દીવાળીમાં ફટાકડા : જોખમ રોકડાં…!!!

(તસવીર સૌજન્ય : નેટજગત)

 

દીવાળીમાં ફટાકડા : જોખમ રોકડાં…!!!

દીનેશ પાંચાલ

દીવાળીના ઉત્‍સવમય દીવસો પસાર થઈ રહ્યા છે. વાઘબારસ… કાળી ચૌદશ… ધનતેરસ… નવુ વર્ષ…! જો કે એ બધાંમાં હવે નવું કાંઈ રહ્યું નથી. છતાં એ દીવસોમાં દરેકને પોતાના જમાનાની દીવાળી યાદ આવે છે. વાઘબારસને દીવસે અમે આંગણામાં રંગોળી પુરતાં તેમાં વાઘનું ચીત્ર બનાવતા. (મોટા થયા પછી ખ્‍યાલ આવ્‍યો કે ‘વાઘ’ શબ્‍દને સ્‍થાને સાચો અર્થ ‘વાક્’ એટલે કે વાણી થાય છે) બાળપણના એવા ઘણાં અજ્ઞાનો વચ્ચે તે સમય મજેદાર રહ્યો હતો. મને યાદ છે કાળીચૌદશના દીવસે મા દરેક બાળકોની આંખ આંજતી અને કહેતી : ‘કાળી ચૌદશનો આંજીયો કોઈથી ન જાય ગાંજીયો…!’ તે દીવસે વહેલા ઉઠવું જ પડે નહીં તો કાગડો રુપ લઈ જાય…! એવું પણ મા કહેતી.

ખેર, દીવાળીમાં અમે ખુબ ફટાકડા ફોડતા. ફટાકડા બાળપણમાં મારા આનન્દનું કેન્દ્રસ્થાન રહ્યાં હતાં. પણ વયવૃદ્ધીની સાથે એ આનન્દ ઓસરતો ગયો. થોડા વર્ષો પર ફટાકડાથી એક મીત્રની દીકરીની બન્‍ને આંખો દાઝી ગઈ હતી. આજપર્યન્ત કોઈ ડૉક્‍ટર તેને પુનઃ ચક્ષુજ્‍યોતી બક્ષી શક્‍યો નથી. એને જોઉં છું ત્‍યારે વીચાર આવે છે, ફટાકડાએ એની કેવી હાલત કરી છે…???  એ જીવનભર હવે કોઈની નવવધુ બની સાસરે દીવાળીના દીવડા મુકી નહીં શકે. ફટાકડાઓ ક્‍યારેક માનવબોમ્‍બ જેવો વીનાશ સર્જે છે. પોતે ખતમ થઈ જઈને કોઈનું આખું જીવન ખતમ કરી નાખે છે.

બાળવયની એક અન્‍ય દુર્ઘટના સાંભરે છે. દીવાળી ટાણે કોઈકે સળગાવેલું રોકેટ ઉપર જવાને બદલે ત્રાંસુ થઈ ખળીમાં સીંચેલા ઘાસના કુંડવામાં ચંપાયું હતું. કોઈ હીન્‍દી ફીલ્‍મનો ગુંડો ઘરને આગ ચાંપે એ રીતે સુકું ઘાસ ભડભડ સળગી ઉઠયું હતું. ભર દીવાળીમાં હોળી થઈ ગઈ હતી. ફટાકડાને માણસની શ્રવણેન્‍દ્રીય માટેનો અણુબોમ્‍બ કહી શકાય. મારે સ્‍વીકારવું રહ્યું કે આજના ધ્‍વનીપ્રદુષણના યુગમાં મારા જેવા વધુ પડતાં શાંતીચાહક માણસો દુઃખી થયા વીના રહેતા નથી. લોકો આરતી પણ ઘાંટા પાડીને ગાય છે. મને ટીવી પર સીંહની ગર્જના પણ મૃદુસ્‍વરમાં સાંભળવાની ગમે છે!

ફટાકડાની એક બહું મોટી અગવડ એ છે કે તેના પર સાયલન્‍સર લગાડી શકાતું નથી. પ્રત્‍યેક ફટાકડો તેની પુરી વીસ્‍ફોટક્ષમતા સાથે ફુટે છે. ફટાકડો માણસની પ્રથમ એવી શોધ છે, જેમાં કશુંક ધમાકા સાથે નષ્ટ થઈ જાય છે ત્યારે તે વીનાશમાંથી માણસને આનન્દ પ્રાપ્‍ત થાય છે. કોઈ ફટાકડો માણસની માફક આળસુ કે કામચોર હોતો નથી. દરેક ફટાકડો ધ્‍વનીપ્રદુષણનો તેનો જીવનધર્મ બજાવવાનું ચુકતો નથી. બચુભાઈ કહે છે : ‘કોહી ગયેલું ઘી દીવામાંથી નથી જતું, અને નબળો ફટાકડો સુરસુરીયામાંથી નથી જતો!’

