Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
This humorous satire and nicely penned by Shri Navinbhai Banker
LikeLiked by 2 people
મારુ હસવા નું બંધ નથી થતું…..
સર્વપ્રથમ: હવેલી ની વાત માં મને એમ થયું કે હવેલી રેસ્ટોરન્ટ જે શાકાહારી/માંસાહારી છે એના બાકડા પર બેસી ને……
..પરંતુ અહીંયા મને એ પણ ખબર છે અને મેં આજ સુધી માં ૩ વાર સામાજિક સમૂહ માં હવેલી માં ગયો છું એ છે વલ્લભ પ્રીતિ સમાજ હવેલી…… અઇયા ભગવાન ના દર્શન માટે દૂરબીન નો ઉપયોગ થઇ છે એ જીવન માં પેહલી વાર જોયું……
…હવે મુદ્દા ની વાત : જો તમારે ચારધામ ની યાત્રા/જાત્રા કરવી હોઈ તો ભારત જવાની જરૂર નથી…આવો હમારા હુસ્ટન માં ….. અતિયાર સુધી માં ૭૨ મંદિરો બની ગયા છે અને બીજા કેટલા બનવા ના છે એ તો એમનો ભગવાન જાને……
હા : અમેરિકા માં કિયા તો મંદિર બનાવો (અને બનાવા ની જરૂર પણ ના પડે, કોઈ નાની ખાલી જગુય ભાડે લો અને ૨-૫ ફોટા મૂકી ડો )..સવાર-સાંજ આરતી પૂજા કરો અને આખો દિવસ બીજા વ્યસનો માં મશગુલ રહો…. આ ના થઇ તો પછી જ્યોતિસી કે વાસ્તુશાસ્ત્ર ના નામે ઠોકો …..
એક સીધો દાખલો આપું તો ..મારા સશુજી ૨૦૧૦ માં ગુજરી ગયા તો મારે પૂજારી ને વિધિ માટે લેવા અને મુકવા જવાનું હતું… ૨૦૧૬ માં મારા સદુભાઇ ગુજરી ગયા તો આ પૂજારી બોલે કે એડ્રેસ આપો હું પહોંચી જઇશ.. આ ભાઈ તો મુસ્ત $૬૦૦૦૦ ની ગાડી માં સમયસર આવી ગયા…. ૬ વર્ષ માં આ એમનો વિકાસ ……
LikeLiked by 1 person
મારું રડવાનું બન્ધ નથી થતું !
LikeLiked by 2 people
મુર્ખાઓના ગામ કે દેશ જુદા હોતા નથી. ઈશ્વરની માફક એ સર્વત્ર હોય છે.
LikeLiked by 1 person
વાહ !…નવીનભાઇ તમે અભિવ્યક્તિને પણ નવી રાહ બતાવી. વાચકોને જાગૃતિ આપી. તમારી સંદેશો આપવાના …પ્રેઝન્ટેશનની મેથડ ખૂબ ગમી. ઘાર્મિક નામો અને ઘાર્મિક કથાઓના નામોના સહારે વાચકને …ખાસ કરીને સિનિયરોને….પોતાના મનનું ખવડાવીને તમારી બનાવેલી દવા હસાવતાં હસાવતાં પાઇ દીઘી. અભિનંદન.
પરંતું અમેરિકાના હિન્દુઓ ભારતના હિન્દુઓ ની કોમ્પીટીશનમાં છે. હમ નહિ છોડેંગેં……અને છોડતા નથી જ. અેટલે તો વેપાર ઘમઘોકાર ચાલે છે.
સંજય…સ્મિતા ગાંઘીઅે લખેલી હરેક વાત સો ટકા સાચી છે. ન્યુ જર્સીમાં અેક ડોક્ટરે સાંઇ સેન્ટર….હાં…સેન્ટર બનાવ્યુ છે. મંદિર નહિ. અને તે કોઇપણ જવાબદારી વિના અેટલું કમાયો કે તેણે રોકેલો પુજારી હેબતાઇ ગયો. હું કેમ પાછો પડું ? મારી મહેનત અને ડાક્ટર ઘરે બેસીને મઝા કરે ? પૈસા…વગર ટેક્ષના….ભેગા કરે ? તેણે રાજીનામુ આપી દીઘું અને પોતાનું સાંઇ સેન્ટર …નવું સેન્ટર ખોલી દીઘું…આજે તે પણ માલેતુજાર છે.
