જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?

જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?

– દીનેશ પાંચાલ

એક મીત્ર તેમની વાતો દરમીયાન હમ્મેશાં કહેતા રહેતા હોય છે : ‘અમારા ગુરુના આદેશને કારણે અમે આ નથી ખાતા અને તે નથી ખાતા!’ દોસ્તો, શું ખાવું ને શું ન ખાવું એ તત્ત્વતઃ વ્યક્તીસ્વાતન્ત્ર્યનો મુદ્દો છે. આપ શ્રદ્ધાળુ હશો તો બેશક આપને ઝાટકો લાગશે પણ એક વાત પુરી ગમ્ભીરતાથી કહેવી છે. મનુષ્યજીવનમાં ગુરુ કરવાની જ કોઈ જરુર હોતી નથી. જીવનનો અભ્યાસક્રમ એટલો અઘરો નથી કે તે માટે તમારે ગુરુનું ગાઈડન્સ મેળવવું પડે! તમારે બીસીડી…’ શીખવા માટે શીક્ષકની જરુર પડે; પણ ભણીગણીને એક જવાબદાર નાગરીક બની જાઓ પછી વાંચવા લખવા માટે તમને દર વખતે શીક્ષકની જરુર પડતી નથી. ચાલતા આવડી જાય પછી ચાલણગાડીની જરુર પડતી નથી. છતાં તમારે ગુરુ કરવા હોય તો ગુરુનું સરનામું નોંધી લો. કુદરતે ખાવા, પીવા અને બોલવા માટે મોઢું આપ્યું છે. વીચારવા માટે મગજ આપ્યું છે. સમજવા માટે બુદ્ધી આપી છે. તો વીચાર, બુદ્ધી અને સમજ એ જ તમારા અસલી ગુરુ છે! જેમ કે મોઢું આપ્યું છે તો તે વડે અન્ન ખાવું અને પાણી પીવું; પરન્તુ ગુટકા ન ખાવા કે લઠ્ઠો ન પીવો, એ સામાન્ય બુદ્ધીની વાત છે. બોલવા માટે જીભ આપી છે અને વીચારવા માટે બુદ્ધી આપી છે એથી મા સાથે કેમ બોલવું અને પત્ની સાથે કેમ બોલવું તે વીવેકબુદ્ધીથી માણસ નક્કી કરી શકે છે. એ માટે ગુરુ પર આધાર રાખવાની જરુર હોતી નથી. અમેરીકા, ઓસ્ટ્રેલીયા કે જાપાનમાં ક્યાં કોઈને ગુરુ હોય છે? આપણે મોક્ષ માટે આકાશ તરફ નજર માંડીને ઉભા છીએ. વીદેશીઓએ એવા કાલ્પનીક સ્વર્ગના ચક્કરમાં પડવાને બદલે સખત પરીશ્રમ દ્વારા તેમના દેશમાં જ સાચુકલું સ્વર્ગ ઉભું કર્યું છે.

જીવનમાં કેટલીક વસ્તુઓની નક્કર જરુરીયાત હોય છે અને કેટલીક વસ્તુઓ સેકન્ડરી હોય છે. આપણો દેશ ધર્મપ્રધાન છે છતાં અહીં કોઈ પાસે ગીતા, બાઈબલ કે કુરાન ન હોય તો તેને મન્દીર મસ્જીદમાં જતાં રોકવામાં આવતા નથી, પણ સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ ના હોય તો સ્કુલમાં ઍડમીશન મળતું નથી; કારણ એટલું જ કે પોથીધર્મ કરતાં જીવનધર્મનું મહત્વ વીશેષ છે. ધર્મગ્રંથો એ પોથી ધર્મ છે અને સ્કુલનું લીવીંગ સર્ટીફીકેટ એ નક્કર જીવનધર્મ ગણાય. આપણે ત્યાં કથાકારો, ગુરુઓ, બાબાઓ કે સ્વામીઓનાં રાફડા ફાટ્યા છે તેના મુળમાં અન્ધશ્રદ્ધાળુ લોકો તો ખરાં જ પણ દેશના તમામ ભગવાધારી ગુરુસંઘો પણ કારણભુત છે. કરોડો અજ્ઞાની લોકોના સહકાર વીના ગુરુઓ આવડી મોટી વીરાસત ઉભી ન કરી શકે. દુનીયાના અબજો અન્ધશ્રદ્ધાળુ અનુયાયીઓની ગાંગડુગીરી વીના કોઈ બાપુ કે ગુરુ આટલો વીકાસ કરી શકે ખરો? જીવી જવા માટે ઘરવખરીની જેમ ‘જીવનવખરી’ની પણ જરુર પડે છે. જીવનવખરી એટલે જીવી જવા માટે અનીવાર્ય હોય તેવી ચીજવસ્તુઓ. (જેમકે ચુલો અને ઝુલો ઘરવખરી કહેવાય પણ અનાજ જીવનવખરી કહેવાય. હીંચકા વીના જીવી જવાય, પણ અનાજ વીના જીવન અટકી પડે)