હવે ફટાકડાઓ કેવળ દીવાળીના ઓશીયાળા રહ્યાં નથી. દીવાળીથી અધીક લગ્નોમાં, જનોઈમાં, ક્રીકેટમેચ વખતે, ચુંટણીના રીઝલ્‍ટવેળા, સ્‍વામીઓના સામૈયામાં અને ધાર્મીક જુલુસો વગેરેમાં ફુટે છે. દશ હજાર ફટાકડાની લુમ જાહેર માર્ગો પર સળગાવવામાં આવે છે ત્‍યારે બન્‍ને બાજુએ થોડી મીનીટો માટે ટ્રાફીક જામ થઈ જાય છે. એવું લાગે છે જાણે કોઈ બહારવટીયાએ અમુક લત્તો બાનમાં ના લીધો હોય?

ફટાકડાની શોધ ચીનમાં થઈ હતી, પણ ત્‍યાં ફટાકડાનું  આવું ગાંડપણ નથી. આપણે ત્‍યાં ફટાકડા ફુટે તે પહેલાં લોકોની અક્કલનો ભાંડો ફુટે છે. બુટ શુટ અને ટાઈથી શોભતો કોઈ વરઘોડીયો વાહનોની કશીજ ચીંતા કર્યા વીના રસ્‍તાની વચ્‍ચે એટમબોમ્‍બ સળગાવે છે તે જોઈને દંગ રહી જવાય છે. (આ દેશમાં બેવકુફી પણ કેવી બુટેડ શુટેડ હોય છે! ભર ઉનાળામાં રસ્તા પર ઈંડુ પડે તો આમલેટ થઈ જાય એવી અગનઝાળ ગરમી પડતી હોય તેમાં પણ કેટલાંક ‘અક્કલમઠા’ઓ શુટ પહેરીને ગળે મુશ્કેટાટ ટાઈ બાંધે છે અને ભર ટ્રાફીકમાં રસ્તા વચ્ચે નાગીન ડાન્સ કરે છે!)

સમાજમાં જેણે અનેક લોકોપયોગી મૌલીક પ્રવૃત્તીઓ કરી અન્‍ય સમ્પ્રદાયો કરતાં વધુ આદરભર્યું સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે એવો સ્‍વાધ્‍યાય પરીવાર દીવાળી ટાણે ગરીબો માટે ‘નહીં નફો નહીં નુકસાન’ના ધોરણે શુદ્ધ ઘીની મીઠાઈઓનું વેચાણ કરે છે તે આવકાર્ય બાબત છે. પરન્તુ પ્રતીવર્ષ દીવાળી ટાણે તેઓ લાખો રુપીયાના ફટાકડા પણ વેચે છે તે પુનઃ વીચારણા માગી લે એવી પ્રવૃત્તી છે. (જરા વીચારો, ગરીબોની સેવાના ઉપક્રમે ભુખ્યા ગરીબોને ભોજન જમાડી શકાય, પણ તેમને દારુની આદત હોય તો દારુ વહેંચી શકાય ખરો?) ફટાકડાની જીવલેણતા સેંકડોવાર પુરવાર થઈ ચુકી છે. ફટાકડા નીર્વીવાદપણે શાંતીભક્ષક, જ્‍વલનશીલ અને જોખમી પદાર્થ છે. એક સર્વે અનુસાર આજપર્યંત ફટાકડાથી પુરા સાડા પાંચ અબજનું નુકસાન થઈ ચુક્‍યું છે. કોઈ સમ્પ્રદાય ફટાકડા નહીં વેચશે તો તેમની સામાજીક પ્રતીષ્ઠામાં ઓટ આવવાની નથી. કરવાં જ હોય તો બીજાં સેંકડો લોકકલ્યાણના કામો પડયાં છે. હા, એટલું ખરું કે તેઓ નહીં વેચે પણ વેપારીઓ તો ફટાકડા વેચશે જ. ભલે વેચતા… જેને જે કામ શોભે, તેણે તે જ કરવું જોઈએ. ગાંધીજીનો દીકરો દારુનું પીઠું ચલાવે તે કોઈને ય ગમે ખરું? મોરારજી દેસાઈનો દીકરો ભુખે મરતો હોય તો સમાજ તેને ભોજન પહોંચાડી શકે પણ તે દારુનું બાર ચલાવતો હોય તો સમાજને તેનો આનન્દ થાય ખરો?