અમેરિકન બની ગયેલાં અહિંના નાગરિક બનેલાં વેપારી બુઘ્ઘિ ચલાવનારાઓ હવે મંદિરો બાંઘવાના વેપારમાં બુઘ્ઘિ દોડાવી રહ્યા છે. ખોટનો ઘંઘો જ નહિ……….
તેના સેન્ટરનાં ઉદઘાટન વખતે ગુજરાત દર્પણના માલિક સુભાષભાઇ અને હું જસ જોવા ગયેલાં….અને અમને સાલ ઓઢાવી દીઘેલી. ચાલ્લો પણ કરેલો. આશિર્વાદ પણ અપાવેલાં.
અહિં સૌથી વઘારે સાઉથ ઇન્ડીયાનાં કોમ્પ્યુટરના યુવાનો જોવા મળે છે.
નવીનભાઇઅે જે સીક્વેન્સમાં લેખ લખ્યો તે પરફેક્ટ છે. અહિં જે રીતે મંદિરો બને છે કે પૂજા પાઠ કરાવાય છે કે મુરારી બાપુ જેવાની કથા થાય છે તે બઘુ જ વેપાર છે….ઓછા ખર્ચે વઘુ નફો. સિનિયરો પછીની બીજી પેઢી પણ હાલે તો રંગાયેલી છે પરંતું તે પછીની પેઢી થોડી જાગૃત થશે અેવું લાગી રહ્યુ છેં નવીનભાઇને મારાં હાર્દિક અભિનંદન….
અમેરિકા આવનાર અભણ, ઓછું ભણેલાં કે ખૂબ ભણેલાં ઓછી મહેનતે, ઓછી લાગવગે, ઓછા અનુભવે…અને નોકરી છુટી જવાની બીક વિના જો પૈસાવાળા થવાની ખેવના ઘરાવતાં હોય તો જરુરથી મંદિરનાં પુજારીની ટરેનીંગ લઇને આવજો. અને…અથવા…મુરારી બાપુ…રમેશભાઇ ઓઝા કે ….પંડયા…કે ….કથાકાર બનીને જ આવજો….તમારા ભગવાન જરુરથી તમારું ભાવી ઉજ્જવળ બનાવી દેશે તેમાં કોઇ શંકા નથી.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
અખાના ચાપકા જેમ આ લખાણનો સમય થઈ ગયો છે! કૃષ્ણભગાવાને ક્યાંક સૌને કહ્યુ’તુ કે પાપ વધી જશે ત્યારે એ જન્મ લેશે! એ જન્મી ચૂક્યા હોય તો આ લેખમાં ચિતરેલી પરિસ્થિતિમાં પુરાયેલી આમ પ્રજા કેવી રીતે જોઈ શકે? એવું બને કે, આ લેખકના મગજમાં ભગવાન પ્રવેશીને આ લખાવી રહ્યા હોય! બીજી એક વાત. ‘લાઈક’ કરી વાંચકો એમનો સમય બચાવી લેશે તો આ લેખક એકલા હાથે સમાજમાં સુઘારો કેવી રીતે લાવી શક્શે? શું એમની પાસે બે શબ્દો લખવા જેટલો સમય પણ નથી? લાઈક કરીને તમે આ લેખકની સમાજ સુધારક ચળવળમાં જોડાઈતો ગયા છો! તો જો તમારા દિમાગમાં શબ્દો સરવળવા લાગ્યા હોય તો એને બહાર લાવવાનું કામ કરી શકવા સમર્થ નથી? ચાલો ત્યારે…શેઠની શિખામણ…..!!!!! જતાં જતાં…. આ લેખક્ને આજ નહિ તો ભાવિમાં જનતા યાદ કરશે જો એમણે ચીતરેલી આ પરિસ્થિતિ આમ જ ચાલ્યા કરશે તો, અને તમે સહુ એ જોઈ,જાણીને પાછા જીવ બાળ્યા જ કરશો. લેખકને દિલથી અભિનંદન.