હવે મુદ્દાની વાત સાંભળો. આપણે ઘરમાં આખા વર્ષ માટે ઘઉં, જુવાર, ચોખા, તેલ વગેરે ભરીએ છીએ પણ પુજાપાઠ માટે અબીલ, ગુલાલ, કંકુ, સીંદુર, દીવેટ, નારીયેળ, અગરબત્તી વગેરે ભરતાં નથી. કેમ કે એ બધી વસ્તુઓનો સમાવેશ જીવનવખરીમાં થતો નથી. એ બધો ‘પુજાપો’ ધર્મઘરવખરી ગણાય – જીવનવખરી નહીં. કાકા–મામા, ભાઈ–ભાંડુ કે ફોઈ–ફુવા એ સૌ સ્વજનો ઉપયોગી સગા ગણાય. પણ મોરારીબાપુ, પ્રફુલ્લભાઈ શુક્લ કે રમેશભાઈ ઓઝા વીના આપણો સંસાર અટકી પડતો નથી. ભગવદ્‍ગીતાની બુક કરતાં બેંકની પાસબુક સાચી જીવનવખરી છે. મુળ વાત એટલી જ કે માણસ માણસાઈથી જીવવાનું શીખી લે પછી તેણે કોઈ ધર્મ કે ગુરુ પાળવાની જરુર પડતી નથી.

ફીલ્મી ગીતકાર ગુલશન બાવરાએ મનોજકુમારની ફીલ્મ ‘ઉપકાર’માં અભીનય કર્યો હતો અને ગીતો પણ લખ્યાં હતાં. તેમણે ક્યાંક લખ્યું છે : ‘ઈન્સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈંસાન કા… ઉસકે બાદ હી પન્ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’ એક બીજા શાયર ‘મેહર’ લખનવીએ ફરીયાદ કરી છે : ‘અગર સુન ન શકો તુમ દુઃખીઓં કી આવાઝ… ઔર પોંછ ન પાઓ કીસી કે આંસુ… તો ક્યા ફાયદા તુમ કુરાન પઢો યા નમાઝ…!’

અસલી વાત એ છે કે ધર્મો ભલે જુદા હોય પણ માણસો જુદા હોતા નથી. દરેક ઈન્સાનની માટી એક છે. દરેકની જરુરીયાત એક છે. દરેકનાં આંસુ, આઘાતો અને આનન્દ સરખાં છે. સૌ મનુષ્યો ધરતીરુપી વીશાળ વટવૃક્ષનાં પાંદડાં સમા છે. કોઈ હીન્દુ દીકરો મરે કે મુસ્લીમ દીકરો… પણ એક માની આંખમાંથી વહી નીકળતાં આંસુઓનું ગોત્ર જુદું હોતું નથી. એ ગોત્રનું નામ છે ‘દર્દ’. કોઈ દીકરો બાર સાયન્સમાં બોર્ડમાં ફર્સ્ટ આવે ત્યારે આંખમાં આનન્દના આંસુ આવે છે. બીજી તરફ એ દીકરો પહેલો પગાર લઈ ઘરે આવતો હોય અને માર્ગમાં અકસ્માતમાં માર્યો જાય ત્યારે પણ આંખમાં આંસુ આવે છે. બન્ને વખતે આંસુનું કારણ જુદું હોય છે પણ બન્ધારણ એક હોય છે.

આપણે મુળ મુદ્દો ગુરુની બીનઉપયોગીતાનો છે. તાત્પર્ય એટલું જ, માણસે સમાજમાં માનવતા કે સહૃદયતાપુર્વક જીવવામાં ગુરુઓના ગાઈડન્સની શા માટે જરુર પડવી જોઈએ? કેટલીક માનવતા માણસમાં ઈનબીલ્ટ હોય છે. રોડ પર તમારી હાજરીમાં કોઈને અકસ્માત થાય ત્યારે તમારે શી ફરજ બજાવવાની છે તે જાણવા માટે તમે ધર્મગ્રંથોનાં પાનાં ઉથલાવતા નથી અથવા માર્ગદર્શન મેળવવા માટે ગુરુને ફોન કરીને પુછતા નથી. તમારામાં સ્વયંસ્ફુરીત માનવતા પ્રગટી ઉઠે છે અને તમે ઘવાયેલાને હૉસ્પીટલ પહોંચાડો છો. તેને તમે એ નથી પુછતાં કે– તારી જાતી કઈ છે અથવા તું ક્યો ધર્મ પાળે છે? પણ ન કરે નારાયણ અને તે મૃત્યુ પામ્યો ત્યારે ક્યાં તો તેનો અગ્નીસંસ્કાર કરવામાં આવે છે અથવા તેને દફનાવવામાં આવે છે. માણસના જન્મવાનો એક જ માર્ગ છે પણ મર્યા પછી વીદાય લેવાના રસ્તા જુદા જુદા હોય છે. મરનારના ધર્મ યા કોમ પ્રમાણે એની અન્તીમ વીધી થાય છે. એક વાત ગાંઠે બાંધી રાખવા જેવી છે. માનવધર્મનો શ્રેષ્ઠ કર્મકાંડ માનવતા છે એટલું સમજાઈ ગયા પછી કોઈ સ્વામી, બાબાઓ કે ગુરુઓના ચરણો પુજવાની જરુર રહેતી નથી.

