Join 1,288 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---
૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
It is very true. I fully agree with author. Thanks for such a good article.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
Khub saras lekh aabhar Govindbhai ane B M Dave banneno.
LikeLiked by 1 person
Friends,
Wish you all ,Happy holidays, Merry Christmas and Happy New Year..2017…
અેક સમય અેવો હતો કે જ્યારે ભારતમાં અેક અેવી માન્યતા ચાલતી હતી કે અમેરિકા અેટલે સ્વર્ગભૂમિ. કોઇના ઘરે કામ કરવાવાળી પણ કારમાં જાય…. પૈસા જ પૈસા…. આ અેક ભ્રમની દશા અને તેમાં રાચતો માણસ ‘ ભ્રમિત‘ માણસ. રીયાલીટી તેની માન્યતાથી કાંઇક જુદી જ હોય. હકીકતમાં ખૂબ મહેનત અને માનસિક ભાર હેઠળ જીવવાનું અમેરિકામાં છે.
Illusion is the English word & the meaning explained, says…” something that deceives by producing a false or misleading impression of reality.” It is ” concept of sensation & perception.” ” A thing that is or is likely to be wrongly perceived or interpreted by senses.”
મારા વિચારો….‘ સત્ય જાણતા હોઇઅે અથવા સત્ય બહાર પડી જશે તેની બીક ની સામે, પોતાની જાતને છેતરીને જીવવું અેટલે ભ્રમમાં જીવવું… ભ્રમિત થઇને જીવવું…‘
ભ્રમિત અેટલે… Deluded….. આ આખો વિષય સાયકોલોજીનો છે.
ખૂબ સરસ નિબંઘ દવે સાહેબે લખ્યો છે. સમાજને આવા લેખોની જરુરત છે જે તેમના ભ્રમો ભાંગે અને વિચાર કરવાનું શીખવે. સાચા, ખોટાને પરખવાનું શીખવે. આ પરખ ત્યારે જ આવે કે જ્યારે જે દુનિયામાં તેઓ જીવી રહ્યા છે તેનો તેમને પુરે પુરો ખ્યાલ હોય… તેનું પુરે પુરું નોલેજ કે જ્ઞાન હોય. વિજ્ઞાને કરેલી પ્રગતિના પરિણામોને તો તેઓ રોજીંદા વહેવારમાં વાપરે છે પરંતું તે જ્ઞાન કેવી રીતે મેળવાયું તેનું જ્ઞાન પણ તેઓને હોવું જરુરી છે. અપડેટેડ નોલેજ જો હશે તો જરુરથી ભ્રમ નહિ હોય અને ભ્રમિત નહિ હોય…. અજ્ઞાન જ દરેક મીસકન્સેપ્ટનું મૂળ છે.
અપડેટેડ નોલેજ… જ્ઞાન… જીવનના ઘણા પ્રશ્નોના ઉકેલ લાવી આપી શકે છે.
પરંતુ હવનમાં અેક હાડકું નડે છે અને તે… ભણેલાઓ પણ અંઘશ્રઘ્ઘાના શીકાર હોય અને તે કબુલ કરવા માનતા ના હોય…. ભણેલા હોય પરંતું ગણેલા ના હોય…. ભ્રમિત હોય….
ભ્રમમાં જીવતો પોતાનો વિનાશ પોતે જ બોલાવતો હોય છે..નોતરતો હોય છે…. તે સનાતન સત્ય છે.
દવે સાહેબ અને ગોવિંદભાઇને અભિનંદન અને તેમનો આભાર… આ નિબંઘ અભિવ્યક્ત કરવા માટે.
અમૃત હઝારી.
LikeLiked by 3 people
કેટલાક ભ્રમ ફાયદાકારક પણ હોય છે. સીનેમામાં પડદા ઉપર એક સેકન્ડમાં 24 ચીત્રો પડે છે. દરેક ચીત્ર આગળના ચીત્ર કરતાં થોડું જુદું પણ તદ્દન સ્થીર હોય છે. આમ છતાં હલન-ચલનનો ભાસ થાય છે. આ ભ્રમ ફાયદાકારક છે. માળા ફેરવતા ભક્તને પણ જો શાન્તીનો અનુભવ થતો હોય તો તે ‘ભ્રમ’ પણ તેને માટે ફાયદાકારક છે.