કંઈક એવું સમજાય છે, કેવળ આતશબાજી નહીં, મનુષ્‍ય જીવનની પ્રત્‍યેક એવી બાબતો જે વીશાળ જનસમુદાયને કષ્ટરુપ નીવડતી હોય તે અંગે માણસે બૌદ્ધીક વલણ અપનાવી તેનો સત્‍વરે ત્‍યાગ કરવો જોઈએ. ખોટા રીતીરીવાજો, વહેમ, અન્ધશ્રધ્‍ધા, પછાત વીચારસરણી કે ખોટી જીવનશૈલી ભારતમાં જ નહીં અમેરીકામાંય પ્રવર્તતી હોય તો તેનો અવશ્‍ય વીરોધ થવો ઘટે. યાદ રહે, જીવનના કોઈપણ આનન્દનું મુલ્‍ય જીવનથી અધીક ના હોય શકે

થોડા સમય પુર્વે ભારતના એક લાખ બાળકોએ ફટાકડા ન ફોડવાની પ્રતીજ્ઞા લીધી હતી. ‘બચપન બચાઓ’ નામની એક સંસ્‍થાએ ફટાકડાના જોખમી ઉદ્યોગ સાથે સંકળાયેલા દોઢ કરોડ જેટલા બાળકોને એ વ્‍યવસાયમાંથી ઉગારવા ઝુમ્બેશ ચલાવી હતી. આમ છતાં આજેય હજારો બાળકો ફટાકડા ઉદ્યોગમાં બાળમજુરી કરે છે. ફટાકડાઓની ફેક્‍ટરીઓમાં આગ લાગે છે ત્‍યારે હજારો કુમળા બાળકો ફટાકડાની જેમ ફુટી જાય છે. આ નુકસાનના આંકડા પ્રતી વર્ષ વધતાં જ રહ્યાં છે. સરકાર ખુદ એ અંગે ચીંતીત છે; પરન્તુ પ્રજાના સહકાર વીના તે લાચાર છે. ફટાકડાનું નુકસાન આવું જગજાહેર અને બોલકું હોય ત્‍યારે માનવકલ્યાણના શુભ હેતુને વરેલા કોઈ પણ સમ્પ્રદાયે તેના વેચાણથી દુર રહેવું જોઈએ. ગીતામાં કહ્યું છે– ‘જે હજારોની હત્‍યા કરે છે તેનો નાશ કરવો એ સાચો ધર્મ છે. કૃષ્‍ણભક્‍તોએ ફટાકડાની હાનીકારકતાના પરીપ્રેક્ષ્યમાં એ વાત વીચારવી જોઈએ.’

એકવાર એક મીત્રે દીવાળીનો ગ્રીટીંગ્‍સ કાર્ડ મોકલ્‍યો હતો. તેમાં લખ્‍યું હતું- દીવાળીના દીવડાના પ્રકાશમાં મારી આંખોમાં બે ત્રણ સ્‍વપ્‍નો ઉભરી રહ્યાં છે :

(1) ચાલો, આપણે એકવીસમી સદીમાં એવા પરીવર્તનની પ્રતીક્ષા કરીએ, જ્‍યાં કોઈ સમ્પ્રદાય સ્‍ત્રીઓનું મોઢું ન જોવાને બદલે સ્‍ત્રીઓને માથે ગુજારાતા અત્‍યાચારોને નાબુદ કરવાનો સંકલ્‍પ લઈને આગળ આવે.

(2) સરકાર ફટાકડાનું ઉત્‍પાદન સદન્તર બન્ધ કરે અથવા બોમ્‍બ પ્રકારના ભયંકર અવાજ ઉત્‍પન્‍ન કરતાં ધડાકીયા ફટાકડાને બદલે ઓછો અવાજ કરે એવાં– નાના નીર્દોષ ફટાકડા જ વેચી શકાય એવો કાયદો કરે.

(3) ધર્મગુરુઓ દુધ, દહીં, ઘી, અનાજ, ફળો જેવી કીમતી ચીજવસ્‍તુઓ યજ્ઞમાં હોમી દેવાને બદલે તેનો બગાડ અટકાવવાનું અભીયાન શરુ કરે.