દોસ્તો, સમજો તો સીધી વાત છે. ઘરના દેવસ્થાનકમાં દીવો ન પ્રગટે તો ચાલે; પણ ઘરમાં બલ્બ ન સળગે તો અન્ધારું થઈ જાય. મુર્તીને નવૈદ્ય ન ચઢાવો તો ભગવાન ભુખે મરી જવાના નથી; પણ સમયસર વૈદ્ય ના મળે તો રોગમાં માણસ ઉકલી જાય. રોજ સવારે બે કલાક માળા કરો પછી આખો દીવસ ધન્ધામાં કાળાંધોળાં કરો તો રામ રાજી નહીં થાય. આમ છતાં, ગેરસમજ ન થાય તે માટે એક સ્પષ્ટતા જરુરી છે ઘણા માને છે કે સુન્દર જીવન કેમ જીવી જવું તે માટે ગાઈડન્સ જરુરી છે. આ વાત સાચી નથી. કેટલીક સમજ કુદરતે માણસને આપીને જ મોકલ્યો છે. કૉમનસેન્સ એ મનુષ્યજાતીનો કૉમનધર્મ છે. માણસ તેની જાતી કરતાં તેના આચારવીચારો કે વર્તનથી વધુ પ્રસીદ્ધી પામે છે. તમે જીવનભર રામની પુજા કર્યે રાખો અને જીવનવ્યવહારમાં ફુલ ટાઈમ રાવણ બનીને વર્તો તો એવી ભક્તીનો કોઈ ફાયદો નથી. આપણા કહેવાતા ધર્મપંડીતોએ લોકોને હમ્મેશાં અવળે માર્ગે દોર્યા છે. ધર્મને તેમણે લોકો સમક્ષ કંઈક એવા ફોર્મમાં રજુ કર્યો છે કે જેમાં કથાપારાયણમાં ભાગ લેવો… ફાળો ઉઘરાવી મન્દીરોમાં હોમહવન કરવા… ગુરુઓની આરતી ઉતારી તેમને દેવની જેમ પુજવા… ભગવા રંગની જર્સી પહેરી શીરડી કે અમરનાથના પગપાળા પ્રવાસે નીકળી પડવું… જાહેર માર્ગો પર આવેલાં મન્દીરો આગળ વાંસનાં બાંબુઓ વડે રસ્તો રોકી સત્યનારાયણની કથા કરાવવી… શહેરના રસ્તાઓ પર ટ્રાફીક જામ થઈ જાય એ રીતે ધાર્મીક રેલીઓ કાઢવી… આ તમામ બાબતો ધર્મને નામે થતો મીથ્યા કર્મકાંડ છે. દુઃખની વાત છે કે કહેવાતા સન્તો એને ધર્મ માને છે. એકવાર માણસ ‘જાત ભણીની જાત્રા’માં જોતરાઈ જાય પછી તેણે કેસરી જર્સી પહેરીને નાસીક, ત્રમ્બક કે અમરનાથની જાત્રાએ જવાની જરુર પડતી નથી. ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા!’

ધુપછાંવ

 ‘શીક્ષણ અને સુસંસ્કારથી મોટો કોઈ ગુરુ હોતો નથી. ઘરમાં બ્લેડ વસાવ્યા પછી આપણે દાઢી માટે વાળંદને ત્યાં જતાં નથી. પેટ ખોરાક પચાવી શકતું હોય તો આપણે પાચનવટી લેતાં નથી. દાંત મજબુત હોય, તો આપણે ચોકઠું પહેરતાં નથી. અર્થાત્ ધર્મ જે શીખવે છે તે બધી વાતો આપણે ગુરુની મદદ વીના પણ જાણી ચુક્યા હોઈએ, તો ગુરુની જરુર રહેતી નથી. તમે રીલાયન્સના માલીક હો, તો નોકરી માટે એમ્પ્લોયમેન્‍ટ એક્ષ્ચેંજની કતારમાં ઉભા રહેવાની જરુર ખરી?’

        – દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 23 ફેબ્રુઆરી, 2014ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાને તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક :

શ્રી. દીનેશ પાંચાલ, સી – 12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : denishpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

પ્રુફવાચન :  ઉત્તમ ગજ્જર ઈ–મેઈલ :  uttamgajjar@gmail.com

35 Comments

  1. આજના સમયમાં અંધશ્રધ્ધા ઍટલી વધી ગયેલ છે કે ગુરુઓ ઍટલે કે ધર્મગુરૂઓેઍ અન્ધ્શ્રધ્ધાળુઑ ને બંધક બનાવી લીધેલ છે, અને આ રીતે ધર્મગુરૂઓેને ઘીકેળા છે. પરમેશ્વરે માનવીને જે બુદ્ધિ આપેલ છે, માનવી તેનો ઉપયોગ નથી કરતો, અને આંખ બંધ કરીને ધર્મગુરૂઓનું આંધળુ અનુસરણ કરે છે. આને કહેવાય : “ઝૂકતી હે દુનિયા, ઝૂકાને વાલા ચાહીયે”.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  2. I dont fully agree but also dont disagree on the extent of the mayajaal spread by current guru’s in market. in Baiju Bawara’s famous song.. one line that I can never forget is.. “bin guru gyan kaha se lau…”
    First let me say, that Common Sense is so Uncommon and because of that we need a “Good” guru who directs us on correct path… not any guru.
    Now how to find a good guru.. is also a tedious task and for that our fundamentals on religion or religious script should be firm and then it does not take much to identify the guru. Every soul is capable of being enlightened, but due to wrong understanding.. lot of people gets diverted..
    I do agree to the author’s.. describing about that living life is something the each one should figure out on its own based on his capacity, ability, situation, time and place. Not everyone know how to “Live”… and hence we have so many bestseller books in market preaching about “How to Live” selling so well.
    So what I term as GURU is any one who directs you to Common Sense.. 🙂