રોગ જાણવાની અનીચ્છા એ ભ્રમ નથી પણ બીકને કારણે ઉભી થયેલી પલાયનવૃત્તી છે.
LikeLiked by 1 person
Nice article ! Liked the writing of Shree Vikram Dalal
LikeLiked by 1 person
ખુબ સરસ લેખ. હાર્દીક ધન્યવાદ ભાઈ શ્રી. બી.એમ. દવેને તથા આભાર ગોવીંદભાઈ આપનો આ સુંદર લેખ વાંચવાની તક પુરી પાડવા માટે.
LikeLiked by 1 person
ખુબ સરસ અને વાસ્તવલક્ષી લેખ. આપણને બધાને ક્યાંક ને ક્યાંક તો લાગૂ પડે જ છે.
અભિનંદન.
નવીન બેન્કર
LikeLiked by 1 person
भ्रम भी लावारिस बच्चे की तरह होते है पालता नही कोई पल जाते है !!
LikeLiked by 1 person
શ્રી બી એમ દવે નો હું ઘણો આભાર માનું છું તેના સરસ લેખ બદલ અને આવા મને ખુબ ગમે એવા લેખો પીરસવા બદલ શ્રી ગોવિંદ ભાઈ મારૂનો પણ હું ઘણો આભાર માનું છું .
મને એક વાત કરવાની ઈચ્છા થઇ આવી , જે હું લખું છું . હું 95 વર્ષ અને 8 મહિનાની ઉંમર ભોગવી ચુકેલી વ્યક્તિ છું . દસ મહિના પહેલાં સિમેન્ટ કોંક્રેટ ઉપર પડી જવાના કારણે મારુ hip નું હાડકું ભાંગી ગયું . જે થી મારે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું .અહીં મારું ડોક્ટરે ઓપરેશન કર્યું અને બનાવટી હાડકી ખોસી દીધું . આ પછી હું વોકરની મદદથી ચાલતો થઇ ગયો . આ પહેલાં મેં નવી જમીન ખોદીને શાકભાજી વાવેલી ( હું અમેરિકામાં 47 વર્ષથી રહું છું , ) મને કેટલીક વખત વાસી ખોરાક કે એવું કશુંક ખાવાથી મને ઝાડા ઉલ્ટી થઇ જાય આ વખતે હું સખત અશક્ત થઇ ગયો હોઉં છું . પણ પછી અર્ધી કલાકમાં પૂર્વવત થઇ જાઉં છું . મેં મારા સગા સબંધીઓને કહી રાખ્યું છે કે મારી આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ગભરાય જઈને મને હોસ્પિટલ ભેગો ન કરવો . હું નિયમિત સિનિયર સેન્ટરમાં જાઉં છું . એક વખત મને બેચેની વર્તાવા લાગી એવા કોઈક ખોરાક ખાવાના કારણે . હું એકલોજ ઘરમાં રહું છું . મારા દિકરાઓ વગેરે સ્નેહીઓ થી હું બે હજાર માઈલ જેટલો દૂર રહું છું . મને બેચેની વર્તાતી હતી . તે છતાં ઘરે આરામ કરવા કરતાં સેન્ટરમાં જાઉં તો લોકોને મળવાથી મારી બેચેની દૂર થઇ જશે . એવા વિચારથી હું સેન્ટરમાં ગયો . નાસ્તો કર્યો . અને પછી લોકો સાથે વાતો ચિતો કરી . થોડી વારમાં મને ઝાડા ઉલ્ટી થયા . મેં લાગતા વળગતા અધિકારીઓને કહ્યું . મને થોડોક આરામ કરવા દ્યો , મારા કપડાં બદલાવી નાખો અથવા મને મારા ઘર ભે ગો કરો . આ લોકો શા માટે આવી જવાબદારી લ્યે ન કરે નારાયણ અને મને કશું થઇ જાય તો એ લોકોને પોતાની નોકરી ગુમાવવી પડે , એટલે મને એમ્બ્યુલન્સ મગાવી તાત્કાલિક હોસ્પિટલ ભેગો કર્યો . એમ્બ્યુલન્સમાં હતો ત્યારે મને ઠીક થવા લાગ્યું હતું . મને એમ્બ્યુલન્સ વાળા ઘડી ઘડી પૂછતાં હતા , કે તમે હાલ ક્યાં છો