હમણાં એક મેગેઝીનમાં વાંચવા મળ્‍યું, ગુજરાતમાં જન્‍માષ્‍ટમીની રાત્રીએ મટકીફોડ નીમીત્તે નેવુ હજારથી ય વધુ માટલા ફોડી નાખવામાં આવે છે. એ મટકીઓ ફોડી નાખવાને બદલે ગરીબો, મજુરો વગેરેને વહેંચી દેવામાં આવે તો કૃષ્ણનેય સાચો આનન્દ થઈ શકે. યાદ રહે, સમય પરીવર્તનશીલ છે. ઉત્‍સવોના ઉદ્દેશો ય પરીવર્તનશીલ હોવા ઘટે!

દીનેશ પાંચાલ

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

લેખકનાં પુસ્તકો :

(1) ‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ!’ અને (૩) ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત395 003 (સેલફોન : 98251 12481 વેબસાઈટ :  ઈ.મેઈલ  : sahitya_sankool@yahoo.com) તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ400 002 ફોન : (022) 2200 2691 વેબસાઈટ :  http://www.imagepublications.com ઈ.મેઈલ : info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2213 2921  વેબસાઈટ :  http://www.navbharatonline.com  ઈ.મેઈલ : info@navbharatonline.com )  અને બાકીનાં નવ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયંવર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી?’ (4) ‘સ્ત્રી : સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત(7) ‘હૈયાનો હસ્તમેળાપ’ (8) ‘ધરમકાંટો’, (9) ‘સંસારની સીતાર’ અને (10) ‘મનના માયાબજારમાં’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ : goorjar@yahoo.com ) તરફથી પ્રગટ થયાં છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે  સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

12 Comments

  1. There is without the fire cracker there is no Ramrajyas imagination?in our
    country the words are so chip to giving the advertise but no one can follow
    in our normal life! why the Britishers quit the India?the bad habits of
    life style is our greatest enemy?now a days a bad style born if any country
    win the mach,the election victory,the fire crackers are must?this
    expenditure to use in food of poor,the best celebration of any festival?THE
    FIRE CRACKERS ARE PRODUCT ED BY THE small innocents child! alas!THE FIRE
    IS THE GOD HEAD ON THE EARTH!

    16 ઑક્ટોબર, 2017 06:52 PM પર, અભીવ્યક્તી એ
    લખ્યું

    > ગોવીન્દ મારુ posted: “(તસવીર સૌજન્ય : નેટજગત) દીવાળીમાં ફટાકડા : જોખમ
    > રોકડાં…!!! – દીનેશ પાંચાલ દીવાળીના ઉત્‍સવમય દીવસો પસાર થઈ રહ્યા છે.
    > વાઘબારસ… કાળી ચૌદશ… ધનતેરસ… નવુ વર્ષ…! જો કે એ બધાંમાં હવે નવું
    > કાંઈ રહ્યું નથી. છતાં એ દીવસોમાં દરેકને પોતાના જમાનાની”
    >

    Liked by 1 person

  2. I fully agree with these views. We should become more practical. This is a good article for thinking.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  3. જગત ના દરેક ધર્મ માં “ધર્મ” ના નામે “અધર્મ” થઈ રહ્યા છે. ઍવા ઍવા કાર્યો થઈ રહ્યા છે, જેને ધર્મ ની સાથે કશો સંબધ નથી.

    ઍ સત્ય છે કે જ્યારે મનુષ્ય ને ધર્મ નામ ની વસ્તુ, કોઈ પણ અનુપમ શક્તિ દ્રારા, આપવામાં આવેલ, તે સમયના ધર્મ અને અત્યારના ધર્મ માં ઍટલો તફાવત થઈ ગયેલ છે કે અસલ ધર્મ બિલકુલ દેખાતો જ નથી. અત્યારે ધર્મ અધર્મ થઈ ગયેલ છે, અને તેના નામ હેઠળ તમાશાઓ થઈ રહ્યા છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રીસ્તી વગેરે દરેક “ધર્મ” ની પરિસ્થિતિ ઍક જેવીજ છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  4. કમસેકમ જે લોકો રસ્તા ઉપર ફટાકડા ફોડે છે તેમને તો જેલમાં જ પૂરવા જોઇએ.
    જોકે નહેરુવીયન કોંગ્રેસીઓ દેખાવો કરવા રસ્તા ઉપર આવી જશે. “જેઓને રહેવાનું ઘર નથી અને જેઓ ફૂટપાથ ઉપર જ રહે છે તેઓ ફટાકડા ક્યાં ફોડશે. સરકારે રસ્તા ઉપર ફટાકડા ફોડવાની બંધી કરી, ઘરવિહોણાને ઘર આપવાની વાત તો જવા દો, પણ તેમનો દિવાળીનો આનંદ પણ ખૂંચવી લીધો છે. ધિક્કાર છે આવી ગરીબ વિરોધી સરકારને… અમારી સરકાર હતી ત્યારે અમે ગરીબલોકોની ખૂશીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા….”

    સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ચક્રમ લાગે છે. અમૂક વિસ્તારમાં અમૂક દિવસો સુધી ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પણ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ નહીં તે વાત અચરજ પમાડે છે. તેનો અર્થ તો એમ જ થયો કે બીજા વિસ્તારની દૂકાનમાંથી ફટાકડા લાવી, અહીં ફટાકડા ફોડવાથી પર્યાવરણને નુકશાન થતું નથી.
    ઓગણીશો સાઠના દશકાની વાત સાથે સરખાવો.
    મહારાષ્ટ્રના મુખ્યએ કહેલ કે દારુ પીવાની બંધી છે. પણ દારુ બનાવવાની બંધી નથી. અને હું દારુની ફેક્ટરી માં દારુનું ઉત્પાદન કરીને તેની નિકાસ કરીશ.

    Like

  5. બંધુજનો, અહી સવાલ કોઇપણ આનંદના અતિરેકનો છે. આપણે સમાજમાં રહીએ છીએ, આપણા સારાનરસા દરેક આચરણની સમાજમાં અસર થાય છે. તમે ઘરમાં બેસી દારુ પીવો એ તમારી મરજી. પણ ચિક્કાર થઇને વાહન લઇને બહાર આવોને બેફામ ચલાવીને કોઇને કચડી નાખો તો કોઇ નિર્દોષની સમસ્યા બનીજાય. એજ પ્રમાણેતમારા આનંદમાટે ફટાકડા ફોડો પણ એમાં વિવેક ન રાખો તો કોઇને માટે જાનનુ જોખમ થઇ જાય. એનુ એક ઉદાહરણ આપુ.1985માં હુ મારા વૃધ્ધ માબાપ જે અપંગ ને પેરેલાઇઝ હતા એમની સારવાર માટે વતનમાં આવી હતી. દિવાળીના દિવસો હતા. છોકરાઓ શેરીમાં ફટાકડા ફોડતા હતા. મારા ઘરની બાથરુમની બારી શેરીમાં પડતી હતી. એ બાથરુમમાં જઇ મે લાઇટ કરી. એવી જ એક છોકરાએ બારીમાંથી સળગતો ફટાકડો અંદર નાખ્યો. ફટાકડો ફુટ્યો ને લાઇટ ગુલ થઇ ગઇ. હુ સલામત બહાર તો નીકળી ગઇ. કલ્પના કરો કે એ સિવાય ઘણુ બની ગયુ હોત. હવે એના માબાપને ફરિયાદ કરી તો એણે બેફિકરાઇથી જવાબ આપ્યો. ‘એ તો છોકરુ છે. છોકરા નહિ ફટાકડા ફોડે તો તમે ફોડશો? આવી જ મનોવૃતિ આખા સમાજની છે.ખરેખર આપણી સામાજિક ચેતનાને લુણો લાગી ગયો છે. હવે તહેવારોમાં ‘જાગરણ’ નહિ પણ જાગૃતિ લાવવાની જરુર છે.

    Liked by 2 people

  6. આ સાથે જે જે મિત્રોઅે પોતાના વિચારો જણાવ્યા છે તે સૌ સાથે હું સહમત થાંઉ છું. સ્વતંત્રતા જ્યારે સ્વચ્છંદતામાં પરિણમે ત્યારે આ પરિસ્થિતિનો જન્મ થાય છે. અને આજ કાલ ભારતમાં સ્વચ્છંદતા રાજ કરી રહી હોય તેવું લાગી રહ્યુ છે. જે પરિસ્થિતિ છે તેને જોઇને તેના વિષે સૌે પોતાના વિચારો આપ્યા…લેખક દીનેશભાઇઅે પણ. પરંતું મારા અને મારા કુટુંબમા સભ્યો તરફથી અભિવ્યક્તિના સર્જકોને , ચર્ચાકારો અને તેમના કુટુંબી જનો તથા તેમનાં સમગ્ર મિત્રમંડળના કુટુંબી જનોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવીઅે છીઅે. તથા વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષ…૨૦૭૪ સૌને માટે તંદુરસ્ત, સુખદાયી, શાંતીપૂર્ણ અને પ્રોગ્રેસીવ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવીઅે છીઅે. ગોવિંદભાઇના ઘર્મપત્નિ મણીબેનની તંદુરસ્તી જલ્દી જલ્દી પાછિ આવે તેવી શુભેચ્છાઓ….અમૃત હઝારી અને કુટુંબીજનો.