    Liked by 1 person

  3. the straight means the state?who made the curved roadways,the relation ship is the cancer of earth!the top of knowledge having a single sit,who giving the air in to burnt fire? tv,media,news papers are always ran after there t.c.p?the only words will bring the change on the earth: do not passing the untruth in the presence of the mother electricity!educate to all! save machines! the mass making more mistakes!

    Liked by 1 person

  4. માનવધર્મનો શ્રેષ્ઠ કર્મકાંડ માનવતા છે એટલું સમજાઈ ગયા પછી કોઈ સ્વામી, બાબાઓ કે ગુરુઓના ચરણો પુજવાની જરુર રહેતી નથી.
    લેખનુ આ વાક્ય ગમ્યુ.
    ‘ઈન્સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈંસાન કા… ઉસકે બાદ હી પન્ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’
    લેખનુ આ વાક્ય ગમ્યુ.
    મનુષ્યજીવનમાં ગુરુ કરવાની જ કોઈ જરુર હોતી નથી.
    લેખના આ વાક્ય સાથે હું સંપૂર્ણ સહમત.
    ગુરુ…ગુરુ..ગુરુ.. કરીને કોઇની પાછળ ના પડવુ, કહેવાતા કામચોરોની પૂજા કરવાનુ, એમને પંપાળવાનુ અને એમને ફેલાતા કરવાનુ બંધ કરવુ પડશે. આવા ગુરુઓ બિન ઉત્પાદક એટલે કે NON PRODUCTIVE હોય છે. કમાવાની ચિંતા હોતી નથી, ભક્તો બધુ , બધુ, બધુ, ગોઠવી આપે છે. અને તેમનુ મસ્ત જીવન ચાલે છે. મસ્ત જ ને યાર, બધુ જ મફતમાં.
    મારુ , મારુ ગોવિંદનુ અને લેખક દીનેશ પંચાલનુ માનો , તો ગુરુ જેવી વાહિયાત વાતોમાં પડવુ નહીં.
    ગુ………રુ.રુ.રુ.રુ.રુ.રુ. કરતા ગાડી ચલાવોને, ભાઇ. નાનપણમાં એકબીજાના શર્ટ્ને પાછળથી પકડીને કેવી ગાડી ચલાવતા હતા!!! ગુ………રુ.રુ.રુ.રુ.રુ.રુ.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ “, હિંમતનગર

    Liked by 3 people

  5. Please explain who is the author of this long statement, Govind Maru or Dinesh Panchal ?

    Suresh Shah

    Like

  6. 1. First paragraph ” Why Guru is required ” assumes the Guru in form of a Sanyasi or Dharmguru or Narrator of religious leader ! I would like people to differentiate Gurus in form of religious preachers and also a guide who is a better skilled and professional with dexterity in a field one loves to get guidance for ! Imagine Eklavya concentrated in learning the archery from imaginary Guru in St. Dronacharya !!
    2. I fully believe, learned people do not need a Guru to conduct their lives, or at least need not follow blindly ! Listen to them and believe and follow only those parts for their preaching or narration that serves your purpose ! You are knowledgeable enough to understand and correct to your needs !! Unfortunately there are millions who are uneducated, religiously blinded and unable to decide course of their own lives and there are the people who get carried away by rhetorics of such GURUs !! Who should take the responsibility to help and support such less educated and privileged people ? I believe it the responsibility of governments and society. How would society attend to this need in general ?
    3. Author writes about our habits of storing articles of grocery, please remember, these are only those items which are cyclic in nature. they don’t grow round the year, they are seasonal and hence, when first harvested, the prices are cheap and available fresh, hence we store them. its the practice since centuries when there were no warehouses and produce if not picked up, would be removed to kings granary or exported away. !! Modern indians do not store these items like americans and europeans !but they do store wine for the whole year !!!
    4. Unfortunately, majority of Indians and many other nationalists suffer from superstition and blind faith in religious practices !! they believe in heaven, hell, rebirth and influence of karma, good and bad deeds on their present and future !! they believe in existence of God / Allah / Ram / Krishna / Vishnu and Shiva !!! So long we keep believing in such concepts, we will be used by Gurus who continue to rule over our lives !!!
    5. Author may have a specific concept or assumption in mind but the thoughts are not omnipotent and different interpretations are not impossible !!!
    6. I love to write my thoughts in Gujarati but in absence of a practical script and keyboad, continue to express in the easy adoption in english !!