એની તમને ખબર છે / મેં કીધું હું બિલકુલ સ્વસ્થ છું મને જો ઘર ભેગો કરવામાં આવે તો હું જાતે સ્નાન કરીને કપડા બદલી શકું એમ છું . પણ એ લોકોની ડ્યુટી મને હોસ્પિટલ ભેગો કરવાની છે . હોસ્પિટલમાં ડોક્ટરોએ મને હાર્ટ એટેક આવ્યો છે એવું નિદાન કર્યું . અને ઓપરેશન કર્યું . જોકે ઓપન હાર્ટ સર્જરી નહીં . ડોક્ટરોને ઓપરેશન કરવા ના ઘણા પૈસા મળતા હોય છે . આવાં ખોટા ઓપરેશન થતા હોય છે , એવું છાપામાં ઘણી વખત આવતું હોય છે . અને આવા કારણો સાર ,
હું ડોક્ટરથી , દવાથી , અને હોસ્પિટલથી દૂર રહેવાનું પસંદ કરું છું . આ એકજ દાખલો નથી . એક વખત મને મારા પેટના દુ :ખાવાના કારણે મારો પૌત્ર ( તે વખતે પૌત્ર મારે ઘરે હતો ) મારી ઈચ્છા ન હોવા છતાં મને હોસ્પિટલ ભેગો કર્યો . મને ડોક્ટરોએ કીધું તમારા પેટમાં સ્પેશિયલ કેમેરો ઘાલી તપાસ કરવી પડશે અને આ માટે તમને બેભાન કરવા પડશે મને બેભાન કર્યો . ડોક્ટર કે જે સ્ત્રી હતી . . એણે મારા પૌત્રને કીધું કે તારા દાદાનું ઓપરેશન કરવું પડશે અને આ માટે પરમિશન લેવી પડે કેમકે દાદા બેભાન છે એટલે તે પરમિશન ન આપી શકે . અને તું પૌત્ર છે . એટલે તું પણ પરમિશન ન આપી શકે તારો બાપ આપી શકે . મારો દીકરો બે હજાર માઈલ દૂર દીકરાને ફોન કર્યો , અને ડોક્ટરે કીધું કે જો તારા બાપનું ઓપરેશન નહીં કરવામાં આવે તો તે દસ મિનિટમાં મૃત્યુ પામશે દીકરે ઓપરેશન કરવાની હા પાડી અને ડોકટરે ઓપરેશન કર્યું 12 દિવસ , હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આવ્યો . એક મહિના પછી ડોક્ટરે મને પોતાની ઓફિસે ફરી તપાસ કરવા માટે બોલાવ્યો . હું ગયો , મને તપાસ્યો બધું બરાબર છે . એમ કીધું અને એક મહિના પછી ફરી આવવાનું કીધું . મેં કીધું તારાં લગ્ન થઇ ગયાં છે . ?
મારો આવો વિચિત્ર સવાલ સાંભળી ડોક્ટર હસી પડી , પણ નર્સ બોલી લગ્ન કરવાનો વિચાર થઇ થઇ જાય છે કે શું ? મેં મારા મનમાં કીધું આવી જીવતા માણસના કાળજા વાઢી નાખે એવી કરાફાટ બાયડી સાથે લગ્ન કરવા માટે મારો દિ માઠો નથી બેઠો ? પછી મેં જાહેરમાં કીધું કે . મેં લગ્ન બાબત એટલા માટે કીધું કે જો એ મને કંકોત્રી લખે તો હું લગ્નમાં આવું બાકી ડોક્ટર તરીકે હું એને મળવા માગતો નથી . મારો ભ્રમ ગણો કે જે ગણો એ .
खुदा बचाए हकिमोसे वकीलोसे हमे
बचा दे और बे वफाओँकी जफाओँसे हमे .
LikeLiked by 1 person
મિત્રો,
ગઇકાલે રાતે ચાણક્યસૂત્ર નામની બુક વાંચતો હતો. સંપાદક : રમેશ દેસાઇ. ચાણક્ય.,..કૌટિલ્ય..વિષ્ણુગુપ્ત , વાત્સયાયન, મલ્લનાગ, દ્રમિલ, પક્ષિલસ્વામી, અંગલ જેવા જુદા જુદા નામોથી પ્રસિઘ્ઘ આ ચાણકપૂત્રના લગભગ ૫૦૦ જેટલાં સૂત્રોમા મને અેક સૂત્ર આપણા આજના વિષયને લગતું લાગ્યું. શેર કરવાનો મોહ ટાળી ન શક્યો…..
