોને મદદ મળી રહે છે……( મારા ગુણ ગાવા નથી લખ્યુ…દાખલો આપ્યો છે.)
    અમૃત હઝારી.

    Liked by 2 people

  10. પ્રિય ગોવિંદભાઇ મારુ
    શ્રી રોહિત શાહનો લેખ બહુ સમજવા જેવો હતો .
    समंदरको मीठा करना है कारे अहम लेकिन
    इससे भी अहम तर है अपने आपको मीठा करना “आता “

    Liked by 1 person

  11. Friends,
    Recently I received a “Whatsapp” I think it is good to share with you all….It is related to our discussion……here….
    ઓશો સે કીસીને પૂછા…‘ રાજનૈતિક લુચ્ચો.. લફંગો સે દેશ કો છુટકારા કબ મિલેગા ?
    ઓશોને જવાબ દિયા….‘ બહુત કઠીન હૈ….ક્યોંકિ પ્રશ્ન રાજનેતાઓસે છુટકારેકા નહિ હૈ, પ્રશ્ન તો તુમ્હારે અજ્ઞાન કો મિટને કા હૈ, તુમ જબ તક અજ્ઞાની હો, કોઇ ન કોઇ તુમ્હારા શોષણ કરતા રહેગા, કોઇ ન કોઇ તુમ્હે ચૂસેગા….પંડિત ચૂસેંગે, પુરોહિત ચૂસેંગે, મૌલાના ચૂસેંગે, રાજનેતા ચૂસેંગે,…તુમ જબ તક જાગ્રત નહિ હોંગે, તબ તક લુટોગે હી. ફીર કિસને લૂટા, ક્યા ફરક પડતા હૈ? કીસ ઝંડેકી આડમેં લૂટે, ક્યા ફરક પડતા હૈ….સમાજવાદીઓંસે લુટે કી સામ્યવાદીઓંસે….ક્યા ફરક પડતા હૈ…તુમ લુટોગે હી…બસ લુટેરોંકે નામ હી બદલતે રહેંગે.ઓર તુમ લુટતે રહોગે…યહ મત પૂછો કી રાજનીતિક લુચ્ચો.. લફંગોસે દેશ કો છુટકારા કબ મિલેગા, યહ પ્રશ્ન અર્થહિન હૈ. યહ પૂછો કિ મૈં કબ ઇતના જાગ સકુંગા કી જુઠ કો જુઠકી તરહ પહચાન શકું અૌર જબ તક સારી મનુષ્ય જાતિ જુઠ કો જુઠ કી ભાંતિ નહિ પહચાનતી, તબ તક છુટકારે કા કોઇ ઉપાય નહિ હૈ !…ઓશો.
    ઉત્તર ભારતની અેક લોકોક્તિ છે…..
    ‘ભગત જગત કો ઠગત હૈ, ભગતહિં ઠગૈં સો સંત, જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત…‘
    અને…કોઇ ગુજરાતી કહી ગયેલા કે….
    ‘ ચહેરા જોઇને માણસ ઓળખવાની કળા હતી, સાહેબ, તકલીફ તો અે પડી, માણસો પાસે ઘણા ચહેરા હતાં‘
    બાકી તો દરેક વિચારક પોતાની જીંદગીના અનુભવોની આંગળી પકડીને ચાલતા હોય છે….દરેકને પોતાના વિચારો યોગ્ય લાગે છે….
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. વહાલા વીનોદભાઈ,
      લેખકમીત્ર શ્રી. રોહીત શાહનો લેખ ‘દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  12. લોકોની ખેરાત કે મહેનત મજુરી પર જીવતા સંતો મહંતો ધર્મ ધુરર્ન્ધરો કે કથાકારો પણ રામયણ મહાભારત કે ધર્મની એકની એક વાતો સદીઓથી કહેતા જ આવ્યા છે !!!!
    જ્યારે રેશના લીસ્તોએ જનજાગૃતિના અભિયાનને વેગ આપવાનું તો માત્ર ૨૦-૨૫ વર્ષથી શરુ કર્યું છે. જેમાં સાચા રેશના લીસ્તો પણ ગણ્યા ગાંઠ્યા .જેથી ગેર માન્યતા કે અંધશ્રધ્ધાનિ જડને લઘુમતીમાં લાવતા કે નેસ્તનાબુદ કરતા કદાચ દાયકાના દાયકાઓ નીકળી જશે. જેથી
    એકની એક વાત દોહરાવતા રહેવામાં ક્સું જ ખોટું નથી. કારણકે આવા વિચારો કે અનુભવો વાંચનારો વર્ગ ઉમેરવા એ મુજબનો દોર ચાલુ જ રાખવો રહ્યો એવી નમ્ર અરજ સહિતજ .

    Liked by 2 people

Leave a comment