    Liked by 1 person

  7. ૧. જબ આપકે હાથ હૈ તકદીરકી કિતાબ, ક્યા ક્યા લીખા કરેંગે યે અબ આપ સોચીયે.
    ૨. ઘી બેસ્ટ વે ટુ પ્રિડીક્ટ ઘી કફ્યુચર ઇઝ ટુ ક્રિયેત યોરસેલ્ફ.
    ૩. ના કિસી કે અભાવમેં જીયો, ના કિસી કે પ્રભાવમેં જીયો, યે જીંદગી હૈ આપ કી અપને સ્વભાવમેં જીયો.
    4. Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of truth.”

    And……..

    5. ” Dear Past,
    Thank you for all the lessons.
    Dear Future,
    I am ready.”

    આપણો સાચો ગુરુ આપણા ભૂતકાળમા ઠોકરો ખાઇને શીખેલા પાઠો છે…માટે ભવિશ્યને કહો કે હું હવે તને આવકારવા તૈયાર છું.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. કેટલીક વાર લોકો ગુરુ અને શીક્ષકમાં ભેદ કરી શકતા હોતા નથી. શીક્ષક તે ગુરુ નથી. માહીતી પ્રદાન કરે તે શીક્ષક અને માર્ગદર્શન આપે તે ગુરુ. જો કે ગુરુ કેટલીક વાર માહીતી પણ આપતા હોઈ શકે. અને શીક્ષક માર્ગદર્શન પણ આપતા હોઈ શકે.
    પણ ખરેખર ઈશ્વર એક કલ્પના હોઈ ધાર્મીક ગુરુ જેવું કશું હોઈ ન શકે. મોટા ભાગે એમાં દંભની જ શક્યતા હોય છે.
    સરસ આર્ટીકલ ગોવીંદભાઈ. હાર્દીક ધન્યવાદ.

    Liked by 1 person

  9. Khub saras lekh aabhar govind bhai ane fully agree with DINESH PANCHAL
    ane sathej ROHIT DARJI ni comment sathe pan agree khub saras comment.
    Dharma na dhandhama aaj sudhi budjet bahar padvani jarir padi nathi ane paisa na abhave koi mandiro bandh thaya nathi fakt dharma guruo ek hakal kare etle andhbhakto andhshraddhalu taiyaraj betha chhe. Guru lobhi chela lalchi chadhe patthar ki nav.

    Liked by 1 person

  10. સરસ લેખ.

    એક વખત શિક્ષિત તાહ્ય પછી ગુરુની આવશ્યકતા ના હોવી જોઈએ. તમારી વિવેક બુદ્ધિ એજ તમારો ગુરુ. પ.પૂ. અને ધ.ધૂ.ઓના ગોરખ ધંધા ફૂલી ફાળી રહયાં છે કારણ કહેવાતા શિષ્યનો લોભ. અને લોભિયા હોય ત્યાં ધુતારા વસેજ.
    ધાર્મિક ક્રિયાકાંડોને નેજ લોકો ધર્મ માની બેઠા છે! ગુરુઓનો પી. આર. જબરદસ્ત હોય છે.

    ફિરોજ ખાન
    ટોરોન્ટો, કેનેડા.

    Liked by 1 person

    1. જનાબ. ફિરોઝભાઈ… દરેક ધર્મ માં આવુજ હોય છે.. ફક્ત એક ધર્મ જ નહી.. પ.પુ.ધ.ધુ કે…કોઈ પણ.. ?? સમજી જાવની હવે…..!! જય હિન્દ!!!

      Liked by 1 person

    1. વહાલા ખાનસાહેબ,
      ‘જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?’ લેખને ‘अपना adda’ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      ‘જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  11. ગુરુ ગોવિંદ દોનો ખડે કા કો લાગુ પાય? ગોવિંદ મારુને આટલી સુંદર સેવા કરવા બદલ.
    પી.એમ.પટેલ , આભાર.

    Liked by 1 person

  12. ગુરુ કોણ બની શકે? જે બીજાઓને લઘુ બનાવી શકે તે. શિષ્ય વિનાનો ગુરુ જોયો કે સાંભળ્યો છે? કોઈને ચેલા બનાવવા શું કરવું પડે? તેનું અહં છોડાવવું પડે. તે અહં જાય ક્યાં? ગુરુના મસ્તકમાં. જેટલા શિષ્યો વધે તેટલું ગુરુનું અહં વધે. દુ:ખના માર્યા લોકો ગુરુઓ પાસે જાય પણ ગુરુઓ સુખની વ્યાખ્યા જ બદલી નાખે. શિષ્યો અને અનુયાયીઓને દબાયેલા રાખવા માટે તેમનામાં લઘુતાગ્રંથી, હીનતાભાવ કે તેથી પણ નીચો ક્ષુદ્રતાભાવ જગાવવો અને ટકાવી રાખવો જોઈએ. તે માટે પોતાનો ચરણસ્પર્શ કરાવવો. વસિષ્ઠની ચરણરજ ના લીધી ત્યાં સુધી વિશ્વઅમિત્ર બ્રહ્મર્ષિ કહેવાને પાત્ર નહોતા, લીધી કે તરત જ સુપાત્ર થઇ ગયા! વસિષ્ઠનો અહંકાર પણ નાનો થોડો હતો?