    Liked by 1 person

    1. મુરબ્બી અમૃતભાઈ અને હઝારીપરીવારે મણીબહેનની તન્દુરસ્તી જલદી જલદી પાછી આવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હઝારીપરીવારનો હાર્દીક આભાર..

      ‘અભીવ્યક્તી’ બ્લોગ એક ‘વીચારયાત્રા’ છે. અહીં વીચારોની આપ–લે, કુસ્તી હોય છે અને તેમાં પારીવારીક ચર્ચા મારે ન કરવી જોઈએ..! પરન્તુ દોસ્તો, દુ:ખ વહેચવાથી ઘટે છે અને સુખ વહેચવાથી વધે છે એ બાબતને લક્ષમાં લઈને લખવાનું કે ઓગસ્ટ, 2017થી મારા અર્ધાંગીની મણીબહેન ઈન્ફેક્શનના કારણે સફેદકણો વધી જવાથી અને રોગપ્રતીકારક શક્તી ઓછી થવાના કારણે તાવ અને ખાંસીથી ત્રસ્ત છે. તેઓના શરીરમાં જીણી જીણી ગાંઠો છે. અમદાવાદની બે હૉસ્પીટલમાં ઈનડોર પેશન્ટ તરીકે છાતી, ગળુ અને પેટની સોનોગ્રાફી, મામો સોનોગ્રાફી, સીટીસ્કેન, એમઆરઆઈ, બ્રોન્કોસ્કોપી, ગાંઠની બાયપ્સી, એફએનએસી, પેટસીટી સ્કેન, બોર્નમેરો બાયપ્સી વગેરે તેમ જ વીવીધ લેબોરેટરી ટેસ્ટ્સ કરાવવા છતાં કોઈ ચોક્કસ નીદાન થયું નથી. હાલ આઉટડોર પેશન્ટ તરીકે 24 ઓક્ટોબરે ફરી ગળુ અને છાતીની સોનોગ્રાફી કરાવવા અમદાવાદ જવાનું છે. જો ગાંઠો જીણી હોય તેના પર બાયપ્સી થવાની જ ન હોય કે શરીરના નાજુક અવયવો પર એફએનએસી થઈ શકે તેમ ન હોય તો તેવા ટેસ્ટ કરાવવાની અમારી ઈચ્છા નથી. રસ ધરાવતા ‘અભીવ્યક્તી’ના ડૉક્ટરવાચકમીત્રોને મારી મેલ આઈડી govindmaru@gmail.comm પર માર્ગદર્શન આપવા વીનન્તી છે.

      સર્વ વાચકમીત્રોને દીપાવલી તથા નવું વર્ષ 2074ની દીલી શુભેચ્છાઓ અને અભીનન્દન..

      ધન્યવાદ..

      ..ગો.મારુ

      Liked by 1 person

      1. મણીબેન નું સ્વાસ્થ્ય જલ્દી સારુ થાય તેવી શુભેચ્છા…

        Liked by 1 person

      2. જી. હાલ મણીબહેનને સારું છે. નીદાન થયું નથી તે સમજાતું નથી. ધન્યવાદ…

        Like

  7. Thanking you,govindbhai,the great thoughts bringing the heaven on the earth!specially to abbasbhai,a great holy islam teach us to save the water?water is only elixir on the earth! from this moment we try to save how to save the water?the open river baths is dirty habit for others users?use the water bring few water from the river,bath gently! also to stop to wash the cloths and cooking vassal too for happy future!a great holy happy deepvali festival to all readers,a great sorrow for Maniben!the days are the best medicine for the illness!

    Liked by 1 person

  8. મણી બહેનની તંદુરસ્તી માટે પ્રાર્થના છે કે તેઓ વહેલી તકે ઠીક થઈ જાય.

    શુભ કામનાઓ સહિત.

    કાસીમ અબ્બાસ

    ________________________________

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s