LikeLiked by 2 people
મને જે સાચું લાગે છે એ હું લખી નાંખું છું. ક્યારેક દુશ્મનાવટ પણ થાય છે. પત્ની અને અન્ય સગાંસંબંધીઓ મને આ ‘લખારા’ કરવાનું બંધ કરવા પણ કહે છે. મારો લેખ ‘અમેરિકામાં અંધશ્રધ્ધા’ છપાયા પછી તો મને જાહેરમાં તમાચા મારવાની ધમકીઓ પણ આપવામાં આવેલી. લેકિન ક્યા કરેં ? દિલસે મજબુર હૈ /
નવીન બેન્કર ( ૧૭ નવેમ્બર ૨૦૧૭)
LikeLiked by 2 people
નવિનભાઈ, મોં ખોલવા કે ક્યાંક લખવા માટે કયા સમાજ સેવકને જનતાએ શરુમાં શરુમાં વઘાવ્યા હોય એવું વાંચવામાં આવ્યું નથી! પતિની પાછળ સતી થવાના રીવાજને પડકાર કરનારને શું ત્યારના સમાજે તુરતજ વધાવી લીધા હશે? એ રીવાજ અત્યારે સહુને કેવો બુધ્ધીહિન લાગે છે, પણ ત્યારે એક વ્યક્તિ (નામ યાદ આવતું નથી) સિવાય કેટલાઓને લાગેલો? સાચુ કહેનારો શરુ શરુમાં સૌને કડવો જ લાગવાનો! કઈ દવા કડવી નથી? તંદુરસ્તી સાચવવા સૌ એ કડવી દવા પૈસા ખર્ચી લે છે, એ જાણી કે એ પેટમાં જઈને ફાયદો જ કરવાની છે!
એમ, આ કડવી વાત મીઠ્ઠી લાગતાં સમય લાગશે. આ કડવી વાત સમયસર જો કહેવામાં ન આવે તો પછી સમાજની તંદુરસ્તી કેમની સુધરવા પામશે?
LikeLiked by 2 people
તમારી જાણ સારુ, બંગાળના સમાજ સેવક રાજા રામમહનરાયે સતી થવાનો રીવાજ બન્ધ કરાવ્યો હતો.
LikeLiked by 2 people
નવીનભાઇ,
તમારી બોટમાં હું પણ બેઠેલો છું. ઘરમાં જ વિરોઘીઓ જાગે છે અને અેક કાને સાંભળીને બીજા કાને બહાર…..
વાંચનાર લોકોમાં પણ ગઢેરમાં ચાલવાવાળાઓના રીપ્રેઝન્ટેટીવો હોય છે.
કયા સાચુ બોલનારને હાર તોરાં થયેલા છે ?
તમો જે રસ્તે ચાલો છો તે ભલેને કાંટાળો હોય…ભલેને તમને અમાન્ય કરવાવાળાં મળતા હોય…..
તારી હાંક સુની કોઇના આવે તો અેકલો જાને રે……
આભાર…અને અભિનંદન. મનને સાચુ લાગે તે આપતા રહો…..થોડા સ્વિકારવાવાળા તો છે જ……
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
one of the best kataksh and true story of Sadhues biography..
LikeLiked by 1 person
Halarious and very true. There are many N.B. here in Houston. Stay away from them.
LikeLiked by 1 person
ખુબ જ સુંદર કાબીલેદાદ જડબેસલાક લેખ !!! તે સમયના કબીરજી, દયાનંદ સરસ્વતીજી, ડૉ. આબેડકરજી જેવા વિચારવંત કેટ કેટલા સમાજ સુધારકોએ પણ ત્યારે જાહેર કરેલા એમના ક્રાંતિકારી વિચારોને લીધે ખુબ ખુબ શહન કરવું પડેલું.