    Liked by 2 people

  13. Reblogged this on and commented:
    શ્રી ગોવિંદભાઈ તથા શ્રી દીનેશ પંચાલભાઈ, આજે ગૂરૂ પૂર્ણિમાને દિને જ આ સુંદર અને કદાચ સત્ય કહેતો લેખ મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર !
    આપ બંને મિત્રોને ધન્યવાદ !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  14. મિત્રો,
    વાંચેલી અેક વાત યાદ આવી.
    જીવનમાં જ્ઞાન બે પ્રકારે મળે છે.
    ૧. શાળાના શીક્ષક તરફથી અને
    ૨. કુદરત તરફથી…..
    બન્નેની જ્ઞાન આપવાની રીત જુદી જુદી……
    ૧. શાળાના શીક્ષક પહેલાં પાઠ ભણાવે અને પછી પરીક્ષા લે.
    ૨. કુદરત પહેલાં પરીક્ષા લે અને તેના થકી જ્ઞાન આપે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. અમૃતભાઈ.. હમણા જ એક સમાચાર વાંચેલા કે.. એક પ્રોફેસર બેન.. તેના બાબા ને.. સારી રીતે ભણાવા તેઓ એ જોબ છોડી દીધી.. અને બાબા ને પ્રેક્ટીકલ.. એટલે કે.. જે વિષય હોય ( દરજી, મોચી,લુહાર, કે અન્ય કામો) તેની પ્રત્યક્ષ જાણકારી મેળવવા બજારમાં… કે તે કામ ના માણસો ને ત્યાં કે.. મોલ માં.. કે. બાગ માં.. પ્રકૃત્તિ ની ગોદ માં લઇ જઈને સમજાવતા.. તો ધીરે ધીરે ઘણા વાલીઓ એ તેમને ત્યાં પોતાના બાળકો ને મુક્ત થયા.. અને સાથે જ્ઞાન તો ખરુજ..

      Like

  15. મેડિકલ સાયન્સ ના વિદ્યાર્થી ને ડોકટર બનવું હોય કે એન્જીનીયરીંગ શાખાના વિદ્યાર્થી ને એન્જિનિયર બનવું હોય તો એ વિષયના નિષ્ણાત પ્રોફેસરો પાસે જવું પડે કે નહીં ?
    આપણાં વેદો ઉપનિષદો વિગેરે કોણ સીધા વાંચીને સમજી શકે ?
    હિન્દૂ ધર્મનો પાયો અધ્યાત્મ છે
    યોગ્ય વ્યક્તિ ને ઓળખી તેને ગુરુ તરીકે સ્વીકારવા માં કોઈ વાંધો નથી
    બાકી પસન્દ અપની અપની ખ્યાલ અપના અપના…..

    Like

  16. The basic truth is ‘ MANAVATA J KHARO DHARMA CHHE ‘. etalu shikhie ane palie etale bus.
    CONGRATS FOR SHARING NICE THOUGHTS. —

    Liked by 1 person

  17. ગોવિંદને જોવાના ના હોય, અનુભવવાના હોય, માતાઓની મમતા, પિતાઓનો પ્રેમ, દોસ્તોની દિલેરી વગેરે વડે. તો યે ‘બલિહારી’વાળા ગુરુ એટલા તો સારા કે પોતાને ગોવિંદ ના કહ્યા. ‘સાક્ષાત્પરબ્રહ્મો’એ તો સનાતન ધર્મનું સત્યાનાશ જ વાળ્યું છે.

    Like

  18. વાળંદો આપણને અરીસો ધરીને બતાવતા હોય છે કે માથા પાછળના વાળ, જેને આપણે પોતે જોઈ શકતા નથી તે, કેવા છે. સારા ગુરુઓએ પણ, પોતાની પૂજા કરાવવાને બદલે, શિષ્યોને તેઓ પોતે જોઈ ના શકતા હોય તેવી ક્ષમતાઓ તેમ જ ત્રુટીઓ બતાવવી જોઈએ. ગુરુપૂર્ણિમા ઉજવવાનું તો બંધ જ કરવું જોઈએ.

    Liked by 1 person

  19. Very good article, interesting ideas and comments too. Thanks.

    1. Gurus were quite useful and essential in ancient times when there was no internet, no books, not many means of communications and not even transportation. Education was restricted and scarce because of these and many other reasons like our caste system.
    But today, our orthodoxy makes us stick to such old practices and ideas even after they become superfluous. We must respect a good teacher but to continue to elevate him to the status of a God is nothing but silliness.

    2. It is not necessary to debate the meaning of the word Guru— all of us have a fairly good sense of what it means; and word disputes become a distraction from the main point of the debate. — Subodh Shah — NJ, USA.