યાવચ્છત્રોશિચંન્દ્ર પશ્યતિ
તાબદ્ઘસ્તેન વા સ્કન્ઘેન વાવાહ્ય :
‘ શત્રુની દુર્બળતાનો તાગ મળે ત્યાં સુઘી અેને મિત્રતાના ભ્રમમાં રાખો.‘
વિગતે : વ્યક્તિમાં અેવી કેટલીક કમજોરીઓ હોય છે, જેનાથી અેને સરળતાથી ખતમ કરી શકાય છે. આથી, જ્યાં સુઘી શત્રુની દુર્બળતાઓનો તાગ ના મળે ત્યાં સુઘી અેના પ્રત્યે પ્રેમ, આદર દર્શાવી, અેને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઇઅે.
આ ચાણક્યનું પોલીટીક્સ કહે છે….શત્રુ, જે નથી ( મિત્રતા), તે ( મિત્રતા) , છે અેવા ભ્રમમાં જીવીને પોતાનો જીવ ગુમાવે છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ભીષ્મ પિતામહ જ્યારે બાણ શૈયા ઉપર હતા ત્યારે યુધિષ્ઠિરને એના પ્રશ્નના જવાબમાં કીધેલું કે જ્યાં સુધી તમે શત્રુને મારી નાખીને જમીન દોસ્ત ન કરી શકો એમ હો ત્યાં સુધી તેને છંછેડો નહીં; કે ધમકી આપો નહીં. અને શત્રુને મારી નાખ્યા પછી પણ જરાય ડમફાશ મારવી નહીં. ઉલટું એની સ્મશાન યાત્રામાં જવું અને રોવું; પણ અને તેના કુટુંબીજનોને આશ્વાસન પણ આપવું.
LikeLiked by 1 person
અેક હસવાની વાત યાદ આવી…..‘હમારા તુમારે પે ભરોસા થા ઘણા… ઓર ભરોસાની ભેસને પાડા જણા.’ભ્રમ…….
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Dukhati nas dabavi– Bilkul sachi vaat che.. Dhanyavad
LikeLiked by 1 person
પ્રિય અમૃત ભાઈ હઝારી
તમારું ચાણક્ય સૂત્ર મને ગમ્યું . એવા બીજા સૂત્રો મને મોકલવાની કૃપા કરજો મને આવું બહુ ગમે છે . તમારો હું આભાર માનું છું ,
LikeLiked by 1 person
Vital organs like heart, kidney, liver, brain has large reserve capacity and therefore patient only gets the symptoms when they are about 70% damaged, and unfortunately at that stage disease is too advance and difficult to cure or control, hence need for regular check up….
Bipin Desai
M. D.
LikeLiked by 1 person
અરે વાહ, મને લેખમાં તો મજા આવી જ પણ એના કરતાં યે વધારે મજા તો મળેલા પ્રતિભાવોમાં આવી.
ડાયાબીાટિઝ? આતો મારો પ્રિય દોસ્ત અને મનભાવન વર્ડ છે. છેલ્લા ૩૨ વર્ષથી અમે એકબીજાને રમાડ્યા કરીએ છીએ. અરે! હાર્ટ કિડની અને રેટીનોપેથીનું પણ એવું જ. છતાંયે મસ્તાન થઈને જીવું છું.
હવે ભ્રમની વાત. ભ્રમની સાથે જે નથી તેની કલ્પના ઉમેરો, લાઈફ સ્પાયસી બનશે. ફેન્ટસીનું પણ એક સુખ હોય છે. એ સુખને માણનાર આનંદથી જીવે છે. અને એમના આનંદથી રેશનાલિસ્ટ ગુરુઓને પરસેવો થાય છે. માન્યતાઓની પણ એક અનોખી દુનિયા હોય છે.
માત્ર એ ભ્રમ સ્વ સર્જીત હોવો જોઈએ. તો જ એમાં જીવવાનો આનંદ આવે. પારકાએ ભ્રમિત કરીને પિવડાવેલો ભ્રમ ના હોવો જોઈએ.
આ રેશનાલિસ્ટ વિચારધારાનો સરસ બ્લોગ છે. આત્મા પરમાત્મા, સ્વર્ગ, નર્ક, પાપ, પૂણ્ય. એ સર્વ ભ્રમ છે.
વાત ૧૦૦% નહિ ૧૦૦૦% સાચી છે. એમ છતાં માત્ર હિન્દુ ધર્મવાળા જ નહિ પણ જૂદા જૂદા ધર્મવાળા સત્ય સમજવા છતાં એ ભ્રમના કમ્ફર્ટ ઝોનમાં જીવે છે. જો એમના ભ્રમનો આનંદ અન્યને નુકશાન ન કરતો હોય તો અન્યોએ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે હું લોકોના ભ્રમ ભાંગવા જ જન્મ્યો છું.
ચાલો એક ભ્રમની કલ્પના કરીએ. મને કલ્પના કરવાનો રોગ છે.
આપણો સૂર્ય એક તારો અબજો તારાઓની એક આકાશ ગંગા. આવી અબજો આકાશગંગાઓ. અને એ પણ ચોક્કસરીતે ફરી રહી છે. આતો બધું વૈજ્ઞાનિકોએ શોધ્યું છે અને એમણે કહ્યું તે મેં વગર દલીલે માની લીધું છે, મેં કાંઈ જાતે જોયું નથી. ફાઈન. હવે એ વૈજ્ઞાનિક સત્યમાં હું એક મારી કલ્પના ઉમેરીદઉ. એ અબજો ગેલેક્ષીઓના ભ્રમણની વચ્ચે, બંસરી લઈને કનૈયો ઉભો છે. ભાઈ તમને શું નુકશાન છે. આનું નામ છે ભ્રમનો આનંદ.
લેખ કરતાં પ્રતિભાવ લાંબો ન થવો જોઈએ. અહિ જ અટકું છું.
ગોવિંદભાઈને અનુરોધ કે કોઈક વાર ISIS વાળા ને કેવીરીતે સુધારવા તેના આર્ટિકલ શોધીને મૂકોને! સાલાઓનો ત્રાસ ભારે છે.
LikeLiked by 1 person
સાચાને બદલે સારાને સાચું માની બેસવાની આ વૃત્તિને મનોવિજ્ઞાનની પરિભાષામાં ” બચાવ પ્રયુક્તિ તરીકે (Defense mechanism) ઓળખવામાં આવેછે. આ પ્રકારની શાહમૃગ વૃત્તિમાં વ્યક્તિ વાસ્તવિકતા અને સત્યની અવગણના કરીને પોતાની ગમતી રીતે પરિસ્થિતિનું અર્થઘટન કરી લેછે.
LikeLiked by 1 person
ગુરુ ગોતવા આતાએ બહુ ફાંફાં માર્યાં
મનના ગુરુએ ભ્રમણાઓ ભાંગીરે
સદ્ગુરુ એને નો મલ્યા રે જી…..ઈ
LikeLiked by 1 person
સત્યના પ્રકાશથી ભાંગતા ભ્રમના જાળાં દુઃખનો અનુભવ કરાવે છે કારણ કે તેના મૂળ મનમાં ઊંડા ઊતરી ચૂક્યા હોય છે. વળી દુઃખ કરતાં ય દુઃખની કલ્પના(ભ્રમ) વધુ દુઃખ આપે છે. જન્મ અને મૃત્યુ બંને કષ્ટદાયક હોવા છતાં મૃત્યુ અંગેના ભ્રામક વિચારોને કારણે આપણે મૃત્યુથી વધુ ગભરાઈએ છીએ. ભ્રમથી મળતું સુખ કાયમી નથી હોતું તે હકિકત જાણતા હોવા છતાં આપણે સુખના તલસાટને કારણે ક્ષણિક સુખ માટે જાણીજોઈને ભ્રમમાં રાચવાનું પસંદ કરીએ છીએ. કેટલીકવાર તો આપણો ભ્રમ તોડનારાથી આપણે દૂર રહેવાનું પસંદ કરીએ છીએ. રખેને આ ક્ષણભર મળેલ સુખ છીનવાઈ જાય !
LikeLiked by 1 person