માનવું રહ્યું કે એના લીધે જ કદાચ આજે સર્વ શ્રી ગોવિંદભાઈ મારું, દિનેશભાઈ પંચાલ,રમણભાઈ પાઠક અને નવીનભાઈ બેન્કર,સૂર્યકાંત શાહ(હકીકતો અને ભ્રમણાઓ) ,જયંતીભાઈ પટેલ( ઈશ્વર: એક હાનીકારક કપોળ કલ્પના ) અને બીજા પણ સમાજને મળ્યા .
આવતા વર્શોમાં એવા કાર્તીકારી વિચારકો અનેક ઘણી મોટી સખ્યામાં મળશે જ એવી આશા અસ્થાને નથી. સમય મળે ઉપરની બન્ને નાની પુસ્તિકાઓ વાચી જવા વિનંતી.
LikeLiked by 1 person
શ્રી નવીન બેન્કરે લખેલ લેખ ફક્ત અમેરિકા ને જ લાગુ પડતો નથી.અહી કેનેડા,ઇંગ્લેન્ડ,બલકે જ્યાં જ્યાં ઇન્ડિયનો વસવાટ કરેછે તે તમામ દેશ માં મંદિર બનાવી કમાણી કરવાનો એક વ્યવસ્થિત ધંધો બની ગયેલ છે.જ્યાં લોભિયા હોય,ત્યાં આવા બાવાજીઓ નો ધંધો ધમધોકાર ચાલતો હોય છે.શ્રી બેન્કરે લખેલ કટાક્ષ કથા વાસ્તવ માં હકીકત છે.અહી મને એક જોક યાદ આવી તેનો ઉલ્લેખ કર્યા વગર ચાલશે નહી.
એક ચર્ચ ની ભાર એક રવિવારે બે ગુજ્જુભાઈ ડોનેશન લેવામાતે બેસી ગયા.એક ભાઈએ ઓમ નું ચિન્હ રાખેલ અને બીજાએ ક્રોસનું.ચર્ચ માંથી ભાર નીકળતા દરેક ભાઈ ક્રોસ વાલા ગુજ્જુને ૨,૫,૧૦ ડોલરની નોટ નાખી ધન્ય અનુભવતા હતા,કોઈ ઓમ વાળાને ડોનેશન આપતું નહી છેવટે સમય પૂરો થતા પાદરી ભાર નીકળતા જોયું કે ઓમ વાળનું પાથરણું ખાલી હતું તેથી તેને ઓમ વાળા ગુજ્જુને કહ્યું કે તને અહીંથી કઈ મળશે નહી કોઈ મંદિર પાસે જીને બેસીજા.આ સાંભળી ઓમ વાળા ગુજ્જુયે બાજુમાં બેઠેલા ગુજ્જુને કહ્યું ,મનસુખભાઈ આ પાદરીને શું ખબર છે કે ધંધો કેમ થાય. મતલબકે દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાળા ચાહિયે.આ જોક શ્રી બેન્કરે લખેલ લેખને બરાબર લાગુ પડેછે.મોટાભાગના લોકો આ જાતની માનસિકતા થી પીડાતા હોય છે તૂકે રસ્તે,વગર મહેનતે ટેક્ષ ભ્ર્યાવગર પઈસા દાર થવાની વૃતિ આમાં દેખાય છે.જાગૃતિ આપણે રાખવાની છે.
LikeLiked by 1 person
ધર્મસ્થળોની તો વાત જ જવા દો. કેનેડાના-ટોરેન્ટોમાં અમે રહીએ છીએ એ જગા ૨૦ વર્ષ પહેલા ઉજ્જડ હતી. એક હિંદુસભા મંદિર બંધાયું અને આજે એની ફરતે એક કીલોમીટરના ક્ષેત્રમાં માનવ વસતિની (ખાસ કરીને ભારતના) સાથે સાથે ગુરુદ્વારા, સત્યસાંઈ મંદિર, સનાતન મંદિર, વિષ્ણુ મંદિર, બાલાજી મંદિર અને એવા કંઈ કેટલાયે મંદિરોની જમાવટ થવા માંડી છે. પશ્ચિમના દેશોમાં પણ અંધશ્રદ્ધા કેડો મૂકતી નથી. પછી નૈમીષાનંદ ભારતીઓ અહીં આવી ઘી-કેળા જ કરે ને ?!
LikeLiked by 1 person
મને આનંદ છે કે મને આટલા સરસ પ્રતિભાવો મળ્યા. આભાર, દોસ્તો !
LikeLiked by 1 person
બહુ મજા આવી. કટાક્શમય ટકોર અસરકારક રહી.વાસ્તવિકતાનુ નિરુપણ.
LikeLiked by 1 person
It is very true and interesting article. People do not want to think and they get trapped by these sadhus.
Thanks ,
Pradeep h. Desai
USA
LikeLiked by 1 person
હ્યુસ્ટન નિવાસી હમ ઉમ્ર મિત્ર શ્રી નવીન બેન્કર એક સ્પષ્ટ વક્તા અને લેખક છે.જે સાચું લાગ્યું એને કોઈની પણ સાડા બારી રાખ્યા વિના લખે છે. એમની આવી નિખાલસતા આ લેખમાં સ્પષ્ટ દેખાય છે.અમેરિકામાં પણ મહારાજા બની રહેલ આજના મહારાજો વિષે એમની કટાક્ષમય શૈલીમાં કેટલું સાચું શબ્દ ચિત્ર એમણે દોરી આપ્યું છે ! નવીનભાઈને અભિનંદન.
LikeLiked by 1 person
Bold & Factual article.According to Katja ex Supreme court judge, more than 90% people in India are foolish They remain same even settled in US.It is a big business with getting respect in society.Who cares !!! Tregic .
LikeLiked by 1 person
ઉમેરો કરવા વીનંતી. ‘મંગળ ઉપર જશે તો પણ ‘!
LikeLiked by 1 person
હમણાં, એક ચલતાપુર્જા ઠ્ગભગતે, હ્યુસ્ટનમાં, એક જીવતા પણ ભગવાનનો પુનર્જન્મ ઠઠાડી દીધેલા માનવીનું મંદીર બનાવવાની ઝુંબેશ ઉપાડી છે. કેટલાક એક્ટીવીસ્ટોએ તેને સાથ આપ્યો છે. અને આજકાલમાં જ, જમીન દાનમાં મળતાં, ઉઘરાણું શરૂ કરી દઈને, કહેવાતુ મંદીર બંધાવું શરૂ થઈ જશે. પાર્વતીજીનો પુનરાવતાર ગણાવાતા બહેન તો મને કેટરીના જેવા દેખાય છે. ભાખરા નંગલ ડેમ નજીક તેમનો આશ્રમ હોવાની અને પોતાના પતિ અને બાળક સાથે રહેતા એ બહેનના નામનું મંદીર બનાવવાની ટહેલ નાંખવામાં આવે છે.મને એમના ફોટાનો ચરણસ્પર્શ કહેવાનું કહેવામાં આવતા મેં કહ્યું કે- મને તો આ ફોટો કેટરીનાનો લાગે છે અને મને ‘ક્લીક’ થાય છે.’ એટલે મને હડધુત કરીને કાઢી મુકવામાં આવ્યો. દાન આપનાર લખેશ્રીઓ છે. સમાજમાં આગેવાનો ગણાય છે. આ ચલતોપુર્જો પોતે તો ડીસએબિલીટી , મેડીકેઇડ અને ફુડકુપન પર જીવે છે.
હવે એકવાર આ મંદીર શરૂ થાય પછી એનો રીપોર્ટ લખવા મને બોલાવશે ત્યારે હું એનો આંખે દેખ્યો અહેવાલ લખીશ. હ્યુસ્ટનમાં, આવા અહેવાલો ગુજરાતીમાં લખવા માટે હું એકલો જ ‘ઘાંયજો’ છું.
નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૨૦ નવેન્મ્બર ૨૦૧૭)
LikeLiked by 1 person
આ કથાકારના વાક્યો, સમાજ સુધારણાના પ્રયાસો, ભવિષ્ય ભાંખનારા શાસ્ત્રીઓ અને વાસ્તુ શાસ્ત્રવિદો એ મને એમ લાગે છે કે આ પેઢિ અને ન જાણે આવનારી કેટલીય પેઢિઓ માટે શસ્ત્ર કરતાં પણ વધુ જોખમી છે. ખુબ સરસ પોસ્ટ સત્ય ને ઉજાગર કરતી…આમ તો સત્ય સ્વયં પ્રકાશિત હોય છે પણ આ કલીયુગમાં એનેય LED નુ બેક અપ જોઇએ……
LikeLiked by 1 person
અમારા ત્યાં આવતા સાધુ સત્યનારાયણની કથા કરવા કલાવતીને સાથે આવે અને પૂજાના ફોટા પડતા જાય અને યજમાનને પૂછીને ફેસબૂક પર અપ લોડ પણ કરતા જાય .
LikeLiked by 1 person
અમેરિકામાં રાહુ છું, આસ્તિક કહો તો નાસ્તિક છું,અને નાસ્તિકની વ્યાખ્યામાં બંધબેસતો નથી એટલે આસ્તિક છું, મંદિરમાં જાઉં છું,કારણ (1) પ્લાન કર્યા વગરનું સોશ્યિલ ગેધરિંગ (2) મંદિર ગામમાં જ હોવાથી થોડો સામાજિક કાર્યમાં ફાળો।
એક વખત પુજારીશ્રીને પ્રશ્ન કર્યો “રામ શા કારણે ભગવાન કહેવાયા?” પૂજારી કહે “શ્રી રામ એક પત્નીવ્રત રાખતા હતા માટે”મારો બીજો પ્રશ્ન,”તો દશરથને ત્રણ પત્નીઓ હતી તો એ તો રાક્ષસ કહેવાય કે નહિ?” પરિણામ -મને કહે કે આપ મંદિરમાં આવશો નહિ, મારો ધંધો બગાડશો।
એટલા ઉપરથી આપ સમજી શકશો કે પુજારીની ધાર્મિક હેસિયત અને જ્ઞાન કેટલા છે,અને આવા પૂજારી જ નહિ પણ વિઝિટિંગ ડિગ્નિટરીઝ જેવા મહાન સંતો પણ અવારનવાર મુલાકાત લે છે,મંદિરમાં એક એવા જ્ઞાની-મારી હેસિયત નથી કે એમને અંગે કઈ બોલી શકું કારણકે મને ધર્મની વાતોમાં રસ પડતો નથી,એમણે મને મહેર્બાનીની રાહે મારા માગ્યા વિના જ એમના રૂમમાં મુલાકાત માટે બોલાવ્યો,જયારે જાણ થઇ કે હું એક સામાન્ય નિવૃત્ત વ્યક્તિ છું, એમના હાવભાવ બદલાઈ ગયા,અને બધાને અપાતી કૃપાપ્રસાદી માંથી મને બાકાત રાખ્યો,
આ અમેરિકાનો રોગ નથી,અમેરિકામાં પૈસા છે,અમેરિકન ભારતિયો દેશમાં મોટા ગણાતા માણસોને જોઈને ગાંડા બને છે,અને ઉઘાડી આંખે પૈસા ઉડાવે છે,ભલે પછી અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન થી માંડીને ગમે તે કક્ષાના અભિનેતા/નેત્રી હોય,ગુજરાતી સાહિત્યના કવિ/લેખક/વિવેચક હોય અને આવા સાધુઓ પણ હોય, જેમના અહીં સ્થાઈ થયેલા પુજારીઓ ધર્મધુરંધરો એમના એજન્ટ તારીકે કામ કરતા હોય છે,
ફક્ત પૈસા આવ્યા માટે ખર્ચો અને બતાડો ની મેન્ટાલીટી આવા બધાને અહીં આવવા પ્રેરે છે,
LikeLiked by 1 person
અખા કથા સુણી સુણીને ફૂટ્યા કાન તો ે આવ્યું બ્રહ્મજ્ઞાન પણ ઘેટા સમાન લોકો સમજતા નથી…
LikeLiked by 1 person