    Liked by 1 person

  20. ગુરૂનો ખ્યાલ ઇરેશનલ છે, તેથી અમાનવીય છે.
    હીદુ ધર્મ આધારીત જીવન પધ્ધતીમાં અષાઢ સુદ પુનમના દીવસને ગુરૂ પુર્ણીમા તરીકે ઉજવવામાં આવે છે. આ ધર્મમાં બીલકુલ સહજ ખ્યાલ છે કે‘ ગુરૂ વીના જ્ઞાન ન મળે.‘ ગુરૂના આશીર્વાદ સીવાય આ જીંદગીમાં અને મૃત્યુ બાદ પણ કલ્યાણ ન થાય. માટે માણસ માત્રને ગુરૂ તો જોઇએ જ. આ ૨૧મી સદીમાં બની બેઠેલા નહી પણ આપણે બનાવેલા ગુરૂઓ કઇ કઇ દુન્યવી ભોગવીલાસની વસ્તુઓથી રાજી થાય છે તે ગુરૂ કરતાં ગુરૂઓના ભક્તજનોને અથવા તેઓના એજંટોને સારી રીતે ખબર છે. માટે તેના અંગેની વાત પણ એટલા માટે નહી કરીએ કે બીચારા આ બધા ગુરૂઓ આખરે તો પામર માનવો જ છે ને!
    સામાન્ય માનવીનો ખ્યાલ છે કે ગુરૂ સર્વગુણ સંપન્ન હોય છે. તેની ભક્તી, શુભેચ્છા અને અમી નજરથી તેના ભક્તોનું કલ્યાણ થઇ જાય છે. આપણને સવાલ મનમાં એ થાય છે કે આ ‘ગુરૂ મહારાજ‘ ને આવું ત્રીકાળ જ્ઞાન કેવી રીતે મળે છે? ગુરૂપદ ગુરૂઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે? ગુરૂપદ મોટે ભાગે જન્મ, વંશપરંપરાગત કે પછી ગુરૂના પટ્ટ શીષ્ય કે ખાસ કરીને સંપુર્ણ અબાધીત શરણાગતી સ્વીકારેલા શીષ્યને મળતું હોય છે. આવા ગુરૂઓ પાસે શું અને કેવા પ્રકારનું જ્ઞાન હોય છે? તે લોકોની જ્ઞાન મેળવવાની કોઇ પધ્ધતી હોય છે ખરી? ગુરૂઓએ મેળવેલું જ્ઞાન સ્વયંસ્ફુરણા(Intuition)થી મેળવેલું જ્ઞાન, તર્કની મદદ વીના, નીરપેક્ષ( Absolute) સાપેક્ષ નહી(Relative)તેવું જ્ઞાન હોય છે. આવું જ્ઞાન ભક્તોને જણાવવામાં આવે છે કે ગુરૂએ આકરી તપશ્ચર્યા કરીને હીમાલયના બરફના શીખરોમાં હજારો વર્ષોથી તપ કરતાં રૂષી મુનીઓની સાધના(?)થી જે મળેલું છે તેનું હસ્તાંતર(ટ્રાન્સફર) તેમની પાસે આવેલું હોય છે. આવું જ્ઞાન હીદું વર્ણવ્યવસ્થામાં જન્મે બ્રાહ્મણ હોય તેને જ મળી શકે! અને તે પણ તેને મનગમતી પોતાની બનાવેલી સંસ્કૃત ભાષામાં!
    આવું જ્ઞાન મેળવવાની કોઇ સંસ્થા હોઇ શકે ખરી? તેને મેળવવાની કોઇ પધ્ધતી, રીત( Method) હોઇ શકે ખરી? ગુરૂવાણી (!)માંથી કે તેમની વ્યાસપીઠ ઉપરથી બોલાયેલા શબ્દો દ્રારા નીકળેલા જ્ઞાનને તપાસવાની લાયકાત કોની પાસે? ગુરૂવાણી સુની સુનીને પોપટ બનેલો હીદું સમાજ નીર્બળ, કંગાળ અને નવાપ્રવાહોને સમજવામાં નીષ્ફળ સદીઓ સુધી બનતો ગયો. સદીઓથી પોતાનું હીત સાચવતી વર્ણવ્યવસ્થાના ચોકઠા ને જડબેસલાક ટકાવી રાખી શકયો છે. જે સહેલાઇથી ગુલામ જ રહ્યો. અને આજે પોતાના તે ઇતીહાસના દોષનો ટોપલો બીજાને માથે નાંખીને સમીકરણો સરખા કરવા મેદાને પડયો છે. દેશના સર્વપ્રકારના પછાતપણા માટે આવી ગુરૂપુર્ણીમાઓનો ફાળો અમાપ છે.
    હવે આપણે શોધીએ કે કઇ રીતે ગુરૂનો ખ્યાલ ઇરેશનલ અને અમાનવીય છે? સૌ પ્રથમ તે કઇ રીતે ઇરેશનલ છે તે સમજીએ.
    રેશનાલીઝમ એટલે ગુજરાતીમાં જેને તર્કવીવેકશક્તી કહીએ છીએ તેના મુખ્ય ત્રણ લક્ષણો છે.
    એક. કોઇપણ જ્ઞાન ઇન્દ્રીયજન્ય (Sense perception) જ હોય છે. જ્ઞાન ઇન્દ્રીયાતીત ન હોઇ શકે. ફક્ત માનવી નહી પણ કોઇપણ સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા( Urge to exist)પોતાની ઇન્દ્રીયો ( આંખ, નાક, કાન, જીભ અને ચામડી કે ત્વચા)ની મદદથી નીર્ણય કરવો પડે છે. શું નીર્ણય કરવો પડે છે? જીવવા માટે સારુ કે ખોટું શું છે તે નીર્ણય કરવો પડે છે. આ સત્ય માનવી સહીત દરેકને લાગુ પડે છે અને તે સાર્વત્રીક હોવાથી તેને વ્યક્તી, જ્ઞાતી, જાતી, ધર્મ, વંશીય કે રાષ્ટ્રીય મર્યાદાઓ નડતી નથી. આ રીતે મેળવેલું જ્ઞાનને કોઇપણ માણસ વીશ્વના કોઇપણ ખુણે તપાસી શકે છે. તે સાચુ છે કે ખોટું તે વૈજ્ઞાનીક પધ્ધતીથી નક્કી કરી શકે છે.
    બે. રેશનલાઝમ તેથી સત્ય શોધવા માટે કોઇ ગુરૂ જેવી વીશીષ્ટ વ્યક્તી, ધર્મગ્રંથ અને ઇશ્વરી પ્રતીનીધીનો દાવો કરતા કોઇ પયગંબરના ઉપદેશોને ઉપર જણાવેલી પધ્ધતીને આધારે તપાસીને નક્કી કરે છે કે તેમાં સત્ય કેટલું છે અને અસત્ય કેટલું છે. રેશનાલીસ્ટ કોઇ ગુરૂ, સાધુ મહાત્માએ કે કહેવાતા સીધ્ધપુરૂષે કહ્યું માટે સત્ય તેમ ક્યારે સ્વીકારતો નથી. તેવી જ રીતે કોઇપણ ધર્મ પુસ્તકમાં લખ્યું છે માટે સત્ય કે કોઇ ઇશ્વરી પ્રતીનીધીએ કહ્યું છે માટે સત્ય તેને પણ રેશનાલીસ્ટ સ્વીકારતો નથી. રેશનાલીસ્ટ માટે સત્ય નક્કી કરવાનો માર્ગ કોઇપણ વ્યક્તીવીશેષ ( Authority)માં સમાયેલો હોતો નથી.
    ત્રણ. રેશનાલીઝમમાં ઇન્દ્રીયો પોતાના બાહ્ય નીરીક્ષણની( Observation)મદદથી સત્ય શોધવના પ્રયત્નોમાં મદદ કરે છે. આ રીતે શોધાયેલું સત્ય પેલા ધાર્મીક કે ગુરૂના સત્ય જેવું નીરપેક્ષ ( Absolute & non- verifiable) અને માનવીય બુધ્ધીથી પર ન તપાસી શકાય તેવું હોતું નથી. પણ રેશનલ સત્ય તપાસી શકાય તેવું સાપેક્ષ ( Relative and verifiable) હોય છે.વધારામાં જેમ જેમ માનવીય સંશોધનોની મદદથી શોધ અને તપાસના સાધનોમાં( દા.ત ટેલીસ્કોપ, સુક્ષ્મદર્શક યંત્ર, સ્ટેથોસ્કોપ,) વીકાસ થવાથી આવા સત્યોમાં સતત ફેરફાર થતો આવ્યો છે. જે આવકારદાયક અને માનવ માટે કલ્યાણકારી છે.માટે ગુરૂપદ,ધર્મગ્રથ કે પયગંબરી ઉપદેશો ઇરેશનલ હોય છે.
    હવે આપણે એ તપાસ કરીશું કે ગુરૂપદનો ખ્યાલ કઇ રીતે અમાનવીય છે. ગુરૂપદની ઇમારત સામાજીક અને વ્યક્તીગત અસમાનતાના પાયાપર ઉભેલી છે. એક ગુરૂ છે બીજો શીષ્ય છે. એક આપનાર છે બીજો લેનાર છે. આપનાર ક્યારે એવું સ્વીકારતો નથી કે પેલો હાથ લાંબો કરનાર પણ મારા જેવો કાળામાથાનો માનવી જ છે. મારી માફક જ માના ગર્ભમાંથી નીકળીને તે પણ મોટો થયેલો છે. તેના જન્મમાં કશું જ દૈવી કે ઇશ્વરી નથી. તે જે જ્ઞાન મેળવી શકે છે તેવું જ જ્ઞાન હું પણ મેળવી શકું છું. ગુરૂ જે દેખાડો અને ટીલાટપકાં કરીને તપજપ અને સીધ્ધીઓની વાતનો બણગાં ફુકે તે બીલકુલ બોગસ છે. તેને કોઇ વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે તપાસી શકાય તેમ છે જ નહી.ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ, કાર્લ માર્કસનો ભૌતીકવાદઅને સીંગમંડ ફ્રોઇડના અજાગૃત મનના પૃથ્થકરણ અને છેલ્લે ડી.એન. એ.ના સંશોધનોએ શોધી કાઢયું છે માનવ માત્ર એક જ છે. કોઇ જન્મથી મોટો નથી નાનો નથી. “ માણસ જન્મથી એક છે All men are born equal” રૂસો ફ્રેન્ચ ફીલોસોફર.
    આમ ઉપર જણાવેલ ચર્ચાને આધારે એવું તારણ આપણે સરળતા કાઢી શકીએ તેમ છીએ કે “ હીદું ગુરૂ પદનો ખ્યાલ ઇરેશનલ અને અમાનવીય છે.”

    Liked by 2 people

  21. બિપીનભાઇ શ્રોફે ખુબ જ મનનીય વિચારો લખ્યાછે. મને ખૂબ ગમ્યા. અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment